________________
હાલના સંપ્રઢાયે। પ્ર. ૨૬
૪૭૩
તથા ચૈત્ય શબ્દના અર્થ સાધુ કરે તેા પછી સાધ્વીને વાસ્તે નારી જાાંતમાં કયા શબ્દ તેમાંથી નીકળી શકશે? કારણ કે ચૈત્ય શબ્દ સ્ત્રીલિંગમાં ખેલાતા નથી.
શ્રીભગવતીસૂત્રમાં (૧) અરિહત, (૨) સાધુ અને ચૈત્ય એમ ત્રણ શરણાં કહ્યાં છે.
ત્યાં જો ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કરે તો તેમાં ‘ સાધુ ' શબ્દ જુદા કેમ શો ? તથા જ્ઞાન અર્થે કરે તે। અરિહંત શબ્દથી જ્ઞાનને સગ્રહ થઈ ગયા. કેમકે જ્ઞાન અરૂપી છે તે જ્ઞાની સિવાય હાય નહિ. માટે ચૈત્ય શબ્દથી જિનપ્રતિમાના અર્થ જ થવાના. અરિહંત એવા અથ પણ સંભવે નહિ કારણ કે અરિહંત પણ પ્રથમ સાક્ષાત શબ્દમાં જ કરે છે.
ચૈત્ય રાખ્તના જ્ઞાન એવા અથ કરવા એ પણ તદ્દન અસત્ય છે. કારણ કે નંદીસૂત્ર આદિમાં જ્યાં જ્યાં પાંચ પ્રકારના જ્ઞાનના અધિકાર આવે છે ત્યાં ત્યાં નાળ પંચવિદ્ વળત્ત એમ કહ્યું છે પણ નૈદ્ય પંચવિદ્ પાત્ત એમ તે કયાંય લખ્યું નથી.
વળી તેના નામેામાં—મતિજ્ઞાન વગેરે નામેામાં પણ નાળ નાન શબ્દ વાપરેલ છે પશુ કયાંય ‘ મતિચૈત્ય ' એમ કહી ચૈત્ય શબ્દ વાપર્યા નથી.
તે જ્ઞાન ધણીને મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની,કેવળજ્ઞાની ઈત્યાદિ શબ્દથી ઓળખાવ્યા છે. પણ “ મતિ ચૈતી ' વગેરે એવા પ્રયાગ કયાંય પણ કર્યાં નથી.
..
શ્રી ભગવતી સૂત્રમાં જંધાચારણ વિધાચારણુ મુનિએના અધિકારે સેવારૂં શબ્દ છે. તથા ખીજે ઘણે ઠેકાણે તે શબ્દ વપરાયેલ છે. તેને અથ જ્ઞાન કરશે તેા જ્ઞાન તે એકવચને છે. અને યાદ બહુવચને છે. માટે તે અન્ય ખાટા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com