________________
४६४
મૂળ જૈન ધર્મ અને થાય છે. અને સ્થિર થયેલા મનમાં સંસારની અસારતા આદિનું ભાન સહેલાઈથી કરાવી શકાય છે.
સુખદુઃખમાં જ્યાં સુધી સમાનભાવ નથી આવ્યો ત્યાં સુધી મોટા યોગીરાજની જેમ નિરાલંબન ધ્યાનની વાત કરવી નિરર્થક છે.
જે વખતે તે તે સમભાવવાળી સ્થિતિ આવશે તે વખતે આલંબન પિતાની મેળે છૂટી જશે.
શ્રી જૈન ધર્મના મર્મને જાણનાર પૂર્વાચાર્ય મહર્ષિઓએ દરેક જીને પિતાપિતાના ગુણસ્થાનક મુજબ યિા અંગીકાર કરવાનું ફરમાવ્યું છે. વર્તમાનમાં કોઈ પણ જીવ સાતમા ગુણસ્થાન ઉપરાંત ચડી શકતો નથી. સાતમા ગુણસ્થાનકને કુલ સમય એકત્ર કરતાં તેનો સરવાળો એક અંતમુહૂર્તથી અધિક બનતું નથી. તેથી મુખ્ય રીતે ઊંચામાં ઊંચું છઠું જ ગુણઠાણું વર્તમાનના જીવોને સમજવાનું છે.
છઠું ગુણસ્થાનક પ્રમાદવાળું હોવાથી તે ગુણસ્થાનકે રહેલો જીવ પણ નિરાલંબન ધ્યાન કરવાને અશક્ત છે, આમ છતાં જેઓ છઠા ગુણસ્થાનકની હદે પણ પહોંચ્યા નથી અને અનેક સાંસારિક ખટપટોમાં રચ્યાપચ્યા રહેલા છે. તેઓ નિરાલંબન ધ્યાનની વાતોથી દેખાવ કરે તે કેવળ આડંબર સ્વરૂપ છે.
શ્રાવક ચોથે પાંચમે ગુણસ્થાનકે હેવાથી દ્રવ્યભાવ બન્ને પ્રકારની પૂજા કરવાના અધિકારી છે. (દ્રવ્ય પૂજા નિરવદ્ય જ હોવી જોઈએ-ન. ગિ. શેઠ) ત્યારે તેનાથી ઊંચે એટલે કે ગુણસ્થાનકે હેવાથી મુનિ માત્ર ભાવપૂજાના અધિકારી છે.
ગુણસ્થાનકની ઊંચી દશાએ પહોંચતાં ક્રિયામાં ફેરફાર થતું જાય છે પગથીઆં છોડી એકદમ કુદકો મારી મેડા ઉપર ચડવાને અવિચારી પ્રયત્ન કરવાથી મેડી તે ઘણો દૂર રહી જાય છે પણ ઊલટો હેઠે
પડવાથી વધારામાં હાથપગને તેડનારો થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com