Page #1
--------------------------------------------------------------------------
________________
.
شیر است
: પ્રણેતા : શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા
પાક્ક: આ. શ્રી વિશ્વ મનિચન્દ્રસૂરીશ્વરજી મ. સા.
ડો. . હેડે ડીટ-ટc.
For Personat & Private Use Only
Anw.fainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
|| ચરમતીર્થકર શ્રી મહાવીરસ્વામીને નમઃ | I શ્રી ભદ્ર-કાર-ભુવનભાનુસૂરિ સર્ગુરુભ્યો નમોઃ II
આચાર્ય શ્રીકારસરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ મૌક્તિક : ૨૦
જેન
સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ
ભાગ-૧
(ખંડ-૧) સાર્વજનીન સાહિત્ય
– પ્રણેતા – હીરાલાલ રસિકદાસ કાપડિયા
-: સંપાદક :આચાર્ય શ્રી વિજયમુનિચન્દ્રસૂરીશ્વરજી મ. સા.
– પ્રકાશક :આચાર્ય શ્રી કારસૂરિજ્ઞાનમંદિર
ગોપીપુરા, સૂરત.
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
JAIN SANSKRIT SAHITYANO ITIHAS
Author: KAPADIA HIRALAL RASIKLAL
Editor : Ac. Munichandrasuri M. S.
– પ્રકાશક :આચાર્યશ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧
ફોન : ૨૪૨૬પ૩૧, ૨૪૦૧૪૬૮ E-Mail : omkarsuri@rediffmail.com
પ્રાપ્તિસ્થાન ૐકાર સાહિત્યનિધિ આચાર્યશ્રી ૩ૐકારસૂરિ જ્ઞાનમંદિર વિજયભદ્રચેરીટેબલ ટ્રસ્ટ સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧ હાઈવે, મુ. ભીલડીયાજી (જિ. બનાસકાંઠા) | ફોન : ૨૪૨૬૫૩૧, ૨૪૦૧૪૬૮ ફોન : ૯૫૭૪૪-૨૩૩૧૨૯
E-Mail : omkarsuri@rediffmail.com સરસ્વતી પુસ્તક ભંડાર
સાન્તાક્રુઝ જૈન તપગચ્છ સંઘ હાથીખાના, રતનપોળ અમદાવાદ-૧ જૈન દેરાસર માર્ગ, સાન્તાક્રુઝ (વેસ્ટ)
ફોન : ૨૫૩૫૬૬૯૨ | મુંબઈ-૪૦OO૫૪. ફોન : ૨૬૪૯૪૨૩૪
,
IIII
TiIIIIIII
: પ્રકાશ વીર સંવત-૨૫૩૦ વિક્રમ સંવત ૨૦૬૦ ઇસ્વીસન ૨૦૦૪
કિંમત
રૂા. ૨૫૦-૦૦
: કમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ :
ભરત ગ્રાફીક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧, ફોન : ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
AC Shree Omkarsuri Gyan Mandir Granthavali-27
A HISTORY OF THE SANSKRIT LITERATURE OF THE JAINAS
VOLUME 1
Secular Hiralal Rasikdas Kapadia [M. A.]
Formely Lecturer in Mathematics and subsequently Professor of Ardhamagadhi and University Teacher For Ph. D. in Ardhamagadhi
Editor : · Ac Vijay Munichandrasuri
Published by : Acharya Omkarsuri Gyan Mandir - Surat.
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
સમતિ પત્ર |
પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ.સા.ની પ્રેરણા અને પ્રયાસથી આ ગ્રંથનું પ્રકાશન શ્રીમુક્તિ-કમલ-જૈન મૌતનમાલા વડોદરાથી થયું હતું. પૂ. આ. ભ. શ્રીએ પણ આના પુનઃ પ્રકાશન માટે સહર્ષ સંમતિ આપી છે. પૂજ્યશ્રીને ભાવભરી વંદના.
[ પ્રસ્તુત ગ્રન્થના પુનઃપ્રકાશન માટે શ્રી કાપડિયાના સુપુત્રોએ સમ્મતિ આપી છે. એ બદલ તેઓના આભારી છીએ.
આ કાર્ય શ્રી રમણલાલ ચી. શાહે પોતાનું સમજીને કરી આપ્યું છે. તેઓને પણ ખૂબ ધન્યવાદ ! પ્રકાશક.]
પરમ પૂજ્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા.
જત ડૉ. રમણભાઈ શાહ દ્વારા જાણવા મળ્યું કે અમારા પિતાશ્રી સ્વ. ડૉ. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ લખેલ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” (ભા.૧-૨-૩) આપ શુદ્ધિ-વૃદ્ધિ સાથે એક જ વોલ્યુમમાં પ્રકાશિત કરવા ઇચ્છો છો, કારણ કે આ ગ્રંથ હાલ અપ્રાપ્ય છે. આ ગ્રંથ પ્રકાશિત કરવા માટે અમારા તરફથી કોઈ પણ અપેક્ષા વગર સહર્ષ સંમતિ આપીએ છીએ.
લી. બિ. હી. કાપડિયા V. H. Kapadia
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી કુન્યુનાથસ્વામિને નમઃ
૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ભાગ ૧,૨,૩ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી શાન્તાક્રુઝ જૈન તપગચ્છ સંઘ જૈન દહેરાસર માર્ગ, શાન્તાઝ (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦પ૪. ફોન ઃ ૨૬૪૯૪૨૩૪ (જ્ઞાનદ્રવ્યમાંથી) લીધો છે.
ધન્યવાદ !
લી. પ્રકાશક.
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” ભાગ- ૧,૨,૩ ડૉ. હીરાલાલ કાપડિયાએ તૈયાર કર્યા હતા.
આ ત્રણ ભાગોનું પ્રકાશન પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. મુનિપ્રવરશ્રી યશોવિજયજી મ. સા. (હાલ પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ. સા.) ની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે “શ્રી મુક્તિકમલ જૈન મોહનમાલા” વડોદરા દ્વારા ઈ. સ. ૧૯૫૬, ઇ. સ. ૧૯૬૭ અને ઇ. સ. ૧૯૭૦માં થયું હતું.
ઘણાં વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોનું પુન:પ્રકાશન કરતાં અમને ઘણો હર્ષ થાય છે.
પૂ. આ. ભ. શ્રી અરવિન્દસૂરિ મ. સા., પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા. આદિના માર્ગદર્શન મુજબ અમારી ગ્રન્થમાલામાં વિવિધ ગ્રન્થો પ્રગટ થતાં રહે છે.
પ્રસ્તુત ગ્રન્થનું સંપાદન પૂ. આ. ભ. શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ શ્રી કાપડિયાના લખાણને એ જ પ્રમાણે રહેવા દીધું છે. જ્યાં નવી વિગતો, હકીકતફેર કે સુધારો જરૂરી જણાયો ત્યાં તેઓશ્રીએ ચોરસ કૌંસ [ ] માં સુધારા, ઉમેરા વગેરે મુક્યા છે.
આ પ્રકાશનથી જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ જાણવામાં ઘણી સહાય થશે. અભ્યાસીઓ આ ગ્રંથનો વધુને વધુ ઉપયોગ કરે એ જ અભિલાષા..
આ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ આ. 3ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત.
ટ્રસ્ટીગણ
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
ISSIBLI AN
આચાર્ય શ્રી કારસૂરિ જ્ઞાનમંદિર – ગ્રંથવાલી| પ્રભુવાણી | શ્રી સમસ્ત વાવપથક જૈન શ્વે. મૂ. પૂ. સંઘ- , પ્રસારસ્તંભ
ગુસ્મૃતિ પ્રતિષ્ઠા સ્મૃતિ • શેઠ શ્રી ચંદુલાલ કલચંદ પરિવાર (વાવ) (બનાસકાંઠા) • શેઠ શ્રી ધુડાલાલ પુનમચંદ હક્કડ પરિવાર • પાલીતાણા ચાતુર્માસ સમિતિ (જુનાડીસા) જ્ઞાનદ્રવ્યમાંથી • શ્રી ધર્મોત્તેજક પાઠશાળા – શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ • સૂઇગામ જૈન સંઘ – સૂઇગામ (બનાસકાંઠા)
શ્રી વાંકડિયા વડગામ જૈન સંઘ – વાંકડિયા વડગામ (રાજસ્થાન)
શ્રી ગરબડી જૈન સંઘ – ગરાંબડી (બનાસકાંઠા) • શ્રી રાંદેર રોડ જૈન સંઘ – સુરત.
I T' કહી uuuuuuuuu
Bes.
doછSSSSSS
પ્રભુવાણી પ્રસાર અનુમોદક શ્રી મોરવાડા જૈન સંઘ–મોરવાડા (બ.કાં.)
શ્રી ઉમરા જૈન સંઘ-સુરત • શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ-સુરત
| પ્રભુવાણી પ્રસાર ભક્ત | શ્રી દેશલપુર (કંઠી) શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ (મુનિભવનચન્દ્રજીની પ્રેરણાથી) શ્રી ધ્રાગંધ્રા શ્રી પાર્શ્વચન્દ્રસૂરીશ્વરગચ્છ (મુનિભુવનચન્દ્રજીની પ્રેરણાથી)
પત્રવ્યવહાર : સેવંતીલાલ એ. મહેતા આચાર્ય શ્રી ઉૐકારસૂરિ આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧
ફોન : ૦૨૬૧-૨૪ર૬પ૩૧, ૨૪૩૯૦૨૪ E-mail :omkarsuri@rediffmail.com
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
$ બે બોલ
કરવાના કરી
શકો
વર્ષો અગાઉ જાણીતા પીઢ કર્મઠ સાહિત્યકાર શ્રીયુત મોહનલાલ દ. દેસાઈકૃત જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મેકૂડોનલકૃત “સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ અને એના જેવાં અચાન્ય જૈન અજૈન પુસ્તકોને જોઈને એક ફુરણા થયેલી કે પ્રાકૃત તેમજ સંસ્કૃત સાહિત્યને લગતા જૈનધર્મના તમામ ગ્રંથોનું, તેના પરિચય સાથે એક સંસ્કરણ તૈયાર થવું જોઈએ. તે પછી તો જેઓને શ્રેષ્ઠશ્રેષ્ઠતમ કોટિના ગણી શકાય, તેવો વિદ્વાનો, ખાસ કરીને અજૈન વિદ્વાનોના હાથે લખાયેલાં ઇતિહાસ વિષયક પુસ્તકો અને તેમાંનાં પ્રકરણો આંખે ચઢવા માંડ્યાં, અને જ્યારે એમાં જૈન સાહિત્ય તેમજ તેના સાંસ્કૃતિક વિષય અંગેની અલ્પજ્ઞતા અને અજ્ઞાનતા જોઈ, ત્યારે તો તે માટે મને ભારે દુઃખ થયું અને આપણા શ્રીસંઘની બેદરકારી માટે શરમ પણ ઊપજી. અરે ! કેટલાક લેખકોએ તો જાણે-અજાણે પણ, જૈનધર્મના મર્મની સમજણોના અભાવે, તેના સિદ્ધાન્તો અને સંસ્કૃતિને ભારે અન્યાય આપતી વિકૃત રજૂઆતો પણ કરેલી જોઈ, ત્યારે તો મારી પૂર્વોક્ત ભાવના બળવત્તર બની ગઈ. આમાં મને ચોક્કસપણે એ પણ લાગ્યું પહેલા અપરાધી જો કોઈ હોય તો તે જૈન ધર્મ-સંસ્કૃતિના ઉપાસકો તરીકે ગણાતા આપણે જ છીએ, જેમણે પોતાની અજોડ, અદ્ભુત, અનુપમ અને વિશ્વોપકારક સાહિત્યની કીમતી સમૃદ્ધિને, પ્રસિદ્ધિનો જોઇએ તેવો પ્રકાશ આપ્યો નથી. પરિણામે ભગવાન્ જિનેશ્વરદેવની મુદ્રાથી અંતિ, આપણા સંગીન અને મૌલિક સાહિત્યની પુનિત અને નિર્મળ ગંગા, યોગ્ય આત્માઓના હૃદયનયનપથ સુધી બરાબર પહોંચી શકી નથી અને એનો સુયોગ્ય વિદ્વાનોને પણ, બહુ ઓછો લાભ મળ્યો છે. આમ છતાંયે મારે એ કહેવું જ જોઇએ કે આજ સુધીમાં જેટલું જૈન સાહિત્ય પ્રસિદ્ધ થયું છે તે પણ વિપુલ પ્રમાણમાં છે અને છેલ્લા દશકામાં તો આધુનિક દૃષ્ટિએ સંપાદિત થયેલું સાહિત્ય પણ ઠીક ઠીક પ્રમાણમાં બહાર પડી ચૂકયું છે, છતાં આજના વિદ્વાન લેખકો તેને લક્ષ્મપૂર્વક વાંચતા નથી, સમજતા નથી અને ઉપર ઉપરથી વાંચીને ઇધર-તિધરથી ઉઠાવીને પોતાના ગ્રંથમાં માત્ર બે ત્રણ પાનાં, જૈન-દર્શન, સાહિત્યને લગતાં લખવાનાં રાખ્યાં હોય તે ભરી દે છે અને પોતાની જાતને સંતોષ મનાવે છે. પણ આ રીતે માત્ર પાનાં ભરવાથી જૈન સાહિત્યને ક્યારેય ન્યાય કે સંતોષ આપી શકાતો નથી. અને આ જ કારણે બીજા નંબરના અપરાધી તરીકે હું લેખકોને સૂચવી શકું !
પણ હવે બન્નેએ નિરપરાધી બનવું જોઈએ. જૈનસંઘ તરફથી તો છેલ્લા દશ વર્ષમાં અનેકદેશીય સાહિત્ય બહાર પડ્યું છે ને હવે એ દિશામાં સારા પ્રમાણમાં પ્રયત્નો જારી પણ છે. એટલે હવે લેખકોને પોતાનો ધર્મ બજાવવાનો રહે છે. એટલે કે તેઓએ જૈન સાહિત્યનો ઊંડા ઉતરીને મનનપૂર્વક ઠીક ઠીક અનુગમ કરવો જ જોઇશે એના માલિક ઉદેશો ને ઉતમ સંદ્ધાંતો, એની પરિભાષાઓ ને અજોડ ખૂબીઓ અને વળી, એના સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેને, ખૂબ ખૂબ અર્થપૂર્ણ રીતે સમજવા જોઇશે.
જૈન દર્શન એ એક નિરાલું દર્શન છે. એની સર્વજ્ઞમૂલક ખૂબીઓ અનન્ય છે. મધ્યસ્થભાવે આમૂલચૂલક અધ્યયન કર્યા વિના એનું સાચું રહસ્ય લાધશે નહિ અને એનું સાંસ્કૃતિક ગૌરવ પણ સમજાશે નહીં. અન્ય સંસ્કૃતિઓના અધ્યયન સાથે ભારતની આ મહાન્ સંસ્કૃતિનું અધ્યયન નહિ થાય
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
બે બોલ
[9] ૯ ત્યાં સુધી અન્ય સાંસ્કૃતિક અધ્યયનો અપૂર્ણ જ રહેશે અને વિદ્વાનોને તે ચમકતાં નહિ જ લાગે. આ વાત હું જ કહું છું એમ નથી પણ આજના માધ્યસ્થવૃત્તિ ધરાવનારા અજૈન વિદ્વાનો પણ આ જ હકીકતને જાહેરમાં જોરશોરથી કહે છે. એટલે અજૈન વિદ્વાનોને મારી વિનંતિ છે. કે તેઓ જરી-પુરાણા થયેલા અસત્ પૂર્વ ગ્રહોને હવે ઝડપથી છોડે, પરાયા ભાવને તિલાંજલિ આપે, અને જૈન સંસ્કૃતિનું અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવામાં, પૂરતો રસ અને ઉત્સાહ દાખવે.
આ ઠેકાણે મને જણાવતા આનંદ થાય છે કે, આપણા કેટલાય ભારતીય વિદ્વાનોને એ પ્રતીતિ થઈ છે કે જૈન સાહિત્યમાં સાર્વદેશીય અને સાર્થક્ષેત્રીય હકીકતનો અખૂટ ખજાનો ભર્યો છે. એટલે તે તરફ હવે તેઓનું ઠીક ઠીક પ્રમાણમાં આકર્ષણ વધતું ચાલ્યું છે. તેઓ જૈન-સંસ્કૃતિના અધ્યયનમાં રસ લઈ રહ્યા છે, અને અધ્યયનની વિશિષ્ટ દિશાને ખુલ્લી કરી મોકળી કરી રહ્યા છે. અને તેમના જ હાથે
“જૈનસંઘ પાસે વિપુલ સાહિત્ય સમૃદ્ધિ નથી, અને સાર્વદેશીય સાહિત્ય-સર્જન છે જ કયાં?”
ઇત્યાદિ જે જે ગેરસમજ ભર્યા અભિપ્રાયો, ખોટી રીતે બંધાયા હતા અને તેથી કેટલાકના હાથે જે અસંબદ્ધ વિધાનો બોલાયાં, લખાયાં અને છપાયાં હતા, એનાં પરિમાર્જનની શરૂઆત પણ થઈ ચૂકી છે. એ ખરેખર! એક અતિ આનંદનો વિષય છે.
જૈનસંઘને મારી સૂચના છે-વિનંતિ છે કે, વર્તમાન પરિસ્થિતિ, જૈન સંસ્કૃતિના પ્રકાશ અને પ્રચાર માટે તો એટલી અને એવી અનુકૂળ છે કે, જો જૈન સંસ્કૃતિના પ્રચાર અને પ્રકાશ માટે, વિવિધ પ્રકારે હરણફાળ ભરવામાં આવે તો જૈન સંસ્કૃતિનો પ્રવાહ વિશ્વભરમાં વહેતો કરી શકાય અને એ પ્રવાહમાં અનેક આત્માઓ ડૂબકી મારીને પાવન બની શકે ! પણ અફસોસની વાત એ છે કે, વર્તમાન કલહ-કંકાસમાં અટવાઈ ગયેલા જૈનસંઘના સૂત્રધારોને પ્રચારનું મૂલ્ય સમજાયું જ નથી. અને જેઓને સમજાયું હશે તેઓ સક્રિય પ્રયત્નશીલ નથી. પરિણામે વર્તમાનની સાનુકૂળ પરિસ્થિતિનો સર્વાગી લાભ શ્રીસંઘ ઉઠાવી શકતો નથી એ બીના જેટલી ખેદજનક છે તેટલી જ દુઃખદ છે આ દુઃખદ પરિસ્થિતિનો જલ્દી અંત લાવવો જોઈએ.
આટલી વાત તો પ્રાસંગિક હૈયે હતી, તેમાંથી થોડીક હોઠે આવી અને કલમે અહીં ટપકાવી. હવે મૂળ મુદા પર આવું.
આ પુસ્તક પ્રકાશક સંસ્થાના સૂત્રધારોને, વર્તમાન સમયમાં જાહેર પ્રજાને પોતાના સમૃદ્ધ વારસાનાં દર્શન કરાવવાની અને જૈનધર્મની સેવામાં પોતાનો કિંતુ ફાળો નોંધાવવાની, જૈન સંસ્કૃતિ અને સાહિત્યની પ્રૌઢતા, પ્રખરતા અને ગંભીરતા જોવાની ભાવના પ્રગટી અને જાણીતા સુરતનિવાસી, અનેક કૃતિઓના સંશોધક, સંપાદક અને અનુવાદક, વિદ્વાન લેખક શ્રીયુત હીરાલાલ રસિકલાલ કાપડિયાને મળવાનું થયું ત્યારે તેઓએ પોતાના પ્રકાશિત પ્રાકૃત ભાષાના ઇતિહાસની જેમ, જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ લખવાની પ્રેરણા કરી, અને પોતાની પાસે તેની કાચી સામગ્રી સારા પ્રમાણમાં હોવાનું પણ જણાવ્યું. અર્થાત્ આ વિષયમાં તેમણે ઘણી સારી તૈયારી બતાવી. પૂજ્ય ગુરુદેવો અને સંસ્થાના કાર્યકરોને આ વાત કરતાં, પ્રસ્તુત વાતને તેઓએ સહર્ષ વધાવી લીધી. પછી શ્રી કાપડિયા સાથે, તેની રૂપરેખા, કાર્ય
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦ [10]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧ મર્યાદાને ગ્રંથમર્યાદા નક્કી થઇ. પછી એમણે કાર્ય શરૂ કર્યું. રૂપરેખા તો ઠીક જળવાઇ, પણ બાકીની મર્યાદાઓ જળવાઇ ન શકી. ગ્રંથમર્યાદા તો ત્રિગુણાધિક થઇ ગઇ, જેથી ત્રણ ખંડો પાડવાનું નક્કી થયું, અને પરિણામે સંસ્થા આજે તેનો પેલો ભાગ જ પ્રસિદ્ધ કરી રહી છે. આ પ્રકાશન દ્વારા જૈન સંસ્કૃત સાહિત્યની વિશાળતાનો અને તેની અનેકવિધ ખૂબીઓનો અર્થાત્ જૈન વિદ્વાનોએ વિદ્યા-કલા અને સાહિત્યના કેટકેટલાં ક્ષેત્ર ઉપર કલમ ચલાવી છે તેનો ખ્યાલ મળશે, અને ઘણા ભ્રમો, અધૂરા ખ્યાલો દૂર થશે અને વળી આ પ્રકાશનથી જૈન-જૈનેતર વિદ્વાન વાચકોને પ્રચૂર માહિતીઓ અને અનુભવો પણ મળશે. આશા છે કે, જૈન-અજૈન જનતા, આવા ઉપયોગી પ્રયત્નનો જરૂ૨ સમાદર ક૨શે.
આ ગ્રંથમાં ઉઠાવેલા પ્રબલ પરિશ્રમ અંગે વિદ્વાન્ લેખક શ્રી કાપડિયાને સહર્ષ ધન્યવાદ આપું છું, અને તેમની જૈન સાહિત્યની શેષ સેવાઓનું વિધવિધ રીતે દર્શન કરાવવાની તેમની અખૂટ ભાવના સફળ બને એવી શુભેચ્છા સેવું છું.
આટલું કહ્યા બાદ એક વાતનું સંસૂચન કરવાનું ઉચિત સમજું છું તે એ કે–
ઇતિહાસ– સાહિત્ય વગેરે એવી ચીજ છે કે, એમાં પૂરેપૂરા નિર્ણયો લેવાયા જ છે એવું નથી હોતું. જે હોય છે તેમાં કેટલાક એવા પણ હોય છે કે જે સંપૂર્ણ રીતે સાચા ન પણ હોય, આનુમાનિક પણ હોય, ને છેવટે સંભવિત પણ રાખવામાં આવ્યા હોય. મારે અહીં એ કહેવું જોઇએ કે, વિદ્વાનોએ કેટલાક સંયોગોમાં ઉપરોક્ત સ્થિતિને માન્ય રાખી છે, પણ તે એવા સાધનો અને સાહિત્ય માટે કે જે અપ્રાપ્ય હોય અને જેની હકીકતો મળતી ન હોય ! પરંતુ આમાં, કેટલીક પ્રકાશિત અને લભ્ય કૃતિઓ માટે એવું બને ત્યારે તે કેમ ગમે ? અને આથી અમુક કૃતિ પ્રત્યક્ષ રીતે એક માહિતી આપતી હોય ત્યારે આ પ્રકાશનમાં બીજી જ માહિતી જણાવતી હોય ! ક્યાંક ક્યાંક તો ઉલ્ટી જ હકીકત પણ રજૂ થઇ હોય. વળી, કેટલીક પ્રાકૃત કૃતિઓને સંસ્કૃત માનીને, અજૈન કૃતિને જૈન ગણીને, પ્રકાશિત કૃતિને અપ્રકાશિત સમજીને પરિચય અપાયો છે. ક્યાંક અનૈતિહાસિક વિધાન પણ નજરે ચઢી જાય છે.
આ માટે આપણા માનનીય લેખક વિદ્વાને, થોડોક વધુ પરિશ્રમ કરીને. જો સંસ્થાઓની સૂચીઓ મેળવી લીધી હોત, અને થોડી વધુ જાંચ કરી હોત તો, સૂચિત ક્ષતિઓથી આ સંસ્કરણને જરૂર બચાવી શકાયું હોત! અને આવું અતિપરિશ્રમ અને વ્યય સાધ્ય પ્રકાશન, શહાદતો (References) માટેનું પ્રામાણિક સાધન બની ગયું હોત !' અને આ ગ્રંથ લખાવવા પાછળ સંસ્થાની જે ભાવના અને લક્ષ્ય હતું તે વધુમાં વધુ રીતે પાર પડ્યું હોત ! અસ્તુ !
અન્તે જૈન શ્રીસંઘને વિનંતિ કે, સંઘના પ્રત્યેક અંગને, પોતાની અણમોલ સાહિત્ય સંપત્તિનું દર્શન થાય અને તેમાંથી અનેકવિધ કલ્યાણકર પ્રેરણાઓ મેળવે, એ માટે આ પ્રકાશનને જરૂર વસાવી લે.
[પ્રથમ આવૃત્તિમાંથી સાભાર.]
For Personal & Private Use Only
શ્રીયશોવિજય મ. સા. માટુંગા (મુંબઇ) જેઠ સુદિપૂર્ણિમા વિ. સં. ૨૦૧૦
www.jalnelibrary.org
Page #12
--------------------------------------------------------------------------
________________
|| જયવીર સચ્ચઉરી મંડળ છે.
| શ્રી સિદ્ધિ-ભદ્ર-વિલાસ-જનક-કાર
| ડહં |
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | -ભટૂંકર-અરવિંદ-યશોવિજય-જિનચન્દ્રવિજયેભ્યો નમઃ ||
ITTER
સંપાદકીય નિવેદન
શ્રી હીરાલાલ કાપડિયા દ્વારા રચિત જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧નું પુનઃપ્રકાશન થઈ રહ્યું છે ત્યારે ઘણી હર્ષ થાય છે.
ઇતિહાસનું આલેખન અતિ જટીલ કાર્ય છે.
ત્રિપુટી મહારાજે ત્રીસથી ચાલીસ હજાર ગ્રંથો, લેખો, પ્રશસ્તિઓ આદિના અધ્યયન પછી જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧,૨,૩,૪ દ્વારા (વિ.સં. ૨૦૦૯ થી ૨૦૩૯ સુધીમાં) આચાર્યો, રાજાઓ, શ્રેષ્ઠિઓ આદિની પરંપરાને આલેખી છે.
મોહનલાલ દલીચંદ દેસાઇએ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” લખી જૈન સાહિત્યકારોએ રચેલા ગ્રંથોની વિસ્તૃત નોંધ આપી છે.
શ્રી હીરાલાલ કાપડિયાએ આ સાહિત્યમાંથી સંસ્કૃત ભાષામાં રચાયેલા સાહિત્યનો વિભાગવાર પરિચય આપ્યો છે.
એમાં પણ આ પ્રથમ વિભાગમાં સાર્વજનીન સાહિત્યનો પરિચય આપ્યો છે.
આ ગ્રંથ દ્વારા આપણને સંસ્કૃત વ્યાકરણ વગેરે વિષયોમાં જૈન ગ્રંથકારોએ કેટલા અને કેવા ગ્રંથો રચ્યા છે, એ ગ્રંથો કોના કોના દ્વારા ક્યારે સંપાદિત, સંશોધિત અને પ્રકાશિત થયા છે તે અને એ ગ્રંથોની વિશેષતા, અન્ય ગ્રંથો સાથે એની તુલના વગેરે શ્રી કાપડિયાએ આ ગ્રંથમાં આપી છે.
કોઈ પણ ગ્રન્થ અને ગ્રન્થકાર કે પ્રકાશક વગેરેની વિગત સહેલાઇથી અભ્યાસીઓ મેળવી શકે માટે ગ્રંથકાર, લેખક, સંપાદક, સંશોધક વગેરેની અકારાદિ સૂચી પૃષ્ઠકો સાથે પ્રથમ પરિશિષ્ટમાં આપી છે.
બીજા પરિશિષ્ટમાં ગ્રંથો, લેખો વગેરેની અકારાદિ સૂચિ આપી છે. આ બન્ને પરિશિષ્ટમાં ત્રણ વિભાગ દ્વારા શ્વેતાંબર (અને યાપનીય), દિગંબર અને અજૈન ગ્રંથ-ગ્રંથકારોની વિગતો જુદી જુદી આપી છે. ત્રીજા પ્રકીર્ણ નામોના પરિશિષ્ટમાં પ્રકાશકો અન્ય વ્યક્તિઓ વગેરેની અકરાદિ સૂચિ છે.
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
[12]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભાગ-૧
પુનર્મુદ્રણ
આજથી પચાસ વર્ષ પૂર્વે જ્યારે સાધન સામગ્રી ઓછી હતી અને મુદ્રણ વ્યવસ્થા સુગમ ન હતી ત્યારે પણ ટાંચા સાધનો દ્વારા પણ જે ઇતિહાસો લખાયા છે એવું કાર્ય કરવાવાળા આજે આપણને ક્યાંય નજરે પડતાં નથી. પરંતુ વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોને સુલભ કરવા પુનર્મુદ્રણ / પુનઃપ્રકાશનની પ્રવૃત્તિ જોવા મળે છે.
જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧,૨ અને ૩નું પુન:પ્રકાશન તાજેતરમાં (૨૦૫૬, ૨૦૧૭, ૨૦૫૯માં) યશોવિજય જૈન આરાધના ભવન દ્વારા પાલીતાણાથી થયું. નૈન સાહિત્ય | ગૃહદ્ તિહાસ ના ૧ થી ૭ ભાગોનું પુનર્મુદ્રણ પાર્શ્વનાથ શોધપીઠ વારાણસીથી થયું છે.
૫. પાર્શ્વનાથ ની પરંપરા વતિહાસ –લે. જ્ઞાનસુંદર. આનું ત્રણ ભાગમાં પુનઃ પ્રકાશન પં. શ્રી રત્નસેનવિજયજીના સંપાદનપૂર્વક દિવ્યસંદેશ-મુંબઇથી થયું છે.
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' પ્રવચન પ્રકાશન-પુનાથી પુનર્મુદ્રિત થયો છે.
(આ પુનઃપ્રકાશન પ્રાયઃ ફોટો ઝેરોક્ષ પદ્ધતિથી મર્યાદિત નકલોમાં થયું હોવાથી અપ્રાપ્ય બની ગયું છે. આ ઇતિહાસનું ઓફસેટ પદ્ધતિથી મોટી સાઈઝમાં પુન:પ્રકાશન કાર્ય શરૂ થયું છે. અને આ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિમાં ટુંકમાં પ્રગટ થશે.) અમને થયું કે કાપડિયાના ઇતિહાસના ભાગોનું પણ પુનઃપ્રકાશન થવું જોઇએ. આ બાબત મેં સુદદ્ધર આચાર્યપ્રવર શ્રી રત્નસુન્દરસૂરિ મ. સા. ને જણાવી.
તેઓનો ઉત્તર આવ્યો કે આના પુન:પ્રકાશન સંપાદન વગેરે બાબતો આપ જ સંભળો અને આના પ્રકાશન-ખર્ચનો લાભ શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ સંઘને આપો.
આ પછી શ્રી સાંતાક્રુઝ જૈન તપગચ્છ સંઘ (પશ્ચિમ) ના ટ્રસ્ટીવર્યો રૂબરૂ મળીને આ ગ્રંથ સારામાં સારી રીતે પ્રકાશિત કરવા અને એનો સંપૂર્ણલાભ સંઘના જ્ઞાનખાતામાંથી લેવાની ભાવના વ્યક્ત કરી.
આ પછી આ ગ્રંથનું કાર્ય તુરંત શરૂ થયું. પ્રથમ ભાગ આપના હાથમાં છે. ભાગ ૨ અને ૩ પણ આ જ ગ્રંથાવલિમાં આના અનુગામિ બનીને આની સાથે જ પ્રગટ થઈ રહ્યા છે. લેખકશ્રીનો પરિચય :
શ્રી હીરાલાલ કાપડિયાના પરિચય માટે શ્રી રમણલાલ સી. શાહનો લેખ અન્યત્ર આપ્યો છે તેમાંથી લેખકશ્રીના જીવન અને સાહિત્ય વિશે વિશેષ પરિચય મળી જશે. આનંદદાયક સમાચાર :
શ્રી હીરાલાલભાઈએ લખેલા બધા લેખો વગેરે સાહિત્ય પ્રગટ થઈ શક્યું નથી. જે છપાયું છે તે પણ જુદા જુદા અનેક પત્ર, પત્રિકાઓના વિવિધ અંકોમાં પ્રગટ થયું હોવાથી વાચકો માટે
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન
[13]
૧૩
આવા અનેક સ્થળેથી પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ કરી પ્રકાશિત કરવાનું આયોજન પં. જિતેન્દ્રકુમાર બી. શાહ (ડાયરેક્ટર લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર) એ ગોઠવ્યું છે.
લગભગ ૫૦૦ જેટલા લેખો પાંચ વોલ્યુમમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈ કૃતનિધિ દ્વારા પ્રકાશિત થવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રગટ થતાં શ્રી કાપડિયાનું દુર્લભ સાહિત્ય સુલભ થશે. પ્રસ્તુત સંસ્કરણ :
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ફોટો-ઝેરોક્ષ પદ્ધતિથી એમનો એમ પ્રગટ થયો છે. આ પાર્શ્વનાથ ની પરંપરા છે. તિહાસ અને જૈ. સા. બૃહદ્ ઇતિહાસ સાત ભાગોનું પણ સુધારા-વધારા વિના પુનર્મુદ્રણ જ થયું છે. જૈન પરંપરાનો ઇતિહાસ બીજી આવૃત્તિમાં પુનરુક્તિ દૂર કરી રાખી સંક્ષેપીકરણ કર્યું છે. ક્યાંક સામગ્રીનો સ્થળ-બદલો કરાયો છે. પણ નવી કોઈ વિગતો જોડવામાં આવી નથી. જ્યારે પ્રસ્તુત પ્રકાશનમાં અનેકવિધ સામગ્રી જોડવામાં આવી છે.
છેલ્લા બે-ત્રણ દશકામાં વિપુલ પ્રમાણમાં સાહિત્યનું પ્રકાશન થયું છે. અનુસંધાન (એપ્રિલ-૨૦૦૩)ના અંકમાં આ. શીલચસૂરિ મ. સા. લખે છે કે
સદ્રત વિદ્વાન પ્રા. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” લખ્યો છે, તેમાં એક સ્વતંત્ર ગ્રન્થ લખીને ઉમેરવો પડે તેટલી કૃતિઓ તો તે પછી પ્રકાશમાં આવી ગઇ છે. અને પ્રકાશમાં ન આવેલી કૃતિઓનો જથ્થો તો હજી એવા કેટલા ગ્રન્થ માગશે તેની કલ્પના જ કરવી પડે.
પ્રસ્તુત સંસ્કરણમાં નવા પ્રગટ થયેલા સંસ્કૃત સાહિત્યની મળે તેટલી વિગત મુકવા અમે પ્રયાસ કર્યો છે. કેટલાક પ્રકાશનોની વિગત ગ્રંથમાં તે તે ગ્રંથની વિગત હોય ત્યાં જ આપી છે. કેટલાકની પ્રકરણના છેડે આપી છે. આ વિગતોમાં આવતાં ગ્રંથ, ગ્રંથકાર, પ્રકાશક આદિ નામો તે તે પરિશિષ્ટમાં ઉમેરી દેવાયા છે. પૃષ્ઠાંકો વિષે : પ્રથમ સંસ્કરણનો આજ સુધી ઉપયોગ થતો રહ્યો છે. શ્રી હીરાભાઈએ પણ એમના અનેક ગ્રંથો લેખોમાં પ્રથમ સંસ્કરણના પેજ નંબરો આપ્યા છે. એટલે પ્રથમ સંસ્કરણના પેજ નંબર પણ આ દ્વિતીય સંસ્કરણમાં મળી શકે તે માટે દરેક પેજમાં P કરીને જુના સંસ્કરણના પેજ નંબર લખ્યા છે.
આ સંસ્કરણના પેજ ૧ માં P ૧થી P ૨ પહેલાનું લખાણ જુના સંસ્કરણમાં ૧. પેજમાં છે.
જે લીટી સામે P પછી જે અંક લખ્યો છે તે પંક્તિથી જુના સંસ્કરણનું તે પેજ શરૂ થાય છે. એમ સમજવું.
આ ઉપરાંત એકી પેજના મથાળે હેડીંગમાં પણ પ્ર. આ. પછી જુના સંસ્કરણના કયાથી ક્યા પૃષ્ઠનું લખાણ આ પૃષ્ઠોમાં છે તે જણાવ્યું છે. જુના અને નવા સંસ્કરણના પૃષ્ઠોકોમાં ગેરસમજ ન થાય તે માટે અમે ત્રણ ભાગમાં સર્વત્ર જુના સંસ્કરણ માટે ૧, ૨, ૩ એમ ગુજરાતી અંકો અને નવા સંસ્કરણ વિષે 1, 2, 3 એ રીતે અંગ્રેજીમાં વપરાતા અંકો વાપર્યા છે. વાચકોએ આની ખાસ નોંધ લેવી.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
[14].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧
ટિપ્પણો વિષે ઃ
શ્રી હીરાલાલભાઈએ એમની પદ્ધતિ મુજબ જે ગ્રંથ કે ટીકાના પ્રકાશનની વિગત અગાઉ આપી હોય તો તે સ્થળે ટિપ્પણમાં આ પ્રકાશિત છે જુઓ પૃ. અમુક ટિપ્પણ અમુક.
અમે આવા સ્થળે તે તે પેજમાં બતાવેલી વિગત ઉમેરી દીધી છે. અને જુઓ પૃ. વાળી વિગત કાઢી નાંખી છે.
દાખલા તરીકે આ સંસ્કરણમાં પૃ. ૧૨૯ થી ટિ. ૧ અને ૩ માં “આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત છે.”
આ ટિપ્પણો જુના સંસ્કરણમાં પૃ. ૨૧૨ ટિ. ૧ અને પૃ. ૨૧૩ ટિ. ૧ તરીકે છે. ત્યાંનું લખાણ આ પ્રમાણે છે.
આ ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૧૧.”
આવા અનેક સ્થળે અમે પૃ. નંબર કાઢી નાંખીને તે પૃષ્ઠમાં બતાવેલી વિગત ત્યાં મુકી દીધી છે. જેથી વાચકોને સરળતા રહે. સંપાદકીય ઉમેરણ : ૧. શ્રી હીરાલલાભાઈએ પાછળથી મળેલી વિગતો પરિશિષ્ટ, અનુલેખ, પૂરવણી, વૃદ્ધિપત્ર આદિમાં જોડી
છે. અમે આ બધી વિગતો તે તે સ્થળે મુકી દીધી છે. ૨. જ્યાં જ્યાં વિશેષ વિગતો અમારા ધ્યાનમાં આવી ત્યાં અમે તે વિગતો તે તે સ્થળે ચોરસ કૌંસમાં
[ ] ઉમેરી છે. આ વિગતો ટુંકમાં આવી છે. A. તે ગ્રંથનું નવું સંસ્કરણ બહાર પડ્યાની વિગત જુઓ પૃ. 8 છેલ્લી ૨ પંક્તિ, પૃ. 14 ટિ. ૧, પૃ.16
ટિ.૨, પૃ. 20 ૫.૧૭-૧૮, પૃ. 39 ટિ.૧-૨, પૃ. 44 ટિ.૬, પૃ.46 ટિ.૧૧, પૃ.52 ટિ.૧, પૃ.53 ટિ.૭,
પૃ.73 ટિ.૩, પૃ.76 ટિ.૮, પૃ.92 ટિ:૪, પૃ.108 ટિ.૨ વગેરે. B. નવા અપ્રગટ ગ્રન્થની વિગત પૃ.27 પ.૧૫-૧૬, પૃ.70 પં.૧, પૃ.88 પં.૨૦થી, પૃ.114 ૫૬થી,
પૃ.117 પં.૧૨થી, પૃ.125 ટિ.૨. C. નવા પ્રગટ ગ્રન્થની વિગત. પૃ.77 પં.૯, પૃ.106 ૫.૧૯થી, પૃ.108 ટિ.૪, પૃ.111 પં.૧૦,
પૃ.144 ૫.૮ છે ? કિ ફરી ફિરાર 23 મંડી છઠ્ઠા ટિ , 72 } ૧૩૨ ૨, પૃ.102 .પુ. E. ગ્રન્થ અપ્રસિદ્ધ હોવાની વિગત પૃ. 87 પં. ૨૩,૨૭
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન
[15]
૧૫
- તે વિષયમાં આધુનિક વિદ્વાનના લેખ, નિબંધ, ગ્રંથની વિગત. પૃ.37 ટિ.૪ G. તે ગ્રંથ ઉપર થયેલા વિવેચન, અનુવાદ વગેરેની વિગત. પૃ.57 ટિ.૪, પૃ.88 પૃ.૨૨,
પૃ.107 પ.પથી H. તે ગ્રંથનું સંશોધન-સંપાદન ચાલુ હોય તેની વિગત પૃ.68 ટિ.૪,૮. છે. તે ગ્રંથની મુદ્રણયોગ્ય પ્રતિ તૈયાર થયાની વિગત પૃ.68 ૫.૩ J. તે ગ્રંથકારના અન્ય ગ્રંથોની વિગતમાં ઉમેરો પૃ.69 પં.૧૪ K. ગ્રંથકાર-ટીકાકાર વિષે વિશેષ વિગત પૃ.78 ૫.૧૧ L. ગ્રન્થની હસ્તલિખિત પ્રતિ વિષે પૃ.88 ૫.૫ અનુવાદ :
ઇતિહાસ ગ્રંથોના પુનર્મુદ્રણી થતા રહ્યા છે તેમ એના અનુવાદનો પણ પ્રારંભ થયો છે. - વારાણસીથી રૈન સંસ્કૃત સાહિત્ય 1 તિહાં ભાગ ૧ થી ૭ બે વાર પ્રગટ થયેલા. તે ૭ ભાગોનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી પ્રગટ કરવાનો પ્રારંભ “૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ' પાલિતાણા દ્વારા થયો છે. ભા. ૧ અને ભા. ૨ પ્રગટ થયા છે. આ. ભ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા., આ. ભ. શ્રી સોમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી આ પ્રકાશન કાર્ય થઈ રહ્યું છે. અનુવાદ કાર્ય પ્રો. રમણીકભાઈ શાહ અને પ્રો. નગીનભાઈ શાહ કરી રહ્યા છે. આમ ગુજરાતી વાચકો માટે આ ઇતિહાસ ગ્રંથો ઉપયોગી બની રહેશે. ઋણસ્વીકાર - ધન્યવાદ :
પરમકૃપાળુ પરમાત્મા અને પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ. સા., પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા., પૂ. ગુરુદેવ શ્રી જિનચન્દ્રવિજયજી મ. સા. આદિના મંગલ આશીર્વાદના પ્રતાપે જ આ ગ્રંથ સંપાદન કાર્ય શક્ય બન્યું છે.
ઉપકારી દેવ-ગુરુના ચરણે અનંત અનંત વંદના.
સંપાદનના આ શ્રમસાધ્ય કાર્યમાં મુફ-વાંચન, પરિશિષ્ટો તૈયાર કરવા, પૃષ્ઠોકો બદલવામાં અનેક મુનિરાજો, સાધ્વીજીઓ, શ્રાવક-શ્રાવિકાઓ સહાયક બન્યા છે. સહુનો આભાર. શ્રુતભક્તિની અનુમોદના !
જુદા જુદા અનેક જ્ઞાનભંડારોના ગ્રંથો, સૂચીપત્રો વગેરેનો અમે ઉપયોગ કર્યો છે. તે બધાં અને વિશેષતઃ કોબા સ્થિત આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના કોમ્યુટરમાં સંચિત વિગતો વગેરેની માહિતી અમને ઉપલબ્ધ કરી આપવા માટે વિદ્ધકર્ય મુનિરાજશ્રી અજયસાગરજી મ. તથા જ્ઞાનમંદિરના સંચાલકો, કાર્યકરો વગેરે વિશેષ ધન્યવાદને પાત્ર છે !
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
[16]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભાગ-૧
જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ ક્ષતિઓ તરફ ધ્યાન દોરવા વિદ્વાનોને વિનંતી.
પ્રસ્તુત ગ્રંથનો ઉપયોગ કરી જૈન સાહિત્યના વિપુલ વૈભવને જાણીએ, માણીએ, પીછાણીએ, અવગાહીએ એ જ આશા સાથે.
આ. શ્રી ૐકારસૂરિ આરાધના ભવન જસવંતપુરા, જિ. જાલોર રાજસ્થાન
મા. સુ. ૬, વિ. સંવત ૨૦૬૦ (આ. વિજયભદ્રકરસૂરિ મ.સા. સ્વર્ગવાસ દિન)
પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજ સા. ના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચન્દ્ર વિ. મ. સા. ના
| વિનેય આ. વિજયમુનિચન્દ્રસૂરિ
25.
045
KESE
365
.
જટલ
28
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્યો, પ્રો. હિરીલાલ રસિકંદોરા કોર્પિડિયો
(૧૮૯૪-૧૯૭૯)
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાપ્ત રિદાસ કાપડિયા
એક પરિચચ
લે. રમણલાલ ચી. શાહ
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (ઈ.સ. ૧૮૯૪-૧૯૭૯) એટલે જૈન સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ વિભૂતિ. જેમણે કૉલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃતઅર્ધમાગધીનો વિષય નહોતો લીધો છતાં કૉલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેઓ પોતે પી.એચ.ડી. થયા નહોતા છતાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા અને ડિ. લિ.ની ડિગ્રી માટે નિર્ણાયક (રેફરી) બન્યા હતા, જેમણે સિત્તેરથી વધુ ગ્રંથો અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા, જેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન કે વિભાગીય પ્રમુખસ્થાન કે ઓરિએન્ટલ કોન્ફરન્સનું પ્રમુખસ્થાન કે પ્રાકૃત-અર્ધમાગધી વિભાગનું પ્રમુખસ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શક્યા હોત, પરંતુ માન-સત્કાર કે એવાં પદો માટે હંમેશાં નિઃસ્પૃહ અને અલિપ્ત રહ્યા હતા, તથા એ માટે ક્યારેય આયાસ કર્યો નહોતો કે આકાંક્ષા સેવી નહોતી, એવા પ્રો. હીરાલાલભાઈએ પોતાનું સમગ્ર જીવન સતત આર્થિક સંઘર્ષોની વચ્ચે વિદ્યાવ્યાસંગને માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું હતું. માત્ર જૈન સાહિત્ય જ નહિ, ઈતર સાહિત્યનો અને સાહિત્યેતર વિષયોનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એમની પ્રતિભા એવી બહુમુખી હતી કે કોઈપણ વિષયમાં એમને અચૂક રસ પડે જ અને એવા વિષય પર પોતે ઉચ્ચસ્તરીય લેખ લખી શકે. એમનું સાહિત્ય વાંચતાં આશ્ચર્ય થાય કે અહો, એમણે કેટલા બધા વિષયોનું કેટલું બધું વાંચ્યું છે ! પાને પાને એમણે સંદર્ભો આપ્યા જ હોય. આટલું બધું એમણે ક્યારે વાંચ્યું હશે ? એવો પ્રશ્ન થાય. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો જાણે માહિતીનો સ્રોત વહેવા લાગે. એમાં પણ એમની ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે આપણે એ માટે એમના ઉપર સંપૂર્ણપણે આધાર રાખી શકીએ.
- હીરાલાલભાઈનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૯૪ના રોજ (વિ.સં. ૧૯૫૦ના અષાઢ વદ અગિયારસના દિવસે) સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ સુરતમાં ત્યારે નાણાવટમાં રહેતા હતા.
રસિકદાસને પાંચ સંતાનો હતાં, ત્રણ દીકરા અને બે દીકરી. એમાં સૌથી મોટા તે હીરાલાલ. બીજા બે દીકરા તે મણિલાલ અને ખુશમનભાઈ. બે દીકરીઓ તે નયનસુખ અને શાન્તાબહેન. રસિકદાસના પાંચ સંતાનો બહુ તેજસ્વી હતાં.
સદ્ભાગ્યે હીરાલાલભાઈની જન્મકુંડળી એમનાં સ્વજનો પાસેથી મળી છે. ભવિષ્યમાં કોઈને આ કુંડળીના આધારે એમના જીવનનો અભ્યાસ કરવો હોય તો તે ઉપયોગી થઈ શકે એ આશયથી એક દસ્તાવેજી માહિતી તરીકે આ કુંડળી અહીં આપી છે. હીરાલાલભાઈનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો.
૨ (ભા-૧)
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
[18]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧
/
૧૦
X
સૂ. બુ. /
(આ ગ્રહોના અંશ આ પ્રમાણે છે : સૂર્ય-૧૨, ચંદ્ર-૧૩, મંગળ-૨૦, બુધ-૧, ગુરુ-૨, શુક્ર-૯ શનિ-૨૬, રાહુ-૧૧)
રસિકદાસના પિતા તે વરજદાસ અને એમના પિતા તે દુલ્લભદાસ. એમની પેઢીનાં નામ આ પ્રમાણે મળે છે : રસિકદાસ–વરજદાસદુલ્લભદાસ-હરકિશનદાસ–ગુલાબચંદ–ઝવેરશાકસ્તુરશા-લખમીશા.
રસિકદાસના વડવાઓ ઈસ્વીસનની
અઢારમી સદીમાં ભાવનગરથી સૂરત વેપારાર્થે ૧૧ X
આવીને વસેલા. આ વડવાઓના પણ વડવાઓ ( ૧ ૨ મં. રા.
મૂળ ઉત્તર ગુજરાતમાં પાટણના વતની હતા. તેઓ
વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ સ્થળાંતર કરતા કરતા કાઠિયાવાડમાં આવેલા. ત્યાંથી કેટલાક સૂરત આવીને વસેલા. એમની જ્ઞાતિ દશા દિશાવળ હતી. આ જ્ઞાતિના કેટલાક સભ્યો જૈન ધર્મ પાળતા અને કેટલાક વૈષ્ણવ ધર્મ. તેઓ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર રહેતો. એમની જ્ઞાતિ પાટણ, ભાવનગર, સૂરત, મુંબઈ વગેરે શહેરો અને આસપાસનાં ગામોમાં પથરાયેલી રહી છે. દુલ્લભદાસે વેપારાર્થે સૂરતમાં આવીને નાણાવટમાં વસવાટ ચાલુ કરેલો.
દુલ્લભદાસના પુત્ર વરજદાસના જીવનમાં એક ઘટના એવી બની કે જેથી તેઓ વૈષ્ણવ મટીને જૈન બની ગયા હતા. એક વખત સૂરતના પોતાના ઘરના વાડામાં ખોદકામ કરતાં ધાતુની એક નાની જિનપ્રતિમા નીકળી. પોતે વૈષ્ણવ હતા એટલે આ પ્રતિમાનું શું કરવું તે વિશે વિચાર કરતાં છેવટે એવો નિર્ણય લીધો કે પ્રતિમાને તાપી નદીમાં પધરાવી દેવી. તેઓ પ્રતિમા લઈને નદીએ ગયા. નદીના સહેજ ઊંડા પાણીમાં જઈને પ્રતિમા જાતે પધરાવવી જોઈએ એટલે કિનારે એક જોડ કપડાં મુકી તેઓ નદીમાં ઊતર્યા. કમર સુધીના પાણીમાં જઈને તેમણે પ્રાર્થના કરીને પ્રતિમા પધરાવી. ત્યાર પછી તેઓ પાછા ફરતા હતા ત્યારે લાગ્યું કે પોતાના ધોતિયામાં કોઈ પથરો ભરાઈ ગયો છે. એમણે એ હાથમાં લઈને જોયું તો પેલી પ્રતિમા જ હતી. પ્રતિમા પોતે એવી ચીવટપૂર્વક પાણીમાં પધરાવી હતી કે ધોતિયામાં ભરાઈ જાય એવી કોઈ શક્યતા નહોતી. એટલે એમને આ ઘટનાથી આશ્ચર્ય થયું. પ્રતિમા હાથમાં લઈ ફરી તેઓ ઊંડા પાણીમાં ગયા અને પ્રતિમા ચોક્કસાઈપૂર્વક આઘે પધરાવી. પછી પાણીમાં પાછા ફરતા હતા ત્યાં ફરીથી એમને લાગ્યું કે ધોતિયાનો છેડો ખેંચાય છે. પ્રતિમા પાછી તો નહિ આવી હોય ને ? પાણીમાં હાથ નાખીને વસ્તુ બહાર કાઢી તો એમના આશ્ચર્ય વચ્ચે એ જ પ્રતિમા જોવા મળી. બે વખત આવું બન્યું એથી વરજદાસ એકદમ વિચારે ચઢી ગયા. હવે પ્રતિમા પધરાવવી કે નહિ તેની વિમાસણ થઈ. છેવટે એમ નિર્ણય કર્યો કે કોઈની સલાહ લઈને પછી પ્રતિમા પધરાવવી. ઘરે આવીને એમણે બધાંને વાત કરી. બધાનો એવો મત પડ્યો કે કોઈક જૈન સાધુ મહારાજને પૂછીને પછી એ કહે તેમ કરવું કે જેથી મનમાં વહેમ ન રહી જાય. બીજે દિવસે વરદાસ પ્રતિમા લઈને પાસેના ઉપાશ્રયમાં એક જૈન સાધુ ભગવંત પાસે ગયા. વિગત જાણીને સાધુ મહારાજે કહ્યું કે “એવું અનુમાન થાય છે કે તમારા મકાનના આગળના કોઈક માલિકોમાંથી કોઈકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઈક આપત્તિના પ્રસંગમાં પ્રતિમાને જમીનમાં
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
[19]
૧૯
ભંડારી દીધી હશે. આ અખંડિત પ્રતિમા નમિનાથ ભગવાનની છે. તમારા હાથે જમીનમાંથી બહાર આવી છે અને તમે એને નદીમાં બે વખત પધરાવવા છતાં એ તમારી પાછળ આશ્ચર્યકારક રીતે આવી છે એટલે એમાં કોઈ સંકેત લાગે છે. પ્રતિમાને તમારું ઘર છોડવું નથી.' ઘણું મંથન કર્યા પછી વરજદારો નિર્ણય કર્યો કે પોતાના મકાનમાં ઘરદેરાસર (ગૃહચૈત્ય) કરાવવું અને ત્યાં જિનપ્રતિમાની વિધિસર પ્રતિષ્ઠા કરાવવી. એ પ્રમાણે નિર્ણય કરીને એમણે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમના કુટુંબે જૈન ધર્મ અંગીકાર કર્યો. આ ઘટના પછી જેમ જેમ ચડતી થતી ગઈ તેમ તેમ ઉત્તરોત્તર જૈન ધર્મમાં એમની શ્રદ્ધા દઢ થતી ગઈ. એમના પુત્ર રસિકદાસને તો આ જૈન ધર્મ જન્મથી જ વારસામાં મળ્યો હતો.
રસિકદાસનું કુટુંબ સંસ્કારી અને ધર્મપરાયણ હતું. સૂરતમાં એમનો કાપડનો વેપાર હતો. નાણાવટમાં એમની કાપડની દુકાન હતી. કાપડના એમના વેપારને કારણે એમની અટક કાપડિયા થઈ ગઈ. એની પહેલાં એમની અટક શી હતી તે જાણવા મળતું નથી. પરંતુ “શાહ', “મહેતા” અથવા “પટણી અટક હોવાનો સંભવ છે એમ એમનાં કુટુંબીજનો કહે છે. અંગ્રેજોના આગમન પૂર્વે લોકોમાં અટકનું બહુ મહત્ત્વ નહોતું.
રસિકદાસની આર્થિક સ્થિતિ મધ્યમ કક્ષાની થઈ ગઈ હતી. એમનો કાપડનો વેપાર જેમતેમ ચાલતો હતો. આથી જ એમણે પોતાના ત્રણે તેજસ્વી દીકરાઓને પોતાના કાપડના વ્યવસાયમાં ન જોડતાં, મુંબઈ મોકલીને કોલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ અપાવીને ત્યાંના શિક્ષણક્ષેત્રમાં મોકલ્યા હતા. એમની બન્ને દીકરીઓ મેટ્રિક સુધી ભણી હતી, જે એ જમાનામાં અસાધારણ ઘટના ગણાતી.
હીરાલાલભાઈ ભણવામાં એટલા તેજસ્વી હતા કે મિડલસ્કૂલમાં અને હાઈસ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. એમણે ૧૯૧૦માં વર્નાક્યુલર ફાઈનલ અને મેટ્રિક્યુલેશનની એમ બંને પરીક્ષા સાથે આપી હતી. અને બંનેમાં સારા માર્કસ સાથે તેઓ ઉત્તીર્ણ થયા હતા. હીરાલાલભાઈ ૧૯૧૦માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યારે કૉલેજનો ચાર વર્ષનો અભ્યાસક્રમ હતો : પ્રિવિયસ, ઈન્ટર, જુનિયર અને સિનિયરનો
ઈન્ટર આર્ટસની પરીક્ષામાં સારા માર્ક્સ મળતાં હીરાલાલભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને “કામા પ્રાઈઝ મળ્યું હતું. આ પ્રાઈઝને લીધે જ તેઓ ગણિત જેવો અત્યંત કઠિન વિષય બી.એ.માં પણ લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગણિતના વિષય સાથે પરીક્ષામાં બેઠા અને બી.એ. ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પણ ઘણા સારા માર્ક્સ સાથે તેઓ પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.માં પણ તેમણે એ જ વિષય રાખ્યો હતો. ત્યારે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયારી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યા.
૧૯૧૮માં ગણિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગણાતો કે બી. એ. માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીવાર
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ-૧
તો કોઈ વિદ્યાર્થી પાસ ન થઈ શકે. હીરાલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ફક્ત તેઓ એકલા જ હતા.
૨૦ [20]
હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઇ.સ. ૧૯૧૩માં (વિ. સં. ૧૯૬૯)માં વૈશાખ વદ તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઈન્દિરાબહેન સાથે થયાં હતાં. ઈન્દિરબહેનની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. એમનો જન્મ ભાવનગરમાં ઈ. સ. ૧૮૯૮ (વિ. સં. ૧૯૫૪માં) માહ સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું.
ઈન્દિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહેબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગૌરીની છત્રછાયામાં થયો હતો.
ઈન્દિરાબહેન ભણવામાં તેજસ્વી હતાં. શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો ‘મા-બાપની છોકરાઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની મા-બાપ પ્રત્યેની ફરજ' આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વશ્રેષ્ઠ ગણાયો હતો અને એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા. પછી ઈન્દિરાબહેને ઘરે રહીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણે ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ‘પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન' એ વિષય પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું.
૧૯૧૮માં એમ. એ. થયા પછી હીરલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂંક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એડ.)ની ડિગ્રી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઈન્ટરવ્યૂ પણ એવો સારો ગયો હતો કે કૉલેજ યુનિવસર્ટિની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગણિતના પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂંક કરી હતી.
કૉલેજમાં નોકરી મળતાં તેઓ ઈન્દિરાબહેન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને રોજ વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બુટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેરણ અને ધોતિયું પહેરતા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા એટલે કૉલેજમાં જતાં પહેલાં રોજ સવારે નાહીને પાસે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ કે ગોડીજી પાર્શ્વનાથના દેરાસરે પૂજા કરવા જતા. સવારના શાક વગેરે લાવવાનું કામ પણ જાતે કરતા. વિલસન કૉલેજમાં ભણાવ્યા પછી એમણે ધોબીતળાવ પર આવેલી સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું અને ત્યાર પછી બે વર્ષ એ જ વિસ્તારમાં
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
બાજુમાં આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. આમ ૧૯૧૮થી ૧૯૨૪ સુધી હીરાલાલભાઈ ગણિતના વિષયના પ્રાધ્યાપક રહ્યા હતા.
ગણિતના વિષયમાંથી પ્રાકૃતના વિષય તરફ હીરલાલભાઈ કેવી રીતે વળ્યા એ પણ એક રસિક ઘટના છે. તેઓ ગણિતનો વિષય કૉલેજમાં ભણાવતા હતા તે દરમિયાન કુટુંબના ધર્મસંસ્કાર તથા સાધુભગવંતો સાથેના પરિચયથી એમને જાણવા મળ્યું હતું કે જૈન શાસ્ત્રગ્રંથોમાં ગણિતાનુયોગ નામનો વિભાગ છે. આથી એ વિષયમાં પ્રવેશવાની એમને સહજ રુચિ થઇ. પરંતુ એ બધું સાહિત્ય તો અર્ધમાગધી ભાષામાં હતું. આથી એમણે સ્વબળે અર્ધમાગધી પણ શીખવા માંડ્યું. દરમિયાન એમને એવો વિચાર પણ આવ્યો કે જૈન ગણિતાનુયોગની કેટલીક વાતો જો અંગ્રેજીમાં મૂકવામાં આવે તો ઘણા લોકો સુધી, ખાસ તો એ વિષયના વિદ્વાનો સુધી પહોંચે. આથી એમણે ‘Jain Mathematics' એ વિષય પર સંશોધન લેખ તૈયાર કરવા માટે મુંબઈ યુનિવર્સિટીને અરજી કરી. તે મંજૂર થઈ અને એમને રિસર્ચ ગ્રાન્ટ મળી. આથી તેઓ એ વિષયમાં પૂરા મનથી લાગી ગયા અને થોડા વખતમાં જ પ્રાકૃત ભાષાના રસિયા બની ગયા.
[21] ૨૧
હીરલાલભાઈ કૉલેજમાં ગણિતનો વિષય ભણાવતા હતા, પરંતુ બી.એ. અને એમ.એ.માં એ વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી હોવાનો કારણે પ્રાધ્યાપક તરીકેની નોકરીની અનિશ્ચિતતા રહેતી. વિલસન કૉલેજના યુરોપિયન પ્રિન્સિપાલ પોતે ગણિતના વિષયના પ્રાધ્યાપક હતા. એટલે એમને હીરાલાલભાઈ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓ હીરાલાલભાઈને નભાવતા. પરંતુ પછી એ નોકરી છોડવાનો વખત આવ્યો. અલબત્ત ત્યાર પછી એમને તરત બીજે નોકરી મળી ગઈ. પણ મનમાં ખાતરી થઈ ગઈ કે આગળ જતાં મુશ્કેલી આવશે. આથી એમણે પોતાનું ધ્યાન પ્રાકૃત ભાષા તરફ વાળ્યું. એવામાં પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની જાહેરાત આવી. તેઓને સરકાર તરફથી મળેલી જૈન ધર્મની, અર્ધમાગધીમાં લખાયેલી હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાવવું હતું. એ માટે હીરાલાલભાઈએ અરજી કરી અને બી.એ. તથા એમ. એ. માં એમનો અર્ધમાગધી વિષય ન હોવા છતાં એમની એ વિષયની સજ્જતા જોઈને હસ્તપ્રતોના કામ માટે સંસ્થાએ એમની નિમણૂક કરી હતી.
ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં ૧૯૩૦ થી ૧૯૩૬ના ગાળા સુધીમાં થોડો થોડો વખત મુંબઈથી પૂના જઈને અને ત્યાં રહીને એમણે હસ્તપ્રતોનું કામ કરવા માંડ્યું હતું. એ રીતે તેઓ બધું મળીને સાડા ત્રણ વર્ષ પૂનામાં રહ્યા હતા. ત્યાં એમણે એ સંસ્થાની જૈન ધર્મની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલી આશરે સાડાત્રણ હજાર હસ્તપ્રતોનું સૂચીપત્ર (Descriptive Catalogue) તૈયાર કરી આપ્યું, જે એ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું છે. આ રીતે સાડા ત્રણ હજાર હસ્તપ્રતોનાં પાનેપાનાં એમના હાથમાં ફરી ગયાં. હસ્તપ્રતોની લિપિ વાંચવાનું કામ ઘણું શ્રમભરેલું છે. આ કામ કરવાથી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની એમની સજ્જતા વધતી ગઈ. એમનું શબ્દજ્ઞાન પણ વધતું ગયું. પ્રાકૃત ભાષાનો એમણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. એ વિષયમાં એમણે કોઈ ડિગ્રી પણ મેળવી નહોતી. એમ છતાં કુટુંબના સંસ્કાર, દૃઢ મનોબળ, ખંત, ઉત્સાહ સૂઝ ને અભ્યાસથી એમણે પ્રાકૃત-અર્ધમાગધી ભાષા પર, અસાધારણ પ્રભુત્વ મેળવી લીધું હતું. એમાં પૂનાના હસ્તપ્રતોના કામે ઘણી સહાય કરી. પ્રાકૃત ભાષા માટે એમની પ્રીતિ એટલી બધી વધી ગઈ કે એને માટે સંસ્કૃત શબ્દ ‘પ્રાકૃત’ બોલવાને બદલે ‘પાઈય’ શબ્દ બોલવો અને લખવો એમને વધુ ગમતો. પાઈયમાં બોલવું
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૨
[22]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧
કે લખવું એ એમને મન રમત વાત થઈ ગઈ. એમણે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખ્યું અને એનો શબ્દકોશ પણ તૈયાર કરીને છપાવ્યો. આ રીતે ગણિત ઉપરાંત વ્યાકરણ અને શબ્દકોશ પણ એમના રસના વિષયો બની ગયા. આગળ જતાં એમણે “પાઈપ (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય' એ નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણે પ્રાકૃત ભાષાનું સ્વરૂપ, એના પ્રકારો અને એમાં લખાયેલા સાહિત્યનો સવિગત પરિચય આશરે અઢીસો પેટાશીર્ષક હેઠળ આપ્યો છે.
હીરાલાલભાઈ અને ઈન્દિરાબહેનનું દામ્પત્યજીવન કેટલું મધુર હતું. તેની પ્રતીતિ તો STRIELLELGULESZA Bharti vino 42045 'The student's English Paiya Dictionary'ril 24491 પત્રિકા વાંચતાં થાય છે. આ પુસ્તક એમણે ઈન્દિરાબહેનને અર્પણ કર્યું છે અને એની અર્પણપત્રિકા પ્રાકૃત ભાષામાં લખી છે, જે નીચે પ્રમાણે છે :
पणामपत्तिमा-जीए मज्झ नाणाराहणम्मि सययमणेगहा सुगमत्तणं कडं तीए मे धम्मपदिणीए इन्दिराए पणमिज्झइ साणन्दं इमो विज्जत्थिणो अङ्गिल-पाइय सद्दकोसो हीरालालेण सिरि रसिकदास तणएण वीरसंवच्छरे २४६७ मे नाण पञ्चमीए इन्दुवासरे (४-११-४०)
રસિકદાસના ત્રણે દીકરાઓ મુંબઈ રહેવા ગયા હતા. બીજી બાજુ સૂરતમાં એમની તબિયત સારી રહેતી નહોતી અને દુકાન પણ બરાબર ચાલતી નહોતી. આથી તેઓ પત્ની સાથે મુંબઈમાં હીરાલાલભાઈ સાથે રહેવા આવી ગયા.
આ બાજુ પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું કાર્ય પૂરું થઈ જતાં અને આવક બંધ થતાં હીરાલાલભાઈ માટે ફરી પાછો કુટુંબના નિર્વાહનો સવાલ ગંભીર બની ગયો હતો. તેમાં માતાપિતા સૂરતથી રહેવા આવેલાં. બંને નાના ભાઈઓ અને બંને બહેનોનાં લગ્નના ખર્ચ થોડે થોડે વખતે આવેલા. બીજા વ્યવહારો કરવાના આવતા. પોતાના સંતાનોને ભણાવવાનો ખર્ચ હતો. કમાણી કંઈ જ નહિ અને ખર્ચ તો વધતા જ જતા હતા. માથે દેવું થતું જતું હતું. આવી તંગ પરિસ્થિતિમાં કામકાજ વગરના હીરાલાલભાઈ વારંવાર નિરાશ થઈ જતા. એમ કરતાં કરતાં તનાવ અને તીવ્ર હતાશાને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડવા લાગ્યા. તેમને નર્વસ બ્રેકડાઉન જેવું થઈ ગયું હતું. આવી માનસિક દશામાં એમના વિષમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ આપઘાત કરવાનો વિચાર એમના મનમાં આવી ગયો. તેઓ મકાનના કઠેડા ઉપર ચઢી પડતું મૂકવા જતા હતા ત્યાં એમનું સતત ધ્યાન રાખનાર એમનાં પત્ની ઈન્દિરાબહેને તરત પાસે દોડી જઈ એમનું પહેરણ ખેંચીને નીચે ઉતાર્યા અને ઘરમાં લઈ આવ્યાં. ત્યાર પછી તેઓ સતત હીરાલાલભાઈની સંભાળ રાખવા લાગ્યાં અને સાંત્વન આપવા લાગ્યા. આ માનસિક માંદગી બે વર્ષ ચાલી એની અસર હીરાલાલભાઈના શરીર ઉપરાંત એમની બુદ્ધિશક્તિ અને સ્મરણશક્તિ ઉપર થઈ. કુટુંબીજનોએ એક કુશળ વૈદ્યના ઉપચાર ચાલુ કર્યા. વૈદ્ય એક ઔષધિ દૂધમાં પલાળીને રોજ સવારના ખાવા માટે આપી હતી. એમ કરતાં ધીરે ધીરે એમની માનસિક સ્વસ્થતા વધતી ગઈ અને સ્મરણશક્તિ પણ પાછી આવવા લાગી. બે વર્ષને અંતે તેઓ પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. મૃતિશક્તિ બરાબર સારી થઈ ગઈ. ત્યાર પછી તેઓ પોતાનું લેખનકાર્ય પહેલાંની જેમ જ વ્યવસ્થિત રીતે કરવા લાગ્યા હતા.
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
હીરાલાલભાઈનાં ચારે સંતાનો ભણવામાં તેજસ્વી હતાં. એમને ભણાવવાનો ખર્ચ વધતો જતો હતો, પરંતુ પોતાને કોઈ નોકરી મળતી નહોતી. સંશોધનકાર્ય માટે યુનિવર્સિટી તરફથી મુકરર રહેલી સહાય મળતી. પણ એવી નજીવી ૨કમમાંથી કુટુંબનું ભરણપોષણ ક્યાંથી થાય ? એવામાં એક સગાની ભલામણથી સૂરતના એક મહિલા વિદ્યાલયમાં એમને એક શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ એટલે તેઓ સપરિવાર સૂરત આવીને રહ્યા. સૂરતમાં સમય મળતો હોવાથી એમની તથા ઈન્દિરાબહેનની લેખનપ્રવૃત્તિ ફરીથી ચાલુ થઈ.
ઈન્દિરાબહેનમાં લેખનશક્તિ તો હતી, પણ લગ્ન પછી સંયુક્ત કુટુંબનું જીવન, સૂરત, મુંબઈ, પૂના એમ જુદે જુદે સ્થળે ઘર વસાવવું, ઘરકામ કરવું, સંતાનોને ઉછેરવાં અને પતિ હીરાલાલભાઈની સારસંભાળ રાખવી તથા એમનાં લખાણોની નકલ કરી આપવી, ગ્રંથોમાંથી સંદર્ભો કાઢી આપવા વગેરેમાં એમનો સમય વપરાઈ જતો. આથી તેઓ ખાસ કશું લખી શકેલાં નહિ, પરંતુ સૂરત આવવાનું થયું ત્યાર પછી એમને કેટલોક સમય મળવા લાગ્યો. એ વખતે એમણે ‘પ્રાચીન અને અર્વાચીન સમયની સ્ત્રીઓનો પહેરવેશ' એ વિષય ઉપર એક સચિત્ર પુસ્તક તૈયાર કર્યું જે ૧૯૩૯માં પ્રકાશિત થયું છે. આ પુસ્તક
વાંચતાં પ્રતીતિ થાય છે કે આટલા એક નાના વિષયનો કેટલો બધો ઊંડો અભ્યાસ એમણે કર્યો છે ! એમાં કેટલી બધી પારિભાષિક માહિતી એમણે આપી છે, જેમાંની કેટલીક તો હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. કોઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના શોધપ્રબંધ જેટલી યોગ્યતા આ ગ્રંથ ધરાવે છે. આ ગ્રંથ પછી એમની લેખનપ્રવૃત્તિ ફરી શાન્ત થઈ ગઈ, કારણ કે એમણે બધો સમય હીરાલાલભાઈના લેખનકાર્યમાં સહાયરૂપ થવામાં જ સમર્પિત કર્યો હતો.
[23] ૨૩
મહિલા વિદ્યાલયની નોકરી અને લેખનકાર્ય ચાલતાં હતા તે દરમિયાન એમ.ટી.બી. કૉલેજના પ્રાધ્યાપક અને આચાર્ય શ્રી એન. એમ. શાહે હીરાલાલભાઈમાં અંગત રસ લીધો. પ્રાકૃત ભાષામાં હીરાલાલભાઈએ જે સંગીન કાર્ય કર્યું તેને પરિણામે એમને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં આચાર્ય શ્રી એન. એમ. શાહે પ્રાકૃત-અર્ધમાગધી વિષયમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક અપાવી. હીરાલાલભાઈએ બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો નહોતો અને યુનિવર્સિટીના નિયમ મુજબ તો જેમણે બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો હોય તે જ કૉલેજમાં એ વિષય ભણાવી શકે. પરંતુ હીરાલાલભાઈએ પ્રાકૃત ભાષાના વિષયમાં જે સંશોધન લેખો લખ્યા હતા અને પૂનામાં એ વિષયમાં જે સંગીન કાર્ય કર્યું હતું તે જોતાં, એમની સજ્જતા અને યોગ્યતાની પ્રતીતિ થતાં મુંબઈ યુનિવર્સિટીએ એ વિષયમાં એમની પ્રાધ્યાપક તરીકે નિમણૂંક કરવાની અપવાદરૂપે છૂટ એમ.ટી.બી. કૉલેજને આપી હતી. આ ઘટના પણ એ વાતની ખાતરી કરાવે છે કે તેઓ જે વિષયનો અભ્યાસ કરતા તેમાં ઘણાં ઊંડા ઊતરતા અને તેમાં લેખનઅધ્યયન કરવાની તથા અધ્યાપન કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરતા.
હીરાલાલભાઈએ પહેલાં મુંબઈમાં ગણિતના વિષયના અને પછીનાં વર્ષોમાં સૂરતમાં એમ.ટી.બી. કૉલેજમાં પ્રાકૃત-અર્ધમાગધીના વિષયના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ પ્રાકૃત ભાષાનો વિષય લેનારા વિદ્યાર્થીઓ પણ હંમેશા ઘણાં જ ઓછાં રહ્યાં છે. આથી ઈતર વિષયોના પ્રાધ્યાપકોને જેટલું કામ રહે તેટલું ગણિત કે પ્રાકૃતના પ્રાધ્યાપકોને ન રહે. એટલે હીરાલાલભાઈને પહેલેથી જ લેખન-વાંચન માટે ઘણો અવકાશ રહ્યો અને એમની રુચિ પણ એ પ્રમાણે ઘડાતી રહી હતી. તેઓ ગ્રંથો વસાવતા કે જેથી જ્યારે
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪
[24]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ-૧
જે ગ્રંથ જોવો હોય તે તરત ઘરમાં હાજર હોય. એમનો ગ્રંથસંગ્રહ વિશાળ હતો. તેઓ સવારે સાડાનવથી દસ વાગ્યા સુધીમાં જમી લેતા અને પછી વાંચવા-લખવા બેસી જતા. એક સાથે ઘણાં પુસ્તકોનાં સંદર્ભ જોવાના હોય એટલે તેઓ પલંગમાં ઈસ્કોતરો રાખી તેના પર લખતા અને પોતાની આજુબાજુ જરૂરી પુસ્તકો રહેતાં લેખના વિષય પ્રમાણે પુસ્તકો બદલાતાં. એમનાં પત્ની અને સંતાનો તેઓ મંગાવે તે પુસ્તક અભરાઈ કે કબાટમાંથી કાઢી લાવતા. હીરાલાલભાઈ સ્ટીલની ટાંકવાળા હોલ્ડરથી, ખડિયામાં તે બોળી બોળીને લખતા. તેઓ બજારમાંથી લાલ, ભૂરી, કાળી શાહીની ટીકડીઓ લાવી હાથે શાહી બનાવીને મોટા ખડિયામાં ભરી લેતા. તેમણે જિંદગીભર હોલ્ડરથી જ લખ્યું છે. ઈન્ડિપેનની શોધ થયા પછી પણ તેમણે હોલ્ડરથી જ લખવાનું ચાલું રાખ્યું હતું. લખતી વખતે તેઓ પાસે ચણા-દાળિયા રાખતા. લખતાં થાક લાગે ત્યારે વચ્ચે તે ખાઈ લેતા. લખવા માટે તેઓ નવા કોરા કાગળ અનિવાર્ય હોય ત્યારે જ વાપરતા. એકંદરે તો ગાંધીજીની કરકસરની ભાવનાથી પ્રભાવિત થયેલા એટલે છાપેલા કાગળોની પાછળની કોરી બાજુમાં પોતાના લેખ લખતા. કેટલીક વાર તેઓ ટપાલમાં આવેલી નિમંત્રણ પત્રિકાઓ ઈત્યાદિના કોરા હાંસિયામાં મુદા ટપકાવી લેતા અને પીન ભરાવીને રાખતા.
એ જમાનામાં અંગ્રેજીમાં લખાયેલા સંશોધનલેખો પ્રકાશિત કરવા માટે માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતમાં ખાસ કોઈ સામાયિકો નહોતાં. બહુધા એવા વિદ્વદ્ભોગ્ય સંશોધન લેખો યુનિવર્સિટીઓનાં જર્નલોમાં છપાતા. યુનિવર્સિટીઓમાં સંશોધન દાન (Research Grant)ની વ્યવસ્થા હતી. ભિન્ન ભિન્ન પ્રકારની શિષ્યવૃત્તિઓ પણ એ માટે અપાતી. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા અને જૈન સાહિત્યના વિષયોમાં અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો લખનાર વિદ્વાનો ત્યારે ગુજરાતમાં જૂજ હતા એટલે એ વિષયમાં હીરાલાલભાઈને મુંબઈ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ કે સંશોધન દાન મળતાં. એ માટે તેઓ વિવિધ વિષયો તૈયાર કરતા. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં તેઓ ભણાવતા હતા તે દરમિયાન તથા એ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે કેટલુંક લેખનકાર્ય મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે કર્યું હતું. હીરાલાલભાઈએ સંશોધનદાનની યોજના હેઠળ ભિન્ન ભિન્ન સમયે નીચે પ્રમાણે અંગ્રેજીમાં સંશોધનગ્રંથો તૈયાર કર્યા હતા, જે યુનિવર્સિટીએ અથવા અન્ય કોઈ સંસ્થાએ પ્રકાશિત કર્યા હતા..
(1) The Jain Mathematics. (2) Outlines of Paleography. (3) The Jain System of Education. (4) The Doctrine of Ahimsa in the Jain Canon. (5) Reconstruction of Ardhamagadhi Grammar. (6) A History of the Canonical Literature of the Jainas.
| મુંબઈ યુનિવર્સિટીએ હીરાલાલભાઈને વખતોવખત સંશોધનદાન આપ્યું હતું. એ દર્શાવે છે કે યુનિવર્સિટીની એ વિષયની સમિતિને એમના સંશોધનકાર્યથી પૂરો સંતોષ થયો હતો. એમનું સંશોધનકાર્ય અભ્યાસનિષ્ઠ, પ્રમાણભૂત, તટસ્થ અને નાની નાની જાણવા જેવી ઘણી બધી વિગતોથી સભર હતું.
- હીરાલાલભાઈએ આ રીતે ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી એમ.ટી.બી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની સજ્જતા એવી હતી કે યુનિવર્સિટીએ પછીથી એમની પીએચ.ડી.ના ગાઈડ તરીકે નિમણૂંક કરી હતી. તદુપરાંત ‘સ્પ્રિન્જર સ્કોલરશીપ'ના રેફરી તરીકે એમની નિમણૂક કરી હતી. જે એ દિવસોમાં ઘણું મોટું માન ગણાતું. યુનિવર્સિટી પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાના વિષયમાં પણ એમ.એ.ની કક્ષાએ પરીક્ષક તરીકે એમની નિમણૂંક કરતી હતી. શિક્ષણ ક્ષેત્રે તેઓ કેવું ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તે આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
[25]
૨૫
હીરાલાલભાઈ ધર્મશ્રદ્ધાવાલા હતા. તેઓ એક મહારાજશ્રીએ બતાવ્યા પ્રમાણે સવારસાંજ ધૂપદીપ સાથે પોણો કલાક અનુષ્ઠાનપૂર્વક મંત્રજાપ કરતા. તેઓ જૈનધર્મ વિશે સારી જાણકારી ધરાવતા હતા એટલે ઘણા બધા આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સૂરતમાં નાણાવટમાં, મુંબઈમાં અને ફરી સૂરતમાં ગોપીપુરામાં સાંકડી શેરીમાં અને પછી કાયસ્થ મહોલ્લામાં રહ્યા હતા. એટલે ત્યાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય ભગવંતો વગેરેને મળવાનું થતું. શેષકાળમાં સૂરતમાંથી પસાર થતાં સાધુ-સાધ્વીઓને પણ વંદન કરવા તેઓ જતા. યુવાનીના દિવસોમાં જૈન ધર્મ વિશેની જાણકારી માટે અથવા પોતે કંઈ લખ્યું હોય તો તે બતાવવા માટે પણ મુંબઈમાં સાધુસાધ્વીઓ પાસે જતા. એમને યુવાન વયે મુંબઈમાં કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી સાથે ગાઢ પરિચય થયો હતો. એમના બે શિષ્યો તે ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી તથા ન્યાયવિશારદ મુનિશ્રી મંગલવિજયજી પાસે હીરાલાલભાઈએ જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી હીરાલાલભાઈ તેઓને પોતાના વિદ્યાગુરુ તરીકે ઓળખાવતા. આ ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજીદાદા, નેમિસૂરિજી મહારાજ, શ્રી આનંદસાગરસૂરિજી (સાગરજી મહારાજ), શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, શ્રી લાવણ્યસૂરિજી મહારાજ, શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ વગેરે સાથે તથા તેઓના શિષ્યો-પ્રશિષ્યો સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. વિજયરામચંદ્રસૂરિજીએ એક વાર એમને કહ્યું હતું કે “તમારા જેવા શાસ્ત્રજ્ઞાતા તો અમારી પાસે પાટ ઉપર શોભે. તમે જો દીક્ષા લેવા તૈયાર થાવ તો તમારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંઘ પાસે હું કરાવી આપું. એ માટે એક લાખ રૂપિયાની રકમ પહેલાં અપાવું.” પરંતુ ચારિત્ર્યમોહનીય કર્મના ઉદયને કારણે હીરાલાલભાઈ દીક્ષા લઈ શક્યા નહોતા.
એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી હીરાલાલભાઈએ પોતાના જીવનનાં ઘણાં વર્ષ સુરતમાં રહીને સ્વાધ્યાય, સંશોધન, લેખન ઈત્યાદિ પ્રકારના વિદ્યાવ્યાસંગમાં પસાર કર્યા હતાં. નોકરી છોડ્યા પછી આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. લેખનમાંથી ખાસ કોઈ આવક થતી નહિ. લેખોનો પુરસ્કાર આપવાની પ્રથા ત્યારે નહિવત્ હતી. તેમાં વળી આવા સંશોધન લેખો માટે પુરસ્કારની અપેક્ષા રાખવી જ વ્યર્થ હતી. એ લેખો ક્યાંક છપાય એ જ એનું ઈનામ હતું. આથી હીરાલાલભાઈ પોતાની નહિ જેવી બચતમાંથી પોતાનો જીવનવ્યવહાર ચલાવતા. નવા નવા ગ્રંથો ખરીદીને વસાવવાનો યુગ હવે પૂરો થયો હતો. પોતાની પાસેના હવે બિનજરૂરી થયેલા ગ્રંથો પુસ્તકવિક્રેતાઓને આપીને બદલામાં નવા ગ્રંથો લેવાનું ચાલું થયું હતું. હીરાલાલભાઈનું જીવન એકદમ સાદું અને સંયમી હતું. એમાં એમના પત્ની ઈન્દિરાબહેનનો ઉષ્માભર્યો સહકાર રહેતો. હીરાલાલભાઈ કહેતા કે “હું લક્ષ્મી (ઇન્દિરાનો એક અર્થ લક્ષ્મી) પતિ હોવા છતાં મારે અને લક્ષ્મીને કાયમ બારમો ચંદ્રમા રહ્યો છે.” હીરાલાલભાઈ હાથે ધોયેલાં સૂતરાઉ ખાદીનાં સફેદ પહેરણ, ધોતિયું અને ટોપી પહેરતા. એમનો જીવનવ્યવહાર સંતોષપૂર્વક ચાલતો. આવી નબળી આર્થિક સ્થિતિમાં પણ એમણે ધન માટે ક્યાંય લોલુપતા કે લાચારી બતાવી નથી. એમનાં દીકરા-દીકરી સૂરત બહાર નોકરીએ લાગી ગયાં હતાં. એટલે એમની જવાબદારી કે ચિંતા પોતાને માથે રહી નહોતી. આવા દિવસોમાં પણ હીરાલાલભાઇની વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ યથાવત્ રહી હતી. સૂરતમાં એમને ઘેર જ્યારે જ્યારે હું ગયો છું ત્યારે આ મેં નજરે નિહાળ્યું છે. જે દિવસે કોઈ લેખ તૈયાર થઈ જાય તે દિવસે આનંદ આનંદ. રોજ સવારથી તેઓ લેખનકાર્યમાં લાગી ગયા હોય. બપોરના ભોજન પછી પણ એ ચાલુ
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૬
[26].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧
હોય. સાંજના ચાર વાગ્યા પછી રોજ નિયમિત તેઓ નજીકના કોઈક ઉપાશ્રયે જઈને કોઈક સાધુભગવંત સાથે જ્ઞાનગોષ્ઠી કરતા અથવા કોઈ ગ્રંથાલયમાં જઈ ગ્રંથો વાંચતા. આ રીતે એમનો દિવસ પૂરો થતો. તેઓ રાતના વહેલા સૂઈ જતા. ઉજાગરો ભાગ્યે જ કરતા. નાટક-સિનેમા જોતા નહિ અને સગાસંબંધીઓને ત્યાં અનિવાર્ય હોય તો જ જતા.
હીરાલાલભાઈને વિદ્યાવ્યાસંગની એટલી બધી ધૂન હતી કે કેટલીક વાર તો તેઓ એમાં જ ખોવાયેલા રહેતા. ગણિતના વિદ્યાર્થી અને અધ્યાપકને જ્યાં સુધી કોઈ દાખલાનો જવાબ ન જડે ત્યાં સુધી એ દાખલો એમના મનમાં રમ્યા જ કરતો હોય તેવું હીરાલાલભાઈના જીવનમાં પહેલાં ગણિતમાં અને પછી સાહિત્ય સંશોધનના વિષયમાં પણ બનતું. તેઓ ખાતા હોય ત્યારે ખબર ન હોય કે ભાણામાં શું પીરસાયું છે. એમને ન્હાવું હોય તો ઇન્દિરાબહેન બાથરૂમમાં પાણી, સાબુ, ટુવાલ, કપડાં વગેરેની બધી તૈયારી કરી આપે ત્યારે હીરાલાલભાઈ સ્નાન કરે. આ રીતે પોતાના ધૂની લેખક પતિની ઘણી જવાબદારી ઇન્દિરાબહેને સ્વેચ્છાપૂર્વક હોંશથી ઉપાડી લીધી હતી. લેખનકાર્યમાં પણ ઇન્દિરાબહેને પુસ્તકો ગોઠવવાં, લેખોની ફાઈલો રાખવી વગેરે ઘણી મદદ જીવનભર હીરાલાલભાઈને કરી હતી અને ઓછી આવક થઈ ગઈ ત્યારે પણ ઘર સારી રીતે સંભાળી લીધું હતું. એમણે એક ભારતીય સન્નારીનો આદર્શ પૂરો પાડ્યો હતો.
નિવૃત્તિનાં વર્ષોમાં આર્થિક સંજોગોને કારણે હીરાલાલભાઈમાં કેટલીક વ્યાવહારિક સ્પષ્ટતા આવી ગઈ હતી. એક વખત હું મારા એક પત્રકાર મિત્ર સાથે સૂરતમાં એમને ઘરે મળવા ગયો હતો. મેં મારા પત્રકાર મિત્રનો પરિચય કરાવ્યો. પછી પત્રકાર મિત્રે પોતાના સામયિકની એક નકલ એમને આપી. નકલ જોઈ લીધા પછી એમણે એ પત્રકાર મિત્રને પાછી આપી. પત્રકારે કહ્યું, આપ રાખો, આપને માટે એ ભેટ નકલ છે. હીરાલાલભાઈએ કહ્યું, “ભેટનકલ પણ હું રાખતો નથી. મને એવા અનુભવો થયા છે કે ચાર છ મહિના સામયિક ભેટ તરીકે મોકલ્યા પછી પત્રકારો તરફથી લવાજમ ભરવા માટેના ઉપરાઉપરી કાગળો આવતા હોય છે. ક્યારેક તો કડવો ઠપકો પણ આપતા હોય છે. એટલે મેં નક્કી કર્યું છે કે કોઈ સામિયકની ભેટ નકલ પણ ન લેવી ટપાલમાં આવતાં સામિયકો હું ટપાલીને પાછાં આપી દઉં છું. તંત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાનું મને ન પરવડે. એટલે તમારું સામિયક પાછું આપ્યું છે તેથી માઠું ન લગાડશો. એક વખત એવો હતો કે સામયિક ભેટ આવે તો પણ હું એનું લવાજમ ભરતો. હવે એ વખત ગયો છે.”
હીરાલાલભાઈના જ્યેષ્ઠ પુત્ર, ડૉ. બિપિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થયા પછી, “ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી એમણે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જર્મન ભાષાના પણ જાણકાર ડૉ. બિપિનચંદ્ર જૈન ધર્મના વિવિધ વિષયો પર લેખો લખ્યા છે, જે “જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન'ના નામથી ગ્રંથસ્થ થયેલા છે.
હીરાલાલભાઈના સુપુત્રી મનોરમાબહેને એમ.એ. અને બી.ટી. સુધીનો અભ્યાસ કર્યા પછી, સૂરત તથા મુંબઈમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેઓ અપરિણીત રહ્યાં હતાં. એમણે આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિ (સાગરજી મહારાજ)નું જીવનચરિત્ર લખ્યું હતું તથા કેટલાંક ગ્રંથાવલોકન લખ્યાં હતાં.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
[27]
૨૭
હીરાલાલભાઈના બીજા પુત્ર ડૉ. વિબોધચંદ્રની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં, સૂરત કેન્દ્રમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી તેમણે પારિતોષિક મેળવ્યું હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીના વિષયમાં સંશોધન કરીને શોધપ્રબંધ લખીને એમ.એસસી.ની અને ત્યારપછી પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં વનસ્પતિશાસ્ત્ર (Natural Products)ના વિષયમાં, સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને નિવૃત્તિવય સુધી ત્યાં જ રહ્યા હતા. એમણે કરેલું સંશોધન ઇન્ટરનેશનલ જર્નલોમાં પ્રકાશિત થયું છે.
હીરાલાલભાઇના ત્રીજા પુત્ર નલિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, વિ.જે.ટી.આઈ.માં ડાઇંગ અને બ્લીચીંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. મુંબઇમાં આઇ.સી.આઈ.માં કાર્ય કર્યા પછી, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી.
ખાનપાનની ચીવટપૂર્વકની નિયમિતતાના કારણે જીવનભર હીરાલાલભાઈની તબિયત સારી રહી હતી. પણ લેખનવાંચનની સતત પ્રવૃત્તિને લીધે એમની આંખોને ઘણો શ્રમ પડતો. યુવાન વયે જ એમને ચશ્માં આવી ગયાં હતા. એમ છતાં એમની વાંચનલેખનની પ્રવૃત્તિ એકધારી જ રહ્યા કરી હતી. દર થોડાં વર્ષે, એમનાં ચશ્માંનો નંબર વધતો જતો હતો. કૉલેજના અધ્યાપન કાર્યમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે એમનાં ચશ્માનો નંબર પંદર સુધી પહોંચી ગયો હતો. એટલા જાડા કાચવાળા ચશ્મા પહેરીને પણ તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. વાંચવા માટે બિલોરી કાચ રાખતા. ચશ્માં એમના શરીરનું અનિવાર્ય અંગ બની ગયું હતું. ચશ્માં વગર સરખું દેખાય નહિ, પાંસઠની ઉંમર પછી એમને આંખે મોતિયો ચાલુ થયો હતો. એટલે તો વળી મુશ્કેલીમાં વધારો થયો. બોંતેર વર્ષની વયે બંને આંખે મોતિયો પાકતાં, એમણે ઓપરેશન કરાવી, મોતિયો ઉતરાવ્યો હતો. ત્યાર પછી પણ આંખે કંઈક ને કંઈક તકલીફ ચાલતી રહેતી. એમ છતાં એમનું લેખનવાંચનનું કાર્ય જીવનના અંત સુધી ચાલ્યું હતું.
જીવનનાં છેલ્લાં વર્ષોમાં, નાજુક તબિયત અને અન્ય પ્રતિકુળતાઓને કારણે તથા સંતાનો મુંબઈ અને પૂનામાં હોવાથી, હીરાલાલભાઈ તથા ઈન્દિરાબહેન, પોતાનું સૂરતનું ઘર કાયમને માટે બંધ કરી દઈને ૧૯૭૨માં પોતાના પુત્રને ત્યાં મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે એમની સ્વાધ્યાય અને લેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પરંતુ બંધ પડી નહોતી. તેમના લેખો પ્રકાશિત થવામાં જે ગતિ હતી તેના કરતાં લેખનની ગતિ વિશેષ રહી હતી. એટલે જ્યારે પણ એમને પૂછીએ ત્યારે એમની પાસે, કેટલાક અપ્રકાશિત લેખો તો પ્રકાશન માટે તૈયાર હોય જ. વળી એની સાથે સાથે સ્કૂરેલા નવા નવા વિષયો માટે, તૈયાર કરેલી ટાંચણ-યાદી પણ હોય જ.
હીરાલાલભાઈએ સાડા છ દાયકાના લેખનકાર્ય દ્વારા, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમાં વૈવિધ્ય પાર વિનાનું છે. તેઓ પોતે જ “હીરક-સાહિત્ય-વિહાર' નામની પોતાની પુસ્તિકામાં જણાવે છે કે “ગણિત જેવો શુષ્ક વિષય પણ મને તો ખૂબ રસપ્રદ જણાયો છે. એટલે જ્ઞાનની કોઈપણ શાખા પ્રત્યે મને અરુચિ થવા પામી નથી. આને લીધે મારો વિદ્યાવ્યાસંગ કોઈ એક જ દિશા કે ક્ષેત્ર પૂરતો પરિમિત બન્યો નથી. આથી કરીને હું આજે પણ જાતજાતના વિષય પર લેખ લખવા લલચાઉં છું.”
હીરાલાલભાઈએ પોતાની લેખનપ્રવૃત્તિ, ૧૯૨૦ના ગાળામાં શરૂ કરી દીધી હતી. એમણે સંસ્કૃત, અર્ધમાગધી. ગુજરાતી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં, કાવ્યો, સમશ્લોકી પદ્યાનુવાદો, ગદ્યાનુવાદો,
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૮
[28]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧
સંપાદન, સંશોધન, જીવનચરિત્ર, ઇતિહાસ, નિબંધ, કથા, સૂચિપત્ર ઇત્યાદિ પ્રકારનું પુષ્કળ લેખનકાર્ય કર્યું છે.
એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ભાષાવિજ્ઞાન, છન્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, ગણિત, જ્યોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગમત, રીતરિવાજો, પર્વો, પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, સદાચાર વગેરે અનેક વિષયો ઉપર પોતાની કલમ ચલાવી છે અને એક હજારથી વધુ લેખો આપણને આપ્યા છે. એમના જમાનામાં ઝેરોક્ષની શોધ નહોતી થઈ અને કાર્બન કોપી કરવામાં વાર ઘણી લાગતી. એટલે પોતાના લેખો છાપવા માટે મોકલાવ્યા પછી, એની નકલ પોતાની પાસે રહેતી નહિ. એમના કેટલાયે લેખો છપાયા નથી અને પાછા આવ્યા પણ નથી. એમના છપાએલા લેખોની યાદી “હીરક-સાહિત્ય-વિહારમાં જે છપાઈ છે તેના ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે હીરાલાલભાઈ પાસે કેટકેટલા વિષયો પર અધિકૃત જાણકારી હતી. વિવિધ પ્રકારની માહિતીનો તેઓ જાણે ખજાનો ધરાવતા હતા. એમની સાથે કોઈપણ વિષયની વાત કરીએ તો કંઈક નવું જ જાણવા મળે.
- હીરાલાલભાઈના ઘણા લેખો ‘ગુજરાત મિત્ર', “પ્રતાપ', “સાંજ વર્તમાન', વગેરે દૈનિકોમાં છપાયા છે. તદુપરાંત “જૈન ધર્મ-પ્રકાશ', “જૈન”, “જૈન-સત્ય-પ્રકાશ', “આત્માનંદ પ્રકાશ', “સિદ્ધચક્ર', ફાર્બસ ગુજરાતી ત્રિમાસિક, “ગુજરાતીમાં અને કેટલાંયે સામયિકોના દીપોત્સવી અંકોમાં છપાયા છે. હીરાલાલભાઈની લેખનપ્રસાદીનો પ્રારંભ, સંસ્કૃત ભાષામાં કાવ્યરચનાથી થયેલો. વિલસન કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે ૧૯૨૦ થી ૧૯૨૩ના ગાળામાં કૉલેજના અર્ધવાર્ષિક મુખપાત્ર Wilsonianમાં એમનાં “પરીક્ષાપર્વ', ‘પદો વૈવિચ' ઇત્યાદિ નામના કાવ્યો સંસ્કૃતમાં છપાયેલાં છે. પચીસ વર્ષની ઉંમરે, સંસ્કૃત ભાષા પર તેઓ કેવું સરસ પ્રભુત્વ ધરાવતા હતા તેની પ્રતીતિ આ કાવ્યો કરાવે છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો જાણે એમની બીજી માતૃભાષા હોય એટલી સરસ રીતે તેઓ તેમાં લખી-બોલી શકતા. પાઇય (પ્રાકૃત) ભાષા માટે હીરાલાલભાઈનો પ્રેમ અનન્ય હતો.
હીરાલાલભાઇએ ઇ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક “પતંગપુરાણ યાને કનકવાની કથની' વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ જવાય છે. જૈન શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા ક્ષુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલીબધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથના દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાયેલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિષે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે : “હું આજથી ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગણિત શીખતો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.”
લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
[29]
૨૯
કરી હતી. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મારા જૂના મહોલ્લામાં નાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક બાલસ્નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી !
આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે.
હીરાલાલભાઈએ આગમો અને આગમ સાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લખો લખ્યા છે. એમાં ૧૯૪૮ છપાયેલો એમનો “આગમોનું દિગ્દર્શન' નામનો ગ્રંથ મહત્ત્વનો છે. એમાં પિસ્તાલીસ આગમસૂત્રોનો સવિગત પરિચય આપવામાં આવ્યો છે તથા આગમો વિશે લખાયેલા વિવરણાત્મક સાહિત્યનો પણ પરિચય આપવામાં આવ્યો છે.
આગમ સાહિત્યના વિવિધ વિષયો પર એમણે અંગ્રેજીમાં ઘણા લેખો લખ્યા છે. અનુવાદરૂપે કે લેખરૂપે અંગ્રેજી ભાષામાં એમનું યોગદાન ઘણું મોટું છે. એમના જમાનામાં કોઈએ અંગ્રેજીમાં આટલું બધું લેખનકાર્ય કર્યું નથી. એ ફરીથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવા જેવું છે.
- હીરાલાલભાઈએ વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના સંગીત વિભાગના ઉપક્રમે ૧૯૫૫માં “સંગીત, નૃત્ય અને નાટ્યસંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો” એ વિષય પર વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન પૂ. શ્રી યશોવિજયજી (હાલ પૂ. યશોદેવસૂરિજી)ની પ્રેરણાથી ગ્રંથરૂપે ૧૯૭૩માં પ્રકાશિત થયું છે. એમાં એમણે સાત સ્વરો. એનાં કુળ, એના દેવતા, નાટ્ય, ગેય અને અભિનેય અલંકારો, મૂચ્છનાઓ, રાસ, વાદ્યો, રાગ, ગીત, નૃત્ય નાટક ઇત્યાદિ વિશે ઝીણવટભરી પારિભાષિક માહિતી આધાર સાથે આપી છે. આ વિષયમાં પણ હીરાલાલભાઈની સજજતા કેટલી બધી હતી તેની ખાતરી આ પુસ્તક વાંચતાં થાય છે.
હીરાલાલભાઈએ “શ્રી હરિભદ્રસૂરિ', 'યશોદોહન અને વિનયસૌરભ' નામના ત્રણ ગ્રંથો આપ્યા છે, જેમાં એમણે અનુક્રમે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી મહારાજના જીવન અને કવનનો સવિસ્તર પરિચય કરાવ્યો છે. “શ્રી હરિભદ્રસૂરિ' લગભગ ચારસો પાનાનો ગ્રંથ છે. ૧૯૬૩માં તે પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા તરફથી પ્રકાશિત થયો છે. એમાં શ્રી હરિભદ્રસૂરિના જીવન વિશે તથા એમની કૃતિઓ વિશે લગભગ ત્રણસોથી વધુ પેટાશીર્ષક હેઠળી માહિતી આપવામાં આવી છે. શ્રી હરભિદ્રસૂરિ વિશે આટલી બધી માહિતી અન્ય કોઈ એક જ ગ્રંથમાં હજુ સુધી જોવા નથી મળી. યશોદોહન' ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. વિનયસૌરભ' પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજના જીવનકવનનો પરિચય આપવામાં આવ્યો છે.
હીરાલાલભાઈએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે સમયે કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઈત્યાદિનો એક સંગ્રહ પૂ. શ્રી વિજયકસ્તુરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિની પ્રેરણાથી “જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર'ના નામથી ૧૯૬૯માં પ્રકાશિત
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૦
[30]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧
કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં તીર્થકરોનાં લાંછનો અને લક્ષણો, આઠ પ્રાતિહાર્ય, મહાવીર સ્વામીના વિવિધ ભવોના સગાં, મહાવીર સ્વામીના પૂર્વ ભવના બે વૈરીઓ, મહાવીરસ્વામીનો સાંસારિક પક્ષ, વીર વર્ધમાનસ્વામીના વર્ષાવાસ, મહાવીર સ્વામીની સાધનાની પરાકાષ્ઠા, મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ ઇત્યાદિ પચીસેક લેખો તથા “વીરથુઈનો ગુજરાતી ભાવાનુવાદ ઈત્યાદિ આપવામાં આવ્યાં છે. આ બધામાંથી ઘણી બધી પારિભાષિક માહિતી આપણને સાંપડે છે અને લેખકનું વાંચન કેટલું બધું વિશાળ હશે એની પ્રતીતિ કરાવે છે.
હીરાલાલભાઈ જેમ સમર્થ સંશોધક છે તેમ મર્મજ્ઞ કવિ પણ છે. એમની સાહિત્યિક કારકિર્દી સંસ્કૃતમાં કાવ્યરચનાથી થઈ હતી. એમણે જુદે જુદે વખતે ભિન્ન ભિન્ન પ્રકારની કાવ્યરચના કરી હતી. એમણે આગમોનાં પઘોનો અનુવાદ ગુજરાતી પદ્યમાં કર્યો છે. આ ઉપરાંત એમણે વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે, જેનો વિષય મુખ્યત્વે ધાર્મિક રહ્યો છે. એમણે સવાસોથી વધુ જે કાવ્યો લખ્યાં છે તેમાં ૩૬ કાવ્યો તો હરિયાળીના પ્રકારનાં છે. આ પ્રકારની કૃતિઓમાં એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ‘હરિયાળીસંચય” નામનો એમનો સંગ્રહ ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. હરિયાળીનો પ્રકાર ઉખાણાં જેવો છે. એટલે એવી કવિતાનું વિવરણ સામાન્ય વાચક માટે આવશ્યક છે. એમણે આ હરિયાળીઓનાં વિવરણ પણ સાથે આપેલાં છે.
જૈન સાહિત્ય અત્યંત વિશાળ છે. જૈનોનું મુખ્ય સાહિત્ય અર્ધમાગધીમાં છે, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું જૈન સાહિત્ય પણ અત્યંત વિપુલ છે. જ્યાં સુધી એની વ્યવસ્થિત પ્રકાશિત માહિતી ન સાંપડે ત્યાં સુધી જૈન-અજૈન સર્વમાં એવો ભ્રમ રહે કે જૈનોએ સંસ્કૃત ભાષામાં બહુ ખેડાણ કર્યું નથી. આથી કેટલાંક વર્ષ પૂર્વે પૂ. શ્રી યશોદેવસૂરિએ હીરાલાલભાઈને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' લખી આપવાનું સૂચન કર્યું હતું અને તે મુજબ હીરાલાલભાઈએ તે લખી આપ્યો હતો. એ ત્રણ ભાગમાં છપાયો છે. એમાં વ્યાકરણ, કોશ, નામમાલા, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સ્થાપત્ય, ગણિત, નિમિત્ત, વૈદક, પાક, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ન્યાય, યોગ, અધ્યાત્મ, મંત્રશાસ્ત્ર, અનુષ્ઠાનવિધિ, ધ્યાન, કાવ્ય, સ્તોત્ર, મહાકાવ્ય, ચંપૂકાવ્ય, ગદ્યકૃતિઓ ઇત્યાદિ વિષયના અનેક ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ દળદાર ઇતિહાસનો પ્રથમ ભાગ ૧૯૫૬માં અને છેલ્લો ભાગ ૧૯૭૦માં છપાયો હતો, કારણ કે જેમ જેમ નાણાંની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ પ્રકાશન કાર્ય આગળ ચાલતું ગયું હતું.
જીવનની ઉત્તરાવસ્થામાં આંખો નબળી હોવા છતાં, ઇતિહાસના આ ગ્રંથલેખનનું અને પ્રૂફ સુધારવાનું કાર્ય એમણે પંદર વર્ષ સુધી કર્યું હતું. (આ ગ્રંથ શુદ્ધિ-વૃદ્ધિ સાથે નવેસરથી એક જ વોલ્યુમમાં કોઈ સંસ્થાએ છપાવવાનું કાર્ય ઉપાડી લેવા જેવું છે) એમના હાથે આ એક બહુમૂલ્ય સાહિત્યસેવા થઈ છે.
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખ્યા પછી હીરાલાલભાઈએ જૈન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એ કાર્ય પુરુ થઈ શક્યું નહિ અને જેટલું લખાયું તે પણ ક્યાં કેવી રીતે લુપ્ત થઈ ગયું તેની કશી ખબર એમના અવસાન પછી મળી નથી. તેઓ ૧૯૭૬માં પૂના પોતાના પુત્ર વિબોધચંદ્રને ત્યાં ગયા હતા. ત્યારે ટ્રેઇનમાં એમના લખાણો અને પુસ્તકોની એક બેગ ગુમ
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
[31]
૩૧
થઈ ગઈ હતી. તદુપરાંત એમના અવસાન પછી એમના પુત્ર નલિનચંદ્ર પાસેથી એક જૈન પત્રકાર અપ્રસિદ્ધ લેખોની ફાઈલો લઈ ગયા હતા. પરંતુ થોડા વખતમાં જ એ પત્રકારનું અવસાન થતાં એ ફાઇલ પાછી મળી નહોતી.
હીરાલાલભાઈએ જીવનભર અનેકવિધ વિષયો પર વાંચન અને લેખન કર્યા કર્યું હતું. ઘણીખરી વાર લેખનના નિમિત્તે એમનું વાંચન થયું છે અથવા કંઈક નવું વાંચવામાં આવે તો એ વિશે વધુ માહિતી સાથે લખવાનું એમને મન થયા કરતું. એમને એક પછી એક વિષયો સતત ફુરતા રહેતા હતા. જે વિષય પર લખવું હોય તે અંગેની માહિતી એમની પાસે તૈયાર હોય જ. એમણે ક્યારેય માત્ર સપાટી પરનું છીછરું લખાણ કર્યું નથી. દરેક વિષયના ઊંડાણમાં તેઓ ઊતર્યા છે. એમની પાસેથી કંઈક વિશેષ જાણકારી હંમેશા મળ્યા કરી છે. સંદર્ભો માટે એમની પાસે સરસ ગ્રંથસંગ્રહ હતો. એટલે ઘરમાં બેઠાં બેઠાં જ તેઓ પુસ્તકો પર નજર ફેરવીને પોતાના વિષયના સંદર્ભો મેળવી લેતા. કેટલીયે માહિતી, શ્લોકો, ગાથાઓ વગેરે એમને કંઠસ્થ હતાં. એમનું લખાણ પદ્ધતિસરનું, ચોક્કસાઈવાળું અને ચીવટપૂર્વકનું રહેતું. એટલે લગભગ ઘણાખરા ગ્રંથોમાં એમણે સંકેતોની સમજણ આપી જ છે, જેથી ભાષાનો બહુ વિસ્તાર કરવો ન પડે.
હીરાલાલભાઈની લેખનશૈલી અનોખી હતી. પોતે ગણિતના પ્રાધ્યાપક હતા. ચોક્કસાઈની ટેવ એમનામાં હોય એ સ્વાભાવિક હતું. નિરાધાર કશું લખવું નહિ એ એમની પ્રકૃતિ હતી. ગણિતના
માં એક પણ આંકડો વધારાનો હોય કે એક આંકડો ઓછો હોય તે ન જ ચાલે. ગણિતમાં બધું મુદાસર અને ક્રમાનુસાર જ લખવાનું હોય. આવા મહાવરાને લીધે હીરાલાલભાઈ જ્યારે કોઈ એક વિષય પર લેખ લખવા બેસે ત્યારે બધા જ મુદાઓ એમણે ક્રમાનુસાર આવરી લીધા હોય. આથી જ કોઈ એક મુદાને એમણે બહુ વિકસાવ્યો હોય એવું ખાસ જોવા ન મળે. એમનો કોઈ લેખ પેટાશીર્ષકો વગરનો હોય નહિ. બીજી બાજુ દરેક મુદ્દા વિશે જો કંઈ વધારાની પ્રકીર્ણ માહિતી આપવાની હોય અને તે મૂળ લખાણમાં ન લેવાની હોય તો તે પાદનોંધમાં તેઓ આપતા. આથી જ એમનાં લખાણો પાદનોંધોથી સભર છે. ક્યારેક તો લેખના દરેક પાને પાદનોંધ હોય. એમણે પાદનોંધો એટલી બધી (સાલ, આવૃત્તિ, પૃષ્ઠ નંબર, તારીખ ઇત્યાદિ સહિતી આપી હોય કે એમની માહિતીને કોઈ પડકારી શકે નહિ. બીજી બાજુ એ બધી પાદનોંધો વાંચતાં આશ્ચર્ય થાય કે અહો ! આ લેખકે ક્યાંક ક્યાંથી કેટલી બધી માહિતી એકત્ર કરી છે !
- હીરાલાલભાઈ કોઈપણ નવા વિષય પર તરત બેસીને ક્રમાનુસાર લખીને લેખ પૂરો કરતા એવું બહું ઓછું બનતું. જે વિષય પર લેખ લખવો હોય તેના મુદા તૈયાર કરતા અને જુદા જુદા કાગળ પર તેની માહિતી ટપકાવી લેતા. તે પછી બધા મુદાઓને ક્રમાનુસાર ગોઠવી લેખ તૈયાર કરી લેતા. કોઈક મુદા વિશે માહિતી ન મળી હોય તો પાદનોંધમાં એનો ઉલ્લેખ કરતા. એમનું લખાણ હંમેશા મુદાવાર, મુદાસર અને વ્યવસ્થિત રહેતું. અનેક વિષયોનું રસપૂર્વક વાંચન કર્યું હોવાને લીધે તથા સાડા ત્રણ હજાર હસ્તપ્રતો વાંચી હોવાને લીધે અને પોતાની સ્મૃતિ સતેજ હોવાને કારણે તેઓ કોઈપણ વિષય ઉપર લેખ કે ગ્રંથ લખવા બેસે એટલે તે માટેની સામગ્રી ક્યાં ક્યાંથી ઉપલબ્ધ છે એની જાણકારી એમની પાસે હોય જ. આમ છતાં લેખનશ્રમ કરવાનો ઉત્સાહ ન હોય તો આટલું બધું કામ થાય નહિ. એટલે જ એમણે એકલે હાથે જે કાર્ય કર્યું છે તે જોઈ સહેજે આશ્ચર્ય થાય એમ છે. આપણે માટે દુઃખની વાત એટલી છે કે એમની સાહિત્યજગતમાં જેટલી કદર થવી જોઈતી હતી તેટલી થઈ નથી.
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ-૧
જીવનમાં અંતિમ વર્ષોમાં હીરાલાલભાઈ તથા ઈન્દિરાબહેન એમના સૌથી નાના પુત્ર નલિનચંદ્રના ઘરે મુંબઈમાં વરલી ઉપર ‘મધુહંસ’ નામના બિલ્ડિંગમાં કાયમ માટે રેહવા આવી ગયાં હતાં. ત્યારે હજુ હીરાલાલભાઇની તબિયત સારી હતી અને રોજ બે વાર ચા૨ દાદર ચઢતા-ઊતરતા. પરંતુ પછી ૮૫મા વર્ષે એમને અશક્તિ વરતાવા લાગી. એમનો દેહ ક્ષીણ થવા લાગ્યો. ૧૯૭૯ના માર્ચ મહિનામાં તેઓ પથારીવશ થઈ ગયા. તબીબી ઉપચારો ચાલુ થયા પણ તબિયતમાં સુધારો થયો નહિ. શૌચાદિ ક્રિયા પણ પથારીમાં કરાવવી પડતી. સ્વજનોએ હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું, પરંતુ ત્યાં જવાની એમની બિલકુલ ઇચ્છા નહોતી. એમ કરતાં બે અઠવાડિયાં થઈ ગયાં. છેવટે જ્યારે ડૉક્ટરની સલાહ અનુસાર હૉસ્પિટલમાં લઈ જવાનો સ્વજનોનો મક્કમ નિર્ણય થયો એ વખતે એમણે પોતાના બહેન શાંતાબહેનને બોલાવીને સમજાવ્યાં કે ‘મને ચા િદવસ પછી હૉસ્પિટલમાં લઈ જાવ, ત્યાં સુધી હું મારી આરાધના કરી લઉં.' શાન્તાબહેને બધાંને સમજાવ્યાં અને હૉસ્પિટલમાં જવાનું ચાર દિવસ પછી રાખવામાં આવ્યું. હીરાલાલભાઈએ સંથારાની જેમ એ દિવસથી અન્ન, જળ, ઔષધ વગેરેનો પચ્ચખ્ખાણપૂર્વક ત્યાગ કરી દીધો. આ વાતની ખબર પડતાં, મુંબઈમાં બિરાજમાન એક આચાર્ય ભગવંતે ઘરે આવી માંગલિક સંભળાવ્યું. પછી એમણે એક શાસ્ત્રજ્ઞ શ્રાવકને હીરાલાલભાઈ પાસે મોકલ્યા. તેઓ રોજ આવીને હીરાલાલભાઈને નિર્યામણા કરાવતા હતા. એમ કરતાં ચોથે દિવસે એટલે કે તા. ૨૩મી માર્ચ, ૧૯૭૯ના રોજ સવારે પોણાચાર વાગ્યે બ્રાહ્મ મૂહુર્તે ૮૫ વર્ષની વયે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. હૉસ્પિટલમાં ન જવાનો પોતાનો સંકલ્પ સમાધિપૂર્વક એમણે પાર પાડ્યો હતો.
૩૨
[32]
હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેને સાડા છ દાયકાનું દામ્પત્યજીવન ભોગવ્યું. હવે ઈન્દિરાબહેનની તબિયત બગડી હતી. એમણે ૧૨મી સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ ૮૪ વર્ષની વયે દેહ છોડ્યો. યુવાન વયે હીરલાલભાઈની કારકિર્દીનું ઘડતર મુંબઈમાં થયું. એમના દામ્પત્યજીવનનો પૂર્વકાલ મુંબઈમાં વીત્યો હતો અને બંનેએ અંતિમ શ્વાસ પણ મુંબઈમાં લીધા હતા.
સ્વેચ્છાએ અકિંચન રહી, સાદાઈ અને સરલતાપૂર્વક હીરાલાલભાઈએ સરસ્વતી દેવીની આજીવન અવિરત ઉપાસના અનન્યભાવે કરી હતી. આ શ્રુતોપાસક શ્રાવકના હસ્તે જૈન સાહિત્યના ક્ષેત્રે જે લેખનકાર્ય થયું છે તે અજોડ છે. એમનો યુગ એમની કદર કરી શક્યો નહિ. પણ જેમ જેમ એમનું સાહિત્ય પ્રકાશમાં આવશે અને ગ્રંથસ્થ થશે અને ગ્રંથોની પુનરાવૃત્તિઓ થશે તેમ તેમ ભાવિ પ્રજા એમની અવશ્ય યોગ્ય કદર કરશે. જૈન સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ અને સ્થાન અવિસ્મરણીય રહેશે.
[સાંપ્રત સહચિંતન ભા. ૧૩માંથી ટુંકાવીને સાભાર.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #36
--------------------------------------------------------------------------
________________
તે વિષય-સૂચી ; પૃ. 43-79 ઉપોદ્ઘાત
પ્રકાશકીય
6 | ચારકૃતિ, માનાર્થ પ્રયોગ, ગ્રંથકારાદિને લગતી ત્રણ ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ
7 | સૂચીની સમજણ, “જૈનગ્રંથ” એટલે શું?, નામોનો બેબોલ (મુનિશ્રી યશોવિજયજી મ. સા.) 8-10 વિનિમય, અકારાદિ ક્રમના પ્રકાર, અટકને પ્રાધાન્ય સંપાદકીય નિવેદન
11-16 તેમજ વિવરણનાં વિશિષ્ટ નામનું સૂચન 56 શ્રી કાપડિયાનો પરિચય 17-32 (આ) મૂલ્યાંકન :
57-59 (લે. રમણલાલ ચી. શાહ)
ગ્રંથપ્રણયનનો હેતુ, જૈન સાહિત્યની વિશાળતા વિષયસૂચી
અને વિવિધતા, મધ્યયુગનો અર્ધ કારપાટ, વિસ્તૃત વિપયાનુક્રમ ભાગ-૧ 34-43 શ્રમણાદિનો ફાળો, પાઇય, સંસ્કૃત અને શુદ્ધિ-પત્રક
ગુજરાતીમાં કૃતિઓ રચનારા જૈન ગૃહસ્થોનાં નામ પ્રકાશિત ગ્રંથો
44 | તેમજ સૈકાદીઠ સાહિત્યનો ફાલ અને વિષયદીઠ ૧૩ પર્યાય, મહત્ત્વ અને ઉપયોગિતા
વિકાસક્રમ દર્શાવવા માટેનો પ્રયાસ. (અ) નિવેદન : પ્રથમ અંશ :- 45-56 | જૈન મૌલિક ગ્રંથોનું મૂલ્યાંકન : ઉત્થાનિકા, સુયોગ, અભ્યાસ, યોગ્યતા, ‘પાઇય'ના પંદર વિષયો અને એને અંગેની અર્થની વ્યાપકતા, અભિલાષા. યોજના-પુસ્તકના બે કૃતિઓની સંખ્યા ખંડ અને એનાં નામ, સાર્વજનીન સાહિત્યની ચિત્રકળા વ્યાખ્યા અને એનાં અંગો (Technical Sci- | વ્યાકરણાદિનું વિહંગાવલોકન ences), ધાર્મિક સાહિત્યની વ્યાખ્યા અને એનાં ત્રણ અને ચાર વિષયની એક કર્તુક કૃતિઓ 74 ચાર ઉપખંડ, ધાર્મિક સાહિત્યના નવ વર્ગ અને તેની | સૈકાદીઠ ફાલ સમજણ, લલિત અને લલિતેતર સાહિત્ય, કેટલીક નિવેદન : દ્વિતીય અંશ
75 સામગ્રીનું વિભાગદીઠ વિભાજન, જૈન સાહિત્યનો | રચનાસમયની સૂચી અને કર્તવ્ય
75 પરિચય આપતી વેળા કાલક્રમને, નહિ કે સંપ્રદાને પ્રયાસ તેમજ ભારતીય સાહિત્યના તથા સંસ્કૃત અપાયેલું પ્રાધાન્ય, જૈન સંસ્કૃત સાહિત્યના પાંચ | સાહિત્યના ઇતિહાસને લગતા વિવિધ ભાષાઓમાં પ્રકારની ગોઠવણી અંગે વિચારણા, સાધ્ય ને સાધન, રચાયેલાં પુસ્તકોની સૂચી ‘વિજ્ઞાન' નામના પંદરમા પ્રકરણના વિષયોનો ક્રમ, પ્રસ્તુત પુસ્તકની આવશ્યક્તા વ્યાકરણનાં સૂત્રથી ગર્ભિત કૃતિઓ, અમરકોશ | ઋણસ્વીકાર (લો.૧)ની પાદપૂર્તિરૂપ કૃતિ, યાશ્રય-કાવ્ય, | પૂર્તિ ઐવિદ્યગોષ્ઠી, કૃતિઓના પરિચયની પદ્ધતિ, | અલંકારચૂર્ણિ પ્રકાશનોની નોંધ, પ્રકાશનોનો પરિચય આપનારી | યંત્રરાજ ૧. આ પૃષ્ટાંક છે.
૨. દ્વિતીય અંશ માટે જુઓ પૃ. ૬૮-૭૪. ૩ (ભા.૧).
74
76
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
વિકૃત વિષયાનુક્રમ ભાગ-૧ :
5
-
પૃષ્ઠ
૦
૦
૦
૦
છ
છ
જ
વિષય
વિષય
પૃષ્ઠ પ્રકરણ ૧: પ્રાસ્તાવિક
ચિન્તામણિ અને એની ટીકા, પ્રક્રિયાઓઃ જગતની અનાધનગ્નતા
પ્રક્રિયાસંગ્રહ, શાકટાયન-ટીકા અને સાહિત્યની ભાષાનો ઉદ્ભવ
રૂપસિદ્ધિ, લિંગાનુશાસનને ધાતુપાઠ ભાષાઓનું વર્ગીકરણ
૨. (૭) પંચગ્રંથી યાને બુદ્ધિસાગરઃ ૧૭-૧૮ ૫ ભાષા કોની?
પરિમાણ, રચનાનો હેતુ, વ્યાકરણનાં પાંચે જૈન” સંસ્કૃત
અંગોની છન્દોબદ્ધ રચના અને ઉલ્લેખો. ઉપલબ્ધ સાહિત્યની ઇયત્તા
(૮) હૈમપંચાંગ વ્યાકરણ : સ્વોપજ્ઞવૃત્તિ, પુસ્તકની મર્યાદા
પ્રક્રિયાઓ અને સારાંશ. ૧૮-૧૯ સંસ્કૃત કૃતિઓના સાત વર્ગ
(૯) ભદ્રેશ્વર-વ્યાકરણ : ભદ્રેશ્વરસૂરિનું ૬૦ પ્રકરણ ૨ : વ્યાકરણ
પ્રાધાન્ય.
૧૯ વ્યાકરણના પર્યાયો
(૧૦) ગણરત્નમહોદધિઃ સ્વપજ્ઞવૃત્તિ, વર્ધમાનવેદનાં છ અંગ
સૂરિકૃત સિદ્ધરાજ-વર્ણન, પાણિનિ વગેરેની વ્યાકરણનો ઉદ્ધવ
પ્રશંસા અને અજ્ઞાતકર્તક અવચૂરિ. ૧૯ (૧) વ્યાકરણ
(૧૧) શબ્દાનુશાસન યાને મુષ્ટિવ્યાકરણઃ (૧) અજૈનઇદ્ર (ઐ) વ્યાકરણ ૫-૬ સ્વોપજ્ઞવૃત્તિ, હાથીપોથીઓ, (૨) જૈન ઐન્દ્ર વ્યાકરણ અને એની ઉત્પત્તિ ૬-૭ મુષ્ટિવ્યાકરણનાં રસનાસમય, (૩) સદપાહુડ (શબ્દપ્રાભૃત)
૭-૮ ઉપયોગ અને પ્રભાવ તથા (૪) જૈનેન્દ્ર વ્યાકરણ યાને પંચાધ્યાયીઃ ૭-૧૨ | વિષમપદવિવરણ
૨૦-૨૨ | દિવ પૂજયપાદનો પરિચય, બે વાચના, | (૧૨) પ્રેમલાભ-વ્યાકરણઃ યોજનાની સ્વતંત્રતા.૨૨ અસલી સૂત્રપાઠની ટીકાઓ, સ્વોપજ્ઞ ન્યાસ ને (િ૧૨) બાલબોધવ્યાકરણઃ એનાં છ વિવરણો ભાષ્ય, મહાવૃત્તિ, શબ્દ ભોજ-ભાસ્કર, પંચવસ્તુ, | તેમજ કાત–ની વૃત્તિરૂપ (૪-અ) શબ્દાર્ણવપ્રક્રિયા તેમજ જૈનેન્દ્ર વ્યાકરણની | આ વ્યાકરણ હોવાનો સંભવ. ૨૨ અનિસ્વાન્તકારિકા
(૧૩) વિદ્યાનન્દ-વ્યાકરણ:કર્તાનો પરિચય, ભગવદ્યાગ્વાદિની
૧૨| ગુર્વાલીમાં આ વ્યાકરણનો ‘સર્વોત્તમ' તરીકે (૫) વિશ્રાન્તવિદ્યાધર:
૧૨-૧૩ | ઉલ્લેખ, આ વ્યાકરણનાં ત્રણ નામાંતરો આ જૈન કૃતિ છે? વામનનો સમય, સ્વોપજ્ઞ | અને એના કર્તાનું અન્ય નામ. ૨૨ બૃહદ્રવૃત્તિ અને મલવાદીનો વાસ
ઔદાર્યચિન્તામણિ
૨૩-૨૪ (૬) (જૈન) શાકટાયન શબ્દાનુશાસન : ૧૩-૧૭ | “પાઇય' (પ્રાકૃત) ભાષાનું વ્યાકરણ, દિ૦
શાકટાયનનું વાસ્તવિક નામ એમની કૃતિઓ, શ્રુતસાગરનો પરિચય, એમણે પોતાને માટે સ્વોપજ્ઞ અમોઘવૃત્તિ, ન્યાસનું કર્તૃત્વ, | વાપરેલાં વિશેષણો અને એમની કૃતિઓ..
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વિષયાનુક્રમ ભાગ-૧
વિષય
(૧૫) ચિન્તામણિ વ્યાકરણ કર્તાની શિષ્યપરંપરા અને વિવિધ કૃતિઓ, પાઇય ભાષાનું વ્યાકરણ અને સ્વોપજ્ઞવૃત્તિ.. (૧૬) શબ્દભૂષણઃ પદ્યાત્મક વ્યાકરણ અને મુસ્લિમ માટેની આ રચના.. (૧૭) શબ્દાર્ણવઃ વ્યાકરણ કે કોશ
અને સ્વોપજ્ઞટીકા..
૨૭
ગણદર્પણ, નૂતનવ્યાકરણ, પ્રયોગમુખવ્યાકરણ ૨૮
[૨] ઔક્તિકો
૨૮-૩૦
મુગ્ધાવબોધઃ કુલમંડનસૂરિની
જીવનરેખાને કૃતિઓ વાક્યપ્રકાશઃ ઉદયધર્મકૃત મહાવીરસ્તવન અને વાક્યપ્રકાશની પાંચ ટીકાઓ પર અન્ય ઔક્તિકો [૩] આંશિક વ્યાકરણોઃ (૧) ઉપસર્ગમંડનઃ મંડનનો પરિચય અને એમની કૃતિઓ (૨) ધાતુમંજરી : સિદ્ધિચન્દ્રગણિનો
પરિચય અને એમની મૌલિક
પૃષ્ઠ
૨૪-૨૬
૨૬
૩૨
અને વિવરણાત્મક કૃતિઓ. (૩) મિશ્રલિંગકોશ, મિશ્રલિંગનિર્ણય કિંવા લિંગાનુશાસનઃ કર્તા કલ્યાણસાગર. (૪) ઉણાદિપ્રત્યયઃ કર્તા દિગંબર છે? અને સ્વોપજ્ઞ ટીકા. પારસી(ક)ભાષાનુશાસનઃ ફારસી ભાષાનું વ્યાકરણ અને એના કર્તા વિક્રમસિંહ કર્ણાટક-શબ્દાનુશાસનઃ દિ અકલંકકૃત કાનડી ભાષાનું વ્યાકરણ, વૃત્તિ અને વ્યાખ્યાન [૪]
૩૩
પરિશિષ્ટો.
પરિશિષ્ટ ૧ : ચંદ્ર વ્યાકરણઃ કર્તા ચન્દ્રગોમિ (બૌદ્ધ) અને સ્વોપજ્ઞવૃત્તિ.
સ્વોપજ્ઞ લઘુવૃત્તિ, પ્રકાશિકા અને
૩૯-૪૦
લઘુવૃત્તિનાં વિવરણો રહસ્યવૃત્તિ
૪૦
કાયસ્થ કાકલની વૃત્તિ
૪૧
મધ્યમવૃત્તિ
૪૧
૩૦ બૃહદ્વૃત્તિ (તત્ત્વપ્રકાશિકા) તેમજ એની સ્વોપજ્ઞ લઘુવૃત્તિ તથા અમોઘવૃત્તિ સાથે સરખામણી.૪૧-૪૨ સત્તાવન ન્યાયો અને એને અંગેની વૃત્તિ અને ૩૦-૩૧ | અવસૂરિ. ૩૧-૩૨ | (૪) ગણપાઠઃ
૪૨
૪૨
૩૨-૩૩
૩૩
[35]
વિષય
પૃષ્ઠ
૩૫-૧૯
૩૫
૩૫
પ્રકરણ ૩ઃ હૈમ પંચાંગ વ્યાકરણ ‘સિદ્ધહેમચંદ્ર’ નામના બે અંશના અર્થ હેમચન્દ્રસૂરિની જીવનરેખા. (૪) સૂત્રપાઠ સિષેની રૂપરેખા, એનું પરિમાણ, રચનાની યોજના, સંજ્ઞા અને સૂત્રોનું સંતુલન તેમજ પાંત્રીસ પો.
૩૬-૩૯
બૃહવૃત્તિની અવચૂર્ણિકા, એનું કનકપ્રભકૃત ન્યાસ સાથે સામ્ય, બૃહવૃત્તિને લગતાં વિવરણો અને સંક્ષેપ.
બૃહન્યાસ, શબ્દમહાર્ણવર્કિવા તત્ત્વપ્રકાશિકા-પ્રકાશ.
વિવિધ લઘુન્યાસો ઇત્યાદિ.
પ્રાકૃતરૂપસિદ્ધિ, પ્રાકૃતવૃત્તિઢુંઢિકા ઇત્યાદિ. પ્રક્રિયા-ગ્રન્થો.
૩૫
પ્રક્રિયાથી લાભાલાભ.
૩૩
હૈમ (લઘુ) પ્રક્રિયા: વિનયવિજયગણિનો પરિચય અને એમની કૃતિઓ. હૈમપ્રકાશ યાને હૈમ પ્રક્રિયાબૃહન્યાસ. મેઘવિજયગણિકૃત ત્રણ હૈમપ્રક્રિયાઃ ચન્દ્રપ્રભા યાને હૈમકૌમુદી ઇત્યાદિ. ૩૩-૩૪| હૈમપ્રક્રિયા શબ્દસમુચ્ચય ઇત્યાદિ હૈમવિભ્રમ તથા એની વૃત્તિ ૩૪૨ (તત્ત્વપ્રકાશિકા) અને અવચૂર્ણિ
For Personal & Private Use Only
૪૩
૪૪
૪૪
૪૫
૪૫
૪૫-૪૬
૪૬-૪૭ ૪૭
૪૭-૪૮ ૪૮
૪૮-૫૦
www.jalnelibrary.org
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૬
[36].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ
૫૧
પર
૫૩
૫૪
૫૫)
સિદ્ધસારસ્વત (સિ0 હેવનો ઉદ્ધાર) ૫૦-૫૧(૫)બુદ્ધિસાગરીયનિઘંટુઃ આ કૃતિની અનુપલબ્ધિ.૬૪ ઉણાદિ સૂત્રો
(૬)અભિધાન-ચિન્તામણિ ચાર હૈમ કોશો, (૬) ઉણાદિગણસૂત્રો અને એની સ્વોપજ્ઞ ટીકા. | અચિ૦ની યોજના, મહત્ત્વ, વિષય, ઉણાદિનામમાલા.
ઉપયોગ અને રચનાસમય તેમજ સ્વોપજ્ઞ (૬) ધાતુપાઠ.
| વિવતિ તથા અન્યકર્તક સાત ટીકાઓ. ૬૪-૬૭ ધાતુ પારાયણ ઇત્યાદિ
બીજક નામની ત્રણ કૃતિઓ અને પ્રતીકાવલી. ૬૬-૬૭ ધાતુરત્નાકર અને ઉક્તિરત્નાકર.. ૫૩-૫૪
શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા (૩) લિંગાનુશાસન
અને એની બે ટીકા. (૩) હૈમલિંગાનુશાસન અને એની સ્વોપજ્ઞ વૃત્તિ. ૫૪
શિલોંછ અને એની ટીકા
૬૭ દુર્ગાદપ્રબોધ ઇત્યાદિ.
(૭)સુન્દર પ્રકાશ પદાર્થચિન્તામણી કિંવાશબ્દાર્ણવ.૬૮ હૈમ વ્યાકરણનાં સન્માન, પ્રચાર અને ઓટ. ૫૫-૫૬|
(૮) શબ્દભેદનામમાલા.
૬૮-૬૯
૯) નામસંગ્રહ, નામમાલાસ ગ્રહ કિં વા પ્રકીર્ણક કૃતિઓ.
૫૬-૫૯]
વિવિક્તનામસંગ્રહ: સ્વાદિશબ્દસમુચ્ચય: અમરચન્દ્રસૂરિનો
- ૬૮
ભાનુચન્દ્રમણિની જીવનરેખા અને પરિચય અને એમના ગ્રંથો. ૫૬-૫૭| ન્યાયર્થમંજૂષા અને એનો સ્વોપજ્ઞ ન્યાસ. ૫૭
એમની મૌલિક અને વિવરણાત્મક કૃતિઓ.
(૧૦) શબ્દસંદોહસંગ્રહ ક્રિયારત્નસમુચ્ય: ગુણરત્નસૂરિની મૌલિક અને
૬૯
(૧૧) શારદીય નામમાલા યાને શારવિવરણાત્મક કૃતિઓ તેમજ એમની જીવનરેખા.
દયાભિધાનમાલા.
૬૯ કવિકલ્પદ્રુમઃ અજૈન કૃતિનું અનુકરણ. ૫૮-૫૯)
હર્ષકીર્તિસૂરિનો પરિચય અને એમની કૃતિઓ. ૬૯ તિન્વયોક્તિ
(૧૨) શેષનામમાલા યાને કેટલાંક પ્રકાશનો
શેષસંગ્રહનામ-માલાઃ કર્તા સાધુકીર્તિ. ૬૯
(૧૩)શબ્દરત્નાકર સાધુસુન્દરગણિની કૃતિઓ. ૬૯ પ્રકરણ ૪ : કોશ યાને નામામાલા ૬૦-૭૭|
લઘુતમનામકોશ ભાષાની સમૃદ્ધિ, નિઘંટુ અને એના
આંશિક કોશો. [નામકોશ] અર્થ તથા ત્રિવિધ કોશ.
૬૦)
[અ]. [૧] એકાર્થક નામમાલા.
૬૦-૬૧] (૧) પંચવર્ગસંગ્રહનામમાલાઃ (૧) અમરકોશ.
શુભશીલગણિની કૃતિઓ. (૨) ધનંજય-નામમાલાઃ ધનજંયનો પરિચય,
(૨) યક્ષરનામમાલાઃ એમની કૃતિઓ તથા એમનો સમય તેમજ
(૩) પંચવર્ગ પરિહારનામમાલાઃ ધનંજય-નામમાલાનું ભાષ્ય.
૬૧-૬૨ આઠ સ્થાન અને વાકચાતુર્ય | (૩) નિઘટસમય (ધનંજયનો).
| (૪) અપવર્ગ-નામમાલા: (૪) ધનપાલીય કોશઃ ધનપાલનાં
જિનભદ્રસૂરિનો પરિચય. સગાંવહાલાંને એમનો કૃતિકલાપ ૬૨-૬૪| (૫) અન્ય અપવર્ગનામમાલા.
૫૯ ,
૫૯ |
૬૦
૬૨]
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વિષયાનુક્રમ ભાગ-૧
[37]
૩૭
પૃષ્ઠ
૮૩
૭૪
| ૭૫
વિષય
પૃષ્ઠ
વિષય [આ]
| (૩) કાનડી દિ0 જયકીર્તિનું (૧) સટીક નિઘટ્શેષઃ નિઘટ્ના અર્થ, અજૈન | છન્દો-ડનુશાસનઃ
૮૧-૮૨ નિઘટુઓ અને વનસ્પતિના છ ભેદ. ૭૧-૭૨, (૪) બુદ્ધિસાગરસૂરિનું છન્દઃશાસ્ત્રઃ ૮૩ (૨-૪) નિઘટ્સંગ્રહ, ઔષધીનામમાલા | (૫) રાજશેખરનું છન્દઃશેખર અને બીજનિઘટ્ટ. ૭૨(૬) સમાનનાયક કૃતિ
૮૩ [૨] અનેકાર્થક કોશો.
૭૨-૭૪| (૭) હૈમ છન્દોડનુશાસનઃ (૧) અનેકાર્થનામમાલાઃ એની સંક્ષિપ્ત ટીકા. ૭૨' છન્દધૂડા-મણિ, યશોવિજય-ગણિની (૨) હૈમ અનેકાર્થનિઘટ્ટ.
વૃત્તિ અને વર્ધમાનસૂરિની ટીકા. ૮૩-૮૬ (૩) અનેકાર્થસંગ્રહઃ યોજના,
(૮) અજ્ઞાતનકર્તક રત્નમંજૂષા: ભાષ્યઃ ૮૬-૮૭ રચનાસમય તેમજ અનેકાર્થકેરવાકર
(૯) ઇન્દોરત્નાવલીઃ કર્તા અમરચન્દ્રસૂરિ ૮૭ કૌમુદી વગેરેવૃત્તિ ઇત્યાદિ.
૭૩-૭૪
(૧૦) ઇન્દોડનુશાસનઃ વાલ્મટની સ્વોપજ્ઞવૃત્તિ ૮૭ વિશ્વલોચનકોશ
ગાહાલખણ અને (૪) અનેકાર્થનામમાલા.
છન્દકોસની એકેક સંસ્કૃત ટીકા ૮૭ એકાક્ષર નિવટું
છન્દઃ શાસ્ત્ર સંબંધી અન્ય [૩] એકાક્ષરી નામમાલા.
૭૪-૭૭
બાર કૃતિઓ અને કેટલીકનાં વિવરણો. ૮૮ (૨) અમરચન્દ્રસૂરિની એકાક્ષરનામમાલા. ૭૫
કેટલાંક નવાં પ્રકાશનો (૩) એકાક્ષર નામમાલા સુધાકલશની -
પ્રકરણ ૬: અલંકારશાસ્ત્ર(કાવ્યશાસ્ત્ર) ૮૯-૧૦૭ જીવન રેખા અને કૃતિઓ
અલંકાર'ના અર્થો. અવ્યયંકાક્ષર નામમાલા
૮૯ આગમોમાં અલંકારો.
૮૯ એકાક્ષરકોષ (૪) અમરકૃત એકાક્ષર નામમાલિકા
(૧) કવિશિક્ષાઃ કર્તા બપ્પભટ્ટસૂરિ. ૮૯-૯૦ (પ-૬) બે એકાક્ષરનામમાલા
(૨) અજિતસેનકૃત શૃંગારમંજરી
૯૦ અભિધાનરાજેન્દ્રકોશ
૭૫-૭૬ (૩) વાભદાલંકારઃ
૯૦-૯૨ પારસી,નામમાલા યાને શબ્દવિલાસ
વાભુટ પહેલાનો પરિચય, દસ શ્વેતાંબરીય ટીકા, સંદિગ્ધ કૃતિઓ.
એક દિગંબરીય ટીકા અને બે અજૈન ટીકા
તેમજ બે ગુજરાતી બાલાવબોધ. પ્રકરણ ૫: છન્દઃ શાસ્ત્ર
૭૮-૮૮ (૪) હૈમ કાવ્યાનુશાસનઃ નામ, વિભાગ, પઘાત્મક કૃતિ પહેલી કે ગઘાત્મક ?
વિષયને રચનાસમય, તથા (૧) પૂજયપાદનું છન્દઃશાસ્ત્ર.
૭૮
અલંકારચૂડામણિ અને વિવેક, (૨) જયદેવચ્છિન્દ જયદેવનો સંપ્રદાય,
કાવ્યાનુશાસનની વિવિધ સમીક્ષા તેમજ એમનો સમયનિર્ણય, જયદેવચ્છદમ્
અચૂની યશોવિજયતૃત વૃત્તિ. ૯૨-૯૭ સંબંધી ઉલ્લેખો અને એનાં હર્ષટની (૫) જયમંગલસૂરિકૃત કવિશિક્ષા વિવૃત્તિ ઇત્યાદિ વિવરણો.. ૭૮-૮૧ કલ્પલતા, પલ્લવ, વિવેક
८८
૭૮
૯૭
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૮
[38]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
વિષય
વિષય (૬) અમરચન્દ્રસૂરિની કાવ્યકલ્પલતાઃ
પ્રકરણ ૭: નાટ્યશાસ્ત્ર
૧૦૮-૧૧૧ કવિશિક્ષા ઇત્યાદિ ત્રણ સ્વોપલ્લવૃત્તિઓ | નાડયવિહિપાહુડ
૧૦૮ તેમજ મકરન્દ અને યશોવૃત્તિ. ૯૭-૯૯|
દર્પણઃ
૧૦૮-૧૧૦ (૭) કલ્પલતાઃ પલ્લવ અને વિવેક ૯૯-૧૦૧| રામચન્દ્રસૂરિના સોપ્રબંધો, અગિયાર દશ્ય કાવ્યો, (૮) અલંકારપ્રબોધઃ કર્તા અમરચન્દ્રસૂરિ ૧૦૨| વીસેક સ્તવો અને ત્રણ ધાત્રિશિકા તેમજ (૯) કવિશિક્ષાઃ કર્તા વિનયચંદ્ર ૧૦૨/ ગુણચન્દ્રમણિની સહકક કૃતિઓ.. ચોર્યાશી દેશોની રૂપરેખા
૧૦૨]
સ્વોપજ્ઞ વિવૃતિ તેમજ એની દશરૂપક (૧૦) અલંકાર મહોદધિઃ ૧૦૨-૧૦૩
અને હૈમ કાવ્યાનુશાસન સાથે તુલના..૧૧૦-૧૧૧ નરચન્દ્રસૂરિનો પરિચય ને એમનો
કેટલાંક નવાં પ્રકાશનો
૧૧૧
પ્રકરણ ૮: સંગીતશાસ્ત્ર કૃતિકલાપ તથા સ્વોપજ્ઞવૃત્તિ અને
૧૧૨-૧૧૪ અર્થાલંકારવર્ણન.
સંગીત સંબંધી લેખો. ૧૦૨-૧૦૩
૧૧૨ (૧૧) કાવ્યનુશાસનઃ કર્તા વાડ્મટ ૧૦૩-૧૦૪
(૧) સંગીતસમયસાર
૧૧૨ વાગ્લટ બીજાનો પરિચય અને એમની
(૨-૩) સંગીતોપનિષદ્ અને
૧૧૨-૧૧૩ કૃતિઓ તેમજ સ્વપજ્ઞ અલંકારતિલક.
સંગીતોપનિષત્કારોદ્ધાર વીણાવાદનનું વ્યસન.
૧૧૩ (૧૨) ભાવદેવસૂરિકૃત અલંકારસાર,
(૪-૭) સંગીતમસ્ડન, સંગીતદીપક, અલંકારસંગ્રહ યાને કાવ્યાલંકારસંગ્રહ: ૧૦૪
સંગીતરત્નાવલી અને સંગીતસહપિંગલ. ૧૧૩ ભાવદેવસૂરિની કૃતિઓ.
સંગીત, નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ઉલ્લેખો. ૧૧૪ (૧૩) અલંકારમષ્ઠન.
કેટલાંક નવાં પ્રકાશનો
૧૧૪ (૧૪) શાન્તિચન્દ્રકૃત કવિતામદ-પરિહારઃ
પ્રકરણ ૯: કામશાસ્ત્ર
૧૧૫ એની સ્વપજ્ઞવૃત્તિ
કામવિષયક કૃતિની અલ્પ સંખ્યા હોવાનું કારણ. ૧૧૫ (૧૫) અલંકારચિન્તામણિઃ એની ટીકા ૧૦૫
(૧) કન્દર્પચૂડામણિ
૧૧૫ (૧૬) અલંકારસંગ્રહઃ કર્તા અમૃતમંદિ ૧૦૫
(૨-૩) કામપ્રદીપ અને કોકપ્રકશસાર ૧૧૫ (૧૭) કાવ્યલક્ષણ.
૧૦૫
('નર્બદાચાર્યાની કોકશાસ્ત્ર-ચોપાઇ) (૧૮) કાવ્યાસ્નાયઃ
પ્રકરણ ૧૦ઃસ્થાપત્ય અને મુદ્રાશાસ્ત્ર ૧૧૬-૧૧૭ આ શું ચન્દ્રલોકની ટીકા છે?
શિલ્પશાસ્ત્રને લગતાં પ્રકીર્ણક ઉલ્લેખો ૧૧૬ (૧૯-૨૧) અવશિષ્ટ કૃતિઓઃ ૧૦૬ |
વત્યુસારપયરણ
૧૧૭ ચાર આંશિક કૃતિઓ
૧૦૬-૧૦૭ શિલ્પશાસ્ત્ર
૧૧૭ રૂપકમંજરી, બે રૂપકમાલા અને
દવ્યપરિકખા
૧૧૭ વક્રોક્તિ-પંચાશિકા
૧૦૬-૧૦૭
મુદ્રાશાસ્ત્ર સંબંધી સંસ્કૃત કૃતિનો અભાવ ૧૧૭ કેટલાંક નવાં પ્રકાશનો
૧૦૭ કેટલાંક નવાં પ્રકાશનો ૧-૨. આ ટિપ્પણગત વિગત છે.
૧૦૬
૧૧૭
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વિષયાનુક્રમ ભાગ-૧
[39]
૩૯
વિષય
પૃષ્ઠ વિષય
પૃષ્ઠ પ્રકરણ ૧૧: ગણિતશાસ્ત્ર ૧૧૮-૧૨૧ ઉદયપ્રભસૂરિનો પરિચય ને એમની કૃતિઓ (ગણિતની શાખાઓ)
૧૧૮ તેમજ સુધી શૃંગાર (આરંભસિદ્ધિની ટીકા) (૧) ગણિત સારસંગ્રહ:
૧૧૮-૧૧૯| (૬) જ્યોતિઃસાર યાને નારચન્દ્ર જ્યોતિઃસાર: ૧૨૬ આઠ વ્યવહારોનું નિરૂપણ અને ખલન, નરચન્દ્રસૂરિની કૃતિઓ અને ગ્રન્થનો સત્કાર તેમજ સંસ્કૃતમાં બે
સાગરચન્દ્રનું ટિપ્પણ.
૧૨૬ તથા કાનજી અને તેલુગુમાં એકેક ટીકા.. | (૭) હેમપ્રભસૂરિકૃત રૈલોકયપ્રકાશ ૧૨૬ ડૉ. દત્તના લેખો.
૧૨૦( ચાર નામાંતરો (૨) યેલ્લાચાર્યકૃત ગણિતસંગ્રહ ૧૨૦ (૮) જન્મસમુદ્ર યાને જન્માભોધિઃ ૧૨૬ ગણિતશાસ્ત્ર
૧૨૦ | બેડા નામની સ્વોપજ્ઞ વૃત્તિ (૪) ગણિયસાર
૧૨૦| (૯) પ્રશ્નપતકઃ સ્વપજ્ઞ અવચૂર્ણિ ૧૨૬ (૩) ગૃહસ્થ રચેલું પાત્ર ગણિત ૧૨૦ (૧૦) ઠક્કર ફેરુનો જ્યોતિ સારઃ સ્વપજ્ઞવૃત્તિ૧૨૭ ઠક્કર ફેરુની કૃતિઓ
૧૨૦ (૧૧) હર્ષકીર્તિસૂરિકૃત જ્યોતિ સારઃ ૧૨૭ તિલક
૧૨૦ હર્ષકીર્તિસૂરિકૃત ટીકાઓ સિદ્ધભૂપદ્ધતિની ટીકા.. ૧૨૦-૧૨૧| (૧૨-૧૫) ચાર જન્મપત્રીપદ્ધતિ
૧૨૭ વીરસેનનો પરિચય તેમજ એમની
(૧૬) માનસાગરી-પદ્ધતિ
૧૨૭ ધવલા અને જયધવલા નામની ટીકાઓ. ૧૨૧] [૨] સામુદ્રિક-શાસ્ત્ર
૧૨૮-૧૩૧ (૫) નેમિચન્દ્રીય ક્ષેત્રગણિત ૧૨૧] (૧) સામુદ્રિકતિલકા
૧૨૮ તત્ત્વાર્થસૂત્રના ભાષ્ય વગેરેમાં
જગદેવની કૃતિઓ ભૂમિતિને લગતાં છ કારણો.
૧૨૧] (૨) સામુદ્રિક-શાસ્ત્ર વિવેકવિલાસ સાથે સામ્ય૧૨૯ બૈજિક યાને રેખાગણિત ૧૨૧ (૩) પાષચન્દ્રકૃત હસ્તકાડ
૧૨૯
(૪) હસ્તસંજીવન યાને સિદ્ધજ્ઞાનઃ ૧૩૦-૧૩૧ પ્રકરણ ૧૨: નિમિત્તશાસ્ત્ર ૧૨૨-૧૩૯ સ્વપજ્ઞ ટિપ્પણને સામુદ્રિકલહરી નિમિત્તશાસ્ત્રની વ્યાપકતા.
૧૨૨ નામની સ્વોપજ્ઞ વિવૃતિ નિમિત્તના આઠ અને છ પ્રકારો. ૧૨૨ લોકકલ્પ
૧૩૧ [૧] જ્યોતિષ ૧૨૩-૧૨૭) (૩) શકુનશાસ્ત્ર
૧૩૧-૧૩૩ (૧-૨) પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાનઃ ૧૨૩-૧૨૪) (૧) નસ્પતિજચર્યા
૧૩૧ પાદલિપ્તસૂરિનો પરિચય અને એમનો કૃતિકલાપ. | શકુનરહસ્ય
૧૩૨ (૩) ઋષિપુત્રની કૃતિ
૧૨૪] (૨) માણિકયસૂરિકૃત શકુનશાસ્ત્ર જ્યોતિજ્ઞનવિધિ ૧૨૪ યાને શકુનસારોદ્ધાર
૧૩૨ (૪) ભુવનદીપક યાને ગ્રહભાવપ્રકાશઃ (૩-૯) શકુનશાસ્ત્ર સંબંધી
એનાં પાંચ વિવરણો. ૧૨૪-૧૨૫ અન્ય સાતકૃતિઓ ૧૩૨-૧૩૩ (૫) આરંભસિદ્ધિ યાને વ્યવહારચર્યાઃ ૧૨૫-૧૨૬ (૪) સ્વપ્નશાસ્ત્ર
૧૩૩
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૩૩
૧૩૪
૧૩૬
૪૦ [40]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ વિષય
વિષય
પૃષ્ઠ (૧) જગદેવકૃત સ્વપ્નશાસ્ત્ર ૧૩૩| અજૈન વૈદ્યક ગ્રન્થોની વૃત્તિઓ ૧૪૨ સુમણિસત્તરિયાની વૃત્તિ
૧૩૩ (૧૨) યોગાચિન્તામણિ, વૈદ્ય,સારસંગ્રહ (૨) સ્વપ્નપ્રદીપ યાને સ્વપ્નવિચાર
કિવા વૈદ્યક સારોદ્ધાર
૧૪૩ (૫) રમલશાસ્ત્ર ૧૩૪ | (૧૩) હસ્તરુચિકૃત વૈદ્યવલ્લભ
૧૪૩ (૧-૩) ત્રણ મલશાસ્ત્ર ૧૩૪| (૧૪) યોગરત્નાકર (ગુજરાતી) ૧૪૩ (૪) પાશક-કેવલી ૨ કૃતિઓ ૧૩૪ (૧૫-૨૧) દ્રવ્યાવલી-નિઘટ્ટ, વૈદ્યકલ્પ, (૬) અંગવિદ્યા
૧૩૪ વૈદ્યકાર, સિદ્ધયોગમાલા, રસપ્રયોગ, (૧-૨) અંગચેષ્ટાવિદ્યા અને અંગફુરણ-વિચાર૧૩૪ રસચિન્તામણિ અને માઘરાજપદ્ધતિ ૧૪૩-૧૪૪ (૭) પ્રશ્નવિચાર
૧૩૪-૧૩૭ (૨૨-૨૯) આઠ સંદિગ્ધકૃતિઓ ૧૪૪ પહાવાગરણની ત્રણવૃત્તિઃ ચૂડામણિ, લીલાવતી અને દર્શનજ્યોતિવૃત્તિ ૧૩૪| પ્રકરણ ૧૪ : પાકશાસ્ત્ર
૧૪૫ (૧) ચન્દ્રોન્મલીન અને એની ટીકા
નલપાકદર્પમ અને ક્ષેમકુતૂહલ (અજૈન કૃતિઓ) તીર્થકેવલિપ્રશ્ન આદિ ૧૩૫ તેમજ પોરાગમ
૧૪૫ આયજ્ઞાનતિલક વગેરે પ્રગટ કરવા યોગ્ય ગ્રંથો
૧૪૫ (૨) ફલાફલવિષયક પ્રશ્નપત્રક
૧૩૬ (૩) મેઘવિજયકૃત ઉદયદીપિકા
૧૩૭] પ્રકરણ ૧૫ : વિજ્ઞાન
૧૪૬-૧૪૮ (૪) મેઘવિજયકૃત પ્રશ્નસુન્દરી
૧૩૭
[૧]. (૮) પ્રકીર્ણક ૧૩૭-૧૩૯] અમરચન્દ્રકૃત કલાકલાપ
૧૪૬ (૧) મેઘવજિયકૃત વર્ષ પ્રબોધ યાને મેઘમહોદયઃ
[૨] રચનાસમય અને અવતરણો ૧૩૭-૧૩૮ (૧) હંસદેવકૃત મૃગપક્ષશાસ્ત્ર
૧૪૬ પંચાંગતત્ત્વ આદિ ૧૩૯ (૨) જગદેવકૃત ગજપ્રબન્ય
૧૪૬ (૨) ઉસ્તરલાયંત્ર અને એની ટીકા ૧૩૯] (૩-૫) જગદેવકૃત તુરંગપ્રબન્ધ, ભોજકૃત
શાલિહોત્ર અને અજ્ઞાતકર્તૃકઅશ્વાદિગુણ ૧૪૬-૧૪૭ પ્રકરણ ૧૩ઃ વૈદ્યકશાસ્ત્ર ૧૪૦-૧૪૪| (૬-૭) શ્વાનસપ્તતિકા અને શ્વ-રુદિત
૧૪૭ (૧) સમન્તભદ્રકૃત સિદ્ધાન્તરસાયનકલ્પ: ૧૪૦ (૭) કાકરુત (ગુજરાતી)
૧૪૭ અમૃતનદિનો પારિભાષિક શબ્દકોશ (૨-૭) પૂજ્યપાદ, પાત્રકેસરી, સિદ્ધસેન, | (૧) ધનુર્વિદ્યાઃ એની વૃત્તિ
૧૪૮ દશરથગુરુ, મેઘનાદ અને સિંહનાદની
| [૪] એકેક કૃતિ ૧૪૦ (૧) સમસ્તરત્નપરીક્ષા
૧૪૮ (૮) વૈદ્યકગ્રન્થ ૧૪૦) (૨) રત્નપરીક્ષા
૧૪૮ નાડી પરીક્ષા વગેરે ૧૪૦-૧૪૧ (૩) હીરક પરીક્ષા
૧૪૮ (૯-૧૧) કલ્યાણકારક નામની ત્રણ કૃતિઓ ૧૪૨ (૪) ઠક્કર ફેસકૃત ધાતુપરીક્ષા ૧૪૮
[૩]
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વિષયાનુક્રમ ભાગ-૧
[41]
૪૧
પૃષ્ઠ
વિષય
વિષય
પૃષ્ઠ
(૬-૭) વિવેકકલિકા અને વિવેકપાઇપ ૧૫૫ (૧-૬) મણીવિચાર, લેખપદ્ધતિ,
(૮) તિલકપ્રભકૃત સુભાષિતાવલી ૧૫૫ લેખન-પ્રકાર, વિજ્ઞાનચન્દ્રિકા,
(૯) મન્મથસિહંકૃત સૂક્તરત્નાકર ૧૫૫ વિજ્ઞાનર્ણવ અને વિજ્ઞાનાર્ણવાપ-નિષદ્ ૧૪૮૧ (૧૦) વસ્તુપાલકૃત સૂક્તિસમુચ્ચય ૧૫૫
(૧૧) લક્ષ્મણકૃતસૂક્તાવલી યાનેસૂક્ત-સંગ્રહ ૧૫૬ પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર ૧૪૯-૧૬૩ (૧૨) અજ્ઞાતકર્તૃક સૂક્તમુક્તાવલી ૧૫૬ નીતિ'ના અર્થ
૧૪૯ | (૧૩) સૂક્તાવલી યાને કપૂરપ્રકરઃ એનાં (૧) સામાન્ય નીતિ ૧૪૯-૧૫૧ ચારેક વિવરણ
૧૫૬ (૧) પ્રશ્નોત્તરરત્નમાલ યાને
(૧૪) અજ્ઞાતકર્તૃક સૂક્તમુક્તાવલી ૧પ૭ રત્નમાલિકા:
૧૪૯-૧૫૦ (૧૫) સૂક્તસંગ્રહ: એની અવચૂરિ ૧૫૭ ચાર વિવરણો અને મૂળ કૃતિનાં રૂપાંતરો (૧૬) હીરવિજયકૃત સૂક્ત-રત્નાવલી ૧૫૭ (૨) સમાનનામક કૃતિ
૧૫૦) (૧૭) હેમવિજયકૃત સૂક્તમુક્તાવલીઃ (૩) નીતિશાસ્ત્રઃ
૧૫૦ એમની અન્ય કૃતિઓ
૧૫૭ - તિલકપ્રભસૂરિની કૃતિઓ.
