________________
૧૦૮
મૂળ જૈન ધર્મ અને
૧૩, પાવાપુરીને સ્તૂપ–ભગવાન મહાવીરના નિર્વાણ પછી પાવાપુરીમાં દેએ એક સ્તૂપ નિર્માણ કર્યું હતું. તેને ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. (જુઓ–પાવાપુરીકા પ્રાચીન ઈતિહાસ પૃષ્ઠ ૧.)
૧૪. પાટલીપુત્રનાં પાંચ સ્તૂપ-તિલ્યાગાલી પન્નામાં કહિક પ્રકરણમાં પાટલીપુત્રમાં પાંચ સ્તૂપ હતા અને તે એક દુષ્ટ કલ્કિ નામના રાજાએ ધનની લાલસાથી ખોદી નખાવ્યા હતા. ચીની યુવાન ચાંગે પાટલીપુત્રની પાસે પશ્ચિમમાં પાંચ સ્તૂપ ભગ્નાવસ્થામાં જોયેલા હતા (જુઓ–Yuen Chawang's Travels in India પૃષ્ટ ૮૬).
૧૫, વિશાલાનગરીની આસપાસ ખેદકામ કરતાં ઘણું હંસાવશેષો મળી આવ્યા છે તેમાં મંદીર, મૂર્તિ, સ્તૂપ, પાદુકા વગેરે છે અને તે ભગવાન મહાવીર સ્વામીના વખતના સિદ્ધ થાય છે.
૧૬ કંકાલીટીલા-મથુરા પ્રાંતના કંકાલીટીલામાં ખોદકામ કરતાં સેંકડો મૂર્તિઓ, અનેક પાદુકાઓ, તેરણ, સૂપ વગેરે મળી આવ્યા છે. તેમાં ૧૧૦ એકસોદશ પ્રાચીન શિલાલેખ છે અને અનેક તીર્થકરોની મૂર્તિઓ તથા એક પ્રાચીન સ્તૂપ જૈનોના છે. આ શિલાલેખ મૌર્યકાળના. ગુપ્તકાળના અને કુશનવંશના રાજાઓના સમયના છે. એટલે તે ૨૦૦૦ બે હજારથી ૨૨૦૦ બાવીશ સે વર્ષ પહેલાંના છે. જૈન તૂપ તે તેથી પણ ઘણો પ્રાચીન છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઘણું પ્રાચીનકાળથી ધાર્મિક સાધનોમાં જૈન મંદિરો, મૂર્તિઓ, સ્તૂપ, પાદુકાઓ આદિને પ્રધાન સમજવામાં આવતા હતા.
૧૭. ભદ્રેશ્વરનું મંદિર–કચ્છના ભદ્રેશ્વર નગરમાં એક પ્રાચીન મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. તે મંદિર ભગવાન મહાવીરના નિર્વાણ પછી ફકત ૨૩ (વીશ) વર્ષ પછી બનેલું છે. તેના શિલાલેખની વિગત શ્રી વિજ્યાનંદસૂરિએ તેમના “અજ્ઞાન તિમિર ભાસ્કર” નામના
ગ્રંથમાં આપેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com