________________
હાલના સપ્રદાયે પ્ર. ૧૧
૧૨૭
જ્ઞાનાર્થી ન માનવા તેા બીજા કાને જ્ઞાનાર્થી માનવા ? એટલે જ્ઞાનાર્થી અય ખાટા જ દેખાય છે.
વળી સ્થાનકવાસીએ ખીજો અર્થ, જ્ઞાનને માટે યાત એમ કરે છે, વૈયાવૃત્યથી નિર્જરા થાય પણ જ્ઞાન પણ કેવી રીતે થઇ શકે ? નિર્જરા એટલે જ્ઞાનાવરણુની નિર્જરા થઈ ગયા પછી જ્ઞાન થઈ શકે માની શકાય. પણ અહીં ચેય શબ્દ તે પહેલાં આવ્યે છે અને નિર્જરા શબ્દ પછી છે. એટલે સ્થાનકવાસીઓને આ અર્થાં પણ બરાબર લાગતા નથી.
આ ઉપરથી વેદ્ય શબ્દને સાચા અર્થે ચૈત્ય એટલે મદિર અથવા મુતિ જ હોવા જોઇએ એમ સમજી શકાય છે,
નદી સુત્ર
શ્રેણિક મહારાજાના પુત્ર કૅાણિક (અજાતશત્રુ ) રાજાએ વિશાલાનગરી ઉપર ચઢાઈ કરી હતી અને તે નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પાદુકારૂપ હતા તેથી તે નગરી જીતી ચૂકાતી નહેાતી એ વાત પ્રસિદ્ધ છે. અને શ્રી નંદી સૂત્રમાં પારિણામિક બુદ્ધિના દૃષ્ટાંતમાં આ સંબધી ઉલ્લેખ છે. તેને પાઠ આ પ્રમાણે છે—
विशालायं पुरी कूलबालकेन विशालाभङ्गाय यन्मुनिसुव्रत स्वामी पादुका स्तूपोत्स्वात् सा तस्य पारिणामिकी बुद्धिः ।
અ—વિશાલા નગરીના નાશને માટે કુલવાલુક મુનિએ કહ્યું કે— શ્રી મુનિસુવ્રત સ્વામીના પાદુકાયુક્ત સ્તૂપને ઉખેડી નાખવાથી નગરીને ભંગ થઈ શકશે. મુનિની આ પારિણામિકી બુદ્ધિ થઈ.—સ્થાનક્વાસી સુનિશ્રી હસ્તીમલજીના નંદીસ્ત્રનું પાનું ૯૧
ભગવાન મહાવીર સ્વામીના વખતની આ વાત છે. એટલે પ્રાચીન ઢાળમાં તીર્થંકર ભગવાનેાના વખતમાં સ્તૂપે, મૂર્તિ હતી એટલું જ નહિ પણ તે ઘણા પ્રભાવશાળી હતા એ પૂરવાર થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com