(૧૮) સિદ્ધિચન્દ્રકૃત સૂક્તિરત્નાકર ૧૫૮ (૪) નીતિધનદ:
૧૫૦-૧૫૧ | (૧૯) સૂક્તિ(ક્ત) દ્વાર્નાિશિકા: એનું ધનદનાં સગાંવહાલાં અને એમની બે અન્યકૃતિઓ. સ્વોપજ્ઞ વિવરણ
૧૫૮ (૫-૧૧) નીતિશાસ્ત્ર, નીતિસાર નામની (૨૦) કસ્તૂરીપ્રકરઃ એની સ્વોપલ્લવૃત્તિ ૧૫૮ ત્રણ કૃતિ, નીતિસારસમુચ્ચય, નીતિરસાયન
કપૂરપ્રકરણ
૧૫૮ અને નીતિગ્રન્થ.
૧૫૧] (૨૧) હિંગુલપ્રકરઃ એનો અનુવાદ તથ (૧૨) મલ્લિણકૃત સજ્જન ચિત્તવલ્લભ: ૧૫૧| વિનયસાગર તે કોણ ? ૧૫૮-૧૫૯ એની સંસ્કૃત અને કાનડી ટીકા
(૨૨-૨૫) સભાષિતાવલી, સુભાષિતવિજય(૧૩) શિવકોટિકૃત રત્નમાલા. ૧૫૧ મતશાસ્ત્ર, આર્યાગાથા, સુભાષિતરત્નકોશ અને (૨) સુભાષિત
૧૫૧| સૂક્ત-મુક્તાવલી યાને સૂક્તિમુક્તાવલી ૧૫૯ (૧) સૂક્તિસમુચ્ચય
૧૫૧ (૨૬) સૂક્તરત્નાવલીઃ એની સ્વપજ્ઞવૃત્તિ તેમજ (૨) સુભાષિતરત્નસન્દો: ૧૫૨ ક્ષમા-કલ્યાણની જીવનરેખા અને એમની અમિતગત ખીજીની કૃતિઓ
મૌલિક અને વિવરણાત્મક કૃતિઓ ૧૫૯-૧૬૦ (૩) હેમચન્દ્રવચનામૃત ૧૫૨-૧૫૩| (૨૭-૪૪) સુભાષિતપદ્યરત્નાકર, જૈ (૪)સૂક્તિમુક્તાવલી, સિન્દુરપ્રકર સૂક્તસદોહ તેમજ અન્ય સોળ કૃતિઓ૧૬૦-૧૬૧ યાને સોમશતક: સિન્દુરપ્રકરનાં (૩) રાજનીતિ
૧૬૨-૧૬૩ આઠ વિવરણો તેમજ મૂળ કૃતિનાં (૧) નીતિવાકયામૃતઃ એની ટીકા અને ઇટાલિયન અનુવાદ અને
સોમદેવસૂરિની અન્ય કૃતિઓ ૧૬૨-૧૬૩ અનુકરણો ૧૫૭-૧૫૪| (૪) પ્રકીર્ણક
૧૬૩ (૫) અમરચન્દ્રકૃત સૂક્તાવલી ૧૫૫ (૧) બુદ્ધિસાગર
૧૬૩
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૨
[42]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
પૃષ્ઠ 2
ના
- ૧૬૪
વિષય
વિષય
પૃષ્ઠ પ્રકરણ ૧૭ : અજૈન લાક્ષણિક સાહિત્યનાં (૧૧) ભોજક્ત સરસ્વતી કઠાભરણઃ જૈન સંસ્કૃત વિવરણી ૧૬૪| આજડકૃત પદપ્રકાશ
૧૭૮-૧૭૯ જૈન માનસ
(૧૨) જયદેવકૃત ચન્દ્રાલોક: કાવ્યાસ્નાય ૧૭૯ અજૈનકૃતિઓ અંગે જૈનોનો ફાળો ૧૬૫) (૧૩) ધર્મદાસકૃત વિદગ્ધમુખમડુનઃ (૧) પાણિનીય અષ્ટાધ્યાયીઃ શબ્દાવતાર
એની સાત ટીકા અને બાલાવબોધ ૧૭૯ ન્યાસ, કાશિકા અને એની પંજિકા ૧૬૫-૧૬૬ (૧૪) શ્રીધરકૃત ગણિતસાર. એની વૃત્તિ.૧૭૯-૧૮૦ (૨) વિશ્રાન્તવિદ્યાધરઃ મલવાદીનો ન્યાસ ૧૬૭ (૧૫) શ્રીપતિકૃત ગણિતતિલક યાને (૩) કાત–ઃ એની ચૌદેકવૃત્તિ,
ગણિતપાટી: સિંહતિલકસૂરિની વૃત્તિ ૧૮૦ કલાપવ્યાકરણ-સંધિગર્ભિતસ્તવ અને
(૧૬) વરાહમિહિરનું લઘુજાતક: એની વૃત્તિ ૧૮૦ એની અવચૂરિ તેમજ
(૧૭) શ્રીપતિકૃત જાતક(કર્મ)પદ્ધતિઃ સંગ્રામસિંહકૃત બાલશિક્ષા
૧૬૭-૧૬૯ સુમતિહર્ષની ટીકા, અન્ય કૃતિઓ. ૧૮૦ (૪) નરેન્દ્રાર્યકૃત સારસ્વત વ્યાકરણ.
(૧૮) હરિભટ્ટકૃત તાજિકસાર ભોજનવ્યાકરણ, સારસ્વત ઉપરની
સુમતિર્પકૃત ટીકા.
૧૮૧ ઓગણીસ અને સિદ્ધાન્તચન્દ્રિકા ઉપરની | (૧૯) ભાસ્કરત કરણકુતૂહલ પાંચ જૈન ટીકા, સારસ્વતમન્ડન, સારસ્વતનો સુમતિહર્ષની ગણકકુમુદકૌમુદી.
૧૮૧ ધાતુપાઠ, વીરસ્તવ અને એની ટીકા,
(૨૦) કાલિદાસકૃત જ્યોતિર્વિદાભરણઃ જિનચન્દ્રકૃત સિદ્ધાન્તરનિકા તેમજ
ભાવરત્નની સુબોધિનીગ
૧૮૧ સારસ્વતવિભ્રમની અવચૂર્ણિ ૧૬૯-૧૭૩] (૨૧) મહાદેવકૃત મહાદેવીસારણી અનિકારિકાઃ એનાં ત્રણ વિવરણ આદિ ૧૭૩ ધનરાજકૃત દીપિકા ઇત્યાદિ. ૧૮૧ ભૂ-ધાતુ:
૧૭૩ (૨૨) વિવાહપટલઃ અમરનો બાલાવબોધ. ૧૮૧ (૫) અમરસિંહકૃત અમરકોશ આશાધરકૃત (૨૩) ગણેશકૃત પ્રહલાઘવઃ એનાં ટીકા
ટીકા ને “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ ૧૭૩| અને ટિપ્પણ તેમજ યશસ્વત્સાગરની કૃતિઓ ૧૮૧ (૬) શ્રુતબોધઃ એની છ ટીકા ૧૭૪ | (૨૪) દિનકરની ચન્દ્રાર્કઃ કૃપાવિજયની વૃત્તિ૧૮૨ (૭) કેદારકૃત વૃત્તરત્નાકર એની છ ટીકા૧૭૪-૧૭૫ (૨૫) ભટ્ટોત્પલની પાંચાશિકા (૮) દંડિકૃત કાવ્યદર્શ
મહિમોદયની ટીકા.
૧૮૨ ત્રિભુવન-ચન્દ્રની ટીકા ૧૭૫-૧૭૬/ (૨૬) હરિભટ્ટકૃત ભુવનદીપક: (૯) રુદ્રટત કાવ્યાલંકારઃ ૧૭૬–૧૭૭ લક્ષ્મીવિજયનો બાલાવબોધ.
નમિસાધુની વૃત્તિ ને આશાધરકૃત નિબન્ધન (૨૭) રાજર્ષિભટ્ટકૃત ચમત્કારચિન્તામણિઃ (૧૦) મમ્મટકૃત કાવ્યપ્રકાશ એની
અભયકુશળની બાલાવબોધિની સંકેતાદિ છ ટીકા, સંકેતનું અOચૂ૦
(૨૮) હોરામકરન્દ: સુમતિ હર્ષની ટીકા ૧૮૨ અને વિવેક સાથે સામ્ય તેમજ
(૨૯) વસન્તરાજીયશકુન, શકુનનિર્ણય કાવ્યપ્રકાશનો અભ્યાસ. ૧૭૭-૧૭૮| યાને શકુનાર્ણવઃ ભાનુચન્દ્રમણિની વૃત્તિ. ૧૮૨
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
વિસ્તૃત વિષયાનુક્રમ ભાગ-૧
[43] ૪૩ વિષય
પૃષ્ઠ
વિષય (30) વાગ્લટકૃત અષ્ટાંગહૃદયઃ
(૩૨) વરરુચિકૃત યોગશતઃ આશાધરકૃત ટીકા. ૧૮૩| પૂર્ણસેનની વૃત્તિ.
૧૮૪ (૩૧) નાગાર્જુનકૃત આશ્ચર્યયોગમાલા
ભર્તુહરિકૃત નીતિશતક.
૧૮૪ યાને યોગરત્નમાલાઃ ગુણાકરની વિવૃતિ. ૧૮૩ ધનસારની ટીકા અને સર્વાર્થ સિદ્ધિમણિમાલા. ૧૮૫
૧૮૩
૧૯૪-૧૯૫ ૧૯૬-૧૯૯
પરિશિષ્ટ : ૧ ગ્રંથકારોની સૂચી
૧૮૬-૧૯૯| (આ) દિગમ્બર (અ) શ્વેતામ્બર અને યાપનીય ગ્રંથકાર ૧૮૬-૧૯૩ (ઈ) અજૈન
પરિશિષ્ટ : ૨ ગ્રંથો અને લેખોની સૂચી ૨૦૦-૨૩૫ (આ) દિગમ્બરગ્રંથો (અ) શ્વેતામ્બર અને યાપનીય ગ્રંથો ૨૦૦-૨૨૫ (ઈ) અજૈનગ્રંથો
૨૨૫-૨૩૦ ૨૩૦-૨૩૫
પરિશિષ્ટ : ૩ ૨૩૬-૨૫૩ સંકેતસૂચી
પ્રકીર્ણક વિશેષનામો
૨૫૪-૨૫૫
(શુદ્ધિ-પત્રક)
પૃ. ૫. અશુદ્ધ ૩૪ ૨૬ ચિત્રાલંકાર ૩૪ ૨૮ નં. ૫૧ ૬૩ ૩૦ ટિ: ૫ ૧૦૬ ૨૧ પ્રકાશ ૧૦૭ ૧૨ એરિયા, ૧૦૭ ૨૬ જિ.આ.દ્ર. ૧૦૭ ૨૭ ભારતી : ૧૧૪ ૯ કાવ્યાનુ ૧૧૪ ૩૧ 1972 A.D. ૧૧૫ ૯ જ. સા. ૧૨૧ ૧૪ Aspects
શુદ્ધ પૃ. ૫. અશુદ્ધ [ચિત્રાલંકાર ૧૨૧ ૨૩ વ્યાખ્યા
વ્યાખ્યા] નં. ૫૧] ૧૪૪ ૨૩ તત્ત્વાર્થ
[તત્ત્વાર્થ ટિ. ૭ ૧૪૪ ૨૪ ગંગા
ગંગા] પ્રકાશન ૧૪૫ ૧૪ શ્રી હિમાંશુ [શ્રી હિમાંશુ [केशरिया ૧૪૮ ૨૦ રુપ્ય
રૂપ્ય જિ.આ. ટ્રસ્ટ | ૧૮૫ ૧૩ પાણિનીય
[પાણિનીય ભારતી] ૧૮૫ ૧૫ વઘટીકા
વધટીકા [કાવ્યાનું | ૧૮૫ ૨૦ સાધુ આનંદ સાગરજી સાધુ.] 1972 A.D. ]] ૨૧૪૨૩૨ મેધમાલા
મેઘમાલા જૈ. સા. ૨૧૪૨/૩૩ મેધમાલા
મેઘમાલા [Aspects | ૨૧૪૨/૩૩ મેધમાલા
મેઘમાલા
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ સંપાદિત-સંકલિત
પ્રકાશિત ગ્રંથો હીરસૌભાગ્ય (સટીક) પ્રવચન સારોદ્ધાર વિષમપદ વ્યાખ્યા દસમાવગચરિયું ધર્મરત્નકરંડક કથારત્નાકર પ્રભાવક ચરિત્ર (ગુજરાતી ભાષાંતર) ઉપમિતિ કથોદ્ધાર કર્તા : પં. શ્રી હંસરત્નગણી વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના : લે. પં. કલ્યાણવિજય ગણી શ્રમણ ભગવાન મહાવીર : ૫. કલ્યાણવિજય ગણી જીવાજીવાભિગમ આ. હરિભદ્રસૂરિટીકા (મુદ્રણાલયમાં) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લે. મોહનલાલ દેસાઈ
દસવૈકાલિકસૂત્ર : પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરિ મ. સા. ના વિવેચન સાથે કર્મગ્રંથ ૧ થી ૫ : રમ્યરેણુ, શાંતિનાથ ચરિત્ર-સાનુવાદ : રમ્યરેણુ,
દાનોપદેશમાલા-સવિવેચન : રમ્યરેણુ
તે પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા.ની વાચનાઓ F
દરિસણ તરસિએ ભા. ૧ દરિસણ તરસિએ ભા. ૨ આપ હિ આપ બુઝાય ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરો આતમજ્ઞાની શ્રમણ કહાવે આત્માનુભૂતિ
બિછુરત જાયે પ્રાણ સો હિ ભાવ નિગ્રંથ મેરે અવગુણ ચિત્ત ન ધરો પ્રભુનો પ્યારો સ્પર્શ અસ્તિત્વનું પરોઢ અનુભૂતિનું આકાશ
-: પ્રાપ્તિસ્થાન :
આ. શ્રી ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧. ફોન : ૨૪૨૬૫૩૧
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
P.૧૩
ઉપોઘાતો
ઉપોદઘાત, પ્રસ્તાવના અને ભૂમિકા એ સામાન્ય રીતે પર્યાયવાચક શબ્દો ગણાય છે. તેમ છતાં ઉપોદઘાત' એ વધારે ગૌરવશાળી શબ્દ ગણાય છે. એને માટે અંગ્રેજીમાં ઇન્ટ્રોડકશન (Introduction) શબ્દ વપરાય છે.
‘ઉપાદ્યાત' એ ગ્રંથનું મહત્ત્વનું અંગ છે. આના સમર્થનાર્થે એટલું જ કહેવું બસ થશે કે નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી એ જે આવસ્મયની નિજજુત્તિ રચી છે. તેનો પ્રારંભ એના અંશરૂપ વિશ્થાનિસ્તુત્તિ (ઉપોદ્યાત-નિયુક્તિ)થી કરાયો છે.
‘ઉપોદ્યાત' એ ગ્રંથના પ્રવેશદ્વારની ગરજ સારે છે અને સાથે સાથે એના હાર્દ ઉપર પ્રકાશ પાડે છે-એના નિષ્કર્ષની રજૂઆત કરે છે. આ બાબતોને લક્ષ્યમાં રાખી હું અહીં ઉપોદઘાત લખું છું. સૌથી પ્રથમ હું એને બે વિભાગોમાં વિભક્ત કરું છું. (૧) નિવેદન અને (૨) મૂલ્યાંકન. નિવેદન દ્વારા મેં કઈ પરિસ્થિતિમાં આ પુસ્તક રચવાનું માથે લીધું-એને અંગે મારી શી તૈયારી હતી તેમજ આ પુસ્તકની રચના મેં કઇ પદ્ધતિએ કરી છે. એ બે મુખ્ય બાબતો હું વિચારવા ઇચ્છું છું. તેમ કર્યા પછી “મૂલ્યાંકન” રૂપ બીજા વિભાગમાં હું ચાર બાબત વિચારીશ. (૧) જૈન સંસ્કૃત સાહિત્યમાં શ્રમણવર્ગ અને શ્રાવક-વર્ગમાંથી કોનો કેવો અને કેટલો ફાળો છે? (૨) જૈન સંસ્કૃત સાહિત્યનો યુગદીઠ ફાલ શો છે ?
- એ સાહિત્યનાં વિવિધ અંગોનો વિકાસક્રમ કેવો છે ? (૪) એનો નિષ્કર્ષ કેવો છે ?
(અ) નિવેદન ઉત્થાનિકા- આ પૃથ્વી ઉપરના સમસ્ત જીવોમાં મનુષ્યો એની વાણી અને વિચારશક્તિને લઈને અગ્રસ્થાન ભોગવે છે. આ બે અમૂલ્ય સાધનોના સદુપયોગ દ્વારા એ સમગ્રવિશ્વનું કલ્યાણ કરી શકે એવું એનામાં સામર્થ્ય છે, પરંતુ એના આવિર્ભાવમાં બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા પણ જેવો તેવો ભાગ ભજવતી નથી.
સુયોગ- સામાન્ય મનુષ્યોનો વિચાર કરીશું તો જણાશે કે એની શક્તિનો વિકાસ એની ઐચ્છિક પ્રવૃત્તિને પલ્લવિત, પુષ્મિત અને ફલિત કરવા માટે કેવું સ્થાન મળે છે તે ઉપર આધાર રાખે છે. સૌ કોઇને સર્વદા આંતરિક યોગ્યતા અને માનસિક વલણ અનુસાર જ કાર્યો કરવાનાં મળે એવો સુયોગ સાંપડવો મહામુશ્કેલ છે. સદ્ભાગ્યે મારા જીવનના એક ક્ષેત્રમાં તો મને આ જાતનો સુયોગ ઓછેવત્તે અંશે પણ પ્રાપ્ત થયો છે.
ઐચ્છિક વિષય તરીકે “ગણિત’ પસંદ કરી બી.એ.ની પરીક્ષામાં અને આગળ જતાં એમ. એ. માટે પણ એ જ વિષય ચાલુ રાખી એ પરીક્ષામાં પણ હું ઉત્તીર્ણ થયો. પરીક્ષાની દૃષ્ટિએ તો ગણિતના અભ્યાસની આ પૂર્ણાહૂતિ ગણાય. મારું ગણિતનું જ્ઞાન કટાઈ ન જાય એટલું જ નહિ પણ એમાં હું ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકું એવો સુયોગ પણ મને એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તરત જ સને ૧૯૧૮માં ગણિતના અધ્યાપક તરીકે મુંબઈની વિલ્સન કૉલેજમાં મારી નિમણુંક થવાથી મળ્યો.
P-૧૪
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૬
[46]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P.૧૫
અભ્યાસ- ગણિતશાસ્ત્ર એ વિચારશક્તિને વ્યવસ્થિત, વિકસિત અને કેન્દ્રિત કરવામાં સબળ ફાળો આપે છે. આથી ગણિતજ્ઞને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં વિહરવું સુગમ થઈ પડે છે. ગમે તેમ પણ મને આ ક્ષેત્રે પ્રથમથી જ આકર્ષ્યા છે, એને લઈને “શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીનું મુંબઇમાં ચાતુર્માસ થતાં એમના વિદ્વાન શિષ્યોના-ખાસ કરીને “ચાયતીર્થ”
ન્યાયવિશારદ' ઉપાધ્યાય સ્વ.મંગળવિજયજી અને “ન્યાયવિશારદ' “ન્યાયતીર્થ' મુનિરાજશ્રી ન્યાયવિજયજીના જ્ઞાનનો આ દિશામાં મેં લાભ લીધો. એથી હું તત્ત્વજ્ઞાન અને સાહિત્યના વિશિષ્ટ અને સમુચિત અભ્યાસ માટે શ્રીગણેશ માંડી શક્યો.
સને ૧૯૨૩માં “મુંબઈ વિદ્યાપીઠ” તરફથી ગણિતશાસ્ત્રને અંગે સંશોધનદાન (Research grant) મળતાં જૈન સાહિત્ય વિષે વિચારવાની મને અમૂલ્ય તક મળી. સાથે સાથે એ અરસામાં ઉપર્યુક્ત ન્યાયવિજયજીની ન્યાયકુસુમાંજલિના અંગ્રેજી અને ગુજરાતી અનુવાદો તેમજ સ્પષ્ટીકરણો તૈયાર કરવાનો લાભ મળતાં હું કલમ પકડતાં શીખ્યો.
યોગ્યતા–મારા અભ્યાસને દઢીભૂત કરવા માટે અને એનો યથેષ્ટ વિકાસ સાધવા માટે મેં એક પછી એક નાની મોટી કૃતિઓ તૈયાર કરવા માંડી. તેમ થતાં જૈન સાહિત્યથી ધીમે ધીમે વધારે ને વધારે પરિચિત બનતો ગયો. અનેકવિધ ભાષાઓમાં રચાયેલા આ વિશાળ ક્ષેત્રને પહોંચી વળવા માટે મારામાં બળ હતું નહિં. પરંતુ મારી પરિસ્થિતિએ મને પુણ્યપત્તન (પૂના)ના “ભાંડારકર પ્રાચ્યવિદ્યા-સંશોધન-મંદિર” દ્વારા મુંબઈ સરકારની માલિકીની પાંચેક હજાર જૈન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત અને વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરવા જેવું ભગીરથ કાર્ય ઉપાડવા પ્રેર્યો. આનું પરિણામ એ આવ્યું કે હું જૈન સાહિત્યના ઇતિહાસની આછી રૂપરેખા આલેખવા જેટલી શક્તિ મેળવી શક્યો. તેમ થતાં મેં જૈન સાહિત્યને “આગમિક' અને “અનાગમિક' એમ બે વર્ગમાં વિભક્ત કરી પ્રથમ વર્ગને અનુલક્ષીને એનો ઇતિહાસ અંગ્રેજીમાં આલેખ્યો, અને “મુંબઇ વિદ્યાપીઠ” તરફથી પ્રકાશનદાન (Publication grant) મળતાં એ સને ૧૯૪૧માં મેં પ્રસિદ્ધ પણ કર્યો. આ કાર્ય થતું હતું. તે દરમ્યાન અનાગમિક સાહિત્યનો પણ અંગ્રેજીમાં ઇતિહાસ રચવા માટેની સામગ્રી હું તૈયાર કરતો ગયો. આ ઇતિહાસનું કાર્ય તો આજે કેટલાંયે વર્ષો થયાં પૂરું થયું છે, પરંતુ એના પ્રકાશન-ખર્ચને પહોંચી વળવા જેવી મારી આર્થિક પરિસ્થિતિ નહિ હોવાથી એ આજે તો અપ્રકાશિત છે. આ કાર્ય ઉપાડી લેવા માટે મેં વિવિધ સંસ્થાઓને પત્રો લખ્યા તેમજ જૈન કોમને ઉદેશીને લેખ પણ લખ્યો, પરંતુ અત્યાર સુધી તો એના પ્રકાશન માટે કશો પ્રબંધ થયો નથી. એથી મને સ્વાભાવિક રીતે થોડોક તો ખેદ થાય જ ને? વિશેષ ખેદ તો એ થાય છે કે મુંબઈ વિદ્યાપીઠે આ પુસ્તક અંગે પ્રકાશન-દાન આપવાની બબ્બેવાર ઇચ્છા દર્શાવી છતાં તેનો હું લાભ લઇ શકયો નથી.
અનાગમિક સાહિત્યના ઇતિહાસ માટે મેં લીધેલો પરિશ્રમ સર્વથા નિષ્ફળ ગયો નથી એ આનંદની વાત છે, કેમકે એમાં પીરસેલી સામગ્રીનો થોડોક ઉપયોગ પાઇય (પ્રાકૃત) ભાષાઓ અને
P-૧૬
૧. આનું નામ “અનાગમિક સાહિત્યનો ઈતિહાસ છે. એ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ.-૪૭ અં.૧૦)માં
પ્રસિદ્ધ કરાયો છે. ૨. આના પ્રકાશનનો તમામ ખર્ચ મેં પૂરો પાડ્યો છે, જોકે પ્રકાશક તરીકે મારું નામ નથી.
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[47] ૪૭
સાહિત્ય નામના મારા પુસ્તકમાં તેમજ આ પ્રસ્તુતમાં પણ કરી શક્યો છું. એવી રીતે આગમોનું દિગ્દર્શન નામનું મારું પુસ્તક પણ મને પ્રસ્તુત પુસ્તક લખવામાં અંશતઃ ઉપયોગી નીવડ્યું છે.
‘પાઇય’ના અર્થની વ્યાપક્તા–જૈન સાહિત્યના પાઇય, સંસ્કૃત અને દ્રાવિડ એમ ભાષાદૃષ્ટિએ મુખ્ય ત્રણ ખંડો પડે છે. ‘પાઇય’નો અર્થ વ્યાપક સ્વરૂપે વિચારાય તો એ ભાષાથી મરટ્ઠી (માહારાષ્ટ્રી), સોરસેણી (શૌરસેની), માહી (માગધી), પેસાઇ (પૈશાચી), અને ચૂલિયાપેસાઇ (ચૂલિકાપૈશાચી) એ પાંચ જ કે એ ઉપરાંત અવઢ (અપભ્રષ્ટ) નામની છઠ્ઠી ભાષા કે પાલિ શુદ્ધાં સમજવાની છે એમ નહિ, P-૧૭ પરંતુ આપણા દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓ સુધી એના ક્ષેત્રનો વિસ્તાર છે.
પાલિ અને પ્રાદેશિક ભાષાઓને બાદ કરતાં અન્ય ભાષાઓમાં રચાયેલી કૃતિઓ વિષે મેં ઉપર્યુક્ત બે પુસ્તકમાં વિચાર કર્યો છે અને એ દ્વારા અઢમાગહી (અર્ધમાગધી) વગેરે પાઇય ભાષામાં રચાયેલા સાહિત્ય પૂરતો સામાન્ય પરિચય તો હું જગત્ સમક્ષ રજૂ કરી શક્યો છું. આમ મેં પ્રથમ ખંડ માટે નમ્ર પ્રયાસ કર્યો છે.
બીજો ખંડ એટલે જૈન ગ્રન્થકારોએ સંસ્કૃત ભાષામાં સર્જેલું વિવિધ અને વિપુલ સાહિત્ય. આનો પરિચય થોડે ઘણે અંશે પણ આ પુસ્તક પૂરો પાડે છે. એ તૈયાર કરવાનું કામ “શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહન-માલા''ના કાર્યાધિકારી શ્રીલાલચંદ નંદલાલ વકીલ તરફથી તા. ૬-૮'-૫૨ ને રોજ સોંપાયું હતું અને મેં તમામ લખાણ તા. ૧૬-૧૨’-૫૩ને રોજ એમને પહોંચતું કર્યું હતું. ગયે વર્ષે સપ્ટેમ્બર માસમાં એનું મુદ્રણ કાર્ય શરૂ કરાયું હતું.
મને
અભિલાષા–ત્રીજો ખંડ દ્રાવિડભાષામાં ગુંથાયેલા સાહિત્યને લગતો છે એટલે એનો ઇતિહાસ તો હું સ્વતન્ત્રપણે હાલ તુરંત આલેખી શકું તેમ નથી. આથી અત્યારે તો મારે પ્રાદેશિક ભાષાઓમાંખાસ કરીને ગુજરાતીમાં રચાયેલી જૈન કૃતિઓનો વિષયદીઠ ઇતિહાસ તૈયાર કરવાનું કામ બાકી રહે છે. આ માટે ઉપયોગી થઇ પડે એવા મારા કેટલાક લેખો પ્રસિદ્ધ થયા છે અને કેટલાક છપાયા વિનાના મારી પાસે છે. આ તેમજ બીજી આવશ્યક સામગ્રી એકત્રિત થતાં આ ઇતિહાસનું કાર્ય પણ કરી શકાય. જો આ સંસ્થા કે અન્ય કોઇ એનો પ્રકાશનાર્થે પ્રબંધ કરવા તૈયાર થશે તો એ હું સાનંદ હાથ ધરીશ. યોજના- પ્રસ્તુત પુસ્તક મેં બે ખંડમાં વિભક્ત કર્યું છે અને એનાં સાર્વજનીન સાહિત્ય' અને “ધાર્મિક સાહિત્ય” એવાં નામ અનુક્રમે યોજ્યાં છે. “સાર્વજનીન” શબ્દ જ સૂચવે છે તેમ આ ખંડમાં રજૂ કરાયેલા વિષયો સૌ કોઇને માટેના છે તેમજ સૌ કોઇને ઉપયોગી થાય તેવા છે. એમાં સાંપ્રદાયિકતાને માટે અવકાશ નથી. આમ એ બિનસાંપ્રદાયિક (secular) છે. બાકી એ વાત તો સાચી છે કે લેખકની પોતાની ધાર્મિક માન્યતાઓનું આછું પ્રતિબિમ્બ તો કોઇપણ કૃતિમાં પ્રકટ કે પ્રચ્છન્ન સ્વરૂપે પ્રાયઃ પડે જ.
"(
૧. આના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ મેં પૂરો પાડ્યો છે.
૨. ‘કલિકાસર્વજ્ઞ’હેમચન્દ્રસૂરિએ સિદ્ધહેમચન્દ્ર (અ.૮, પા. ૧, સૂ.૩)માં આ ભાષાને ‘આર્ષ પ્રાકૃત' કહી છે. ૩. ‘દ્રાવિડ'થી કાનડી, તામિલ, તેલુગુ અને મલયાલમ એ ચાર ભાષા ગણાવાય છે. પ્રો. એ. ચક્રવર્તીએ "Jaina Literature in Tamil" નામનો નિબંધ લખ્યો છે અને એ જૈન સિદ્ધાંત ભવન'' તરફથી આરાથી ઇ. સ. ૧૯૪૩માં છપાવાયો છે.
૪. “સાર્વજનીન''નો અર્થ સર્વજનોને હિતકારી એવો પણ થાય છે પણ એ અર્થ અહીં સર્વાંશે અભિપ્રેત નથી. અહીં તો સાર્વજનિક એ અર્થમાં મેં આનો પ્રયોગ વિશેષતઃ કર્યો છે.
For Personal & Private Use Only
P-૧૮
www.jalnelibrary.org
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૮ [48]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ સાર્વજનીન સાહિત્ય એ સર્વદેશીય સાહિત્ય છે અને એમ હોવાથી એમાં નીચે મુજબનાં શાસ્ત્રોને મેં સ્થાન આપ્યું છે.'
વ્યાકરણ, કોશ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર), નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, કામશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, સ્થાપત્ય, મુદ્રાશાસ્ત્ર, વૈદક, પાકશાસ્ત્ર, વિજ્ઞાન અને નીતિશાસ્ત્ર.
આ બધાં શાસ્ત્રો લાક્ષણિક સાહિત્યનાં અંગો ગણાય છે. એને અંગ્રેજીમાં "Technical Sciences" કહે છે.
સમગ્ર સાહિત્યમાંથી સાર્વજનીન સાહિત્ય બાદ કરતાં બાકી જે રહે તેને મેં અસાર્વજનીન કે એકદેશીય કે સાંપ્રદાયિક ન કહેતાં ‘ધાર્મિક' કહ્યું છે. “સાંપ્રદાયિક' એવો પ્રયોગ ખોટો નથી, પણ P-૧૯ કેટલાકને એમાં અન્ય પ્રકારની ગંધ આવે છે. એથી મેં એ જતો કર્યો છે. ધાર્મિક સાહિત્યમાં પ્રાય:
વિષયની મહત્તાની અપેક્ષાએ એમાં એના લેખકની ધર્મભાવનાનું વર્ચસ્વ વિશેષ હોય છે. એ લેખકને જે ધર્મ પ્રિય છે- આત્મોન્નતિ માટે એને જે માર્ગનું દર્શન કરાવવું ઉચિત જણાયું છે તે માર્ગને સચોટ રીતે રજૂ કરવાની એની પ્રબળવૃત્તિ હોય છે. આમ એ સાહિત્યધાર્મિક છે એટલે એ સર્વદેશીય નહિ પણ એકદેશીય છે અને સાંપ્રદાયિક છે, કેમકે ભિન્ન વાતાવરણમાં ઉછરેલા અને અન્ય માર્ગે મુક્તિ મેળવવાનો મનોરથ સેવનારને જૈનમાર્ગ રુચિકર ન જણાય તો તેમાં નવાઈ નહિ.
આ ધાર્મિક સાહિત્ય” નામના દ્વિતીયખંડના મેં ચાર ઉપખંડ પાડ્યા છે. (૧) લલિત સાહિત્ય(Belles-Lettres), (૨) દાર્શનિક સાહિત્ય, (૩) અનુષ્ઠાનાત્મક સાહિત્ય અને (૪) અવશિષ્ટ સાહિત્ય. અન્ય રીતે વિચારતાં સમગ્ર ધાર્મિક સાહિત્ય”ના નવ વર્ગો પાડી શકાય.
(૧) શ્રવ્ય કાવ્યો, (૨) દશ્ય કાવ્યો (નાટકો ઇત્યાદિ), (૩) ઐતિહાસિક સાહિત્ય, (૪) દાર્શનિક સાહિત્ય, (૫) ઔપદેશિક (Didactic) સાહિત્ય, (૬) આધ્યાત્મિક સાહિત્ય, (૭) મંત્રશાસ્ત્ર અને કલ્પ, (૮) વિધિવિધાન (ક્રિયાકાંડ) અને (૯) પ્રકીર્ણક.
અહીં ‘શ્રવ્ય' કાવ્યોથી જિનચરિત્રો, પુરાણો અને અન્ય મહાકાવ્યો, કન્યાશ્રય-કાવ્યો, અને કસંધાનકાવ્યો, લઘુ-કાવ્યો, ખંડ-કાવ્યો, ચંપૂઓ અને સ્તુતિસ્તોત્રો તેમજ કથાઓ, ચરિત્રો અને પ્રબંધો સમજવાનાં છે.
ઐતિહાસિક સાહિત્યમાં ઐતિહાસિક પ્રબંધો અને વિજ્ઞપ્તિપત્રો ઉપરાંત શિલાલેખો વગેરે ઐતિહાસિક સામગ્રીનો સમાવેશ કરાયો છે.
દાર્શનિક સાહિત્યથી ખાસ કરીને ન્યાય અને તત્ત્વજ્ઞાન (દર્શનમીમાંસા) એ બે અભિપ્રેત છે. P-૨૦ સાહિત્યના (૧) લલિત અને (૨) લલિતેતર એમ પણ બે વિભાગ પડાય છે. તેમાં લલિત'
સાહિત્યથી શ્રવ્ય અને દશ્ય કાવ્યો, વાર્તાઓ ઇત્યાદિ સમજવાનાં છે, જ્યારે લલિતેતર સાહિત્યથી
૧. વ્યાકરણ ઈત્યાદિ લાક્ષણિક સાહિત્ય ઉત્કીર્ણ સ્વરૂપે જણાતું નથી એથી એના ઉપખંડ પડાયા નથી. ૨. આ બે વિભાગ પાડી એના ઉપપ્રકારોની સમજણ શ્રી. ઈશ્વરલાલ, ૨. દવેએ રચેલો અને સને ૧૯૫૨માં
પ્રકાશિત થયેલો ગુજરાતી સાહત્યિનો સંક્ષિપ્ત ઇતિહાસ (ભા. ૨, પૃ.૯) પૂરી પાડે છે. ૩. આમાં કથાઓ, ટુચકાઓ, નવલિકા, નવલકથા, મહાનવલ ઇત્યાદિનો સમાવેશ કરાય છે.
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
[49] ૪૯ ઇતિહાસ, તત્ત્વચિંતન, બોધપ્રધાન સાહિત્ય, ભાષા-શાસ્ત્ર ઇત્યાદિ સમજવાનાં છે. લલિત સાહિત્યમાં રસ કેન્દ્ર સ્થાને હોય છે અને એ કલ્પના, ઊર્મિ, સૌંદર્ય ઈત્યાદિ તત્ત્વો વડે શોભે છે.
જૈનોને હાથે સર્જાયેલા સંસ્કૃત સાહિત્યની વિશાળતાનો મને પૂરેપૂરો ખ્યાલ નહિ હોવાથી અને એવો ખ્યાલ આપનારું કોઈ વિશિષ્ટ સાધન પણ નહિ જણાયાથી એકબાજુ આ સાહત્યિના ઇતિહાસનું કલેવર ધારવા કરતાં વધારે વધી ગયું એથી અને બીજી બાજુ આ પુસ્તક એક જ હસે અને તે પણ સત્વર પ્રકાશિત કરવાનો પ્રબંધ થઈ શકે તેમ ન હતું એથી પૃ.૧-૪૮ છપાઈ જતાં એ ત્રણ હમે પ્રસિદ્ધ કરવાનું નક્કી કરાયું અને એને લઈને “અજૈન કૃતિઓનાં જૈન વિવરણો” નામનું જે અંતિમ પ્રકરણ હતું તેને, ત્રણે પરિશિષ્ટોને તેમજ આ ઉપોદ્ધાતના ખાસ કરીને મૂલ્યાંકનરૂપ અંશને ત્રણ ભાગોમાં વિભક્ત કરવાની યોજના હાથ ધરાઈ. એ યોજના મુજબ પ્રસ્તુત પુસ્તક ત્રણ વિભાગમાં પ્રસિદ્ધ થનાર છે. પ્રથમ વિભાગમાં “સાર્વજનીન સાહિત્ય' નામના પ્રથમ ખંડનો સોંશે સમાવેશ કરાયો છે. બીજા વિભાગમાં ધાર્મિક સાહિત્ય' નામના દ્વિતીયખંડના પ્રથમ ઉપખંડ નામે ‘લલિત સાહિત્યને સ્થાન અપાયું છે, અને ત્રીજા (અંતિમ) વિભાગમાં એ ખંડના બાકીના ઉપખંડોને લગતું નિરૂપણ રજૂ કરાયું છે.
જૈનોના “શ્વેતાંબર અને દિગંબર' એ બે વિભાગો આજે પણ મોજુદ છે અને સુપ્રસિદ્ધ છે, P૨૧ પરંતુ એક વેળા ‘પાપનીય' તરીકે ઓળખાવાતા જૈનો પણ હતા, એ ત્રણેના સાહિત્યનો પૃથક્ પૃથ૬ પરિચય ન આપતાં એ ત્રણેના સાહિત્યનો એક સાથે સામટો સૈકાદીઠ મેં વિચાર કર્યો છે. શ્વેતાંબરોનો, યાપનીયોનો તેમજ દિગંબરોનો ફાળો કેટકેટલો છે એ સહેલાઇથી જુદો જાણી શકાય તે માટે મેં પરિશિષ્ટમાં એ રીતે નોંધ લીધી છે.
જૈનોએ જે જાતજાતના વિષય પરત્વે કૃતિઓ સંસ્કૃત ભાષામાં રચી છે. એના મુખ્ય બે વિભાગો પાડી શકાય. (૧) મૂળ કૃતિઓ અને (૨) વિવરણાત્મક કૃતિઓ. બીજા વિભાગના ચાર પેટાવિભાગો પડાય.
(૧) જૈન સંસ્કૃતકૃતિઓ અંગેનાં સંસ્કૃત વિવરણો. (૨) જૈન પાઈયકૃતિઓ પરત્વેનાં સંસ્કૃત વિવરણો. (૩) અજૈન સંસ્કૃતકૃતિઓ ઉપરનાં સંસ્કૃત વિવરણો. (૪) એજૈન પાઠયકૃતિઓ પરત્વેનાં સંસ્કૃત વિવરણો.
આમ એકંદર પાંચ પ્રકારનું જે સંસ્કૃત સાહિત્ય જૈનોએ રચ્યું છે તેને કયા ક્રમે રજૂ કરવું એ પ્રશ્ન મને આ કાર્ય મેં સ્વીકાર્યું તેવામાં મૂંઝવતો હતો. એનું એક કારણ એ હતું કે જે અજૈન કૃતિઓ ઉપર જૈન વિવરણો મળે છે તે મૂળ પ્રકૃતિઓનો ખપ પૂરતો પરિચય તો જરૂર જ આપવો એવી પ્રકાશનસંસ્થા તરફથી મુનિશ્રી યશોવિજયજીએ દર્શાવેલી સબળ ઈચ્છાને મારે માન આપવાનું હતું.
૧. આને લઈને અંતિમ પ્રકરણનાં નિમ્નલિખિત ત્રણ પ્રકરણો પડાયાં છે
(અ) અજૈન લાક્ષણિક સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો. (આ) અજૈન સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો.
(ઇ) અજૈન દાર્શનિક સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો. ૨. વિચારો ગઉડવહની હરિપાલકૃત ટીકા અને સંહયરાસ નામની મુસ્લિમ કૃતિના વિવરણો. ૪ (ભા.૧)
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
P-૨૨
૫૦ [50]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ઉપર્યુક્ત પાંચ પ્રકારના સાહિત્ય પૈકી પાઇય કૃતિનાં સંસ્કૃત વિવરણોરૂપ બે પ્રકારને બાજુએ રાખતાં બાકીના ત્રણના ક્રમને અંગે નીચે મુજબના ત્રણ માર્ગ અને સૂર્યા હતા.
(૧) સૌથી પ્રથમ જૈન ગ્રન્થકારની મૂળ કૃતિનો પરિચય આપી સાથે સાથે જ એ વિષયની જે અજૈનકૃતિને લક્ષીને જે વિવરણાત્મક સાહિત્ય એમણે યોર્યું હોય તેનો વિચાર કરવો અને એ રીતે પ્રત્યેક વિષયનું તે ગ્રન્થકાર પૂરતું સળંગ વક્તવ્ય રજૂ કરવું.
(૨) પ્રકરણના બે વિભાગો પાડી બીજા વિભાગમાં અજૈનકૃતિના વિવરણાત્મક સાહિત્યનો ઉલ્લેખ કરવો. | (૩) વિવિધ વિષયોને લગતી જે જે અજૈનકૃતિઓ ઉપર જૈન વિવરણો છે તેનો પુસ્તકનાં અંતમાં એક સામટો એક સ્વતંત્ર પ્રકણરૂપે પૂર્વે ચર્ચાયેલા વિષયના ક્રમે વિચાર કરવો.
અહીં જે ત્રણ માર્ગ સૂચવાયા છે તે પૈકી પ્રથમ માર્ગ ગ્રહણ કરાય તો અજૈનકૃતિઓનો સંક્ષિપ્ત પરિચય તે સ્થળે આપવાની વાત તો જતી કરવી પડે. નહિ તો આ પુસ્તકની યોજના પાછળનો આશય યથાયોગ્ય સ્વરૂપે જળવાઈ ન રહે અને જૈનોનો અજૈનકૃતિઓને અંગે જે મહત્ત્વનો ફાળો છે તેનો ભાગ્યે જ ખ્યાલ આવે.
બીજો માર્ગ પસંદ કરાય તો તેમાં બે વાંધા આવે. (૧) કાલક્રમે વિષયની અખંડિતતા જળવાઈ ન રહે અને (૨) જૈનોનો અજૈનકૃતિઓને અંગેના ફાળાનો ખ્યાલ તો આવે પણ એ કટકે કટકે રજૂ થતો હોવાથી એનો એકદમ પરિપૂર્ણ ખ્યાલ ન આવે.
ત્રીજો માર્ગ સ્વીકારવાથી જૈનોનો ફાળો તો સમગ્રપણે જોવા જાણવાની તક મળે પરંતુ “જૈન” અને “જૈન” એવા સાહિત્ય અંગે પણ ભેદો પડાય તેનું શું ? એવો પ્રશ્ન કોઈ ઉઠાવે. આનો ઉત્તર એ છે કે એ ભેદો તો સમગ્ર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખનાર ન પાડે તો હજી ચાલે, પરંતુ પ્રસ્તુત પુસ્કનું નામ જ અને ઉદેશ કહી આપે છે તેમ એ બે ભેદો તો જૈનોના ફાળાના મૂલ્યાંકન અંગે જરૂરી જ છે એટલે પાડવા જ પડે. આમ આનું સમાધાન થઈ શકે એટલે પહેલા બે માર્ગ કરતાં આ ત્રીજો માર્ગ સમુચિત જણાય છે.
આમ એક યા બીજી રીતની જે આપત્તિ ત્રણે માર્ગ માટે સૂચવી શકાય તેનો તોડ મેં એમ કાઢ્યો છે. કે કોઈપણ વિષયનો સળંગ પરિચય આપતી વેળા જે અજૈનકતિને અંગે વિવરણાત્મક સાહિત્ય હોય તેની તેના પ્રણેતાના ઉલ્લેખ વેળા નોંધ કરવી, પરંતુ મૂળકૃતિના નામોલ્લેખ ઉપરાંત એ વિષે વિશેષ કશું ત્યાં ન કહેતાં અજૈન કૃતિઓનાં જૈન સંસ્કૃત વિવરણોને અંગે લખાયેલ સ્વતંત્ર પ્રકરણ જોઈ લેવાની ભલામણ જરૂર જણાય તો ટિપ્પણ દ્વારા કરવી.
આ પુસ્તકમાં જે સાહિત્ય રજૂ થયું છે તેની ભાષાના સંસ્કૃત અને પાઇય એ બે ભેદને લઈને વિવરણોના બે પ્રકારો પડે છે. (૧) સંસ્કતકૃતિઓનાં સંસ્કૃત વિવરણો અને (૨) પાઠયકૃતિઓનાં સંસ્કૃત વિવરણો. આ બંનેનું નિરૂપણ ભેગું આપવું કે કેમ એ પ્રશ્ન પણ પ્રસ્તુત પુસ્તકની યોજના વિચારતાં ઉપસ્થિત થયો હતો. એનો તોડ મેં એવો કાઢ્યો છે કે બંનેને પૃથસ્થાન આપવું જેથી ચંદ્રર્ષિ અને શીલાંકસૂરિ જેવાને એ દ્વારા સ્થાન મળી રહે, કેમકે આ સૂરિઓની એક સંસ્કૃત સ્વતંત્ર રચના કે સંસ્કૃત ગ્રન્થના વિવરણરૂપ રચના હજી સુધી તો મળી આવી નથી. આને લઇને “જૈન
P-૨૩
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[51]
૫૧
પાઈયકૃતિઓનાં સંસ્કૃત વિવરણો” એ નામથી મેં એક પૃથક્ પ્રકરણ રચ્યું છે, અને એ વિવરણોનો ઉલ્લેખ પર્વેનાં પ્રકરણોમાં યથાસ્થાન તે તે પાઇયકતિઓના વિવરણકારનો સૈકો વિચારતી વેળા શક્ય હતું ત્યાં કર્યો છે. જૈનોનાં સંસ્કૃત વિવરણોથી વિભૂષિત અજૈન પાઠયકૃતિઓ ગણીગાંઠી છે, અને તે પણ કાવ્યોને અંગેની જ હોય એમ લાગે છે. આથી એને માટે સ્વતંત્ર પ્રકરણ ન યોજતાં મેં “અજૈન “લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો” નામના પ્રકરણમાં એનો સમાવેશ કર્યો છે. સંસ્કૃત કાવ્યોનો વિષય પૂર્ણ થતાં એના પછી આને સ્થાન આપ્યું છે.
આ પુસ્તકનો વિષય જૈન સંસ્કૃત સાહિત્ય છે એટલે એમાં સમસંસ્કૃત કૃતિઓનું નિરૂપણ P-૨૪ તો હોય જ અને છે, પરંતુ એવી પણ કેટલીક જૈનકૃતિઓ છે કે જે સંપૂર્ણતયા સંસ્કૃતમાં નથી. આવી કૃતિઓમાં (૧) અર્ધસંસ્કૃત, (૨) સંસ્કૃત વગેરે અનેક (બે કરતાં વધારે) ભાષાઓમાં રચાયેલી કૃતિઓ એટલે કે અનેકભાષાત્મક (Poly-glot) કૃતિઓ, (૩) ચૂણિઓ અને (૪) મુખ્યતયા પાઇપમાં રચાયેલી પરંતુ કોઇ કોઇવાર, સંસ્કૃતિમાં કંડિકાઓ રજૂ કરતી કૃતિઓનો-ધવલા વગેરેનો સમાવેશ થાય છે. આ ચારે જાતની કૃતિઓ પૈકી છેલ્લી બે જાતની કૃતિઓને મેં અહીં સ્થાન આપ્યું નથી.
રે પહેલી બેના વિચાર માટે મેં સ્વતંત્ર પ્રકરણ ન યોજતાં એનો યથાસ્થાન નિર્દેશ કર્યો છે. કેમકે એની સંખ્યા અલ્પ છે અને એનો સંબંધ કાવ્યો સાથે-મુખ્યતયા સ્તુતિસ્તોત્રો સાથે છે. તેમ છતાં આની એક સળંગ નોંધ હોય તો સારું એમ વિચારી સમસંસ્કૃત અર્ધસંસ્કૃત અને અનેકભાષાત્મક કૃતિઓની ક્રમવાર સૂચી બીજા વિભાગમાં મેં આપી છે.
લલિત સાહિત્યના નિરૂપણને અંગે મને જે ચાર પ્રશ્નો સ્કૂર્યા હતા અને એનો મેં જે તોડ કાઢ્યો હતો તે બાબતને પ્રસ્તુત પુસ્તક ત્રણ વિભાગમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી થતાં મેં અહીંથી જતી કરી દ્વિતીય વિભાગના ઉપોદ્યાતમાં સ્થાન આપ્યું છે.
સાધ્ય અને સાધન- સાહિત્યની સૃષ્ટિનાં બે મુખ્ય અંગ છે. (૧) સાહિત્યનું સર્જન અને (૨) એને માટેના આવશ્યક બોધની સામગ્રી. આમાં સામગ્રીરૂપ સાહિત્યને એક રીતે સાધ્યની કોટિમાં મૂકી શકાય તો બીજી રીતે વિચારતાં એને સાધનની કોટિમાં સ્થાન અપાય. આથી એમ કહી શકાય કે વ્યાકરણ, કોશ, છંદ અને અલંકારને અંગેના ગ્રન્થો એ સાધ્ય તેમજ સાધન બંનેની ગરજ સારે છે અને તેમ હોવાથી-એ સાધનરૂપ હોવાથી પ્રસ્તુત સાહિત્યના ઈતિહાસમાં મેં એનાથી શરૂઆત કરી છે.
વિજ્ઞાન' નામના પંદરમાં પ્રકરણમાં વિવિધ વિષયોને લગતી કૃતિઓ આપતી વેળા મેં વિષયની પ્રાયઃ મહત્તા કે વ્યાપકતાને લક્ષ્યમાં રાખી વિષયોનો ક્રમ ગોઠવ્યો છે અને એ ક્રમ લક્ષ્મીને કાલક્રમ રાખ્યો છે. એમાં મેં એક જ વિષયની કૃતિઓનો એકસાથે પરિચય આપ્યો છે.
સત્તરમાં (અંતિમ) પ્રકરણમાં વ્યાકરણના સૂત્રોથી ગર્ભિતકૃતિઓને તેમજ અમરકોશના આદ્ય પદ્યની પૂર્તિરૂપ કૃતિને પણ મેં સ્થાન આપ્યું છે, જો કે આ કૃતિઓ તે તે મૂળ અજૈન ગ્રન્થોનાં વિવરણરૂપ નથી. આનાં ત્રણ કારણ છે
(૧) આ પ્રકારની કતિઓની સંખ્યા ગણીગાંઠી છે.
(૨) આ કૃતિઓનું પરિમાણ અલ્પ છે. ૧. આ જાતની કૃતિઓની નોંધ મેં પાઈપ (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (પૃ.૨૧૫-૨૧૮)માં લીધી છે.
P-૨૫
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
P-૨૬
પર [52]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (૩) આ કૃતિઓ કંઈ કોઈ લલિત કાવ્યની પાદપૂર્તિરૂપ નથી કે જેથી એ સાહિત્યના નિરૂપણના પ્રસંગે એનો વિચાર કરી શકાય.
ત્યાશ્રય-કાવ્ય- કેટલાક જૈન ગ્રંથકારોએ ભટ્ટિકાવ્યની જેમ લ્યાશ્રય-કાવ્ય રચ્યાં છે અને એ દ્વારા વ્યાકરણના વિષયને સ્થાન આપ્યું છે. આ પરિસ્થિતિમાં એ પ્રશ્ન કોઇ ઉઠાવે કે આ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત ન્યાશ્રયકાવ્યને અને સત્તરમાં પ્રકરણમાં જિનપ્રભસૂરિકૃત વેચાશ્રયકાવ્યને કેમ સ્થાન અપાયું નથી? આનો ઉત્તર એ છે કે આ જાતનાં કાવ્યોમાં વ્યાકરણ ઉપરાંત કાવ્યતત્ત્વ પણ અગ્રસ્થાન ભોગવે છે એટલે એકીવખતે તો ગમે તે એકને જ પ્રાધાન્ય આપી એનો પરિચય આપી શકાય. વિશેષમાં આ કૃતિઓનાં નામમાં “કાવ્ય' એવો અંશ જોડી એનો જેમ વ્યવહાર કરાય છે તેમ વ્યાકરણ જોડીને કરાતો નથી. વળી કાવ્યોના પરિચય માટે દ્વિતીયખંડનો પ્રથમ ઉપખંડ છે જ એટલે અહીં એ યાશ્રય-કાવ્યોનો પરિચય આપ્યો નથી. તેમ છતાં જો આ ન્યૂનતા જ જણાતી હોય તો આ ઉપાદ્યાત દ્વારા એની હું નોંધ તો લઉં છું.
ઐવિધગોષ્ઠી- આ કૃતિ વ્યાકરણ, છંદ, કાવ્યશાસ્ત્ર અને તર્ક એમ ચાર વિષયોને સ્પર્શે છે એટલે એનો પરિચય અહીં કે દ્વિતીયખંડના દ્વિતીય ઉપખંડમાં આપી શકાય. આ બે વિકલ્પમાંથી મેં બીજો વિકલ્પ સ્વીકાર્યો છે, કેમકે આ કૃતિમાં તત્ત્વનું-દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપનું નિરૂપણ સૌથી વધારે પ્રમાણમાં છે. તેમ છતાં બાકીના ત્રણ વિષયની સંક્ષિપ્ત રૂપરેખા તો પૃ. ૩૦૧-૩૦૨, ૩૦૪ અને ૩૦પ-૩૦૬ મેં આલેખી છે.
કૃતિઓના પરિચયની પદ્ધતિ- આ પુસ્તકમાં મેં જે વિવિધ કૃતિઓનો પરિચય આપ્યો છે તેમાં સ્વતન્ત્ર જૈનકૃતિનો પરિચય આપતી વેળા મેં સૌથી પ્રથમ એનાં નામાંતર હોય તો તે સાથે સાથે દર્શાવી એના રચના સમયનો-એના ગ્રંથકારે નિર્દેશેલા કે કામચલાઉ અનુમનાયેલા સમયનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ એના કર્તાનું નામ મળતું હોય તો તેનો નિર્દેશ કરી એમના ગુરુ વગેરેની અને સાંસારિક સંબંધી માહિતી જાણવામાં હોય તો તેની તેમજ એમની અન્ય કૃતિની નોંધ લીધી છે. અમુક અમુક ગ્રન્થકારની કૃતિઓની સંખ્યા ઘણી મોટી હોય એવે પ્રસંગે મેં એ કૃતિઓનાં નામ ગણાવ્યાં નથી, કેમકે તેમ કરવા જતાં એ પૈકી જેટલી કૃતિઓ પ્રકાશિત થયેલી હોય તેની નોંધ મારે મેં સ્વીકારેલી પદ્ધતિ અનુસાર ટિપ્પણીમાં કરવી પડે અને એમ કરવા જતાં તો ગ્રન્થના મૂળ લખાણ અને ટિપ્પણીનું સમતોલપણું જળવાઈ ન રહે.
ગ્રન્થકાર વિષે પરિચય આપ્યા બાદ એની પ્રસ્તુત કૃતિના બાહ્ય કલેવરનો-એના શાબ્દિક
P-૨૭
૧. આ સિદ્ધહેમચંદ્ર નામના વ્યાકરણમાંના સંસ્કૃત અને પાઇય ભાષાને લગતા નિયમો ઉપર પ્રકાશ પાડે છે.
સાથે સાથે એ [મૂલરાજથી માંડી] “પરમાત’ કુમારપાલને અંગે માહિતી પૂરી પાડે છે. ૨. આ કાતંત્ર વ્યાકરણની દુર્ગસિંહે રચેલી વૃત્તિના સ્પષ્ટીકરણની ગરજ સારે છે. એમાં શ્રેણિકનારેશ્વરનું ચરિત્ર
આલેખાયું છે. ૩. નામ અને ભાષા એ પણ શાબ્દિક સ્વરૂપનાં અંગ છે.
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[53]
૫૩
સ્વરૂપનો એટલે કે એનાં પરિમાણ, વિભાગ અને રચના-શૈલીનો અને ત્યાર પછી એના આંતરિક કલેવરનો-આર્થિક સ્વરૂપનો અર્થાત્ એનાં વિષય, સંતુલન વિવરણ ઇત્યાદિનો મેં વિચાર કર્યો છે.
વિવરણાત્મક સાહિત્યનો મૂળકૃતિ સાથે ઘણો ગાઢ સંબંધ હોવાથી મૂળકૃતિની સાથે સાથે જ, નહિ કે કાલાનુક્રમે પૃથક્ વિચાર કરાયો છે.
ટિપ્પણમાં પ્રકાશનને અંગે અને સાક્ષીરૂપે કંઈ લખાણ હોય તો તેનાં નામ, સ્થળ ઈત્યાદિ વિષે મેં નોંધ લીધી છે.
પ્રકાશનો- કેટલાક જૈન ગ્રંથ એક જ વ્યક્તિ કે સંસ્થાતરફથી ફરી ફરીને પ્રકાશિત કરાયા છે તો કેટલાક જૈન ગ્રંથનાં સંસ્કરણોના પ્રકાશક ભિન્ન-ભિન્ન છે. આમ જે કેટલાક ગ્રન્થ એક કરતાં વધારે વાર છપાયા છે એ દરેકની નોંધ કરવા માટે તે તે પ્રકાશન જોવા જાણવા મળે તેમ નહિ હોવાથી તેમજ આ પુસ્તકની મર્યાદા ઇત્યાદિ જોતાં એની આવશ્યકતા પણ નહિ જણાયાથી ઘણી ખરી વાર કોઈ એક જ પ્રકાશનની નોંધ લઈ મેં સંતોષ માન્યો છે. કેટલાક ગ્રંથો પ્રકાશિત હોવા છતાં તેના પ્રકાશનાદિનો ઉલ્લેખ અહીં ન થયો હોય એમ બનવા જોગ છે, કેમકે મુદ્રિત જૈન ગ્રન્થોનું વિગતવાર અદ્યતન સૂચીપત્ર પ્રસિદ્ધ કરાયું હોય એમ જણાતું નથી એટલું જ નહિ, પણ કેટલીયે જૈન સંસ્થાઓએ પોતપોતાનાં સૂચીપત્રો પણ સાહિત્યના ઇતિહાસ માટે કામ લાગે એવાં પ્રકાશિત કરેલાં જણાતાં નથી. આ પરિસ્થિતિમાં નિમ્નલિખિત પુસ્તકોની હું નોંધ લઉં છું.
(૧) Essai de Bibliographie Jaina આ ફ્રેન્ચ કૃતિના રચનાર ડૉ. એ. ગેરિનો (Guerinot) છે. એમાં ઇ. સ. ૧૮૯૫ સુધીમાં છપાયેલાં જૈન પુસ્તકોની માહિતી અપાઈ છે.
(૨) શ્રીશ્વેતાંબરીય જૈનગ્રન્થ માર્ગદર્શક (જૈન ગ્રન્થગાઈડ-આની યોજના શ્રીવિજયાનન્દસૂરિજી (આત્મરામજી મહારાજ)ના શિષ્ય ઉપાધ્યાય વીરવિજયજીના શિષ્ય વિનયવિજયજીએ કરી છે. એમાં એમણે પપ ગ્રન્થોનો પરિચય આપ્યો છે અને એમાં આલેખાયેલા લગભગ ૪૭૫ વિષયોનો એમણે ઉલ્લેખ કર્યો છે. વળી એમણે ગ્રન્થના કર્તા, પ્રકાશન, પ્રકાશનસ્થળ ઇત્યાદિની પણ નોંધ લીધી છે.
(૩) મુદ્રિત જૈન શ્વેતાંબરાદિ ગ્રન્થ નામાવલિ (ગાઇડ)-આના યોજક શ્રીવર્ધમાન સ્વરૂપચંદ છે. આ કૃતિમાં સંસ્કૃત, પાઇય, ગુજરાતી વગેરે ભાષામાં રચાયેલાં ત્રણેકહજાર પુસ્તકોની અને કેટલાક નકશાની નોંધ છે. વિશેષમાં ડૉ.ગેરિનોના ઉપર્યુક્ત પુસ્તકમાં જે ગ્રંથકારો અને ગ્રન્થોનો ઉલ્લેખ છે તે બંનેની અલગ અલગ સૂચી અપાઈ છે. આ ઉપરાંત એ ફ્રેન્ચ વિદ્વાનની કૃતિ નામે Repertoire de Epigraphie Jaina આધારે કયા નગર કે ગામના કેટલા શિલાલેખ ઈ. સ. ૧૮૯૫ સુધીમાં છપાયા છે તેની અહીં નોંધ લેવાઈ છે.
P.૨૮
૧. આ કૃતિ “જૈન આત્મનન્દ સભા” એ ભાવનગરથી ઇ. સ. ૧૯૧૪માં પ્રસિદ્ધ કરી છે. ૨. આ કૌસગત લખાણ મૂળ લેખકનું છે, મારું નથી. ૩. આ કૃતિ “શ્રીમદ્ બુદ્ધિસાગર ગ્રંથમાલા”ના ગ્રંથાંક ૧૦૬ તરીકે “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડલ” તરફથી
ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઇ છે. ૪. આ કૌંસગત લખાણ મૂળ લેખનું છે.
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૪
[54]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P.૨૯
P-૩૦
(8) Jinaratnakos'a [An Alphabetical Register of Jaina Works & Authors Vol. 1) આ પુસ્તક પ્રો. હરિ દામોદર વેલણકરે અંગ્રેજીમાં રચ્યું છે. એમાં એમણે જૈનોના મુખ્યતયા સંસ્કૃત અને પાઇયમાં રચાયેલા પ્રકાશિત તેમજ અપ્રકાશિત ગ્રન્થોની અકારાદિ ક્રમે નોંધ લીધી છે. પ્રકાશિત ગ્રંથો માટે પ્રકાશકના નામ, પ્રકાશનવર્ષ ઇત્યાદિનો અને અપ્રકાશિત ગ્રન્થોની હાથપોથીઓ માટે ભંડારોનો એમણે ઉલ્લેખ કર્યો છે.
માનાર્થ પ્રયોગ- આજથી સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા ગ્રન્થકારો, રાજમહારાજાઓ વગેરેને અંગે કેટલાક વિદ્વાનો તરફથી સામાન્ય રીતે એકવચનનો પ્રયોગ કરાતો જોવાય છે. મેં ગ્રન્થકારો પૂરતી તો આ પ્રથા અપનાવી નથી અર્થાત્ એમને વિષે મેં માનાર્થે બહુવચનનો પ્રયોગ કર્યો છે અને એ દ્વારા મેં એમના પ્રત્યેનો મારો આદર તેમજ એમની કૃતિ પ્રત્યેનો મારો અનુરાગ વ્યક્ત કર્યો છે.
આધુનિક શ્રમણવર્ગ મોટે ભાગે જૈન મુનિવરોનાં નામ આગળ “શ્રી” શબ્દ યોજે છે. આ સંબંધમાં મેં આ શબ્દ વિદ્યમાન તેમજ આજથી લગભગ અડધા સૈકાની અંદર કાલધર્મ પામેલા મુનિવરો માટે યોજ્યો છે. બાકી એથી પ્રાચીન મુનિવરોનો નિર્દેશ કરતી વેળા મેં એ શબ્દ વાપર્યો નથી. તેમ છતાં એમને અંગેનું મારું બહુમાન એક યા બીજી રીતે દર્શાવવા મેં પ્રયાસ કર્યો છે.
“શ્રી”- કેટલીવાર મુનિવરોનાં નામમાં “શ્રી” એ માનાર્થક શબ્દ નહિ હોઈ એમના અંશરૂપે એ જોવાય છે. જેમકે શ્રીચંદ્ર. આજે એનો એ પ્રમાણે નિર્ણય કરવામાં કોઇ કોઇવાર મુશ્કેલી નડે છે એટલે આવા સંયોગમાં “શ્રી” શબ્દ નહિ વાપરવાનો મારો નમ્ર મત આવકાર્ય ગણાશે.
આ પુસ્તકને બને તેટલે અંશે પરિપૂર્ણ અને ઉપયોગી બનાવવાના હેતુથી મેં ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. (૧) ગ્રંથકારોની સૂચી, (૨) ગ્રંથોની અને લેખોની સૂચી અને (૩) પ્રકીર્ણક વિશેષ નામોની સૂચી, પ્રથમ સૂચીને મેં ત્રણ વર્ગમાં વિભક્ત કરી છે. (અ) શ્વેતાંબર અને યાપનીય, (આ) દિગંબર અને (ઈ) અજૈન. બીજી સૂચી માટે પણ આ પદ્ધતિ મેં સ્વીકારી છે. ત્રીજી સૂચીમાં તીર્થંકરોનાં, જાતજાતના સંપ્રદાયના, અનુયાયીઓનાં, મુનિવરોનાં, ગચ્છોનાં, નૃપાદિક ગૃહસ્થોનાં, બિરુદોના, ભૌગોલિક સ્થળોનાં, સંપાદકોનાં, પ્રકાશકોનાં, પ્રકાશન-સંસ્થાઓનાં, સામયિકોનાં, સંસ્કૃત ભાષાના કેટલાક પ્રકારનાં પ્રકાશકોનાં, તેમજ કેટલીક સંસ્કૃત ભાષાઓનાં નામ અપાયાં છે. વિશેષમાં વિરસંવત્ અને શકસંવત્ એ બે સંવતોની તેમજ ભારતની આધુનિક પ્રાદેશિક ભાષાઓમાં તથા વિદેશી ભાષાઓમાં રચાયેલાં ભાષાંતર (અનુવાદ) અને રૂપાંતરોની તેમજ પ્રસ્તાવનાની નોંધ આ પરિશિષ્ટમાં મેં લીધી છે.
યાપનીય સંપ્રદાયના ગ્રંથકારો અને ગ્રંથોની નોંધ બીજા બેની જેમ સ્વતંત્ર રીતે ન લેતાં મેં ૧. આ પુસ્તકનો પ્રથમ ખંડ (વિભાગ) “ભાં. પ્રા. સં. મં.” તરફથી "Government Oriental Series
Class c No. 4" તરીકે પૂનાથી ઈ. સ. ૧૯૪૪માં પ્રસિદ્ધ કરાયો છે. બીજો વિભાગ હજી સુથી અપ્રકાશિત છે. કન્નડમાં રચાયેલા જૈન ગ્રંથોની-ખાસ કરીને એના પ્રણેતાઓની નોંધ આર. નરસિંહાચાર્યે કર્ણાટકકવિચરિતમાં
ત્રણ વિભાગમાં લીધી છે. એ બેંગ્લોરથી ઇ. સ. ૧૯૨૪ અને ત્યાર પછી પ્રકાશિત થયા છે. ૨. આ કસગત લખાણ મૂળ લેખકનું છે. ૩ કેટલીક વાર કૃતિઓના અને પ્રકાશકસંસ્થાઓનાં નામ આગળ પણ “શ્રી શબ્દનો વ્યવહાર કરાયેલો જોવાય
છે પણ મેં એની સ્વતંત્ર નોંધ લેતી વેળા “શ્રી” શબ્દ ત્યાંથી જતો કરી એને પાછળ સ્થાન આપ્યું છે.
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[55]
૫૫
શ્વેતાંબરની સાથે સાથે લીધી છે, કેમકે એક તો એ સંપ્રદાયની કૃતિઓ અલ્પ પ્રમાણમાં છે અને બીજું એનાં મંતવ્યોનો ઝોક શ્વેતાંબરીય સિદ્ધાન્ત તરફનો છે.
શ્વેતાંબર ગ્રંથકારો પૈકી મુનિવરોનાં નામ પ્રથમ પરિશિષ્ટમાં આપતી વેળા મેં કૌંસમાં P-૩૧ યથાશક્ય એમના ગચ્છનો નિર્દેશ કર્યો છે. આમ કરવાનું કારણ એ છે કે ગચ્છદીઠ ફાળાની તારવણી કરવી હોય તો તે સુગમ થઈ પડે.
અભારતીય નામો ગુજરાતીમાં દર્શાવતી વેળા મેં એના શુદ્ધ ઉચ્ચાર જાણવાની તક મળે એ માટે અંગ્રેજી જોડણી પણ આપી છે.
જૈન ગ્રંથથી અત્ર ત્રણ પ્રકારના ગ્રંથ અભિપ્રેત છે. (૧) જેના કર્તા જૈન હોય અને જેનો વિષય જૈનધર્મ કે સાહિત્ય હોય. (૨) જૈના કર્તા જૈન હોય પરંતુ જેની રચના અજૈન કૃતિને ઉદેશીને હોય. પછી એ લખાણ એ
મૂળ (અજૈન) કૃતિના વિવરણ, અનુવાદ, સારાંશ કે પરિચયરૂપે હોય. (૩) જેના લેખક અજૈન હોય પરંતુ વિષય જૈનધર્મ કે સાહિત્યને લગતો હોય.
આ વિવક્ષાને લક્ષ્યમાં લેતાં અને શ્વેતાંબરત્વને પ્રાધાન્ય આપતાં નીચેની હકીકત ફલિત થાય છે. (૧) લેખક શ્વેતાંબર હોય અને લખાણ શ્વેતાંબર મંતવ્યને અનનુસરતું હોય તો તે લખાણ
શ્વેતાંબરકૃતિ' ગણાય. (૨) લેખક દિગંબર હોય અને લખાણ દિગંબર મતને અનુરૂપ હોય તો તે લખાણ “દિગંબરકૃતિ’ ગણાય. (૩) લેખક અજૈન હોય અને વિષય પણ અજૈન સંપ્રદાય અનુસાર હોય તો તે “અજૈનકૃતિ' ગણાય. (૪-૫) લેખક શ્વેતાંબર હોય અને લખાણ દિગંબર કે અજૈનકૃતિને લગતું હોય તો તે “શ્વેતાંબરકૃતિ’
- ગણાય. જેમકે અષ્ટસહસ્ત્રીવિવરણ અને રઘુવંશની ટીકા. (૬) લેખક અજૈન કે દિગંબર હોય પણ લખાણ શ્વેતાંબર મંતવ્ય કે સાહિત્યને લગતું હોય તો તે P-૩૨
“શ્વેતાંબરકૃતિ’ ગણાય. દા. ત. જિનરત્નકોશ અને મણિ.
ગ્રંથકાર અથવા ગ્રંથ જૈન છે કે અજૈન એનો નિર્ણય જ્યાં થઈ શક્યો નથી એવા પ્રસંગે એનો “જૈન' તરીકે કામચલાઉ નિર્દેશ કર્યો છે. એવી રીતે જ્યાં શ્વેતાંબર કે દિગંબર વિષે અંતિમ નિર્ણય થઇ શક્યો નથી ત્યાં તેને શ્વેતાંબર ગણી લઈ નિર્દેશ કરાયો છે.
નામોનો વિનિમય- ગ્રંથકારોનાં અને ગ્રંથોના નામોની સંપ્રદાય દીઠ તારવણી કરવા માટે પૂરતાં સાધનો મને નહિ મળવાથી એ બનવા જોગ છે કે જે કેટલાંક નામોને મેં જૈન તરીકે નોંધ્યાં હોય તે ખરી રીતે અજૈનનાં હોય અને એવી રીતે શ્વેતાંબર અને દિગંબર નામો માટે પણ બનવા પામ્યું હોય. આ પરિસ્થિતિમાં નામોની જે ફેરબદલી કરવાની રહે છે તે સૂચવવાનું કાર્ય હાલ તુરત તો હું સાધનસંપન્ન સુજ્ઞજનોને ભળાવું છું.
અકારાદિ ક્રમ- પરિશિષ્ટોમાં અંગ્રેજી વગેરે વિદેશી ભાષામાં લખાયેલાં નામો સિવાયનાં ૧. આ નામો ગુજરાતી અને હિન્દીમાં નિર્દેશાયેલાં નામ પછી રોમન લિપિમાં તે તે પરિશિષ્ટના અંતમાં અપાયાં છે.
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
પ૬
[56]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P-૩૩
નામો નાગરી લિપિ અનુસાર અકારાદિ ક્રમે મેં આપ્યાં છે. તેમ કરતી વેળા સંસ્કૃત-અંગ્રેજી અને સંસ્કૃત-ગુજરાતી જેવા કોશોમાં દૃષ્ટિગોચર થતી પદ્ધતિ મેં સ્વીકારી છે અને એથી સાર્થ ગુજરાતી જોડણીકોશ જેવોમાં અકારાદિ ક્રમ માટે અપનાવાયેલી પદ્ધતિથી અંશતઃ અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં અનુસારાયેલી પદ્ધતિથી અધિક પ્રમાણમાં ભિન્નતા રહે છે.
અટકને પ્રાધાન્ય- આધુનિક સમયના ગૃહસ્થોને તેમની અટક દ્વારા સંબોધવાની આજકાલ પ્રથા હોવાથી તેમજ કેટલાકનાં પૂરા નામ જાણવામાં નહિ હોવાથી મેં એમની નોંધ લેતી વેળા એમની અટકને અગ્રસ્થાન આપ્યું છે.
કેટલીક વ્યક્તિઓનાં નામ પ્રથમ પરિશિષ્ટમાં (‘ગ્રંથકાર' તરીકે) તેમજ ત્રીજા પરિશિષ્ટમાં પણ અપાયાં છે. આમ આ નામ બેવડાવાનું કારણ એ છે કે વ્યક્તિનો ગ્રંથકાર તરીકે નિર્દેશ હોય ત્યારે એનું નામ એ નામાવલીમાં અને એ વ્યક્તિનો ઇતર સ્વરૂપે નિર્દેશ હોય ત્યારે એનું નામ ત્રીજા પરિશિષ્ટમાં આપવું સમુચિત હોવાથી મેં તેમ કર્યું છે. એક જ વાક્યમાં બંને જાતનો નિર્દેશ હોય તેવા પ્રસંગે પ્રાયઃ “ગ્રંથકાર” તરીકે જ નોંધ લીધી છે.
“સંસ્કૃત” શબ્દનો ઉલ્લેખ ત્રીજા પરિશિષ્ટમાં નથી. આનું કારણ એ છે કે આ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ હોઈ એ નામ તો લગભગ પ્રત્યેક પૃષ્ઠ ઉપર સહજ આવે એટલે એ નોંધવાનો શો અર્થ ?
વિવરણોનાં વિશિષ્ટ નામો- સંસ્કૃત કે પાઈયમાં રચાયેલી કૃતિના સંસ્કૃતમાં કરાતા સ્પષ્ટીકરણને વિવિધ નામે ઓળખાવાય છે. જેમકે 'ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવરણ, વ્યાખ્યા અને બાલાવબોધ. આ પૈકી વૃત્તિ શબ્દ વૃત્ ધાતુ ઉપરથી તેમજ વિવૃત્તિ અને વિવરણ એ બે શબ્દો વૃ ધાતુ ઉપરથી ઉદ્ભવ્યા છે.
શબ્દાર્થ પૂરતા સંક્ષિપ્ત વિવેચનને “અવચૂરિ' કે “અવચૂર્ણિ' કહે છે. એને માટે “અવચૂરિકા' અને “અવચૂર્ણિકા' શબ્દ પણ વપરાય છે. “ટિપ્પણી” અને “ટિપ્પન' એ એના પર્યાય ગણાય છે.
કેટલાક ટીકા રચનાર પોતાની ટીકાનો ટીકા જેવા સામાન્ય નામે ઉલ્લેખ ન કરતાં એનું વિશિષ્ટ નામ યોજે છે. આવી પ્રથાને લઈને કેટલાક ગ્રન્થનાં વિવરણોનાં વિશિષ્ટ નામ મળે છે. એથી એ વિવરણોની નોંધ મેં તે તે ગ્રન્થના પેટામાં ન લેતાં એનાં સ્વતંત્ર નામે જ કરી છે. વિશેષમાં આ વિવરણાત્મક ગ્રન્થ છે, નહિ કે મૌલિક એ દર્શાવવા મેં (ફૂદડી) જેવા ચિહ્નથી એ નામ અંકિત કર્યું છે.
(આ) મૂલ્યાંકન “નિવેદન” અંગે મારું વક્તવ્ય આગળ ચલાવું તે પૂર્વે “મૂલ્યાંકન”નો વિષય હવે હું હાથ ધરું છું. એ પૂર્ણ થતાં નિવેદનને લગતી બાકીની બાબત રજૂ કરીશ.
ગ્રંથપ્રણયનનો હેતુ- પ્રાચીન સમયના જૈન શ્રમણવર્યોને “ગ્રંથકાર' બનવાની કે કહેવડાવવાની
P-૩૪
૧. આ પદ્ધતિ શાસ્ત્રીય નથી તેમજ સમુચિત પણ નથી એવું મારું નમ્ર મંતવ્ય છે. ૨. હિન્દી ટીકાઓ-સ્પષ્ટીકરણને ભાષાટીકા, વચનિકા ઇત્યાદિ નામે ઓળખવાય છે. ૩. કેટલીકવાર ‘વિવૃત્તિ' શબ્દ પણ વપરાયેલો જોવાય છે. ૪. સામાન્ય રીતે આ ગુજરાતીમાં હોય છે. એને “ટબ્બો' પણ કહે છે.
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[57]
૫૭
જરા યે લાલસા હતી નહિ. એઓ તો પોતાના શિષ્ય પરિવારને આત્મોન્નતિમાં સહાયક થઈ પડે એવો બોધ સચોટ કરાવવા માટે સદા ઉત્સુક રહેતા. આથી પુથ્વગય (પૂર્વગત)થી જે જે વિષયનું કાર્ય સરે તેમ હતું તે તે વિષયમાં એમણે તે તે ગ્રંથો પોતાના શિષ્ય પરિવારના પઠન-પાઠન માટે પસંદ કર્યા અને એ દિશામાં નવીન ગ્રન્થો સર્જવા એઓ લલચાયા નહિ, પરંતુ, આગળ જતાં આ સ્થિતિમાં ફેર પડ્યો. સાંપ્રદાયિક સ્પર્ધા જાગી અને અજૈનો તરફથી જૈનોની સાહિત્યિક સંપત્તિ વિષે ટકોર થતાં પ્રત્યેક વિષયને અંગે સ્વતંત્ર ગ્રન્થ રચવાની એમને ફરજ પડી. એ પહેલાં એકંદર રીતે વિચારતાં એમ કહી શકાય કે જૈન દર્શનનાં મૂળભૂત મંતવ્યો વિષે ખોટા આક્ષેપો થવાથી અને ગેરસમજ ફેલાવાતી હોવાથી એના પ્રતિકારરૂપે જૈન શ્રમણોને તત્ત્વજ્ઞાન પરત્વે તાર્કિક દૃષ્ટિએ ગ્રન્થો રચવા માટે કલમ હાથમાં ઝાલવી પડી હતી.
જૈન સાહિત્યના સર્જક શ્રમણોને ધન, કીર્તિ કે કહેવાતી સેવાની એષણા ન હતી. એમણે P-૩૫ પરોપકારાર્થે અને કેટલીક વાર સાહિત્યના અનુરાગની ખાતર ગ્રન્થો રચ્યા છે. એથી કરીને એમાં ગંભીરતા, સરળતા, સુબોધકતા અને સમુચિતતા આગળ તરી આવે છે.
જૈન સાહિત્યની વિશાળતા અને વિવિધતા- આજે જે જૈન સાહિત્ય ઉપલબ્ધ છે તે જોતાં એમ બેધડક કહી શકાય કે ભારતીય વાડુમયની વિવિધ શાખાને સમૃદ્ધ કરવા માટે ઇસવી સનની પહેલી સદીની શરૂઆતથી માંડીને તે આજ દિન સુધી પ્રાય: પ્રત્યેક શતાબ્દીમાં જૈનો તરફથી એક યા બીજા સ્વરૂપે ફાળો અપાયો છે. આ સંબંધમાં હું પ્રો. મોરિસ વિંતર્નિન્સ (Mauri ce Winternitz)ના જર્મન પુસ્તકના અંગ્રેજી અનુવાદ નામે A History of Indian Literature (Vol. I. p. 483)માંની નિમ્નલિખિત કંડિકા રજૂ છું.
"There is scarcely any province of Indian Literature in which the Jains have not been able to hold their own. Above all, they have developed a voluminous narrative Literature, they have written epics & novels, they have composed dramas & hymns; sometimes they have written in the simple language of the people, at other times they have competed, in highly elaborate poems, with the best masters of ornate court poetry, & they have also produced important works of Scholarship."
| મધ્ય યુગનો અંધકાર-પટ- શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ (ઈ પછીની દસ શતાબ્દીઓ તેમજ છેલ્લી દસ શતાબ્દીઓને અંગે જૈનોની સામાજિક અને સાહિત્યિક પ્રવૃત્તિ ઉપર પણ પ્રકાશ પાડનારાં સાધનો સારા પ્રમાણમાં મળી આવ્યાં છે. એ બાદ કરતાં બાકીની શતાબ્દીઓ (ઇ.સ. ૪૭૩ ઇ. સ. ૯૫૬) ઉપર તો અંધકાર-પટ પથરાયો હોય એમ લાગે છે. આ લગભગ ૫૦૦ વર્ષનો વચગાળાનો સમય રાષ્ટ્રિય ઇતિહાસની દૃષ્ટિએ તો ખૂબ જાહોજલાલીવાળો જણાય છે. તેમ છતાં જૈન ધર્મની અને વિશેષત: તો શ્વેતાંબર સંપ્રદાયની સાહિત્ય અને સ્થાપત્ય
૭)
P-૩૬
૧. જુઓ પૃ. ૩૨-૩૩. R. Geschichte der Indischen Litteratur. ૩. ભારતવર્ષના ઇતિહાસમાં આ સમયને કેટલાક “મધ્યયુગ” તરીકે ઓળખાવે છે.
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૮
[58].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
પરત્વે શી સ્થિતિ હતી તે વિષે ચોક્કસ માહિતી યથેષ્ટ પ્રમાણમાં મળતી નથી એમ વિદ્વાનોનું કહેવું છે. એમ કહેવાય છે કે આ યુગના બે ચીની મુસાફરો પૈકી એકે દક્ષિણ ભારતના થોડાક દિગંબરો વિષે સૂચન કર્યું છે તેને બાજુએ રાખીએ તો સમગ્ર જૈન સમાજ, શ્રમણ સુમદાય, સાહિત્ય કે સ્થાપત્ય વિષે ભાગ્યે જ કશી નોંધ લીધી છે.
ચૈત્યવાસીઓની માલિકીનાં જિનમંદિરોમાંથી ઉત્કીર્ણ સામગ્રી ભાગ્યે જ મળી શકે. કેટલાક પ્રાથમિક વિદેશી સંશોધકોએ કેટલાંયે જૈન સ્તૂપો, ગુફાઓ, પ્રતિમાઓ વગેરેને “બૌદ્ધીમાની લેવાની ભૂલ કરી છે એમ વિન્સન્ટ સ્મિથ અને ડૉ. સલીટ જેવાએ કહ્યું છે.
શ્રમણાદિનો ફાળો- ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં એમ ભાસે છે કે જૈન સાહિત્ય એ P-૩૭ મુખ્યતયા જૈન શ્રમણોએ-નિગ્રંથોએ આ ક્ષેત્રમાં સેવેલા પરિશ્રમનું મનોરમ ફળ છે. જૈન ગૃહસ્થોનો
શ્રાવકવર્ગનો ફાળો પ્રમાણમાં અલ્પ છે. પુરુષ અને સ્ત્રી એમ બે જાતિનો વિચાર કરતાં દરેક દેશમાં જોવાય છે તેમ અહીં આપણા દેશમાં પણ લેખિકાઓની સંખ્યા ગણીગાંઠી છે. જૈન સાહિત્યના સર્જનમાં ભાગ્યે જ દસેક સ્ત્રીઓનો હિસ્સો હશે. પ્રથમ-આદર્શ તૈયાર કરનાર તરીકે પણ નારીઓની સંખ્યા ગણીગાંઠી જોવાય છે. એમાં ઉપમિતિભવપ્રપંચાકથાનો પ્રથમ-આદર્શ તૈયાર કરનાર ગણા સાધ્વી જેવી વિદૂષી બહુ જ થોડી છે.
‘જેન ગૃહસ્થોની કૃતિઓ- જૈન ગૃહસ્થો એટલે ગર્ભશ્રીમંત જ એમ નહિ. એમાંના ઘણા ખરાને તો આજીવિકા અર્થે પોતાના કુટુંબ પરિવારના નિર્વાહ માટે પરિશ્રમ કરવાનો હોય. વળી અનેકવિધ સાંસારિક પ્રવૃત્તિઓમાં એમને ભાગ લેવાનો હોય. આને લઇને સાહિત્યની યથેષ્ટ ઉપાસના માટે-વિદ્યાવિલાસી જીવન જીવવા માટે-એમને પૂરતો સમય કયાંથી મળે? આ ઉપરાંત તેઓ જે કૃતિ રચે તેના પ્રચાર માટે પણ એમને કોઈ ઉદાર દિલના ધનાઢચનો કે કોઈ રાજા જેવાનો આશ્રય લેવાનો રહે. વિશેષમાં એમણે રચેલી કૃતિ સચવાઈ રહે એવો પ્રબંધ પણ ભાગ્યે જ થઈ શકે. આવી પરિસ્થિતિમાં વિક્રમની ૧૮મી સદીની પર્વે થઈ ગયેલા જૈન ગૃહસ્થોએ રચેલી કૃતિઓ જે થોડીક પણ
મળે છે તે આનંદનું ચિહ્ન ગણાય. આવી પાઇયકૃતિઓમાં કવિવર ધનપાલની પાઈયલી નામમાલા, P-૩૮
ઉસભપંચાસિયા ઇત્યાદિ કૃતિઓ, ભાંડાગારિક નિમિચંદ્ર ૧૬૧ ગાથામાં રચેલું સંક્રિસયગપયરણ અને એમનું પાસનાહથોર અને ઠક્કર ફેરુની દવપરિખા, વત્થસારાયરણ વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે. સંસ્કૃતકૃતિઓ રચનારા તરીકે નીચે મુજબનાં નામ ગણાવી શકાય.
૧. જુઓ પ્રાચીન જૈન લેખસંગ્રહના દ્વિતીયવિભાગની પ્રસ્તાવના (પૃ.૧૧). ૨. યવનચંગ (Yuan Chwang) ર્ક હ્યુએન સંગ અને Hien Tsang) ઇત્સિંગ. ૩. શ્વેતાંબરીય આગમિક સાહિત્ય આ સમયમાં સર્જાયું છે પણ અનાગમિક સાહિત્યનું શું ? ૪. આ સંબંધમાં ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય સ્વ. ચતુરવિજયજીએ “જૈન ગૃહસ્થોની સાહિત્યસેવા”
એ નામના લેખમાં વિસ્તારથી વિચાર કર્યો છે. આ લેખ “જૈન સત્યપ્રકાશ” (વ. ૭, અં. ૧-૩, પૃ. ૧૬૪-૧૭૪)માં છપાયો છે. એમાં પાર્થપરાક્રમવ્યાયોગ રચનાર પ્રશ્નાદનદેવનો ઉલ્લેખ છે તો શું તેઓ જૈન
છે ? અલ્લાદ પાર્શ્વજિનસ્તોત્ર રચ્યાનો આ લેખમાં ઉલ્લેખ છે. ૫. એમના પુત્ર તે “ખરતરમ્ ગચ્છના જિનપતિસૂરિ પછી એ ગચ્છના નાયક બનેલા જિનેશ્વરસૂરિ (વિ. સં.
૧૨૪૫-વિ. સં. ૧૩૩૧) છે. ૬-૭. આ બે કૃતિઓ તેમજ આ નેમિચંદ્ર અપભ્રંશમાં રચેલું “જિણવલ્લહસૂરિ-ગુરુગુણવષ્ણણ' ષષ્ટિશતક
પ્રકરણમાં છપાયાં છે.
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
[59]
૫૯
P-૩૯
અંનતપાલ (દિ.), આજડ, આશાધર (દિ.), આસડ (શ્રીમાળી), *આહ્વાદ (મંત્રી), કુમારપાલ (નૃપતિ), ચંડાલ (પોરવાડ વણિક,) જગદેવ (પોરવાડ વણિક), જગદેવ (પોરવાડ વણિક), ઠક્કર ફેરુ, દલપતિરાય, દુલર્ભરાજ (જગદેવના પિતા,) ધનદ (મંડન મંત્રીના કાકાના પુત્ર), ધનંજય (દિ.), ધનપાલ (વિપ્રો, ધર્મશ્રેષ્ઠી, નંદલાલ, નરપતિ, નેમિચંદ્ર, પાનંદ, મંડન (મંત્રી શ્રીમાળી), મન્મથસિંહ, માઘસિંહ, યશપાલ (મંત્રી, મોઢ), "યશોવર (મંત્રી), વસ્તુપાલ (મહામાત્ય વણિક), વાડ્મટ (બાયડ), વાડ્મટ (દિ?), વિક્રમસિંહ, “વિજયપાલ (પોરવાડ વૈશ્ય, સિદ્ધપાલના પુત્ર), “શિવનાગ (કરોડપતિ), *શ્રીપાલ (પ્રજ્ઞાચક્ષુ, પોરવાડ વૈશ્ય, વિજયપાલના પિતામહ અને સિદ્ધપાલના પિતા), સંગ્રામસિંહ (ભંડારી, ઓસવાલ) અને સિદ્ધપાલ (શ્રીપાલના પુત્ર).
વિશિષ્ટ બાબત- પ્રસ્તુત પુસ્તક એ એક પ્રકારનો ઇતિહાસ છે એટલે એમાં કાલક્રમને પ્રાધાન્ય આપવાની નીતિને મેં સ્વીકારી છે અને તદનુસાર મેં વિવિધ વિષયોને લગતી કૃતિઓનો સૈકાદીઠ વિચાર કર્યો છે, પણ જો હું આટલેથી જ અટકું તો એ સવશે પરિપૂર્ણ ન ગણાય. આથી અહીં નીચે મુજબની બે બાબત આલેખું છું.
(૧) સૈકાદીઠ સાહિત્યનો ફાલ- આ દ્વારા હું પ્રાયઃ પ્રત્યેક. સૈકામાં-યુગમાં કયા કયા વિષયના ક્ષેત્રમાં કેવું કેવું અને કેટકેટલું ખેડાણ થયું છે તે સૂચવીશ.
(૨) વિષયદીઠ વિકાસક્રમ- પ્રત્યેક વિષયની સાંગોપાંગ છણાવટ અને રજૂઆતને લક્ષ્યમાં લેતાં એનો જયાં વિકાસક્રમ દર્શાવી શકાય ત્યાં એની ચર્ચા કરવાનો ઇરાદો રખાયો છે.
આ જાતનું સાંગોપાંગ આલેખન તે તે વિષયનો પરિપૂર્ણ અભ્યાસ માંગી લે છે એટલે એ મહાભારત કાર્યને તો હું પહોંચી વળું તેમ નથી. એથી એની આછી રૂપરેખા આલેખી અને કેટલીકવાર તો થોડુંક માર્ગદર્શન કરીને મારે વિરમવું પડે તેમ છે. એમાં મારી શક્તિની, સમયની અને સાધનોની મર્યાદા કારણભૂત છે. આ ન્યૂનતા દૂર કરવા માટે હું વિશેષજ્ઞોને સાદર વિનવું છું.
જૈન મૌલિક ગ્રંથોનું મૂલ્યાંકન- આ પ્રથમખંડમાં સત્તર પ્રકરણો અને એની પુરવણી છે. એ દ્વારા મેં જે ગ્રંથોનો પરિચય આપ્યો છે તેના મુખ્ય બે વર્ગ પાડી શકાય. (૧) મૌલિક અને ૯૨) વિવરણાત્મક. પહેલાં સોળ પ્રકરણમાં મેં મુખ્યત્યા મૌલિક જૈન ગ્રંથોની અને સાથે સાથે એ પૈકી જેનું જેનું વિવરણાત્મક સાહિત્ય હોય તેના તેના એ સાહિત્યની પણ નોંધ લીધી છે, જ્યારે સત્તરમાં-અંતિમ પ્રકરણમાં તો આ કાર્ય મેં કેવળ અજૈન ગ્રંથો પૂરતું જ કર્યું છે અહીં તો હું મોટે ભાગે જૈન મૌલિક સંસ્કૃત ગ્રંથોનો જ વિચાર કરીશ.
પંદર વિષયો અને એને અંગેની કૃતિઓની સંખ્યા- આ ખંડમાં “વ્યાકરણ'થી માંડીને નીતિશાસ્ત્ર' સુધીના પંદર વિષયોને મેં સ્થાન આપ્યું છે. એનાં નામ તેમજ એને અંગેની મૌલિક જૈન સંસ્કૃતકૃતિઓ તથા જૈન વિવરણથી વિભૂષિત અજૈનકૃતિઓની સંખ્યા નીચે મુજબ છે. ૧. *ફૂદડી જેવા આ ચિહ્નથી અંકિત ગૃહસ્થની કૃતિ આ ખંડમાં નોંધાઈ નથી. ૨. વિક્રમની સત્તરમી સદી સુધીમાં ગુજરાતીમાં કૃતિ રચનારા પૈકી કેટલાકના નામ હું નીચે મુજબ ગણાવું છું.
અમીપાલ, ઋષભદાસ, ખીમો, ગોડીદાસ, ભીમ (ભાવસાર), લીબો, વચ્છ (ભંડારી), વસ્તિક, વાનો, શાન્તિદાસ, સોલાણ અને હીરાણંદ,
P-૪૦
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૦
[60]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
વિષય
નામ
જનકૃતિઓ | અજૈનકૃતિઓ | કુલસંખ્યા
વ્યાકરણ
૩૫
કોશ
૪૪
- છન્દ
૨૪
અલંકાર
૩૩
P |
નાટ્યશાસ્ત્ર
|
સંગીત
O |
U |
છ |
કામશાસ્ત્ર
|
2 |
સ્થાપત્ય
0 |
મુદ્રાશાસ્ત્ર
T૦ |
૧૦
ગણિત
m |
૮
P-૪૧
૧૧.
નિમિત્ત
૪૯
૧૨
વૈદ્યક
GU
૬
૩૮
|
5
૧૩
પાકશાસ્ત્ર
T
૧૪
૨૧
૨૧
વિજ્ઞાન નીતિ
૧૫ |
TA
૫૯
૧-૨. આ કૃતિઓની સંખ્યા કામચલાઉ છે, કેમકે અમુક અમુક કૃતિ મૌલિક છે કે વિવરણાત્મક તેનો તેમજ
અમુક અમુક કૃતિ જૈન છે કે અજૈન તેનો અંતિમ નિર્ણય કરવો બાકી રહે છે. ૩. આ પૈકી છ કૃતિ આંશિક છે. ૪. વિશ્રાંતિવિદ્યાધર જૈન કૃતિ ન જ હોય તો પાંચને બદલે “છ' અને ત્રીસને બદલે ‘ઓગણત્રીસ” જોઇએ.
આ પૈકી પાંચ કોશ આંશિક છે. ૬. લોકસંવ્યવહાર કોશ હોય તો આ સંખ્યા બરાબર છે, નહિ તો એક ઓછી ગણાવી જોઇએ.
સંગીતસહપિંગલ એ છન્દની તેમજ સંગીતની પણ એમ બે વિષયની કૃતિ હોય એમ લાગે છે એટલે એનો અહીં તેમજ સંગીતમાં ઉલ્લેખ કરાયો છે. આમ આ કૃતિ બેવડાઇ છે.
કાવ્યવ્યાપ્નાયમૌલિક જૈનકૃતિ ગણી લીધી છે. ચારકૃતિ આંશિક છે. ૯. લોકસંવ્યવહાર નીતિનો ગ્રંથ હોય તો પ૮ને બદલે ૫૯ જોઇએ અને કુલ સંખ્યા ૫૯ને બદલે ૬૦ની જોઇએ. ૧૦. ઉપલક દૃષ્ટિએ ૩૩૭ કૃતિ થાય પરંતુ સંગીતસહપિંગલ નામની કૃતિ બેવાર ગણાઇ હોવાથી ખરી રીતે
૩૩૬ કૃતિ ગણાય.
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
[61]
૬૧
P-૪૨
ચિત્રકળા- લલિત કળા (Fine arts)ના વિવિધ પ્રકારો છે. એમાં જેમ સંગીત-કળા અને શિલ્પ-કળાને સ્થાને છે તેમ ચિત્રકળાને પણ છે. તેમ છતાં મેં વિષયો ગણાવતી વેળા એનો ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ એ છે કે કેટલાં યે ચિત્રો કામોદ્દીપક અને સંસારવર્ધક બને તેમ હોવાથી મહર્ષિ બુદ્ધે પોતાના શિષ્યોને આ કળાથી અલિપ્ત રહેવા જેમ સૂચવ્યું હતું તેમ જૈન શ્રમણોને માટે પણ જૈન શાસ્ત્રમાં એવાં વિધાન જોવાય છે. આ પરિસ્થિતિમાં જૈન શ્રમણે તો શું પણ જૈન ગૃહસ્થ સુદ્ધાં સંસ્કૃતમાં કે પાઈયમાં ચિત્રકળા અંગે સ્વતંત્ર પુસ્તક રચ્યું હોય એમ જાણવામાં નથી એટલે એનો ઉલ્લેખ કયાંથી હોય ? બાકી આ આધુનિક સમયમાં તો જૈન ચિત્રકળાનો પરિચય આપનારાં સચિત્ર પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ઓછાવત્તા પ્રમાણમાં પ્રકાશિત થયેલા જોવાય છે. એ પૈકી સોળ પ્રકાશનોની સૂચી “ખરતર' ગચ્છના ઉપાધ્યાય સુખસાગરજીના શિષ્ય મુનિશ્રી કાન્તિસાગરજીએ “વોન કી પાડયા' નામના પુસ્તક (પૃ. ૫૮-૫૯)માં આપી છે.
(૧) વ્યાકરણ : ૩૦ નકૃતિઓ (વિ. સ. પૂર્વે ૬૪૬-લ. વિ.સં. ૧૮૦૦)
આપણે માનવીઓ વિશ્વના જેટલા ભાગમાં આજે હરીફરી શકીએ તેમ છે. તેટલા ભાગમાં આધુનિક ગણતરી પ્રમાણે એશિયા વગેરે પાંચ ખંડમાં ઓછેવત્તે અંશે પ્રચલિત ભાષાઓની સંખ્યા ૨૮૦૦ છે. ભાષાના બંધારણનો બોધ કરાવવા માટે તેમજ તેમાં અનુચિત વિકૃતિ થતી અટકાવવા માટે વ્યાકરણની રચના આવશ્યક છે. કોઇપણ ભાષાનું વ્યાકરણ તે જ ભાષામાં રચાય એ સ્વાભાવિક ઘટના છે અને એ ભાષા બોલનારને માટે તો એ રાજમાર્ગ છે. આજકાલ આપણી દુનિયાના બંને છેડા આધુનિક સાધનોને લઇને પહેલાંની જેમ દૂર રહ્યા નથી. આ પરિસ્થિતિમાં કેટલીક ભાષાનાં વ્યાકરણો તે જ ભાષામાં ન રચાતાં અન્ય ભાષામાં પણ રચાયાં છે અને રચાય છે. કેટલીક ભાષા માટે આમ માધ્યમ (Medium) એક કરતાં વધારે છે.
સંસ્કૃત ભાષાના બે પ્રકાર ગણાવાય છે. (૧) ઋવેદ વગેરેની ભાષા અને (૨) રઘુવંશ વગેરેની ભાષા. આ બંને પ્રકારની ભાષાને અનુક્રમે “વૈદિકસંસ્કૃત” અને “લૌકિકસંસ્કૃત” તરીકે ઓળખાવાય છે. વૈદિક સંસ્કૃત ભાષાનું સ્વતંત્ર અને સાંગોપાંગ વ્યાકરણ કોઈએ પણ-વૈદિક ધર્માવલંબીએ સુદ્ધાં-સંસ્કૃતમાં રચ્યું હોય એમ જણાતું નથી. આનું કારણ એ હશે કે આ ભાષામાં રચાયેલું સાહિત્ય ૧. સમવસરણનું ચિત્ર આજથી લગભગ બારસો વર્ષ ઉપર તો આલેખાતું એમ આવસ્મય અને એની નિષુત્તિ (ગા.૫૬૦)ની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર-૨૩૩ આ)માંનો નિમ્નલિખિત ઉલ્લેખ જોતાં જણાય છે.
"पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रकर्मबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ॥" ૨. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઇ. સ. ૧૯૫૩માં પ્રકાશિત કરાયું છે. એમાં જૈનાશ્રિત
ચિત્રકલા, બૌદ્ધ ધર્માશ્રિત ચિત્રકલા, મહાકોસલનાં જૈન-ભિત્તિ-ચિત્ર, ભારતીય શિલ્પ અને ચિત્રકલામાં કાષ્ઠનો ઉપયોગ અને રાજસ્થાનમાં સંગીત એ બાબતો આ પુસ્તકના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડ નામે
“લલિતકલા”માં રજૂ થઈ છે. ૩. જુઓ ભગવદ્ગોમંડલ (ભા. ૭, પૃ.૬૬૯૯). આ ઇ. સ. ૧૯૫૩માં પ્રકાશિત ભાગમાં આ સંખ્યા “ફ્રેંચ
એકેડેમિ' પ્રમાણે હોવાનો ઉલ્લેખ છે. ૪. વૈદિકભાષાનું વ્યાકરણ ગુજરાતીમાં પણ રચાયું હોય તેમ જાણવામાં નથી. અંગ્રેજીમાં તો આર્થર એન્વનિ
મેડોનલે (Arthur Anthony Macdonell) A Vedic Grammar for Students રચ્યું છે અને એ ઇ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયું છે. વિલિયમ ડૂવાઇટ વ્હિટનિએ (William Dwight Whitney) A Sanskit Grammar રહ્યું છે. અને એની પહેલી આવૃત્તિ ઇ. સ. ૧૮૭૯માં અને પાંચમી આવૃત્તિ ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં વેદની અને બ્રાહ્મણની ભાષાઓનો પણ વિચાર કરાયો છે.
P-૪૩
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૨
[62].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P-૪૪
અમુક વર્ગ પૂરતું જ મર્યાદિત મનાયું છે. બ્રાહ્મણવર્ણની વનિતાઓને પણ વેદના પઠન-પાઠનનો અધિકાર અપાયો નથી. તો ઈતરવર્ણની વનિતાઓની તો વાત જ શી કરવી? ગમે તેમ પણ વૈદિકભાષાનો સંબંધ સાંપ્રદાયિક સાહિત્ય સાથે છે એમ મનાતું હોવાથી સર્વોપયોગી વ્યાકરણ રચનારા જૈન ગ્રંથકારો તો એને સ્થાન ન આપે એ સ્વભાવિક નહિ તો સંતવ્ય તો ગણાય જ. પાલિ ભાષા એ પાઇયનો એક પ્રકાર છે. તેમ છતાં એનું પણ સંસ્કૃતમાં વ્યાકરણ પાઇયનું સ્વતંત્ર વ્યાકરણ રચનાર વરરુચિ વગેરેએ પણ રચ્યું નથી. તે પણ પાલી' એ બૌદ્ધોની જ ભાષા મનાયાને લઈને હશે. સિ.હે.માં “કલિ. હેમચન્દ્રસૂરિએ આ પાલિને કે વૈદિકસંસ્કૃત ભાષાને સ્થાને આપ્યું નથી એટલું જ નહિ, પરંતુ જૈન આગમોની “અદ્ધમાગધી” ભાષાનું પણ સર્વાગીણ અને સ્વતંત્ર નિરૂપણ એમણે કર્યું નથી તો તે પણ આવી પરિસ્થિતિને આભારી હશે.
પ્રસ્તુત પુસ્તકની અપેક્ષાએ સંસ્કૃત ભાષાનાં સંસ્કૃતમાં રચાયેલાં વ્યાકરણો મુખ્ય ગણાય. ત્યાર પછીનું સ્થાન એ ભાષા સાથે નિકટ સંબંધ ધરાવનારી પાઇય ભાષાના સંસ્કૃતમાં રચાયેલાં વ્યાકરણોને મળે. પ્રસંગવશાત્ ફારસી અને કાનડી ભાષાનું એકેક વ્યાકરણ જૈનોએ સંસ્કૃતમાં રચેલું હોવાથી એનો પણ આ પુસ્તકમાં પૃ.૫૬માં પરિચય અપાયો છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાનાં વ્યાકરણ ગુજરાતી, હિંદી વગેરે ભારતીય પ્રાદેશિક ભાષામાં તેમજ અંગ્રેજી વગેરે અભારતીય ભાષાઓમાં રચાયેલાં છે એ પૈકી જુની ગુજરાતીરૂપ માધ્યમ દ્વારા રચાયેલી અને “ઔક્તિક' તરીકે ઓળખવાતી પાંચકૃતિઓને પણ આ પુસ્તકમાં સ્થાન અપાયું છે. એમાં મુગ્ધાવબોધ અને વાક્યપ્રકાશ એ બે ઔક્તિકો વિશેષ મહત્ત્વનાં જણાય છે અને એ બંને પ્રકાશિત છે.
પાઇય ભાષાના મરહટ્ટી ઇત્યાદિ છ પ્રકાર છે. આ વિવિધ પ્રકારોને અંગે સંસ્કૃતમાં વ્યાકરણ રચાયાં છે. ઔદાર્યચિન્તામણિ અને ચિત્તામણિ એ પાઇયના બે સ્વતંત્ર જૈન વ્યાકરણો છે અને એ બંનેના કર્તા દિગંબર છે. આવી અદ્ધમાગધી પૂરતી એક આધુનિક કૃતિ તે જૈન-સિદ્ધાન્ત-કૌમુદી છે. (જુઓ ટિ. ૧) અને એના કર્તા શ્વેતાંબર છે. બાકી સંસ્કૃતની સાથે સાથે એક જ ગ્રન્થરૂપે પાઇયનું અને ખાસ કરીને અપભ્રંશનું વ્યાકરણ તો “કલિ. હેમચંદ્રસૂરિએ રચ્યું છે અને એને સિદ્ધહેમચન્દ્ર0માં આઠમા અધ્યાય તરીકે સ્થાન આપ્યું છે.
સંસ્કૃત ભાષાનાં પુષ્કળ વ્યાકરણો સંસ્કૃતમાં રચાયાં છે. આ પ્રકારના વ્યાકરણનાં પાંચ અંગ ગણાવાય છે. (૧) સૂત્રપાઠ, (૨) ગણપાઠ, (૩) ધાતુપાઠ, (૪) લિંગાનુશાસન અને (૫) ઉણાદિસૂત્ર. એમાં સૂત્રપાઠ મુખ્ય છે. એથી તો એ એક જ અંગ પૂરતી કૃતિ પણ ‘વ્યાકરણ' કહેવાય છે. પાંચે અંગોના નિરૂપણરૂપ વ્યાકરણ “પંચાંગી' કહેવાય છે. એના બે પ્રકાર પડે છે. (૧) એકકતૃક અને (૨) અનેકકર્તક. પ્રથમ પ્રકારનાં ત્રણ પંચાંગી વ્યાકરણો છે. (૧) શાકટાયન, (ર) બુદ્ધિસાગર અને (૩) સિદ્ધહેમશમ. ઔદ્ર અને સપાહુડ એ બે જૈન વ્યાકરણો તો ક્યારનાં લુપ્ત થઈ ગયાં છે એટલે એ બેમાં તેમજ નિમ્નલિખિત અનુપલબ્ધ જણાતાં ચાર જૈન વ્યાકરણોમાં કેવળ સૂત્રપાઠને જ સ્થાન અપાયું હશે કે એ બધાં “પંચાંગી' હશે તે જાણવું બાકી રહે છે. ૧. આનું સ્વતંત્ર વ્યાકરણ સંસ્કૃતભાષામાં “શતાવધાની' રત્નચંદ્રજીએ રચ્યું છે અને એનું નામ જૈનસિદ્ધાંતકૌમુદી
રાખ્યું છે. એ વ્યાકરણ ઇ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાયું છે. ૨. બાકીનાં ત્રણ પૈકી એકના કર્તા સૌમપ્રભસૂરિ અને બીજાના જિનચંદ્ર છે, જ્યારે ત્રીજાના કર્તાનું નામ
જાણવામાં નથી. વિશેષમાં આ ત્રણે અપ્રકાશિત છે. અજ્ઞાતકર્ણક ઔક્તિકની એક હાથપોથી તો અહીંના (સુરતના) હુકમમુનિજીના ભંડારમાં હોવાનું કહેવાય છે.
P-૪૫
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[63]
૬૩
વિશ્રાંતવિદ્યાધર, ભદ્રેશ્વર, પ્રેમલાભ અને નૂતનવ્યાકરણ.
જૈનેન્દ્ર અને મુષ્ટિ-વ્યાકરણમાં સૂત્રપાઠ તો છે જ. બાલબોધ, વિદ્યાનન્દ અને શબ્દભૂષણમાં પણ તેમ હશે. શબ્દાર્ણવ વ્યાકરણ જ હોય તો એ માટે પણ એમ જ સમજવાનું રહે છે. શબ્દભૂષણ પદ્યાત્મક રચના છે.
પ્રક્રિયા-પ્રન્થોનો મુખ્ય સંબંધ સૂત્રપાઠની જ સાથે છે. એ એની સાધનિકાની દૃષ્ટિએ ગોઠવણી છે.
ગણપાઠ પૂરતી સ્વતન્ત્ર મુખ્ય કૃતિ છે: ગણરત્નમહોદધિ અને ગણદર્પણ. વિશેષમાં આ બંને પદ્યાત્મક છે. ઉપસર્ગખંડન વ્યાકરણ-વિષયક કૃતિ હોય તો એ કૃતિ પણ એક રીતે ગણપાઠ સંબંધી ગણાય.
ધાતુપાઇને અંગે સિદ્ધિચન્દ્રમણિકૃત ધાતુમંજરી છે. લિંગાનુશાસન તરીકે મિશ્રલિંગકોશ છે. ઉણાદિસૂત્ર પરત્વે “વસુનન્દિકૃત ઉણાદિપ્રત્યય છે.
આમ ગણપાઠાદિને લગતી કૃતિઓ છ છે. એ પૈકી છેલ્લી ચારને માટે મેં “આંશિક એવો P-૪૬ નિર્દેશ કર્યો છે.
આધ વ્યાકરણ- આપણા આ દેશમાં વ્યાકરણોની રચના ઘણા પ્રાચીન સમયથી હાથ ધરાઈ છે. તેમ છતાં ભગવાન મહાવીર સ્વામીની પૂર્વે કોઈ જૈને-મુનિવરે કે ગૃહસ્થ-સંસ્કૃતમાં વ્યાકરણ રચ્યું હોય એમ જણાતું નથી. એ હિસાબે “ઐદ્રવ્યાકરણ એ વીરશાસનની સ્થાપના કરતાં પહેલાનું છે અને સંદપાહુડ વીરશાસન સ્થપાતાં રચાયું છે. એ જૈનોનાં સૌથી પ્રાચીન-વ્યાકરણો છે પરંતુ એ બેમાંથી એકે આજે તો ઉપલબ્ધ નથી. આથી ઉપલબ્ધ સાહિત્યનો વિચાર કરતાં જણાય છે કે દિ. દેવનન્દિએ જે “જૈનેન્દ્ર-વ્યાકરણ રચ્યું છે તે સમગ્ર ઉપલબ્ધ જૈનવા-કરણોની અપેક્ષાએ પ્રાચીનતમ ગણાય. એવી રીતે ‘યાપનીય” સંપ્રદાયનું આદ્ય વ્યાકરણ તે પાપનીય શાકટાયનકૃત ‘શબ્દાનુશાસન છે. શ્વેતાંબરોનું ઉપલબ્ધ થતું સૌથી પ્રથમ વ્યાકરણ તે બુદ્ધિસાગરસૂરિકૃત “બુદ્ધિસાગર છે. જૈન ન્યાસોમાં તો દિ. દેવનન્ટિએ પાણિનિકૃત અષ્ટાધ્યાયી ઉપર “શબ્દાવતાર નામનો રચેલો ન્યાસ સૌથી પ્રાચીન છે. જયારે વિશ્રાજ્ઞવિદ્યાધર ઉપર મલવાદીએ રચેલો 'યાસ એ સૌથી પ્રથમ શ્વેતાંબરીય ન્યાસ છે. સર્વોત્તમ વ્યાકરણ– સમસ્ત જૈન-વ્યાકરણોમાં “કલિ.” હેમચન્દ્રસૂરિકૃત સિ0 હેતુ નામનું
P-૪૭ વ્યાકરણ એની સાંગોપાંગતા, સરળતા અર્થમાધુર્ય ઇત્યાદિને લઈને કળશરૂ૫ છે. એ એક વેળા ગુજરાતનું પ્રધાનતમ વ્યાકરણ હતું અને આજે પણ છે. એ વ્યાકરણ પાણિનીય અણ૦ ઇત્યાદિથી ચડિયાતું છે એમ પ્રબંધચિન્તાણિમાં નિમ્નલિખિત પદ્યમાં સૂચવાયું છે.
૧. આ અજૈન છે એવું માનવા માટે કોઈ સબળ પ્રમાણ જણાતું નથી. ૨-૩ આ બંનેની નોંધ જૈન ગ્રન્થાવલીમાં છે અને જિનરત્નકોશના પ્રથમવિભાગ (પૃ.૨૮૦)માં પ્રેમલાભનો
ઉલ્લેખ છે, બાકી એની એકે હાથપોથી કોઇ સ્થળે મળતી હોય તો તેની એમાં નોંધ નથી. આથી મેં
એને “અનુપલબ્ધ' કહ્યાં છે. ૪. એઓ દિગંબર હશે. ૫. જુઓ. પૃ. ૬-૭, ૬. જુઓ. પૃ. ૭-૮. ૭. જુઓ. પૃ. ૮-૧૧, ૮. જુઓ. પૃ. ૧૩-૧૪. ૯. જુઓ. પૃ. ૧૭-૧૮, ૧૦. જુઓ. પૃ. ૯. ૧૧. જુઓ. પૃ. ૧૩.
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૪
[64]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P-૪૮
"भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा ।मा कर्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् ? ॥ किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि? । श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥"
આ પદ્ય દ્વારા અષ્ટાવને પ્રલાપ. કાનન્ટને કન્યા, શાકટાયનને કટુ, ચાન્દ્રને શુદ્ર અને સરસ્તવતીકંઠાભરણને જડતાપોષક કહ્યાં છે.
સિવ હેવની બૃહવૃત્તિની અવચૂર્ણિકામાં કહ્યું છે (જુઓ પૃ.૪૩) કે સિ0 હેતુ અતિવિસ્તીર્ણ કે વિપ્રકીર્ણ નથી તેમજ એ કાતત્રને જેમ સંકીર્ણ પણ નથી.
પ્રભાવકચરિત– (શૃંગ-૨૨, શ્લો. ૮૨)માં કહ્યું છે કે અત્યારે જે કલાપક લક્ષણ અર્થાત્ વ્યાકરણ પ્રવૃત્ત છે તે સંક્ષિપ્ત છે અને એમાં શબ્દની નિષ્પત્તિ જેવી જોઇએ તેવી નથી. વળી પાણિનિ એ વેદનું અંગ છે. એમ કહી બ્રાહ્મણો ગર્વથી એ વ્યાકરણ ઉપર ઈર્ષા કરી ભણાવતા નથી માટે તમે નવું વ્યાકરણ રચો.
વ્યાકરણોની રચના મુખ્યતયા સૂત્રાત્મક હોવાથી એ ગદ્યમાં હોય એ સ્વભાવિક છે. તેમ છતાં જૈનોને હાથે નીચે મુજબનાં બે વ્યાકરણો પદ્યમાં યોજાયાં છે.
(૧) બુદ્ધિસાગરસૂરિકૃત બુદ્ધિસાગર (વિ. સં. ૧૦૮૦). (૨) દાનવિજયકૃત શબ્દભૂષણ (લ. વિ. સં. ૧૭૭૦).
ભોજવ્યાકરણ પદ્યમાં છે ખરું પણ એ કંઈ સ્વતન્ત્ર-મૌલિક કૃતિ નથી. એ તો સારસ્વત વ્યાકરણના વિવરણરૂપ છે.
સિદ્ધહેમચન્દ્રની સર્વોત્તમતા- સહસાવધાની મુનિસુંદરસૂરિએ વિ. સં. ૧૪૫૫ માં બાલ્યાવસ્થામાં જીભની પટુતા કેળવવા માટે જે ઐવિદ્યગોષ્ઠી યાને ઐવિદ્યગોષ્ઠિકા રચી છે તેમાં (પત્ર-૨, આ ૨આમાં) એમણે નીચે મુજબના ક્રમે ૨૦ વ્યાકરણોનો ઉલ્લેખ કર્યો છે.
(૧) ઐન્દ્ર, (૨) જૈનેન્દ્ર, (૩) સિદ્ધહેમચન્દ્ર, (૪) ચાંદ્ર, (૫) પાણિનિ (૬) સારસ્વત, (૭) શાકટાયન, (૮) વામન, (૯) વિશ્રાંત, (૧૦) બુદ્ધિસાગર, (૧૧) 'સરસ્વતીકઠાભરણ, (૧૨) વિદ્યાધર, (૧૩) મુષ્ટિવ્યાકરણ, (૧૪) કલાપક, (૧૫) ભીમસેન, (૧૬) શિવ, (૧૭) ગૌડ, (૧૮) નન્ટિ, (૧૯) જયોત્પલ અને (૨૦) જયદેવ. ૧. આ કાત– વ્યાકરણની રચના પ્રક્રિયા અનુસાર છે. જુઓ સંસ્કૃત વ્યારા શાસ્ત્રી તિહાસ (ભા.-૧, પૃ.૩૭૫). ૨. આ નામ અંતમાંના દ્વિતીય પદ્યમાં છે. એ નીચે મુજબ છે.
"शरशरमनु (१४५५) मितवर्षे स्वस्यान्येषां च शैशवे सुधियाम् । जिह्वापटिमोपकृते विदधे त्रैविद्यगोष्ठीयम् ॥२॥" ૩. આ નામ પ્રારંભમાં બીજા પદ્યમાં છે. ૪. આ નામનું અલંકારશાસ્ત્ર રચનારા ભોજદેવની આ કૃતિ છે. એમાં ચચ્ચાર પાદવાળા આઠ-અધ્યાય છે
અને ૬૪૨૧ સૂત્રો છે. પહેલા સાત-અધ્યાયમાં લૌકિક શબ્દોને સ્થાન અપાયું છે, જ્યારે આઠમા-અંતિમ અધ્યાયમાં સ્વરપ્રકરણ અને વૈદિક શબ્દોનું અન્વાખ્યાન છે. આ વ્યાકરણ પાણિનીય અષ્ટા) અને ચંદ્ર વ્યાકરણને આધારે રચાયું છે. આ વ્યાકરણમાં પરિભાષા, લિંગાનુશાસન, ઉણાદિ અને ગણપાઠનું તે તે
અધિકારમાં નિરૂપણ છે એ એની વિશેષતા ગણાય છે. ૫. પાણિનિએ રચેલા મનાતા ધાતુપાઇને અંગે ધાતુઓના અર્થ જે ભીમસેને આપ્યા છે એ ભીમસેન અત્ર
અભિપ્રેત હોય તો DCGCM (Vol. II. Pt. I, Nos. 208-217) જોવું ઘટે.
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત
[65]
૬૫
વિશેષમાં પત્ર ૮-આમાં એમણે કહ્યું છે કે જો તમને લક્ષણાનુગામિની (અર્થાત P-૪૯ વ્યાકરણવિષયક) ગોષ્ઠી ગમતી હોય તો હાલમાં બધાંયે લક્ષણોમાં (વ્યાકરણોમાં) શ્રી સિદ્ધહેર લક્ષણ મુખ્ય છે એમ તજજ્ઞોનું કહેવું છે. આમ અહીં એમણે સિ0 હેતુને સર્વોત્તમ વ્યાકરણ કહ્યું છે.
સિદ્ધહેમચન્દ્ર સર્વોત્તમ કે વિધાનંદ વ્યાકરણ? - સહસાવધાની મુનિસુંદરસૂરિએ વિ.સં. ૧૪૬૬માં રચેલી ગુર્વાવલીના નિમ્નલિખિત ૧૭૧માં પદ્યમાં વિ. સં. ૧૩૧૨ કરતાં પહેલાં રચાયેલા વિદ્યાનંદ વ્યાકરણનું મૂલ્ય આંકડ્યું છે. "विद्यानन्दाभिधं तेन कृतं व्याकरणं नवम् । भाति सर्वोत्तमं स्वल्पसूत्रं बह्वर्थसङ्ग्रहम् ॥१७१॥"
આમ અહીં વિદ્યાનન્દ વ્યાકરણને નવીન કહ્યું છે. વિશેષમાં આ વ્યાકરણમાં સૂત્ર થોડાં અને અર્થ ઘણો છે અને એ સમયે મુનિસુંદરસૂરિ સામે જે જે વ્યાકરણો હશે, (સિ. હેતો હતું જ) તેમાં આ વ્યાકરણ એમને “સર્વોત્તમ' જણાયાનો ઉલ્લેખ છે.
જિનરત્નકોશના પ્રથમવિભાગમાં આ વ્યાકરણની નોંધ નથી એટલે એની કોઈ હાથપોથી પણ આજે ઉપલબ્ધ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. આમ જ્યારે આ વ્યાકરણ મારા તો જોવામાં જ આવ્યું નથી તો એનું જે મૂલ્યાંકન મુનિસુંદરસૂરિએ કર્યું છે તે ચકાસી જોવાની વાત હું જતી કરું છું. બાકી નવાઇની વાત તો એ છે કે કે ઐવિદ્યગોષ્ઠીમાં વિદ્યાનન્દ વ્યાકરણનો ઉલ્લેખ સરખો યે નથી. તેમ છતાં એને ગુર્નાવલીમાં સિ0 હેવ કરતાં પણ ચડિયાતું કહ્યું છે.
આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે શું વિ. સં. ૧૪૫૫માં દર્શાવેલા અભિપ્રાયને વિ. સં. ૧૪૬૬માં બદલી નાંખવા માટે મુનિસુંદરસૂરિને કોઈ સબળ કારણ મળ્યું હશે કે પહેલો ઉલ્લેખ બાલ્યાવસ્થાનો હોવાથી આગળ ઉપર-અગિયાર વર્ષે એ સમુચિત ન જણાતાં એમણે ભિન્ન અભિપ્રાય દર્શાવ્યો ?
પ્રક્રિયા-ગ્રન્થ- વ્યાકરણના સૂત્રપાઠગત સૂત્રોનો ક્રમ સાધનિકો માટે ભાગ્યે જ યોગ્ય હોય એટલે એના અર્થીઓ માટે પ્રક્રિયા-ગ્રંથ યોજાય એ સ્વાભાવિક છે. આવું કાર્ય પ્રત્યેક વ્યાકરણને અંગે થઇ તો શકે, પરંતુ વિશેષ પ્રચારમાં આવનારા અને મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા વ્યાકરણ માટે આ ઘટના સહજ બને. પાણિનિકૃત અષ્ટા માટે કેટલાકને મતે બૌદ્ધ ધર્મકીર્તિએ લ. વિ. સં. ૧૧૪૦માં રૂપાવતાર નામનો પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને ભોજિ દીક્ષિતે વિ.સં. ૧૫૧૦થી ૧૫૭૫ના ગાળામાં સિદ્ધાંતકૌમુદી નામનો પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને નરેન્દ્રાચાર્ય લ. વિ. સં. ૧૩00માં રચેલા સારસ્વત વ્યાકરણ પરત્વે અનુભૂતિસ્વરૂપાચાર્યે પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે તેમ ઉપલબ્ધ જૈન-વ્યાકરણો પૈકી દિ દેવનદિત જૈનેન્દ્ર વ્યાકરણ ઉપર શ્રુતનદિએ તેમજ ચારકીર્તિએ એકેક પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને શાકટાયન વ્યાકરણને અંગે અભયચંદ્ર પ્રક્રિયા-સંગ્રહ, ભાવસેને શાકટાયન-ટીકા અને દયાપાલમુનિએ રૂપસિદ્ધિ એમ ત્રણ પ્રક્રિયા-ગ્રંથો રચ્યા છે તેમજ સિ0 હેવને અંગે વિનયવિજયગણિએ હૈમલઘુપ્રક્રિયા અને મેઘવિજયગણિએ ચંદ્રપ્રભા ઇત્યાદિ ત્રણ કૃતિ અને વીરસેને હૈમપ્રક્રિયા રચી છે. આમ સિ0 હેવને અંગે આધુનિક રચનાઓ બાદ કરતાં પાંચ પ્રક્રિયા-ગ્રંથો રચાયા છે. ૧. વીસ વ્યાકરણોનો ઉલ્લેખ ઐવિદ્યગોષ્ઠીમાં છે. જુઓ. પૃ.૨૦ (ઉપ૦). ૨. જુઓ સં૦ વ્યા, ઇ૦ (ભા.-૧, પૃ.-૪૫૩.) ૩. જુઓ પૃ.-૪૭-૪૮.
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૬
[66]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ
|
P-પર
આ ઉપરથી એ ફલિત થાય છે કે જૈન-વ્યાકરણ પૈકી ત્રણ જ વ્યાકરણ અંગે પ્રક્રિયા-ગ્રંથ છે. સૌથી વધારે પ્રક્રિયા-પ્રન્થ સિ0 હેતુને લક્ષીને છે અને એવી રચના વિ. સં. ૧૭૧૦ પહેલાં કોઇએ કર્યાનું જણાતું નથી (વીરસેનનો સમય જાણવામાં નથી.) એવી રીતે જૈનેન્દ્ર વ્યાકરણ પરત્વે વિક્રમની બારમી સદી પહેલાં અને શાકટાયનને અંગે વિક્રમની અગિયારમી સદી પહેલાં કોઈ પ્રક્રિયાગ્રંથ રચાયો લાગતો નથી. જો આમ કહેવું વાસ્તવિક હોય તો જૈન વ્યાકરણોમાં પ્રક્રિયા-ગ્રન્થથી વિભૂષિત થનારા વ્યાકરણ તરીકે શાકટાયન વ્યાકરણ સૌથી પહેલું છે. '
સિ0 હેવનો ઉદ્ધાર કરી સિદ્ધ-સારસ્વત નામનું નવીન વ્યાકરણ દેવાનન્દસૂરિએ લ. વિ. સં. ૧૨૭૫માં રચ્યું. એ પૂર્વે કોઇએ તેમ કર્યું છે ખરું ?
પાંચ અજેન વ્યાકરણો- આપણા આ દેશમાં સંસ્કૃત ભાષાનાં સંસ્કૃતમાં વ્યાકરણો જે રચાયાં છે તેમાં વૈદિક હિંદુઓનો સબળ ફાળો છે. અહીં એમણે રચેલાં નિમ્નલિખિત ચાર વ્યાકરણો વિષે વિચાર કરાયો છે. .
(૧) ઐદ્ર, (૨) અષ્ટ, (૩) કાતસ્ત્ર અને (૪) સારસ્વત.
એંદ્ર વ્યાકરણ સિવાય બાકીનાં સંપૂર્ણ મળે છે. કાતન્નનો અને ખાસ કરીને સારસ્વત વ્યાકરણનો જૈનોમાં જેટલો પ્રચાર થયેલો જણાય છે તેટલો અષ્ટા)નો થયો નથી.
ઉવસ્સગ્ગહરથોત્તની દ્વિજપાર્ષદેવગણિએ રચેલી લઘુ ટીકામાં એ ગણિએ કાતત્રના સૂત્રો આપ્યાં છે. વળી તત્ત્વાર્થસૂત્ર ઉપર દિ.શ્રુતસાગરે રચેલી તત્ત્વાર્થવૃત્તિમાં એ મુનિએ માટે ભાગે કાતન્નનાં અને કોઇ કોઇવાર પાણિનિત અષ્ટા૦નાં સૂત્રો આપ્યાં છે.
પાંચમું અજૈન વ્યાકરણ તે ચન્દ્ર વ્યાકરણ છે. એ બૌદ્ધ રચના છે અને એ મહત્ત્વની છે. ઉસભપંચાસિયા વગેરે રચનારા ધનપાલે આ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. બુદ્ધિસાગરસૂરિ વગેરે શ્વેતાંબર વૈયાકરણોએ પોતપોતાનું વ્યાકરણ રચતી વેળા આ વ્યાકરણનો ઉપયોગ કર્યો હતો.
પાઇય, કાનડી અને ફારસી ભાષાનાં સંસ્કૃત વ્યાકરણો– બધાંયે જૈન સંસ્કૃત વ્યાકરણો. કંઈ કેવળ એ જ ભાષાનાં જ વ્યાકરણો નથી. સિ0 હેo તો સંસ્કૃત ભાષાનું વ્યાકરણ હોવા ઉપરાંત પાઇય ભાષાના વિવિધ પ્રકારોને લગતું અમુક કક્ષાનું તો વ્યાકરણ છે જ.
સિ0 હેવની પૂર્વેનાં કોઈ જૈન વ્યાકરણમાં પાઈય ભાષાના વ્યાકરણને સ્થાન અપાયું હોય એમ જણાતું નથી એટલું જ નહિ પણ આ ભાષાને અંગેનું સ્વતન્દ્ર વ્યાકરણ તો દિ. શ્રુતસાગર ઔદાર્યચિંતામણિ કરતાં પહેલાં કોઈ રચાયું હોય એમ જાણવામાં નથી.
દિ અકલ કે “કાનડી' ભાષાનું વ્યાકરણ સંસ્કૃતમાં રચ્યું છે. એવી રીતે “પારસીક' (ફારસી) ભાષાનું સંસ્કૃત વ્યાકરણ ગૃહસ્થ વિક્રમસિંહ રચ્યું છે.
વ્યાકરણોનું વિહંગાવલોકન પૂરું થાય છે એટલે લગભગ વિ. સં. ૧૮૦૦ સુધીમાં રચાયેલાં વ્યાકરણોને વિષેની કેટલીક હકીકત હું નીચે મુજબ કોષ્ટક દ્વારા સૂચવું છું. ૧. જુઓ પૃ. ૨૩. ૨. જુઓ પૃ. ૩૩ ૩. જુઓ પૃ. ૩૩.
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[67]
૬૭
વ્યાકરણ (૩૫)
P-૫૩
જૈન (૩૦)
અજૈન (૫)
ઉપલબ્ધ (૨૪)
અનુપલબ્ધ (૬)
વૈદિક (૪)
બૌદ્ધ (૧)
સંસ્કૃત (૨૦) પાઇય (૨) (સ્વતંત્ર) પારસીક (૧) કાનડી (દિ.) (૧) ઉપલબ્ધ(૩)
અનુલબ્ધ (૧)
સંસ્કૃત (૧૫) (માધ્યમ)
ગુજરાતી (૫) (માધ્યમ) (ઓક્તિક)
પંચાંગી (૩).
એકગી (૧૨)
ગદ્યાત્મક (૨)
| છે. (૧)
પદ્યાત્મક (૧) (૨) | વા (૧)
સૂત્રપાઠ (૬)
ગણપાઠ (૩)
ધાતુપાઠ (૧)
લિંગાનુશાસન (૧)
ઉણાદિસૂત્ર (૧)
ગધાત્મક (૫)
પદ્યાત્મક (૧)
ગદ્યાત્મક (૧) પદ્યાત્મક (૨)
P-૫૪
છે. (૪) દિ. (૩)
(૨) કોશ : ૪ર જેન કૃતિ (લ. વિ. સં. ૧૦૦૦-વિ. સં. ૨૦૦૫)
સંસ્કૃત શબ્દોના સંસ્કૃતપર્યાય રજૂ કરતા સંસ્કૃત કોશ યાને નામમાલાને લગતી કૃતિઓના મુખ્ય બે વર્ગ પાડી શકાય તેમ છે. (૧) એકાર્થક નામમાલા અને (૨) અનેકાર્થક નામમાલા. પ્રથમ વર્ગના એકાક્ષરી અને અનેકાક્ષરી એમ બે પેટાવર્ગ પાડતાં નાનાલાના ત્રણ પ્રકાર ઉદ્ભવે છે. આ ત્રણ જાતની નામમાલા પૈકી “અનેકાક્ષરી' નામમાલામાંની કેટલીક અમુક જ પ્રકારના શબ્દો કે અમુક જ વિષયને રજૂ કરે છે અને એ દૃષ્ટિએ “આંશિક નામમાલા છે. એના શબ્દ અને વિષયની દષ્ટિએ બે ભેદ પડે છે. આ વાત ઝટ સમજાય તે માટે હું એને નીચે મુજબ રજૂ કરું છું અને એની સંખ્યા દર્શાવવાની સાથે સાથે શ્વેતાંબર અને દિગબર કૃતિની સંખ્યા પણ નોંધું છું.
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
-
૬૮
[62]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
સંસ્કૃત ભાષાની જેના નામમાલા (૪૨)
એકાર્થક (૩૫)
અનેકાર્થક (૭)
એકાક્ષરી (૬)
અનેકાક્ષરી (૨૯)
છે. (૨)
દિ. (૫)
છે. (૫)
દિ. (૧)
સંપૂર્ણ (૨૦).
આંશિક (૯)
છે. (૧૮) દિ. (૨)
શબ્દતઃ (૫)
વિષયતઃ (૪)
P.૫૫
પધાત્મક રચના- આ તમામ નામમાલાઓ પદ્યાત્મક છે. આ ઘટના મુખ્યતયા નામમાલા કંઠસ્થ કરવાની અનુકૂળતાને આભારી જણાય છે.
શ્વેતાંબર અને કાક્ષરી એકાર્થક કોશોમાં જેમ ‘અનટ્ટમ્' છન્દમાં ૧૮૮ પદ્યોમાં રચાયેલો લઘુતમનામકોશ સૌથી નાનો છે તેમ દિગંબર કોશોમાં ધનંજયનામમાલા છે. ત્રણેક દસકા ઉપર કેટલાયે શ્વેતાંબર મુનિઓ (દા.ત. શ્રીવિજયપ્રતાપસૂરિજી) પોતાના પ્રાથમિક અભ્યાસ દરમ્યાન આ નામમાલા કંઠસ્થ કરતા હતા એ એની અભ્યાસની દૃષ્ટિએ ઉપયોગિતા સૂચવે છે.
પ્રથા- જેમ મુખ્યતયા અજૈનોમાં અમરકોશ કંઠસ્થ કરવાની પ્રથા આજે પણ જોવાય છે તેમાં ખાસ કરીને શ્વેતાંબરોમાં-તેરાપંથની કેટલીક સાધ્વીઓમાં સુદ્ધાં અભિધાનચિંતામણિ મોઢે કરવાની પ્રથા છે.
ન્યૂનતા- અભિ૦ ચિત્રમાં કેટલાક શબ્દો પૂરતી ન્યૂનતા જણાતાં શેષનામમાલા અને શિલોંછની રચના કરાઈ અને એ દ્વારા એ કોશને પરિપૂર્ણ બનાવવા પ્રયાસ કરાયો, પરંતુ હજી પણ કોઈ કોઈ શબ્દ (દા.ત. પાટીર) એમાં જણાતા નથી.
વિશેષમાં આ તેમજ અન્ય જૈન કોશો જે મેં અહીં નોંધ્યા છે. તેમાં જૈનોના પારિભાષિક શબ્દો.
૧. પારસીક કોશ પણ છે. ૨ નાનાર્થ-કોશના કર્તા અસંગને દિગંબર અને નાનાર્થસંગ્રહને અનેકાર્થક ગણી આ સંખ્યા દર્શાવાઈ છે. ૩. શબ્દભેદનામમાલા આંશિક કોશ હોય તો નવને બદલે ‘દસ” જોઇએ અને સંપૂર્ણની સંખ્યા વીસને બદલે
ઓગણીસ' જોઇએ. ૪. આ શબ્દ યશોવિજયગણિકત જ્ઞાનસારના “ભાવપૂજાષ્ટક” નામના ૨૯મા અષ્ટકના દ્વિતીય પદ્યમાં વપરાય છે. ૫. દાર્શનિક સાહિત્યને લગતો પારિભાષિક શબ્દોનો કોશ પણ સત્વર રચાવો જોઇએ પણ એ વાત હું અહીં
જતી કરું છે.
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[59] ૬૯ બહુજ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે. આથી પહેલી તકે બે કાર્ય થવાં જોઈએ. (૧) ખૂટતા શબ્દો P- પ૬ રજૂ થવા જોઇએ અને (૨) કંઈ નહિ તો કથાનુયોગને લગતી જૈન સંસ્કૃત કૃતિઓમાં આવતા પારિભાષિક શબ્દો અર્થ સહિત અપવા જોઇએ. આ તો એક કામચલાઉ પુરવણીની વાત થઈ. બાકી બીજાં બે વિશેષ મહત્ત્વનાં કાર્ય કરવાં જેવાં છે. એક તો જૈનોના પ્રૌઢ અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોના નિર્દેશપૂર્વકનો કોશ જોઇએ. બીજો કોશ વિશેષ પ્રયાસ માંગી લે તેમ છે, કેમકે એમાં સમય અને સ્થાનને લઇને જે શબ્દના અર્થમાં પરિવર્તનો થયાં હોય તેની પણ નોંધ હોવી ઘટે. ખરી રીતે તો સમગ્ર જૈન તેમજ અજૈન સંસ્કૃત સાહિત્યને લક્ષીને આ બીજી જાતનો મહાકોશ રચાવો જોઈએ, એ કાર્ય સુગમ બને તે માટે પણ જૈન વિભાગ તો જુદો તૈયાર થવો ઘટે.
ફારસીકોશ- જેમ ફારસી ભાષાનું સંસ્કૃત વ્યાકરણ વિક્રમસિંહ નામના જૈને રચ્યું છે તેમ P-૫૭ આ ભાષાનો શબ્દકોશ કેટલાકને મતે સપાદલક્ષ નામના જૈને રચ્યો છે.
(૩) છન્દઃશાસ્ત્રઃ રર જેવકૃતિ (વિક્રમની છઠ્ઠી સદીથી ચૌદમી સદી)
છંદને અંગે જે બાવીસ જૈન કૃતિઓ રચાઈ છે એમાં દસેક સંદિગ્ધ છે. પૂજ્યપાદ તેમજ બુદ્ધિસાગરસૂરિએ રચેલું એકેક છન્દ શાસ્ત્ર હજી સુધી તો મળી આવ્યું નથી. આથી છન્દ શાસ્ત્રને લગતી બાકીની ઉપલબ્ધ કૃતિઓમાં જયદેવ અને દિ. જયકીર્તિની કૃતિઓ સૌથી પ્રાચીન ગણાય. એ પછીની કૃતિઓ તે છન્દ શેખર, હૈમ છન્દોડનુશાસન ઇત્યાદિ છે. આ બધી કૃતિઓમાં હૈમ છંદોડનુશાસન એની સ્વપજ્ઞવૃત્તિ વગેરેને લઈને ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે.
ઉપર્યુક્ત પૂજ્યપાદ એ સર્વાર્થસિદ્ધિના કર્તા જ હોય તો છન્દ શાસ્ત્રની સ્વતંત્ર રચનાની શરૂઆત વિક્રમની. છઠ્ઠી સદીથી ગણાય. વિક્રમની ચૌદમી સદી પછી કોઈ સ્વતન્ત્ર નોંધપાત્ર રચના થઇ હોય એમ જણાતું નથી.
છન્દ શાસ્ત્રને અંગે જેમ પદ્યાત્મક રચના મળે છે. તેમ હૈમ છન્દોડનુશાસન જેવી કૃતિ ગદ્યમાંસૂત્રરૂપે યોજાયેલી મળી આવે છે. કંઠસ્થ કરનારની દૃષ્ટિએ પદ્યાત્મક કૃતિ વિશેષ અનુકૂળ ગણાય.
કાનડી છન્દ શાસ્ત્ર- જેમ કાનડી ભાષાનું સંસ્કૃતમાં વ્યાકરણ મળે છે (જુઓ. પૃ.-૫૬) તેમ જયકીર્તિકૃત છન્દોડનુશાસન કેટલાક કાનડી છંદો ઉપર પ્રકાશ પાડે છે. ૧. આવા શબ્દો શબ્દરનમહોદધિ નામના સંસ્કૃત-ગુજરાતી કોષમાં અપાયા છે. આ મહકાય કોશના સંગ્રાહક
પંન્યાસ શ્રીમુક્તિવિજયગણિ (જન્મવર્ષ વિ. સં. ૧૯૪૨) છે. આ કોશ “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન ગ્રંથમાલા”માં બે ભાગમાં અનુક્રમે ઇ. સ. ૧૯૩૭ અને ઇ. સ. ૧૯૪૧માં પ્રકાશિત કરાયો છે (એની એક નકલ મને ૫ સંપવિજયજી તરફથી ભેટ મળી હતી). તાજેતરમાં આ. ભ. હેમપ્રભસૂરિ મ. સા.ની પ્રેરણાથી આનું પુન:પ્રકાશન કેટલાક શબ્દો ઉમેરવાપૂર્વક ત્રણ ભાગમાં થયું છે.] વિ. સં. ૧૯૫૬માં ભાવનગરથી દોલતરાય મગનલાલ શાહે પ્રસિદ્ધ કરેલો અને સાવધલાલ વિ. છોટાલાલ વો'રોએ યોજેલો શબ્દચિંતામણિ નામનો સંસ્કૃત-ગુજરાતી કોશ અપ્રાપ્ય બનતાં એ ખોટ પુરી પાડવાના ઉદેશથી આ કોશ યોજાયો હતો. ૨. આવો કોશ હોય તો તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ.૫, સુ.૪૨)માંના “અનાદિ અને “આદિમાન્' શબ્દના અર્થ
ઉપર પ્રકાશ પડે આ બે શબ્દના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ અર્થને અંગે થોડીક ચર્ચા ૫. સુખલાલે એમના
ગુજરાતી વિવેચન (પૃ. ૨૪૮-૨૪૯, તૃતીય આવૃત્તિ, ઇ. સ. ૧૯૪૯)માં કરી છે. ૩. જુઓ પૃ.૮૨-૮૩.
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૦
[70].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P-૫૮ (૪) અલંકારશાસ્ત્રઃ ૨૯ જેન કૃતિ (વિક્રમની નવમી સદીથી અઢારમી સદી)
કાવ્યશાસ્ત્રને અંગે જે ૨૯ કૃતિઓ છે તેમાં ચાર આંશિક છે. આ શાસ્ત્રમાં શ્વેતાંબરોનો ફાળો દિગંબરો કરતાં વિશેષ છે, કેમકે દિ. કૃતિ ગણીગાંઠી છે બપ્પભટ્ટિસૂરિ કરતાં પહેલાં આ વિષયની કોઈ સ્વતન્નકૃતિ રચાઈ હોય એમ જણાતું નથી.
“થારાપદ્ર' ગચ્છના નમિસાધુએ રુદ્રટત કાવ્યાલંકાર ઉપર વિ. સં. ૧૧૨૫માં ટીકા રચી. એમને હાથે આ જાતનું દ્વાર યોગ્ય પ્રમાણમાં ખુલ્લું મૂકાતાં આગળ ઉપર આ માર્ગે અન્ય જૈન લેખકો વિવરણકાર તરીકે વિહરે છે. એ દરમ્યાનમાં વાલ્મટ અને “કલિ0' હેમચન્દ્રસૂરિ જેવા તો સ્વતંત્ર કૃતિ પણ રચે છે.
સમસ્ત કૃતિઓમાં હૈમ કાવ્યનુશાસન સૌથી મોખરે છે. એની બે સ્વોપજ્ઞ ટીકા એની મહત્તામાં વૃદ્ધિ કરે છે. આ કાવ્યાનુશાસન ગદ્યમાં સૂત્રરૂપે છે. એટલે પદ્યાત્મક કૃતિઓમાં તો
અલંકારમહોદધિ ઉત્તમ છે. P.૫૯
(૫) નાટ્યશાસ્ત્ર : ૧ જેન કૃતિ (લ. વિ. સં. ૧૨૦૦). નાટ્યશાસ્ત્રને અંગે નાટ્યદર્પણ ઉપરાંત કોઇ સ્વતંત્ર ગ્રંથ જૈનોએ રચ્યો હોય એમ જણાતું નથી એટલે એ વિષે વિશેષ કહેવાનું રહેતું નથી.
(૬) સંગીતશાસ્ત્ર : ૭ જેન કૃતિ (વિ. સં. ૧૩૫૦- લ. વિ. સં. ૧૫૦૦)
સંગીતશાસ્ત્રને લગતી સાત કૃતિઓ છે. તેમાંની ચાર તો. લ. વિ. સં. ૧૩૫૦થી લ. વિ. સં. ૧૪૯૦ના ગાળામાં રચાયેલી છે. બાકીની ત્રણ કૃતિ વિષે વિશેષ માહિતી મળી શકી નથી. આ પરિસ્થિતિમાં આ બધી કૃતિમાં દિ. પાર્શ્વચન્દ્રની કૃતિને હું અગ્ર સ્થાન આપું છું.
સુધાકલશની બંને કૃતિ અત્યારે તો અપ્રસિદ્ધ છે અને એમાંની પહેલી તો અદ્યાપિ અપ્રાપ્ય છે એટલે બીજી પ્રસિદ્ધ કરાય તો આ દિશામાં વિશેષ પ્રકાશ પડે.
(0) કામશાસ્ત્રઃ ૩ જૈન કૃતિ (વિક્રમની ૧૭મી સદી) કામશાસ્ત્રને અંગે જૈન કૃતિઓ ત્રણથી વધારે નથી અને તેમાં બે તો અપ્રકાશિત છે. વળી કંદર્પચૂડામણિ જૈને કૃતિ હોય તો પણ તે વિ. સં. ૧૬૩૩ની રચના છે. આ વિષય જૈનોને હાથે એમના ધાર્મિક વલણને લઈને લગભગ અણખેડાયેલો જ રહ્યો છે એમ કહું તો કેમ ?
(૮) સ્થાપત્ય : ૧ જૈન કૃતિ (ઉ. વિ. સં. ૧૪૦૦) એકસંધિએ શિલ્પશાસ્ત્ર નામની કૃતિ રચી છે. એ ઉપરાંત કોઇ જૈને આ વિષયની કોઈ કૃતિ રચ્યાનું જણાતું નથી તેમજ ઉપર્યુક્ત કૃતિ વિષે વિશેષ માહિતી મને મળી શકી નથી એટલે મૂલ્યાંકન અંગે હું કશું કહેતો નથી. ૧. શૃંગાર-ચંદ્રિકા, શૃંગાર-મંજરી અને નેમિકુમારના પુત્ર વામ્ભટે રચેલું કાવ્યાનુશાસન. આ વાગ્લટ દિગંબર
હશે એવી સંભાવના “નૈન સદિત્ય ગૌર તિદાસ' (પૃ.-૪૮૭)માં કરાઈ છે. ૨. આમાંથી એક અવતરણ થશોવિજયગણિએ પ્રતિમાશતક (શ્લોક.-૧૬)ની સ્વપજ્ઞવૃત્તિ (પત્ર-૬૫)માં આપ્યું
છે એમ એ વત્તિગત નિમ્નલિખિત પાઠ ઉપરથી જાણી શકાય છે. * * *પર્યાયોગૅI[]ો$િ: પર્યાયો' રૂતિ હૈમવવન' “ચ1થી પર્યાયોમ્" એ હૈમકાવ્યાનુશાસનના
છઠ્ઠા-અધ્યાયનું નવમું સૂત્ર છે.
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[71]
૭૧
P.૬૦
(૯) મુદ્રાશાસ્ત્ર આ શાસ્ત્ર માટે તો કોઇ જૈને સંસ્કૃત કૃતિ રચી જ જણાતી નથી તો મૂલ્યાંકનની વાત જ શી કરવી ? (૧૦) ગણિતશાસ્ત્ર : ૬ જેન કૃતિ (લ. વિ. સં. ૯૦૦-લ. વિ. સં. ૧૪૦૦)
ગણિતશાસ્ત્રને અંગેની આઠકૃતિ પૈકી છ ના કર્તા જૈન છે અને એ છે કે કૃતિ સંસ્કૃતમાં છે એમ માની લઇએ તો પાટીગણિતની ચાર અને ક્ષેત્રગણિતનીં બે કૃતિ છે એમ કહેવાય. આ બધી કૃતિઓમાં લ. વિ. સં. ૯00માં રચાયેલ ગણિતસારસંગ્રહ વિશેષતઃ નોંધપાત્ર છે. એ પૂર્વે વિદ્યાવારિધિ ઉમાસ્વાતિ જેવા જૈન ગણિતજ્ઞો થઈ તો ગયા છે પણ એમની કોઇ સ્વતન્નકૃતિ હજી સુધી તો મળી આવી નથી.
જૈનભૂગોળ અને ખગોળ જોતાં ગણિતની અને ખાસ કરીને ક્ષેત્રગણિતની મહત્ત્વની કૃતિઓ સર્જાયાની આશા તો રખાય, પણ કોણ જાણે કેમ એ દિશામાં વિક્રમની ચૌદમી સદી પછી અંધકારપટ છવાયો હોય એમ લાગે છે. આજે થોડાક જૈન ગૃહસ્થો ગણિતની વિવિધ શાખાના સારા જાણકાર છે પણ એમાં સંસ્કૃત ગ્રંથ રચે તેવા તો કોઈક જ છે ને? આથી અત્યારે તો ગણિતશાસ્ત્રની વિવિધ શાખાઓ ઉપર પ્રકાશ પાડતી સબળ સંસ્કૃતકૃતિ રચાય એવો સંભવ બહુ જ ઓછો છે.
(૧૧) નિમિત્તશાસ્ત્ર ૪૯ જેવકૃતિ (લ. વિ. સં. ૧૦પ-લ. વિ. સં. ૧૯૫૫)
નિમિત્તશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓને આપણે આઠ વિભાગમાં વિભક્ત કરી શકીએ. (૧) જયોતિષ (ફલાદેશ), (૨) સામુદ્રિક, (૩) શકુન, (૪) સ્વપ્ન, (૫) રમલ, (૬) અંગવિદ્યા, (૭) પ્રશ્નવિચાર અને (૮) પ્રકીર્ણક, આ વિભાગોની કૃતિઓની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે.
૧૬, ૪, ૮, ૯, ૩, ૨, ૪ અને ૨.
નિમિત્તશાસ્ત્રની આદ્ય બે કૃતિઓ નામે પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાન વિક્રમની બીજી સદીમાં થઈ ગયેલા પાદલિપ્તસૂરિની રચના છે, પરંતુ એ સંસ્કૃતમાં છે કે કેમ તે જાણવું બાકી રહે છે. વિશેષમાં એમાંથી એકે કૃતિ હજી સુધી તો મળી આવી નથી.
જ્યોતિષની કૃતિઓમાં નિમ્નલિખિત કૃતિઓ નોંધપાત્ર જણાય છે. ગ્રહભાવપ્રકાશ, આરંભસિદ્ધિ, નારચંદ્ર, જ્યોતિસાર અને માનસાગરીપદ્ધતિ.
વિ. સં. ૧૨૧૬થી લ. વિ. સં. ૧૭૩૫ના ગાળામાં સામુદ્રિકશાસ્ત્ર સંબંધી કૃતિઓ રચાઇ છે. તેમાં હસ્તસંજીવન મોખરે છે. ૧ ગણિતસાર અને ગણિતતિલક એ બે તો અજૈનકૃતિ છે. ૨. સિદ્ધભૂપદ્ધતિ જૈનની ક્ષેત્રગણિતને અંગેની કૃતિ હોય એમ લાગે છે. ૩. પ્રશ્નપ્રકાશ એ પ્રશ્નવિચારની કૃતિ હોય તો આ સંખ્યા ૧૫ની અને પ્રશ્નવિચારની કૃતિઓની સંખ્યા
પાંચની ગણાય.
P-૬૧
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૨
[2]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
શકુનશાસ્ત્રને અંગે સમતભદ્ર રચેલી કૃતિ નામે લોકકલ્પ તો મળતી નથી એટલે નરપતિજયચર્યા આ વિષયની પ્રથમ કૃતિ ગણાય.
વિ. સં. ૧૨૨૦માં રચાયેલું સ્વપ્નશાસ્ત્ર એ સ્વપ્નશાસ્ત્રની આદ્ય કૃતિ હોય એમ લાગે છે. નિમિત્તશાસ્ત્રોમાં મેઘમહોદય એકંદર રીતે વિશેષ મહત્ત્વની કૃતિ છે.
નિમિત્તશાસ્ત્ર સંબંધી કોઈ વિશિષ્ટ કૃતિ વિક્રમની ૧૮મી સદી પછી રચાયેલી જણાતી નથી. વિશેષમાં આ શાસ્ત્રને અંગે કોઇ દિગંબરે કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ ઉપરાંત મહત્ત્વની કોઇ કૃતિ સંસ્કૃતમાં રચી હોય એમ જાણવા જોવામાં નથી. જો એમ જ હોય તો તેનું શું કારણ ?
નિમિત્તશાસ્ત્રને અંગે જેટલી જૈન કૃતિઓ રચાઇ છે એટલી લાક્ષણિક સાહિત્યના કોઈ અંગ વિષે રચાયેલી જણાતી નથી. વળી આ વિષયની તેર-અજૈનકૃતિઓ ઉપર જૈન વિવરણો રચાયાં છે એટલે
વ્યાકરણ વગેરેને લગતી અજૈનકૃતિઓનાં જૈન વિવરણોમાં આ વિવરણોની સંખ્યા સૌથી વધારે છે. P-૬૨ (૧૨) વૈદકશાસ્ત્ર : ૩૬ જેન કૃતિ (લ. વિ. સં. ૬૦૦-લ. વિ. સં. ૧૦૧૦)
વૈધકને અંગે સાત કૃતિઓ કલ્યાણકારકમાં નોંધાયેલી છે પરંતુ વૈદ્યકગ્રન્થ તેમજ કલ્યાણકારક જે પૂજ્યપાદની રચના ગણાય છે તે પૈકી એકે આ સાત કૃતિમાં આવી જાય છે કે નહિ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. એને સ્વતંત્ર ગણીએ તો પૂજયપાદે ઓછામાં ઓછી ત્રણ અને વધારેમાં વધારે પાંચ કૃતિ રચેલી ગણાય કેમકે “પૂજ્યપાદ' એવા કર્તાના નામવાળી કૃતિઓ પૈકી કેટલી એકકણ્વક છે તેની તપાસ કરવી બાકી રહે છે. ઉપર્યુક્ત નવ કૃતિઓમાંની એક તે સમતભદ્ર રચેલો સિદ્ધાન્તરસાયનકલ્પ છે. એ સૌથી પ્રાચીન જણાય છે. ત્યાર પછીનો વૈદ્યકગ્રંથ તે દિ. ઉગ્રસેનક્ત કલ્યાણકારક છે અને એ પ્રકાશિત છે એથી જ નહિ, પણ એ મધ, મધ અને માંસના સેવન વિના રોગીના રોગ દૂર કરવાની માહિતી પૂરી પાડે છે એ દૃષ્ટિએ ખાસ મહત્ત્વનો છે. કોઈ શ્વેતાંબર કૃતિ વિક્રમની નવમી સદી પહેલાં-બલ્ક સત્તરમી સદી પહેલાં રચાઈ હોય એમ જણાતું નથી. એવી રીતે યોગરત્નાકર કરતાં વૈદકની કોઈ પ્રાચીન ગુજરાતી કૃતિ હોય એમ પણ જણાતું નથી.
પૃ.૧૪૪માં નોંધાયેલી આઠ સંદિગ્ધ કૃતિ વિષે ચોક્કસ કંઈ કહી શકાય નહિ એટલે અવશિષ્ટ કૃતિઓ વિચારવાની રહે છે ખરી, પણ એ સંબંધમાં વિશેષ માહિતી મળ્યા વિના શું કહેવાય?
(૧૩) પાકશાસ્ત્રઃ ૧ જેન કૃતિ (ઉ. વિક્રમની છઠ્ઠી સદી)
પોરાગમ એ પાકશાસ્ત્રની જ કૃતિ હોય તો પણ એ અનુપલબ્ધ છે એટલું જ નહિ પણ P-૬૩ એનો વિશિષ્ટ પરિચય પણ પૂરું પાડનારું કોઈ સાધન જણાતું નથી તો આ પરિસ્થિતિમાં પાકશાસ્ત્રને લગતી કૃતિના મૂલ્યાંકનની વાત જતી જ કરવી પડે ને?
(૧૪) વિજ્ઞાનઃ ૨૧ જેન કૃતિ (લ. વિ. સં. ૧૨૦પ-વિ. સં. ૧૮૦૦)
અમરચન્દ્રસૂરિકૃત કલાકલાપના વિષય વિશે આપણે અજ્ઞાત છીએ એટલે એ કૃતિને બાજુએ રાખતાં આ પ્રકરણમાં નોંધાયેલી સંસ્કૃત કૃતિઓને આપણે ચારવર્ગમાં વિભક્ત કરી શકીએ. ૧. શાલાક્યતન્ન, વૈઘકગ્રન્થ, કલ્યાણકારક, નાડી પરીક્ષા અને નિદાનમુક્તાવલી.
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત
[73] ૭૩ ' (૧) પશુ-પંખીનો પરિચય, (૨) ધનુર્વિદ્યા, (૩) રત્નો અને ધાતુની પરીક્ષા અને (૪) પ્રકીર્ણક.
આને અંગે અનુક્રમે ૮, ૨, ૪ અને ૬ કૃતિઓ છે.
મૃગ-પક્ષિ-શાસ્ત્ર- જેવી કૃતિ વિરલ અને લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાથી એ પહેલી તકે પ્રસિદ્ધ થવી ઘટે. વિશેષમાં એની સમીક્ષારૂપ લખાણ પ્રાણિવિદ્યાના કોઈ સહૃદય સમર્થ સાક્ષર પાસે તૈયાર કરાવવું ઘટે.
હાથી, ઘોડા અને કૂતરાને લક્ષીને અનુક્રમ ૧, ૩ અને ૨ કૃતિ યોજાઈ છે.
પશુ પંખીની બોલી જાણવાની કળા પ્રાચીન સમયમાં વિકસિત થઈ હતી એમ જૈન કથાસાહિત્યમાં આવતા ઉલ્લેખો જોતાં જણાય છે. આ જાતના ઉલ્લેખો એકત્રિત કરાય તો આ વિષય ઉપર પ્રકાશ પડે.
રત્નોની પરીક્ષા માટે ત્રણ કૃતિ છે. તેમાંની હીરાને લગતી કૃતિ તો કોઇ દિગંબરે યોજી છે. રત્નપરીક્ષા- તેમજ ધાતુપરીક્ષા વિક્રમની ચૌદમી સદીની કૃતિઓ છે એટલે તેમજ આજે
P-૬૪ પણ આ જ્ઞાન ગૃહસ્થ-જીવનમાં ઉપયોગી હોઈ એના પ્રકાશનાર્થે પ્રબંધ થવો ઘટે.
આજે શાહી પહેલાંના જેવી બનતી નથી એમ મનાય છે તો તેનું કારણ વિચારવામાં મષીવિચાર જેવી કૃતિ કામમાં લઈ શકાય.
(૧૫) નીતિશાસ્ત્રઃ ૫૮ જૈન કૃતિ (લ. વિ. સં. ૯૦૦-લ. વિ. સં. ૧૮૫૦)
આ નામના પ્રકરણમાં (૧) સામાન્ય નીતિ, (૨) સુભાષિત, (૩) રાજનીતિ અને (૪) પ્રકીર્ણક એમ મુખ્ય ચાર વિષયને મેં સ્થાન આપ્યું છે અને એને અંગે અનુક્રમે ૧૩, ૩, ૧ અને ૧ સ્વતા કૃતિનો પરિચય આપ્યો છે.
સામાન્ય નીતિને લગતી કૃતિઓ રચવાની શરૂઆત મોડામાં મોડી વિ. સં. ૯૦૦માં થઈ અને એ કાર્ય ચારેક સૈકા સુધી બંધ રહ્યા બાદ વિક્રમની ઓગણીસમી સદી સુધી ચાલું રહ્યું અને ત્યાર બાદ એ અટકી ગયું હોય એમ લાગે છે. આ વિષયની આદ્ય કૃતિ પ્રશ્નોત્તર શૈલીએ યોજાઈ છે. આવી બે જ કૃતિ જોવા જાણવામાં છે. એ બંનેનું નામ પ્રશ્નોત્તરરત્નમાલા છે.
આ વિષયના નિરૂપણમાં શ્વેતાંબર તેમજ દિગંબર એમ બંને ફિરકાનો ફાળો છે.
તિલકપ્રભસૂરિકૃત નીતિશાસ્ત્ર તો મળતું નથી એટલે બાકીની કૃતિઓમાં લોકપ્રિયતાની દૃષ્ટિએ વિમલસૂરિકૃતિ પ્રશ્નોત્તરરત્નમાલા આદ્યસ્થાન ભોગવે છે, જ્યારે એ સિવાયની કૃતિઓમાં મલ્લિષણકૃત સજ્જનચિત્તવલ્લભ જેવી નાનકડી કૃતિ તેમજ એથી મોટી એવી રત્નમાલા, નીતિ-ધનદ અને ઇદ્રનન્દિત નીતિસાર નોંધપાત્ર જણાય છે.
સુભાષિતોને અંગે ૪૩ કૃતિઓ છે. આ પૈકી નિમ્નલિખિત ત્રણ કૃતિઓ આધુનિક શ્વેતાંબર P-૬પ મુનિવરોએ પ્રાચીન કૃતિઓમાંથી તારવી કાઢેલાં સુભાષિતોના સંગ્રહરૂપ છે. ૧. લોકસંવ્યવહાર નીતિશાસ્ત્રની કૃતિ હોય તો ૧૩ને બદલે ૧૪ જોઇએ.
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૪
[74]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ
હેમચન્દ્ર-વચનામૃત-સુભાષિત-પદ્ય-રત્નાકર અને જૈન-સૂક્ત-સંદોહ.
સુભાષિતોને લગતી કૃતિઓની રચનાનો પ્રારંભ વિ. સં. ૧૦૨૫ની આસપાસમાં થયો હોય એમ લાગે છે અને આ જાતની સ્વતંત્ર કૃતિની રચનાનું કાર્ય લગભગ વિ. સં. ૧૮૪૭ સુધી ચાલુ રહ્યું છે.
શ્વેતાંબરોમાં સિજૂરપ્રકરે અને દિગંબરોમાં સુભાષિતરત્નસંદોહે આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તે સમુચિત છે.
વિક્રમની સત્તરમી સદીમાં સુભાષિતોને અંગે જેટલી કૃતિ રચાઇ છે એટલી અન્ય સદીમાં રચાઈ હોય એમ જણાતું નથી. :
સોળમાં પ્રકરણમાં સુભાષિતોને લગતી કૃતિની સંખ્યા ઘણી મોટી છે. એ જોતાં અને આ વિષયની મહત્તા અને ગ્રાહકતા વિચારતાં મારી એ નમ્ર સૂચના છે કે આ જાતની પ્રકાશિત તેમજ અપ્રકાશિત સમગ્ર જૈન કૃતિઓનાં પદોનો એક કોશ સુભાષિત રત્નમાંડાગર જેવા સ્વરૂપે તૈયાર કરવાનું કાર્ય કોઈ મુનિવરે ઉપાડી લેવું જોઇએ અને એનું પ્રકાશન કોઇ સમૃદ્ધ સમીક્ષાત્મક સંસ્કારરૂપે કરવું જોઈએ.
રાજનીતિને અંગે એક જ ગ્રન્થ છે અને એ મહત્ત્વનો છે.
બુદ્ધિસાગર જેવી પ્રકીર્ણક કૃતિ પણ ગણીગાંઠી હશે એટલે એના પર તુલનાત્મક મૂલ્યાંકન માટે વિચાર કરવાનો રહેતો નથી.
ત્રણ અને ચાર વિષયની એકકઈંક કૃતિઓ- લાક્ષણિક સાહિત્યનાં જે પંદર વિષયોને આ પુસ્તકમાં સ્થાન અપાયું છે એ દરેકને અંગે સંસ્કૃતમાં એકેક કૃતિ પણ રચી હોય એવા જૈનગૃહસ્થ કે મુનિવર નથી અને એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમકે સામાન્ય રીતે એક જ વ્યક્તિ એક કે બે જ વિષયની કૃતિ રચે એ સ્વાભાવિક ઘટના છે. આથી અહીં હું લાક્ષણિક સાહિત્યના ત્રણ અને ચાર વિષયો પરત્વે કૃતિ રચનારનો અનુક્રમે ઉલ્લેખ કરું છું. તેમાં ત્રણને અંગે રચનાર નીચે મુજબ છે.
વ્યાકરણ, છન્દ અને વૈદ્યક : પ્રણેતા પૂજ્યપાદ. વ્યાકરણ, અલંકાર અને સંગીત : પ્રણેતા મંડન (મસ્ત્રી).
ચાર વિષયો ઉપર કૃતિ રચનાર તરીકે બે વ્યક્તિઓ છે : (૧) કલિ૦ હેમચન્દ્રસૂરિ અને (ર) હર્ષકીર્તિસૂરિ. વ્યાકરણ, કોશ, છન્દ અને અલંકાર એ ચાર વિષયો ઉપર “કલિ0' હેમચન્દ્રસૂરિએ અને વ્યાકરણ, કોશ, વૈદ્યક અને નિમિત્ત એ ચારને અંગે હર્ષકીર્તિસૂરિએ કૃત રચી છે.
સૈકાદીઠ ફાલ (૧) ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમય પૂર્વે લાક્ષણિક સાહિત્યની કોઈ કૃતિ સ્વતન્ન સ્વરૂપે રચાઈ હોય તો તે આજે મળતી નથી.
P-૬૬
૧. આથી વધારે વિષયની લાક્ષણિક સાહિત્યને લગતી કૃતિ કોઈ જૈને રચી નથી એટલે એનો નિર્દેશ કરવાનો
રહેતો નથી. ૨. વ્યાકરણનાં પાંચ અંગ ઉપર એકેક કૃતિ, સૂત્રપાઠ ઉપર લઘુ અને બૃહદ્ઘત્તિ તથા ન્યાસ તેમજ ધાતુપાઠ,
લિંગાનુશાસન અને ઉણાદિસૂત્ર ઉપર એકેકવૃત્તિ. ૩. કોષ ચાર છે. જુઓ પૃ. ૬૪ બે કોષ ઉપર સ્વોપજ્ઞવિવરણ છે. ૪. આના ઉપર એક કૃતિ છે અને એ સ્વપજ્ઞવૃત્તિથી વિભૂષિત છે. ૫. આને અંગે એક કૃતિ છે અને તે વૃત્તિ અને તેના ઉપરની વૃત્તિ (supercommentary)થી અંલકૃત છે.
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
P-૬૭
ઉપોદ્યાત
[75] ૭૫ (૨) ઇ. સ. પૂર્વે પ૯૦ અને ઇ.સ. પૂર્વે ૫૫૭માં એકેક જૈન વ્યાકરણ રચાયું ત્યાર બાદ . સ.૧૨૦ સુધીમાં એટલે કે ૭૧૦ વર્ષ સુધીના ગાળામાં લાક્ષણિક સાહિત્યની એકે જૈન કૃતિ જોવાતી નથી.
(૩) ઈ. સ. ૧૨૦ના અરસામાં પાદલિપ્તસૂરિએ કૃતિઓ રચી પછી પૂજ્યપાદના સમય સુધી કોઈ કતિ રચાયેલી જણાતી નથી. આમ પાછો ત્રણ-ચાર સૈકાનો ગાળો પડે છે. વિ. સં. ૬૦૧થી વિ. સં. ૮૩૯ સુધી પણ આવી અંધકારમય સ્થિતિ પ્રાયઃ પ્રવર્તે છે.
(૪) વિ. સં. ૮૪૦માં હરિવંશપુરાણ રચાતાં સાહિત્યનું ક્ષેત્ર ઠીક ઠીક ખેડાવા માંડે છે. તેમાં લ. વિ. સં. ૯૦૦માં “પાપનીય” સંઘના તે સમયના અગ્રણી શાકટાયનથી “યાપનીય સાહિત્ય' રચાય છે, પરંતુ એ પ્રવૃત્તિ થોડાક સૈકા બાદ બંધ પડે છે. વિશેષમાં “પાપનીય સંપ્રદાયની કોઈ વ્યક્તિ આજે પાંચેક સૈકાથી તો અસ્તિત્વ ધરાવતી જણાતી નથી.
(૫) લ. વિ. સં. ૧૦૮૦થી શ્વેતાંબર લાક્ષણિક સાહિત્યની રચનાના શ્રીગણેશ કોઈ એવા શુભ મૂહૂર્તમાં મંડાયા કે એ પ્રવૃત્તિ આજ દિન સુધી ઓછેવત્તે અંશે ચાલુ રહેલા પામી છે.
. (૬) વિક્રમની બારમી-તેરમી સદીમાં લાક્ષણિક સાહિત્યની લહાણી થતી જોવાય છે. એમાં “કલિ0’ હેમચન્દ્રસૂરિની પ્રવૃત્તિ વિશેષ ધ્યાન ખેંચે છે. પછી કંઇક ઓટ આવે છે. આગળ જતાં વિક્રમની સત્તરમી સદી સાહિત્યપ્રવૃત્તિથી ગાજી ઉઠે છે, જો કે એમાં મૌલિકતાની-સંગીન ઉમેરાની-ન્યૂનતા જોવાય છે. યશોવિજયગણિ આ ન્યૂનતા નવ્ય ન્યાયની ઝમકવાળી કૃતિઓ રચી અમુક અંશે દૂર કરે છે. ત્યાર પછી તો એવું થોડુંક કાર્ય પણ ભાગ્યે જ કોઇએ સંસ્કૃત સાહિત્ય પરત્વે કર્યું છે અને આજે કરે છે.
જૈન જગતના શ્વેતાંબર અને દિગબર એવા બે સ્પષ્ટ વિભાગ પડ્યા બાદ દિગંબરીય સાહિત્ય-ગગનમાંના ‘પાઇય' દિગ-વિભાગમાં જેમ કુન્દકુન્દ્રાચાર્ય જેવો સમર્થ તેજસ્વી મહાતારક ઊગ્યો તેમ “સંસ્કૃત' દિગૂ-વિભાગમાં સમન્તભદ્ર ગણાય છે. આશાધર નામનો તારો આ મહાતારકોના હિસાબે ઓછો તેજસ્વી છે. એ આથમી જતાં એટલા યે તેજથી દિગંબરીય સંસ્કૃત દિગૂ-વિભાગને પ્રકાશિત કરનાર કોઈ તારો આજદિન સુધીમાં ઊગ્યો હોય એમ જણાય છે ખરું ?
મૂલ્યાંકનનું કાર્ય પૂરું થયું છે એટલે પૃ. ૧૨માં સૂચવાયા મુજબ હું ‘નિવેદન’નો અવિશિષ્ટ અંશ રજૂ કરું છું.
રચનાસમયની સૂચી– આ પ્રથમખંડમાં લાક્ષણિક સાહિત્યને અંગેની જૈન સંસ્કૃત કૃતિઓના પ્રણેતાઓનો પરિચય આપતી વેળા મેં એ પ્રણેતાઓ પૈકી ઘણા ખરાની અન્ય વિષયોની કૃતિઓ હોય તો તે કૃતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. એ સમગ્ર કૃતિઓના રચના સમયની એક કામચલાઉ સૂચી મેં તૈયાર કરી છે. એ એકાંગી હોવાથી આગળ ઉપર ત્રીજા વિભાગના અંતમાં એવી બીજી બે સૂચી જે બીજા બે વિભાગો માટે મેં યોજી છે તેની સાથે એને ભેળવી દઈ ત્રણ વિભાગની એક અખંડ સૂચી આપવાનો ઈરાદો રાખું છું.
કર્તવ્ય- આર્ય સંસ્કૃતિરૂપ અખંડ તેલમાં તરબોળ એવી નાનીમોટી જૈન કલમરૂપ વાટોને પ્રતિભારૂપ દીપ-શિખા વડે પ્રજવલિત કરી દાનવતારૂપ ધુમ્રથી રહિત જ્ઞાનરૂપ પ્રકાશ દસે દિશામાં સમુચિત સ્વરૂપે સબળ પ્રમાણમાં સતત પ્રસરતો જોવાની અભિરુચિ હર કોઈ જૈનને હોય જ. આથી
P-૬૮
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૬
[76]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P-૬૯
એની પ્રાથમિક ભૂમિકારૂપ જે કાર્ય કરવું જોઇએ તે એ છે કે જૈન ભંડારોના કાર્યવાહકો પોતપોતાના હસ્તકના ભંડારોમાંની હાથપોથીઓનું વર્ણનાત્મક સૂચિપત્ર યોગ્ય વિદ્વાનો દ્વારા તૈયાર કરાવી તેને સત્વર પ્રસિદ્ધ કરે. એ દ્વારા પંદરેક લાખ જેટલી જૈન હાથપોથીઓ જે આજે મોજુદ છે તેમાં પિરસાયેલી સામગ્રીની માહિતી મળતાં જૈન સાહિત્યના જ ઇતિહાસ ઉપર વેધક પ્રકાશ પડશે એટલું જ નહિ પણ આપણા આ સમગ્ર આર્યાવર્તના-ભરતભૂમિના સાહિત્યિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસની પણ અનેક ગુંચી આપોઆપ ઉકલી જશે.
પ્રયાસ– જૈન ધર્મ એ આત્મન્નતિનો અને સાથે સાથે વિશ્વની સાચી અને સનાતન શાન્તિ માટેનો રામબાણ ઉપાય છે. તેમ છતાં એના સમુચિત અને સર્વાગીણ પરિચય માટે આધુનિક યુગના માનસને અનુલક્ષીને જેવો જોઈએ તેવો વ્યાપક પ્રયાસ જૈન સમાજ તરફથી હજી સુધી તો થયો નથી. આવી શોચનીય પરિસ્થિતિ આ ધર્મના ધુરન્ધર અનુયાયીઓ દ્વારા રચાયેલા વિશાળ, વિવિધ, વેધક, ઉપયોગી અને ઉદાત્ત એવા જૈન સાહિત્ય પરત્વે પણ જોવાય છે. અરે આ સાહિત્યના એક સબળ અંગરૂપ સંસ્કૃત સાહિત્યના પરિચય માટે પણ પરિપૂર્ણ પ્રયાસ કરવો. બાકી રહે છે. પ્રસ્તુત પુસ્તક તો એ દિશામાં માંડમાંડ એક પગલું માંડે છે. બાકી અહીં રજૂ કરાયેલી પદ્ધતિ ઉપરાંત બીજી અનેક પદ્ધતિએ આ સંસ્કૃત સાહિત્યનો અને વિશેષતઃ સમગ્ર જૈન સાહિત્યનો યથેષ્ટ પરિચય પુરો પાડનાર મહાકાય ગ્રંથ યોજાવો અને પ્રકાશિત થવો ઘટે. મારા આ વિચારના સમર્થનાર્થે તેમજ અન્ય જૈન સાહિત્યના સાચા સેવકોને એનો ભિન્ન-ભિન્ન રીતે પરિચય કરાવવા માટે માર્ગદર્શન મળે એ આશયથી ભારતીય સાહિત્યને અંગે તેમજ એના એક મહત્ત્વના વિભાગરૂપ સંસ્કૃત સાહિત્ય પરત્વે અત્યાર સુધીમાં જે પ્રયાસ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને જર્મનમાં થયાનું મારા જાણવામાં છે તેની હું અહીં નોંધ લઉં છું.
(અ) ગુજરાતી પ્રેફેસર એ. મેકડોનલ કૃત સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ પ્રો. મોહનલાલ પા. દવે (અનુવાદક), ૧૯૨૧.
(આ) હિન્દી संस्कृत साहित्य का इतिहास (प्रथम भाग) : कन्हैयालाल पोद्दार, १९३८. संस्कृत वाङ्मय : बलदेव उपाध्याय, १९४५. संस्कृत साहित्यकी रूपरेखा : चंद्रशेखर पाण्डेय तथा शांतिकुमार व्यास, १९५१ (तृतीय संस्करण).
(ઈ) સંસ્કૃત સંસ્કૃત સાહિત્યેતિહાસ: (મામ ૧-૨) : હંસર/પ્રવાત, ૨૨૨૨, ૨૨૧૨.
P-૭)
૧. સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈએ પુષ્કળ પરિશ્રમ લઈને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ નામનો
ગ્રંથ આઠ વિભાગમાં સિદ્ધસેનયુગ, હરિભદ્રયુગ, હેમયુગ, સોમસુંદરયુગ, હૈરકયુગ અને યશોવિજયયુગ એ છે યુગમાં વિભક્ત કરીને આલેખ્યો છે. એમાં અનેક ગ્રન્થોની નોંધ છે પણ એ મોટે ભાગે તો સંક્ષિપ્ત છે. વળી એમાં વિષયદીઠ કૃતિઓનો એકધારો પરિચય અપાયો નથી તેમજ દ્રાવિડ ભાષાઓમાં રચાયેલી કૃતિઓ
મોટે ભાગે જતી કરાઈ છે. એથી વિશિષ્ટ પ્રયાસ માટે અવકાશ રહે છે. ૨. આ ગુજરાતી અનુવાદ “ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભંડોળ કમિટિ” તરફથી મુંબઇથી પ્રસિદ્ધ કરાયો છે.
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
[17]
૭૭
P-૭૧
(ઇ) અગ્રંજી A History of Sanskrit Literature : Arthur A. Macdonell. 1900. A SHort History of Indian Literature : Ernst Horrwitz, 1907. The History of Literature : Albrecht Weber. 1914. Classical Sanskrit Literature : A. B. Keith. 1923. A History of Ancient Sanskrit Literature : Max Muller. 1926. A History of Indian Literature: (Vols. 1-11) : Mayrice Wintenitz. 1927, 1933. A History of Sanskrit Literature : A. B. Keith. 1928. History of Sanskrit Literature : C. V. Vaidya, 1930. A SHort History of Indian Literature : M. D. Chakravarty, 1936. A SHort History of Indian Literature : K. N. Kaul. 1937. Classical Sanskrit Literature : M. Krishnamacariar. 1937. An Introduction of Classical Sanskrit : G. Shastri. 1943. A Hand- Book of Classical Sanskrit Literature : U. V. Rao. 1946. History of Sanskrit Literature (Vol. 1): S. N. Dasgupta & S. K. De. 1947. Sanskrit Literature : (The P. E. N. Books No. 12), K. Chadrasekharan & V. H. Subramania Sastri. 1951.
(ઉ) જર્મન Gaschichteder Indischen Litteratur (Vol. II°) : Maurice Winternitz. 1920. 1922.
જેમ આ પૃથ્વી મહાસાગરોથી અલંકૃત છે તેમ સંસ્કૃતની સૃષ્ટિ પણ ભારતીય સાહિત્ય, યુરોપીય સાહિત્ય એમ જાતજાતના સાહિત્યરૂપ મહાસાગરોથી વિભૂષિત છે. ભારતીય સાહિત્યરૂપ મહાસાગર સંસ્કૃત, પાઇય અને દ્રાવિડ એમ ત્રણ ભાષામાં રચાયેલા વિવિધ, વિશાળ અને વરેણ્ય ગ્રંથરૂપ ત્રણ સમુદ્રથી પુષ્ટ બન્યો છે. આ સમુદ્રો પૈકી સંસ્કૃત સાહિત્યરૂપ સમુદ્ર વૈદિક, બૌદ્ધ અને જૈન સંપ્રદાયોની મહામૂલ્યશાળી કૃતિઓરૂ૫ સિંધુ, બ્રહ્મપુત્રા અને ભાગીરથીરૂપ સરિતાઓના સંગમસ્થાનરૂપ છે. આમ જૈન સંસ્કૃત સાહિત્ય એ એક મોટી સરિતા છે, પરંતુ વિશ્વ-સાહિત્યરૂપ વિરાટ મહાસાગરને હિસાબે તો એ બહુ નાની ગણાય. અરે ભારતીય સાહિત્ય તો શું પણ સમગ્ર જૈન સાહિત્યને હિસાબે પણ એ નાની નદી છે. આને લઇને એનું સમુચિત મૂલ્યાંકન થવામાં મુશ્કેલી નડે તે સ્વાભાવિક છે. અજૈન વિદ્વાનોને હાથે જે ભારતીય સાહિત્યના અને સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ આલેખાયા છે. તેમાં આ નાનકડી નદીનો સમુચિત પ્રમાણમાં ભાવ પૂછાવો રહી ગયો છે, અને એ સંક્લનાઓના ઉદેશ જોતાં તેમ થયું તેમાં કંઈ ખોટું પણ નથી. આવી પરિસ્થિતિમાં આ પુસ્તકની
૧. આનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. જુઓ. પૃ.૩૨. ૨. આ ગ્રન્થકારના મૂળ જર્મન ગ્રંથનો અંગ્રેજી અનુવાદ છે. એના અનુવાદક મિસિસ એસ. કેતકર અને મિસ
એચ. કોન (Kohn) છે. ૩. દ્વિતીય આ વિભાગમાં બૌદ્ધ અને જૈન સાહિત્યનું નિરૂપણ છે.
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
P-૭૩
૭૮ [78].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ રચના આવશ્યક ગણાશે એવું મારું નમ્ર મંતવ્ય છે. સાહિત્યની પ્રત્યેક નાની-મોટી નદીનાં યથાર્થ દર્શન કરાવનાર પુસ્તકો હોય તો એ ઉપરથી વિશ્વસાહિત્યરૂપ વિરાટ મહાસાગરનો પૂરતો ખ્યાલ મેળવવો સુગમ થઈ પડે એમ માની મેં આ દિશામાં યથામતિ પ્રયાસ કર્યો છે. એમાં જે ક્ષતિઓ અને ત્રુટિઓ જણાય તેના તરફ મારું સત્વર લક્ષ્ય ખેંચવા વિશેષજ્ઞો કૃપા કરશે તો અન્યત્ર એનો હું લાભ લઈ શકીશ અને અલનોનું પુનરાવર્તન થતું અટકશે.
wણ-સ્વીકાર– જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાનો મને જે સુયોગ મળ્યો તે પ્રસ્તુત સંસ્થાના કાર્યવાહક મહાશયને મુનિશ્રી યશોવિજયજીએ કરેલી પ્રેરણાને અને એમના ગુરુવર્ય જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ આપેલી સંમતિને આભારી છે. આ પુસ્તકના પ્રકાશનથી જો એના અર્થીને લાભ થાય તો તે બદલ તેમણે આ સંસ્થાનો ઉપકાર માનવો ઘટે.
આ સમગ્ર પુસ્તક (ત્રણ વિભાગ) તૈયાર કરવામાં આ ક્ષેત્રમાં મારા પુરોગામીઓને હાથે જે જે વિષયને અંગે સબળ રચનાઓ થઈ છે એ સમગ્ર સામગ્રીનો તો હું લાભ લઇ શક્યો નથી, પરંતુ જે જે કૃતિઓ મને એક યા બીજા સ્વરૂપે અલ્પ કે અધિક અંશે સહાયક નીવડી છે તેના પ્રણેતાઓનો તેમજ એના પ્રકાશકોનો વ્યક્તિગત ઉલ્લેખ કરી આભાર માનવાનું આ સ્થળે શકય નહિ હોવાથી હું એમનો સામુદાયિક સ્વરૂપે આભાર માનું છું. આ પુસ્તકમાં મેં જે અન્યાન્ય કૃતિઓનો તેમજ લેખો વગેરેનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી મેં શેનો શેનો શી શી રીતે ઉપયોગ કર્યો છે કે, તે વિષયના નિષ્ણાતોનું કહેવું પડે તેમ નહિ હોવાથી તેમજ આ પુસ્તક માટે અમુક મર્યાદા નક્કી કરાયેલી હોવાથી એ વિષે હું ઉલ્લેખ કરતો નથી.
આ સમગ્ર પુસ્તકના બંને ખંડનાં તમામ પ્રકરણોને તેમજ લલિત અને દાર્શનિક સાહિત્ય અંગેના વિભાગોને કયા ક્રમે રજૂ કરવા તે વિષે વિચારોની આપેલી કરવાની મને આવશ્યકતા જણાતાં એ કાર્યમાં મને અહીંની એમ ટી. બી. કોલેજના ભૂતપૂર્વ સંસ્કૃતના પ્રાધ્યાપક શ્રી મોહનલાલ પાર્વતીશકંર દવેએ સાનંદ સહકાર આપ્યો હતો એટલે એની હું અહીં સાભાર નોંધ લઉં છું.
પરિશિષ્ટોનું લખાણ તપાસી જવામાં મને મુનિશ્રી સૂર્યોદયવિજયજીએ જે સહકાર આપ્યો હતો તે બદલ હું એમનો ઋણી છું.
આ પુસ્તકના ત્રણે વિભાગની મુદ્રણાલય-પુસ્તિકા (Press-Copy) મારી પુત્રી ચિ. મનોરમા એમ. એ., બી. ટી. દ્વારા તૈયાર થઇ છે અને મારું મૂળ લખાણ એ સાથે મેળવી જવામાં અને પરિશિષ્ટો માટે નામોની તારવણી વગેરે કરવામાં મારી ધર્મ-પત્ની ઇન્દિરાએ મને સહાય કરી છે. આ બંને મારાં સ્વજનો હોઈ મારે એમનો ઉપકાર માનવો કે કેમ અને માનવો હોય તો શી રીતે એ પ્રશ્ન મને મુંઝવે છે એટલે આટલેથી જ હું વિરમું છું.
P-૭૪
હીરાલાલ ૨. કાપડિયા
સંકડી શેરી, ગોપીપુરા, સુરત ]
વિક્રમ સંવત્-૨૦૧૨ અષાઢ કૃષ્ણ એકાદશી (તા. ૨-૮-'૫૬)
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત
[79]
૭૯
તા. ક. (૧) “અનુલેખ”માં વ્યાકરણ વગેરે જે જે વિષયની વધારાની કૃતિનો પરિચય મેં આપ્યો છે તે તે વિષયની જૈન કૃતિઓની સંખ્યામાં તે પ્રમાણમાં વધારો સમજી લેવાનો છે.
(૨) સમગ્ર પુસ્તક તૈયાર કરી પ્રકાશન સંસ્થાને સોંપાયા પછી પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો વગેરેને લગતા ઉલ્લેખો મેં આ ખંડના મુદ્રણ-કાર્ય દરમ્યાન કોઇ કોઇવાર કર્યા છે એટલો કાલાનુક્રમદોષ (Anachronism) હું સ્વીકારું છું.
(૩) ઉપોદઘાતમાંનાં વિશેષ નામોને પરિશિષ્ટ ૧-૩ પ્રમાણે વિભક્ત કરી મેં એની સૂચી તૈયાર કરી છે પણ અત્યારે તો એ છપાવાય તેમ નથી.
પૂર્તિ- ઉપધાતનું પૃ.૭૨ સુધીનું લખાણ છપાઇ ગયા બાદ મને અલંકારચંદ્રિકા અને P-૭૫ અલંકારચૂર્ણિની જે એ કે કે હાથપોથી જિ. ૨. કો. (ખંડ ૧, પૃ.૧૭)માં નોંધાયેલી છે તે શ્રીમાણિકયસાગરસૂરિજી પાસે જોવા મળી. અલંકારચંદ્રિકાની હાથપોથીનો ક્રમાંક ૨૩૮૦ છે. એમાં ૧૭ પત્ર છે. એમાં અપ્પય્ય દીક્ષિતે રચેલી મનાતી અને કાવ્યશાસ્ત્રને લગતી કુવલાયનન્દકારિકા નામની અજૈન કૃતિનું લક્ષ્યલક્ષણ' નામનું ૧૫૭ પદ્યનું પ્રથમ પ્રકરણ અપાયું છે. વિશેષમાં આ અજૈન કૃતિ ઉપર આશાધર ભટ્ટ અલંકારદીપિકા નામની જે વ્યાખ્યા રચી છે તેનું “પુષિ યુથો''થી શરૂ થતું પદ્ય એમાં પત્ર આ માં ત્રીજા પદ્ય તરીકે ગૂંથી લેવાયું છે. અંતમાં અપાયેલી પુષ્યિકામાં ભટ્ટ વિઠ્ઠલસૂરિના પુત્ર રામચંદ્રસરિના પુત્ર વૈદ્યનાથે અલંકારચંદ્રિકા રચ્યાનો ઉલ્લેખ છે. આ હાથપોથીમાં કુવલયાનન્દકારિકાના પદ્યો લખતી વેળા એની અલંકારચંદ્રિકા નામની ટીકા લખી શકાય એવી રીતે એ પદ્યો વચ્ચે કોરી જગ્યા રખાઈ છે ખરી પણ એ ટીકા એમાં લખાઈ નથી. એ ટીકા અનેક સ્થળેથી પ્રસિદ્ધ થયેલી છે. એ ટીકાના રચનાર અજૈન છે એટલે આ પુસ્તકમાં અલંકારચંદ્રિકાનો ઉલ્લેખ જે મેં પૃ.૧૭૮માં કર્યો છે તે રદબાતલ ગણી લેવો. [આ આવૃત્તિમાં દૂર કર્યો છે.]
અલંકારચર્ણિની- હાથપોથીનો ક્રમાંક ૧૭૮૯ છે. એમાં બાર પત્ર છે. એ દરેક પત્રને બન્ને બાજુએ લગભગ ૩૨ અક્ષરની એકેક પંક્તિ એવી તેર પંક્તિઓ છે. આની પુષ્પિકા જોતાં આ કૃતિનું ખરું નામ અલંકારાવચૂરિ છે. આ અવસૂરિ ૩૫૦ શ્લોક જેવડી અને ઓછામાં ઓછા પાંચ પરિચ્છેદ પૂરતી કોઈ કાવ્યશાસ્ત્રવિષયક કૃતિની નાનકડી-૧૫૦૦ શ્લોક જેવડી વૃત્તિ છે. આ અવસૂરિમાં મૂળ કૃતિના પ્રતીક અપાયાં છે. પ્રારંભિક ભાગ નીચે મુજબ છે.
‘મથ() સીન વ્યાવિધ્યાસુદિ સાધુપ, યથા મોર્ચે નિતાત્તિપ્રકૃતિનાથપf P-95 सूपकारेण निष्पादितेऽपि निर्लवणं सत् अनास्वाद्यं अस्वादु स्यात् तथैव काव्यं कुशलकविकृतमपि शृङ्गारादिरसरहितं अनास्वाद्यं न चतुरचेतांसि चमत्करोति ॥"
પત્ર પ-અમાં નીચે મુજબની પાંચમી પંક્તિ છે. "नायिकभेदानां लक्षणान्याह नीली० प्रियं०"
વિશેષ પ્રતીકો એકત્રિત કરાતાં મૂળ કૃતિ શી છે તે જણાવા સંભવ છે પણ અત્યારે એ કાર્ય મારાથી થઇ શકે તેમ નથી. ગમે તેમ પણ આ અવસૂરિમાં એક સ્થળે (પત્ર-૧૨ અમાં) જિનનો ઉલ્લેખ છે અને આ ટીકાનો “અવચૂરિ' તરીકે નિર્દેશ છે એ જોતાં આ અવચરિ કોઈક જૈને રચ્યાનું ફલિત થાય છે.
9. Ovi DCGCM (Vol XII, p.182).
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
૮૦
[80].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ચંદ્રરાજ- આની એક આવૃત્તિની નોંધ મેં પૃ.૧૩૬માં લીધી છે પણ એ આવૃત્તિની નકલ હજી સુધી તો મળી નથી. હાલમાં “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત યત્રરાજ નામનું પુસ્તક મારા જોવામાં આવ્યું છે. એ ઉપરથી મેં “યત્રરાજનું રેખાદર્શન” નામનો લેખ લખી એમાં યગ્નરાજ અને એની મલહેંદુસૂરિકૃત ટીકા વિષે વિસ્તારથી વિચાર કર્યો છે. એ લેખ અત્યારે તો અપ્રકાશિત છે એટલે આને અંગે અહીં સંક્ષિપ્ત પરિચય આપું છું.
ચન્નરાજ- નામની સંસ્કૃત કૃતિ પાંચ અધ્યાયમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૭૩ (૭૧+૨), P-૭૭
૭, ૨૮, ૩ અને ૬૭ પડ્યો છે. કર્તાએ આદ્ય પદ્યમાં પ્રસ્તુત કૃતિને સદ્યગ્નરાજગમ અને અંતિમ પદ્યમાં યત્રરાજાગમ કહી છે. પાંચે અધ્યાયોનાં નામ સાન્વર્થ છે. એ નીચે મુજબ છે.
ગણિત, યત્નઘટના, યત્રરચના, યજ્ઞશોધન અને યગ્નવિચારણા.
સર્વજ્ઞના ચરણકમળનો અને મદનસૂરિ નામના ગુરુનો હૃદયમાં પરામર્શ કરીને યત્રરાજની રચના કરાઈ છે. પ્રથમ અધ્યાયમાં જ્યા, ક્રાન્તિ, ઘુમ્યાના ફળ, સૌમ્ય યત્ન અને યામ્ય યત્નને અંગે ઇષ્ટ અક્ષાંશોના ઉન્નત વલય-કેન્દ્રના વ્યાસાર્ધ. સાયન સૂર્ય દ્વારા બત્રીસ નક્ષત્રો અને પ્રવકો, નક્ષત્રોમાં દકકર્મ ઇત્યાદિ લાવવાની રીત દર્શાવાઈ છે. બીજા અધ્યાયમાં યંત્રની રચનાનો પ્રકાર વિચારાયો છે.
| યંત્રના ભેદો તેમજ સૌમ્ય યંત્ર વગેરેને અંગે કેટલાંક સાધનોની સમજણ અપાઇ છે. ચોથામાં યના શોધનનો વિચાર કરાયો છે. પાંચમામાં ગ્રહો અને નક્ષત્રોનો અંશો લાવવાની રીત, બાર આગળના શક ઉપરથી સાત આગળના શકની તેમજ સાત આગળના શંક ઉપરથી બાર આગળના શંકની છાયા લાવવાની રીત તેમજ યંત્ર દ્વારા ભૌમાદિના ઉદય અને અસ્તનું જ્ઞાન એમ વિવિધ બાબતો વિચારાઈ છે.
ટીકા- મલયેન્દુસૂરિએ આ સંસ્કૃત ટીકાની શરૂઆત એક પદ્યથી કરી છે. વળી પ્રત્યેક અધ્યાયને અંતે પણ એકેક પદ્ય છે. પાંચમા અધ્યાયને અંતે ત્રણ વધારાનાં પડ્યો છે. ટીકામાં વિવિધ કોષ્ટકો અપાયાં છે એથી એનું મહત્ત્વ વધ્યું છે.
-હી. ૨.
૧. એમાં યત્રરાજ ઉપરની મલયેન્દુસૂરિએ રચેલી ટીકા, વિશ્રામકૃત યંત્રશિરોમણિ તેમજ ચૌદ યત્રને સ્થાન
અપાયું છે. એનું સંપાદન અહીંના જોષી કષ્ણશંકર કેશવરામ રેફવેએ કર્યું છે. એમણે ટીકા થન્નરાજ તેમજ યત્રશિરોમણિનો સંસ્કૃતમાં વિષયાનુક્રમ આપ્યો છે.
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
| શ્રી વીતરાય નમઃ | જેન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ખંડ ૧ : સાર્વજનીન સાહિત્ય
પ્રકરણ ૧: પ્રાસ્તાવિક
P. 4
ભાષાના ઉદ્ભવનો સમય-“જગતું એટલે શું?” અને “એ ક્યારથી ઉદ્ભવ્યું?” એ બાબત વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. આધુનિક વૈજ્ઞાનિકોનું-રસાયણશાસ્ત્રીઓનું માનવું એ છે કે પુદ્ગલ (matter) અવિનાશી છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે પુદ્ગલાત્મક જગત્ અનાદિ અનંત છે. જૈનદર્શનનું પણ મંતવ્ય આ જ છે, પરંતુ પુદ્ગલરૂપ નિર્જીવ પદાર્થ કાલાંતરે–ભલે યુગોના યુગો-કલ્પોના કલ્પો પછીથી યે સજીવ બન્યો B ૨ અને બને છે એ આધુનિક જીવનશાસ્ત્ર (biology)ના મત સાથે તો એ મળતું આવતું નથી.
આપણે આજે જે પૃથ્વી ઉપર જીવીએ છીએ એ પૃથ્વીનું આયુષ્ય આશરે અઢી અબજ વર્ષનું છે, એમ સર જેઇમ્સ જીન્સ જેવા કેટલાક આધુનિક વિદ્વાનોનું કહેવું છે. વિશેષમાં એમની માન્યતા મુજબ મનુષ્ય અને વાનરના એક જ જાતના પૂર્વજોનો ઉદ્ભવ થયાને ઘણું કરીને ત્રણથી સાડાત્રણ કરોડ વર્ષો વ્યતીત થયાં છે." વળી આ પૃથ્વી ઉપર વસતા બધા જ મનુષ્યોનો જે એક જ જાતમાં સમાવેશ કરાય છે તે જાતની ઉત્પત્તિ લગભગ દસ લાખ વર્ષો પહેલાં થયેલી મનાય છે.
કેટલાક આધુનિક ભાષાશાસ્ત્રીઓનું એમ માનવું છે કે આજે જે અનેક પ્રકારની ભાષાઓથી આપણે આ પૃથ્વી ઉપર રહેનારા માનવીઓ પરિચિત છીએ તે પ્રથમથી જ આ જ સ્વરૂપે હતી નહિ, પરંતુ ધીરે ધીરે વિકસિત થયેલી છે. આ હિસાબે મનુષ્યને વાચા ફૂટતાં અને એ વાણી સાહિત્યની ભાષા તરીકે ઘડાતાં એકાદેક લાખ વર્ષો વ્યતીત થયાં હશે. એ હિસાબે સાહિત્યની પ્રથમ કૃતિ આઠેક લાખ વર્ષો ઉપર ઉદ્ભવેલી ગણાય. જૈન દૃષ્ટિ પ્રમાણે તો મનુષ્ય-જાતિ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાની છે. વળી પ્રત્યેક મનુષ્યની વાણીની શરૂઆત મનુષ્ય તરીકેના એ જીવનના જન્મ બાદ ‘ભાષા-પર્યાપ્તિ' નામ-કર્મના ઉદયકાળથી ૨ ૩ થાય છે. એમ પણ એ માને છે.
ભાષાનું વર્ગીકરણ–જૈન દૃષ્ટિ સમગ્ર ભાષાઓને સંસ્કૃત અને પાઇય (પ્રાકૃત) એમ બે વિભાગોમાં ૧. જુઓ પ્રો. ડૉ. રતિલાલ દેવચંદ આડતિયાનું સને ૧૯૫૧નું “માનવ ઉત્પત્તિ અને વિકાસ” નામનું ભાષણ (પૃ. ૧૯). આ ભાષણ સને ૧૯૫૦ અને ૧૯૫૧નાં અન્ય ભાષણો સહિત મુંબઈની “જ્ઞાન પ્રસારક મંડળી” તરફથી
સને ૧૯૫રમાં પ્રકાશિત થયેલાં છે. ૨. જુઓ ઉપર્યુક્ત ભાષણ (પૃ. ૧૯). ૩. જાતજાતની ભાષાઓ અને બોલીઓના-૬૯૨ પ્રકારની વાણીના નમૂના The Gospel in Many Tonguesમાં.
જોવા મળે છે. ઈ. સ. ૧૯૩૫માં છપાયેલા આ પુસ્તકમાં વિવિધ લિપિના પણ નમૂના છે.
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
વિભક્ત કરે છે. આનો એક રીતે વિચાર કરીએ તો “સંસ્કૃત ભાષા એ પાઇય ભાષાનું વ્યાકરણાદિની દૃષ્ટિએ-શિષ્ટતાદિની અપેક્ષાએ ઘડાયેલું સ્વરૂપ છે. આ હિસાબે તો સંસ્કૃત ભાષા પાઇયની જેમ અનાદિ કાળની ઠરે. અહીં જે “સંસ્કૃત સાહિત્યનો વિચાર કરવાનો છે તેને આ અનાદિકાલીન સંસ્કૃત સાથે સીધો સંબંધ નથી એટલું જ નહિ, પરંતુ સમગ્ર દુનિયામાં આજે જે પ્રાચીનમાં પ્રાચીન કૃતિ તરીકે ઋગ્વદના અમુક મંડળો અને કેટલીક વાર અથર્વવેદનો અમુક ભાગ ગણાવાય છે એ “વૈદિક' ભાષા સાથે પણ સાક્ષાત્ નિસ્બત નથી. આ વૈદિક ભાષાના વિવિધ પરિવર્તનો થયાં છે. ઋગ્યેદ વગેરે વેદો જે ભાષામાં ગ્રન્થસ્થ સ્વરૂપે આજે આપણને ઉપલબ્ધ છે, એ ભાષાની નાની બેનરૂપ “અવેસ્તા' ભાષામાં લખાયેલા પારસીઓના ધાર્મિક ગ્રંથોની તેમજ વેદોના પ્રણયનકાલ પછીના રચાયેલા બ્રાહ્મણોની ભાષા ઋગ્વદ આદિની ભાષાથી થોડીઘણી ભિન્નતા ધરાવે છે. આ બ્રાહ્મણો પૈકી કેટલાકથી તો યાસ્કનું નિરુક્ત અર્વાચીન છે જ. એની ભાષા એ પ્રાચીન બ્રાહ્મણોથી અંશતઃ ભિન્ન છે. યાસ્ક નિરુક્તની ભાષાને ‘ભાષા' કહી છે. આ નિરુક્તની રચના બાદ ઉપનિષદોનું સર્જન થયું છે. આગળ જતાં કોઈ વિદ્વાનના મતે ઈ. સ.ની પૂર્વે છઠ્ઠી સદીમાં અને અન્ય કેટલાકના મતે ઈ.
સ.ની પૂર્વે ચોથી સદીમાં પાણિનિ થયા. એમણે અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ રચી એમના સમયમાં શિષ્ટ P ૪ જનોમાં બોલાતી ભાષાને નિયંત્રિત કરી. આ ભાષાને “વૈદિક યાને ‘છાંદસ' ભાષાથી ભિન્ન બતાવવા તેમજ
એમાંથી એની ઉત્પત્તિ સૂચવવા લૌકિક (classical) સંસ્કૃત એવું નામ આધુનિક વિદ્વાનોએ આપ્યું છે. આ વ્યાકરણમાં નહિ નોંધાયેલા એવા કેટલાક પ્રયોગો ભાસની કૃતિઓમાં મળે છે. તેમ છતાં એની પણ ભાષા તો આ લૌકિક સંસ્કૃત જ છે, અને ભાસ પછી થયેલા દરેક સંસ્કૃત ગ્રંથકારની ભાષા આ જ રહી છે. આજે પણ આ ભાષામાં પુસ્તકો રચાય છે (નહિ કે વૈદિક ભાષામાં) અને પ્રસંગવશાત્ ભાષણો અપાય છે એટલે આ દૃષ્ટિએ તો આ ભાષા જીવતી જાગતી જ છે. એ મૃત ભાષા (dead language) ન જ ગણાય અને ગણાવી પણ ન જ જોઈએ.
જૈન લિપિબદ્ધ સાહિત્ય શ્રમણ ભગવાન મહાવીરસ્વામી (ઈ. સ. પૂર્વે ૫૯૯ થી ઈ. સ. પૂર્વે ૫૨૭) પૂર્વનું મળતું નથી. એ રીતે વિચારતાં જૈનોને હાથે સંસ્કૃતમાં લખાયેલી તમામ કૃતિઓ અશ્વઘોષ, ભાસ વગેરેના ગ્રંથોની પેઠે લૌકિક સંસ્કૃત ભાષામાં જ છે.
ભાષા કોની?–ભાષા એ તો વિચારોને વ્યક્ત કરવાનું એક વાહન છે અને એ પણ સર્જાશે સંપૂર્ણ નથી) તો પછી અમુક ભાષા તે અમુક લોકોની કે અમુક સંપ્રદાયની છે એમ કેમ કહેવાય ? જે કોઈ જે ભાષા બોલે એમાં વિચાર કરે અને લખે તેની તે ભાષા ગણાય તેમ છતાં એવો ભ્રમ સેવાતો જોવાય છે કે જાણે વૈદિક' ભાષા અર્થાત્ વેદાદિની સંસ્કૃત ભાષા તે બ્રાહ્મણોની જ, ‘અવેસ્તા-પહેલવી તે પારસીઓની જ,
‘પાલિ' તે બૌદ્ધોની જ અને “અદ્ધમાગણી' (અર્ધમાગધી) તે જૈનોની જ ભાષા છે. આ વસ્તુસ્થિતિ સાચી નથી P ૫ એ મેં પાય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય નામના મારા પુસ્તકમાં સૂચવ્યું છે. એમાં મેં મરહટ્ટી અને
સોરસણીના ભેદ ગણાવતાં “જઈશ' વિશેષણ જે વાપર્યું છે તે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોના કથનને અનુલક્ષીને છે. ૧. જુઓ ઠાણ (ઠા. ૭; સુત્ત ૫૫૩; પત્ર ૩૯૪અ.) ૨. યજ્ઞપ્રસંગે કામમાં લેવાતા મંત્રોના ઉપયોગ અને અર્થ ઉપર પ્રકાશ પાડનારાં આ એક જાતનાં વિવરણ છે. ૩. એમની કૃતિઓમાં કેટલેક સ્થળે ‘અપાણિનીય' ગણાય એવા પ્રયોગો છે. જુઓ ભાસનાટકચક્રનું દ્વિતીય પરિશિષ્ટ
(પૃ. ૫૬૯-૫૭૩).
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ : પ્રાસ્તાવિક : [પ્ર. આ. ૩-૭]
‘જૈન’ સંસ્કૃત—બ્લૂમફીલ્ડે જૈનોની કેટલીક સંસ્કૃત કૃતિઓની ભાષાને ‘જૈન સંસ્કૃત’ કહી છે. એનું કારણ એ છે કે એ ભાષા અષ્ટા૰ને સર્વાંશે અનુસરતી નથી એટલું જ નહિ પણ એના ઉપર અ. મા. નો– પાઇય ભાષાનો પાસ જોવાય છે. તેમ છતાં આ ભાષા ‘‘આવું = મરચાં’' જેવા શ્લોક દ્વારા સૂચિત બનાવટી સંસ્કૃત નથી જ.
ખરેખરી સંસ્કૃત ભાષા ગણાય એવી ભાષામાં અનેક ગ્રંથો જૈનોને હાથે રચાયેલા છે. એના હિસાબે ‘‘પોટ પતિ: ’' જેવા ‘‘જૈન સંસ્કૃત’’માં બહુ ઓછા ગ્રંથો—ગ્રંથાંશો છે. એની પણ હું અહીં નોંધ લેનાર છું. મર્યાદા–અત્યાર સુધીમાં જેટલી કૃતિઓ આ દેશના કે અન્ય દેશના કોઈ પણ માનવીને હાથે રચાઈ છે તે નિરવધિ કાળ પર્યંત સચવાઈ જ રહે એમ બને જ નહિ. આથી તો આપણને અનેક ગ્રંથકારોની કૃતિ આજે મળતી નથી. જૈન સાહિત્ય પૂરતો વિચાર કરીશું તો જણાશે કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના જન્મ P. ૬ પૂર્વે કોઈ સાર્વજનીન જૈન કૃતિ રચાઈ હોય તો તે જળવાઈ રહી નથી. વળી ધાર્મિક સાહિત્યને અંગે પણ એમની પૂર્વે થઈ ગયેલા ‘પુરુષાદાનીય’ પાર્શ્વનાથ (ઈ. સ. પૂર્વે ૮૭૭–ઈ. સ. પૂર્વે ૭૭૭)ના તીર્થમાં રચાયેલી દ્વાદશાંગી પણ સચવાઈ રહી નથી. હા, એમ બન્યું હોય કે એમાંના કેટલાક ભાગોને વિનયમૂર્તિ ઇન્દ્રભૂતિ વગેરે અગિયારે ગણધરોએ જે જે એકેક દ્વાદશાંગી રચી તે પૈકી સુધર્મસ્વામી નામના પાંચમા ગણધરકૃત દ્વાદશાંગીમાં સ્થાન અપાયું હોય. આવા ભાગો કઈ ભાષામાં હશે અને એ કયા હશે એનો સર્વમાન્ય નિર્ણયાત્મક ઉત્તર આપવાનું કોઈ સાધન જણાતું નથી. પાંચમા ગણધરે રચેલી દ્વાદશાંગી પણ સર્વાંશે આજે ઉપલબ્ધ નથી. દિટ્ટિવાય નામનું બારમું અંગ આજે મળતું નથી, એનો મહત્ત્વનો અને મહાકાય વિભાગ નામે ‘પુળ્વગય’ લુપ્ત થયો છે. એના ચૌદ વિભાગરૂપ ચૌદ ‘પુર્વા’ (પૂર્વ) સંસ્કૃત ભાષામાં રચાયાં હોવાની માન્યતાનું સમર્થન પ્રાચીન અવતરણરૂપ એકાદ બે પદ્યો અને ખાસ કરીને તો પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવકચરિત (શૃંગ ૮, શ્લો. ૧૧૩)માં કરેલા નિર્દેશ દ્વારા થઈ શકે તેમ છે, પરંતુ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિસેસાવસ્સયભાસગત નિહ્નવ-વાદને અંગે ‘મલધારી' હેમચન્દ્રસૂરિએ પોતાની ટીકામાં પુળ્વમાંથી ઉદ્ધૃત કરાયેલી જે પંક્તિઓ આપી છે એ તો પાઇય ભાષામાં છે તેનું કેમ એમ એની વિરોધનો સૂર પણ ઉઠાવી શકાય તેમ છે. આવી પરિસ્થિતિમાં પણ ચૌદ પુવ્વની મોટા ભાગની ભાષા સંસ્કૃત હશે એમ માની લઈએ તો પણ એ ભાષામાં કયા કયા વિષયો ચર્ચાયા હશે તેનો નિર્ણય કરવા માટે આશરે પંદરસો વર્ષ પૂર્વેનું કોઈ સાધન P ૭ જણાતું નથી. આથી કરીને ઉપલબ્ધ જૈન સંસ્કૃત સાહિત્યની કોઈ પણ કૃતિ ઈ. સ.ના પહેલા સૈકાની પૂર્વે રચાયેલી છે એમ ભાગ્યે જ કહી શકાય. આથી તો આ પુસ્તકમાં જે વિવિધ વિષયોની કૃતિઓ હું વિચારવા ઇચ્છું છું તેની એક કાલ-મર્યાદા આ પ્રમાણેની છે. જ્યારે બીજી કાલમર્યાદા તરીકે મેં પહેલાં તો ‘ન્યાયાચાર્ય’ ‘ન્યાયવિશારદ’ યશોવિજયગણિનો લગભગ વિ. સં. ૧૭૪૩ સુધીનો જીવન-કાળ પસંદ કર્યો હતો (કેમ કે
૧.
૩
"आदुं च मरचां लसणं च लीम्बु, धाणाश्च जीरूं मीतुं नाखी देवुं । पाषाणमध्ये परिमर्दयामि इदं प्रमाणे चटणी भवन्ति ।। '
,,
આવાં અન્ય ઉદાહરણો માટે—સંસ્કૃતાભાસના નમૂના માટે જુઓ મારો ‘ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ’’ના તા. ૧૮-૫-’૪૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ નામે ‘બનાવટી સંસ્કૃત’’
૨. આ ચર્ચા માટે જુઓ મારાં પુસ્તકો નામે A History of the canonical Literature of the Jainas (પૃ. ૮૯-૯૦) અને આગમોનું દિગ્દર્શન (પૃ. ૨૧૨-૨૧૩).
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #87
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
એમના સ્વર્ગવાસ પછી ભાગ્યે જ કોઈ નોંધપાત્ર જૈન મૌલિક કૃતિ સંસ્કૃતમાં રચાયેલી હશે, પરંતુ સાહિત્યના ઇતિહાસના કેટલાક આધુનિક લેખકોએ પોતાના સમય સુધીની કૃતિઓનો પરિચય આપ્યો છે એથી તેમજ એ દ્વારા છેલ્લાં અઢીસો વર્ષ દરમ્યાન કઈ જાતની સાહિત્યપ્રવૃત્તિએ વેગ પકડ્યો છે તેનો ખ્યાલ આપવો ઉચિત જણાવાથી હું પ્રથમ વિચારને છોડી દેવાની તૈયારીમાં હતો તેવામાં અહીં (સુરતમાં) જૈનાચાર્ય શ્રીવિજયપ્રતાપસૂરીશ્વરના શિષ્યરત્ન આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીનું આગમન થતાં તેમની ઇચ્છા પણ આજ દિન સુધીની સમુચિત કૃતિની નોંધ લેવાય તો સારું એવી હોવાથી મેં કાલ-મર્યાદા લંબાવી છે, જો કે પ્રકાશક તરફથી નક્કી કરાયેલી પૃષ્ઠસંખ્યામાં રહીને કામ કરવાનું હોવાથી મુખ્ય મુખ્ય કૃતિઓની પ્રસંગોપાત્ત નોંધ લઈ સંતોષ માનવો પડ્યો છે – પૂર્વગામી ગ્રંથોની પેઠે પરિચય આપવાનું માંડી વાળવું પડ્યું છે.
વર્ગીકરણ-જૈન ધર્મના અનુયાયીઓએ ભારતવર્ષની વિવિધ ભાષાઓમાં કૃતિઓ રચી છે. એમના મહામૂલ્યશાળી ઉપલબ્ધ આગમો અદ્ધમાગધીમાં રચાયેલા હોવા છતાં એમણે સંસ્કૃત ભાષાને પણ સમુચિત સ્થાન આપવામાં સંકોચ રાખ્યો નથી. વિશેષમાં જે કોઈ ગ્રંથ પોતાના શિષ્યાદિના પઠનપાઠન માટે ઉપયોગી
લાગ્યો તેના ઉપર તેમજ અન્ય રીતે પણ જે મહત્ત્વનો જણાયો તેના ઉપર એમણે વિવરણ રચ્યાં છે. પછી P ૮ ભલેને એ ગ્રંથ અજૈન સંપ્રદાયનો કેમ ન હોય ? કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૈકી ત્રીજા પુરુષાર્થને જ
પ્રધાનપણે ઉદેશીને લખાયેલો પણ કેમ ન હોય ? વળી એમણે પાઇય કૃતિઓ ઉપર પણ સંસ્કૃત ભાષામાં વિવરણો રચ્યાં છે અને કેટલીક વાર એના પ્રતિસંસ્કૃતરૂપ સાહિત્ય પણ સર્જાયું છે. આ ઉપરાંત એમણે સમસંસ્કૃત' કૃતિઓની જેમ “અર્ધસંસ્કૃત” કૃતિઓ અને એક જ વાક્યમાં અમુક અંશ સંસ્કૃતમાં અને બાકીનો પાઇયમાં હોય એવી એટલે કે 'મિશ્રભાષામાં ગુંથાયેલી કૃતિઓ અથવા વચ્ચે વચ્ચે સંસ્કૃત ભાષાની કંડિકાઓ હોય એવી પણ પાઇય કૃતિઓ રચી છે. આને લઈને એમણે રચેલી સંસ્કૃત કૃતિઓને આપણે નીચે મુજબના મુખ્ય સાત વર્ગમાં વિભક્ત કરી શકીએ :(૧) સ્વતંત્ર સંસ્કૃત કૃતિઓ.
| (૪) અજૈન સંસ્કૃત ગ્રંથોનાં સંસ્કૃત વિવરણો. (૨) સંસ્કૃત કૃતિઓનાં સ્વપજ્ઞ સંસ્કૃત વિવરણો. (૫) જૈન પાઠય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો. (૩) ભિન્નકર્તક જૈન સંસ્કૃત ગ્રંથોનાં
(૬) અજૈન પાઇય કૃતિઓના સંસ્કૃત વિવરણો. સંસ્કૃત વિવરણો.
(૭) પ્રતિસંસ્કૃત સાહિત્ય. હવે આપણે આ વર્ગોનો વિષયદીઠ વિચાર કરીશું. Cosmology : Old and New Pro. G. R. Jain "Gledlu silhuls". Ambika : In Jain Art And Literature. લે. મારુતિનંદન તિવારી “ભારતીય જ્ઞાનપીઠ''
૧. સરખાવો અંગ્રેજીમાં macaronic તરીકે ઓળખાવાતી કૃતિઓ, આ શબ્દનો અર્થ “ધ કોન્સાઈઝ ઑકસફર્ડ
ડિકશનરી'માં નીચે મુજબ અપાયો છે :"(verses) of burlesque form containing Latin (or other foreign) words & vernacular words with Latin etc. terminations”.
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ
P. પર્યાય-વ્યાકરણ કહો કે શબ્દશાસ્ત્ર કહો, શબ્દાગમ કહો કે શબ્દાનુશાસન કહો એ એક જ છે. એને અંગ્રેજીમાં ગ્રામર (grammar) કહે છે. “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિત્તામણિ (કાંડ ૨, શ્લો. ૧૬૪–૧૬૫)માં વેદના નીચે મુજબ છ અંગો ગણાવ્યાં છે :
(૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) છંદ, (૫) જ્યોતિષ અને (૬) નિરુક્ત.
વ્યાકરણની પ્રાચીનતા–ઉપર્યુક્ત અંગો પૈકી બીજા અને પાંચમા અંગો સિવાયનાં બાકીનાં ચારે તો ભાષાશાસ્ત્રને લગતાં છે. અને ત્રીજું અંગ તે વ્યાકરણ છે. આ ઉપરથી વ્યાકરણના પરામર્શની પ્રાચીનતાનો કંઈક ખ્યાલ આવી શકશે. ઋગ્વદમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ નજરે પડે છે. બ્રાહ્મણ તરીકે ઓળખાવાતા ગ્રંથોમાં ગોપથ (૧-૨૪) વગેરેમાં વ્યાકરણને લગતી કેટલીક સંજ્ઞાઓનાં નામ જોવાય છે. જેમકે લિંગ, વચન, વિભક્તિ, આખ્યાત, કુવન્ત (કૃદન્ત) ઇત્યાદિ વિવિધ પ્રાતિશાખ્યો વ્યાકરણ-વિષયક કેટલીક માહિતી પૂરી પાડે છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ કરતાં તો પહેલાં થઈ ગયેલા યાસ્કનું નિરુક્ત વ્યાકરણના ક્ષેત્રમાં એ સમયમાં થયેલા વિકાસ ઉપર વેધક પ્રકાશ પાડે છે. એમાં આપણને નામ, સર્વનામ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત વગેરે શબ્દો નજરે પડે છે. વાસ્કના સમય પહેલાં વ્યાકરણનું ક્ષેત્ર ખૂબ ખેડાયું હશે એમ લાગે છે, કેમકે એ આચાર્ય P ૧૦ પ્રાચ્ય’ અને ‘ઉદીચ્ય' એવી બે શાખાઓનો ભેદ દર્શાવતાં વીસેક આચાર્યોનાં નામ ગણાવે છે. એમાં શાકટાયન, ગાર્ગ્યુ અને શાકલ્પ એ નામો સુપ્રસિદ્ધ છે. આ શાકટાયને તો દરેક શબ્દની નિષ્પત્તિ ધાતુમાંથી માની છે. આમ આપણા દેશમાં વ્યાકરણનું ક્ષેત્ર ઓછામાં ઓછાં ચારેક હજાર વર્ષોથી ખેડાયું છે, અને જાતજાતનાં વ્યાકરણો રચાયાં છે. ઇન્દ્ર (ઐન્દ્ર) વ્યાકરણ– (લ.ઇ.સ. પૂર્વે ૧000)
| [૧] પાણિનિકૃત અષ્ટા (અધ્યાય ૧, પાદ ૧, સૂ. ૧) ઉપરના મહાભાષ્ય (આહ્નિક ૧ પૃ. ૧૯, ચૌખંબા સિરિઝ)માં પતંજલિએ કહ્યું છે કે બૃહસ્પતિએ દિવ્ય સહસ્ત્ર વર્ષો સુધી પદે પદે કહેલા શબ્દોનું શબ્દ-પારાયણ કહ્યું અર્થાત્ એકેક શબ્દ છૂટો છૂટો કહ્યો. તૈત્તિરીયસંહિતા (૬-૪-૭)માં નીચે મુજબ ઉલ્લેખ છે :
"वाग् वै पराच्यव्याकृताऽवदत् । ते देवा इन्द्रमब्रुवन् -
રૂમાં નો વાવં વિતિ ...તામિદ્રો મધ્યતોવખ્ય ચરોત ' ૧. આમાં વર્ણોનું વિવેચન છે. ૨. આનો અર્થ ‘આચાર' થાય છે. ૩. આનો વિષય વ્યુત્પત્તિ છે. ૪. આ વૈદિક યાને છાંદસ વ્યાકરણોની કેટલેક અંશે ગરજ સારે છે. ૫. પ્રક્રિયાકૌમુદી (ભા. ૧, પૃ. ૭) પ્રમાણે આટલાં વર્ષ સુધી અભ્યાસ કરવા છતાં ઇન્દ્ર શબ્દ-પારાયણનો પાર પામી
શક્યો નહિ. દ. જુઓ “આનંદાશ્રમ ગ્રંથાવલી” (ભાગ ૮), ગ્રથાંક ૪૨નું પૃ. ૪૧૧૯.
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
આની વ્યાખ્યા સાયણાચાર્યે આપી છે. એને લક્ષ્યમાં લેતાં એમ કહી શકાય કે પુરાતન સમયમાં વાણી અવ્યાકૃત એટલે કે વ્યાકરણ સંબંધી પ્રકૃતિ, પ્રત્યય આદિ સંસ્કારોથી રહિત અખંડિત પદરૂપ બોલાતી હતી. દેવોએ (પોતાના રાજા) ઇન્દ્રને એને વ્યાકૃત એટલે પ્રકૃતિ, પ્રત્યય વગેરેના સંસ્કારવાળી બનાવવા કહ્યું. P ૧૧ ઇન્દ્રે એ ઉપરથી એ વાણી વચમાંથી તોડીને વ્યાકૃત બનાવી. આમ ઇન્દ્રે વ્યાકરણ રચ્યું. એને ઇન્દ્ર-વ્યાકરણ, ઐન્દ્ર-વ્યાકરણ તેમજ ઐન્દ્ર-તન્ત્ર તરીકે ઓળખાવાય છે. જેમ વ્યાકરણના પ્રથમ પ્રવક્તા તરીકે બ્રહ્માનો નિર્દેશ કરાય છે તેમ વ્યાકરણના આદિમ સંસ્કર્તા તરીકે ઉપર્યુક્ત ઇન્દ્રનો ઉલ્લેખ કરાય છે. આ ઇન્દ્રનો પરિચય શ્રી. યુધિષ્ઠિર મીમાંસકે સંસ્કૃત વ્યારશાસ્ત્ર જો ફતિહાસ નામના હિંદી પુસ્તક (ભા. ૧, પૃ. ૫૭– ૫૯)માં આપ્યો છે. અહીં એમણે કહ્યું છે કે આ ઇન્દ્ર વિક્રમથી સાડા આઠ હજાર (૮૫૦૦) વર્ષ પૂર્વે થઈ ગયા છે, પરંતુ આ સમય પરત્વે મતભેદ જોવાય છે.
P ૧૨
૬
કથાસરિત્સાગરમાં સૂચવાયા મુજબ ઉપર્યુક્ત ઇન્દ્ર-વ્યાકરણ ઘણાં સમયથી નાશ પામ્યું છે. જૈન શાકટાયન-વ્યાકરણ (૧-૨-૩૭)માં વૈયાકરણ ઇન્દ્રનો મત દર્શાવાયો છે. દિગંબર સોમદેવે રચેલા યશસ્તિલકચંપૂ (આશ્વાસ ૧, પૃ. ૯૦)માં આ ઇન્દ્ર-વ્યાકરણનો નિર્દેશ છે. ભટ્ટારક હરિશ્ચન્દ્રે ચરકની વ્યાખ્યામાં નીચે મુજબ કહ્યું છે .‘‘શાસ્ત્રપિ ‘અથ વર્ણસમૂહ: ' કૃતિ ઘેન્દ્રવ્યારાસ્ય |
:
,,
દુર્ગાચાર્યે નિરુક્ત-વૃત્તિ (પૃ. ૧૦)ના પ્રારંભમાં ઇન્દ્ર-વ્યાકરણનું એક સૂત્ર નીચે મુજબ ઉત્કૃત કર્યું છે :– ‘‘નૈ પડં ખાતમ્, યથા ‘અર્થ: પમ્’ ચૈાળામ્ ।''
આ ઐન્દ્ર વ્યાકરણને અંગે ચીની, ટિબેટીય અને ભારતીય સાહિત્યમાં જે જે ઉલ્લેખો મળે છે તેના સંગ્રહ તરીકે ડૉ. એ.સી. બર્નેલે નીચે મુજબના નામથી એક મોટો ગ્રંથ રચ્યો છે ઃ–
On the Aindra School of Sanskrit Grammarians.
[૨]
ઐન્દ્ર વ્યાકરણ (ઈ. સ. પૂર્વે ૫૯૦)ની ઉત્પત્તિ-શ્વેતાંબરોની કેટલીક કૃતિઓમાં ઐન્દ્ર વ્યાકરણની ઉત્પત્તિનો પ્રસંગ આલેખાયો છે. એ સૌમાં પ્રાચીનતાની દૃષ્ટિએ આવસ્સય ઉપરની ભદ્રબાહુસ્વામીએ રચેલી નિષ્કુત્તિ (પત્ર ૧૮૨૨) અગ્રસ્થાન ભોગવે છે. આ ભદ્રબાહુસ્વામી તે ચતુર્દશ-પૂર્વધર યાને ‘શ્રુતકેવલી’ છે એમ જૈન પરંપરાનું માનવું છે અને એ પરંપરા અનુસાર એમનો સ્વર્ગવાસ વીરસંવત્ ૧૭૦માં થયો છે. આધુનિક કેટલાક વિદ્વાનોનો મત જુદો છે. તેમનું કહેવું એ છે કે આ તેમજ અન્ય નિજ્જુત્તિઓના કર્તા તો બીજા ભદ્રબાહુ છે અને એમનો સમય વિક્રમની પાંચમી શતાબ્દી છે. આવસ્ટયની નિજ્જુત્તિને અંગે કોઈ કોઈ એમ પણ કહે છે કે એનો અમુક ભાગ ‘શ્રુતકેવલી’ ભદ્રબાહુની રચના છે. ગમે તેમ પણ ઇન્દ્રવ્યાકરણ સંબંધી ઉલ્લેખ માટે તો ઉપર્યુક્ત નિજ્જુત્તિ જ સૌથી પ્રાચીન સાધન જણાય છે એટલે હું પ્રસ્તુત ભાગ અત્રે ઉધૃત કરું છું
--
"सक्को य तस्समक्खं भगवंतं आसणे निवेसित्ता । सद्दस्स लक्खणं पुच्छे वाागरणं अवयवा इंदं ॥" આનો અર્થ એ છે કે શકે તેની (લેખાચાર્યની) સમક્ષ ભગવાન (મહાવીરસ્વામી)ને આસન ઉપર ૧. આ પુસ્તક પં. ભગવદ્યત્તજી તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત થયેલું છે.[એની બીજી આવૃત્તિ પણ પ્રકટ થઇ છે.]
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ : વ્યાકરણ : [પ્ર. આ. ૧૧-૧૪]
બેસાડી શબ્દનું લક્ષણ પૂછ્યું. (ભગવાને) વ્યાકરણ (કહ્યું) (અર્થાત્ સ્પષ્ટીકરણ કર્યું) (કેટલાંક) અવયવો (લેખાચાર્યે ગ્રહણ કર્યા). (આ ઉપરથી) ઇન્દ્ર (ઐન્દ્ર) (વ્યાકરણ બન્યું).
જિનદાસગણિએ રચેલી મનાતી આવસ્ટયની ચુણ્ણિ (ભા. ૧, પત્ર ૨૪૮) અને એ આવસ્ટયની હરિભદ્રસૂરિષ્કૃત ટીકા (પત્ર ૧૮૨અ) એ ઉપર્યુક્ત નિજ્જુત્તિ પછી અગ્ર સ્થાન ભોગવે છે. આ ચુણિમાં કહ્યું છે કે ‘ભગવાન (મહાવીરસ્વામી) આઠ વર્ષથી કંઈક અધિક ઉમ્મરના થયા ત્યારે એમણે સ્નાન કર્યું અને શ્વેત P ૧૩ વસ્ત્ર ધારણ કર્યું. એમના માતાપિતાએ એમને અલંકારાદિથી વિભૂષિત કર્યા અને એમને હાથી ઉપર બેસાડી ઠાઠમાઠથી પરિવારાદિ સહિત લેખાચાર્ય પાસે એઓ લઈ ગયા. એ લેખાચાર્યનું ખૂબ મોટું આસન માંડેલું હતું. (ત્રણ જ્ઞાનના ધારક પ્રભુને આ પ્રમાણે શિષ્યરૂપે લઈ આવેલા જાણી) શક્ર ઇન્દ્રનું આસન ચલિત થયું અને એ લેખાચાર્ય પાસે સત્વર આવ્યો. પછી એણે પેલા આસન ઉપર પ્રભુને બેસાડ્યા. પેલા લેખાચાર્ય પણ ત્યાં જ હતા. પણ શક્રે હાથ જોડીને (વ્યાખ્યારૂપે વ્યાકરણાર્થે ઉપોદ્ઘાત, પદ, પદાર્થ, ક્રમ, ગુરુલાઘવ, સમાસ, વિસ્તાર, સંક્ષેપ, વિષય, વિભાગ, આક્ષેપ તેમજ પરિહાર એ બાબતો) અકાર આદિના પર્યાય, ભંગ અને ગમ પૂછ્યા. ત્યારે પ્રભુએ એનું અનેક પ્રકારે વ્યાકરણ (સ્પષ્ટીકરણ) કર્યું. લેખાચાર્યે એ સાંભળ્યું. એ ઉ૫૨થી લેખાચાર્યને કેટલાક પદ-અર્થો સમજાયા. (એ ઉપરથી) ત્યારથી ઐન્દ્ર વ્યાકરણ ઉદ્ભવ્યું.’
મહત્તરા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિએ આવસ્ટયની ટીકા (ભા. ૧, પત્ર ૧૮૨ અ)માં કહ્યું છે કે ‘શક્રે લેખાચાર્યની સમક્ષ ભગવાનને આસન ઉપર બેસાડી શબ્દનું લક્ષણ પૂછ્યું. ભગવાને એનું વ્યાકરણ કહ્યું - સ્પષ્ટીકરણ કર્યું. લૌકિક અને સામાયિક શબ્દોનું જે વડે સ્પષ્ટીકરણ કરાય તે ‘વ્યાકરણ’–‘શબ્દશાસ્ત્ર.’ એનાં કેટલાંક અવયવો ઉપાધ્યાયે (લેખાચાર્યે) ગ્રહણ કર્યાં. તે ઉપરથી ઐન્દ્ર વ્યાકરણ બન્યું. આમ એમણે પણ આની ઉત્પત્તિ ઉપ૨ મુજબ સૂચવી છે.
‘કલિ.’હેમચન્દ્રસૂરિએ પણ યોગશાસ્ત્ર (પ્ર. ૧, શ્લો. ૫૬-૫૮સ્વોપજ્ઞવિવરણ પત્ર ૩આ)માં ઐન્દ્ર વ્યાકરણની ઉત્પત્તિને અંગે ઉપ૨ મુજબ વિધાન કર્યું છે.
આ ઐન્દ્ર વ્યાકરણ એ શક્રે પૂછેલા પ્રશ્નો, મહાવીરસ્વામીએ આપેલા ઉત્તરો અને લેખાચાર્યે કરેલી P. ૧૪ સંકલના એમ ત્રિવેણીના સંગમરૂપ છે. એની રચના ઈ. સ. પૂર્વે ૫૯૦માં થયેલી છે.
જૈન પરંપરા અનુસાર રચાયેલા મનાતા આ ઐન્દ્ર વ્યાકરણને જ કેટલાકે જૈનેન્દ્ર-વ્યાકરણ કહ્યું છે. દા. ત. વિનયવિજયગણિએ પજ્જોસવણાકપ્પ (સુ. ૧૦૮) ઉપર સુબોધિકા નામની જે ટીકા વિ. સં. ૧૬૯૬માં રચી છે એમાં એમણે આને જૈનેન્દ્ર-વ્યાકરણ કહ્યું છે.
આ ઐન્દ્ર વ્યાકરણ કઈ ભાષાનું હશે અને એ કઈ ભાષામાં રચાયું હશે તેનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. મગધ (બિહાર)માં એ રચાયું હોવાથી એ સમયની સામાન્ય લોકોની કે શિષ્ટ જનોની ત્યાંની ભાષાને લગતું એટલે કાં તો માગધીનું કે કાં તો સંસ્કૃતનું એ વ્યાકરણ હશે, અને લેખાચાર્ય બ્રાહ્મણ હશે એટલે એ સંસ્કૃતમાં રચાયું હશે. આ વ્યાકરણ આજે લગભગ પંદર સૈકા થયાં તો મળતું નથી એટલે એ વિષે આટલું જ કહેવું બસ થશે.
સદપાહુડ (શબ્દપ્રામૃત) (ઈ. સ. પૂર્વે ૫૫૭)
દિટ્ટિવાય નામના બારમા અંગમાં ચૌદ પુર્વી છે, અને એ દરેક પુર્વીના વત્થ (વસ્તુ) નામે ઓછાવત્તા
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
વિભાગ છે, અને એ વિભાગના પાહુડ (પ્રાભૃત) નામે પેટા-વિભાગ છે. આવસ્મયની ગુણિમાં તેમજ અણુઓગદારની ચુષ્ણિ (પત્ર ૪૭)માં સદપાહુડનો ઉલ્લેખ છે, જ્યારે એના સંસ્કૃત સમીકરણરૂપ શબ્દપ્રાભૃતનો ઉલ્લેખ વાચકવર્ય ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર યાને તત્ત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૫)ની ભાષ્યાનુસારિણી
ટીકા (પૃ. ૫૦)માં સિદ્ધસેનગણિએ અને અણુઓગદાર (સુત્ત ૧૩૦)ની ટીકા (પત્ર ૧૫૦આ)માં “માલધારી P ૧૫ હેમચંદ્રસૂરિએ કર્યો છે. સિદ્ધસેનગણિએ કહ્યું છે કે “શબ્દપ્રાભૃત” પૂર્વમાં છે. એમાંથી આ વ્યાકરણ આવ્યું છે. એ શબ્દપ્રાભૃત જે જાણે તે પ્રાભૃતજ્ઞ” એમ એમણે કહ્યું છે.
ત. સૂ. (અ. ૧, સૂ. ૫) ઉપરના સ્વપજ્ઞ ભાષ્ય (પૃ. ૪૪)માં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “આગમમાં પ્રાભૃતજ્ઞ દ્રવ્ય એટલે ભવ્ય (અર્થાત્ થવાની યોગ્યતાવાળું) એમ કહે છે.” આવો ઉલ્લેખ કરી એમણે “થેં ૨ મધ્યે' એવો પાઠ આપ્યો છે. આ અષ્ટાવ (અ. ૫, પા. ૩)માં ૧૦૮માં સૂત્રરૂપે જોવાય છે. એ સૂત્ર મૂળે જો એનું ન જ હોય તો એ શબ્દ-પ્રાકૃતનું તો નહિ હોય ? એવો પ્રશ્ન મને ફુરે છે.
આ સલ્પાહુડ કેટલાયે સૈકાઓ થયા લુપ્ત થઈ ગયું છે. એ અમુક જ ભાષાનું અને તે પણ અમુક જ ભાષામાં રચાયેલું વ્યાકરણ હોવું જોઈએ એવો અંતિમ નિર્ણય કરવાનું કોઈ સાધન જણાતું નથી, પણ એ સંસ્કૃતમાં હશે એમ માની એની અહીં મેં નોંધ લીધી છે.
જૈનેન્દ્ર-વ્યાકરણ યાને પંચાધ્યાયી (વિક્રમની છઠ્ઠી સદી) જૈન ઉપલબ્ધ સાહિત્યની દૃષ્ટિએ આ P ૧૬ જૈનોનું સૌથી પ્રથમ વ્યાકરણ છે. એના કર્તા દિગંબર મુનિવર પૂજ્યપાદ ઉર્ફ દેવનંદિયાને જિનેન્દ્રબુદ્ધિ છે.૫
એમણે વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ રચેલા ત.સૂ. ઉપર સર્વાર્થસિદ્ધિ નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. એમણે અા. ઉપર શબ્દાવતાર નામનો વાસ રચ્યો છે, પણ એ મળતો નથી. વળી એમણે પોતાના વ્યાકરણને અંગે સ્વોપજ્ઞ ૧. અભયનંદિકત ટીકા સહિત આ વ્યાકરણ “પંડિત, નવીન ગ્રંથમાળામાં પ. ૩૧-૩૪ તરીકે છપાયું છે. “સનાતન
જૈન ગ્રંથમાલા” તરફથી બનારસથી ઈ. સ. ૧૯૧૫માં આ મૂળ કૃતિ શબ્દાર્ણવચન્દ્રિકા સહિત પ્રકાશિત થઈ છે. ૨. મૂળ સંસ્કૃત શબ્દ “દેવનંદિનુ' છે. એ પ્રમાણે યથાસ્થાન સમજી હું ૩. સંક્ષેપમાં ‘દેવ’ એવો વ્યવહાર કરાય છે. દા. ત. જિનસેને આદિપુરાણ (પર્વ ૧, શ્લો. પર)માં અને વાદિરાજસૂરિએ
પાર્શ્વનાથચરિત (સ. ૧, શ્લો. ૧૮)માં આવો ઉલ્લેખ કર્યો છે. ૪. આ નામના એક બૌદ્ધ સાધુ થઈ ગયા છે. એ વૈયાકરણે અષ્ટા.ની કાશિકા નામની વૃત્તિ ઉપર ન્યાસ રચ્યો છે.
એમાં એમણે “બ્રહાશ્રમUIમ્'' એવું એક સમાહાર-ધંધનું ઉદાહરણ આપ્યું છે. આ પૂર્વે આ ઉદાહરણ કોઈએ આપ્યું છે ખરું ? પ. પ્રસ્તુત વ્યાકરણના કર્તા દેવનંદિ જ છે એ બાબત વિવિધ પ્રમાણો પં. નાથુરામ પ્રેમીએ “સેવનન્તિ મૌરવની
નૈનેન્દ્ર વ્યારા '' નામના હિંદી લેખમાં આપ્યાં છે. આ લેખ “જૈન હિતૈષી”માં ઈ. સ. ૧૯૨૧માં છપાયો હતો. એને ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયેલા નૈન સાહિત્ય ગૌર રૂતિદાસ નામના પુસ્તક (પૃ. ૯૩–૧૨૮)માં સ્થાન અપાયું છે. આ અભ્યાસપૂર્ણ લેખનો મેં યથાસ્થાન ઉપયોગ કર્યો છે. આ લેખમાં બે ન્યૂનતા છે અને એનો સ્વીકાર પં. પ્રેમીએ કર્યો છે એવો ઉલ્લેખ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૨૮)માં છે. ૬. આ વૃત્તિનું મૂળ સહિત “તત્ત્વાર્થવૃત્તિઃ સર્વાર્થસિદ્ધિઃ' એ નામથી બીજું સંસ્કરણ કોલ્હાપુરથી કલાપ્પા ભરમાપ્પા નિટવેએ પોતાના “જૈનેન્દ્ર’ મુદ્રણાલયમાં શકસંવત્ ૧૮૩૯માં છાપ્યું હતું. આની એક નકલ જે અહીંના “જૈનાનંદ પુસ્તકાલયમાં છે તેમાં આગમોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીજીએ કરેલી કેટલીક નોંધ નજરે પડે છે.[સર્વાર્થસિદ્ધિ ટીકા ભારતીય જ્ઞાનપીઠ કાશીથી હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ છે.]
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૧૪-૧૮].
ન્યાસ રચ્યો હોય એમ માનવાનું કારણ મળે છે (એ પણ મળતો નથી). આ ઉપરાંત એમણે ઈષ્ટોપદેશ અને 4 સમાધિતંત્ર રચ્યાં છે. દેશભક્તિ, સારસંગ્રહ તેમજ કોઈ પવૈદ્યક ગ્રંથ પણ એમને હાથે રચાયાં હોય એમ લાગે છે. કેટલાકને મતે અહંતુ-પ્રતિષ્ઠા-લક્ષણ, જૈનાભિષેક અને ‘શાજ્યષ્ટક પણ એમની કૃતિઓ છે.
પૂજ્યપાદનો સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દીનો પ્રારંભ છે એમ મનાય છે. સિદ્ધસેન દિવાકર અને દિ. સમતભદ્ર એમના પૂર્વગામી છે એ વાત નિર્વિવાદ છે.
પરિચય-જૈનેન્દ્ર વ્યાકરણ એ પાંચ અધ્યાયોમાં રચાયું છે. આથી તો આને કેટલાક પંચાધ્યાયી તરીકે ઓળખાવે છે. એ પ્રત્યેક અધ્યાયના ચચ્ચાર પાદ છે અને એ દરેકમાં ઓછાંવત્તાં સૂત્રો છે. એ ઘણાં રે ૧૮ સંક્ષિપ્ત છે. વળી એમાં “સંજ્ઞાકૃત લાઘવ છે કે જે લાઘવ અષ્ટા.ની યોજનામાં પણ નથી. આ ઉપરાંત આ
૧. આ કૃતિ દિ. આશાવરકૃત સંસ્કૃત ટીકા સહિત માણિક્યાચન્દ્ર દિગંબર જૈન ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૧૩ તરીકે વિ.
સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ થઈ છે. વળી એ “દિગંબર જૈન ગ્રંથભંડારમાલા”માં ગ્રંથાંક ૧ તરીકે બનારસથી વિ. સં.
૧૯૮૨માં પ્રકાશિત થઈ છે. ૨. “સનાતન જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૧માં આને ઈ. સ. ૧૯૦૫માં સ્થાન અપાયું છે. પં. ફતેહચંદે દિલ્હીથી પણ
આ કૃતિ વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત કરી છે. એમ. એન. દ્વિવેદીના અંગ્રેજી અનુવાદ સહિત મૂળ કૃતિ ઈ. સ. ૧૮૯૫ (?)માં છપાઈ છે. આ મૂળ કૃતિની મરાઠી અનુવાદ સહિતની બીજી આવૃત્તિ સોલાપુરથી ઈ. સ.
૧૯૪૦માં પ્રસિદ્ધ થઈ છે. ૩. આ નામની કૃતિ દિ. પ્રભાચન્દ્રકૃત ટીકા અને મરાઠી અનુવાદ સહિત સોલાપુરથી ઈ. સ. ૧૯૨૧માં પ્રકાશિત
થયેલી છે. ૪. આનો ઉલ્લેખ છખંડાગમના ‘વેયણા'ખંડ ઉપર દિ. વીરસેને રચેલી ધવલામાં છે, પણ હજી સુધી તો આ કૃતિ
મળી આવી નથી. ૫. કેટલાકને મતે વૈદ્યસાર એમની કૃતિ છે. આ કટકે કટકે “જૈનસિદ્ધાંત ભાસ્કર”માં પ્રકાશિત કરાઈ છે. ૬. દિ. ચન્દ્રય નામના એક કવિએ “કાનડી' ભાષામાં જે પૂજ્યપાદચરિત રચ્યું છે તેમાં આ કૃતિનો તેમજ
શાંત્યષ્ટકનો નિર્દેશ છે. ૭. “શ્રવણ બેલ્ગોલના શિલાલેખ (ક્રમાંક ૪૦)માં આ કૃતિની નોંધ છે. ૮. જુઓ ટિપ્પણ ૬ ૯. વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૯૭માં રચેલા ગણરત્નમહોદધિ (પૃ. ૨)માં આ પૂજયપાદનું દિગ્વસ્ત્ર એ નામથી
સ્મરણ કર્યું છે. ૧૦. વ્યાકરણના વિષયમાં જેવી સૂત્રાત્મક શૈલી જોવાય છે એવી અન્ય સાહિત્યિક કૃતિઓમાં નજરે પડતી નથી. ગમે
તેમ પણ આ જાતની અનુપમ કળા આપણા આ ભારતવર્ષમાં જ ઉદ્ભવી અને વિકસી છે. સમગ્ર યુરોપીય સાહિત્ય ભારતીય સાહિત્ય કરતાં વિશાળતા અને વિવિધતામાં પણ ભલે ચડિયાતું ગણાતું હોય, પણ આવી
સૂત્રાત્મક યોજના તો ત્યાં જોવાતી નથી ૧૧. નાથારંગજી ગાંધી તરફથી વીરસંવત્ ૨૪૪૪માં દિ. પં. વંશીધરે સિદ્ધાંતકૌમુદીની શૈલીમાં રચેલી જૈનેન્દ્ર
પ્રક્રિયા પ્રસિદ્ધ થઈ છે. જૈનેન્દ્ર વ્યાકરણમાંની સંજ્ઞાઓનાં ઈતર વ્યાકરણગત સંજ્ઞા સાથે સમીકરણો અપાયાં છે. વિશેષમાં અષ્ટા. સાથે સંતુલન કરી બાર વિશિષ્ટતા દર્શાવાઈ છે. એમાં પ્રક્રિયાકૃત લાઘવનો પણ ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
વ્યાકરણમાં “એકશેષ' પ્રકરણ નથી. આમ આ અનેકશેષ છે. એ એની એક રીતે વિશિષ્ટતા ગણાય.
અષ્ટા.માં વૈદિક પ્રયોગો પણ સિદ્ધ કરાયા છે એમ એ છાંદસ અને લૌકિક એમ બંને પ્રકારની સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, જયારે આ તો કેવળ લૌકિકનું છે. તેમ છતાં છાંદસ અધિકારમાં પાણિનિએ સિદ્ધ કરેલા કેટલાક શબ્દોને “લૌકિક' માની અહીં સિદ્ધ કરાયા છે.
દ્વિવિધ વાચનાઃ-આ વ્યાકરણના મૂળ સૂત્ર–પાઠના બે પ્રકાર જોવાય છે—બે વાચના મળે છેઃ (૧) જેના ઉપર દિ. આચાર્ય અભયનંદિની મહાવૃત્તિ અને દિ. શ્રુતકીર્તિકૃત પ્રક્રિયા છે તે અને (૨) જેના ઉપર દિ.
સોમદેવસૂરિકૃત શબ્દાર્ણવ-ચન્દ્રિકા અને દિ. ગુણનંદિકૃત પ્રક્રિયા છે તે પ્રથમ પ્રકારના સૂત્ર-પાઠમાં લગભગ P ૧૯ 3000 સૂત્રો છે, જ્યારે બીજામાં આશરે ૩૭00 સૂત્રો છે. તેમ છતાં બંનેમાં મોટે ભાગે સૂત્રો સમાન છે, અને
મંગળાચરણ પણ એકસરખું જ છે, જો કે કેટલીક સંજ્ઞાઓમાં ભેદ છે.
- પ્રથમ પ્રકારનો સૂત્ર-પાઠ પાણિનીય સૂત્ર-પાઠની શૈલીએ રચાયો છે. શાકટાયન-વ્યાકરણની પરિપૂર્ણ સ્વરૂપે રચાયાની પ્રતિષ્ઠા જામતાં આ સૂત્રપાઠ અપૂર્ણ જણાતાં મહાવૃત્તિમાં અનેક વાર્તિક અને ઉપસંખ્યાન ઇત્યાદિ રચીને એ પૂર્ણ બનાવાયો છે. બીજા પ્રકારનો સૂત્ર-પાઠ એ પ્રથમ સૂત્ર-પાઠનાં સેંકડો સૂત્રોને પરિવર્તિત અને પરિવર્ધિત કરીને સંભવતઃ દિ. આચાર્ય ગુણનંદિએ યોજયો છે, અને તેમ થવાથી એ પ્રાયઃ પૂર્ણ બન્યો છે, અને એથી તો એના ટીકાકારોને વાર્તિકાદિ રચવાં પડ્યાં નથી.
પ્રથમ સૂત્રપાઠ જ અસલી છે. આ સિદ્ધ કરવા માટે પં. નાથુરામ પ્રેમીએ કેટલાંક કારણો દર્શાવ્યા છે.
પ્રથમ સૂત્રપાઠનું આદ્ય સૂત્ર જે નીચે મુજબ છે તે એના કર્તા પૂજ્યપાદનો અનેકાંતવાદ તરફનો પક્ષપાત–ઉચિત ગુણાનુરાગ સૂચવે છે :- "સિદ્ધિનેન્તાત્''
પૂજ્યપાદે આ વ્યાકરણમાં નિમ્નલિખિત છ આચાર્યોનાં નામો સૂચવ્યાં છે –
(૧) પ્રભાચન્દ્ર, (૨) ભૂતબલિ, (૩) યશોભદ્ર, (૪) શ્રીદત્ત, (૫) સમતભદ્ર અને (૬) સિદ્ધસેન. P ૨૦ કેટલાક આ નામોને બનાવટી ગણે છે તો કેટલાક એને વૈયાકરણોનાં નામ ગણે છે, પણ એ વાત તો
ચોક્કસ છે કે આ છે કે વ્યક્તિઓ વિશિષ્ટ ગ્રંથકારો હોવા જોઈએ અને એમણે એમની કૃતિઓમાં વ્યાકરણ વિષયક કોઈ કોઈ વિશિષ્ટ પ્રયોગો કર્યા હશે.
સિદ્ધસેન દિવાકરકૃત વેદવાદ-દ્વાáિશિકાના એટલે કે નવમી દ્વાત્રિ શિકાના ૨૨મા પદ્યમાં વિદ્રો એવો જે પ્રયોગ છે તેને લક્ષીને “વેઃ સિદ્ધસેની'' એવું સૂત્ર રચાયું હશે એમ લાગે છે. ૧. શબ્દોમાં એકત્વ, બહુર્તી ઇત્યાદિના વાચક–ની સ્વાભાવિક શક્તિનું સમર્થન કરી ‘એક-શેષ' પ્રકરણની પ્રક્રિયાનું
નિરસન કરાયું છે. ૨. વ્યાકરણના મૂળ સૂત્રમાં જે કહ્યું ન હોય તેને ઉદેશીને વાર્તિકકારને જે કહેવું પડે તેને “ઉપસંખ્યાન' કહે છે. ૩. જુઓ એમનો ઉપર્યુક્ત લેખ. સં. વ્યા.ઈ. (ભા. ૧, પૃ. ૪૨૩)માં પ્રથમ અને દ્વિતીય સૂત્રપાઠને અનુક્રમે ઔદીચ્ય સંસ્કરણ અને દાક્ષિણાત્ય સંસ્કરણ તરીકે ઓળખાવાયા છે અને ઔદિચ્યને જ પૂજ્યપાદકત માન્યો છે. કેમકે એમાં
એકશેષ' પ્રકરણ નથી. ૪. જુઓ અનુક્રમે ૪-૩-૧૮૦, ૩-૪-૮૩, ૨-૧-૯૯, ૧-૪-૩૪, ૫-૪-૧૪૦ અને ૫-૧-૭.
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ : વ્યાકરણ : પ્રિ. આ. ૧૮-૨૨]
અસલી સૂત્રપાઠની ટીકાઓ–અસલી સૂત્રપાઠ ઉપર નીચે મુજબની ટીકાઓ રચાઈ છે -- (૧) “સ્વપજ્ઞ ન્યાસ.
(૪) પ્રભાચંદ્રકૃત શબ્દાંભોજભાસ્કર (૨) ભાષ્ય.
નામનો વાસ. (૩) અભયનંદિકૃત મહાવૃત્તિ
(૫) આર્ય શ્રુતકીર્તિકૃત પંચવસ્તુ-પ્રક્રિયા. સ્વોપ ન્યાસ અને ભાષ્ય-આજે આ બેમાંથી એકે ઉપલબ્ધ નથી, પરંતુ પંચવસ્તુના કર્તાએ નીચે મુજબની મતલબનો જે ઉલ્લેખ કર્યો છે તે તેમજ અસલી સૂત્રપાઠનું સંજ્ઞા વગેરેથી ઉદ્ભવતું લાઘવ જોતાં એ હોવો જોઈએ એમ લાગે છે :
જૈનેન્દ્ર-વ્યાકરણ એ પ્રાસાદ છે, એનાં મૂળ સૂત્ર એ એના સ્તંભ છે, એનો ન્યાસ એ એની રત્નમય > ૨૧ ભૂમિ છે, એની વૃત્તિ એ એનાં દ્વાર છે, એનું ભાષ્ય એ એનું અધ્યાતલ છે, એની ટીકા એ એનો માળ છે, અને આ પંચવસ્તુ ટીકા એ એ પ્રાસાદ ઉપર પહોંચવા માટેનું સોપાન છે.
મહાવૃત્તિ-આના કર્તા અભયનંદિ છે. એ દિ. રાજવાર્તિકકાર અકલંક પછી અને દિ. શ્રુતકીર્તિની પહેલાં કોઈક સમયે થયા હોય એમ લાગે છે. આ મહાવૃત્તિ લગભગ ૧૨000 શ્લોક જેવડી છે અને ઉપલબ્ધ ટીકાઓમાં એ સૌથી પ્રાચીન જણાય છે.
શબ્દાંભોજભાસ્કર-આ ન્યાસનું પરિમાણ આશરે ૧૬૦૦૦ શ્લોક જેટલું હશે. આની રચના અભયનંદિકૃત મહાવૃત્તિને અનુલક્ષીને દિ. પ્રભાચ કરી છે. એમનો સમય ઈ. સ. ૯૮૦થી ૧૦૬૫ સુધીનો હોવાનું અનુમાન પં. મહેન્દ્રકુમારે પ્રમેયકમલમાર્તડવી પ્રસ્તાવના (પૃ. ૬૭)માં કર્યું છે.
આ ન્યાસમાં પ્રમેયકમલમાર્તડ અને ન્યાયકુમુદચંદ્રનો જે રીતે ઉલ્લેખ છે તે વિચારતાં આ બેના કર્તા તે જ જાસકાર છે એમ જણાય છે. આ ચાસ હજી સુધી તો પૂરો મળ્યો નથી. અ. ૪, પા. ૩, સૂ. ૨૧૧ સુધીનો જ ન્યાસ અત્યારે તો મળે છે. શું આ ન્યાસ પૂરો નહિ રચાયો હોય ?
પંચવસ્તુ–આ પ્રક્રિયાક્રમને અનુસરનારી ટીકા છે. એનું પરિમાણ લગભગ ૩૩૦૦ શ્લોક જેટલું છે. મે ૨૨ એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. એના કર્તા આર્ય શ્રુતકીર્તિ હોય એમ જણાય છે, અને એમનો સમય વિક્રમની બારમી સદી હોવાનું મનાય છે.
શબ્દાર્ણવ-જૈનેન્દ્ર વ્યાકરણના પ્રથમ પ્રકારના સૂત્રપાઠને અપૂર્ણ જોઈ, એને સર્વોગે પરિપૂર્ણ બનાવવા માટે દિ. આચાર્ય ગુણનંદિએ પ્રયાસ કરી એને વિસ્તૃત બનાવ્યો તેનું ફળ તે શબ્દાર્ણવ-વ્યાકરણ છે. આથી ૧. અષ્ટસહસ્ત્રી (પૃ. ૧૩૨) માં “ગણે ભુપટ્ટીનાત્'' એવું જે અવતરણ અપાયું છે એ અષ્ટા.ના વાર્તિકમાં
નથી તો એ સ્વોપજ્ઞ ન્યાસનું હશે. ૨.દિ. ૫. મહાચંદ્ર લઘુ જૈનેન્દ્ર નામની કૃતિ મહાવૃત્તિને આધારે રચી છે અને દિ. પં.બંશીધરે જૈનેન્દ્ર-પ્રક્રિયા રચી છે. ૩. આ મહાવૃત્તિ ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રસિદ્ધ છે.] આ ટીકાના આધારે દિ. પં. રાજકુમારે લઘુવૃત્તિ રચી છે, અને
એ બનારસથી ઈ. સ. ૧૯૨૪ માં પ્રકાશિત થઈ છે. ४."तदात्मकत्वंचार्थस्याध्यक्षतोऽनुमानादेश्च यथा सिद्ध्यति तथा प्रपञ्चतः प्रमेयकमलमार्तण्डे न्यायकुमुदचन्द्रे च प्ररूपितमिह દ્રષ્ટવ્યમ્'' ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૭૨)
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
P ૨૩
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
તો એમાં પ્રથમ પ્રકારના સૂત્રપાઠમાંનાં અડધાં ઉપરનાં સૂત્રો એનાં એજ છે. આ દિ. ગુણનંદિ તે કાં’તો દિ. વીરનંદિની ગુરુપરંપરામાં થયેલા પ્રથમ ગુણનંદિ (વિ. સં. ૯૫૯) હશે અથવા દિ. ઝૈવિદ્ય મેઘચન્દ્રના ગુરુ ગુણનંદિ (વિ. સં. ૧૧૭૨) હશે.
૧૨
એના ઉપર બે ટીકા છેઃ (૧) શબ્દાર્ણવ-ચન્દ્રિકા અને (૨) શબ્દાર્ણવ-પ્રક્રિયા—અ બંનેમાં એકશેષ પ્રકરણ છે. શબ્દાર્ણવચન્દ્રિકાના કદિ. સોમદેવ છે અને એમણે આ ટીકા દિ. મેઘચન્દ્રના પ્રશિષ્ય હરિચન્દ્રને માટે શકસંવત્ ૧૧૨૭માં રચી છે.
શબ્દાર્ણવપ્રક્રિયા–આ ઉપર્યુક્ત ચન્દ્રિકાને આધારે શ્રુતકીર્તિના પુત્ર અને શિષ્ય ચારુકીર્તિએ રચી હોય એમ લાગે છે. આ પ્રક્રિયા જૈનન્દ્ર—પ્રક્રિયા એ નામથી સ. જૈ. ગ્રં. માં ગ્રંથાંક પાંચ તરીકે ઈ. સ. ૧૯૧૪માં છપાઈ છે, અને એના કર્તા તરીકે ગુણનંદિનું નામ છપાયું છે, પણ ભૂલ છે એમ પં. નાથુરામ પ્રેમીનું કહેવું છે.
ભગવદ્વાન્ગ્વાદિની– (લ.વિ.સં. ૧૭૯૭) આ રત્નર્ષિ નામના કોઈ મુનિની રચના છે. એમાં જૈનેન્દ્ર વ્યાકરણ અંગે શબ્દાર્ણચન્દ્રિકાના કર્તાઓ માન્ય રાખેલો ૮૦૦ શ્લોકપ્રમાણ કેવળ સૂત્રપાઠ છે. (જુઓ. જૈ.સા.ઈ. પૃ. ૧૨૫) આની વિશેષતા એ છે કે દેવનન્દિ જૈનેન્દ્ર વ્યાકરણના કર્તાનથી પરંતુ ભ.મહાવીરસ્વામિ છે એમ સિદ્ધ કરવા એમાં પુષ્કળ પ્રયાસ કરાયો છે. જુઓ હૈ.સા.ઈ. પૃ. ૧૧૫.
કારિકા–જિનરત્નકોશ (ખંડ ૧, પૃ. ૭)માં આનંદવિમલના શિષ્ય વિજયવિમલે રચેલી અને સ્વોપજ્ઞ અવસૂરિથી વિભૂષિત કરેલી અનિશ્ર્વરાંતકારિકાની નોંધ છે. એ કારિકા જૈનેન્દ્ર વ્યાકરણને અંગેની છે એમ અહીં કહ્યું છે.
આ કારિકાની તેમજ એની સ્વોપજ્ઞ અવસૂરિની એક હાથપોથી વિ. સ. ૧૬૨૮માં લખાયેલી મળે છે. વિશ્રાન્તવિદ્યાધર–(ઉ. વિ. સં. ૭૦૦) સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૩૩)માં આનો ‘જૈન’ વ્યાકરણ તરીકે ઉલ્લેખ છે, પણ એમ માનવા માટે કોઈ પ્રમાણ અપાયેલું જણાતું નથી તેમ મને પણ એવું કોઈ પ્રમાણ મળ્યું નથી. જિ. ૨. કો. (ખંડ ૧)માં આ વ્યાકરણની કોઈ હાથપોથી નોંધાઈ નથી. એ ઉ૫૨થી પણ એવી સંભાવના થઈ શકે કે આ જૈન વ્યાકરણ નહિ હોય.
બીજી રીતે વિચારતાં આ વ્યાકરણનો જૈન કૃતિઓમાં અવતરણપૂર્વક નિર્દેશ છે તેમજ આને ‘જૈન’ વ્યાકરણ માનવામાં બાધક ગણાય એવું કોઈ પ્રમાણ હજી સુધી તો મને મળ્યું નથી. આથી હું એનો અહીં વિચાર કરું છું.
વિશ્રાન્તવિદ્યાધરના કર્તા વામન છે. આ હકીકત ગ. ૨. મ. (પૃ. ૨)માં સ્પષ્ટપણે કહેવામાં આવી છે. વિશેષમાં એના પૃ. ૧૬૮માં ‘વામન’નો ‘સહ્રદયચક્રવર્તી' તરીકે ઉલ્લેખ છે. આના પૃ. ૨૩૭ ઉપરથી એ જાણવા મળે છે કે વામને પોતાના વ્યાકરણ ઉપર બૃહવૃત્તિ રચી હતી. આથી એવું અનુમાન દોરાય કે એમણે લઘુવૃત્તિ પણ રચી હશે. મૂળ વ્યાકરણની પેઠે આ બે વૃત્તિઓ પણ હજી સુધી તો મળી આવી નથી.
૧. આવી પરિસ્થિતિને લઈને કેટલાક આ જ વ્યકારણને જૈનેન્દ્ર કહે છે તે વાત ઘટાવી શકાય. ૨. આના સંપાદક શ્રીલાલ જૈન છે. ૩. જુઓ હૈ. સા. ઈ. (પૃ. ૧૧૪).
૪. જિનેશ્વરસૂરિએ પ્રમાલક્ષ્મની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૯૦ અ)માં વિશ્રાન્તનો ઉલ્લેખ કર્યો છે. તે વિશ્રાન્તવિદ્યાધર હશે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૨૨-૨૬]
વામનનો સમય નક્કી કરવા માટેનું પ્રબળ સાધન એમના આ વ્યાકરણ ઉપર ન્યાય રચનાર B ૨૪ મલવાદીના સમય ઉપર અવલંબે છે. મલવાદી બે થયા છે એટલે એ પૈકી આ કોણ છે તેનો નિર્ણય કરાતાં વામનના સમયનો અંતિમ નિર્ણય થઈ શકે. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૪)માં તો એમને ‘પ્રથમ મલ્લવાદી” માની વામનના સમય માટે વિ. સં. ૪00 અથવા તો વિ. સં. ૬૦૦ થી પ્રાચીન એમ બે વિકલ્પ દર્શાવાયા છે.
વિશ્રાન્તવિદ્યાધર વ્યાકરણ આજે મળતું નથી, પરંતુ એનાં અનેક સૂત્રો ગ. ૨. મ.માં ઉદ્ધત કરાયાં છે.' આ નામના વૈયાકરણનો ઉલ્લેખ “કલિ.’ હેમચન્દ્રસૂરિએ સિ. હે. (૧-૪-૫૨)ના સ્વપન્ન બૃહવ્યાસ (પૃ. ૨૬૩)માં કર્યો છે.”
ચાસ-આપણે ઉપર જોઈ ગયા તેમ મલ્લવાદીએ વિશ્રાંત-વિદ્યાધર ઉપર ચાસ રચ્યો છે. પ્ર. ચ. (મલ્લવાદિ-પ્રબંધ, ઈંગ ૧૦ શ્લો. ૩૮)માં વિશ્રાન્તવિદ્યાધર નામના શબ્દશાસ્ત્રનો અને એના ઉપર ન્યાસ રચનારા તરીકે પ્રથમ મલવાદીનો-મહાતાર્કિકનો ઉલ્લેખ છે. હરિભદ્રસૂરિએ અનેકાન્ત જયપતાકામાં અ. ૧, પૃ. ૫૮માં ને એ. ૨, પૃ. ૧૧૬માં આ મલવાદીએ રચેલી સમ્મઈપયરણની ટીકામાંથી એકેક અવતરણ આપ્યું છે. એ હિસાબે આ મલ્લવાદી એમના પૂર્વગામી ઠરે છે. સિદ્ધસેન દિવાકર એમના વિદ્યાગુરૂ હશે એવી ? ૨૫ સંભાવના કરાય છે. એ ઉપરથી આપણે એમને વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીમાં થયેલા માની શકીએ. જો એઓ બીજા મલવાદી હોય તો એઓ ન્યાયબિન્દુની અટીકાના ટિપ્પણકાર ગણાય, અને એ હિસાબે એઓ ઈ. સ.ની આઠમી સદીમાં થયેલાં મનાય.
કલિ0” હેમચન્દ્રસૂરિએ સિ. હે.ની સ્વપજ્ઞ ટીકામાં આ ચાસમાંથી ઉદ્ધરણ આપ્યાં છે." ગ. ૨. મ. (પૃ. ૭૧ ને ૯૨)માં વિશ્રાન્તવિદ્યાધરના ન્યાસનો ઉલ્લેખ છે.
(“શાકટાયન) શબ્દાનુશાસન-(લ. વિ. સં. ૯૦૦)-મુગ્ધ બોધના કર્તા પ. બોપદેવે ધાતુપાઠમાં જે આઠ વૈયાકરણોનાં નામ ગણાવ્યાં છે તેમાં શાકટાયનનું પણ નામ છે. આ નામના એક વૈયાકરણ તો પાણિનિથી જ નહિ પણ યાસ્કની પણ પૂર્વે થઈ ગયા છે. અહીં જે શાકટાયન પ્રસ્તુત છે તેઓ તો “જૈન” છે. એમનું વાસ્તવિક નામ પાલ્યકીર્તિ છે એમ દિ. વાદિરાજસૂરિત પાર્શ્વનાથચરિત વગેરે જોતાં જણાય છે. એમનું શાકટાયન' એવું નામ તો પાછળથી પડ્યું જણાય છે. નંદીની ટીકા(પત્ર ૧૬૮)માં મલયગિરિસૂરિએ ૧. આ ઉપરથી જોઈ શકાશે કે લુપ્ત થયેલા ગ્રંથો ઉપર પ્રકાશ પાડવામાં પણ જૈન ગ્રંથો સહાયક થઈ પડે તેમ
છે. આથી પણ જૈન ગ્રંથોનો પરિશીલનપૂર્વક વિસ્તૃત પરિચય કરાવનાર પુસ્તકની આવશ્યકતા સિદ્ધ થાય છે. ૨. જુઓ સિ. હે.ની શ્રી વિજયલાવણ્યસૂરિએ વિ. સં. ૨૦૦૭માં સંપાદિત કરેલી આવૃત્તિ. ૩. આધુનિક વિદ્વાનોના મોટા ભાગની માન્યતા મુજબ એમનો સમય વિ. સં. ૭૫૭-૮૨૭ છે. શ્રી યુધિષ્ઠિર મીમાંસક તો એમને વિ. સં. ૭૫૭થી પ્રાચીન માને છે, અને એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૮૫માં થયાની જૈન
શ્રુતિ-પરંપરાને સમુચિત ગણે છે. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૨). ૪. આ ટીકાના કર્તા બૌદ્ધ આચાર્ય ધર્મોત્તર છે.
૫. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૨) ૬. અભયચંદ્રકૃત શાકટાયન-પ્રક્રિયા સંગ્રહ સહિત આ વ્યાકરણ જેષ્ઠારામ મુકુંદજીએ મુંબઈથી ઈ. સ. ૧૯૦૭માં
પ્રકાશિત કર્યું છે. ૭. મેં જે પત્રાંક આપ્યો છે તે તો આગમોદય સમિતિ તરફથી ઈ. સ. ૧૯૨૪માં છપાયેલી આવૃત્તિનો છે. જૈ.
સા. ઈ.માં પત્રક તરીકે ૨૩નો ઉલ્લેખ અને આનંદબોધિની વૃત્તિ સહિતની સિ. હે.ની આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. “ખ')માં ૧૫નો ઉલ્લેખ છે તો એ નંદી (સટીક)ની કઈ કઈ આવૃત્તિઓને અંગે છે ?
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
P ૨૬ એમને યાપનીય યતિઓના સમુદાયના અગ્રણી કહ્યા છે, અને એમના સ્વપજ્ઞ શબ્દાનુશાસનની નિમ્નલિખિત પ્રારંભિક પંક્તિ પણ રજુ કરી છે :
"श्रीवीरममृतं ज्योतिर्नत्वाऽऽदिं सर्ववेधसाम्" આ શાકટાયને પોતાના શબ્દાનુશાસન ઉપર અમોઘવૃત્તિ રચી છે. વળી એમણે સ્ત્રીમુક્તિકેવલિભુક્તિ–પ્રકરણ રચ્યું છે. રાજશેખરે કાવ્યમીમાંસામાં પાલ્યકીર્તિનો મત નોંધ્યો છે. એ ઉપરથી એમણે કોઈ અન્ય સાહિત્યિક કૃતિ પણ રચી હોય એમ ભાસે છે.
આ સિદ્ધાંતજ્ઞ અને તાર્કિક (અભિનવ) શાકટાયન નૃપતિ અમોઘવર્ષના સમકાલીન છે. એ હિસાબે એમનો સમય વિ. સં. ૮૭૧ થી ૯૨૪ની આસપાસનો ગણાય.
શાકટાયન વ્યાકરણ- મંગલ-શ્લોકથી શરૂ થતું આ વ્યાકરણ ચચ્ચાર પાદવાળા ચાર અધ્યાયમાં વિભક્ત છે. આમ આમાં જે સોળ પાદ છે તેની સૂત્ર-સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૧૮૦, ૨૨૩, ૧૯૫, ૧૨૩, ૨૨૯, ૧૭૨, ૧૧૩, ૨૩૯, ૨૦૧, ૨૨૭, ૨૮૧, ૧૪૬, ૨૭૧, ૨૬૧, ૨૮૯ અને ૧૮૬.આમ અહીં એકંદર ૩૩૩૬ સુત્રો છે.
(શાકટાયન) શબ્દાનુશાસનમાં ચાર અધ્યાય છે અને પ્રત્યેક અધ્યાયમાં ચચ્ચાર પાદ છે. બધું મળીને ૩૩૩૬ સૂત્રો છે. આ વ્યાકરણ એવી રીતે રચાયું છે કે ઈષ્ટિ અને ઉપસંખ્યાનની આવશ્યકતા રહેતી નથી. ‘જે અહીં નથી તે અન્યત્ર પણ નથી એવું વિધાન પણ આને અંગે યક્ષવર્માએ કર્યું છે.
આ શબ્દાનુશાસનમાં આર્યવજ, ઇન્દ્ર અને સિદ્ધનંદિ એમ ત્રણ પૂર્વાચાર્યોનો ઉલ્લેખ છે. છેલ્લા બે “યાપનીય' હશે અને પહેલા તો સુપ્રસિદ્ધ વજસ્વામી હશે કે જેમનો સ્વર્ગવાસ વીરસંવત્ ૫૮૪માં થયો છે.
તિલોયપત્તિમાં જે વિજયશ નામના અંતિમ પ્રજ્ઞાશ્રમણનો ઉલ્લેખ છે તે આ વજસ્વામી હશે.” P ૨૭ સ્વોપજ્ઞ અમોઘવૃત્તિ-શાકટાયને પોતાના શબ્દાનુશાસનની ઉપર આ વૃત્તિ રચી છે. એના નામગત
“અમોધ' શબ્દ અમોઘવર્ષ નામના નૃપતિનો સૂચક છે. આ વૃત્તિનું પરિમાણ લગભગ ૧૮૦૦૦ શ્લોક જેવડું છે. આ વૃત્તિમાં શ્વેતાંબર સાહિત્ય તરીકે સુપ્રસિદ્ધ આવશ્યક “કાલિકસૂત્ર, છેદસૂત્ર' અને નિર્યુક્તિનોર ઉલ્લેખ છે. ૧. આ “જૈન સાહિત્ય સંશોધક” (ભા. ૨, એ. ૩-૪ ઇ.સ. ૧૯૨૫)માં છપાયું છે. પૂ. મુનિશ્રી જંબૂવિજય
મ. એ સંશોધિત. સંપાદિત થઇ પ્રગટ થયેલ છે.] ૨. આ વ્યાકરણ યક્ષવર્માએ રચેલી ચિન્તામણિ નામની લઘુવૃત્તિ સહિત તેમજ સૂત્રપાઠ, અમોઘવૃત્તિમાંથી ઉદ્ધત
અને સિદ્ધાન્તકૌમુદી પ્રમાણે સંસ્કારિત કરેલા ગણપાઠ, સૂત્રની અકારાદિ ક્રમે સૂચી, ધાતુપાઠ, તથા
ધાતુપાઠની અનુક્રમણિકા સહિત ડૉ. જગન્નાથપ્રસાદે ઇ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ ૩. જે સૂત્ર અને વાતિકથી સિદ્ધ ન થાય, પરંતુ ભાખ્રકારના પ્રયોગાદિ વ્યવહારથી સિદ્ધ થાય તેને “ઈષ્ટ' કહે છે. ૪. વ્યાસ અને બાણની કૃતિ માટે પણ આમ કહેવાય છે. પ-૭.જુઓ અનુક્રમે ૧-૨-૧૩, ૧-૨-૩૭ અને ૨-૧-૨૨૯. ૮. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૬૨) ૯. જુઓ ૧-૨-૨૦૩ અને ૧-૨-૨૦૪ ની વૃત્તિ.
૧૦. જુઓ ૩-૨-૪૭ ની વૃત્તિ. ૧૧. જુઓ ૪-૪-૧૩૩ ની વૃત્તિ.
૧૨. જુઓ ૪-૪-૧૪૦ની વૃત્તિ.
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ર૬-૨૯]
૧૫
અહીં ‘૩પસર્વગુપ્ત વ્યાધ્યાતર:” એ ઉલ્લેખ દ્વારા સર્વગુપ્તને શ્રેષ્ઠ વ્યાખ્યાતા કહ્યા છે. એ આરાણા (આરાધના)ના કર્તા શિવાર્યના વિદ્યાગુરુ હશે.'
વર્ધમાનસૂરિએ ગ. ૨. મ. (પૃ. ૮૨ અને પૃ. ૯૦)માં આ અમોઘવૃત્તિમાંથી ઉદ્ધરણ આપી એના કર્તા તરીકે શાકટાયનનો ઉલ્લેખ કર્યો છે. સર્વાનંદે અમરટીકા-સર્વસ્વમાં આ અમોઘવૃત્તિમાંથી પાલ્યકીર્તિના નામપૂર્વક ઉદ્ધરણ આપ્યું છે.
- અમોઘવૃત્તિમાં “અહી વર્ષોડરાતી'' એવું ઉદાહરણ છે. અહીં જે અમોઘવર્ષનો ઉલ્લેખ છે એ જૈન વિદ્વાનોના આશ્રયદાતા અને શકસંવત્ ૭૩૬માં ગાદીએ બેસનારા નૃપતિ છે. આ ઉપરથી આ વૃત્તિની રચના શકસંવત ૭૩૬થી ૭૮૯ના ગાળામાં થઈ છે. એમ કહી શકાય.
અમોઘવૃત્તિનો ન્યાસ-આના કર્તા દિ. પ્રભાચન્દ્ર છે અને તે પણ શબ્દાંભોજ ભાસ્કરના કર્તા છે એમ કેટલાક સોળમી સદીના શિલાલેખ અને કેટલીક કિંવદત્તીને આધારે માને છે, પંરતુ પ્રમેયકમલમાર્તડની P ૨૮ પ્રસ્તાવના (પૃ. ૬૮)માં પં. મહેન્દ્રકુમારે આ બાબત શંકાસ્પદ હોવાનું કહ્યું છે અને સાથે સાથે એ માટે નીચે મુજબનાં આઠ કારણો પણ એમણે રજૂ કર્યા છે :(૧) મંગલશ્લોક નથી તેનું શું? (૨) ગ્રંથમાં કોઈ સ્થળે પ્રભાચન્દ્રનું નામ નથી. (૩) પ્રસ્તુત ન્યાસ માટે કોઈ વિશિષ્ટ નામ ન્યાસકારે આપ્યું નથી. (૪) શાકટાયનની સ્ત્રીમુકિત અને કેવલિ–ભકિતને અંગેની માન્યતાઓનું ખંડન કરનાર કટ્ટર દિ. પ્રભાચન્દ્ર
એ શાકટાયનના વ્યાકરણ ઉપર ન્યાસ રચે ખરા ? (૫) શાકટાયન માટે વપરાયેલાં ગૌરવશાળી વિશેષણોનું ન્યાસમાં સમર્થન છે તો પ્રભાચન્દ્ર તેમ કરે ખરા ? (૬) શાકટાયન-વ્યાકરણમાંથી, જૈનેન્દ્ર-વ્યાકરણની પેઠે પ્રભાચન્દ્રીય કૃતિમાં એક પણ સૂત્ર ઉદ્ધત કરાયું
નથી તેનું શું? (૭) આ ચાસમાં પ્રભાચન્દ્રની કોઈ કૃતિનો કે એમની અન્ય કોઈ કૃતિમાં આ વાતનો ઉલ્લેખ નથી તેનું શું? (૮) શબ્દાંભોજભાસ્કર જેવી પ્રસન્ન શૈલી આ ન્યાસમાં નથી તેનું શું?
આવી પરિસ્થિતિમાં પં. મહેન્દ્રકુમાર તો આ ન્યાસના કર્તા શાકટાયન જ હશે એવી કલ્પના કરવા પ્રેરાયા છે, અને પ્રભાચન્દ્રની જૈનૈન્દ્ર વ્યાકરણ ઉપરના ન્યાસકાર તરીકેની પ્રસિદ્ધિ શાકટાયનીય ન્યાસના કતાં મનાવવામાં કારણભૂત બની હશે એમ એમણે સૂચવ્યું છે.
તેરમી સદીના લીલાશુક મુનિએ “દેવમૂ”ની પુરુષકાર ટીકા. (પૃ.૬૬)માં શાકટાયન-ન્યાસમાંથી ૨૯ અવતરણ આપ્યું છે, એ આ જ ન્યાસનું હશે, માધવીય ધાતુવૃત્તિમાં પણ ન્યાસમાંથી અવતરણ અપાયું છે.'
- ચિન્તામણિ–આ ઉપર્યુક્ત વ્યાકરણની યક્ષવર્માકૃત લઘુવૃત્તિ છે. એના પ્રારંભમાં બાર પદ્યો છે. એનાં ત્રીજા અને ચોથા પદ્યમાં આ વ્યાકરણના કર્તા શાકટાયનની અને પાંચમા અને છઠ્ઠામાં એમના આ વ્યાકરણની પ્રશંસા છે. સાતમા પદ્યમાં અતિમહતી વૃત્તિના સંક્ષેપરૂપે આ લઘુવૃત્તિ રચ્યાનો ઉલ્લેખ છે. આ ૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૫૩). ૩. જુઓ સં. વ્યા. ઈ. (પૃ. ૪૩૮) ૨. એજન, પૃ. ૧૬૧.
૪. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭)
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
લઘુવૃત્તિનું પરિમાણ છ હજાર શ્લોક જેવડું છે એમ નવમા પદ્યમાં કહ્યું છે. દસમા પદ્યમાં એવો ઉલ્લેખ છે કે આ લઘુ વૃત્તિમાં ઇન્દ્ર, ચન્દ્ર વગેરે વૈયાકરણોએ જે કહ્યું છે તે બધું આમાં છે અને જે અહીં નથી તે અન્યત્ર નથી. આ ડો. જગન્નાથપ્રસાદ દ્વારા ઇ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ છે. જુઓ પૃ. ૧૪ ટિ. ૨
૧૬
અ. ૧, પા. ૩ ને અંગેની લઘુવૃત્તિની પુષ્ટિકામાં પ્રસ્તુત શાકટાયનને ‘શ્રુતકેવલિદેશીય’ કહ્યા છે. આ ચિન્તામણિટીકા અને એની ટીકા– ચિન્તામણિ ટીકા એ અમોઘવૃત્તિના સંક્ષેપરૂપ છે. એના કર્તા યક્ષવર્મા છે. એ કોઈ ગૃહસ્થ હશે. આ ચિન્તામણિ-ટીકા ઉપર દિ. આચાર્ય અજિતસેને ‘મણિ’
નામની ટીકા રચી છે.
પ્રક્રિયાઓ
પ્રક્રિયા–સંગ્રહ–આની શૈલી સિદ્ધાંત–કૌમુદીને મળતી આવે છે. એના કર્તા દિ. અભયચન્દ્ર છે. વિદ્યાર્થીઓ માટે એ યોજાયેલી હોવાથી એમાં શબ્દાનુશાસનનાં તમામ સૂત્રોની વ્યાખ્યા નથી. શાકટાયન—ટીકા—આ પ્રક્રિયાનુસારી ગ્રંથ છે. એના કર્તા ‘વાદિપર્વતવજ્ર' ને નામે ઓળખાતા દિ. ભાવસેન ત્રૈવિદ્ય છે.
૪રૂપસિદ્ધિ-આ લઘુપ્રક્રિયારૂપ છે. એના કર્તા દિ. દયાપાલમુનિ છે. એઓ ‘દ્રવિડ’સંઘના
મતિસાગરના શિષ્ય થાય છે. એઓ વિ. સં. ૧૦૫૨ની આસપાસમાં થયા છે.
2
લિંગાનુશાસન—ભાષા શબ્દોની બનેલી છે. એ શબ્દો કયા લિંગના અર્થાત્ કઈ જાતિના ગણવા એ બાબત એને અંગેની પરંપરા ઉપર આધાર રાખે છે. હિંદી જેવી ભાષા પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એમ બે જ જાતિમાં સમગ્ર શબ્દોને વિભક્ત કરે છે, જ્યારે ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓ એ બે ઉપરાંત નપુંસક–લિંગ પણ ગણાવે છે. સંસ્કૃત અને પાઇય ભાષાઓમાં પણ આ ત્રણ લિંગ છે. કયો શબ્દ કયા લિંગનો ગણવો એ માટે વ્યાપક સ્વરૂપે સામાન્ય નિયમો ઘડી શકાય તેમ ન હોવાથી સંસ્કૃત શબ્દોનાં લિંગો સૂચવનારી કૃતિની આવશ્યકતા સિદ્ધ થાય છે. વળી આવી કૃતિની યોજના એ વ્યાકરણ સાથે અગત્યનો અને અનિવાર્ય સંબંધ ધરાવનારા અંગની બોધક બને છે. આથી આવી કૃતિઓ પાણિનિના
સમયથી તો રચાતી આવી છે.
મુખ્ય મુખ્ય વૈયાકરણોની શાખાઓ ગણાય છે. તે તે શાખા વ્યાકરણનાં સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિસૂત્ર, ધાતુપાઠ, લિંગાનુશાસન એમ પાંચે અંગોને બોધ કરાવનારી સામગ્રી પૂરી પાડે એ સ્વાભાવિક છે, પરંતુ સૂત્રપાઠ રચનાર જ બાકીનાં ચારે અંગો રચે એવો કંઈ નિયમ નથી. તેમ છતાં એ બધાં જો ૧. સમંતભદ્રે આ ટીકાનાં વિષમ પદો ઉપર ટિપ્પણ રચ્યું છે, અને એ ટિપ્પણનો ઉલ્લેખ માધવીય ધાતુવૃત્તિમાં છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૫ ગુસ્ટવ આપર્ટને આ કૃતિ ઈ. સ. ૧૮૯૩માં પ્રસિદ્ધ કરી છે. એમાં એમણે શાકટાયનને ‘પ્રાચીન શાકટાયન' માનવાની ભૂલ કરી છે. [સન્ ૧૯૭૦માં મુંબઇથી જયેષ્ઠારામ મુકુંદજીએ પણ પ્રક્રિયાસંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે.]
૩. એમણે વિશ્વતત્ત્વપ્રકાશ રચ્યો છે.
૪. આ પ્રકાશિત છે.
૫. આ અમુદ્રિત હોય એમ જણાય છે.
૬. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૧૫૯) પ્રમાણે પાણિનિએ પંચાંગ વ્યાકરણ રચ્યું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૨૯-૩૨]
૧૭
એક જ કર્તાની રચના હોય તો તે ઇષ્ટ ગણાય. ગમે તેમ પણ શાકટાયન વગેરે કેટલાક જૈન વૈયાકરણોએ તો પોતે આ જાતની કૃતિ રચી છે, અને એને લિંગાનુશાસન તરીકે ઓળખાવી છે. શાકટાયનકૃત લિંગાનુશાસનની હાથપોથી મળે છે. એ “આર્યા છંદમાં રચાયેલી ૭૦ પોની કૃતિ છે.
ધાતુપાઠ–શાકટાયને આના મંગલાચરણરૂપ પદ્યમાં “જિન”ને નમસ્કાર કરી “fધ વૃદ્ધી, ધ P ૩૧ સંધર્ષ'' થી શરૂઆત કરી છે. એમણે ૧૩૧૭ (૧૨૮૦+૩૭) ધાતુઓ અર્થ સહિત આપ્યા છે. અંતમાના ૩૭ કંડ્યાદિ ધાતુઓ સિવાયના ધાતુઓને ધુ, મ, ટુ, , પુ કી, તુ તન, રુ, વુર્ અને યુનું એમ ૧૧ શીર્ષકમાં વિભક્ત કર્યા છે. આ તેમજ એવા બીજા ૩૬ ધાતુઓને ‘વિકલ્પ–ણિજન્ત' તરીકે એટલે કે વિકલ્પ “અ” પ્રત્યય લેનારા તરીકે ઓળખાવાયા છે, જ્યારે ગુર્ વગેરેને “નિત્ય-ણિજન્ત' ધાતુ કહ્યા છે.
પંચગ્રંથી યાને બુદ્ધિસાગર–(વિ. સં. ૧૦૮૦)-આ વ્યાકરણના કર્તા બુદ્ધિસાગરસૂરિ છે. એમણે લિંગાનુશાસન પણ રચ્યું છે." એઓ “ચંદ્ર'કુળના વર્ધમાનસૂરિના શિષ્ય થાય છે. પ્રમાલક્ષ્મ યાને પ્રમાલક્ષણના કર્તા જિનેશ્વરસૂરિ એમના સહોદર થાય છે. બુદ્ધિસાગરસૂરિએ આ વ્યાકરણ “જાબાલિપુરમાં વિ. સં. ૧૦૮૦માં રચ્યું છે. આ વાત તેમજ આ આદ્ય વ્યાકરણ છે એ હકીકત પણ એના અંતિમ પદ્યમાં ગ્રંથકારે જાતે કહી છે. વિશેષમાં એમણે અહીં આ ગ્રંથનું પરિમાણ ૭000 શ્લોકનું કહ્યું છે. પ્ર. ચ. P ૩૨ (અભયદેવસૂરિચરિત' શૃંગ ૧૯, શ્લો. ૮૯)માં તો આનું પરિમાણ ૮૦૦૦ દર્શાવાયું છે. સાથે સાથે આ નવું વ્યાકરણ બુદ્ધિસાગરસૂરિએ રચ્યું છે અને એનું નામ બુદ્ધિસાગર છે એવો પણ અહીં ઉલ્લેખ છે. આ વ્યાકરણની એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. એનો આદિમ ભાગ નીચે મુજબ છે :
"सिद्धं जिनं सर्वविदं निरञ्जनं सवीर्यमीशं कमलालयं गुरून् ।
नत्वा प्रबद्धो लघुपूर्णपद्यवाक् लब्ध(?) लक्ष्म्याऽबुधबुद्धिवृद्धये ॥" રચનાનો હેતુ-આ વ્યાકરણ તેમજ પ્રમાલક્ષ્મ રચવાનો હેતુ પ્રમાલક્ષ્મનાં નિમ્નલિખિત પદ્યોમાં સ્પષ્ટપણે દર્શાવાયો છે :૧. વગેરેથી ખાસ કરીને બુદ્ધિસાગરસૂરિ અને કલિ. હેમચન્દ્રસૂરિ એ બે નામો હું સૂચવું છું. ૨. આ શાકટાયનીય ધાતુપાઠ પં. ગૌરીલાલ જૈને વિરસંવત્ ૨૪૩૭માં છપાવ્યો છે. અંતમાં ધાતુઓની અકારાદિ
ક્રમે સૂચી અપાઈ છે. ૩. આ વ્યાકરણ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયું હોય એમ જણાતું નથી. [અપૂર્ણ પ્રતિના આધારે પ્રો. કંસારા સંપાદનનો
પ્રાયસ કરે છે.] ૪. આ નામની નીતિવિષયક કૃતિ સોની સંગ્રામસિંહ વિ. સં. ૧૫૨૦માં રચી છે અને એ છપાયેલી છે. ૫. આ પ્રમાણેનો ઉલ્લેખ “મદ્રાસ વિદ્યાપીઠ” તરફથી પ્રકાશિત હર્ષવર્ધનકૃત લિંગાનુશાસનની ભૂમિકા (પૃ. ૩૪)માં એના સંપાદકે કર્યો છે. અને એ યથાર્થ છે, કેમકે આ વ્યાકરણના અંતિમ ભાગમાં નીચે મુજબનું પદ્ય છે :
"श्री विक्रमादित्यनरेन्द्रकालात साशीतिके याति समासहस्रे ।
सश्रीक 'जाबालि परे तदाद्यं, दृब्धं मया सप्तसहस्रकल्पम्॥" ૬. આ પરિમાણ આ વ્યાકરણના મૂલપાઠ અને એની વૃત્તિ સહિતનું છે એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૪૭)માં કહેવાયું છે.
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૮
..
'तैरवधीरिते यत् तु प्रवृत्तिरावयोरिह । तत्र दुर्जनवाक्यानि प्रवृत्तेः सन्निबन्धनम् ॥४०३॥ शब्दलक्ष्म प्रमालक्ष्म यदेतेषां न विद्यते । नादिमन्तस्ततो ह्येते परलक्ष्मोपजीविनः ॥ ४०४॥"
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૧
આનો અર્થ એ છે કે મારી અને બુદ્ધિસાગરસૂરિની પ્રવૃત્તિમાં દુર્જનોનાં વાક્યો કારણરૂપ છે. એ વાક્યો એ છે કે આ લોકો પાસે—શ્વેતાંબરોની પાસે, નથી શબ્દલક્ષ્મ યાને વ્યાકરણ કે નથી P. ૩૩ પ્રમાણલક્ષ્મ યાને પ્રમાલક્ષણ. આ લોકો કંઈ પહેલેથી નથી; એઓ તો પાછળથી જન્મ્યા છે. એથી એઓ ‘બૌદ્ધ’ વગેરેના ગ્રંથો ઉપર આધાર રાખનારા છે. એના વડે એઓ જીવે છે.
આધાર-પ્રમાલક્ષ્મના અંતિમ (૪૦૫માં) શ્લોકમાં કહ્યું છે કે આચાર્ય બુદ્ધિસાગરે વ્યાકરણ વૃત્તોમાં રચ્યું છે. આનો અર્થ સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૯૦ અ)માં સૂચવતાં જિનેશ્વરસૂરિએ કહ્યું છે કે બુદ્ધિસાગરસૂરિએ આ વ્યાકરણ પાણિનિ, ચન્દ્ર, જૈનેન્દ્ર, વિશ્રાન્ત અને દુર્ગ-ટીકાને જોઇને ધાતુ(પાઠ), સૂત્ર(પાઠ), ગણ(પાઠ) અને ઉણાદિ(સૂત્ર)ની વૃત્તમાં રચના કરી છે. આથી એ વાત સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે સમગ્ર પંચાંગ વ્યાકરણ છંદોબદ્ધ છે.
ઉલ્લેખ-ધનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૯૫માં રચેલી સુરસુંદરીચરિય (પરિચ્છેદ ૧૬, શ્લો. ૨૪૫)મા બુદ્ધિસાગરસૂરિનો ઉલ્લેખ છે. પંચાસગની અભયદેવસૂરિએ વિ. સં, ૧૧૨૦માં રચેલી વૃત્તિ (પ્રશસ્તિ, શ્લો. ૩)મા, ગુણચન્દ્રે વિ. સં. ૧૧૩૯મા રચેલા મહાવીરચરિય (પ્રસ્તાવ ૮, શ્લો. ૫૩)મા, જિનદત્તસૂરિએ ગણહરસદ્ધસયગના ૬૯મા પદ્યમાં, પદ્મપ્રભે કુંથુનાથચરતમાં અને ઉપર સૂચવ્યા મુજબ પ્ર. ચ.માં આ P ૩૪ બુદ્ધિસાગર વ્યાકરણ વિષે ઉલ્લેખ છે. અભિધાનચિન્તામણિ કાંડ ૩, શ્લો. ૨૬૭)ની સ્વોપજ્ઞ વિવૃતિ
(પૃ. ૨૪૫)મા બુદ્ધિસાગરનો જે ઉલ્લેખ છે એ કર્તાના નામને અંગે હોય એમ લાગે છે.
હૈમ પંચાગ વ્યાકરણ (લ. વિ. સં. ૧૧૯૩)- વ્યાકરણનાં (અ) સૂત્રપાઠ, (આ) ઉણાદિસૂત્રો, (ઇ) ધાતુપાઠ, (ઈ) ગણપાઠ અને (ઉ) લિંગાનુશાસન એમ પાંચ અંગ ગણાય છે. ‘કલિ.’ ‘હેમચન્દ્રસૂરિએ પંચાંગ વ્યાકરણ રચ્યું છે. વિશેષમાં એમણે એનાં પાંચે અંગોને સ્વોપજ્ઞ વૃત્તિ વડે વિભૂષિત કર્યાં છે. ૧. જુઓ પં. બેચરદાસ. દોશીનો લેખ નામે ‘‘ગુજરાતનું પ્રધાન વ્યાકરણ'' (પૃ. ૮૩). આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજૂ કરાયેલા નિબંધરૂપ આ લેખ ‘પુરાતત્વ” (પૃ. ૪, અં. ૧–૨, પૃ. ૬૧-૧૦૦)માં છપાયો છે. પૃ. ૮૩માં અંતિમ ભાગ અપાયો છે.
૨. સિદ્ધસેન દિવાકરે ન્યાયાવતાર અને સ. ૫. રચ્યાં છે તેનું શું ? શું દુર્જનોએ આનો અપલાપ કર્યો હશે ? ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૨૪)મા આનો અર્થ એમ કરાયો છે કે આ વ્યાકરણ છંદોબદ્ધ છે, અને એ અર્થ બરાબર છે, પરંતુ ‘‘ગૂજરાતનું પ્રધાન વ્યાકરણ’’ નામના લેખ (પૃ. ૮૪)મા તો કહ્યું છે કે ‘આ વ્યાકરણ જોતાં જણાય છે કે એ કેવળ પદ્યોમાં નથી પણ ગદ્યપદ્યરૂપ છે.’
૪. આ વિશ્રાન્ત તે વામનકૃત વિશ્રાન્તવિદ્યાધર વ્યાકરણ હશે.
૫. કાતન્ત્ર વ્યાકરણ ઉપર દુર્ગસિંહે જે ટીકા રચી છે તે આ છે. ચતુર્વિશતિપ્રબંધ (પ્રબંધ ૨૪, પૃ. ૨૨૬)મા દુર્ગસિંહકૃત વૃત્તિનો ઉલ્લેખ છે. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૦૯) પ્રમાણે દુર્ગટીકા કાશિકા કરતાં પહેલાં
રચાઈ છે અને કાશિકા એ વામને અને જયાદિત્યે સાથે મળીને રચેલી ટીકા છે અને એની રચના ભારવિના સમય પછી થયેલી છે.
૬. એમના જીવનની રૂપરેખા માટે જુઓ ત્રીજા પ્રકરણનો પ્રારંભિક ભાગ.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૩૨-૩૬]
૧૯
આગળ ઉપર એના એક અંગરૂપ સૂત્રપાઠની પ્રક્રિયારૂપે સંકલના કરાઈ છે એટલું જ નહિ પણ આ વ્યાકરણને ઉદેશીને સ્વતંત્ર અને સંક્ષિપ્ત કૃતિઓ પણ રચાઈ છે. આમ આ પંચાંગ વ્યાકરણને અંગે પુષ્કળ ‘સાહિત્ય યોજાયું છે. એનું યથેષ્ટ નિરૂપણ ખૂબ જગ્યા માગી લે તેમ છે એટલે એને અહીં સ્થાન ન આપતાં હું એનો સ્વતંત્ર પ્રકરણરૂપે હવે પછી વિચાર કરીશ.
- ભદ્રેશ્વર વ્યાકરણ (ઉ. વિ. સં. ૧૧૯૭)-ગ. ૨. મ.ની સ્વપજ્ઞ વૃત્તિમાં દીપકકર્તા તે ભદ્રેશ્વરસૂરિ છે અને આધુનિક વૈયાકરણોની અપેક્ષાએ એમનું પ્રાધાન્ય છે એમ કહ્યું છે. આથી એમણે કોઈ વ્યાકરણ રચ્યું P ૩૫ હશે એમ લાગે છે. એ અનુપલબ્ધ વ્યાકરણનું નામ જાણવામાં નથી એટલે મેં અહીં આ નામ યોજ્યું છે.
ગણરત્નમહોદધિ (વિ. સં. ૧૧૯૭) અને એની સ્વોપજ્ઞ વૃત્તિ- આ વ્યાકરણનો ગ્રન્થ ગોવિન્દસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્યની પ્રાર્થના અનુસાર વિ. સં. ૧૧૯૭માં રચ્યો છે, અને એને ૪૨૦૦ શ્લોક જેવડી સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યો છે. આ ઉપરાંત એમણે સિદ્ધરાજ-વર્ણન નામનો ગ્રંથ રચ્યો છે. સિદ્ધરાજ જયસિંહના દરબારમાંના કેટલાક વિદ્વાનોમાંના એઓ એક હતા. એઓ કલિ.” હેમચન્દ્રસૂરિના સમકાલીન થાય છે. તેમ છતાં એક બીજાનો પોતાની કોઈ કૃતિમાં ઉલ્લેખ કરેલો હોય એમ જાણવામાં નથી.
વર્ધમાનસૂરિએ ગ. ૨. મ.ને આઠ અધ્યાયમાં વિભક્ત કર્યો છે. એમણે પાણિનીયાદિ વ્યાકરણોને સંમત નામોના ગણોને, નહિ કે ગ્વાદિ નવ કે દસ ધાતુના ગણોને શ્લોકોમાં રજુ કર્યા છે. આમ કરવા માટે એમણે અષ્ટા)ના અધ્યાયોનો ક્રમ ન સ્વીકારતાં પ્રકરણ અનુસાર રચના કરી છે. જેમકે પ્રથમ “નામગણ અધ્યાયમાં એમણે ગતિ, ઉપસર્ગ, અવ્યય, નિપાત, સર્વનામ વગેરેના ગણો આપ્યા છે. અ. ૨.માં સમાસાશ્રિત ગણોને, અ. ૩-૭માં તદ્ધિત-ગણોને અને અ. ૮માં કૃત્ અને આખ્યાત સંબંધી ગણોને એમણે P ૩૬ સ્થાન આપ્યું છે. ભીમસેન શર્માએ પ્રાસ્તાવિક (પૃ. ૨)માં કહ્યું છે કે અષ્ટાને સ્થાને અન્ય વ્યાકરણ પ્રચારમાં હશે એથી તો અષ્ટા.ગત ગણસૂત્રો ન આપતા એ અષ્ટાને જોઈને એના ઉપરથી કોઇએ સંક્ષેપમાં રચેલાં સૂત્રો વૃત્તિમાં ઉદ્ધત કરાયેલાં જોવાય છે.
૧. “ઋષભદેવજી છગનીરામજી સંસ્થા તરફથી ઉજ્જૈનથી ઈ. સ. ૧૯૪૩માં હેમચન્દ્રકૃતિકુસુમાવલીના નામથી
જે પુસ્તક પ્રસિદ્ધ કરાયું છે તેમાં પ્રારંભમાં સિ. હે.ના અ. ૫, પા. ૨ સુધીનાં સૂત્રો અપાયાં છે. ત્યાર બાદ ઉણાદિ-સૂત્રો, પછી સિ. હે. નાં બાકીનાં સૂત્રો, વ્યાકરણવિષયક કેટલીક કારિકાઓ, ન્યાયસંગ્રહ (૧૪) ન્યાયો), હૈમ લિંગાનુશાસન, હૈમ કાવ્યાનુશાસન તેમજ બે હૈમ દ્વાર્નાિશિકા (અયોગ-વ્યવચ્છેદ-દ્વાáિશિકા
અને અન્ય-યોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા) અપાયાં છે. ૨. મેં હૈમ પંચાંગ વ્યાકરણના અભ્યાસ માટેનાં સાધનો” નામના લેખમાં આ સાહિત્યની રૂપરેખા આલેખી છે. ૩. આનું સંપાદન જે. એગ્લેિંગે (Eggling) “સંસ્કૃત ટેસ્ટ સોસાયટી” માટે કર્યું છે. એમાં ૪૬૦ પદ્યો છે. એ
ઇ.સ. ૧૮૭૯-૮૧માં પ્રસિદ્ધ થયું છે.ભીમસેન શર્માએ પણ આ મૂળ કૃતિનું સ્વોપજ્ઞ વૃત્તિ સહિત સંપાદન કર્યું
છે. એમણે પ્રારંભમાં ગણોની સૂચી અધ્યાય દીઠ આપી છે અને અંતમાં અકારાદિ ક્રમે શબ્દસૂચી આપી છે. ૪. આનું એક પદ્ય એગ્લિંગની આવૃત્તિના પૃ. ૩૭રમાં અને ભીમસેન શર્માની આવૃત્તિના મૃ. ૧૯૭માં નજરે પડે છે.
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
પ્રથમ પદ્યમાં વાદેવતાની અને દ્વિતીય પદ્યમાં શાલાતુરીય (પાણિનિ), શકટાંગજ (શાકટાયન), ચંદ્રગોમિ, દિગ્વસ્ત્ર દેવનંદ), ભતૃહિર, વામન, ભોજ અને દીપકકર્તા (ભદ્રેશ્વરસૂરિ)ની સ્તુતિ છે. આની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે કે આ દીપકકર્તાનું પ્રાધાન્ય આધુનિક વૈયાકરણોની અપેક્ષાએ છે. આથી આ ભદ્રેશ્વરે વિ.સં. ૧૧૯૭ પહેલાં કોઈ વ્યાકરણ રચ્યું હોય એમ લાગે છે.
૨૦
વર્ધમાનસૂરિએ ઉપર્યુક્ત ગણોના પ્રત્યેક પદની વ્યાખ્યા ઉદાહરણપૂર્વક આપી છે. આમાં એમણે અનેક વૈયાકરણોના મતો નોંધ્યા છે. વળી એમણે પોતાના સમકાલીન અને સિદ્ધરાજને અંગે કોઈ કાવ્ય
રચનારા સાગરચંદ્રના આ કાવ્યમાંથી શ્લોકો ઉદ્ધૃત કર્યા છે. આ ઉપરાંત ‘તદ્વિત’ પ્રત્યયોનાં ઉદાહરણો આપતી વેળા એમણે ભટ્ટિકાવ્યમાંથી તેમજ ‘માલવ'ના ‘પરમાર' રાજાઓને લગતા કોઈ કાવ્યમાંથી અનેક પદ્યો ઉદ્ધૃત કર્યાં છે.
અવસૂરિ-ગ. ૨. મ. ઉપર કોઈકે અવસૂરિ રચી છે. આની વિ. સં. ૧૫૨૯માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. મં.માં છે.
શબ્દાનુશાસન યાને મુષ્ટિવ્યાકરણ (ઉ. વિ. સં. ૧૨૩૦)- આના કર્તા મલયગિરિસૂરિ છે.
એમણે અ. મા.માં રચાયેલા વિવિધ આગમો ઉપર તેમજ જ. મ.માં રચાયેલા કેટલાક અનાગમિક ગ્રંથો P. ૩૭ ઉપર પણ વિવરણો રચ્યાં છે. એમાં દાર્શનિક ચર્ચાઓની વિપુલતા હોવા છતાં વિશદતામાં એમણે ન્યૂનતા
આવવા દીધી નથી. આથી એમણે સમર્થ વિવરણકાર તરીકે ખૂબ નામના મેળવી છે. એમની સ્વતંત્ર રચના તરીકે તો અત્યારે આ પ્રસ્તુત વ્યાકરણ જ જાણવામાં છે. એના ઉપર એમણે ૪૩૦૦ શ્લોક જેવડી સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે અને એની હાથપોથીઓ મળે છે. [પં. બેચરદાસ દોશી દ્વારા સંપાદિત આ મલયિગિર શબ્દાનુશાસન (અપૂર્ણ) એલ. ડી. ઇસ્ટીટયુટ અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે. એના પરિશિષ્ટમાં ૭ વ્યાકરણોના સૂત્રોની તુલના આપી છે.]
મલયગિરસૂરિએ ‘કિલ.’ હેમચન્દ્રસૂરિને ‘ગુરુ’ કહી સંબોધ્યા છે, અને એ રીતે એમના તરફનો પોતાનો પૂજ્ય ભાવ વ્યક્ત કર્યો છે. આ મલયગિરિસૂરિ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના તેમજ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના સમકાલીન છે.
મલયગિરિસૂરિએ રચેલા વ્યાકરણને સામાન્ય રીતે શબ્દાનુશાસન તરીકે ઓળખાવાય છે. એને કેટલાક મુષ્ટિવ્યાકરણ કહે છે. એમાં ચચ્ચાર પાદવાળા બાર અધ્યાયો છે. વિદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ એક લેખમાં કહ્યું છે કે આજે આ વ્યાકરણ પૂરેપૂરું મળતું નથી. વિશેષમાં એમણે હાથપોથીનો નીચે મુજબની મતલબનો પિરચય આપ્યો છે.
૧. વૃત્તિમાં ‘ગોમિ’નો અર્થ ‘પૂજ્ય' કરાયો છે.
૨. આનો સામાન્ય અર્થ ‘દિગંબર’ થાય છે. પૃ. ૧૬૪માં દિગંબરો સામે કટાક્ષ કરાયો છે (જુઓ‰. સા. ઇ.નું પૃ. ૨૬૨) ૩. આ કાવ્યની શૈલી ક્યાશ્રયના જેવી છે.
''
૪. જુઓ આવસ્ટયની વૃત્તિ (પત્ર ૧૧આ) પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે : ‘“તથા સ્વાદુ: સ્તુતિષુ ગુરવ:' પ. આનું પરિમાણ ૬૦૦૦ શ્લોકનું છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૭૪)માં નોંધ છે.
૬. આ લેખનું નામ ‘‘આચાર્ય શ્રીમલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન’” છે. એ લેખ ‘‘જૈન સત્ય પ્રકાશ’” (વર્ષ ૭, અંક ૧-૩, પૃ. ૧૪૧-૧૪૪)માં છપાયો છે. આનો મેં અહીં ઉપયોગ કર્યો છે. આ લેખમાં ‘‘મુષ્ટિ-વ્યાકરણ’’ એ નામ નથી.
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૩૬-૩૯]
(૧) પાટણના વાડી-પાર્શ્વનાથના ભંડારમાં આ વ્યાકરણની કાગળ ઉપર લખેલી હાથપોથીમાં પંચસંધિ, નામ, આખ્યાત અને કૃત્વ સુધીનો અધિકાર છે. અર્થાત્ એમાં ચતુષ્ક-વૃત્તિ, આખ્યાત-વૃત્તિ અને કૃદ્રવૃત્તિ એમ P ૩૮ ત્રણ વૃત્તિનાં મળીને ત્રીસ પાદ જેટલો વિભાગ છે, પણ ૧૮ પાદ જેટલી તદ્ધિત-વૃત્તિ એમાં નથી.
(૨) પાટણમાં સંઘવીના પાડામાં તાડપત્રીય પ્રતિ છે પણ એ ખંડિત છે. એમાં તદ્ધિત-વૃત્તિ તો છે, જો કે અપૂર્ણ છે. તદ્ધિતના અ. ૨, પા. રના અપૂર્ણ અંશથી માંડીને દસમા પાદની સમાપ્તિ સુધીનો ભાગ એમાં જોવાય છે. આમ તદ્ધિતનો દોઢેક અધ્યાય જેટલો ભાગ નાશ પામ્યો છે.
ભાં. પ્રા. સં. મેં.માં તાડપત્રીય પ્રતિ છે. એનો પરિચય મેળવવો બાકી રહે છે. મુષ્ટિવ્યાકરણમાં પ્રારંભમાં નિમ્નિલિખિત સૂત્રો છે :
સિદ્ધિાન્તાત્ | તોત્ વI: '' આ વ્યાકરણની સ્વોપજ્ઞ વૃત્તિમાં મલયગિરિસૂરિએ પોતાને આચાર્ય કહ્યા છે અને આ વ્યાકરણને શબ્દાનુશાસન કહ્યું છે. પુણ્યવિજયજીને મતે આ સ્વપજ્ઞ વૃત્તિ એ સિ. હે.ની સ્વોપજ્ઞ વૃત્તિનું પ્રતિબિંબ જ છે.
મુષ્ટિવ્યાકરણમાં કૃદ્રવૃત્તિ પા૦ ૩માં ‘રાતે દર્પે' એવું બાવીસમું સૂત્ર છે. એની સ્વપજ્ઞ વૃત્તિમાં “મહાતીર્ કુમારપાત્ર:' એવું ઉદાહરણ છે. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે સ્વપજ્ઞ વૃત્તિ તો કુમારપાલના રાજ્યસમયમાં જ રચાઈ છે. મૂળ વ્યાકરણની રચના સિ. છે. પછી અને તે પણ કુમારપાલના રાજ્ય દરમ્યાન થઈ હશે અથવા સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળમાં થઈ હશે એમ જે બે રે ૩૯ વિકલ્પો પુણ્યવિજયજીએ દર્શાવ્યા છે તેમાંનો બીજો વિકલ્પ હું પસંદ કરું છું. આનું કારણ એ છે કે સિ. છે. રચાયા બાદ એનું જે બહુમાન કરાયું છે અને એના પઠન-પાઠન માટે જે વ્યવસ્થા કર્યાના ઉલ્લેખ મળે છે તે પછી મલયગિરિસૂરિને નવું વ્યાકરણ રચવા માટે કોઈ વિશિષ્ટ કારણ ભાગ્યે જ હોઈ શકે. કદાચ ભિન્ન રુચિ ધરાવનાર જનોને ઉદેશીને રચ્યું હોય તો ના નહિ. એવી પણ કલ્પના સ્ફરે છે કે મુષ્ટિવ્યાકરણની સંપૂર્ણ રચના અને તેમ નહિ તો એની શરૂઆત સિ. છે. પહેલાં થઈ હશે. અહીં મને બે પ્રશ્ન ફુરે છે :(૧) સ્વપજ્ઞ વૃત્તિ એ અમોઘવૃત્તિના આધારે તો રચાઈ નથી ? (૨) મલયગિરિસૂરિએ પોતાના વ્યાકરણને સાંગોપાંગ બનાવવા ધાતુ-પાઠ, ઉણાદિ-સૂત્ર વગેરે વ્યાકરણનાં
અન્ય અંગો રચ્યાં હશે કે કેમ ?
ઉપયોગ- પુણ્યવિજયજીએ એમના પ્રસ્તુત લેખ (પૃ. ૧૪૨)માં એ મતલબનો ઉલ્લેખ કર્યો છે કે સિ. હે. નાં અને મલયગિરિસૂરિકૃત શબ્દાનુશાસનનાં સૂત્રોમાં એટલું બધું સામ્ય છે કે એને લઈને મલયગિરિસૂરિકૃત જે ટીકાઓ છપાઈ છે તેમાં આવતાં સૂત્રો એમના જ વ્યાકરણનાં હોવા છતાં કેટલાંકને સિ. છે. પ્રમાણે અને કેટલાકને અષ્ટા. પ્રમાણે અંક અપાયા છે અને કેટલાંક એ બેમાંથી એકે વ્યાકરણનાં જણાયાં નહિ તેને માટે અંક જતા કરાયા છે, અને આમ ખૂબ જ ગોટાળો થવા પામ્યો છે. ૧. આવો ઉલ્લેખ એમણે અન્યત્ર કર્યો હોય એમ જાણવામાં નથી. ગમે તેમ પણ સ્વોપજ્ઞ વૃત્તિ એ આચાર્ય બન્યા
પછીની કૃતિ છે એ વાત આથી ફલિત થાય છે. ૨. જુઓ એમનો ઉપર્યુક્ત લેખ જૈ. સ. પ્ર. વર્ષ ૧૭, અંક ૧-૩ (પૃ. ૧૪૨).
