________________ રેહિણેય 43. હવે હું તમારા બધાની વિદાય લઉં છું. મેં મારા જીવનમાં - તમારા માટે મારાથી બનતું બધું કર્યું છે, એને મને સંતોષ છે; છતાં ય મારી ઘણી મુરાદો બાકી છે.” વૃદ્ધ લૂંટારો સહેજ શ્વાસ ખાવા થોભ્યો. “કઈ ન માનશો કે મારી મુરાદ ધનલક્ષ્મીની કે કોઈ દુશ્મનને હરાવવાની છે. તમારી વફાદારીપૂર્વકની સેવાથી તો મેં મહારાજ બિઅિસારની રાજધાનીને તેબા તોબા પોકરાવી છે. એના મોટા મેટા સેનાપતિઓ, ગુપ્તચરે, સંનિધાતાઓ, દુર્ગપાલો આજે ય મારું નામ સાંભળી થરથર ધ્રુજે છે. મારી પલ્લીને ખજાનો કે રાજા કરતાં ઓછો નથી. મારા એકે દુશ્મનનું માથું મેં સલામત રહેવા દીધું નથી, પણ મને મારા પછીની ચિંતા છે.” ખે ચોખ્ખું કહોને દાદા ! " એક વયોવૃદ્ધ સાથીદારે જરા નજીક જઈ ધગધગતા કપાળે હાથ ફેરવતાં નેહથી કહ્યું. રોહિણીઆના દાદાને બધા દાદાના નામથી જ સંબોધતા. " ખે ચોખ્ખું જ કહ્યું છે. મરતી વેળાએ માણસને છુપાવવાનું શું હોય? મને એ તે ખાતરી છે, કે મારી પાછળ તમે રોહિણેયની આજ્ઞામાં રહીને મારું કામ ચાલુ રાખશે, એક દહાડો આપણું રાજ સ્થાપીને સંતોષ પામશે; પણ મારા મનની મુરાદ, બધાં પંચ પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી, અને તે એ કે પેલા જ્ઞાતપુત્રને ઉપદેશ કેઈ ન સાંભળે ! ભૂલે ચૂકે પણ કઈ એમ ન માનતો કે બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય સાથે તમારે કંઈ ભેદભાવ નથી, તેઓ તમને એકસરખા ગણે છે. એ અને આપણે જુદા ! મેં એ વતની ખૂબ ખૂબ ખાતરી કરી છે. હવે તમે ભરમાશે નહીં. એ લોકોને લૂંટવા, હેરાન કરવા, મારવા, ખાનાખરાબી કરવી એમાં જ આપણી શેભા. કેઈની પાસે ભીખ માગે મોટાઈ કે હક ન મળે. એ તો આપ પરાક્રમથી જ મેળવાય.”