________________
૧૨૦
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૧
એથી લાભ શું? એક ભાઈએ સવાલ કર્યો કે આ સ્પષ્ટીકરણની જરૂર શી છે? એ જ પ્રમાણે સાધુ સાધ્વીમાંથી પણ કોઈને એ પ્રશ્ન ઉપસ્થિત થાય તે તેને પણ અહીં નીચે પ્રમાણે જવાબ આપી દઉં છું— (૧) ઐયના બેટા અર્થ કરી મૂર્તિને નકારવાથી સ્થાનકવાસીઓમાં
જે મિથ્યાત્વ ઘુસી ગયું છે તેને અંત આવી જાય છે. કારણ કે મિથ્યાત્વને એક અંશ પણ હોય ત્યાં સુધી ધર્મ શુદ્ધ નથી
અને મેક્ષ તેથી દૂર જ છે. (૨) મુતિને વિરોધ મટી જતાં શ્વેતાંબર સંપ્રદાયમાં એકતાને
પાયો નખાઈ જાય અથવા વેતાંબર સંપ્રદાય આખો એક જ થઈ જાય.
અને આમ થયા પછી સ્થાનકવાસીઓને સાવઘ પૂજાનો વિધ એટલો પ્રબળ થઈ જાય કે મુર્તિપૂજક સાધુઓને સ્થાનકવાસીના વિધની સાચી વાત માન્યા વિના છુટકે રહે જ નહિ,
મુર્તિપૂજક શ્રાવકેમાં પણ મોટે ભાગે તો મુર્તિપૂજાના આડંબરની વિરુદ્ધ જ છે અથવા તે અજ્ઞાનતાથી આડંબરી પ્રજાને માને છે. તેઓ પણ સત્ય સમજાતાં સ્થાનકવાસીઓને અનુમોદન, સહકાર આપે. એટલે એક્તામાં કોઈ વાંધો રહે જ નહિ.
દ્રવ્ય મુર્તિ પૂજાને વિરોધ સૂત્ર સિદ્ધાંત અનુસાર છે એટલે સ્થાનકવાસીઓ પાસે તે સંબંધમાં ધર્મબળ, જ્ઞાનબળ અને સંખ્યાબળ મજબૂત થવાથી તેમની સફળતા થયા વિના રહે જ નહિ.
માટે મૂર્તિની સત્ય વાતને અપનાવી દ્રવ્ય પૂજા વિધિ કરે એજ સ્થાનકવાસી સાધુ સાધ્વીઓનું તેમજ સ્થા, શ્રાવક શ્રાવિકાનું ધર્મ કર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com