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
આ સંબંધમાં મારું કહેવું એ છે કે મલયગિરિસૂરિનું વ્યાકરણ મારી સામે નથી કે એમની વાત હું ચકાસી જોઉં, પણ એમ તો જરૂર ભાસે છે કે મલયગિરિસૂરિએ પોતે શબ્દાનુશાસન રચ્યા બાદ જે P ૪૦ ટીકાઓ રચી હોય તેમાં એમના જ વ્યાકરણનાં સૂત્રો હોય એ સ્વભાવિક ઘટના છે.'
પ્રભાવ-મકીર્તિસૂરિએ કપ્પની ટીકાની ઉત્થાનિકા (અંશ ૧, પૃ. ૧૭૮)માં મલયગિરિસૂરિ માટે જે નિમ્નલિખિત વિશેષણ વાપર્યું છે એ ઉપરથી એમ લાગે છે કે સિ. હે.ના પ્રણયન પછી એનો પ્રચાર થયેલો હોવા છતાં વિદ્રમંડળમાં મલયગિરિસૂરિકૃત શબ્દાનુશાસનનો પ્રભાવ પડતો હતો :
"शब्दानुशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटितमूर्तिभिः" વિષમપદવિવરણ-જૈ. ગ્રં. (પૃ. ૨૯૮)માં આ વિવરણની નોંધ છે. એની ૨૮ પત્રની એક હાથપોથી અમદાવાદના એક ભંડારમાં છે.
પ્રેમલાભ વ્યાકરણ (વિ. સં. ૧૨૮૧)- આના કર્તા “અંચલ' ગચ્છના પ્રેમલાભ છે. એમણે આ કૃતિ વિ.સં. ૧૨૮૧માં ૨૨૨૩ શ્લોક જેવડી રચી છે. આનું નામ જોતાં એ વ્યાકરણ હોય એમ લાગે છે. એ વાત સાચી હોય તો પણ એ સ્વતંત્ર વ્યાકરણ છે કે સિ. હે. ઉપરથી યોજાયેલું વ્યાકરણ છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. [આ સ્વતંત્ર વ્યાકરણ છે. જૈ. સા. બુ. ઈ. ભા.-૫ પૃ. ૨૭]
બાલબોધ વ્યાકરણ (વિ. સં. ૧૩૦૪)- જૈ. ગ્રં. (પૃ. ૨૯૭) પ્રમાણે આ વ્યાકરણ આઠ P ૪૧ અધ્યાયમાં ૨૭૫ શ્લોક જેવડું મેરૂતુંગે વિ. સં. ૧૩૦૪માં રચ્યું છે. અહીં કહ્યું છે કે એના ઉપર મેરૂતુંગે
૪૮૦ અને ૫૭૯ શ્લોક જેવડી એકેક વૃત્તિ રચી છે. તેમાં પ્રથમ વૃત્તિ છ પાદ પૂરતી છે. વળી એમણે ૨૧૧૮ શ્લોક જેવડું ચતુષ્ક-ટિપ્પન અને ૭૬૭ શ્લોક જેવડું કૂદ્રવૃત્તિ-ટિપ્પન રચ્યાં છે. આ ઉપરાંત ૧૭૩૪ શ્લોક જેવડી આખ્યાત-વૃત્તિ-ઢુંઢિકા અને ૨૨૯ શ્લોક જેવડી પ્રાકૃત-વૃત્તિ રચી છે. આ સાતેની હાથપોથી પાટણના ભંડારમાં હોવાનો અહીં ઉલ્લેખ છે.
જિ. . કો. (ખંડ ૧, પૃ. ૨૮૨)માં કહ્યું છે કે આ બાલબોધ વ્યાકરણ તો કાતંત્ર વ્યાકરણ ઉપરની મેરૂતુંગની બાલાવબોધ વૃત્તિ હોવાનો સંભવ છે, પણ જૈ. ગ્રંટમાં આપેલો રચના-સમય અશક્ય છે. [વિશેષ માટે જુઓ “મેરૂતુંગ બાલાવબોધ વ્યાકરણ” લે. પ્રો. નારાયણ કંસારા. અનુસંધાન ૧૫.]
વિદ્યાનન્દ વ્યાકરણ (ઉ. વિ. સં. ૧૩૧૨) - આ વ્યાકરણના કર્તા વિદ્યાનન્દ છે. આમ આ વ્યાકરણનું નામ પણ બુદ્ધિસાગરની જેમ એના પ્રણેતાના નામ ઉપરથી પડાયું છે. આ વિદ્યાનન્દ એ સંસારીપણામાં શ્રેષ્ઠી જિનચન્દ્રના પુત્ર વિરધવલ થાય અને “ભીમસિંહ એ એમના નાના ભાઈ થાય. વિરધવલે દેવેન્દ્રસૂરિ પાસે વિ.સં. ૧૩૦૨માં પોતાના લગ્નના પ્રસંગે દીક્ષા લીધી હતી. એમને વિ.સં. ૧. સર્વાર્થસિદ્ધિ માટે પણ હું આવું અનુમાન કરું છું અને એથી તો એમાં અષ્ટા. વગેરેનાં સૂત્રાદિ તેમજ પૂજ્યપાદનાં પોતાનાં સૂત્રો હોવાનો જે મત પં. નાથુરામ પ્રેમીએ જૈનેન્દ્ર વ્યાકરણ અંગેના લેખમાં (જૈ. સા.
ઈ. પૃ. ૧૦૪માં) દર્શાવ્યો છે તેને હું આવકારતો નથી. ૨. આ હિસાબે આ વ્યાકરણનું નામ પણ બુદ્ધિસાગરની જેમ કર્તાના નામ ઉપરથી યોજાયું છે. ૩. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૨૯૭). ૪. પ્રેમલાભ એ સ્વતંત્ર વ્યાકરણ જ હોય તો એનો પણ અહીં ઉલ્લેખ સમજવો ઘટે. પ. એમણે દીક્ષા લીધી ત્યારે એમનું નામ “ધર્મકીર્તિ રખાયું હતું.
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૩૯-૪૩]
૨૩
૧૩૨૩માં અને મતાંતર પ્રમાણે ૧૩૦૪માં “સૂરિ' પદ મળ્યું હતું. ખરતર' ગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ચન્દ્રતિલકે વિ. સં. ૧૩૧૨માં જે અભયકુમારચરિત રચ્યું છે તેની પ્રશસ્તિમાં એમણે કોની કોની પાસે શેનો શેનો અભ્યાસ કર્યો હતો તે કહ્યું છે. એમ કરતી વેળા (જિનપતિસૂરિના શિષ્ય) સુરપ્રભ પાસે વિદ્યાનન્દ વ્યાકરણ પોતે ભણ્યા હતા એમ એમણે કહ્યું છે. આ ઉપરથી આ વ્યાકરણ વિ. સં. ૧૩૧૨ કરતાં તો અર્વાચીન નથી જ એમ ફલિત થાય છે.
ઉપર્યુક્ત વ્યાકરણનો ઉલ્લેખ “સહસાવધાની' મુનિસુન્દરસૂરિએ ગુર્નાવલી (શ્લોક. ૧૭૧)માં P ૪૨ કર્યો છે. ત્યાં એમણે કહ્યું છે કે આમાં સૂત્રો થોડાં છે, પણ અર્થ ઘણો સંગ્રહાયો છે, અને એથી એ ‘સર્વોત્તમ' જણાય છે.
જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં કાતન્નોત્તર વ્યાકરણનાં સિદ્ધાનન્દ, વિજયાનન્દ અને વિદ્યાનન્દ એમ ત્રણ નામાંતરો અપાયાં છે. અહીં આના કર્તા તરીકે વિજયાનન્દ ઉર્ફે વિદ્યાનન્દસૂરિનો ઉલ્લેખ છે. વિશેષમાં આ વ્યાકરણ સમાસ-પ્રકરણ સુધી જ છે એમ અહીં કહ્યું છે. જેસલમેરમાં આની તાડપત્રીય પ્રતિઓ છે. પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલમાં આ વ્યાકરણમાંથી અવતરણ આપ્યું છે.
કાત– વ્યાકરણની મહત્તા વધારવા માટે વિજયાનને કાતન્નોત્તર નામની કૃતિ રચી છે અને એનું બીજું નામ વિદ્યાનન્દ છે એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૦૬)માં ઉલ્લેખ છે.
જૈન-પુસ્તક-પ્રશસ્તિ-સંગ્રહ (પૃ. ૧૦૬)માં નીચે મુજબની પંક્તિ છે :"इति विजयानन्दविरचिते कातन्त्रोत्तरे विद्यानन्दापरनाम्नि तद्धितप्रकरणं समाप्तम् सं. १२०८॥"
ઔદાર્ય-ચિન્તામણિ (લ. વિ. સં. ૧૫૭૫)- આ દિ, અશ્રુતસાગરે રચેલું વ્યાકરણ છે, જ્યારે કેટલાકને મતે આ એ વ્યાકરણ ઉપરની સ્વોપજ્ઞ વૃત્તિ છે. આ પાઇય ભાષાને અંગેનું છ અધ્યાયનું P ૪૩ વ્યાકરણ હૈમ વ્યાકરણ અને ત્રિવિક્રમકૃત વ્યાકરણ કરતાં મોટું છે. શ્રુતસાગર મૂલ સંઘ, સરસ્વતી ગચ્છ, બલાત્કાર ગણમાં થયા છે. તેઓ દિ. વિદ્યાનંદિના શિષ્ય થાય છે અને એમણે મલ્લિભૂષણને પોતાના ગુરુભાઈ કહ્યા છે. શ્રુતસાગરના એક શિષ્ય શ્રીચન્દ્ર વૈરાગ્યમણિમાલા રચી છે.
આ શ્રુતસાગરને પોતાને માટે ખૂબ માન હશે, કેમકે એમણે પોતાને માટે નીચે મુજબનાં વિશેષણો વાપર્યા છે :
ઉભયભાષાકવિચક્રવર્તી, કલિકાલ-ગૌતમ, કલિકાલસર્વજ્ઞ, તાર્કિક-શિરોમણિ, નવનવતિ-મહાવાદિવિજેતા, પરમાગમપ્રવીણ, વ્યાકરણ-કમલ-માર્તડ ઇત્યાદિ. ૧. આ ત્રણમાંથી એક પણ નામે આ વ્યાકરણની અહીં નોંધ નથી. ૨. આના પહેલા ત્રણ અધ્યાય પૂરતો વિભાગ વિજાગાપટ્ટમથી પ્રકાશિત થયેલો છે. જુઓ ABORI (Vol. XII,
pp. 52-53) ૩. જૈ. સા. ઈ. (પૃ. ૪૧૨)માં બીજા અધ્યાયની પુષ્પિકા અપાયેલી છે. ૪. એમના પરિચય માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૬-૪૧૨) પ. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૯). ૬. એઓ દિ. પવનંદિના શિષ્ય અને ઉત્તરાધિકારી દિ. દેવેન્દ્રકીર્તિના ઉત્તરાધિકારી છે.
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
શ્રુતસાગર કટ્ટર દિગંબર છે એટલું જ નહિ પરંતુ આવેશપૂર્ણ ગાળ દેનારા પણ છે. તીર્થકરની પ્રતિમા નહિ માનનારા ઉપર એમણે ખૂબ પ્રહાર કર્યા છે. એવાને એમણે ‘નાસ્તિક' કહ્યા છે અને એમને વિષ્ટાથી લિપ્ત જોડા મારે તો એ પાપ નથી એવા આક્રોશ-વચનો ઉચ્ચાર્યા છે.'
શ્રુતસાગરે વ્રતકથાકોશ રચ્યો છે. વળી એમણે નાનકડી શ્રુતસંઘપૂજા રચી છે. બાકી એમની P ૪૪ સુપ્રસિદ્ધ કૃતિઓ મુખ્યતયા વિવરણરૂપ છે અને એમાં મૂળ ગ્રંથાકારને ન અનુસંરતાં પોતાની ગાંઠની વાત પણ એમણે કેટલીક વાર ઉમેરી છે. આ કૃતિઓ યાને વિવરણો નીચે મુજબ છે :
એકીભાવ સ્તોત્રટીકા (આ ટીકાની એક હાથપોથી ભાં. પ્રા. સા. પં.માં છે.) જિનસહસ્ત્રનામ-ટીકા, "તત્ત્વત્ર પ્રકાશિકા, તત્ત્વાર્થવૃત્તિ, મહાભિષેક-ટીકા અને યશસ્તિલક-ચંદ્રિકા અને પહ્મભૂત ટીકા
શ્રુતસાગર વિક્રમની સોળમી સદીમાં થયા છે, કેમકે મહાભિષેકની ટીકાની એક હાથપોથી વિ. સં. ૧૫૮૨માં લખાયેલી મળે છે.
- ચિન્તામણિ-વ્યાકરણ (લ. વિ. સં. ૧૬૦૫)- આના કર્તા દિ, ભટ્ટારક શુભચન્દ્રસૂરિ છે. તેઓ મૂલ’ સંઘ, “સરસ્વતી’ ગચ્છ અને “બલાત્કાર' ગણના જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને વિજયકીર્તિના શિષ્ય થાય છે. એ શુભચન્દ્રસૂરિની શિષ્ય પરંપરાનો ક્રમ નીચે મુજબ છે :
સુમતિકીર્તિ, ગુણકીર્તિ, વાદિભૂષણ, રામકીર્તિ, યશકીર્તિ, પદ્મનંદિ ઈત્યાદિ. P ૪૫ આ શુભચન્દ્રસૂરિને ઐવિદ્ય-વિદ્યાધર'ની તેમજ ‘પદ્ભાષા-કવિ-ચક્રવર્તીની પદવી હતી. એમણે
સાહિત્યનાં વિવિધ અંગોનો અભ્યાસ કર્યો હતો. એમણે વિ. સં. ૧૬૦૮માં રચેલા પાંડવપુરાણની પ્રશસ્તિમાં પોતાની મૌલિક તેમજ વિવરણાત્મક અનેક કૃતિઓ ગણાવી છે :૧. જુઓ દિ. કુંદકુંદાચાર્યકૃત દંસણ-પાહુડ (ગા.૧)ની શ્રુતસાગરીય ટીકા તેમજ જૈ. સા. ઇ. (પૃ.૪૦૭) ૨. આમાં આકાશ-પંચમી, ચંદન-ષષ્ઠી, મુકુટ-સપ્તમી, અષ્ટાહ્નિકા ઈત્યાદિ વ્રતો સંબંધી કથાઓ છે. દેવેન્દ્રકીર્તિ,
ધર્મચંદ્ર, મલ્લિષણ અને સકલકીર્તિ દ્વારા એકેક વ્રતકથાકોશ રચાયો છે. ૩. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૮). ૪. મૂળના કર્તા આશાધર છે. એમણે રચેલી ટીકા સંપૂર્ણપણે શ્રુતસાગરે અપનાવી છે. તેમ છતાં એ આશાધરનો ઉલ્લેખ જિનસહસ્ત્રનામ-ટીકામાં શ્રુતસાગરે કર્યો નથી. આવી હકીકત ત. સૂ.ની ટીકા માટે પણ જોવાય છે.
એમાં સવાર્થસિદ્ધિ અપનાવાઇ છે. ૫. દિ. શુભચન્દ્રકૃત જ્ઞાનાર્ણવ યાને યોગપ્રદીપમાં જે ગદ્યાત્મક લખાણ છે તેની આ ટીકા છે. ૬. આ તા. સૂ. સહિત “ભારતીય જ્ઞાનપીઠ' તરફથી કાશીથી ઈ.સ. ૧૯૪૯માં પ્રકાશિત થઈ છે. ૭. આ આશાધરકૃત નિત્ય-મહોદ્યોતની ટીકા છે. ૮. શ્રુતસાગર દેશવ્રતી યાને બ્રહ્મચારી હતા તે સમયની આ રચના છે. ૯. આ યશસ્તિલક-ચંપની અપૂર્ણ ટીકા છે. પાંચમા આશ્વાસને અંગે થોડાક ભાગની તેમજ છઠ્ઠા આશ્વાસની
ટીકા નથી. આ ટીકા સહિત મૂળ કૃતિ કાવ્યમાલામાં છપાયેલી છે. ૧૦. આ એમની છેલ્લી કૃતિ હોવાનું મનાય છે. ૧૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૨૮-૫૨૯) ૧૨. જુઓ કત્તિકેયાણુવેનાની શુભચંદ્રસૂરિએ વિ. સં. ૧૬૧૩માં રચેલી ટીકાની પુષ્મિકા. આ ટીકાની પ્રશસ્તિ
જૈ. સા. ઈ. (પૃ. પર૮)માં છપાઈ છે.
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ : વ્યાકરણ : પ્રિ. આ. ૪૩-૪૬]
૨૫
(૧) અંગપષ્ણત્તિ ( અંગપ્રજ્ઞપ્તિ,) (૨) અપશબ્દખંડન, (૩) ચન્દના-કથા (યાને ચન્દનાચરિત), (૪) ચન્દ્રનાથ-ચરિત્ર (યાને ચન્દ્રપ્રભ-ચરિત), (૫) ચિન્તામણિ-વ્યાકરણ, (૬) જીવન-ચરિત્ર (યાને જીવંધર-ચરિત), (૭) તત્ત્વનિર્ણય, (૮) નંદીશ્વર-કથા, (૯) "પદ્મનાભ-ચરિત્ર, (૧૦) પવાદ, (૧૧) "સંશવિદનવિદારણ. (૧૨-૧૩) સર્વતોભદ્ર અને એની ટીકા, (૧૪) પાર્શ્વનાથકાવ્ય (યાને પાર્શ્વભુદય)ની પંજિકા, (૧૫) અધ્યાત્મપદ્યવૃત્તિ, (૧૬) આશાધરની અર્ચા (યાને જિનયજ્ઞકલ્પ કિંવા નિત્યમહોદ્યોત)ની ટીકા અને (૧૭) સ્વરૂપસંબોધનની વૃત્તિ.
આ ઉપરાંત (૧૮) કર્મદાહ વિધિ, (૧૯) “ચતુશિદધિકદ્વાદશ-શતવ્રતોદ્યાપન, (૨૦) P ૪૬ પલ્યોપમવિધ્યદ્યાપન (યાને પત્યવ્રતોદ્યાપન) એ ત્રણ કૃતિઓ તેમજ (૨૧) ગણનાથસમર્થન (યાને ૧૦ગણધરવલયપૂજા), (૨૨) “ચિન્તામણિ' (યંત્ર)પૂજા, (૨૩) 'ત્રિશચતુર્વિશતિપૂજા, (૨૪) સરસ્વતી-પૂજા અને (૨૫) સિદ્ધચક્રવ્રતપૂજા એમ ચાર પૂજા તેમજ (૨૬) સ્તોત્ર-સમુચ્ચયનો પણ અહીં ઉલ્લેખ છે.
ઉપર્યુક્ત પાંડવપુરાણની રચના બાદ એમણે કરકંડુ-ચરિત્ર વિ. સં. ૧૬૧૧માં અને કત્તિકેયાણુવેખાની" ટીકા વિ. સં. ૧૬૧૩માં રચ્યાં છે. નીતિરસાયન નામની કૃતિ શું આ શુભચન્દ્રસૂરિની કૃતિ છે ? ૧. આ પાઈયમાં રચાયેલી કૃતિ છે. એ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૭૭, ૧૧૭ અને ૫૪ પદ્યો
છે. એ બાર અંગોના વિષય ઉપર પ્રકાશ પાડે છે. આ પાઇય કૃતિ મ. દિ. ગ્રં.માં ગ્રંથાંક ૨૧ તરીકે વિ.
સં. ૧૯૭૯માં પ્રસિદ્ધ કરાયેલી છે. ૨. જિ. ૨. કો. માં આની નોંધ નથી. ત્યાં તો કીર્તિચન્દ્રની ૧૦૦ શ્લોક જેવડી અને આ નામની કૃતિની નોંધ
૩. આની રચના વિ. સં. ૧૫૯૬માં થયેલી છે. ૪. આને કેટલાક સિદ્ધચક્ર-કથા કહે છે. ૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૩૩)માં આનો “પુરાણ' તરીકે નિર્દેશ છે. અહીં એનું પરિમાણ ૨૫૦૫ શ્લોક
જેવડું કહ્યું છે. ૬. આ શ્વેતાંબરોની સ્ત્રીની મુક્તિ જેવી માન્યતાના ખંડનરૂપ કૃતિ છે. ભ. રત્નભૂષણે સંશય-વચન-વિચ્છેદ
નામની એક કૃતિ સંસ્કૃતમાં રચી છે. ૭. આ નામની એકેક કૃતિ દિ. ચન્દ્રકીર્તિએ તેમજ દિ. રત્નનંદિએ રચી છે. ૮. આમાં ૧૨૩૪ વ્રતોના ઉદ્યાપનની હકીકત છે. ૯. આ નામની એકેક કૃતિ દિ, અનંતકીર્તિએ, દિ. દેવેન્દ્રકીર્તિએ અને દિ. વૃષભનાથે રચી છે. ૧૦.દિ. શ્રતસાગરે તેમજ દિ. સકલકીર્તિએ પણ આ નામની એકેક કૃતિ રચી છે. ૧૧. ભવશર્માએ આ નામની એક કૃતિ રચી છે. ૧૨. દિ. આશાધરે તેમજ દિ. પ્રભાચન્દ્ર આ નામની એકેક કૃતિ રચી છે. ૧૩. શુભચન્દ્રસૂરિએ અનેક સ્તોત્રો રચ્યાં છે. એ ઉપરથી આ નામ મેં યોજયું છે. ૧૪. આ કૃતિ સકલભૂષણની સહાયતાપૂર્વક રચાયેલી છે. ૧૫. આમાં દિ, નેમિચન્દ્રકૃત દવ્યસંગહ ઉપરની બ્રહ્મદેવે રચેલી ટીકામાંથી અનેક અવતરણો અપાયાં છે.
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
આ ચિન્તામણિ વ્યાકરણ વિવિધ પ્રકારની પાઇય ભાષાને લગતું છે. એમાં ૧૨૨૪ સૂત્રો છે. એ ચચ્ચાર પાદવાળા ત્રણ અધ્યાયમાં રજૂ કરાયાં છે. આ વ્યાકરણનો ઉલ્લેખ ઉપર્યુક્ત પાંડવપુરાણની પ્રશસ્તિમાં છે. આ વ્યાકરણ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ છે. આ વ્યાકરણને અંગે ડૉ. એ. એન. ઉપાધે એ એક લેખ લખ્યો છે અને એ દ્વારા એમાં અપાયેલી બાબતોનું નિરૂપણ કર્યું છે.
ચિન્તામણિની ટીકા-આ ટીકા ચિન્તામણિમાંના વિષમ ઉદાહરણોની સિદ્ધિને માટે રચાઈ છે. એના કર્તા સમતભદ્ર છે એમ કન્નડપ્રાન્તીય તાડપત્રીય ગ્રન્થસૂચી (પૃ. ૨૮૯)માં ઉલ્લેખ છે. વિશેષમાં આ પૃષ્ઠ ઉપર આ ટીકાની “કન્નડ’ લિપિમાં લખાયેલી ૫૦ પત્રની હાથપોથીની નોંધ છે. એમાં પત્રદીઠ દોઢ સો દોઢ સો અક્ષરવાળી સાત સાત પંક્તિ છે. આ હાથપોથીમાંની કૃતિ અપૂર્ણ છે. એવી રીતે પૃ. ૧૦૭માં નોંધાયેલી હાથપોથીમાં પણ અપૂર્ણ કૃતિ છે. એ પૃષ્ઠ ઉપર નીચે મુજબનું પ્રારંભિક પદ્ય અપાયું છે –
"जिनचिन्तामणिमीशं नत्वा चिन्तामणेः स्फुटां टीकाम् ।
विषमोदाहृतिसिद्ध्यै कुर्वे शक्त्या समन्तभद्रोऽहम् ॥" અહીં જે ચિન્તામણિનો ઉલ્લેખ છે તે શું દિ. શુભચન્દ્રસૂરિકૃત વ્યાકરણ હશે?
મત્રવ્યાકરણ–આ વ્યાકરણનો ગ્રંથ છે, એના કર્તા સમતભદ્ર છે અને એની છપ્પન છપ્પન અક્ષરની પાંચ પાંચ પંક્તિવાળાં સોળ પત્રની એક હાથપોથી “કન્નડ' લિપિમાં લખાયાનો ઉલ્લેખ ક. તા.
ગ્રં. (પૃ.૨૨૩)માં કરાયો છે. શું આ સમંતભદ્ર ચિન્તામણિની ટીકા રચી છે? P ૪૭ શબ્દ-ભૂષણ (લ. વિ. સં. ૧૭૭૦)- આના કર્તા દાનવિજય છે. એઓ ‘તપા' ગચ્છના
વિજયરાજસૂરિના શિષ્ય થાય છે. એમણે પોતાના શિષ્ય દર્શનવિજય માટે પક્ઝોસવણાકપ્પ ઉપર દાનદીપિકા નામની વૃત્તિ વિ. સં. ૧૭૫૦માં રચી છે. એમની આ શબ્દ-ભૂષણ નામની કૃતિ એ પદ્યમાં રચાયેલું વ્યાકરણ છે. એ ૩૦૦ શ્લોક જેવડું છે અને એ વિ. સં. ૧૭૭૦ની આસપાસમાં, ગુર્જરધરામાં પ્રખ્યાત શેખ ફત્તેના પુત્ર બડેમિયાંને માટે રચાયું છે. શું એ સિ. હે.નું રૂપાંતર છે ? 9. gal ABORI (Vol. XIII, pp. 46-52) ૨. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયેલું છે. એમાં મૂડીબદ્રીના કેટલાક ભંડારની, કારકલના જૈન મઠની, અલિયૂરના આદિનાથ-ગ્રન્થભંડારની તેમજ કન્નડ પ્રાન્તમાંના કેટલાક અન્ય સામાન્ય ભંડારોની કન્નડ લિપિમાં લખાયેલી અને સંસ્કૃત, પાઇય અને કન્નડ ભાષામાં રચાયેલા ગ્રન્થોની ૩૫૬૮ તાડપત્રીય અને થોડીક કાગળ ઉપરની હાથપોથીઓની વિષયદીઠ સૂચી અપાઈ છે. એની હિન્દી પ્રસ્તાવનાનાં પૃ. ૧૫-૧૭માં જૈનોના સંસ્કૃત સાહિત્યની આછી રૂપરેખા આલેખાઈ છે અને પૃ. ૨૪-૨૮માં સંસ્કૃત, પાઇય અને કન્નડમાં રચાયેલા પરંતુ ઇ. સ. ૧૯૪૮ સુધી તો અપ્રકાશિત જણાતા એવા ગ્રન્થોનાં તેમજ એના પ્રણેતાનાં નામ વગેરે અપાયાં છે. એમાંથી આ ખંડ માટે ઉપર્યુક્ત ટીકા તેમજ બીજી કેટલીક કૃતિઓની મેં નોંધ લીધી છે, કેમકે એના ગ્રન્થકારોનાં નામ જોતાં તેઓ જૈન હોય એમ લાગે છે. આ ક. તા. ગ્ર. મખ્યતયા દિ. ગ્રન્થોને અંગે છે. ૩. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૨૯૮).
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ : વ્યાકરણ : પ્રિ. આ. ૪૬-૪૭]
૨૭
શબ્દાર્ણવવ્યાકરણ (લ. વિ. સં. ૧૬૮૦)- આ ખરતરગચ્છીય રત્નસાગરના શિષ્ય સહજકીર્તિગણિની ૧૭000 શ્લોક જેવડી કૃતિ છે. એમાં સંજ્ઞા વગેરે દસ અધિકાર છે. એ સહજકીર્તિએ નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે –
(૧) અનેકશાસ્ત્રસારસમુચ્ચય, (૨) એકાદિદશપર્યન્તશબ્દસાધનિકા, (૩) કલ્પમંજરી (વિ. સં. ૧૬૮૫), (૪) નામકોશ, (૫) પ્રીતિષત્રિંશિકા (વિ. સં. ૧૬૮૮), (૬) ફલવદ્ધિ-પાર્શ્વનાથ-મહાભ્યમહાકાવ્ય, (૭) મહાવીરસ્તુતિ (વિ. સં. ૧૬૮૬), (૮) જલોદ્રપુરીય-પાર્શ્વનાથ-સ્તુતિ (વિ.સં. ૧૬૮૩) અને (૯) સારસ્વતવૃત્તિ.
મનોરમા– આ સ્વોપજ્ઞવૃત્તિ છે.
શબ્દાર્ણવ - જૈ. ગ્રં. (પૃ. ૨૯૮) પ્રમાણે આ સહજકીર્તિની રચના છે. આ પૃષ્ઠ ઉપરના ટિપ્પણ પ્રમાણે આ કૃતિનું નામ સિદ્ધ-શબ્દાર્ણવ છે. અને એ ૧૩૦૦ શ્લોક જેવડું છે. અહીં આ કૃતિને વ્યાકરણ ગયું છે. પરંતુ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૮) પ્રમાણે તો આ છ પ્રકરણમાં વિભક્ત એવો કોશ છે અને એનું બીજું નામ ઋજુ-પ્રાજ્ઞ-વ્યાકરણ-પ્રક્રિયા છે. વિશેષમાં ઉપર્યુક્ત સહજકીર્તિને ખરતર’ ગચ્છના ઉપા. હેમનન્દનના શિષ્ય હોવાનું અહીં કહ્યું છે. સાથે સાથે આના ઉપર સ્વોપજ્ઞ ટીકા હોવાનો અહીં ઉલ્લેખ છે.
શબ્દાર્ણવવૃત્તિ સહજકીર્તિ ગણિએ રચેલી ૧૭000 શ્લોક પ્રમાણની સ્વોપજ્ઞ ટીકાની હાથપોથી ખંભાતસ્થિત વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં છે. જૈ. સા. બુ. ઈ. ભા. ૫. પૃ.૨૬ ]
પજૈનસિદ્ધાન્ત કૌમુદી (વિ. સં. ૧૯૮૧)-આના કર્તા “શતાવધાની' મુનિશ્રી રત્નચન્દ્રજી છે. એઓ “લોંકા' ગચ્છમાં અંતર્ગત “લીંબડી’ સંપ્રદાયના શ્રીગુલાબચન્દ્રજીના શિષ્ય થાય છે. એમણે આ વ્યાકરણ ચચ્ચાર પાદવાળા ચાર અધ્યાયમાં વિભક્ત કર્યું છે. એ સોળ પાદની સૂત્રસંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે :- ૪૬, ૩૨, ૧૦૦, ૧૪૫, ૯૪, ૪૦, ૫૧, ૧૦૭, ૧૮૫, ૭૧, ૬૯, ૪૦, ૮૬, ૫૧, ૬૫ અને ૧૧૯. આ ૧૩૦૧ સૂત્રોને તેમજ એના ઉપરના સ્વપજ્ઞ વાર્તિકને પ્રક્રિયા ક્રમે રજૂ કરી એનું કર્તાએ જાતે રચેલું વિવરણ અપાયું છે. એ સમગ્ર રચનાને જૈનસિદ્ધાન્તકૌમુદી નામ અપાયું છે. એના પૂર્વાર્ધમાં નિમ્નલિખિત નામવાળાં પ્રકરણો અનુક્રમે અપાયાં છે
સંજ્ઞા પરિભાષા, સ્વરસન્ધિ, વ્યંજનસબ્ધિ, સ્વરવિકાર, વ્યંજનવિકાર, વિભક્તિ, અવ્યય, સ્ત્રી પ્રત્યય કારક, સમાસ અને તદ્ધિત. ઉત્તરાર્ધમાં આખ્યાત-પ્રક્રિયા અને કૃદન્ત-પ્રક્રિયાનું નિરૂપણ છે.
૧. આમાં શ્રીસાર નામના એમના ગુરુભાઈનો પણ હિસ્સો છે. આમ આ દિકર્તૃક રચના છે. એ પોસવણાકપની
વૃત્તિ છે. ૨. આ કૃતિ લિંગનિર્ણયની સાથે છ કાંડમાં રચાઈ છે. આ બાબત પૃ. ૧૨૧માં ઉમેરવી. ૩. આમાં ૨૪ સર્ગ છે. [આમાં 300 વિવિધ છંદમય શ્લોકો છે. આની હસ્ત લિખિત પ્રત લા. દ. વિ. માં છે.] ૪. આ “શતદલકમલ'થી અલંકૃત છે. ૫. આ કૃતિ ભૈરવદાને અને જયેષ્ઠમલે પોતાના બિકાનેરના મુદ્રણાલયમાં છાપી ઇ. સ. ૧૯૨૫માં પ્રસિદ્ધ કરી
છે. એમા અંતમાં સૂત્રપાઠ, વાર્તિક, ધાતુપાઠ તેમજ સૂત્રોની અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે.
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
ગણદર્પણ (લ. વિ. સં. ૧૨૨૫) - આ વ્યાકરણના કર્તા તરીકે પરમાત' કુમારપાલ ભૂપાલનો ઉલ્લેખ એની એક હાથપોથીમાં કરાયો છે. એમનો જન્મ વિ. સં. ૧૧૪૯માં થયો હતો. એમણે વિ. સં. ૧૧૯૯થી ૧૨૩૦ સુધી ગુજરાત ઉપર રાજ્ય કર્યું હતું. એમણે વિ. સં. ૧૨૧૬માં જૈન ધર્મ સ્વીકાર્યો હતો. વિ. સં. ૧૨૩૦માં એમનું અવસાન થયું હતું. એમણે “નશ્રાવિતાવડુત''થી શરૂ થતું સાધારણજિનસ્તવન રચ્યું છે.
ગણદર્પણ એ ચચ્ચાર પાદવાળા ત્રણ અધ્યાય પૂરતી તો પદ્યાત્મક કૃતિ છે. એ પાણિનીય ગણપાઠના સ્પષ્ટીકરણરૂપ છે. એ ૯૦૦ શ્લોક જેટલા પરિમાણવાળી કૃતિ પ્રતિહાર ભોજદેવ અને દંડનાયક વોરિ માટે યોજાઈ હતી. પ્રા. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાએ આ ગણદર્પણને અંગે એક લેખ લખ્યો છે. એનું નામ નીચે મુજબ છે :
"The 'Ganadarpana' a work on Sanskrit grammar ascribed to King Kumarapala (1143-1174 A. D.) of Gujarat"
નૂતન વ્યાકરણ (લ. વિ. સં. ૧૪૪૦)-આના કર્તા “કૃષ્ણર્ષિ' ગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિ છે. એમણે કુમારપાલચરિત્ર રચ્યું છે તેમજ ભાસર્વજ્ઞકૃત ન્યાયસાર ઉપર ન્યાયતાત્પર્યદીપિકા નામની વૃત્તિ રચી છે. વળી એમણે "સારંગ પંડિતને વાદમાં હરાવ્યો હતો. આ બાબતનો તેમજ ઉપર્યુક્ત વ્યાકરણના પ્રણેતા તરીકેનો ઉલ્લેખ આ જયસિંહસૂરિના શિષ્ય નયચન્દ્રસૂરિએ હમ્મીરમહાકાવ્ય (સ. ૧૪, શ્લો. ૨૩-૨૪)માં કર્યો છે.
પ્રસ્તુત વ્યાકરણ સિ. હે.ના આધારે યોજાયું છે કે એ સ્વતંત્ર કૃતિ છે તે જાણવું બાકી રહે છે એટલું જ નહિ પણ આનું નામ પણ જાણવામાં નથી. પ્રયોગમુખવ્યાકરણ– આ અજ્ઞાતકર્તુક કૃતિની ૩૪ પત્રની એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે.
ઔક્તિક “મુગ્ધાવબોધ ઔક્તિક (વિ. સં. ૧૪૫૦)- આના કર્તા દેવસુંદરસૂરિના શિષ્ય કુલમંડનસૂરિ છે. એમનો જન્મ વિ. સં. ૧૪૦૯માં થયો હતો. વિ. સં. ૧૪૧૭માં દીક્ષા લઈ વિ. સં. ૧૪૪૨માં સૂરિ બનનારા ૧. આ હાથપોથી શકસંવત્ ૧૩૮૩માં લખાયેલી છે. એમાં પહેલાં બે પત્ર નથી. એ હાથપોથી જોધપુરના
જ્ઞાનભંડારમાં છે. [શ્રી. વિનયસાગરના સૌજન્યથી કેશરિયાજી ભંડારની પ્રતની ઝેરોક્ષ અમને મળી છે.] ૨. આ સ્તવન જૈન સ્તોત્ર સંગ્રહ (ભા. ૧, પૃ. ૧૯-૨૨)માં પ્રસિદ્ધ કરાયું છે. ૩. આ લેખ “મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય”ના સામયિકના ઈ. સ. ૧૯૫૩ના માર્ચના અંકમાં છપાયો
છે. એને આધારે મેં ગણદર્પણ વિષે આ સંક્ષિપ્ત નોંધ લીધી છે. ૪. આ વિ. સં. ૧૪૪૦ની આસપાસમાં રચાયું છે. ૫. આ સારંગ તે ‘શાકંભર'ના રાજા હમ્મીરરાજનો પંડિત હશે કે જેણે શાર્ગધરપદ્ધતિ રચી છે અને જેની એક
હાથપોથી વિ. સં. ૧૪૧૯માં લખાયેલી મળે છે. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૦). ૬. સ્વ. હરિલાલ હર્ષદ ધ્રુવે “મુગ્ધાવબોધમૌક્તિક”ના નામથી આ કૃતિ સંપાદિત કરી છે અને એ સને ૧૮૮૯માં
સ્વીડનમાં ભરાયેલી “ઑરિયેન્ટલ કૉન્ફરન્સ' દ્વારા પ્રકાશિત થયેલી છે.
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૪૮-૫૦]
૨૮
એઓ વિ. સં. ૧૪૫૫માં સ્વર્ગ સંચર્યા. એમણે વિ. સં. ૧૪૪૩માં વિચારામૃતસંગ્રહ અને કોઇક સમયે P ૪૮ સિદ્ધાંતાલાપકોદ્ધાર રચ્યાં છે. એમણે કેટલાક સ્તવ રચ્યા છે. જેમકે કાયઠિઈથોત્ત, “વિશ્વશ્રીદ્ધ' થી શરૂ થતો અને અષ્ટાદશચિત્રચક્રથી વિભૂષિત વીરસ્તવ અને “ગરીયા''થી શરૂ થતો પંચજિનહારબંધ-સ્તવ. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર અવચૂર્ણિ (અવચૂરિ) રચી છે :
પસવણાકપ્પ, પડિક્કમણસુત્ત અને પ્રણવણાતઈયાયસંગહણી.
ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાના વ્યાકરણનું શિક્ષણ આપવા માટે કેટલાક પ્રયાસ થયા છે. દા ત. શ્રીમાલ ઠક્કર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે આ જાતનો પ્રયાસ કર્યો છે એમ કાતંત્ર વ્યાકરણનો બોધ કરાવવા માટે એમણે વિ. સં. ૧૩૩૬માં રચેલી બાલશિક્ષા જોતાં જણાય છે. આના પછીના બીજા P ૪૯ પ્રયાસનું ફળ તે પ્રસ્તુત કુલમંડનસૂરિએ વિ.સં. ૧૪૫૦માં રચેલું મુગ્ધાવબોધ ઔક્તિક છે. આ કંઈ ગુજરાતી ભાષાનું વ્યાકરણ નથી પરંતુ વિક્રમની પંદરમી સદીની જૂની ગુજરાતીમાં લખાયેલી સમજુતી પૂર્વકનું સંસ્કૃત ભાષાનું પ્રાથમિક વ્યાકરણ છે. આનો પરિચય સ્વ કે. હ. ધ્રુવે સાહિત્ય અને વિવેચન નામના એમના લેખસંગ્રહમાં નીચે મુજબ આપ્યો છે :
“ઔકિતકનાં છેલ્લાં છ પ્રકરણ કેવળ સંસ્કૃતમાં છે. પહેલાં, બીજા અને સાતમા આઠમા પ્રકરણમાં સૂત્ર અને કારિકા સંસ્કૃતમાં છે, અને વિવેચન પ્રાકૃતમાં છે. ત્રીજું, ચોથે, પાંચમું, છઠું અને નવમું એ પાંચ પ્રકરણો તો કેવળ પ્રાકૃતમાં છે. આ રીતે નિબંધનો અર્ધ ઉપરાંત ભાગ પ્રાકૃતમાં એટલે જૂની ગુજરાતીમાં લખાયેલો છે.”
નામની વિભક્તિ આદિનાં ઉદાહરણમાં સર્વજિનસાધારણસ્તોત્ર આપ્યું છે. તે તો જયાનંદનું છે.'- પૃ. ૫૫ ૧. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૨)માં આની વિચારસંગ્રહ તરીકે નોંધ છે. અને એના જ નામાંતર તરીકે
સિદ્ધાન્તાલાપકોદ્વારનો ઉલ્લેખ છે તો શું આ બે ભિન્ન કૃતિ નથી ? ૨. આ ચોવીસ પદ્યની કૃતિ એક અવચૂરિ સહિત જૈ. આ. સ. તરફથી વિ. સં. ૧૯૬૮માં પ્રકાશિત કરાઈ છે.
એમાં તો મૂળ કૃતિના કર્તા તરીકે કુલમંડનસૂરિનો ઉલ્લેખ છે. આ અવસૂરિની વિ. સં. ૧૫૩૭માં લખાયેલી હાથપોથી મળે છે. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૩)માં તો મૂળ કૃતિનાં કર્તા તરીકે કુલમંડનસૂરિનો ઉલ્લેખ નથી,
પરંતુ એના ઉપર એક અવચૂરિ રચનાર તરીકે છે. ૩. આ સ્તવ જૈન સ્તોત્ર સમુચ્ચય (પ્ર. ૮૭-૯૧)માં છપાયો છે. ૪. આ ‘ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા” તરફથી પ્રકાશિત પયરણસંદોહના અંતમાં છપાયેલો છે.
ILDના બીજા હપ્તામાં (ARTS NO. 30 JUB)માં પૃ.૧૧૪-૧૧૬માં આ સ્તવ છપાયો છે. પ-૬. જુઓ જૈ૦ સા. સં. ઈ. પૃ. ૪૪૩). અહીં પષ્ણવણા-સંગહણીને બદલે પ્રજ્ઞાપના સૂત્રનો ઉલ્લેખ છે તો
શું એ ભ્રાન્ત નથી ? ૭. જૈ. સા. સં. ઈ (પૃ. ૪૨૧)માં કહ્યું છે કે “કર્તા જૈનેતર લાગે છે. ૮. આને અંગેનો પં. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીનો લેખ નામે “બાલશિક્ષા (પ્રાચીન ગુજરાતી સંસ્કૃત વ્યાકરણ)”
પુરાતત્ત્વ (પુ. ૩, અં. ૧, પૃ. ૪૦-૫૩)માં છપાયો છે. એમાં ક્રસિંહને બદલે “કૂરસિંહ' છે. ૯. બાલશિક્ષા નામનું એક વ્યાકરણ ભક્તિલાભે રચ્યું છે. ૧૦. આ લેખસંગ્રહ (ભા. ૨, પૃ. ૫૧-૭૮)માં સ્વ. કે. હ. ધ્રુવના ઈ.સ. ૧૮૮૮માં “ગુજરાતી શાળાપત્ર''માં
છપાયેલા “મુગ્ધાવબોધ ઔક્તિક” નામના લેખને સ્થાન અપાયું છે. આ ભાગમાં એમના બીજા પણ લેખો છે. આ ભાગ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (હવે ગુજરાત વિદ્યાસભા) તરફથી ઈ.સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરાયો છે.
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૩O
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
સંસ્કૃત ઉક્તિ એટલે બોલવાની રીત વિષે, મુગ્ધાવબોધ ઔક્તિકમાં નિયમો આપ્યા છે એથી અથવા તો પાધરી અને વાંકુડી યાને કર્તા, કર્મ અને ભાવિ ઉક્તિનું એમાં મુખ્યત્વે વિવેચન કરાયું છે. એથી એને ઓક્તિક નામ અપાયું છે. આ સંસ્કૃત ભાષાના વ્યાકરણને લગતો નાનો સરખો નિબંધ છે. કેવળ સંસ્કૃત દ્વારા જે મુગ્ધ જનોને વ્યાકરણ શીખવું અઘરું પડે તેને માટે ખાસ કરીને આમાં ઠેકાણે ઠેકાણે જૂની ગુજરાતીમાં સમજુતી અપાઈ છે. વ્યાકરણના સંપ્રદાય પ્રમાણે ઉક્તિઓનો પ્રાકૃતમાં સંગ્રહ’ કરવાનો પોતાનો વિચાર છે એમ કહી ગ્રંથકાર આ ગ્રંથ શરૂ કરે છે.”
મુગ્ધાવબોધ ઔક્તિકમાં વિભક્તિ-વિચાર, કૃદંત-વિચાર, ઉક્તિ-ભેદ અને શબ્દ-સંગ્રહ જે આવે છે તેટલા પૂરતો વિભાગ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (પૃ. ૧૭-૧૮૦)માં છપાયો છે. આની પછી P ૫૦ “ગૌપિરિ" એવા શીર્ષકપૂર્વક જે લખાણ પૃ. ૧૮૧-૨૦૪માં અપાયું છે અને જેના અંતમાં
બૌષ્ટ્રિપતિ સમાન' એવો ઉલ્લેખ છે તે મુગ્ધાવબોધ ઔક્તિકથી ભિન્ન કોઈ કૃતિ હોય એમ મને લાગે છે. આ સંબંધમાં છેવટનો નિર્ણય કરવાનું સુગમ સાધન આનું મુદ્રિત પુસ્તક છે, પણ હજી સુધી એ મને કોઈ સ્થળેથી જોવા મળ્યું નથી.
પ્રસ્તુત ઔક્તિકના સ્વરૂપ પરત્વેની ગેરસમજની તેમજ એની કેટલીક હાથપોથીઓની નોંધ મેં “મુગ્ધાવબોધ ઔક્તિક” નામના મારા લેખમાં લીધી છે. આ ઔક્તિકની મુદ્રણાલય-પુસ્તિકા મેં કેટલીક હાથપોથીને આધારે વર્ષો થયાં તૈયાર કરી છે પણ પ્રકાશકના અભાવે એ છપાવી શકાઈ નથી.
વાક્યપ્રકાશ (વિ. સં. ૧૫૦૭) - આ ઔક્તિક “બૃહત્ તપા' ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્યાણુ ઉદયધર્મ વિ. સં. ૧૫૦૭માં “સિદ્ધપુર નગરમાં રચ્યું છે. એમણે ‘દ્વત્રિશદલકમલ' રૂપ બંધથી
વિભૂષિત અને “સત્રમત્રવર્ગન' થી શરૂ થતું ૧૮ પદ્યનું “મહાવીર સ્તવન પણ રચ્યું છે. એમના આ P ૫૧ વાક્યપ્રકાશમાં ૧૨૮ પદ્યો છે. આ રચના પ્રાથમિક સ્મૃતિના કારણે કરાઈ છે. એનો ઉદેશ ગુજરાતી દ્વારા
સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શિખવવાનો છે. આથી તો અહીં કેટલાંક પદ્યોમાં ગુજરાતીમાં લખાણ છે અને એની સાથે સાથે સંસ્કૃતમાં એનો અનુવાદ છે. આ કૃતિનો પ્રારંભ ઉક્તિના “પ્રાધ્વર” અને “વક્ર' એ બે પ્રકારો અને એના ઉપપ્રકારોથી કરાયો છે. આગળ જતાં કર્તરિ અને કર્મણિના પ્રત્યયો ગણાવાયા છે અને એનાં ઉદાહરણ અપાયાં છે. (શ્લો. ૨ અને ૨૮માં “સકર્મક' એ અર્થમાં “સાપ્ય’ શબ્દ વપરાયો છે). ત્યાર બાદ ગણજ, નામ અને સૌત્ર (કવાદિ) એમ ધાતુના ત્રણ પ્રકાર દર્શાવી એનું સ્વરૂપ સમજાવાયું છે. પરસ્મપદી' વગેરે એમ પણ ધાતુના ત્રણ ભેદ પડાયા છે. ત્યાર બાદ વર્તમાના” વગેરે દસ વિભક્તિ, તદ્ધિત-પ્રત્યયો અને સમાસની સમજણ અપાઈ છે. ૧. આ લેખ “સિદ્ધચક્ર” (વ. ૧૨, અં. ૧૧)માં છપાયો છે. ૨. આ કૃતિ કોઇકની ટીકા સહિત મહેસાણાની “યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા” તરફથી ઇ. સ. ૧૯૧૩માં પ્રકાશિત સ્તોત્રરત્નાકર (ભા.૧)ના અંતમાં છપાયેલી છે. આ ટીકાનો પ્રારંભ “શ્રીમગિનેમાનગ''થી
કરાયો છે. મૂળ કૃતિની વિ. સં. ૧૫૦૭માં લખાયેલી એક હાથપોથી મળે છે. ૩. જુઓ શ્લો. ૧૨૭ તેમજ એની ઉપર્યુક્ત ટીકાનું આદ્ય પદ્ય. ૪. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૧૪) પ. આ સ્તવન જૈન સ્તોત્ર સમુચ્ચય (પૃ. ૨૬૫-૨૬૬)માં છપાયું છે અને એને અંગેનું ચિત્ર અંતમાં અપાયું છે.
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ : વ્યાકરણ : [પ્ર. આ. ૫૦-૫૩]
આ જાતના ઔક્તિકોમાં ઉપર્યુક્ત બાલશિક્ષા અને કુલમંડન-સૂરિકૃત મુગ્ધાવબોધ ઔક્તિક એ બે કૃતિઓ ખાસ નોંધપાત્ર ગણાય છે. આ પ્રકારનાં વ્યાકરણો ભાષાના ઇતિહાસની સીમાનાં ચિહ્ન પૂરાં
પાડે છે.
પ્રસ્તુત કૃતિ ઉપર નીચે મુજબની ટીકાઓ છે :
(૧) ટીકા - આના કર્તા સોમવિમલના શિષ્ય હર્ષકુલ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪૬)માં ઉલ્લેખ છે. જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૧૯) પ્રમાણે હેમવિમલસૂરિના શિષ્ય જે હર્ષકુલગણિએ સૂયગડ ઉપર વિ. સં. ૧૫૮૩માં દીપિકા રચી છે અને જેઓ બંધહેતૂદયત્રિભંગીના કર્તા છે તેમણે હેમવિમલસૂરિના રાજ્યમાં આ વાક્યપ્રકાશ ઉપર ટીકા રચી છે.
(૨) ટીકા- આ વાચક કીર્તિવિજયના શિષ્ય જિનવિજયની વિ. સં. ૧૬૯૪ની રચના છે. (૩) ટીકા- જૈન ગ્રન્થાવલી (પૃ. ૩૦૭) પ્રમાણે આ રત્નસૂરિની કૃતિ છે.
(૪) ટીકા- આ અજ્ઞાતકર્તૃક રચનાનો પ્રારંભ ‘‘શ્રીમઝિનેન્દ્રમાનમ્ય'' થી થાય છે. (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.
૩૧
અન્ય ઔક્તિકો-સોમપ્રભસૂરિએ ૪૧૫ શ્લોક જેવડું એક ઔક્તિક રચ્યું છે. વળી જિનચન્દ્ર તેમજ અન્ય કોઈએ એકેક ઔક્તિક રચ્યું છે.
"The Auktikas are a sort of Prakrta into Sanskrit Dictionaties." અર્થાત્ ઔક્તિકો એ એક જાતના પ્રાકૃત-સંસ્કૃત કોશો છે.
આંશિક વ્યાકરણ
ઉપસર્ગ-મંડન (વિ.સં. ૧૪૯૨) આના કર્તા જૈન ગૃહસ્થ મંત્રી મંડન છે. એઓ ઝાંઝણ સંઘવીના છ પુત્રોમાંના બીજા પુત્ર બાહડના નાના પુત્ર થાય છે. એમના મોટા ભાઈનું નામ સમુદ્ર (સમધ૨) છે. એમની પેઠે એમના કાકા દેહડના પુત્ર ધન્યરાજ, ધનરાજ ઉર્ફે ધનદ પણ વિદ્વાન અને ધનિક હતા. મંડને ‘ભૂષણ’ અર્થવાચક ‘મંડન’ શબ્દથી અલંકૃત નીચે મુજબની આઠ કૃતિઓ રચી એ દ્વારા પોતાના નામને P ૫૩ એ સાથે જોડ્યું છે :
૧. શું વિનયવિજયગણિએ હૈમલઘુપ્રક્રિયાની સ્વોપજ્ઞ બૃહદ્વૃત્તિમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે ? ૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૫૦
૩. આ ઔક્તિકનો પરિચય આપતાં જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૩)માં કૌસમાં "grammar" એટલે કે વ્યાકરણ એવો ઉલ્લેખ છે. તેમ છતાં અહીં ઔક્તિકોને અંગે નીચે મુજબ લખાણ છે તો એ વિચારણીય જણાય છે :
૪. આ છ યે પુત્રો આલમશાહ (હોશંગ ધોરી)ના સચિવો હતા. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૮૦)માં કહ્યું છે કે આ આલમશાહ તે ‘“દિલાવરખાનનો પુત્ર અલ્પખાં (વિ.સં. ૧૪૬૧-૧૪૮૬) અને પછી થયેલ હોશંગ ઘોરી.’
૫. આ ધનદે શૃંગાર-ધનદ, નીતિ-ધનદ અને વૈરાગ્ય-ધનદ એમ ત્રણ શતકો રચી એમાં પોતાનું નામ જોડ્યું છે.
For Personal & Private Use Only
P પર
Page #115
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
(૧) 'અલંકાર-મંડન, (૨) ઉપસર્ગ-મંડન, (૩) કાદંબરી-મંડન, (૪) કાવ્ય-મંડન, (૫) ચંપૂ મંડન, (૬) શૃંગાર-મંડન, (૭) સંગીત-મંડન અને (૮) સારસ્વત-મંડન.
આ ઉપરાંત એમણે કવિ-કલ્પદ્રુમ-સ્કંધ અને ચન્દ્રવિજય એ બે કૃતિઓ પણ રચી છે. એમનું ચરિત્ર મહેશ્વર નામના કવિએ રચ્યું છે, અને એનું નામ 'કાવ્યમનોહર રાખ્યું છે.
ઉપસર્ગખંડન નામની આ કૃતિના નામમાં કર્તાનું નામ છે અને સાથે સાથે એ જે વિષયની છે તેનું પણ નામ છે, પરંતુ “ઉપસર્ગ શબ્દ અનેકાર્થી છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને સંગમે જે પ્રતિકૂળ તેમજ સાનુકૂળ ઉપદ્રવો કર્યા હતા તે તેમજ દેવ કે મનુષ્ય તરફથી કેટલાક જૈન મુનિવરોને જે કનડગત કરાઈ હતી તે “ઉપસર્ગ' તરીકે સુપ્રસિદ્ધ છે. ઉપસર્ગના આ અર્થ ઉપરાંત એનો બીજો અર્થ ધાતુઓ કે ધાતુ ઉપરથી બનાવાયેલા નામાદિની આગળ જોડાતો અને એના મૂળ અર્થમાં પ્રાયઃ વિશેષતા લાવતો શબ્દ કે
અવ્યય એ છે. આથી અહીં ગ્રંથનું નામ વિચારતાં એ પ્રશ્ન ઉદ્ભવે કે એમાં પ્રથમ અર્થવાચક ઉપસર્ગનું P ૫૪ નિરૂપણ છે કે દ્વિતીય અર્થવાચક ઉપસર્ગનું? જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૪) પ્રમાણે એ વ્યાકરણના એક
અંશરૂપ એવા દ્વિતીય અર્થનો દ્યોતક છે. આ હિસાબે આ કૃતિમાં અધિ, અનુ, અપ, અભિ, અવ, ઉપ, પર, પ્ર, સમ્ વગેરે ઉપસર્ગોનું નિરૂપણ હશે એમ કહી શકાય. આ નિરૂપણમાં સિ. હે.ની કે એની કોઈ સ્વપજ્ઞ વૃત્તિની છાયા હોય તો આ કૃતિને આના પછીના પ્રકરણમાં સ્થાન અપાવું ઘટે.
ધાતુમંજરી (લ. વિ. સં. ૧૬૫૦) - આ ૧૨૦૦ શ્લોકની કૃતિ સિદ્ધિચન્દ્રગણિએ રચી છે. આ પાણિનીય જેવા અજૈન સંસ્કૃત ધાતુપાઠને લગતી સંસ્કૃત કૃતિ નહિ હશે એમ માની એની મેં અહીં નોંધ લીધી છે. બાકી એની એક હાથપોથી જે લીંબડીના ભંડારમાં છે એ જોવા મળે આ કૃતિનો વાસ્તવિક અને પરિપૂર્ણ પરિચય હું આપી શકું. એથી અત્યારે તો આ ગણિનો પરિચય આપું છું. આ ગણિ ભાનુચન્દ્રમણિના શિષ્ય થાય છે. એઓ "શતાવધાની યાને સો અવધાન કરનાર તરીકે પ્રખ્યાત છે. એમને અકબર બાદશાહે “ખુષુહમ્”ની પદવી આપી હતી. એમણે એમના ગુરુનું ચરિત્ર સંસ્કૃતમાં રચ્યું છે. વૃદ્ધ-પ્રસ્તાવોક્તિ-રત્નાકર એ એમની રચના છે.
૧. આ કૃતિ પાટણની “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી ૧૧મા ગ્રંથાક તરીકે છપાઈ છે. ૨. ઉપર્યુક્ત સભા તરફથી આ આઠ કૃતિઓ પૈકી બીજી, સાતમી અને આઠમી એ ત્રણ સિવાયની બધી છપાવાઈ
છે. કાવ્ય-મંડન અને શૃંગાર-મંડન એ બે કૃતિ આ સર્ભ તરફથી વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ૩. આ નામે આની નોંધ જિ. ૨. કો.માં નથી પરંતુ જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૮૪) પ્રમાણે Catalogue
Catalogorum માં આની નોંધ છે. ૪. આ કાવ્ય પાટણની “હે. સ” તરફથી પ્રકાશિત થયેલું છે. એની વિ. સં. ૧૫૦૪માં લખાયેલી હાથપોથી મળે છે. ૫. ભક્તામર સ્તોત્રની જે વૃત્તિ આ સિદ્ધિચન્દ્રમણિએ રચી છે તેમાં પ્રારંભમાં સોના અને અંતમાં ૧૦૮નો ઉલ્લેખ છે. ૬. આ ચરિત્ર ભાનુચન્દ્રમણિચરિત એ નામથી “સિંધી જૈન ગ્રંથમાલા”માં ઇ.સ. ૧૯૪૧માં છપાયું છે. ૭. કાદંબરી-ઉદ્ધાર યાને સંક્ષિપ્તકાદંબરીકથાનક એ એમની ગુજરાતી કૃતિ છે. આ કૃતિ પ્રાસ્તાવિક કથનપૂર્વક જિનવિજયજીએ (હવે ગૃહસ્થ) સંપાદિત કરી છે અને એ “પુરાતત્ત્વ” (પુ. ૫, અં. ૪, પૃ. ૨૪૧-૨૫૬)માં વિ. સં. ૧૯૮૩માં છપાઈ છે.
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૫૩-૫૭]
૩૩
એમણે નીચે મુજબની કૃતિઓની વૃત્તિ રચી છે -
(૧) (હૈમ) અનેકાર્થ નામમાલા, (૨) કાદંબરી (ઉત્તરાર્ધ), (૩) ભક્તામર-સ્તોત્ર, (૪) P ૫૫ વાસવદત્તા, (૫) શોભન-સ્તુતિ અને (૬) સપ્તસ્મરણ. શું ભક્તામર સ્તોત્ર આ સપ્તસ્મરણમાં આવી જાય છે? સૂિર્યસહસ્ત્રનામ, સ્વોપજ્ઞટીકા સાથે આનું સંપાદન આ. ધુરંધરસૂરિ મ. સા. કરી રહ્યા છે. ]
"મિશ્રલિંગકોશ, મિશ્રલિંગનિર્ણય કિંવા લિંગાનુશાસન (લ. વિ. સં. ૧૭૦)) - આના કર્તા કલ્યાણસાગર છે. એઓ “અંચલ ગચ્છના ધર્મમૂર્તિના શિષ્ય થાય છે. એમણે પોતાના શિષ્ય વિનીતસાગર માટે આ કોશ રચી, એક કરતાં વધારે લિંગનાં એટલે કે જાતિનાં નામોની સૂચી પૂરી પાડી છે. [આમાં ૬કાંડ અને ૧૫૪૨ શ્લોકમાં ૧૩000 શબ્દો છે. “લિંગનિર્ણય” નામથી મહા. વિનયસાગર સંશોધિત આ કૃતિ આ. કલાપ્રભસાગરસૂરિ દ્વારા સંપાદિત થઈ “આર્યજયકલ્યાણકેંદ્ર” મુંબઈથી વિ.સં. ૨૦૩૭માં પ્રસિદ્ધ થઈ છે. પરિશિષ્ટમાં શબ્દોની અકારાદિસૂચી અભિ ચિ.ના સ્થળ નિર્દેશ અને ગુજ: અનુવાદપૂર્વક આપી છે.]
ઉણાદિપ્રત્યય- આની હાથપોથી દિના ભંડારમાં જોવાય છે. એ હિસાબે એ દિ. કૃતિ હશે. એના કર્તા વસુનંદિ છે. એમણે આ કૃતિ ઉપર સ્વપજ્ઞ ટીકા રચી છે. આ બંનેની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૧)માં લેવાઈ છે.
પારસી(ક)ભાષાનુશાસન- આ પારસીક યાને ફારસી ભાષાનું સંસ્કૃતમાં પાંચ અધ્યાયમાં રચાયેલું ? પ૬ વ્યાકરણ છે. એના કર્તા વિક્રમસિંહ છે. એઓ મદનપાલ ઠક્કરના પુત્ર અને આનંદસૂરિના શિષ્ય થાય છે. આની એક હાથપોથી પંજાબના ભંડારમાં છે. એમાંથી કેટલાક ઉતારા “A Catalogue of Manuscripts in the Punjab Jain Bhandars (pt. 1)4i 244141 C.
કર્ણાટક-શબ્દાનુશાસન (શકસંવત્ ૧૫૨૬=વિ. સં. ૧૬૬૧)- આ વ્યાકરણ દિ. અકલંકે શકસંવત્ ૧૫૨૬માં ચાર પાદમાં પ૯૨ સૂત્રમાં રચ્યું છે.૧૦ આ “કાનડી' ભાષાનું વ્યાકરણ છે. એ સર્વોત્તમ ગણાય ૧. વસંતરાજકૃત શકુનશાસ્ત્રની ભાનુચન્દ્રમણિએ રચેલી વૃત્તિનું એમણે સંશોધન કર્યું છે. ૨. આ “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી છપાઈ છે. ૩. આ સ્તોત્રની વૃત્તિ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાયેલી “ભક્તામર-કલ્યાણમન્દિર
નમિઊણ-સ્તોત્રત્રય'ની મારી આવૃત્તિમાં પ્રકાશિત થયેલી છે. ૪. આની વૃત્તિ શોભન-સ્તુતિની ચાર ટીકા સહિતની મારી ઇ.સ. ૧૯૩૦માં “આ. સ.” તરફથી પ્રકાશિત થયેલી
આ વૃત્તિમાં છપાયેલી છે. ૫ ઉદયસાગરે વિ. સં. ૧૭૭૪માં રચેલી સ્નાત્રપંચાશિકામાં આનો શિવસિબ્ધ તરીકે ઉલ્લેખ છે. ૬. જૈ. ગ્રં. (પૃ. ૩૦૭)માં આ નામની કૃતિની નોંધ છે અને ત્યાં કર્તાનું નામ કલ્યાણસૂરિ અપાયું છે, પરંતુ
મને તો આ બંને કૃતિ એક જ હોય અને કર્તાનું નામ કલ્યાણસાગર હોય એમ લાગે છે. ૭. જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)ના ટિપ્પણમાં આ કલ્યાણસાગરને “સૂરિ' કહી દેવમૂર્તિસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા
છે, અને સાથે સાથે આ દેવમૂર્તિસૂરિને વિ. સં. ૧૪૯૬માં વિક્રમચરિત્ર રચનારા કહ્યા છે. ૮. આ સૂચીપત્ર લાહોરથી ઈ.સ. ૧૯૩૯માં પ્રકાશિત કરાયું છે. ૯. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧ પૃ. ૪૬૫). ૧૦. જુઓ “અનેકાન્ત” (વર્ષ ૧, કિ. ૬-૭, પૃ. ૩૩૫).
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
છે અને એ વ્યાકરણ નાગવર્મકૃત કર્ણાટકભાષાભૂષણ કરતાં મોટું છે. વળી એમાં શબ્દમણિદર્પણ કરતાં અધિક વિષયો છે. પ્રસ્તુત વ્યાકરણમાં અકલંકે પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. એમાં એમણે ચારકીર્તિને અંગે અનેક વિશેષણો વાપર્યા છે.
"ભાષામંજરી- આ ઉપર્યુક્ત વ્યાકરણની સંસ્કૃત વૃત્તિ છે.
મંજરીમકરન્દ- આ ઉપર્યુક્ત વ્યાકરણનું સંસ્કૃત વ્યાખ્યાન છે. P ૫૭
પરિશિષ્ટ ૧ : ચન્દ્ર-વ્યાકરણ ચન્દ્ર-વ્યાકરણ (ઉ. વિ. સં. ૫૫૦)- આ વ્યાકરણને ચાન્દ્ર વ્યાકરણ પણ કહે છે. એ બૌદ્ધ વિદ્વાન ચન્દ્રગીમીએ પાણિનીય અષ્ટા. અને મહાભાષ્યનો ઉપયોગ કરી રચ્યું છે. એમણે રાજતરંગિણીના કર્તા કલ્હણના કથન મુજબ “કાશ્મીર”ના નૃપતિ અભિમન્યુની પ્રેરણાથી આ વ્યાકરણ રચી મહાભાષ્યના પ્રચારાર્થે પ્રયાસ કર્યો હતો.
ભર્તુહરિએ વાક્યપદીય (કાંડ ૨, શ્લોક. ૪૮૭-૮૮૯)માં કહ્યું છે કે બૈજી, સૌભવ અને હર્યક્ષ જેવા શુષ્ક તાર્કિકો સાંપ્રદાયિક અભિનિવેશને લઈને મહાભાષ્યનો નાશ કરવા લાગ્યા એ સમયે ચન્દ્રગોમીએ એની રક્ષા ન કરી હોત તો કાળ ક્યારનો યે એને સ્વાહા કરી ગયો હોત.
ઉપર્યુક્ત અભિમન્યુનો સમય કલ્હણને મતે વિક્રમથી એક હજાર વર્ષ પૂર્વેનો છે, જ્યારે કેટલાક આધુનિક વિદ્વાનોને મતે એ ઇ. સ. ૪૨૩ અને ઇ. સ. ૫૦૦ વચ્ચેનો છે.
ચન્દ્ર વ્યાકરણની સ્વપજ્ઞ વૃત્તિમાં “ગુણો ફૂપન'' એવું જે ઉદાહરણ છે તે ઉપરથી આ આધુનિક મત બંધાયો હોય એમ લાગે છે.
ચન્દ્રગોમીએ ચન્દ્ર વ્યાકરણની સ્વોપજ્ઞ વૃત્તિમાં એને લઘુ, વિસ્પષ્ટ અને સંપૂર્ણ કહ્યું છે. સામાન્ય રીતે આ વ્યાકરણ છ અધ્યાયનું અને લૌકિક સંસ્કૃતનું મનાય છે, પણ એમાં સાતમો અધ્યાય વૈદિક ભાષાને લગતો અને આઠમો સ્વરપ્રક્રિયાને અંગેનો હતો એમ એમાં આઠ અધ્યાયો હતા અને એ લૌકિક
અને વૈદિક ઉભય પ્રકારના સંસ્કૃતનું વ્યાકરણ હતું એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૧૭) જોતાં જણાય P ૫૮ છે. વિક્રમની બારમી સદીમાં વિદ્યમાન પુરુષોત્તમના સમય પહેલાં આ બે અધ્યાયો નાશ પામ્યા હતા.
મેં પરિશિષ્ટરૂપે ચન્દ્ર વ્યાકરણનો પરિચય અહીં આપ્યો છે તેનું એક કારણ એ છે કે એ ઘણું પ્રાચીન અને મહત્ત્વનું વ્યાકરણ ગણાતું હોવાથી જૈન વૈયાકરણોએ એનો ઉપયોગ કર્યો છે. વિશેષમાં કવિવર ધનપાલે તો કાતંત્રની સાથે સાથે આ ચન્દ્ર વ્યાકરણનો પણ અભ્યાસ કર્યો હતો.
ચિત્રાલંકાર કાવ્ય અને એક વિવેચન- લે. કમલા જૈન પ્ર. રત્નજૈન પુસ્તકાલય અહમદનગર
More Documents at Jain Painting and Gujarati Paintings Of 16th and later Centuries- By Dr. U. P Shah. એલ. ડી. સિરિજ નં. ૫૧
૧-૨. એજન.
૩. જુઓ સિ. હે. (અ. ૨, પા., સૂ. )ની બૃહદ્ વૃત્તિ.
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ
P ૬૧ પૃ. ૩૪માં સૂચવ્યા મુજબ હું હવે અહીં કિલિ.” હેમચન્દ્રસૂરિકૃત વ્યાકરણનો પરિચય આપું છું અને એનો પ્રારંભ એના પ્રથમ અંગરૂપ સૂત્રપાઠ નામે સિદ્ધહેમચન્દ્રથી કરું છું.
રસિદ્ધહેમચન્દ્ર- આ નામમાં બે અંશ છે : (૧) “સિદ્ધ અને (૨) હેમચન્દ્ર. પ્રથમ અંશ “સોલંકી યાને “ચૌલુક્ય વંશના વિદ્યારસિક નરેશ્વર સિદ્ધરાજ જયસિંહ (વિ. સં. ૧૧૫૧-૧૧૯૯)ના નામનો ઘાતક છે, અને એનું કારણ એ છે કે આ શબ્દાનુશસનની યોજના એ નરેશ્વરની અભ્યર્થનાનું પરિણામ છે.' દ્વિતીય અંશ એના પ્રણેતા “કલિ.” હેમચન્દ્રસૂરિના નામનો ઘાતક છે. આમ આ બે અંશો અનુક્રમે રે ૬૨ અમોઘ-વૃત્તિ અને બુદ્ધિસાગર વ્યાકરણ જેવાં નામોનું સ્મરણ કરાવે છે.
“કલિ.’ હેમચન્દ્રસૂરિનું નામ દેશવિદેશના સંસ્કૃતજ્ઞોને સુપરિચિત છે. ગુજરાતના એ પનોતા પુત્રે ગુજરાતીઓના કાનમાં અસ્મિતાનો મંત્ર ફેંક્યો હતો અને ગુજરાતને સાહિત્યની પ્રત્યેક શાખામાં પગભર કરવા માટે એને સર્વતન્ત્ર-સ્વતંત્ર બનાવવા માટે ભગીરથ પ્રયાસ સેવ્યો હતો. એમણે રચેલા તમામ ગ્રંથો
મળતા નથી, પણ જે મળે છે તે વ્યાકરણ, કોશ, છંદ, અલંકાર, કાવ્ય, ન્યાય, તત્ત્વજ્ઞાન, યોગ એમ વિવિધ વિષયોનો સચોટ બોધ કરાવે છે. આ ‘પૂર્ણતલ' ગચ્છના સૂરિવર્યનો જન્મ વિ. સં. ૧૧૪પમાં કાર્તિક પૂર્ણિમાએ ધંધુકામાં “મોઢ' જ્ઞાતિના ચર્ચા, ચાચિગ અને ચાચ એમ ત્રિવિધ નામે ઓળખાવાતા વણિકને ત્યાં થયો હતો. એમની માતા બનવાનું સૌભાગ્ય “ચામુંડ'-ગોત્રીય ચાહિણી, પાહિણી અને ચંગી એમ ત્રિવિધ નામે પ્રસિદ્ધ જૈન ભામિનીને પ્રાપ્ત થયું હતું. માતાપિતાએ એમનું નામ ચંગદેવ કે ચાંગદેવ રાખ્યું હતું. વિ. સં. ૧૧૫૪માં અને મતાંતર પ્રમાણે ૧૧૫૦માં ચાંગદેવે "દેવચન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે એમનું નામ સોમચંદ કે સોમદેવ રખાયું હતું. એ ઉત્સવમાં ઉદયન મંત્રીએ અગ્રભાગ ભજવ્યો હતો. વિ. સં. ૧૧૬રમાં અને મતાંતર પ્રમાણે ૧૧૬૬માં એઓ સૂરિ બન્યા ત્યારે એમનું નામ બદલી ને હેમચન્દ્ર રખાયું. ગુજરાતના બે મહાનૃપતિઓ સિદ્ધરાજ અને પરમાત” કુમારપાલ આ આચાર્યના પરમ ભક્ત હતા. ૧. એમનાં જીવન અને કવનની આછી રૂપરેખા મેં “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ એટલે ?” એ નામના મારા લેખમાં આલેખી છે. આ લેખ “ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક” (વ. ૩, અં. ૪, પૃ. ૫૬૧-૬૦૪)માં ઈ. સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ થયો છે. અનેક પૌર્વાત્ય વિદ્વાનોએ તેમજ કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ આ
સૂરિવર્યનો પરિચય આપ્યો છે. આવી એક સૂચી મેં ઉપર્યુક્ત લેખમાં આપી છે. ૨. આ મૂળ કૃતિનાં વિવિધ સંપાદનો થયાં છે. એ પૈકી મારી સામે અત્યારે “જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી
વિ. સં. ૧૯૯૮માં દીપિકા સહિત જે સંપાદનમાં આઠ અધ્યાયો છપાયાં છે તે છે. એમાં ૩૫ પદ્યો કટકેકટક-પ્રત્યેક પદને અંતે એકેક અને અંતિમ પદને અંતે ચાર અપાયાં છે. આ સંપાદનમાં આઠ અધ્યાયોનો પાદ દીઠ ગ્રંથાગ્ર અપાયો છે. વળી આઠમા અધ્યાયને અંગે ભાષાદીઠ સૂત્રોનો પણ ગ્રંથાગ્ર અપાયો છે. ૩. જુઓ સિ. હે.ની પ્રશસ્તિ (શ્લો. ૩૫) તેમજ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રની પ્રશસ્તિ (શ્લો. ૧૮) ૪. કુમારપાલની વિજ્ઞપ્તિથી યોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર અને ત્રિષષ્ટિ. એ ત્રણ કૃતિઓ રચાઈ છે. ૫. સં. વ્યા. ઇ. (ભા. ૧, પૃ. ૪૪૯)માં “ચન્દ્રદેવસૂરિ' એવો ઉલ્લેખ છે તે બ્રાન્ત છે.
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કુમારપાલના અવસાન પૂર્વે એક વર્ષ પહેલાં એટલે કે વિ. સં. ૧૨૨૯માં આ સૂરિવર્તનો ૮૪ P ૬૩ વર્ષની વયે દેહોત્સર્ગ થયો, અને તેમ થતાં ગુજરાત એક વિરલ વિભૂતિના જ્યોતિપુંજથી વંચિત બન્યું.
રૂપરેખાસિદ્ધહેમચન્દ્રને સંક્ષેપમાં સિદ્ધહેમ પણ કહે છે. એ કેવળ સંસ્કૃત ભાષા પૂરતું વ્યાકરણ નથી. પરંતુ પાઇય ભાષાના મહટ્ટી, સોરસણી, માગવી, પેસાઈ, ચૂલિયાપેસાઈ તેમજ અવહઢ એ છ ભેદો ઉપર પણ પ્રકાશ પાડનારું વ્યાકરણ છે. અવહટ્ટને અંગે તો આપણે એમને “ગુજરાતના પાણિનિ' કહી શકીએ. જેમ પાણિનિએ “ઇસ' અને 'ના' કહી વૈદિક ભાષાનો પરિચય કરાવ્યો છે તેમ આ આચાર્ય આર્ષ' કહી જૈનોના પ્રાચીન અને મહામૂલ્યશાળી આગમોની અ. મા. ભાષાની વિશેષતાઓની પ્રસંગોપાત નોંધ લીધી છે. પાલિ એ પણ પાઇય ભાષાનો એક પ્રકાર છે. તેમ છતાં વરરુચિ વગેરે પ્રાચીન વૈયાકરણોએ જેમ એનું નિરૂપણ કર્યું નથી તેમ આ આચાર્યે પણ આ ભાષાનું વ્યાકરણ રચ્યું નથી. જો એ કાર્ય એમણે કરી નવો ચીલો પાડ્યો હોત તો એમના પંચાંગી વ્યાકરણની સાંગોપાંગતા સોળે કળાએ ખીલી ઊઠત.
પરિમાણ- મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૩૬૧માં રચેલા પ્રબંધચિંતામણિમાં કહ્યું છે કે સવા લાખ P ૬૪ શ્લોક જેવડું સિદ્ધહેમ નામનું નવું પંચાંગ વ્યાકરણ હેમચન્દ્રાચાર્યે એક વર્ષમાં રચ્યું. કેટલાક આ વર્ષ તરીકે
વિ.સં. ૧૧૯૩-૯૪ ગણાવે છે. ૧. વિ. સં. ૧૨૩૦માં આ રાજા જતાં ગુજરાતમાં સોલંકીઓના વૈભવનો અસ્તકાળ શરૂ થયો. ૨.પ્રા. હરિવલ્લભ ચુ. ભાયાણીનું ભાષણ નામે “હેમચન્દ્રીય અપભ્રંશનું સ્વરૂપ” “ફા.ગુ. સ. 2.” (પૃ. ૧૬,
અં. ૪, પૃ. ૧૬૧-૧૭૧)માં છપાયું છે તે જોઈ જવું ઘટે. ૩. સિ. કૌ.માં અંતમાં વૈદિક પ્રક્રિયા અપાઈ છે. એમાં “ઇસ'' એવા ઉલ્લેખવાળાં કેટલાંક સૂત્રો છે. એને
હિસાબે “નિ'' એવા ઉલ્લેખવાળાં સૂત્રો તો બહુ જ થોડાં છે. ૪. એના ઉદાહરણ માટે જુઓ ૭-૨-૬૪ અને ૭-૪-૭૪. ૫. હેમચન્દ્રસૂરિએ સાડા ત્રણ કરોડ શ્લોક જેટલો ગ્રંથરાશિ યોજ્યો હતો એમ કહેવાય છે. રોજ બીજું કામ કરવાનું બાજુએ રાખી, ફક્ત પંચાંગ વ્યાકરણ રચવા પાછળ જ સમય અપાયો હોય તો એ હિસાબે રોજના લગભગ સાડી ત્રણસો (કલાકના પંદરેક) શ્લોક જેટલું લખાણ તૈયાર થાય તો એક વર્ષમાં સવા લાખ શ્લોક જેટલું પંચાંગ વ્યાકરણ બને. આજે આ વ્યાકરણની વિવિધ અંગોની જે સ્વપજ્ઞ વૃત્તિ મળે છે તેનું પરિમાણ નીચે મુજબ છે :સિ. હે. (અ. ૧-૭)ની લધુવૃત્તિ
૬૦) સિ. હે. (અ. ૮)ની લઘુવૃત્તિ
૨૨૦૦ સિ. હે. ની બૃહદ્રવૃત્તિ
ગ્લો. ૧૮૦૦૦ સિ. હે. નો ન્યાસ નામે શબ્દ-મહાર્ણવ શ્લો. ૨૦OOO ઉણાદિ-ગણસૂત્ર (સટીક)
ગ્લો ૩૨૫૦ ધાતુ-પારાયણ
શ્લો પ૬OO લિંગાનુશાસન (સટીક)
૩૬૮૪
૫૮૭૩૪ આમાં ન્યાસનો ૬૪૦૦૦ શ્લોક જેટલો ભાગ નાશ પામ્યાની વાત સ્વીકારી એ સંખ્યા ઉમેરાય તો લગભગ સવા લાખ શ્લોક થઈ રહે.
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૬૨-૬૬]
૩૭
યોજના- સ. હે.માં ચચ્ચાર પાદવાળા આઠ અધ્યાયો છે. પ્રથમના સાત અધ્યાયોમાં ૩૫૬૬ સૂત્રો દ્વારા સંસ્કૃત ભાષાનું નિરૂપણ છે, જયારે આઠમા (અંતિમ) અધ્યાયમાં ૧૧૧૯ સૂત્ર દ્વારા પાઇયના છ ભેદોનું નિરૂપણ છે. આ વ્યાકરણની રચના પ્રકરણાનુસારિણી છે અને એ રીતે એ કાતસ્ત્રનું સ્મરણ R ૬૫ કરાવે છે. ટૂંકમાં કહું તો એના આદ્ય સાત અધ્યાયોમાં નીચે મુજબના વિષયો રજૂ કરાયા છે. :
(૧) સંજ્ઞા, (૨) સ્વર-સંધિ, (૩) વ્યંજન-સંધિ, (૪) “નામ, (૫) કારક, (૬) પત્રણત્વ, (૭) સ્ત્રી-પ્રત્યય, (૮) સમાસ, (૯) આખ્યાત, (૧૦) “કૃદંત અને (૧૧) તદ્ધિત.
આઠમા અધ્યાયના મુખ્ય વિષયો નીચે મુજબ છે. -
સંધિના નિયમો, સ્વરો અને સાદા વ્યંજનોમાં પરિવર્તન, સંયુક્ત વ્યંજનોનાં રૂપાંતરો, સ્વરભક્તિ, વ્યત્યય, સંસ્કૃત શબ્દોના આદેશો, પાઇય અવ્યયો, નામ, વિશેષણ, સર્વનામ અને ક્રિયાપદનાં રૂપાખ્યાનો, ધાત્વાદેશ તેમજ સોરસણીથી માંડીને અવહટ્ટ (પા. ૪, સૂ. ૩૨૯-૪૪૬) સુધીની ભાષાનું નિરૂપણ.
સંજ્ઞા-સંજ્ઞા-વિધાનમાં સંજ્ઞાઓ પ્રાસાદિક એટલે કે ઝટ સમજાય તેવી રખાઈ છે અને એમ કરવામાં ઐન્દ્ર પરંપરા, પ્રાતિશાખ્ય પરંપરા અને કાતન્ન-પરંપરાનો ઉપયોગ કરાયો છે. કાત્યાયનકૃત ‘પાલિ ભાષાના વ્યાકરણમાં સિ. હે.ગત કેટલીક સંજ્ઞાઓ નજરે પડે છે. પાણિનીય અષ્ટા.ની ‘લો’ અને P ૬૬ ‘લિ"૧ સંજ્ઞાને બદલે કાતત્રની પેઠે સિ. હે.માં પંચમી અને ‘સપ્તમી' સંજ્ઞા છે.
અષ્ટા.માં લટું, લિટું, લુ, લૂંટ, લે, લોટ, લ, લિ, લુડુ અને લૂ એમ દસ સંજ્ઞા છે. તેમાં ‘લે’ તો વેદમાં જોવાય છે. એથી એને બાજુએ રાખતાં “લો’ યાને આજ્ઞાર્થ એ “પંચમી” અને “લિ’ યાને વિધ્યર્થ એ “સપ્તમી' ગણાય. ૧-૨. પ્રથમના સાત અધ્યાયોનો ગ્રંથાગ્ર શ્લો. ૭૮૭ અને ૬ અક્ષર પૂરતો છે, જ્યારે આઠમાનો શ્લો. ૨૪૪
ને ૪ અક્ષર પૂરતો છે; સમગ્ર કૃતિનો ગ્રંથાગ્ર ગ્લો. ૧૦૩૧ અને ૧૦ અક્ષરનો છે. ૩. સંજ્ઞાઓ માટે પણ કાતત્રનું અનુસરણ કરાયું છે. ૪. એ પ્રત્યેકની સૂત્ર સંખ્યા ઇત્યાદિ માટે જુઓ શ્રી. મધુસૂદન મોદી કૃત હેમસમીક્ષા (પૃ. ૩૭-૪૦). [અન્ય
વ્યાકરણો સાથે તુલના માટે જુઓ આ. હેમચન્દ્ર ઔર ઉનકા શબ્દાનુશાસન પ્ર. ચૌખંબા વિદ્યાભવન
વારાણસી.] પ. આ વિષયને લગતા પ્રકરણને ‘સ્યાદિ-પ્રકરણ' તરીકે ઓળખાવાય છે. ૬. ધાતુ અને પ્રત્યયના યોગથી ક્રિયા સિદ્ધ થતી હોવાથી “આખ્યાત’ કહેવાય છે. ૭. આમાં દસ કાળના પ્રત્યયો વગેરેની હકીકત છે. ૮. ચતુષ્ક અને આખ્યાત પછી કરાય તે “કૃત' કહેવાય છે. ૯. કૃત’ પ્રત્યયની વિસ્તૃત અને જટિલ ચર્ચાને લગતો આ વિષય છે. ૧૦. પ્રકૃતિને હિતકારી અણાદિ પ્રત્યયોને હિતકારી તે “તદ્ધિત' કહેવાય છે. ૧૧. આ તેમજ અન્ય પાણિનીય સંજ્ઞા વગેરેનો વિચાર ક્ષિતીશચન્દ્ર ચેટરજીએ સત્યપ્રસાદ ભટ્ટાચારજી દ્વારા ઈ.સ.
૧૯૪૮માં પ્રકાશિત ““ઉષા સ્મારક ગ્રંથમાલા” ગ્રંથાક ૩ નામે Technical Terms and Technique of Sanskrit Grammar (part 1)Hi zuil ild sul 89.
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
સન્તલન-પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૮૬-૮૭) પ્રમાણે “કલિ.’ હેમચન્દ્રસૂરિને સિદ્ધરાજે જ્યારે વ્યાકરણ રચવા વિજ્ઞપ્તિ કરી ત્યારે એ સૂરિએ કાશ્મીરથી આઠ વ્યાકરણો મંગાવી આપવા કહ્યું. આના નામ કોઈ સ્થળે નોંધાયેલાં હોય એમ જણાતું નથી. ગમે તેમ એમણે આ આઠ વ્યાકરણોનો તો ઉપયોગ કર્યો જ હોવો જોઈએ.
પુરોગામીઓની સબળ કૃતિઓનો જેટલા પ્રમાણમાં લાભ લેવાય તેટલો લેવો અને પુસ્તક રચવામાં એના અંશો તેના તેજ સ્વરૂપમાં લેવા યોગ્ય જણાય તો તેમ પણ કરવું. આ પ્રકારની મનોદશા પ્રાચીન સમયના જૈન શ્રમણો સેવતા હતા. “કલિ.’ હેમચન્દ્રસૂરિની પણ આવી વૃત્તિ હોવાથી તેમજ રાજા
તરફથી સત્વર કાર્ય કરી આપવાનું સૂચન હોવાથી એમણે શાકટાયનનાં કેટલાં યે સૂત્રો જરાયે ફેરફાર P ૬૭ વિના અપનાવ્યાં છે, અને એનાં કેટલાંક સૂત્રો સમુચિત ન જણાતાં એમાં એમણે પરિવર્તન કરી તેને સ્થાન આપ્યું છે.
પાંત્રીસ પદ્યો-પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૧૦૧-૧૦૨)માં સિ. હે.ના (અંતિમ સિવાયના) દરેક પાદને અંતે એકેક પદ્ય અને સર્વ પાદને અંતે ચાર એટલે કે ત્રીસ વત્તા પાંચ એમ ૩૫ પદ્યની પ્રશસ્તિ હોવાનો ઉલ્લેખ છે. આજે સિ. હે.ના ૩૨ પાદ પૈકી પ્રત્યેકને અંતે એકેક પદ્ય અને અંતમાં ત્રણ વધારે એમ ૩૫ પદ્યો જોવાય છે. આ પદ્યો સિ. હે ના સમજવાં કે એની સ્વપજ્ઞ લઘુવૃત્તિનાં કે એની બૃહદુવૃત્તિનાં ગણવાં એવો એક પ્રશ્ન આ ત્રણેનાં વિવિધ સંપાદને જોતાં ઉદ્ભવે છે. અંતિમ નિર્ણય કરવા માટે આ ત્રણેની પ્રાચીન હાથપોથીઓ તપાસવી ઘટે. આ સંબંધમાં થોડોક વિચાર કરતાં અત્યારે તો મારું એમ માનવું થાય છે કે એ સિ. હે.ની સ્વોપન્ન બૃહદ્રવૃત્તિનાં જ છે.
આ ૩૫ પદ્યો પૈકી પહેલાં ૩૪ પદ્યો દ્વારા “ચૌલુક્ય વંશના નીચે મુજબના સાત રાજાઓની પ્રશંસા કરાઈ છે :
(૧) મૂલરાજ, (૨) ચામુંડરાજ, (૩) વલ્લભરાજ, (૪) દુર્લભરાજ, (૫) ભીમદેવ, (૬) કર્ણદેવ, અને (૭) સિદ્ધરાજ જયસિંહ.
૧. “શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચાર સમિતિ” તરફથી વિ. સં. ૨૦૦૨માં પ્રકાશિત અને પં. ચંદ્રસાગરગણિ (હવે
સૂરિ) દ્વારા સંપાદિત “શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્” (ભાગ ૧)ની પ્રસ્તાવના (પૃ. ‘કુ')માં શાકટાયન વ્યાકરણ (અ. ૧, પા. ૧)માંનાં વીસ સૂત્રો આપી એનાં એ જ સૂત્રો સિ. હે.માં ક્યાં ક્યાં છે તે દર્શાવાયું છે. એના પછીના પૃષ્ઠમાં શાકટાયન વ્યાકરણમાંથી નવ સૂત્રો આપી એમાં રહેલી કિલષ્ટતા અને સંદિગ્ધતાને દૂર કરનારા સિ. હે.નાં સૂત્રો સંતુલનાર્થે રજૂ કરાયાં છે. આ સંપાદનમાં બીજા અધ્યાયના બીજા પાદ પૂરતાં સૂત્રો અપાયાં છે. આમ અહીં સંજ્ઞા, સંધિ, નામ અને કારકને લગતાં સૂત્રો છે. એને અંગેની હૈમ બૃહવૃત્તિ નામે તત્ત્વપ્રકાશિકા અને ચંદ્રસાગરજીએ તૈયાર કરેલી
આનંદબોધિની નામની વિવતિ અહીં અપાઈ છે. અંતમાં ૧૪ પરિશિષ્ટો અપાયાં છે. ૨. આનો ગુજરાતી અનુવાદ હૈમ-સારસ્વત-સત્રમાં અપાયો છે. “ગુજરાતનું પ્રધાનતમ વ્યાકરણ” નામના લેખના
અંતમાં આ ૩૫ પદ્યો ગુજરાતી અનુવાદ સહિત અપાયાં છે. 3. “पादान्ते श्लोकमेककम् ॥१०१॥ तच्चतुष्कं च सर्वान्ते श्लोकैस्त्रिंशद्भिरद्भुता ।
पञ्चाधिकैः प्रशस्तिश्च विहिताऽवहितैस्तदा ॥१०२॥"
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૬૬-૬૯]
૩૯
આ પદ્યો સંસ્કૃત ન્યાશ્રય-કાવ્યનું સ્મરણ કરાવે છે. એ આ કાવ્યની રચના બાદ એના નવનીત રૂપે યોજાયાં હશે કે પછી એ પદ્યરૂપ બીજકમાંથી સંસ્કૃત ન્યાશ્રય-કાવ્યરૂપ વૃક્ષ ઉદ્ભવ્યું હશે એનો નિર્ણય કરવો બાકી રહે છે.
ઉપર્યુક્ત ૩૫ પદ્યો પૈકી અ. ૨, પા. ૨ ના અંતમાં અપાયેલા નિમ્નલિખિત પદ્યના અર્થ અને પાઠાંતર વિષે સિ. હે.ની પ્રસ્તાવના (પૃ. ગ, ધ અને ધા)માં ચંદ્રસાગરજીએ ચર્ચા કરી છે :
"मूलार्कः श्रूयते शास्त्रे सर्वकल्याणकारणम् । अधुना मूलराजस्तु चित्रं लोकेषु गीयते ॥"
સ્વયજ્ઞ લઘુવૃત્તિ-સિ. હે.ના વિશદ પરંતુ સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ માટે “કલિ.’ હેમચન્દ્રસૂરિએ આ લઘુવૃત્તિ રચી છે. લઘુવૃત્તિ” એવો પ્રયોગ અ. ૧-૭ માટેની, કેવળ અ. ૮ માટેની તેમજ અ. ૧-૮ એટલે કે સંપૂર્ણ સિ. હે. માટેની સ્વોપજ્ઞ સંક્ષિપ્ત વૃત્તિ એમ ત્રણ ભિન્ન ભિન્ન અર્થમાં કરાય છે, પણ આ ત્રણેમાંથી ગમે તે જાતની લઘુવૃત્તિમાં ગણપાઠને સ્થાન નથી.
અ. ૧-૭ સુધીની લઘુવૃત્તિનું પરિમાણ છ હજાર શ્લોક જેવડું ગણાય છે અને એથી એને છહજારી' કહે છે.'
પ્રકાશિકા-કેવળ આઠમા અધ્યાય પૂરતી લઘુવૃત્તિને કેટલાક આ નામથી ઓળખાવે છે. એમાં P ૬૯ વિષયને વ્યક્ત કરવા ઉપરાંત બીજી કોઈ જાતની સામગ્રી અપાઈ નથી. અપભ્રંશનાં સૂત્રોને અંગેના ૧. આ છહજારી અ. ૧-૭ સુધીનાં સૂત્રો સહિત “યશોવિજ્ય જૈન ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૦૫માં છપાઈ
હતી. એ દુષ્માપ્ય બનતાં “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” તરફથી એ મૂળ સૂત્રો સહિત ઈ.સ. ૧૯૩૪માં પ્રકાશિત કરાઈ હતી. એનું સંપાદન મુનિશ્રી હિમાંશુવિજયજીએ કર્યું હતું. એમાં એમણે કેટલાંક સૂત્રોમાં સંધિ છતી કરી હતી. પં. દક્ષવિજયજીએ આ લઘુવૃત્તિનું મૂળ સહિતનું સંપાદાન કર્યું છે અને એ “વિજયનેમિસૂરિ-ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૩) તરીકે સંપાદક તૈયાર કરેલાં ૧૩ પરિશિષ્ટો સહિત વિ. સં. ૨૦૮માં છપાઈ છે. તેર પરિશિષ્ટો પૈકી બાર તો ધાતુઓ સાથે એક યા બીજી રીતે સંબદ્ધ છે. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી'' તરફથી આઠ અધ્યાયની લઘુવૃત્તિ મૂળ કૃતિ તેમજ ધાતુપાઠ સહિત વિ. સં. ૧૯૫૦માં છપાવાઈ છે. લિ. વૃ. મુનિશ્રી જંબૂવિજય મ. દ્વારા સંશોધિત સંપાદિત થઈ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણથી પ્રગટ થઈ છે. એની બીજી આવૃત્તિ પણ ટૂંકમાં પ્રગટ થશે. લ. વૃ.નો ગુજરાતી અનુવાદ પં. બેચરદાસ (પ્ર. યુનિ. ગ્રં. નિ. બોર્ડ), આ ચન્દ્રગુપ્તસૂરિ અને આ મહિમાપ્રભસૂરિના પ્રગટ થયા છે. પં. શિવલાલભાઇનું સિદ્ધહેમસારાંશ વ્યા. પણ પ્રસિદ્ધ થયેલ છે લઘુવૃત્તિ ઉપર મુનિ વિમલરત્ન વિ. કૃત
ગુણરત્નાવૃત્તિ ક. સો. પેઢી પિંડવાડાથી પ્રસિદ્ધ છે.] ૨. આને સમીક્ષાત્મક સંપાદન આર પિશલે કર્યું છે. એ વિદ્વાને જર્મન અનુવાદ આપી એની મહત્તામાં વૃદ્ધિ કરી
છે. આ સંપાદન ઈ. સ. ૧૮૭૭-૮૦માં છપાયું છે, એ આજે મળતું નથી. શ્રી મોતીલાલ લાધાજી (હવે મુનિશ્રી કેવલવિજયજી) તરફથી ઈ.સ. ૧૯૨૮માં આ પ્રકાશિકા અ. ૮નાં સૂત્રો સહિત પ્રકાશિત કરાઈ છે, એનું સંપાદન ડૉ. પી. એલ. વૈદ્ય કર્યું છે. એમણે પાઇય પદ્યની સંસ્કૃતમાં છાયા આપી એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. અંતમાં એમણે શબ્દોની તેમજ ધાત્વાદેશની સૂચી આપી છે. “Bombay Sanskrit and Prakrit Serise”માં ગ્રંથાંક ૬૦ના પરિશિષ્ટ તરીકે પૃથક્ સ્વરૂપે પ્રકાશિકા અ. ૮નાં સૂત્રો તેમજ ઉપર્યુક્ત બે સૂચી સહિત ઈ.સ. ૧૯૩૬માં છપાવાઈ છે. એનું નામ “હેમચન્દ્રનું પ્રાકૃત વ્યાકરણ” એવું રખાયું છે. [આ પછી પં. શ્રી વજસેન વિ. ગણિના સંપાદન પૂર્વક પ્રાકૃત વ્યા. પ્રગટ થયું છે.]
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
મુક્તકો અપભ્રંશમાં છે અને એ અનેક રીતે મહત્ત્વનાં છે. આ પ્રકાશિકાનું પરિમાણ ૨૨૦૦ શ્લોક જેવડું દર્શાવાય છે. આ પ્રકાશિકાને કેટલાક બ્રહવૃત્તિનો ભાગ ગણે છે.
હૈમ-લઘુ-વૃજ્યવચૂરિ-આ સિ. હે.ની લઘુવૃત્તિની અવચૂરિ હોય એમ લાગે છે એમ જ હોય તો પણ એ સ્વપજ્ઞ લઘુવૃત્તિની છે કે કેમ તે જાણવું બાકી રહે છે. ધનચન્દ્રના નામે ૬૫ પત્રની એક P ૭૦ અવચૂરિની તેમજ ૨૨૧૩ શ્લોક જેવડી અને ચતુષ્ક-વૃત્તિ ઉપરની એક અજ્ઞાતકર્તક અવયૂરિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૦)માં છે.
જિ. ૨. કો. (નં. ૧, પૃ. ૩૭૬)માં જે કૃતિ દેવેન્દ્રના શિષ્ય ધનચન્દ્ર રચેલી દર્શાવાઈ છે અને જેની એક હાથપોથી વિ. સં. ૧૪૦૩માં લખાયેલી નોંધાયેલી છે તે જ આ હોય એમ લાગે છે.
હેમલધુવૃત્તિઢુંઢિકા યાને હૈમલઘુવૃત્તિદીપિકા-આ મુનિશેખરની ૩૨૦૦ શ્લોક જેવડી રચના છે. એની વિ. સં. ૧૪૮૮માં લખાયેલી એક હાથપોથી મળે છે. એ તપાસાય તો આ રચના અ. ૧-૭ પૂરતી છે કે આઠ અધ્યાયને અંગેની છે તેનો નિર્ણય થઈ શકે.
લઘુવૃત્યવચૂરિ–આ અવચૂરિ પહેલા ચાર અધ્યાય પૂરતી છે. એ નંદસુંદરે રચી છે અને એની વિ. સં. ૧૫૧૦માં લખાયેલી હાથપોથી મળે છે.
લઘુવ્યાખ્યાનકુંઢિકા–આ ૩૨૦૦ શ્લોકની કોઈકની કૃતિ છે. એની એક હાથપોથી પુરતમાં છે. લઘુવૃજ્યવચૂરિ પરિષ્કાર-આનો પ્રારંભ “પ્રખ્ય તબૅિટું પાર્થ''થી કરાયો છે.
રહસ્ય-વૃત્તિ-સિ. હે. ઉપર જે સ્વપજ્ઞ લઘુવૃત્તિ છે તેનો અભ્યાસ ન કરી શકે જનોને P ૭૧ લક્ષીને આ રહસ્ય-વૃત્તિ રચાઈ છે. એથી તો સિ. હે.માંનાં પ્રસિદ્ધ તેમજ વિરલ પ્રસંગે ઉપયોગી એવાં
તમામ સૂત્રોનું અહીં સ્પષ્ટીકરણ નથી. લઘુવૃત્તિમાં અપાયેલાં કેટલાંક ઉદાહરણો પણ અહીં જપ્ત કરાયાં છે. આમ આ રહસ્ય-વૃત્તિ લઘુવૃત્તિને મુકાબલે નાની- લગભગ અઢી હજાર શ્લોક જેવડી અ• વિશેષ સુગમ બનાવાઈ છે. આ રહસ્ય-વૃત્તિમાં અધ્યાય પૂરો થાય એવાં એક બે સ્થળે “સ્વોપજ્ઞ' એવો ઉલ્લેખ જોવાય છે. એ ઉપરથી કેટલાક એના પ્રણેતા તરીકે હેમચન્દ્રસૂરિનું નામ સૂચવે છે, પરંતુ એ બાબત વિચારણીય જણાય છે. ૧. આ પરિષ્કાર “શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન સંસ્કૃત ગ્રંથમાલા”માં કટકે કટકે વિ. સં. ૨૦૦૨થી આજ દિન સ્વી
પ્રસિદ્ધ થતો રહ્યો છે. ૨. આ રહસ્ય-વૃત્તિ સહિત એ પૂરતો સિ. હે.નો વિભાગ “જૈન શ્રેયસ્કર મંડળ તરફથી વિ. સં. ૨૦૦માં પ્રકાશિત થયો છે. એનું સંપાદન પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે કર્યું છે. સૂત્રોની સામે બાજુમાં વિષયસૂચક શીર્ષકો અપાયાં છે તેથી વિદ્યાર્થીનો માર્ગ સુગમ બન્યો છે. અંતમાં ગણદીઠ તેમજ પટાગણદીઠ ધાતુઓની એના પદ અનુસાર સંખ્યા અપાઈ છે. ત્યાર પછી હૈમ ધાતુપાઠ તેમજ અનુબંધ-ફલ અને વૃત-ગણ-ફૂલની કારિકાઓ અને અનિ-કારિકાઓ અપાઈ છે. અનિદ્ ધાતુઓને અંગે કોષ્ટક અપાયેલું છે. લગભગ પ્રારંભમાં “વર્ણોનો યંત્ર” અપાયો છે. આ રહસ્યવૃત્તિનું સંપાદન સુરતના “જૈનાનંદ પુસ્તકાલયની એક હાથપોથીને આધારે કરાયું છે. અહીં જે
૭૯૩ ક્રમાંકવાળી હાથપોથી છે તે જ આ હશે. ૩. વિનયવિજયકૃત હૈમલઘુપ્રક્રિયાનું પરિમાણ પણ લગભગ આટલુંજ છે, પરંતુ એ પ્રક્રિયારૂપે યોજાયેલી હોવાથી
સ્વોપન્ન બૃહદ્રવૃત્તિના પ્રવેશદ્વારની ગરજ સારી શકતી નથી.
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૬૯-૭૩]
૪૧
કાકલની કૃતિ યાને ઢંઢિકા-દીપિકા-હેમચન્દ્રસૂરિના સમકાલીન અને સિ. હે.ના અધ્યાપન માટે નીમાયેલા મુખ્ય અધ્યાપક, કાયસ્થ, આઠ વ્યાકરણોના જ્ઞાતા કાકલે આ વ્યાકરણ ઉપર એક વૃત્તિ રચી છે. કેટલાક એને લઘુવૃત્તિ કહે છે તો કેટલાક એને મધ્યમવૃત્તિ કહે છે. વળી જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. 39૬)માં કાકલની રચેલી લઘુવૃત્તિને ઢંઢિકાદીપિકા કહી છે. અહીં કહ્યું છે કે આ ચતુષ્ક, આખ્યાત, કૃત અને તદ્ધિત પૂરતી છે અને એનું પરિમાણ છ હજાર શ્લોકનું છે.
1મધ્યમવૃત્તિ-કેટલાકનું એમ માનવું છે કે હેમચન્દ્રસુરિએ સિ. છે. પ્રથમના સાત અધ્યાય ઉપર R ૭૨ આઠ હજાર શ્લોક જેવડી. મધ્યમવૃત્તિ રચી હતી અને આજે જે મળે છે તે જ એ છે.
બ્રહવૃત્તિ યાને તત્ત્વપ્રકાશિકા કિંવા અઢાર હજારી-સ્વોપજ્ઞ છહજારી લઘુવૃત્તિની અપેક્ષાએ આ વૃત્તિ ઘણી મોટી હોવાથી એને “બૃહવૃત્તિ' કહે છે. “કલિ.’ હેમચન્દ્રસૂરિએ જે ન્યાસ-બૃહન્યાસ રચ્યો છે તે આ બ્રહવૃત્તિના વિવરણરૂપ છે અને એ બૃહન્યાસનું નામ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ હોવાનું સૂચવાય છે. આને લઈને કે પછી અન્ય કોઈ કારણસર બૃહદ્રવૃત્તિને તત્ત્વપ્રકાશિકા કહે છે. એનું પરિમાણ ૧૮00 P ૭૩ શ્લોક જેવડું હોવાથી એને અઢારહજારી પણ કહે છે. આ બ્રહવૃત્તિ પ્રથમના સાત અધ્યાય પૂરતી જ છે એમ ઘણાખરાનું માનવું છે. કેટલાકને મતે આઠમા અધ્યાય ઉપર જે સ્વોપજ્ઞવૃત્તિ મળે છે તે આ બૃહદ્ઘત્તિનો ભાગ છે, કિંતુ એ સ્વોપજ્ઞ વૃત્તિ મળે છે તે આ બ્રહવૃત્તિનો ભાગ છે, કિન્તુ એ સ્વોપજ્ઞા વૃત્તિમાં કોઈ વિશિષ્ટ પ્રકારની ચર્ચા નહિ હોવાથી તેમજ એની શૈલી લઘુવૃત્તિના જેવી હોવાથી એ લઘુવૃત્તિનો ભાગ ગણાવો ઘટે તેનું શું ? ૧. આનો ચતુષ્ક-વૃત્તિ પૂરતો સિ. હે.ના ૩-૨-૧૫૬ સુધીનાં સૂત્રોને અંગેનો એક અંશ એ સૂત્રો તેમજ એને
કર્ણક અવરિ સહિત “સિદ્ધહેમ-શબ્દાનુશાસનમ્ પ્રથમ વિમ:' એવા નામથી “શેઠ મોતીશાલાલબાગ-જૈન ચેરીટી-પ્રકાશન ૨'-“શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”ના ૩૩માં મણિ તરીકે વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત કરાયો છે. એનાં પૃ. ૧-૨૪૮નું સંપાદન શ્રી વિજયક્ષમાભદ્રસૂરિએ અને બાકીનાનું એમના સ્વર્ગવાસ બાદ મુનિશ્રી વિક્રમવિજયજીએ કર્યું છે. આ મધ્યમવૃત્તિ અને અવરિ ભા.-૨નું આ રાજશેખરસુરિજીએ સંપાદન કર્યું છે. બીજો ભાગનું પુનઃ પ્રકાશન આ રાજશેખરસૂરિજી અને મુનિ રત્નજ્યોતિ વિ. દ્વારા સંશોધિત થઇ રંજન વિ. લાયબ્રેરી માલવાડાથી થયું છે.] ૨. સિ. હે. (અ. ૧-૭) એને અંગેની બૃહદ્ઘત્તિ તેમજ દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભકૃત બૃહસ્થાસદુર્ગપદવ્યાખ્યા
યાને વાસસારસમુદ્ધાર (કે જે “લઘુન્યાસ” તરીકે સુપ્રસિદ્ધ છે તે) સહિત “શેઠ મનસુખભાઈ ભગુભાઈ” તરફથી વિ. સં. ૧૯૬૨માં પત્રકારે પ્રસિદ્ધ કરાયેલ છે. પં. ચન્દ્રસાગરગણિ (હવે સૂરિ) દ્વારા “કારક' પર્વતની આનંદબોધિની નામની ટીકા સહિત આ બૃહદ્વૃત્તિ વિ. સં. ૨૦૦૨માં છપાઈ છે. એ સૂરિએ કેવળ બ્રહવૃત્તિ સહિત દસ પાદ સુધીનો ભાગ સંપાદિત કર્યો છે અને એ વિ. સં. ૨૦૦૭માં છપાયો છે એમાં અંતમાં અમરચન્દ્ર સૂરિકૃત સ્વાદિશબ્દસમુચ્ચય અને જયાનંદસૂરિકૃત સ્વાદિશબ્દદીપિકા અપાયેલ છે. “વ્યાકરણવિશારદ' શ્રી વિજયલાવણ્યસૂરિજી દ્વારા સિ. હે. (અ. ૧) એને અંગેની બૃહદ્ઘત્તિ, કનકપ્રભક્ત લઘુન્યાસ તેમજ હૈમબૃહદ્યાસ, લિંગાનુશાસન અને એના સ્વપજ્ઞ વિવરણ તેમજ ત્યાશ્રયકાવ્ય (સ. ૧) સહિત સંપાદિત થઈ એ અમદાવાદની “જૈનગ્રન્થ પ્રકાશક સભા” તરફથી હાલમાં (વિ. સં. ૨૦૦૭)માં બહાર પડેલ છે. એનું નામ “શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્” રખાયું છે. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૫)માં આને બદલે પ્રકાશિકા, બલાબલવૃત્તિ અને ઢુંઢિકા એવાં નામો અપાયાં છે.
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
બ્રહવૃત્તિનું આદ્ય પદ્ય તેમજ એમાં અપાયેલાં 'ઉદાહરણો અને પ્રત્યુદાહરણો પૈકી કેટલાંક લઘુવૃત્તિમાં પણ જોવાય છે. આથી કેટલાક એમ માને છે કે બ્રહવૃત્તિ રચાયા બાદ સંક્ષિપ્ત સચિવાળી વ્યક્તિઓને ઉદેશીને લઘુવૃત્તિ રચાઈ છે.
બ્રહવૃત્તિના પ્રારંભમાં “અહમ્ ના સ્પષ્ટીકરણમાં “સિદ્ધચક્ર”નો ઉલ્લેખ છે. આ બ્રહવૃત્તિની રચનામાં અમોઘવૃત્તિની કેટલીક વાર પંક્તિઓ મૂળ સ્વરૂપે અને કેટલીક વાર અર્થની સ્પષ્ટતા ખાતર પરિવર્તનપૂર્વક કામમાં લેવાઈ છે.
પ૭ ન્યાયો-સાતમાં અધ્યાયની બૃહવૃત્તિના અંતમાં પ૭ ન્યાય અપાયેલા છે. એના ઉપર કલિ.’ હેમચન્દ્રસૂરિની કોઈ ટીકા ત્યાં જણાતી નથી તો આ ન્યાયો બૃહદ્રવૃત્તિનો એક ભાગ છે કે નહીં ? હેમહંસગણિએ આ તેમજ બીજા ૮૪ ન્યાયોનો સંગ્રહ કરી એના ઉપર ન્યાયાર્થ મંજૂષા નામની
વૃત્તિ વિ. સં. ૧૫૧૬માં રચી છે. એમાં એમણે કહ્યું છે કે ઉપર્યુક્ત પ૭ ન્યાયો ઉપર પ્રકાશ પાડનારી P ૭૪ વૃત્તિ હતી. વિશેષમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે આ પ૭ ન્યાયો બૃહવૃત્તિના સાતમા અધ્યાયના
અંતમાં સમુચ્ચયરૂપે જોવાય છે. આ ન્યાયો તેમજ બીજા પણ કેટલાક બૃહવૃત્તિમાં પ્રસંગોપાત્ત કટકે કટકે અપાયા છે.
હૈમન્યાય અને એની વૃત્તિ-હૈમ ન્યાયની બે અજ્ઞાતકર્તૃક નાનકડી કૃતિ અને એ બેમાંથી એકની કે એ નામની અન્ય કોઈ કૃતિની ૧૭૫ શ્લોક જેવડી વૃત્તિની નોંધ જૈ. ગ્ર. (પૃ. ૩૦૨)માં છે.
હૈમ-લઘુ-ન્યાય-પ્રશસ્તિ-અવચૂરિ—આના કર્તા ઉદયચંદ્ર છે અને એની ૩૭ પત્રની એક હાથપોથી મળે છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૦૨) જોતાં જણાય છે.
ગણપાઠ–મ વ્યાકરણનું આ એક મહત્ત્વનું અંગ છે. જે શબ્દોને વ્યાકરણનો નિયમ એકસરખો લાગુ પડતો હોય તે તમામ શબ્દોને પૃથક્ પૃથક્ ન ગણાવતાં એક શબ્દ આપી બાકીનાનું “આદિ' શબ્દ વડે સૂચન કરાય છે કે જેથી સૂત્રમાં લાઘવ રહે. આ પ્રમાણે શબ્દોનાં જુદાં જુદાં જૂથ પડે છે. એ પ્રત્યેક જૂથને ‘ગણ” કહે છે. આ જાતના ગણોની સળંગ સૂચી તે “ગણપાઠ' કહેવાય છે. આ ગણપાઠ “કલિ.' હેમચન્દ્રસૂરિએ સ્વોપજ્ઞ બ્રહવૃત્તિમાં તે તે સૂત્રના સ્પષ્ટીકરણના પ્રસંગે આપ્યો છે અને એના ઉપર આ બૃહવૃત્તિમાં અને કોઈ કોઈ વાર બૃહદ્યાસમાં પ્રકાશ પાડ્યો છે.
ન્યાસો–બૃહદ્ઘત્તિને અંગે જાસો રચાયા છે. એ સંબંધમાં પૃ. ૭૭-૭૮માં વિચાર કરાયો છે. ૧. સામાન્ય રીતે એમ મનાય છે કે હૈમ કૃતિકલાપમાં આચાર્ય હરિભદ્રનો નામોલ્લેખ જણાતો નથી, પરંતુ સિ. હે. (૨-૨-૮૭)ની આ બૃહવૃત્તિ (ઋ. ઇ. સ., પૃ. ૮૮)માંના “સાધ્વી ઉત્ત્વનેૉનયતિથિઃ ઋતિર/વાર્થમિદ્રાવાર્થરિમા વા'' ઉદાહરણમાં તો હરિભદ્રનું નામ છે જ. વળી હૈમ બૃહન્યાસ (પૃ.૧)માં પણ એ
સૂરિનો ‘નવાર્ય બદ્રવત્' દ્વારા ઉલ્લેખ છે. ૨. આ ગિરિજાશંકર મયાશંકર શાસ્ત્રીએ યોજેલી અને ઈ.સ. ૧૯૩૧માં પ્રકાશિત હૈમ-બૃહ-પ્રક્રિયામાં પરિશિષ્ટરૂપે
અપાયો છે; બાકી આ ગણપાઠ એના સ્વપજ્ઞ સ્પષ્ટીકરણપૂર્વક પૃથક્ સ્વરૂપમાં કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયો હોય એમ જણાતું નથી. આ બૃહત્ પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમ ગોહવાયેલાં સૂત્રોની સ્વપજ્ઞ (હૈમ) બ્રહવૃત્તિના ઉપયુક્ત અંશ દ્વારા સમજણ અપાઈ છે.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૭૩-૭૬]
૪૩
બ્રહવૃત્તિ-અવચૂર્ણિકા–જયાનંદના શિષ્ય અમરચન્દ્ર વિ. સં. ૧૨૬૪માં અવચૂર્ણિકા રચી છે. P ૭૫ કેટલાકને મતે તો આ સિ. હે.ની બૃહદ્વચૂરિ છે, પરંતુ મુદ્રિત કૃતિ તપાસતાં તો વસ્તુસ્થિતિ ભિન્ન માલમ પડે છે. આ મુદ્રિત અવચૂર્ણિકામાં ૧૦૭ સૂત્રો જતાં કરાયાં છે એટલે કે એ ૭૫૭ સૂત્રોની બૃહદ્રવૃત્તિ પૂરતી અવચૂર્ણિકા છે. એમાં અને કનકપ્રભકૃત લઘુન્યાસમાં પ્રાયઃ સામ્ય જોવાય છે. કેટલીક વાર અમરચન્દ્ર નવીન બાબતો પણ રજૂ કરી છે. એથી એનો ઉપયોગ આનંદબોધિનીમાં કરાયો છે.”
આ અવચૂર્ણિકા (પૃ. ૩) માં સિ. હે. બીજાં બધાં વ્યાકરણોથી શા માટે ચડિયાતું છે તેની ચર્ચા કરતાં એવો ઉલ્લેખ કરાયો છે કે એ અતિવિસ્તર્ણ કે વિપ્રકીર્ણ નથી તેમજ એ કાતંત્રની જેમ સંકીર્ણ નથી. આ અવચૂર્ણિકા (પૃ. ૪-૫)માં કહ્યું છે કે પ્રથમના સાત અધ્યાય ચતુષ્ક, આખ્યાત, કૃતું અને તદ્ધિત એ ચાર પ્રકરણોમાં વિભક્ત છે. તેમાં સંધિ, નામ, કારક અને સમાસ એ ચારના સમુદાય રૂપ “ચતુષ્કર્મ છે. એમાં દસ પાદ છે. “આખ્યાત'માં છે પાદ છે. “કૃત્માં ચાર પાદ છે. ‘તદ્ધિત'માં આઠ પાદ છે. આમ જે અહીં ચાર પ્રકરણ ગણાવાયાં છે તેને “પ્રકરણ’ ન કહેતાં કેટલાક ‘વૃત્તિ' કહે છે.
બૃહદવૃત્તિ-સારોદ્વાર-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૬)માં આની નોંધ છે. કર્તાનું નામ અપાયું P ૭૬ નથી. આની બે હાથપોથી વિ. સં. ૧૫૨૧માં લખાઈ છે અને એ મળે છે.
બૃહદવૃત્તિ-ટુંઢિકા-સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૯૧માં આ ઢુંઢિકા રચી છે.
બ્રહવૃત્તિ-દીપિકા-વિજયચન્દ્રસૂરિ અને હરિભદ્રસૂરિના શિષ્ય માનભદ્રના શિષ્ય વિદ્યાકરે આ દીપિકા રચી છે.
કક્ષાપટવૃત્તિ-સ્વોપજ્ઞ બ્રહવૃત્તિ ઉપરની આ ટીકા છે. એનું પરિમાણ ૪૮૧૮ શ્લોક જેવડું છે. જૈ. ગ્રં. (પૃ. ૨૯૯)માં આ ટીકાનો કક્ષાપટ તેમજ “બૃવૃત્તિ-વિષમ-પદ-વ્યાખ્યા” તરીકે ઉલ્લેખ છે.
બ્રહવૃત્તિ-ટિપ્પન-વિ. સં. ૧૬૪૬માં કોઈકે આ ટિપ્પન રચ્યું છે. બલાબલવૃત્તિ-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭) પ્રમાણે આ બ્રહવૃત્તિના સંક્ષેપરૂપ છે.
હૈમોદાહરણવૃત્તિ-આ નાનકડી અજ્ઞાતકર્તુક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે. આનું નામ વિચારતાં એમ લાગે છે કે આ કૃતિ હૈમ બ્રહવૃત્તિમાંનાં ઉદાહરણોના સ્પષ્ટીકરણરૂપ હશે.
પરિભાષા-વૃત્તિ-આ ૪000 શ્લોક જેવડી છે એમ બૃ. ટિ.માં ઉલ્લેખ છે. ૧. સિ. હે.ના પ્રથમ નવ પાદ પૂરતી આ અવચૂર્ણિકા “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત કરાઈ છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે સિ. હે.ના પહેલા સાત અધ્યાયનાં સૂત્રો અને દ્વિતીય પરિશિષ્ટ તરીકે ૧૦૦૬ ઉણાદિસૂત્રો અપાયાં છે. આ અવચૂર્ણિકાની હાથપોથીમાં ‘પ્રથમ પુસ્તિકા લખી' એવો ઉલ્લેખ છે તો શું બાકીનો
ભાગ રચાયો હશે કે કેમ ? તે જાણવું બાકી રહે છે. ૨. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનની પ્રસ્તાવના (પૃ. ૭) ૩. પાણિનીય અષ્ટા.ના ૧-૩-૨. ૧-૩-૩. ૧-૧-૬૦ અને ૧-૩-૯ એ ચાર સુત્રોની ગરજ સિ. હે.નું ૧-૧
૩૦ સૂત્ર સારે છે. ૪. પાણિનીય અષ્ટા.માં નામ-પ્રકરણને અનુસરતાં સૂત્રો છૂટાછવાયાં અપાયાં છે. આવી હકીકત બીજાં પણ કેટલાંક પ્રકરણો અંગે જોવાય છે.
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
સિદ્ધહેમસરસ્વતી- આ. ધુરન્ધરસૂરિની આ પદ્યટીકા જૈન સાહિત્ય વ. સભાએ સં. ૨૦૨૦માં પ્રગટ કરી છે. P ૭૭ બૃહવ્યાસ ‘શબ્દમહાર્ણવ યાને તત્ત્વપ્રકાશિકાપ્રકાશ–“ન્યાસ'નો અર્થ થાપણ' થાય છે. એના
બીજા પણ અનેક અર્થો છે, પરંતુ વ્યાકરણના ક્ષેત્રમાં એનો અર્થ વ્યાકરણના સૂત્રપાઠ જેવા અંગની વૃત્તિનું વિવરણ એમ થતો હોય એમ કેટલાક ન્યાસો જોતાં જણાય છે. ગમે તેમ પણ આવો પ્રયત્ન “કલિ.” હેમચન્દ્રસૂરિએ કર્યો છે. આ સૂરિએ સ્વપન્ન બૃહવૃત્તિને અંગે ન્યાસ રચ્યો છે. આ ન્યાસ અ. ૧-૭ પૂરતી સ્વોપન્ન બૃહવૃત્તિને તો સવાગે સ્પર્શે છે. વ્યાકરણને લગતા તમામ વિષયોને અહીં ચર્ચવામાં આવ્યા છે. પરંતુ કમનસીબે આ મહામૂલ્યશાળી ગ્રંથ સંપૂર્ણપણે સચવાઈ રહ્યો નથી. એનું પરિમાણ ૮૪000 શ્લોક જેવડું હોવાનું કહેવાય છે. તેમાંથી લગભગ ચોથા ભાગ જેટલો અંશ આજે મળે છે. પ્રથમ અધ્યાયના પ્રથમ પાદમાં ૪૨ સૂત્રો છે, પરંતુ આ બૃહવ્યાસ તો પહેલાં ૩૮ સૂત્ર સુધીનો જ મળે છે બાકીનાં ચારને અંગેનો મળતો નથી. આ અધ્યાયના બીજા પાકને અંગે સમૂળગો મળતો નથી. બાકીના બે પાદોને અંગે સંપૂર્ણપણે મળે છે. બીજા અધ્યાયના ચારે પાદો ઉપર પરિપૂર્ણ સ્વરૂપમાં મળે છે. આગળ જતાં ત્રીજા અધ્યાયના ચોથા પાદને અંગે અને પછી તો છેક સાતમા અધ્યાયના ત્રીજા પાકને અંગે આ ન્યાય મળે છે. આમ અધ્યાય ૪-૬ તો સર્વથા ન્યાસ વિનાના છે. બૃહવૃત્તિ આઠમા અધ્યાયને સ્પર્શતી રચાઈ હોય એમ જણાતું નથી
એટલે એના વિવરણરૂપ બૃહસ્યાસ આઠમા અધ્યાયને અંગે રચાયો જ ન હોય તો એ સ્વાભાવિક છે. P ૭૮ લઘુ ન્યાસ – કલિ.’ હેમચન્દ્રસૂરિના બહુશ્રુત શિષ્ય “કવિકટારમલ્લ,’ સ્વાતપ્રિય અને પસો
પ્રબંધના કર્તા રામચન્દ્રસૂરિએ ત્રેપન હજાર (૫૩000) શ્લોક જેવડો આ ન્યાસ રચ્યો છે. વળી ધર્મઘોષસૂરિએ નવ હજાર શ્લોક પૂરતો લઘુન્યાસ રચ્યો છે. કેટલાકને મતે “કલિ.' હેમચન્દ્રસૂરિએ જાતે લઘુ ન્યાસ રચ્યો છે.
બૃહસ્થાસદુર્ગપદવ્યાખ્યા યાને ચાસસાર-સમુદ્ધાર કિંવા ન્યાસોદ્ધાર-ચંદ્ર ગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે જે ન્યાસ રચ્યો છે એ હેમચન્દ્રસૂરિકૃત બૃહસ્યાસના સંક્ષેપરૂપ છે. એથી એનું લઘુ ન્યાસ એવું નામ યોજાયું છે. કનકપ્રભે પોતે તો પ્રારંભમાં એને બૃહસ્યા દુર્ગપદ-વ્યાખ્યા તરીકે અને અંતમાં પ્રશસ્તિમાં ન્યાસસાર-સમુદ્ધાર તરીકે ઓળખાવ્યો છે. ૧. સિ. હે.ના પહેલાં ૩૮ સૂત્રો પૂરતો બૃહસ્યાસ એ સૂત્રો અને એની બૃહદ્રવૃત્તિ સહિત “હૈ. સ.” તરફથી ઈ.
સ. ૧૯૨૧માં છપાવાયો ત્યાર બાદ શ્રીવિજયલાવણ્યસૂરિએ અ.૧, પા. ૧નાં છેલ્લાં ચાર સૂત્રો તેમજ બીજા પાદનાં તમામ સૂત્રો ઉપર વ્યાસ રચ્યો છે. એ સિ. હે. (અ. ૧) જે બ્રહવૃત્તિ વગેરે સહિત “જૈન ગ્રંથ પ્રકાશક
સભા” તરફથી છપાયેલ છે તેમાં અપાયો છે. ૨, જિ. ૨. કો. (નં. ૧, પૃ. ૩૬૫)માં આનો મહાર્ણવ તરીકે પણ ઉલ્લેખ છે. ૩. બુ. ટિ ના સમયમાં પણ આટલો જ ન્યાસ મળતો હતો. ૪. વિ. સં. ૧૫૧૭માં ભોજપ્રબન્ધ રચનારા રત્નમંદિગણિએ ઉપદેશતરંગિણીના પ્રથમ તરંગ (પત્ર ૧૩)માં
સિદ્ધરાજ જયસિંહે રામચન્દ્રસૂરિની શીધ્ર કાવ્ય-શક્તિથી પ્રસન્ન થઈ બિરુદ એમને આપ્યાનો ઉલ્લેખ છે. પ. જુઓ નાટ્યદર્પણને લગતું મારું લખાણ પૃ. ૧૮૧. ૬. આ લઘુન્યાસ બૃહવૃત્તિ અને સિ. હે. (અ. ૧-૭) સહિત શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી વિ. સં. ૧૯૬૨માં છપાવાયો છે. [આનું પુનઃ સંપાદન ૫. વજસેન વિ., મુનિરત્નસેન વિ. એ કર્યું છે. પુસ્તકાકારે ત્રણભાગમાં ભેરુમલ કનૈયાલાલ ટ્રસ્ટ મુંબઇથી પ્રસિદ્ધ છે.]
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૭૭-૮૦]
૪૫
ન્યાસસારોદ્ધારટિપ્પણ– અજ્ઞાતકર્તુક કૃતિની વિ. સં. ૧૨૭૯માં લખાયેલી હાથપોથી મળે છે.
પ્રાકૃતરૂપસિદ્ધિ-આને અંગે બૃ. ટિમાં એવો ઉલ્લેખ છે કે એ હૈમપ્રાકૃતબૃહવૃત્તિની અવસૂરિરૂપ છે. એના કર્તા “માલધારી’ પં. નરચંદ્ર છે અને એ અવચૂરિ ૧૬૦૦ શ્લોક જેવડી છે.
પ્રાકૃતવૃત્તિડુંઢિકા, પ્રાકૃત દીપિકા કિંવા પ્રાકૃતપ્રબોધ–આ મલધારી' ગચ્છના ઉપા) નરચંદ્રની આઠમાં અધ્યાયની અવચૂરિ છે. ન્યાયકંદલીની ટીકામાં રાજશેખરે એનો ઉલ્લેખ કર્યો છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭)માં નોંધ છે. આ બંને ઉલ્લેખોનો વિચાર કરતાં આ કૃતિઓ અભિન્ન જણાય છે.
P ૭૯ હૈમટુંઢિકા-આ નામની બે કૃતિ છે. એક કૃતિ ૮000 શ્લોક જેવડી છે અને કેટલાકને મને એ ૫OOO શ્લોક જેવડી છે. એ કૃતિ સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૯૧માં રચી છે. એ ચતુષ્ક, આખ્યાત, કૃત અને તદ્ધિત એ ચારને અંગેની છે.
બીજી કૃતિ ૨૩00 શ્લોક જેવડી છે. એને જ કેટલાક હૈમટુંઢિકાવૃત્તિ કહે છે. એના કર્તા તરીકે ઉદયસૌભાગ્યનો ઉલ્લેખ જોવાય છે.
પ્રાકૃતવૃત્તિડુંઢિકા યાને વ્યુત્પત્તિ-દીપિકા-આ બૃહત્ તપા' ગચ્છના સૌભાગ્યસાગરસૂરિના શિષ્ય હૃદયસૌભાગ્યની વિ. સં. ૧૫૯૧ની રચના છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં હૈમચતુર્થપાદવૃત્તિ તરીકે હૃદયસૌભાગ્યની જે કૃતિની નોંધ છે તે આ જ હોય એમ લાગે છે.
પ્રાકૃતપદાવચૂરિ-આ ૭૩૮ શ્લોક જેવડી અવચૂરિ હરિપ્રભસૂરિએ રચી છે.
પ્રાકૃતવૃત્તિદીપિકા યાને હૈમદીપિકા-આ ૧૫00 શ્લોક જેવડી કૃતિ દ્વિતીય હરિભદ્ર રચી છે. જે. ગ્રં. (પૃ. ૩OO)માં નોંધાયેલી હૈમદીપિકા તે આજ છે.
દોધકવૃત્તિ-આ આઠમાં અધ્યાયની વૃત્તિ છે.' હૈમદોધકર્થ-આની ૧૩ પત્રની હાથપોથીની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે.
દીપિકા-જિનસાગરની આ ૬૭૫૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે. અહીં એક અજ્ઞાતકર્તૃક દીપિકાનો પણ ઉલ્લેખ છે. અષ્ટાધ્યાયતૃતીયપદવૃત્તિ-આ વિનયસાગરસૂરિની રચના છે.
P ૮૦ હૈમદશપાદવિશેષ અને હૈમદશપાદવિશેષાર્થ–આ બે કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૨૯૯)માં છે.
પ્રક્રિયા-ગ્રન્થો પ્રક્રિયા-પ્રક્રિયારૂપ કૃતિ એ સાધનિકાને લક્ષીને મૂળ સૂત્રોના ક્રમમાં પરિવર્તન કરી એનું વિવરણ પૂરું પાડે છે. એ પ્રયોગો તૈયાર કરવામાં–સિદ્ધ કરવામાં સહાયક બને છે એ લાભ છે; પરંતુ સૂત્રોનો ક્રમ, એનું બલાબલ, ઉત્સર્ગ, અપવાદ, પ્રત્યયવાદ, સૂત્રો રચવાનાં પ્રયોજનો, એ રચનાને લગતા સૂક્ષ્મ ૧. આ વૃત્તિ પાટણની “હૈ. સ.” તરફથી છપાવાયેલી છે. [દોધકવ્યાખ્યાલેશ : કર્તા સુમતિરત્ન, અપ્રગટ છે.]
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
નિયમો વગેરે બાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી બુદ્ધિનો જે વિકાસ થાય તે લાભ આ પ્રક્રિયાથી ન થઈ શકે. એ માટે તો મૂળ પ્રણેતાએ જે ક્રમે સૂત્રો રચ્યાં હોય તે જ ક્રમે એનો અભ્યાસ થવો ઘટે.
૪૬
હૈમ-(લઘુ)-પ્રક્રિયા (વિ. સં. ૧૭૧૦)-આના કર્તા વિનયવિજયગણિ છે. એઓ સોમવિજય પાસે ભણ્યા હતા. એ સોમવિજય તે એમના દીક્ષા-ગુરુ ઉપા. કીર્તિવિજયના સંસારી અવસ્થાના સગા ભાઈ થતા હતા અને દીક્ષિત અવસ્થામાં ગુરુભાઈ થતા હતા એ વિનય-વિજયગણિના પિતાનું નામ તેજપાલ P૮૧ હતું અને એમની માતાનું નામ રાજશ્રી હતું. એઓ ‘વણિક’ જ્ઞાતિના હશે. એઓ વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં કાળધર્મ પામ્યા હતા. એમણે વિ. સં. ૧૬૯૬માં ૫જ્જોસવણાકપ્પ ઉપર સુબોધિકા નામની ટીકા સંસ્કૃતમાં રચી છે. એ વેળા એમની ઉમ્મર પાંત્રીસેક વર્ષની હશે.પ એ હિસાબે એમનો જન્મ વિ. સં. ૧૬૬૧માં થયેલો ગણાય. એમણે સંસ્કૃતમાં તેમજ ગુજરાતીમાં કૃતિઓ રચી છે. એ પૈકી સંસ્કૃત કૃતિઓ નીચે મુજબ છે :
અર્હન્નમસ્કારસ્તોત્ર, આનંદલેખ, ઈન્દુન્દૂત, જિનસહસ્રનામસ્તોત્ર, નયકર્ણિકા, બ્લોકપ્રકાશ, 11શાન્તસુધારસ, પભ્રંશજ્જલ્પસંગ્રહ અને સુબોધિકા તેમજ આ હૈમલઘુપ્રક્રિયા અને એની સ્વોપજ્ઞ ટીકા.
૧. શ્રીવિજયદર્શનસૂરિજીના શિષ્ય મુનિશ્રી પ્રિયંકરવિજયજીના ટિપ્પણપૂર્વક આ પ્રક્રિયા વિ. સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એ આવૃત્તિને ‘‘શ્રીનેમિ-દર્શન-પ્રિયંકર-ગ્રંથ-રત્ન-૨' તરીકે ઓળખાવાઈ છે. આમાં ‘સંજ્ઞાધિકાર’ પછી પરિભાષા-પ્રકરણ સંપાદકે ઉમેર્યું છે અને પૃ. ૯માં એની નોંધ લેતાં એ બહુ ઉપયોગી હોવાથી તેમ કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
૨. જુઓઃ લોકપ્રકાશ (સ. ૧)નું અંતિમ પદ્ય.
૩. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું શ્રી મોતીચંદ ગિ. કાપડિયાનું વિવેચન (પૃ. ૩૯)
૪. આની દ્વિતીય આવૃત્તિ “દે. લા. જૈ. પુ. સં.’” તરફથી પેજજોસવણાકપ્ટ સહિત ઈ.સ. ૧૯૨૩માં છપાવાઈ છે. ૫. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું ઉપર્યુક્ત વિવેચન (પૃ. ૪૮)
૬. આ કૃતિ દેશવિરતિ ધર્મારાધક સમાજ' તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રકાશિત શ્રીપ્રશસ્તિસંગ્રહમાં પૃ. ૯૬૧૧૯માં છપાવાઈ છે. એમાં વિવિધ બંધોથી વિભૂષિત પદ્યો છે. એ મારો જે લેખ નામે “Illustrations of Letter-diagrams” મુંબઈ વિદ્યાપીઠના સામયિકમાં કટકે કટકે છપાય છે તેમાં (Arts No. 30, pp. 127-128)માં અપાયાં છે.
૭. આ કાવ્ય “કાવ્યમાલા'' (ગુ. ૧૪)માં છપાયું છે.
૮. આ સ્તોત્ર ‘વીરસમાજ'' તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૮૧માં છપાવાયું છે.
૯. આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત શ્રી. મોહનલાલ દ. દેશાઈ દ્વારા ઈ.સ. ૧૯૧૦માં છપાવાઈ છે. ૧૦. આ ગ્રંથ દે. લા. જૈ. પુ. સં.' તરફથી ચાર ભાગમાં અનુક્રમે ઈ.સ. ૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૭માં પ્રકાશિત કરાયો છે. [પં. વજ્રસેનવિજયજીએ સંપાદિત કરેલ લો. પ્ર.ની ભદ્રંકર પ્રકાશન અમદાવાદથી બે આવૃત્તિ પ્રગટ થઇ છે.]
૧૧. આ કૃતિ ગંભીરવિજયગણિકૃત ટીકા સહિત ‘જૈન ધર્મ પ્રસારક સભા’ તરફથી વિ. સં. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાઈ છે. મોતીલાલ ગી. કાપડિયાના વિવેચન સાથે શા. સુ. મહાવીર વિદ્યાલય દ્વારા પ્રસિદ્ધ છે. મુનિશ્રી ધુરંધર વિ.ના સમ શ્લોકી અનુવાદ સાથે પણ કારસાહિત્યનિધિ દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.]
:
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૮૦-૮૩]
૪૭.
એમણે વિ. સં. ૧૭૧૦માં આ હૈમલઘુપ્રક્રિયા રચી છે. મુદ્રિત આવૃત્તિ પ્રમાણે એ ત્રણ વૃત્તિમાં વિભક્ત 2 ૮૨ છે. ૨૧૬મા પૃષ્ઠ ઉપર પ્રથમ વૃત્તિ પૂરી થાય છે ત્યાં પૂર્વાર્ધ પૂર્ણ થયાનો ઉલ્લેખ છે. ઉત્તરાર્ધનો પ્રારંભ ‘આખ્યાત”થી થાય છે. ત્રીજી વૃત્તિની શરૂઆત “કૃદંતથી કરાઈ છે. મંગલાચરણરૂપે પણ પદ્યો રચી સંજ્ઞાપ્રકરણની સમજણ ૩) પદ્યોમાં અપાઈ છે. ત્યાર બાદ ૪ સંધિ, ૧૬ લિંગ, પુષ્પદસ્મ, અવ્યય, સ્ત્રીલિંગ, કારક, સમાસ, તદ્ધિત ઇત્યાદિ પ્રકરણો વિચારાયાં છે. અંતમાં પાંચ પદ્યોની પ્રશસ્તિ છે.
હૈમપ્રકાશ યાને હૈમપ્રક્રિયા-બૃહયાસ (વિ. સં. ૧૭૩૭) આ ઉપર્યુક્ત હેમલઘુ-પ્રક્રિયાને અંગેની બૃહદ્રવૃત્તિ છે. એને કેટલાક ‘ન્યાસ' કહે છે. એનું પરિમાણ ૩૪૦૦૦ શ્લોક જેવડું છે. એના કર્તા વિનયવિજયગણિ છે. આમ આ સ્વપજ્ઞ રચના છે. આનું રચના-વર્ષ વિ. સં. ૧૭૯૭ છે એમ જિ. ૨. કો. (ખ. ૧, પૃ. ૪૬૨)માં ઉલ્લેખ છે, પણ એ બ્રાંત છે. સિ. હે. (૧-૨-૧) ઉપરના અર્થાત્ “સમાનાનાં તેન તીર્ષ:' ઉપરના હૈમપ્રકાશ (પૃ. ૬૨)માં કનકપ્રભકૃત લઘુન્યાસથી ભિન્ન મત દર્શાવાયો છે. આની આલોચના શ્રીવિજયલાવણ્યસૂરિજીએ સિ. હે. (અ. ૧)ની એમની આવૃત્તિ (પૃ. ૮૮)માં કરી છે. આ હેમપ્રકાશમાં હૈમ બૃહસ્યાસ, પ્રૌઢ-મનોરમા, સિદ્ધાન્તકૌમુદી, વાક્યપ્રકાશ અને વાક્યપદીય P ૮૩ તેમજ વૈયાકરણભૂષણસાર જેવી લગભગ સમકાલીન કૃતિનો ઉપયોગ કરાયો છે.
હૈમ-પ્રક્રિયાઓ-પાણિનીય અષ્ટા.ને અંગે પ્રક્રિયાની દૃષ્ટિએ જેમ ભટ્ટોજિ દીક્ષિતે સિદ્ધાન્તકૌમુદી રચી છે તેમ વિવિધ ગ્રંથોના પ્રણેતા ઉપા. મેઘવિજયગણિએ સિ. તેને અંગે લઘુ, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ ત્રણ પ્રક્રિયાઓ રચી છે એમ કહેવાય છે.
પચન્દ્રપ્રભા યાને હૈમકૌમુદી (વિ. સં. ૧૭૫૭)-આ મેઘવિજયગણિએ સિદ્ધાન્તકૌમુદીના અનુકરણરૂપે સિ. હે. (અ. ૧-૭)ને અંગે રચેલી પ્રક્રિયા છે. પ્રારંભમાં બે પદ્યો છે. ત્યાર બાદ પરિભાષા, અસંધિ, વ્યંજન-સંધિ ઇત્યાદિ વિષયો આલેખતી વેળા શરૂઆતમાં ઋષભદ્ર, અજિતનાથ એમ એકેક તીર્થકરની સ્તુતિરૂપ પદ્ય છે. મુદ્રિત પુસ્તક પ્રથમવૃત્તિ અને દ્વિતીયાવૃત્તિ એ બે ભાગમાં વિભક્ત કરાયું છે. પ્રથમવૃત્તિના અંતમાં ૧૬ પદ્યની પ્રશસ્તિ છે અને એમાં વિ. સં. ૧૭૫૭માં ૧. જુઓ પૃ. ૨૧૬, ૩૬૬ અને ૪૧૪. ૨. સ્વર-સંધિ, અ-સંધિ, વ્યંજન-સંધિ અને રેફ-સંધિ. કેટલીક વાર કોઈ કોઈ પુસ્તકમાં આ ચાર સંધિમાં સ્વાદિ
સંધિ ઉમેરી પાંચ ગણાવાય છે. ૩. સ્વરાંત શબ્દોનાં તેમજ વ્યંજનાત શબ્દોનાં ત્રણ ત્રણ લિંગ. ૪. ઉપા. ક્ષમાવિજયગણિ (વિજયક્ષમાભદ્રસૂરિ) દ્વારા સંપાદિત આ કૃતિનો પ્રથમ વૃત્તિ પૂરતો ભાગ ઈ. સ. ૧૯૩૭માં પ્રસિદ્ધ થયો છે. આખ્યાત અને કૃદંતને અનુક્રમે ચર્ચતી બીજી બે વૃત્તિ પૂરતો ભાગ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે. પ્રથમ ભાગમાં એ ભાગ પૂરતાં સિ. હે.ના સૂત્રોની, ન્યાયોની અને ગણોની અકારાદિ ક્રમે
સૂચી અપાઈ છે. ૫. આ કૃતિ “જૈન શ્રેયસ્કર મંડલ” તરફથી ઈ. સ. ૧૯૨૮માં છપાઈ છે. અંતમાં હૈમ-ધાતુપાઠ, અનુબંધ-ફળ (શ્લો. ૧-૧૦) વૃતગણફલ (ગ્લો. ૧-૬), અનિકારિકા (શ્લો. ૧-૭), સંગ્રહ-શ્લોક (શ્લો. ૧-૧૯) તેમજ ચન્દ્રપ્રભાને અંગે કામમાં લેવાયેલા સિ. હે.ના સૂત્રોની અકારાદિ ક્રમે સૂચી અપાયાં છે. દ, ‘ખરતર’ ગચ્છના કૃપાચન્દ્રસૂરિએસિ.હે.ના આઠમા અધ્યાયગત પ્રાકૃત વ્યાકરણસિદ્ધાન્તકૌમુદીની શૈલીએ રચ્યું છે. ૭. જુઓ પૃ. ૨૫૭-૧૫૮.
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૪૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
“ચન્દ્રપ્રભા રચાયાનો ઉલ્લેખ છે. દ્વિતીયા વૃત્તિના અંતમાં એક પદ્ય છે પણ એમાં રચના-વર્ષનો
નિર્દેશ નથી. પુષ્મિકામાં આને બ્રહ-પ્રક્રિયા કહી છે. પૃ. ૧૫૮ના અંતમાં બે પદ્ય છે. તેમાં પ્રથમ 'P ૮૪ વૃત્તિ પૂર્ણ કરાયાનો ઉલ્લેખ છે. પુષ્મિકામાં પણ તેમજ છે. એ હિસાબે તો ત્રણ વૃત્તિ ગણાય અને તદ્ધિત-પ્રકરણથી બીજી વૃત્તિની શરૂઆત મનાય.
સિ. હે. (૧-૪-૯૨) રૂપ “ટા સ્વરે વા'' ને લગતી પ્રક્રિયા (પૃ. ૪૦)માં :, શિર ઇત્યાદિ રૂપો દર્શાવતી વેળા પાણિનીય અખા.નો, નહિ કે સિ. હે.નો, આધાર લેવાયો છે અને એ સ્કૂલન ગણાય એમ કેટલાક કહે છે.
હૈમપ્રક્રિયા-આની રચના મહેન્દ્રસુત વીરસેને કરી છે.
હૈમપ્રક્રિયાશબ્દસમુચ્ચય–આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)માં જોવાય છે. આના જ આધારે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૬૨)માં આ કૃતિની નોંધ લેવાઈ છે.
શ્રીહેમશબ્દસંચય-અમરચન્દ્રકૃત અવચૂર્ણિની પ્રસ્તાવના (પૃ. ૭)માં આ નામનો ગ્રંથ જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)ને આધારે નોંધતાં કહ્યું છે કે એની ૪૩૬ પત્રની એક હાથપોથી પાટણના ભંડારમાં છે અને એના કર્તા અમરચન્દ્ર છે. આ અમરચન્દ્ર તે ઉપર્યુક્ત અવચૂર્ણિકાર જ હશે.
જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૬૩)માં જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)ના ઉલ્લેખપૂર્વક ૪૨૬ શ્લોક જેવડી હૈમશબ્દસંચય નામની અને અમરચન્દ્ર રચેલી કૃતિની નોંધ છે. P ૮૫ હૈમશબ્દસમુચ્ચય-આ નામની અને ૪૯૨ શ્લોક જેવડી કૃતિની નોંધ જિ. ૨. કો. (ખંડ, ૧, પૃ. ૪૬૩)માં છે અને એની એક હાથપોથી પાટણના ભંડારમાં હોવાનો અહીં ઉલ્લેખ છે.
આમ જે ત્રણ કૃતિની ભિન્ન ભિન્ન નોંધ છે તે શું ખરેખર પૃથક્ પૃથક કૃતિ છે ?
હૈમકારકસમુચ્ચય-આ શ્રીપ્રભસૂરિની રચના છે. એ શીખાઉને માટે ઉપયોગી છે અને એ ત્રણ અધિકારમાં વિભક્ત છે એમ જે. ગ્રં. (પૃ. ૩૦૨)માં કહ્યું છે.
હૈમવિભ્રમ (વિક્રમની બારમી સદી)- કાતંત્રવિભ્રમ તરીકે ઓળખાવાતી એક કૃતિમાં ૨૧ કારિકા છે. એ વ્યાકરણને અંગેના કોયડાની ગરજ સારે છે, કેમકે અહીં અપાયેલાં કેટલાંક રૂપો સામાન્ય ૧.જિ. ૨. કો. (ખંડ ૧, ૫. ૧૨૦) પ્રમાણે આ ચન્દ્રપ્રભા ૧૮000 શ્લોક જેવડી છે. ૨.સિ. હે. (અ. ૧-૭)ને અંગે લઘુ, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ પ્રકારની હેમપ્રભા નામની પ્રક્રિયા “તીર્થોદ્ધારક' વિજયનેમિસૂરિએ અને આ જાતની ત્રણ પ્રક્રિયા નામે સિદ્ધપ્રભા “આગમોદ્વારકઆનન્દસાગરસૂરિએ રચી છે અને એ બધી (છ યે) પ્રસિદ્ધ થયેલી છે. આ ઉપરાંત ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપા. મંગળવિજયજીએ ધર્મદીપિકા નામની પ્રક્રિયા અ. ૧-૭ ને અંગે રચી છે અને એ પણ છપાયેલી છે. ગિરજાશંકર મયાશંકર
શાસ્ત્રીએ હૈમ-બૃહ-પ્રક્રિયા રચી છે અને એ પણ પ્રસિદ્ધ થયેલી છે. ૩. આ કૃતિ ગુણચન્દ્રસૂરિકૃત તત્ત્વપ્રકાશિકા નામની વૃત્તિ સહિત “ય. જે. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૯માં પ્રકાશિત કરાઈ છે. એમાંનું છઠું પદ્ય અવચૂર્ણિ સહિત છપાયેલી કૃતિમાં નથી. વળી આ આવૃત્તિમાં ૧૮ અંકવાળાં બે
પદ્યો છે. એ હિસાબે બાવીસ પદ્યો ગણાય. ૪. આના કર્તાનું નામ જાણવામાં નથી.
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૮૩-૮૭]
૪૯
રીતે સુગમતયા એક જાતનાં જણાતાં હોય તે અન્ય પ્રકારનાં છે અને જે રૂપ ઉપલક દૃષ્ટિએ અશુદ્ધ લાગે તે શુદ્ધ છે એવી મતલબના ઉલ્લેખ આ કારિકાઓમાં છે. દા. ત. શોમનેષુ એ “શોભનનું સાતમીનું બહુવચનનું રૂપ છે, છતાં એની અહીં ના પડાઈ છે, કેમકે એ મન અને રૂપુથી બનેલો “બહુવ્રીહિ' સમાસરૂપ હોઈએ નાન્યતર જાતિનું પ્રથમાનું એક વચનનું રૂપ ગણી શકાય તેમ છે. એવી રીતે રાખ્યું: એ અશુદ્ધ રૂપ લાગે, પરંતુ રાગનું અને રૂખ્યથી ઉદ્ભવેલા ‘તપુરુષ' સમાસનો વિચાર કરતાં એ પ્રથમાના એકવચનના રૂપ તરીકે સિદ્ધ થઈ શકે તેમ છે. આવી વ્યાકરણવિષયક વિલક્ષણતાને લઈને આ નાનકડી P ૮૬ કૃતિ મહત્ત્વની ગણાય એ સ્વાભાવિક છે. કેટલાક કોયડા એક જ જાતના છે અને કોઈ કોઈ વાર એક જ કોયડો ફરીથી રજૂ કરાયો છે તો તેમ ન થયું હોત તો આ કૃતિના મહત્ત્વમાં વૃદ્ધિ થાત. ગમે તેમ પણ અત્યારે જે સ્વરૂપે આ કૃતિ યોજાયેલી મળે છે તે જટિલ છે એટલે કોયડાના ઉકેલરૂપ વિવરણની આવશ્યકતા સહેજે રહે છે. આ કાર્ય કેટલાંકે કર્યું છે.
તત્ત્વપ્રકાશિકા-આ ઉપર્યુક્ત કૃતિની ગુણચન્દ્રસૂરિએ રચેલી વૃત્તિ છે. આ વૃત્તિમાં આ સૂરિએ પોતાનો પરિચય દેવસૂરિના ચરણકમળને વિષે ભ્રમર એમ આપ્યો છે. એ દેવસૂરિ તે “કલિ.” હેમચન્દ્રસૂરિના સમકાલીન અને એમનાથી વયોવૃદ્ધ અ “વાદી’ દેવસૂરિજ હશે એમ લાગે છે. અંતિમ પદ્યમાં આ ગુણચન્દ્રસૂરિએ કક્કલનો વિજય વાંછતી વેળા એમને અંગે જે વિશેષણો વાપર્યા છે તે ઉપરથી આઠ વ્યાકરણના જ્ઞાતા અને સિ. હે.ના અધ્યાપક ‘કાયસ્થ' કાકલ અભિપ્રેત છે એમ ફલિત થાય છે. આ હિસાબે તત્ત્વપ્રકાશિકાના કર્તાનો સમય વિક્રમની બારમી સદીનો ગણાય.
આ તત્ત્વપ્રકાશિકામાં ઉપર્યુક્ત કોયડાઓના ઉકેલ માટે સિ. હે.નો ઉપયોગ કરાયો છે. એથી તો મૂળ કૃતિને કાતંત્રવિભ્રમ એ નામે ન ઓળખાવતાં કેટલાક એને હૈમવિભ્રમ કહે છે. આવી રીતે ખરતર' ગચ્છના ચારિત્રસિંહે આ કૃતિ ઉપર વિ. સં. ૧૬૨૫માં જે અવચૂર્ણિ રચી છે. તેમાં એમણે સારસ્વત P ૮૭ વ્યાકરણનો ઉપયોગ કર્યો હોવાથી એ મૂળ કૃતિને સારસ્વત-વિભ્રમ તરીકે કેટલાક ઓળખાવે છે. ઉપર્યુક્ત ગુણચન્દ્રસૂરિએ તો એમણે રચેલી વૃત્તિના પ્રારંભમાં આ વૃત્તિને તંત્રવિભ્રમની વૃત્તિ કહી છે અને એ રીતે મૂળ કૃતિને ‘તંત્રવિભ્રમ” તરીકે નિર્દેશ કર્યો છે. જો ‘તંત્ર'થી ‘કાતંત્ર અભિપ્રેત હોય તો એમના મતે મૂળ કૃતિનું નામ કાતંત્રવિભ્રમ છે. આ મૂળ કૃતિમાં કા૦ ૧માં ‘તિવું', રમાં આબત્ત, ૪માં ત્યાઘન્ત, ૮માં ટાન્ત અને સુ૫, ૧૩માં શત્રન્ત, ૧૪માં સ્યાદ્યન્ત અને ૧૮મી કારિકામાં નિર્ત ઉલ્લેખ છે તો ‘લિ એ સંજ્ઞા કાતંત્ર વ્યાકરણની તો નથી તો શું આ બધી સંજ્ઞા મૂળે પાણિનીય અષ્ટા.ની જ છે કે કેમ તેનો નિર્ણય થવો ઘટે.
તત્ત્વપ્રકાશિકાના લગભગ અંતમાં પૃ. ૩૨-૩૩માં સિદ્ધસેન દિવાકરે કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત અવતરણ અપાયું છે :૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ મારો લેખ નામે “વ્યાકરણના કોયડા અને એનો ઉકેલ.” ૨. આ ય. જૈ. ગ્રં. માં પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૫ = ૪૮ ટિ. ૩. ૩. આ અવચૂર્ણિ કાતંત્ર (સારસ્વત) વિભ્રમ, પચ્ચખાણસરૂવ, (પ્રત્યાખ્યાનસ્વરૂપ), દાનષáિશિકા, વિસેસણવઈ (વિશેષણવતી) અને વીસવીસિયા (વિંશતિવિંશિકા) સહિત “ઋ. કે. જે. સં.” તરફથી ઈ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
"स्वेदं समुद्वहति जुम्मणमातनोति, निद्रायते किमपि जल्पति वस्तुशून्यम् । __ आशा विलोकयति खं पुनरेव धात्री, भूताभिभूत इव दुर्वदकः सभायाम् ॥"
આ પદ્ય સિદ્ધસેન દિવાકરની ઉપલબ્ધ કાવિંશિકા વગેરેમાં જણાતું નથી તો એ એમની કોઈ લુપ્ત થયેલી કે કોઈ ભંડારમાં એક ખૂણે પડી રહેલી અને વિદ્વાનોની જાણ બહાર રહેલી કૃતિમાનું હશે. તેમ ન જ હોય તો આ 'અવતરણ એમને નામે ખોટું ચડાવાયું છે એમ ગણાય.'
સહસાવધાની' મુનિસુન્દરસૂરિએ વિ. સં. ૧૪૫૫માં જે ઐવિદ્યગોષ્ઠી રચી છે તેમાં (પત્ર આમાં) લક્ષણાનુગામિની અર્થાત્ વ્યાકરણવિષયક ગોષ્ઠી આલેખતી વેળા એમણે નીચે મુજબની જે બાર બાબતો રજૂ કરી છે તે હૈમવિભ્રમનું સ્મરણ કરાવે છે– એક રીતે આ જાતની નાનકડી કૃતિની ગરજ સારે છે(૧-૫) નથી એ “ઇ” ધાતુનું રૂપ છે તેમ ધી'નું પણ રૂપ છે. એવી રીતે ૩તિ એ ૩ન્ ધાતુનું પણ
રૂપ છે. “ગ્રા:' પ્રા ઉપરથી પણ ઉદ્ભવે છે. નાર્તિ એ ના ધાતુનું રૂપ છે તેમ નું પણ
છે. વળી પશ્ચષ ઉપરથી પશ્ચડૂત એવું પણ રૂપ બને છે. (૬) કયા ધાતુનાં પરસ્પર ભિન્ન-ભિન્ન ૧૩ રૂપ થાય છે એવો પ્રશ્ન ઉઠાવી 4 ઉપસર્ગપૂર્વક $
ધાતુનાં ૧૩ રૂપ દર્શાવ્યાં છે. (૭) નમ રૂપ ગમ્ ઉપરથી જ નહિ પણ ન એવા વૈદિક ધાતુ ઉપરથી પણ નિષ્પન્ન કરી શકાય તેમ છે. | (૮-૯) મા રિરામ ની સિદ્ધિ રે ધાતુ ઉપરથી દર્શાવાઈ છે. એવી રીતે મામિનીમમ માટે માર્ગદર્શન
કરાવાયું છે. (૧૦) “માસ' શબ્દનું ભાષ્યકારના મતે માત્મ્યમ્ અને દુર્ગના મતે માણ્યામ્ રૂપ થાય છે. (૧૧) ધમાં “સુનો “y' થાય કે નહિ એની ચર્ચા કરાઇ છે. (૧૨) ગુૌનીયિષતિ પ્રયોગ ‘જ્ઞા+ઓદન' ઉપરથી નિષ્પન્ન કરતી વેળા કયો ન્યાય બળવાન ગણાય
તેનો વિચાર કરાયો છે. P ૮૮ “સિદ્ધ-સારસ્વત (લ. વિ. સં. ૧૨૭૫)-મુનિદેવે વિ. સં. ૧૩૨૨માં રચેલા શાન્તિનાથ-ચરિત્રમાં
આ વ્યાકરણનો અને સાથે સાથે એના કર્તા તરીકે દેવાનંદસૂરિનો પણ ઉલ્લેખ કર્યો છે. આ દેવાનંદસૂરિ તે “ચંદ્ર' ગચ્છના દેવભદ્રના શિષ્ય થાય છે અને રત્નપ્રભ, પરમાનંદ અને કનકપ્રભ એ ત્રણના ગુરુ થાય ૧. “સિદ્ધસેનીય દ્વાáિશિકાઓમાંથી અવતરણો” નામનો મારો લેખ “આત્માનંદ પ્રકાશ” (પૃ. ૫૭, અં. ૬)માં
પ્રસિદ્ધ થયો છે. ૨. એમની જીવનરેખા અને એમના કૃતિકલાપ વિષે મેં “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” તરફથી સુરતથી વિ.
