________________
४६०
મૂળ ન ધર્મ અને દુષ્ટ પરિણામવાળા પુરુષને મૂર્તિના દર્શન આદિથી કાંઈ ફાયદો થતું નથી. ઊલટે અશુભ પરિણામથી કર્મ બંધ થાય એ અપેક્ષાએ મૂર્તિ વીતરાગ સદશ નથી એમ કહેવું હોય તો કહી શકાય. પણ તેથી તેનામાં તારવાની શક્તિ છે તે ચાલી જતી નથી.'
સાકર મીઠી છતાં ગર્દભ ભાવતી નથી, ઊલટું નુકસાન કરે છે. તેથી કાંઈ સાકરને રવાદ નષ્ટ થઈ જતો નથી.
તેમ મૂતિ પણ મિથ્યાદષ્ટિ જીવને ન રુચે તે તેની મેક્ષદાયતા ચાલી જતી નથી.
પ્રશ્ન–૮ પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આજે પણ શી રીતે થાય?
ઉત્તર–શણ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી તેના સફેદ કાગળ બને છે. તે કાગળ ઉપર પ્રભુની વાણીનાં શાસ્ત્રો લખાય છે, ત્યારે તે શાસ્ત્રને તમામ જાતના લોકો પ્રભુ તુલ્ય પૂજનીય ગણે છે. તેમ, ખાણના પત્થરોમાંથી મૂતિ બને છે અને તે મૂર્તિમાં ગુરુએ સુરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે, તે વખતે એ મૂર્તિ પણ પ્રભુતુલ્ય પૂજનીય બને છે.
કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરુ તેને દીક્ષાને મંત્ર (કોમી ભતે સૂવ) સંભળાવે છે કે તુરત લો કે તેને સાધુ માની વંદના કરે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણે પ્રગટી નીકળેલા જ હોય તે નિયમ નથી. છતાં તે ગુણનું તેનામાં આરોપણ કરીને તેને વંદના થાય છે.
તેમ મૂર્તિ પણ ગુણરોપણ બાદ પ્રભુ તુલ્ય વંદનીય બને છે. તેથી લોકો તેને વાંદે પૂજે અને નમસ્કાર આદિ કરે તે તદ્દન વ્યાજબી છે.
પ્રશ્ન ૯-નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાન દ્વારા થઈ શકે છે. તો પછી મૂર્તિ પૂજા માનવાનું શું કારણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com