________________
૪૩૬
મૂળ જૈન ધર્મ અને
નથી તે, “હે પ્રભુ, મને શાંતિ આપે.” એવી જાતના શબ્દોથી ભક્તિ શા માટે કરવામાં આવે છે ?
પ્રશ્ન બરાબર છે. સૈદ્ધાંતિક રીતે એવી પ્રાર્થના કશે અર્થ નથી. પ્રાર્થનાના એ શબ્દને સત્યાર્થ માની લઈને પ્રભુ શાંતિ કે અશાંતિ અથવા સુખ કે દુઃખ આપવાવાળા માની લેવા એ ભ્રમ છે, પરતંત્રતા પુરુષાર્થ હીનતા છે, સ્વપર ભેદથી અનભિજ્ઞતા છે.
એમ સમજવાવાળા સાચા દેવને આદર્શ રૂપથી સ્વીકારી લીએ તે પણ તેમને શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી કારણ કે“દેવ મારા ઉપર પ્રસન્ન થઈને મારું પ્રયજન સિદ્ધ કરી દેશે. મારે પિતાને તે કાંઈ કરવું નહિ પડે.” એ અભિપ્રાય રાખવાના કારણથી
એ ઉપરોકત પ્રકારે પોતાના જીવનમાં કંઈ વિશેષ પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશે નહિ અને તેથી કંઈ પ્રાપ્ત કરી શકશે નહિ.
પિતાના જ ઉદ્યમથી, પિતાની અંદરના તેમની ઉપરના બહુમાનથી ઉત્પન્ન થયેલી કૃતજ્ઞતા પ્રગટ કરવાને માટે અને તે ઉકૃષ્ટ આદર્શની સામે પોતાની હીન દશા રાખીને બન્નેમાં મહાન ફરક જેવાથી એમ જરૂર કહેવાઈ જાય છે કે–આ મહાન વિભૂતિ આપે જ પ્રદાન કરી. આપે ન દીધી હતી તે મારા અધમથી પ્રાપ્ત કરવી અશકય હતી. વગેરે.
પોતાની નિરભિમાનતા બતાવવા માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે–આપની કૃપાથી આ કામમાં સફળતા મળી જશે. આ આપનો જ બાળક છે. આ આપનું જ મકાન છે. વગેરે વગેરે.
શબ્દોથી એમ કહેવા છતાં એને અર્થ તે શબ્દોથી સમજાય છે તે નથી થતું. એ જ પ્રકાર ભક્તિના સંબંધમાં સમજો. ભકિતથી, નિરભિમાનતાથી, કૃતજ્ઞતાથી શબ્દમાં ભલે પ્રભુને કર્તાહર્તા કહેવામાં
આવે પણ તેને અર્થ તેવી રીતે ગ્રહણ કરે ન જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com