________________ રાજવાર્તા 45 આ વાતની જાણ થઈ. પિતૃસેવા એ તો પુત્રને પરમ ધર્મ લેખાય ! આ ધર્મનો જાણકાર યુવરાજ બિખ્રિસાર ભીલપતિની પલ્લીમાં ગયે.” “બિસ્મિસાર કોણ?” તદ્દન અજાણ્યો હોય તેમ સાર્થવાહ પ્રશ્ન કર્યો. રાજગૃહીના વસાવનાર, આજના રાજરાજેશ્વર મગધપતિ બિઅિસારને તમે નથી ઓળખતા ! યુવાન, તમે તે એને નહીં જોયા હોય ! જોવા જેવા છે, હો ! કામદેવનો જીવંત અવતાર ! છાતી સિંહની, બાહુ વાના, મસ્તક ઐરાવત હસ્તીના ગંડસ્થળ જેવું. પણ એ વાત પછી. રાજા પ્રસેનજિતના સુખ માટે ભલ્લપતિ પાસે જઈ તેમણે તિલકાની માગણી કરી. ભીલપતિ ચતુર હતા, એ ય પલ્લીનો બેતાજ બાદશાહ હ. એણે કહ્યું: " રાજગાદી તિલકાના પુત્રને મળે, એવું વચન આપે ! મારી પુત્રીનું સંતાન તો અધિકાર માટે જ સર્જાયેલું છે.” “જેવી પિતાજીની ઈચ્છા,” આટલું કહી કુમાર બિમ્બિયાર પાછો ફર્યો. રાજાને તો તિલકાની સૌંદર્યભરી દેધ્યષ્ટિ મદનના તાપથી સળગાવી રહી હતી. એણે ભીલ્લપતિને વચન આપ્યું ને તિલકા સાથે પાણિગ્રહણ કર્યું. વર્ષો વીત્યાં. યુવરાજ બિમ્બિસાર યોગ્ય વયને થયે. તિલકાને પણ પુત્ર જન્મ્યો. રાજા વૃદ્ધાવસ્થાને આરે હતો. સિંહાસનના ઝઘડા જાગ્યા, પણ તિલકાએ પિતાના જાજ્વલ્યમાન સૌંદર્યના આતાપથી વૃદ્ધ રાજાને પિતાના પક્ષમાં લીધો હતો. એક નજીવા બહાના હેઠળ બિબિસારનું દિલ દુભવ્યું. સ્વમાનશીલ બિબિસાર રિસાઈને ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. પણ સિંહ અને પુરુષો જ્યાં જાય ત્યાં પોતાનું પરાક્રમ દાખવી બધું પિતાને વશવર્તી બનાવે છે, એ રીતે નેપાળ કુમારના નામથી દેશદેશ ભટકતે આ યુવરાજ બેનાતટનગરનો અતિથિ બન્યો. ભાગ્ય ઊજળાં હતાં, એટલે ત્યાંના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠિરાજ :