________________
૮૮
સ્થા. જેનેનું ધમર્તવ્ય. પ્ર. ૯
જોવાનો હેતુ છે? કઈ પણ વસ્તુ જેવાની ઈચ્છા તેના તરફ પ્રેમભાવ હોય તે જ થાય. જે દ્વેષભાવ હોય તે તે વસ્તુ જેવાની પણ ઈચ્છા ન થાય એટલું જ નહિ પણ તેને પિતાની નજરથી દૂર કરવાની જ ઇચ્છા થાય. એટલે મૂર્તિ જેવાની ઈચ્છામાં પ્રેમ જ મુખ્ય કારણ છે? - હવે એ પ્રેમ એટલે શું તે સમજવું જોઈએ. અહીં આપણે તીર્થકર ભગવાનની મૂર્તિની જ વાત કરીએ છીએ તે ભૂલવું નહિ. ભગવાનની મૂર્તિ તરફને પ્રેમ એટલે ભગવાનની ભક્તિ. ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિ એક સાથે જ હેય. કારણ કે ભગવાન પૂજ્ય છે તે તે સર્વમાન્ય વાત છે. એટલે ભગવાનમાં પ્રેમ ત્યાં તેમના પ્રત્યે ભક્તિભાવ પણ હોય જ અને ભક્તિ ત્યાં પ્રેમ પણ હેય જ,
એટલે ભગવાનની મૂર્તિને જોવાની ઈચ્છા કરનાર તેમની ભક્તિ ન કરે તેમ બને જ નહિ. અને ભગવાનની મૂર્તિ જેવા ન ઈચ્છનારને ભગવાન તરફ પ્રેમ-ભક્તિ નથી એમ પણ સાબિત થયું.
શ્રી ડોશીજીના કહેવા પ્રમાણે સ્થાનકવાસીઓની માન્યતા મૂર્તિ જેવા પૂરતી જ ઉપયોગી હોવાની માન્યતા છે એ વાત ખોટી ઠરે છે, કારણ કે મૂર્તિને જોવા ઇચ્છનાર પ્રભુની પ્રેમથી ભક્તિ કરે જ.
શ્રી શીજીના કહેવા પ્રમાણે સ્થાનક્વાસીઓની બીજી વાત એ છે કે મૂર્તિને ઉપયોગ આવશ્યક્તા પડે તે દેખવા પૂરતો છે. ત્યારે હવે આવશ્યક્તા ક્યારે હોય અથવા આવશ્યકતા કયારે પડે તે વિચારવું જોઈએ.
ભગવાન તરફ પ્રેમ હોય તે જ તેમની મૂર્તિ જોવાની ઇચ્છા થાય. એટલે મૂર્તિ જોવાની આવશ્યક્તા થવાનું કારણ પણ ભગવાનને
પ્રેમ છે એ સિદ્ધ થયું. એટલે કે ભગવાન તરફ જેને પ્રેમ ભક્તિ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com