________________ પરભૂતિકા 37 કાંતિ જોઈ ઘેલા બની ગયા છે. તેઓ તે રાજકુમારના જેવા બધા સંસ્કારો ઉજવવાના છે.” “એમ કે, વાહ રે નસીબ ! " પાછી ગાંડી ગાંડી વાત કરવા માંડી ! વિરૂપા, ત્રીજા દિવસથી એક સપ્તાહ સુધી તે સંગીત, નૃત્ય, વાજિંત્ર, ખેલ, નાટક-વગેરે ચાલ્યાં, આખું અઠવાડિયું એક સ્વર્ગીય આનંદનું વીત્યું. શેઠે રાજાજીને પિતાને આંગણે તેડ્યા. પિતાની તમામ દુકાને તેલ-માપ વધારી દીધાં. મોતી, મણિ, કનક, હિરણ્ય ને પશુ દાનમાં દીધાં. શેઠે તે બાળક માટે દેશદેશની ધાત્રીઓ બેલાવી. કોઈ બરબર દેશની છે, કઈ મિલની છે, કઈ સિંહલ, અરબ ને પુલિંદની છે. શબર ને પારસ દેશની પણ આવી છે. બાળકના જતન માટે ચાર ધાત્રીઓ રાખવાના છે. " ત્યારે તે ફૂલની જેમ બાળકની સંભાળ થશે.” વિરૂપાના મુખ પર અવર્ણનીય આનંદની સુરખી ઉભરાઈ રહી હતી. “એવી જ સંભાળ શોભે ને ! વિરૂપા, અમાપ સંપત્તિના એકમાત્ર અધિકારીને માટે આ કંઈ વધુ નથી. પણ, હા, આ બીજી બાબતમાં ખરી વાત તે કહેવી ભૂલી જ ગઈ. અલી, બારમે દિવસે તો મોટી ધમાલ મચી. નામસંસ્કરણને દિવસ એટલે સવારથી જ્ઞાતિજને, સ્વજને, મિત્રો અને આત્મીયોથી ઘર ઉભરાઈ રહ્યું હતું. મોટા મોટા જોશી પણ આવ્યા હતા. જેશીઓએ જોશ જોયા અને નક્ષત્ર, રાશિને કરણને મેળ મેળવ્યું. તેઓ તે નાચી ઊડ્યા, ને બોલ્યાઃ “શ્રેષ્ઠિવર્ય, આ બાળક મહાન પદવીને પામશે. ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરી, સંપૂર્ણ રીતે ભોગવીને અંતે માનવજીવનના અંતિમ પુરુષાર્થ મોક્ષને પણ સાધશે. એની નામના દિગદિગન્તમાં વ્યાપશે. એનું નામ!પણ તેઓ કંઈપણ નામવિધિ કરે તે પહેલાં " જ પાસે બાળકને લઈને ઊભેલી એક ધાત્રી બોલી ઊઠી: