________________
( ૧૧૧૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
કૃમિમાંથી રેશમ ઉત્પન્ન થાય છે, પત્થરમાંથી સુવર્ણ ઉત્પન્ન થાય છે, ગાયના રૂંવાડામાંથી ધરા થાય છે, કાદવમાંથી ક્રમળ થાય છે, સમુદ્રમાંથી ચંદ્ર ઉત્પન્ન થાય છે, છાણમાંથી ઇંદીવર-કમળ ઉત્પન્ન થાય છે, લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, સપના ામાંથી મિણુ ઉત્પન્ન થાય છે, ગાયના પિત્તમાંથી ગારાચન ( ગારાચંદન ) ઉત્પન્ન થાય છે—આ સર્વનુ ઉત્પત્તિ સ્થાન સારું નથી તે પણ તે સર્વ ઉત્તમ વસ્તુ છે. તેથી સિદ્ધ થાય છે કે-ગુણી જતે પેાતાના ગુણના ઉદયથી જ પ્રસિદ્ધ થાય છે, જન્મથી શું ફળ છે ? ૩.
गुणेषु क्रियतां यत्तः, किमाटोपैः प्रयोजनम् । विक्रयन्ते न घण्टाभिगांवः क्षीरविवर्जिताः ॥ ४ ॥ પાસવ.
ગુણાને વિષે જ યત્ન કરવા યાગ્ય છે, આડંબરનું શુ પ્રયોજન છે ? કેમકે દૂધ વિનાની ગાય કાંઈ ગળે ઘંટા બાંધવાથી વેચાતી નથી-તેનું મૂલ્ય મળતુ નથી. ૪. ગુણ : માચી મેટાઇઃ
गुणैरुत्तुङ्गवां याति, नोचैरासनसंस्थितः । प्रासादशिखरस्थोऽपि, काकः किं गरुडायते ? ॥ ५ ॥
મનુષ્ય ગુણાવડે જ માટાઇને પામે છે, પણ ઊંચા આસન પર બેઠેલા હાય તેથી કાંઇ મોટાઈને પામત નથી; કેમકે પ્રાસાદના શિખર ઉપર રહેલા પશુ કાગડો શું ગરુડ જેવા થાય છે ? નહીં જ. ૫.