________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ
[ ૭૯ણ દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે.
ત્યાર બાદ તેમણે સદગુરુનાં લક્ષણો કહ્યાં છે. એ લક્ષણ એવી દષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગુણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકાઓ ગ, બૌદ્ધ તેમ જ વેદાન્ત દર્શનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રી. રાજચંદ્ર ગુરુપદ ન વાપરતાં સર–પદ યોર્યું છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે. શ્રી અરવિંદે પણ સદગુરુ-શરણુગતિ. ઉપર ખાસ ભાર આપે છે.–જુઓ “The synthesis of Yoga.” શ્રી. કિશોરલાલભાઈએ મુમુક્ષુની વિવિદ્ભષ્ટિ અને પરીક્ષક બુદ્ધિ ઉપર ભાર આપ્યા છતાં યથાયોગ્ય સદ્ગુરુથી થતા લાભની પૂરી કદર કરી જ છે. છેવટે, તે મુમુક્ષુની જાગૃતિ એ જ મુખ્ય વસ્તુ છે. એ વિના સદ્ગુરુની ઓળખ મુશ્કેલ છે, અને ઓળખ થાય તો ટકવી પણ અધરી છે. જૈન પરંપરા પ્રમાણે છઠ્ઠા અને તેરમાં ગુણસ્થાનકે ઉપદેશકપણું સંભવે છે. સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાનની ભૂમિકા એ તો ઉત્કટ સાધક દશાની એવી ભૂમિકા છે કે તે દરિયામાં ડૂબકી મારી મોતી આણવા જેવી સ્થિતિ છે. આ વિશે શ્રીમદ રાજચંદ્ર પિતે જ સ્પષ્ટ વિવેચન કર્યું હોઈ તે મનનગ્ય છે.
જ્યાં સશુરુને એગ ન હોય ત્યાં પણ આત્માનું અસ્તિત્વ દર્શાવનારાં શાસ્ત્રો મુમુક્ષને ઉપકારક બને છે. શાસ્ત્રો વિના પણ સદગુરુએ આપેલ ઉપદેશ સુધ્ધાં મુમુક્ષને ટેકે આપે છે, પણ શ્રીમદ સલ્લુરુના યોગ ઉપર ભાર આપે છે તે સહેતુક છે. માણસમાં પિષાયેલ કુલધર્માભિનિવેશ, આપડહાપણે ફાવે તેમ વર્તવાની ટેવ, ચિરકાલીન મેહ અને અવિવેકી સંસ્કાર–એ બધું સ્વચ્છન્દ છે. સ્વછન્દ રેકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્દગુરુના–અનુભવી દેરવણું આપનારના–ચોગ વિના રવન્દ રેકવાનું કામ અતિ અઘરું છે, સીધી ઊંચી કરાડ ઉપર ચડવા જેવું છે.
સાચે સાધક ગમે તેટલે વિકાસ થયા છતાં ગુરુ પ્રત્યે પિતાને સહજ વિનય ગૌણ કરી ન શકે. અને સારુ હોય તે એવા વિનયને દરપગ પણ ન જ કરે. જે શિષ્યની ભક્તિ અને વિનયને દૂરપયોગ કરે છે કે ગેરલાભ લે છે, તે સદ્ગુરુ જ નથી. આવા જ અસશુરુ કે કુગુરુને લક્ષમાં રાખી શ્રી. કિશોરલાલભાઈની ટીકા છે.
૧ “સમૂળી કાન્તિ–પાંચમું પ્રતિપાદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org