સં.૨૦૦૫માં પ્રકાશિત ઉપદેશરત્નાકરની મારી ભૂમિકા (પૃ. ૫૯-૮૨)માં વિસ્તૃત પરિચય આપ્યો છે. ૩. આ કૃતિ “લાલબાગ જૈન સંઘ” તરફથી મુંબઇથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે અને એની સંસ્કૃત
પ્રસ્તાવના આગમોદ્ધારકે લખી છે.. ૪. આ સંબંધમાં મુનિસુન્દરસૂરિએ જરૂર જણાઇ ત્યાં સિ. હે.નાં સૂત્રો રજૂ કર્યા છે અને એના સંપાદક
આગમોદ્ધારકે એ સૂત્રોનાં સ્થાન દર્શાવ્યાં છે. ૫. આની શું એકે હાથપોથી મળતી નથી કે જેથી એ જાતનો ઉલ્લેખ જિ. ૨. કો.માં જણાતો નથી ?
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૮૭-૮૯]
૫૧
છે. કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં પ્ર. ચ. રચ્યું છે. એમાં મહેન્દ્રસૂરિ ચરિત (ગ્લો ૩૨૮)માં એમણે કહ્યું છે કે દેવાનંદસૂરિએ સિ. હે.નો ઉદ્ધાર કરી સિદ્ધસારસ્વત નામનું નવીન વ્યાકરણ રચ્યું.
આ ઉપરથી એમ અનુમનાય કે સિદ્ધસારસ્વતની રચના વિ. સં. ૧૨૭૫ની આસપાસમાં થઈ હશે. આ પૂર્વે કોઈએ આ જાતનું સિ. હે.ના ઉદ્ધારરૂપે વ્યાકરણ રચ્યાનું જાણવામાં નથી. એ હિસાબે આ જાતનું આ પ્રથમ વ્યાકરણ ગણાય.
૧૧ણાદિગણસૂત્ર–ઉણાદિ એટલે કે, ઉર ઈર વગેરે (પ્રત્યય). “ઉ” એ “ઉ” પ્રત્યયનો ‘’ અનુબંધ (indicative sign) પૂર્વકનો નિર્દેશ છે. આ પ્રત્યયો દર્શાવવા માટે “કલિ.” હેમચન્દ્રસૂરિએ P ૮૯ ૧૦૦૬ સૂત્રોની રચના કરી છે. એ કૃતિને ઉણાદિસૂત્ર, ઉણાદિ ગણસૂત્ર અને ઉણાદિસૂત્રપાઠ એમ વિવિધ નામે ઓળખાવાય છે. આ કૃતિની ઉત્પત્તિ “૩ાવિયઃ' એ સિ. હે. (અ. ૫, પા. ૨)ને ૯૩મા સૂત્રને આભારી છે. આ સૂત્રની સ્વોપજ્ઞ લઘુવૃત્તિમાં “વત્ ધાતોતિયો બેહુર્ત :' એવું એનું સ્પષ્ટીકરણ છે.
ઉણાદિગણસૂત્રમાં અનુબંધ વગરના ધાતુને ઉણાદિ પ્રત્યય લગાડી શબ્દો સિદ્ધ કરાયા છે-એની વ્યુત્પત્તિ દર્શાવાઈ છે. આ સમસ્ત વ્યુત્પત્તિઓ આધુનિક ભાષાશાસ્ત્રીઓને ભલે માન્ય ન હોય, છતાં એ એક વેળાની માન્યતાની સૂચક છે એ રીતે તો એ મહત્ત્વની છે જ. વળી અહીં જે શબ્દો નોંધાયા છે તે પૈકી કેટલાયે શબ્દો દસ્ય, દ્રાવિડ અને વિદેશીય ભાષામાં પણ જોવાય છે. એનો અભ્યાસ ભાષાનાં સ્વરૂપ અને વિકાસ ઉપર તેમજ તે સમયના લોકોની રહેણીકરણી ઉપર ચૂનાધિક પ્રમાણમાં પ્રકાશ પાડે તેમ છે.
સ્વપજ્ઞ ટીકા-આનું આદ્ય પદ્ય નીચે મુજબ છે:"श्रीसिद्धहेमचन्द्रव्याकरर्णानिवेशिनामुणादीनाम् । आचार्यहेमचन्द्रः करोति विवृतिं प्रणम्याहम् ॥१॥" આના પછી ટીકાનો સમગ્ર ભાગ ગદ્યમાં અપાયો છે.
ઉપયોગ-અભિ. ચિ.ની સ્વોપજ્ઞ વિવૃતિમાં અનેક શબ્દોની સિદ્ધિ માટે આ ઉણાદિગણસૂત્રનાં "સૂત્રોનો ઉપયોગ કરાયો છે. ૧. આનું સ્વપજ્ઞ ટીકા સહિત સંપાદન, વીએનાની “ઈમ્પરિયલ એકેડેમિ ઑફ સાયન્સીસ”ની આજ્ઞા અનુસાર જોહ (Joh) કિટૈ (Kirste) એ કર્યું છે. એ “એજ્યુકેશન સોસાયટીના મુદ્રણાલય (ભાયખાલા)માં ઈ. સ.
-પ માં છપાયું છે. શરૂઆતમાં પૃ. ૧-૫૫માં અનેકાર્થસંગ્રહગત શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે. ત્યાર બાદ સ્વોપજ્ઞ ટીકા સહિત ઉણાદિગણસત્ર નામની કતિ અપાઈ છે. એના પછી ટિપ્પણ છે. ત્યાર બાદ ઉણાદિગણસૂત્રનાં સૂત્રોમાંના શબ્દો અકારાદિક્રમે રજૂ કરાયા છે. મૂળ કૃતિ નામે ઉણાદિગણસૂત્ર છે. કુ. (પૃ. ૮૨-૧૨૭)માં છપાઈ છે (જુઓ પ્ર. ૨, પૃ. ૩૪). વળી એ અમરચન્દ્રકૃત બૃહદ્વૃત્તિ-અવચૂર્ણિકાની મુદ્રિત પ્રતિમાં દ્વિતીય પરિશિષ્ટ તરીકે પણ છપાઈ છે. જુઓ પૃ. ૭૫.[ઉણાદિકોશ પણ પ્રગટ થયો છે.] ૨. અહીં ગણનો અર્થ ‘સમૂહ' સમજવાનો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧.
૪. આની એક સૂચી તૈયાર થવી ઘટે.
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
૫૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
ઉણાદિનામમાલા-આ શુભશીલની કૃતિ છે. એમાં ઉણાદિસૂત્રો દ્વારા શબ્દોની સિદ્ધિ કરાઈ છે P ૯૦ કે કેવળ એ સૂત્રો દ્વારા સિદ્ધ થતા શબ્દોની સૂચી અપાઈ છે એમ બે પ્રશ્ન ફુરે છે. જો પ્રથમ પ્રશ્નનો
ઉત્તર હકારમાં હોય તો આ વ્યાકરણને અંગેની કૃતિ ગણાય; નહિ તો એ ચોથા પ્રકરણમાં કોશ તરીકે એની નોંધ થવી ઘટે.
ધાતુપારાયણ–ધાતુપાઠ' એ શબ્દશાસ્ત્રનું એક ઉપયોગી અંગ ગણાય છે. ક્રિયાની અર્થતાને ધારણ કરે તે ધાતુ' કહેવાય, કેમકે “ધાતુ એ ક્રિયાનો વાચક છે. ધાતુ એ શબ્દનું ઉત્પત્તિસ્થાન ગણાય છે. ધાતુઓનું સંપૂર્ણ નિરૂપણ તે ધાતુ-પારાયણ” કહેવાય. આ નામની કૃતિ “કલિ.” હેમચન્દ્રસૂરિએ રચી છે. એમાં એમણે સિ. હે.માં નિર્દેશાયેલા ધાતુઓને નીચે મુજબના નવ વર્ગમાં વિભક્ત કર્યા છે:
સ્વાદિ, અદાદિ, દિવાદિ, સ્વાદિ, તુદાદિ, સુધાદિ, તનાદિ, ક્યાદિ અને ચુરાદિ. આ પ્રત્યેક વિભાગને ‘ગણ' કહે છે. આમ અહીં નવ ગણ છે.
પહેલા ગણની કશી નિશાની રખાઈ નથી. બાકીના ગણો માટે અનુક્રમે કુ, ચ, ૮, ૮, ૫, યુ, શું અને શું નો ઉલ્લેખ છે. આમ અહીં ગણસૂચક આઠ અનુબંધ છે. P ૯૧ પ્રત્યેક ગણના ધાતુઓના સ્વરાન્ત અને વ્યંજનાન્ત એમ બે વિભાગ પાડી અનુક્રમે એનો નિર્દેશ
કરાયો છે. સંસ્કૃતમાં કોઈ અકારાન્ત ધાતુ જણાતો નથી એટલે આકારાન્તથી શરૂઆત કરાઈ છે. અપવાદરૂપે “ભૂનો સૌથી પ્રથમ નિર્દેશ છે. આકારાન્ત ધાતુઓ અકારાદિ ક્રમે ન આપતાં એનો જે ક્રમથી સિ. હે. ની બૃહદ્રવૃત્તિમાં ઉલ્લેખ છે તે ક્રમથી નિર્દેશ કરાયો હોય એમ લાગે છે. બાકીના સ્વરાજો તેમજ વ્યંજનાન્ત ધાતુઓ માટે પણ આ શૈલી અપનાવાઈ છે.
ધાતુઓનો ઉલ્લેખ કરતી વેળા યથાસ્થાન ગણસૂચક અનુબંધ ઉપરાંત પદ વગેરે સૂચક નિમ્નલિખિત અનુબંધો પણ અપાયા છે :૧. આ કૃતિનું સંપાદન જોહ કિર્સ્ટ દ્વારા કરાયું છે અને એ “એજયુકેશન સોસાયટીના મુદ્રણાલયમાં ભાયખાલામાં
છપાવાઈ ઈ.સ. ૧૯૦૧માં પ્રકાશિત થયું છે. એમાં દસ ગણની વ્યવસ્થા રખાઈ છે. અંતમાં બે પરિશિષ્ટ છે. પ્રથમ પરિશિષ્ટમાં તમામ ગણના ધાતુઓ અકારાદિ ક્રમથી અપાયા છે, અને દ્વિતીય પરિશિષ્ટમાં શબ્દોની અકારાદિ કમે સૂચી છે. [ધાતુપારાયણનું વિવિધ હસ્તપ્રતોના આધારે સંશોધન મુનિ હર્ષવિજયએ શરૂ કરેલ તેનું અનેકવિધ પરિશિષ્ટો ઉમેરી મુનિ મુનિચન્દ્ર વિ. એ સંપાદન કર્યું છે. ગીરધરનગર જૈનસંઘ અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે.] ધાતુપારાયણ, એને અંગેના (વિ. સં. ૧૫૧૬ કરતાં અર્વાચીન નહિ એવા) ટિપ્પન, તેમજ કવ્વાદિ અને એના ટિપ્પન સહિત ઝગડિયા તીર્થની “રિખવદેવજી મહારાજની પેઢી” તરફથી ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત થયું છે. એના સંપાદક મુનિ દલવિજયજીએ મૂળ કૃતિના ટિપ્પનમાં ખૂટતા અંશોની પૂરતી કરી છે. ૨. સરખાવો સિ. હે. (અ. ૩, પા. ૩)નું તૃતીય સૂત્ર “ક્રિયાથે થાતુ: '' ૩. અંદાદિમાં ‘હુવાદિ'નો અંતર્ભાવ ન કરવાને મતે નવ ગણને બદલે દસ ગણ ગણાય. ૪. આ અપવાદમાં તેમજ અદાદિ ગણ પરત્વેના એવા અન્ય અપવાદોમાં વૃદ્ધ સંપ્રદાયનું અનુસરણ કારણરૂપ છે.
વૃદ્ધોના મતે ભૂ' એ મંગળવાચક શબ્દ છે. ૫. ‘પદ'થી પરસ્મપદ, આત્મપદ અને ઉભયપદ એમ ત્રણ સમજવાનાં છે.
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૮૯-૯૩]
૫૩
૧૬, ૨, ૩ ૪ 22 ગૃટ , ગે, ઐ, ઓ, મૌ, અને હું તેમજ અનુસ્વાર.
ઇકાર એ અનુબંધ આત્મપદનો અને ઈકાર ઉભયપદનો બોધક છે. “ઓ' એ ધાતુ વેટુ છે એ સૂચવે છે. આ ઉપરાંત ધાતુ અનિદ્ છે એ સૂચવવા અનુસ્વારનો ઉપયોગ કરાયો છે.
ધાતુના અનુબંધપૂર્વકના નિર્દેશની સાથે સાથે એનો અર્થ સંસ્કૃતમાં અપાયો છે.
સ્વપજ્ઞ વૃત્તિ-આનું કોઈ વિશિષ્ટ નામ નથી. આમાં અગ્રંથો અને ગ્રંથકારોનો જે નામોલ્લેખ P ૯૨ છે એ એની મહત્તામાં વૃદ્ધિ કરે છે. આ વૃત્તિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે. :
"श्रीसिद्ध हेम चन्द्रव्याकरणनिवेशितान् स्वकृतधातून् ।आचार्यहेमचन्द्रो विवृणोत्यहँ नमस्कृत्य ॥१॥"
બાકીની સમગ્ર વૃત્તિ ગદ્યમાં છે જો કે અવતરણો પદ્યમાં છે. આ વૃત્તિમાં કર્તાએ પોતાને આચાર્ય કહ્યા છે.
હૈમ ધાતુપાઠ–જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં આની નોંધ લેતાં એને પુણ્યસુંદરની ૭૬૦ શ્લોક જેવડી કૃતિ કહી છે અને એ નામની પછી કૌંસમાં “સ્વરવર્ણાનુક્રમ ૧૬' એવો ઉલ્લેખ કરાયો છે. આ નામની ૩૨૫ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તક કૃતિની પણ અહીં નોંધ છે.
હૈમ ધાતુવૃત્તિ- આ કોઈકની કૃતિની ૩૭૬ પત્રની એક હાથપોથી ભાવનગરના ભંડારમાં છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧) જોતાં જણાય છે.
ધાતુરત્નાકર (વિ. સં. ૧૬૮૦)- આ ૨૧૦૦ શ્લોક જેવડી કૃતિના રચનાર “ખરતર' ગચ્છના સાધુસુન્દરગણિ છે. એઓ એ ગચ્છના પાઠક સાધુકીર્તિના શિષ્ય અને વિમલતિલકના ગુરુભાઈ થાય છે. એમણે ઉક્તિ-રનાકર તેમજ લશબ્દ-રનાકર રચ્યા છે. વળી એમણે આ ધાતરનાકર ઉપર ૧૬૮૦માં ક્રિયાકલ્પલતા નામની વૃત્તિ રચી છે. આ બેમાંથી એકે કૃતિ પ્રસિદ્ધ થઈ નથી અને એકની હાથપોથી મારા જોવામાં આવી નથી. એથી એ પ્રશ્ન હુરે છે કે આ ધાતુરત્નાકર સિ. હે.ને અનુસરે છે કે કેમ ? જો એ અનુસરતો હોય તો એને આ ત્રીજા પ્રકરણમાં સ્થાન અપાવું ઘટે પણ જો એ કોઈ અજૈન વ્યાકરણને અંગેનો ગ્રંથ હોય તો પ્ર. ૧૭માં એનો નિર્દેશ થવો જોઈએ. ૧-૨. કેટલીક વાર “રૂને બદલે ‘નો અને એવી રીતે બને બદલે ‘ગુનો ઉપયોગ કરાયો છે. ૩. આ સંજ્ઞાઓ પાણિનીય અષ્ટા.થી જૂદી પડે છે. એમાં તો હું, ગુ, ઇ, ઉં, જીરુ, ઈ, ઊ, – અને હું એમ સંજ્ઞાઓ છે. ૪. આ ગીરધરનગર જૈન સંઘ દ્વારા પ્રકાશિત છે. પ્રાપ્તિસ્થાન ઢંકારસૂરિજ્ઞાનમંદિર-સૂરત. પ. દા. ત. ભગવદ્ગીતા. ઉપરોક્ત સંસ્કરણમાં ગ્રંથકારે સૂચવેલ મતભેદોનું પરિશિષ્ટ પણ આપ્યું છે. ૬. કણ્વ, કાલિદાસ, કૌશિક, દ્રમિલ, માઘ ઇત્યાદિ. ૭. શ્રી વિજયલાવણ્યસૂરિએ ધાતુરત્નાકર નામની કૃતિ રચી એમાં ધાતુઓનાં રૂપો આપ્યાં છે. આ કૃતિ અમદાવાદની
જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી સાત ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. પહેલા પાંચ ભાગ વિ. સં. ૧૯૯૫માં, છઠ્ઠો ભાગ ૧૯૯૬માં અર્ન સાત ૧૯૯૭માં પ્રસિદ્ધમાં મૂકાયા છે. સાત ભાગનું પુનર્મુદ્રણ થયું છે.' ૮. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૯૮). ૯. આ છ કાંડમાં ૧૦૧૧ શ્લોકમાં રચાયેલી કૃતિ “ય. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૩૬ તરીકે વીરસંવત ૨૪૩૯ પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
ઉક્તિરત્નાકર (લ. વિ. સં. ૧૬૭0) - આ ધાતુરત્નાકરના કર્તા ઉપર્યુક્ત સાધુસુન્દરગણિની કૃતિ છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૬)માં એને વ્યાકરણનો પરચૂરણ ગ્રંથ ગણ્યો છે. આ કૃતિ “ખરતરમ્ ગચ્છના જિનસિંહસૂરિના રાજ્ય દરમ્યાન એટલે કે વિ. સં. ૧૬૭૦થી ૧૬૭૪ના ગાળામાં રચાઈ છે.
"લિંગાનુશાસન-આ કૃતિના કર્તા કલિ. હેમચન્દ્રસૂરિ છે. એમણે સૂત્રપાઠની જેમ એનું કોઈ વિશિષ્ટ નામ ન રાખતાં સામાન્ય નામ રાખ્યું છે. એ કૃતિને લિંગાનુશાસન કહી છે. એમણે આ કૃતિ ૨૫ જાતના ભિન્ન ભિન્ન છંદમાં ૧૩૯ પદ્યોમાં ગૂંથી છે, અને એનાં નાનાં-મોટાં આઠ પ્રકરણો
પાડ્યાં છે :P ૯૪ પુલ્લિંગ (શ્લો. ૧૭), સ્ત્રી-લિંગ (૩૩), નપુંસક-લિંગ (૨૪), પે-સ્ત્રી-લિંગ (૧૨), પં-નપુંસકલિંગ (૩૬), સ્ત્રી-નપુંસક-લિંગ (૬), સ્વતઃ સ્ત્રી-લિંગ (૬) અને પર-લિંગ (૪).
આ પ્રમાણેનાં ૧૩૮ પદ્યો પછી ઉપસંહારરૂપે એક પદ્ય છે. એ દ્વારા કર્તાએ પોતાનું નામ “આચાર્ય હેમચન્દ્ર’ એમ જણાવ્યું છે, અને આ કૃતિ નિઃશેષ (સમસ્ત) નામલિંગાનુશાસનો જોઈને મેં રચી છે એમ કહ્યું છે. જેમ સિ. હે. (૫-૨-૯૩)ની પુરવણીરૂપે ઉણાદિસૂત્રની રચના કરાઈ છે તેમ “પુસ્ત્રિયો: ચમૌનસ્' (૧-૧-૨૯)ની પુરવણીરૂપે આ લિંગાનુશાસન રચાયું છે.
ડૉ. બેલ્પલકાર જવાનું કહેવું એ છે કે પ્રસ્તુત લિંગાનુશાસન એ શાકટાયનકૃત લિંગાનુશાસનનું કેવળ વિસ્તૃતીકરણ (enlargement) છે, પણ આ હકીકત અંશતઃ જ સત્ય છે, અને હૈમ લિંગાનુશાસન
એ પ્રસ્તુત વિષયનો અંતિમ (final) અને પ્રમાણભૂત (authoritative) ગ્રંથ છે એમ જે પ્રો. હરિદામોદર P ૯૫ વેલણકરે સ્વપજ્ઞ વૃત્તિવાળી આવૃત્તિના અગ્રવચનમાં કહ્યું છે તેને હું મળતો થાઉં છું.”
૧. “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી શકસંવત્ ૧૮૧૮માં પ્રકાશિત અભિધાન સંગ્રહમાં આને સ્થાન અપાયું
છે. “ય. જૈ. ગ્રં.”માં મૂળ કૃતિ કનકપ્રભકત લઘુન્યાસને આધારે યોજાયેલી અવસૂરિ સહિત ઈ. સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ત્યાર બાદ મૂળ કૃતિ મુનિશ્રી કેશરવિજય દ્વારા ઉદ્ધત સંસ્કૃત ટિપ્પનિકા સહિત શ્રી0 વિનોદચંદ મોહનલાલ વૈદ્ય તરફથી વિ. સં. ૧૯૯૩માં છપાવાઈ છે. સ્વોપન્ન વૃત્તિનું તેમજ તેને અંગેની શ્રી વલ્લભવાચકીય દુર્ગપદ-પ્રબોધ નામની વૃત્તિ સહિત મૂળ કૃતિનું સંપાદન વિજયક્ષમાભદ્રસૂરિએ કર્યું છે અને એ શ્રી હીરાલાલ સોમચંદ શાહ તરફથી વિ. સં. ૧૯૯૬માં પ્રસિદ્ધ કરાયું છે. આ સંપાદકે દુર્ગપદ-પ્રબોધ નામની વૃત્તિમાંના ગુજરાતી શબ્દોની એક સૂચી આપી, સ્વોપજ્ઞ વૃત્તિગત સંસ્કૃત શબ્દોની પણ સૂચી આપી છે. આ ઉપરાંત એમણે આ બંને વૃત્તિગત સંસ્કૃત શબ્દોની પણ સૂચી આપી છે. આ ઉપરાંત એમણે આ બંને વૃત્તિમાંના વિશેષનામોની પણ આદ્ય સ્થળ પૂરતી એક એક સૂચી આપી છે. વળી અંતમાં મૂળ કૃતિ જે ભિન્ન ભિન્ન છંદોમાં રચાઈ છે એ છંદોનાં નામો એમણે રજૂ કર્યા છે.
લિંગાનુશાસનરૂપ મૂળ કૃતિ છે. કુ. (પૃ. ૨૦૫-૨૨૪)માં પ્રકાશિત થયેલી છે. જુઓ પૃ. ૩૪. ૨. આ જાતની કૃતિઓનો મુખ્ય ઉદેશ શબ્દ-ભંડોળ રજૂ કરવાનો હોય છે. તેમ છતાં એ કૃતિઓ શબ્દોનાં લિંગ
દર્શાવે છે. આવી કૃતિઓમાં સુપ્રસિદ્ધ અમર-કોશ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. ૩. જુઓ ઉપરનું ટિ. ૧. ૪. પ્રત્યયોથી નિષ્પન્ન થતા સ્ત્રીલિંગી શબ્દોના નિરૂપણ માટે સિ. હે. (અ. ૨)નો આખો ચોથો પાદ કામમાં લેવાયો
છે ખરો, પરંતુ આ પાદમાં સ્ત્રી-લિંગી શબ્દથી પ્રત્યયનું વિધાન કરાયું છે એટલે એ માટે સ્ત્રી-લિંગનો નિર્ણય કરવા અને અન્ય લિંગને જણાવવા માટે આવી સ્વતંત્ર કૃતિની આવશ્યકતા હોવાથી એ રચાઈ છે.
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. ઓ. ૯૩-૯૬]
૫૫
ઉલ્લેખ–અભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૧૯)માં આ લિંગાનુશાસનનો ઉલ્લેખ છે, કેમકે “નિકું તુ ? તિનુશાસના” એમ આ શ્લોકમાં કહી એની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૮)માં આ પોતાની કૃતિ હોવાનું કહ્યું છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- કલિ.” હેમચન્દ્રસૂરિએ પોતાના લિંગાનુશાસન ઉપર વેધક પ્રકાશ પાડનારી લગભગ ૪000 શ્લોક જેવડી વૃત્તિ રચી છે. એમાં એમણે ૫૭ જેટલા ગ્રંથો અને ગ્રંથકારોની સાક્ષી આપી છે.
દુર્ગાદપ્રબોધ–ઉપર્યુક્ત સ્વોપન્ન વૃત્તિમાં જે સ્થળો મંદ બુદ્ધિ ધરાવનારી વ્યક્તિઓને સહેલાઈથી સમજાય તેવાં ન જણાયાં તેના સ્પષ્ટીકરણરૂપે દુર્ગપદપ્રબોધ નામની વૃત્તિ “ખરતર' ગચ્છના ઉપા. જ્ઞાનવિમલના શિષ્ય વાચક શ્રીવલ્લભે વિ. સં. ૧૯૬૧માં યોધપુર (જોધપુર)માં રચી છે. આમાં સંસ્કૃત શબ્દોના ગુજરાતી પર્યાયો અપાયા છે એથી આનું મહત્ત્વ વધ્યું છે.
ટીકા અને અવચૂરિ–૧૨૧૧ શ્લોક જેવડી જયાનંદસૂરિકૃત ટીકાની તેમજ એક અજ્ઞાતકર્તુક અવચૂરિની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૩૮)માં છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં રત્નશેખરે ૧૦૭૫ શ્લોક જેવડી અવચૂરિ રચ્યાનો ઉલ્લેખ છે, પરંતુ જિ. ૨. કો.માં એની નોંધ નથી.
"સન્માન–મ (પંચાગ વ્યાકરણ રચાતાં એ ગ્રંથને સિદ્ધરાજ નૃપતિની સવારીના હાથી ઉપર P ૯૬ રાખી એ રાજાના દરબારમાં લાવવામાં આવ્યો હતો. હાથી ઉપર બેઠેલી બે ચામર ધરનારી સ્ત્રીઓ એ વ્યાકરણની બંને બાજુએ ચામર ઢાળતી હતી અને એ વ્યાકરણ ઉપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું હતું. એનું પૂજન રાજસભાના વિદ્વાનોએ કર્યું અને રાજાએ પૂજોપચાર કર્યો ત્યાર બાદ રાજકીય સરસ્વતીકોષમાં એને સ્થાન અપાયું હતું.
પ્રચાર-હૈમ પંચાંગ વ્યાકરણના પ્રચાર માટે સિદ્ધરાજ જયસિંહે પુષ્કળ પ્રયાસ કર્યો હોય એમ જણાય છે. પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૧૦૪) પ્રમાણે આ રાજવીએ ૩૦૦ કુશળ લહિયાઓ રાખી એની નકલો જલદી તૈયાર કરાવી અને પછી આપણા આ ભારતવર્ષના અંગ, બંગ, કલિંગ ઇત્યાદિ વિવિધ દેશોમાં એ મોકલાવી અને તેમાં પણ વીસ નકલો તો એકલા કાશ્મીરના જ સરસ્વતી-ભંડાર માટે એમણે મોકલાવી. આઠ વ્યાકરણમાં નિષ્ણાત એવા કાકલ નામના કાયસ્થની મુખ્ય અધ્યાપક તરીકે એમણે નિમણૂંક કરી. આ વ્યાકરણના અભ્યાસીઓની દર મહિને સુદ પાંચમે (જ્ઞાન-પંચમીએ) પરીક્ષા લેવાય એવો એમણે પ્રબંધ કર્યો. આ વ્યાકરણનો અભ્યાસ કરનારને ઉત્તેજનાર્થે કંકણ અપાતું અને એમાં નિષ્ણાત થનારને રેશમી વસ્ત્રો, સુવર્ણનાં આભૂષણો સુખાસન અને છત્ર અપાતાં
એક સ્થળે એવો ઉલ્લેખ છે કે સિદ્ધરાજની હકુમત હેઠળના પ્રદેશમાં આ વ્યાકરણ ભણવા માટે ? ૯૭ એમણે હુકમ બહાર પાડ્યો હતો. ૧. ઈ. સ. ની છઠ્ઠી સદીમાં થયેલા મેઠે હયગ્રીવવધ નામનું કાવ્ય રચ્યું છે. એ દેશના એ સમયના રાજા તરફથી
એની એવી કદર કરાઈ હતી કે જેથી એ કવિને રાજાએ કહ્યું કે અર્પણ કરવા માટે સુવર્ણના કરંડકમાં એ કાવ્યને મૂકો. જુઓ Sanskrit Literature (PE.N; p. 111) ૨. આની સંપૂર્ણ યાદી પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૧૦૬-૧૭૯)માં છે. ૩. આનાં નામ કોઈ સ્થળે અપાયાં છે ખરાં ? ૪. એમ કહેવાય છે કે ભટ્ટોજિ દીક્ષિતે (લ. વિ. સં. ૧૫૧૦-૧૫૭૫) સિદ્ધાંત કૌમુદી કંઠસ્થ કરનારને સારી રકમ રાજા તરફથી ભેટ મળે એવો પ્રબંધ કરાવ્યો હતો અને એ રીતે એના પ્રચારને વેગ અપાવ્યો હતો.
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
પ૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
ઓટ-આ પ્રમાણે આ વ્યાકરણના પઠન-પાઠન અને પ્રચાર માટે આ રાજવીએ પરિશ્રમ કરવામાં કચાસ ન રાખી. એમણે કરેલી વ્યવસ્થાનો અમલ એમના પછી કુમારપાલે પણ ચાલુ રાખ્યો હશે, પરંતુ ત્યાર બાદ આ કાર્યમાં ઓટ આવી. આનાં મુખ્ય બે કારણ જણાય છે :
(૧) દુનિયામાં વિદ્વાનો મળવા મુશ્કેલ છે અને તેમાં પણ પરસ્પર મત્સરભાવ ન સેવનારની સંખ્યા તો અતિશય અલ્પ છે. આ પરિસ્થિતિને લઈને હેમચન્દ્રસૂરિની કીર્તિલતાને વિસ્તરતી જોઈ સંતપ્ત બનનાર કેટલાક તેજોષી વિપ્રો આ ઓટમાં કારણરૂપ બન્યા.
(૨) કુમારપાલ પછી એમનો ભત્રીજો અજયપાલ (વિ. સં. ૧૨૩૦-૧૨૩૩) રાજા ગાદીએ આવ્યો. એ રાજા નિબુદ્ધિ, નિર્દય અને જૈનોનો ઢષી હતો. એણે અનેક જૈન મંદરિોનો નાશ કર્યો. એ દુષ્ટ રાજા હૈમ વ્યાકરણના અભ્યાસને ઉત્તેજન શેનો આપે ? એમ પણ બન્યું હોય કે એનું પઠન-પાઠન શિક્ષાને પાત્ર ગણાવાયું હોય.
ગમે તેમ પણ આ વ્યાકરણનો અભ્યાસ કરાવનારની સંખ્યા અલ્પ થઈ ગઈ અને ગુજરાતનું આ ‘પ્રધાનતમ વ્યાકરણ” વિસારે પડ્યું. એનો ઉદય ફરીથી હમણાં ત્રણેક દસકાથી થયો છે.
સ્વાદિશબ્દસમુચ્ચય (લ. વિ. સં. ૧૨૮૦) - આના કર્તા “વાયડ ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય “વણીકૃપાણ’ અમરચંદ્રસૂરિ છે. એમણે નીચે મુજબની કૃતિઓ રચી છે - P ૯૮ (૧) પહ્માનંદ-મહાકાવ્ય, (૨) ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિત, (૩) બાલભારત, (૪)
સૂકતાવલી, (૫) છાન્દોરત્નાવલી, (૬-૭) કાવ્ય-કલ્પલતા અને એની પ્રવૃત્તિ, કવિશિક્ષા (૮) કાવ્યકલ્પલતાપરિમલ, (૯) કાવ્યકલ્પલતામંજરી, (૧૦) અલંકારપ્રબોધ, (૧૧) કલાકલાપ અને (૧૨) એકાક્ષરનામમાલા.
- એઓ વીસલદેવ (ઈ. સ. ૧૨૪૩-૧૨૬૧)ના રાજ્ય દરમ્યાન વિદ્યમાન હતા. એમની મૂર્તિ પં. મહેન્દ્રના શિષ્ય મદનચન્દ્ર વિ. સં. ૧૩૩૯માં કરાવી.”
૧. આ કૃતિ જયાનંદસૂરિકૃત અવસૂરિ સહિત કાશીથી વીરસંવત્ ૨૪૪૧માં પ્રકાશિત થઈ છે. એ ચન્દ્રસાગરજી
દ્વારા સંપાદિત થઈ પ્રસિદ્ધિમાં મૂકાઈ છે (જુઓ પૃ.૭૨). ૨-૩. આ બંનેનું સંપાદન મેં કર્યું છે. એ બંને કૃતિ “ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૫૮ તરીકે ઈ. સ. ૧૯૩૨માં
પ્રકાશિત થયેલી છે. આ પૈકી પ્રથમ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૨૯૭માં લખાયેલી મળે છે. ૪. “પંડિત” ગ્રંથ ૪-૬ માં બનારસથી આ કાવ્ય પ્રસિદ્ધ થયું છે. વળી એ “કાવ્યમાલા”માં ઈ. સ. ૧૮૯૪માં
(બીજી આવૃત્તિ, ઈ. સ. ૧૯૨૬માં) છપાયું છે. પ-૬, કાવ્યકલ્પલતાવૃત્તિનું ૫. જગન્નાથ શાસ્ત્રીએ સંપાદન કર્યું છે અને એ બનારસથી ઈ. સ. ૧૯૩૧માં પ્રકાશિત
થયેલ છે. ૭. આનો અમરચંદ્રસૂરિની કૃતિ તરીકે જિ. ૨૦ કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં ઉલ્લેખ છે ૮. જુઓ જિનવિજયજી દ્વારા સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨, લેખાંક પર૩). આ ભદ્રાસનસ્થ મૂર્તિ
પાટણના ટાંગડિયાવાડાના જિનમંદિરમાં છે. આની નોંધ જૈન ચિત્ર કલ્પદ્રુમ (ચિત્રવિવરણ પૃ. ૧૦૩)માં છે.
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૯૭-૧00]
૫૭.
ઉપર્યુક્ત સ્વાદિ-શબ્દસમુચ્ચય એ નામ, સર્વનામ અને સંખ્યાવાચક શબ્દોના લિંગ ઉપર પ્રકાશ પાંડે છે. એ પદ્યાત્મક કૃતિ ચાર ઉલ્લાસમાં વિભક્ત છે. એમાં અનુક્રમે સ્વરાંત શબ્દો વ્યંજનાન્ત શબ્દો, P ૯૯ સર્વનામ અને સંખ્યાને લગતા ૨૬, ૨૩, ૨ અને ૩ પદ્યો છે. આના ઉપર ‘ઉકેશ' ગચ્છના પ્રતિસાગરના શિષ્ય વિનયભૂષણે એક ટીકા રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૬માં લખાયેલી છે. જયાનંદસૂરિએ ૧૦૫૦ શ્લોક પૂરતી અવસૂરિ રચી છે. એને “દીપિકા' પણ કહે છે. એમાં શબ્દોની પ્રક્રિયા સિ. હે. અનુસાર અપાઈ છે. શબ્દનાં રૂપ સિ. હે. મુજબ સિદ્ધ કરાયાં છે.
ન્યાયાર્થમંજૂષા (વિ. સં. ૧૫૧૬) - આના કર્તા રત્નશેખરસૂરિના શિષ્ય ચારિત્રરત્નમણિના શિષ્ય પહેમહંસગણિ છે. એમણે આરંભસિદ્ધિ ઉપર વિ. સં. ૧૫૧૪માં સુધી શૃંગાર નામની વૃત્તિ રચી છે. હૈમ બૃહદ્રવૃત્તિમાં જે ૫૭ ન્યાયો “કલિ.’ હેમચન્દ્રસૂરિએ આપ્યા છે તેમાં આ ગણિએ ૮૪ ન્યાય ઉમેરી એકંદર ૧૪૧ ન્યાયો રજૂ કર્યા છે. એના સંગ્રહને આ ગણિએ ન્યાયસંગ્રહસૂત્ર એવું નામ આપ્યું છે. એના ઉપર આ ગણિએ જે વૃત્તિ વિ. સં. ૧૫૧૬માં રચી છે તેને ન્યાયાર્થમંજૂષા કહે છે. કેટલાક એને હૈમવ્યાકરણ-ન્યાયસંગ્રહ કહે છે. ચાસ- ન્યાયાર્થમંજૂષા ઉપર હેમહંસગણિએ જાતે ન્યાસ રચ્યો છે.
P ૧૦૦ ‘ક્રિયારત્નસમુચ્ચય (વિ. સં. ૧૪૬૬)-આના કર્તા ગુણરત્નસૂરિ છે. એમણે કલ્પાન્તર્વાચ્ય અને વાસોન્નિકાદિપ્રકરણ યાને અંચલમતનિરાકરણ રચ્યાં છે. વળી એમણે હારિભદ્રીય ષદર્શન-સમુચ્ચય ઉપર તર્કરહસ્યદીપિકા નામની વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર અવસૂરિ રચી છે :૧. મુનિ (હવે પં.) દક્ષવિજયજીએ સ્યાદ્યન્તરત્નાકર રચ્યો છે અને એના પ્રથમ તરંગ પૂરતો ભાગ “જૈ. ગ્રં. પ્ર.
સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૫માં છપાવાયો છે. સાદિ અને ત્યાદિ એમ જે બે પ્રકારની વિભક્તિ ગણાય છે તે પૈકી પહેલી નામને અંગે છે. એનાં રૂપો સાધનિકો સહિત આ કૃતિમાં અપાયાં છે. ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૫૭)માં એકંદર ૫૩ પદ્યો હોવાનો ઉલ્લેખ છે. ૩. આ પ્રકાશિત છે જુઓ પૃ. ૭૨ = 41 ટિ. ૨. ૪. આ વૃત્તિ ન્યાયસંગ્રહ તેમજ સ્વોપજ્ઞ ન્યાસ સહિત શ્રી. હર્ષચન્દ્ર ભૂરાભાઈ તરફથી બનારસથી વીરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત થઈ છે. આ વ્યાસ મુનિ રત્નવલ્લભવિ. ના ગુજ. વિવેચન સાથે ૐકારસૂરિજ્ઞાનમંદિર
સૂરતથી અને મુનિ નદિઘોષવિ.ના હિન્દી વિવેચન સાથે ‘શા.ચી.એ.” અમદાવાદથી પ્રગટ થયો છે.] ૫. જયચંદ્રસૂરિના શિષ્ય હેમહંસગણિએ “પડાવશ્યક” ઉપર બાલાવબોધ વિ. સં. ૧૫૦૧માં રચ્યો છે. ૬. આ કૃતિ સુધીશૃંગાર સહિત “લ. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૨માં પ્રકાશિત કરાઈ છે. ૭. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૪. બ્રહવૃત્તિ-પ્રક્રિયાના પરિશિષ્ટમાં ન્યાયોનું નિરૂપણ છે તે આ ન્યાયાર્થમંજૂષાને
અંગે રચાયું છે. ૮. આ “જૈનું યશોવિજયગ્રંથમાલા”માં ગ્રંથાંક ૧૦ તરીકે વીરસંવત્ ૨૪૩૪માં છપાયો છે. અંતમાં ગ્રંથબીજ તરીકે
નવ ગણોના બધા મળીને ૮૧૬ ધાતુઓ, સૌત્ર ધાતુઓ અને નામધાતુઓની સૂચી અપાઈ છે અને પ્રશસ્તિની નોંધ કરાઈ છે. આ ઉપરાંત ધાતુઓની અકારાદિ ક્રમે પણ સૂચી અપાઈ છે. [આનું પુનર્મુર્ણ થયું છે.] ૯. આ કૃતિ વિ. સં. ૧૪૫૭માં રચાઈ છે. ૧૦. આ વૃત્તિ મૂળ સહિત “જૈ. આ. સ.” તરફથી ભાવનગરથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત થઈ છે.
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
"સત્તરિયા, દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથો, નવતત્ત, ખેત્તસમાસ, આરિપચ્ચકખાણ, ચઉસરણ, સંથારગ અને ભત્તપરિણા.
આ ગુણરત્નસૂરિ દેવસુંદરસૂરિના શિષ્ય અને સોમસુંદરસૂરિના ગુરુભાઈ થાય છે. એમણે આ ક્રિયારત્નસમુચ્ચય વિ. સં. ૧૪૬૬માં રચ્યો છે. સિ. હે. ગત ધાતુઓ લઈ એમણે એનાં રૂપો
(paradigms) આ કૃતિમાં આપ્યાં છે. આમ કરતી વેળા એમણે હૈમ ધાતુપારાયણમાંથી એકક ધાતુ P ૧૦૧ એના અર્થ સહિત ક્રમવાર લીધો છે. પ્રારંભમાં નીચે મુજબની દસ વિભક્તિઓની સમજણ આપી છે અને એ બરાબર ખ્યાલમાં આવે તેથી તેને અંગે ગુજરાતી ઉદાહરણો પણ આપ્યાં છેઃ
(૧) પ્રવર્તમાના, (૨) સપ્તમી, (૩) પંચમી, (૪) હ્યસ્તની, (૫) અદ્યતની, (૬) પરીક્ષા, (૭) આશી; (૮) શ્વસ્તની, (૯) ભવિષ્યન્તી અને (૧૦) ક્રિયાતિપત્તિ વિશેષમાં “વર્તમાના'ના ચાર પ્રકારનું એમણે નિરૂપણ કર્યું છે. તેમ કરતી વેળા વર્તમાનાના (૧) પ્રવૃત્તોપરત, (૨) વૃત્તાવિરત, (૩) નિત્યપ્રવૃત્ત અને (૪) સામીપ્ય એ ભેદ દર્શાવનારું અવતરણ આપ્યું છે. વિભક્તિ દસ છે અને કાળ ત્રણ છે એમ કહી “વર્તમાનકાલિ વિભક્તિ ૩ : વર્તમાના, સપ્તમી, પંચમી” (પૃ. ૧૬), “અતીતકાલિવિભક્તિ ૪ : હ્યસ્તની, અદ્યતની, પરોક્ષા, ક્રિયાતિપત્તિ” (પૃ. ૧૭), અને “ભવિષ્યકાલિવિભક્તિ ૩ : શ્વસ્વની, ભવિષ્યન્તી, આશી” (પૃ. ૧૮) એવો નિર્દેશ કર્યો છે. પ્રસંગવશાત્ સિ. હે.ના સૂત્રો તેમજ અન્ય
ગ્રંથોમાંથી અવતરણો આપ્યાં છે. P ૧૦૨ અંતમાં એમણે પોતાની ગુરુપરંપરા ૬૬ પદ્યમાં વર્ણવી છે. એનો પ્રારંભ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પાંચમા ગણધર સુધર્મસ્વામીથી કર્યો છે.
કવિકલ્પદ્રુમ (વિક્રમની ૧૬મી સદી)-આના કર્તા હર્ષકુલગણિ છે. એઓ કુલચરણગણિના શિષ્ય થાય છે. એમણે આ કવિકલ્પદ્રુમની રચના હેમવિમલસૂરિના રાજ્યમાં કરી છે. આના ઉપર એમણે ધાતુચિન્તામણિ નામની સ્વોપજ્ઞ ટીકા રચી છે અને એમાં (પૃ. ૬૧માં) ગુણરત્નસૂરિએ વિ. સં. ૧૪૬૬માં રચેલા ક્રિયારત્નસમુચ્ચય જોવાની ભલામણ કરી છે. આ ઉપરથી એમનો સમય વિક્રમની સોળમી સદીનો ગણાય. ૧-૨. આને લગતી અવસૂરિઓ વિ. સં. ૧૪૫૯માં રચાઈ છે. ૩. ‘
વિશ્વ' એ પાણિનીય અષ્ટા. (અ. ૧, પા. ૪)નું ૧૦૪મું સૂત્ર છે. ૪. જુઓ પૃ. ૧૬-૧૯. ૫. આને ‘ભવન્તી’ અને ‘વૃત્તિ' પણ કહે છે. એવી રીતે હ્યસ્તનીને અનદ્યતનભૂત,' શ્વસ્તનનીને “અનદ્યતન
ભવિષ્યત્' અને ક્રિયાતિપત્તિને “સંકેત' કહે છે. વળી ભવિષ્યન્તીને ‘સામાન્ય ભવિષ્યકાળ' કહે છે. ૬-૭. જુઓ પૃ. ૬૬ = ૩૭. ૮. પાણિનીય અષ્ટા. પ્રમાણે આ દસ વિભક્તિનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :- લટું, (વિધિ) લિ, લોઢ, લ, લુડ, લિટું, (આશિષ) લિ, લુટું, લૂટુ અને લુન્ આને અંગે નીચે મુજબની કારિકા છેઃ
“लट् वर्तमाने लेट् वेदे भूते लुङ्-लङ्-लिटस्तथा । विध्याशिषोस्तु लिङ्-लोटौ लुट् लृट् लुङ् च भविष्यति ।।" ૯. “જૈ. ય. ઍ.''ના ગ્રંથાક ૧૨ તરીકે આ કૃતિ અગિયારમાં પલ્લવ પૂરતી સ્વોપજ્ઞ ટીકા સહિત વીરસંવત્ ૨૪૩૫માં
પ્રકાશિત કરાઈ છે. સમગ્ર ટીકા ઉપલબ્ધ હોય એમ જણાતું નથી.
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૧૦૦-૧૦૩]
કવિકલ્પદ્રુમ એ પદ્યાત્મક રચના છે અને એ ૧૧ પલ્લવોમાં વિભક્ત છે. પ્રથમ પદ્યમાં કર્તા પોતે કહે છે કે આ કૃતિ એ સિદ્ધહેમ નામના વ્યાકરણમાં નિર્દેશાયેલા ધાતુઓની પદ્યમાં વિચારણારૂપ છે. પ્રથમ પલ્લવમાં એમણે સર્વ ધાતુના અનુબંધો દર્શાવ્યા છે અને એમ કરતી વેળા એમણે સિ. હે.ના અમુક અમુક "સૂત્રો ગૂંથી લીધાં છે. એમણે પલ્લવ ૨-૧૦માં અનુક્રમે ‘ગ્વાદિથી માંડીને ‘યુરાદિ સુધીના નવ ગણના ધાતુઓનો અને ૧૧મા પલ્લવમાં “સૌત્રાદિ ધાતુઓનો વિચાર કર્યો છે.
બોપદેવે પણ કવિકલ્પદ્રુમ નામનો ગ્રંથ રચ્યો છે. એના અનુકરણરૂપે હર્ષકુલગણિએ આ રચ્યો છે એમ મનાય છે.
સિડન્વયોક્તિ-આ વ્યાકરણની કૃતિ ન્યાયાચાર્ય જયશોવિજયગણિએ રચી છે. આનું આદ્ય પદ્ય - ૧૦૩ નીચે મુજબ છે. - “ દ્રવ્રનામ્યવંતપાદ્રપsi સુમેરુવીર પત્ય વીરમ્ |
वदामि नैयायिकशाब्दिकानां मनोविनोदाय तिङन्वयोक्तिम् ।।१॥" [ઉક્તિરત્નાકર : સાધુસુન્દરગણી. પ્રકા. રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જયપુર.] [પ્રિલરV{ઃ સંયોજક-મુનિ ચોથલ. પ્રકા. જૈન વિશ્વભારતી, લાડન્] હિમનૂતનલઘુપ્રક્રિયા: ૫.ચન્દ્રશેખર ઝા, સંપા. આ. ચન્દ્રોદયસૂરિ. પ્રકા. અનંતનાથ દેરાસર, સૂરત.] Treasures of Jain Bhandaras Dr. U. P Shah એલ. ડી. સિરિજ-૬૯ શ્રી શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ગુજરાતી આ. શીલચન્દ્રસૂરિએલ.ડી. સિરિજ-૧૦૧ અંગ્રેજી ૧૦૨. વૈિયાકરણ ન્યાયદર્શઃ ગિરજાશંકર શાસ્ત્રી, સંપા. આ. ચન્દ્રગુપ્તસૂરિ.]
૧. આ સૂત્રોના અંક ઉપર્યુક્ત આવૃત્તિમાં અપાયા છે. ૨. કવિકલ્પદ્ર! નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ છે અને એના ઉપર વિજયવિમલની અવચૂરિ છે. ૩. આ નામથી તો એની એકે હાથપોથી જિ. ૨. કો.માં નોંધાયેલી નથી. આ કૃતિને કેટલાક હિડન્તાન્વયોક્તિ
કહે છે. [“યશોભારતીપ્રકાશન” મુંબઈથી પ્રસિદ્ધ ગ્રન્થત્રયી'માં (અપૂર્ણ) “સિડન્તાન્વયોક્તિ' આ.
યશોદેવસૂરિજીના સંપાદન પૂર્વક છપાઈ છે આમાં શબ્દ વિષે દાર્શનિક ચર્ચા છે.] ૪. એમની જીનવરેખા મેં “ન્યાયાચાર્યને વંદન” નામના લેખમાં આલેખી છે. એ લેખનું શીર્ષક કોઈકને હાથે
બદલાઈને એ લેખ “જૈન” (સાપ્તાહિક)ના તા. ૭-૩-પ૩ના અંકમાં પ્રસિદ્ધ કરાયો છે. આ ગણિવયન અંગેની વિવિધ કિંવદન્તીઓ “ન્યાયાચાર્યને અંગેની કેટલાક કિવદત્તીઓ” નામના મારા લેખમાં અપાઈ છે. એ લેખ “ગુ. મિ. તથા ગુ. દ.” (સાપ્તાહિક)ના તા. ૮-૬-પ૩ના અંકમાં છપાયો છે. “વાચક જશનું વંશવૃક્ષ” “આ. પ્ર.” (પૃ. ૫૦, અં. ૧૦)માં, “વાચક યશોવિજયની ચોવીસીઓ” “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૦)માં, “દિકપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ (૮૪ બોલ વિચાર): રેખાદર્શન” “જૈ. સ. પ્ર.” (વિ. ૨૧, અં. ૧૧)માં, થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની યશોવ્યાખ્યા” “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૨)માં, “નવનિધાન નવ સ્તવનો” “આ. પ્ર.” (પુ. ૫૩, અં. ૧૧-૧૨)માં અને “છ બોલની વિહરમાણ-જિનવીસીનું વિહંગાવલોકન” જૈ, ધ. પ્ર.” (પુ. ૭૨, અં. ૧૧)માં છપાયા છે, જ્યારે “તાર્કિક હરિયાળી સ્વોપજ્ઞ વિવેચન સહિત', ન્યાયાચાર્યને વંદન” અને “વાચક જશનું વંશવૃક્ષ'' એ ત્રણને ન્યાયાચાર્યને અંગેના ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારા નિબંધસંગ્રહમાં સ્થાન અપાયું છે.
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
R ૧૦૪
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા ભાષાની સમૃદ્ધિ-સામાન્ય રીતે એમ મનાય છે કે કોઈ પણ ભાષા, પછી તે ગમે તેટલી સમૃદ્ધ હોય તો પણ તે માનવ જાતિના પ્રત્યેક વિચારને અને એની હરકોઈ લાગણીને પરિપૂર્ણ સ્વરૂપે રજૂ કરી શકે નહિ. બાકી દરેક ભાષા પાસે ખપપૂરતો તો શબ્દ-ભંડોળ હોય જ; નહિ તો એ દ્વારા વ્યવહાર કેમ ચાલે ? જે ભાષા પાસે અર્થના જાતજાતના સૂક્ષ્મ ભેદો (shades of meaning) ને રજૂ કરવા માટે યોગ્ય શબ્દ હોય-પુષ્કળ પર્યાયો હોય અને જેનામાં સંયોગાનુસાર નવા નવા શબ્દો યોજવા માટેની અનુકૂળતા હોય તે સમૃદ્ધ ગણાય. આવી એક આગળ પડતી સમૃદ્ધ ભાષા તે “સંસ્કૃત’ છે.
નિઘંટુ-ભાષાનો શબ્દ-ભંડોળ તે એનો “કોશ' કહેવાય છે. કાવ્યો કરવા માટે તેમજ અન્ય પ્રકારનું કથન કે લખાણ સમજવા માટે કોશ ઉપયોગી છે. આથી આપણે ત્યાં સૌથી પ્રથમ વૈદિક શબ્દોના અર્થોના સ્પષ્ટીકરણ માટે નિઘંટુની રચના થઈ છે. નિઘંટુનો સામાન્ય અર્થ “કોશ' છે. એને “નામસંગ્રહ' તેમજ નામમાલા” પણ કહે છે. એને માટેનો અંગ્રેજી શબ્દ લેકિસકૉન (lexicon) છે.
- ત્રિવિધ કોશ-સંસ્કૃત ભાષામાં ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓની પેઠે એનાર્થક તેમજ અનેકાર્થક P ૧૦૫ એમ ઉભય પ્રકારના શબ્દો છે. વળી આ તેમજ પાઇય વગેરે ભાષામાં એકાક્ષરી શબ્દો પણ છે. આને લઈને આપણને સંસ્કૃત ભાષાને અંગે ચાર અને એક રીતે ત્રણ પ્રકારના કોશો મળે છે.
(૧) એકાર્થક નામમાલા અમર-કોશ-આજકાલ અકારાદિ ક્રમે શબ્દોને રજૂ કરી તેના અર્થ આપનારા કોશો જોવાય છે. એની રચના ગદ્યમાં હોય છે. વિવિધ પ્રકારના આવા કોશને અંગ્રેજીમાં વોકેબ્યુલરિ (Vocabulary) અને મોટાને ડિકશનરિ (dictionary) કહે છે. અનેકાક્ષરી એકાર્થક સંસ્કૃત કોશોની રચના વિષયોને લક્ષીને પદ્યમાં કરાયેલી જોવાય છે. એ એક જાતના પર્યાય-કોશ” છે. આ જાતનો સુપ્રસિદ્ધ કોશ એ અમરકોશ છે. એ નામલિંગાનુશાસનના પ્રણેતાનું નામ અમરસિંહ છે. એ અમરસિંહ ‘બૌદ્ધ' ગણાય છે. કોઈ આધુનિક જૈન મુનિવરો એમ કહેતા સંભળાય છે કે અમરસિંહ તો જૈન છે અને અમરકોશનો જૈન તીર્થકરો વિષે પ્રકાશ પાડતો ‘દેવાધિદેવ’ કાંડ હોવો જોઈએ અને એ માટે પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ તપાસાવી ઘટે. આ બાબત એક યા બીજી રીતે સાચી સિદ્ધ ન થાય ત્યાં સુધી અમરસિંહને હું “અજૈન' ગણું છું. ૧. પ્રકૃતિ, પ્રત્યય, ઉપસર્ગ ઇત્યાદિનો ઉપયોગ કરી નવા શબ્દો યોજી શકાય એ બળ તો સંસ્કૃત ભાષામાં છે,
પરંતુ વિદેશી શબ્દોને પચાવવાની અને અપનાવવાની જે શક્તિ પાઇય ભાષામાં છે તે આ ભાષામાં નથી,
અને એ માટે એના કહેવાતા ઈજારદારોનો પવિત્રતા સંબંધીનો વધુ પડતો આગ્રહ જવાબદાર છે. ૨-૩. એકાક્ષરી એકવાર્થક કોશ, એકાક્ષરી અનેકાર્થક કોશ, અનેકાક્ષરી એકાર્થક કોશ અને અનેકાક્ષરી અનેકાર્થક કોશ આ પૈકી એકાક્ષરી એકાર્થક કોશની રચના સ્વતંત્ર સ્વરૂપે ભાગ્યે જ જોવાય છે, કેમકે પ્રાયઃ એની યોજના અનેકાક્ષરી એકાર્થક કોશમાં અંતર્ગત કરાવેલી માલૂમ પડે છે. આથી કોશના ત્રણ મુખ્ય પ્રકાર ગણાય.
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : [પ્ર. આ. ૧૦૪-૧૦૭]
ધનંજય-નામમાલા (ઉ. વિક્રમની ૧૧મી સદી) - આના કર્તા એક દિ. ગૃહસ્થ નામે ધનંજય ૧૦૬ છે. એમણે ૪૬ પદ્યોની અનેકાર્થ-નામમાલા, રાઘવ-પાણ્ડવીય નામનું દ્વિસંધાન-કાવ્ય અને ૩૯ કે ૪૦ પદ્યનું સવિષાપહારસ્તોત્ર એમ અન્ય ત્રણ કૃતિઓ રચી છે. “અનેકાર્થ-નિઘંટુ એમની કૃતિ છે કે એમના નામરાશિ ધનંજયની છે એનો નિર્ણય કરવો બાકી રહે છે.
દ્વિસંધાન-કાવ્યના અંતિમ પદ્યની ટીકામાં એના કર્તાએ-ટીકાકારે ધનંજયનાં માતા, પિતા અને ૧૦૭ ગુરુના નામ અનુક્રમે શ્રીદેવી, વસુદેવ અને દશરથ દર્શાવ્યા છે.
પ્રસ્તુત ધનંજય વિક્રમની અગિયારમી સદીની પહેલાં થયા છે એમ બેધડક કહી શકાય, કેમકે પ્રેમેયકમલમાર્તડ (પૃ. ૪૦૨)માં એના કર્તા પ્રભાચંદ્ર અને વાદિરાજસૂરિએ વિ. સં. ૧૮૮૨માં રચેલા પાર્શ્વનાથચરિત ( )માં એમના દ્વિસંધાનકાવ્યનો ઉલ્લેખ કર્યો છે. જ©ણે રચેલી સૂકિતમુક્તાવલીમાં જે રાજશેખરના નામે એક 'સૂક્તિ ધનંજયકૃત દ્વિસંધાનકાવ્યની પ્રશંસારૂપે જોવાય છે. એ રાજશેખર કાવ્યમીમાંસાના કર્તાથી અભિન્ન જ હોય તો આ ધનંજય દસમી સદીની પછી થયા નથી એમ કહેવાય.
દિ. જિનસેનના ગુરુ વીરસેને ધવલા નામની ટીકા વિ. સં. ૮૭૩માં પૂર્ણ કરી છે. એમાં પૃ. ૩૮૭માં “હેતાવેવ''થી શરૂ થતું પદ્ય અવતરણરૂપે અપાયું છે. આ જ પદ્ય અનેકાર્થ-નામમાલામાં ૪૦માં (અન્ય આવૃત્તિ પ્રમાણે ૩૯મા) પદ્યરૂપે પણ જોવાય છે. એ ઉપરથી ૫. મહેન્દ્રકુમારે ધનંજયનો સમય ૧. આ કૃતિ (સ્લો. ૨૦૫)ની, ધનંજયકૃત અનેકાર્થ-નામમાલા, ૫. મોહનલાલ જૈનની એના ઉપરની તેમજ પ્રસ્તુત કૃતિ ઉપરની હિંદી “આદર્શ ટીકા'' તેમજ અનેકાર્થવાચક શબ્દો અને હિંદી અર્થ સહિતની ચોથી આવૃત્તિ શ્રી હરપ્રસાદ જૈન વિ. સં. ૧૯૯૯માં પ્રકાશિત કરી છે. આમાં પહેલી નામમાલામાં કયા કયા શબ્દના પર્યાય અપાયા છે તેની અકારાદિ ક્રમે નોંધ છે. પ્રસ્તુત ધનંજય-નામમાલા ઐવિદ્ય અમરકીર્તિકૃત ભાષ્ય, ધનંજયકૃત અનેકાર્થ-નામમાલા અને એની ટીકા, ધનંજયકત અનેકાર્થ-નિઘંટ અને એકાક્ષરી કોષ તેમજ (૧-૨) બંને નામમાલાના અને (૩) પ્રથમ નામમાલાના ભાષ્યના શબ્દોની, (૪) યૌગિક શબ્દોની, (૫) અનેકાર્થ-નિઘંટુના શબ્દોની (૬) ભાષ્યગણ અવતરણોની તેમજ (૭) ભાષ્યગત ગ્રંથો અને ગ્રંથકારોનાં નામોની એમ સાતની અકારાદિ ક્રમે સૂચી (અનુક્રમણિકાઓ), ડૉ. પી. એલ. વૈદ્યના અંગ્રેજી તેમજ હિંદીમાં એકેક પાનાના પ્રાકથન અને પં. મહેન્દ્રકુમારની હિંદી પ્રસ્તાવના સહિત “ભારતીય જ્ઞાનપીઠ કાશી” તરફથી ઈ.સ. ૧૯૫૦માં પ્રકાશિત થઈ છે. એનું સંપાદન ૫. શંભુનાથ ત્રિપાઠીએ કર્યું છે. સાથે સાથે એમણે સંસ્કૃત ટિપ્પણીઓ આપી છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપર્યુક્ત ટિપ્પણ. ૩. આ કાવ્ય ટીકા સહિત “કાવ્યમાલા''માં ઈ. સ. ૧૮૯૫માં પ્રકાશિત કરાયું છે. આ સંબંધમાં વિશેષ માહિતી
માટે જુઓ પ્રકરણ ૧૯. ૪. આ “કાવ્યમાલા”ના સપ્તમ ગુચ્છકમાં છપાયું છે. આની ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦૭માં છપાઈ છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ६. "द्विसन्धाने निपुणतां स तां चक्रे धनञ्जयः । यया जातं फलं तस्य सतां चक्रे धनं जयः ।।"
અર્થાત્ ધનંજયે (અર્જુને) દ્વિ-સંધાન કાવ્યમાં (બેવડા નિશાન લગાવવામાં જે નિપુણતા પ્રાપ્ત કરી એથી એને (કવિને અને અર્જુનને) સજ્જનોમાં ધન અને કીર્તિરૂપે ફળ મળ્યાં. ૭. આના કર્તા રાજશેખરનો ઉલ્લેખ સોમદેવ (ઈ. સ. ૯૬૦)કૃત યશસ્તિલકચંપૂમાં છે.
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૬ ૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
નવમી સદીની પછીનો નથી એમ કહ્યું છે, પરંતુ પ્રો. વેલણકરે જિ. ૨૦ કો. (ખંડ ૧, પૃ. ૨૧૧)માં એમ P ૧૦૮ સૂચવ્યું છે કે આ પદ્ય મૂળે ધનંજયનું નહિ, પરંતુ કોઈ પ્રાચીન કૃતિનું હશે. શકસંવત્ ૭૦૫માં હરિવંશ
પુરાણ રચનારા દિ. જિનસેન પહેલાએ તેમજ જયધવલાને સંવત્ ૮૯૪માં પૂર્ણ કરનારા દિ. જિનસેન બીજાએ પણ કવિઓની પ્રશંશા કરતી વેળા ધનંજયનું નામ લીધું નથી એ હકીકત પણ વિચારવી ઘટે.
ધનંજય-નામમાલાની ઈ. સ. ૧૯૫૦ની ઉપર્યુક્ત આવૃત્તિમાં ૨૦૩ પદ્યો છે, જ્યારે અન્યત્ર ૨૦૫ છે. આ આવૃત્તિનું ૨૦૧મું "પદ્ય ધનંજયની કૃતિની પ્રશંસારૂપ છે એટલે એ ધનંજયનું કેમ હોઈ શકે ? તેમ છતાં પં. મહેન્દ્રકુમારે એને ધનંજયનું જ માની એમની પૂર્વ સીમા નક્કી કરી છે – દિ. અકલંક પછી એઓ થયા છે એમ કહ્યું છે.
ધનંજય-નામમાલામાં અસલ બસો જ પડ્યો હોવાં જોઈએ એમ લાગે છે, જો કે એની એક આવૃત્તિમાં ૨૦૩ અને બીજામાં ૨૦૫ પદ્યો જોવાય છે.
ધનંજયે એક શબ્દ ઉપરથી શબ્દાંતર બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. દા. ત. “પૃથ્વી'વાચક શબ્દો રજૂ કરી એની આગળ “ધર” શબ્દ જોડી “પર્વત'વાચક શબ્દો, “મનુષ્ય'વાચક શબ્દ આગળ ‘પતિ' જોડી “નૃપ'વાચક શબ્દો અને ‘વૃક્ષ'વાચક શબ્દ આગળ “ચરજોડી “વાનર'વાચક શબ્દો બનાવવાની વાત એમણે કહી છે.
ભાષ્ય-એના કર્તા અમરકીર્તિ છે. એમણે પર્યાયવાચક શબ્દોને રજૂ કરતી આ ધનંજય-નામમાલા ઉપર આ ભાષ્ય સંસ્કૃતમાં રચ્યું છે. એ દ્વારા એમણે શબ્દદીઠ પર્યાયોની સંખ્યા દર્શાવી પ્રત્યેક શબ્દની P ૧૦૯ વ્યુત્પત્તિ સૂત્રના નિર્દેશપૂર્વક આપી એનું સ્પષ્ટીકરણ કર્યું છે. વળી એમણે અન્ય પર્યાયવાચક શબ્દો કોઈ
કોઈ વાર ઉમેર્યા છે. અમરકોશની સુપ્રસિદ્ધ ટીકામાં એના ટીકાકાર ક્ષીરસ્વામીએ જે શૈલીએ કામ કર્યું છે એ શૈલીએ આ ભાષ્ય રચાયું છે. ધનંજય-નામમાલા (શ્લો. ૧૨૨)ના ભાષ્ય (પૃ. ૬૨)માં આશાધરમહાભિષેકનો ઉલ્લેખ છે. આ દિ. આશાધરે વિ. સં. ૧૩00માં અનગાર-ધર્મામૃતની સમાપ્તિ કરી હતી એટલે આ અમરકીર્તિના સમયની પૂર્વ સીમા છે. અમરકીર્તિએ ભાષાના પ્રારંભમાં કલ્યાણકીર્તિને નમસ્કાર કર્યો છે. એ કલ્યાણકીર્તિ તે વિ. સં. ૧૩૫૦માં જિનયજ્ઞફલોદયને સમાપ્ત કરનાર જ હોય તો એ અમરકીર્તિના સમયની ઉત્તર સીમા ગણાય. અમરકીર્તિએ હૈમ નામમાલાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે એટલે એમનો સમય આ કૃતિની રચના પછી લગભગ પચાસેક વર્ષ જેટલો તો મોડો હશે જ.
નિઘંટ-સમય-આ નામથી બે પરિચ્છેદ પૂરતી ધનંજયની નામમાલાની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં લેવાઈ છે તો એ નામમાલા તે કઈ ?
ધનપાલીય કોશ (ઉં. વિક્રમની ૧૧મી સદી)- આ કોશના કર્તા જન્મ વૈદિક ધર્માવલંબી વિમ ધનપાલ છે. આગળ જતાં એમના લઘુ બંધુ શોભન મુનિવરને હાથે પ્રતિબોધ પામી એમણે જૈન ધર્મ
૧. આ રહ્યું એ પદ્ય :___ “प्रमाणमकलङ्कस्य पूज्यपादस्य लक्षणम् । द्विसन्धानकवेः काव्यं रत्नत्रयमपश्चिमम् ।।२०१ ।।" ૨. જુઓ ડૉ. પી. એલ. વૈદ્યનું પ્રાકથન.
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૦૭-૧૧૧]
સ્વીકાર્યો હતો. એમના પિતા અને પિતામહનાં નામ અનુક્રમે સર્વદેવ અને દેવર્ષિ હતાં. એ ધનપાલને સુંદરી નામે બેન હતી. એ ધનપાલ “ધારા'નગરીના રાજા “મુંજના માનીતા હતા. એમને એ રાજા ‘સરસ્વતી' કહેતા. મુંજ પછી ગાદીએ આવનાર ભોજ રાજાએ એમને સિદ્ધસારસ્વત, કવીશ્વર અને B ૧૧૦ કૂર્ચાલ-સરસ્વતીનાં બિરુદ આપ્યાં હતાં એમણે ઉપર્યુક્ત કોશ ઉપરાંત નીચે મુજબની બે સંસ્કૃત કૃતિઓ રચી છે :
(૧) પતિલકમંજરી અને (૨) શોભન-સ્તુતિની ટીકા.
એમણે સર્વાશે પાઇયમાં નીચે મુજબની ચીર કૃતિઓ રચી છે :- (૧) ઉસભ-પંચાસિયા, (૨) પાઇય-લચ્છી-નામમાલા, (૩) વીર-થઈ (૩૦ પઘો) અને (૪) સાવયવિહિ.
આ ઉપરાંત એમણે દસ પદ્યની ૧૦વીર-થઈ અર્ધ-સંસ્કૃતમાં અને સચ્ચરિમંડણ” મહાવીર ઉચ્છાહ “અપભ્રંશ'માં રચ્યાં છે.
આ કવિવર ધનપાલે કોશ રચ્યો હતો એમ અભિ. ચિ. (કાંડ ૧, ગ્લો. ૧)ની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૧)માં જે ‘વ્યુત્પત્તિર્ધનપાનતઃ' એવો ઉલ્લેખ “કલિ.’ હેમચન્દ્રસૂરિએ કર્યો છે એ ઉપરથી અનુમાનાય છે. એક ૧૧૧ ટિપ્પણીમાં ૧૮૦૦ શ્લોક જેવડી નામમાલાના કર્તા તરીકે ધનપાલનો ઉલ્લેખ છે.૧૨ એ નામમાલા પાયલચ્છી-નામમાલાથી મોટી હોઈ એનાથી તો ભિન્ન ગણાય, પણ શું એ નામમાલા સંસ્કૃતમાં છે અને તે જ આ • કોશ છે ? વિશેષમાં આ કોશ રચાયો ત્યારે ધનપાલ “જૈન” બન્યા હતા કે નહિ એ પ્રશ્ન પણ વિચારવાનો રહે ૧. એઓ મધ્યદેશમાં “સંકાસ્ય' નામના નિવેશમાં રહેતા હતા. એને સંયુક્ત પ્રાંતના ફરૂકાબાદ જિલ્લાના સંકિસ”
ગામ તરીકે ઓળખાવાય છે. ૨. એમનું વિ. સં. ૧૦૩૧નું દાનપત્ર મળે છે. એ રાજાનું મૃત્યુ વિ. સં. ૧૦૫૦થી ૧૦૫૪ના ગાળામાં થયું હતું.
જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૯૮) ૩. જુઓ તિલકમંજરી (શ્લો. ૫૩). ૪. એમનો સમય વિ. સં. ૧૦૭૪થી ૧૧૧૬નો ગણાય છે. ૫. આ “કાવ્યમાલા” (૮૫)માં ઈ. સ. ૧૯૦૩માં છપાયેલી છે. ૬. આ સ્તુતિ આ ટીકા સહિત” “આ. સ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાઈ છે. વળી એ સ્તુતિ “આ. સા.” તરફથી
અન્ય સંસ્કૃત ટીકાઓ સહિત ઈ. સ. ૧૯૩૦માં પ્રકાશિત થઈ છે. આ બંનેનું સંપાદન મેં કર્યું છે. ૭. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થઈ છે. એમાં આજ ધનપાલની વિરોધાલંકારથી વિભૂષિત ૩૦ પોની વીરકુઈ તેમજ દસ પદ્યોની અર્ધ-સંસ્કૃત વીર-સ્તુતિ છપાયેલી છે. આનું સંપાદન મારે હાથે
થયું છે. ૮. આની રચના વિ. સં. ૧૦૨૯માં થયાનો એમાં ઉલ્લેખ છે. આ પ્રકાશિત છે. એના પરિચયાદિ માટે જુઓ પા. ભા.
સા. (પૃ. ૫૬, ૫૮, ૨૪૨ અને ૨૪૩). ૯-૧૦. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૫. ૧૧. આ “જૈ. સા. સં.” (ખંડ ૩, અંક ૩)માં છપાયેલો છે. એના પરિચયાદિ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૨૦૩). ૧૨. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૯૯).
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
છે, જો કે અહીં તો એમણે જૈન તરીકે આ કોશ રચ્યાનું મેં માની લીધું છે. વિશેષમાં આ કોશ શબ્દોની કેવળ વ્યુત્પત્તિ પૂરતો જ નહિ હશે, પરંતુ એના પર્યાયો પૂરા પાડતો હશે એવી હું કલ્પના કરું છું.
નિઘંટુ (લ. વિ. સં. ૧૦૮૦)- વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં મનોરમા-ચરિય રચ્યું છે. એની પ્રશસ્તિ (શ્લો. ) ઉપરથી જણાય છે કે (વિ. સં. ૧૦૮૦માં બુદ્ધિસાગર વ્યાકરણ રચનારા) બુદ્ધિસાગરસૂરિએ વ્યાકરણ, છંદ, નિઘંટુ, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ ઇત્યાદિ રચ્યાં છે. આમ અહીં જે નિઘંટુનો ઉલ્લેખ છે તેથી અભિ. ચિ. જેવો કોશ સમજવાનો હશે. જો એ વનસ્પતિને અંગેનો જ કોશ હોય અને સાથે સાથે એ સંસ્કૃતમાં હોય એ એ હૈમ નિઘંટુ-શેષ કરતાં પ્રાચીન ગણાય. બુદ્ધિસાગરસૂરિનો આ કોશ કે એમણે રચેલી કાવ્ય, નાટક, કથા કે પ્રબંધને અંગેની કોઈ કૃતિ હજી સુધી તો મળી આવેલ નથી.
અભિધાન-ચિન્તામણિ (લ. વિ. સં. ૧૨૦૭)- આ નામમાલાના-કોશના કર્તા “કલિ.’ હેમચન્દ્રસૂરિ છે. એમણે આ કોશ ઉપરાંત અનેકાર્થ-સંગ્રહ અને “નિઘંટુશેષ તેમજ દેસિય (દેશ્ય) શબ્દોને અંગે રયણાવલિ યાને દેસિસસંગહ એમ બીજા ત્રણ કૌશો રચ્યા છે, અને એ દ્વારા વ્યાકરણના જ્ઞાનને સક્રિય બનાવવા માટે અને વિદ્યાર્થીઓને સંસ્કૃતાદિ ભાષાનું જ્ઞાન મેળવવા માટે માર્ગ મોકળો કર્યો છે. ૧. પેિન્દ્રકુમાર પગારિયા સંપાદિત મનોરમાકહા નામે આ એલ.ડી.ઇસ્ટી. અમદાવાદથી પ્રસિદ્ધ છે.] ૨. આના અર્થ માટે જુઓ નિઘંટુ-શેષને લગતું મારું લખાણ (પૃ. ૧૨૪). ૩. આ કોશ વિદ્યાકર મિશ્ર ઈ. સ. ૧૮૦૮માં કલકત્તાથી બહાર પાડયો હતો. ત્યારબાદ એ અભિધાન-સંગ્રહમાં બીજા ભાગ તરીકે ““મહાવીર જૈન સભા” તરફથી ખંભાતથી શકસંવત્ ૧૮૧૮માં પ્રસિદ્ધ કરાયો હતો. વળી એ કોશ સ્વપજ્ઞ વિવૃતિ સહિત “ય. જૈ. ગ્રં.” તરફથી વીરસંવત્ ૨૪૪૬માં છપાવાયો છે. બીજા ભાગ તરીકે મૂળ કોશમાંના શબ્દોની સૂચિ તેમજ સ્વપજ્ઞ વિવૃતિમાં નોંધેલા શેષ શબ્દોની સૂચિ, સ્વોપજ્ઞ વિવૃતિમાં નિર્દેશાયેલા ગ્રંથકારોની નામાવલી સહિત આ જ સંસ્થા તરફથી એ જ (વીરસંવત્ ૨૪૪૬) વર્ષમાં પ્રકાશિત થયો છે. બીજા ભાગનું તમામ સંપાદન મુનિશ્રી જયંતવિજયજીએ કર્યું છે. વળી “મુક્તિ-કમલ-જૈન-મોહનમાલા”માં ૨૧મા પુષ્પ તરીકે એ કોષ સ્વપજ્ઞ તત્ત્વાભિધાયિની વૃત્તિને અનુસરનારી રત્નપ્રભા વ્યાખ્યા તેમજ શેષનામમાલા, જિનદેવકૃત શિલોંછ અને સુધાકલશકૃત એકાક્ષર-નામમાલા એ ત્રણ પરિશિષ્ટો સહિત છપાયો છે. એનું સંશોધન મુનિશ્રી ધર્મવિજયજીએ (હવે શ્રીવિજયધર્મસૂરિએ) કર્યું છે. આ ઉપરાંત “દે, લા. જૈ. પુ. સં.” તરફથી આ કોશ અકારાદિ ક્રમપૂર્વકની શબ્દાનુક્રમણિકા તેમજ નિગ્નલિખિત અન્ય કૃતિઓ સહિત ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત કરાયો છે (અ) શેષનામમાલા, (આ) જિનદેવકૃત શિલોંજી, (ઈ) (હૈમ) નિઘંટુશેષ, (ઈ) (હૈમ) લિંગાનુશાસન, (6) એકાક્ષર-કોશ, (ઊ) પુરુષોત્તમે રચેલો શબ્દભેદપ્રકાશ અને (8) સુધાકલશકૃત એકાક્ષર-નામમાલા. વિ. સં. ૨૦૩૨માં જૈન સાહિત્યવર્ધકસભા અ. ચિ. સ્વોપજ્ઞટીકા સાથે પ્રગટ કર્યો છે. સંપાદક આ. હેમચન્દ્રસૂરિએ સાર્થ શબ્દસૂચી પણ આપી છે. આની બીજી આવૃત્તિ હમણાં જ બહાર પડી છે. મુનિ પૂર્ણચન્દ્ર વિ. આદિએ સંકલિત કરેલ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયાકોશ’ વિ. ૨૦૪૪માં જિ. આ. ટ્ર. ધ્વારા બે ભાગમાં બહાર પડ્યો છે. આમાં અ. ચિ. ના શબ્દો અકારાદિક્રમે અને સામે ટીકાનો અંશ પર્યાય તથા અર્થ ગુજરાતીમાં આપ્યો છે. સં. મુનિચન્દ્ર વિ.] ‘સાર્થ શબ્દાવલી’ નામે પણ અભિધાન ચિ. શેષ, શિલોંજીના શબ્દો અકારાદિક્રમે પ્રગટ થયેલ છે.] ૪-૫ આનો પરિચય આગળ ઉપર અપાયો છે. ૬. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૫૮-૫૯).
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૧૧-૧૧૪]
યોજના આ નામમાલામાં રૂઢ, યૌગિક યાને વ્યુત્પત્તિ વડે સિદ્ધ અને મિશ્રશબ્દોને અમરકોશની પેઠે ભિન્ન ભિન્ન કાંડમાં પર્યાયવાયક શબ્દો સહિત રજૂ કરાયા છે. અહીં નીચે મુજબનાં નામથી અલંકૃત ૧૧૩ છ કાંડો છેઃ
(૧) દેવાધિદેવ, (૨) દેવ, (૩) મર્ય, (૪) તિર્ય, (૫) નારક અને (૬) સાધારણ, એમાં શ્લોકોની સંખ્યા નીચે મુજબ છેઃ૮૬, ૨૫૦, ૧૯૭, ૪૨૩, ૭ અને ૧૭૮. આમ અહીં એકંદર ૧૫૪૧ શ્લોકો છે. એ દૃષ્ટિએ આ કોશ અમરકોશથી લગભગ દોઢો છે.
મહત્ત્વ-અભિ. ચિ.માં કેટલાક દેશ્ય’ શબ્દો પણ સંસ્કૃત તરીકે નોંધાયેલા જણાય છે. આથી ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓના અભ્યાસી માટે આ કોશ ઉપયોગી છે.
વિષય-પ્રથમ કાંડમાં ઋષભદેવ વગેરે ૨૪ તીર્થકરોનાં નામ અને લાંછન, એમના યક્ષાદિનાં નામ, તીર્થંકરના ૩૪ અતિશય વગેરે બાબતો છે.
દ્વિતીય કાંડમાં દેવો સંબંધી માહિતી અપાઈ છે. વળી કાલચક્રને અંગેના ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બે વિભાગના છ છ આરાઓનું વર્ણન છે. ૧૪૭માં શ્લોકમાં “બુદ્ધ માટે “ચતુસ્વિંશજ્જાતકશ' એવો પર્યાય અપાયો છે, અને એની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૧૦૦-૧૦૧)માં ૩૪ જાતક ગણાવાયાં છે.
ત્રીજા કાંડમાં મનુષ્યવાચક શબ્દો, મનુષ્યની શિશુત્વાદિ અવસ્થાઓ, ખાદ્યાદિ પદાર્થો, રોગો વગેરેને અંગેના શબ્દો તેમજ સગપણ સૂચક શબ્દો ઇત્યાદિ અપાયા છે.
ચોથા કાંડમાં પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ પ્રકારના વિકસેન્દ્રિય અને ત્રણ જાતનાં રે ૧૧૪ પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી શબ્દો નોંધાયા છે.
પાંચમાં કાંડમાં નારકોને લગતા શબ્દો છે.
છટ્ટા કાંડમાં ભુવન અને જીવ તેમજ રૂપ વગેરે પાંચ જાતના વિષયોને લગતા શબ્દો છે અને અંતમાં અવ્યયોની સૂચી છે.
ઉપયોગ–અમરકોશમાંના કેટલાક શ્લોકો આ કોશમાં ગૂંથી લેવાયા હોય એમ જણાય છે. એવી રીતે વ્યાડિ વગેરેના કોશોનો પણ ઉપયોગ થયો હોય તો ના નહિ. કેટલીક વાર નામોલ્લેખ વિના પણ આમ કરાયું હોય તો તેમાં કંઈ નાનમ નથી, કેમકે હેમચન્દ્રસૂરિએ મૌલિક રચનાનો દાવો કર્યો નથી. એમને કંઈ પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાનો મોહ ન હતો. એઓ તો વાત્સલ્યભાવે સર્વોપયોગી વસ્તુ સુગમ સ્વરૂપે જગત્ સમક્ષ મૂકવા અને ગુજરાતને સર્વતંત્ર-સ્વતંત્ર બનાવવા ઇચ્છતા હતા.
રચના-સમય-અભિ. ચિ.ના પ્રારંભમાં “સિદ્ધશાબ્દાનુશાસન:” એવું વિશેષણ હેમચન્દ્રસૂરિએ પોતાને માટે વાપર્યું છે. એના ઉપરની સ્વોપજ્ઞ વિવૃતિમાં ‘સિદ્ધ'નો અર્થ ‘પ્રતિષ્ઠા પામેલ' એવો એમણે ૧. અમરકોશમાં લિંગોનો સાથે સાથે જ અંતર્ગત સ્વરૂપે વિચાર કરાયો છે, જ્યારે અહીં કાંડ ૧, શ્લો. ૧૯માં
સૂચવાયા મુજબ એ માટે લિંગાનુશાસન જોવાની ભલામણ કરાઈ છે. ૨. આવા કેટલાક શબ્દો હમસમીક્ષા (પૃ. ૭૫-૭૭)માં નોંધાયા છે.
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કર્યો છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે એમનું પંચાંગ વ્યાકરણ તૈયાર થઈ આદરપાત્ર બન્યું ત્યાર બાદ આ કોશ એમણે રચ્યો છે.
ત્રીજા કાંડના નિમ્નલિખિત ગ્લો. ૩૭૬-૩૭૭ ઉપરથી એ અનુમાન દોરાય કે કુમારપાલ નરેશ્વર “પરમાઈત' યાને જૈન બન્યા અને એમણે રાજ્યકારભાર ચલાવવા માંડયો ત્યાર પછી આ કોશની રચના થઈ છેઃ
“कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः ।।३७६ ।। मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनमारकः ।" P ૧૧૫ આ ઉપરથી આ કોશ વિ. સં. ૧૧૯૯ પછી ચારેક વર્ષે હેમસમીક્ષા (પૃ. ૭૦) પ્રમાણે વિ. સં. ૧૨૦૦-૮માં રચાયો હોય એમ જણાય છે.
સ્વોપજ્ઞ વિવૃતિ–આનું નામ તત્ત્વાભિધાયિની હોય એમ લાગે છે.' લગભગ સાડા આઠ હજાર શ્લોક જેવડી આ વિવૃતિમાં પ્રારંભમાં શ્લો. ૩માં કહ્યું છે કે વાસુકિ અને વ્યાપિનાં પ્રામાણ્ય, ધનપાલમાંથી
ચિસ્પતિ વગેરેના પ્રપંચ અહીં લક્ષ્યમાં લેવાયાં છે. આમ આની રચનામાં સાધનીભૂત ગ્રંથોનો સંક્ષેપમાં નિર્દેશ છે. આ ઉપરાંતના ગ્રંથકારોનાં નામ “ય. જે. ગ્રં.”ની ઉપર્યુક્ત આવૃત્તિ અને એ પૂર્વે ઓટ્ટો બોટલિંક અને ચાર્લ્સ રિયુ દ્વારા સંપાદિત આવૃત્તિ ઉપરથી જાણી શકાય છે. એમાંથી શ્વેતાંબર આદ્ય વૈયાકરણ બુદ્ધિસાગર અને વિષ્ણુપુરાણ એ બે નામ હું અહીં નોંધું છું.
વિવૃતિ (પૃ. ૧૩)માં ત્રિષષ્ટિનો ઉલ્લેખ છે અને પૃ. ૧૦૦માં વાડિના આધારે ૩૪ જાતકોનાં નામ અપાયાં છે.
આ વિવૃતિ ઉપરાંત આ અભિ. ચિ. ઉપર નીચે મુજબની નાની મોટી બીજી સાત ટીકા છે :(૧) ટીકા-આના કર્તા કુશલસાગર છે. P ૧૧૬ (૨) સારોદ્ધાર-ખરતરમ્ ગચ્છના જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભગણિએ આ ટીકા વિ. સં. ૧૬૬૭માં
રચી છે. દુર્ગપદપ્રબોધ નામની ટીકા તે આ જ છે ? આિ. ધર્મધુરંધરસૂરિ સંપાદન કરે છે.] (૩) વ્યુત્પત્તિ-રત્નાકર- કલ્યાણસાગરસૂરિના રાજ્યમાં “અંચલ' ગચ્છના રવિચન્દ્રના શિષ્ય
દેવસાગરગણિએ વિ. સં. ૧૬૮૬માં આ ટીકા રચી છે. [સંપા. પં.શ્રીચન્દ્રવિજય ગ. પ્રકા. રાંદેર
રોડ જૈન સંઘ-સૂરત] (૪) ટીકા-આના કર્તા ભાનુચન્દ્રમણિ છે (૫) ટીકા-આના રચનાર સાધુરત્ન છે. (૬) અવચૂરિ–જૈ. ગ્રં. (પૃ. ૩૧૦) પ્રમાણે આ અવચૂરિ ૪૫૦૦ શ્લોક જેવડી છે અને એની હાથપોથી
પાટણમાં છે. આના કર્તાનું નામ જાણવામાં નથી. (૭) "રત્નપ્રભા-આના કર્તા ૫. વાસુદેવરાવ જનાર્દન કશેળીકર છે. એમાં કેટલીક વાર સંસ્કૃત શબ્દના
ગુજરાતીમાં અર્થ અપાયા છે. દા. ત. જુઓ પૃ. ૧૦૬ અને ૧૦૭.
બીજક-અભિધાન-ચિન્તામણિ-નામમાલા-બીજક એ નામની ત્રણ કૃતિઓ જોવાય છે૧. “. ક. જૈ. મો.'માં છપાયેલી રત્નપ્રભાની પ્રત્યેક કાંડના અંતમાં અપાયેલી) પુમ્બિકા જોતાં જણાય છે. દા.ત.
इति परमार्हत० नाममालाया स्वोपज्ञतत्त्वाभिधायिनी-वृत्त्यनुसारिणीरत्नप्रभाव्याख्यायां प्रथमो देवाधिदेवकाण्डः" ૨. Otto Bohtlingk. ૩. Charles Rieu. ૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૧૨, ટિ ૧= 64 ટિ. ૩
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૧૪-૧૧૮]
૬૭
(૧) ‘તપા' ગચ્છના હીરવિજયસૂરિના શિષ્ય શુભવિજયગણિએ વિ. સં. ૧૯૬૧માં રચેલી કૃતિ. (૨) દેવવિમલગણિકૃત કૃતિ. (૩) અજ્ઞાતકર્તુક કૃતિ.
અભિધાન-ચિંતામણિ-નામમાલા-પ્રતીકાવલી-આની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મું.”માં છે. P ૧૧૭ કર્તાનું નામ જાણવામાં નથી.'
શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા-અભિ. ચિ.માં નહિ નોંધાયેલા એવા કેટલાક શબ્દોનો આ કોશ છે. એ પણ હેમચન્દ્રસૂરિની રચના છે. એમાં ૨૦૪ (૧+૯+૬૩૪૧+૨+૮) શ્લોક છે.
આ શબ્દકોશ ઉપર શ્રીવલ્લભગણિની અને કોઈક અન્યની એકેક ટીકા છે.
શિલોંછ (વિ. સં. ૧૪૩૩)- અભિ. ચિ.નાં બીજા વધારા તરીકે ૧૪૦ શ્લોકનો શિલોંછ જિનદેવે “ત્રિ-વસુ-ઇન્દુ(?)થી સૂચિત વર્ષમાં રચ્યો છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩) પ્રમાણે આ રચના વિ. સં. ૧૪૩૩માં થઈ છે. જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભે વિ. સં. ૧૬૫૪માં આના ઉપર ટીકા રચી છે.
શબ્દરપ્રદીપ (ઉ. વિ. સં. ૧૨૯૫)- સુમતિગણિએ ગણતરસદ્ધસયગની વિ. સં. ૧૨૯૫માં રચેલી વૃત્તિમાં આનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. કલ્યાણમલ્લે પણ શબ્દરત્નપ્રદીપ રચ્યો છે તે તો આ કૃતિ નથી ? જો એ જ હોય તો આ અજૈન કૃતિ છે.
શબ્દચન્દ્રિકા- આ કોશની ૧૭પત્રોની હસ્તલિખિત પ્રતિ લા. દ.વિદ્યામંદિરમાં છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. આ પ્રતિ અપૂર્ણ હોય તો એના પછીના પત્રમાં કદાચ કર્તાનું નામ હશે. આના આદ્ય પદ્ય ઉપરથી એનું નામ “બાલબોધ-પદ્ધતિ અને દ્વિતીય ઉપરથી મનોરમા નામ હોવાનું અનુમનાય છે. હિાંસિયામાં શબ્દચન્દ્રિકા' છે.
સુન્દરપ્રકાશ, પદાર્થચિન્તામણિ કિંવા શબ્દાર્ણવ (ઉ0 વિ. સં. ૧૬૧૯)-પદ્મમેરુના શિષ્ય ૨ ૧૧૮ પદ્મસુંદરે આ કોશ પાંચ પ્રકરણમાં રચ્યો છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૧૯માં લખાયેલી છે. આ કોશને કેટલાક પદાર્થચિત્તામણિ અને શબ્દાર્ણવ એ નામથી પણ ઓળખાવે છે. દિ. આનંદમેરુના શિષ્ય પદ્મમેરુના શિષ્ય પદ્મસુંદરે ચોવીસ તીર્થંકરના ચરિત્રરૂપ અને રાયમલ્લ નામના શ્રાવકના નિર્દેશપૂર્વકનું રાયમલ્લાન્યુદય કાવ્ય વિ. સં. ૧૬૧૫માં રચ્યું છે તો ઉપર્યુક્ત પદ્મસુંદર તે જ આ છે ?
શબ્દભેદનામમાલા (ઉ. વિ. સં. ૧૬૫૦)- આ મહેશ્વરની કૃતિ છે. એના ઉપર “ખરતર' ગચ્છના ભાનુમેરુના શિષ્ય જ્ઞાનવિમલે વિ. સં. ૧૬૫૪માં ૩૮૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. શું આ ૧. નાગવર્માએ જે અભિધાન-રત્નમાલા રનો જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૪)માં ઉલ્લેખ છે તેને પ્રસ્તુત અભિ.
ચિસાથે કંઈ સંબંધ છે ખરો ? ૨. “ય. જે. ગ્રં.”ની આવૃત્તિમાં “શેષa”ના ઉલ્લેખપૂર્વક એ શબ્દો તે તે સ્થાનમાં વિવૃતિમાં અપાયા છે, જ્યારે બોટલિંક અને રિયુની આવૃત્તિમાં એ પરિશિષ્ટ રૂપે છપાયા છે અને અભિધાન-સંગ્રહમાં સાતમા કોશ તરીકે
અપાયા છે. “દે. લા. જૈ. પુ. સં.”ની આવૃત્તિમાં પણ આ કોશ છે. ૩. જુઓ હમસમીક્ષા (પૃ. ૭૭-૭૮). ૫. “દે, લા. જૈ. પુ. સં.” તરફથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં ૧૮૩૧નો ઉલ્લેખ છે તે બ્રાંત છે. ૬. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩). ૭. જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં જે મહેશ્વરની કૃતિ તરીકે લિંગભેદનામમાલાનો ઉલ્લેખ છે તેઓ જ આ છે? અહીં
લિંગભેદનામમાલાની કોઈએ વૃત્તિ રચ્યાની નોંધ છે. વિશ્વકોશના રચનારનું નામ પણ મહેશ્વર છે. ૮. જુઓ જિ. ૨. કો. (નં. ૧, પૃ. ૩૭૩). અહીં આ કૃતિનું શબ્દભેદપ્રકાશ એવું નામાંતર અપાયું છે.
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
મૂળ કૃતિ પુરુષોત્તમદેવે રચેલા શબ્દભેદપ્રકાશના જેવી છે ? જો એમ જ હોય તો એમાં અગાર અને આગાર, અગા અને આગા, અરાતિ અને આરાતિ એમ જરા જરા ફેરફારવાળા એકાર્થક શબ્દોની સૂચી હશે. [પંડિત વિનયસાગર દ્વારા શ. મે. પ્ર.ની મુદ્રણયોગ્ય પ્રતિ તૈયાર કરવામાં આવી છે. એનું સંપાદન ટુંક સમયમાં થનાર છે.]
નામસંગ્રહ, નામમાલાસંગ્રહ કિંવા વિવિક્તનામસંગ્રહ (લ. વિ. ૧૬૬૦)- આના કર્તા ઉપા. P ૧૧૯ ભાનુચન્દ્રગણિ છે. એઓ વિજયદાનસૂરિના શિષ્ય સકલચન્દ્રના શિષ્ય સૂચન્દ્રના શિષ્ય થાય છે. એમને
વિ. સં. ૧૬૪૮માં લાહોરમાં “ઉપાધ્યાય' પદ મળ્યું હતું. એઓ મોગલ સમ્રાટુ અકબર આગળ દર રવિવારે સૂર્યસહસ્ત્રનામ બોલતા હતા. એ ઉપા.ને શાંતિચન્દ્ર નામે એક વિદ્વાન શિષ્ય હતા. આ ભાનુચન્દ્રમણિએ નીચે મુજબની કૃતિઓ રચી છેઃ
(૧) (પ્રસ્તુત) નામમાલાસંગ્રહ, (૨) રત્નપાલકથાનક (લ. વિ. સં. ૧૬૬૨) અને (૩) સૂર્યસહસ્ત્રનામ.
આ ઉપરાંત એમણે નિમ્નલિખિત ગ્રંથો ઉપર વૃત્તિ રચી છે
(૧) કાદંબરી (પૂર્વાર્ધ), (૨) વસંતરાજશકુન, (૩) વિવેકાવિલાસ અને (૪) સારસ્વત વ્યાકરણ.
પ્રસ્તુત નામમાલાને એના કર્તાના નામ ઉપરથી ભાનુચન્દ્રનામમાલા તરીકે કેટલાક ઓળખાવે છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં એ નામથી એની નોંધ જોતાં જણાય છે. આ નામમાલામાં અભિ. ચિ.ની P ૧૨૦ પેઠે છ કાંડ છે અને એનાં નામ પણ એ જ પ્રમાણે છે. આ નામમાલામાંથી કેટલાંક અવતરણો
“ભાનુચન્દ્રમણિચરિત (પૃ. પ૬)માં અપાયાં છે. ૧. આ ૫૪ પદ્યની નાનકડી કૃતિ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી પ્રકાશિત “અભિધાનચિન્તામણિકોશ”ની
આવૃત્તિમાં છપાઈ છે. જુઓ પૃ. ૧૧૨. ૨. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૫). ૩. એના મુખ્ય પ્રધાન અબુલ ફજલે આઈન-એ-અકબરીમાં અકબરના દરબારના એક ઉલ્લેખયોગ્ય વિદ્વાન તરીકે
ભાનુચન્દ્રમણિની નોંધ લીધી છે. બાદશાહ જહાંગીરે જહાંગીરેનામામાં પણ એમનો વિદ્વાન તરીકે નિર્દેશ કર્યો છે. ૪. આના ઉત્તરાર્ધની ટીકા સિદ્ધિચન્દ્રમણિએ રચી છે. આ ગુરુ-શિષ્યની ટીકા સહિત મૂળ કૃતિની છઠ્ઠી આવૃતિ
નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૨૧માં છપાઈ છે. [આનું સંપાદન મુનિ હિતવર્ધનવિ. કરે છે.] ૫. આ કૃતિ “વેંકટેશ્વર મુદ્રાણાલય” તરફથી વિ. સં. ૧૯૬૩માં છપાઈ છે. ૬. આ કૃતિ “ડાયમંડ જ્યુબિલિ પ્રેસ”ના વ્યવસ્થાપકે અમદાવાદથી ઈ. સ. ૧૮૯૮માં પ્રકાશિત કરી હતી. ત્યાર બાદ
એ આગ્રાથી “સરસ્વતી-ગ્રંથમાલા”માં ગ્રથાંક ૧ તરીકે વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ૭. આની વૃત્તિ વિ. સં. ૧૬૭૧માં રચાઈ છે. ૮.જિ.૨. કો. (ખંડ ૧, પૃ. ૪૫૨)માં સૂર્યસહસ્ત્રનામની વૃત્તિના રચનાર તરીકે પ્રસ્તુત ભાનુચન્દ્રમણિનો ઉલ્લેખ છે.
સ્વિોપજ્ઞટીકા સાથે સૂર્યસહસ્રનામનું સંપાદન આ. ધર્મધુરંધરસૂરિ કરી રહ્યા છે.] ૯. આ સિ. જે. ગ્રં. માં ઇ. સ. ૧૯૪૧માં પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : [પ્ર. આ. ૧૧૮-૧૨૧]
"શબ્દ-સંદોહ-સંગ્રહ-આ કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૧૩)માં નોંધાયેલી છે અને અહીં એની ૪૭૯ પત્રની તાડપત્રીય પ્રતિ હોવાનો ઉલ્લેખ છે. આ હકીકત બરાબર હોય તો આ મહત્ત્વની કૃતિ ગણાય.
- શારદીયનામમાલા યાને શારદીયાભિધાનમાલા - (લ. વિ. સં. ૧૬૬૦) - આ “નાગપુરીય તપા’ ગચ્છના હર્ષકીર્તિસૂરિની રચના છે. એઓ ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય થાય છે. એમણે યોગચિન્તામણિ અને વૈદ્યકસારોદ્ધાર એ બે વૈદ્યક કૃતિઓ રચી છે. એ ઉપરાંત એમણે જ્યોતિઃસાર રચ્યો છે. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓની ટીકા રચી છે :
કલ્યાણ મંદિર-સ્તોત્ર, બૃહચ્છાન્તિ-સ્તોત્ર, સિજૂર-મકર, શ્રુતબોધ, ધાતુપાઠ અને સે-અનિકારિકા.
શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા (લ. વિ. સં. ૧૬૭૦ ?) - આ સાધુકીર્તિની કૃતિ છે. P ૧૨૧ શું એ કોઈ નામમાલાની પુરવણીરૂપ રચના છે ? વળી આ સાધુ કીર્તિ કયા ગચ્છના છે અને એઓ કોના શિષ્ય છે એની પણ તપાસ થવી ઘટે. શું એઓ ધાતુરત્નાકર ઉપર વિ. સં. ૧૬૮૭માં ક્રિયાકલ્પલતા રચનાર સાધુસુંદરગણિના ગુરુ છે ?
"શબ્દરત્નાકર (લ. વિ. સં. ૧૬૮૦)-આના કર્તા “ખરતર' ગચ્છના સાધુસુન્દરગણિ છે. એમણે ઉક્તિરત્નાકર તેમજ ક્રિયાકલાપ નામની સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત ધાતુરત્નાકર (યુક્તિસંગ્રહ, પાર્થસ્તુતિ વગેરે) રચ્યા છે. આ વૃત્તિ એમણે વિ. સં. ૧૬૮૦માં રચી છે.
શબ્દરત્નાકર એ પદ્યાત્મક કૃતિ છે. એ છ કાંડમાં વિભક્ત કરાઈ છે. એનાં નામો અનુક્રમે અર્હત, દેવ, માનવ, તિર્યચ, નારક અને સામાન્ય એમ રખાયાં છે.
લઘુતમનામકોશ(વિ.સં. ૨૦૦૫)- આ આગમોદ્ધારકે બાલજીવોને ઉદેશીને પદ્યમાં રચેલી કૃતિ છે. આ ઘણો નાનો કોશ છે. એ અભિ. ચિ.ના પ્રવેશદ્વારની ગરજ સારે તેમ છે. ૧. આની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૧૪)માં જૈ. ગ્રંટના આધારે કરાઈ છે. અહીં આની કોઈ બીજી
હાથપોથીનો ઉલ્લેખ નથી. ૨. આ હર્ષકીર્તિસૂરિની પોતાની કૃતિ છે અને એ સારસ્વત વ્યાકરણને અંગે છે. એ વિ. સં. ૧૬૬૩માં રચાઇ
છે. એના ઉપર ધાતુરંગિણી નામની સ્વપજ્ઞ વૃત્તિ છે. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ૦ ૪૫૨) પ્રમાણે તો આ મૂળ કૃતિ પણ હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૨માં રચી
છે. એની સ્વોપજ્ઞ વૃત્તિ વિ. સં. ૧૬૬૯માં રચાઈ છે. ૪. જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૯૩) પ્રમાણે હર્ષકીર્તિસૂરિએ સારસ્વતદીપિકા રચી છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૩)માં તો આ નામની કૃતિના કર્તા તરીકે ચન્દ્રકીર્તિસૂરિનો ઉલ્લેખ છે અને એ એમણે વિ. સં. ૧૬૬૪માં રચી છે. ૫. “ય. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૩૬ તરીકે આ કૃતિ વીરસંવત્ ૨૪૩૯માં પ્રકાશિત કરાઈ છે. એમાં અંતમાં શબ્દોની
અકારાદિ ક્રમે સૂચી છે. ૬. આ કૃતિ “જૈ. પુ. પ્ર. સં.” તરફથી સુરતથી વિ. સં. ૨૦૦૫માં પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૭૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
નામકોશ- ખરતરગચ્છીય રત્નસારના શિષ્ય સહજકીર્તિની આ રચના છે. લિંગનિર્ણય સાથે એ છ કાંડમાં રચાઈ છે. [સુશીલનામમાલા- આ. સુશીલસૂરિ. પ્ર. સુશીલ. જ્ઞાન. સિરોહી.]
આંશિક કોશો સામાન્ય રીતે કોશમાં સમગ્ર વર્ણમાળાના અક્ષરોને સ્થાન હોય છે અને સાથે સાથે એમાં વિવિધ વિષયના શબ્દો રજૂ કરાયેલા હોય છે. પરંતુ કેટલીક વાર અમુક જ અક્ષરોના બનેલા શબ્દોનો અથવા તો કોઈ એક જ વિષયને લગતા શબ્દોનો કોશ નજરે પડે છે. જે કોશ અમુક જ વર્ણવાળા શબ્દોનો બોધ કરાવે છે અને હું “આંશિક કોશ” કહું છું. એવી રીતે જે કોશ અમુક જ વિષય પૂરતા શબ્દો રજૂ કરે છે તેને પણ હું “આંશિક કોશ” કહું છું. આમ આંશિક કોશ બે પ્રકારના છે. તેમાં પ્રથમ પ્રકારના કોશોની
હવે હું નોંધ લઉં છું. P ૧૨૨ પંચવર્ગસંગ્રહનામમાલા (લ. વિ. સં. ૧૫૨૫)- આ ‘સહસ્રાવધાની' મુનિસુંદરસૂરિના શિષ્ય
શુભશીલગણિની કૃતિ છે. એનું નામ વિચારતાં એમ લાગે છે કે જો એ “કોશ'જ હોય તો એમાં ક-વર્ગ ઇત્યાદિ પાંચ વર્ગના જ શબ્દોની સૂચી અપાઈ હશે. આ ગણિએ વિ. સં. ૧૫૧૮માં શત્રુંજયકલ્પકથા અને વિ. સં. ૧૫૪૦માં શાલિવાહનચરિત્ર રચેલ છે.
ચક્ષરનામમાલા-આ કૃતિનું નામ વિચારતાં બે વિકલ્પ હુરે છે : (૧) એમાં બબ્બે અક્ષરવાળા બધી જાતના શબ્દો હશે. (૨) અમુક જ બે અક્ષરવાળા શબ્દો હશે.
પંચવર્ગપરિહારનામમાલા-આ જાતની કૃતિમાં કુ થી મે સુધીના ૨૫ અક્ષરોને જતા કરી બાકીના યુ, ૨, , વ, શ, ષ, સું અને હું એ આઠ અક્ષરો પૈકી ઓછાવત્તા અક્ષરોના બનેલા શબ્દોને સ્થાન અપાય છે.
વર્ણોની ઉત્પત્તિના અધિકરણ-ભાવને ધારણ કરનારું શરીરનું અવયવ એ વર્ણોનું સ્થાન ગણાય છે. આવા સ્થાનો તરીકે (૧) છાતી, (૨) કંઠ, (૩) મસ્તક, (૪) જીભનું મૂળ, (૫) દાંત, (૬) નાક, (૭) બે હોઠ અને (૮) તાળવું એમ આઠ સ્થાનો નિમ્નલિખિત પદ્યમાં ગણાવાયાં છે -
કઈ થાનનિ વનામુ: 8: શિરતથી |
નિવામૂનં ટુતાર્શ નાસિ%ોકી ૨ તાતુ ૨ આ પૈકી ઓષ્ઠસ્થાનીય વર્ણ તરીકે નીચે મુજબના અક્ષરો ગણાવાય છે:P ૧૨૩ પ-વર્ગ, – (દંતોક્ય) ઉં, ઊ, ઓ, ઔ અને ઉપબાનીય –
૫, ફ, બ, ભૂ અને મેં એ પાંચ વર્ણો પ-વર્ગના ગણાય છે. એ ઉચ્ચારવા માટે હોઠની જરૂર પડે છે. અસલના જમાનામાં કેટલીક વાર એવી વાક્ચાતુર્યની (acrobatic feat) હરીફાઈ યોજાતી હતી કે એમાં ભાગ લેનાર એવા શબ્દો ઉચ્ચારતો કે એમાં ૫ થી મ્ સુધીના પાંચ વર્ણો પૈકી એકેનો ઉચ્ચાર કરવાનો વારો ન આવે. આ હરીફાઈમાં ભાગ લેનારના ઉપલા હોઠે સિંદૂર લગાડાતો કે જેથી એ જો ભૂલેચૂકે પ-વર્ગનો વર્ણ બોલે તો એ હોઠ નીચલા હોઠને અડકે અને તેની ખબર એ સિંદૂરથી રંગાતાં તરત જ પડી જાય. ૧. આ નામની એક કૃતિ અપ્રસિદ્ધ છે. એની હાથપોથીઓ જેસલમેર અને કાશીના ભંડારમાં છે.
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૨૧-૧૨૫]
જિનભદ્રીય અપવર્ગ-નામમાલા (લ. વિ. સં. ૧૨૫૦)- આના કર્તા “ખરતર' ગચ્છના જિનભદ્રસૂરિ છે. એઓ જિનવલ્લભસૂરિના શિષ્ય થાય છે. વળી એઓ જિનપ્રિયના તેમજ જિનદત્તસૂરિના પણ ભક્ત થાય છે. એમણે ૨૨૦ ગાથામાં જિણસત્તરિ રચી છે. એમણે “ભાંડાગારિક' નેમિચન્દ્ર રચેલા સક્રિસયગ (પટિશતક)ની તપારત્નકૃત વૃત્તિનું સંશોધન વિ. સં. ૧૫૦૧માં કર્યું હતું. એમણે જેસલમેર, જાબાલિપુર (જાલાર), દેવગિરિ, અહિપુર (નાગોર) અને અણહિલપુર પાટણના ભંડારો જાતજાતનાં સુંદર પુસ્તકો વડે ભરી દીધાં હતાં. એમની આ નામમાલામાં ... થી મ્ પૈકી એકે અક્ષર જેમાં આવતો હોય એવા શબ્દો અપાયા છે. આમ આ એકાર્થક અનેકાક્ષરી કોશનું મર્યાદિત સ્વરૂપ રજૂ કરે છે. આજ નામમાલાને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૨૭)માં પંચવર્ગ પરિહારનામમાલા કહી છે, પણ તે વિચારણીય જણાય છે, કેમકે ૧૨૪ એવી કૃતિઓમાં તો પાંચે વર્ગના અક્ષરોનો નહિ કે કેવળ પ-વર્ગના અક્ષરોનો અભાવ હોય છે.
જિનચન્દ્રીય અપવર્ગ-નામમાલા-આ કદાચ ઉપર્યુક્ત જ કૃતિ હશે. તેમ ન હોય તો એના કર્તા જિનચંદ્રસૂરિ છે.
જૈ. ગ્રં. (પૃ. ૩૦૯)માં ૨૧૫ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તુક અપવર્ગ-નામમાલાની નોંધ છે.
નિઘંટુ-શેષ (લ. વિ. સં. ૧૨૧૦)- વૈદિક શબ્દોના સમૂહને “નિઘંટુ' કહે છે. એના ઉપર યાઓ નિરુક્ત રચ્યું છે. આમ ‘નિઘંટુ’ શબ્દ અતિપ્રાચીન છે. “નિઘંટુનો બીજો અર્થ “વનસ્પતિઓનાં નામોનો સમૂહ' એમ પ્રાચીન સમયથી કરાતો આવ્યો છે એમ ધન્વન્તરિ-નિઘંટુ, રાજકોશ-નિઘંટુ, સરસ્વતી-નિઘંટુ, હનુમન્-નિઘંટુ ઇત્યાદિ નામો જોતાં જણાય છે. પ્રસ્તુત નિઘંટુ-શેષમાંનો ‘નિઘંટુ’ શબ્દ આ બીજા અર્થમાં વપરાયો છે. આમ આ વનસ્પતિનો કોશ (botanical dictionary) છે. એના કર્તા કલિ.' હેમચન્દ્રસૂરિ છે. એમણે આ કોશ છ કાંડમાં વિભક્ત કર્યો છે. એનાં નામ અને શ્લોક-સંખ્યા નીચે મુજબ છેઃ
(૧) વૃક્ષ (ગ્લો. ૧૮૧), (૨) ગુલ્મ (શ્લો. ૧૦૫), (૩) લતા (શ્લો. ૪૪), (૪) શાક (ગ્લો. ૩૪), (૫) વ્રણ (શ્લો. ૧૭) અને (૬) ધાન્ય (શ્લો. ૧૫):
P ૧૨૫ આમ આ ૩૯૬ શ્લોકોમાં ગુંથાયેલો કોશ વૈદકશાસ્ત્ર માટે પણ ઉપયોગી છે.
૧. “અપવર્ગ”ના બે અર્થ થાય છે : પ-વર્ગથી રહિત અને મોક્ષ પહેલો અર્થ અત્રે પ્રસ્તુત છે. ૨. એમનો વિસ્તૃત પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવનામાં જિનવિજયજીએ આપ્યો છે. ૩. આ કોશ “અભિધાન-સંગ્રહ”માં છટ્ટા કોશ તરીકે શકસંવત્ ૧૮૧૮માં છપાયો છે. “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પણ આ અભિ. ચિ. વગેરે સહિત ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે, પરંતુ એમાં પ્રારંભમાં ૨-૧૫ પદ્યો નથી. ૧૭મું પદ્ય તૂટક છે અને ત્રીજા કાંડમાં પણ એક પદ્ય અધૂરું છે. આ પરિસ્થિતિ જોતાં વિ. સં. ૧૨૮૦માં લખાયેલી હાથપોથી મેળવી એનું ફરીથી સંપાદન થવું ઘટે. ૪.પ્ર. ચ. (ઇંગ ૧૨, શ્લો. ૮૩૭)માં ચાર મકોશો ગણાવતાં “કોશ'ને બદલે “નિઘંટુ’ શબ્દ વપરાયો છે. આમ
અહીં ‘શબ્દોનો સમૂહ' એવો અર્થ ‘નિઘંટુ’નો કરાયો છે. ૫. વનસ્પતિના આ છ ભેદો શ્યામાચાર્યે પણવણા (પય ૧)માં વનસ્પતિકાયના અધિકારમાં ‘પ્રત્યેક-શરીર’ બાદર વનસ્પતિકાયના વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, પર્વગ, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુ અને કુહણ એમ જે બાર ભેદો ગણાવ્યા છે તેનું તેમજ વિનયવિજયગણિએ વિ. સં. ૧૭૦૮માં રચેલા લોકપ્રકાશ (સ. ૫, શ્લો. ૯૮)માં પણ આપેલી આ જ હકીકતનું સ્મરણ કરાવે છે. આ બંને કૃતિઓમાં વૃક્ષાદિ બારેનાં ઉદાહરણો અપાયાં છે.
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
૭ર
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
સાધન-ડે. વ્હીલર (Buhler)ના મતે ધન્વન્તરિ-નિઘંટુ અને રત્નપરીક્ષાનો આ નિઘંટુશેષની રચનામાં ઉપયોગ કરાયો હશે.
રચના-સમય-આ કોશના આદ્ય પદ્યમાં કહ્યું છે કે એનાર્થ, નાનાર્થ અને દેશ્ય એમ ત્રણ જાતના શબ્દ-સમુચ્યય (અર્થાત્ અભિ. ચિ, અનેકાર્થ-સંગ્રહ અને રયણાવલી એ ત્રણ કોશો) જેણે રચ્યા છે એવો હું અરિહંતોનાં ચરણ-કમળને નમીને નિઘંટુ-શેષ કહીશ. આ ઉપરથી આ કોશ ચાર કોશો પૈકી છેલ્લો રચાયો છે એમ ફલિત થાય છે. અભિ. ચિ. (કાંડ ૪, શ્લો. ૨૬૭)ની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૪૮૪)માં નીચે મુજબની પંક્તિ છે.
“पिप्पलादिवृक्षजातीनां तु नामशेषोऽस्मदुपज्ञनिघण्टोरवसेयः' P ૧૨૬ અર્થાત્ પીપળા વગેરે વૃક્ષોની જાતિઓનાં નામ અમે રચેલા નિઘંટુથી જાણવાં. આ ઉપરથી એમ
કહી શકાય કે સ્વપજ્ઞ વિવૃતિ રચાયા પૂર્વે આ કોશ રચાયો છે અથવા તો એની સાથે સાથે આની રચના કરાઈ છે.
ટીકા-જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભે આ રચી છે. એમણે આ ટીકાનો ઉલ્લેખ અભિ. ચિ. ઉપરની પોતાની ટીકામાં કર્યો છે. [નિઘંટુશેષ- શ્રીવલ્લભની ટીકા સાથે આ ગ્રંથ મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત થઈ લા.દવિદ્યામંદિર અમદાવાદથી ઇ.સ. ૧૯૬૮માં પ્રથમવાર જ છપાયો છે. અનેક ઉપયોગી પરિશિષ્ટ વ.થી સમૃદ્ધ છે.]
નિઘંટુ-સંગ્રહ-અકલંકદેવની કૃતિ તરીકે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં આની નોંધ છે, પણ આ શી કૃતિ છે ?
ઔષધીનામમાલા-જૈ. ગ્રં. (પૃ. ૩૧૦)માં આ કૃતિની ચાર પત્રની એક હાથપોથી અમદાવાદમાં હોવાનો ઉલ્લેખ છે. આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. એનું નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં ઔષધિઓનાંવનસ્પતિઓનાં નામ ગણાવાયાં હશે.
બીજ-નિઘંટુ–આ અજ્ઞાતકર્તૃક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં છે. શું એમાં જાતજાતનાં બીજનો ઉલ્લેખ હશે ? [નિઘંટુ- ભા.૧-૨. ગુજરાતી પુસ્તકમંડળ વડોદરાથી ૧૯૯૯માં બીજી આવૃત્તિ પ્રગટ થઇ છે.]
[૨] અનેકાર્થક કોશો અનેકાર્થ-નામમાલા (ઉ. વિક્રમની ૧૧મી સદી)-આ દિ. ગૃહસ્થ ધનંજયે ૪૬ પદ્યમાં રચેલી નામમાલા છે. એમાં અનેકાર્થી શબ્દોને સ્થાન અપાયું છે. આ કોશ ઉપલબ્ધ જૈન સાહિત્યની અપેક્ષાએ સૌથી પ્રથમ છે. આના ઉપર એક અવચૂરિ જેવી સંક્ષિપ્ત સટીકા છે. ૧. આ નિઘંટુ આજે અપ્રાપ્ય ગણાય છે, પરંતુ હેમચન્દ્રસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિની તો એ સામે હોય એમ
અનેકાર્થસંગ્રહની એ શિષ્ય રચેલી ટીકા જોતાં જણાય છે. ૨.જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં માતૃકાનિઘંટ નામની કૃતિ ડેક્કન કોલેજમાં હોવાની નોંધ છે અને એના કર્તા તરીકે
મહીદાસનો અહીં ઉલ્લેખ છે. શું આ કોઈ જૈન નામમાલા છે ? ૩. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 61.
૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. 61.
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૨૫-૧૨૮]
૭૩
અનેકાર્થ-નિઘંટુ-આ પણ બે નામમાલા રચનારા ધનંજયની જ કૃતિ હોય એમ લાગે છે. એમાં ૧૨૭ લગભગ ૧૫૪ શ્લોક છે. એમાં ૭૫ માં, ૧૫૦મા અને ૧૫૩મા પછીનો શ્લોક અંશતઃ છપાયો છે. અંતમાં જે ઉલ્લેખ છે તે ઉપરથી એમ જાણી શકાય છે કે આ કૃતિના બે પરિચ્છેદ તો છે જ, પણ એકંદર કેટલા પરિચ્છેદ છે અને પ્રથમ પરિચ્છેદ કયાં પૂર્ણ થાય છે તે જાણવું બાકી રહે છે.
અનેકાર્થ-સંગ્રહ (લ. વિ. સં. ૧૨૧૦) – આ કોશમાં એક શબ્દના અનેક અર્થ અપાયા છે, જ્યારે અભિ. ચિ. જેવા કોશોમાં એકાર્યવાચક અનેક શબ્દો અપાયા છે. આમ આ નાનાર્થ-કોશ છે. એના કર્તા “કલિ. હેમચન્દ્રસૂરિ છે. એના આદ્ય પદ્યમાં છ કાંડનો ઉલ્લેખ છે, જ્યારે આજે સાત કાંડ મળે છે. એ સાતમો કાંડ અવ્યયો પૂરતો છે અને અભિ. ચિ.ને અંગે જેમ શેષનામમાલા રચાઈ છે તે પ્રકારનો જણાય છે. આ સાત કાંડનાં નામ અને એની શ્લોક-સંખ્યા નીચે મુજબ છે :
(૧) એક-સ્વર (શ્લો. ૧૬), (૨) દ્વિ-સ્વર (શ્લો. ૫૯૧), (૩) ત્રિ-સ્વર (શ્લો) ૭૬૬), (૪) ચતુ :-સ્વર (શ્લો. ૩૪૩), (૫) પંચ-સ્વર (શ્લો. ૪૮), (૬) પ સ્વર (શ્લો. ૫) અને (૭) અવ્યય (શ્લો. ૬૦).
આમ અહીં કુલ શ્લોકો ૧૮૨૯ (૧૭૬૮+૬૦) છે. અહીં પણ અભિ. ચિ.ની પેઠે કેટલાક દેશ્ય રે ૧૨૮ જણાતા જૈશબ્દોની નોંધ છે. એટલે આ કોશ પણ એના અભ્યાસીઓએ વિચારવો ઘટે.
યોજના-ગ્રંથકારે જાતે આ કોશની યોજના શ્લો. ૨-૪માં સમજાવી છે. રચના-સમય–અભિ. ચિ. પછી આ કોશ રચાયો છે એમ આદ્ય પદ્ય ઉપરથી જાણી શકાય છે. આ કોશ ઉપર નીચે મુજબની વૃત્તિઓ છે :
(૧) અનેકાર્થ-કેરવાકર-કૌમુદી-આ કૃતિનો આ નામથી એના પ્રારંભમાં જ કર્તાએ – “કલિ.” હેમચન્દ્રસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિએ જાતે ઉલ્લેખ કર્યો છે. એમણે આ કૃતિ પોતાના ગુરુને નામે ચડાવી છે એ વાત બીજા કાંડની ટીકાના અંતિમ પદ્ય ઉપરથી જણાય છે; બાકી પ્રથમ કાંડની ટીકાને અંતે અપાયેલી પુષ્મિકામાં તો કર્તા તરીકે હેમચન્દ્રસૂરિનું નામ છે. આ ટીકા રચવામાં નિમ્નલિખિત ગ્રંથો સહાયક નીવડ્યાનો પ્રારંભમાં ઉલ્લેખ છે :૧. આ “ભારતીય જ્ઞાનપીઠ કાશી” તરફથી છપાયો છે. ૨. શું જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં ધનંજયના નામે જે નિઘંટ-સમય નામની બે પરિચ્છેદની કૃતિની નોંધ
છે તે આ જ છે ? ૩. મહેન્દ્રસૂરિકૃત અનેકાર્થ-કેરવાકર-કૌમુદી નામની ટીકા સહિત આ કોશનું અવતરણોનાં મૂળ સ્થાનના નિર્દેશપૂર્વક
સંપાદન ઝેચારિઆએ (Zachariae)એ ઈ. સ. ૧૮૯૩માં કર્યું છે, જ્યારે કેવળ આ કોશ તો “અભિધાનસંગ્રહ’માં શકસંવત્ ૧૮૧૮માં છપાયો છે (જુઓ પૃ. ૧૧૨). [હર્ષપુષ્યામૃત ગ્રંથમાલા દ્વારા વિ. સં. ૨૦૩૧માં અનેકાર્થ સટીક પ્રસિદ્ધ થયો છે. સંપા. આ. જિનેન્દ્રસૂરિ.] ૪. આવા જ શબ્દો ગુજરાતી અર્થ સહિત હેમસમીક્ષા (પૃ. ૮૨)માં અપાયા છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૩. ૬. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૦)માં આને જ કરવાકર કૌમુદી' કહી છે અને અનેકાર્થધ્વનિમંજરી તે શું હૈમ
અનેકાર્થસંગ્રહ જ છે એવો પ્રશ્ન ઉઠાવાયો છે.
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
७४
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
P ૧૨૯
વિશ્વપ્રકાશ, શાશ્વત, રસ, અમરસિંહ, મંખ, હુડ્ઝ, વ્યાડિ, ધનપાલ, ભાગરિ, વાચસ્પતિ અને યાદવની કૃતિઓ તેમજ ધવંતરિકૃત નિઘંટુ અને લિંગાનુશાસનો.
(૨) ઉપસર્ગ-વૃતિ- આની રચના સિદ્ધિચન્દ્રમણિએ કરી છે. (૩) પર્યાય-આના કર્તાનું નામ જાણવામાં નથી. (૪) અવચૂરિ (? ટીકા)- આના કર્તા વિષે ખબર નથી.
"વિશ્વલોચનકોશ યાને મુક્તાવલીકોશ- આના કર્તા દિ. શ્રીધરસેન છે. એઓ ‘સેન” અન્વય (સંઘ)માં થયેલા કવિ, આન્વીક્ષિકી વિદ્યામાં નિષ્ણાત અને વાદી એવા મુનિસેનના શિષ્ય થાય છે, વળી એઓ સમસ્ત શાસ્ત્રોના પારગામી, રાજાઓના વિશ્વાસપાત્ર અને કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ હતા તેમજ આ (અનેકાર્થક) કોશ વિવિધ કવીશ્વરોના કોશો જોઈને રચાયો છે એમ પ્રશસ્તિમાં કહ્યું છે. એમના સમય વિષે કોઈએ ઉલ્લેખ કર્યાનું જાણવામાં નથી એટલે આ કોશ વિક્રમની સોળમી સદીમાં રચાયો હશે એમ માની લઈ મેં એની અહીં નોંધ લીધી છે. આ કોશમાં અઢીએક હજાર પડ્યો છે. આ કોશનો રચનાક્રમ એના દ્વિતીય પદ્યમાં નીચે મુજબ અપાયો છે –
| સ્વર અને કાર વગેરે વર્ણના ક્રમથી શબ્દોની આદિનો નિર્ણય કરાયો છે. વળી દ્વિતીય વર્ણ વિષે પણ કકારાદિનો ક્રમ રખાયો છે. દા. ત. ક (નરજાતિ), ક(નાન્યતરજાતિ), કુ, અક, અંક ઇત્યાદિ.
આ કોશના શબ્દોને કાન્ત, ખાન્ત એમ હાન્ત સુધીના ૩૩ વર્ગોમાં, ત્યાર પછીના શબ્દોને ક્ષાન્ત વર્ગમાં અને એના પછીના શબ્દોને– અવ્યયોને અવ્યય-વર્ગમાં એમ એકંદર ૩૫ વર્ગમાં વિભક્ત કરાયા છે.
ભાષાટીકા- કોશના પ્રત્યેક પૃષ્ઠના ઉપરના લગભગ અડધા ભાગમાં છએક પડ્યો છે અને એના નીચલા ભાગમાં બે સ્તંભ (column)માં સંસ્કૃત શબ્દ અને એની સામે એના વિવિધ અર્થ હિન્દીમાં અપાયા છે આ અર્થોનો ‘ભાષાટીકા' તરીકે નિર્દેશ છે.
નાનાર્થકોશ અને નાનાર્થસંગ્રહ– આના કર્તા અનુક્રમે અસગ કવિ અને રામચન્દ્ર છે.
અનેકાર્થ-નામમાલા (વિ. સં. ૧૭૦૨)- “અંચલ' ગચ્છના વિનયસાગરસૂરિએ વિ. સં. ૧૭૦૨માં આ રચી છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૯)માં કોઈ અંચલગચ્છીય વ્યક્તિએ જે અનેકાર્થરત્નકોશ રચ્યાનો અને જેની ૧૫ પત્રની એક હાથપોથી અમદાવાદના ભંડારમાં હોવાનો ઉલ્લેખ છે તે ગ્રંથ તે આ જ છે ?
[૩] એકાક્ષરી નામમાલા આપણે અત્યાર સુધી એકાર્થક તેમજ અનેકાર્થક એમ બે પ્રકારના અનેકાક્ષરી કોશોનો વિચાર કર્યો. હવે આપણે “એકાક્ષરી' કોશો- નામમાલા પરત્વે વિચાર કરીશું. આ જાતની નામમાલા અ. ૧. આ કોશ પં. નંદલાલ શર્માકૃત ભાષાટીકા (હિન્દી શબ્દાર્થ) સહિત “ગાંધી નાથારંગ જૈન ગ્રંથમાલા”માં ઈ.
સ. ૧૯૧૨માં છપાયો છે. ૨. આ નામ જિ. ૨. કો (ખંડ ૧, પૃ. ૩૪) જોતાં અનુમનાય છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૨૮-૧૩૧]
૭૫
આ ઇત્યાદિ અક્ષરોના અર્થ અનુક્રમે પૂરા પાડે છે. જેમકે અન્નવાસુદેવ (કૃષ્ણ), આ=પિતામહ, ઇ=કામદેવ ઈત્યાદિ.૧
એકાક્ષર-નિઘંટુ (વિક્રમની ૧૨મી સદી)-આના કર્તા તરીકે “માલધારી' ગચ્છના હેમચન્દ્રસૂરિનો ઉલ્લેખ જોવાય છે. આ નિઘંટુને નામમાલા માની મેં એનો અહીં નિર્દેશ કર્યો છે. આની હાથપોથી સુરતમાં છે.
એકાક્ષર-નામમાલા (વિક્રમની ૧૪મી સદી) - આની રચના “વાયડ' ગચ્છના જિનદત્તસૂરિના ૧૩૦ શિષ્ય અમરચન્દ્રસૂરિએ કરી છે. એમણે સ્વાદિશબ્દસમુચ્ચય, પદ્માનંદમહાકાવ્ય વગેરે વિવિધ કૃતિઓ રચી છે.*
"એકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૪OO)-આ પચાસ પદ્યની નાનકડી કૃતિના કર્તા સુધાકલશ છે. એઓ ‘હર્ષપુરીય' ગચ્છના રાજશેખરસૂરિના શિષ્ય થાય છે આ રાજશેખરસૂરિ તે સ્વપરસિદ્ધાંતના જ્ઞાતા અને સંગીતશાસ્ત્રમાં પ્રવીણ એવા નરચન્દ્રસૂરિના શિષ્ય તિલકસૂરિની પાટે થયા છે. આ તિલકસૂરિએ સુધાકલશને દીક્ષા આપી હતી. આ સુધાકલશે વિ. સં. ૧૭૮૦માં સંગીતોપનિષદ્ અને વિ. સં. ૧૪૦૬માં એના સારરૂપ સંગીતોપનિષગ્રંથસારોદ્ધાર એમ બે ગ્રંથ રચ્યા છે.
ઉપયોગ-સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૪૯માં રચેલી અર્થરત્નાવલીમાં સુધાકલશનો ઉલ્લેખ કર્યો છે એટલું જ નહિ પણ એમણે રચેલી ઉપર્યુક્ત નામમાલિકામાંથી પદ્યો પણ ઉદ્ધત કર્યા છે.
ગુણરને નમસ્કાર-પ્રથમપદાર્થમાં ઉપર્યુક્ત નામમાલામાંથી પદ્યો આપ્યાં છે અને આ નામમાલાનો એકાક્ષરનામમાલા અને એકાક્ષર-નિઘંટુ તરીકે નિર્દેશ કર્યો છે. “કલિ.’ હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર ૧૩૧ (પ્ર. ૧, ગ્લો. ૧૦)ની માનસાગરીય શતાથમાં આ નામમાલામાંથી અવતરણો અપાયાં છે
અવ્યવૈકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૪OO)- આ સુધાકલશની રચના છે. આમાં અવ્યયોને સ્થાન અપાયું છે આની એક પત્રની હાથપોથી લા. દ. વિદ્યામંદિરમાં છે તો એ કૃતિ સત્વર પ્રકાશિત થવી
ઘટે.
૧૧એકાક્ષરકોષ– આ મહાક્ષપણકે રચ્યો છે. એમાં પ્રારંભમાં આગમો, અભિધાનો, ધાતુઓ અને શબ્દસાધનથી એકાક્ષર નામ પાડ્યું છે. આની એક પ્રતિમાં નીચે મુજબ ઉલ્લેખ છે :૧. જુઓ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી પ્રકાશિત અભિ. ચિ.કોશની આવૃત્તિ (પૃ. ૧-૪)માં છપાયેલ અજ્ઞાતકર્તક " એકાક્ષરકોશ. ૨. જુઓ જિ. ૨. કો. (ખંડ. ૧, પૃ. ૬૧). ૩. આ અપ્રકાશિત છે. એની એક હાથપોથી ભાં. પ્રા. સં. મું. માં છે.
૪. જુઓ પૃ. ૯૮ ૫. “દે લા. જૈ. ૫. સં” તરફથી ગ્રંથાંક ૮૧ તરીકે (મેં સંપાદિત કરેલી અર્થરત્નાવલી ઇત્યાદિ કૃતિઓના
સમૂહરૂપે) જે અનેકાર્થરત્નમંજૂષા ઇ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થયેલી છે તેમાં ક-પરિશિષ્ટ તરીકે આ કૃતિ પૃ. ૧૧૯-૧૨૨માં છપાવાઈ છે. વળી આ સંસ્થા તરફથી પ્રકાશિત અભિ. ચિ. કોશની આવૃત્તિના અંતમાં આ એકાક્ષરનામમાલા છપાઈ છે.
૬-૭. દા. ત. જુઓ પૃ, ૩. ૮. જુઓ અ. ૨. (પૃ. ૧૧૧ ને ૧૧૭) ૯. જુઓ અ. ૨. (પૃ. ૧૧૧) ૧૦. જુઓ (પૃ. ૧૦૭). ૧૧. આ કૃતિ એકાક્ષરનામકોષસંગ્રહમાં “રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન” (જોધપુર) તરફથી વિ. સં. ૨૦૨૧માં પ્રસિદ્ધ કરાઈ છે. એનું સંપાદન રમણીકવિજયજીએ કર્યું છે.
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
“વાક્ષાર્થસંતાપ: મૃત: ક્ષણવિમ:' આ કોષનાં પહેલાં ૪૧ પદ્યોમાં ક થી જ્ સુધીના વ્યંજનોના અર્થની વિચારણા છે. ત્યાર બાદ સ્વરોના અર્થ દર્શાવાયા છે.
એકાક્ષર-નામમાલિકા (લ. વિ. સં. ૧૫૫૦)- આને એકાક્ષરી-નામમાલા તેમજ એકાક્ષરીકોષ પણ કહે છે. એમાં ૧૯ પદ્યો છે. એમાં અ-કૃષ્ણ, આ=સ્વયંભૂ એમ એકેક અક્ષરના અર્થ અપાયા છે. એના રચનારનું નામ અમર છે. એમણે પોતાને “કવીન્દ્ર' કહ્યા છે અને વિશ્વકોશ જોઈને આ રચના કરી છે એમ આ નામમાલાના નિમ્નલિખિત આદ્ય પદ્ય ઉપરથી જાણી શકાય છે.
“विश्वाभिधानकोशानि प्रविलोक्य प्रभाष्यते । अमरेण कवीन्द्रेणैकाक्षरनाममालिका ।।१।।"
સમયસુંદરગણિએ અમરકવિ એવા ઉલ્લેખપૂર્વક એમની આ કૃતિમાંથી અવતરણ આપ્યાં છે. એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૪૯ કરતાં સોએક વર્ષ જેટલી તો પ્રાચીન હશે એમ ભાસે છે.
ધનંજય-નામમાલાના ભાષ્યના અંતમાંની 'પુમ્બિકામાં એ ભાષ્યના કર્તા અમરકીર્તિને અંગે P ૧૩૨ ‘શબ્દ-વેધસ્' એવું વિશેષણ વપરાયું છે. એ પુષ્પિકા જો ભાષ્યકારની પોતાની જ હોય તો એ પોતાને
“કવીન્દ્ર કહે એમાં નવાઈ નહિ. આ પરિસ્થિતિમાં હું ઉપર્યુક્ત અમરને આ અમરકીર્તિથી અભિન્ન માનવા લલચાઉં છું.
"એકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૫૫૦)- આ ૧૧૫ પદ્યમાં રચાયેલી કૃતિના કર્તા વિશ્વશંભુ છે. સામાન્ય રીતે એઓ “જૈન” ગણાય છે એટલે મેં આ કૃતિની નોંધ લીધી છે. એમને વિષે વિશેષ જાણવામાં નથી. એમનો ઉલ્લેખ કરી સમયસુંદરગણિએ અષ્ટલક્ષાથમાં એમની આ કૃતિમાંથી પદ્યો ઉધૃત કર્યા છે. એ ઉપરથી આ કૃતિ વિ. સં. ૧૬૪૯ કરતાં સોએક વર્ષ જેટલી પ્રાચીન હશે એમ ભાસે છે.
એકાક્ષર-નામમાલા-આ એક અજ્ઞાતકર્તૃક કૃતિ છે. એની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં લેવાઈ છે. શું “દે. લા. જૈ. પુ. સં.” તરફથી જે અભિ. ચિ. કોશ વિવિધ કૃતિઓ સહિત છપાયો છે તેમાં જે અજ્ઞાતકર્તક એકાક્ષરકોશ અપાયો છે તે જ આ છે ?
“અભિધાનરાજેન્દ્ર (વિ. સં. ૧૯૪૬- વિ. સં. ૧૯૬૦)- આ સાડા ચાર લાખ શ્લોક જેવડા મહાકાય કોશના કર્તા વિજયરાજેન્દ્રસૂરિ છે. એઓ “સૌધર્મબૃહત્તપા’ ગચ્છના પ્રમોદસૂરિજીના શિષ્ય થાય છે. એમણે આ કોશનો પ્રારંભ સિયાણામાં વિ. સં. ૧૯૪૬માં કર્યો હતો અને એની પૂર્ણાહૂતિ એમણે ૧. આ ભારતીય જ્ઞાનપીઠથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૦૬, ૨. જુઓ અ. ૨. (પૃ. ૨, ૩ અને ૪).
૩. જુઓ અ. ૨. (પૃ. ૨, ૩, ૪ ઇત્યાદિ). ४. “इति महापण्डित श्रीअमरकीर्तिना त्रैविद्येन श्रीसेन्द्रवंशोत्पन्नेन शब्दवेधसा कृतायां धनञ्जयनाममालायां प्रथम - STUવું વ્યારણ્યતિમ્ ?' ૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં આની નોંધ છે. એ હિસાબે પ્રો. વેલણકર પણ આને જૈન કૃતિ ગણતા
હોય એમ લાગે છે. ૬. જુઓ અ. ૨. (પૃ. ૧), ૭. જુઓ અ. ૨. (પૃ. ૧, ૩ ઇત્યાદિ). ૮. આ પાઈય-સંસ્કૃત કોશ સાત વિભાગમાં રતલામથી ઇ. સ. ૧૯૧૩, ૧૯૧૦, ૧૯૧૪, ૧૯૧૩, ૧૯૨૧, ૧૯૩૪ અને ૧૯૩૪માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયેલો છે. [આનું પુનર્મુદ્રણ દિલ્હીથી બે પુસ્તક વિક્રેતાઓએ અને અમદાવાદથી ત્રિસ્તુતિકસંઘ હાથીખાના દ્વારા થયું છે.]
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૩૧-૧૩૩]
અહીં (સુરતમાં) વિ. સં. ૧૯૬૦માં કરી હતી. એમણે આ કોશમાં ૬0000 પાઇય શબ્દોનાં મૂળના નિર્દેશપૂર્વક એનાં સંસ્કૃત સમીકરણ આપ્યાં છે. શબ્દનો અર્થ સમજાવતી વેળા પાઠય કે સંસ્કૃત અવતરણ અપાયું છે. કોઈ કોઈ વાર તો સમગ્ર કૃતિ અવતરણરૂપે અપાઈ છે. એવી કોઈ કોઈ કૃતિ સંસ્કૃતમાં છે. આ કોશની આ વિશિષ્ટતાને લઈને મેં એનો આ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે, જ્યારે આ જ કિર્તાના શબ્દામ્બુધિકોશનો, પં. હરગોવિન્દદાસ ત્રિકમચંદ શેઠે રચેલા પાઈયસÆહષ્ણવ નામના પાઇય-સંસ્કૃત કોશનો, ‘શતાવધાની’ શ્રીરત્નચન્દ્રકૃત 'Ardhmagadhi Dictionary નો કે જેમાં જૈન આગમોના શબ્દોના સંસ્કૃતાદિ ચાર ભાષામાં અર્થ અપાયા છે તેનો તેમજ “આગમોદ્ધારક શ્રીઆનન્દસાગરસૂરિએ સંકલિત કરેલા અલ્પપરિચિતસૈદ્ધાત્તિકશબ્દકોષનો પરિચય હું આપતો નથી. [આ ઉપરાંત જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ, જૈન લક્ષણાવલી, ભિક્ષુઆગમકોશ વગેરે કોષ. પ્રસિદ્ધ થયા છે.]
એકાક્ષરી નાનાર્થ કાંડ- આ દિ, ધરસેનાચાર્યે ૩૫ પદ્યમાં રચેલી કૃતિ છે.
પારસીક-નામમાલા યાને શબ્દ-વિલાસ (વિ. સં. ૧૪૨૨) – આ કૃતિના રચનાર હરિ બ્રાહ્મણ અજૈન હોવાનો ઘણો સંભવ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૪૪)માં ઉલ્લેખ છે. જૈ. ગ્રં. (પૃ ૩૧૧) પ્રમાણે આના કર્તાનું નામ સલફમંત્રી છે અને એ કૃતિનું બીજું નામ શબ્દ-વિલાસ છે.
સિંખ્યાવાચકશબ્દકોશ : સં. આ. જિનેન્દ્રસૂરિ, પ્રકા. હર્ષપુષ્પા-૨૦૪. લેક્ષાકોષ-સં. મોહનલાલ બાંઠીયા, કલકત્તા, ઈ. ૧૯૯૬, સંધિવિનોદપંચદશી-આ. ધર્મધુરંધરસૂરિ, જૈન સા. પ્ર. સભા.] સંદિગ્ધ કૃતિઓ
P ૧૩૩ હવે હું એવી કેટલીક કૃતિઓ નોંધું છું કે જે ખરેખર શબ્દોની નામમાલા છે કે કેમ તે વિષે સંદેહ રહે છે. મનોરથ-નામમાલા - આની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં છે. વસ્તુવિજ્ઞાનરત્નકોશ - આ કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં નોંધાયેલી છે. વસ્તુ-કાશ-આનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં કરાયો છે. વસ્તુ-કાશ-આનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં કરાયો છે. રસસાર-જૈ. ગ્રં. (પૃ. ૩૧૧) પ્રમાણે આના કર્તા ગોવિન્દાચાર્ય છે. રત્નકોશ-વ્યાખ્યા (વિ. સં. ૧૧૭૬)-શું આ કોઈ રત્નકોશ નામની કૃતિની ટીકાનું નામ છે ?
પાકોશ-જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં આને શબ્દોનો કોશ ગણ્યો છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૩૩)માં જ્યોતિષની એક કૃતિનું નામ પદકોશ અપાયું છે તો તે જ આ કૃતિ છે ?
લોક-સંવ્યવહાર-આ “ચંદ્રપ્રભવિજય નામનું કાવ્ય રચનારા રવિગુપ્તની કૃતિ છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં ઉલ્લેખ છે, પણ મને તો એ નીતિનો ગ્રંથ હશે એમ એનું નામ વિચારતાં હુરે છે.
સિંખ્યાવાચક શબ્દકોશ : સં. આ જિનેન્દ્રસૂરિ. પ્ર. હર્ષપુષ્પા. ૨૦૪ વેશ્યાકોષ- સ. મોહનલાલ બાંઠીયા કલકત્તા છે. ૧૯૯૬. સંધિવિનોદપંચદશી- આ. ધર્મધુરંધરસૂરિ. જૈન સા. પ્ર. સભા.]
૧. આ ઉપરાંતની કૃતિઓનાં નામ વગેરે માટે જાઓ અભિધાનરાજેન્દ્રના પ્રથમ ભાગની પ્રસ્તાવના (પૃ.૧૩-૧૪) ૨. આના પરિચય માટે જાઓ પાઇય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (પૃ.૫૯-૬૦) ૩. એજન પૃ.૬૦ ૪. એજન પૃ.૬૦ પ. આ નામથી આ કૃતિની નોંધ જૈ. ગ્રં.માં કે જિ. ૨. કોમાં જોવાતી નથી તેનું શું.
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
P ૧૩૪
પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર છંદ' એ છ વેદાંગ પૈકી એક છે. “છંદ શાસ્ત્ર' એટલે અક્ષર કે માત્રાના મેળથી-નિયમથી ઉદ્ભવતાં વિવિધ વૃત્તોની શાસ્ત્રીય વિચારણા. આને અંગ્રેજીમાં પ્રોસીડી (Prosody) તેમજ મેટ્રિક્સ (Metrics) કહે છે. સામાન્ય રીતે એમ મનાય છે કે દરેક દેશમાં સૌથી પ્રથમ પદ્યાત્મક કૃતિ એટલે કે છંદોબદ્ધ રચના યોજાઈ છે. આપણે ત્યાં પણ પ્રાચીનતમ સાહિત્ય તરીકે નિર્દેશાતા વેદનાં સૂકતો છંદમાં વિવિધ છંદમાં છે. જૈનોના આગમો પૈકી કેટલાક સવશે તો કેટલાક અંશતઃ છંદમાં રચાયેલા છે. આને લઈને છંદ શાસ્ત્ર સંબંધી કૃતિઓ જૈનોને તેમજ અજૈનોને હાથે યોજાયેલી મળે છે. આપણે અહીં મૌલિક જૈન કૃતિઓ અને એનાં વિવરણો વિષે વિચારીશું.
છંદ શાસ્ત્ર (વિક્રમની છઠ્ઠી સદી)- આના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણ વગેરેના પ્રણેતા દિ. પૂજ્યપાદ છે. જયકીર્તિએ પોતાના છંદોડનુશાસનમાં જે પૂજ્યપાદની કૃતિનો ઉપયોગ કર્યાનું પોતે કહ્યું છે તે આ જ પૂજ્યપાદ હોવા જોઈએ. ગમે તેમ પણ એમનું આ છન્દઃશાસ્ત્ર હજી સુધી તો અપ્રાપ્ય છે.
જયદેવચ્છદસ્ (ઉ. વિ. સં. ૯૫૦)- આના કર્તા જયદેવ છે. [વૃત્તરત્નાકરના ટીકાકાર સુલ્હણે જયદેવ માટે “શ્વેતપટ' વિશેષણ વાપર્યું છે એટલે ગ્રંથકાર શ્વેતાંબર છે એ નિશ્ચિત થાય છે.] P ૧૩૫ વિષયના નિરૂપણ માટે પિંગલને અનુસરીને એમણે પોતાની પદ્ધતિએ આ કૃતિ રચી છે. એમાં આઠ
અધ્યાય છે. પહેલામાં સંજ્ઞા, બીજામાં વૈદિક છંદ “ગાયત્રી' અને ત્રીજામાં વિવિધ વૈદિક છંદો વિષે વિચાર કરાયો છે, અને ચોથાથી લૌકિક છંદો હાથ ધરાયા છે. ચોથા અધ્યાયમાં આર્યા અને વૈતાલીય છંદના પ્રકારો ઉપર અને પાંચમાથી સાતમા અધ્યાયમાં સમ-વૃત્ત, અર્ધ-સમ-વૃત્ત અને વિષમ-વૃત્તો ઉપર પ્રકાશ પડાયો છે. આ અધ્યાયોમાં લૌકિક છંદોનાં લક્ષણો તે તે છંદમાં અપાયાં છે. આઠમા અધ્યાયમાં પ્રસ્તાર વગેરે વિષે પદ્યમાં નિરૂપણ છે.
ઐવિદ્યગોષ્ઠી (પત્ર ૯)માં કહ્યું છે કે જાતિ વિવિધ પ્રકારની છે અને દંડકના ઘણા પ્રકારો છે. “માત્રા' છંદના “માગધીમા ૬૭ કરોડ અને ૬૦ લાખ ભેદ છે, “ઉપહાસિની'ના ૪ અજ (અબજ), પ૬ કરોડ, ૯૭ લાખ અને ૬૦ હજાર ભેદ છે, અને “આર્યાના ૮ કરોડ, ૨૯ લાખ અને ૨૦ હજાર ભેદ છે. આને લગતા પ્રસ્તાર વગેરે છ પ્રત્યય છે.
હર્ષટની ટીકા સહિતના મૂળમાં જે પાઠ હોવાનું જોવાય છે તે સ્વતંત્ર મૂળથી કેટલીક વાર ભિન્ન છે અને એ તો બની શકે, પરંતુ એમાં આઠમા અધ્યાયને લગતો ભાગ સ્વતંત્ર કૃતિમાં પાંચ જ પદ્યો પૂરતો છે, જ્યારે આ સટીક મૂળમાં બાર જેટલો છે. ૧. જુઓ પૃ. 8-9. ૨. “હરિતોષ સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૪૯માં “જયદામ–” નામથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં જે નીચે
મુજબની ચાર કૃતિ છપાઈ છે તેમાં આ પહેલી છેઃ(અ) જયદેવચ્છન્દસ્ (હર્ષટકૃત ટીકા સહિત), (આ) જયકીર્તિકૃત છંદોડનુશાસન. (ઇ) કેદારકૃત વૃત્તરત્નાકર
અને (ઇ) હૈમ છંદોડનુશાસન. ૩. આને અંગેનો મારો લેખ નામે “જયદેવકૃત જયદેવચ્છાન્દસ્” “જૈ. સ. પ્ર.” (વ. ૧૫, સં. ૧૦)માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર : પ્રિ. આ. ૧૩૪-૧૩૭]
૭૯
સંપ્રદાય-નમિસાધુ સ્વયંભૂ કવિદર્પણના કર્તા અને જયકીર્તિ એ તમામ જૈન ગ્રન્થકારો જયદેવને પિંગલ જેટલું મહત્ત્વ આપવા પ્રેરાયા છે એ બાબત એઓ જૈન હોવાનું સૂચવે છે. વળી એઓ કેદાર કરતાં વધારે પ્રાચીન અને કેદાર જેટલા તો વ્યવસ્થિત લેખક હોવા છતાં વૈદિક ધર્મના અનુયાયીઓમાં એઓ લોકપ્રિય ન બની શક્યા તે પણ એમના જૈનત્વને આભારી હશે. - ઈ. સ.ની દસમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા ભટ્ટ હલાયુધે પિંગલના છંદ:સૂત્ર ઉપર ટીકા રચી છે. અહીં ૧, ૧૦ અને ૫, ૮ એ બંને ઉપરની ટીકામાં શ્વેતપટના ઉલ્લેખપૂર્વક એમણે નીચે મુજબ B ૧૩૬ કથન કરેલ છેઃ
(૧) “વાસ્તે વ:' રૂતિ પ્રો$ વૈશ શ્વેતપત્તિfમ:' (૨) “ ‘મતોડપિ વિતાન' જેતપન દુ"
‘વિત્રપાડા ૨ મો ' તેન તાથમિવૈતન્ !'
આ પૈકી જવાન્ત વ:” એ જયદેવચ્છિન્દાસ્ નામની કૃતિના પહેલા અધ્યાયનું ચોથું સૂત્ર છે. મવતો દિ વિતાનં” એમ અ. પમાં જોવાય છે. “વિત્રપક્વાડ નો ' એ અ.૬ માં છે. આથી “શ્વેતપટ’ તે જયદેવ જ છે એમ અનુમાન કરાય છે અને એ અનુમાનને આધારે જયદેવ શ્વેતપટ એટલે શ્વેતાંબર મનાય છે.
કેદારકૃત વૃત્તરત્નાકર ઉપર સુલ્હણે વિ. સં. ૧૨૪૬માં પ્રવૃત્તિ રચી છે. એમાં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :
" 'अन्यदतो हि वितानं' इति शूद्रश्वेतपटजयदेवेन यदुक्त भौगिति चित्रपदा गः इत्यनेन गतार्थत्वात्'' આથી ઉપરના અનુમાનને ટેકો મળે છે.
સમયનિર્ણય–ભટ્ટ હલાયુધ જયદેવનો મુખ્યતયા નિર્દેશ કરીને ઉલ્લેખ કર્યો છે એ હિસાબે એઓ ઈ. સ. ની દસમી સદીના ઉત્તરાર્ધ જેટલા તો પ્રાચીન છે જ એટલે કે વિ. સં. ૧૦૫૬ પૂર્વે થયા છે.
ઈ. સ. ૧૦૦૦ કરતાં પહેલાં થઈ ગયેલા સ્વયંભૂએ સયંભૂ છંદ (૧-૧૪૪)માં નીચે મુજબ B ૧૩૭ ઉલ્લેખ કર્યો છે :૧. એમના છંદોડનુશાસનને અંગે મેં “જયકીર્તિનું છંદોડનુશાસન” નામના લેખમાં વિચાર કર્યો છે. આ લેખ
અહીંના (સુરતના) “દિગંબર જૈન” (વ. ૪૩, અં. ૪)માં છપાયો છે. ૨. જુઓ જયદામનું (પૃ. ૩૩). ૩. જુઓ જયદામની પ્રસ્તાવના (પૃ. ૩૩). ૪. આ “કલિ.’ હેમચન્દ્રસૂરિકૃત છંદોડનુશાસન (અ. ૧)માં પણ છે. ૫. વૃત્તરત્નાકર (અ. ૧-૬)ને અંગેની આ વૃત્તિ મુંબઈ વિદ્યાપીઠના સામયિકમાં (Arts Nos.26, 28 & 29)માં
ત્રણ કટકે ઈ.સ. ૧૯૫૧, ૧૯૫૩ અને ૧૯૫૪માં અનુક્રમે છપાઈ છે. ૬. જુઓ જયદામની પ્રસ્તાવના (પૃ. ૩૧). ૭. આ કૃતિ “JBBRASમાં” ઈ. સ. ૧૯૩૫માં છપાઈ છે.
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
"जयदेव-पिंगला सक्कयंमि दोच्चि अ जई समिच्छंति ।
મંડળં-મરહૂ- વ-સે વપમુહા 7 રૂછંતિ |''' ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર અભિનવગુપ્ત ટીકા રચી છે. એના પૃ. ૨૪૪માં જયદેવ વિષે ઉલ્લેખ છે.
કન્નડ છંદ શાસ્ત્રી નાગવર્માએ ઈ. સ. ૯૯૦માં રચેલા છંદોડબુધિમાં જયદેવનો ઉલ્લેખ કર્યો છે.
વરાહમિહિરની બૃહત્સંહિતા ઉપર ભટ્ટ ઉત્પલે ઈ. સ. ૯૬૬માં ટીકા રચી છે. અ. ૧-૩ ઉપરની ટીકામાં છંદોનાં જે લક્ષણો એમણે આપ્યાં છે તે આ જયદેવચ્છિન્દને આધારે હોય એમ એમ લાગે છે.
શકસંવત્ ૪૨૭ (વિ. સં. પ૬૨)માં પંચસિદ્ધાંતિકા રચનાર વરાહમિહિર આ જયદેવને જાણતા હશે.
આ ઉપરથી એમ કહી શકાય કે જયદેવ ઈ. સ. ૯૦૦ પહેલાં ક્યારેક થઈ ગયા છે અને કદાચ ઈ. સ. ૬૦૦ કરતાં પણ પહેલાં થયા હશે. પૂજ્યપાદના પણ કદાચ પુરોગામી હશે. P ૧૩૮
ઉલ્લેખો–વૃત્તજાતિસમુચ્ચય (૬, ૭) ઉપરની ટીકામાં ગોપાલે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :
તથા વોમ: - “ષ્યવ પબ્દિતેષ (૨) ક્યાં પ્રસ્તાવિરવિતા ભવતિ' !'' આ અવતરણ જયદેવશ્કન્દમાં અ. ૮ ના શ્લો. ૧૧ તરીકે જોવાય છે.
વૃત્તરત્નાકરની ટીકામાં ત્રિવિક્રમે, જયકીર્તિએ છંદોડનુશાસન (અ. ૮, શ્લો. ૧૯)માં, “કલિ.” હેમચન્દ્રસૂરિએ છંદોડનુશાસન (૨, ૨૯૭; ૩, ૫૧-૫૨)ની સ્વોપજ્ઞ ટીકા નામે છંદચૂડામણિમાં, અજ્ઞાત મછંદ શાસ્ત્રીએ કવિદર્પણ (૬, ૧૦)માં, વૃત્તરત્નાકર (અ. ૨, શ્લો. ૩૬)માં નારાયણે અને વૃત્તરત્નાકર (૩, ૩૧; ૫, ૬; અને ૫, ૯)ની ટીકામાં બૌદ્ધ રામચન્દ્ર વિબુધ જયદેવ વિષે ઉલ્લેખ કર્યો છે.
વિશેષમાં શીલાંકસૂરિએ સૂયગડ (સુય. ૧, અ. ૨, ઉ. ૧)ની નિજ્વત્તિ (ગા. ૩૮)ની ટીકામાં જે નીચે મુજબનું ‘વૈતાલીય' છંદનું લક્ષણ અવતરણરૂપે રજૂ કર્યું છે તે આ જયદેવચ્છદ (અ. ૪, પૃ. ૧૫)ગત લક્ષણ સાથે લગભગ અક્ષરશઃ મળે છેઃ
વૈતાલીયે નનૈધના: | ષડયુ “પાવોછી “સમશ્ચત્ત: |
સમોડત્ર પરે યુન્યતે | જૈતા પર નિરન્તરા યુનો: I' P ૧૩૯ મુનિ અને સૈતવ-જયદેવે અ. ૫ (પૃ. ૨૦)માં મુનિ અને સૈતવ એ બેના મત નોંધ્યા છે.
