________________
સર્ગ ૨ જે
નપુંસકની જેવા ગણનારા રાવણે સુરપ્ર બાણવડે કમળની જેમ તે દંડના ચૂરેચૂરા કરી નાંખ્યા. ફરીવાર યમરાજે રાવણને બાણથી ઢાંકી દીધે, એટલે રાવણે સર્વ ગુણને જેમ લભ નિવારે તેમ તે સર્વ બાણોને નિવારણ કરી નાંખ્યાં. પછી એક સાથે ઘણું બાણોને વર્ષાવતા રાવણે બળને નાશ કરનાર જરાની જેમ યમરાજને જર્જર કરી દીધે; એટલે યમરાજ સંગ્રામમાંથી નાસીને વેગવડે રથનુપુરના રાજા ઈંદ્ર વિદ્યાધરને શરણે ગયે. ઈદ્રરાજને નમી અંજલિ જોડીને તે બેલ્યો કે-“હે પ્રભુ! મારા યમપણાને હવે હું જળાંજલિ આપું છું. હે નાથ ! રોષથી કે તેષથી હવે હું યમપણું કરીશ નહિ, કારણ કે અત્યારે યમના યમ જે રાવણ ઉકેલે છે. તેણે નરકને રક્ષકોને નસાડી સર્વ નારકને છોડાવી દીધા છે; અને તેની પાસે ક્ષાત્રવ્રતરૂપ ધન છે, તેથી જ તેણે મને રણમાંથી જીવતે મૂકે છે, તેણે વિશ્રવણને જીતીને લંકાનું રાજ્ય અને તેનું પુષ્પક વિમાન કબજે કર્યું છે, અને સુરસુંદર જેવા વીર વિદ્યાધરને પણ જીતી લીધું છે.” યમરાજનાં આવાં વચન સાંભળી ઈદ્ર વિદ્યાધર ક્રોધ પામ્ય અને યુદ્ધ કરવા તૈયાર થયે; પણ બલવાનની સાથે યુદ્ધ કરવામાં ભીરૂ એવા કુલમંત્રીઓ એ અનેક ઉપાયોથી સમજાવીને તેને અટકાવ્યું. પછી તેણે યમરાજને સુરસંગીત નામનું નગર આપ્યું અને પિતે રથનુપુર નગરમાં રહીને પૂર્વવત્ વિલાસ કરવા લાગ્યા.
અહીં પૂર્ણ પરાક્રમી રાવણ આદિત્યરજાને કિષ્કિધાપુરી અને ઋક્ષરજાને ઋક્ષપુર આપી દેવતાઓની જેમ બાંધવે અને નગરજનેથી સ્તવા લંકા નગરીમાં ગયે. અમરાવતીમાં ઈદ્રની જેમ લંકામાં રહીને રાવણે પોતાના પિતામહનું રાજ્ય ચલાવવા માંડ્યું.
વાનરોના રાજા આદિત્યરજાને ઈંદુમાલિની નામની રાણીથી વાળી નામે એક મહા બલવાન પુત્ર થયે. બાહુબલમાં ઉગ્ર એ વાળી નિત્ય સમુદ્રાંત જંબૂદ્વીપની પ્રદક્ષિણા કરીને સર્વ રૌની વંદના કરતે હતે. આદિત્યરજાને સુગ્રીવ નામે બીજે પુત્ર થયે અને શ્રીપ્રભા નામે તેનાથી નાની પુત્રી થઈ. ઋક્ષરજાને હરિકાંતા નામની સ્ત્રીથી નલ અને નીલ નામના બે જગપ્રખ્યાત પુત્ર થયા. રાજા આદિત્યરજા પિતાના મહા બલવાન પુત્ર વાળીને રાજ્ય આપી પિતે દીક્ષા લઈ તપ કરીને મોક્ષે ગયા. વાળીએ સમ્યગ્દષ્ટિ, ન્યાયી, દયાળુ અને મહાપરાક્રમી એવા પિતાની જેવા પિતાના લઘુ બંધુ સુગ્રીવને યૌવરાજ્યપદે સ્થાપન કર્યો. એક વખતે રાવણ અંત:પુર સહિત હાથી ઉપર બેસીને રમૈત્યવંદન કરવા માટે મેરગિરિ ઉપર ગયે હતે; તેવે વખતે મેઘપ્રભના પુત્ર ખર નામના એક ખેચરે લંકામાં સૂર્પણખાને જોઈ. જોતાંજ પિતે અનુરાગી થઈ એ સાનુરાગી કન્યાનું હરણ કર્યું, અને ત્યાંથી પાતાળલકામાં ગયે. ત્યાં રહેલા આદિત્ય રજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મૂકીને પિતે તે નગરી કબજે કરી લીધી. ક્ષણવાર પછી મેરૂ ઉપરથી રાવણ લંકામાં આવ્યું ત્યાં તેણે ચંદ્રનખ (સૂર્પણખા)ના હરણના ખબર સાંભળ્યા, તેથી તત્કાળ ગુસ્સે થયો અને હાથીના શિકાર ઉપર કેસરીસિંહ દડે તેમ તે ખર વિદ્યાધરને ઘાત કરવાનું ચાલ્યું. તે વખતે મંદરીએ ત્યાં આવી રાવણને કહ્યું-“હે માનદ ! આ અનુચિત સમારંભ કેમ કરે છે? જરા વિચાર કરો. કેમકે કન્યા તે અવશ્ય કેઈને આપવી જ પડત, તે તે કન્યાજ કદી વેચ્છાએ કઈ તેના મનગમતા કુલીન વરને વરે તો તેમાં બેટું શું છે ? તે તે ઊલટું સારૂં ગણાય. એ દૂષણને પુત્ર ખરવિદ્યાધર સૂર્પણખાને યોગ્ય વર છે, અને તે તમારો એક નિર્દોષ અને પરાક્રમી સુભટ થઈ પડે તે છે માટે પ્રધાનપુરૂષોને એકલી તેની સાથે તેનો વિવાહ કરે અને તેને પાતાળલકાનું રાજ્ય સેપી તેના ઉપર પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે