________________ પરસૃતિકા 33 આવી હતી ! એ મન હવે એને ખૂબ પજવવા લાગ્યું હતું. આમ્રઘટાઓ અને દ્રાક્ષના લતામંડપમાં આખો દિવસ ટહુકાર કરતી આ નારીને હવે પેલા માળાથી દૂર જવું નહોતું ગમતું. બહારથી તે એ ડેળઘાલુ કહેતી કે મારે સંતાન જ ક્યાં છે, કેવી ફક્કડ છું, અને એ રીતે દેશદેશના પરભકતોને પિતાના રૂપથી આંજતી, છતાં અંદર વસેલું મન ઘણીવાર બંડ કરતું, એના કાળજાને ચૂંથતું. કઈ કહેતું “ઓ નિષ્ફર માતા ! તારા સંતાનના દેહ પર એક વાર પાંખો પસારી અડધી ઘડી ભેટી લેવાનું ય દિલ નથી થતું !" માતા બધું ય સમજતી, પણ શું કરે ! એ નિરુપાય હતી. એને સમાજ વચ્ચે જીવવું હતું. અને તે માટે એ જ બનાવટી ડોળથી ગીત ગાવાં પડતાં છતાંય કેટલીક અનુભવી પરભ્રતિકાઓ જરૂર કહી દેતીઃ અલી, તારું ગાન કેટલું મીઠું બન્યું છે ! નક્કી કઈ માયાની મીઠી વેદના તારા સ્વરને તપાવી રહી છે. એ વિના આટલી મિઠાશ ન સંભવે ! " બિચારી પરભૂતિકા શું કહે ? અને એવી જ સ્થિતિ જોગવી રહેલી રાજગૃહીનાં હીણાં કુળની શ્રેષ્ટ પરભૂતિકા વિરૂપ પણ કેને શું કહે ? લક્ષ્મીને જન્મ થયો સાંભળી માતંગે તો મોટો નિસાસો નાખેલો. દીકરી તે બાપના બાકી રહેલા મને રથ પૂરે ! ઘા સામે ઘા ઝીલી શકે ! માતંગને તે રેહિPયના જેવો ભડ દીકરો જોઈ તે હતા. - ભોળા દિલના માતંગે સુવાવડી વિરૂપાને આ વાત કરી. વિરૂપાએ પથારીમાં પડ્યા પડ્યા કહ્યું: “તને દીકરી ન ગમે. બાકી મારાં સુંડલો ને સાવરણી તે દીકરી જ મૂકાવશે.”