મુનિનો અર્થ હર્ષ. પિંગલ કર્યો છે. ૧. જુઓ જયદામની પ્રસ્તાવના (પૃ. ૩૨). ૨. આ ટીકાના મૂળ સહિત ત્રણ ભાગ “ગા. પૌ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૨૬, ૧૯૩૪ અને ૧૯૫૪માં અનુક્રમે
છપાયા છે. ૩. જઓ પ્રો. વેલણકરનો વરાહમિહિર અને ઉત્પલને અંગેનો લેખ. આ “સી. કે. રાજા સ્મારકગ્રન્થ” (પૃ. ૧૪૧
૧૫૨)માં ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે. ૪. આ સુલ્હણ કરતાં પહેલાં થયા હશે. પ. આ જૈન છે અને એ “કલિ.’ હેમચન્દ્રસૂરિને અનુસરે છે. ૬-૭. પાણી અને “સર્ન નઃએમ બે પાઠાન્તર મળે છે.
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર : પ્રિ. આ. ૧૩૭-૧૪૦]
૮૧
વૈદિક છંદોમાંથી લૌકિક વર્ણવૃત્તો સર્વથા છૂટાં પડી નહિ ગયાં હતાં એવા સમયમાં જયદેવે પોતાની કૃતિ રચી હશે એમ પ્રો. વેલણકરે પૃ. ૩૪માં કહ્યું છે. વિશેષમાં એમણે એમ પણ કહ્યું છે કે અભિજ્ઞાન-શાકુંતલ (અંક ૪, શ્લો. ૮)માં જે વૈદિક છંદ વપરાયો છે તે એ પ્રસંગને બરાબર અનુરૂપ છે, પરંતુ એ વૈદિક છંદોની લૌકિક છંદો ઉપરની અસર અને પકડની છેલ્લી નિશાની સૂચવે છે. સંક્રાંતિકાળમાં જયદેવ થયાનું પ્રો. વેલણકર માને છે. સંસ્કૃત એ વૈદિક ધર્મના જ અનુયાયીઓનો વારસો છે એવી માન્યતા હજી પ્રચલિત હતી એવે સમયે જયદેવે પોતાની કૃતિ રચી હોવી જોઈએ. લૌકિક સંસ્કૃત છંદો વિષે નિરૂપણ કરનાર એ છંદોના જન્મદાતા રૂપ વૈદિક છંદોની અવગણના કરી શકે તેમ ન હતું એવા સમયની જયદેવની કૃતિ હોવાથી એમાં વૈદિક છંદોને લગતી હકીકત જોવાય છે એમ પ્રો. વેલણકરનું કહેવું છે.
જયદેવચ્છક્ટસ્ ઉપર હર્ષટની વિકૃતિ, વર્ધમાનની વૃત્તિ અને શ્રીચન્દ્રનું ટિપ્પણ છે.
હર્ષટ- આ મુકુલભટ્ટના પુત્ર થાય છે. એમના નામનો વિચાર કરતાં એઓ કાશ્મીરના હોવા જોઈએ. કાવ્યપ્રકાશના કર્તા મમ્મટે એક મુકુલભટ્ટનો ઉલ્લેખ કર્યો છે. એમણે અભિધાવૃત્તિમાતૃકા રચી છે અને એમનો સમય ઈ. સ. ૯૨૫ની આસપાસના છે. આ જ મુકુલભટ્ટના પુત્ર તે હર્ષટ છે કે કેમ એનો નિર્ણય કરવો બાકી રહે છે; બાકી હર્ષટની ટીકાની હાથપોથી જે વર્ષમાં લખાયેલી મળે છે એ હિસાબે હર્ષટ ઈ. સ. ૧૧૨૪ પહેલા થયા છે.
૧છંદોડનુશાસન (લ. વિ. સં. ૧૦૫૦)- આના કર્તા કાનડી દિ. જયકીર્તિ છે. એમણે આ P ૧૪૦ પદ્યાત્મક કૃતિ રચવામાં જનાશ્રય, જયદેવ, પિંગલ, પાદપૂજય (પૂજ્યપાદ), માંડવ્ય અને સંતવની છંદોવિષયક કૃતિઓનો ઉપયોગ કર્યો છે. એમણે આ કૃતિ નિમ્નલિખિત નામવાળા આઠ અધિકારોમાં વિભક્ત કરી છેઃ
(૧) સંજ્ઞા, (૨) સમ-વૃત્ત, (૩) અર્ધ-સમ-વૃત્ત, (૪) વિષમ-વૃત્ત, (૫) આર્યા-જાતિ-માત્રાસમકજાતિ, (૬) મિશ્ર, (૭) કર્ણાટવિષયભાષા-જાતિ અને (૮) પ્રસ્તારાદિ-પ્રત્યય.
આ કૃતિમાં વૈદિક છંદોને સ્થાન અપાયું નથી, પણ કન્નડ (કાનડી) છંદોને અપાયું છે.
સમગ્ર લખાણ માટે મુખ્યતયા અનુણુભ, આર્યા અને સ્કન્ધક યાને આયંગીતિ એ ત્રણ છંદોનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત છંદોનાં લક્ષણો તે તે છંદમાં અપાયાં છે. એ રીતના બીજા પણ છંદો છે. પૃ. ૪૫માં એમણે “ઉપજાતિ'ને માટે “ઈન્દ્રમાલા” એવું અન્ય નામ નોંધ્યું છે. પૃ. ૪૬માં મુનિ દમસાગરના, પૃ. પર માં શ્રીપાલ્યકીર્તીશના અને સ્વયંભૂવેશના અને પૃ. પ૬માં કવિ ચારુકીર્તિ મુનિના મત વિષે ઉલ્લેખ છે. ૧. આ પ્રકાશિત છે (જુઓ પૃ. 78) આની એક હાથપોથી વિ. સં. ૧૧૯૧માં લખાયેલી છે. આ કૃતિને અંગેના
મારા લેખ માટે જુઓ પૃ. 78. ૨. “છંદ : શાસ્ત્રી જયકીર્તિ તે કોણ ?”એ નામનો મારો લેખ “દિગંબર જૈન” (વ. ૪૩, અં. ૫)માં પ્રસિદ્ધ થયો છે. ૩. જુઓ આઠમા અધિકારનું અંતિમ (૧૯મું) પદ્ય. ૪. આની માહિતી માટે જુઓ પ્રો. વેલણકરનો ઈ. સ. ૧૯૪૫માં “JBBRAS"માં પ્રસિદ્ધ થયેલો લેખ. મુંબઈ વિદ્યાપીઠના સામયિક (Arts No.22)માં ઈ. સ. ૧૯૪૭ના જાન્યુઆરીના અંકમાં પણ આ છંદો વિષે લેખ છે.
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
P ૧૪૧
P ૧૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
પૃ. ૬૬માં ચોવીસ માટે ‘જિન’ સંજ્ઞા વપરાઈ છે. સંજ્ઞાધિકા૨ના નામના પહેલા અધિકારના શ્લો. ૨૨માં ‘કર્ણાટક'નો અને પૃ. ૬૬માં ‘કર્ણાટ'નો તેમજ ‘કર્ણાટક'નો ઉલ્લેખ છે. પૃ. ૬૭માં કર્ણાટમાલતીમાધવ અને કર્ણાટ-કુમારસંભવનો પૃ. ૬૬માં શૃંગારપિંડ કાવ્યનો ઉલ્લેખ છે.
૮૨
જયકીર્તિએ અ. ૧, શ્લો. ૧૩માં કહ્યું છે કે પિંગલ, વસિષ્ઠ, કૌણ્ડિન્ય, કપિલ અને કંબલ મુનિ યતિ ઇચ્છે છે, જ્યારે ભરત, કોહલ, માંડવ્ય, અશ્વતર, સૈતવ વગેરે એ ઇચ્છતા નથી.
જયકીર્તિનું છંદોડનુશાસન એ સંસ્કૃત છંદઃશાસ્ત્રને લગતો એક મહત્ત્વનો ગ્રન્થ છે. એનું સ્થાન કાલક્રમ અને વિકાસની દૃષ્ટિએ કેદારના વૃત્તરત્નાકર અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના છંદોડનુશાસનની વચ્ચે છે એમ પ્રો. વેલણકરનું કહેવું છે. એમણે એમની પ્રસ્તાવના (પૃ. ૩૭-૩૮)માં જયકીર્તિનો સમય ઈ. સ. ૧૦૦૦ની આસપાસનો દર્શાવ્યો છે અને તેને માટે એ કારણ આપ્યું છે કે ઈ. સ.ની દસમી સદીના પૂર્વાર્ધમાં ઈ. સ. ૯૫૦ના અરસામાં થઈ ગયેલા અસગ વગેરે વિષે જયકીર્તિએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે (જુઓ અ. ૭, પૃ. ૬૭).
ધમ્મોવએસમાલા ઉપર વિ. સં. ૯૧૫માં વિવરણ રચનારા જયસિંહસૂરિના શિષ્ય અને ૧૧૬ ગાથામાં જ. મ.માં સીલોવએસમાલા રચનારનું નામ જયકીર્તિ છે. શું આ પ્રસ્તુત છંદઃશાસ્ત્રી છે ? જોઈદુ (યોગીન્દુ)કૃત યોગસારની હાથપોથી વિ. સં. ૧૧૯૨માં જેઠ સુદ તેરસે લખાઈ છે. એ લખાવનાર જયકીર્તિસૂરિના શિષ્ય અમલકીર્તિ છે એમ નિમ્નલિખિત પદ્ય જોતાં જણાય છે
-
'श्रीजयकीर्तिसूरीणां शिष्येणामलकीर्तिना । लेखितं योगसाराख्यं विद्यार्थिधामकीर्तिना ।।'” જો અહીં નિર્દેશાયેલા જયકીર્તિ તે જ પ્રસ્તુત છંદઃશાસ્ત્રી હોય તો એમના શિષ્યનું નામ અમલકીર્તિ હતું એમ આપણે કહી શકીએ.
ચિતોડગઢનો એક શિલાલેખ વિ. સં. ૧૨૦૭માં લખાયેલો છે. એમાં અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ'श्रीजयकीर्तिशिष्येण दिगंबरगणेशिना । प्रशस्तिरीदृशीचके... श्रीरामकीर्तिना संवत् १२०७ सूत्रधा.... ?'४ આ ઉપરથી એમ કહી શકાય કે દિ. જયકીર્તિને રામકીર્તિ નામે શિષ્ય હતા. અહીં આપેલો સંવત્ વૈક્રમીય હોય તો આ જયકીર્તિનો સમય વિ. સં. ૧૧૯૦ની અર્થાત્ ઈ. સ. ૧૧૩૪ની આસપાસનો ગણાય. છંદઃશાસ્ત્રી જયકીર્તિનો સમય પ્રો. વેલણકરને મતે ઈ. સ. ૧૦૦૦ની આસપાસનો છે. આ બાબત સાચી જ નીકળે તો છંદઃશાસ્ત્રી જયકીર્તિ શિલાલેખમાં નિર્દેશાયેલા દિ. જયકીર્તિથી ભિન્ન ઠરે; બાકી છંદઃશાસ્ત્રીનો સમય સો વર્ષ જેટલો અર્વાચીન ઠરે એટલે કે ઈ. સ. ૧૧૦૦નો ઠરે તો આ બંને એક હોવાની કલ્પના કરી શકાય.
44
..
૧-૨. માંડવ્યનો તેમજ કૌકિ, તંડિ ્ યાસ્ક, કાશ્યપ, સૈતવ અને રાટનો ઉલ્લેખ પિંગલે કર્યો છે. જુઓ M. Krishnamachariari ya History of Classical Sanskrit Literature (p. 902)
૩. જુઓ ‘‘અનેકાન્ત’(વ. ૧, કિ. ૬-૭, પૃ. ૩૨૯)ગત પં. નાથુરામ પ્રેમીના લેખ ઉપરનું સંપાદકીય ટિપ્પણ તેમજ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૬).
૪. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૬).
૫. જુઓ ઉપરનો પેરેગ્રાફ ૩.
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર : પ્રિ. આ. ૧૪૧-૧૪૪]
૮૩
છન્દ શાસ્ત્ર (લ. વિ. સં. ૧૦૮૦)- આના કર્તા વિ. સં. ૧૦૮૦માં બુદ્ધિસાગર વ્યાકરણ P ૧૪૩ રચનારા બુદ્ધિસાગરસૂરિ છે એમ ગુણચન્દ્રમણિએ વિ. સં. ૧૧૩૯માં પૂર્ણ કરેલા મહાવીરચરિયની પ્રશસ્તિ (શ્લો. ) જોતાં જણાય છે પણ આ છન્દ શાસ્ત્ર સંસ્કૃતમાં છે કે કેમ તે જાણવું બાકી રહે છે. બાકી ઉપર્યુક્ત ઉલ્લેખનું સમર્થન કરનારું સાધન મળે છે અને એ તો વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં રચેલી મનોરમાકહાની પ્રશસ્તિ છે. આ છંદ શાસ્ત્ર ગમે તે ભાષામાં હોય પણ એ વિ. સં. ૧૦૮૦ની આસપાસની રચના હોય એમ લાગે છે, અને જો ઉપર્યુક્ત જયકીર્તિનો સમય ઈ. સ. ૧૦૦૦ની લગભગનો હોય તો તેમનું છંદોડનુશાસન પણ લગભગ આ સમયનું હશે. આમ બે કૃતિઓ પ્રાયઃ સમકાલીન હશે.
છંદ શેખર (ઉ. વિ. સં. ૧૧૭૯)- આના કર્તા રાજશેખર છે. એમના કથન મુજબ એઓ ઠક્કર દુદક અને નાગદેવીના પુત્ર થાય છે અને યશના પુત્ર લાહરના એઓ પૌત્ર છે. આ કૃતિ ભોજદેવને પ્રિય હોવાનું અહીં કહ્યું છે. આની એક હાથપોથી વિ. સં. ૧૧૭૯માં લખાયેલી મળે છે. આ કૃતિનું પાંચમું પ્રકરણ સંસ્કૃતમાં છે અને એમાં ઉત્સાહથી માંડીને દ્વિપદી સુધીના “અપભ્રંશ” છંદોનું નિરૂપણ છે. આ કૃતિને અંગે પ્રો. વેલણકરે “Chandass'ekhara of Rajas'ekhara” નામનો લેખ લખ્યો છે.
સમાનનામક કૃતિ-જયશેખરે છંદ શેખર રચ્યાનો ઉલ્લેખ મળે છે પણ એમને વિષે કે એમની આ કૃતિ વિષે વિશેષ માહિતી મને મળી નથી. આથી જો આ જયશેખર તે જૈનકુમારસંભવના કર્તા અંચલગચ્છીય જયશેખર જ હોય તો એમનો પરિચય આગળ ઉપર મેં આપ્યો છે.
છન્દોડનુશાસન (લ. વિ. સં. ૧૨૧૦)- આ નામ એના કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિએ આદ્ય = ૧૪૪ મંગલશ્લોકમાં આપ્યું છે. સાથે સાથે એમણે આ કૃતિ શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન બાદ રચાઈ છે અને એમાં કાવ્ય માટે ઉપયોગી છંદોનું નિરૂપણ છે એ વાત કહી આના પછી સૂત્રરૂપે છંદ શાસ્ત્રની યોજના કરી છે. હૈમ કાવ્યનુશાસન (અ. ૩, સૂ. ૫) ઉપરની અલંકારચૂડામણિ નામની સ્વોપજ્ઞ વૃત્તિ (પૃ. ૨૧૪)માં પ્રસ્તુત છંદોડનુશાસન જોવાની ભલામણ કરાઈ છે. ૧, આ લેખ “JBBRAS" (Vol. 22)માં ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે. ૨. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત દેવકરણ મૂલચંદ્ર (મૂળજી) તરફથી ઈ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. એનું સંપાદન ‘આગમોદ્ધારક' આનંદસાગરસૂરિજીએ મુનિ-અવસ્થામાં કર્યું છે. એમણે સંસ્કૃતમાં નાનકડી પ્રસ્તાવના લખી છે. એના પછી ભરતના મતે તેમજ અન્ય છંદ શાસ્ત્રીઓના મતે છંદોનાં જે નામાંતર “કલિ.” હેમચન્દ્રસૂરિએ આપ્યાં છે. તેની નોંધ લીધી છે. અ. પમાં “પ્રાયોડપભ્રંશ' એવું સૂત્ર પ્રારંભમાં નોંધાયું નથી, જો કે એ હોવું જોઈએ એમ એની સ્વોપજ્ઞ વૃતિ જોતાં જણાય છે. [સીંધી ગ્રંથમાળામાં છંદોડનુશાસન છપાયું છે.] . પ્રો. હરિ દામોદર વેલણકરે ચોથા અધ્યાયના ઉત્તરાર્ધથી-ગીતિના લક્ષણથી માંડીને તે સાતમા અધ્યાયના અંત સુધીનો ભાગ સ્વોપજ્ઞ વૃત્તિ તેમજ પર્યાય સહિત સંપાદિત કર્યો છે (પરંતુ ઉદાહરણોના મૂળ સૂચવ્યાં નથી). એ ભાગ બે કટકે "JBBRAS" ના Vol. 19 અને Vol. 20 માં અનુક્રમે ઈ.સ. ૧૯૪૩ અને ૧૯૪૪માં પ્રકાશિત થયો છે. આના અનુસંધાનરૂપ લેખ આ સામયિક (Vol. 22) માં ઈ.સ. ૧૯૪૬માં છપાયો છે. એ દ્વારા “પ્રાકૃત અને અપભ્રંશ છંદોની સૂચી અપાઈ છે. 3. ખરી રીતે એની સ્વોપજ્ઞ વૃત્તિની - અ. ૧, સૂ. ૧૫ની વૃત્તિની ભલામણ છે. આથી એમ કહી શકાય કે “કલિ.” હેમચન્દ્રસૂરિ વૃત્તિનો મૂળને નામે ઉલ્લેખ કરે છે.
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
છોડનુશાસનનું નામ જિનપ્રભસૂરિએ 'અજિય-સંતિ-થયના ઉપરની વિ. સં. ૧૩૬૫ની વૃત્તિમાં છંદશૂડામણિ આપ્યું છે.' P ૧૪૫ છંદોડનુશાસન એ આઠ અધ્યાયમાં વિભક્ત છે. આગામોદ્ધારકની આવૃત્તિ પ્રમાણે એમાં અનુક્રમે નીચે મુજબની સંખ્યામાં સૂત્રો છે :
૧૬, ૪૧૫, ૭૩, ૯૧, ૪૯, ૩૦, ૭૩ અને ૧૭. આમ કુલ્લે અહીં ૭૬૪ સૂત્રો છે. આ કૃતિની સ્વપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે તેમ અહીં વૈદિક છંદોની ચર્ચા નથી.
પ્રથમ અધ્યાયમાં છંદ શાસ્ત્રને લગતી પરિભાષાનું એટલે કે વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધસમવૃત્ત, પાદ અને યતિનું નિરૂપણ છે.
બીજા અધ્યાયમાં સમવૃત્ત છંદના પ્રકારો અને ગણોની યોજના અને અંતમાં દંડકના પ્રકારો વિચારાયાં છે. અહીં ૪૧૧ છંદોનાં લક્ષણો અપાયાં છે.
ત્રીજા અધ્યાયમાં અર્ધ-સમ, વિષમ, વૈતાલીય, માત્રા-સમક, ઇત્યાદિ ૭૨ છંદનાં લક્ષણ અપાયાં છે.
ચોથા અધ્યાયમાં પાઇય છંદોના આર્યા, ગલિતક, ખંજક અને શીર્ષક એમ મુખ્ય ચાર વિભાગો પડાયા છે. પહેલા વિભાગના પચ્ચીસેક છંદોનાં, બીજાના ત્રેવીસેકનાં એમ વિવિધ છંદોનાં લક્ષણ અહીં
નજરે પડે છે. ટૂંકમાં કહું તો પાઇય ભાષાના બધા માત્રામેળ છંદ અહીં વિચારાયા છે. P ૧૪૬ પાંચમા અધ્યાયથી “અપભ્રંશ છંદોનો અધિકાર શરૂ થાય છે. એમાં ઉત્સાહ, રાસક, રહા, રાસાવલય, ધવલમંગલ વગેરે છંદોનાં લક્ષણ રજૂ કરાયાં છે.
છઠ્ઠા અધ્યાયમાં ષટ્રપદી અને ચતુષ્પદીના વિવિધ પ્રકારો વિચારાયા છે. પ્રારંભમાં ધ્રુવા, ધ્રુવક યાને ઘત્તાનું લક્ષણ અપાયું છે.
સાતમા અધ્યાયમાં ‘અપભ્રંશ' સાહિત્યમાં નજરે પડતી દ્વિપદીની ચર્ચા છે. આઠમા અધ્યાયમાં "પ્રસ્તાર વગેરેની સમજણ અપાઈ છે.
આમ આ કૃતિ લૌકિક સંસ્કૃત, પાઇય અને “અપભ્રંશના જાત-જાતના છંદો વિષે પ્રકાશ પાડે છે. એની આ મહત્તામાં એની સ્વોપજ્ઞ વૃત્તિગત સ્પષ્ટીકરણ અને ઉદાહરણો વૃદ્ધિ કરે છે. આથી એમ પ્રશ્ન પૂછવા હું લલચાઉં છું કે આના કરતાં સુગમ અને સાંગોપાંગ એવી કોઈ અન્ય કૃતિ છે ખરી ? ૧. આના પરિચય વગેરે માટે જુઓ D c G C M (Vol. XVII pt. 4, pp.1-10) તેમજ મારો લેખ નામે
અજિયસંતિથય (અજિતશાંતિસ્તવ) અને એનાં અનુકરણો”. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પૃ. ૪૯, આ ૪-૫)માં છપાયો છે. ૨. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૨૭) ૩. ગીતિ, ઉપગીતિ અને ઉદ્ગીતિ એ આર્યાના પ્રકારો છે. ૪. પ્રવરસેનકૃત રાવણવહ યાને સેઉબંધમાં ૪૪ પદ્યો ‘ગલિતકમાં છે. એના સાત પ્રકાર વગેરે માટે જુઓ પા.
ભા. સા. (પૃ. ૧૩૩). પ. સ્વપજ્ઞ વૃત્તિ (પત્ર ૪૬)માં કહ્યું છે કે વૃત્તોનો વિસ્તૃત વિન્યાસ અર્થાત્ છંદોનો વિસ્તૃતપણે વિસ્તાર તે
પ્રસ્તાર’ છે.
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ : છંદ શાસ્ત્ર : પ્રિ. આ. ૧૪૪–૧૪૮]
૮૫
મુનિવર નંદિષેણે જાતજાતના અને કેટલાક તો વિરલ જણાતા છંદોમાં અજિયસંતિથયની રચના કરી છે. આ તમામ છંદોનાં નામ પ્રસ્તુત છંદોડનુશાસનમાં જણાતાં નથી. જે નામથી જે છંદોનાં લક્ષણો અહીં અપાયાં નથી તે છંદોનાં લક્ષણો અન્ય નામથી અપાયાં છે ખરાં ? જો ન જ અપાયાં હોય (અને લાગે છે તો એમ જ) તો એનું શું કારણ હશે ? શું આ પાઇય સ્તોત્રથી હેમચન્દ્રસૂરિ અપરિચિત હશે R ૧૪૭ કે આ સ્તોત્ર એમના સમય પછી રચાયું હશે કે અન્ય જ કારણ હશે ?
સ્વોપજ્ઞ વૃત્તિ– જૈ. ગ્રં. (પૃ. ૩૧૭) પ્રમાણે તો આનું જ નામ છન્દધૂડામણિ છે. શરૂઆતમાં કલિ.” હેમચન્દ્રસૂરિએ અનુશાસનનો અર્થ ‘પૂર્વાચાર્યોના શાસનને અનુસરનાર' એવો કર્યો છે, જો કે કેટલીક વાર છંદનાં નામો અન્ય પ્રકારનાં આપ્યાં છે. અહીં એમણે ભરત, સૈતવ, પિંગલ, જયદેવ, કાશ્યપ અને સ્વયંભૂનો તેમજ સિદ્ધસેન (દિવાકર), સિદ્ધરાજ, કુમારપાલ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. કુમારપાલનો જે અહીં ઉલ્લેખ છે એ ઉપરથી આ વૃત્તિ તો એમના સમયમાં રચાયાનું ફલિત થાય છે.
- અ. ૧, સૂ. ૧૫ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૨ અ)માં “નમોડસ્તુવર્ધમાનાય' થી શરૂ થતી સ્તુતિનું આદ્ય પદ્ય પાદાન્ત યતિના ઉદાહરણરૂપે અપાયું છે.
અ. ૪, સૂ. ૧ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ર૬)માં કહ્યું છે કે “આર્યા” તે જ સંસ્કૃત ભાષાઓમાં ગાથા' કહેવાય છે. અ. ૪, સૂ. ૫૫ની સ્વોપ વૃત્તિ (પત્ર ૩૦ અ)માં નીચે મુજબનું પદ્ય છે :
"जयति विजितान्यतेजाः सुरासुराधीशसेवितः श्रीमान् ।
विमलस्त्रासविरहितस्रिलोकचिन्तामणिर्वीरः ॥" અ. ૨, સૂ. ૧૫૫ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૭૮)માં ઉપજાતિના ચૌદ પ્રકારો દર્શાવી ત્યાર બાદ પત્ર ૭૮માં દસયાલિય (અ. ૨)ના પાંચમા પદ્યનો અને અ. ૯, ૧. ૧ના બીજા પદ્યનો અંશ ઉત # ૧૪૮ કરાયા છે.
અ. ૪, સુ. પની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૨૭ આ)માં “કમલા'થી શરૂ થતાં ત્રણ પદ્યો ગાહાલખણમાં ૪૦માથી ૪૧મા પદ્યરૂપે કંઈક પાઠભેદપૂર્વક જોવાય છે.
અ. ૫, સૂ. ૧૬ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૩૬૪)માં તિલકમંજરી (પૃ. ૧૭૭)ગત “શુક્ઝશિવ થી શરૂ થતું પદ્ય ઉદ્ગત કરાયું છે. ૧. બધા મળીને ૨૮ છંદો છે અને “ગાહા'ના પાંચ ઉપપ્રકારોને ભિન્ન ગણીએ તો ૩ર થાય. ૨. અજિયસંતિથય ઉપર જિનપ્રભસૂરિએ બોધિદીપિકા (કેટલાક આને બોધદીપિકા કહે છે)માં તમામ છંદોનાં લક્ષણો
હૈમ છંદોડનુશાસનમાંથી ન આપતાં કેટલાકના કવિદખ્ખણમાંથી આપ્યાં છે એ વાત અહીં વિચારવી ઘટે. ૩. આ દેવકરણ મૂળજી તરફથી પ્રકાશિત છે. ૪. એમણે રચેલી પ્રથમ હાનિંશિકાનું ૩૦મું પદ્ય પત્ર ૧અમાં ઉદ્ધવૃત કરાયું છે. પ. આ ત્રણ પદ્યની સ્તુતિ ત્રણ ભિન્ન ભિન્ન છંદમાં છે. છંદની દૃષ્ટિએ એ “વિશાલલોચનથી” શરૂ થતી સ્તુતિ સાથે
સામ્ય ધરાવે છે. ૬. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૬૨-૬૪).
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
૮૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
અ. ૬, સૂ. ૧ની સ્વોપજ્ઞ વૃતિ (પત્ર ૪૨આ)માં મુંજના પાંચ દૂહાનાં મુખ્ય પ્રતીક આપી એને કામદેવનાં પાંચ બાણ સાથે સરખાવ્યાં છે. આ પૈકી બે દૂહા આ પછી અપાયા છે; બાકીના ત્રણની તપાસ કરવી બાકી રહે છે.
અ. ૭માં દ્વિપદી-ખંડનું ઉદાહરણ શ્રીહર્ષની રતાવલીમાંથી અપાયું છે.
શાસ્ત્રીય ચર્ચાની તેમજ ઐતિહાસિક સામગ્રીની દૃષ્ટિએ મહત્ત્વની આ વૃત્તિમાં જે અનેક સંસ્કૃત અને પાઇય ઉદાહરણો અપાયાં છે એ સર્વેનાં મૂળ શોધાવાં જોઈએ.
વૃત્તિ- મૂળ કૃતિ ઉપર કે પછી એની આ સ્વપન્ન વૃત્તિ ઉપર ‘ચાયાચાર્ય' યશોવિજયગણિએ આ રચ્યાનું મનાય છે જૈ. ગ્રં. (પૃ. ૧૦૭)માં આ ન્યાયાચાર્યને છન્દધૂડામણિટીકાના કર્તા કહ્યા છે.
ટીકા-આના રચનાર વર્ધમાનસૂરિ છે. P ૧૪૯ કરતમંજૂષા- આ અજ્ઞાતકર્તૃક સૂત્રાત્મક સંસ્કૃત છંદ શાસ્ત્રમાં “વૈદિક છંદોને સ્થાન અપાયું
નથી. સામાન્ય રીતે પિંગલના છંદ શાસ્ત્રને અનુસરતી આ કૃતિ આઠ અધ્યાયોમાં વિભક્ત કરાયેલી છે. આ કૃતિમાં કેટલાક છંદો એવા છે કે જે પિંગલના છંદ શાસ્ત્રમાં કે કેદારકૃત વૃત્તરત્નાકરમાં જોવાતાં નથી, પરંત હૈમ છંદોડનશાસનમાં નજરે પડે છે. આ બાબતને તેમજ એની ઉપર કોઈક જૈને ટીકા રચી છે એને લક્ષ્યમાં રાખી પ્રો. વેલણકરે પ્રસ્તુત કૃતિના કર્તા “જૈન” હોવાની સંભાવના કરી છે.
પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારે કામમાં લીધેલી વિવિધ સંજ્ઞાઓનું નિરૂપણ છે. પિંગલે છંદ શાસ્ત્રમાં મુ, યુ, ૨, શું, તું, જુ, ભ, અને – એમ અક્ષર-ગણો માટે આઠ ચિહ્ન વાપર્યા છે જ્યારે અહીં એ માટે અનુક્રમે ક, ચું, તું, ૫, ૬, ૬, સ્ અને હું એમ આઠ વ્યંજનોનો તેમજ આ, એ, ઔ, ઈ, અ, ઉ, ઋ અને ઈ એમ આઠ સ્વરોનો આમ બે રીતે ચિહ્નોનો ઉલ્લેખ કરાયો છે. વળી બે દીર્ઘ અક્ષર માટે યુ, એક હૃસ્વ માટે લું, બે હૃસ્વ માટે , એક દીર્ઘ અક્ષર માટે મેં અને એક હ્રસ્વ અક્ષર માટે જૂની યોજના કરાઈ છે. આ ઉપરાંત ૧, ૨, ૩, ૪ ઇત્યાદિ અંક દર્શાવવા માટે દ, દા, દિ, દી ઇત્યાદિનો અને કેટલીક વાર એમાં “ણુ'નો પ્રક્ષેપ કરીને ઉપયોગ કરાયો છે. જેમકે દ = દર્ = ૧; દ = દાણું = ૨ ઇત્યાદિ.
બીજા અધ્યાયમાં આર્યા, ગીતિ, આયંગીતિ, ગલિતક તેમજ ઉપચિત્રક વર્ગનાં અર્ધસમવૃત્તોનાં લક્ષણ અપાયાં છે.
ત્રીજા અધ્યાયમાં વૈતાલીય, માત્રાવૃત્તોના “માત્રાસમક' વર્ગો, ગીત્યાર્યા, વિશિખા, કુલિક, નૃત્યગતિ અને અનટચરણનાં લક્ષણો રજૂ કરાયાં છે. ૧. એમાંનો એક દૂહો પાઠભેદપૂર્વક સિ. હે. (અ. ૮, સૂ. ૩૯૫)ની સ્વોપજ્ઞ વૃત્તિમાં જોવાય છે. ૨. આનું અજ્ઞાતકર્તક ભાષ્ય સહિતનું સંપાદન ભોજ-પત્ર ઉપર લખાયેલી બે કાનડી હાથપોથીના આધારે પ્રો. હરિ દામોદર વેલણકરે અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણો સહિત કર્યું છે અને એ “ભારતીય જ્ઞાનપીઠ” કાશીથી ઈ. સ. ૧૯૪૯માં “સભાષ્ય રત્નમંજૂષ”ના નામથી પ્રસિદ્ધ થયું છે. એમાં અંતમાં ભાષ્યગત પદ્યોની
અનુક્રમણિકા તેમજ છંદોની સૂચી એમ બે પરિશિષ્ટ છે. ૩. બધાં મળીને ૨૬ + ૨૮ + ૨૦ + ૩૭ + ૩૮ + ૩૪ + ૧૯ = ૨ ૪-૫. “નટચરણે અને નૃત્યગતિ” નામનો મારો લેખ “જૈ. ધ. પ્ર.” (પુ, ૬૬, અં. ૧૧)માં છપાયો છે. આ
બેનાં લક્ષણ હૈમ છંદોડનુશાસન સિવાય અન્યત્ર હોય એમ જાણવામાં નથી.
સૂત્રો છે.
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ : છંદઃશાસ્ત્ર ઃ [પ્ર. આ. ૧૪૮-૧૫૧]
ચોથા અધ્યાયમાં વિષમ વૃત્તના ત્રણ વર્ગો નામે (૧) ઉદ્ગીતા, (૨) દામાવા૨ા યાને પદચતુરૂર્ધ્વ P ૧૫૦ અને (૩) અનુટુમ્ વક્તનો વિચાર કરાયો છે.
૪. ૫-૭માં તમામ વર્ણ-વત્તોનું નિરૂપણ છે. લગભગ ૮૫ વૃત્તોને છ છ અક્ષરવાળાં ચાર ચરણોથી યુક્ત ‘ગાયત્રી’થી માંડીને ‘ઉત્કૃતિ’ સુધીના ૨૧ વર્ગમાં વિભક્ત કરી એનો અહીં વિચાર કરાયો છે. આ લગભગ ૮૫ વૃત્તો પૈકી ઓછામાં ઓછાં ૨૧ વૃત્તોની નોંધ પિંગલે કે કેદારે લીધી નથી. વળી પિંગલે વર્ણવેલાં વૃત્તો પૈકી સોળેકનો ઉલ્લેખ આ રત્નમંજૂષામાં જણાતો નથી.
૮૭
પાંચમા અધ્યાયના પ્રારંભમાં સમસ્ત વર્ણવૃત્તો સમાન, પ્રમાણ અને વિતાન એમ ત્રણ વર્ગમાં વિભક્ત કરાયા છે, પણ અ. ૫-૭માં અપાયેલાં તમામ વૃત્તો ‘વિતાન’ વર્ગના છે. એકવીસે વર્ગના વૃત્તોનું આવું વિભાજન અન્યત્ર-હૈમ છંદોડનુશાસનમાં યે જોવાતું નથી. એથી એ એની વિશિષ્ટતા ગણાય.
આઠમા અધ્યાયમાં (૧) પ્રસ્તાર, (૨) નષ્ટ, (૩) ઉદ્વિષ્ટ, (૪) લગક્રિયા, (૫) સંખ્યાન અને (૬) અન્ એમ છ પ્રકારના પ્રત્યયોનું નિરૂપણ છે.
ભાષ્ય—આના કર્તાનું નામ જાણવામાં નથી, પરંતુ એઓ જૈન છે એ વાત તો મંગલાચરણ ઉપરથી તેમજ આ ભાષ્યમાં અપાયેલાં કેટલાંક ઉદાહરણો વિચારતાં તરી આવે છે. લગભગ ૮૫ ઉદાહરણો પૈકી ૪૦ તે તે છંદના નામસૂચક છે. અભિજ્ઞાન-શાકુંતલ (અંક ૧, શ્લો. ૩૩), P. ૧૫૧ પ્રતિજ્ઞાયૌગંધરાયણ (૨, ૩) ઇત્યાદિ ઉષ્કૃત કરાયાં છે. ત્રણેક વાર ભાષ્યમાં સૂત્રકારનો ‘આચાર્ય’ તરીકે નિર્દેશ છે. અ. ૮ના અંતિમ ઉદાહરણમાં પુન્નાગચન્દ્રનો ‘ખંડમેરુ’ પ્રસ્તારના રચયિતા તરીકે ઉલ્લેખ છે. છંદોરત્નાવલી (લ. વિક્રમની ૧૩મી સદી)- આના કર્તા ‘વેણી-કૃપાણ’ અમચન્દ્રસૂરિ છે. એમણે આ ૭૦૦ શ્લોક જેવડી કૃતિ પિંગલાદિના આધારે રચી અને નવ અધ્યાયમાં વિભક્ત કરી એ દ્વારા નીચે મુજબના વિષયો ચર્ચ્યા છે
-
સંજ્ઞા, સમવૃત્ત, અર્ધસમવૃત્ત, વિષમવૃત્ત, માત્રાવૃત્ત, પ્રસ્તારાદિ, પ્રાકૃત છંદ, ઉત્સાહાદિ, ષટ્કદી, ચતુષ્પદી અને દ્વિપદી.
આ કૃતિમાં અનેક ઉદાહરણો અપાયાં છે. એમાં પાઇય પદ્યો પણ ઘણાં છે. આ કૃતિનો ઉલ્લેખ ગ્રંથકારે જાતે પોતાની કાવ્યકલ્પલતાવૃત્તિમાં કર્યો છે. [આ અદ્યાવધિ અપ્રગટ છે.]
છન્દોઽનુશાસન (લ. વિ. સં. ૧૩૫૦)- પાંચ અધ્યાયની આ કૃતિના કર્તા નેમિના પુત્ર વાગ્ભટ છે. એમણે પોતાના કાવ્યાનુશાસનની સ્વોપજ્ઞ ટીકા (પૃ. ૧૫)માં આનો ઉલ્લેખ કર્યો છે. પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાંડાગારીય ગ્રંથસૂચી (ભા. ૧, પૃ. ૧૧૭)માં આ છંદોડનુશાસનમાંથી અવતરણ અપાયું છે. આ કૃતિ ઉ૫૨ વાગ્ભટે જાતે વૃત્તિ રચી છે. [આ અપ્રગટ છે.]
નંદિતાચ-વૃત્તિ—આનંદિયડુના ગાહાલક્ષણ ઉપરની રત્નચન્દ્રકૃત સંસ્કૃત વૃત્તિ છે.
૧. આનો વિસ્તારથી વિચાર પ્રો. વેલણકરે વિરહાંકકૃત વૃત્તજાતિસમુચ્ચય (૫-૬)ની પ્રસ્તાવનામાં કર્યો છે. જુઓ ઈ. સ. ૧૯૩૨માં છપાયેલ "JBBRAS" (Vol. 18).
૨-૩. જુઓ પા. ભા. સા. (પૃ. ૬૨-૬૪).
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
છંદકોશટીકા- “નાગપુરીય તપા' ગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ ૭૪ ગાથામાં પાઈયમાં ૧છન્દકોસ નામની જે કૃતિ રચી છે તેના ઉપર આ ટીકા રાજરત્નના શિષ્ય ચંદ્રકીર્તિએ રચી છે. P ૧૫ર છન્દ શાસ્ત્ર- આના કર્તા રામવિજયગણિ છે.
છન્દસ્તત્ત્વ- “અંચલ' ગચ્છના ધર્મનંદનગણિની આ કૃતિ છે. એમણે એના ઉપર સ્વપજ્ઞ ટીકા રચી છે. [આની પ્રત છાણીના જ્ઞાનભંડારમાં છે.]
છન્દ શેખર- આના કર્તા રાજ(જય ?) શેખર છે.
રત્નમંજૂષા યાને છંદોવિચિતિ- આ અજ્ઞાતકણ્વક કૃતિ બાર વિભાગમાં વિભક્ત છે અને એના ઉપર કોઈકની ટીકા છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૭)માં કહ્યું છે. શું આ સંસ્કૃત કૃતિ છે? [આ સંસ્કૃતમાં ૨૩૦ સૂત્રમય રચના આઠ અધ્યાયમાં વિભક્ત છે. ગ્રંથકાર ક.સ. હેમચન્દ્રસૂરિથી પ્રભાવિત છે.]
છન્દોડલંકાર- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. એના ઉપર કોઈકનું ટિપ્પણ છે. છન્દઃસુંદરટીકા- આ કોઈની છન્દઃસુંદર ઉપરની ટીકા હોય એમ લાગે છે.
અજિતશાંતિ છંદોવિવરણ– નંદિષણક્ત અજિયસંતિથય જે વિવિધ છંદોમાં રચાયું છે. એ છંદોનાં લક્ષણ આ કૃતિમાં અપાયાં હશે.
ગાથાનકોશઆ અજ્ઞાતકર્તુક કૃતિ છે. શું એ સંસ્કૃતમાં છે ? ગાથારત્નાકર- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. શું એ સંસ્કૃતમાં છે ? છંદ (? દો) રૂપક- આના કર્તાનું નામ જાણવામાં નથી.
પિંગલસારોદ્વાર- ૫૫૯ શ્લોક જેવડી આ કૃતિ પિંગલકૃત છંદોવિષયક કૃતિના સારરૂપ હશે. જો તેમજ હોય તો આનો ઉલ્લેખ પ્ર. ૧૭માં થવો ઘટે.
સંગીતસહપિંગલ- આ નામ વિચિત્ર જણાય છે.
| [આર્યાસંખ્યાઉદિષ્ટ નષ્ટવર્તનવિધિ- ર્તા સમયસુન્દર જિ. ૨. કો. છન્દોઢાત્રિશિકાશીલશેખરગણિ- આની હ. લિ. પ્રત લા. દ. વિદ્યામંદિરમાં છે. વૃતમૌક્તિક- ઉપા. મેઘવિજયગણિ. (જે. સ. પ્ર. વર્ષ ૧૨/અંક પ-૬). પિંગલશિરોમણિ- ખરતરશચ્છીય કુશલલાભ. (વિશેષ માટે જુઓ. જૈનચાર્યો કા છંદ શાસ્ત્રકો અવદાન “લે. કુ. મધુમાલિકા પ્ર. શ્રમણ ૨૦૦૨ જુલાઈ-ડિસેંબર'')]
Wall Painting of Rajasthan By Y. K. Shukla. એલ. ડી. સિરિજ-૭૪ Panorama of Jain Art. લે. સી. શિવરામમૂર્તિ “ભારતીય જ્ઞાનપીઠ.” યશોધરચરિતકી સચિત્ર પાંડુલિપિમાં ડૉ. કમલા ગર્ગ. “ભારતીયજ્ઞાનપીઠ”
૧. આના પરિચય જુઓ પા. ભા. સા. (પૃ. ૬૭)
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
P ૧૫૩ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) અલંકાર એટલે? – “અલંકાર' એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) ઘરેણું, (૨) શણગાર, (૩) શબ્દની અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના અને (૪) તાન કે આલાપમાં વપરાતી સ્વરોની મધુર ગૂંથણી એ ચાર અર્થ ગુજરાતીમાં સુપ્રસિદ્ધ છે. “અલંકાર એ મૂળ સંસ્કૃત શબ્દ છે. એના અહીં અપાયેલા પહેલા ત્રણ અર્થ ઉપરાંત અલંકારનું શાસ્ત્ર એવો પણ એનો અર્થ સંસ્કૃત ભાષામાં કરાય છે. અહીં ગુજરાતીમાં અપાયેલા પહેલા બે અર્થો તેમજ ચોથો અર્થ પ્રસ્તુત નથી. વિશેષમાં “અલંકારથી કેવળ શબ્દાલંકાર, અર્થાલંકાર કે શબ્દાર્થાલંકાર એટલા જ વિષયનું નિરૂપણ કરનાર શાસ્ત્ર એવો સંકુચિત અર્થ કરવાનો નથી. તેમ બીજી બાજુએ નાટ્યશાસ્ત્રનો એમાં સમાવેશ કરવાનો નથી, જોકે કેટલીક વાર તેમ કરાય છે. કહેવાની મતલબ એ છે કે કાવ્યનાં પ્રયોજન, કાવ્ય-હેતુ કે કાવ્યનું લક્ષણ, રસની નિષ્પત્તિ, રસની સંખ્યા, ગુણો, દોષો, રીતિઓ, વૃત્તિઓ, ઉપમા વગેરે અલંકારો, કવિ-સમય ઇત્યાદિ બાબતોમાંથી થોડીક કે બધી બાબતોનો વિચાર કરનારી જૈન કૃતિઓ અત્ર અભિપ્રેત છે.
આગમોમાં અલંકારો- જેમ સામાન્ય રીતે દેહ સુંદર હોય છતાં એને અલંકાર વડે વિભૂષિત P ૧૫૪ કરાય છે એમ ભાષા પણ સાદી હોય તેના કરતાં એ શબ્દાલંકાર કે અર્થાલંકાર વડે વિભૂષિત હોય તો સાહિત્યને અનુરૂપ ગણાય. આગમો વગેરે જૈન કૃતિઓનો સાહિત્યમાં સમાવેશ થાય છે. એટલે એમાં આપણને ઉપમા, અર્થાન્તરવાસ, શૃંખલાયમક ઇત્યાદિ અલંકારોથી વિભૂષિત લખાણ જોવાનું મળે છે એ સ્વાભાવિક છે.
જૈનોનું આ વિષયને અંગેનું ઉપલબ્ધ સાહિત્ય વિચારતાં એમ જણાય છે કે વિક્રમની નવમી સદીની પૂર્વે કોઈ જૈન ગ્રંથકારે અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર)ને અંગે સ્વતંત્ર કૃતિ રચી હોય એમ જણાતું નથી એટલું જ નહિ પણ કોઈ અજૈન કૃતિના વિવરણરૂપે પણ કશી રચના કરી જણાતી નથી. બારમી સદીથી તો આમાં વિશેષ પલટો આવે છે. “થારાપદ્રીય ગચ્છના નમિસાધુ રુટકૃત કાવ્યાલંકાર ઉપર વિ.સં. ૧૧૨૫માં ટીકા રચે છે. એમને હાથે આ દ્વાર ખૂલતાં આગળ ઉપર આ માર્ગ અન્ય જૈન લેખકો વિવરણકાર તરીકે વિહરે છે. એ દરમ્યાનમાં વાલ્મટ અને “કલિ.” હેમચન્દ્રસૂરિ જેવા તો મહત્ત્વની સ્વતંત્ર કૃતિ પણ રચે છે.
કવિશિક્ષા (લ. વિ. સં. ૮૫૦)- આના કર્તા બપ્પભટ્ટસૂરિ (વિ. સં. ૮૦૦-૮૯૫) છે એમ ૧. આને અંગે મેં “અલંકારશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓ” નામના મારા લેખમાં એ કૃતિઓનો અકારાદિ ક્રમે વિચાર કર્યો છે. એ લેખ “જૈ. ધ. પ્ર.”માં આઠ કટકે છપાયો છે. જુઓ એ માસિક (પુ. ૭૦, અં. ૧, ૪,
૫ અને ૧૨ તથા પુ. ૭૧, અં. ૨, ૩-૪, ૫ અને ૬). ૨. ઈ. સ. ૯૦૦થી કંઈક પહેલાના વખતમાં “કાવ્ય-શાસ્ત્ર'એ અર્થમાં “સાહિત્ય' શબ્દ વપરાતો હતો. ૩. આગમોમાં ક્યાં ક્યાં કયા કયા અલંકારો દૃષ્ટિગોચર થાય છે એની એક કાચી નોંધ મેં કરી છે. એ પાકી થાય
અને છપાય તે પૂર્વે આ વિષયના વિશિષ્ટ અભ્યાસીને હાથે આ બાબત રજૂ થશે તો તેથી મને આનંદ થશે. ૪. એમણે તારાગણ નામનું કાવ્ય રચ્યું છે તે મળતું નથી. એમની ચતુર્વિશતિકાનું મેં સંપાદન કર્યું છે અને એ “આ.
સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાવાયું છે. [‘તારાયણ'ના નામે આનું સંપાદન હરિવલ્લભ ભાયાણીએ કર્યું છે.]
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
૯૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
P ૧૫૫ વિનયચંદ્રસૂરિકૃત કવિશિક્ષા જોતાં જણાય છે. આ અનુમાન સાચું હોય તો કવિશિક્ષા નામની પાંચ કૃતિઓ
ગણાય. આ પૈકી એકનો તો અહીં નિર્દેશ થાય જ છે. બાકીની ચાર પૈકી એકના કર્તા જયમંગલસૂરિ છે, બીજાના અમરચન્દ્રસૂરિ છે, ત્રીજાના વિનયચન્દ્રસૂરિ છે ચોથાના વાભટના પુત્ર દેવસેન છે.
શૃંગારમંજરી (લ. વિ. સં. ૧૦૧૦)- આ ૧૨૮ પદ્યોની કૃતિ અજિતસેને ઈ.સ.ની દસમી સદીના ઉત્તરાર્ધમાં રચી છે. એ અલંકારશાસ્ત્રની સામાન્ય કૃતિ છે. આની નોંધ કૃષ્ણમાચારિઅરે HCSL (p. 752)માં લીધી છે. આની એક હાથપોથી અહીંના (સુરતના) વડા ચૌટાના ભંડારમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૬)માં છે.
પહામ્ભટાલંકાર- (લ. વિ. સં. ૧૧૯૦)આના કર્તા વાગ્મટ પહેલા છે. એમનું પાઇય નામ બાહડ છે. એઓ સિદ્ધરાજના સમકાલીન અને એમના દ્વારા સન્માનિત વિદ્વાન છે. એમના પિતાનું નામ સોમ છે અને એઓ મહામંત્રી હતા. પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૪૭ર અને ૬૭૪) પ્રમાણે વાડ્મટ વિ. સં. ૧૧૭૯થી ૧૨૧૩ સુધી વિદ્યમાન હતા. એ ઉપરથી જો આ જ વાડ્મટ અત્રે પ્રસ્તુત હોય તો એમની
આ કૃતિ વિ. સં. ૧૧૮૧થી ૧૨00ના ગાળામાં રચાઈ હશે. એમણે આ વાભદાલંકાર પાંચ પરિચ્છેદોમાં P ૧૫૬ રચ્યો છે. એમાં એકંદર ૨૬૦ પદ્યો છે. એમાંનાં ઘણાંખરાં પદ્યો “અનુછુ છંદમાં છે. પ્રત્યેક પરિચ્છેદનું
અંતિમ પદ્ય ભિન્ન છંદમાં છે. ત્રીજા પરિચ્છેદમાં “ઓજસ્' ગુણને અંગેનું લખાણ ગદ્યમાં છે. આ બાદ કરતાં તમામ લખાણ પદ્યમાં છે.
વિષય- પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું લક્ષણ, કાવ્યની રચનામાં હેતુ તરીકે પ્રતિભાનો ઉલ્લેખ, પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસની વ્યાખ્યા, કાવ્ય રચવા માટેના અનુકૂળ પ્રસંગો અને કવિઓને પાળવાના નિયમો એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
બીજા પરિચ્છેદમાં કહ્યું છે કે કાવ્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભૂતભાષા એમ ચાર ભાષામાં રચી શકાય. કાવ્યના છંદોનિબદ્ધ અને અછંદોનિબદ્ધ એ બે પ્રકારો અને પદ્ય, ગદ્ય અને મિશ્ર એમ એના ત્રણ પ્રકારો પણ પડાયા છે. વિશેષમાં અહીં પદ, વાક્ય અને અર્થના દોષોનો વિચાર કરાયો છે.
ત્રીજા પરિચ્છેદમાં દસ ગુણોની વ્યાખ્યા આપી એનું વિવરણ કરાયું છે.
ચોથા પરિચ્છેદમાં શબ્દાલંકારના (૧) ચિત્ર, (૨) વક્રોક્તિ, (૩) અનુપ્રાસ અને (૪) યમક એ ચાર પ્રકારોનો, અર્થાલંકારના ૩૫ પ્રકારોનો તેમજ વૈદભ અને ગૌડી એ બે રીતિનો વિચાર કરાયો છે. ૧. આ કવિશિક્ષાના પરિચય માટે જુઓ પૃ. ૧૭૧ ૨-૩. જુઓ પત્તન સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવનાનું પૃ. ૪૮. ૪. શૃંગારચન્દ્રિકા એ વિજયવર્ગીની કૃતિ' છે એમ સ્વયંભૂસ્તોત્રની હિંદી પ્રસ્તાવના (પૃ. ૮૮)માં ઉલ્લેખ છે તો
શું આ કોઈ અલંકારશાસ્ત્રની કૃતિ છે ? પ. આ કૃતિ સિંહદેવગણિકૃત વ્યાખ્યા સાથે “કાવ્યમાલા” (૪૮)માં ઈ.સ. ૧૯૦૩માં પ્રસિદ્ધ થઈ છે. મૂળ કૃતિની
અન્ય આવૃત્તિની ડૉ. એસ. કે. 3 કૃત History of Sanskrit Poetics (Vol. I, p. 208) માં નોંધ છે. ૬. કેટલાકને મતે ઉદયન (મંત્રી) છે. ૭. “વક્રોક્તિની વણજાર” નામનો મેં એક લેખ લખ્યો છે. એ “ફા. ગુ. સ. ત્ર” માટે એના તંત્રીએ સ્વીકાર્યો
છે પણ હજી સુધી તો છપાયો નથી.
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : [પ્ર. આ. ૧૫૫-૧૫૮]
૯૧
પાંચમા પરિચ્છેદમાં નવ રસોનું નિરૂપણ છે. નાયક અને નાયિકાના ભેદો તેમજ બીજી કેટલીક બાબતો પણ અહીં આલેખાઈ છે.
ઉદાહરણો–આ કૃતિમાં જે ઉદાહરણો અપાયાં છે તે કર્તાના પોતાનાં હોય એમ લાગે છે. કેટલાંક ઉદાહરણો પાઇયમાં છે. જુઓ ચોથા પરિચ્છેદના શ્લો. ૪૯, ૫૩, ૫૪, ૭૪, ૭૮, ૧૦૬, ૧૦૭ ને ૧૪૮. P ૧૫૭ કર્નલ જેકબે સૂચવ્યું છે તેમ વાગ્લટકૃત નેમિનિર્વાણમહાકાવ્યમાંથી છ પદ્યો આ કૃતિમાં ઉદ્ઘત કરાયાં છે.
નેમિ-નિર્વાણ (૭-૫૦)નો આ કૃતિમાં મહાયમકના ઉદાહરણ તરીકે ઉલ્લેખ છે. ચોથા પરિચ્છેદના શ્લો. ૪૫, ૭૬, ૮૧, ૮૫ અને ૧૩૨ (સિદ્ધરાજ) જયસિંહની પ્રશંસારૂપે છે. વાભદાલંકારના ચોથા પરિચ્છેદમાં નિમ્નલિખિત પદ્ય છે :
“#
lહૃાદૃદ્ધિોવૈઋ: : |
अकुकौकः काककाक्क ऋक्काकुकुककाक्ककुः ॥ १२ ॥" આના ટીકાકાર કહે છે કે નેમિનિર્વાણ-મહાકાવ્યમાં રાજીમતીના ત્યાગને લગતા અધિકારમાંનો સમુદ્રના વર્ણનરૂપ આ એક-વ્યંજનવાળો શ્લોક જાણવો, પરંતુ નેમિનિર્વાણ-મહાકાવ્ય જે “કાવ્યમાલા'માં છપાયું છે તેમાં તો આ જણાતો નથી.
આ વામ્ભટાલંકાર ઉપર જૈનોએ તેમજ અજૈનોએ ટીકા રચી છે. તેમાંની જૈન ટીકાઓ નીચે મુજબ છે :(૧) વ્યાખ્યા- આના કર્તા સોમસુંદરસૂરિના સંતાનીય સિંહદેવગણિ છે. આ ટીકા ૧૩૩૧ શ્લોક
જેવડી છે. (૨) ટીકા- ‘તપા’ ગચ્છના વિશાલરાજના શિષ્ય સામોદયગણિએ આ ટીકા ૧૧૬૪ શ્લોક જેવડી રચી છે. (૩) ટીકા- “ખરતર’ ગચ્છના જિનપ્રભસૂરિના સંતાનીય જિનતિલકસૂરિના શિષ્ય ઉપા. રાજહંસની
આ રચના છે. આની એક હાથપોથી વિ. સં. ૧૪૮૬માં લખાયેલી છે. (૪) ટીકા- જિનરાજસૂરિના શિષ્ય જિનવર્ધનસૂરિએ આ રચી છે. આની એક હાથપોથી વિ. સં. 2 ૧૫૮
૧૬૧૦માં લખાયેલી છે. (૫) વૃત્તિ- આ ર૯૫૬ શ્લોક જેવડી વૃત્તિ “ખરતર' ગચ્છના રત્નપીરના વિનય જ્ઞાનપ્રમોદગણિએ
વિ. સં. ૧૬૮૧માં રચી છે. (૬) ટીકા- આ ૧૬૫૦ શ્લોક જેવડી ટીકા સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૯૨માં રચી છે. (૭) ટીકા- આના કર્તા, ક્ષેમહંસગણિ છે. (૮) ટીકા- આના કર્તા કુમુદચન્દ્ર છે. (૯) ટીકા- આના કર્તા તરીકે વર્ધમાનસૂરિનો ઉલ્લેખ કરાય છે પણ આ વાત શંકાસ્પદ છે. (૧૦) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી. [(૧૧) ટીકા- ખરતરગચ્છીય સાધુ કીર્તિએ ૧૭મી સદીમાં રચી છે. (૧૨) જ્ઞાનપ્રમોદિકા- પ્ર. લા. દ. વિદ્યા.]
૧. આ કાવ્યમાલા (૪૮)માં પ્રકાશિત છે જઓ પૃ, ૧૫૫. ૨. આ “ગ્રંથમાલા'માં ઈ. સ. ૧૮૮૯-૯૦માં છપાઈ છે.
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
આ તો શ્વેતાંબરીય ટીકાઓ છે. દિ. વાદિરાજે પણ એક ટીકા રચી છે. આ ઉપરાંત કૃષ્ણ શર્મા, ગણેશ વગેરે અજૈનોએ પણ આ વાલ્મટાલંકાર ઉપર ટીકાઓ રચી છે.
વામ્ભટાલંકારની ટિપ્પની– આ ટિપ્પની બાલચંદ્ર રચી છે અને એની “કન્નડ લિપિમાં લખાયેલી એક હાથપોથી મળે છે એમ ક. તા. ગ્રં. (પૃ. ૧૩૭)માં ઉલ્લેખ છે. આ બાલચન્દ્ર દિ છે ?
બાલાવબોધ-સક્રિસયગપયરણના કર્તા જૈન ગૃહસ્થ મારવાડી નેમિચન્દ્ર ભંડારીએ એક બાલાવબોધ રચ્યો છે.
ખરતરગચ્છના મેસુંદરે પણ વિ. સં. ૧૫૩૫માં બાલાવબોધ રચ્યો છે. એમાં પ્રારંભમાં પાંચ - ૧૫૯ પદ્યો અને અંતના બે પદ્યો સંસ્કૃતમાં છે. આ બાલાવબોધમાં મૂળનું સંસ્કૃતમાં કટકે કટકે વિવરણ છે અને ‘સાથે સાથે ગુજરાતીમાં સમજૂતી છે.
અલંકારશાસ્ત્રની સંસ્કૃતમાં રચાયેલી કૃતિઓના ગુજરાતી બાલાવબોધ બહુ થોડા મળ્યા છે. એ હિસાબે આ બે બાલાવબોધ મહત્ત્વના ગણાય.
કાવ્યાનુશાસન (ઉ.વિ.સં. ૧૧૯૮)- આના પ્રણેતા “કલિ.” હેમચન્દ્રસૂરિ છે. આ નામની એક બીજી કૃતિ છે, પરંતુ એના કર્તા તો એમના પછી થયેલા જૈન ગૃહસ્થ વાડ્મટ છે. P ૧૬૦ નામ- “કાવ્યાનુશાસન' એ મૂળ “સૂત્રાત્મક કૃતિનું નામ છે કે એની અ. ચૂ. નામની ટીકા સહિત
મૂળનું નામ છે ? આવો પ્રશ્ન આની હાથપોથીઓ અને વિવેક જોતાં ઉદ્ભવે છે. આના ઉત્તર તરીકે ડૉ. આનંદશંકર બા. ધ્રુવે કહ્યું છે કે હેમચન્દ્રાચાર્યે પ્રથમ સૂત્ર રચી એને કાવ્યાનુશાસન નામ આપ્યું અને પછી એના ઉપર સ્પષ્ટીકરણાર્થે વૃત્તિ રચી તેને અલંકારચૂડામણિ કહી અને આ બંને મળીને કાવ્યના અનુશાસન એટલે કે શાસ્ત્રની ગરજ સારશે એવો ઈરાદો રાખ્યો. ૧. એમણે સસિયગપયરણની જેમ વિદગ્ધમુખમંડનનો પણ બાલાવબોધ રચ્યો છે. ૨. આનો અર્થ એ નથી કે સૃષ્ણિના લખાણની જેમ આ લખાણ મિશ્રભાષામય છે. ૩. આનો નમુનો “ષષ્ટિશતક પ્રકરણની પ્રસ્તાવના (પ્ર. ૧૬-૨૦)માં ડૉ. સાંડેસરાએ આપ્યો છે. એના પ્ર.
૧૮માં બે મુદ્રણદોષ હોય એમ લાગે છે. ૪. આ કૃતિ અલંકાર-ચૂડામણિ તેમજ વિવેક સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી “કાવ્યમાલા” (૭૦)માં
ઈ.સ. ૧૯૦૧માં છપાઈ છે. [“પ્રવચનપ્રકાશન” પુનાથી પુનર્મુદ્રણ થયું છે.] ત્યાર બાદ આ કૃતિ અ. ચૂ. વિવેક અને તાડપત્ર ઉપર લખાયેલા અજ્ઞાતકર્તીક ટિપ્પણ તેમજ પાઠય પદ્યની સંસ્કૃત છાયા, છ અનુક્રમણિકાઓ તથા ડૉ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવની “પૂર્વ-વચનિકા” પૂરતા લખાણ સહિત પ્રથમ ખંડ તરીકે છપાઈ છે અને શ્રી રસિકલાલ છો. પરીખના અંગ્રેજી ઉપોદુધાત અને પ્રો. રામચન્દ્ર આથવલેના અંગ્રેજી ટિપ્પણ પૂરતું લખાણ બીજા ખંડ તરીકે છપાયું છે. આ બંને “શ્રીમહાવીર જૈન વિદ્યાલય” તરફથી મુંબઈથી ઈ.સ. ૧૯૩૮માં-એક જ વર્ષમાં પ્રસિદ્ધ કરાયા છે. આનું પુનઃ પ્રકાશન વી. એમ. કુલકર્ણીના માર્ગ દર્શન મુજબ મ. જૈ. વિ. એ કર્યું છે.]. ઉપર્યુક્ત છ અનુક્રમણિકામાં પહેલી અ. ચૂ.ગત અને વિવેકગત ઉદાહરણોને લગતી છે. બીજી અનુક્રમણિકા પ્રમાણરૂપ ઉદ્ધત કરાયેલા સંદર્ભોની છે. ત્રીજી સૂત્રોને અંગેની છે. ચોથી, બે વૃત્તિમાં નિર્દેશાયેલાં ગ્રંથો અને ગ્રંથકારોની સૂચીરૂપ છે. પાંચમી સંપાદકે નિર્દેશેલા ગ્રંથોને લગતી છે. છઠ્ઠી વિશિષ્ટ શબ્દોની સૂચીરૂપ છે. ૫. સૂત્ર પૂરતી આ કૃતિ છે. કુ. (પૃ. ૨૨૫-૨૪૦)માં પ્રકાશિત થયેલી જુઓ પૃ. ૩૪.
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૫૮-૧૬૨]
૯૩
કાવ્યાનુશાસન એ વિશેષનામ છે કે પુસ્તકનું પરિચયાત્મક નામ છે ? જેમ શબ્દાનુશાસનનું સિદ્ધહેમચન્દ્ર એવું વિશેષનામ છે એવી રીતે કાવ્યના શાસ્ત્રનું પણ કોઈ વિશેષનામ હોવું જોઈએ એમ વિદ્વાનો સૂચવે છે.
વિભાગ- મૂળ કૃતિ આઠ અધ્યાયોમાં વિભક્ત છે. પ્રારંભમાં બે પદ્યો છે. એને કેટલાક એકેક સૂત્ર ગણે છે. એ હિસાબે પ્રથમ અધ્યાયમાં ૨૫ (૨૩ + 2) સૂત્ર છે. બાકીના અધ્યાયોનાં સૂત્રની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૫૯, ૧૦, ૯, ૯, ૩૧, પર અને ૧૩. આમ એકંદરે ૨૦૮ (૨૦૬ + ૨) સુત્રો છે.
વિષય- પ્રથમ અધ્યાયમાં કાવ્યના પ્રયોજન, કાવ્યનો હેતુ, કાવ્યનું લક્ષણ, શબ્દ અને અર્થનું સ્વરૂપ તેમજ મુખ્ય, ગૌણ, લક્ષ્ય અને વ્યંગ્ય એમ ચાર જાતના અર્થ એમ વિવિધ બાબતો વિચારાઈ છે.
બીજા અધ્યાયમાં રસનું તેમજ સ્થાયી, વ્યભિચારી અને સાત્ત્વિક ભાવોનું નિરૂપણ છે. વિશેષમાં ને ૧૬૧ રસાભાસ અને ભાવાભાસની ચર્ચા પછી છેલ્લાં ચાર સૂત્રોમાં કાવ્યના ઉત્તરમાદિ ત્રણ પ્રકારો વિચારાયા છે.
ત્રીજા અધ્યાયમાં શબ્દ, વાક્ય, અર્થ અને રસના દોષો વિષે વિચાર કરાયો છે. ચોથા અધ્યાયમાં ગુણો ચર્ચાયા છે.
પાંચમાં અધ્યાયમાં અનુપ્રાસ, યમક, 'ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ અને પુનરુક્તાભાસ એ છ જાતના શબ્દાલંકારનો અધિકાર છે.
છઠ્ઠા અધ્યાયમાં ‘સંકર' સહિત ૨૯ અર્થાલંકારનું નિરૂપણ છે, જ્યારે મમ્મટે ૬૧ અર્થાલંકારો વિષે વિવેચન કર્યું છે અને ભોજે સરસ્વતીકંઠાભરણમાં ૨૪ શબ્દાલંકારો, ૨૪ અર્થાલંકારો અન ૨૪ શબ્દ અને અર્થ એ ઉભયને લગતા અલંકારો (ઉભયાલંકારો) વર્ણવ્યા છે.
“કલિ.” હેમચન્દ્રસૂરિએ સ્વભાવોક્તિને બદલે “જાતિ' શબ્દ અને અપ્રસ્તુત-પ્રશંસાને બદલે અન્યોક્તિ' શબ્દ વાપરેલા છે.
સાતમા અધ્યાયમાં નાયક અને નાયિકાના ભેદો તેમજ પ્રતિનાયકનું સ્વરૂપ એ બાબતો હાથ ધરાઈ છે.
આઠમા અધ્યાયમાં પ્રેક્ષ્ય (દશ્ય) અને શ્રવ્ય એમ કાવ્યના બે પ્રકાર સૂચવી એના ઉપપ્રકારો સમજાવાયા છે.
રચના-સમય-કાવ્યાનુશાસનમાં કુમારપાલ વિષે ઉલ્લેખ જણાતો નથી. એથી આ કૃતિ વિ. સં. ૧૧૯૯ પહેલાં રચાઈ હશે એમ અનુમનાય છે.
અલંકાર-ચૂડામણિઆ સૂત્રાત્મક કાવ્યાનુશાસનની “કલિ. હેમચન્દ્રસૂરિએ રચેલી સ્વોપજ્ઞ P ૧૬૨ ટીકા છે. રયણાવલી (વ... ૧)ના ત્રીજા પદ્યની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ હેમચન્દ્રસૂરિએ જે અલંકાર૧. આના વિવિધ પ્રકારો છે. જેમકે સ્વર-ચિત્ર, વ્યંજન-ચિત્ર, આકાર-ચિત્ર, ગુઢ-ચિત્ર ઇત્યાદિ. ૨. આ મહાવીરવિદ્યાલય, પ્રવચનપ્રકાશન, કાવ્યમાલા વ.માં પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
૯૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
ચૂડામણિનો ઉલ્લેખ કર્યો છે તે આ જ છે. આ અ. ચૂ.નો અવતરણપૂર્વક ઉલ્લેખ સિ. હે. (૧-૧-૨૬) ઉપરના બૃહન્યાસ ('પૃ. ૩૪)માં નીચે મુજબ કરાયો છે -
“यदाह स्वोपज्ञालङ्कारचूडामणौ-वक्त्रादिवैशिष्ट्यादर्थस्यापि मुख्यामुख्यात्मनो व्यजकत्वम्'२
અ. ચૂ. ૨૮00 શ્લોક જેવડી છે. આ સરળ છે અને એમાં વિવાદગ્રસ્ત વિષયો હાથ ધરાયા નથી. આમાં ૭૪૦ ઉદાહરણો છે અને ૬૭ પ્રમાણો અપાયાં છે.
અ. ૩ ઉપરની આ ટીકા અને ખાસ કરીને એના ઉપરનો વિવેક મનનીય છે. અ. .માં પૃ. ૧૧૫, ૧૫૯ ને ૪૧૮માંનાં અવતરણો શૃંગારતિલકમાંથી જ ઉદ્ઘત કરાયાં હોય એમ લાગે છે. જો એ મૂળે આજ કૃતિનાં હોય તો આમ અવતરણ આપનાર તરીકે “કલિ. હેમચન્દ્રસૂરિ પ્રથમ છે.
અ. ચૂ. (પૃ. ૨૧૪)માં છંદોડનુશાસનનો ઉલ્લેખ છે. અ. ૫, સૂ. પને અંગેની અ. ચે. (પૃ. ૩૨૮)માં તિલકમંજરીનું દ્વિતીય પદ્ય ઉધૃત કરાયું છે. P ૧૬૩ અ. ૭ને અંગેની અ. યૂ.માં નાયક નાયિકા અને પ્રતિનાયક વિષે વિસ્તૃત નિરૂપણ છે. એથી
તો એને અંગેના વિવેકમાં કશું વિશેષ કહેવાયું નથી. આ તૈયાર કરવા માટે ધનંજયના દશરૂપકનો તેમજ ભરતના નાટ્યશાસ્ત્રનો અને એના ઉપરની અભિનવગુપ્તકૃત ટીકાનો ઉપયોગ કરાયો છે.
અ. ૮, સૂ. ૩ને અંગેની અ. ચૂ. ભરતના નાટ્યશાસ્ત્ર (અ. ૨૦)માંથી ઉતારા કરી સમૃદ્ધ બનાવાઈ છે.
વિવેક-કાવ્યાનુશાસન તેમજ અ. ચૂ. એ બંનેને લક્ષીને અને કાવ્યશાસ્ત્રની ઝીણવટભરી વિગતો રજૂ કરવાના ઇરાદે આ વૃત્તિ “કલિ.’ હેમચન્દ્રસૂરિએ રચી છે. એમાં અનેક વિષયના મુદાઓની છણાવટ છે. એમાં ૬૨૪ ઉદાહરણો અને ૨૦૧ પ્રમાણો અપાયાં છે.
આ વિવેકમાં બે સ્થળે-પૃ. ૭ અને ૪૬રમાં છંદોડનુશાસનના ઉલ્લેખપૂર્વક અવતરણ અપાયાં છે. અ. પ, સૂ. ૪ના વિવેક પૃ. (૩૧૭)માં ભગવદ્ગીતાના અ. ૧૫નું ૧૨મું પદ્ય ઉદ્ધત કરાયું છે. અ. ૨, સૂ. ૧ને લગતા વિવેક (પૃ. ૧૦૩)માં ભારતના નાટ્યશાસ્ત્ર અને એના ઉપરની અભિનવગુપ્તકૃત ટીકામાંથી પુષ્કળ મસાલો લેવાયો છે. રસનું નિરૂપણ કરતી વેળા આ ટીકામાંથી લગભગ અક્ષરશઃ લખાણ લેવાયું છે.
અ. ૩, સૂ. ૩ના વિવેક (પૃ. ૧૭૯-૧૯૯)માં દેશ અને કાળનો વિચાર કરતી વેળા રાજશેખરની P ૧૬૪ કાવ્યમીમાંસાનો આશ્રય લેવાયો છે. પણ અહીં રાજશેખરના નામનો ઉલ્લેખ જણાતો નથી. આને શું
કારણ હશે ? શું રાજશેખરે પણ એમના કોઈ પુરોગામી લેખકની કૃતિમાંથી આ ભાગ ઉધૃત કર્યો હશે ? ૧. આ પૃષ્ઠક શ્રીવિજયલાવણ્યસૂરિ દ્વારા સંપાદિત આવૃત્તિનો છે. ૨. આ પંક્તિ પૈકી “મુરમુરધ્યાત્મનઃ' એટલો અંશ અ. ચૂ. (પૃ. ૫૮)- નો છે જયારે બાકીનો અંશ . ૧ના
૨૧માં સૂત્રરૂપે છે. ૩. આ મહાવીર જૈન વિદ્યાલય વ. દ્વારા પ્રકાશિત છે. ૪. આમ અ. યૂ. સાથે આનો વિચાર કરતાં જુદા જુદા ગ્રંથકારોની કૃતિમાંથી લગભગ ૧૫૦૦ ઉદાહરણો અપાયા
છે. આ પૈકી કેટલીક કૃતિ તો નામશેષ બની છે. આ દૃષ્ટિએ પણ આનું મહત્ત્વ છે.
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૬૨-૧૬૬]
અ. ૪, સૂ. ૧ના વિવેકમાં પૃ. ૭૪, ૭૬-૭૮, ૮૦ અને ૮૨-૮૫માં ભરતના, પૃ. ૭૪ અને ૭૫માં મંગલના, પૃ. ૭૫-૭૯ અને ૮૧-૮૭માં વામનના અને પૃ. ૭૫, ૭૮, ૭૯, ૮૧, ૮૨, ૮૫ અને ૮૬માં ઠંડીના વિચારો રજૂ કરાયા છે.
અ ૪, સૂ. ૪ના વિવેક (પૃ. ૩૨૧)માં આનંદવર્ધનનો નોણના પુત્ર તરીકે ઉલ્લેખ છે. આ આનંદવર્ધનકૃત દેવીશતકમાંથી શબ્દાલંકારો માટે સ્પષ્ટીકરણપૂર્વક ઉદાહરણો અપાયાં છે. આ અધ્યાયની રચનામાં કાવ્યાદર્શનો તેમજ કાવ્યાલંકારનો પણ ઉપયોગ કરાયો છે. કાવ્યાલંકાર અને દેવીશતકમાંનાં આકાર-ચિત્રને લગતાં જે ઉદાહરણો અહીં અપાયાં છે તે સચિત્ર સ્વરૂપે મુંબઈ વિદ્યાપીઠના સામયિક Arts No. 30) માં જે મારો લેખ નામે ILD છપાયો છે તેમાં અપાયાં છે.
અ. ૪, સૂ. ૭ના વિવેકમાં પાઠધર્મત્વ સમજાવતી વેળા નાટ્યશાસ્ત્રની કોઈ ટીકામાંથી અવતરણ અપાયાં છે. અભિનવગુપ્તકૃત ટીકાનો ઉપયોગ કરાયો હોય એમ લાગે છે.
અ. ના વિવેકમાં મૂળમાં ગણાવાયેલા ઉપરાંતના વધારાના અલંકારો વિષે વિચાર કરાય છે. અ. ને લગતા વિવેકમાં અભિનવગુપ્તની ટીકાનો લાભ લેવાયો હોય એમ લાગે છે.
મૂલ્યાંકન- ડૉ. એસ. કે. ડેએ એવું કથન કર્યું છે કે મમ્મટત કાવ્યપ્રકાશ કરતાં હૈમ P ૧૬૫ કાવ્યાનુશાસન શિક્ષાગ્રંથ તરીકે ઊતરતી કોટિનો ગ્રંથ છે. આની તથ્યતા વિચારવાનું કાર્ય હું વિશેષજ્ઞોને ભળાવું છું એટલે અહીં તો હું એટલું જ કહીશ કે કાવ્યાનુશાસનમાં કાવ્યપ્રકાશમાં આપેલા અલંકારોની સંખ્યાને યોગ્ય રીતે ઘટાડાઈ છે, અલંકારાદિકનાં લક્ષણોમાં સમુચિત સુધારો કરાયો છે અને કાવ્યપ્રકાશ કરતાં સંક્ષિપ્ત અને તેમ છતાં સુગમ એવો આ ગ્રંથ રચાયો છે.
મહામહોપાધ્યાય કાણેનું મંતવ્ય- મહામહોપાધ્યાય' પી. વી. કાણેએ વિશ્વનાથના સાહિત્યદર્પણ (પરિ. ૧, ૨ ને ૧૦)નું અંગ્રેજી ટિપ્પણો તેમજ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર (poetics)ના ઇતિહાસપૂર્વક સંપાદન કર્યું છે. આની ઈ.સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલી બીજી આવૃત્તિ (પૃ. ૨૭૭-૨૭૮)માં હૈમ કાવ્યાનુશાસન વિષે એમણે નીચે મુજબની મતલબના ઉદ્ગાર કાઢ્યા છે;
કાવ્યાનુશાસન એ સંગ્રહાત્મક કૃતિ છે. એમાં મૌલિકતાનાં ભાગ્યે જ દર્શન થાય છે. એમાં (રાજશેખરની) કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ, ધ્વન્યાલોક અને અભિનવગુપ્તના ગ્રંથોમાંથી ખૂબ મસાલો ઉઠાવાયો છે. દા. ત. કાવ્યાનુશાસનનાં પૃ. ૨૮-૧૦ને કાવ્યમીમાંસા, (પૃ. પ૬) સાથે, પૃ. ૧૧-૧૬ને કાવ્યમીમાંસા (પૃ. ૪૨-૪૪) સાથે અને પૃ. ૧૨૨-૧૨૩ને કાવ્યમીમાંસા (પૃ. ૪૨-૪૪) સાથે સરખાવો. વળી અભિનવગુપ્ત અને ભારતનાં મંતવ્યોને આધારે પોતે અમુક અમુક બાબતો કહ્યાનો ઉલ્લેખ હેમચન્દ્રસૂરિએ ૧૬૬ જાતે કર્યો છે. જુઓ વિવેક (પૃ. *૬૬). ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “દેવીશતક અને શ્રી હેમચન્દ્રસૂરિ” આ “આત્માનંદ પ્રકાશ” (પુ. પર,
એ.. ૪-૫)માં છપાયો છે. ૨. કાવ્યપ્રકાશમાં દસ ઉલ્લાસમાં ૨ ૧૨ સૂત્રોમાં જે વિષય આલેખાયો છે તે આ હૈમ કાવ્યાનુશાસનમાં છ
અધ્યાયમાં ૧૪૩ સૂત્રોમાં અપાયો છે (જુઓ શ્રી. રસિકલાલ છો. પરીખનો ઉપોદઘાત પૃ. ૩૨૧). . આ નિર્ણયસાગરી આવૃત્તિ અનુસાર સમજવાનાં છે. ૪. આ મ. વિ.ના પ્રકાશનનું ૧૦૩મું પૃષ્ઠ છે.
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
કાવ્યાનુશાસનનો એક ગુણ (merit) એ છે કે એની વૃત્તિ અને વિવેકમાં જુદા જુદા ગ્રંથકારોની કૃતિઓમાંથી લગભગ ૧૫૦૦ ઉદાહરણો અપાયાં છે. હેમચન્દ્રસૂરિની આ કૃતિનો પ્રભાવ પાછળના અલંકારશાસ્ત્રીઓ ઉપર ભાગ્યે પડ્યો છે. વળી "રત્નાપણ (પૃ. ૪૬, ૭૫, ૨૨૪, ૨૩૩, ૨૫૯, ૨૭૯ અને ૨૯૯)માં કાવ્યાનુશાસનમાંથી અવતરણ અપાયાં છે એ વાતને બાજુ ઉપર રાખીએ તો ભાગ્યે જ કોઈ પાછળા લેખકે આમાંથી અવતરણ આપ્યાં છે.
શ્રી કાણેએ કાવ્યાનુશાસનની મૌલિકતા વિષે કરેલા વિધાનના સંબંધમાં શ્રી વિષ્ણુપાદ ભટ્ટાચરજીએ “Indian Culture” (Vol XIII, pp. 218-224)માં વાંધો ઉઠાવ્યા છે. આ વાતનો શ્રી કાણેએ નિર્દેશ કરી એ વાંધાઓની નીચે પ્રમાણે નોંધ એમણે સાહિત્યદર્પણની બીજી આવૃત્તિમાં પૃ. ૨૭૭માં લીધી છે :(૧) કાવ્ય રચવાનો એક લાભ અર્થની - પૈસાની પ્રાપ્તિ છે એમ જે મમ્મટે કહ્યું છે તે વાત હેમચન્દ્રને
માન્ય નથી. (૨) મુકુલ અને મમ્મટની જેમ લક્ષણાનો આધાર રૂઢિ કે પ્રયોજન છે એમ ન માનતાં કેવળ પ્રયોજન
જ છે એમ હેમચન્દ્ર પ્રતિપાદન કરે છે. (૩) અર્થ-શક્તિ-મૂલ-ધ્વનિના (૧) સ્વતઃસંભવી, (૨) કવિપ્રૌઢોક્તિનિષ્પન્ન અને (૩) કવિનિબદ્ધ-વન્દ્ર
પ્રૌઢોક્તિનિષ્પન્ન એમ ત્રણ પ્રકાર દર્શાવનાર ધ્વનિકારથી હેમચન્દ્ર જુદા પડે છે. જુઓ પૃ. ૪૬. P ૧૬૭ (૪) મમ્મટના મતે “પુર્વ પ્રવિવર્તે' વાળું પદ્ય શ્લેષમૂલક અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે, જયારે
હેમચન્દ્રને મતે એ “શબ્દ-શક્તિ-મૂલધ્વનિ'નું છે. (૫) રસોમાં અલંકાર પરત્વેના સિદ્ધાંતોના પાલનનો ભંગ જે મહાકવિઓને હાથે થયો છે તેનો ધ્વનિકારે નિર્દેશ કર્યો નથી જ્યારે હેમચન્દ્ર તેમ કર્યું છે.
આ બધા મુદા સ્વીકારી લઈએ તો પણ કાવ્યાનુશાસન એ મૌલિક કૃતિ છે એમ ભાગ્યે જ કહી શકાય. આવા મતભેદો તો અનેક બીજા ગ્રંથકારોની કૃતિઓમાં જોવાય છે.
આ પ્રમાણે પ્રતિવિધાનની સમાલોચના શ્રી કાણેએ કરી છે.
ડૉ. આ. બા. ધ્રુવે અ. ૨. અને વિવેક સહિતના કાવ્યાનુશાસનની “પૂર્વવચનિકા”માં કહ્યું છે કે કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ, ધ્વન્યાલોક અને લોચનમાંથી આખા પાઠના પાઠ હેમચન્દ્રસૂરિએ લઈ લીધા છે. એથી કેટલાક એને “ચોરી' કહે છે, પરંતુ વાત એ છે કે હેમચન્દ્રની ઈચ્છા એ જણાય છે કે બ્રાહ્મણો જે જે જાણતા હતા તે બધું જૈનો જાણે. એથી પુરોગામી બ્રાહ્મણોના જ્ઞાનનો ઉપયોગ કરતાં એઓ અચકાયા નથી. એમણે જે વારસો પોતાને મળ્યો હતો તેમાં પોતાની તરફથી સંગીન ઉમેરો કર્યો છે.
કાવ્યમીમાંસા એ વિચારો અને એની રજૂઆતની દૃષ્ટિએ મૌલિક ભલે ગણાય, પણ એ કાવ્યપ્રકાશ કે કાવ્યાનુશાસન જેવી વ્યવસ્થિત કૃતિ નથી.
મમ્મટે કાવ્યપ્રકાશમાં ભામથી માંડીને એમના સમય સુધીનાં કાવ્યશાસ્ત્રને લગતાં બધાં મંતવ્યો - ૧૬૮ રજૂ કર્યા છે ખરાં, પરંતુ નાટ્યશાસ્ત્ર સાથે સંબંદ્ધ રસની વાત જવા દઈએ તો નાટ્યશાસ્ત્રને એમણે જતું
કર્યું છે જ્યારે હેમચન્દ્ર અને આગળ જતાં વિશ્વનાથે એ ઉણપ રહેવા દીધી નથી (જુઓ પૃ. ૧૨). ૧. વિદ્યાનાથે રચેલા પ્રતાપરુદ્રયશોભૂષણ ઉપરની આ ટીકા છે. એ ટીકા મલ્લિનાથના પુત્ર કુમારસ્વામીએ રચી
છે. એ ટીકા સહિત મૂળ કૃતિ B S Sમાં ૬૫માં ગ્રંથાક તરીકે છપાવાઈ છે.
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૬૬-૧૬૯]
ધ્વન્યાલોક અને લોચનનું ક્ષેત્ર કાવ્યપ્રકાશ જેટલું યે વ્યાપક નથી તો કાવ્યાનુશાસનના અતિવિશાળ ક્ષેત્ર સાથે એની શી તૂલના કરવી ?
આ પ્રમાણે ડૉ. ધ્રુવે “કલિ.” હેમચન્દ્રસૂરિ ઉપર કરાતા આક્ષેપનો રદિયો આપ્યો છે. '
વૃત્તિ-કાવ્યાનુશાસનની અ. ચૂ. નામની ટીકાને અંગે “ન્યાયાચાર્ય યશોવિજયગણિએ વૃત્તિ રચી હતી એમ જે મનાય છે તે વાત સાચી છે, કેમકે એમણે પ્રતિમાશતક (ગ્લો. ૧૧)ની સ્વોપજ્ઞ ટીકામાં નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો છે :
પ્રપશ્ચિાતં વૈતન્નક્Rવૂડામનિવૃત્તીવમામ' કવિશિક્ષા (લ. વિ. સં. ૧૨00) - આ ૩૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા જયમંગલસૂરિ છે. એમની આ કૃતિની તાડપત્રીય હાથપોથી ખંભાતના શાંતિનાથના ભંડારમાં છે. એના પ્રારંભની અને અંતમાંની થોડીક પંક્તિ પ્રો પિટર્સને એમના પ્રથમ હેવાલ (પૃ. ૭૦-૮૦)માં આપી છે. આ કૃતિમાં સિદ્ધરાજ જયસિંહની સ્તુતિરૂપ દષ્ટાંત છે એટલે જયમંગલસૂરિ વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં થયા હશે એમ લાગે છે. એમની આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય એમ જણાતું નથી તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે.
કલ્પલતા (ઉ. વિ. સં. ૧૨00)– આના કર્તાનું નામ જાણવામાં નથી પરંતુ એઓ શ્વેતાંબર છે એમ એના પ્રારંભિક પદ્ય ઉપરથી જાણી શકાય છે. આ કૃતિમાં ચાર પરિચ્છેદ છે.
પલ્લવ- આ કલ્પલતા ઉપરની વૃત્તિનું નામ છે.
વિવેક યાને શેષ- ઉપર્યુક્ત પલ્લવ ઉપરની ટીકાનાં બે નામ છે: વિવેક અને શેષ. એનું પરિમાણ ૬૫૦૦ શ્લોક જેવડું છે. એની હાથપોથી વિ. સં. ૧૨૦૫માં લખાયેલી મળે છે. એમાં શરૂઆતમાં નીચે મુજબનું અશુદ્ધ પદ્ય છે :
"यत् पल्लवेन विवृत्तं दुर्बोधिं मन्दबुद्धिश्चापि ।
क्रियते कल्पलतायां तस्य विवेकोऽयमतिसुगमः" આ ટીકાનાં બે નામ હોવાથી આ ટીકાને કલ્પલતાવિવેક તેમજ કલ્પપલ્લવશેષ પણ કહે છે. એમાં મૂળનાં પ્રતીક અપાયાં છે. એની પ્રશસ્તિમાં કલ્પલતાને વિબુધમંદિર, પલ્લવને એ મંદિરનો કલશ અને શેષને આનો ધ્વજ કહેલ છે.
કાવ્યકલ્પલતા (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા “વાયડ' ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય ૨ ૧૬૯ અને સ્વાદિશબ્દસમુચ્ચય વગેરેના પ્રણેતા અમરચન્દ્રસૂરિ તેમજ “અરિસિંહ છે આ ચાર પ્રતાનોમાં વિભક્ત છે. એમાં એકંદર ૪૫ર જેટલાં પડ્યો છે. ૧. જુઓ જેસલમેરભાંડાગારીયગ્રન્થસૂચી (પૃ.૨૨) ૨. કવિશિક્ષા નામની વૃત્તિ સહિત આ મૂળ કૃતિ કાશીથી વિ. સં. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે અને એનું મરાઠી
ભાષાંતર ગાયકવાડ સરકાર તરફથી છપાયેલું છે. એ બેમાંથી એકે પુસ્તક મારા જોવામાં આવ્યું નથી. જિગન્નાથશાસ્ત્રી સંપાદિત “કાવ્યકલ્પલતાવૃત્તિ” “ચૌખંબા સં. સિરિઝમાં ૧૯૩૧માં પ્રસિદ્ધ છે.] ૩. ગચ્છનું આ નામ “અણહિલપુર પાટણના વાયવ્ય ખૂણામાં પંદર માઈલને અંતરે આવેલા વાયડને આભારી છે. ૪. એમણે સુકૃતસંકીર્તન રચ્યું છે અને વ્હીલરના મતે કવિતારહસ્ય પણ એમની કૃતિ છે. ૫. જુઓ કાવ્યકલ્પલતા (૧, ૨)
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૯૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કાવ્યકલ્પલતા અને એની સ્વપજ્ઞ વૃત્તિમાં વર્ણવાયેલા વિષયોની નોંધ ડૉ. ડેએ HSP (ભા. ૨, પૃ. ૩૬૪-૩૬૬)માં નીચે મુજબ લીધી છે :
પ્રથમ પ્રતાનનું નામ છન્દ:સિદ્ધિ' છે. એમાં પાંચ સ્તબક છેઃ (૧) “અનુભુ” છંદની રચના (અનુષ્ટ્રભુ શાસન); (૨) મુખ્ય વૃત્તોનો ઉલ્લેખ, એક છંદનું બીજા છંદમાં પરિવર્તન તેમજ યતિ ઇત્યાદિ (છન્દોડભ્યાસ); (૩) છંદ પૂર્ણ કરવા માટે વપરાતા શબ્દો જેમકે શ્રી, સમું, સતુ, દ્રાક, વિ, પ્ર, ઇત્યાદિ (સામાન્ય-શબ્દક); (૪) વાદ, પ્રશંસાના વિષયો, કુલ-શાસ્ત્રાદિ અને સ્વશાસ્ત્રાધ્યયન પ્રથા સંબંધી પ્રશ્નો ઇત્યાદિ (વાદ); અને (૫) રાજા, મંત્રી વગેરેનાં વર્ણન માટેની રીતિ અને કવિસમય (વર્ણ-સ્થિતિ).
બીજા પ્રતાનનું નામ “શબ્દ-સિદ્ધિ' છે. એમાં શબ્દોની વ્યુત્પત્તિ, અનુપ્રાસ, સંબંધી વાક્યોના ઉલ્લેખ, સૂચિત વગેરે અર્થો ઇત્યાદિનું નિરૂપણ છે. એમાં ચાર સ્તબક છે.
ત્રીજા પ્રતાનનું નામ “શ્લેષ-સિદ્ધિ છે. ભિન્ન ભિન્ન પરિચ્છેદ પ્રમાણે શબ્દોના ભિન્ન ભિન્ન અર્થ, P ૧૭૦ શ્લેષપયોગી શબ્દોની સૂચી, ચર્થી શબ્દો, બંધો ચિત્ર-કાવ્યો ઇત્યાદિ બાબતો અહીં અપાઈ છે. એમાં પાંચ સ્તબક છે.
ચોથા (છેલ્લા) પ્રતાનનું નામ “અર્થ-સિદ્ધિ છે. કઈ વસ્તુને શેની સાથે સરખાવવી એ બાબત અહીં વિચારાઈ છે. એમાં સાત સ્તબક છે.
કાવ્યકલ્પલતાના અંતમાં “અષ્ટચક્રાર’ બંધથી વિભૂષિત પરિધિશ્લોક છે. એની ચિત્ર સહિત નોંધ મેં ?ILD માં લીધી છે.
આ કૃતિની સ્વોપજ્ઞ વૃત્તિમાં એના કર્તાએ પોતાની નિમ્નલિખિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે :કાવ્યકલ્પલતા-પરિમલ, કાવ્યકલ્પલતા-મંજરી, અલંકાર-પ્રબોધ અને છંદોરત્નાવલી. વૃત્તિઓ :કવિશિક્ષા- આ ૩૩૫૭ શ્લોક જેવડી સ્વોપજ્ઞ વૃત્તિ છે. કાવ્યકલ્પલતા-પરિમલ- આ કાવ્યકલ્પલતા ઉપરની ૧૧૨૨ શ્લોક જેવડી સ્વોપજ્ઞ વૃત્તિ છે.
કાવ્યકલ્પલતા-મંજરી– આ સ્વોપજ્ઞ વૃત્તિ હજી સુધી તો મળી આવી નથી. એ કાવ્યકલ્પલતાપરિમલ કરતાં પહેલી રચાઈ હશે એમ આ બેનાં નામ ઉપરથી કલ્પના કરાય છે.
કાવ્યકલ્પલતા ઉપર ઉપર્યુક્ત ત્રણ સ્વીપજ્ઞ વૃત્તિ ઉપરાંત નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :
મકરન્દ– આ વૃત્તિના રચનાર હીરવિજયસૂરિના શિષ્ય શુભ-વિજયગણિ છે. એમણે વિ. સં. ૧૬૬૫માં આ વૃત્તિ ૩૧૯૬ શ્લોક જેવડી રચી છે. P ૧૭૧ વૃત્તિ– યશોવિજયગણિએ પણ ૩૨૫૦ શ્લોક જેટલા પરિમાણવાળા એક વૃત્તિ રચી છે એમ જિ. ૨.
કો. (ખંડ ૧, પૃ. ૮૯) જોતાં જણાય છે. શું આ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિ છે ? ૧. વસ્તુપાલકૃત નરનારાયણાનંદ (સ. ૧૪)માંનું ૧૬મું પદ્ય આ પ્રતાનમાં જોવાય છે. ૨. જુઓ મુંબઈ વિદ્યાપીઠનું સામયિક (Arts No. 30).
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૬૯-૧૭૧]
વિવેક યાને પલ્લવ- આ નામની એક વૃત્તિ વિબુધમન્દિરગણિએ રચ્યાનું કહેવાય છે. એનો પ્રારંભ “વત્ પત્નન વિવૃત” થાય છે. મારા લખાણને લક્ષીને પ્રા, પી. આર. વોરાએ કલ્પલતાવિવેક અંગેની પોતાની પ્રસ્તાવના (પૃ. ૨૧૬-૧૭)માં ચર્ચા કરી છે. આ પ્રસ્તાવનામાં કલ્પલતા, પલ્લવ અને વિશેષતઃ ક. વિ. વિષે વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ માહિતી અપાઇ છે. એ અંગ્રેજીમાં હોઈ મુખ્યતયા એના આધારે હું ખાસ ખપપૂરતી વિગતો ગુજરાતીમાં રજૂ કરું છું –
કલ્પલતા (ઉ. વિ. સં. ૧૨00)- આ અલંકારશાસ્ત્રને લગતી કૃતિ છે. એ અદ્યાપિ મળી આવી નથી. એમાં પુરોગામીઓની કૃતિઓમાંથી કારિકાઓને, સ્વરચિત કારિકાઓને તેમ જ વિવેચનોને સ્થાન અપાયું છે. પ્રસ્તુત કૃતિ નિમ્નલિખિત ચાર પરિચ્છેદોમાં વિભક્ત છે –
(૧) દોષ-દર્શન, (૨) ગુણ-વિવેચન, (૩) જબ્દાલંકાર દર્શન અને (૪) અર્થાલંકાર-નિર્ણય.
કલ્પલતા ઉપર જે પલ્લવ કિવા કલ્પલ્લવ નામની વૃત્તિ રચાઈ છે તે અત્યારે તો અનુપલબ્ધ છે એટલે એમાં કલ્પલતાના કે આ વૃત્તિના કર્તા વિષે માહિતી અપાઈ હોય તો તે અપ્રાપ્ય છે. ક. વિ. માંથી પણ આ સંબંધમાં કશો પ્રકાશ પડતો નથી. સદ્ભાગ્યે પ્ર. ન. ત. ના દ્વિતીય સૂત્રની વૃત્તિ નામે સ્થા. ૨. આ કલ્પલત્તા કે પછી પલ્લવનું એક પદ્ય ઉપસ્થિત કરે છે તેમ જ એના પ્રણેતા વિષે થોડીક માહિતી પૂરી પાડે છે. એ પદ્ય નીચે મુજબ છે :
"सूर्यचन्द्रमसौ यत्र चित्र खद्योतपोतकौ ।
नित्योदयजुषे तस्मै परस्मै ज्योतिषे नमः ॥" આ આદ્ય પદ્ય હોય એમ લાગે છે એ મંગલાચરણરૂપ જણાય છે. પ્રણેતાને લગતો ઉલ્લેખ નીચે મુજબ છે :
"५श्रीमदम्बाप्रसादसचिवप्रवरेण कल्पलतायां तत्सङ्केतेकल्पपल्लवे च प्रपञ्चितमस्ति तत एवावसेयम्." આ ઉપરથી ત્રણ બાબતો ફલિત થાય છે :(૧) કલ્પલતાના કર્તાનું નામ “અંબાપ્રસાદ” છે. (૨) એઓ સચિવપ્રવર છે. આથી તેઓ મુખ્ય મંત્રી હોવાનું અનુમનાય છે. (૩) કલ્પલતા તેમ જ કલ્પપલ્લવ એ બંનેના કર્તા એક જ છે.
પ્ર. ચ. (ભૃગ ૨૧, પૃ. ૧૭૨)માં અંબ(બા) પ્રસાદનો “મંત્રી' તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં એ મંત્રીને અંગે અહીં બે બાબતો અપાઈ છે –
છે.આ કૃતિના સંપાદક મુરારિ લાલ નાગર અને હરિશંકર શાસ્ત્રી છે અને એના પ્રસ્તાવનાકાર પ્રા. પ્રદ્યુમ્ન રે. વોરા છે. આ કૃતિ “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઇ. સ. ૧૯૬૮માં પ્રકાશિત કરાઈ છે. પ્રારંભમાં મંત્રી
અંબાપ્રસાદ અને એની પત્ની સીતાદેવીની પ્રતિકૃતિ અપાઇ છે. અંતમાં પાંચ પરિશિષ્ટો છે. ૨. અહીં પં. ૧૨માં ‘પલ્લવ' છપાયું છે તે “પલ્લવશેષ જોઇએ. ૩. જુઓ કલ્પલતાવિવેકનું આદ્ય પદ્ય. ૪. ક. વિ. (પૃ. ૩૨૦)માં “કલ્પપલ્લવ' તરીકે આનો નિર્દેશ છે. ૫. “ શરણે મહામત્વિશ્રીમન્નાપ્રતિપ્રતિનિવિદ્ધ.”
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
૧OO
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
૧. વાદી દેવસૂરિની સાથે અંબાપ્રસાદ “આબુ' ગિરિ ઉપર ચડતા હતા તેવામાં એમને એક સર્પ ડસે છે. વાદી દેવસૂરિને એની ખબર પડતાં એ પોતાનું પાદોદક મોકલે છે, એનો ઉપયોગ કરાતાં એ મંત્રી નિર્વિષ બને છે. - ૨. અંબાપ્રસાદે સિદ્ધરાજ સાથે વાદી દેવસૂરિનો સમાગમ કરાવ્યો હતો.
ગાલા'ના શિલાલેખમાં અંબાપ્રસાદને વ્યયકરણમાં રોકેલા મહામાત્ય કહેલ છે. અંબાપ્રસાદ વિષે આથી વિશેષ માહિતી મળતી નથી. એ જૈન હોય એમ પ્ર. ચ.ગત ઉપર્યુક્ત બાબતો વિચારતાં જણાય છે. આ પરિસ્થિતિમાં કલ્પલતા અને કલ્પપલ્લવ તો જૈન કૃતિ ગણાય જ.
સ્યા. ૨. વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં રચાયાનું મનાય છે. ક. વિ.ની એક હાથપોથી વિ. સં. ૧૨૦૫માં લખાયેલી મળે છે. એ જોતાં કલ્પલતા મોડામાં મોડી વિ.સં. ૧૨૦૦માં રચાઈ હશે.
પલ્લવ કિવા કલ્પપલ્લવ- સ્યા. ૨. પ્રમાણે આ સ્વપજ્ઞ વૃત્તિ છે. કલ્પલતાવિવેક (ઉ. વિ. સં. ૧૨૦૫)- આનું આદ્ય પદ્ય નીચે મુજબ છે –
“यत् पल्लवे न वितृतं दुर्बोध मन्दबुद्धिभिश्चापि ।
क्रियते कल्पलतायां तस्य विवेकोऽतिसुगमः ॥१॥" એમાં સૂચવાયા મુજબ આનો વિષય નીચે પ્રમાણે છે :
જેનું પલ્લવમાં વિવરણ નથી અને જેનો મંદબુદ્ધિવાળાઓને બોધ સહેલાઇથી થાય તેમ નથી તેનું અતિસુગમ નિરૂપણ અત્ર છે.
આ ઉપરથી જાણી શકાય છે કે આ કલ્પલતાના સ્પષ્ટીકરણરૂપ છે. સંસ્કૃતમાં વિષયાનુક્રમ અપાયો છે તેમ જ પ્રસ્તાવનામાં ક. વિ. નું તુલનાત્મક નિરૂપણ છે એટલે આ સંબંધમાં તો મારે ખાસ કંઈ ઉમેરવાનું રહેતું નથી. મીમાંસાસૂત્ર અને શાબરભાષ્યનો તેમ જ રઘુવંશ આદિ મહાકાવ્યો અને કાવ્યપ્રકાશ વગેરેનો ક. વિ.માં ઉપયોગ કરાયો છે. ક. વિ.નું “કલ્પપલ્લવશેષ' નામાંતર નથી એમ પ્રસ્તાવના (પૃ. ૭-૮)માં સૂચવાયું છે ખરું પરંતુ એ વિચારણીય જણાય છે.
પૃ. ૧માં અવતરણરૂપ અપાયેલા નિમ્નલિખિત પદ્યમાં જૈન ધર્મની પ્રશંસા કરાઇ છે એ ઉપરથી ક. વિ.ના કર્તા જૈન હોવાનું અનુમનાય છે :
"जिणधम्मो मोक्खफलो सासयसोक्खो जिणेहिं पन्नत्तो ।
नर सुर सुहाइं अनुसङ्गि याइं इह कि सिपलालं व ॥" ક. વિ.ના કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી. એ વિબુધ મંદિર છે એમ નિમ્નલિખિત અંતિમ પદ્ય ઉપરથી જિ. ૨. કો. (વિ. ૧, (પૃ. ૮૯)માં શંકારૂપે સૂચવાયું છે એટલે એ વિશેષ વિચાર માંગી લે છે :૧. જુઓ ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૬). ૨. આ પ્રકાશિત છે, જુઓ પૃ. 99, ટિ. 1. ૩. આના કર્તા મમ્મટનો ઉલ્લેખ “કલિ.” હેમચન્દ્રસૂરિએ વિવેક (પૃ. ૧૫૭)માં કર્યો છે. એ પૂર્વે કોઇએ તેમ કર્યું
છે ખરું ?
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૭૧]
૧૦૧
“पल्लवकलशविराजिनि कल्पलताविवुधमन्दिरे रचितः ।
પધ્ધનો વિનયતાં છે(?) દ્વૈપતીકોડયમ્ !'' આ પદ્યમાં કલ્પલતાને વિબુધમન્દિર, પલ્લવને એનો કલશ અને ક. વિ.ને એનો ધ્વજ કહ્યો છે.
ક, વિ. (પૃ. ૪૨, ૫. ૧૯)માં ઉદેશનો પરિહાર જે કલ્પલતામાં કરાયો છે તે ચિત્ય છે એવો ઉલ્લેખ એના કર્તા કલ્પલતાના પ્રણેતા નથી એમ સિદ્ધ કરે છે.
પ્રકરણ ૮, ૯, ૧૧, ૧૩ અને ૧૫. ભૂવલય (ઉ. વિક્રમની નવમી સદી)- આ ગ્રન્થમાં કેવળ અંકો છે. ઉપલક દૃષ્ટિએ તો આ ગ્રન્થ “કન્નડ ભાષામાં “સાંસત્ય” નામના છંદમાં રચાયો છે જ્યારે એના પ્રણેતાના કથન મુજબ એ ૭૧૮ ભાષાઓમાં રચાયેલો છે અને એમાં ૧૮ ભાષાઓ મુખ્ય છે. પ્રત્યેક પ્રકરણનો પ્રારંભ એક મૂળાક્ષરથી કરાયો છે. આ ગ્રન્થની એક હાથપોથીના પ્રત્યેક પાના ઉપર ત્રીસ ખાનાં પાડી ત્રીસ અંક લખાયા છે. આ દરેક અંક નાગરી લિપિના એકેક અક્ષરનું સૂચન કરે છે. આ લિપિમાં સ્વર. વ્યંજન. વિસર્ગ. ઇત્યાદિ મળીને ૬૪ અક્ષરો હોવાનું ગ્રન્થકાર માને છે.
ઉપર્યુક્ત અંકો સીધી લીટીમાં વાંચીએ તો કન્નડ ભાષાનાં પડ્યો બને છે જ્યારે ૨૧મા અંકને (? ૨૭) ઉપરથી નીચે વાંચીએ તો સંસ્કૃત ભાષાનાં પડ્યો બને છે. અંકો ઊભા વંચાય તો પાઇય ભાષાની કૃતિ નિષ્પન્ન થાય છે. દરેક પંક્તિનો પહેલો પહેલો અંક નીચે વાંચીએ તો ઋગ્વદના મંત્રો બને છે જ્યારે છેલ્લો છેલ્લો અંક વાંચીએ તો ભગવદ્ગીતાનાં પદ્યો બને છે.
આ ગ્રન્થનું પરિમાણ છ લાખ શ્લોક જેટલું હોવાનું કહેવાય છે.
કર્તા– આ ગ્રન્થના કર્તા એક દક્ષિણી જૈન બ્રાહ્મણ છે. એમનું નામ આચાર્ય કુમુદેન્દુ છે. ઉદયચન્દ્ર એમના પિતા થાય અને વાસુપૂજ્ય પિતામહ થાય એમ દેવધા નામના કવિએ કુમુદેન્દુશતકમાં કહ્યું છે. કુમુદેન્દુ નૃપતિ અમોઘવર્ષ પહેલાના રાજગુરુ થાય છે અને વીરસેનના મુખ્ય શિષ્ય થાય છે.
વિષય- આ ગ્રંથમાં જાતજાતના વિષયોને સ્થાન અપાયું છે. જેમકે સંગીતશાસ્ત્ર, ગણિત, ભૂગોળ, રસવાદ, આયુર્વેદ, મનોવિજ્ઞાન, જાતીયજ્ઞાન, તત્ત્વજ્ઞાન, વાદનકળા, કર્મસિદ્ધાન્ત, ભાષાવિજ્ઞાન અને અણુવિજ્ઞાન. આ ગ્રન્થ ઉપનિષદ્ રામાયણ, ભગવદ્ગીતા અને મહાભારત ઉપર પણ પ્રકાશ પડે છે.
પ્રસ્તુત ગ્રન્થની રૂપરેખા “જૈન”ના તા. ૨-૧-૬૦ના અંકમાં અપાઇ છે. મુખ્યતયા એના આધારે મેં આ ગ્રન્થનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
૧. આ ગ્રંથ એક વેળા તો બેંગ્લોરના ભાસ્કરાંત શાસ્ત્રી અને યેલ્લાપ્પા શાસ્ત્રીના કબજામાં હતો. આજે પણ કદાચ
તેમ જ હશે. આ છપાયો છે.] ૨. એ આઠ તીર્થકરોની જીવનરેખા રજૂ કરે છે. ૩. એ સમગ્ર ગ્રન્થ છપાતાં ૧૬૦૦૦ પૃષ્ઠ જેવડો થશે એમ અનુમનાય છે. ૪. આમાં એકી અંકને શેષ ન વધે એવી રીતે બેકીથી ભાંગી શકાય છે એ બાબત છે એમ “દિગંબર જૈન” (વ.
૪૫, અં. ૫)માં ઉલ્લેખ છે. અહીં બે સૂર્યો અને બે ચન્દ્રો વિષે પણ આ ગ્રન્થમાં નિર્દેશ હોવાનું કહ્યું છે. ૫. આ વિષયનું આ ગ્રન્થમાં વિસ્તૃત નિરૂપણ છે. ૬. પરમાણુના વિભાજનને પણ અત્ર સ્થાન અપાયું છે. ૭. આ પૂર્વે “દિગંબર જૈન” (વ. ૪૫ અં. ૫) માં અને “પ્રતાપ”ના સૌજન્યથી “હિંદુ મિલન મંદિર” (વ. ૧૩
અં. ૬)માં આ ગ્રંથ વિષે કેટલીક વિગતો અપાઈ છે.
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
અલંકાર-પ્રબોધ (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા પવાનન્દમહાકાવ્ય વગેરેના કર્તા અમરચન્દ્રસૂરિ છે. એમણે આ કૃતિનો ઉલ્લેખ કાવ્યકલ્પલતાવૃત્તિ (પૃ. ૧૧૬)માં કર્યો છે. અલંકારપ્રબોધમાં અલંકારોનું નિરૂપણ હશે એમ નામ વિચારતાં લાગે છે. આ કૃતિ મળે છે ખરી ?
કવિશિક્ષા (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્યા વિનયચન્દ્રસૂરિ છે. એઓ વિ. સં. ૧૨૮૫ના અરસામાં વિદ્યમાન હતા. એમણે પાર્શ્વનાથચરિત્ર ઇત્યાદિ વીસ પ્રબંધો રચ્યા છે. [ડો. હરિપ્રસાદ શાસ્ત્રી સંપાદિત “કાવ્યશિક્ષા” લા.દ. વિદ્યામંદિર અમદાવાદ દ્વારા ઇ.સ. ૧૯૬૪માં પ્રસિદ્ધ થયેલ છે.]
કેટલાકને મતે વિ. સં. ૧૨૮૬માં મલ્લિનાથચરિત્ર રચનારા અને ઉદયસિંહે રચેલી ધર્મવિધિવૃત્તિને સુધારનારા વિનયચન્દ્ર તે જ આ કવિશિક્ષાના કર્તા છે. એમની આ કવિશિક્ષા એ “વિનય' અંકથી અંકિત છે. એના પ્રારંભમાં એના કર્તાએ કહ્યું છે કે ભારતી દેવીને પ્રણામ કરીને બપ્પભટ્ટગુરુની વાણીમાં વિવિધ
શાસ્ત્રો જોઈને હું કવિશિક્ષા કહીશ. આથી એમ લાગે છે કે બપ્પભઢિએ કવિશિક્ષા રચી હશે તેનો P ૧૭૨ વિનયચન્દ્ર ઉપયોગ કર્યો છે. એમણે આ કવિશિક્ષામાં તે વખતના ચોર્યાસી દેશોની-સૌરાષ્ટ્ર, લાટ વગેરે
વિષે થોડીક માહિતી આપી છે. પં. લાલચન્દ્ર ગાંધી કહે છે કે આ કવિશિક્ષા રવિપ્રભ ગણીશ્વરે રચેલા ‘શિક્ષાશતનું શિક્ષણ આપનારી છે.
અલંકારમહોદધિ (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા નરેન્દ્રપ્રભસૂરિ છે. એઓ નરચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે વિવેક-કલિકા અને વિવેક-પાદપ એ નામના બે સૂક્તિ-સંગ્રહ, કાકુસ્થકેલિ નામનું નાટક, બે વસ્તુપાલ-પ્રશસ્તિ તેમજ ‘ગિરનાર ઉપરના વસ્તુપાલના પ્રશસ્તિ-લેખોમાંનો એક લેખ રચ્યાં છે. એઓ વસ્તુપાલના સમકાલીન છે અને એ મંત્રીશ્વરની અભ્યર્થનાથી અને એમના પ્રમોદને માટે એમણે આ અલંકારમહોદધિની રચના કરી છે.
આ કૃતિ આઠ ભાગમાં વિભક્ત છે. પ્રત્યેક ભાગને “તેરગ” કહેવામાં આવ્યો છે. દરેક તરંગનું તગત વિષય અનુસાર નામ યોજાયું છે. સમગ્ર કૃતિ પદ્યમાં છે. આઠ તરંગોનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૧૮, ૩૫, ૬૬, ૫, ૨૪, ૩૨, ૨૫ અને ૯૯ છે. આમ એકંદર ૩૦૪ (ત્રણસો ને ચાર) પદ્યો છે.
પ્રથમ તરંગમાં કાવ્યના પ્રયોજન અને એના ભેદનું, બીજામાં શબ્દચિત્યનું ત્રીજામાં ધ્વનિના નિર્ણયનું ચોથામાં ગુણીભૂત વ્યંગ્યનું, પાંચમામાં દોષનું, છઠ્ઠામાં ગુણના નિર્ણયનું સાતમામાં શબ્દાલંકારનું અને આઠમામાં અર્થાલંકારનું નિરૂપણ છે. ૧. આ માટે જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૯૩) ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩)માં જે શિક્ષાશતકનો ઉલ્લેખ છે તે જ આ કૃતિ છે ? ૩. આ તેમજ એની સ્વોપજ્ઞ વૃત્તિ ભાવદેવસૂરિકૃત કાવ્યાલંકાર યાને અલંકારસાર નામના પરિશિષ્ટ સહિત “ગા.
પૌ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે, છતાં મુખપૃષ્ઠ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિનો ઉલ્લેખ નથી, એનું સંપાદન એ લાલચન્દ્ર ગાંધીએ કર્યું છે. એમણે આને અંગે સંસ્કૃતમાં પ્રસ્તાવના અને અન્તમાં વૃત્તિગત ઐતિહાસિક ઉપયુક્ત નામોની સૂચી, આ વૃત્તિમાંનાં ઉદાહરણોનાં મૂળ સ્થળોની સૂચી, નરચન્દ્રસૂરિકૃત વસ્તુપાલ-પ્રશસ્તિ
અને નરેન્દ્રપ્રભસૂરિકૃત બે વસ્તુપાલ-પ્રશસ્તિ પરિશિષ્ટો તરીકે રજૂ કર્યા છે. ૪-૫. આ બે કૃતિ ઉપરથી એ જાણી શકાય છે કે નરેન્દ્રપ્રભસૂરિનું ઉપનામ (pen-name) “વિબુધચન્દ્ર કવિ” હતું. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૮૬ ઈ.)
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : [પ્ર. આ. ૧૭૧-૧૭૪]
૧૦૩
"સ્વપજ્ઞ વત્તિ- આ વૃત્તિ નરેન્દ્રપ્રભસૂરિએ વિ. સં. ૧૨૮૨માં રચી છે અને એનું પ્રમાણ ૪૫૦૦ શ્લોક જેટલું છે આ સ્વોપજ્ઞ વૃત્તિમાં પ્રાચીન કવિવરોની કૃતિમાંથી ૯૮૨ પદ્યો ઉદાહરણરૂપે અપાયાં છે. આમાંના પાઠય પદ્યોની છાયા સંપાદકે આપી છે.
અર્થાલંકાર-વર્ણન–અલંકારમહોદધિની સંસ્કૃતિ પ્રસ્તાવના (પૃ. ૨૨-૨૩)માં આ અર્થાલંકારવર્ણનની અમદાવાદના ડેલાના ભંડારની ૩૯ પત્રની હાથપોથીનો પરિચય અપાયો છે અને સાથે સાથે એના છેલ્લા પત્રની પ્રતિકૃતિ પણ અપાઈ છે, આ પ્રતિકૃતિ જોતાં એ વાત નિઃસંદિગ્ધ બને છે કે અર્થાલંકારવર્ણનમાં અલંકારમહોદધિના આઠમાં તરંગનો મૂળ ભાગ વૃત્તિ સહિત અપાયેલો છે એટલે આ કોઈ સ્વતંત્ર કૃતિ નથી.
કાવ્યાનુશાસન (લ. વિ. સં. ૧૩૫૦)- આ નામની આ બીજી કૃતિ છે. એના કર્તા વાડ્મટ બીજા છે. એમણે છન્દોડનુશાસન, "ઋષભદેવચરિત્ર ઇત્યાદિની રચના કરી છે. એમનો સમય વિક્રમની રે ૧૭૪ ચૌદમી સદી છે. એમણે મેદપાટ (મેવાડ), રાહડપુર અને નલોટકપુરનો ઉલ્લેખ કર્યો છે.
મેવાડ વગેરેમાં પ્રસિદ્ધ નેમિકુમારના એઓ પુત્ર થાય છે. કાવ્યાનુશાસન (પૃ. ૩૧)માં એમણે વાળ્યુટ પહેલાનો ઉલ્લેખ કર્યો છે એટલે એઓ વાડ્મટ બીજા છે એ વાત નિર્વિવાદ બને છે.
આ કાવ્યાનુશાસન પાંચ અધ્યાયમાં વિભક્ત છે. પ્રથમ અધ્યાયમાં કાવ્યનાં પ્રયોજનો અને હેતુ તેમજ એ બંનેનાં લક્ષણ, કવિ-સમય, કાવ્યનું લક્ષણ અને એના ગદ્યાદિ ત્રણ ભેદ, મહાકાવ્ય, આખ્યાયિકા, કથા, ચંપૂ અને મિશ્ર કાવ્યનાં લક્ષણો તેમજ દસ રૂપકો અને ગેયો એમ વિવિધ બાબતો અપાઈ છે.
બીજા અધ્યાયમાં પદ ને વાક્યના દોષો, અર્થના ચૌદ દોષ, દંડીએ, વામને અને વાભટ પહેલાએ નિર્દેશેલા દસ ગુણ અને ખરી રીતે ત્રણ હોવા સંબંધી પોતાનો અભિપ્રાય તેમજ ત્રણ રીતિ એ બાબતો હાથ ધરાઈ છે.
* ત્રીજા અધ્યાયમાં તેંસઠ અલંકારોનું નિરૂપણ છે. એમાંના કેટલાક વિરલ છે. જેમકે, અન્ય, અપર, આશિર્, ઉભય-ન્યાસ, પિહિત, પૂર્વ, ભાવ, મત અને લેશ.
ચોથા અધ્યાયમાં શબ્દાલંકારના ચિત્ર, શ્લેષ, અનુપ્રાસ, વક્રોક્તિ, યમક અને પુનરુક્તવદાભાસ એ પ્રકારો તેમજ એના ઉપપ્રકારો સમજાવાયા છે. - પાંચમા અધ્યાયમાં નવ રસ, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, નાયક અને નાયિકાના પ્રકારો, કામની દસ દશા અને રસના દોષો એમ વિવિધ વિષયો ચર્ચાયા છે. ૧. આ ગા. પૌ. ગ્રં. માં પ્રકાશિત છે. ૨. તરંગ ૭, શ્લો. ૨૧ની વૃત્તિમાં કોઈક કૃતિમાંથી અષ્ટદલ કમલનું ઉદાહરણ અપાયું છે. એ ચિત્ર સહિત મારા
લેખ નામે ILD ના બીજા હપ્તામાં અપાયું છે. ૩. આ અલંકારતિલક નામની સ્વોપજ્ઞ વ્યાખ્યા સહિત “કાવ્યમાલા” (૪૩)માં પ્રસિદ્ધ થયેલું છે. ૪. આનો ઉલ્લેખ ગ્રંથકારે કાવ્યાનુશાસન (સટીક)માં પૃ. ૧૫માં કર્યો છે. પ. આ કૃતિ સટીક કાવ્યાનુશાસન (પૃ. ૨૦)માં નોંધાઈ છે ખરી પણ અપ્રાપ્ય છે.
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
P ૧૭૫ આ કૃતિનો મુખ્ય ભાગ ગદ્યમાં સૂત્રરૂપે રજૂ કરાયો છે. એનું નિરૂપણ અને એને લગતાં ઉદાહરણો સ્વોપજ્ઞ ટીકામાં જોવા મળે છે.
અલંકારતિલકમાં વિવિધ દેશો, નદીઓ અને વનસ્પતિ વિષે ઉલ્લેખ છે.
પૃ. ૩રમાં નેમિકુમારનો નિર્દેશ છે. પૃ. ૫૮માં જે વાડ્મટનો ઉલ્લેખ છે તે ગ્રંથકારે પોતાને જ વિષે કર્યો હોય એમ લાગે છે.
ઉલ્લેખ–આ વાગ્લટ બીજાએ અનેક ગ્રંથ અને ગ્રંથકારોનું ટાંચણ કર્યું છે. જેમકે ચંદ્રપ્રભકાવ્ય, નેમિનિર્વાણ, ગ્રામ્ય ભાષામાં ભીમકાવ્ય (પૃ. ૧૫), રાજીમતી-પરિત્યાગ, શીતા નામની કવયિત્રી (પૃ. ૨૦), અપભ્રંશનિબદ્ધ અબ્ધિમંથન (પૃ. ૧૫) ઇત્યાદિ.
એમણે કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ વગેરેનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. વામ્ભટાલંકાર (૪-૩૦) યમકને પ્રસંગે અવતરણરૂપે અપાયેલ છે. નેમિનિર્વાણકાવ્ય (૭-૫૦) વિષે પણ ઉલ્લેખ છે.
અલંકારસાર યાને અલંકાર સંગ્રહ (વિ. સં. ૧૪૧૨)- આ “ખંડિલ્ય ગચ્છના ભાવદેવસૂરિની કૃતિ છે. એમણે પાટણમાં વિ. સં. ૧૪૧રમાં પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે. વળી એમણે પાઇયમાં પણ બે કૃતિ રચી છેઃ (૧) જઇદિણચરિયા (યતિદિનચર્યા) અને કાલકકહા (કાલકકથા).
અલંકારસાર નામની આ પદ્યાત્મક કૃતિના પ્રથમ પદ્યમાં આ કૃતિનો કાવ્યાલંકારસારસંકલના તરીકે, એના પ્રત્યેક અધ્યાયની પુષ્યિકામાં એનો અલંકારસાર તરીકે અને આઠમાં અધ્યાયના અંતિમ
પદ્યમાં એનો અલંકારસંગ્રહ તરીકે ઉલ્લેખ છે. | ૧૭૬ આમ વિવિધ નામોથી ઓળખાવાતી આ કૃતિને સમ્પાદકે કાવ્યાલંકારસંગ્રહ તરીકે નિર્દેશી છે.
આમાં એકંદર આઠ અધ્યાય છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૧, ૧૫, ૨૪, ૧૩, ૧૩, ૪૯, ૫ અને ૮ની છે.
પહેલા અધ્યાયમાં કાવ્યનું ફળ, કાવ્યનો હેતુ અને કાવ્યનું સ્વરૂપ વિચારાયાં છે. બીજામાં શબ્દ અને અર્થના સ્વરૂપનું નિરૂપણ છે. ત્રીજામાં શબ્દ અને અર્થના દોષો જણાવાયા છે. ચોથામાં ગુણ ઉપર પ્રકાશ પડાયો છે. પાંચમામાં શબ્દાલંકારનું, છઠ્ઠામાં અર્થાલંકારનું, સાતમામાં રીતિનું અને આઠમામાં ભાવનું–વિભાવ અને અનુભાવનું સ્વરૂપ આલેખાયું છે. આ પ્રમાણેના વિષય અનુસાર અધ્યાયોનાં નામ યોજાયાં છે.
અંતિમ પદ્યમાં કર્તાએ પોતાને “આચાર્ય ભાવદેવ' તરીકે ઓળખાવેલ છે. પ્રત્યેક પુમ્બિકામાં આ આચાર્યનો “કાલકાચાર્યના સંતાનીય' તરીકે ઉલ્લેખ છે.
અલંકાર-મંડન (લ. વિ. સં. ૧૪૭૫)- આ ઉપસર્ગખંડન વગેરે રચનારા જૈન મંત્રી મંડનની કૃતિ છે. એ પાંચ પરિચ્છેદોમાં વિભક્ત છે. એમાં કાવ્યનાં લક્ષણ, પ્રકાર, રીતિઓ, દોષો અને ગુણો તેમજ રસ અને અલંકારો વિષે માહિતી અપાઈ છે. ૧. આ કાવ્યાલંકારને નામે અલંકારમહોદધિ નામની કૃતિના પરિશિષ્ટ તરીકે છપાવાયો છે. ૨. આ “હેમચન્દ્રાચાર્યસભા” પાટણ તરફથી પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૭૫-૧૭૭]
૧૦૫
આ કૃતિની તેમજ બીજી “મંડન અંતવાળી સાતે કૃતિઓની તથા ચંદ્રવિજયની, કાયસ્થ વિનાયકદાસે તાડપત્ર ઉપર વિ. સં. ૧૫૦૪માં લખેલી હાથપોથી પાટણનાં ભંડારમાં છે.
ઐવિદ્યગોષ્ઠી (પત્ર ૧૦અ)માં કહ્યું છે કે વિદ્વાનો શબ્દ અને અર્થના વૈચિત્ર્યથી મનોહર એવા કવિ-કર્મને (કાવ્યને) “સાહિત્યનો સાર' કહે છે. તેમાં શબ્દના ત્રણ પ્રકાર છેઃ (૧) વાચક, (૨) ઔપચારિક અને (૩) વ્યંજક, અર્થના પણ ત્રણ પ્રકાર છે: (૧) મુખ્ય, (૨) ઉપચરિત અને (૩) વ્યંગ્ય. શબ્દનું વૈચિત્ર્ય દોષ દૂર કરવાથી, ગુણ સ્થાપિત કરવાથી કરવાથી અને ભૂષણ (અલંકાર)નો ઉપયોગ કરવાથી ઉદ્ભવે છે. દુષ્ટ, અસંસ્કાર ઇત્યાદિ દોષો અને માધુર્યાદિ ત્રણ ગુણો ગણાવી અલંકાર તરીકે અનુપ્રાસ ઇત્યાદિ એમ કહ્યું છે. અર્થનું વૈચિત્ર્ય વસ્તુ, અલંકાર અને રસના ભેદથી ત્રણ પ્રકારનું છે એમ અહીં કહ્યું છે. ત્યાર બાદ ત્રણ પદ્યો આપી વિષમવૃત્ત, વિષમતર વૃત્ત, સમસ્યા, ચિત્ર, ક્રિયાગુપ્તક ઇત્યાદિ કુશલતાઓ કે જે અનેક વિદ્વાનોના મનોવિનોદના ફળરૂપ હોય તે અનેક પ્રકારે સંભવે છે એમ કહ્યું છે.
કવિતામદપરિહાર (લ. વિ. સં. ૧૭૦૦)- જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૨) પ્રમાણે આના કર્તા - ૧૭૭ સકલચન્દ્રના શિષ્ય શાંતિચન્દ્ર છે. એમણે આ કૃતિને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યાનો પણ અહીં ઉલ્લેખ છે. આ ઉલ્લેખની પૂર્વે “કવિતામદપરિહારવૃત્તિને “કવિમદપરિહાર' હોવાનું સંભવે છે એમ જે કહ્યું છે તે વિચારણીય જણાય છે.
અલંકારચિન્તામણિ (ઉં. વિક્રમની ૧૮મી સદી)- દિ. અજિતસેને રચેલી આ કૃતિમાં પાંચ પરિચ્છેદ છે. આમાં કવિશિક્ષા, ચિત્રાલંકાર, યમકાદિ, અર્થાલંકાર અને રસાદિનું અનુક્રમે નિરૂપણ છે.
ટીકા-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૭) પ્રમાણે અલંકાર-ચિન્તામણિ ઉપર કોઈકની ટીકા છે.
અલંકાર સંગ્રહ–આના કર્તા અમૃતનંદિ છે. એમણે આ કૃતિ છ પ્રકરણોમાં વિભક્ત કરી છે. એમાં અનુક્રમે નિમ્નલિખિત વિષયોનું નિરૂપણ છે -
વર્ણગણવિચાર, શબ્દાર્થનિર્ણય, રસવર્ણન, નેત્રભેદનિર્ણય, અલંકારનિર્ણય અને ગુણનિર્ણય.
આ કૃતિની વિવિધ હાથપોથીઓની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૭)માં લેવાઈ છે. આ કૃતિની કન્નડ’ લિપિમાં લખાયેલી ત્રણ હાથપોથીની નોંધ ક. તા. ઝં. માં છે (જુઓ પૃ. ૧૩૫, ૨૨૫ અને ૨૯૩). પૃ.૩૧૩ આ કૃતિના પ્રણેતાનું નામ “અમૃતાનન્દ યોગી' અપાયું છે. ૧. આ ત્રણે પદ્યો ત્રીજાના ગુજરાતી અનુવાદ સહિત મેં “સહસાવધાની મુનિસુન્દરસૂરિનું લાક્ષણિક સાહિત્ય”
નામના મારા લેખમાં આપ્યાં છે. ૨. આ કૃતિ સોલાપુરના રહીશ સખારામ નેમચંદ દોશી દ્વારા શકસંવત્ ૧૮૨૯માં સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ કરાઈ
છે પણ એ અપૂર્ણ જણાય છે. ૩. “આકાર-ચિત્ર”નાં ઉદાહરણો તેમજ એને લગતાં ચિત્રો મેં ILD નામના મારા લેખમાં આપ્યાં છે અને એ એના ત્રીજા હપ્તામાં મુંબઈ વિદ્યાપીઠના સામયિક (Arts No. 31)માં પ્રસિદ્ધ થનાર છે.
For Personal & Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કાવ્યલક્ષણ-જૈ. ગ્રં. (પૃ. ૩૧૬)માં આ અજ્ઞાતકર્તક કૃતિ ૨૫૦૦ શ્લોક જેવડી હોવાનો ઉલ્લેખ
છે. આ કૃતિ વિષે વિશેષ, હકીકત જાણવામાં નથી. _e ૧૭૮ કાવ્યાસ્નાય- આ કૃતિ વિષે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૯૧)માં નોંધ છે, પરંતુ અહીં એ પ્રશ્ન ઉઠાવાયો છે કે શું આ ચન્દ્રાલોકની ટીકા છે ?
ચન્દ્રાલોક (લ. વિ. સં. ૧૨૭૫)- મહાદેવના પુત્ર પિયૂષવર્ષ જયદેવે દસ મયૂખમાં વિભક્ત કરાયેલું ચન્દ્રાલોક નામનું અલંકારશાસ્ત્ર લગભગ ૩૫૦ પદ્યોમાં ઈ.સ. ૧૨૦૦થી ૧૨૫૦ના ગાળામાં રચ્યું છે. અને ભામહ તથા દંડીની પેઠે ઉદાહરણો પોતાનાં આપ્યાં છે. આ કૃતિ અત્ર અભિપ્રેત હોય એમ લાગે છે. જો એમ જ હોય તો કાવ્યાખ્યાય એ સ્વતંત્ર કૃતિ ન ગણાય; એ તો એક અજૈન કૃતિની જૈન ટીકા ગણાય.
જૈ. ગ્રં. (પૃ. ૩૧૫)માં ૨૦ પત્ર પૂરતો અમરચન્દ્ર કાવ્યાસ્નાય રચ્યાનો ઉલ્લેખ છે પણ એ વિચારણીય જણાય છે.
પ્રક્રાન્તાલંકાર-વૃત્તિ- આ નામની કૃતિ જિનહર્ષના શિષ્ય રચી છે અને એની તાડપત્રીય હાથપોથી પાટણના ભંડારમાં છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૫૭)માં નોંધ છે.
કર્ણાલંકારમંજરી–જૈ. ગ્રં. (પૃ. ૩૧૫)માં આ કૃતિ ૭) પદ્યમાં ત્રિમë રચ્યાનો ઉલ્લેખ છે પણ જિ. ૨. કો.માં તો આ નામથી કોઈ કૃતિની નોંધ નથી તો શું આ કૃતિ અલંકારશાસ્ત્રને લગતી છે અને એના કર્તા કોઈ જૈન છે ?
અલંકારચૂર્ણિ- આ નામની કૃતિ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૭)માં નોંધાઈ છે. વિશેષ હકીકત માટે જુઓ પૃ. ૫૭ (ઉપદ્યાત).
[અકબરસાહિશૃંગારદર્પણ- પદ્મસુન્દરગણિની આ રચના માધવકૃષ્ણશર્મા દ્વારા સંપાદિત થઈ અનૂપ સંસ્કૃત લાયબ્રેરી” બિકાનેરથી ૧૯૪૩માં પ્રસિદ્ધ થઈ છે.
અલંકારદપ્પણ– આનું પ્રકાશ “મરૂધર કેશરી મિશ્રીમલજીઅભિનંદન ગ્રંથ” ખંડ ૪ પૃ. ૪૩૦૪૫૮માં થયું છે.] P ૧૭૯
આંશિક કૃતિઓ રૂપક-મંજરી (વિ. સં. ૧૬૪૪)- આ ગોપાલના પુત્ર રૂપચન્દ્રની સો શ્લોક જેવડી કૃતિ હોવાનો જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં ઉલ્લેખ છે. આ નામથી કોઈ કૃતિ જિ. ૨. કો.માં નોંધાયેલી નથી. પણ એમાં (ખંડ ૧, પૃ. ૩૩રમાં) આ હકીકત રૂપમંજરીનામમાલાને અંગે જોવાય છે. જો ખરી રીતે તેમ ન જ હોય તો પ્રસ્તુત નામ વિચારતાં એમાં “રૂપક' નામના અલંકાર વિષે નિરૂપણ હશે એમ લાગે છે અને એ હિસાબે એ અલંકારશાસ્ત્રની કૃતિ ગણાય.
રૂપક-માલા-આ ઉપા. પુણ્યનંદનની કૃતિ છે અને એના ઉપર સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૬૩માં ટીકા રચી છે. આ નામની એક કૃતિ પાર્શ્વચન્દ્રસૂરિએ વિ. સં. ૧૫૮૬માં રચી છે. વળી આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ પણ છે.
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૭૭-૧૭૯]
૧૦૭
વક્રોક્તિ-પંચાશિકા-આ રત્નાકરની રચના છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં ઉલ્લેખ છે. મને તો આ નામ વિચારતાં બે કલ્પના હુરે છે : (૧) આ વક્રોક્તિનાં પચાસ ઉદાહરણરૂપ હશે. (૨) આમાં વક્રોક્તિ વિષે પચાસ પદ્યો હશે. પ્રથમ વિકલ્પ સાચો હોય તો એ અલંકારશાસ્ત્રની કે કાવ્યરૂપ કૃતિ ગણાય. બીજો વિકલ્પ ખરો હોય તો એ અલંકારશાસ્ત્રની કૃતિ ગણાય.
[વિશેષ માટે જુઓ- “જૈનાચાર્યો કા અલંકારશાસ્ત્ર મેં યોગદાન” ડો. કમલપ્રકાશ જૈન પ્ર. પાર્શ્વનાથ શોધપીઠ વારાણસી.]
[‘હેમચન્દ્રાચાર્યકૃત કાવ્યાનુશાસન એવું ભોજકૃત સરસ્વતી કંઠાભરણકા તુલનાત્મક અધ્યયન લે. પ્રમિલા ત્રિપાઠી.] .
["Kavyanusāsan of Acharya Hemachandra A critical study" By A. M. Upadhyay Ahmedabad. “ વ્યાનુશાસન” આ. સુશીલસૂરિકૃત અવસૂરિ સાથે પ્રકા. લાવણ્યસૂરિજ્ઞાનમંદિર બોટાદ.]
શરીયા ની તીર્થ તિહાસ- ચંદનમલ નાગોરી. જૈનતીર્થસર્વસંગ્રહ ભા.૧-૨.- પ્ર. આણંદજી કલ્યાણજી પેઢી. હરિભદ્રસૂરિચરિત્રમ- પં. હરગોવનદાસ. कुंभोजगिरितीर्थ ईतिहासમનમાનતીર્થ #ા તિહાસ- ભા.૧-૨ આ. પદ્મસાગરસૂરિ, મહાવીર જૈન આ. કેન્દ્ર કોબા. નોટ વાંગડ મહાતીર્થ – ભંવરલાલ નાહટા. નીરવત્તા વર્ણન- સોહનલાલ પટણી, પ્ર. જીરાવલા પેઢી. મણિભદ્રજીવન ચરિત્ર- નંદલાલ દેવલુક. પ્ર. અરિહંત પ્રકાશન
મ. પાર્શ્વનાથ શી પરમ્પરા # તિહાસ- ભા.૧-૨-૩, જ્ઞાનસુન્દર, સંપા. રત્નસેન વિ. પ્ર. દિવ્યસશ પ્રકાશન.
યશોવિજય ઉપાધ્યાય સ્વાધ્યાય ગ્રંથ- સં. પ્રદ્યુમ્નસૂરિ. પ્ર. મહાવીર વિદ્યાલય. મામલોસો ભા.૧-૪. દીપરત્નસાગર, પ્ર. આગમસૂત્ર પ્રકાશન. ભદ્રેશ્વર મહાતીર્થ- રતીલાલ દેસાઈ. પ્ર. ગૂર્જર. ભીલડીયાજી તીર્થ– પ્ર. ભીલડીયાજી પેઢી નવપદપ્રકરણ (સ્વોપજ્ઞટીકા)- દેવગુપ્તસૂરિ, પ્ર. જિ. આ. દ્ર. સ્વરિ નાતોર- ભંવરલાલ નાહટા, પ્ર. પ્રાકૃત ભારતી.
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
P ૧૮૦
પ્રકરણ ૭ : નાટ્યશાસ્ત્ર નાટ્ય’નો અર્થ નૃત્ય અને અભિનય એમ કરાય છે. એની કળાને “નાટ્યકળા' કહે છે. એ કળાનું શાસ્ત્રીય નિરૂપણ પૂરા પાડનારા ગ્રંથને “નાટ્યશાસ્ત્ર' તરીકે ઓળખાવાય છે. ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં આ જાતના સ્વતંત્ર ગ્રંથો વિક્રમની દસમી સદી કરતાં પ્રાચીન સમયમાં રચાયા હોય તો પણ તે હજી સુધી તો મળ્યા નથી. આથી આ જાતનો આદ્ય ગ્રંથ નાટ્યદર્પણ ગણાય. આ વિષયનો બીજો કોઈ સ્વતંત્ર જૈન ગ્રંથ આ પછી રચાયો હોય એમ જોવા-જાણવામાં નથી. આમ જ હોય તો આ બાબતમાં જૈન સાહિત્ય જેવું જોઈએ તેવું સમૃદ્ધ નથી એમ કહેવું પડે.
નાટ્યદર્પણ (લ. વિ. સં. ૧૨00)- આના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિના બે શિષ્ય છે : (૧) કવિ-કટારમલ્લ’ સ્વાતંત્ર્યપ્રિય રામચન્દ્રસૂરિ અને (૨) એમના ગુરુભાઈ (સતીશ્મ) ગુણચન્દ્રમણિ. આમ P ૧૮૧ આ કૃતિ તેમજ એની વિવૃતિ સટીક દ્રવ્યાલંકારની જેમ દ્રિકર્તક છે. આ ઐવિદ્યવેદી રામચન્દ્રસૂરિએ સો
"પ્રબંધો યાને ગ્રંથો રચ્યા છે. તેમાંના નીચે મુજબના એમના અગિયાર ગ્રંથોનો ઉલ્લેખ તો આ કૃતિના ઉપર્યુક્ત બંને કર્તાના સંયુક્ત પરિશ્રમના પરિપાકરૂપ વિવૃતિમાં જોવાય છે : (૧) કૌમુદીમિત્રાણંદ (પ્રકરણ) પૃ. ૭૦. (૨) નવવિલાસ (નાટક) પૃ. ૩૧-૩૪, ૪૦, ૪૫, ૫૦, ૫૧, ૬૯, ૭૫, ૭૯, ૧૦૬, ૧૩૫, ૧૪૭,
૧૪૮ અને ૧૫૬. (૩) નિર્ભય-ભીમ (બાયોગ) પૃ. ૬૮. (૪) મલ્લિકા-મકરન્દ (પ્રકરણ) પૃ. ૧૭૧. (૫) યાદવાલ્યુદય (નાટક) પૃ. ૪૨, ૬૩, ૮૪, ૯૪, ૧૦૫, ૧૧૨, ૧૧૩ ને ૧૧૫. (૬) રઘુવિલાસ (નાટક) પૃ. ૩૬, ૩૭, ૨૭, ૮૦, ૮૨, ૮૫, ૯૦, ૯૨, ૯૪, ૯૭, ૧૦૭, ૧૧૦,
૧૩૬, ૧૪૫ ને ૧૫૬. ૧. રાયપ્પલેણ ઈજ્જ નામના વિંગ (સુ. ૨૩)ની વૃત્તિ (પત્ર પર આ)માં મલયગિરિસૂરિએ નાટટ્યવિધિપ્રાભૃત (પા. નાયવિહિપાહુડ)નો ઉલ્લેખ કર્યો છે. એ પાહુડમાં નાટ્યશાસ્ત્રને લગતું નિરૂપણ હશે. આ ઉવંગમાં
સૂર્યાભદેવે ભજવી બતાવેલાં બત્રીસ નાટકોને અંગે માહિતી અપાઈ છે. ૨. ચાર વિવેક પૂરતો આ ગ્રંથ, એની બે ગ્રંથકારે રચેલી વિવૃતિ અને ત્રણ પરિશિષ્ટરૂપે આ વિવૃતિમાં (અ)
ઉદાહરણરૂપે અપાયેલાં પદ્યોની, (આ) વીસ ગ્રંથકારનાં નામની અને (ઈ) સેંસઠ ગ્રંથોનાં નામની સૂચી તેમજ અંગ્રેજી પ્રસ્તાવના સહિત “ગા. પી. ચં.”માં ગ્રંથાંક ૪૮ તરીકે ઈ. સ. ૧૯૨૯માં છપાયો છે. શું આ ગ્રંથ અહીં પૂર્ણ થયો નથી કે જેથી એનો પ્રથમ ભાગ તરીકે ઉલ્લેખ છે ? ટિી.સી. ઉપરેતી સંપાદિત નાટ્યદર્પણ પાર્શ્વપ્રકાશન
અમદાવાદથી અને આચાર્ય વિશ્વેશ્વરસંપાદિત ‘દિલ્લી વિશ્વવિદ્યાલય'થી ઇ.સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ છે.) ૩. ઉદયચન્દ્ર, દેવચન્દ્ર, બાલચન્દ્ર, મહેન્દ્રસૂરિ, યશશ્ચચન્દ્રગણિ અને વર્ધમાનગણિ એ પણ એમના ગુરુભાઈ ગણાય
છે, કેમકે એ બધા એક જ ગુરુના શિષ્યો છે. ૪. આ મૂળના તેમજ એની ટીકાના કર્તા પણ આ રામચન્દ્રસૂરિ તેમજ એમના ગુરુભાઈ ગુણચન્દ્રમણિ છે.
દ્રિવ્યાલંકાર સટીક મુનિશ્રી જંબૂવિજય ધ્વારા સંપાદિત થઈ એલ. ડી. ઇસ્ટી. અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે.] પ. રઘુવિલાસમાં દ્રવ્યાલંકારને પ્રબંધ કહ્યો છે અને એ ભજવી શકાય નહિ એમ કહ્યું છે. આથી સો પ્રબંધ એટલે
સો નાટક એવો અર્થ થઈ શકે નહિ. [દ્રવ્યાલંકારમાં પદ્રવ્યનું દાર્શનિક શૈલિએ પ્રથમવાર નિરૂપણ થયું છે.]
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭: નાટ્યશાસ્ત્ર : પ્રિ. આ. ૧૮૦-૧૮૩]
૧૦૯
(૭) રાઘવાળ્યુદય (નાટક) પૃ. ૪૭, ૪૯, ૫૨, ૧૩, ૬૧, ૬૩, ૬૬, ૧૦૨, ૧૦૬ ને ૧૭૦. (૮) રોહિણી-મૃગાંક (પ્રકરણ) પૃ. ૬૧ ને ૬૮. (૯) વનમાલા (નાટિકા) પૃ. ૧૭૧. (૧૦) સત્યહરિશ્ચન્દ્ર (નાટક) પૃ. ૩૦, ૩૬, ૪૨, ૫૪, ૫૮, ૭૧, ૭૮, ૧૩૯, ૧૫૪, ૧૫૭ ને ૧૫૮. મે ૧૮૨ (૧૧) સુધાકલશ (કોશ) પૃ. ૧૪૭, ૧૪૮ ને ૧૬૫.
આ રામચન્દ્રસૂરિની અન્ય સ્વતંત્ર કૃતિઓ તરીકે નીચે મુજબની કૃતિઓ ગણાવાય છે :
આદિદેવસ્તવ, કુમારવિહારશતક, જિનસ્તોત્રો, નેમિસ્તવ, મુનિસુવ્રતસ્તવ, યદુવિલાસ, લઘુન્યાસ અને સોળ સાધારણ-જિન-સ્તવ.
આ ઉપરાંત નિમ્નલિખિતાવિંશિકાઓને પણ કેટલાક આરામચન્દ્રસૂરિની કૃતિ તરીકે ઓળખાવે છે :(૧) પ્રસાદ-દ્વાáિશિકા, (૨) યુગાદિદેવ-દ્વાચિંશિકા અને (૩) વ્યતિરેક-દ્વાáિશિકા.
આ પ્રમાણેની વિવિધ કૃતિઓ રચનારા રામચન્દ્રસૂરિનો કાવ્યાદિના ગુણદોષોના પરીક્ષક તરીકે તેમજ સમસ્યા-પૂર્તિની શક્તિ ધરાવનારા તરીકેનો ઉલ્લેખ કેટલીક જૈન કૃતિઓમાં જોવાય છે. પ્ર. ચ. (શંગ ૨૨, શ્લોક. ૧૩૯) અને પ્ર. ચિ.માં સિદ્ધરાજ સાથેના એમના સમાગમ પછી એમની એક આંખ ગયાનો ઉલ્લેખ છે. પ્ર. ચિ. અને પ્ર. ચ. (પૃ. ૨૦૧) પ્રમાણે આ બહુશ્રુત સૂરિનાં અપમૃત્યુ માટે અજયપાલ રાજા જવાબદાર છે.
આ રામચન્દ્રસૂરિ સિદ્ધરાજ, કુમારપાલ અને અજયપાલ એ ત્રણેનાં રાજ્ય દરમ્યાન વિદ્યમાન P ૧૮૩ હતા. એમના ગુરુને આચાર્ય-પદ વિ. સં. ૧૧૬૬માં મળ્યું હતું એ બાબત આ સાથે વિચારતાં એમનો સમય લ. વિ. સં. ૧૧૫પથી લ. વિ. સં. ૧૨૩૦ સુધીનો ગણાય.
આમ રામચન્દ્રસૂરિનો સંક્ષિપ્ત પરિચય પૂરો થાય છે એટલે ગુણચન્દ્રગણિનો વિચાર કરવો ઘટે છે, પરંતુ એમણે રામચન્દ્રસૂરિના સહયોગપૂર્વક નિમ્નલિખિત કૃત્તિઓ રચી છે અને એ સિવાય વિશેષ ખાસ કંઈ જાણવામાં નથી :
(૧) દ્રવ્યાલંકાર, (૨) દ્રવ્યાલંકારની વૃત્તિ, (૩) નાટચદર્પણ અને (૪) નાટ્યદર્પણની વિકૃતિ.
પરિમાણ અને વિષય- પ્રસ્તુત નાટ્યદર્પણ એ ૨૦૭ પદ્યની કૃતિ છે. એ ચાર “વિવેક'માં વિભક્ત છે. એમાં અનુક્રમે ૬૫, ૩૭, ૫૧ અને ૨૪ પદ્યો છે. ‘નાટક-નિર્ણય' નામના પ્રથમ વિવેકમાં નાટક સંબંધી સર્વે બાબતોનું નિરૂપણ છે. એના શ્લો. ૩-૪માં નીચે મુજબનાં બાર રૂપકો ગણાવાયાં છે :
(૧) નાટક, (૨) પ્રક્રણ, (૩) નાટિકા, (૪) પ્રકરણી, (૫) વ્યાયોગ, (૬) સમવકાર, (૭) ભાણ, (૮) પ્રહસન, (૯) ડિમ, (૧૦) અંક (૧૧) ઈહામૃગ અને (૧૨) વીથિ.
૧. આમાંથી નાટ્યદર્પણની વિવૃતિમાં જે અવતરણો અપાયાં છે એ જોતાં આ પાઈય સુભાષિતોનો કોશ હશે
એમ લાગે છે. ૨. ઉપર્યુક્ત રઘુવિલાસમાં આનો ઉલ્લેખ છે. ૩. આનું જ બીજું નામ ષોડશ-ષોડશિકા છે કે એમની એ અન્ય કૃતિ છે ? ૪. આને અંગે કોઈ અવતરણ વિવૃતિમાં જણાતું નથી.
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
આ બારને જિનની વાણીરૂપ (આયાર વગેરે) બાર અંગો જેવાં કહ્યાં છે.' શ્લો. ૩૪માં આરંભ P ૧૮૪ ઇત્યાદિ પાંચ દશા યાને અવસ્થાનો ઉલ્લેખ છે. શ્લો. ૩૭માં મુખ વગેરે પાંચ સંધિનો નિર્દેશ કરી આગળ ઉપર એ પાંચનાં અનુક્રમે ૧૨, ૧૩, ૧૩, ૧૩ અને ૧૪ અંગો ગણવાયાં છે.
દ્વિતીય વિવેકનું નામ “પ્રકરણાધેકાદશ-નિર્ણય છે. એમાં પ્રકરણથી માંડીને વીથિ સુધીનાં ૧૧ રૂપકોનું નિરૂપણ છે.
તૃતીય વિવેકનું નામ “વૃત્તિ-રસ-ભાવાભિનય-વિચાર છે અને તદનુસાર એ ભારતી વગેરે ચાર વૃત્તિ, શૃંગારથી માંડીને શાંત સુધીના નવ રસ, નવ સ્થાયી-ભાવ, તેત્રીસ વ્યભિચારી-ભાવ, રસાદિક આઠ અનુભાવ અને ચાર અભિનય ઉપર પ્રકાશ પાડે છે.
ચતુર્થ વિવેકનું નામ “સર્વરૂપક-સાધારણ-લક્ષણ-નિર્ણય છે. આ દ્વારા તમામ રૂપકોમાં ઘટી શકે એવાં લક્ષણો અપાયાં છે.
| વિક્રમોર્વશીય નાટકની રંગાનાથકૃત ટીકામાં નાટ્યદર્પણના ઉલ્લેખપૂર્વક જે અવતરણ અપાયું છે તે આમાં નથી. આ અવતરણ દ્વારા નાંદીના એક પ્રકારરૂપ “પત્રાવલી'નો ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તુત નાટ્યદર્પણની રચના એવી સીધીસાદી છે કે એમાં નાંદીના આવા પ્રકારો માટે સ્થાન હોઈ ન શકે. આથી એમ અનુમનાય છે કે ઉપર્યુક્ત નાટ્યદર્પણ આ પ્રસ્તુત નાટ્યદર્પણથી ભિન્ન છે.
ભટ્ટિકાવ્ય (સ. ૧૪, શ્લો. ૩) ઉપરની ભરતમલ્લિકની ટીકામાં પણ નાટ્યદર્પણનો ઉલ્લેખ છે. વળી એમાં “કાહલા' નામના વાઘ ઉપર પ્રકાશ પાડનારું અવતરણ છે. એ પ્રસ્તુત નાટ્યદર્પણમાં નથી.
એથી એ નાટ્યદર્પણ નાટક ઉપરાંત સંગીતના નિરૂપણનો કોઈ ભિન્ન ગ્રંથ હશે એમ અનુમનાય છે. P ૧૮૫ સ્વપજ્ઞ વિવૃતિ- આમાં અંતમાં નીચે મુજબનાં તેર ઉપરૂપકોનું સ્વરૂપ આલેખાયું છે -
| (૧) સટ્ટક, (૨) શ્રીગહિત, (૩) દુમિલિતા, (૪) પ્રસ્થાન, (૫) ગોષ્ઠી, (૬) હલ્લીસક, (૭) નર્તનક, (૮) પ્રેક્ષક, (૯) રાસક, (૧૦) નાટ્ય-રાસક, (૧૧) કાવ્ય, (૧૨) ભાણક અને (૧૩)
ભાણિકા.
આ વિવૃતિમાં બાર રૂપકનાં સ્વરૂપ સમજાવવા માટે નાટક વગેરે પંચાવન કૃતિઓમાંથી ઉદાહરણ અપાયાં છે. વળી હેતુ, બિન્દુ ઇત્યાદિના નિરૂપણાર્થે નલવિલાસના અંશોનો ઉપયોગ કરાયો છે.
એકવાક્યતા અને ભિન્નતા- ધનંજયના દશરૂપક સાથે કેટલીક બાબતમાં આ વિવૃતિ મળતી આવે છે. વળી આ દશરૂપકમાંથી જ અહીં અવતરણો અપાયાં હોય એમ લાગે છે. તેમ છતાં એના કે એના કર્તાના કે એના વૃત્તિકાર ધનિકના નામનો અહીં નિર્દેશ નથી. આ વિવૃતિમાં એક બે સ્થળે આ ૧. ધનંજયે દશરૂપકમાં દસ રૂપકોને વિષ્ણુના દસ અવતાર જેવાં કહ્યાં છે. ૨. જુઓ પ્રસ્તુત નાટ્યદર્પણની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૨). ૩. એજન, પૃ. ૨. ૪. આમાં કેટલીક સ્વરચિત છે. બાલિકા-વંચિતક, માયા-પુષ્પક અને વિધિ-લિખિત એ ત્રણ અજ્ઞાત નાટક છે.
એમાંથી અપાયેલાં અવતરણો ઉપરથી એ કંસ, રામ અને નળને અંગે હોય એમ લાગે છે.
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ : નાટ્યશાસ્ત્ર : પ્રિ. આ. ૧૮૩-૧૮૬]
૧૧૧
ધનંજયથી ભિન્ન અભિપ્રાય દર્શાવાયો છે. ભારતના નાટ્યશાસ્ત્રમાં પૂર્વાપરવિરોધાત્મક કથન છે એમ પણ અહીં કહેવાયું છે. સટ્ટક એ બારમું પાક્ય છે એટલે કે રૂપક છે એમ “કલ. હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન (અ. ૮, સૂ. ૩')માં કહ્યું છે. પણ પ્રસ્તુત વિવૃતિમાં તો એને “ઉપરૂપક' ગયું છે.
આ ઉપરાંત રસ એ સુખ અને દુઃખ એમ બંને લાગણી ઉત્પન્ન કરે છે એવું આ વિવૃતિનું વિધાન P ૧૮૬ છે. એ ઉપર્યુક્ત કાવ્યાનુશાસન અને કાવ્યપ્રકાશથી ભિન્ન મત દર્શાવે છે.
રસના દોષોના નિરૂપણ પ્રસંગે કાવ્યપ્રકાશ સાથે વિવૃતિ મળે છે તો કોઈ કોઈ વાર જુદી પણ પડે છે.
નવમાં ‘શાંત’ રસને શ્રવ્ય કાવ્યમાં જ નહિ પણ નાટકમાં યે સ્થાન છે એમ વિવૃતિમાં પ્રતિપાદન કરાયું છે.
[અંજનાપવનંજયનાટકમ્ હસ્તિમલ, હિંદી અનુવાદ ડો. રમેશચન્દ્ર જૈન. પ્ર. ઋષભદેવગ્રંથમાળા સાંગાનેર.]
[કાવ્યાનુશાસન ઃ નિર્ણયસાગરીય આવૃત્તિનું પુનર્મુદ્રણ : પ્રવચનપ્રકાશન પુના] તિડી તિહાસ- સોહનલાલ પટણી, પ્ર. રાતા મહાવીર તીર્થ સૂરતનો ઇતિહાસ- કેશરીચંદ ઝવેરી. ગૌતમસ્વામિ મહાગ્રંથ- નંદલાલ દેવલુક, પ્ર. અરિહંત પ્રકાશન ઉપરિયાળા તીર્થ ઇતિહાસ- જયંતવિજય. શંખેશ્વરતીર્થ- જયંતવિજય, પ્ર. યશો વિ. ગ્રંથમાળા રાજનગરના જિનાલયો– સં. જિતેન્દ્ર બી. શાહ, પ્ર. આ. કે. પેઢી સત્યપુરતીર્થ ઇતિહાસ- પ્ર. જૈન સંઘ સાંચોર, લે. મીશ્રીમલ બાથરા. રાણકપુર ઇતિહાસ- પ્ર. પ્રાગ્વાટ સંઘ. #ાપર 1 તિહાસ- પ્ર. કાપરડાતીર્થ સમિતિ
ભોજવ્યાકરણ અને વિક્રશ્ચિત્તામણિ– વિનયસાગર, સવિવરણ અનુવાદ ડૉ. જયદેવ પ્ર. આર્યજયકલ્યાણ કેન્દ્ર.
