________________
૧૭
પર્વ ૭ મું અહીં સુગ્રીવે રાવણને પોતાની બહેન શ્રીપ્રભા પરણાવી, કે જે સુકાઈ ગયેલા પૂર્વ નેહરૂપી. વૃક્ષમાં સારણી જેવી થઈ. ચંદ્ર જેવી ઉજજવળ કીર્તિવાળા સુગ્રી વાળીના ચંદ્રરમિ નામના પરાક્રમી પુત્રને યુવરાજપદે સ્થાપન કર્યો. સુગ્રીવે જેની આજ્ઞા માન્ય કરી છે એ રાવણ તેની બહેન શ્રી પ્રભાને પરણી સાથે લઈને લંકામાં ગયે. બીજી પણ કેટલીક વિદ્યાધરની રૂપવતી કન્યાઓને રાવણ બલાત્કારે પર.
એક દિવસે રાવણ નિત્યક નામના નગરમાં નિત્યાલોક નામના રાજાની રત્નાવલી નામની કન્યાને પરણવા ચાલ્યો. માર્ગમાં અષ્ટાપદ ગિરિની ઉપર આવતાં તેનું પુષ્પક વિમાન કિલ્લા પાસે શત્રુઓનું લશ્કર ખલિત થાય તેમ ખલિત થયું. સાગરમાં નાંગર નાંખવાથી અટકેલા વહાણની જેમ અને બાંધી લીધેલા હસ્તીની જેમ પોતાના વિમાનને અટકેલું જોઈ રાવણને ઘણું કોપ ચડ્યો. “આ મારા વિમાનને ખલિત કરનાર કયે પુરૂષ યમરાજના મુખમાં પેસવાને ઈ છે છે? આ પ્રમાણે કહેતા રાવણે નીચે ઉતરી પર્વતના મસ્તક પર જોયું, તે ત્યાં જાણે પર્વતમાંથી નવીન શિખર થયું હોય તેવા કાયોત્સર્ગો રહેલા વાળીમુનિને પોતાના વિમાનની નીચે જોયા, એટલે રાવણે તેમને કહ્યું-“અરે વાળીમુનિ ! શું તું અદ્યાપિ મારી ઉપર કાંધ રાખે છે? અને શું આ જગતને છેતરવા માટે દંભ કરીને વ્રત લઈ બેઠે છે? અગાઉ પણ કઈ પ્રકારની માયાવડે મને ઉપાડીને ફેર હતે, પછી “આ મારા કરેલાનો બદલો વાળશે” એવી શંકાથી તે તત્કાળ દીક્ષા લીધી હતી; પણ અદ્યાપિ હું રાવણ તેનો તે છું, અને મારી ભુજાઓ પણ તેની તે જ છે. હવે મારે વખત આવ્યા છે તે જોઈ લે, હું તારા કરેલાને બદલે વાળું છું; જેમ ચંદ્રહાસ ખગ સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્ર ફર્યો હતો, તેમ હવે અત્યારે તને આ પર્વત સહિત ઉપાડીને લવણસમુદ્રમાં નાંખી દઉં છું.” આ પ્રમાણે કહી જેમ સ્વર્ગમાંથી પહેલું વજ પૃથ્વીને ફાડી નાંખે તેમ રાવણ પૃથ્વીને ફાડી અષ્ટાપદ ગિરિની નીચે પેઠે. પછી ભુજાબળથી મદ્દત એવા રાવણે એક સાથે સહસ્ત્ર વિદ્યાનું સ્મરણ કરી તે દુર્ધર પર્વતને ઉપાડવો. તે સમયે તેના તડતડાટ શબ્દથી વ્યંતરો ત્રાસ પામવા લાગ્યા, ઝલઝલ શબ્દવડે. ચપલ સમુદ્રથી રસાતળ પૂરાવા લાગ્યું, ખડખડ થઈને પડતા પાષાણથી વનના હસ્તીઓ ક્ષોભ પામવા લાગ્યા અને કડકડાટ શબ્દ કરતા ગિરિનિતંબના ઉપવન માંહેનાં વૃક્ષો ભાંગી પડવા લાગ્યાં. આવી રીતે રાવણે પર્વત ઉપાડ્યો, તે અવધિજ્ઞાનથી જાણી અનેક લબ્ધિરૂપ નદીઓના સાગર અને શુદ્ધ બુદ્ધિવાળા મહામુનિ વાળી આ પ્રમાણે વિચારવા લાગ્યા
અરે ! આ દુર્મતિ રાવણ અદ્યાપિ મારી ઈર્ષ્યાથી અનેક પ્રાણીઓને સહારે અકાળે , કરવા તૈયાર થયે છે, અને ભરતેશ્વરે કરાવેલા આ ચૈત્યને નાશ કરીને ભરતક્ષેત્રના આભૂષણરૂપ આ તીથ ને ઉચછેદ કરવાને યત્ન કરે છે. જો કે હું અત્યારે નિઃસંગ, પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, રાગદ્વેષ રહિત અને સમતા જળમાં નિમગ્ન છું, તથાપિ
આ રૌત્યના અને પ્રાણીઓના રક્ષણ માટે રાગદ્વેષ ધારણ કર્યા વગર આ રાવણને જરા શિક્ષા આપું.” આવો વિચાર કરી ભગવાન વાળીએ પગના અંગુઠા વડે અષ્ટાપદ ગિરિના મસ્તકને જરા દબાવ્યું. તત્કાળ મધ્યાહ વખતે દેહની છાયાની પેઠે અને જળની બહાર રહેલા કર્મની પેઠે રાવણનાં ગાત્ર સંકોચ પામી ગયાં, તેના ભુજદંડ ભાંગી ગયાં અને મુખથી રૂધિર વમન કરતો તેમજ પૃથ્વીને રેવરાવત રાવણ ઊંચે સ્વરે રેવા લાગે. તે દિવસથી તે “રાવણ કહેવાયે. તેનું દીન રૂદન સાંભળી દયાળુ મુનિએ તેને છોડી મૂક્યા.