________________ લેખક પરિચય ડ ભાસ્કર ગોપાલજી દેસાઈનો જન્મ ૧૯૨૦ની ૨૮મી નવેમ્બરે સુરત જિલ્લામાં થયો. સુરતમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ માટે એઓ પૂનાની વાડિયા કૅલેજમાં ગયા. ૧૯૪૬માં પેટલાદ કલેજમાં અને 1947 થી ૧૯૫૧માં એલ. ડી. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં એમણે અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૧થી તેઓ વડોદરા યુનિવર્સિટીમાં અધ્યાપન, સંશોધન અને વહીવટી કાર્ય કરી રહ્યા છે. યુનિવર્સિટીની અનેક સમિતિઓમાં તેઓ સક્રિય ફાળો આપે છે. એમનાં પ્રસિદ્ધ પુસ્તકોમાં અંગ્રેજીમાં An Introduction to Deductive Logic, An Introduction to Inductive Logic, Exercises in Logic, Student Services at M. S. University, Baroda તથા Ethics of the Shikshapatri zya The Emerging Youthal સમાવેશ થાય છે. એમના ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકમાં પ્રમાણશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર પ્રવેશ, વૈજ્ઞાનિક વિચાર પદ્ધતિ, માધ્યમિક શિક્ષણ વિદ્યાલયના સર્વાગી વિકાસની યોજના, નો સમાવેશ થાય છે.