સાહિત્યશિક્ષામંજરી- (અલંકારવર્ણન) ધુરંધર વિ. પ્ર. જે સાહિત્ય વ. સભા
૧. કાવ્યના પ્રેક્ષ્ય અને શ્રવ્ય એમ બે પ્રકાર પાડી પ્રેક્ષ્યના પાઠ્ય અને ગેય એમ બે ભેદ દર્શાવી પાર્શ્વના ઉપભેદો તરીકે આ સૂત્ર નીચે મુજબ યોજાયું છે. “पाठ्यं नाटक-प्रकरण-नाटिका-समवकारेहामृग-डिम-व्यायोग्तेत्सृष्टिताङ्क-प्रहसन-भाण-वीथी-सट्टकादि" અહીં અંકને બદલે ઉસૃષ્ટિતાંકનો ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
P. ૧૮૭
પ્રકરણ ૮ : સંગીતશાસ્ત્ર સંગીત સંબંધી લેખો–સંગીત એ અતિપ્રાચીન કાળની એક વિદ્યા છે–કળા છે અને એ આપણા તેમજ અન્ય દેશોમાં વિકસિત થયેલી છે. એનો સાંસારિક તેમજ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ થયો છે અને થાય છે. જૈન તેમજ અજૈન જગતે એનો ભાવભીનો સત્કાર કર્યો છે અને એને અંગે વિવિધ કૃતિઓનું સર્જન કર્યું છે. જૈન આગમો વગેરેમાં સંગીત સંબંધી કેટલાક ઉલ્લેખોની નોંધ મેં “સંગીત અને જૈન સાહિત્ય” નામના મારા લેખમાં લીધી છે. એ છપાયા બાદ, આ પૂર્વે આ સંબંધમાં બે લેખ લખાયાનું મને જાણવા મળ્યું છે -
(૧) “ભારતીય સંગીતનું ઐતિહાસિક અવલોકન.” આના લેખક અધ્યાપક નારાયણ મોરેશ્વર ખરે છે. એમના આ લેખ (પુ. ૨, અં. ૧, પૃ. ૨૯-૩૫)માં જૈન સંગીત-સાહિત્યની ચર્ચા છે.
(૨) કુછ નૈન ગ્રંથોમેં સંત-વર્યા. આના લેખક ડૉ. વી. રાઘવનું છે.
સંગીત-સમયસાર' (લ. વિ. સં. ૧૩૫૦)- આના કર્તા અભયચન્દ્રના શિષ્ય મહાદેવાર્યના P ૧૮૮ શિષ્ય દિ. પાર્થચન્દ્ર છે. એમણે આ નવ અધિકરણમાં વિભક્ત કરેલી કૃતિમાં ભોજ, સોમેશ્વર અને
પરમર્દી એ ત્રણ રાજાઓનો ઉલ્લેખ કર્યો છે જ્યારે એમનો (પાર્શ્વચન્દ્રનો) નિર્દેશ સિંગભૂપાલે કર્યો છે. એ જોતાં એઓ ઈ. સ.ની ૧૩મી સદીમાં થઈ ગયેલાનું અનુમનાય છે. એમણે પ્રસ્તુત કૃતિમાં નાદ, ધ્વનિ સ્થાયી, રાગો, વાદ્ય, અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્વયોગ એમ વિવિધ બાબતો આલેખી છે. આ કૃતિમાં એમણે પ્રતાપ, દિગંબર અને શંકર એ ગ્રંથકારોનો ઉલ્લેખ કર્યો છે.
સંગીતોપનિષદ્ (વિ. સં. ૧૩૮૦) અને સંગીતોનિષસારોદ્વાર (વિ. સં. ૧૪0૬)- આ બંનેના કર્તા રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશ છે. એમની વિ. સં. ૧૭૮૦માં રચાયેલી પહેલી કૃતિની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી નથી પરંતુ વિ. સં. ૧૪૦૬માં પ્રથમ કૃતિના સારરૂપે રચાયેલી બીજી કૃતિની હાથપોથીઓ મળે છે. એવી એકને આધારે ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજીએ એનો પરિચય આપતાં કહ્યું છે કે એમાં છ અધ્યાય છે અને એનાં નામ અને પ્રત્યેકની શ્લોક-સંખ્યા નીચે મુજબ છે :૧. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૦, અં. ૮)માં છપાયો છે. ૨. આ લેખ “પુરાતત્ત્વ” (પુ. ૧, અં. ૩ અને પુ. ૨, એ. ૧)માં બે કટકે છપાયો છે. ૩. “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” (ભા. ૭, અં. ૧)માં આ છપાયો છે. ૪. આ કૃતિ “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા”માં ઈ. સ. માં છપાઈ છે. એનો પરિચય “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” (ભા.
૯, અં. ૨ ને ભા. ૧૦, અં. ૧)માં અપાયો છે. [“કુન્દકુન્દભારતી” દીલ્હીથી છપાયું છે. ઇ. સ. ૧૯૭૭] ૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૦૯)માં આના નામાંતર તરીકે સંગીત-સારસંગ્રહનો ઉલ્લેખ છે. અહીં એમ કહ્યું
છે કે પાર્ષદેવકૃત સંગીતરત્નાકર પણ આ જ કૃતિ હોવાનો સંભવ છે. ૬. જુઓ “આત્માનંદ-શતાબ્દિ-સ્મારક-ગ્રંથમાં છપાયેલો એમનો લેખ નામે “વાચનાચાર્ય શ્રીસુધાકળશ અને તેની ગુરુપરંપરા” (પૃ. ૩૫).
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ : સંગીતશાસ્ત્ર ઃ [પ્ર. આ. ૧૮૭-૧૯૦]
:
અધ્યાય
૧
ગીત - પ્રકાશન
પ્રસ્તારાદિ - સોપાશ્રય - તાલ - પ્રકાશન
પ્રકાશન
નામ
ર
૩
૪
૫
ξ
નૃત્ય પદ્ધતિ પ્રકાશન
આમ આ કૃતિમાં એકંદર ૬૧૦' શ્લોકો છે. ઉપર્યુક્ત મુનિશ્રી ચતુરવિજયજીના મતે સંગીતમકરંદ અને સંગીત-પારિજાત કરતાં આ કૃતિ વધારે મહત્ત્વની છે.
ગુણ - સ્વર - રાગાદિ
ચતુર્વિધ - વાદ્ય - પ્રકાશન
નૃત્યાંગ - ઉપાંગ પ્રત્યંગ - પ્રકાશન
-
-
-
શ્લોક-સંખ્યા
૯૪
૯૮
૧૨૮
૨૯૮
૧૪૧
૧૫૧
પ્રત્યેક અધ્યાયના પ્રારંભમાં ભિન્ન ભિન્ન રીતે મનોરમ પદ્ય દ્વારા જિનેશ્વરની સ્તુતિ કરાઈ છે. અ. ૧નું આદ્ય પદ્ય નીચે મુજબ છે. :
‘‘જ્ઞાનન્વનિર્ભરપુરન્તરપટ્ટુ નામી
नाट्य क्षणत्रुटितहारलताविमुक्तैः मुक्ताफलैः किल दिवाऽपि विसर्पितारा
યુદ્ધેશનાઽવનિરભૂત્તનિન:શ્રિયે વઃ ।।o ।।''
૧૧૩
આ ગ્રંથની પ્રશસ્તિમાં સંગીતોપનિષદ્ વિ. સં. ૧૩૮૦માં રચાયાનો ઉલ્લેખ છે. વળી નરચન્દ્રસૂરિનો ‘સંગીતજ્ઞ' તરીકે અહીં નિર્દેશ છે.
વીણા-વાદન– ‘ઉપકેશ’ ગચ્છના દેવગુપ્તસૂરિને વીણા વગાડવાનો ખૂબ શોખ હતો. એ સાધુને શોભે નહિ એમ એમને ઘણી વાર કહેવામાં આવ્યા છતાં એમની આસક્તિ ઓછી ન થઈ ત્યારે એઓ પોતાના પટ્ટધર તરીકે કક્કસૂરિને સ્થાપી ‘લાટ’ દેશમાં ચાલ્યા ગયા.
સંગીત-મંડન (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા જૈન ગૃહસ્થ મંડન છે. એમણે અલંકાર-મંડન P. ૧૯૦ વગેરે બીજી સાત કૃતિઓ રચી છે. એ આઠેની એક હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખાઈ છે.
સંગીત-દીપક, સંગીત-રત્નાવલી અને સંગીત-સહ-પિંગલ-આ ત્રણ કૃતિઓ જૈ. ગ્રં.માં અનુક્રમે પૃ. ૩૬૩, અને ૩૧૮માં નોંધાયેલી છે. એ ઉપરાંત એ સંબંધમાં વિશેષ માહિતી મળી શકી નથી.
૧-૨. શ્રી. અગરચંદ નાહટા‘પ્રમાણે ૧૨૭ અને ૯૯ શ્લોક છે.
૩. મૂળ લેખમાં ‘૫૯૦’ છપાયા છે.
૪.જુઓ પૃ. ૧૮૮ના પ્રથમ ટિપ્પણમાં નોંધાયેલો લેખ (પૃ. ૩૫)
૫-૬. જુઓ ‘જૈ. સ. પ્ર.'' (વ. ૧૦, અં. ૯)ગત શ્રી. અગરચંદ નાહટાનો લેખ :
"संगीत अने जैन साहित्य के विषयमें कुछ विशेष बातें. "
૭. આ કૃતિ પ્રકાશિત કરાઈ હોય એમ જણાતું નથી તો તેમ થવું ઘટે.
૮. જુઓ પૃ. 88.
For Personal & Private Use Only
P ૧૮૯
www.jalnelibrary.org
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
સંગીત, નૃત્ય અને નાટ્યશાસ્ત્ર સંબંધી જૈન ઉલ્લેખો- આ નામથી ગુજરાતીમાં લિખિત ભાષણ જાહેર વ્યાખ્યાનરૂપે આપવા માટે મને વડોદરાની “College of Indian Music, Dance & Dramaties' તરફથી તા. ૨૬-૧૧-'૧૪ને રોજ આમંત્રણ મળતાં એ ભાષણ તૈયાર કરી એ વિદ્યાલયમાં મેં તા. ૧૩-૧-'પપને રોજ એ ભાષણમાંથી થોડાક મુદા વાંચી સંભળાવ્યા હતા અને કેટલાક મોઢેથી કહ્યા હતા.
[સંગીતનાટ્યરૂપાવલી નામનો ગ્રંથ કગુ. વિદ્યા સારાભાઈ નવાબ દ્વારા સંપાદિત થઈ સારાભાઈ નવાબ દ્વારા અમદાવાદથી ઇ.સ. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલ છે. આમાં કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતમાંથી સંગીત અને નાટ્ય વિષેના સેંકડો દુર્લભ ચિત્રો અને એનો પરિચય અપાયા છે.]
કાવ્યાનુશાસનનું અલંકારચૂડામણિવૃત્તિ અને વિવેક વ્યાખ્યા સાથે સંપૂર્ણ અધ્યયન- લે. અમૃત એમ. ઉપાધ્યાય. પ્ર. સરસ્વતી પુસ્તક ભંડાર, ઇ. સ. ૧૯૮૪
[“Jain Painting Vol. 1-2, પ્રકા. રાજેન્દ્ર સારાભાઈ નવાબ. આમાં ૭૮૧ રંગીન ચિત્રો છે. પડીવશ્ય વીતાવવીધ (૧૪૭ ચિત્રો સાથે) પ્રકા. સારાભાઈ નવાબ. વિ. સં. ૨૦૩૩”]
જૈન કાષ્ઠ પટચિત્ર- દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોમાં રહેલા પટચિત્રો વિષે સચિત્ર-વિવેચન. (ગુજરાતી અને અંગ્રેજી બે આવૃત્તિઓ) સંશોધન, અનુકૃતિ અને આલેખન ડૉ. વાસુદેવ સ્માર્ત. પ્રકાશક : આ. ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલિ. ૨૦ આ. ૐકારસૂરિ આરાધના ભવન, સૂરત.
P. peterson, operation in search of Sanskrit, Mss in the Bombay circle, Vol. I-VI, Bombay 1882-1898 A.D.
C. D. Dalal, A Descriptivie catalogue of Manuscripts in the jain Bhandaras at Pattan, Vol.I, G.O.S. No. Lxxvi, Baroda 1937.
H. R. Kapadia, Descriptive Catalogue of the Government Collections of Manuscripts deposited at the Bhandarkar Oriental Research institute. Vol. XVIIXIX, Poona 1935-1977.
Muni Punya Vijaya, Catalouge of Palm Leaf, Mss. in the Shanti Natha Jaina Bhandar, Cambay. Vol-I, II, G.0.S, No. 139, 149, Baroda, 1961-1966 A.D.
A. F. Shah, Catalogue fo Sanskrit: and prakrit, Mss. Muni Shree punya Vijayaji's Collection, Vol, I, II, II, L.D. Series No. 2,6,15, Ahmedabad, 1962, 1965, 1968 A.D.
A. P. Shah, Catalogue of sanskrit and prakrit Mss. Ac. vijayadevasuri and Ac. Ksantisuris collection, part IV, L. D. Series, No. 20, Ahmedabad, 1968 A.D.
Muni Punya Vijaya, New Catalogue of Sanskrit and Prakrit, Mss : Jesalmer Collection. L. D. Series No. 36, Ahmedabad 1972. A.D.
૧. આ લગભગ સો પાનાંનું ભાષણ અપ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ : કામશાસ્ત્ર
P ૧૯૧ સામાન્ય રીતે કોઈ જૈન શ્રમણ કામશાસ્ત્રને અંગે સ્વતંત્ર કૃતિ રચે નહિ, કેમકે કામથી વિમુખ બનેલા એઓ અન્યને એનાથી વિમુખ બનવાનો ઉપદેશ આપવામાં કૃતાર્થતા માને એ સ્વાભાવિક છે. કોઈ વ્રતધારી શ્રાવક પણ આ વિષયને ભાગ્યે જ ચર્ચ. તેમ છતાં કોઈકને કોઈક વાર આ વિષય હાથ ધરવાનો પ્રસંગ આવતાં એ આ વિષયને ન્યાય આપે. જિનદત્તસૂરિકૃત વિવેકવિલાસ (ઉલ્લાસ ૫, શ્લો. ૧૩૮૧૯૮)માં, જિનસૂરિકૃત 'પ્રિયંકરનૃપકથા (પૃ. ૨૪)માં નિર્દેશાયેલી કમલ-શ્રેષ્ઠિ-કથામાં તેમજ કેટલાંક કાવ્યોમાં અને કાવ્યશાસ્ત્રોમાં કામવિષયક હકીકતો જોવાય છે. આ સંબંધમાં સ્વતંત્ર કૃતિઓ હોય તો તે કઈ કઈ છે તેની તપાસ કરવી બાકી રહે છે.
કંદર્પ-ચૂડામણિ (વિ. સં. ૧૬૩૩)- જ. સા. સં. ઇ. (પૃ. ૧૮૬) પ્રમાણે વીરભદ્ર વિ. સં. ૧૬૩૩માં ભૈરવ અને કૃષ્ણના સ્મરણપૂર્વક આ કૃતિ રચી છે. એને આ ઇતિહાસના લેખકે “જૈન” રચના ગણી હોય એમ લાગે છે, પણ મને તો એ બાબત શંકા રહે છે. તેમ છતાં એ વિષે હું થોડુંક કહું છું.
આ વીરભદ્ર “વાઘેલ' વંશમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે. એમણે વાત્સ્યાયનક્ત કામસૂત્રના મે ૧૯૨ વિષયોનું નિરૂપણ આર્યા છંદમાં કર્યું છે. એમણે પ્રસ્તુત કૃતિ સાધારણ, સાંપ્રયોગિક, કન્યા-સંપ્રયુક્તક, ભાર્યાધિકારિક, પારદારિક, વૈશિક અને ઔપનિષદિક એ નામનાં સાત અધિકરણોમાં વિભક્ત કરી છે. આ દરેકના પેટાવિભાગરૂપ ઓછાવત્તા અધ્યાયો છે. બધા મળીને ૩૬ (૫+૧૦+૫+૨+૬+૬+૨) અધ્યાયો છે. પ્રારંભમાં કર્તાએ પોતાનો પરિચય આપ્યો છે. અને કામસૂત્ર રચનારા વિવિધ ગ્રંથકારોનાં નામો ગણાવ્યાં છે.
નિમ્નલિખિત કૃતિઓનાં નામ વિચારતાં એમાં પ્રસ્તુત વિષય ચર્ચાયો હોય તો ના નહિ : - કામપ્રદીપ- આના કર્તા ગુણાકર છે. પકોકપ્રકાશસાર- આ અજ્ઞાતકર્તુક કૃતિની એક હાથપોથી ભાં. પ્રા. સં. મં.માં છે.
૧. મેં સંપાદિત કરેલી આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી “કમલ-શ્રેષ્ઠિ-કથા” વગેરે પાંચ કથારૂપ પરિશિષ્ટ
સહિત ઇ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. જુઓ ઉપર્યુક્ત ટિપ્પણ. 3. નિતાન્ત પનીયમ્” એવા ઉલ્લેખપૂર્વક આ કૃતિ વિ. સં. ૧૯૮૧માં પ્રસિદ્ધ કરાઈ છે. એનું સંશોધન સ્વ.
જાદવજી ત્રિકમજી વૈદ્ય કર્યું છે અને એ મણિલાલ ઈ. દેશાઈના મુદ્રણાલયમાં છપાઈ છે. ૪. આ કૃતિની આ નામથી નોંધ જિ. ૨. કો.માં નથી. ૫. નન્દાચાર્ય વિ. સં. ૧૬૫૩માં કોકશાસ્ત્ર-ચોપાઈ રચી છે.
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
P ૧૯૩
પ્રકરણ ૧૦ : સ્થાપત્ય અને મુદ્રાશાસ્ત્ર કળાના વિવિધ પ્રકારો છે. એમાંનો એક પ્રકાર તે શિલ્પ-કળા છે. બાંધકામની વિદ્યાને “શિલ્પવિદ્યા” અને એનું નિરૂપણ કરનાર ગ્રંથને ‘શિલ્પ-શાસ્ત્ર' કહે છે. શિલ્પ-શાસ્ત્રનું બીજું નામ “સ્થાપત્ય છે. સ્થાપત્યનો અર્થ ઇમારત, બાંધકામ એમ પણ કરાય છે. પ્રસ્તુતમાં પ્રથમ અર્થ અભિપ્રેત છે. આબુ, રાણકપુર, શત્રુંજય વગેરે જૈન તીર્થસ્થળોમાં આવેલાં ભવ્ય મંદિરો જૈન સ્થાપત્યના ઉત્તમ નમૂના પૂરા પાડે છે.
આ પૈકી પ્રથમ ગ્રંથ જેઈમ્સ ફર્ગ્યુસને રચ્યો છે અને એના બંને ભાગ ઈ. સ. ૧૯૧૦માં પ્રકાશિત થયા છે. બીજો ગ્રંથ ઈ. બી. હાવલે (Havell)ની રચના છે. એની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૭માં છપાઈ છે. ફર્ગ્યુસનના ગ્રંથમાં જૈન સ્થાપત્ય વિષે જેટલું લખાણ છે તેના પ્રમાણમાં હાલના ગ્રંથમાં બહુ જ થોડું લખાણ છે. પૃ. ૧૯૩ ટિ. ર થોડા વખત ઉપર ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહનું Studies in Jaina Art નામનું પુસ્તક (પૃ. ૮+૧૬૬) ૩૬ પ્લેઇટમાં ૮૯ ચિત્રો સહિત “જૈન કલ્ચરલ રીસર્ચ સોસાયટી” તરફથી બનારસથી પ્રસિદ્ધ થયું છે ખરું પણ એ મારા જોવામાં આવ્યું નથી.
ધાર્મિક તેમજ નાગરિક એમ ઉભય પ્રકારની શિલ્પકળાની સામગ્રી રાયપૂસણઇજ્જ તેમજ કમ્પનું ભાસ પૂરી પાડે છે. રાય.માં સૂર્યાભદેવે રચાયેલા વિમાનનું ઝીણવટભર્યું વર્ણન છે. એ ઉપરથી એક નવ્ય અને ભવ્ય પ્રાસાદ ઊભો થઈ શકે. વિશેષમાં આ વર્ણન સ્થાપત્યને અંગેના કેટલાક પારિભાષિક શબ્દો પણ પૂરા પાડે છે. વળી સમવસરણને લગતી જે હકીકત આગમિક તેમજ અનાગમિક સાહિત્યમાં મળે છે તે
પણ સ્થાપત્યનો વિષય બની શકે તેમ છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં નગરોનું તેમજ ગૃહનિર્માણકળા અને P ૧૯૪ શિલ્પકળાનું વિસ્તૃત વર્ણન જૈન સાહિત્યમાં મળે છે, ડૉ. મોતીચન્દ્ર “નૈનાએTH ઔર સ્થાપત્ય'' નામનો એક
લેખ લખ્યો છે. ૧. સ્વ. હિમાંશુવિજયે “શિલ્પના બે જૈન ગ્રંથો” નામનો લેખ લખ્યો છે અને એ “બુદ્ધિપ્રકાશ” (પૃ. ૮૭, અં. ૧, પૃ. ૨૨-૨૯)માં છપાયો છે. [૫. કલ્યાણવિજયજી રચિત કલ્યાણકલિકા ભા. ૧માંશિલ્પશાસ્ત્રના અનેક
ગ્રંથોનું દોહન છે. આની બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે] ૨. આપણા દેશના સ્થાપત્ય વિષે અંગ્રેજીમાં બે મહત્ત્વના ગ્રંથ છે :
(24) History of Indian and Eastern Architecture. (241) Indian Architecture. 241 Us પ્રથમ ગ્રંથ જેઈમ્સ ફર્ગ્યુસને રચ્યો છે અને એના બંને ભાગ ઇ.સ. ૧૯૧૦માં પ્રકાશિત થયા છે. બીજો ગ્રંથ ઇ. બી. હાવેલ (Havell)ની રચના છે. એની બીજી આવૃત્તિ ઇ. સ. ૧૯૨૭માં છપાઇ છે. ફર્ગ્યુસનના ગ્રંથમાં જૈન સ્થાપત્ય વિષે જેટલું લખાણ છે તેના પ્રમાણમાં હાલના ગ્રંથણાં બહુજ થોડું લખાણ છે. થોડા વખત ઉપર ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહનું Studies in Jaina Art નામનું પુસ્તક (પૃ. ૮+૧૬૬) ૩૬ પ્લેઇટમાં ૮૯ ચિત્રો સહિત “જૈન કલ્ચરલ રીસર્ચ સોસાયટી” તરફથી બનારસથી પ્રસિદ્ધ થયું છે ખરું પણ એ મારા
જોવામાં આવ્યું નથી. ૩. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૯, કિરણ ૨)માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ : સ્થાપત્ય અને મુદ્રાશાસ્ત્ર : પ્રિ. આ. ૧૯૩-૧૯૪]
૧૧૭
આ પ્રમાણેની મહામૂલ્ય સામગ્રી હોવા છતાં સ્થાપત્ય સંબંધી જૈન કૃતિઓ આંગળીને વેઢે ગણાય એટલી ઓછી સંખ્યામાં જોવાય છે. 'ઠક્કર ફેરુએ વિ. સં. ૧૩૭રમાં રચેલું વસ્યુસારપયરણ પાઇયમાં છે. આનો પરિચય મેં પા. ભા. સા. (પૃ. ૧૮૫)માં આપ્યો છે.
શિલ્પ-શાસ્ત્ર- આ નામની એક કૃતિ ભટ્ટારક એકસંધિએ રચી છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩)માં નોંધ છે, અને એના આધાર તરીકે રાઇસ (Rice) દ્વારા તૈયાર કરાયેલા અને ઇ. સ. ૧૮૮૪માં બેંગલોરથી પ્રસિદ્ધ કરાયેલા A Catalogue of Sanskrit Manuscripts in Mysore and Koorg (પૃ. ૩૧૬)નો ઉલ્લેખ કરાયો છે.
મુદ્રાશાસ્ત્ર-સિક્કાઓનું પણ શાસ્ત્ર છે. એને “મુદ્રાશાસ્ત્ર' કહે છે. ઉપર્યુક્ત ઠક્કર ફેરુએ ૧૪૯ ગાથામાં કુતુબુદીન તઘલખના રાજયમાં વિ. સં. ૧૩૭૫માં ભારતીય સિક્કાઓ વિષે ‘દવ્યપરિખા (દ્રવ્ય પરીક્ષા)માં વિચાર કર્યો છે. મુદ્રાશાસ્ત્રની પ્રવેશિકાની ગરજ સારનારી આ કૃતિમાં ૨૦૦ ઉપર સિક્કાઓનું વર્ણન છે. આવી કોઈ સંસ્કૃત કૃતિ કોઈ જૈને રચી છે ખરી ?
| [“આણંદજી કલ્યાણજી પેઢી” તથા “શારદાબેન ચી. એ. પી. સેંટર’’ અમદાવાદ દ્વારા તીર્થના પરિચય આપતાં કેટલાંક પુસ્તકો બહાર પડ્યા છે. એમાં તે તે તીર્થના જિનાલયોની શિલ્પસમૃદ્ધિ દર્શાવતાં ચિત્રો (ફોટોગ્રાફ્સ) છપાયાં છે.]
[નોડા પાર્શ્વનાથ તીર્થ– સંપા. વિનયસાગર, “આરાસણ અપ૨નામ કુંભારિયાજી તીર્થ” લે. મુનિ વિશાલવિજય. પ્રકા. યશોવિજય ગ્રંથમાળા. ]
[Osiaji Mahavir Temple" By Rabindra Vasavada us1. ALALGUS EGUALLS વિદ્યામંદિર, અમદાવાદ.]
Vidhatri vora, Catalogue of Gujarati, Mss in the Muniraj ShreePunya vijayaji's collection. L. D. series No. 71. Ahmedabad-1978. A. D.
Catalogue of Palm-Leaf, Mss in the shanti Natha Jaina Bhandar-cambay, Part I, II, Ed. Muni shree punya vijayaji, G.O.S. NO. 139, 149, Baroda 1962-66 A.D.
Catalogue of Sanskrit and prakrit, Mss : Muni Shree punya Vijayaji's collection, part-I-III Acarya vijayadeva Suris and Acarya Khantisurie's collection, part IV, Ed- A. P. Shah, Ahmedabad 1963-68 A.D.
૧. એમના વિષેનો તેમજ એમની કૃતિઓ વિષેનો એક લેખ નામે “દ્રવ્ય પરીક્ષા” મુનિશ્રી કાંતિસાગરજીએ લખ્યો
છે અને એ “વિશાલભારત” (ભાગ ૩૯, અંક ૧, પૃ. ૧૧-૧૪)માં છપાયો છે. “ધંધકળશ' કુળના ચન્દ્ર એ ઠક્કર ફેરુના પિતા થાય અને ચંદા એમની માતા થાય. ૨. આના પરિચય માટે જુઓ ઉપર્યુક્ત લેખ તેમજ “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૪, ૫, અને ૮)માં એ જ મુનિનો
ત્રણ કટકે છપાયેલો લેખ નામે “ઠક્કર ફેરુરચિત મુદ્રાશાસ્ત્રનો અદ્વિતીય જૈન ગ્રંથ.”
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
P ૧૯૫
પ્રકરણ ૧૧ : ગણિતશાસ્ત્ર ગણિતશાસ્ત્રનો વિષય ઘણાખરા જનોને મન માથાકૂટિયો, અટપટિયો અને કંટાળાભરેલો છે, પરંતુ મારા જેવાને તો એ સદાયે અતિશય રસિક અને આનંદજનક જણાયો છે અને એથી તો આજે ઉત્તરાવસ્થામાં પણ અનુસ્નાતકથી પણ ઉચ્ચ કોટિના અભ્યાસીઓની કક્ષાની ગણિતશાસ્ત્રને અંગેની વિવિધ વિગતો વાંચવાવિચારવા હું ઉત્સુક રહું છું. ગણિતશાસ્ત્રની એક શાખારૂપ અંકગણિત તો સામાન્ય જનતાને પણ ઉપયોગી છે, જ્યારે બીજગણિત યાને અક્ષરગણિત વગેરે શાખાઓ તો ખાસ કરીને વૈજ્ઞાનિક શોધકોના કામની છે. વળી આ શાસ્ત્રના અધ્યયનનો માર્ગ કેવળ વિનયન (Arts) ના જ કે વિજ્ઞાન (Science)ના જ કે વાણિજ્યના જ વિદ્યાર્થીઓ માટે મોકળો ન રાખતાં જ્ઞાનની અન્ય શાખાઓના અભ્યાસીઓ માટે પણ ઓછેવત્તે અંશે તેમ કરવાનું સ્તુત્ય પગલું વિશ્વવિદ્યાલયોએ ભર્યું છે. આથી તો ગણિતશાસ્ત્રની સાથે એક રીતે સરખું મહત્ત્વ ધરાવનારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્ર કરતાં યે ગણિતશાસ્ત્રનું ક્ષેત્ર વધારે વ્યાપક છે. જૈન દર્શનમાં ગણિતશાસ્ત્રને ગૌરવશાળી સ્થાન અપાયું છે એમ પુલ્વોમાંની ગમ અને ભંગ (વિકલ્પો)ની પ્રચુરતા સંબંધી જૈન પરંપરા અને સંખ્યાનું નિરૂપણ વિચારતાં તેમજ કર્મસિદ્ધાન્તને
લગતી ઝીણવટભરી બાબતોને ધ્યાનમાં લેતાં સહેજે ફલિત થાય છે. આજે પુલ્વ તો નથી પરંતુ કર્મસિદ્ધાન્ત P ૧૯૬ રજૂ કરનારા વિશિષ્ટ ગ્રંથો છે એટલે એ તેમજ કાળ અને ક્ષેત્રનાં પરિમાણ વિષે જે પ્રરૂપણા છે તે સમજવા
માટે ગણિતશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા રહે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં કોણ જાણે કેમ ગણિતશાસ્ત્રના સ્વતંત્ર અને એની કોઈ એક શાખા પૂરતા યે સવાંગીણ ગણાય તેવા ગ્રંથો બહુ જ થોડા પ્રમાણમાં હજી સુધી તો મળી આવ્યા છે. વળ્યુસારપયરણ, દવ્યપરિખા વગેરે રચનારા ઠક્કર ફેરુએ ગણિયસારકોમુઈ (ગણિતસારકૌમુદી) રચી છે. એ પદ્યાત્મક કૃતિ પાંચ ઉદેશમાં વિભક્ત છે.
ગણિતસારસંગ્રહ (લ. વિ. સં. ૯૦૦)- આના કર્તા દિ. મહાવીરાચાર્ય છે.
ગણિતશાસ્ત્ર અને ગણિતસૂત્ર (લ. વિ. સં. ૯00)– આ ગણિતને અંગેના બંને ગ્રંથના કર્તા ગણિતસારસંગ્રહ રચનારા દિ. મહાવીરાચાર્ય છે એમ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૬) જોતાં જણાય છે. વળી પગણિતસાર પણ એમની કૃતિ છે અને એમાં ગુણોત્તર શ્રેણીના સિદ્ધાન્તોનું વિસ્તૃત ૧. વગેરેથી સમતલ ભૂમિતિ, ઘન ભૂમિતિ, સમતલ ત્રિકોણમિતિ, ગોલીય ત્રિકોણમિતિ, સમતલ બીજભૂમિતિ (Plane
analytical geometry), ઘન બીજભૂમિતિ, શૂન્ય-લબિયાને સૂક્ષ્મકલન, શૂન્યયુતિ યાને સમાસકલન અને શૂન્ય
સમીકરણ ઉપરાંત સ્થિતિ-શાસ્ત્ર, ગતિ-શાસ્ત્ર, ઉદય-સ્થિતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર જેવી શાખાઓ અત્ર અભિપ્રેત છે. ૨. આનો સંક્ષિપ્ત પરિચય મુનિશ્રી કાંતિસાગરજીએ “ઠક્કર ફેરચરિત ‘ગણિતસાર-કૌમુદી' એ અદ્વિતીય ગ્રંથ”
નામના લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર” (વર્ષ ૨૧, અં. ૩, પૃ. ૫૯-૬૪)માં છપાવાયો છે. ૩. આ કૃતિ પ્રા. એમ. રંગાચાર્યનાં અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણ સહિત મદ્રાસ સરકારની આજ્ઞાથી ઈ. સ. ૧૯૧૨માં પ્રકાશિત થઈ છે. અંતમાં ત્રણ પરિશિષ્ટ છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે સંસ્કૃત શબ્દો અને એ દ્વારા દર્શાવાતા અંક, દ્વિતીય પરિશિષ્ટ તરીકે અંગ્રેજી અનુવાદગત સંસ્કૃત શબ્દો અને એની સમજણ અને તૃતીય
પરિશિષ્ટ તરીકે દાખલાઓના જવાબ અપાયાં છે. ૪. આનો કેટલોક પરિચય કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૫-૧૦)માં અપાયો છે. ૫. આ નામની મહાવીરચાર્ય સંસ્કૃતમાં રચેલી કૃતિની કન્નડ લિપિમાં લખાયેલી વિવિધ હાથપોથીઓની નોંધ ક. તા. (પૃ.૧૬૮-૧૬૯)માં છે.
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ : ગણિતશાસ્ત્ર : [પ્ર. આ. ૧૯૫-૧૯૮]
૧૧૯
નિરૂપણ છે એમ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૫)માં ઉલ્લેખ છે. તો શું એ ગણિતસાર ઉપર્યુક્ત કૃતિઓથી ભિન્ન છે ? બ્રહ્મગુપ્તકૃત બ્રાહ્મફુટસિદ્ધાંત સાથે પ્રસ્તુત કૃતિ સરખાવતાં એમ લાગે છે કે આ મહાવીરાચાર્ય આથી પરિચિત હતા, એમણે ગણિતસારસંગ્રહમાં એક સ્થળે શ્રીધરનો ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં એમણે શ્લો. ૩માં અમોઘવર્ષનો અને ગ્લો. ૮માં એમનો “નૃપતંગ” તરીકે નામોલ્લેખ કર્યો છે અને ગ્લો. ૬માં આ રાજાને “ચક્રિકાભંજન' કહ્યા છે. આ “રાષ્ટ્રકૂટ’ વંશના રાજાનો સમય ઇ.સ. ૮૧૪ મે ૧૯૭ કે ૮૧પથી ઇ.સ. ૮૭૭ કે ૮૭૮ ગણાય છે. આ હિસાબે આ કૃતિ ઈ. સ. ૮૫૦ની લગભગની ગણાય. આ પદ્યાત્મક કૃતિના પ્રારંભમાં જૈનોના ચરમ તીર્થકર મહાવીરસ્વામીને વંદન કરી ઉપર્યુક્ત રાજાની તારીફ કરી ગણિતની પ્રશંસા કરાઈ છે. ત્યાર બાદ સંજ્ઞાઓ યાને ક્ષેત્રાદિકની પરિભાષાઓ સમજાવાઈ છે. પછી નીચે મુજબના આઠ વ્યવહારોનું નિરૂપણ છે :
(૧) પરિકર્મ, (૨) કલાસવર્ણ, (૩) પ્રકીર્ણક, (૪) ઐરાશિક, (૫) મિશ્રક, (૬) ક્ષેત્રગણિત, (૭) ખાત અને (૮) છાયા.
મિશ્રક વ્યવહારમાં વ્યાજને અંગેની રીતો (rules)ની અને એના પદાખલાની સંખ્યા આર્યભટીય કરતાં ઘણી વધારે છે.
સંપ્રદાય- આ કૃતિના કર્તા જૈન છે એમ જિનેશ્વરની પુષ્પ-પૂજા (પૃ. ૯), ફલ-પૂજા (પૃ. ૩૪), દીપ-પૂજા (પૃ. ૪૦), ગંધ-પૂજા (પૃ. ૪૨), ધૂપ-પૂજા (પૃ. ૪૨) ઇત્યાદિને લગતાં ઉદાહરણો ઉપરથી તેમજ પૂ. પર માંના બાર પ્રકારના તપ અને બાર અંગ (દ્વાદશાંગી)ના ઉલ્લેખ ઉપરથી તથા આકાશચારી મુનિ (પૃ ૧૩૮)ને લગતા ઉલ્લેખ ઉપરથી પણ જાણી શકાય છે.
સ્મલન– કોઈ સંખ્યાને શૂન્યથી ભાગે તો તે અવિકારી રહે છે– તેવી ને તેવી જ રહે છે એવો ૧૯૮ જે ઉલ્લેખ પૃ. ૬માં શ્લો. ૪૯માં કરાયો છે તે બ્રાન્ત છે. બ્રહ્મગુપ્ત તો આવી ભૂલ કરી નથી.”
સત્કાર- દક્ષિણ ભારતમાં ગણિતસારસંગ્રહને સારો આવકાર મળ્યો હોય એમ લાગે છે કેમકે . સ.ની અગિયારમી સદીમાં તો પાવલૂરિ મલ્લને એનો “તેલુગુ ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો હતો.
ટીકાઓ- વરદરાજે તેમજ અન્ય કોઈએ ગણિતસારસંગ્રહ ઉપર સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે.
કાનડી અને તેલુગુ ટીકા- વલ્લભ નામની કોઇક વ્યક્તિએ ગણિતસાર સંગ્રહ ઉપર કાનડી ભાષામાં તેમજ તેલુગુમાં એકેક ટીકા રચી છે.
૧. આના ટીકાકાર પૃથુદકસ્વામી (ઇ. સ. ૮૬૦) અને આ મહાવીરાચાર્ય વચ્ચે વિશેષ અંતર નહિ હશે એમ
પ્રા. રંગાચાર્યે કહ્યું છે. ૨. આ શ્રીધર તે ત્રિશતિકા (ઈ.સ. ૭૫O)ના કર્તા છે. ૩. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૦૩). ૪. અહીં ૨૪ અંકસ્થાનો ગણાવાયાં છે. છેલ્લાનું નામ “મહાક્ષોભ” અપાયું છે. ૫. History of Hindu Mathematics (ખંડ ૧, પૃ. ૨૨૩-૨૨૬)માં તેર દાખલા અપાયા છે. ૬. આ આર્યભટ પહેલા (ઇ. સ. ૪૯૯)ની કૃતિ છે. ૭. આ પૃષ્ઠગત શ્લો. ૪પમાં “સમુદાય' એ અર્થમાં “યતિતિ :' દ્વારા “સમિતિ” શબ્દ વપરાયો છે. ૮. જુઓ HHM (ખંડ ૧, પૃ. ૨૪૧).
For Personal & Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
૧ ૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
ડૉ. દત્તના લેખડૉ. બિભૂતિભૂષણ દત્તે જૈન ગણિતને અંગે નીચે મુજબના ત્રણ લેખ લખ્યા છે - (1) 'The Jaina School of Mathematiec. (2) 'On Mahavira's Solution of Rational Triangles and Quadrilaterals.
(3) Geometry in the Jaina Cosmography. P ૧૯૯ ગણિતસંગ્રહ– આના કર્તા યલ્લાચાર્ય છે. શું એઓ જૈન છે અને એમની આ કૃતિ સંસ્કૃત છે ?
ગણિતશાસ્ત્ર (વિક્રમની ૧૧મી સદી)- આના કર્તા શ્રીધરાચાર્ય છે.
પાટીગણિત (લ. વિ. સં. ૧૨૫૦) – આના કર્તા પજૈન ગૃહસ્થ અનંતપાલ છે. એઓ પલ્લીવાલ’ કુળના અને નેમિચરિત નામનું મહાકાવ્ય રચનારા આમન કવિના ચાર પુત્રો પૈકી પ્રથમ છે. આ અનંતપાલના ધનપાલ નામના ભાઈએ તિલકમંજરીકથાસાર વિ. સં. ૧૨૬૧માં રચ્યો છે. પાટીગણિત એ નામ વિચારતાં એમ લાગે છે કે એમાં અંકગણિતનો વિષય વિચારાયો હશે.
ગણિયસાર (લ. વિ. સં. ૧૩૭૦)-આના કર્તા ઠક્કર ફેર છે. એમણે વિ. સં. ૧૩૪૭માં યુગપ્રધાનચોપાઈ રચી છે અને વિ. સં. ૧૩૭રમાં વસ્યુસારપયરણ અને જ્યોતિસાર અને વિ. સં. ૧૩૭૫માં દિવ્યપરિખા રચ્યાં છે. આથી પ્રસ્તુત ગ્રંથ લ. વિ. સં. ૧૩૭૦માં રચાયો હશે એમ લાગે છે. એ ગમે તે હો પણ આ ગ્રંથ પ્રાકૃતમાં છે.
તિલક- આ ગણિતને લગતા ગ્રંથના કર્તા સિંહતિલકસૂરિ છે એમ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૬)માં ઉલ્લેખ છે તે ખરો છે ?
- સિદ્ધ-ભૂ-પદ્ધતિની ટીકા (લ. વિ. સં. ૮૭૫)- આના કર્તા દિ. વીરસેન આચાર્ય છે. તેઓ - પંચતૂપ' અન્વયના દિ. આર્યનદિના શિષ્ય અને ચન્દ્રસેનના પ્રશિષ્ય થાય છે. આ વીરસેન જિનસેન (પહેલા)ના ગુરુ થાય છે અને ઉત્તરપુરાણ રચનારા ગુણભદ્રના પ્રગુરુ થાય છે. એ વીરસેને છખંડાગમ ૧. આ લેખBulletin of the Calcutta Mathematical Society (Vol.XXI, No.2, 1929)માં છપાયો છે. ૨. આ લેખ Bul. of the Cal. Math Society (Vol. XX, 1928-29)માં પ્રકાશિત થયેલો છે. ૩. આ લેખની મદ્રિત નકલ મારા જોવામાં આવી નથી. બાકી એની હાથે લખેલી નકલ તો મને એના લેખક
મહાશય તરફથી મળી હતી. ૪. આ સદીમાં પાઈયમાં એક ગણિતનો ગ્રન્થ રચાયો છે અને એમાં મિશ્રિત પ્રશ્નનો ઉત્તર શ્રેણિવ્યવહાર અને
કુટ્ટકની રીતિથી અપાયો છે. ૫. જિનવિજયજીના મતે આ દિ. છે (જુઓ જૈ. સા. ઇ.નું પૃ. ૪૭૧). જો એમ જ હોય તો તિલકમંજરીના કર્તા શ્વેતાંબર ધનપાલને આ અનંતપાલના ભાઈ ધનપાલે નમન કર્યું છે તે એમની મસહિષ્ણુતા–ઉદારતા સૂચવે છે. આવા બીજા ઉદાહરણરૂપ પં. વાદિરાજ છે, કેમકે એમણે શ્વેતાંબરીય વાભદાલંકાર ઉપર ટીકા રચી છે. જુઓ પૃ. 92. ૬. આ અન્વય આગળ જતાં “સેનાન્વય' યા “સેન-સંઘ' તરીકે પ્રસિદ્ધ થયો. ૭. એમના અન્ય શિષ્યો વગેરેના નામ માટે જુઓ જૈ. સા. ઇ. (પૃ. ૫૦૧). ૮. આ વીરસેન, જિનસેન પહેલા અને ગુણભદ્ર એ ત્રણ વિદ્વાનો દિ. સાહિત્યક્ષેત્રના ત્રણ તેજસ્વી તારાઓ છે.
એ ત્રિપુટી તે જાણે “ભરણી નક્ષત્ર છે.
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ : ગણિતશાસ્ત્ર : [પ્ર. આ. ૧૯૮-૨૦૦]
૧૨૧
પૈકી પહેલા પાંચ ખંડની ટીકા નામે ધવલા શકસંવતુ ૭૩૮માં પૂરી કરી છે. એમાં ચર્ચાયેલો ગણિતનો P ROO વિષય જોતાં એઓ ગણિતજ્ઞ હતા એમ કહી શકાય. એમણે કસાયપાહુડ ઉપર જયધવલા નામની ટીકા રચવા માંડી હતી પરંતુ વીસ હજાર શ્લોક જેટલો ભાગ રચાતાં એમનો સ્વર્ગવાસ થયો. એમનો જન્મ શકસંવત્ ૬૬૦ની આસપાસમાં અને સ્વર્ગવાસ શકસંવત્ ૭૪૫ની આસપાસમાં થયાનું અનુમનાય છે.
ઉત્તરપુરાણની પ્રશસ્તિમાં દિ. ગુણભદ્ર પોતાના દાદાગુરુ દિ. વીરસેન માટે એવો ઉલ્લેખ કર્યો છે કે સિદ્ધ-ભૂ-પદ્ધતિનાં પદે પદ વિષમ અર્થાત્ કઠણ હતાં. પરંતુ આ વીરસેને એની એવી ટીકા રચી છે કે એ જોઈને ભિક્ષુઓને એ ગ્રંથ સમજવો સુગમ થઈ પડ્યો છે. આ મૂળ ગ્રંથ ક્ષેત્રગણિત (geometry)નો હશે એમ અનુમનાય છે.
ક્ષેત્રગણિત- આના કર્તા નેમિચન્દ્ર છે.
અહીં એ ઉમેરીશ કે ક્ષેત્રગણિતને અંગે છે કરણો વાચકવર્ય ઉમાસ્વાતિએ ત. સૂ. (અ. ૩, સૂ. ૧૧)ના સ્વોપજ્ઞ ભાષ્ય (પૃ. ૨૫૮)માં આપ્યાં છે.
બૈજિક યાને વ્યચ્છેદક રેખાગણિત- આના કર્તા શ્રીધરાચાર્ય છે અને એમાં એમણે સરળ રેખા, વૃત્ત, રૈખિક ક્ષેત્ર, નળાકૃતિ, મોચાકૃતિ, વર્તુલાકૃતિ ઇત્યાદિ વિષયોનું નિરૂપણ કર્યું છે.
Aspects of Jain Art. U. P Shah More documents of Jain Paintings U. P Shah. પ્ર. લા. દ. વિદ્યા મંદિર. Trasers of Jain Bhandar U. P Shah, પ્ર. લા. દ. વિદ્યા મંદિર. Sallekhana is not suside. Early Jainism K. K. Dixit.
વર્ધમાન મહાવીર જીવનદર્શન ચિત્રોમાં આ. યશોદેવસૂરિ. પ્ર. જૈન સાહિત્યમંદિર જૈન સમ્રાટ સંપ્રતિ, લે. ત્રિભુવનદાસ, પ્ર. શશિકાન્ત એન્ડ ક. વડો?
કપૂરમંજરી : રાજશેખર : સંસ્કૃત-હિંદી સાથે ગંગાસાગરરાય. અમરુશતક : અમરક વ્યા. અર્જુનમિશ્ર. ભૈરવપદ્માવતીકલ્પ : મલ્લિષેણસૂરિ સંસ્કૃત વિવરણ અને શુકદેવ ચતુર્વેદી હિન્દી વ્યાખ્યા.
તું વડોદરા.
૧. જુઓ જૈ. સા. ઈ. (પ્ર. ૫૧૨). ૨. એજન (પૃ. ૫૦૩). ૩. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૯૮). ૪. જાઓ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૭) ૫. આ કરણો જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સમયખેત્તસમાસમાં પાઈયમાં પદ્યરૂપે રજૂ કર્યા છે અને એના ઉપર કોઈકે પાઇયમાં ચુષ્ણિ રચી છે અને એ હાલમાં છપાય છે. મેં ઉપર્યુક્ત છ કરણી (formula) અંગ્રેજીમાં ત. સૂ. (દ્વિતીય વિભાગ)ના મારા અંગ્રેજી ઉપોદઘાત (પૃ. ૪૧)માં આપ્યાં છે.
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
P ૨૦૧
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર નિમિત્તશાસ્ત્રની વ્યાપકતા- “નિમિત્ત' એટલે દેશાન્તરિત અને કાલાન્તરિત ભવિષ્યના બનાવને જણાવનારું ચિહ્ન. એ નિમિત્ત પર પ્રકાશ પાડનારું શાસ્ત્ર તે નિમિત્ત-શાસ્ત્ર' (Science of Divination) કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જ્યોતિષનો નિમિત્તમાં અંતર્ભાવ થાય છે. '
વિસસા. (ગા. ૨૧૬૩)માં નિમિત્તનું લક્ષણ વગેરે હકીકત અપાઇ છે. ત્યાં કહ્યું છે કે જેના વડે શુભ અને અશુભ જાણી શકાય તે નિમિત્ત છે. આ નિમિત્તના આઠ પ્રકાર છે અને એથી તો “અષ્ટાંગ નિમિત્તે' એવો પ્રયોગ જોવાય છે. ઉપા. મેઘવિજયે હસ્તસંજીવનની સ્વોપજ્ઞ વિવૃતિમાં નીચે મુજબના આઠ નિમિત્તોનો ઉલ્લેખ કરી એની આછી રૂપરેખા આલેખી છે. અને એ નિમિત્તોનો બોધ કરાવનાર સાહિત્યનો નિર્દેશ કર્યો છે અને પહેલાં સાત નિમિત્તોને લગતા જ્ઞાનનો વર્તમાનમાં (પોતાના સમયમાં) હ્રાસ થયો છે એમ કહ્યું છે. :
(૧) અંગ, (૨) સ્વપ્ન, (૩) સ્વર, (૪) ભૌમ, (૫) વ્યંજન, (૬) લક્ષણ, (૭) ઉત્પાત અને (૮) અંતરિક્ષ. P ૨૦૨ અન્યત્ર ઉત્પાતને બદલે દિવ્ય'નો ઉલ્લેખ જોવાય છે. એને લક્ષ્યમાં રાખી હું આઠ નિમિત્તો
ગણાવું છું અને સાથે સાથે એનો સંક્ષેપમાં અર્થ સૂચવું છું - (૧) ભૌમ- ધરતીકંપ વગેરે પૃથ્વી સંબંધી. (૨) સ્વપ્ન- નિદ્રામાં ભાસતો દેખાવ, સમણું, (૩) અંતરિક્ષ- આકાશમાં ફરતા ગ્રહોનાં અન્ય રાશિમાં ગમન, ઉદય, અસ્ત વગેરે. (૪) દિવ્ય- ઉલ્કાપાત, ગંધર્વનગર વગેરેનું દર્શન. (૫) આંગ- શારીરિક રચના વગેરે. (૬) સ્વર- કોમળ, કઠોર, ગંભીર ઇત્યાદિ સ્વર અથવા કોસબાગમાદિ પ્રતિપાદિત સ્વરવિદ્યા. (૭) લક્ષણ- શ્રીવત્સ વગેરે શારીરિક લક્ષણો. (૮) વ્યંજન- તલ, મસા, વગેરે શારીરિક ચિહ્ન.
કેટલીક વાર નિમિત્તના નીચે મુજબ છ પ્રકાર પણ ગણાવાય છે :
(૧) સુખ, (૨) દુઃખ, (૩) લાભ, (૪) હાનિ, (૫) જીવિત અને (૬) મરણ. ૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૭). ૨. “અષ્ટાંગ નિમિત્ત અથવા ત્રિખંધ જ્યોતિશાસ્ત્ર એ એક જ વિદ્યાના બોધક શબ્દો છે.” એમ “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો”ના આમુખ (પૃ. ૪૭)માં કહ્યું છે. અહીં એવો પણ ઉલ્લેખ છે કે ત્રિસ્કંધમાં પહેલો સ્કંધ ગણિતનો
છે અને એને જ્યોતિષની પરિભાષામાં ‘સિદ્ધાંત' કહે છે. ૩. એમણેનારદકૃતઅંગવિદ્યાનો અને મહેશ્વરકૃતસ્વરોદયનો (આને જ કેટલાકશિવસ્વરોદય કહે છે) ઉલ્લેખ કર્યો છે. ૪. સ્વર-શાસ્ત્રને યાને સ્વરોદય-શાસ્ત્રને સામાન્ય જનતા “સરોદો' કહે છે.
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૦૧-૨૦૪]
૧૨૩
પ્રશ્નપ્રકાશ (લ. વિ. સં. ૧૭૫)- પ્ર. ચ. (શંગ ૫, શ્લો. ૩૪૭) પ્રમાણે આના કર્તા પાદલિપ્તસૂરિ છે. આગમોની ચણિઓ જોતાં એમ જણાય છે કે એમણે કાલજ્ઞાન નામનો ગ્રંથ રચ્યો હતો. “હાનુનને''થી શરૂ થતો વીરચય (વીર-સ્તવ) એમણે રચ્યો છે અને એમાં સુવર્ણસિદ્ધિ અને 2 ર૦૩ વ્યોમસિદ્ધિની (એટલે કે આકાશગામિની વિદ્યાની) હકીકત ગુપ્ત રીતે આપી છે. એમની સુપ્રસિદ્ધ અને કૌતુકપ્રિય કૃતિ તે તરંગવાઈ છે. અણુઓગદાર વગેરેમાં એ નોંધાયેલી છે. એમાં ભારોભાર દેસિય (દેશ્ય) શબ્દો હતા. આ સૂરિએ નિર્વાણકલિકા અને જોઇસ-કરંડગની ટીકા રચી છે. જિનપ્રભસૂરિના કથન પ્રમાણે આ પાદલિપ્તસૂરિએ શત્રુજ્ય-કલ્પ અને રેવંતગિરિ-કલ્પ પણ રચ્યા છે. વળી ગાહાસત્તસઈની કેટલીક ગાથા પણ આ સૂરિએ રચી હોય એમ લાગે છે.
આ સૂરિ સંગમસિંહના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય થાય છે અને સ્કંદિલાચાર્યના P ૨૦૪ ગુરુ થાય છે. કમ્પની ચુર્ણિમાં પાદલિપ્તસૂરિને ‘વાચક' કહ્યા છે. હરિભદ્રસૂરિએ આવસ્મયની નિજુત્તિ (ગા. ૯૪૪)ની ટીકા (પત્ર ૪૨૪આ)માં “વૈનયિકી' બુદ્ધિનું ઉદાહરણ આપતાં આ પાદલિપ્તસૂરિનો ઉલ્લેખ કર્યો છે.
પ્ર. ચ. (શંગ ૫, શ્લો. ૫-૭ અને ૨૯) પ્રમાણે પાદલિપ્તસૂરિનો જન્મ અયોધ્યાના રાજા વિજયબ્રહ્મની નગરીમાં વસનારા કુલ્લ શ્રેષ્ઠીની પ્રતિમા નામની સ્ત્રીને પેટે થયો હતો અને એમનું નામ નાગેન્દ્ર પડાયું હતું. આઠ વર્ષની ઉમ્મરે એમણે દીક્ષા લીધી હતી. અને દસ વર્ષની નાની વયમાં એઓ આચાર્ય બન્યા હતા. આ સૂરિ “મથુરા' થઇ પાટલીપુત્ર' ગયા હતા. અંતસમયે “શત્રુંજય' ઉપર ૩૨ દિવસનું અનશન કરી એઓ સ્વર્ગે સિધાવ્યા હતા. એ પૂર્વે એઓ ‘ભરૂચ” આવ્યા હતા. હાલ, પાટલિપુત્રનો રાજા મુરુંડ વગેરે આ સૂરિના સમકાલીન ગણાય છે. ૧. આ ચ. પ્ર. (પૃ. ૨૬૫-૨૬૬)માં “ઘ-પરિશિષ્ટ' તરીકે સંસ્કૃત છાયા સહિત છપાવાયો છે. આની સુવર્ણસિદ્ધિ
પૂરતી વ્યાખ્યા પૂરી પાડતી અને જિનપ્રભસૂરિએ વિ. સ. ૧૭૮૦માં રચેલી વૃત્તિના સંક્ષેપરૂપ અવચૂરિ ચ. પ્ર.ના મારા ગુજરાતી અનુવાદમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે છપાઈ છે. ૨. જુઓ .. ચ. (શ ૫, શ્લો. ૩૦૧-૩૦૩). ૩. આ આગમ (સુ. ૧૩૦, પત્ર ૧૪૯)માં મલયવઈનો ઉલ્લેખ છે. એ કથા પણ પાદલિપ્તસૂરિએ રચી હશે એમ નિર્વાણકલિકાની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭ અ-૧૭ આ)માં એના લેખકે કહ્યું છે.
મે ૧, શ્લો. ૨)ની સ્વપજ્ઞ વૃત્તિ જોતાં પાદલિપ્તસૂરિએ ‘દેશ્ય' શબ્દોનો કોશ રચ્યો હશે એમ લાગે છે. ૫. આ કૃતિ મોહનલાલ ભ. ઝવેરી દ્વારા સંપાદિત થયેલી છે અને એ એમની અંગ્રેજી પ્રસ્તાવના તેમજ પં. રમાપતિ મિશ્રની સંસ્કૃત ભૂમિકા સહિત “મોહનલાલજી જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૫ તરીકે ઈ. સ. ૧૯૨૬માં
પ્રકાશિત થયેલી છે. ૬. જુઓ વિવિધતીર્થકલ્પગત “શત્રુંજય-કલ્પ” (શ્લો. ૧૨૨) અને “રેવતકગિરિકલ્પસંક્ષેપ” (ગ્લો. ૬) ૭. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૪૨-૧૪૬) ૮. એઓ ‘વિદ્યાધર વંશના-ગચ્છના આર્ય નાગહસ્તિસૂરિના ગુરુભાઈ ગણાય છે. ૯. એઓ સિદ્ધસેન દિવાકરના ગુરુ વૃદ્ધવાદીના ગુરુ ગણાય છે.
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
પ્રશ્નપ્રકાશ એ જ્યોતિશાસ્ત્રનો ગ્રંથ છે એમ પ્ર. ચ. ($ ૫, ૧ગ્લો. ૩૪૭)માં કહ્યું છે. પ્રશ્ન ઉપરથી મૂળ ફળ કહેવાની બાબત આ ગ્રંથમાં વર્ણવાઈ હશે એમ એનું નામ જોતાં જણાય છે. હજી સુધી તો આ ગ્રંથ કોઈ સ્થળેથી મળી આવ્યો નથી.
કાલ-જ્ઞાન (લ. વિ સં. ૧૭૫)- આ ઉપર્યુક્ત પાદલિપ્તસૂરિની કૃતિ છે. એ જયોતિષની હશે. એ પણ હજી સુધી તો અપ્રાપ્ય છે.
પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાન એ બે ગ્રંથો કઈ ભાષામાં છે - સંસ્કૃતમાં છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે મારી પાસે કોઈ સાધન નથી એટલે મેં એની અહીં નોંધ લીધી છે. ૨૦૫ ઋષિપુત્રની કૃતિ (ઉ. વિ. સં. ૧000- ‘ઋષિપુત્રએ ગર્ગાચાર્યના પુત્ર કે શિષ્ય કે બંને થતા
હોય એમ લાગે છે. એમણે નિમિત્તશાસ્ત્રને અંગે કૃતિઓ રચી છે. તેમાં એકાદ સંસ્કૃતમાં પણ હશે એમ મનાય છે. કેટલાકને મતે એમનો સમય દેવલની પછી અને વરાહમિહિરની પહેલાંનો છે. ભટ્ટોપલી ટીકામાં ઋષિપુત્રને અંગે ઉલ્લેખ છે એટલે એ શકસંવત્ ૮૮૮થી પહેલાંના છે એ વાત તો નિર્વિવાદ છે.
જ્યોતિજ્ઞનવિધિ- આના કર્તા શ્રીધરાચાર્ય છે અને એમણે ગણિતસાર નામની કૃતિ રચી છે. આની “કન્નડ લિપિમાં લખાયેલી નવ પત્રની તાડપત્રીય હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. (પૃ. ૨૪૨)માં છે. આ કૃતિનું મંગલાચરણ નીચે મુજબ અહીં અપાયું છે –
"प्रणिपत्य वर्धमानं स्फुटकेवलदृष्टतत्त्वमीशानम् ।
ज्योतिर्ज्ञानविधानं वक्ष्ये स्वाम्भुवं सम्यक्' આ કૃતિમાં પરિણામન-વિધિના સંકેત મળે છે. વિશેષમાં આ કૃતિમાં ચરકરણ અને સ્થિર કરણની સમજણ અપાઈ છે."
“ભુવનદીપક યાને ગ્રહભાવપ્રકાશ (વિ. સં. ૧૨૨૧ ?૭)- આના કર્તા ‘વાદી’ દેવસૂરિના શિષ્ય પદ્મપ્રભસૂરિ છે. એઓ નાગપુરીય ‘તપા' ગચ્છના સ્થાપક છે. એમણે આ ગ્રંથ વિ. સં. ૧૨૨૧-(?)માં રચ્યો છે. એમાં એમણે કયો ગ્રહ ક્યારે કેવો ભાવ ભજવે એ હકીકત દર્શાવી છે.
ભુવનદીપક ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :૧. આ શ્લોકમાં સિદ્ધાદેશનો જે ઉલ્લેખ છે તેને કેટલાક ગ્રંથ ગણે છે. ૨. એમના પરિચયાર્થે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૯). ૩. જુઓ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨). ૪. પ્રતિભાગણિતમાં ગ્રહનાં વૃત્તોના પરિણામનું નિરૂપણ છે. પ. આને લગતાં સં. પદ્યો છે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૧)માં છે. ૬. હિંદી અનુવાદ સહિત જે ભુવનદીપક “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત થયેલ છે તે આ જ છે ? ૭. આમ પ્રશ્નાર્થક ઉલ્લેખ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૭૯)માં છે જ્યારે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૯૭)માં
પ્રશ્નચિહ્નવિનાનો ઉલ્લેખ છે. ૮. વિ. સં. ૧૨૯૪માં મુનિસુવ્રતચરિત્ર રચનારાનું નામ પણ પદ્મપ્રભસૂરિ છે. ૯. જુઓ ‘નાગોરી તપા' ગચ્છની પટ્ટાવલી.
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૦૪-૨૦૭]
૧૨૫
(૧) ભાવબોધિકા આના રચનાર દૈવજ્ઞ શિરોમણિ છે. (૨) વૃત્તિ- આ વૃત્તિ સિંહતિલકસૂરિએ વિ. સં. ૧૩૨૬માં ૧૭૦૦ શ્લોક જેવડી રચી છે. એ સૂરિ
યશોદેવસૂરિના શિષ્ય વિબુધચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે વર્ધમાન-વિદ્યાકલ્પ તેમજ શ્રીપતિકૃત P ૨૦૬ ગણિતતિલક ઉપર વૃત્તિ તેમજ મંત્રરાજ-રહસ્ય નામનો ગ્રંથ (વિ. સં. ૧૩૩૨)માં રચ્યાં છે અને
એના ઉપર લીલાવતી નામની વૃત્તિ રચી છે. (૩) અવચૂરિ–લક્ષ્મીસાગરસૂરિએ આ અવસૂરિ વિ. સં. ૧૫૨૧માં રચી છે. (૪) વૃત્તિ- આના કર્તા હેમતિલક છે. ' (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.'
આરંભસિદ્ધિ યાને વ્યવહારચર્યા (લ. વિ. સં. ૧૨૮૦)- આ ૪૧૩ પદ્યોની કૃતિના પ્રણેતા ઉદયપ્રભસૂરિ છે. એઓ વસ્તુપાલના ગુરુ વિજયસેનસૂરિના અને શકસંવત્ ૧૨૧૪માં સ્યાદ્વાદમંજરી રચનારા મલ્લિષણના તેમજ વસ્તુપાલના પુત્ર જયંતસિંહ માટે વિ. સં. ૧૨૯૦માં પ્રબંધાવલી રચનારા જિનભદ્રના ગુરુ થાય છે. એમણે ધર્માલ્યુદય અને નેમિનાથ ચરિત્ર તેમજ સુકૃતકીર્તિકલ્લોલિની નામનું પ્રશસ્તિ-કાવ્ય રચ્યાં છે. વળી એમણે ધર્મદાસગણિકૃત કવિએસમાલા ઉપર ઉપદેશમાલાકર્ણિકા નામની રે ૨૦૭ ટીકા ધોળકામાં વિ. સં. ૧૨૯૯માં રચી છે. આ ઉપરાંત એમણે છાસીઈ અને કમ્મસ્થય એ બે કર્મગ્રંથો ઉપર ટિપ્પણ રચ્યાં છે. ગિરનાર' ઉપરના વસ્તુપાલના પ્રશસ્તિ-લેખો પૈકી વિ સં. ૧૨૮૮નો એક લેખ એ પણ એમની કૃતિ છે.
આ આરંભસિદ્ધિ પાંચ વિમર્શમાં વિભક્ત છે. આ પદ્યાત્મક કૃતિ નીચે મુજબનાં ૧૧ દ્વાર ઉપર પ્રકાશ પાડે છે :૧. ‘ખરતર' ગચ્છના ઉપા. દાનસાગરના શિષ્ય વાચક રત્નધીરે ભુવનદીપક ઉપર વિ. સં. ૧૮૦૫માં બાલાવબોધ
રચ્યો છે. ૨. આ કૃતિ સુધી શૃંગાર નામના વાર્તિક, મૂળ કૃતિગત પદ્યોની અકારાદિ ક્રમે સૂચી તેમજ વાર્તિકમાં નિર્દેશાયેલા
ગ્રંથો અને ગ્રંથકારોની સૂચી સહિત “લ. જૈ. ગ્રં.”માં છાણીથી ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે. આ પ્રકાશન માટે શ્રી. પુરુષોત્તમદાસ ગીગુભાઈ તરફથી ભાવનગરથી ઈ. સ. ૧૯૧૬માં સુધી શૃંગાર સહિત છપાયેલી આવૃત્તિનો ઉપયોગ કરાયો છે. [ગુર્જર અનુવાદ સાથે આ. સિ. નું પુનઃ પ્રકાશન આ લબ્ધિસૂરિજીના પ્રયાસથી થયું છે. વિ.સં. ૨૦૧૩માં આ. સિ. વાર્તિક સાથે ખાંતીલાલે ભવનગરથી પ્રગટ કરી છે.] ૩. આ વિ. સં. ૧૨૭૭ના અરસામાં રચાયેલા કાવ્યમાં અણહિલપુર પાટણના નૃપતિઓને લગતી ઐતિહાસિક બાબતો આપી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કૃત્યોની પ્રશંસા કરાઈ છે. વસ્તુપાલે “શત્રુંજય” ઉપર બંધાવેલા ઇન્દ્રમંડપમાં આ કાવ્ય કોતરાવાયું હતું. પાટણમાં આ મંત્રીશ્વરના પ્રાસાદના અવશેષરૂપ મનાતા આરસના એક થાંભલા ઉપર આ કાવ્યનું એક પદ્ય કોતરાયેલું મળી આવ્યું છે. ૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૭ અને ૨૩૭). ૫. ‘ધોળકા યુનિવર્સિટિ' તરીકે હાંસીપાત્ર ગણાતા આ ધોળકામાં વિદ્યાપીઠ હતી અને એ વસ્તુપાલની છાયા નીચે
મહત્ત્વનું વિદ્યાધામ બની હતી. ૬. પાંચ વિમર્શમાં અનુક્રમે ૪, ૨, ૧, ૨ અને ૨ દ્વાર છે, અને ૮૪, ૭૩, ૮૨, ૮૮ અને ૮૬ પદ્યો છે.
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
(૧) તિથિ, (૨) વાર, (૩) નક્ષત્ર, (૪) (સિદ્ધિ વગેરે) યોગ, (૫) રાશિ, (૬) ગોચર, (૭) (વિદ્યારંભ વગેરે) કાર્ય, (૮) ગમ (યાત્રા), (૯) (ઘર વગેરેનું) વાસ્તુ, (૧૦) વિલગ્ન અને (૧૧) મિશ્ર.
મતભેદ– વારોની માન્યતામાં, નક્ષત્રોમાંના તારાઓની સંખ્યામાં તેમજ યાત્રાદિના પ્રસંગે જોવાનાં દિગ્ગારક નક્ષત્રોમાં એમ કેટલીક બાબતોમાં આ કૃતિ સૂરપણત્તિ અને દિનશુદ્ધિથી ભિન્ન મત દર્શાવે છે.
સુધીશંગાર- આ આરંભસિદ્ધિનું સંસ્કૃતમાં રચાયેલું વાર્તિક છે. એની રચના રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ વિ.સં. ૧૫૧૪માં “આશાપલ્લી'માં કરી છે. એમાં એમણે અનેક ગ્રંથોનો ઉપયોગ
કર્યો છે. - ૨૦૮ 'જ્યોતિઃસાર યાને નારચન્દ્ર-જ્યોતિસાર (લ. વિ. સં. ૧૨૮૦)- આ ૨૫૭ પદ્યોની કૃતિના
કર્તા પ્રાકૃતિદીપિકા રચનારા નરચન્દ્રસૂરિ છે. એઓ “માલધારી’ ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમણે ચતુર્વિશતિ-જિનસ્તોત્ર રચ્યું છે. વળી એમણે અનર્થરાઘવ ઉપર તેમજ ન્યાયકંદલી ઉપર ટિપ્પણ રચ્યાં છે. આ ઉપરાંત એમણે પોતાના ગુરુએ રચેલા પાંડવચરિત્રનું અને ઉદયપ્રભસૂરિએ રચેલા ધર્માલ્યુદય કાવ્યનું સંશોધન કર્યું છે. એમના સંતાનીય રાજશેખરસૂરિએ ન્યાયકંદલીની પંજિકામાં ઉપર્યુક્ત બે ટિપ્પણ તેમજ જ્યોતિસાર (પ્રસ્તુત કૃતિ) અને પ્રાકૃતદીપિકા એમ ચાર કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ નરચન્દ્રસૂરિએ વસ્તુપાલની પ્રશસ્તિરૂપે વિ. સં. ૧૨૮૮માં રચેલા પદ્યો ગિરનાર ઉપરના શિલાલેખમાં મોજુદ છે. આ સૂરિના આદેશથી ગુણવલ્લભે વિ. સં. ૧૨૭૧માં વ્યાકરણચતુષ્કાવચૂરિ રચી હતી.
ટિપ્પણ-જ્યોતિષની ઉપર્યુક્ત કૃતિ ઉપર સાગરચન્દ્ર ૧૩૩૫ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે.
રૈલોક્યપ્રકાશ, મૈલોક્યદીપક, નવ્યતાજિક, ભુવનદીપક યાને મેઘમાલા (વિ. સં. ૧૩૦૫) – જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૬૫) પ્રમાણે આ નામાંતરો છે. આ ગ્રંથના કર્તા દેવેન્દ્રસૂરિના શિષ્ય
હેમપ્રભસૂરિ છે. એમણે આ ૧૨૫૦ શ્લોક જેવી કૃતિ વિ. સં. ૧૩૦૫માં રચી છે. P ૨૦૯ જન્મસમુદ્ર યાને જન્મભોધિ (વિ. સં. ૧૩૨૩)- આના કર્તા ઉપા. નરચન્દ્ર છે. એ ‘કાસદ્રહ’ ગચ્છના ઉદ્યોતનસૂરિના શિષ્ય સિંહસૂરિના શિષ્ય થાય છે.
બેડા-જન્મસમુદ્રના ઉપર કર્તાએ જાતે વૃત્તિ રચી છે. એને ‘બેડા' વૃત્તિ કહે છે.
પ્રશ્રશતક (વિ. સં. ૧૩૨૪)- આ કૃતિ પણ ઉપર્યુક્ત ઉપા. નરચન્દ્ર રચી છે અને એને એમણે સ્વોપજ્ઞ અવચૂર્ણિથી અલંકૃત કરી છે. ૧. આ કતિ પં. ક્ષમાવિજયગણિ દ્વારા ઈ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ નામની બીજી પણ બે કૃતિઓ છે. જુઓ પૃ. ૨૦૯. ૩. આ કૃતિ ભીમસી માણેકે પ્રસિદ્ધ કરી છે. અન્ય સ્થળેથી પણ એ પ્રકાશિત કરાઈ છે. ૪. આ નામની હેમપ્રભસૂરિની વિશ્વરચના સંબંધીની કૃતિ છે. એનું સંપાદન શ્રી. રામસરૂપ શર્માએ કયુ છે અને
ડૉ. બનારસીદાસે એ કૃતિના વિષય ઉપર પ્રકાશ પાડનારી અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે. જુઓ The Jaina Antiquary (Vol. XVII, No. 2)માં છપાયેલું ડૉ. એ. એમ. ઘાટગેનું ભાષણ. ૫. જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૧૩)માં રચના-સમય તરીકે ‘ત્રિનયના ઘોષેત્ર'નો ઉલ્લેખ છે અને એનો અર્થ ૧૩૨૩
હોય એમ લાગે છે.
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૦૭-૨૧૧]
૧૨૭
જ્યોતિસાર (લ. વિ. સં. ૧૩૭૦)- આના કર્તા જૈન ગૃહસ્થ ઠક્કર ફરુ છે." એમણે વિ. સં. ૧૩૭રમાં વસ્યુસાર-પયરણ રચ્યું છે. વળી એમણે દવ્ય-પરિખા (દ્રવ્ય-પરીક્ષા) અને રત્ન-પરીક્ષા નામની એકેક કૃતિ પણ રચી છે અને એને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે.
સ્વોપણ વૃત્તિ- જ્યોતિસાર ઉપર પણ સ્વીપજ્ઞ વૃત્તિ છે. એ મૂળ કૃતિ સંસ્કૃતમાં છે કે પાઇયમાં તે જાણવું બાકી રહે છે. વૃત્તિ તો સંસ્કૃતમાં જ હશે.
જ્યોતિસાર, જ્યોતિષસારસંગ્રહ યાને જ્યોતિષસારોદ્ધાર (લ. વિ. સં. ૧૬૬૦)- ચન્દ્રકીર્તિસૂરિ વિ. સં. ૧૬૩૦)ના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ આ કૃતિ રચી છે. એ ત્રણ પ્રકરણોમાં વિભક્ત છે. આ કૃતિને
જ્યોતિષસારસંગ્રહ તેમજ જ્યોતિષસારોદ્વાર પણ કહે છે. હર્ષકીર્તિસૂરિએ પૃ. ૧૨૦માં ગણાવેલી ? ૨૧૦ કૃતિઓ ઉપરાંત ભક્તામર સ્તોત્ર અને લઘુશાન્તિસ્તોત્ર ઉપર તેમજ નિમ્નલિખિત પાઠય કૃતિઓ ઉપર પણ સંસ્કૃતમાં ટીકા રચી છે –
અજિતસંતિય, ઉવસગ્ગહરથોત્ત અને નવકારમંત.
જન્મપત્રિીપદ્ધતિ- આ નામની ચાર કૃતિઓ છે : (૧) હર્ષકીર્તિસૂરિકૃત, (૨) કલ્યાણનિધાનના શિષ્ય લબ્ધિચન્દ્રમણિએ વિ. સં. ૧૭૫૧માં રચેલી, (૩) મહિમોદયકૃત અને (૪) અજ્ઞાતકર્તક. આ ચાનો વિષય જન્મોત્રીને લગતો છે.
માનસાગરી-પદ્ધતિ" (ઉ. વિક્રમની ૧૮મી સદી)- આ કૃતિનું નામ વિચારતાં એના કર્તાનું નામ માનસાગર હશે એમ લાગે છે. જો એમજ હોય તો પણ એ જાણવું બાકી રહે છે કે શું તેઓ બુદ્ધિસાગર શિષ્ય માનસાગર છે કે જીતસાગરના શિષ્ય માનસાગર છે કે અન્ય જ કોઈ છે ? આ પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ છે કે ખેમરાજ દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં પ્રારંભમાં કે અંતમાં ગ્રન્થકારના પરિચયરૂપ લખાણ નથી અને મારી સામે કોઈ વિશિષ્ટ સાધન નથી. આ પદ્યાત્મક કૃતિનો વિષય ફલાદેશ છે. એના પ્રારંભમાં આદિનાથ, પુંડરીક ગણધર, કૃષ્ણ અને પાર્શ્વનાથની તેમજ નવ ગ્રહોની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ જન્મપત્રી બનાવવાની રીત દર્શાવાઈ છે, સંવત્સરનાં ૬૦ નામો, સંવત્સરો, યુગો, ઋતુ, માસ, પક્ષ, તિથિ, વાર અને જન્મલગ્નરાશિ ઇત્યાદિનાં ફળ, કરણ, દશા, અંતરદશા તથા ઉપદશાનાં વર્ષમાન, ગ્રહના ભાવ, યોગ, અપયોગ વગેરે બાબતો વિચારાઈ છે. પ્રસંગોપાત્ત જાતજાતની ગણનાની ? ૨૧૧ રીત રજૂ કરાઈ છે. કોઈ કોઈ સ્થળે (દા. ત. પત્ર ૩૪ અને ૧૮આમાં) હિન્દીમાં લખાણ છે. ૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૩૧). ૨. આ નામની બીજી પણ બે કૃતિ છે. જુઓ પૃ. ૨૦૮ અને ૨૦૯. 3. એમના પરિચય માટે જુઓ પૃ. ૧૨૦, ૨૦૯ અને ૨૧૦. ૪. આ કૃતિ ખેમરાજ કૃષ્ણદાસે વેંકટેશ્વર મુદ્રણાલયમાં ૧૦૩ પત્રમાં મોટાં બીબાંમાં છપાવી મુંબઈથી વિ. સં. ૧૯૬૧માં પ્રસિદ્ધ કરી છે. પત્ર ૬૪૪-૬૪આમાં નવ ગ્રહનાં તેમજ ગજચક્ર, યમદ્રષ્ટાચક્ર વગેરેનાં ચિત્ર
અપાયાં છે. વળી દશા વગેરેને લગતાં કેટલાંક કોષ્ટકો પણ રજૂ કરાયાં છે. ૫. આની વિ. સં. ૧૮૧૩માં લખાયેલી એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદપુસ્તકાલયમાં છે.
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
સામુદ્રિક શાસ્ત્ર "સામુદ્રિક-તિલક (વિ. સં. ૧૨૧૬)- આના કર્તા જૈન ગૃહસ્થ જગદેવ (જગદેવ) છે અને એમણે સ્વપ્નશાસ્ત્ર પણ રચ્યું છે. એઓ ‘પરમહંત' કુમારપાલના મહત્તમ (મંત્રી) દુર્લભરાજના પુત્ર થાય છે. એ “પ્રાગ્વાટ' વંશના દુર્લભરાજ ગજપ્રબંધ ગજપરીક્ષા યાને હસ્તિપરીક્ષા, તુરંગ-પ્રબંધ, પુરુષ-સ્ત્રી-લક્ષણ તેમજ શકુન- (નિ ?)શાસ્ત્ર રચ્યાનું મનાય છે પણ એ અપ્રાપ્ય હોય એમ લાગે છે. શું
પુરુષ-સ્ત્રી-લક્ષણ વ્યવસ્થિત સ્વરૂપે પદ્યમાં રચાયું નહિ હશે કે જેથી તેમના પુત્રે એ સમર્થિત કર્યું? P ૨૧૨ સામુદ્રિક-તિલક એ પુરુષ અને સ્ત્રીનાં લક્ષણોને રજૂ કરતી ૮00 આર્યામાં રચાયેલી કૃતિ છે.
એ પાંચ અધિકારોમાં વિભક્ત કરાયેલી છે. એમાં અનુક્રમે ૨૯૮, ૯૯, ૪૬, ૧૮૮ અને ૧૪૯ પદ્યો છે. પ્રારંભમાં ઋષભદેવ અને બ્રાહ્મીની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ સામુદ્રિક શાસ્ત્રની ઉત્પત્તિ સમુદ્રથી થઈ એમ કહી એની થોડીક રચના નારદે, લલ્લે, વરાહ (વરાહમિહિરે) માંડવ્યું અને કાર્તિકસ્વામીએ કરી એવો નિર્દેશ કરાયો છે.
પ્રથમ અધિકારમાં પગના તળિયાથી માંડીને માથાના વાળ સુધીનું વર્ણન છે અને સાથે સાથે એનું ફળ દર્શાવાયું છે. જેમકે અમુક પ્રકારનું પગનું તળિયું હોય તો રાજસંપત્તિ મળે.
બીજા અધિકારમાં ક્ષેત્રના સંહતિ, સાર વગેરે આઠ પ્રકારનું તેમજ પુરુષનાં ૩૨ લક્ષણોનું નિરૂપણ છે.
ત્રીજા અધિકારમાં આવર્ત (ભમરી), ગતિ (ચાલ), છાયા (કાંતિ), સ્વર (અવાજ) ઇત્યાદિ વિષે વિચાર કરાયો છે.
૧. આ તેમજ હસ્તસંજીવન, સામુદ્રિક શાસ્ત્ર, હસ્તકાંડ અને (પાઇયમાં) અર્ધચૂડામણિસાર એમ પાંચ ગ્રંથો
ગુજરાતી અનુવાદ સહિત જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો એ નામથી શ્રી સારાભાઈ મણિલાલ નવાબે ઇ.સ. ૧૯૪૭માં પ્રસિદ્ધ કર્યા છે. એમાં વિસ્તૃત વિષયસૂચી અપાઈ છે. આ પૂર્વે સામુદ્રિકતિલક (?) હિંદી ભાષાંતર સહિત “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી અને એ કૃતિ મરાઠી અનુવાદ સહિત શ્રી. રઘુનાથ શાસ્ત્રી પટવર્ધન તરફથી છપાવાઈ હતી. ૨. એઓ ભીમદેવ નૃપતિના અમાત્ય વાહિલ્લના (જૈ. સા. સં. ઇ.ના પૃ. ૨૭૭ પ્રમાણે તો જાહિલના) પુત્ર રાજપાલના પૌત્ર અને નૃસિંહના પુત્ર થાય છે. આ દુર્લભરાજે પુરુષ-સ્ત્રી-લક્ષણ નામનો જે ગ્રંથ રચ્યો તેને એમના પુત્ર જગદેવે સમર્થિત કર્યો (? પદ્યમાં ઉતાર્યો) આ પદ્યાત્મક કૃતિ તે જ પ્રસ્તુત સામુદ્રિકતિલક હોય એમ એની પ્રશસ્તિ જોતાં જણાય છે. આ અનુમાન સાચું ન હોય તો એમના (જગદેવના) પિતા આ ગ્રંથના પ્રણેતા ગણાય. જૈ. સા. સં. ઇ. (પૃ. ૨૭૭)માં દુર્લભરાજને પ્રસ્તુત કૃતિના પ્રણેતા કહ્યા છે અને પૃ. ૨૭૮માં
આ કૃતિ એમણે વિ. સં. ૧૨૧૬માં રચ્યાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ મુદ્રિત કૃતિમાં તો રચનાવર્ષ નથી. ૩. દિ. જિનસેને શકસંવત્ ૭૦૫માંરચેલા હરિવંશપુરાણના સર્ગ ૨૩ (શ્લો૦ ૫૫-૧૦૭)માં પુરુષનાં લક્ષણો
અને એ સર્ગ (શ્લો. ૮૫-૯૭)માં કરલક્ષણ અને એની સાર્થકતા વિષે નિરૂપણ કર્યું છે.
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : [પ્ર. આ. ૨૧૧-૨૧૪]
૧૨૯
ચોથો અધિકાર સ્ત્રીઓને લગતો છે. એમાં એનાં વિવિધ અવયવાદિનું નિરૂપણ છે.
પાંચમા અધિકારમાં સ્ત્રીનાં વ્યંજન (તલ, મશક યાને મસો, લાંછન ઇત્યાદિ), સ્ત્રીની દેવાદિ બાર પ્રકૃતિ–પદ્મિની વગેરેનાં લક્ષણ ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. અંતમાં દસ પદ્યોની પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિ જગદેવે રચી હોય એમ લાગે છે.
હસ્તસંજીવનમાં આ સામુદ્રિક-તિલકમાંથી અવતરણો અપાયાં છે.
સામુદ્રિક-શાસ્ત્ર - આ અજ્ઞાતકર્તક કૃતિ ત્રણ અધ્યાયમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૪, ૧૨૭ અને ૧૨૧ પદ્યો છે. પ્રારંભમાં આદિનાથને નમસ્કાર કરી પુરુષ અને સ્ત્રીનું સામુદ્રિક કહીશ એવી ? ૨૧૩ પ્રતિજ્ઞા કરાઈ છે. પ્રથમ અધ્યાયમાં ૩૨ લક્ષણો, નેત્ર વગેરેનું વર્ણન અને હાથની રેખા ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે.
બીજા અધ્યાયમાં શરીરનાં અવયવોનાં લક્ષણો અપાયાં છે.
ત્રીજા અધ્યાયમાં સ્ત્રીઓનાં લક્ષણો રજૂ કરાયાં છે. કેવી કન્યા પસંદ કરવી એ વિષયથી શરૂઆત કરાઈ છે અને અંતમાં પદ્મિની વગેરેનું સ્વરૂપ આલેખાયું છે.
વાયડ' ગચ્છના જિનદત્તસૂરિએ રચેલા વિવેકવિલાસમાંના કેટલાક શ્લોકો આ સામુદ્રિકશાસ્ત્રમાંના શ્લોકો સાથે સામ્ય ધરાવે છે. આથી એકે બીજામાંથી એ ઉદ્ધત કર્યા હશે અથવા તો બંનેએ કોઈ અન્ય ગ્રંથમાંથી એ લીધા હશે એમ ફલિત થાય છે.
પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૮૧ ને ૧૭૧)માં જે જૈન સામુદ્રિકશાસ્ત્રનો ઉલ્લેખ છે તે આ પ્રસ્તુત કૃતિ છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે.
હસ્તકાંડ- આના કર્તા શ્રીચન્દ્રસૂરિ કે ચન્દ્રસૂરિના શિષ્ય પાર્થચન્દ્ર છે. આ સો પદ્યની કૃતિના પ્રારંભમાં વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સર્વશે કહેલું અને પોતે અનુભવેલું એવું જ્ઞાન રજૂ કરવાની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. ત્યાર પછી ‘ઉત્તર અને અધર' સંબંધી પરિભાષાની સમજણ અપાઈ છે. ત્યાર બાદ લાભ અને હાનિ, સુખ અને દુઃખ, જીવિત અને મરણ, જય અને પરાજય, ભૂભંગ (જમીન અને છત્રનું પતન), મનોગત વિચારો, વર્ણનો ધર્મ, સંન્યાસી વગેરેનો ધર્મ, દિશા, દિવસ વગેરેનો કાલનિર્ણય, અર્ધકાંડ, ગર્ભમાં રહેલા અપત્યનો નિર્ણય, ગમનાગમન, વૃષ્ટિ અને શલ્યોદ્ધાર એ બાબતોને લગતા પ્રશ્નો P ૨૧૪ વિચારાયા છે. આના સંતુલન માટે અર્ધચૂડામણિસાર તેમજ ચન્દ્રોનીલન જોવાં ઘટે.
૧. આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત છે. ૨. ગુણચન્દ્રમણિએ (દેવભદ્રસૂરિએ) વિ. સં. ૧૧૩૯માં રચેલા મહાકાવ્ય મહાવીર-ચરિયમાં જે સમુદ્ર-સત્યનો
ઉલ્લેખ છે તે જ શું આ કૃતિ છે ? ૩. આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા મુદ્રિત છે. ૪. ૯૦મું અને ૯૧મું પદ્ય પાઇયમાં છે. એનો અનુવાદ અપાયો નથી પણ એ ચોરને લગતો વિચાર
રજૂ કરે છે એમ કહ્યું છે, પરંતુ પ્રારંભમાં જે વિષયો ગણાવાયા છે તેમાં તો આ વિષય જણાતો નથી. ૫. ચીજ મોંઘી (મહાઈક) થશે કે સસ્તી (સ્વર્ધક) એ બાબત એટલે તેજી કે મંદી થશે એ વાત અહીં વિચારાઈ છે.
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૩)
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
હસ્ત-સંજીવનયાને સિદ્ધજ્ઞાન (લ. વિ. સં. ૧૭૩૫)- આના કર્તા ચંદ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપા. મેઘવિજય છે. આ કૃતિમાં ૫૧૯ પદ્યો છે અને એનો ગ્રંથાગ્ર પ૨૫ શ્લોકનો છે. અષ્ટાંગ નિમિત્તને ઘટાવવાના ઉદેશથી રચાયેલો આ સમગ્ર ગ્રંથ ચાર અધિકારમાં વિભક્ત કરાયો છે. એનાં દર્શન, સ્પર્શન રેખા-વિમર્શન અને વિશેષ એમ અનુક્રમે નામ છે અને એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૧૭૭, ૫૪, ૨૪૧ અને ૪૭ છે. આમ ત્રીજો અધિકાર સૌથી મોટો છે.
શંખેશ્વર' પાશ્વનાથ, ઋષભદેવ અને વર્ધમાનસ્વામીને નમસ્કાર કરી પ્રથમ અધિકારનો પ્રારંભ P ૨૧૫ શાસ્ત્ર-પીઠિકા (શ્લો. ૧-૧૯)થી કરાયો છે. એમાં હાથની પ્રશંસા કરાઈ છે. ગ્લો. તેમાં હસ્તજ્ઞાન-દર્શન,
સ્પર્શન અને રેખા-વિમર્શન એમ ત્રણ પ્રકારો છે એમ કહ્યું છે. ગ્લો. ૧૯માં હાથનો બ્રહ્માએ બનાવેલી અક્ષય જન્મપત્રી (જન્મોત્રી) તરીકે ઉલ્લેખ છે.
હાથમાં ૩ તીર્થ, ૨૪ તીર્થકરો વગેરે રહેલા છે એ રીતે એનું ધ્યાન ધરવાની હકીકત અપાઈ છે. ત્યાર બાદ હાથ તેમજ એનાં પાંચ આંગળાં વગેરેનાં નામ અપાયાં છે. આના પછી ગુરુને હાથ દેખાડવાનો વિધિ અને પ્રસંગવશાત્ ગુરુનાં લક્ષણ એ બાબત આલેખાઈ છે. ત્યાર બાદ તિથિ, વાર વગેરેને લગતાં એકંદર ૧૭ ચક્રોની સમજણ અપાઈ છે. અંતમાં હાથના વર્ણાદિનો વિચાર કરાયો છે. આ અધિકારના અંતમાં સામુદ્રિક-ભૂષણમાંથી પદ્ય ઉદ્ઘત કરાયાં છે.'
“સ્પર્શન’ નામના બીજા અધિકારમાં હાથમાં આઠ નિમિત્તો કેવી રીતે ઘટે તે સમજાવાયું છે." એમ કરતી વેળા પુસ્તક શકુન યાને શકુન-શલાકા તેમજ પાશક-કેવલી યાને પાસાકેવલીનો પણ વિચાર કરાયો છે. શ્લો. ૪૬માં ચૂડામણિનો ઉલ્લેખ છે.
ત્રીજા અધિકારમાં જાતજાતની રેખાઓનું વર્ણન છે.
ચોથામાં રેખાની વિશ્વા (વસા)–લંબાઈ, નખનાં અને આવર્તનાં લક્ષણો, સ્ત્રીઓની રેખા સંબંધી વિશેષ વક્તવ્ય, અને પુરુષના ડાબા હાથનું વર્ણન એ બાબતો રજૂ કરાઈ છે. ૧. આ કૃતિ “મોહનલાલજી જૈન ગ્રંથમાલા”માં છપાઈ છે. “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો” નામના સંસ્કરણમાં એ
ગુજરાતી અનુવાદ સહિત છપાઇ છે (જુઓ પૃ. ૨૧૧) અને એમાં ચિત્રો, ચક્રો અને કોષ્ટકો અપાયાં છે. ૨. હાથ દ્વારા અષ્ટાંગ નિમિત્તને સંજીવન આપનારી આ કૃતિ હોવાથી એનું આ નામ સાર્થક ઠરે છે. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૬૧)માં તો આને હસ્તસંજીવનનો એક ભાગ કહ્યો છે. કોઈ કોઈ હસ્તસંજીવનને હસ્તસંજીવની કહે છે. પૃ. ૫૪માં નીચે મુજબની પુષ્મિકા છે :
"इति श्रीहस्तसञ्जीवने सिद्धज्ञाने प्रथमे दर्शनाधिकारे शास्त्रपीठिका" ૪. આમુખમાં (પૃ. ૭, ૧૦ ઈ.)માં એ વાત ઉપર ભાર મૂકાયો છે કે આ હસ્તસંજીવનમાં નષ્ટ-જાતક-પદ્ધતિ નથી. પ. જુઓ આમુખ (પૃ. ૨). શું ગ્લો. ૯૭થી ૧૦૪ સામુદ્રિક-ભૂષણમાંના છે? જો એમ હોય તો એ માટે પ્રમાણ રજૂ
થવું ઘટે. આ સંબંધમાં સ્વોપજ્ઞ વિવૃતિ તપાસવી ઘટે. ૬. જુઓ શ્લો. પ૨. ૭. વસંતરાજે, રાજમૃગાંકે (શકસંવત્ ૯૬૪) અને નરપતિએ આનો ઉલ્લેખ કર્યો છે. વિશેષ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૭૧-૧૭૨).
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૧૪-૨૧૭]
૧૩૧
રચના-સમય-સામુદ્રિક-લહરી નામની સ્વોપજ્ઞ વિવૃતિમાં વિ.સં. ૧૭૩૭ની સાલનું ઉદાહરણ P ૨૧૬ છે. એ ઉપરથી મૂળ કૃતિ આ વર્ષની આસપાસમાં રચાયાનું મનાય છે.
સ્વપજ્ઞ ટિપ્પણ અને સામુદ્રિક-લહરી- મૂળ કૃતિને અંગે ગ્રંથકારે ટિપ્પણ રચ્યું છે અને એ બંનેના વિશદીકરણ માટે જીવરામ કવિના આગ્રહથી સામુદ્રિક-લહરી નામની ૩૮૦૦ શ્લોક જેવડી ‘વિવૃતિ રચી છે. આ વિવૃતિમાં સામુદ્રિક-ભૂષણ અને શૈવ-સામુદ્રિક એ બે કૃતિઓનો પરિચય અપાયો છે. વિશેષમાં આ વિવૃતિમાં ૪૩ ગ્રંથોની સાક્ષી અપાઈ છે અને હસ્ત-બિંબ, હસ્તચિહ્ન-સૂત્ર, કરરેહાપયરણ (કરરેખા-પ્રકરણ), વિવેકવિલાસ વગેરેનો ઉપયોગ કરાયો છે.
લોકકલ્પ (ઉં. ઇ. સ. પૂર્વે ૩00)- આના કર્તા શ્રુતકેવલી ‘સમન્તભદ્ર છે અને એમણે પોતાની ઇચ્છાથી આ શાસ્ત્ર વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ધત કર્યું હતું એમ જિનદત્તસૂરિએ શકુનરહસ્યની પ્રશસ્તિમાં કહ્યું છે. એ લોકકલ્પ હજી સુધી તો અપ્રાપ્ય છે. એટલે એની રચના સંસ્કૃતમાં કરાઈ હશે કે કેમ તે જાવણું બાકી રહે છે. બાકી એના આધારે શકુનરહસ્ય રચાયું છે એટલે એ લોકકલ્પમાં શુકનનો તો અધિકાર હોવો જોઈએ એમ બેધડક કહી શકાય.
શકુન-શાસ્ત્ર શુકન અને અપશુકનની માન્યતા જગજૂની જણાય છે. તેમ છતાં વિક્રમની તેરમી સદી સુધી કોઈ જૈન ગ્રંથકારે આ વિષયની સ્વતંત્ર ગણનાપાત્ર કૃતિ સંસ્કૃતમાં રચી હોય એમ જણાતું નથી.
નરપતિજયચર્યા (વિ. સં. ૧૯૧૨૩૨) – આના કર્તા ધારાના આમૃદેવા પુત્ર જૈન ગૃહસ્થ નરપતિ ૨૧૭ છે એમણે અજયપાલના રાજ્યમાં અણહિલપુરમાં વિ. સં. ૧૨૩૨માં આ કૃતિ રચી છે. એમાં એમણે ૧૧સ્વરો ઉપરથી શુકન જોવાની અને ખાસ કરીને તો માંત્રિક યંત્રો વડે યુદ્ધમાં વિજય મેળવવા માટે શુકન જોવાની હકીકત આલેખી છે. આ પ્રમાણે જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૩૫)માં કહ્યું છે. પરંતુ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથોના આમુખ (પૃ. ૩૫-૩૬)માં નરપતિજયચર્યાના ટીકાકાર હરિવંશ કવિનું જે લખાણ રજૂ ૧. આને કેટલાંક ‘ભાષ્ય' કહે છે અને એનું રેખા-શાસ્ત્ર એવું નામ રજૂ કરે છે. જુઓ “સંપાદકીય નિવેદન”
(પૃ. ૧૭). ૨. આની ઈ. સ. ૧૬૮૦થી ૧૭૦૦ના ગાળામાં લખાયેલી એક હાથપોથીના નિર્દેશ માટે જુઓ “જૈ. સિ.
ભા.” (ભા. ૮, પૃ. ૨૫). ૩. જુઓ અ. ૩ ગ્લો. ૧૮૭ની વિવૃતિ. ૪. આમાંથી ત્રણ ચિત્રો મેઘવિજયે ઉદ્ભૂત ક્યાં છે. પ-૬. શું આ બે ગ્રંથો તેમજ સામુદ્રિક-ભૂષણ મળે છે ? 9. ઉલ્લેખ વાસ્તવિક છે એમ માની મેં લોકકલ્પનો સમય દર્શાવ્યો છે. ૮. અભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૩૨-૩૩)માં જે છ શ્રુતકેવલી ગણાવાયા છે તેમાં એમનું નામ નથી. ૯. ‘શકુન’ એ સંસ્કૃત શબ્દ છે. એને ગુજરાતીમાં ‘શુકન તથા “શકન' પણ કહે છે. ૧૦.જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૩૫). ૧૧. આ ઉપરથી કેટલાક પ્રસ્તુત કૃતિને “સ્વરોદય' કહે છે. આ નામની એક કૃતિ યશકીર્તિએ રચી છે તેમજ અન્ય
કોઈએ પણ રચી છે
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કરાયું છે તે આ પ્રસ્તુત કૃતિને અંગેનું જણાય છે અને એમ હોય તો નરપતિ એ નરદેવના પુત્ર છે. અને એમણે આશાપલ્લી (આધુનિક અમદાવાદ)માં પ્રસ્તુત કૃતિ રચી છે. આમુખ (પૃ. ૩૪-૩૫)માં જે અવતરણરૂપે સાત પદ્યો અપાયાં છે તે નરપતિજયચર્યાનાં હોય એમ જણાય છે. એમાં બ્રહ્મ-યામલ વગેરે સાત યામનો ઉલ્લેખ છે અને એ વગેરેનો પ્રસ્તુત કૃતિમાં ઉપયોગ કરાયાનો ઉલ્લેખ છે.
શુકન-રસ્ય (લ. વિ. સં. ૧૨૫૦)-આના કર્તા ‘વાયડ' ગચ્છના જિનદત્તસૂરિ છે. તેઓ અમરચન્દ્રસૂરિના અને અરિસિંહના ગુરુ થાય છે. એમણે વિવેકવિલાસ વિ. સં. ૧૨૭૦ના અરસામાં રચ્યો છે. પ્રસ્તુત કૃતિ પદ્યમાં છે અને એ નવ પ્રસ્તાવમાં વિભક્ત છે.
વિષય- પ્રારંભમાં મંગલાચરણ છે. ત્યાર બાદ સંતાનના જન્મ, લગ્ન અને શયન સંબંધી શુકનો, પ્રભાતે જાગતી વેળાનાં, દાતણ અને સ્નાન કરતી વખતનાં, પરદેશ જતી વેળાનાં અને નગરમાં પ્રવેશ કરતી વેળાનાં શુકનો, વરસાદ સંબંધી પરીક્ષા, વસ્તુના મૂલ્યમાં વધઘટ, ઘર બાંધવા માટેની જમીનની પરીક્ષા, જમીન ખોદતાં નીકળતી વસ્તુઓનાં ફળ, સ્ત્રીને ગર્ભ નહિ રહેવાનાં કારણ, સંતાનોના અપમૃત્યુની ચર્ચા, મોતી, હીરા વગેરે રત્નોના પ્રકાર અનુસાર તેનાં શુભાશુભ ફળ અને ગ્રંથકારની પ્રશસ્તિ એમ વિવિધ બાબતો આલેખાઈ છે.
આધાર- ‘શ્રુતકેવલી” સમન્તભદ્ર રચેલા લોકકલ્પના આધારે આ પ્રસ્તુત કૃતિ યોજાઈ છે એમ પ્રશસ્તિમાં ઉલ્લેખ છે.
શકુનશાસ્ત્ર યાને શાકુનસારોદ્વાર (વિ. સં. ૧૩૩૮) – આના કર્તા માણિજ્યસૂરિ છે. એમણે આ કૃતિ ૧૧ વિભાગોમાં વિભક્ત કરી છે. એમાં ૫૦૭ શ્લોક છે. એની રચના વિ. સં. ૧૩૩૮માં કરાઈ છે. આની વિવિધ હાથપોથીઓ મળે છે.
શકુનશાસ્ત્ર સંબંધી આ ઉપરાંત કેટલીક કૃતિ નીચે મુજબ છે :
શકુનદીપિકા- આ સ્વતંત્ર કૃતિ છે કે કોઈ કૃતિની વૃત્તિ છે તેમજ આના કર્તા જૈન છે કે કેમ એ પ્રશ્નો વિચારવાના રહે છે. P ૨૧૮ શકુનપ્રદીપ– આના કર્તા લાવણ્યશર્મા છે. શું એઓ જૈન છે ?
શકુનવિચાર- પત્તન સૂચી (ભા. ૧, પૃ. ૮)માં આમાંથી અવતરણ અપાયું છે. ૧. આનું ગુજરાતી ભાષાંતર હિરાલાલ વિ. હંસરાજે કર્યું છે અને એ શુકનશાસ્ત્રના નામથી જામનગરથી ઇ.સ.
૧૮૯૯માં એમણે પ્રકાશિત કર્યું છે. ૨. મૂળ સંસ્કૃત કૃતિ પ્રસિદ્ધ થઈ હોય તો તે હજી સુધી મારા જોવામાં આવી નથી. ૩. આ કૃતિ પં. દામોદર ગોવિન્દાચાર્યે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત બાલાભાઈ રાયચંદ અને દેવીદાસ
છગનલાલ એ બે જણે મળીને વિ. સં. ૧૯૫૪માં પ્રસિદ્ધ કરી છે. ૪. આને અંગે મેં મોતીઃ શકનિયાં અને અપશુકનિયા” નામનો લેખ લખ્યો છે. એ હવે પછી પ્રસિદ્ધ થનાર છે. ૫. આના ૬૧ પ્રકારનાં ફળ મેં “હીરો કેવો લેશો ?” એ નામના મારા લેખમાં દર્શાવ્યાં છે. એ લેખ “હિંદ
મિલન મંદિર” (વ. ૮, અં. ૧૧, પૃ. પ૩૦-૫૩૪)માં પ્રસિદ્ધ થયો છે. ૬. આ કૃતિ હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૧૭માં છપાવી છે.
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
તકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૧૭-૨૧૯]
૧૩૩
શકુનસપ્તત્રિશિકા- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. શકુનરત્નાવલિ યાને કથાકોશ- આના કર્તા અભયદેવના શિષ્ય વર્ધમાન છે.
શકુનાવલિ યાને બીજકૌસ્તુભ- આના કર્તા મહર્ષિ ગૌતમ છે. શકુનાવલિ નામની બીજી બે કૃતિ છે. એકના કર્તા હમચન્દ્ર છે અને બીજાના કર્તાનું નામ જાણવામાં નથી.
આમ શકુન-શાસ્ત્ર સંબંધી વિવિધ કૃતિઓ છે. આજકાલ શુકન જોવાની પદ્ધતિ લુપ્તપ્રાય થયેલી જોવાય છે. બાકી એક વેળા એનો ખૂબ પ્રચાર હશે એમ “શનો ઇશ્કનાયક' અને લોકગીતમાંની નિમ્નલિખિત પંક્તિ જેવાં અવતરણો વિચારતાં જણાય છે :
ડાબી તે ભૈરવ રોઈ રહી.” પંખીઓનો પરિચય, એના ભાવાભાવ અને અવાજ વગેરે બાબતો શકુન-શાસ્ત્રમાં વિચારાયેલી જોવાય છે.
સ્વપ્ન-શાસ્ત્ર વસ્વપ્ન-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૨૨૦) – આના કર્તા જૈન ગૃહસ્થ જગદેવ છે. એઓ દુર્લભરાજના પુત્ર થાય છે. એ જગદેવે સામુદ્રિકતિલક રચ્યું છે. એમનું આ સ્વપ્ન-શાસ્ત્ર બે અધ્યાયમાં વિભક્ત છે. P ૨૧૯ આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ એનો વિષય સ્વપ્ન છે. પ્રથમ પ્રકરણમાં શુભ સ્વપ્નો વિષે અને બીજામાં અશુભ સ્વપ્નો વિષે વિચાર કરાયો છે.
સ્વપ્નસપ્તતિકાવૃત્તિ (વિ. સં. ૧૨૮૭)- જ. મ.માં કોઈએ સુમિણસત્તરિયા (સ્વપ્ન-સપ્રતિકા) રચી છે. એના ઉપર ખરતર’ ગચ્છના સર્વદેવસૂરિએ જેસલમેરમાં વિ. સં. ૧૨૮૭માં વૃત્તિ રચી છે. અને એ દ્વારા સ્વપ્નનો વિષય વિશદ બનાવ્યો છે.
સ્વપ્ન-પ્રદીપ યાને પસ્વપ્ન-વિચાર– આના કર્તા વર્ધમાનસૂરિ છે. સ્વપ્નને અંગે અજ્ઞાતકર્તક કૃતિઓ નીચે મુજબ છે :
સ્વપ્ન-ચિન્તામણિ, સ્વપ્ન-લક્ષણ, સ્વપ્ન-સુભાષિત, સ્વપ્નાધિકાર, સ્વપ્નાધ્યાય, સ્વપ્નાવલી અને સ્વપ્નાષ્ટકવિચાર.
૧. એને વિષે જાણવા જેવી બાબતો કઈ કઈ છે તે વિષય મેં “પક્ષીઓના પરિચયની પ્રવેશિકા” નામના મારા લેખમાં ચર્ચો છે. આ લેખ “ગુજરાતી”ના વિ. સં. ૨૦૦૮ના દીપોત્સવી અંકમાં તેમજ “ગુ. મિત્ર તથા ગુ.
દ.”ના તા. ૧૭-૧૧-'-પરના અંકમાં પણ પ્રસિદ્ધ કરાયો છે. ૨. શિયાળની બોલી ઉપરથી ભવિષ્ય ભાખનારા ગામડાંઓમાં જોવાય છે. ૩. શું જગદેવે રચેલી સ્વપ્ન-ચિન્તામણિ નામની કૃતિ તે આ જ છે ? ૪. આને જ કેટલાક સ્વપ્ન-ચિત્તામણિ કહે છે. પ. જિનપાલગણિએ ૮૭૫ શ્લોક જેવડી જે પાઇય કૃતિ રચી છે એનું સંસ્કૃત નામ સ્વપ્ર-વિચાર છે. ૬. શું આના કર્તા જગદેવે છે ? ૭. આમાં ૨૧ શ્લોક છે.
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
રમલ-શાસ્ત્ર રમલ-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૭૩૫)- આના કર્તા ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપા. મેઘવિજય છે. એમણે મેઘમહોદયમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. એમણે આ કૃતિ પોતાના શિષ્ય મેરુવિજય માટે
સંસ્કૃતમાં રચી છે. આની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી નથી પાસા ફેંકી ભવિષ્ય જોવાની ૨૨૦ વિદ્યાને 'રમલ (ળ)' કહે છે અને એના જાણકારને ‘રમલી(ળી)' કહે છે. ભોજસાગરે તેમજ વિજયદેવે પણ એકેક રમલ-શાસ્ત્ર રચ્યું છે.”
પાશક-કેવલી- આના કર્તા ગર્ગાચાર્ય છે. “જે. સિ. ભા.” (ભા. ૧૨, કિ. ૨, પૃ. ૨૪)માં આના અંતમાંનાં બે પદ્યો અપાયાં છે. શું સમગ્ર કૃતિ સંસ્કૃતમાં છે ? પાશક કેવલી– આના કર્તા સકલકીર્તિ છે.
અંગ-વિદ્યા અંગચેષ્ટાવિદ્યા- આ શરીરનાં અવયવોની હિલચાલ ઉપરથી અને અંગોના ફુરણ (ફરકવા) ઉપરથી ભવિષ્ય ભાખવાનો બોધ કરાવનારી કૃતિ હશે. અંગફુરણ વિચાર કર્યું અંગ ફરકે છે એ ઉપરથી બનનાર બનાવનો નિર્દેશ આ કૃતિમાં કરાયો હશે.
પ્રશ્નવિચાર ચૂડામણિ ઇત્યાદિ– પણહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ) એ જ. મ.માં રચાયેલી લગભગ ૪૫૦ ગાથાની કૃતિ છે. એમાં પ્રશ્ન પૂછનારના મુખમાંથી નીકળેલા પ્રશ્નાક્ષરો ઉપરથી શુભાશુભ ફળનો નિર્ણય કરવાની સમજણ અપાઈ છે. એની એક તાડપત્રીય પ્રતિ પાટણના ભંડારમાં છે અને એના અંતમાં
લીલાવતી નામની એક પ્રાચીન પાઇય વૃત્તિનો ભાગ જળવાઈ રહ્યો છે. P ૨૨૧ વૃત્તિઓ- પહાવાગરણ ઉપર ત્રણ વૃત્તિઓ છે :
(૧) ચૂડામણિ– આ ૨૩૦૦ શ્લોક જેવડી કૃતિ છે. (૨) લીલાવતી. (૩) દર્શન-જ્યોતિવૃત્તિ- આને પ્રશ્નવ્યાકરણ જ્યોતિવૃત્તિ પણ કહે છે. ચન્દ્રોન્મીલન- આનો વિષય ચૂડામણિને લગતો છે. એ પહાવાગરણને આધારે રચાયેલી કૃતિ છે."
ટીકા- આના ઉપર કોઈકની ટીકા છે. ૧. આનો બીજો અર્થ ‘પાંચ ધાતુના પાસા' એવો થાય છે. ૨. આવો ઉલ્લેખ શ્રી અગરચંદ નાહટાએ “ઉતરતાવ યંત્ર સંબંધી પક્ષ મહત્ત્વપૂર્ણ જૈન ગ્રન્થ'' નામના લેખ (પૃ.
૧૧૯)માં કર્યો છે. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨, પૃ. ૧૧૯-૧૨૬)માં છપાવાયો છે. ૩. જૈ. ગ્રં. (પૃ. ૩૫૫)માં માતૃકા-કેવલી નામની એક સંસ્કૃત કૃતિનો ઉલ્લેખ છે. ૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૯-૧૭૦). પ. જુઓ પત્તન.સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૫).
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૧૯-૨૨૧]
૧૩૫
તીર્થકેવલિપ્રશ્ન- “કન્નડ' ટિપ્પણીથી અલંકૃત આ અજ્ઞાતકર્તુક અપૂર્ણ કૃતિની “કન્નડ' લિપિમાં લખાયેલી ૪ર પત્રની એક હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. (પૃ. ૨૭૪)માં લેવાઈ છે.
કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ (લ. વિક્રમની બારમી-તેરમી સદી)- આના કર્તા દિ. સમન્તભદ્ર હોવાનું મનાય છે. આ પુસ્તકના વિદ્વાન સંપાદક પં. નેમિચન્દ્ર જૈનના મતે એ સમન્તભદ્ર આપ્તમીમાંસાના કર્તાથી તો ભિન્ન છે. એઓ અષ્ટાંગ આયુર્વેદના પ્રણેતા હોવાની અને પ્રતિષ્ઠા તિલકના કર્તા નેમિચન્દ્રના ભાઈ વિજયના પુત્ર હોવાની સંભાવના સંપાદકે દર્શાવી છે.
જ્યોતિષશાસ્ત્રના ગણિત અને ફલિત એવા બે વિભાગ પડાય છે. ફલિત જ્યોતિષના વિવિધ પેટાવિભાગ છે. દા. ત. હોરાશાસ્ત્ર, સંહિતાશાસ્ત્ર, મુહૂર્ત શાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, પ્રશ્નશાસ્ત્ર ઇત્યાદિ. પ્રશ્નશાસ્ત્ર એ જ્યોતિષિનું મહત્ત્વનું અંગ છે. જૈનોના- ખાસ કરીને દિગંબરોના જ્યોતિષના ગ્રંથોમાં પ્રશ્નગ્રંથો વિશેષ પ્રમાણમાં જોવાય છે.'
પ્રસ્તુત પુસ્તકમાં “ચન્દ્રોન્સીલન' નામની પ્રશ્નપ્રણાલીનું વર્ણન નજરે પડે છે. આ ગદ્યાત્મક પુસ્તક ચન્દ્રોન્સીલનના સંક્ષેપરૂપ છે, પરંતુ સુબોધ છે. એમાં ‘આયપ્રશ્ન પ્રણાલી અને કલ્પિતસંજ્ઞાલગ્ન' પ્રણાલીની છાંટ જોવાય છે. અક્ષરોના વર્ગીકરણથી શરૂ થતા આ પુસ્તકમાં વિવિધ વિષયને અંગેના પ્રશ્નોને સ્થાન અપાયું છે. જેમ કે કાર્યની સિદ્ધિ, લાભાલાભ, ચોરાયેલી વસ્તુની પ્રાપ્તિ, પ્રવાસીનું આગમન, રોગનું નિવારણ અને મુકદ્યમાની સફળતા. વિશેષમાં મુષ્ટિ-પ્રશ્ન અને મૂક-પ્રશ્નોનો પણ અહીં વિચાર કરાયો છે. નષ્ટ જન્મપત્ર બનાવવાની રીત એ આ પુસ્તકનો મહત્ત્વનો અંશ છે. સંપાદકના મતે એ રીત સર્વથા નવીન અને મૌલિક છે."
કે. પ્ર. ચૂ.માં કોઈ કોઈ સ્થળે પ્રાચીન કૃતિમાંથી પાઇય ગાથાઓ ઉદ્ધત કરાઈ છે."
ચન્દ્રોન્સીલનપ્રશ્ન- આ નિમિત્તશાસ્ત્રની કૃતિની કાગળ ઉપર ‘કન્નડ લિપિમાં સોળ પત્ર ઉપર લખાયેલી એક હાથપોથીની નોંધ ક. તા. ઝં. (પૃ. ૨૪૨)માં લેવાઈ છે. શું આ કૃતિ બૃહજ્યોતિષાવનો ભાગ છે ? ૧. આ પુસ્તક પં. નેમિચન્દ્ર જૈનનાં હિન્દી અનુવાદ તથા વિસ્તૃત અને અનેક ચક્રો રજૂ કરનારા વિવેચન તેમજ પ્રસ્તાવના અને ત્રણ પરિશિષ્ટ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઇ. સ. ૧૯૫૦માં પ્રસિદ્ધ કરાયું છે. પ્રથમ પરિશિષ્ટમાં નક્ષત્ર, યોગ અને કરણનાં નામ અપાયાં છે અને જાતજાતનાં મુહૂર્તને લગતાં ચક્રો અપાયાં છે. બીજા પરિશિષ્ટમાં જન્મપત્રી બનાવવાની રીત વિસ્તારથી સમજાવાઈ છે. ત્રીજા પરિશિષ્ટમાં વર
અને કન્યાને કેવો મેળ રહેશે તેનો વિચાર કરાયો છે. ૨. દિ, અકલંકે સિદ્ધિવિનિશ્ચયના આઠમા પરિચ્છેદમાં સર્વજ્ઞની સિદ્ધિ કરવા માટે જ્યોતિષના જ્ઞાનના ઉપદેશને
હેતુ તરીકે દર્શાવ્યો છે. ૩. દિગંબર સાહિત્યમાં રમલશાસ્ત્રને બદલે ‘પાશાકેવલી' નામની પ્રણાલીનો પ્રચાર જોવાય છે. જાઓ ઉપર્યુક્ત
હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩) ૪. જાઓ હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૭) ૫. જાઓ હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૪) ૬. જાઓ પૃ.૧૮, ૧૯, ૨૪, ૪૬, ૪૭, ૪૯ અને ૮૪.
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
આયજ્ઞાનતિલક (ઉં. વિ. સં. ૧૪૪૧)- આ નિમિત્તશાસ્ત્રની ૭૫૦ પદ્યની કૃતિના રચનાર વાસરિભટ્ટ છે. એઓ દામનંદિના શિષ્ય થાય છે. એમણે અણહિગલવાડમાં રચેલી આ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૪૪૧માં લખાયેલી મળે છે.આ કૃતિ પચ્ચીસ પ્રકરણોમાં વિભક્ત છે.
સ્વપજ્ઞ ટીકા- આ ૧૨૦૦ શ્લોક જેવડી છે. આયતત્ત્વરાજવલ્લભ- આ રાજવલ્લભની કૃતિ છે. શું એ નિમિત્તશાસ્ત્રને લગતી છે ? આયપ્રશ્ન- આની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૪૬)માં છે. આયસર્ભાવ- આ ૧૯૫ શ્લોક જેવડી અજ્ઞાતકર્તુક કૃતિ છે. વૃત્તિ- આ ૧૬૦૦ શ્લોક જેવડી છે.
ફલાફલવિષયક પ્રશ્નપત્ર (લ. વિ. સં. ૧૭૩૦)- આ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિ હોય એમ લાગે છે. એમાં ચાર ચક્ર છે અને દરેકમાં સાત સાત કોઠા (કોષ્ટકો) છે. વચલા કોઠામાં
% Ø ગર્ણ નમ:' એવું લખાણ છે. આસપાસના છ છ કોષ્ટકો ગણતાં એકંદર ૨૪ કોષ્ટકો છે
અને તે અનુક્રમે ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોનાં નામથી અંકિત છે એટલે P ૨૨૨ કે એ એકેક કોષ્ટક ઉપર એકેક તીર્થકરનું નામ છે. આસપાસનાં ૨૪ કોષ્ટકો નિમ્નલિખિત ૨૪ પ્રશ્નો
૨૪ બાબતની પૃચ્છા રજૂ કરે છે :૧. આ કૃતિની એક હાથપોથી યશોવિજયગણિના હસ્તાક્ષરવાળી મળે છે. એથી એઓ જ કર્તા હોવાનું મનાય છે. એ હાથપોથીમાં એક જ પત્ર છે. એની પહેલી પૂઠીમાં સાત સાત કોઠા (કોષ્ટક)વાળાં ચાર ચક્રો છે અને ઋષભદેવથી સુવિધિનાથ સુધીના નવ તીર્થંકરોનાં નામથી અંકિત છ છ ફલાદેશ અપાયા છે જ્યારે બીજી પૂઠીમાં બાકીના ફલાદેશ છે. પહેલી પૂઠીની પ્રતિકૃતિ સહિત સંપૂર્ણ કૃતિ “જૈ. સા. સં.” (ખંડ ૩, અ. ૨,
પૃ. ૧૬૨-૧૬૫)માં વિ. સં. ૧૯૮૩માં પ્રકાશિત કરાઈ છે. ઉપર્યુક્ત પ્રતિકૃતિ પૃ. ૧૬૧ની સામે અપાઈ છે. ૨. પ્રથમ ચક્રનાં સાત કોષ્ટકો નીચે મુજબ છે :
श्रीऋषभ
कार्यसिद्धि
श्रीपद्मप्रभ
व्यवहार पृच्छा
पृच्छा मेघवृष्टि
श्रीअजित
ॐ ह्रीँ श्री अहँ नमः
श्रीसुमतिनाथ
ग्रामांतर पृच्छा
पृच्छा देशसौख्य
lak
રૂ
श्रीसंभव
EXE+]Eદાક
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૧-૨૨૪]
૧૩૭
કાર્યની સિદ્ધિ, મેઘની વૃષ્ટિ, દેશનું સૌખ્ય, સ્થાનનું સુખ, ગ્રામાંતર, વ્યવહાર, વ્યાપાર, વ્યાજદાન, ભય, ચતુષ્પદ, સેવા, સેવક, ધારણા, બાધારુધા, પુરરોધ (નગરનો ઘેરો), કન્યાદાન, વર, જયાજય, મંત્રૌષધિ, રાજ્યની પ્રાપ્તિ, અર્થચિન્તન, સન્તાન, આગંતુક અને ગત વસ્તુ.
ઉપર્યુક્ત ર૪ તીર્થકરો પૈકી દરેકના નામ ઉપર ફલાફલવિષયક છ છ ઉત્તરો છે. જેમકે રે ૨૨૩ ઋષભદેવના નામ ઉપર નીચે મુજબના ઉત્તરો છે :
"शीघ्रं सफला कार्यसिद्धिर्भविष्यति; अस्मिन् व्यवहारे मध्यमं फलं दृश्यते; ग्रामान्तरे फलं नास्ति, कष्टमस्ति; भव्यं स्थानसौख्यं भविष्यति; मध्यमं देशसौख्यं भविष्यति; अल्पा मेघवृष्टिः सम्भाव्यते."
૨૪ પ્રશ્નો અને ૧૪૪ ઉત્તરો સંસ્કૃતમાં છે; બાકી પ્રશ્નો કેમ કાઢવા અને તેનું ફલાફલ કેમ જાણવું એ બાબત એ સમયની ગુજરાતી ભાષામાં દર્શાવાઈ છે અને એ ગુજરાતી લખાણથી જ આ કૃતિની શરૂઆત કરાઈ છે. એ નીચે મુજબ છે :
ૐ દૂ શ્રૌં કઈ નમ:” એણિ મન્નઈ વાર ર૧ સ્થાપના પડી અથવા પૂગીફલ અભિમસ્ત્રી મૂકાવીઇ / જેહ બોલની પૃચ્છા કરઈ તેહ થકુ જિહાં થાપનાં મૂકઈ તેહના તીર્થકરની ફાર્ટિ | પૃચ્છાના બોલ ગણતાં જેહ તીર્થકરની ફાર્ટિ મૂકઈ ! તેહની તે ઓલી ગણવી | પં. શ્રીનયવિજયગણિશિષ્યગણિજસવિજયલિખિત છા
ઉદય-દીપિકા (વિ. સં. ૧૭૫૨)– આના કર્તા ચન્દ્રપ્રભા વગેરે રચનારા ઉપા. મેઘવિજય છે. એમણે આ કૃતિ શ્રાવક મદનસિંહને માટે જ્યોતિષ સંબંધી પ્રશ્ન અને એના ઉત્તર રૂપે વિ. સં. ૧૭૫૨માં રચી છે. આની હાથપોથીઓ મળે છે.
પ્રશ્નસુંદરી (લ. વિ. સં. ૧૭૫૫)- આના પ્રણેતા પણ ચન્દ્રપ્રભા વગેરેના કર્તા ઉપા. મેઘવિજય છે. આ દ્વારા એમણે પ્રશ્ન કાઢવાની પદ્ધતિ વર્ણવી છે.
વર્ષ-પ્રબોધ યાને મેઘમહોદય (પૂ. વિ. સં. ૧૭૩૨)- આના પ્રણેતા ચન્દ્રપ્રભા વગેરેના કર્તા P ૨૨૪ ઉપા) મેઘવિજય છે. આ ગ્રંથ સર્વથા સંસ્કૃત કે જ. મ.માં નથી, પરંતુ બંનેમાં એના અંશો છે. એ તેરા અધિકારમાં વિભક્ત છે. એમાં વિવિધ વિષયો આલેખાયા છે. જેમકે ઉત્પાત, કપૂર-ચક્ર, પદ્મિની-ચક્રમંડળ, સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણના ફળ, માસદીઠ વાયુનો વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્ર-યંત્ર, ૬૦ સંવત્સરોનાં ફળ, રાશિઓ ઉપર ગ્રહોના ઉદયનું, અસ્તનું કે વક્રીનું ફળ, અયન, માસ, પક્ષ અને દિવસનો વિચાર, સંક્રાંતિનું ફળ, વર્ષના રાજા અને મંત્રી વગેરે, વરસાદનો ગર્ભ, વિશ્વા, આયવ્યય, સર્વતોભદ્ર-ચક્ર અને વરસાદ જણાવનાર શુકન.
રચનાસમય-ઠાણ સાથે સંબંધ ધરાવનારો આ ગ્રંથ ક્યારે રચાયો તેનો ગ્રંથકારે સ્પષ્ટ ઉલ્લેખ ૧. આ કૃતિ મેઘમહોદય-વર્ષપ્રબોધ એ નામથી પં. ભગવાનદાસ જૈને જયપુરથી હિન્દી અનુવાદ સહિત ઈ.સ. ૧૯૨૬માં પ્રસિદ્ધ કરી છે. આનો હિન્દી અનુવાદ એમણે કર્યો છે. એવી રીતે આનો ગુજરાતી અનુવાદ પોપટલાલ સાકરચંદ શાહ તરફથી પ્રકાશિત થયો છે. આ બીજી આવૃત્તિનું નામ વર્ષપ્રબોધ અને અષ્ટાંગ નિમિત્ત છે.
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
P ૨૨૫
P-૨૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કર્યો નથી, પરંતુ વિજયપ્રભસૂરિના પટ્ટધર વિજયરત્નસૂરિના રાજ્યમાં રચ્યાનું એમણે કહ્યું છે. એથી એ વિ. સં. ૧૭૩૨ની પૂર્વેનો નથી એમ ફલિત થાય છે.
૧૩૮
પૃ. ૧૨૦-૧૫૦ ગદ્યમાં છે. અને પૃ. ૧૩-૧૭નું લખાણ જ. મ.માં છે, પૃ. ૪૯૩માં રક્ષાપર્વનો ઉલ્લેખ છે.
સાક્ષીભૂત ગ્રંથો– વર્ષ-પ્રબોધમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ કરાયો છે અને એમાંથી અવતરણો અપાયાં છે :
અર્થકાણ્ડ (પૃ. ૧૨૯, ૩૫૫, ૩૯૪, ૪૬૦), *ફુલક (પૃ. ૩૭૮), ગાર્ગીયસંહિતા (પૃ. ૨૭૧, ૪૧૫, ૫૦૩), ચતુર્માસકુલક (પૃ. ૩૫૪, ૩૭૪), જગન્મોહન (પૃ. ૨૭૨), "જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ (પૃ. ૮૯), *તિથિકુલક (પૃ. ૩૫૯, ૩૮૧), ત્રૈલોક્યદીપક (પૃ. ૧૭૯, ૩૯૨, ૪૬૦), નરપતિજયચર્યા (પૃ. ૨૧૭), બાલબોધ (પૃ. ૪૦૪, ૪૦૮, ૪૧૭), “ભગવતી (પૃ. ૪૪, ૬૩, ૬૫, ૬૭) અને એની વૃત્તિ (પૃ. ૪૬), *ભદ્રબાહુસંહિતા (પૃ. ૪૨૭), મેઘમાલા (પૃ. ૫૨, ૨૪૯, ૨૫૧, ૩૧૯) રુદ્રકૃત મેઘમાલા (પૃ. ૪૭, ૩૧૦૦, ૧૭૨, ૪૧૯૦, ૨૧૨, ૩૨૭), હીરવિજયસૂરિષ્કૃત મેઘમાલા (પૃ. ૫૪૧, ૬૨ ૨૩૭, ૭૨૫૩, ૪૩૧૧, ૩૪૨, ૩૮૫, ૪૫૧), રત્નમાલા (પૃ. ૮૬), વારાહીસંહિતા (પૃ. ૪૯૫), વિવેકવિલાસ (પૃ. ૫, ૩૦), “સ્થાન (પૃ ૨, ૩, ૮૯, ૧૮૯) અને એની વૃત્તિ (પૃ. ૪), દુર્ગદેવકૃત ષષ્ટિસંવત્સર (પૃ. ૧૦૮) અને અજ્ઞાતકર્તૃક સારસંગ્રહ (પૃ. ૧૮૮, ૩૫૮, ૩૬૨).
આ પુસ્તકમાં નીચે મુજબના ગ્રંથકારોનાં નામ આપી એમની કૃતિમાંથી અવતરણો અપાયાં છે :– કેવલકીર્તિ (દિ. (પૃ. ૩૧૨, ૪૨૩), ગિરધરાનંદ (પૃ. ૩૮૫), મેઘજી ઉપા. (પૃ. ૨૬૨, ૩૪૭), મેઘમાલાકાર (પૃ. ૧૦), રુદ્રદેવ (પૃ. ૩૦, ૨૧૨, ૩૩૭, ૩૬૭, ૪૧૦, ૪૨૩, ૪૨૪, ૫૦૧), વરાહ (પૃ. ૩૧૯, ૩૨૨, ૩૩૦, ૩૩૫, ૪૧૯), અને હીરસૂરિ (પૃ. ૨૫૮, ૨૬૦, ૨૮૯, ૨૯૨, ૩૪૦, ૪૬૦, ૪૬૧).
‘લૌકિક’ કે ‘લોક’ એવા ઉલ્લેખપૂર્વક ગુજરાતી પદ્યો નીચે મુજબનાં પૃષ્ઠોમાં અપાયાં છે :–
૧૧, ૨૩૦, ૨૩૨, ૨૩૪, ૨૩૮, ૨૪૮, ૨૬૦, ૨૮૯, ૨૯૦, ૨૯૬, ૨૯૮, ૩૨૦, ૩૨૬, ૩૪૨, ૩૪૮, ૩૫૨, ૩૬૧, ૩૬૬, ૩૯૩, ૧૦૪૦૧, ૪૦૬, ૪૦૭, ૪૧૨, ૪૪૨, ૪૫૦, ૧૧૪૫૧, ૪૫૪, ૪૫૯, ૪૬૦, ૫૦૦.
જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪૪)માં રચના-વર્ષે ‘તરીકે વિ. સં. ૧૭૩૨ પછીનો' એવો ઉલ્લેખ છે. આ પૃષ્ઠાંક ઉપર્યુક્ત (પૃ. ૨૨૪) ભગવાનદાસના પ્રકાશનના છે. આ ચિહ્નથી અંકિત કૃતિ પાઇયમાં છે.
૩-૪. આ પૃષ્ઠો ઉપર બ્રાહ્મણ રુદ્રદેવ એવો ઉલ્લેખ છે.
૫. અહીં હીરમેઘમાલા એવો ઉલ્લેખ છે.
૧.
૨.
૬-૯. આ અવતરણ ગુજરાતીમાં છે. પૃ. ૪૫૫માં મેઘમાલામાંથી ગુજરાતી ઉતારો છે. ૧૦-૧૧. અહીં ‘ભડુલી' એવો નિર્દેશ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૪-૨૨૬]
૧૩૯
પંચાંગતત્ત્વ- પંચાંગ એટલે (૧) તિથિ, (૨) વાર, (૩) નક્ષત્ર, (૪) યોગ અને (૫) કરણ. આ પાંચ અંગોના નિરૂપણરૂપ આ કૃતિ હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે.
વૃત્તિ- આ ૯૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ અભયદેવસૂરિએ રચી છે.
પંચાંગતિથિવિવરણ– આ કરણશેખર કે કરણશેષ તરીકે ઓળખાવાતી કૃતિની ૧૯૦ શ્લોક જેવડી વૃત્તિ છે કે કેમ તેની તપાસ કરવી બાકી રહે છે.
પંચાંગદીપિકા અને પંચાંગપત્રવિચાર- આ બંને પંચાંગને લગતી કૃતિ હોય એમ લાગે છે.
યત્રરાજ (વિ. સં. ૧૪૨૭)- આ મદનસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિની શકસંવત્ ૧૨૯૨ની રચના છે. એ પાંચ પ્રકરણમાં વિભક્ત છે.
ટીકા- આના કર્તા મલયેન્દુ છે. યત્રરાજરચનાપ્રકાર- આના કર્તા સવાઈ જયસિંહ છે. યાત્રાસ્નાય- આ અજ્ઞાતકર્તુક કૃતિ નિમિત્તશાસ્ત્રને લગતી છે ?
‘ઉસ્તારલાવ’ યંત્ર (લ. વિ. સં. ૧૫૫0) - આના કર્તા વિ. સં. ૧૫૩૬માં સારસ્વત-દીપિકા રચનારા મેઘરત્ન છે. એઓ ‘વટ’ ગચ્છના વિનયસુંદરના શિષ્ય થાય છે. એમણે પ્રસ્તુત કૃતિ ૩૮ શ્લોકમાં રચી છે. આ ખગોળશાસ્ત્રીઓને ઉપયોગી એક યંત્ર ઉપર પ્રકાશ પાડે છે. એ યંત્રને ઉર્દૂ-હિંદી-કોશમાં નક્ષત્ર-યંત્ર અને અંગ્રેજીમાં એસ્ટ્રોલાબે (Astrolabe) કહે છે. એનો પરિચય Encylopaedia Britanica (Vol. II, pp. 574-575; 14th edn.)માં અપાયો છે. એ ઉપરથી આ ગ્રીક યંત્ર હોવાનું મનાય છે. એની શોધ હિપાર્કસે (ઈ. સ. પૂ. ૧૫૦) અથવા પેર્ગાના એપોલોનિયસે (ઇ. સ. પૂ. ૨૪૦)માં કરી હતી. એ યંત્ર આકાશી પદાર્થોની–ગ્રહાદિની ઊંચાઈ (Altitude) માપવાના કામમાં લેવાતું હતું. એ ઉપરથી કાળ (સમય) અને અક્ષાંશનો બોધ થતો હતો.
ટીકા ઇત્યાદિ– આ લઘુ કૃતિ ઉપર સંસ્કૃતમાં ટીકા છે અને રાજસ્થાની’ ભાષામાં અનુવાદ છે." [અંગવિજા. મુનિશ્રી પુણ્યવિજયજી. પ્રા...સો. દ્વારા બે વાર પ્રકાશિત થયું છે.
ભારતીય જ્યોતિષ- નેમિચન્દ્ર શાસ્ત્રી, પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ વારાણસી ૩૬મું સંસ્કરણ ઇ. સ. ૨૦૦૩.]
૧. આ કૃતિ એસ દ્વિવેદી અને એલ. શર્માએ બનારસથી ઇ. સ. ૧૮૮૩માં પ્રસિદ્ધ કરી છે. ૨. બિકાનેરના “અનૂપ-સંસ્કૃત-પુસ્તકાલયમાં આની વિ. સં. ૧૬૦૦માં લખાયેલી એક હાથપોથી છે. એનો
પરિચય શ્રી અગરચંદ નાહટાએ “ડતરત્નાવ યંત્ર સર્વત્થી પક્ષ મહત્વપૂર્ણ જૈન ગ્રન્થ' નામના લેખમાં આપ્યો
છે. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨ પૃ. ૧૧૯ ૧૨૬)માં પ્રકાશિત છે. ૩. આ લેખ ઉપર્યુક્ત લેખમાં મૂળ કૃતિના શ્લો. ૧, ૩, અને ૩૮ સહિત ઉદ્ધત કરાયો છે. એને અંગેનું શ્રીનેમિચન્દ્ર
શાસ્ત્રીએ હિન્દીમાં લખેલું ટિપ્પણ સાથે સાથે છપાવાયું છે. ૪-૫. ઉપર્યુક્ત હાથપોથીમાં આ બંને છે, પરંતુ મૂળ કૃતિ અશુદ્ધ લખાયેલી છે.
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
P ૨૨૭
પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર વૈદ્યકશાસ્ત્રનો બોધ કરાવવા જતાં જૈન મુનિવરો અચકાયા છે, કેમકે વનસ્પતિઓનાં ઉપમર્દન વગેરે કાર્યને એઓ આરંભસમારંભના કારણરૂપ-પાપરૂપ ગણે છે. આથી આ વિષયમાં જૈન કૃતિઓ ઓછી રચાઈ હોય એમ લાગે છે. ઇતર વિષયની જૈન કૃતિઓમાં વૈદ્યકવિષયક છૂટાછવાયા ઉલ્લેખો જોવાય છે. આગમિક સાહિત્યમાંના આવા ઉલ્લેખોની એક નોંધ મેં આગમોદ્ધારકની સહાયતાથી તૈયાર કરી છે પણ તે અત્યારે તો અપ્રકાશિત છે. આવી પરિસ્થિતિમાં આ વિષયની કેટલીક કૃતિઓ હું નોંધું છું –
સિદ્ધાંત-રસાયન-કલ્પ (વિક્રમની છઠ્ઠી સદી) દિ. ઉગ્રાદિત્યકૃત કલ્યાણકારકના વીસમા પરિચ્છેદ (શ્લો. ૮૬)માં સમતભદ્ર આયુર્વેદ-માંના આઠ અંગોનું પ્રતિપાદન કર્યાનો ઉલ્લેખ છે. કેટલાકને મતે આ સમંતભદ્ર સિદ્ધાંત-રસાયણ-કલ્પ નામનો વૈદ્યક-ગ્રંથ ૧૮,૦૦૦ શ્લોક જેવડો રચ્યો છે. એના છૂટાછવાયા શ્લોકો મળે છે. એ એકત્રિત કરાય તો બેથી ત્રણ હજાર જેટલા થાય. આ કૃતિમાં જૈન પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરાયો છે. આવા શબ્દોના સ્પષ્ટીકરણરૂપ એક કોશ અમૃતનંદિએ રચ્યો
હતો, પરંતુ તે “સપ્ત-સપ્તિ' સુધીનો જ મળે છે. P ૨૨૮ વૈદ્યક-ગ્રંથના પ્રણેતાઓ- ઉપર્યુક્ત કલ્યાણકારકના વીસમા પરિચ્છેદ (શ્લો. ૮૫)માં કહ્યું છે
કે પૂજ્યપાદે શાલાક્ય(તંત્ર), પાત્રકેસરીસ્વામીએ શલ્યતંત્ર, સિદ્ધસેને વિષ અને ઉગ્ર ગ્રહની પશમનવિધિ, દશરથ, ગુરુએ કાય-ચિકિત્સા, મેઘનાદે બાલ-ચિકિત્સા અને સિંહનાદ મુનીન્દ્ર વૈદ્ય, વૃષ્ય અને ૧દિવ્યામૃતનું કથન કર્યું છે.
વૈદ્યક-ગ્રંથ (પૂ. વિક્રમની છઠ્ઠી સદી) – આના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણના પ્રણેતા દિ. પૂજ્યપાદ હોવાનું મનાય છે. આ વૈદ્યકગ્રંથ તે જ પૃ. ૧૭માં નોંધાયેલો વૈદ્યસાર છે. આનો સંક્ષિપ્ત પરિચય D C G C M (Vol. XVI, pt. 1, pp. 311-312)માં અપાયો છે.
નાડી પરીક્ષા- આ પૂજ્યપાદની કૃતિ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૦)માં ઉલ્લેખ છે. આથી બે પ્રશ્ન ઉદ્ભવે છે :
(૧) શું આ ઉપર્યુક્ત પૂજ્યપાદ છે? (૨) શું આ કૃતિ ઉપર્યુક્ત વૈદ્યકગ્રંથનો ભાગ છે ?
૧. શ્રી. પી. કે. “ગોડેનો Some Notes on ths Mss. of medical works by Jain writers” નામનો
લેખ The Jaina Antiquary (Vol. XIn No.1)માં છપાવાયો છે. ૨. પુષ્પાયુર્વેદમાં ૧૮૦૦૦ જાતનાં પરાગ વિનાનાં પુષ્પોનો ઉલ્લેખ છે. જુઓ કલ્યાણકારકની હિંદી પ્રસ્તાવના
(પૃ. ૩૮) ૩. આ આઠ અંગો તે કાય, બાળ, ગ્રહ, ઊર્ધ્વગ, શલ્ય, દૃષ્ટા, જરા અને વૃષ એ છે. ૪. એમનો સાદર ઉલ્લેખ ગુમ્મટદેવ મુનિએ મેરુતંત્ર નામના વૈદ્યક-ગ્રંથના પ્રાયઃ પ્રત્યેક પરિચ્છેદના અંતમાં કર્યો છે. પ-૭. કલ્યાણકારકના હિંદી અનુવાદ (પૃ. ૫૫૪)માં આ ત્રણના અર્થ અનુક્રમે (૧) અગદ-તંત્ર અને ભૂતવિદ્યા,
(૨) કૌમારભૃત્ય અને (૩) વાજીકરણતંત્ર અને દિવ્ય-રસાયન-તંત્ર એમ કરાયા છે. ૮. આ “જૈ. સિ. ભા.”માં કટકે કટકે છપાયો છે.
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૭-૨૨૮]
૧૪૧
નાડીવિચાર- આ નામની બે અજ્ઞાતકણ્વક કૃતિ છે. એકમાં ૭૮ પદ્યો છે અને એનો પ્રારંભ “નવા વીર''થી થાય છે. એની એક હાથપોથીમાંથી પ્રારંભના બે પદ્ય અને અંતમાંનાં પાંચ પડ્યો પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૮૪)માં ઉધૃત કરાયાં છે. તમામ પદ્યો “અનુષ્ટ્રમાં હશે એમ લાગે છે.
નાડીચક્ર અને નાડીસંચારજ્ઞાન- આ બેમાંથી એકેના કર્તાનું નામ જાણવામાં નથી. બીજી કૃતિનો ઉલ્લેખ બૃ. ટિમાં છે એટલે એ પાંચેક સૈકા જેટલી તો પ્રાચીન ગણાય.
નાડીનિર્ણય (ઉં. વિ. સં. ૧૮૧૨)- આ અજ્ઞાતકર્તૃક અને મુખ્યતયા પદ્યાત્મક કૃત્તિની પાંચ પત્રની એક હાથપોથી (૧૦.૨ “૮૪.૪') “બૃહત્ ખરતર' ગચ્છના ૫. માનશેખરે મોટા અક્ષરે વિ. સં. ૧૮૧૨માં લખી છે. એમાં પ્રારંભમાં “શ્રીધન્વન્તરયે નમ:” એવા ઉલ્લેખપૂર્વક નાડીનિર્ણય એવું કૃતિનું નામ અપાયું છે. પ્રારંભનાં બે પદ્યો નીચે મુજબ છે :
"स्नायुर्नाडी निशा हिंसा धमेनी धारिणी धरा । તખ્તીનીવિત? 9 કરો પર્યાયવીવેળા(:) II II वात्तं (तं) पित्तं कर्फ द्वन्द्वं त्रिपथं सन्निपातकम् ।
સાધ્યાપાધ્યવિવે« ૨ સર્વનાડી પ્રશ્નાર્થ(ચ)ૉ. ર '' ૪૧ પદ્યો પછી “નાડી પરીક્ષા સંપૂર્ણ થયાનો ઉલ્લેખ છે. ત્યાર બાદ અનુક્રમે જે વિષયો ચર્ચાયા છે તેનાં નામ અને એનાં પદ્યોની સંખ્યા નીચે મુજબ છે –
મૂત્રપરીક્ષા (૪૬), તેલના બિન્દુ ઉપરની દોષપરીક્ષા (૧૪)નેત્રપરીક્ષા(૮) મુખપરીક્ષા (૨) જિદ્વાપરીક્ષા (૪) રોગોની સંખ્યા (૨૨) અને જવરના પ્રકાર.
પુષ્યિકાની પૂર્વ “ડિવવા સમાપ્ત'' એવો ઉલ્લેખ છે. આથી “નાડીવિચાર’ નામ અભિપ્રેત હશે એમ લાગે છે.
નિદાનમુક્તાવલી– ‘નિદાન” શબ્દના સાત અર્થ થાય છે. એ પૈકી નિમ્નલિખિત બે અર્થ અત્ર પ્રસ્તુત જણાય છે –
(૧) રોગનાં કારણોની તપાસ (pathology). (૨) રોગ નક્કી કરવો તે યાને રોગની ઓળખ (diagnosis).
જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં પૂજ્યપાદે નિદાનમુક્તાવલી રચ્યાનું અને એની બાર પત્રની એક હાથપોથી હોવાનો ઉલ્લેખ છે. આ પૂજ્યપાદ અને એમની આ કૃતિ વિષે નાડી પરીક્ષા માટે પૃ. ૩૦૮માં પુછાયેલા બે પ્રશ્નો ઉદ્ભવે છે.
૧. પહેલા પત્રની પહેલી પૂઠી અને છેલ્લાની બીજી પૂંઠી કોરી છે. ૨. આ હાથપોથી વ્યાકરણ-સાહિત્ય-તીર્થ મુનિશ્રી સૂર્યોદયવિજયજી પાસે જોવા મળી હતી. ૩. આ લખાણ ગદ્યમાં છે. ૪. આ નીચે મુજબ છે :
"संवत् १८१२ना मागसर विद द्वतीयातिथौ श्रीगरुवासरे श्रीवृहत्खतरगच्छै वा० श्रीपुन्यसारगणि तत्शिषपं० नत्यभक्तिगणित० पंवद्यारशेन पं० मानशेषर लिष्यत्तः"
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
નિદાન- આના કર્તા જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨) પ્રમાણે લક્ષ્મીધર છે.
મંગરાજે કે મંગુવિભુએ ૨૫00 શ્લોક જેવડો કાનડીમાં રચેલો ખગેન્દ્રમણિ-દર્પણ ગ્રંથ આને આધારે યોજાયો છે.
"કલ્યાણકારક (લ. વિ. સં. ૮૮૫)- આના કર્તા દિ. ઉગ્રાદિત્ય છે. એમાં ૨૫ પરિચ્છેદ છે. એ ૨૫મા પરિચ્છેદ પછી પરિશિષ્ટ-શિષ્ટાધ્યાય અને ‘હિતાહિત’ અધ્યાય છે. મધ, મદ્ય અને માંસની વાત બાજુએ રાખતાં ચિકિત્સાની બાબતમાં આ ગ્રંથ ચરકસંહિતા સાથે ઘણો મળતો આવે છે.
આયુર્વેદની જેમ અહીં પણ કાયથી માંડીને વૃષ સુધીનાં આઠે અંગોનો વિસ્તારથી વિચાર P ૨૨૯ કરાયો છે. ‘હિતાહિત’ અધ્યાયમાં માંસાહારનો નિષેધ કરતું લખાણ ગદ્યમાં અપાયું છે. વિશેષમાં
શલ્યમંત્રનો વિષય સારી રીતે ચર્ચાયો છે. આઠ પ્રકારનાં શસ્ત્ર-કર્મ અને એના વિધાનનું નિરૂપણ વ્યવસ્થિત સ્વરૂપે અહીં કરાયું છે.
કલ્યાણકારકની રચનામાં પ્રાણાવાય નામના મહાગમનો-પૂર્વનો ઉપયોગ કર્યાનું જાતે કહ્યું છે.' પરિ- ગ્લો. ૧૮માં ‘વિદ્યા” ઉપરથી ‘વૈદ્ય' ઉદ્ભવ્યો છે એમ કહ્યું છે.
આત્મોન્નતિમાં શરીર મહત્ત્વનું સ્થાન ભોગવે છે એટલે આરોગ્ય જાળવવું જરૂરી છે. પરંતુ તેમ કરવા માટે અભક્ષ્ય કે હિંસાજન્ય દ્રવ્યનું સેવન કરતાં જરૂર વિચાર કરવો ઘટે એમ જૈનાચાર્યોનું – ઉગ્રાદિત્ય વગેરેનું માનવું અને કહેવું છે. આથી તો એમણે પ્રસ્તુત કૃતિમાં મધ, મદ્ય અને માંસનું સેવન ન કરવું પડે એવી ઔષધીઓ બતાવી છે.
રચનાસમય- ‘હિતાહિત” અધ્યાયના લગભગ અંતમાં જે કેટલાંક પદ્યો છે તેમાંના એકમાં કહ્યું છે કે નૃપતુંગવલ્લભ મહારાજાધિરાજની સભામાં માંસાહારના પુરસ્કર્તાઓની સમક્ષ માંસાહારની નિષ્ફળતા સિદ્ધ કરી આ જૈનેન્દ્ર વૈદ્ય વિજય મેળવ્યો. આ ઉપરથી આ કલ્યાણકારકના કર્તા અમોઘવર્ષ પહેલાના સમકાલીન હોવાનું મનાય છે.
સમાનનામક કૃતિઓ- પૂજ્યપાદ અને કુમારને પણ આ નામની એકેક કૃતિ સંસ્કૃતમાં રચી છે, જ્યારે ચિત્રકવિસેને કાનડીમાં રચી છે."
પરાશ્રયી કૃતિઓ– નાગાર્જુને રચેલી યોગરત્નમાલા નામની વૈદ્યકની કૃતિ ઉપર ગુણાકરસૂરિએ વિ. સં. ૧૨૯૬માં વૃત્તિ રચી છે. એવી રીતે વામ્ભક્ત અષ્ટાંગહૃદય ઉપર દિ. આશાધરે અને વરરુચિકૃત યોગશત ઉપર પૂર્ણસને વૃત્તિ રચી છે.
૧. આ કૃતિ શ્રી. વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રીનાં હિંદી અનુવાદ, પ્રસ્તાવના અને વનૌષધિ શબ્દાદર્શ (કોષ) સહિત
“સખારામ નેમચંદ ગ્રંથમાલા”માં પુષ્પ ૧૨૯ તરીકે સોલાપુરથી ઇ. સ. ૧૯૪૦માં છપાવાઈ છે. આમાં વિસ્તૃત વિષયાનુક્રમણિકા છે. ૨. વૃષ-ચિકિત્સાથી વાજીકરણ-ચિકિત્સા સમજવાની છે. ૩. સુશ્રુતસંહિતા (સૂત્ર-સ્થાન, અ. ૫, શ્લો. ૫)માં શસ્ત્રકર્મના છેદ્ય, ભેદ્ય ઇત્યાદિ આઠ પ્રકારો દર્શાવાયા છે. ૪. જુઓ પરિ૦ ૨૫, શ્લો. ૫૪. પ. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૭૦-૮૦). ૬. યોગરત્નમાલા માટે જુઓ D C G C M (Vol. XVI. pt. 1, Nos.170-174)
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૮-૨૩૧]
૧૪૩
યોગ-ચિત્તામણિ વૈદ્યકસાનસંગ્રહ કિવા રવૈદ્યકસારોદ્વાર (લ. વિ. સં. ૧૬૬૦)- આના કર્તા P 30 નાગપુરીય તપા' ગચ્છના ચંદ્રકીર્તિ-સૂરિના શિષ્ય હર્ષકીતિસૂરિ છે. આ ગ્રન્થમાં ફિરંગ (syphilis)નું વર્ણન છે. એથી એ ભાવપ્રકાશ પછી રચાયાનું અનુમનાય છે.
જૈ. ગ્રં. પ્રમાણે વૈદ્યસારસંગ્રહ ૧૧૦ શ્લોક જેવડો છે અને વૈદ્યકારોદ્વાર ૮00 શ્લોક જેવડો છે. જો આ હકીકત ખરી હોય તો આ બે ભિન્ન કૃતિ ગણાય.
વિદ્યવલ્લભ (લ. વિ. સં. ૧૭૧૦)- આના કર્તા “હિતરુચિના શિષ્ય હસ્તરુચિ છે. એમણે આ કૃતિ આઠ અધ્યાયમાં વિભક્ત કરી છે. એમાં એમણે જવર, સ્ત્રીરોગ, કાસ, (ઉધરસ, ક્ષય વગેરે રોગો, ધાતુરોગ, અતિસારાદિ, કોઢ વગેરે, મસ્તક, કાન અને આંખના રોગો તેમજ સ્તંભન પર મુરાદિ-સાહિ ગુટિકા વગેરે વિષયો પર પ્રકાશ પાડ્યો છે.
યોગ-રત્નાકર વિ. સં. ૧૭૩૬)- આ કૃતિ અંચલ ગચ્છના જ્ઞાનશેખરના શિષ્ય નયનશેખરે રે ૨૩૧ વિ. સં. ૧૭૩૬માં ગુજરાતીમાં ચોપાઇમાં રચી છે. એનું પરિમાણ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૨) પ્રમાણે ૯૦૦૦ શ્લોકનું છે.
દ્રવ્યાવલી-નિઘંટુ- આના કર્તા મહેન્દ્ર છે. એમણે આ કૃતિ ૯૦૦ શ્લોક જેવડી રચી છે. આ નામ વિચારતાં એમ લાગે છે કે એ વનસ્પતિઓનો કોશ હશે.
૧. આ મુંબઈમાં ઈ. સ. ૧૮૬૯માં છપાવાયો છે. આ ગ્રંથનું સંપાદન પૂર્ણચન્દ્ર શર્માના ગુજરાતી રૂપાંતર સહિત મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટએ ઈ. સ. ૧૮૯૮માં કર્યું હતું. એની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦૮માં છપાવાઈ હતી. મુળ કતિનું મરાઠી અનુવાદ સહિત સંપાદન વી. જી. સાંડેકરે ખાનાપરથી ઈ. સ. ૧૯૦૭માં ક યોગચિત્તામણિ માટે જુઓ D 0 G C M (Vol. XVI, pt. 1, Nos. 158-161) ૨.જૈ. સા. સં. ઇ. (પૃ. ૫૯૩)માં આને યોગ-ચિન્તામણિથી ભિન્ન કૃતિ ગણી છે. જ્યારે જિ. ૨. કો. (ખંડ
૧, પૃ. ૩૬૫)માં એને અભિન્ન ગણી છે. 3. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 69 અને 127. ૪. પૂર્ણસે-તૂરભસૂરિએ આ નામની કૃતિ રચી છે. એને વૃદ્ધયોગશતક પણ કહે છે ગૌડવંશતિલકે વૃદ્ધયોગશતક રચ્યું છે. આ બંને કૃતિ અજૈન હશે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪)માં કહ્યું છે. તો એ વાત સાચી
છે ? વૈદ્યવલ્લભ માટે જુઓ D C G C M (Vol. XVI, pt. 1. Nos. 281-283) ૫. ‘તપ’ ગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય ઉદયરુચિના શિષ્યનું નામ હિતરુચિ છે. એ જ અત્રે પ્રસ્તુત હશે.
જો એમ જ હોય તો એમણે ષડાવશ્યક ઉપર વિ. સં. ૧૬૯૭માં વ્યાખ્યા રચી છે. ૬. આ નામનો ગ્રંથ મયૂરપાદ ભિક્ષુ નામના પ્રખ્યાત વૈદ્ય રચ્યો છે. યોગરત્નાકરના અંતિમ ભાગની કડી ૯૧
૯૬ જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૨, પૃ. ૩૫૧-૩૫૨)માં અને એ અંતિમ ભાગની કડી. ૮૪-૯૦ અને ૯૭૧૦૮એ પુસ્તક (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૩૨૫-૬)માં અપાઈ છે. યોગરત્નાકર નામની કોઈ અજ્ઞાતકર્તુક કૃતિ
પણ છે. ઉ. માધવે દ્રવ્યાવલિ રચી છે. દ્રવ્યાવલીનિઘંટુ અને રસન્તિામણિ (આ પ્રકાશિત છે) માટે જુઓ D c G C M (Vol. XVI, p. 1)ના અનુક્રમે ક્રમાંક ૧૦૫-૧૦૯ અને ૧૯૨-૧૯૩
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
વૈદ્યકકલ્પ અને વૈદ્યકસાર- આ બંનેની તાડપત્રીય પ્રતિ મળે છે પણ એના કર્તાનાં નામ જાણવામાં નથી.
સિદ્ધયોગમાલા- આ ૫૦૦ શ્લોકની કૃતિના પ્રણેતા સિદ્ધર્ષિ છે.
રસપ્રયોગ– આના કર્તા સોમપ્રભાચાર્ય છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૯) પ્રમાણે એ વૈદ્યકનો ગ્રંથ છે. એમાં રસ વિષે નિરૂપણ તથા પારાના ૧૮ સંસ્કારનું વર્ણન હશે. '
'રસચિન્તામણિ– અનંતદેવસૂરિએ ૯૦૦ શ્લોક જેવડી આ કૃતિ રચી છે.
માઘરાજપદ્ધતિ- આ ૧૦OO0 શ્લોક જેવડી કૃતિના કર્તા માઘચન્દ્રદેવ છે. P ૨૩૨
સંદિગ્ધ કૃતિઓ સિદ્ધસાર – શું આ વૈદ્યક અંગેની જૈન કૃતિ છે ?
આયુર્વેદ-મહોદધિ- આ ૧૧OO શ્લોક જેવડી કૃતિના કર્તા સુષેણ છે. શું એઓ જૈન છે ? ચિકિતો (? ત્સો)ત્સવ- આ ૧૭૦૦ શ્લોક પ્રમાણ કૃતિના કર્તા હંસરાજ છે. શું તેઓ જૈન છે?
પ્રતાપકલ્પદ્રુમ- આ ૬000 શ્લોક જેવડી કૃતિ પ્રતાપસિંહદેવે રચી છે. જિ. ૨. કોમાં આની નોંધ નથી તો શું એના કર્તા અજૈન છે ?
યોગરત્નસમુચ્ચય- આ ૪૫૦ શ્લોક જેવડી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી. શુ એઓ જૈન છે?
વૈદ્યામૃત- આ ૨૦૦ શ્લોક જેવડી કૃતિ શ્રીધરદેવે રચી છે. શું એઓ જૈન છે ? રત્નસાગર- આ શું વૈદ્યકની જૈન કૃતિ છે? રત્નસાગર માટે જુઓ ઉપર્યુક્ત પુસ્તકનો ક્રમાંક ૧૯૧ રસરત્નદીપિકા- મલ્લરાજ મહીપતિની ૬00 શ્લોક જેવડી આ રચના છે. શું એઓ જૈન ?
[રસરત્નસમુચ્ચય- કર્તા દેવચન્દ્રના શિષ્ય માણેક્યદેવ ૧૬મી સદીની આ રચનાનું પ્રકાશન પ્રાકૃત ભારતી અકાદમીએ ઇ.સ. ૧૯૮૬માં જે.સી.સિકદરે સંપાદિત કર્યું છે.]
[લીલાવતીસાર- આ. જિનરત્નસૂરિ, સંપા. હરિવલ્લભ ભાયાણી. પ્રકા. લા. દ. વિદ્યામંદિર .સ. ૧૯૮૩.]
તત્ત્વાર્થસૂત્ર (અભિનવ ટીકા) દીપરત્નસાગર. પ્ર. અભિનવશ્રુત પ્રકાશન. આરાધક વિરાધક ચતુર્ભગી ઉપા. યશોવિજયજી વિવેચન પ્રવીણચંદ્ર માતા પ્ર. ગીતાર્થ ગંગા.
૧. આ કૃતિ ભાષાટીકા સાથે વેંકટેશ્વર મુદ્રણાલયમાં છપાવાઈ છે. વિશેષ માટે પૃ. 143 ટિ. ૭ જુઓ.] ૨. શું આ દક્ષિણ ભારતમાં રચાયેલો નિઘંટુ છે ? ૩. આ નામની એક કૃતિ તીસટના પુત્ર ચન્દ્રટે રચી છે. ૪. આ નામની એક કૃતિ માણિકયભટ્ટના પુત્ર મોરેશ્વરે શકસંવત્ ૧૬૦૩માં રચી છે.
