________________ ભવનાં દુઃખિયારાં 19 “શું થાય ? એને ભોગ દેવાવાનો હતો. હતો બ્રાહ્મણને દીકર, નામ અમર. પણ ભલા બાળકને કેઈએ નમસ્કાર મંત્ર શીખવેલો.” નવકાર મંત્ર કે ? અલ્યા, એની પાસે તે તારા બધા મંત્ર પાણી ભરે હોકે ! " બહુ પંડિતા ખરીને, એટલે તું બધું જાણે! એ બધા ય આપણું તો રિદ્ધિ ! એમ કૂટું ન બોલીએ.” “હાં હાં, અલ્યા પછી થયું શું? " વિરૂપા માતંગના ઠેલતી શ્રદ્ધાવાળા દિલને પિછાનતી હતી. એણે વાત બદલી નાખી. થાય શું? રાજાજી ચિત્રશાળા ચણાવતા હતા. કઈ રીતે દરવાજે ઊભો ન થાય ! આખરે કેઈએ કહ્યું કે એમાં બત્રીસ લક્ષણે બાળ હોમ ! રાજાના સેવકે એ તો ઢઢેરે પિટા, અને માગી સોનામહોર આપી છોકરાને શેધી લાવ્યા. શું છોકરાનું રૂપ, શી એની કાન્તિ! પહેલાં તે છૂટવા એણે ઘણાં ફાંફાં માય; પણ યમરાજના હાથમાંથી છૂટાય તો એ લોકોના હાથમાંથી છૂટાય ! બાળકને કેઈએ નવકાર મંત્ર શીખવેલો. આખરે એ મંત્રને એણે જાપ કર્યો. એ જાપ સાંભળી એક ચમત્કાર થયે. બધા થંભી ગયા. બાળકને મુક્ત કર્યો. બાળક તો બિચારે મુનિવેશ ગ્રહી ચાલ્યો ગયો.” “ધન્ય, ધન્ય! અનેકશઃ નમસ્કાર હજો એ મંત્રને " અને અનેક વાર નમસ્કાર હજો આ બૈરીઓની જાતને, જેને પિટની ઓલાદ કતલ કરવા આપતાં શરમ ન આવી. અને વળી એ તે કહેતી હતી કે આમાં તો ધરમ સમાયો છે. બાળકને સ્વર્ગ મળશે! અરે, કતલમાં તે, હત્યામાં તે ધરમ ક્યાં ભાળે ?" બેસ, બેસ, ડાહ્યા ! વળી બે વર્ષ પહેલાં તું જ વાત નહતો લાવ્યો કે મા-શક્તિને સાત છગાલ ચઢાવીએ તો સાત દીકરા થાય.