________________
કેવલીમાં દ્રવ્યહિંસા જળજીવવિરાધના વિચાર
૩૩૩ स्थानात् । तस्मात्तीर्थकृतामाज्ञोपदेशः ‘कर्मक्षयनिमित्त प्रत्युपेक्षणेर्यासमित्यादिषु संयता यतनया प्रवर्त्तरन् , नान्यथा, संसारवृद्धिहेतुत्वाद्, इत्येवं विधिनिषेधमुखाभ्यामेवावसातव्यो न पुनः 'त्वमित्थ' कुरु' इत्यादि साक्षादादेशमुखेनापि । न च-यतनया नद्युत्तारवत्तया द्रव्यपूजापि संयतानां भवतु-इति शंकनीय, साधूनां त्रसस्थावरजीवरक्षा यतनाधिकाराद्, नद्युत्तारे 'एग पाय जले किच्चा' इत्यादिविधिना तन्निर्वाहाद्द्रव्यस्तवे च त्रसजीवरक्षार्थयतनावतां श्राद्धानामेवाधिकारात्, सर्वारंभपरिजिहीर्षापूर्वकपृथिव्यादियतनापरिणामे च तेषामपि चारित्र एवाधिकार इति । तत्कारापणं च साधूनामुपदेशमुखेन युक्त, निश्चयतोऽनुज्ञाविषयत्वाद्, न त्वादेशमुखेन, पृथिवीदलानां तत्कारणानां व्यवहारतः सावद्यत्वात् । सोऽप्युपदेशो जिनपूजायतनाविषय एवेति सर्वत्र यतनायामेव भगवदाज्ञा, न तु क्वचिद् द्रव्यहिंसायामपीति । થઈ જાય છે તેમજ (૩) પૂજા કરતી વખતે તેને ત્યાગ અશક્ય હોય છે. બાકી પુષજીવવિરાધના પણ જે દ્રવ્યપૂજાની સામગ્રીમાં અન્તભૂત હોય તે તે જેમ ઘણું પુષ્પો વિશિષ્ટપૂજાનું કારણ બને છે તેમ ઘણું વિરાધના પણ વિશિષ્ટપૂજાનું કારણ બનવી જોઈએ. “જેમ વિરાધના વધારે હોય તેમ પણ પૂજા વિશિષ્ટ થાય જ છે, કારણ કે પુપિ જેમ વધુ હોય તેમ વિરાધના પણ અવશ્ય વધુ હોય જ છે” એવી શંકા ન કરવી, કારણકે ફુલો સચિત્ત-અચિત્ત એમ બે પ્રકારના આગમમાં કહ્યા છે. એટલે કે જે અચિત્ત પુ જ વધારવામાં આવે તે વિરાધના વધ્યા વગર પણ પૂજા વિશિષ્ટ થાય છે.
[યતનાની જિનાજ્ઞા, દ્રવ્યહિંસાની કયાંય નહિ-પૂo] તેથી જણાય છે કે તીર્થકરની આજ્ઞાને ઉપદેશ “સાધુઓએ કર્મક્ષય માટે પડિલેહણ-ઈર્યાસમિતિ વગેરેમાં યતનાથી પ્રવર્તવું, અન્યથા (અયતનાથી) નહિ, કેમકે અયતના એ સંસારવૃદ્ધિનો હેતુ છે.” ઈત્યાદિરૂપે વિધિ-નિષેધ મુખે જાણવો, નહિ કે ‘તું આમ કર ઈત્યાદિરૂપે સાક્ષાત્ આદેશમુખે પણ. “આ રીતે જયણ–અજયણાનું જ મુખ્યતયા વિધાન–નિષેધ હોય તે જયણાથી નઘુત્તારની જેમ જયણાથી જિનપૂજા વગેરે કરવાનું પણ સાધુઓ માટે વિધાન હોવું જોઈએ” એવી શંકા ન કરવી, કેમકે એમાં સાધુઓની જયણા જ સંભવી શકતી નથી. તે આ રીતે–જીવમાત્રની વિરાધના સાવદ્ય હાઈ સાધુઓને તેનું પચ્ચખાણ હોય છે. એટલે નઇત્તારવગેરેમાં સાધુઓએ ત્રસ અને સ્થાવર બધા જીવોની જયણ પાળવાની હોય છે. તેથી જ તો નઘુત્તારમાં gm gઘં...” ઇત્યાદિ વિધિ કહી છે જેનાથી ત્રસ–સ્થાવરજીવની જયણાનું પાલન થાય છે. દ્રવ્યસ્તવમાં સ્થાવરજીવોની રક્ષા માટે જયણા સંભવતી જ નથી, કેમકે તે જીવોના શરીરરૂપ પાણ–પુષ્પ વગેરે જ પૂજાના અંગ (કારણ) ભૂત છે. તેથી માત્ર ત્રસજીવોની રક્ષા માટે જ એમાં જયણ સંભવે છે. અને તેથી જ એમાં શ્રાવકોને જ અધિકાર હોય છે. “પૃથ્વી–જળ વગેરેનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવા રૂપે સ્થાવરજીની પણ જયણ દ્રવ્યપૂજા વગેરેમાં શ્રાવકને સંભવે છે” એવી શંકા ન કરવી, કેમકે સાંસા. રિક આરંભને આશ્રીને અંશતઃ તેવી જયણું હોય જ છે. વળી સર્વત્ર તેવી જયણું તે સર્વઆરંભને છોડવાની ઈચ્છાથી જ સંભવે છે. કેમકે “જેની અ૯પતા ઈચ્છનીય