________________ 44 મહષિ મેતારજ વૃદ્ધ પુરુષ થોભ્યો. આવેશમાં ને આવેશમાં એ ખૂબ બોલી ગયો હતો, એટલે એનો શ્વાસ વધી ગયો હતો. - “દાદા, શાન્તિ રાખે, વિશ્વાસ રાખો, ઈષ્ટદેવનું સ્મરણ કરે. અમે જ્ઞાતપુત્રની માયાજાળમાં નહીં આવીએ. એને ઉપદેશ નહીં સાંભળીએ, એના સ્થવિરસંતનું માન નહીં કરીએ.” * “એ વાત બરાબર છે, પણ તમારામાંના કેટલાક ભોળા છે. અને આ તે શદ્રોને નામશેષ કરવાની ચાલાકી છે. દરેક જણ ઊભો થઈને પ્રતિજ્ઞા કરે કે અમે એનું એક પણ વાક્ય કાને નહીં ધરીએ, તે જ મને શાન્તિ થાય.” " દાદાનાં આ વચનેએ ચારે તરફ જરા ઘોંઘાટ ઊભો કર્યો. એક બાજુથી સ્વર આવવા લાગ્યાઃ શું દાદાને અમારા પર વિશ્વાસ નથી?” “શું દાદા અમને મૂર્ખ ધારે છે?” પણ આ બધા સ્વરો કરતાં એક મેટ સ્વર ચારે તરફ ગાજી રહ્યો. દાદાને મરતાં મરતાં ય સાચી મતિ નથી સૂઝતી. જ્ઞાતપુત્રના -ઉપદેશને જરા તે શાન્તિથી વિચારે ! એને તમારી પાસે છે સ્વાર્થ છે! એણે કેટકેટલાને પાપના માર્ગેથી વાળ્યા છે, એ તે જુઓ! આ તે ધર્મકર્મની બાબત. દાદાની કહેવાની ફરજ, આપણને યેગ્ય લાગે તે આચરવાની ફરજ ! શા માટે બધાએ બંધાઈ જવું ! મને તે દાદાને પ્રતિજ્ઞાને આગ્રહ ફેગટ લાગે છે.” આ પ્રચંડ સ્વર માતંગનો હતો. આ સ્વર સાંભળી મરતો મરતો રેહિણેયને દાદે એક વાર બિછાનામાં બેઠો થઈ ગયો, દાઢી મૂછના કાતરા ઠીકઠાક કરતો તે મેટા ડેળા ફેરવવા લાગ્યો.