________________ 26 જરથુસ્તધર્મ -1 સામાન્ય : જરથુસ્તધર્મના સ્થાપક જરથુસ્ત વિશે એક વિવાદ જાગ્યો છે કે તેઓ કદીયે અતિહાસિક પુરુષ હતા કે કેમ? એમના નામે સ્થાપેલ ધર્મ જરથુસ્તધર્મ તરીકે ઓળખાય છે. આ ધર્મનું સાહિત્ય અકેમિનિદ વંશ(૫૪૯ થી 330 ઈસ. પૂ.)ના રાજાઓના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પહાલવી ભાષામાં લખાયેલ જરથુરતધર્મના પવિત્ર ધર્મશાસ્ત્ર “અવેસ્તામાંથી પણ આ ધર્મ વિશે જાણવા મળે છે. જરથુસ્તધર્મના ઇતિહાસ વિશે એકમતી નથી. છતાં પ્રોફેસર હફિલ્ડ એ સમના ત્રણ તબક્કાઓ રજૂ કરે છે: ક૫૨૦ ઈ. સ. પૂર્વે : આ વર્ષમાં મહાન કેરિયસ રાજાએ એના રાજ્યકાળની શરૂઆતમાં જરથુસ્તની એકેશ્વરવાદી ધર્મ - અનુયાયીઓની જાતિને માન્ય કરી. એને પરિણામે ડેવ્યાશનિયન (Daivyasanian) અનેકેશ્વરવાદ અટક્યો. 9 પ્રિ. એ. વી. વિલિયમ્સ એમના પુસ્તક “ોરેસ્ટર, ધી પ્રોફેટ એક એસિએન્ટ ઈરાની, જે ૧૯૦૧માં પ્રસિદ્ધ થયું, તેમાં આ પ્રશ્નને ખૂબ વિસ્તૃત રીતે અને સમીક્ષાત્મક રીતે ચર્ચવામાં આવ્યો છે. -