________________
બ્રાહ્મણ
( ૮૪૯) થઈ શકાતું હોય તે રાક્ષસ પણ વેદ ભણેલા હોવાથી બ્રાહ્મણ થવા જોઈએ. ૨૩.
न योनि पि संस्कारो न श्रुतं नापि सन्ततिः। कारणानि द्विजत्वस्य, व्रतमेव तु कारणम् ॥ २४ ॥
યશવજીસ્મૃતિ, 8. નિ-જન્મ બ્રાહ્મણપણાનું કારણ નથી, સંસ્કાર પણ કારણ નથી, શાસ્ત્રને અભ્યાસ પણ કારણ નથી, તથા પરંપરા પણ બ્રાહ્મણપણાનું કારણ નથી. માત્ર એક વ્રત જ બ્રાહ્મણ પણાનું કારણ છે. ૨૪.
परिग्रहान् परित्यज्य, वनप्रस्थनिवासिनः । ये भजन्ति सदा ब्रह्म, वानप्रस्था हि ते द्विजाः ॥ २५ ॥
મદામાત, શાન્તિપર્વ. ૩૦ ૨૨, ૨૨. જેઓ સવે પરિગ્રહોને ત્યાગ કરી, વન અને પર્વતની ભૂમિમાં નિવાસ કરી નિરંતર બ્રહ્મચર્યને પાળે છે તેઓ વાનપ્રસ્થ દ્વિજે કહેવાય છે. ૨૫. સાચું બ્રાહ્મણપણું = સદાચાર:
शूद्रोऽपि शीलसम्पन्नो गुणवान् ब्राह्मणो भवेत् । ब्राह्मणोऽपि क्रियाहीनः, शूद्रात प्रत्यवरो भवेत् ॥ २६ ॥
मनुस्मृति, पूर्व भाग, श्लो० १६. શુદ્ર છતાં પણ જે તે શીલયુક્ત અને ગુણવાન હોય