________________
૧૦૮
ધમપરીક્ષા બ્લેક ૨૧
जइणीएत्ति । जैन्या क्रियया निखिलसाधसामाचार्यनुष्ठानरूपया, द्रव्योणाराधकत्वाभ्यपगमे चाभव्यादिलिङ्गिनामभव्यादीनां द्रव्यलिङ्गधारिणां सर्वाराधकभावो भवेत्, कुतोऽपि प्रयोजनात्तेषां निखिलसाधुसामाचारीग्रहणे तस्याः पन्चाचाररूपत्वाद् द्रव्यतश्चारित्रस्येव द्रव्यतो ज्ञानदर्शनयोरप्याराधकत्वस्य तेषां बलादुपनिपाताद् । न हि 'ते सम्यक्त्वांशेऽनारोधका एव चारित्रांशे त्वाराधकाः' इत्यधीजरतीयन्यायाश्रयणं प्रेक्षावतां घटते, सम्यक्त्वांशे भावतः सम्यक्त्वाभावेनोत्सूत्रभाषणव्रतभङ्गाद्यभावेन चाराधकविराधकस्वभावाभावादनाराधकत्वस्येव चारित्रांशेऽपि भावतश्चारित्राभावेन प्राणातिपातादिव्रतभङ्गाद्यभावेन चाराधकविराधकस्वभावाभावादनाराधकत्वस्याविशेषाद् द्रव्यतश्चोभयाराधकत्वाविशेषादिति । यत्तु तेषां द्रव्यतोऽपि स्वेच्छाविशेषाद् व्रतांशस्यौव ग्रहणं न तु श्रद्धानांशस्य ~
સંપૂર્ણ સાધુસામાચારીરૂપ જૈન ક્રિયાથી દેશઆરાધકત્વ જે માનવાનું હોય તો અભવ્ય વગેરે દ્રવ્યલિંગધારીને સર્વ આરાધક માનવા પડશે. દેવલેપ્રાપ્તિ વગેરે કઈપૂર્ણ ભૌતિક પ્રજનથી સ્વીકારેલ સંપૂર્ણ સાધુસામાચારી પંચાચારરૂપ હોઈ જેમ ચારિત્રાચારના પાલનથી યુક્ત હોય છે તેમ જ્ઞાનાચાર-દર્શનાચારના પાલનથી પણ યુક્ત હોય જ છે. તેથી ચારિત્રાચારના પાલનના કારણે જેમ તેઓમાં ચારિત્રનું દ્રવ્યથી આરાધકપણું માનવું છે તેમ જ્ઞાનદર્શનના આચારના પાલનના કારણે તેઓમાં જ્ઞાન-દર્શનનું પણ દ્રવ્યથી આરાધકપણુ અનિચ્છાએ પણ માનવું જ પડે છે. “ સફવઅંશમાં અનારાધક એવા જ તેઓ ચારિત્ર અંશમાં આરાધક હોય છે એ અર્ધજરતીય ન્યાય લગાડે પ્રેક્ષાવાન પર માટે એગ્ય નથી. અર્થાત્ ચારિત્રના આચારોના પાયાનના કારણે ચારિત્રની દ્રવ્યઆરાધના માનવી અને જ્ઞાન-દર્શનના આચારોનું પાલન હોવા છતાં એની દ્રવ્યઆરાધના ન માનવી એ અયોગ્ય છે. “ (૧) ભાવથી સમ્યકત્વ ન હોવાથી સમ્યકત્વઅંશની આરાધકતાને અભાવ રહે છે અને (૨) ઉસૂત્રભાષણ વ્રતભંગ વગેરે ન હોવાથી સમ્યક્ત્વ અંશની વિરાધકતાને અભાવ રહે છે. આ બે કારણે આપીને તમે સમ્યકત્વઅંશમાં જેમ દ્રવ્યલિંગીઓને ભાવથી અનારાધક માને છે (પૂર્વપક્ષીએ આ રીતે તેઓને અનારાધક માનેલા છે જુઓ સર્વશતક-લૈ. ૭૮ પૃ. ૨૧૧) તેમ નીચેના બે કારણો હાજર હોવાથી તમારે ચારિત્રઅંશમાં પણ તેઓને ભાવથી અનારાધક જ માનવા પડશે. અને તે પછી તેઓને દેશ આરાધક તે નહિ જ મનાય! તે બે કારણે આ-(૧) ભાવથી ચારિત્રન હોવાથી ચારિત્રઅંશની આરાધતાને તેઓમાં અભાવ રહે છે અને (૨) પ્રાણાતિપાત વગેરે અંગેના વ્રતનો ભંગ વગેરે ન હોવાથી ચારિત્રઅંશની વિરાધતાનો પણ અભાવ રહે છે. “ અરે ભાઈ ! આ દેશઆરાધકભાંગામાં ચારિત્રાંશની ભાવથી આરાધકતા, વિરાધકતા કે અનારાધકતાની ગણતરી જ નથી. માટે દ્રવ્યલિંગી ચારિત્રઅંશમાં ભાવથી અનારાધક હોય તે પણ દેશઆરાધક કાંઈ મટી જવાનો નથી. અહી દ્રવ્યથી જ આરાધતાને ગણતરીમાં લેવાની છે, અને તે તે દ્રવ્યલિંગીમાં છે જ. તે શા માટે એ દેશઆરાધક ન બને ? ~આવી શંકાનું સમાધાન એ છે કે આ રીતે દ્રવ્યથી આરાધકતાને જ જે ગણતરીમાં લેવાની હોય તે તે ચારિત્રની જેમ જ્ઞાનની પણ તે આરાધકતા. દ્રવ્યલિંગીમાં હોય જ છે એ બતાવી ગયા છીએ. માટે દ્રવ્યથી તે તેઓને પણ સર્વઆરાધક માનવા પડશે –“તેઓએ દ્રવ્યથી પણ પોતાની સેવા પ્રકારની ઈચ્છાવશાત્ વતાંશનું જ ગ્રહણ કર્યું હોય છે શ્રદ્ધાનાંશનું નહિ (અર્થાત તેઓ દ્રવ્યથી પણ ચારિત્રાચારનું જ પાલન કરે છે જ્ઞાન-દર્શનાચારનું નહિ અને તેથી તેઓમાં દ્રવ્યથી ચારિત્રનું જ આરાધકત્વ હોય છે, જ્ઞાનનું નહિ માટે તેને સર્વઆરાધક માનવાની આપત્તિ નથી.)-એવું પૂર્વપક્ષીનું કથન પણ ઉમેરવ્યક્તિના પ્રલાપ જેવું જાણવું, કેમકે ક્રિયાના બળે જે ગ્રેવેયક પ્રાપ્તિ તેઓને થવી કહી છે તે સંપૂર્ણ સામાચારી પાલનના બળે