________________
૪૦૮
મૂળ જેન ધર્મ અને સાક્ષાત શત્રુને જોઈને જેમ વેર ભાવ પેદા થાય છે તેમ તેની મૂર્તિ કે છબી જેવાથી અથવા તેનું નામ વગેરે સાંભળવાથી પણ શું છેષભાવ પ્રગટ થતો નથી? અવશ્ય પ્રગટે છે જ.
જેઓ તીર્થકરના ભાવ નિક્ષેપ ઉપર ભક્તિ રાખે છે અને તેમની મૂર્તિ વગેરે ઉપર દ્વેષ ધરાવે છે તેઓને પૂછવાનું કે–તમારી માન્યતા પ્રમાણે તે તમારા મિત્ર આદિને સાક્ષાત જોતાં પ્રેમ થવો જોઈએ. પરંતુ તેમની મૂર્તિ તથા નામ વગેરે જેવા અને સાંભળવાથી પ્રેમ ન થવો જોઈએ. પરંતુ આવો ઊલટો ક્રમ કોઈ પણ જગ્યાએ જોવામાં આવતું નથી,
કદાચ કહેવામાં આવે કે–“શત્રુ અને મિત્ર ઉભયમાં સમભાવ રાખવો જોઈએ. કિંતુ રાગદ્વેષ ન કરવું જોઈએ. પરંતુ આ કથન માત્ર કહેવા પૂરતું છે.
મોટા મોટા યોગીશ્વરે પણ જ્યાં સુધી તેમને ઘાતકર્મોના યોગ ન છૂટયા હેય ત્યાં સુધી રાગદ્વેષથી છૂટી શક્યા નથી. તે સંસારની અનેક જંજાળના મેહમાં ફસી પડેલા ગૃહસ્થ રાગદ્વેષરહિત સમભાવવાની અવસ્થામાં રહી શકે એમ કહેવું કે માનવું એ વંચના માત્ર છે.
એક તરફથી શ્રી તીર્થ કરદેવના ભાવનિક્ષેપા ઉપર રાગ રાખવાની વાત કરવી અને બીજી તરફ સમભાવમાં રહેવાની વાત કરવી એમાં પ્રત્યક્ષ મૃષાવાદ છે. ભાવનિક્ષેપો પર રાગ અને મૂર્તિ પર દેષ એ રાગદ્વેષ રહિતપણનું લક્ષણ શી રીતે ગણાય?
એક નિક્ષેપા ઉપર ઠેષ રાખવાથી બીજા નિક્ષેપા ઉપર પણ દ્વેષ સ્વત: સિદ્ધ થઈ જાય છે. સ્થાપના નિક્ષેપો ઉપર 2ષ ધારણ કરીને ભાવનિક્ષેપા ઉપર રગ હેવાનું બતાવવું એમાં આત્મવંચના સિવાય બીજું કાંઈ નથી.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com