________________ કર્મની ગત 23 માતંગ મેટા જેડા પહેરી બહાર નીકળ્યો ! થોડે દૂર પહોંયે નહિ હોય, ને વિરૂપાએ ધીમે બૂમ પાડી એને બેલા. માતંગ પાછો ફર્યો. વિરૂપાએ શિખામણ આપતા કહ્યું રહિણીઆના દાદા સાથે કંઈ ચડભડ કરીશ મા! એ ભલે ગમે તે કહે. આપણને રૂચે તે માનવું, નહિ તે ચૂપચાપ બેસી રહેવું. એવા સાથે બાકરી બાંધવી મારી નહિ. મને તો લાગે છે કે, એ એમ કહેવાનો હશે કે આ શ્રમણને ઉપદેશ કેઈએ સાંભળવો નહિ. એ હમણાં શ્રાવસ્તી અને એ તરફ જઈ આવ્યો છે, ને તારણહાર પ્રભુ જ્ઞાતપુત્રનાં દર્શન કરી આવ્યો છે. કહે છે, કે બડે જાદુગર છે. જતાંની સાથે મેરલીની સામે સર્પ ડોલે તેવી સ્થિતિ થઈ જાય છે. મનમાં ન રહે અભિમાન કે બાકી ન રહે કોઈ જાતની બળતરા ! એ તો બિચારો એમને જોઈ છ૩% જ થઈ ગયો છે. એટલે એ કહે છે કે જે આપણે એ જાદુગરનું સાંભળીએ તે પછી આ કર્મ કરવાં ગમે જ નહિ ! અને વળી એ ત્યાંના કેટલાક પંડિતને પણ મળ્યો. એ બધાએ એને સમજાવ્યું કે જો એ મોટે પતિતોદ્ધારક હોય તે આ એના પંથમાંથી છૂટાં પડેલાં પોતાનાં દીકરી-જમાઈને સમજાવે, પોતાના પ્રથમ શિષ્ય ગોશાળને સમજાવે ! " હવે બસ, લાંબી વાત ટૂંકી કરને! એમાં એ શું કરે ? સૂરજ ઊગે ને ચામાચીડિયાં ફફડાટ કરે તેમાં સૂરજને શા દે! એવી વાતો નહિ ચાલે. જે સાફ સાફ કહું છું કે હું કઈ રોહિણીઆના દાદાથી ડરતો નથી. મારા બાવડાનું બળ તું ક્યાં જાણે ! એક હાથે એવા ચારને લડાવી દઉં!” આ અવાજમાં સ્ત્રીની શિખામણથી ઘવાયેલા પુરુષત્વને વિજયટંકાર હતે. બહુ મોટો લડવૈયો ન જોયો હોય તો!” વિરૂપાએ એક એવી ભાવભેગી કરી કે માતંગ ઠરી ગયે. એ હસીને ચાલી નીકળ્યા. એ