________________ 2 જ વાર્તા | [ 9 ] અાથમતી રાતના ઝાંખા પ્રકાશમાં વૈભાર પર્વતની શિખરમાળ તરફ સરી ગયેલી નૌકા, એ પછી કેટલાય મહિનાઓ સુધી અવારનવાર એવા જ અસૂરા ટાણે આવતી અને જતી જોવાતી. એમાંથી પિલે રંગીલે પરદેશી, અજબ સ્વભાવને સાર્થવાહ લપાત-છુપાતો દેવદત્તાના આવાસે આવતે અને જાતે. આ આગમન અને પ્રત્યાગમનના સાક્ષીભૂત આકાશના તારક અને સાગરના જળદેવતા-આ બે સિવાય કાળા માથાનાં માનવીઓ ઓછાં હતાં. નાનીશી હોડીને નાવિક પણ આ સાર્થવાહ વિષે કંઈ શંકા ધરાવતે થયો હતો, છતાં હિરણ્યના લોભે એની જબાન બંધ રહેતી. એ જેતે હતો કે ગંગાના તેફાની તરંગે પર કદી કદી નૌકા કાગળની હેડી જેમ ધ્રુજી ઊઠતી. ત્યારે પણ આ સાર્થવાહ જરા ય ગભરાતો નહિ. વેપારીવર્ગમાં આટલી નિર્ભયતા એણે જીવનમાં પ્રથમવાર નીરખી હતી, અને આટલો વૈભવશીલ જીવ વૈભારગિરિના કઠેર પ્રદેશમાં વસવા જાય એ એનો ન અનુભવે હતે. આવી અનેક શંકાઓ દેવદત્તાને, એની કુશળ દાસીને પણ ઘણી વાર થતી, છતાં યુવાનનું વ્યક્તિત્વ જ એવું હતું કે એને નીરખતાં એવા