SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ મૂળ જૈન ધર્મ અને થવાનું અવશ્ય બની આવે તથા પરિણામે દિલમાં કામ વિકારે જાગૃત થઈ આવે, એ વિગેરે અનિષ્ટોને પૂરેપૂરે ભય છે. સૂત્રકાર મહર્ષિઓની આજ્ઞા નિપ્રયોજન કે વિના વિચાર્યું હોઈ શકે નહિ. એ ઉપરથી નિશ્ચય થાય છે કે મનને સ્થિર કરી શુભ ધ્યાનમાં લાવવા માટે શુભ એવું સ્થિર આલંબન શ્રી જિનરાજની શાંત મૂર્તિ જેવું બીજું એક પણ નથી. આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તમ ધ્યાન અને મનની એકાગ્રતા કરવાની અપેક્ષાએ શ્રી જિનમૂર્તિને દરજજો સાક્ષાત જિનરાજ કરતાં પણ વધી જાય છે. અને એવા જ કારણે શ્રી રાયપટેણીય આદિ શસ્ત્રગ્રંથ માં સાક્ષાત્ તીર્થંકર દેવને વંદન નમસ્કાર કરતી વેળા દેવ જે ઇત્યાદિ પાડે છે. અર્થાત જેવી હું જિનપ્રતિમાની ભક્તિ કરું છું તેવી જ અંતરંગ પ્રીતિથી આપની (સાક્ષાત્ અરિહતની) ભક્તિ કરું છું. વળી સાક્ષાત્ ભગવાનને નમસ્કાર કરતી વખતેવા નામ, ટા કંપાવિક ગર–સિદ્ધગતિ નામના સ્થાનને મેળવવાની ઇચ્છાવાળા એમ બેલવામાં આવે છે અને શ્રી જિનપતિમાની સામે સિદ્ધાર્ડ અને કાળે સંપત્તાળું—સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચૂકેલા, એમ કહેવામાં આવે છે. એ વગેરે પાઠનું ખરું રહસ્ય સમજી, પૂર્વાચાર્યોએ અત્યંત બહુમાનપૂર્વક પ્રમાણિત કરેલ શ્રી જિનપ્રતિમાને અંતરંગ આદર કરવો જોઈએ. પ્રશ્ન ૬-જિન પ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે, ભગવાનને નહિ, ઉત્તર-મૂર્તિ અને ભગવાન સર્વથા જ નથી. એ બેમાં કથંચિત્ત અભેદ છે, મૂતિ’ એ જિનેશ્વરની સ્થાપના છે. શ્રી જિન મતિને નમસ્કાર કરતી વખતે શ્રી જિનેશ્વર ભગવાનને ભાવ લાવીને નમસ્કાર કરવામાં આવે છે. માટે જુદા ન કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy