________________ 48 મહર્ષિ મેતારજ માંથી બહાર નીકળ્યો. એ એકલો હતો. ક્ષણવારમાં તે પલ્લી વટાવી ઊંડી ખીણમાં સરી ગયો. ગંગાના કિનારેથી પલ્લી સુધીનો કોઈ ચેઓ કે નિયત માર્ગ નહોતે. એકાદ પગદંડી કે માણસના અવરજવર જેવાં ચિહ્નો પણ કદી શોધ્યાં ન મળતાં. આખું જંગલ, એની કંદરાઓ, એની ખીણો, એનાં નાનાં ઝરણે, વાઘવરૂની બોડે, એ બધા વચ્ચેથી એમને છુપ રાજમાર્ગ વહ્યો જતા હતા. માડું મારું મેટા ઘાસમાં થઈને એમનો માર્ગે ચાલ્યો જ. આવા માર્ગોએ રોહિણેય ઝડપથી આગળ વધતો હતે. ઘડીકમાં કઈ ખાડે કૂદતાં ના બની જતે, કેટલીક વાર એક ઝાડ પરથી બીજે ઝાડ જતાં તાડ જેવો પડછંદ લાગતું. એ ચાલતું હતું, દોડતે હતો, કૂદતા હતા કે છલંગે ભરત હતો; એને નિર્ણય થઈ શકતે નહિ. આખરે ગંગાને તીરે આવીને એ થે. એણે મેથી ઝીણ સિસોટી વગાડી, અને પાછળથી જંગલી જાનવર જેવો અવાજ કાઢ્યો. પડતી રાતની શાંતિમાં આ અવાજ ઘણે દૂર સુધી સંભળાયો. એકાએક કઈ જંગલી જેવો માણસ પાસેની વનરાજિમાંથી હાથમાં નાનું પિોટકું લઈને બહાર નીકળી આવ્યો. રોહિણેયે પોટકું છોડીને એમાંથી જોઈત પોશાક વગેરે લઈ લીધું. બેએક ક્ષણ વીતી અને ગંગાના એક ઘાટ પર કોઈ દેશદેશની યાત્રા કરવા આવેલ રંગીલો સાર્થવાહ નૌકાવાળાને રાજગૃહીની સુંદર ગણિકાના ધામ માટે પૂછી રહ્યો હતો. એના હાથમાં સુવર્ણમુદ્રાઓ ખખડી રહી હતી. નાવડીએના નાના દીપકના ઝાંખા પ્રકાશમાં સુવર્ણમુદ્રાઓ ગરીબ નાવિકે પર અજબ કામણ કરી રહી હતી. રસિકજને માટે તે પ્રિયદર્શના ખરેખર સ્વર્ગની સુંદરી જેવી છે.” એક નાવિકે કહ્યું: