________________ રાજવાર્તા 61. પ્રશ્નો આપોઆપ સ્મરણમાંથી સરી જાય. દેવદત્તાના રસમંદિરે અનેક રસિયાઓ આવી ગયા હતા, એના ઉદ્યાનના સુંદર ફૂલો પર જેટલા. ભમરા બેસવા આવતાઃ એનાથી વધુ ભોગી ભ્રમરો એની ચારે બાજુ વિંટળાયેલા રહેતા. પણ એ ભ્રમરનું નસીબ બગીચાના ભ્રમરો કરતાં હીણું હતું. તેઓને એકાંત ભાગ્યે જ મળતું. વાતચીતનો પ્રસંગ દુષ્કર બનતો, અને શ્વાસથી શ્વાસ ભેટે એટલા નજીક બેસી મધુપાનનો પ્રસંગ જવલ્લે જ સાંપડત. દેવદત્તા સંસારનાં સૂત્રોની પંડિતા હતી. કામશાસ્ત્રની વેત્તા હતી. માનવસ્વભાવથી સુપરિન ચિત હતી. એ જાણતી હતી કે મનોવાંછિતની પ્રાપ્તિ કરતાં એની પ્રતિક્ષા અત્યંત સુરમ્ય, મીઠા દર્દથી ભરપૂર અને સંપૂર્ણ સ્વપ્નથી રસેલી હોય છે, માનવીને એ વશવતી રાખે છે. પ્રાપ્તિ પછીની. ક્ષણે તો કંટાળા ભરેલી, આશાભંગની અને સુવર્ણ સ્વમનાં ખંડેરોની હોય છે. પ્રતિક્ષાના કલ્પનાવી રાજ્યમાં માનવી પાસે ને પાસે આળોટવા ઈચ્છે છે. પ્રાપ્તિ પછીનો માનવી ઠંડો, હતાશ ને નીરસ બને છે, એ દૂર દૂર જવા મથે છે. દેવદત્તા પિતાના ભોગી ભ્રમર પર માનસશાસ્ત્રનો આ નિયમ અજમાવતી, અને એ જ કારણે એના ભ્રમરો ખૂબ હતા ને એનાં વખાણ ખૂબ થતાં. પણ સાર્થવાહ સાથેના પ્રસંગમાં દેવદત્તાની યુક્તિ દેવદત્તા ઉપર જ અજમાવાઈ. દિવસના દિવસોથી સાર્થવાહ આવતો હતો, પણ જાણે અનંગના રંગમાં તો સાવ અબુધ ! વાતે સુંદર સુંદર કરે, પણ જાણે સ્વસ્થતાને અવતાર ! વિવલતા, ઉન્માદ કે ધ્રુજારી સહેજ સરખી પણ જોવા ન મળે ! પ્રતિક્ષાના આ દિવસો વિતતા ચાલ્યા ને જાણે અજાણે દેવદત્તા અદ્રશ્ય સ્નેહપાશથી બંધાતી ચાલી. દેવદત્તા સામાન્ય કુંભદાસી કે