________________
૧૪૪
મળ જૈન ધર્મ અને ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે–આ શુદ્ધ પ્રરૂપણાથી કમળપ્રભે તીર્થકર નામ કર્મ ગોત્રના દળીયાં ઉપરાજ્યાં.
પરંતુ પિલા શોખીલા છવડાને આ શબ્દો શરરૂપ થઈ પડ્યા. તેઓ ખીજવાયા અને કમળપ્રભનું નામ સાવઘાચાર્ય પાડીને તે નામથી જગ્યાએ જગ્યાએ તેને નિઘો.
કમળપ્રભ વિહાર કરી ગયા પછી તે વેષધારીઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે–“શ્રાવક ન હોય તે તે દ્રવ્યસંપતિથી સાધુઓ દેવળને સમરાવે, ઉદ્ધાર કરે. બીજાં પણ દેરાં વગેરેનાં કામ કરે, કરાવે, અનુમે દે તો યતિને સાવધ કર્મના દેશને સંભવ નથી.” ત્યારે તેમનામાંના જ કેટલાક કહેવા લાગ્યા કે –“યતિને સંયમ એ જ મોક્ષનું કારણ છે.”
આમ મતભેદ થતાં નિરાકરણ કરવા માટે તેમણે એ જ કમળપ્રભ આચાર્યને બોલાવ્યા. કમળપ્રભ આચાર્ય આવીને સભામાં બિરાજમાન થયા તેવા જ તે વેષધારીઓમાંની એક એવીએ ભકિતવશ થઈ આચાર્યને પગને પિતાના મસ્તકને સ્પર્શ કરાવ્યું. તે સર્વેએ પ્રત્યક્ષ જોયું.
પછી તેમણે ઉપદેશમાં મહાનિશીથ સૂવનું પાચમું અધ્યયન કહેવા માંડ્યું તેમાં સ્પષ્ટ આવ્યું કે “રોગાદિ ગમે તે કારણ છતાં તીર્થકર પણ એક વસ્ત્રને આંતરે જે સ્ત્રીના હાથને સ્પર્શ કરે તો તે ગચ્છ મૂળ ગુણરહિત થાય.”
એ પાઠને અર્થ સમજાવતાં પહેલાં આચાર્ય અચકાયા. દરમ્યાનમાં પેલા સાધુઓ તેને વિચારમાં પડેલે જઈ શંકાઈ, કોલાહલ કરી મૂકવા લાગ્યા : “શું તું ઉત્તર જોડી કાઢવામાં ગુંથાયે છે તેને મોટે જાણીને તેડાવ્યો તે શું એટલા માટે કે ?” એમ અનેક પ્રકારના મેણાં મારી ગાભર બનાવ્યું.
આચાર્યો જવાબ આપ્યો કે –“શું તમે નથી જાણતા કે ભગવાને ઉત્સર્ગ અને અપવાદ એવા બે તા કહ્યા છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com