________________
૫૭ મુ
તેનુ મુખ હુંકાર શબ્દ કરવા લાગ્યું. ગુરૂજનને પણ તેણે પોતાનુ' મસ્તક નમાવવું' અંધ કર્યું. શત્રુઓના મસ્તક ઉપર ચિરકાળ ચરણ મૂકવાને ઈચ્છવા લાગી. આ પ્રમાણે ગર્ભના પ્રભાવથી તેણે દારૂણ ભાવ ધારણ કરવા માંડયાં. સમય આવતાં શત્રુઓના આસનને કંપાવનારા અને ચૌદ હજાર વર્ષના આયુષ્યને ધારણ કરનારા પુત્રને તેણે જન્મ આપ્યા. સુતિકાની શખ્યામાં ઉછળતા અને અતિ પરાક્રમવાળા તે પુત્ર ચરણકમળને પછાડતા ઊભે થયા; અને પડખે રહેલા કર’ડીઆમાંથી પૂર્વે ભીમે કે લાવેલા નવ માણિકયમય હાર પેાતાના હાથે બહાર કાઢયા. પછી પેાતાની સહજ ચપળતાથી તે બાળકે તે હાર પોતાનાં કઠમાં નાંખ્યા. તે જોઈ કૈકસી પરિવાર સહિત ઘણા વિસ્મય પામી. તેણે રત્નશ્રવાને કહ્યું હે નાથ ! પૂર્વે રાક્ષસેદ્રે તમારા પૂર્વજ મેઘવાહન રાજાને જે હાર આપ્યો હતા, તમારા પૂવ જોએ આજ સુધી દેવતાની જેમ જેની પૂજા કરી હતી, નવ માણિકયથી રચેલા જે હાર કાઇથી પણ ધારણ કરી શકાતા ન હતા અને નિધાનની જેમ એક હજાર નાગકુમારો જેની રક્ષા કરતા હતા, તે હાર તમારા શિશુએ ખે...ચી કાઢીને પોતાના કંઠમાં આરોપણ કર્યા છે.” તે બાળકનું મુખ તે હારના નવ માણિકયમાં પ્રતિબિંબરૂપે સંક્રાંત થયું, તે જોઈને તેજ વખતે રત્નશ્રવાએ તેનુ દશમુખ એવું નામ પાડ્યું, અને કહ્યું કે મેફિઝિર ઉપર ચૈત્યવંદન કરવાને ગયેલા સુમાળીપિતાએ કોઈ મુનિને પૂછ્યું હતુ, ત્યારે ચારજ્ઞાનધારી મુનિએ કહ્યું હતુ કે ‘તમારા પૂજના નવ માણિકયના હાર જે વહન કરશે તે અર્ધ ચક્રી [ પ્રતિવાસુદેવ ] થશે.’
ત્યાર પછી કૈકસીએ ભાનુ' (સૂર્ય )ના સ્વપ્નથી પુત્રને જન્મ આપ્યા, જેનું બીજુ નામ કુંભકર્ણ પણ
સૂચિત ભાનુકણ નામના એવા બીજા થયુ. પછી ચંદ્રના જેવા નખ હો
વાથી ચંદ્રનખા અને લેાકમાં વિખ્યાત સૂર્પણખા નામે એક પુત્રીને કૈકસીએ જન્મ આપ્યા. કેટલાક કાળ ગયા પછી ચદ્રના સ્વપ્નથી સૂચિત વિભીષણ નામના એક ઉત્તમ
પુત્રને જન્મ આપ્યા. કાંઈક અધિક સાળ ધનુષ્ય ઉંચી કાયાવાળા તે ત્રણે સહેાદર ભાઇએ દિવસે દિવસે પ્રથમ વયને ચેાગ્ય એવી ક્રીડાવડે નિયપણે સુખે રમવા લાગ્યા.
阴烧网防安保防線的8&防限既然不限88W必烧烧烤! इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि राक्षसवंशवानरवंशोत्पत्तिरावण जन्मवर्णनो
नाम प्रथमः सर्गः
橡膠丸保健健限BV&888W防WWFV网WWW限限
૧ રાક્ષસ નામની વ્યંતરનિકાયના ઈંદ્ર.