Book Title: Sthanakvasi Jainonu Dharm Karttavya
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 321
________________ ૪૫૮ મૂળ જૈન ધર્મ અને થવાનું અવશ્ય બની આવે તથા પરિણામે દિલમાં કામ વિકારે જાગૃત થઈ આવે, એ વિગેરે અનિષ્ટોને પૂરેપૂરે ભય છે. સૂત્રકાર મહર્ષિઓની આજ્ઞા નિપ્રયોજન કે વિના વિચાર્યું હોઈ શકે નહિ. એ ઉપરથી નિશ્ચય થાય છે કે મનને સ્થિર કરી શુભ ધ્યાનમાં લાવવા માટે શુભ એવું સ્થિર આલંબન શ્રી જિનરાજની શાંત મૂર્તિ જેવું બીજું એક પણ નથી. આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તમ ધ્યાન અને મનની એકાગ્રતા કરવાની અપેક્ષાએ શ્રી જિનમૂર્તિને દરજજો સાક્ષાત જિનરાજ કરતાં પણ વધી જાય છે. અને એવા જ કારણે શ્રી રાયપટેણીય આદિ શસ્ત્રગ્રંથ માં સાક્ષાત્ તીર્થંકર દેવને વંદન નમસ્કાર કરતી વેળા દેવ જે ઇત્યાદિ પાડે છે. અર્થાત જેવી હું જિનપ્રતિમાની ભક્તિ કરું છું તેવી જ અંતરંગ પ્રીતિથી આપની (સાક્ષાત્ અરિહતની) ભક્તિ કરું છું. વળી સાક્ષાત્ ભગવાનને નમસ્કાર કરતી વખતેવા નામ, ટા કંપાવિક ગર–સિદ્ધગતિ નામના સ્થાનને મેળવવાની ઇચ્છાવાળા એમ બેલવામાં આવે છે અને શ્રી જિનપતિમાની સામે સિદ્ધાર્ડ અને કાળે સંપત્તાળું—સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચૂકેલા, એમ કહેવામાં આવે છે. એ વગેરે પાઠનું ખરું રહસ્ય સમજી, પૂર્વાચાર્યોએ અત્યંત બહુમાનપૂર્વક પ્રમાણિત કરેલ શ્રી જિનપ્રતિમાને અંતરંગ આદર કરવો જોઈએ. પ્રશ્ન ૬-જિન પ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે, ભગવાનને નહિ, ઉત્તર-મૂર્તિ અને ભગવાન સર્વથા જ નથી. એ બેમાં કથંચિત્ત અભેદ છે, મૂતિ’ એ જિનેશ્વરની સ્થાપના છે. શ્રી જિન મતિને નમસ્કાર કરતી વખતે શ્રી જિનેશ્વર ભગવાનને ભાવ લાવીને નમસ્કાર કરવામાં આવે છે. માટે જુદા ન કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354