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ : પાકશાસ્ત્ર
P ૨૩૩ જૈન દૃષ્ટિએ જીવોના બે પ્રકાર છે : (૧) શરીરી ને (૨) અશરીરી શરીરી જીવોને દેહ હોવાથી એ ટકી રહે તે વાસ્તે–એનાથી જીવી શકાય તે માટે એને આહાર લેવો પડે છે. દરેક જાતના જીવનો આહાર એકસરખો ન જ હોય તે સ્વાભાવિક છે. તેમાં યે મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે એટલે એ તો કેવળ આરોગ્યની જ દૃષ્ટિએ આહારનો વિચાર ન કરે પણ એમાં યે વિવિધતા અને મનોરમતા લાવવા મથે. આવા કોઈ પ્રયત્નના પરિણામે રસોઈની કળા ઉભવી અને વિકસી હશે. એને અંગેનું વ્યવસ્થિત ગ્રંથસ્થ લખાણ તે “પાકશાસ્ત્ર” યાને ‘સૂપશાસ્ત્ર' કહેવાય છે. આ જાતની કૃતિઓ ભિન્ન ભિન્ન ભાષામાં રચાયેલી મળે છે. સંસ્કૃત કૃતિઓ પૈકી 'નલપાકદર્પણ અને ક્ષેમશર્માએ વિ. સં. ૧૬૦૫માં રચેલા *ક્ષેમકુતૂહલ ગણાવી શકાય. ગુજરાતીમાં પાકશાસ્ત્રને લગતી જાતજાતની કૃતિઓ છે. વળી જે જૈન સાહિત્ય કાનડીમાં રચાયું છે તેમાં સૂપશાસ્ત્ર સંબંધી કૃતિ છે. પરંતુ સંસ્કૃતમાં આવી કોઈ કૃતિ કોઈ જૈન ગૃહસ્થ-શ્રાવિકાએ પણ રચી હોય એમ જણાતું નથી. વસુદેવહિંડીમાં જે “પોરાગમ' એવો ઉલ્લેખ છે તે શું પાકશાસ્ત્ર છે કે એના કોઈ એક અંગરૂપ વિષય સાથે સંબદ્ધ છે ? ગમે તે હો પણ એ સંસ્કૃતમાં છે કે કેમ અને એની રચના જૈનને હાથે થયેલી છે કે કેમ એ પ્રશ્ન તો ઊભા જ રહે છે. શ્રી હિમાંશુવિજયજીના લેખો (પૃ. ૪૮૪-૪૮૮)માં પ્રગટ કરવા યોગ્ય ગ્રંથોની નોંધ
મુનિ હિમાંશુવિજયજીએ આપી છે. તેમાંથી કેટલાક..... અપશબ્દ ખંડન : કીર્તિચન્દ્ર (પાટણ), અપૌરુષેય-દેવનિરાકરણ યશોદેવ (પાટણ), એક સમયજ્ઞાનદર્શનવાદ (કોડાય), દૃષ્ટાન્તદૂષણ ડિક્કન કોલેજ-પુના), નાસ્તિકનિરાકરણમ્ (લીંબડી), પંચદર્શનખંડન (કોડાય), વેદખંડન (પાટણ), વેદબાહ્ય નિરાકરણ : હરિભદ્રસૂરિ : ડક્કન-પુના), દ્વિજવદનચપોટિકા : હેમચન્દ્રસૂરિ (લાલબાગ), સર્વજ્ઞવાદસ્થલ ડિક્કન-પુના), ધર્મોત્તર ટિપ્પણ : મલ્લવાદી : (જેસલમેર), મંગલપાદ : યશોવિજયજી, સિદ્ધાન્તતર્કપરિષ્કાર યશોવિજયજી, સ્યાદ્વાદમંજૂષા : યશોવિજયજી, પાંડિત્યદર્પણ : ઉદયચન્દ્ર : જેસલમેર, લીલાવતીસાર મહાકાવ્ય-જિનરત્નસૂરિહ (જેસલમેર), અલંકારવર્ણન : નરેન્દ્રપ્રભ (અમદાવાદ), કાવ્યાસ્નાય-અમરચન્દ્ર, વાગભટ્ટાલંકારવૃત્તિ-જિનપવર્ધન-કુમુદચન્દ્ર (અમદાવાદ) - રાજહંસોપાધ્યાય (અમદાવાદ), ઋષભોલ્લાસકાવ્ય (અમદાવાદ), કવિગુહ્યકાવ્ય-રવિધર્મ : (જેસલમેર), ચન્દ્રદૂતકાવ્ય જંબૂકવિ, નલોદયકાવ્ય રવિદેવ ડિક્કન-પુના), નેમિદૂત વિક્રમ (લિંબડી).
. [વિશેષ યાદી પેજ નં : ૧૮૫ ઉપર]
૧. આ “ચૌખપ્પા સંસ્કૃત સિરીઝમાં છપાયેલા છે. ૨. આ “આયુર્વેદીય ગ્રન્થમાળામાં વૈદ્ય જાદવજી ત્રિકમજીએ છપાવેલ છે. એનો સંક્ષિપ્ત પરિચય શ્રી દુર્ગાશંકર
કેવળરામ શાસ્ત્રીએ આયુર્વેદનો ઇતિહાસ (પૃ. ૨૨૭)માં આપ્યો છે. ૩. આની એક સૂચી મેં રસોઈનું રસાયણ નામના પુસ્તકના અવલોકનમાં આપી છે. એ અવલોકન “માનસી” (વ. ૧૦, એ. ૩)માં છપાયું છે.
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
P ૨૩૪
પ્રકરણ ૧૫ : વિજ્ઞાન ‘વિજ્ઞાનનો સામાન્ય અર્થ ‘વિશિષ્ટ જ્ઞાન’ એમ થાય છે. વળી આ શબ્દના બીજા પણ અર્થ કરાય છે : (૧) શાસ્ત્રીય જ્ઞાન, (૨) અનુભવ-જ્ઞાન અને (૩) બ્રહ્મજ્ઞાન. અહીં તો હું આ શબ્દ ભૌતિકશાસ્ત્ર, રસાયન-શાસ્ત્ર, જીવ-શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ખનિજ-શાસ્ત્ર, ધાતુ-શાસ્ત્ર એમ વિવિધ વૈજ્ઞાનિક શાખાઓને અંગેના ગ્રંથો એ અર્થમાં વાપરું છું. અન્ય શબ્દોમાં કહું તો જેને અંગ્રેજીમાં સાયન્સ (science) કહે છે તેને લગતા ગ્રંથો એમ અહી હું ‘વિજ્ઞાન” શબ્દથી સૂચવું છું.
કલાકલાપ (લ. વિ. સં. ૧૨૮૦)- ચ. પ્ર. (પૃ. ૧૨૬)માં “વાયડ’ ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય અમરચન્દ્રસૂરિની કૃતિઓ ગણાવાઇ છે. એમાંની એકનું નામ અહીં કલાકલાપ એમ અપાયું છે અને એનો “શાસ્ત્ર' તરીકે ઉલ્લેખ કરાયો છે. શું એમાં ૭૨ કે ૬૪ કળાઓનું નિરૂપણ હશે ? ક્ષેમેન્દ્ર કલાવિલાસ રચ્યો છે તેના જેવી આ કૃતિ હશે ? કલાકલાપની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી એટલે એ કૃતિના વિષય વિષે ખાતરીથી શું કહેવાય ?
મૃગ-પક્ષિ-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૩૨૫)- આના કર્તા હંસદેવ છે. એઓ શૌડદેવના આશ્રિતકૃપાપાત્ર (protege) થાય છે. ઈ.સ.ની ૧૩મી સદીમાં વિદ્યમાન આ હંસદેવે બે ખંડમાં ૧૭૧૨ શ્લોકમાં આ કૃતિ રચી છે. પ્રાણિ-વિદ્યા (Zoology)ના આ વિરલ પુસ્તકની એક હાથપોથી ત્રિવેન્દ્રમના “રાજમહેલપુસ્તકાલયમાં છે. આ પુસ્તકમાં પશુ-પંખીના આયુષ્ય વિષે ઉલ્લેખ છે. એની સંક્ષિપ્ત નોંધ “જૈ. સ. પ્ર.” (વ. ૯, અં. ૭, પૃ. ૩૪૦)માં લેવાઈ છે. અંગ્રેજી અનુવાદ- આ શ્રીસુન્દરાચાર્ય પ્રકાશિત કર્યો છે. જુઓ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ('ભા. ૫) “લાક્ષણિક સાહિત્ય” (પૃ. ૨૫૦) આમાં અપાયેલી “સહાયક ગ્રંથોની સૂચીમાં મારા ત્રણ પુસ્તકનો ઉલ્લેખ છે. તે પૈકી એક તે જૈ. સં. સા. ઈ. (ખંડ ૧) છે. બીજાં બે પુસ્તકો તે આગમોનું દિગ્દર્શન અને પા. ભા. સા. છે. ઉપર્યુક્ત, ભા. ૫માં સંસ્કૃત ઉપરાંત
પાઇય કૃતિઓનો પણ પરિચય અપાયો છે. P ૨૩૫ ગજ-પ્રબંધ, ગજ-પરીક્ષા યાને હસ્તિપરીક્ષા (લ. વિ. સં. ૧૨૧૫)- આના કર્તા જગદેવના
પિતા દુર્લભરાજ હોવાનું મનાય છે. શું ૧૫૦૦ શ્લોક‘જેવડી જે કૃતિનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૬૧)માં છે તે જ આ છે ? શું એમાં પાલકાપ્યના હસ્યાયુર્વેદનો ઉપયોગ કરાયો છે ?
તુરંગ-પ્રબંધ (લ. વિ. સં. ૧૨૧૫)- આના કર્તા જગદેવના પિતા દુર્લભરાજ હોવાનું મનાય છે. ૧. આ ભાગ “પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન” તરફથી સને ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. એના લેખક પં.
અંબાલાલ પ્રે. શાહ છે. [બૃહદ્ ઇતિહાસના સાતેય ભાગનું પુનર્મુદ્રણ એ જ સંસ્થા દ્વારા થયું છે. આ ભાગોનો
ગુજરાતી અનુવાદ આ. સોમચન્દ્રસૂરિ મ. સા. ના માર્ગદર્શન મુજબ થઈ રહ્યો છે.] ૨. આમાં હાથીનાં લક્ષણ, વર્ણ, લગભગ ૧૮૦ રોગો અને એની ચિકિત્સા, હાથીના પાલન, એને પકડવાની રીત
ઇત્યાદિ વિષે નિરૂપણ છે. આ ચાર સ્થાનમાં કુલ ૧૬૦ અધ્યાયમાં રચાયેલી કૃતિ પૂનાની “આનંદાશ્રમ ગ્રન્થમાલા''માં પ્રસિદ્ધ કરાઈ છે.
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ : વિજ્ઞાન : પ્રિ. આ. ૨૩૪-૨૩૬]
૧૪૭
શાલિહોત્ર- આ ઘોડા પારખવાની વિદ્યાને અંગેની કૃતિ હશે. આ નામની ૧૩૮ શ્લોકની કૃતિ ભોજે રચી છે.
અશ્વાદિગુણઆ નામથી એક કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૬૧)માં નોંધાયેલી છે એમાં ઘોડા વગેરેના ગુણો વર્ણવાયા હશે. શ્વ-શકુનાધ્યાય- જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪00)માં આ કૃતિનું નામ શ્વાનશકુનાધ્યાય અપાયું છે. એ ઉપરથી મેં આ નામ યોજ્યું છે. આ કૃતિની નોંધ પત્તન સૂચી (ભાગ ૧, પૃ. ૧૨૬)માં છે. આ કૃતિમાં ૨૨ પદ્યો છે. એમાં કૂતરાની હિલચાલ ઉપરથી શુકન જાણવાની હકીકત અપાઈ છે.
શ્વાન-સપ્તતિકા– આ નામની એક કૃતિ જૈ ગ્રં. (પૃ. ૩૫૭)માં નોંધાયેલી છે. શું એ સંસ્કૃતમાં છે?
શ્વ-રુદિત– જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૬)માં “શુનરુત” નામની કૃતિની એક હાથપોથી સુરતના જૈનાનંદ પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ છે. એ હાથપોથી મેં જોઈ તો જણાયું કે એ એક પત્રની હાથપોથી છે અને એમાં ૨૫ પદ્યો છે. એના પ્રારંભમાં “શ્રીશ(9)શ્વર (૨) પાર્થ નાથાય નમ:' એમ છે. અંતમાં ‘તિ શુનરુતં સમi 1શ્રી ! છે || શ્રી !' એવો ઉલ્લેખ છે. પ્રારંભમાં આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છે :
P ૨૩૬ “સ્થાને – પ્રવેશે વI(J)રામ્યન્તરેfપ વા||
ના વૈ હિત વિત્ર પ્રવક્ષ્યાગનુપૂર્વશ(:) T? It' આ કૃતિમાં પોતાના ઘરથી પ્રસ્થાન કે એમાં પ્રવેશ કરતી વેળા કૂતરાની પ્રવૃત્તિ કેવી છે તે ઉપરથી મળનારા ફળનો ઉલ્લેખ કરાયો છે. જેમ કે ગામમાં પેસતાં મનુષ્યના કરતાં પહેલાં જો કૂતરો પ્રવેશે તો એ મનુષ્યને ગામમાંથી ઇષ્ટ ભોજન અને સુખે નિવાસ મળે (શ્લો. ૩). જે વ્યક્તિને પ્રસ્થાનની વેળાએ કૂતરાનું મુખ માંસથી અથવા અન્ય ભક્ષ્યથી પૂર્ણ દેખાય તેને લાભ થાય અને એનું કાર્ય સિદ્ધ થાય (શ્લો. ૬). હરિત (લીલી વસ્તુ)ને મુખમાં રાખી કૂતરો દોડતો જોવાય તો રાજાની કૃપા અને ખ્યાતિ મળે અને ચિત્તવેલું કાર્ય સફળ થાય (શ્લો. ૧૩). પ્રસ્થાનના સમયે જો કૂતરો ડાબી બાજુથી જમણી બાજુ જાય તો પ્રસ્થાન દુ:ખકર જાણી ન કરવું (શ્લો. ૧૫). જો કૂતરો અકાળે વિસ્વર અને તીક્ષ્ણ રુદન કરતો હોય તો મોટો ક્ષય ઉપસ્થિત થશે એમ જાણવું (શ્લો. ૨૦). મધ્યાહ્નના સમયે ગામમાં ઊંચું મુખ રાખીને કૂતરો રડે તો આગનો ભય રહે (શ્લો. ૨૧)
કાક-રુત– આ કૃતિની એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદ પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં છે. એ જોતાં જણાયું છે. કે આ લગભગ અઢીસો વર્ષ ઉપરની ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિ છે. એમાં કાગડાને ઉદેશીને ત્રણ પિંડ બનાવી જાતજાતના પ્રશ્નોના ઉત્તર વિચારાયા છે.
ધનુર્વેદ-આ કૃતિની જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં નોંધ છે.
૧. આ નામ મેં યોજયું છે. ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪00)માં ૨૦ પાઠય પદ્યમાં રચાયેલી અને શ્વાનરુતશકુનવિચાર એવા નામાંતરવાળી
શ્વાનરુત નામની કૃતિની નોંધ છે.
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
P ૨૩૭ ધનુર્વિદ્યા અને એની વૃત્તિ- આ કૃતિઓ વિષે જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં ઉલ્લેખ છે. શું આ બંને કૃતિ સંસ્કૃતમાં છે અને એના કર્તા જૈન છે ?
સમસ્તરત્નપરીક્ષા- આ નામ ઉપરથી એમ જણાય છે કે એમાં તમામ જાતનાં રત્નોની પરીક્ષાનું નિરૂપણ હશે. આ ૬૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૬૩)માં છે. સંગ્રામસિંહે બુદ્ધિસાગરમાં રત્નાદિની પરીક્ષાનો વિષય ચર્ચો છે.
રયણપરિખા (લ. વિ. સં. ૧૩૭૦)- આ નામની એક કૃતિ ઠક્કર ફેરએ “કલિકાલચક્રવર્તી અલાઉદીન ખીલજીના રાજયમાં પોતાના પુત્ર હેમપાલને બોધ કરાવવા માટે રચી છે. એ પ્રાકૃતમાં છે.
હીરક-પરીક્ષા– આ કોઈ દિગંબરે ૯૦ શ્લોક જેવડી રચેલી કૃતિનું નામ વિચારતાં એમ લાગે છે કે હીરાની પરીક્ષા કેમ કરવી એ બાબત આ કૃતિમાં ચર્ચાઈ હશે. P ૨૩૮ ધાઉપ્પત્તિ (ધાતંત્પત્તિ) (લ. વિ. સં. ૧૩૭૫)- આના કર્તા ઠક્કર ફરુ છે. શું આ કૃતિ સંસ્કૃતમાં
મષી-વિચાર- જેસલમેરના ભંડારમાં આ કૃતિની હાથપોથી હોવાનો અને એમા તાડપત્ર તેમજ કાગળ ઉપર લખવા માટે કામમાં લેવાની શાહી (મષી) કેમ બનાવવી એ હકીકત હોવાનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં છે. આ સંબંધમાં કેટલીક માહિતી જૈન ચિત્ર કલ્પદ્રુમમાંનું વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીનું લખાણ (પૃ. ૩૭-૪૫) પૂરી પાડે છે.
લેખ-પદ્ધતિ– આની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૩૮)માં છે. લેખન-પ્રકાર-જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં આ કૃતિ વિષે ઉલ્લેખ છે.
વિજ્ઞાન-ચંદ્રિકા વિજ્ઞાનાર્ણવ અને વિજ્ઞાનાર્ણવોપનિષદુ– આ ત્રણે કૃતિની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૫)માં છે.
સુિવર્ણ-રુણ્યસિદ્ધિશાસ્ત્રસંપા. જે. સી. સિકંદર. ઇ. સ. ૧૯૯૮. પ્રકા. પં. સુખલાલજી ગ્રંથમાલા.]
૧. કેટલાંક રત્નોનાં નામ અભિ. ચિ. (કાંડ ૪, શ્લો. ૧૨૯-૧૩૪)માં અપાયાં છે. ગ્લો. ૧૨૯ની સ્વોપ વિવૃતિમાં વાચસ્પતિના નામથી રત્નની આઠ જાતિ ગણાવાઈ છે : (૧) હીરો, (૨) મોતી, (૩) સુવર્ણ, (૪) રૂપું, (૫) ચન્દન (૬) શંખ, (૭) ચર્મ અને (૮) વસ્ત્ર. વિવિધ જાતનાં રત્નોનો-હીરા, મોતી વગેરેનો અનેક આકૃતિઓ અને ચિત્રો સહિત પરિચય જી. એફ. હર્બર્ટ સ્મિથકૃત (Gem-stones and their distinctive characters) નામના પુસ્તકમાં અપાયો છે. એની “મેથુએન એન્ડ કંપની લિમિટેડ” તરફથી લંડનથી બીજી
આવૃત્તિ ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરાઈ છે. ૨. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. ૧૯૪, ૧૯૬, ૧૯૯ અને ૨૩૮. ૩. આ કૃતિની નોંધ પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલમાં લીધી છે. એનો ક્રમાંક ૧૫૦૪ છે. ૪. આ નામ મેં યોજયું છે.
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર
P ૨૩૯ નીતિ' એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) સદાચાર, (૨) આચરણને અંગેના નિયમો, (૩) ચાલચલગત, (૪) રાજનીતિ, (૫) પદ્ધતિ અને (૬) ધોરણ એમ વિવિધ અર્થ કરાય છે. આ પૈકી અંતિમ બે અર્થ તો અત્ર અપ્રસ્તુત છે.
આચરણના નિયમોનું શાસ્ત્ર તેમજ રાજનીતિનું શાસ્ત્ર પણ નીતિશાસ્ત્ર' કહેવાય છે. વ્યવહારકુશળતાને પણ એમાં સ્થાન છે. વિશેષમાં બોધદાયક મિતાક્ષરી વર્ચનો-વાક્યોનો-નીતિસૂત્ર (maxim)નો-“સુભાષિતોનો પણ આ નીતિશાસ્ત્રમાં સમાવેશ કરાય છે. આમ વિવિધ બાબતો ઉપર નીતિશાસ્ત્ર પ્રકાશ પાડે છે. એને અંગેની કૃતિઓ હવે આપણે વિચારીએ તે પૂર્વે એ વાત નોંધી લઈશું કે “ધર્મ' એ અંગ્રેજી શબ્દ રીલિજીયન (religion) કરતાં વિશેષ વ્યાપક હોવાથી એમાં નીતિ (ethics)નો અંતર્ભાવ થાય છે, પરંતુ કેવળ નીતિમય જીવન એ કંઈ ધાર્મિક જીવન નથી એટલે કે નીતિને ધર્મ સાથે લેવાદેવા હોય જ એમ નહિ. તેમ છતાં નીતિમય જીવન જીવવું એ માનવતાના સોપાનનું પ્રથમ પગથિયું તો છે જ. (૧) સામાન્ય નીતિ
P ૨૪૦ પ્રશ્નોત્તરરત્નમાલા યાને રત્નમલિકા (ઉ. વિ. સં. ૯૦૦)- આ ૨૯ પદ્યોની કૃતિનો વિષય સામાન્ય નીતિ છે અને એ પ્રશ્ન અને ઉત્તર દ્વારા ઘણી સુગમ સંસ્કૃત ભાષામાં ચર્ચાયો છે. આના કર્તા 'વિમલસૂરિ છે તો કેટલાકને મતે દિ. જિનસેનના અનુરાગી અમોઘવર્ષ છે." કેટલાક આને “બૌદ્ધ' કૃતિ ૧. સુભાષિતો સદાચારના ઘાતક અને પોષક છે. એને લગતા સંગ્રહને અંગ્રેજીમાં એન્થોલોજી (anthology)
કહે છે. એમાં સૈકાઓનો અનુભવ મધુરી વાણીમાં વિશદ રીતે રજૂ કરાયેલો હોય છે. ૨. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૦૭માં (ત્રીજી આવૃત્તિ) છપાયેલી છે. દેવેન્દ્રકૃત ટીકા સહિત
એ હીરાલાલ હંસરાજે જામનગરથી ઈ. સ. ૧૯૧૪માં છપાવી છે. ૩. જુઓ H I L (Vol. II, p. 559 fn.) ૪. કોઈ કોઈ એમને વીરસંવત્ પ૩૦માં પઉમચરિય રચનારા વિમલસૂરિ માને છે. વળી કેટલાક વિમલ'ને
બદલે વિમલસૂરિ માને છે. વળી કેટલાક વિમલ'ને બદલે વિમલચન્દ્ર નામ રજૂ કરે છે. ૫. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૦). અહીં કહ્યું છે કે તિબેટી અનુવાદમાં અમોઘવર્ષનું નામ છે.
આ સંબંધમાં પ લાલચન્દ્ર ગાંધીએ “આચાર્ય શ્રીવિજય-વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ.” (પૃ. ૫૭-૬૫)માં છપાયેલા એમના લેખનામે “શ્વેતાંબર ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તરરત્નમાલા”માં વિરુદ્ધ મત દર્શાવ્યો છે. તેમ
કરવા માટે એમણે નીચે મુજબનાં કારણ આપ્યાં છે :(અ) પ્રશ્નોત્તરરત્નમાલાની ઘણી તાડપત્રીય હાથપોથીઓ પણ શ્વેતાંબરોના ભંડારોમાં જોવાય છે અને વિ. સં.
૧૨૨૩થી આ કૃતિના કર્તા શ્વેતાંબર વિમલ હોવાની પરંપરા જળવાઈ રહી છે. (આ)અમોઘવર્ષના નામવાળું પદ્ય આર્યાને બદલે અનુષ્ટ્રભૂમાં છે તે વ્યાજબી નથી. (ઈ) અમોઘવર્ષ દીક્ષા લીધા બાદ પોતાનો પૂર્વાવસ્થાના નામે-રાજા તરીકે ઉલ્લેખ કરે એ સમુચિત ન ગણાય. (ઈ) અમોઘવર્ષના નામવાળું પદ્ય કેટલું પ્રાચીન છે તેની તપાસ થવી ઘટે. () પ્રશ્નોત્તરરત્નમાલાના તિબેટી' અનુવાદમાં અમોઘવર્ષનું નામ મળે છે એ માટે પ્રમાણ દર્શાવાયું નથી.
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
P ૨૪૧ તો કેટલાક આને વૈદિક 'હિંદુઓની કૃતિ ગણે છે. એ ગમે તે હો, પણ એ ઉપરથી એ વાત ફલિત થાય
છે કે આ કૃતિ સર્વમાન્ય-સર્વધર્મસંમત થઈ શકે તેવી છે અને થઈ છે. આના ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે –
(૧) વૃત્તિ- આ ૨૧૩૪ શ્લોક જેવડી છે. એનો પ્રારંભ ‘ઇન્દ્રાદિત્યદીપથી'' થી થાય છે. એની રચના યશોઘોષના શિષ્ય હેમપ્રભ વિ. સં. ભુવન-શ્રુતિ-રવિ એટલે ૧૨૭૩માં કરી છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૭૬)માં ઉલ્લેખ છે. પં. લાલચન્દ્ર ગાંધીએ તો એમના લેખમાં વિ. સં. ૧૨૨૩નો ઉલ્લેખ કર્યો છે.
(૨) ટીકા- આ ૭૩૨૬ શ્લોક જેવડી ટીકાના કર્તા “રુદ્રપલ્લીયમ્ ગચ્છનાં સંઘતિલકના શિષ્ય દેવેન્દ્ર છે. એમણે આ ટીકા વિ. સં. ૧૪૨૯માં રચી છે અને પ્રત્યેક પ્રશ્નને અંગે એકેક કથા આપી છે.
(૩) વૃત્તિ- આ મુનિભદ્ર રચી છે. HIL (Vol. I, p. 559, fn.) માં મણિભદ્રનો ઉલ્લેખ છે તે શું સાચો છે ?
(૪) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.
રૂપાંતર–ભવ્યોત્તમ મુનિએ આ પ્રશ્નોત્તરરત્નમાલાનું રૂપાંતર પાઇયનું કર્યું છે. શાઇફનર P ર૪૨ (Schiefner) દ્વારા તિબેટી રૂપાંતર તિબેટીમાં અને જર્મનમાં સંપાદિત કરાયું છે. ઈ. સ. ૧૮૬૭માં "ફ્રેન્ચ અનુવાદ છપાયો છે.
સમાનનામક કૃતિ- ઉત્તમર્ષિની એક કૃતિનું નામ પ્રશ્નોત્તર-રત્નમાલા છે.
નીતિશાસ્ત્ર (લ. વિ. સં. ૧૩00)- આના કર્તા તિલકપ્રભસૂરિ છે. એઓ ‘પૂર્ણિમા' ગચ્છના દેવસૂરિના શિષ્ય થાય છે. એમણે સુભાષિતાવલી રચી છે. આ બંને કૃતિનો ઉલ્લેખ અજિતપ્રભસૂરિએ વિ. સં. ૧૩૦૭માં રચેલા શાંતિનાથચરિત્રની પ્રશસ્તિ (શ્લો.)માં કર્યો છે. ઉપર્યુક્ત તિલકપ્રભસૂરિએ આ નીતિશાસ્ત્ર રચ્યું તે પૂર્વે ભાવનાસાર રચ્યો હતો.
નીતિધનદ (વિ. સં. ૧૪૯૦)- આના કર્તા ધનદ છે. એમને ધન્યરાજ અને ધનરાજ પણ ૧. કેટલાક આ કૃતિના કર્તા તરીકે શુક યતીન્દ્રનો ઉલ્લેખ કરે છે. ૨. જુઓ (HIL (Vol. || pp. 557-560) મંજૂશ્રી, ગણેશ અને મહાવીર’ને ઉદેશીને પણ મંગલાચરણો જોવાય
છે. કોઈકે કર્તા તરીકે શંકરાચાર્યનો ઉલ્લેખ કર્યો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૪૦. ૪. પવોલિનિએ કરેલું પાઇઅ રૂપાંતર GSAI (II pp. 153-163)માં છપાયું છે. ૫. એ રૂપાંતર પેટ્રોપોલીથી ઈ. સ. ૧૮૫૮માં પ્રસિદ્ધ થયું છે. ૬.Indische Streifen (I, pp. 210. ff) માં બે રૂપાંતરોના જર્મન અનુવાદો પ્રસિદ્ધ થયા છે. ગ્લો. ૮, ૧૦,
ર૬ અને ૨૭નો વિન્તર્નિન્સ કરેલો અંગ્રેજી અનુવાદ HIL (Vol. II, pp. 559-560)માં અપાયો છે. ૭. "Indian Historical Quarterly (V, p. 1431)માં ઈ. સ. ૧૯૨૯માં વિધુશેખર ભટ્ટાચાર્યનો લેખ છપાયો છે. ૮. આ તેમજ શંગાર-ધનદ અને વૈરાગ્ય-ધનદ એ ત્રણે શતકો “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં
મુદ્રિત થયાં છે. ૯. આ કૃતિને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૬)માં નીતિ-શતક કહી છે.
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૪૧-૨૪૪]
૧૫૧
કહે છે. મંડન મંત્રીના કાકા દેહડના પુત્ર થાય છે. એમની માતાનું નામ ગંગાદેવી હતું. આ ધનદે P ૨૪૩ ભર્તુહરિકૃત શતકત્રયની પેઠે ત્રણ શતકો રચ્યાં છે. એને ધનદ-ત્રિશતી તરીકે ઓળખાવાય છે. આ પૈકી એક શતક તે નીતિ-ધનદ છે, અને બીજાં બે તે શૃંગાર-ધનદ અને વૈરાગ્ય-ધનદ છે. નીતિ-ધનદ નામની કૃતિ મંડપદુર્ગમાં વિ.સં. ૧૪૯૦માં રચાયેલી છે. એમાં ધનદે પોતાનો પરિચય આપ્યો છે. સાથે સાથે એમાં એમણે જિનભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે.
નીતિશાસ્ત્ર (લ. વિ. સં. ૧૫૩૦)- આ ધર્મશ્રેષ્ઠીની કૃતિ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૪માં લખાયેલી મળે છે.
નીતિસાર- આ ૧૧૩ પદ્યની કૃતિના રચનાર દિ. ઇન્દ્રનંદિ છે. “ઇન્દ્રનંદિ' શબ્દ આના આદ્ય પદ્યમાં છે. અંતિમ પદ્ય કર્તાની પ્રશંસારૂપ છે તો એ કર્તાના કોઈ ભક્ત ઉમેર્યું હશે. ૭૦મા પદ્યમાં પ્રભાચન્દ્ર તેમજ નેમિચન્દ્રનો ઉલ્લેખ છે.
નીતિસારસમુચ્ચય- આના કર્તાનું નામ કુંદકુંદાચાર્ય છે. નીતિ-રસાયણ–આના કર્તા શુભચન્દ્ર છે. શું એમણે જ વિ. સં. ૧૬૦૮માં પાંડવ-પુરાણ રચ્યું છે? નીતિગ્રન્થ– આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. નીતિસાર- પ્રભાચન્દ્ર તેમજ સમયભૂષણે આ નામની એકેક કૃતિ રચી છે.
સજ્જન-ચિત્ત-વલ્લભ- આ સામાન્ય નીતિને લગતી ૨૫ પદ્યોની કૃતિના કર્તા મલ્લિષણ છે. ત્રીજા પદ ઉપરથી એ દિ. હોય એમ લાગે છે. એ પદ્યમાં મલ્લિષણનો ઉલ્લેખ છે.
ટીકા- આ લઘુ કૃતિના ઉપર કોઈકની ટીકા છે. અભિનવ શ્રુતમુનિએ કાનડીમાં આ મૂળ કૃતિની ટીકા રચી છે.
રત્નમાલા- આ સદાચારને અંગેની ૬૭ શ્લોકની કૃતિ છે. એ દિ. સમંતભદ્રના શિષ્ય 2 ૨૪૪ શિવકોટિની રચના છે. એના સંપાદકના મતે આ કૃતિના પ્રણેતા આરોહણાના કર્તાથી ભિન્ન છે, કેમકે
શ્લો. ૨૨, ૬૩ અને ૬૪ એ આરાહણામાંના નિરૂપણથી ભિન્ન મત દર્શાવે છે. વિશેષમાં એમણે કહ્યું છે કે શ્લો. ૬૫ યશસ્તિલકમાંથી ઉદ્ધત કરાયો હશે.
(૨) સુભાષિતો સૂક્તિસમુચ્ચય (લ. વિ. સં. ૧૦૨૫)- આના કર્તા યશસ્તિલક (વિ. સં. ૧૦૧૬), નીતિવાક્યામૃત વગેરે રચનારા દિ. સોમદેવસૂરિ હોવાનું કેટલાક માને છે. ૧. એઓ ગુર્જર પાદશાહનો ગર્વ તોડનારા ઘોરી આલમશાહના મંત્રી થાય છે. એમણે ‘ખરતર' ગચ્છના મુનિઓ
પાસેથી તીર્થકરોનાં ચરિત્રો સાંભળી તત્ત્વોપદેશ પ્રાપ્ત કર્યો હતો. ૨. આ ઉમા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩ નામે “તત્ત્વાનુશાસનાદિસંગ્રહ'માં પૃ. ૫૮-૬૯માં વિ. સં. ૧૯૭પમાં
છપાવાયો છે. ૩. આ નામની એક કૃતિ પં. નેમિદાસ રચી છે. ૪. આ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૧માં વિ. સં. ૧૯૭૯માં છપાવાઈ છે. પ. જુઓ પૃ. 161.
For Personal & Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
સુભાષિત-રત્ન-સન્દ્રોહ (વિ. સં. ૧૦૫૦)– આના કર્તા દિ. અમિતગતિ બીજા છે. એઓ ‘માથુર” સંઘના માધવસેનના શિષ્ય અને નેમિષણના પ્રશિષ્ય થાય છે. એમણે "આરાધના, ઉપાસકાચાર યાને P ૨૪૫ શ્રાવકાચાર ભાવના-દ્વાવિંશતિકા, ધર્મપરીક્ષા, પંચસંગ્રહ અને ૧૨૧ પદ્યનો સામાયિક-પાઠ પણ રચ્યાં
છે. પ્રસ્તુત કૃતિ એમણે ૯૨૨ પદ્યોમાં ૩૨ પ્રકરણોમાં વિભક્ત કરી વિ. સં. ૧૦૫૦માં રચી છે. આપ્તનું સ્વરૂપ વિચારતી વેળા વૈદિક હિંદુઓના દેવોની કડક સમાલોચના ૨૬મા પ્રકરણમાં કરાઈ છે. વિશેષમાં અંતમાં ૨૧૭ પદ્યો દ્વારા શ્રાવકોના ધર્મ વિષે નિરૂપણ કરાયું છે અને એ રીતે શ્રાવકાચારની આ નાની આવૃત્તિ ગણાય. સ્ત્રીઓના ગુણો અને દોષો, ઇન્દ્રિયોનો નિગ્રહ વગેરે બાબતો આ કૃતિમાં આલેખાઈ છે.
"હેમચન્દ્ર-વચનામૃત (લે. વિ. સં. ૧૨૨૦૧૨)- આ રચના “કલિ.” હેમચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૨૦ની આસપાસમાં રચેલા ત્રિષષ્ટિશના દસે પર્વમાંથી ચૂંટી કાઢેલાં વચનામૃતોના સંગ્રહરૂપ છે. આ ૧. આની બીજી આવૃત્તિ “કાવ્યમાલા” (ગુ.)માં ઈ. સ. ૧૯૦૯માં છપાઈ છે. આ મૂળ કૃતિ હિંદી અનુવાદ
સહિત “હરિભાઈ દેવકરણ જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૩ તરીકે છપાઈ છે. વળી આ કૃતિ આર. શ્મિટ અને હર્ટલ એ બેના સંયુક્ત જર્મન અનુવાદ સહિત Z D M G માં બે કટકે ઈ.સ. ૧૯૦૫ અને ઈ. સ. ૧૯૦૭માં Vol. 59 માં અને 61 માં છપાઈ છે. સુભાષિતરત્નસંદોહના નામથી મૂળ કૃતિ, એના દયાળજી ગંગાધર ભણસાળીએ શરૂ કરી લગભગ પૂર્ણ કરેલા અને છેલ્લાં સો એક પધોના ભોગીલાલ અમરતલાલ જવેરીએ કરેલા ગુજરાતી ભાષાંતર સહિત હીરજી ગંગાધર ભણસાળીએ વિ. સં. ૧૯૮૮માં પ્રકાશિત કરી છે. મૂળ
કૃતિ અશુદ્ધ છપાઈ છે. ૨. “આચાર્ય અમિતગતિ” એ નામનો પં. નાથુરામ પ્રેમીનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૧૭૨-૧૮૨)માં છપાયો છે. ૩. એમના ગુરુ તે “વીતરાગ' અમિતગતિ યાને અમિતગતિ પહેલા છે. એ અમિતગતિ વીરસેનના શિષ્ય
દેવસેનના શિષ્ય થાય છે. એ અમિતગતિ પહેલાએ યોગસાર-પ્રાભત રચ્યું છે એમ કેટલાક કહે છે. ૪. એમની શિષ્ય-પરંપરા નીચે મુજબ છે :
શાન્તિષેણ, અમરસેન, શ્રીષેણ, ચન્દ્રકીર્તિ અને વિ. સં. ૧૨૪૭માં “અપભ્રંશ'માં છક્કમોવએસ રચનાર અમરકીર્તિ. ૫. આ વિજયોદયા અને દર્પણની સાથે છપાઈ છે. ૬. આ કૃતિ “અનંતકીર્તિ દિગંબર જૈન ગ્રંથમાલામાં વિ. સં. ૧૯૭૯માં છપાઈ છે. ૭. આને સામાયિકપાઠ પણ કહે છે. આ ૩૩ પદ્યની કૃતિ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩માં પૃ. ૧૩૨-૧૩૭માં
વિ. સં. ૧૯૭પમાં છપાઈ છે. ૮. આ કૃતિ હિન્દી અનુવાદ સહિત ઘણાં વર્ષો ઉપર છપાઈ છે. ૯. આ “મા. દિ. ગ્રં.'માં ગ્રંથાંક ૨૫ તરીકે ઈ.સ. ૧૯૨૭માં છપાયો છે. ૧૦. આ કૃતિ “મા. દિ. ગ્રં.માં ગ્રંથાંક ૨૧ નામે “સિદ્ધાન્તસારાદિસંગ્રહમાં ૧૭૦-૧૯૧માં વિ. સં. ૧૯૭૯માં
છપાઈ છે. ૧૧. આ કૃતિ “વિજયધર્મસૂરિગ્રન્થમાલા”માં પુસ્તક ૩૬ તરીકે વિ. સં. ૧૯૯૩માં પ્રકાશિત થયેલી છે. આમાં બે
અનુક્રમણિકાઓ અપાઈ છે. પહેલીમાં પર્વ અને સર્ગના ક્રમાંક અપાયા છે અને બીજીમાં વિષયનો ઉલ્લેખ માનનીય-વર્ગ, કુટુંબ-વર્ગ, રાજ-વર્ગ, દ્વન્દ્ર-વર્ગ, ગુણિ-વર્ગ, અવગુણિ-વર્ગ ઈત્યાદિ વર્ગો પાડીને કરાયો છે. વિશેષમાં એને દેવ-કાંડ (૪૮), માનવ-કાંડ (૪૭૬), તિર્યક-કાંડ (૬૫) અને અજીવ-કાંડ (૩૨૪) એમ ચાર
કાંડમાં વિભક્ત કર્યા છે. અહીં ૪૮ ઈત્યાદિ વચનોની સંખ્યા છે. ૧૨. આ રચનાસમય હેમચન્દ્રવચનામૃતગત સંસ્કૃત લખાણને અંગેનો છે.
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૪૪-૨૪૭]
૧૫૩
સંગ્રહમાં સાતમા પર્વ પૂરતો અંશ ન્યાયતીર્થ સાહિત્યતીર્થ મુનિશ્રી હિમાંશુવિજયે યોજ્યો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે, જ્યારે બાકીનાં નવે પર્વમાંથી વચનામૃતો એકત્રિત કરી તેનો ગુજરાતી અનુવાદ મુનિશ્રી જયન્તવિજયજીએ કર્યો છે. આ સમગ્ર સંગ્રહમાં ૯૧૫ વચનામૃતો છે. આમાં મે ૨૪૬ કેટલાંક વચનામૃતો એવાં છે કે જેમાં બબ્બે નીતિવાક્યો સંકળાયેલાં છે.
આ સંગ્રહમાં પરમાત્મા, સૂર્ય, ચન્દ્ર, મુનિ, સંત, ગુરુ, વડીલ, શિષ્ય, અતિથિ, સાધર્મિક, આપ્ત, ચક્રવર્તી, મંત્રી, સુભટ, સારથિ, પ્રજા, બ્રાહ્મણ, મિત્ર, શત્રુ, સ્ત્રી, પશુ, પક્ષી, રાજનીતિ ઇત્યાદિને લગતાં વચનામૃતો છે.
સૂક્તિમુક્તાવલી, સિજૂરપ્રકર યાને સોમશતક (લ. વિ. સં. ૧૨૫૦)- આના કર્તા સોમપ્રભસૂરિ છે. એઓ ‘પોરવાડ વૈશ્ય સર્વદેવના પુત્ર અને જિનદેવના પૌત્ર થાય છે. એમણે કુમારાવસ્થામાં “બૃહદ્ ગચ્છના અજિતદેવના શિષ્ય વિજયસિંહ પાસે દીક્ષા લીધી હતી અને એઓ ટૂંક સમયમાં આચાર્ય બન્યા હતા. એમણે વિ. સં. ૧૨૪૧માં કુમારવાલપડિબોહ રચ્યો છે. વળી સુમઈનાચરિય, શતાર્થ-કાવ્ય અને એની પસ્વપજ્ઞ વૃત્તિ તેમજ શૃંગારવૈરાગ્યતરંગિણી પણ એમની રે ૨૪૭ કૃતિઓ છે. એમનો સ્વર્ગવાસ ‘શ્રીમાલ' નગરમાં વિ. સં. ૧૨૮૪ની આસપાસમાં થયાનું મનાય છે. એમના પટ્ટધર તે જગચ્ચન્દ્રસૂરિ છે.
આ પ્રાસાદિક કૃતિ સૂક્તિરૂપ મુક્તકોની માળા જેવી હોવાથી એનું સૂક્તિમુક્તાવલી એવું નામ કર્તાએ અંતિમ શ્લોકમાં દર્શાવ્યું છે. આ કૃતિનો પ્રારંભ “સિજૂર-પ્રકર'થી થતો હોવાથી એનું આ નામ પડ્યું છે. એમાં સો શ્લોક હોવાથી એના કર્તાનું નામ જોડી એને સોમશતક કહે છે. ભર્તુહરિકૃત નીતિશતક જોઈને કર્તાએ આ શતક રચ્યું હશે. એ વિવિધ છંદોમાં ગુંથાયેલું છે.
૧. આ કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૦૭માં (ત્રીજી આવૃત્તિ) છપાયું છે. એ હર્ષકીર્તિસૂરિકૃત
વ્યાખ્યા સહિત અમદાવાદથી ઈ. સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ થયું છે. ભીમસી માણેક તરફથી આ કાવ્ય આ વ્યાખ્યા, એને અંગેનો કોઈકના બાલાવબોધ તેમજ પં. બનારસીદાસે વિ. સં. ૧૬૯૧માં આ કાવ્ય પરત્વે કરેલ હિંદી કવિત્ત સહિત ઈ. સ. ૧૯૦૨માં પ્રસિદ્ધિ કરાયું છે. વળી આ મૂળ કૃતિ હર્ષકીર્તિસૂરિકૃત વ્યાખ્યા સહિત
હંસવિજય ફ્રી લાયબ્રેરી” તરફથી ઈ. સ. ૧૯૨૪માં છપાવાઈ છે. શ્રી. માવજી દામજી શાહે મૂળ કૃતિ પદ્યાનુક્રમણિકા, શબ્દ-કોષ અને ગુજરાતી અનુવાદ સહિત પ્રસિદ્ધ કરી છે અને એની ચોથી આવૃત્તિ ઈ. સ.
૧૯૩૬માં બહાર પડી છે. ૨. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૮) ૩. એજન, પૃ. ૧૧૭-૧૧૮. ૪. આ કાવ્ય એની સ્વોપજ્ઞ વૃત્તિ તેમજ એના ગુજરાતી અનુવાદ સહિત અનેકાર્થસાહિત્યસંગ્રહના પ્રથમ
વિભાગમાં ઈ. સ. ૧૯૩૫માં છપાવાયું છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧ ૬. આ પ્રકરણરત્નાકર (ભા. ૨. પૃ. ૨૧૭-૨૪૭)માં ગુજરાતી અનુવાદ સહિત ઈ. સ. ૧૮૭૬માં છપાયું છે.
નંદલાલની ટીકા સહિત આ કૃતિ વડોદરાના શ્રાવક જગજીવને વિ. સં. ૧૯૪૨માં છપાવી છે. “જૈન સ્વયંસેવક મંડળે” ઇન્દોરથી આ કૃતિ મારા ગુજરાતી અનુવાદ અને સ્પષ્ટીકરણ સહિત ઈ.સ. ૧૯૨૩માં છપાવી છે.
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
વિષય- મંગલાચરણથી શરૂ કરાયેલા આ શતકમાં ગ્લો. ૯-૯૨-રૂપ એકવીસ ચતુષ્ટયમાં એકેક વિષય રજૂ કરાયો છે. આ ૨૧ની નોંધ શ્લો. ૮માં જોવાય છે. જિનેશ્વર, ગુરુ, ધર્મ અને સંઘની મહત્તા, અહિંસાદિ પાંચ મહાવ્રતો. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય ઉપર વિજય, સહૃદયતા તેમજ દાન, શીલ, તપ અને ભાવ અહીં વર્ણવાયા છે. ટૂંકમાં આમ અહીં જૈન ધર્મ અને નીતિ સાથે સંબંધ
ધરાવનારા વિવિધ વિષયો સુબોધ અને હૃદયંગમ શૈલીએ રજૂ કરાયા છે. આમાંના કેટલાંક પદ્યો P ૨૪૮ કુમારવાલપડિબોહમાં અને “મવારથે''થી શરૂ થતું ૯૭મું પદ્ય શૃંગાર-વૈરાગ્ય-તરંગિણીમાં ૪પમાં પદ્ય તરીકે જોવાય છે.
ઉલ્લેખ- જલ્ડણદેવે પોતાની સૂક્તિમુક્તાવલી (લ. વિ. સં. ૧૨૫૦)માં આ કાવ્યનો સોમપ્રભસૂરિના નામથી ઉલ્લેખ કર્યો છે અને “નક્ષ્મી: પશ્યતિ (? સર્પતિ)' થી શરૂ થતું ૭૬મું પદ્ય ઉધૃત કર્યું છે.
વૃત્તિઓ- આ સોમશતક જૈન સમાજમાં ઘણું પ્રિય બનતાં એના ઉપર વિવિધ વૃત્તિઓ રચાઈ છે :(૧) વૃત્તિ – આના કર્તા “ખરતર' ગચ્છના જિનહિતસૂરિના શિષ્ય કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવર્ધન
છે. એમણે આ વૃત્તિ વિ સં. ૧૫૦૫માં રચી છે. (૨) વ્યાખ્યા- “ભૂર્ભવસ્વસ્ત્રયી'થી શરૂ થતી આ વ્યાખ્યા જિનસાગરના શિષ્ય ધર્મચન્દ્ર રચી છે. (૩) વ્યાખ્યા- આ નાગપુરીય તપા” ગચ્છના ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ રચી છે. (૪) ટીકા- આના કર્તા “ખરતરમ્ ગચ્છના જિનતિલકસૂરિ છે. આની એક હાથપોથી વિ. સં. ૧૬૬રમાં
લખાયેલી મળે છે. (૫) ટીકા- આ ગુણકીર્તિસૂરિની વિ. સં. ૧૬૬૭ની રચના છે. એઓ “માલધારી' ગચ્છના ગુણનિધાનસૂરિના
અનુગામી થાય છે. (૬) ટીકા- આના કર્તા વિમલસૂરિ છે. (૭) ટિપ્પણ– આ ભાવચારિત્રે રચ્યું છે. (૮) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.
પ્રમોદકુશલગણિના નામે જે સિજૂરપ્રકરનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૪૨)માં છે તે શું પ્રસ્તુત સિજૂરપ્રકરની ટીકા તો નથી ને ? P ૨૪૯ ઇટાલિયન અનુવાદ– સિજૂર-પ્રકરનો પવોલિનિએ ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. એ
અનુવાદ એફ. એલ. પુસે દ્વારા રચાયેલા ઉપાદ્યાત સહિત SIFI (II, 33-72) માં ઈ. સ. ૧૮૯૮માં છપાયો છે.
અનુકરણો- પ્રસ્તુત સિન્દર પ્રકરના અનુકરણરૂપે કપૂર-પ્રકર, કસ્તુરી-પ્રકર અને હિંગુલ-પ્રકર રચાયા છે.
૧. પ્રાણાતિપાત-વિરમણ, મૃષાવાદ-વિરમણ, અદત્તાદાન-વિરમણ, અબ્રહ્મવિરમણ અને પરિગ્રહ-વિરમણ. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “જર્મન અને ઈટાલિયન અનુવાદોથી અલંકૃત જૈન કૃતિઓ.” આ લેખ
જૈ. ધ. પ્ર. (પુ. ૬૯, અં. ૧)માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૪૭-૨૫૧]
૧૫૫
સૂક્તાવલી (લ. વિ. સં. ૧૨૮૦) – ચ. પ્ર. (પૃ. ૧૨૬)માં પદ્માનંદ મહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિની કૃતિઓ ગણાવતી વેળા આનો ઉલ્લેખ કરાયો છે પણ આ કૃતિની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી.
'વિવેક-કલિકા અને વિવેક-પાદપ (લ. વિ. સં. ૧૨૮૦) - આ બે સૂક્તિસંગ્રહ છે અને એ બંનેના કર્તા અલંકાર-મહોદધિના પ્રણેતા નરેન્દ્રપ્રભસૂરિ છે. પહેલા સૂક્તિ સંગ્રહમાં ૧૧૦ પદ્યો અને બીજામાં ૪૨૧ પદ્યો હોવાનું અનુમનાય છે.
વિવેકકલિકા ભિન્ન ભિન્ન છંદોમાં રચાયેલી છે. જ્યારે વિવેકપાદનાં ઉપલબ્ધ ૧૦૯ પદ્ય પૈકી ૧૦૭ અનુષ્ટ્રભુમાં છે. બાકીનાં બે પદ્ય પ્રશસ્તિ-રૂપ છે અને એ બે પદ્ય અનુક્રમે શાર્દૂલવિક્રીડિત અને P ૨૫૦ વસન્તતિલકા છંદમાં છે. આ બંને કૃતિમાંથી અવતરણો પત્તન સૂચી (ભા. ૧ પૃ. ૧૮૭)માં અપાયાં છે. પરંતુ આ બંને કૃતિ પાટણના ભંડારની એક ખંડિત તાડપત્રીય હાથપોથીમાં અપૂર્ણ સ્વરૂપે મળે છે. એ હાથપોથીમાં વિવેકકલિકાનાં ૬૯ અને વિવેકપાદપનાં ૧૦૯ પદ્ય મળે છે. એ ઉપરથી જાણી શકાય છે કે આ બંને કૃતિઓ મોટે ભાગે સુભાષિતો પૂરાં પાડે છે, જ્યારે જૈન ધર્મને લગતી બાબતો ઓછા પ્રમાણમાં નિરૂપાઈ છે.
સુભાષિતાવલી (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા તિલકપ્રભસૂરિ છે. એઓ “પૂર્ણિમા ગચ્છના દેવસૂરિના શિષ્ય થાય છે. એમણે નીતિશાસ્ત્ર રચ્યું છે. એઓ વિ. સં. ૧૩૦૭માં શાંતિનાથચરિત્ર રચનારા અજિતપ્રભસૂરિના ગુરુ વીરપ્રભના ગુરુ હોય એમ ભાસે છે. જો એમ જ હોય તો એમની આ રચના વિ. સં. ૧૨૮૦ની આસપાસની હશે.
સૂક્ત-રત્નાકર (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા ગૃહસ્થ માઘસિંહ ઉર્ફે મચથસિંહ છે. એ વિદ્યાસિંહના પુત્ર થાય છે. એમણે આ કૃતિ બે ભાગમાં વિભક્ત કરી છે. એનું પરિમાણ ૮૮૬૫ શ્લોક જેવડું છે. આની એક હાથપોથી વિ. સં. ૧૩૪૭માં લખાયેલી છે."
સૂક્તિ-સમુચ્ચય (લ. વિ. સં. ૧૨૯૦)- આ નામ મેં યોજ્યું છે. આના કર્તા વસ્તુપાલ છે. P ૨૫૧ સોમેશ્વરકૃત ઉલ્લાઘ-રાઘવ (અંક ૮) ઉપરથી જણાય છે કે વસ્તુપાલને સૂક્તિઓ રચવાનો શોખ હતો. એમની કેટલીક સૂક્તિ નરનારાયણાનન્દના બીજા પરિશિષ્ટમાં અપાયેલી છે.
૧-૨. આ બે વિષે કેટલીક માહિતી ડૉ. સાંડેસરાએ એમની નિમ્નલિખિત કૃતિ (પૃ. ૧૪૨-૧૪૩)માં આપી છે :
Literary Circle of Mahamatya Vastupala and its contribution to Sanskrit Litarature.
આ કૃતિ “સિં. જૈ. ગ્રં.'માં ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત કરાઈ છે. ૩. વિવેકપાદપનો શ્લો. ૨૪ અને વિવેકકલિકાના શ્લો, ૧૨, ૩૯ અને ૮૦ઉપર્યુક્ત અંગ્રેજી કૃતિમાં ઉદ્ભૂત કરાયા છે. ૪. આ નામની એક કૃતિ ધર્મકુમારે રચી છે. પ. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૩૭). ૬. એમને અને સાથે સાથે એમના ભાઈ તેજપાલને વીરધવલ રાજાએ વિ.સં. ૧૨૭૬માં મંત્રી નીમ્યા હતા (જુઓ
જૈ. સા. સં. ઇ.નું પૃ. ૩૫૫). વસ્તુપાલનું અવસાન વિ. સં. ૧૨૯૬માં થયું હતું. (જુઓ જૈ. સા. સં. ઈ.નું પૃ. ૩૬૯).
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
સૂક્તાવલી યાને સૂક્ત-સંગ્રહ- આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા લક્ષ્મણ છે. એની શરૂઆત“સૂક્તિરત્નસુધા' થી થાય છે અને એની એક હાથપોથી પાટણના ભંડારમાં છે.
સૂક્ત-મુક્તાવલી (લ વિ. સં. ૧૫૨૫)- આ અજ્ઞાતકર્તુક કૃતિમાં ૧૨૭ અધિકાર છે. સૌથી પ્રથમ અધિકાર ધર્મોપદેશને અંગેનાં ૫૦ સૂક્તોરૂપ છે. ૪૭મો અધિકાર મૂર્ખને લગતો છે અને એમાં દસ પદ્યો છે. આ કૃતિ સૂક્ત અર્થાત્ સુભાષિતરૂપ મોતીની માળા છે. એમાંનાં ઘણાંખરાં સૂક્તો સંસ્કૃતમાં છે; કેટલાંક પાઇયમાં છે તો કોઈકોઈ જૂની ગુજરાતીમાં છે. એ ભાષા જોતાં એમ અનુમનાય કે આ
કૃતિ વિક્રમની પંદરમી સદી પહેલાંની નહિ હશે. | P ર૫ર સૂક્તાવલી યાને કપૂર-પ્રકર (ઉં. વિ. સં. ૧૫૫૦)- આ વજસેનના શિષ્ય હરિ (હરિષણ)ની
કૃતિ છે. એમાં ૧૭૯ પદ્યમાં ૮૭ દ્વાર દ્વારા શ્રાવકના બાર વ્રતો, દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વો, "સાત ક્ષેત્રો, શબ્દાદિ પાંચ વિષયો અને ક્રોધાદિ ઉપર વિજય એમ વિવિધ વિષયો નિરૂપાયા છે. પ્રસંગોપાત્ત વિષયને વ્યક્ત કરનાર ઉદાહરણોનું સૂચન કરાયું છે. આ કૃતિને એના કર્તાએ સૂક્તાવલી કહી છે. એને કેટલાક સુભાષિતકોશ પણ કહે છે. આના અંતિમ પદ્યમાં ગ્રંથકારે પોતાના ગુરુ વજસેનને ત્રિષષ્ટિસારના અને પોતાને નેમિચરિત્રના કર્તા કહ્યા છે.
વિવરણો– “કપૂરપ્રકરથી શરૂ થતી આ કૃતિ ઉપર ‘ખરતર’ ગચ્છના જિનવર્ધનસૂરિના શિષ્ય "જિનસાગરસૂરિએ જૈ. ગ્રં. (પૃ. ૧૭૬) પ્રમાણે વિ. સં. ૧૫૫૧માં અવચૂરિ રચી છે અને એના મૂળમાં P ૨૫૩ સૂચવાયેલા ઉદાહરણોનો કથા દ્વારા સ્ફોટ કર્યો છે. ‘તપા' ગચ્છના લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય જયરાજે,
હર્ષકુલે, યશોવિજયગણિએ તેમજ અન્ય કોઈકે પણ એકેક ટીકા રચી છે. ૧. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયેલી છે. અંતમાં આ કૃતિમાંના પદ્યની અકારાદિ
ક્રમે સૂચી અપાઈ છે. વળી ૧૨૭ અધિકારોનાં નામ અનુક્રમે આપી એનાં પઘોની સંખ્યા દર્શાવાઈ છે. ૨. જુઓ ૧૧૬મો અધિકાર (પત્ર ૯૧-૯૨આ). ૩. આ કૃતિ ગુજરાતી અનુવાદ અને જિનસાગરની ટીકા સહિત હરિશંકર કાલિદાસે ઈ. સ. ૧૯૦૧માં છપાવી
છે. મૂળ કૃતિ ઉપર્યુક્ત ટીકા તેમજ સોમચકૃત કથામહોદધિ સહિત હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ કરી છે. વળી જિનસાગરીય ટીકા સહિત મૂળ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૫માં પ્રકાશિત થઈ છે. (એમાં ટીકાનો રચના સમય અપાયો નથી.) આ ઉપરાંત મૂળ કૃતિ શ્રીવિજયનેમિસૂરિના શિષ્યરત્ન શ્રી. વિજયપધસૂરિએ વિ. સં. ૨૦૦૩માં રચેલાં ગુજરાતી પદ્યાત્મક ટીકા, શ્લોકાર્થ અને સ્પષ્ટાર્થ
સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી થોડાંક વર્ષ ઉપર છપાઈ છે, પરંતુ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ૪. આ બાર વ્રતો નીચે મુજબ છે :
સ્થલ-પ્રાણાતિપાત-વિરમણ, પૂલ-મૃષાવાદ-વિરમણ, સ્થૂલ-અદત્તાદાન-વિરમણ, સ્વદારસંતોષ, પરિગ્રહનું પરિમાણ, દિવ્રત, ભોગપભોગપરિમાણ, અનર્થદંડવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને
અતિથિસંવિભાગ, પ. જિન-પ્રતિમા, જિન-મંદિર, શ્રુતજ્ઞાન તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો ગણાય છે. ૬. એમણે ‘દેવકુલપાટક' નગરમાં શાન્તિનાથના બિંબની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૯૪માં કરાવી હતી. ૭. મેરુસુંદરે બાલાવબોધ અને ધનવિજયે સ્તબક (ટબ્બો) રચ્યા છે.
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : [પ્ર. આ. ૨૫૧-૨૫૪]
૧૫૭
સૂક્ત-મુક્તાવલી (લ. વિ. સં. ૧૬00)– આ નામની ૨૩૩૨ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તક કૃતિની હાથપોથી વિ. સં. ૧૬૧૮માં લખાયેલી છે. શું આ કૃતિ તે જ પૃ. ૨૫૧માં નોંધાયેલી સૂક્તમુક્તાવલી છે?
સૂક્ત-સંગ્રહ (લ. વિ. સં. ૧૬૨૦)- આના કર્તા લક્ષ્મીકલ્લોલગણિ છે. એઓ હર્ષકલ્લોલના શિષ્ય થાય છે. એમણે આયાર ઉપર તત્ત્વાવગમા નામની અવચૂરિ સૌભાગ્યહર્ષના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૫૮૩થી ૧૫૯૭માં ગાળામાં રચી છે. વળી એમણે નાયાધમ્મકહા ઉપર મુગ્ધાવબોધા નામની વૃત્તિ સોમવિમલસૂરિના રાજ્યમાં અર્થાત્ વિ. સં. ૧૫૯૦થી ૧૬૩૭ના ગાળામાં રચી છે.
અવચૂરિ- આના કર્તાનું નામ જાણવામાં નથી.
'સૂક્ત-રત્નાવલી (વિ. સં. ૧૬૪૭)આના કર્તા હીરવિજયસૂરિના પટ્ટાલંકાર વિજયસેનસૂરિ છે. એમણે વિ. સં. ૧૬૪૭માં “અનુષ્ટ્રભુમાં ૫૧૧ પદ્યોમાં આ કૃતિ રચી છે અને એ દ્વારા વિવિધ વિષયનાં મનોરમ અને સચોટ સુભાષિતો પૂરાં પાડ્યાં છે.
સૂક્તરત્નાવલી (લ. વિ. સં. ૧૬૫૦- વિજયપ્રશસ્તિ કાવ્યની વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. પ૩) ઉપરથી જણાય છે કે હેમવિજયગણિએ સૂક્ત-રત્નાવલી રચી છે પણ એ ઉપર્યુક્ત કૃતિથી ભિન્ન હોવી જોઈએ કેમકે એમાં તો વિજયસેનસૂરિનું જ નામ છે. આ હેમવિજયગણિ એ લક્ષ્મીભદ્રની શાખામાં થયેલા ૨૫૪ ‘તપા' ગચ્છના અમરવિજયના શિષ્ય કમલવિજયના શિષ્ય થાય છે. એઓ કુશળ કવિ હતા. એમણે નિમ્નલિખિત કૃતિઓ રચી છે :
(૧) અન્યોક્તિમુક્તાવલી યાને અન્યોક્તિમુક્તામહોદધિ, (૨) ઋષભ-શતક, (૩) કથારત્નાકર, (૪) કસ્તૂરી પ્રકર, (૫) કીર્તિલ્લોલિની, (૬) પજિનસ્તવન-ચતુર્વિશતિકા યાને ચતુર્વિશતિજિનસ્તુતિ, (૭) જિનસ્તુતિ, (૮) પાર્શ્વનાથ ચરિત, (૯) વિજયપ્રશસ્તિ, (૧૦) સદ્ભાવશતક અને (૧૧) સ્તુતિત્રિદશતરંગિણી.
આ ઉપરાંત એમણે અનેક સ્તોત્રો રચ્યાં છે. એમની આ સૂક્તરત્નાવલી પ્રસિદ્ધ થવી ઘટે. ૧. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં પ્રકાશિત થઈ છે અને એમાં કેટલેક સ્થળે પદ્ય ખંડિત
છે. આ નામની બીજી પણ કૃતિ છે. સૂિ. ૨. નું તાજેતરમાં પુનઃ પ્રકાશન થયું છે.] ૨. [૫. હીરાલાલ હંસરાજે પ્રતાકારે બે ભાગમાં પ્રગટ કરેલ “કથારત્નાકર' ગ્રંથ આ. મુનિચન્દ્રસૂરિના હાથે સંપાદિત થઈ આ. ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરતથી પુસ્તકાકારે પ્રગટ થયો છે. આમાં Introduction શ્રીહરિવલ્લભ ભાયાણીએ લખ્યું છે.] ૩. આ કૃતિ ભીમસી માણે કે ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત કરી છે. ૪. આ વિજયસેનસૂરિની પ્રશસ્તિરૂપ કૃતિ છે. પ. આ જૈન-સ્તોત્ર-સમુચ્ચય (પૃ. ૨૬૭-૨૮૪)માં પ્રકાશિત થયેલી છે. ૬. આ વિ. સં. ૧૬૩૨માં રચાયેલું ચરિત “ચુનીલાલ ગ્રંથમાલા”માં ભીખીબાઈ ચુનીલાલ પન્નાલાલ તરફથી વિ.
સં. ૧૯૭૨માં છપાવાયું છે. ૭. આ કાવ્ય ગુણવિજયની વિજયદીપિકા નામની ટીકા સહિત “ય. જે. ગ્રં.”-માં વીરસંવત્ ૨૪૩૭માં પ્રસિદ્ધ
કરાયું છે. જિનશાસન આ. ટ્રસ્ટે આનું પુનર્મુર્ણ કર્યું છે.] ૮. હેમવિજયગણિએ ગુજરાતીમાં કમલવિજયરાસ વિ. સં. ૧૬૬૧માં રચ્યો છે.
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
સૂક્તિ-રત્નાકર (લ. વિ. સં. ૧૬૫૦)- આ ધાતુમંજરી વગેરે રચનારા 'સિદ્ધિચન્દ્રગણિએ સંકલિત કરેલી કૃતિ છે. એમાં ૩૭૭ સુભાષિતોનો સંગ્રહ કરાયો છે. એમાં વિવિધ ગ્રન્થકારો અને ગ્રન્થો વિષે | ૨૫૫ ઉલ્લેખ છે. જે વૃદ્ધપ્રસ્તાવોકિતરત્નાકર આ જ ગણિએ રચ્યો છે તે શું પ્રસ્તુત કૃતિથી ભિન્ન છે ?
સૂક્તિ-દ્વાર્નાિશિકા- યાને સૂક્ત-દ્વાચિંશિકા (લ. વિ. સં. ૧૬૫૦)- આ કૃતિ ‘ધિક” છંદમાં ૩૨ પદ્યમાં વિ. સં. ૧૬૫૮માં મુનિ સારંગ કવિએ રચી છે.
સ્વપજ્ઞ વિવરણ- કર્તાએ જાતે આ કૃતિને વિ. સં. ૧૬૫૦માં વિવરણથી વિભૂષિત કરી છે.
પકસ્તૂરી-પ્રકર (લ. વિ. સં. ૧૬૫૦)- આ કમલવિજયગણિના શિષ્ય હેમવિજયગણિની ૧૮૨ કારિકા પૂરતી રચના છે. એમણે આ કૃતિ હીરવિજયસૂરિના રાજ્ય દરમ્યાન રચી છે.
સ્વપજ્ઞ વૃત્તિ- ઉપર્યુક્ત કસૂરી-પ્રકર ઉપર કર્તાએ જાતે વૃત્તિ રચી છે.
કસ્તૂરી-પ્રકરણ-સોમસુંદર ઉપાધ્યાયે ૧OOO શ્લોક જેવડું કસ્તૂરી-પ્રકરણ રચ્યું છે. સંવેગસુંદરે પણ આ નામની કૃતિ રચી છે.
"હિંગુલ-મકર (લ. વિ. સં. ૧૭૦૦)- આના દ્વિતીય પદ્યનો પ્રારંભ “હિંગુલપ્રકરથી થાય છે. P ૨૫૬ એના કર્તા ઉપા. વિનયસાગર છે. એમણે આ કૃતિ મુખ્યતયા “અનુષ્ટ્રભૂમાં રચી છે. અને એને પ્રક્રમોમાં
વિભક્ત કરી છે. ગ્લો. ૧૫ અને ૧૬માં સૂચવાયા મુજબ આમાં ૮૧૮ પાપસ્થાનકને અંગે ૧૮ પ્રક્રમો, ૯૭ વ્યસન સંબંધી ૭, ૧દાનાદિ ચાર પ્રકારના ધર્મ પરત્વે ૪ તેમજ જિનેન્દ્રપૂજા, ગુરુ-ભક્તિ અને ઉદ્યમને અંગે એકેક પ્રક્રમ છે. આ પ્રત્યેક પ્રક્રમમાં ચચ્ચાર કે પાંચ પાંચ પડ્યો છે.
૧. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. ૫૪-૫૫. ૨-૩. આનાં નામ માટે જુઓ ભાનુચન્દ્રગણિચરિત (પૃ. ૬૩-૬૪) અને એની શ્રી. મો.દ. દેસાઈની પ્રસ્તાવના (પૃ.૭૩) ૪. આનો ઉલ્લેખ સિદ્ધિચન્દ્રમણિએ ભક્તામર સ્તોત્રની ટીકામાં કર્યો છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪)માં
કહ્યું છે. પ. આ કૃતિ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૫૪ ૬. આ કૃતિ ‘હિંગુલ-પ્રકરણ” એવા નામથી પં. હીરાલાલ હંસરાજના ગુજરાતી અનુવાદ સહિત ભીમસી માણેક
તરફથી ઈ. સ. ૧૯૦૦માં છપાવાઈ છે. એનું આદ્ય પદ્ય હાથપોથી લખનારનું હશે એમ લાગે છે. બીજુ પદ્ય ‘હિંગુલથી શરૂ થાય છે અને આ કૃતિનો વાસ્તવિક પ્રારંભ આ પઘથી જ હશે એમ લાગે છે. એ પદ્ય નીચે મુજબ છે :
'हिङ्गलप्रकरोऽयं च बालारुणो विचक्षणाः।
तर्कयन्तीति यं दृष्ट्वा पद्मप्रभो मुदेऽस्तु सः ।।" ૭. “હિંગુલ”નો અર્થ ‘હિંગલોક' થાય છે. ૮. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન,
પશુન્ય, રત્યરતિ, પરાપવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય. ૯. ધૂત, માંસ, મદિરા, વેશ્યા, આખેટ (શિકાર), ચોરી અને પરદારગમન ૧૦. દાન, શીલ, તપ અને ભાવ.
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૫૪-૨૫૭]
૧૫૯
'અનુવાદ– આનો ગુજરાતી અનુવાદ પં. હીરાલાલ હંસરાજે કર્યો છે.
કર્તા-હિંગુલપ્રકરના કર્તા વિનયસાગર તે કોણ એ નક્કી કરવા માટે પૂરતાં સાધન નથી. જૈ. સા. સં. ઇ. (પૃ. ૬૦૬)માં એક વિનયસાગરનો કાવ્યકાલ વિ. સં. ૧૬૧૭માં દર્શાવાયો છે. અને પૃ. ૮૭૨માં એમના ગચ્છ તરીકે “ખરતર'નો ઉલ્લેખ છે. પૃ. ૬૫૬માં “અંચલ' ગચ્છના વિનયસાગર વિષે કહ્યું છે કે એઓ કલ્યાણસાગરસૂરિ (વિ. સં. ૧૬૭૦-વિ. સં. ૧૭૧૮)ના શિષ્ય થાય છે. એમણે ભોજવ્યાકરણ રચ્યું છે તેમજ એમણે સારસ્વત વ્યાકરણનાં સૂત્રોને છંદોબદ્ધ કરી વૃદ્ધચિન્તામણિ નામના ગ્રંથમાં ગૂચ્યાં છે.
આ બે વિનયસાગર ઉપરાંત વિનયસાગર નામના એક ત્રીજા મુનિવર પણ છે. શું આ ત્રણમાંથી ? ૨૫૭ કોઈ એક અત્ર અભિપ્રેત છે કે પ્રસ્તુત ઉપા. વિનયસાગર આ બધાથી ભિન્ન છે એ જાણવું બાકી રહે છે. આ પરિસ્થિતિમાં હિંગુલપ્રકરનો રચનાસમય મેં કેવળ કલ્પનાના આધારે સૂચવ્યો છે.
સભાષિતાવલી (વિ. સં. ૧૬૬૦)- સકલકીર્તિએ લગભગ ૪૦૦ સુભાષિતોના સંગ્રહનું સંકલન કર્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૭૧માં લખાયેલી છે. શું આ કૃતિ તે જ એમણે રચેલી સુભાષિતરત્નાવલી યાને સુભાષિતાવલી છે ?
સુભાષિત-વિજય-મત-શાસ્ત્ર- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે.
આર્યાગાથા- આ મુખ્યતયા “આર્યા'માં રચાયેલાં ૧૪૦ પદ્યોની કૃતિ છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. એમાં અનેક સુભાષિતો અપાયેલાં છે. આકૃતિનાં પ્રારંભનાં બે પદ્યો અને અંતમાંનાં ત્રણ પદ્યો મેં D C G C M (Vol. XVIII, Pt. 1, p. 269)માં આપ્યાં છે. આ અપ્રસિદ્ધ કૃતિની એક જ હાથપોથી મળતી હશે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪) જોતાં અનુમનાય છે.
સુભાષિતરત્નકોશ- આના કર્તા મુનિદેવ આચાર્ય છે. એમાં ૫૮ કારિકા છે. શું આ કૃતિ સંસ્કૃતમાં છે?
સૂક્તમુક્તાવલી યાને સૂક્તિમુક્તાવલી- આના કર્તા મેઘપ્રભસૂરિ છે. એનો પ્રારંભ “શ્રીવર્ધમાનHfમનમ' થી થાય છે.
સૂક્તરત્નાવલી (ઉ. વિ. સં. ૧૮૪૭)- આના કર્તા ક્ષમાકલ્યાણ છે. એઓ વિ. સં. ૧૮૦૧માં જન્મ્યા હતા. એઓ ખરતરમ્ ગચ્છના અમૃતધર્મના શિષ્ય થાય છે. એમણે પોતાના દાદાગુરુ જિનલાભસૂરિએ
૧. આ ભીમશી માણેકદ્વારા ઇ.સ. ૧૯OOમાં પ્રકાશિત છે. ૨. હિંગુલપ્રકારની વિવિધ હાથપોથીઓ જોવા મળે તો હિંગુલપ્રકર જ્યારે રચાયું તે વિષે અનુમાન થઈ શકે. કોઈક
હાથપોથીમાં તો એ કૃતિ ક્યારે લખાઈ તેનો પણ નિર્દેશ હોય તો ના નહિ. ૩. જુઓ પૃ. ૮૦. ૪. આ “જૈ. આ. સ.' તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ થયેલી છે. પ. આ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” તરફથી અહીંથી (સુરતથી) આ છપાતી વેળાએ (વિ.
સં. ૨૦૧૨)માં પ્રકાશિત કરાઈ છે. એની પ્રસ્તાવના (પૃ. ૧૧-૧૨)માં ક્ષમા કલ્યાણની ૨૫ કૃતિની નોંધ છે. ૬. આ નામની બીજી ત્રણ કૃતિ છે. જુઓ પૃ. 155, 156.
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
P ૨૫૮ વિ. સં. ૧૮૩૩માં રચેલા આત્મ(પ્ર)બોધનો પ્રથમાદર્શ લખ્યો હતો. વિશેષમાં એમણે નીચે મુજબ
ગ્રંથો રચ્યા છે :
- ખરતરગચ્છપટ્ટાવલી (વિ. સં. ૧૮૩૦), દશપર્વથા (વિ. સં. ૧૮૩૫), પરસમયસારવિચાર સંગ્રહ, પ્રશ્નોત્તરસાર્ધશતક (વિ. સં. ૧૮૫૧), યશોધરચરિત (વિ. સં. ૧૮૩૯), વિચારશતકબીજક અને સમરાદિત્યચરિત (વિ. સં. ૧૮૭૩)
વળી એમણે નિમ્નલિખિત કૃતિ ઉપર વિવરણ રચ્યું છે :
ગૌતમીય કાવ્ય, જીવવિયાર, તર્કસંગ્રહ, ભૂ-ધાતુ, મેરુત્રયોદશી, સિરિવાલકહા (શ્રીપાલચરિત્ર) અને સૂક્તરત્નાવલી (સ્વરચિત)."
આ કૃતિમાં ૧૦૮ પદ્યો છે. એ ઉપજાતિ, અનુણુભ, વગેરે છંદોમાં રચાયેલાં છે. એમાં પુરાતન આધ્યાત્મિક પરંપરા અને ભારતીય નૈતિકતાને લક્ષ્યમાં રાખી વિવિધ વિષયો આલેખાયા છે. જેમકે શત્રુંજયાદિ તીર્થોની પ્રશંસા, ધર્મ, ગુરુ અને દેવ એ તત્ત્વત્રયીનું સ્વરૂપ, અમરકોશનું આદ્ય પદ્ય લઈને સમસ્યારૂપે પાર્શ્વનાથની પાંચ પદ્યની સ્તુતિ, “કલિ' યુગનું વર્ણન, કામવિકાર, બ્રહ્મચર્યની નવ વાડ, કાર્યસિદ્ધિનાં પાંચ કારણો, ઇન્દ્રિયોનો વિજય, મનની ચંચળતા, પ્રમાદના પાંચ અને 'આઠ પ્રકારો,
સંતોષ, આત્માનું સ્વરૂપ, પંચાર ગતિ, પરનિન્દાની નિન્દા, આત્મનિન્દા, ગુરુને નિવેદન, અન્તર્લીપિકા P ૨૫૯ અને બહિર્લીપિકા દ્વારા સુભાષિત, નિરોદ્ય પદ્યો દ્વારા મહાવીરસ્વામીની સ્તુતિ, ધર્માચાર્ય (જિનલાભસૂરિ) અને વિદ્યાગુરુઓ ઉપા. રાજસીમ અને રામવિજયની સ્તુતિ અને કર્તાના નામ (ક્ષમાકલ્યાણ)નો નિર્દેશ.
સ્વોપજ્ઞ વૃત્તિ- આ સંક્ષિપ્ત વૃત્તિમાં અંતમાં ચાર પડ્યો છે. એમાં કહ્યું છે કે આ વૃત્તિ વિ. સં. ૧૮૪૭માં મકસૂદાબાદમાં ‘ઊકેશ’ વંશના મૂલચન્દ્રના પુત્ર ધોંકલચન્દ્ર અને કીર્તિચન્દ્રના આગ્રહથી રચી.
સુભાષિત-પદ્ય-રત્નાકર- આ જૈન તેમજ અજૈન ગ્રંથોમાંથી વિવિધ વિષયોને લગતાં પ્રાસંગિક પદ્ય-સુભાષિતાદિના મુનિશ્રી જયંત-વિજયજીના શિષ્ય મુનિશ્રી વિશાળવિજયજીએ કરેલા સંગ્રહરૂપ છે અને એનો ગુજરાતીમાં અનુવાદ એમણે કર્યો છે. આ પ્રમાણે તૈયાર કરાયેલી કૃતિનું નામ એમણે સુભાષિત-પદ્ય-રત્નાકર રાખ્યું છે. કયા કયા ગ્રંથોમાંથી અવતરણરૂપે પદ્યો લેવાયાં છે તેનો નિર્દેશ તે તે પદ્યની નીચે કરાયો છે. કેટલાંક પદ્યો પાઇયમાં પણ છે. ૧. એમણે ગુજરાતીમાં પણ કેટલીક કૃતિઓ રચી છે. એનાં તેમજ સંસ્કૃત કૃતિનાં નામ માટે જુઓ જૈ. સા. સં.
ઇ. (પૃ. ૬૭૬-૬૭૭.) ૨. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને પૂર્વકૃત કર્મ. ૩. મદ્ય, કષાય (ક્રોધાદિ), ઇન્દ્રિયોના વિષય, નિદ્રા અને વિકથા (શ્લો. ૪૫). ૪. અજ્ઞાન, સંશય, વિપર્યય, વિભાવોનો રાગ, દ્વેષ, વિસ્મરણ દુપ્પણિધાન અને ધર્મકાર્યનો અનાદર (ગ્લો. ૫૦-૫૧). ૫. નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય સંબંધી ગતિ. ૬. આ સંગ્રહાત્મક કૃતિ પાંચ ભાગમાં “શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાલા”માં પુ. ૨૭, ૩૧, ૩૪, ૫ર (ભા.
૪) અને ૪૮ (ભા. ૫) તરીકે ઉજ્જૈનથી અનુક્રમે વિ. સં. ૧૯૯૧, '૯૨, ૯૩, ૯૫ અને ૯૫માં પ્રકાશિત કરાઈ છે. પાંચમો ભાગ જિનેશ્વરની સ્તુતિઓ વગેરેના સંગ્રહરૂપ છે. ૭. આમાં ત્રિષષ્ટિ. સિજૂરપ્રકર, ધર્મકલ્પદ્રુમ, ઉપદેશપ્રાસાદ ઇત્યાદિનો સમાવેશ કરાયો છે.
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : [પ્ર. આ. ૨૫૮-૨૬૧]
૧૬૧
જૈન-સૂક્ત-સદોહ– આ એક આધુનિક સંગ્રહાત્મક કૃતિ છે. એમાં અપાયેલાં સૂક્તોનો સંગ્રહ ૫. કૈલાસસાગરગણિએ કર્યો છે. આ કૃતિમાં એમણે મંગળ તરીકે પાંચ પદ્યો આપી સમ્યગ્દર્શનથી ૧૪૪ મે ૨૬૦ વિષયોની શરૂઆત કરી છે. ત્યાર બાદ કેટલાંક પ્રકીર્ણક શ્લોક, સુભાષિત-રત્નખંડો અને વચનામૃતો તેમજ અંતિમ મંગળરૂપે ત્રણ પદ્યો આપી આની પૂર્ણાહુતિ કરી છે. આ પદ્યાત્મક કૃતિનાં ઘણાંખરાં પદ્યો સંસ્કૃતમાં છે. મુખ્યતયા જૈન કૃતિઓને લક્ષીને આ રચના કરાઈ છે. આ કૃતિ શ્રમણોનાં પાંચ મહાવ્રતો તેમજ શ્રાવકોનાં બાર વ્રતો, "બાર ભાવના વગેરે બાબતો ઉપર પણ પ્રકાશ પાડે છે.
અન્ય કૃતિઓ- આ ઉપરાંત સુભાષિતોને અંગે કેટલીક કૃતિઓ જોવાય છે. તેમાં કેટલીકના કર્તાનાં નામ જાણવામાં છે અને કેટલીકનાં નથી. પ્રથમ પ્રકારની કૃતિઓ નીચે મુજબ છે – (૧) સુભાષિતકોશ- આ કૃતિ રામચન્દ્ર રચી છે. (૨) સુભાષિતગ્રંથ- આના કર્તા કિર્તિવિજય છે. (૩) સુભાષિતષત્રિશિકા- આ નામની બે કૃતિઓ છે. એકના કર્તા જ્ઞાનસાગર છે અને બીજાના “લંકા'
ગચ્છના યશસ્વિગણિ છે. (૪) સુભાષિતાર્ણવ- આ શુભચન્દ્રની રચના છે. (૫) સૂક્તસમુચ્ચય- આના કર્તા આચાર્ય રવિગુણ છે. (૬) સૂક્તાવલી – આ તત્ત્વવલ્લભની રચના છે.
P ૨૬૧ (૭) સૂક્તિમુક્તાવલી – આ નામની ત્રણ કૃતિઓ છે. એના કર્તાનાં નામ શ્રતમુનિ, સોમદેવ અને
સોમસેન છે. (૮) સૂક્તિરત્નાવલી – આના કર્તા અભયચંદ્ર છે.
સૂિક્તિરત્નાવલી– આના કર્તા વિજયસોમસૂરિ છે. મુનિ મોક્ષરતિ વિ. ધ્વારા સંપાદિત થઈ પરમપદ પ્રકાશન મુંબઈથી પ્રસિદ્ધ થઈ છે.]
બીજા પ્રકારની કૃતિઓનાં નામ નીચે મુજબ છે :
સુભાષિત, સુભાષિતશતક, સુભાષિતષત્રિંશિકા, સુભાષિતસારોદ્ધાર, સુભાષિતાર્ણવ, સૂક્તસંગ્રહ, સૂક્તસંદોહ અને સૂક્તાવલી યાને સુભાષિતસંગ્રહ.
૧. આ કૃતિ “બુદ્ધિસાગરસૂરીશ્વર-ગ્રંથમાળા'માં ગ્રંથાંક ૧ તરીકે વિ. સં. ૨૦૦૭માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. એઓ શ્રીબુદ્ધિસાગરસૂરિના શિષ્ય શ્રી કીર્તિસાગરસૂરિના પ્રશિષ્ય થાય છે. એમના ગુરુનું નામ જિતેન્દ્રસાગર છે. ૩. આ ત્રિષષ્ટિ માંથી ઉદ્ભૂત કરાયાં છે. ૪. અજૈન કૃતિઓ તરીકે અત્રિ-સંહિતા, આરણ્યકોપનિષદ્, મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત, યોગવાસિષ્ઠ. વરાહપુરાણ, શંકરાચાર્યકૃત મનાતાં ચર્પટ-પંજરિકા અને મોહ-મુદ્ગર, પંચગંગ, હિતોપદેશ ઈત્યાદિ
કૃતિઓ પસંદ કરાઈ છે. ૫. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિની દુર્લભતા અને
ધર્મનું સ્વાખ્યાતત્વ. ૬. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૪૮)માં આ કૃતિનો “સૂક્તાનિ'એ નામે ઉલ્લેખ જોઈ મેં આ નામ યોજયું છે.
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
(૩) "રાજનીતિ નીતિવાક્યામૃત (લ. વિ. સં. ૧૦૨૫) – આના કર્તા દિ. તાર્કિક કવિ સોમદેવસૂરિ છે. તેઓ દેવ” સંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય થાય છે અને મહેન્દ્ર ભટ્ટારકના અનુજ થાય છે. એમણે શકસંવત્ ૮૮૧ (વિ. સં. ૧૦૧૬)માં યશસ્તિલક-ચંપૂ નામની કૃતિ રચી છે. નીતિવાક્યામૃતની પ્રશસ્તિમાં
યશોધર-ચરિત્રનો જે ઉલ્લેખ છે તે આ જ કૃતિ છે. વિશેષમાં આ ગ્રંથકારની (૧) ત્રિવર્ગ-મહેન્દ્રP ૨૬૨ માતલિ-સંકલ્પ, (૨) યુક્તિ-ચિન્તામણિ અને (૩) “ષષ્ણવતિ-પ્રકરણ એ ત્રણ કૃતિઓનો પણ અહીં
નિર્દેશ છે પણ એકે હજી સુધી તો મળી આવી નથી. આ ઉપરાંત એમની કૃતિ તરીકે સ્યાદ્વાદોપનિષદ્ અને સૂક્તિ-સમુચ્ચય જેવી કૃતિઓ ગણાવાય છે.
પં. નાથુરામ પ્રેમીના મતે કનોજના રાજા મહેન્દ્રને માટે યોજાયેલી આ નીતિવાક્યામૃત નામની કૃતિ ગદ્યમાં સૂત્રરૂપે રચાયેલા ૩૨ સમુદેશમાં વિભક્ત છે. એમાં રાજા અને રાજ્ય-શાસન સાથે સંબંધ ધરાવનારી પુષ્કળ માહિતી અપાઇ છે. આ “રાજનીતિને અંગેનો મહત્ત્વનો ગ્રંથ છે. આ પૂર્વે “મૌર્ય વંશના ચન્દ્રગુપ્તને માટે ચાણક્ય અર્થશાસ્ત્ર રચી આ વિષયનો આકર-ગ્રંથ પૂરો પાડ્યો છે. ત્યાર પછી કામંદકે એના સંક્ષેપરૂપે પદ્યમાં નીતિસાર રચ્યો છે.
નીતિવાક્યામૃત (પૃ. ૩૬, ૧૦૭, ૧૭૧ (ઈ.) જોતાં જણાય છે કે એમાં વિષ્ણુગુપ્ત અને P ૨૬૩ ચાણક્યનો તેમજ એમના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ છે. વિવિધ નીતિકારો અને સ્મૃતિકારોના ગ્રંથોનો લાભ
લઈ આ નીતિવાક્યામૃત રચાયું છે. ૧. આનો અંતર્ભાવ ચાર પુરુષાર્થ પૈકી અર્થ-પુરુષાર્થમાં કરાય છે. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૬૧). ૨. આ ગ્રંથ અજ્ઞાતકર્તૃક સંસ્કૃત ટીકા તેમજ એ ટીકાગત પદ્યાત્મક અવતરણોની સૂચી સહિત “મા. દિ. ગ્રં.”માં
ગ્રંથાંક ૨૨ તરીકે વિ. સં. ૧૯૭૯માં છપાયો છે. મૂળની એક સુંદર તાડપત્રીય હાથપોથી મળે છે. “સોમવેવસૂરિક્ષા નીતિવચામૃત” નામનો એ નાથુરામ પ્રેમીને મનનીય લેખ જૈ. સા. ઈ. (પૃ. ૬૧-૯૨)માં
છપાયો છે. એ લેખ તે આ સટીક કૃતિની ભૂમિકા રૂપે હતો એનો અંશતઃ વિસ્તાર છે. ૩. મહેન્દ્ર અને એના સારથિ માતલિ વચ્ચેની ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ-પુરુષાર્થને અંગેની ચર્ચા
સંવાદરૂપે આમાં રજૂ કરાઈ હશે. ૪. આ તર્કવિષયક ગ્રંથ હશે. પ. આ કૃતિમાં ૯૬ પ્રકરણ હોવાં જોઈએ પણ એના વિષય વિષે જાણવું બાકી રહે છે. ૬. જુઓ ઉપર્યુક્ત લેખના પરિશિષ્ટરૂપ શકસંવત્ ૮૮૮નું દાનપત્ર (પૃ. ૯૧). ૭. જુઓ એમનો “જૈ. સિ. ભા.” (ભા. ૧૧, અં. ૨)માં છપાયેલો લેખ “સોમવ ગોર મહેન્દ્રદેવ” ૮. આ વિષય યશસ્તિલક (આશ્વાસ ૩)માં પણ સારી રીતે ચર્ચાયો છે. ૯. તિલોયપણત્તિ પ્રમાણે મુકુટધારી રાજાઓ પૈકી જૈન દીક્ષા લેનાર તરીકે આ નૃપતિ અંતિમ છે. ૧૦.પૃથ્વીના લાભ અને એના રક્ષણ માટે જેટલાં અર્થશાસ્ત્રો પૂર્વાચાર્યોએ પ્રસ્થાપિત કર્યા છે પ્રાયઃ તે સર્વેનો
સંગ્રહ કરી આ અર્થશાસ્ત્ર યોજાયું છે એમ એનાં પ્રારંભમાં કહ્યું છે. ૧૧. આની નીતિવાક્યામૃત સાથે તુલના માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૬૪-૬૫)
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૬૧-૨૬૪]
૧૬૩
'ટીકા-આના કર્તાનું કે એમના ગુરુનું નામ હરિબલ હશે એમ લાગે છે. એઓ હરિના ભક્ત હોય એમ જણાય છે એટલે આ સંસ્કૃત ટીકા કોઈ વૈષ્ણવે-અજૈને રચી હશે. આ ટીકામાં અનેક અવતરણો અપાયાં છે એથી એ મહત્ત્વની છે. એમાં જે કેટલીક કૃતિઓનો ઉલ્લેખ છે તે આજે મળતી નથી.
(૪) પ્રકીર્ણક બુદ્ધિસાગર (વિ. સં. ૧૫૨૦)- આના કર્તા જૈન ગૃહસ્થ સોની સંગ્રામસિંહ છે. એઓ માળવાના મહમદ ખલ્વા (ખીલજી)ના ભાંડાગારિક (ભંડારી) હતા અને રત્નસિંહસૂરિના પટ્ટાલંકાર ઉદયવલ્લભસૂરિના ભક્ત હતા. એમના પિતાનું નામ નરદેવ હતું. એઓ સોની સાંગણના વંશજ થાય છે. માંડવગઢના આ ઓસવાળે સર્વદર્શનોને સંમત એવી આ કૃતિ વિ. સં. ૧પ૨૦માં ચાર તરંગમાં ૪૧૪ (૮૭+૧૦૦+૭૦+૧૫૦) પદ્યમાં ગોદાવરીને તીરે પ્રતિષ્ઠાનપુરમાં નિઝામ ઉપરની વિજયયાત્રાને પ્રસંગે રચી છે.
ધર્મ, નય, વ્યવહાર અને પ્રકીર્ણક નામના ચાર તરંગ પૈકી પ્રથમમાં દેવ, ગુરુ તેમજ પાંચ મહાવ્રતરૂપ ધર્મનું સ્વરૂપ આલેખાયું છે. બીજામાં રાજા, રાણી, રાજકુમાર, મંત્રી, અધિકારી, પ્રજાના સેવક તેમજ અશ્વ વગેરેનાં લક્ષણો વિચારાયાં છે. ત્રીજામાં વિશ્વાસ ક્યાં રાખવો અને સોગન ન ખાવા એ વાત કહી વાસ્તુનું નિરૂપણ કરાયું છે. ચોથામાં શરીરનું સ્વરૂપ, વૈદ્યકસાર, જ્યોતિઃસાર, સામુદ્રિકસાર, સ્ત્રીનું ૨૬૪ સ્વરૂપ, રત્ન આદિની પરીક્ષા તેમજ મંત્રાદિ ચાર યોગ એમ વિવિધ વિષયો રજૂ કરાયા છે. આ ચોથા તરંગમાં મોતીનાં આઠ ઉત્પત્તિસ્થાન દર્શાવાયાં છે : (૧) "હાથીનું કુંભસ્થળ, (૨) નાગની ફેણ, (૩) શુક્તિ, યાને છીપ, (૪) શંખ, (૫) અભ્ર, (૬) મત્સ્ય, (૭) ડુક્કરની દાઢ અને (૮) વાંસ. આ સંબંધમાં અહીં કહ્યું છે કે હમણાં તો શુક્તિમાંથી થનારું મોતી વિશેષ મળે છે. વળી અહીં એવો પણ ઉલ્લેખ છે કે શંખ, વાંસ, ડુક્કર, હાથી, નાગ, અભ્ર અને મત્સ્યમાંથી ઉદ્ભવતાં મોતી ઉત્તરોત્તર એકેકથી ચડિયાતાં અને અવેધ્ય હોય છે.
આમ આ નાનકડી કૃતિ ચાણક્ય-નીતિ અને કામંદક-નીતિ જેવા પ્રૌઢ ગ્રંથોની સંક્ષિપ્ત આવૃત્તિરૂપ છે.
૧. આ મા. દિ. ગ્રં. ૨૨માં પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૬૧. ૨. નેમિનાથે કાનડીમાં એક ટીકા રચી છે. ૩. આ કૃતિ “ઋ. કે. જે. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૩૬માં છપાયેલી છે. એનું મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ
કરેલું ગુજરાતી ભાષાંતર ઈ. સ. ૧૮૯૧માં “વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી છપાવાયું છે. ૪. “આદિથી વજ, મોતી, પારાગ અને નામમણિ એ ચાર અહીં અભિપ્રેત છે. ૫. આ માટે જુઓ, ભક્તામર સ્તોત્ર (સ્લો. ૩૫) ૬. અગત્યે કહ્યું છે કે :
"द्विपेन्द्रजीमूतवराहशङ्क-मत्स्याहिशुक्त्युद्भववेणुजानि ।।
मुक्ताफलानि प्रथितानि लोके तेषां तु शुक्त्युद्भवमेव भूरि ।।" આ પદ્ય કુમારસમ્ભવ (સ. ૧, ગ્લો. ૬)ની મલ્લિનાથે રચેલી સંજીવની નામની વ્યાખ્યામાં જોવાય છે.
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
P. ૨૬૫ પ્રકરણ ૧૭ : અજૈન લાક્ષણિક સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો
સમસ્ત વિશ્વના સાહિત્યને આપણે જૈન અને અજૈન એમ બે વર્ગમાં વિભક્ત કરી શકીએ. અજૈન સાહિત્ય એ જૈન સાહિત્ય કરતાં અતિશય વિપુલ છે. એ સાહિત્યના ભારતીય અને અભારતીય એમ બે વિભાગ પાડી શકાય. અત્ર ભારતીય સાહિત્ય પ્રસ્તુત છે. એના સર્જનમાં વૈદિક હિંદુઓ અને બૌદ્ધોનો મુખ્ય ફાળો છે. અહીં "અજૈન સાહિત્યથી મુખ્યતયા આ બે જ સંપ્રદાયોના લાક્ષણિકાદિ સાહિત્યને અંગેના નીચે મુજબના વિષયોની કેટલીક કૃતિઓ અભિપ્રેત છે :
(૧) વ્યાકરણ, (૨) કોશ, (૩) છંદ, (૪) અલંકાર, (૫) ગણિત, (૬) નિમિત્ત, (૭) વૈદ્યક, (૮) નીતિ, (૯) શ્રવ્ય કાવ્ય (૧૦) દશ્ય કાવ્ય, (૧૧) ન્યાય અને (૧૨) યોગ.
‘શ્રવ્ય' કાવ્યથી મહાકાવ્ય, ખંડ-કાવ્ય અને ગદ્યાત્મક કાવ્ય એમ ત્રણ સમજવાનાં છે. આમ અહીં મુખ્ય ૧૨ વિષયો છે અને પેટા-વિષયોને ભિન્ન ગણાતાં ૧૪ થાય છે. આ પૈકી હું અહીં પહેલા આઠ
વિષયની કૃતિઓનો ક્રમવાર વિચાર કરું તે પૂર્વે “જૈન માનસ” વિષે થોડોક ઉલ્લેખ કરીશ. P. ૨૬૬ જૈન માનસ- “જૈન માનસ’ એટલે અનેકાંતવાદનું ક્રીડાંગણ. આથી તો આત્મૌપજ્યની અનુપમ
ભાવનાથી ઓતપ્રોત જૈન શ્રમણો ગમે તે દર્શનની અને ગમે તે વિષયની ઉત્તમ કોટિની કૃતિઓનું સંવર્ધન અને સંરક્ષણ કરતાં જરા યે સંકોચ ન અનુભવે એ સ્વાભાવિક છે. વિશેષ આનંદની વાત તો એ છે કે અજૈન મંતવ્યો અનુસાર કાવ્ય રચતાં પણ એઓ ખંચાયા નથી એટલું જ નહિ પણ એને પોતાના સાંપ્રદાયિક રંગથી રંગવાનું અનુચિત પગલું એમણે ભર્યું નથી. આમ એમણે ઉદારતાની સાચી લહાણી કરી છે અને સાહિત્યની સર્વદેશીય સેવા બજાવી છે.
સમ્ય-શ્રુત અને મિથ્યા-શ્રુતની વ્યાખ્યાનો (૧) વિષય અને પ્રણેતા તેમજ (૨) અધિકારી એમ બે રીતે વિચાર થઈ શકે છે અને મિથ્યા-શ્રુતને પણ સમ્યગ્દષ્ટિ સમ્યકુ-શ્રુત તરીકે પરિણાવી શકે છે. જૈન દર્શનની આવી આદર્શ નીતિને લઈને જૈન શ્રમણો એમ સાચે જ માનતા હતા અને આજે યે માને છે કે સાહિત્ય અને વિજ્ઞાન એ કોઈનાં બાપીકાં ક્ષેત્ર નથી; સમસ્ત વિદ્યાવ્યાસંગી જનોનો એના ઉપર અધિકાર છે.
૧. મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી કોમની કૃતિઓ પૈકી ફક્ત એક મુસ્લિમની અને તે પણ અપભ્રંશમાં જ રચાયેલી
કૃતિ પર જૈન વિવરણ છે. એવી રીતે ભાષાની દૃષ્ટિએ મુખ્યતયા સંસ્કૃત અને કવચિત્ પાઇય કૃતિઓ ઉપર વિવરણો છે. આથી કરીને દ્રાવિડ કૃતિઓ ઉપર જૈનોએ સંસ્કૃતમાં વિવરણો રચ્યાં હોય તો તે વાત અહીં જતી
કરાઈ છે. ૨. શ્રવ્ય અને દશ્ય કાવ્ય વિષે દ્વિતીય ખંડના પ્રથમ ઉપખંડમાં અને ન્યાય અને યોગ વિષે એ દ્વિતીય ખંડના
દ્વિતીય ઉપખંડમાં વિચાર કરાયો છે. ૩. આ બાબત મેં “જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન” નામના મારા લેખ (લેખાંક ૨, પૃ. ૧૭૧)માં દર્શાવી
છે. આ લેખના લેખાંક ૧-૬ “હિંદુ મિલનમંદિર” (વર્ષ ૮, અં. ૨-૭)માં છ કટકે છપાયા છે. આ લેખ મેં ગુજરાતીમાં રચેલાં ૧૪૦ સૂત્રો અને એના વિવરણરૂપ છે.
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૬૫-૨૬૮]
૧૬૫
ફાળો- અજૈન કૃતિઓને અંગે જૈનોનો જે ફાળો છે તેમાં મોટે ભાગે વિવરણો છે. એની સંખ્યા લગભગ ૨૦૦ની છે. આનાથી અજૈન કાવ્યોની પાદ-પૂર્તિઓની સંખ્યા ઉતરતી છે અને એનાથી પણ અલ્પ સંખ્યા કેટલીક અજૈન કૃતિઓના સંક્ષેપ કે સારાંશરૂપ રચનાઓની છે. (૧) વ્યાકરણ
P. ૨૬૭ 'અષ્ટાધ્યાયી (ઉ. ઇ. સ. પૂ. ચોથી સદી) – ઉપલબ્ધ સંસ્કૃત વ્યાકરણોમાં આ સૌથી પ્રાચીન છે. એ આઠ અધ્યાયોમાં વિભક્ત કરાયેલું હોવાથી એને અષ્ટાધ્યાયી કહે છે. એના પ્રત્યેક અધ્યાયમાં ચાર ચાર પાદ છે. આ વ્યાકરણમાં આશરે ૪૦૮૦ સૂત્રો છે. ચીની મુસાફર હ્યુએનસંગને મતે આ વ્યાકરણનું પરિમાણ ૧૦૦૦ શ્લોકનું છે.
આ વ્યાકરણ અષ્ટક, વૃત્તિસૂત્ર તેમજ શબ્દાનુશાસન પણ કહે છે. આ વ્યાકરણ કાળ અને ઉપસર્જન વગેરેની પરિભાષાઓથી રહિત છે.
શંકરાચાર્ય દ્વારા પ્રશસિત આ વ્યાકરણના પ્રણેતાનાં દાક્ષીપુત્ર, શાલાતુરીય, પાણિનિ ઇત્યાદિ વિવિધ નામો છે તેમાં અંતિમ નામ વિશેષતઃ પ્રચલિત છે અને એને લઈને તો એમના વ્યાકરણને ‘પાણિનીય' કહે છે. આ વ્યાકરણને અંગે પાઠાંતરો જોવાય છે. કેટલાક તો પાણિનિના સ્વકીય પ્રવચનભેદથી ઉદ્ભવ્યાં છે. આ પ્રવચન-ભેદને લઇને અષ્ટા.ની લઘુસૂત્ર-પાઠ અને બૃહસૂત્ર-પાઠ એમ બે વાચનાઓ મળે છે.
પાણિનિએ પોતે ગણપાઠ, ધાતુપાઠ, ઉણાદિસૂત્ર અને લિંગાનુશાસન અષ્ટા.નાં પરિશિષ્ટ રૂપે ? ૨૬૮ રચ્યાં છે.
પાણિનિએ આપિશલ વ્યાકરણનો મુખ્યતયા ઉપયોગ કર્યો છે. અને એમના પુરોગામી વૈયાકરણનાં અનેક સૂત્ર અપનાવ્યાં છે. પ્રાતિશાખ્યોમાં અને શ્રૌતસૂત્રોનાં અનેક સૂત્ર પાણિનીય સૂત્ર સાથે સમાનતા ધરાવે છે. પાણિનિની પૂર્વે છંદોબદ્ધ વ્યાકરણ હશે એમ લાગે છે.
શબ્દાવતાર– આ અા. ઉપરનો ન્યાસ છે. આ ન્યાસ હજી સુધી તો મળી આવ્યો નથી. આનું પરિમાણ ૩OOOO શ્લોક હોવાનું કહેવાય છે. આ ન્યાસના કર્તા દિ. પૂજ્યપાદ છે. જુઓ પૃ. ૧૬.
૧. આ વ્યાકરણ જર્મન અનુવાદ સહિત વ્હોટલિંગે ઈ. સ. ૧૮૮૭માં પ્રકાશિત કર્યું હતું. ૨. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૧૪૧). ૩. એમણે બ્રહ્મસૂત્ર ઉપર શારીરક-ભાષ્ય, દસ મુખ્ય ઉપનિષદો અને ભગવદ્ગીતા ઉપર ટીકા તેમજ અનેક
સ્તોત્રો રચ્યાં છે. નવાઈની વાત એ છે કે પૂર્વે રચેલી કોઈ પણ કૃતિનો ત્યાર બાદ રચાયેલી કૃતિમાં પોતાના નામે ઉલ્લેખ નથી. જઓ Sanskrit Literature (The PE.N. Books. The Indian Literatures
No. XII) નું પૃ. ૫૧. ૪. ‘શલાતુર’ એ પાણિનિના પૂર્વજોનું વતન ગણાય છે. ૫. અષ્ટા. (૧-૩-૨)ની કાશિકા-વૃત્તિ પ્રમાણે આ ચાર પરિશિષ્ટો ખિલ-ગ્રંથો છે. ૬, જુઓ સં. વ્યા. ઇ. (ભા. ૧, પૃ. ૧૫૯). ૭-૮, એજન (ભા. ૧, પૃ. ૧૫૮-૧પ૯).
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કાશિકા (લ. વિ. સં. ૭00)- એ જયાદિત્ય અને વામનના સંયુક્ત પરિશ્રમનું ફળ છે. પતંજલિકૃત મહાભાષ્ય અને ભર્તુહરિકૃત વાક્યપદય પછીની, અષ્ટા.ને અંગેની મહત્ત્વની કૃતિ તરીકે
આનો ઉલ્લેખ કરાય છે. આ વૃત્તિમાં મહાભાષ્યને અનેક સ્થળે ન અનુસરતાં, પ્રાચીન વૃત્તિઓનું P ૨૬૯ અનુસરણ કરાયું છે. ઇત્સિંગના મતે જયાદિત્યનું અવસાન વિ. સં. ૭૧૮ની આસપાસમાં થયું હતું. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૩૪) પ્રમાણે વામન વિ. સં. ૭૦૦ની પહેલાં થયાં છે.
કાશિકાવિવરણ-પંજિકા– આ પંજિકાના કર્તાનું નામ જિનેન્દ્રબુદ્ધિ છે. એમને કેટલાક વિદ્વાનો બૌદ્ધ ગણે છે. “જૈ. સિ. ભા.” (વર્ષ ૮, પત્ર ૫૮)માં એઓ જૈન' હોવાની સંભાવના કરાઈ છે. એમની આ પંજિકા એ ઉપર્યુક્ત કાશિકાની સૌથી પ્રાચીન વ્યાખ્યા છે. એને “ન્યાસ' પણ કહે છે. આના ઉપર મહામિશ્રની ટીકા છે.
આ ઉક્તિના સંગ્રહરૂપ "કૃતિની બે હાથપોથીઓનો પરિચય D c G C M (Vol. II, pt. 1)માં ક્રમાંક ૩૮૬ અને ૪૧૭ તરીકે અપાયો છે. પ્રારંભમાં ભારતીના સ્મરણપૂર્વકનું પદ્ય છે. ત્યાર બાદ વિભક્તિનું સ્વરૂપ ગદ્યમાં આલેખાયું છે. પાઇય શબ્દોનાં સંસ્કૃત સમીકરણો (દા. ત. રાફ ક્રિય અને નડું જ્ઞાયતે ) આ કૃતિનો મહત્ત્વનો અને સૌથી મોટો અંશ છે.
પદવ્યવસ્થા- આના કર્તા વિમલકીર્તિ છે. એમણે પાણિનિકૃત અષ્ટા. પ્રમાણે સંસ્કૃત ધાતુઓનાં પદ જાણવાના નિયમો સૂત્રોને પદ્યાત્મક સ્વરૂપ આપી રજૂ કર્યા છે. એમણે પોતાને વિદ્વાન' કહ્યા છે.
ટીકા (વિ. સં. ૧૬૮૧)- આ ૩૩૦૦ શ્લોક જેવડી ટીકાના કર્તા ઉદયકીર્તિ છે. એઓ “ખરતર’ ગચ્છના સાધુકીર્તિના શિષ્ય વિમલતિલકના શિષ્ય સાધુસુન્દરના શિષ્ય થાય છે. એમણે આ ટીકા બાલજનોના બોધાર્થ વિ. સં. ૧૬૮૧માં રચી છે. એના અંતમાં એમણે છ પદ્યની પ્રશસ્તિ આપી છે. આની મૂળ સહિતની એક હાથપોથી વિ. સં. ૧૭૧૩માં સુખસાગરગણિના શિષ્ય સમયહર્ષને માટે લખાયેલી મળે છે. આ હાથપોથીનો અવતરણપૂર્વક પરિચય “પદવ્યવસ્થાસૂત્રકારિકા સટીકા” નામથી D C G C M (Vol. II, pt. 1, pp. 191-193)માં અપાયો છે.
૧. ભારતીય સાહિત્યમાં એવી કેટલીક કૃતિઓ છે કે જે દ્વિકક છે. જેમકે સ્કન્દ અને મહેશ્વરે મળીને રચેલી
નિરુક્તની ટીકા. ૨. સં. વ્યા. ઇ. (ભા ૧, પૃ. ૩૩૩) પ્રમાણે કાશિકા જે આજે ઉપલબ્ધ છે તેની પાંચ અધ્યાય પૂરતી રચના
જયાદિત્યની છે અને બાકીની વામનની છે. અસલમાં બંનેએ પૃથક્ પૃથક્ આઠે અધ્યાયની વૃત્તિ રચી હશે. (જુઓ સં. વ્યા. ઈ. (પૃ. ૩૩૬). જયાદિત્યની અપેક્ષાએ વામનની રચના વિશેષ પ્રૌઢ છે. ૩. કાશિકા કરતાં પ્રાચીન એવી કુણિ નામની વૃત્તિમાં ગણપાઠને સ્થાન નથી, જ્યારે આ કાશિકામાં છે. ૪. આ પંજિકા શ્રીશચન્દ્ર ચક્રવર્તીએ ઇ. સ. ૧૯૧૩-૧૯૨૫માં છપાવી છે. જુઓ DCGCM (Vol. II, pt. I, p. 56). પ. જુઓ પૃ. 54. ૬. આ ભાગમાં વૈદિક અને પાણિનીય વ્યાકરણોને લગતી હાથપોથીઓનો પરિચય ડૉ. શ્રીપાદ કૃષ્ણ બેલ્વલકરે
આપ્યો છે. એમાં ઉક્તિરત્નાકરને સ્થાન અપાયું છે એટલે એ પાણિનીય વ્યાકરણને લગતી કૃતિ ગણાય. એ હિસાબે મેં એની અહીં નોંધ લીધી છે.
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૬૮-૨૭૦]
૧૬૭
વિશ્રાન્તવિદ્યાધર (ઉ. વિ. સં. ૬૦૦) – આ વ્યાકરણને “જૈન' કૃતિ માની એનો પરિચય દ્વિતીય પ્રકરણ (પૃ. ૨૩-૨૪)માં મેં આપ્યો છે. જો એના પ્રણેતા વામન અજૈન જ હોય તો આ “અજૈન' કૃતિ ગણાય અને એ હિસાબે એનો ઉલ્લેખ અહીં થવો ઘટે.
ન્યાસ- મલવાદીએ આ ન્યાસ રચ્યો હતો (જુઓ પૃ. ૨૪) પણ એ હજી સુધી તો અપ્રાપ્ય છે.
"કાત– (ઉ. વિ. સં. ૩૫૦) – આ કેવળ લૌકિક સંસ્કૃતિનું ઘણું પ્રાચીન વ્યાકરણ છે. એને “કલાપક અને કૌમાર પણ કહે છે. એની રચના અષ્ટા ને આધારે નહિ પણ અન્ય કોઈ પ્રાચીન વ્યાકરણને આધારે થયેલી હોય એમ જણાય છે. એના બે ભાગ પડે છે : (૧) આખ્યાતાન્ત અને (૨) કૃદન્ત. પ્રથમ ભાગના કર્તા તરીકે શર્વવર્માનો અને બીજા ભાગના કર્તા તરીકે કાત્યાયનનો ઉલ્લેખ કરાય છે. સં. વ્યા. ૨ ૨૭૦ ઇ. (ભા. ૧, પૃ. ૪૦૪)માં એના કર્તાએ કાતત્રને મહાભાષ્ય કરતાં પ્રાચીન ગયું છે. કાત–નો થોડોક ભાગ મધ્ય એશિયામાંથી મળી આવ્યો હતો. એનો ધાતુપાઠ તિબેટી ભાષામાં આજે પણ મળે છે. કવિ ધનપાલે શોભનસ્તુતિની ટીકા (શ્લો. ૪)માં પોતાના નાના ભાઈ મુનીશ્વર શોભનને અંગે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :
તિન્નવોદ્વિતતત્રવેઢી" આ ઉપરથી એક સમયે કાત–નો ખૂબ પ્રચાર હશે એમ ફલિત થાય છે. એમાં લગભગ ૧૪00 સૂત્રો છે અને એ વિશેષતઃ પ્રચલિત પ્રયોગોને જ સ્પર્શે છે એથી એ લોકપ્રિય બન્યું હશે એમ લાગે છે.
કાત– ઉપર જે વૃત્તિઓ મળે છે તેમાં દુર્ગસિંહકૃત વૃત્તિ સૌથી પ્રાચીન ગણાય છે. આ વૃત્તિમાં ભારવિકૃત કિરાતાર્જુનીયમાંથી અને મયૂરકૃત સૂર્યશતકમાંથી એકેક અવતરણ અપાયું છે. એ ઉપરથી
૧. આ રૂપમાલા વૃત્તિ સહિત હીરાચંદ નેમિચંદે મુંબઈથી વિ. સં. ૧૯૫૨માં છપાવ્યું છે. ત્યાર બાદ બિહારીલાલ
કથનેરાએ ઈ. સ. ૧૯૨૭માં આ વ્યાકરણ છપાવ્યું છે. ૨, જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૭૪)માં કાતન્નના નામાંતર તરીકે કલાપનો ઉલ્લેખ છે. ૩. આને બદલે જૈ. સા. સં. ઇ. (પૃ. ૨૯૪)માં શિવશર્મા અને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં
સર્વવર્મનું નામ છે. ૪. ડૉ. શામશાસ્ત્રીનો એક લેખ Mythic Journalના ઈ. સ. ૧૯૨૮ના જાન્યુઆરીના અંકમાં છપાયો છે. તેમાં
એમણે કહ્યું છે કે કાત– ઈ. સ. ની ત્રીજી સદીમાં રચાયું હોવું જોઈએ. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૭, એ. ૧-૩, પૃ. ૮૦ ટિ.) પ. “પુરાતત્ત્વ” (૨, ૪૧૯)માં છપાયેલા લેખમાં જિનવિજયજીએ જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તેમાં કાલાપક
અને કાત–ને ભિન્ન ગણ્યા છે – “ગૂજરાતમાં વ્યાકરણ-ગ્રંથોમાં પહેલું સ્થાન કાલાપકને અને બીજું સ્થાન કાત–ને મળેલું હતું. ગુજરાતમાં રચાયેલા ગ્રંથોમાં પ્રમાણરૂપે જ્યાં વ્યાકરણનાં સૂત્રો મળી આવે છે ત્યાં મોટે ભાગે આ જ બે વ્યાકરણોનાં હોય છે.” - જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૯૫).
આ લેખમાં વિદ્યાનંદ વ્યાકરણનો ઉલ્લેખ છે પણ એને દિ. કૃતિ ગણી છે તો શું એ સાચી વાત છે ? ૬. જુઓ સં. વ્યા. ઈ. (ભા ૧, પૃ. ૪૦૭).
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
P ૨૭૧ દુર્ગસિંહ ભારવિ મયૂરથી પૂર્વવર્તી નથી એમ ફલિત થાય છે. સં. વ્યા. ઇ. (ભા. ૧, પૃ. ૪૦૯) પ્રમાણે આ દુર્ગસિંહ એ કાશિકાના કર્તા કરતાં પ્રાચીન છે.
ચ. પ્ર. (વસ્તુપાલ-પ્રબંધ, પૃ. ૨૨૬)માં દુર્ગસિંહકૃત વૃત્તિનો ઉલ્લેખ છે.
ભારતીય વિદ્યા” (વર્ષ ૨, એ. ૩)માં શ્રી, અગરચંદ નાહટાનો “નૈનેતર પ્રન્થો પર નૈન વિદ્વાનો ટીકાયે” નામનો લેખ છપાયો છે. એમાં એમણે કાતન્નને અંગે નવ વૃત્તિઓ નોંધી છે – (૧) દૌર્ગસિંહીવૃત્તિ – આ ૩OO0 શ્લોકની વૃત્તિના કર્તા પ્રદ્યુમ્નસૂરિ (વિ. સં. ૧૩૬૯) છે. (૨) દુર્ગપદપ્રબોધવૃત્તિ – આ ખરતર' ગચ્છના પ્રબોધમૂર્તિ (જિનપ્રબોધસૂરિ)ની વિ. સં. ૧૩૨૮ની
રચના છે. (૩) બાલાવબોધવૃત્તિ- આ “અંચલ' ગચ્છના મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૪૪૪માં રચી છે. (૪) કાત–વિસ્તાર – આના કર્તા વર્ધમાન છે. કર્ણદેવોપાધ્યાય એ એમનું નામાંતર હશે એમ શ્રી
અગરચંદ નાહટાએ કહ્યું છે.
કાત–વિસ્તર- આના કર્તા કવિ વર્ધમાન છે અને એની ‘કન્નડ' લિપિમાં લખાયેલી ૧૩૪ પત્રની (પંક્તિ પ્રતિપત્ર પ, અક્ષર પ્રતિપંક્તિ ૩૬) હાથપોથી મળે છે એમ ક. તા. ઝં. (પૃ. ૧૦૭)માં ઉલ્લેખ છે. પૃ. ૩૨૨ પ્રમાણે આ કવિ વર્ધમાને શ્રીપાલચરિત રચ્યું છે. કાત–વિસ્તાર નામ સાચું છે કે કાત–વિસ્તર એ
વાત બાજુ પર રાખીએ તો પણ આ કૃતિ કાતત્રના સ્પષ્ટીકરણરૂપ હશે એમ જણાય છે. P ૨૭૨ (૫) કાત–રૂપમાલા – આના કર્તા દિ. ઐવિદ્ય "ભાવસેન છે.
(૬) કાત–રૂપમાલાલઘુવૃત્તિ – આના કર્તા દિ. સકલકીર્તિ છે. (૭) કાતન્નદીપકવૃત્તિ – આના કર્તા મુનીશ્વરસૂરિના શિષ્ય હર્ષચન્દ્ર હશે. (૮) કાતત્રભૂષણ – આ ૨૪૦૦૦ શ્લોક પૂરતી કૃતિના કર્તા ધર્મઘોષ છે. (૯) વૃત્તિત્રયનિબંધ – આ ૭000 શ્લોક જેવડી કૃતિના કર્તા રાજશેખરસૂરિ છે. [(૧૦) બાલાવબોધ– અંચલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય મેરૂતુંગની આ કૃતિ છે. સત્તરભાસની ૧૪૪૯માં
રચેલી ટીકામાં કર્તાએ આનો ઉલ્લેખ કર્યો છે.] ૧. આ જાતની ટીકાઓની સંક્ષિપ્ત નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૪, ૩૦૫ ૩૩૪ અને ૩૩૫)માં અપાયેલી છે. એને લક્ષ્યમાં રાખી મેં શોભન-સ્તુતિની મારી (સંસ્કૃત ભૂમિકામાં સુચવાયા મુજબ વીરસંવત્ ૨૪૫૪માં લખેલી) ભૂમિકા (પૃ. ૩૦
૩૧)માં એની નોંધ લીધી છે. અહીં જે તર્કરહસ્યદીપિકાનો ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે એટલે એ રદ કરવો ઘટે. ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં આનો “વૃત્તિવિવરણપંજિકાદુર્ગાદપ્રબોધ” તરીકે ઉલ્લેખ છે. ૩. આની એક હાથપોથી વિ. સં. ૧૪૫૩માં લખાયેલી છે. ૪. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં વર્ધમાનને રાજા કર્ણદેવના પુરોહિત કહ્યા છે અને શું એઓ જૈન છે એવો
પ્રશ્ન ઉઠાવાયો છે. ૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં એમની કૃતિ તરીકે રૂપમાલાવૃત્તિનો ઉલ્લેખ છે. એની એક હાથપોથી વિ.
સં. ૧૫૩૫માં લખાયેલી છે. ૬. આ સંખ્યા ખરી છે ? ૭. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં ત્રણ પૂર્વવર્તી ટીકાને આધારે ૩૧૦૦ શ્લોક જેવડી અને પદ્યમાં રચાયેલી કૌમારસારસમુચ્ચય નામની જે ટીકાનો ઉલ્લેખ છે તે તો આ નથી ?
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૭૧-૨૭૪]
૧૬૯
જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં ડુકના પુત્ર મહાદેવે રચેલી શબ્દસિદ્ધિવૃત્તિનો ઉલ્લેખ છે. એની તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૩૪૦માં લખાયેલી છે. વળી આ પૃષ્ઠમાં ઉપા. વીરસિંહના શિષ્ય ગૌતમે 8000 શ્લોક જેવડી દૌર્મસિંહદીપિકા રચ્યાનો ઉલ્લેખ છે. પૃ. ૮૪માં ગોલ્ડણકૃત ચતુષ્કવૃત્તિનો મોક્ષેશ્વર (અજૈને ?) કૃત 'આખ્યાનવૃત્તિનો, પૃથ્વીચંદ્રસૂરિકૃત વૃત્તિનો અને એક અજ્ઞાતકર્તૃક વૃત્તિનો ઉલ્લેખ છે.
બૂટિ.માં ૩૨૫ શ્લોક જેવડા કાલાપકવિશેષવ્યાખ્યાનની નોંધ છે.
કલાપ-વ્યાકરણ-સંધિ-ગર્ભિત-સ્તવ-કલાપ વ્યાકરણનાં “સિદ્ધો વસમસ્નાય:” જેવાં સંધિસૂત્રની P ૨૭૩ પૂર્તિરૂપે આ સ્તવ ૨૩ પદ્યોમાં ઋષભદેવના ગુણોત્કીર્તનરૂપે રચાયેલો છે.
અવચૂરિ–આના કર્તાનું નામ જાણવામાં નથી.
બાલશિક્ષા-આ ગુજરાતી ભાષા દ્વારા કાતત્ર નામનું સંસ્કૃત વ્યાકરણ શિખવવા માટેનું સાધન છે. એ સાઢાકના પુત્ર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહ વિ. સં. ૧૩૩૬માં કરેલી રચના છે. આ સંગ્રામસિંહ જૈન હશે એમ પં. લાલચન્દ્ર ભ. ગાંધીએ “બાલશિક્ષા” નામના એમના લેખમાં કહ્યું છે. એ હિસાબે આનો અહીં હું વિચાર કરું છું. પ્રારંભમાં પરબ્રહ્મને પ્રણામ કરી કર્તાએ આ વ્યાકરણના “પ્રક્રમ” નામના આઠ વિભાગોનાં નામ ગણાવ્યાં છે :
(૧) સંજ્ઞા, (૨) સંધિ, (૩) સ્વાદિ, (૪) કારક, (૫) સમાસ, (૬) અન્યોક્તિ-વિજ્ઞાન, (૭) સંસ્કાર અને (૮) ત્યાદિ.
સાતમાં પ્રક્રમમાં લગભગ ૬૦૦ ગુજરાતી શબ્દો એના સંસ્કૃત પર્યાય સાથે અપાયા છે. એમાંનાં ઘણાંખરાં ક્રિયાપદ છે. આ વ્યાકરણમાં શૃંગારતિલકાલંકાર, કુમારસંભવ, શિશુપાલવધ વગેરેમાંથી અવતરણ અપાયાં છે.
સારસ્વત વ્યાકરણ– સામાન્ય રીતે આના કર્તા તરીકે અનુભૂતિ-સ્વરૂપાચાર્ય (વિ. સં. ૧૩00)નું નામ સૂચવાય છે, પણ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૫૩) પ્રમાણે તો એઓ આ વ્યાકરણની પ્રક્રિયાને સરલ કરનારા છે અને સારસ્વતના વાસ્તવિક કર્તાનું નામ તો નરેન્દ્રાચાર્ય છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૩) પ્રમાણે પણ અનુભૂતિસ્વરૂપાચાર્યે તો કોઈકે રચેલાં સરસ્વતી-સૂત્રોની પ્રક્રિયા રચી છે. ૨૭૪
*ભોજ-વ્યાકરણ (લ. વિ. સં. ૧૬૬૫)–આના પ્રણેતા પાઠક વિનયસાગર છે. એઓ ‘વિધિ પક્ષના કલ્યાણસાગરસૂરિના શિષ્ય થાય છે. એમણે આ પદ્યાત્મક વ્યાકરણ કચ્છના રાજા નામે ભારમલ્લના
૧, ‘આખ્યાન' નહિ પણ “આખ્યાત’ જોઈએ. ૨. આ સ્તવ પ્રકાશિત છે ? 3. આને લઈને આપણે આ વિભાગને અકારાદિ ક્રમ વિનાના પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત કોશ તરીકે ઓળખાવી શકીએ ૪. આ વ્યાકરણ ઉમરસી રાયસીની વિધવા જેતબાઈએ વિ. સં. ૧૯૭૫માં મુંબઈથી પ્રકાશિત કર્યું છે. પ્રારંભમાં
બે પાનાં જેટલો સંસ્કૃતમાં ઉપોદ્યાત છે. ૫. સંસ્કૃત ઉપોદઘાતમાં સૂચવાયું છે કે સુધર્મસ્વામીથી ૩૪મી પાટે આ સૂરિ થયા વિ. સં. ૧૬૫૮માં તેઓ
હસ્તિનાપુરી આસપાસ વિહરતા હતા.
For Personal & Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
પુત્ર ભોજની તુષ્ટિ માટે એની આજ્ઞાથી રચ્યું છે. આ વ્યાકરણ ત્રણ વિભાગમાં વિભક્ત છે. એ વિભાગોને અનુક્રમે પ્રથમ વૃત્તિ, દ્વિતીયા વૃત્તિ અને તૃતીયા વૃત્તિ કહી છે. એમાં અનુક્રમે ૭૦૦ (પત્ર ૧૫-૨૯આ), ૧૦૭૮ (પત્ર ૨૯આ-૬૭) અને ૨૫૦ (પત્ર ૬૭-૭૬) પદ્યો છે. આમ એકંદર ૨૦૨૮ પદ્યો છે. એ પૈકી ઘણાંખરાં “અનુષ્ટ્રભુમાં છે.
પ્રથમ વૃત્તિનો પ્રારંભ લોકેશને પ્રણામ કરીને કરાયો છે. બીજા પદ્યમાં સરસ્વતીએ સંજ્ઞ સૂત્રો રચ્યાં છે એમ કહ્યું છે. ત્રીજા પદ્યની શરૂઆત “રૂ ૩ % તૃ સમાના:''થી કરાઈ છે. આમ આ વ્યાકરણ સારસ્વત વ્યાકરણનાં સૂત્રોનું પદ્યાત્મક વિવરણ છે. આ પ્રથમ વૃત્તિના અંતમાં પ્રશસ્તિરૂપે બે પદ્યો છે. એમાં ભોજ રાજા રાજ્ય કરે છે એવો ઉલ્લેખ છે. આથી આ કૃતિ એ રાજાના રાજ્ય દરમ્યાન રચાઈ
છે એમ ફલિત થાય છે. P ૨૭૫ દ્વિતીયા વૃત્તિની શરૂઆત શ્રીધરને નમનપૂર્વક કરાઈ છે. ત્યાર બાદ ધાતુઓના પ્રત્યયોનો
અધિકાર હાથ ધરાયો છે. આમ આ ‘ત્યાદિની વૃત્તિ છે. આના અંતમાં પણ પ્રથમ વૃત્તિની પેઠે પ્રશસ્તિરૂપે બે પદ્યો અપાયાં છે અને તે પણ લગભગ એના એ જ છે.
તૃતીયા વૃત્તિના પ્રારંભમાં શંભુને નમસ્કાર કરાયો છે અને અંતમાં પહેલી બે વૃત્તિની જેમ બે પદ્યો પ્રશસ્તિરૂપે છે. ત્યાર પછી નીચે મુજબનું એક વધારાનું પદ્ય છે :
"अवताद् वो हयग्रीवः कमलाकर ईश्वरः । सुरासुरनराकारमधुपापीतपत्कजः ॥"
આ સારસ્વત વ્યાકરણ તરફ જૈનોની અભિરુચિ સૂચવે છે. આની વિશેષ પ્રતીતિ તો એથી થાય છે કે એના ઉપર નીચે મુજબની ૧૯ જૈન ટીકાઓ મળે છે –
(૧) દીપિકા યાને ઢંઢિકા – આ વૃત્તિ “વટ” ગચ્છના વિનયસુન્દરના શિષ્ય મેઘરત્ન વિ. સં. ૧૫૩૬માં રચી છે. આને કેટલાક ઢુંઢિકા કહે છે. આનું પરિમાણ લગભગ ૭૫૦૦ શ્લોક જેટલું છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૪)માં ૪૫૦૦ જેટલું કહ્યું છે તે સમુચિત નથી. વળી ગચ્છનો “બૃહત્ ખરતર” તરીકેનો ઉલ્લેખ બ્રાન્ત છે. આની વિ. સં. ૧૬૦૫માં લખાયેલી હાથપોથી મળે છે. એ “મહિમાભક્તિ ભંડારમાં છે.
(૨) વૃત્તિ – દયારત્ન વિ. સં. ૧૬૨૬ની આસપાસમાં આ વૃત્તિ રચી છે.
(૩) ક્રિયાચન્દ્રિકા- વિ. સં. ૧૬૪૧માં “ખરતરમ્ ગચ્છના ગુણરત્ન આ રચી છે. P ૨૭૬ (૪) ન્યાસ – આ રત્નહર્ષ અને હેમરત્નના સંયુક્ત પરિશ્રમનું ફળ છે.
(૫) રૂપરત્નમાલા – ભાનુમેરુના શિષ્ય નયસુન્દરે ૧૪000 શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૬૭૬માં રચી છે. ૧. સરોવરમાં પધો જેમ ભમતા ભમરાઓની શ્રેણિમાં શોભે છે તેમ અંતભૂત સૂત્રો પદ્યોની શ્રેણિમાં શોભે છે.
જુઓ પૃ. ૭૬આ, શ્લો. ૨૪૪. ૨. કેટલાક પ્રયોગો પાણિનિના વ્યાકરણને આધારે અપાયા છે. જુઓ પત્ર ૭૬ ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૪) પ્રમાણે આ ધનરત્નના શિષ્ય છે.
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૭૪-૨૭૭]
૧૭૧
(૬) વૃત્તિ – ‘ખરતર' ગચ્છના હેમનંદન અને રત્નહર્ષના શિષ્ય સહજકીર્તિએ લક્ષ્મીકીર્તિની સહાયતાથી વિ. સં. ૧૬૮૧માં આ રચી છે.
(૭) 'ટીકા-ચન્દ્રકીર્તિસૂરિએ આ ટીકા વિક્રમની ૧૭મી સદીમાં રચી છે. સારસ્વત-ધાતુપાઠ રચનારા હર્ષકીર્તિસૂરિએ આનો પ્રથમાદર્શ લખ્યો છે.
(૮) ટીકા – હર્ષકીર્તિસૂરિએ આ રચી છે. (૯) પ્રક્રિયા-વૃત્તિ- વિક્રમની ૧૭મી સદીના ખરતરમ્ ગચ્છના વિશાલકીર્તિની આ રચના છે. (૧૦) ટીકા – ‘તપા' ગચ્છના ઉપા. ભાનુચન્દ્ર આ રચી છે. (૧૧) ટીકા - આની રચના ભાનુચન્દ્રના શિષ્ય દેવચન્દ્ર પદ્યમાં કરી છે.
(૧૨) ટિપ્પનક- આ હરિભદ્રની શિષ્ય ક્ષેમેન્દ્ર વિ. સં. ૧૬૯૨માં રચ્યું છે. ભાનુચન્દ્રગણિએ ૨૧૫૦ શ્લોક જેવડું જે ભાષ્યવિવરણ રચ્યું છે તે આ ટિપ્પનકની ટીકા છે એમ કેટલાક કહે છે.
(૧૩) પંજિકા – આના કર્તા ધર્મદેવ છે.
(૧૪) વૃત્તિ – આ વૃત્તિ છંદોબદ્ધ છે. એ “અંચલ' ગચ્છના કલ્યાણસાગરના શિષ્ય વિનયસાગરે રે ૨૭૭ રચી છે.
(૧૫) સિદ્ધાન્તચન્દ્રિકા – આના કર્તા જ્ઞાનતિલક છે. (૧૬) સિદ્ધાન્તરત્ન – આના કર્તા જિનેન્દ્ર છે. (૧૭) ન્યાયરત્નાવલી – આ ૧૩૦૦ શ્લોક જેવડી ટીકાના કર્તા દયાનંદ છે. (૧૮) સારદીપિકા – યતીશે આ વૃત્તિ ૨૨૦૦ શ્લોક જેવડી રચી છે. (૧૯) પંચસંધિટીકા – આના કર્તા સોમશીલ છે.
સિદ્ધાન્ત-ચન્દ્રિકા- આ સારસ્વત વ્યાકરણની અજૈન રામાશ્રમે રચેલી ટીકા છે. એ ટીકા ઉપર નીચે મુજબની જૈન ટીકાઓ છે :
(૧) ટીકા – આ અજ્ઞાતકર્તૃક છે. | (૨) ટિપ્પન – આના કર્તા ચન્દ્રકીર્તિસૂરિ છે કે જેમણે સારસ્વત વ્યાકરણ ઉપર વૃત્તિ રચી છે.
(૩) વૃત્તિ – ખરતર ગચ્છના ભક્તિવિજયના શિષ્ય સદાનંદગણિએ આ વૃત્તિ વિ. સં. ૧૭૯૮માં રચી છે. આને કેટલાક સુબોધિની કહે છે.
(૪) વૃત્તિ – વિજયવર્ધનના શિષ્ય જ્ઞાનતિલકે વિક્રમની ૧૮મી સદીમાં આ રચી છે. ૧. આ “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી છપાઈ છે. [ભીમશી માણેકે પ્રગટ કરી છે.] ૨. જુઓ અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજીનો લેખ “જૈનેતર સાહિત્ય અને જૈનો.” આ લેખ “જૈ. ધ. પ્ર.”
(પુ. ૫૪, અં. ૯)માં છપાયો છે. ૩. ઉપા. રાજસીએ પંચસંધિ-બાલાવબોધ રચ્યો છે. ૪. શ્રી અગરચંદ નાહટાએ રામચન્દ્રાશ્રય એવું નામ દર્શાવ્યું છે.
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
(૫) સુબોધિની – ‘ખરતરમ્ ગચ્છના રૂપચન્દ્ર (રામવિજયે) વિક્રમની ૧૮મી સદીના અંત ભાગમાં આ રચી છે. P. ૨૭૮ સારસ્વત–મંડન (લ. વિ. સં. ૧૪૭૫) – આના કર્તા અલંકાર-મંડન વગેરેના રચનારા જૈન
ગૃહસ્થ મંડન મંત્રી છે. એમણે આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિ સારસ્વત વ્યાકરણને અંગે રચી છે. એની તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૫૦૪માં લખાયેલી છે અને એ પાટણના ભંડારમાં છે.
ધાતુપાઠ (વિ. સં. ૧૬૬૩) – આ સારસ્વત વ્યાકરણને અંગેનો ધાતુપાઠ છે. એ ‘નાગપુરીય તપા' ગચ્છના હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૩માં રચ્યો છે. એના ઉપર ધાતુતરંગિણી નામની સ્વપજ્ઞ વૃત્તિ છે.
વીરસ્તવ (ઉ. વિ. સં. ૧૭૮૦)- આ પાર્થચન્ટે ૧૧ પદ્યમાં રચેલો અને સારસ્વત વ્યાકરણના સંજ્ઞા' અધિકારનાં સૂત્રોનાં પદોથી અંકિત સ્તવ છે.
ટીકા – આ ટીકા પૂર્ણિમા ગચ્છના ભાવપ્રભસૂરિએ રચી છે. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧.
સિદ્ધાન્તરનિકા (લ. વિ. સં. ૧૮૫૦) – આ “નાગપુરીય તપા' ગચ્છના સાગરચન્દ્રસૂરિના શિષ્ય જિનચન્દ્ર સરસ્વતી-સૂત્રોને લક્ષીને રચેલું વ્યાકરણ છે. એ જિનચન્દ્ર “ખરતર' ગચ્છના ક્ષમાકલ્યાણને ગુણસાગર-ચરિત્ર અને પૃથ્વીચન્દ્ર-ચરિત્રની રચનામાં સહાય કરી હતી.
સારસ્વત-વિભ્રમની અવચૂર્ણિ—આપણે પૃ. ૮૬-૮૭માં જોઇ ગયા તેમ ૨૧ કારિકાની એક કૃતિને હૈમ-વિભ્રમ તેમજ સારસ્વત-વિભ્રમ પણ કહે છે. એ કૃતિ ઉપર “ખરતર' ગચ્છના પ્રતિભદ્રગણિના
શિષ્ય ચારિત્રસિંહે ખરતર' ગચ્છના જિનમાણિજ્યસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના રાજ્યમાં વિ. સં. P ૨૭૯ ૧૬૨પમાં ધોળકામાં અવચૂર્ણિ રચી છે અને એ દ્વારા વ્યાકરણવિષયક કોયડાઓનો ઉકેલ સારસ્વત
વ્યાકરણનાં સૂત્રો આપી કર્યો છે. “વ' કારથી જે કેટલીક બાબતો સમજવાની છે તે બાબતો એકંદર ૧૧ કારિકરૂપે આ અવચૂર્ણિમાં અપાઈ છે અને એમાંની બે અવચૂર્ણિકારની રચના છે. વળી હૈમવિભ્રમની ગુણચન્દ્રસૂરિકત વૃત્તિવાળી આ વૃત્તિમાં “જૂથન જૂથાનિ' થી શરૂ થતું છઠ્ઠ પદ્ય છે તે આ સારસ્વતવિભ્રમમાં નથી. કોઈ કોઈ સ્થળે પાઠાંતર છે તેને લક્ષીને આ અવચૂર્ણિ રચાઈ છે.
અનિ-કારિકા- આના કર્તા વિષે ખબર નથી. એને અંગે ત્રણ સ્પષ્ટીકરણો મળે છે – (૧) ટીકા – આ અજ્ઞાતકર્તૃક છે. (૨) વિવરણ – હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૩માં આ રચ્યું છે.
(૩) વિવરણ – આના કર્તા ક્ષમામાણિક્ય છે. આ વિવરણની એક હાથપોથીનો સંક્ષિપ્ત ૧. આ સ્તવ ભાવપ્રભસૂરિકૃત ટીકા સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૬૧૮-૬૪૮)માં છપાયો છે. ૨. આ કતિ “જૈન જ્ઞાન ભંડાર સમાજ'' તરફથી વીસનગરથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે. વળી એ
ય. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૦માં છપાઈ છે. ૩. આ મળ કતિ સહિત “ઋ. કે. . સં.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૬ ૪. જુઓ પત્ર ૩૬, ૩૯, ૪૧, ૪૨, ૪૩, ૪૭, ૪૯ અને ૫૦. પત્ર ૩૬માં વધારાની બે કારિકા, ૪૧મામાં બે, ૪૨મામાં બે (આ બે પદ્યો અવચેરિકારની રચના છે) અને બીજાં બધાં પત્ર ઉપર એકેક છે.
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૭૭-૨૮૦]
૧૭૩
પરિચય D 0 G C M (Vol. II, pt. 1, p. 187) માં અપાયો છે. ત્યાં કહ્યું છે કે અનિકારિકામાં ૧૧૧ પદ્યો છે. અને એ કાત– વ્યાકરણને અનુસરતાં હોય એમ જણાય છે.
આ વિવરણ વિનીત અક્ષયચન્દ્રના પઠનાર્થે જલંધરમાં ક્ષમામાણિજ્યગણિએ રચ્યું છે એમ એના અંતિમ પદ્યમાં ઉલ્લેખ છે.
અવચૂરિ–અનિકારિકા ઉપર બે અવચૂરિ છે. એમાંની એક મુનિ ભાવરને લખી છે. “અવચૂરિ” શબ્દ વિચારતાં આ બંને અવચૂરિના કર્તા જૈન અને તે પણ શ્વેતાંબર હોય એમ લાગે છે. આને શ્રી. અગરચંદ નાહટાએ અવસૂરિ કહી છે. ?
ભૂ-ધાતુ- આના કર્તાનું નામ જાણવામાં નથી. ભૂ-ધાતુ-વૃત્તિ- આ વૃત્તિ “ખરતર' ગચ્છના ક્ષમા કલ્યાણ વિ. સં. ૧૮૨૮માં રચી છે. ભૂધાતુ-વૃત્તિ-સંગ્રહ – આના કર્તા જિનલાભસૂરિ છે. (૨) કોશ
P ૨૮૦ 'અમર-કોશ- આ નામલિંગાનુશાસનના કર્તા અમરસિંહને ઘણાખરા વિદ્વાનો અજૈન-બૌદ્ધ માને છે. એથી હું એમની કૃતિ વિષે અહીં વિચાર કરું છું. એમના આ કોશનું નામ ન સાંભળ્યું હોય એવી સંસ્કૃતજ્ઞ વ્યક્તિ ભાગ્યે જ હશે. આ કોશ જે સ્વરૂપે અત્યાર સુધી મળ્યો છે તે જોતાં એમાં (૧) સ્વરાદિ, (૨) ભૂખ્યાદિ અને (૩) સામાન્ય એમ ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં સ્વર્ગ, પાતાલ ઇત્યાદિ દસ વર્ગ છે; બીજામાં ભૂમિ વગેરે દસ વર્ગ છે; અને ત્રીજામાં વિશેષ્યનિધ્ર ઇત્યાદિ પાંચ વર્ગ છે.
ક્રિયાકલાપ– વિ. સં. ૧૨૫૦ થી ૧૩૦૦ના ગાળામાં થઈ ગયેલા દિ. આશાધરે અમરકોશ ઉપર ટીકા રચી છે એમ અનગારધર્મામૃત ઉપરની એમની વૃત્તિની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. પરંતુ હજી સુધી તો એ ટીકા મળી આવી નથી. આ ટીકાનું નામ ક્રિયાકલાપ છે એમ કેટલાક કહે છે, પણ એ તો આ દિ. પંડિતની અન્ય કૃતિ છે.
પશંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તુતિ- આ અમરકોશના આદ્ય પદ્યનાં ચાર ચરણની પૂર્તિરૂપે ચાર અને પ્રશસ્તિનું એક પદ્ય એમ પાંચ પદ્ય ક્ષમા કલ્યાણ સૂક્તરત્નાવલીમાં ગ્લો. ૧૨-૧૬ તરીકે રચ્ય
તરીકે રચ્યાં છે (જુઓ ૧. આ પૈકી આદ્ય અને અંતિમ એ બે પદ્યો b c C M (Vol. II, Pt. 1, p.187) ૨. આ બેનાં અવતરણ માટે જુઓ D 0 G C M (Vol. II, pp. 1, )નાં અનુક્રમે પૃ. ૧૮૯ અને ૧૯૧. ૩. એમની વિવિધ કતિઓની નોંધ માટે જુઓ પૃ. ૨૫૮. ૪. આનાં વિવિધ પ્રકાશનો જોવાય છે. જેમકે પાંડુરંગ જાદવજી દ્વારા “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૨૧માં પ્રકાશિત આઠમું સંસ્કરણ અને આ જ મુદ્રણાલય તરફથી ભટ્ટોજિ દીક્ષિતના પુત્ર ભાનુજિ દીક્ષિતે રચેલી વ્યાખ્યા સુધા યાને રામાશ્રમી નામની વૃત્તિ સહિતની મૂળ કૃતિનું ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત
છઠ્ઠ સંસ્કરણ. ૫. આ સ્તતિ અવચરિ સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૮૮આ-૮૯૮)માં છપાવાઈ છે. ૬. “વર્ણ જ્ઞાનયાસિન્થોર Tધીના ગુણ: | સેવ્યતામhયો ધીર: ! સરે વીકૃતીય ''
For Personal & Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૭૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
પૃ. ૨૫૮). પ્રથમ ચરણ પ્રથમ પદ્યના પ્રથમ ચરણરૂપે, દ્વિતીય ચરણ દ્વિતીય પદ્યના દ્વિતીય ચરણરૂપે એમ
અહીં યોજના કરાઈ છે. P ૨૮૧
(૩) છન્દ "શ્રુતબોધ– આના કર્તા તરીકે કેટલાક કાલિદાસનું તો કેટલાક વરરુચિનું નામ સૂચવે છે. આ ૪૪ પદ્યની નાનકડી કૃતિ એના પ્રણેતાએ પોતાની પત્નીને સંબોધીને આનું કહેવાય છે. આમાં એમણે આઠ ગણો ગણાવી, આર્યા વગેરેનાં લક્ષણોથી શરૂઆત કરી, કયો અક્ષર ગુરુ છે અને કયો લઘુ છે એ રીતે, પતિના નિર્દેશપૂર્વક સમવૃત્તોનાં લક્ષણો આપ્યાં છે. આ શ્રુતબોધ ઉપર નીચે મુજબની છ જૈન ટીકાઓ છે :
(૧) વૃત્તિ- આના કર્તા નાનક ઉર્ફે જીમૂતાનંદના શિષ્ય હંસરાજ છે. એમણે આ વૃત્તિ વિ. સં. ૧૬૪પમાં રચી છે.
(૨) વૃત્તિ- આના રચનાર ‘નાગપુરીય તપા' ગચ્છના ચન્દ્રકીર્તિ-સૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિ છે. આમ આ વિક્રમની ૧૭મી સદીની કૃતિ છે.
(૩) વૃત્તિ – આના કર્તા નવિમલ છે.
(૪) વૃત્તિ – આ વાચક મેઘચન્દ્રના શિષ્યની રચના છે. આનો પ્રારંભ “શ્રીમત્સારસ્વતં" થી થાય છે તો શું આ જ વૃત્તિ “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી છપાઈ છે ?
(૫) પુરાણી વૃત્તિ – આના કર્તા કાન્તિવિજય છે.
(૬) ટીકા – આના કર્તા માણિક્યમલ્લ છે. P. ૨૮૨
'વૃત્ત-રત્નાકર (લ. વિ. સં. ૧૦૦૦)- આના કર્તા શૈવ શાસ્ત્રના જાણકાર પબેકના પુત્ર કેદારભટ્ટ છે. એમનો સમય ઇ. સ. ૧000ની આસપાસનો ગણાય છે. એમણે રચેલી આ પદ્યાત્મક કૃતિ શ્રુતબોધ કરતાં મોટી છે. એ નિમ્નલિખિત છ અધ્યાયમાં વિભક્ત છે :
(૧) સંજ્ઞા, (૨) માત્રાવૃત્ત, (૩) સમવૃત્ત, (૪) અર્ધસમવૃત્ત, (૫) વિષમવૃત્ત અને (૬) પ્રસ્તાર. ટીકાઓ- આ વૃત્તરત્નાકર ઉપર નીચે મુજબની છ જૈન ટીકાઓ રચાઈ છે :
૧. આ કૃતિ “શ્રીમત્સરસ્વતં ધામ''થી શરૂ થતી વૃત્તિ તેમજ સટીક વૃત્તરત્નાકર સહિત ક્ષેમરાજ કૃષ્ણદાસે
વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત કરી છે. શ્રુતબોધની આ વૃત્તિમાં વૃત્તરત્નાકરમાંથી અવતરણો અપાયાં છે. ૨. શું આ જૈન છે ? ૩. જુઓ પ્રો. પિટર્સનના ત્રીજા હેવાલનું પરિશિષ્ટ (પૃ. ૨૨૫). ૪. આ “હરિતોષ સમિતિ” દ્વારા અને “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી છપાયો છે. ૫. જુઓ A B C R I (Vol. XVII, pp 397-399) માં છપાયેલો શ્રી. પી. કે. ગોડેનો લેખ.
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણોનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૮૦-૨૮૪]
૧૭૫
(૧) ઉપાધ્યાયનિરપેક્ષા– આ નામની વૃત્તિના કર્તા આસડ છે. આ આસડ તે વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન, કવિસભાશૃંગાર'ના બિરુદથી વિભૂષિત અને મેઘદૂત ઉપર ટીકા રચનારા આસડ જ હશે એમ લાગે છે.
(૨) વૃત્તિ- “વાદી દેવસૂરિના સંતાનય જયમંગલસૂરિના શિષ્ય સોમચન્દ્રમણિએ આ વૃત્તિ વિ. સં. ૧૩૨૯માં રચી છે.
(૩) ટિપ્પનક- “ખરતર’ ગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય ક્ષેમહંસે આ ટિપ્પનક રચ્યું છે. તેઓ વિક્રમની ૧૫મી સદીમાં થઈ ગયા છે. ?
(૪) બાલાવબોધ – (ખરતર’ ગચ્છના મેસુન્દરે આ બાલાવબોધ રચ્યો છે. એઓ વિક્રમની સોળમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. (૫) વૃત્તિ – આ વૃત્તિ સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૯૪માં રચી છે.
P ૨૮૩ (૬) વૃત્તિ – આના કર્તા હર્ષકીર્તિસૂરિના શિષ્ય અમરકીર્તિના શિષ્ય યશકીર્તિ છે.
(૪) અલંકાર કાવ્યાદર્શ (લ. વિ. સં. ૭૦૦) – આની રચના દંડીએ કરી છે. એમનો સમય ઇ. સ. ૬૦૦થી ૭૦૦ના ગાળાનો ગણાય છે. કેટલાકને મતે ભારવિ એમના પિતામહના મિત્ર થાય છે. એમના આ કાવ્યાદર્શમાં ત્રણ પરિચ્છેદ છે. જેઓ ચાર ગણાવે છે તેઓ ત્રીજાના બે ભિન્ન ભિન્ન વિભાગ પાડી તેમ કરે છે. એમાં લગભગ ૬૬૦ પદ્યો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યની વ્યાખ્યા આપી એના ગદ્ય, પદ્ય અને મિશ્ર એમ ત્રણ પ્રકાર સુચવાયા છે. ગદ્યના આખ્યાયિકા અને કથા એવા બે ભેદ સૂચવી એ બેમાં વાસ્તવિક રીતે કશો તફાવત નથી એમ અહીં કહેવાયું છે. સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મિશ્ર એમ ચાર પ્રકાર દર્શાવાયા છે. વૈદર્ભ અને ગૌડી એ બે રીતિ, દસ ગુણો, અનુપ્રાસ તેમજ કવિ બનવા માટેની ત્રિવિધ યોગ્યતા એ વિષયો પણ પ્રથમ પરિચ્છેદમાં જોવાય છે.
દ્વિતીય પરિચ્છેદમાં અલંકારની વ્યાખ્યા આપી પાંત્રીસ અલંકારો ગણાવાયા છે.
તૃતીય પરિચ્છેદમાં યમકનું વિસ્તૃત નિરૂપણ છે. સાથે સાથે જાતજાતના ચિત્રબંધો, સોળ પ્રકારની ૨૮૪ પ્રહેલિકા અને દસ દોષો વિષે માહિતી અપાઈ છે.
૧. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪) ૨. ભટ્ટિકાવ્યની જયમંગલા નામની ટીકાના કર્તા તરીકે કેટલાક આ સૂરિનો નિર્દેશ કરે છે. 3. કેટલાકને મતે આ મંગલસૂરિના શિષ્ય થાય છે. ૪. આનાં વિવિધ પ્રકાશનો છે. ડૉ. એસ. કે. ડેએ H S P (Vol. I, pp. 72-73).માં આની નોંધ લીધી છે. પ. આનું કાનડીમાં ભાષાંતર થયું છે. ૬. સંસ્કૃતમાં ‘ઇંડિનું નામ છે.
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
ટીકા-કાવ્યાદર્શ ઉપર વિવિધ વૃત્તિઓ રચાયેલી છે. એ પૈકી ત્રિભુવનચન્દ્ર ઉર્ફે વાદિસિંહસૂરિની ટીકા એ જૈન ટીકા છે. આની એક હાથપોથી વિ. સં. ૧૭૭૮માં “બંગાળી” લિપિમાં લખાયેલી છે.
કાવ્યાલંકાર (ઉ. વિ. સં. ૯૫૦) – પુષ્પદંતે મહાપુરાણ (સંધિ ૧, કડવક ૯)માં નિર્દેશેલા રુદ્રટે આ કૃતિ સોળ અધ્યાયમાં રચી છે. ભામહે અને વામને પણ પોતાની કૃતિનું નામ કાવ્યાલંકાર રાખ્યું છે. રુદ્રટનો સમય ઇ.સ. ૯૦૦ કરતાં કંઈક વહેલો ગણાય છે. •
અલંકારોના વર્ગીકરણ માટે સૈદ્ધાંતિક વ્યવસ્થા કરનાર તરીકે તેમજ નવ રસમાં “પ્રેયસ્ નામનો દસમો રસ ઉમેરનાર તરીકે રુદ્રટનું નામ મોખરે છે. એમણે ત્રીજા અધ્યાયમાં યમક વિષે ૫૮ પદ્યો આપ્યાં P ૨૮૫ છે. એમણે અ. પમાં ચક્ર-બંધ, મુરજ-બંધ ઇત્યાદિને સ્થાન આપ્યું છે. એમની આ કૃતિ ઉપર બે જૈન ટીકા છે :
(૧) વૃત્તિ – આના કર્તા નમિસાધુ છે. એમણે વિ. સં. ૧૧૨૨માં આવશ્યકવૃત્તિ-ચૈત્યવંદનવૃત્તિ રચી છે. એઓ “પથારાપદ્ર' ગચ્છના શાલિભદ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે આ વૃત્તિ વિ. સં. ૧૧૨૫માં રચી છે. કેટલાક એને “ટિપ્પન” કહે છે. અ. ૫, શ્લો. ૧૨-૧૪ની વૃત્તિમાં એમણે કહ્યું છે કે ભટ્ટ વાસુકના પુત્ર શતાનંદ ઉર્ફે રુદ્રટે આ કૃતિ (કાવ્યાલંકાર) રચી છે. એ રુદ્રટ સામવેદના અભ્યાસી હતા.
નમિસાધુએ એમની પૂર્વે કાવ્યાલંકાર ઉપર રચાયેલી વૃત્તિનો લાભ લીધો છે. એમણે પોતાની ઉપર્યુક્ત વૃત્તિમાં કેટલાક ગ્રંથ અને ગ્રંથકારોનાં નામ આપ્યાં છે અને કેટલાકમાંથી અવતરણ આપ્યાં છે, જેમકે અર્જુનચરિત (૧૬-૪), ઉભટ (૬-૩૩), કાદંબરી, કિરાતાર્જુનીય, છંદશાસ્ત્ર રચનાર જયદેવ (૧-૧૮), તિલકમંજરી (૧૬-૩), દંડી, નામમાલા, પાણિનિકૃત પાતાલવિજયમહાકાવ્ય (૨-૮), પિંગલ, બૃહત્કથા (૨-૧૨), ભરત (૧૨-૪; ૧૨-૪૪), ભર્તુહરિ, ભામહ (૮-૮૪; ૧૦-૨), માઘકાવ્ય (૧-૨૦; ૮-૬૪), માલતીમાધવ (૭-૩૩), મૃચ્છકટિક (૮-૧), મેઘદૂત, મેઘાવિરુદ્ર (૧-૨; ૨-૨),
રત્નાવલી (૭-૩૩), વામન (૧-૨૦; ૮-૧૦), વિકટનિતંબા (૬-૪૭), વેણીસંહાર (૭-૭૩), શિવભદ્ર P ૨૮૬ (૪-૪), શિશુપાલવધ, અલંકારશાસ્ત્ર ઉપર પાઇયમાં કૃતિ રચનાર હરિ (૨-૧૯), અને હર્ષચરિત.
૧. ‘વાદિ' એ વિશેષણ હોય તો આ સિંહસૂરિ તે કોણ હશે તેની તપાસ કરતાં એમ જણાય છે કે “કામદ્રહ’ ગચ્છના ઉપા. જે નરચંદ્ર વિ. સં. ૧૩૨૪માં પ્રશ્નશતક રચ્યું છે તેમના ગુરુનું નામ સિંહસૂરિ અને પ્રગુરુનું નામ ઉદ્યોતનસૂરિ છે. જુઓ જૈ. સા. સં. ઇ.નું પૃ. ૪૧૩. પૃ. ૪૬૮માં તો એવો ઉલ્લેખ છે કે “કા દ્રહ' ગચ્છના ઉદ્યોતનસૂરિના શિષ્ય સિંહસૂરિએ પોતાને માટે દેવમૂર્તિ નામના ઉપાધ્યાયે રચેલા વિક્રમચરિતની એક હાથપોથી શીલસુંદર
પાસે વિ. સં. ૧૪૮૨માં અને બીજી માહીતિલક પાસે વિ. સં. ૧૪૯૬માં લખાવી હતી. ૨. આ કાવ્યાલંકાર નમિસાધુકૃત ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી પ્રસિદ્ધ થયેલી “કાવ્યમાલા'માં
ઇ. સ. ૧૮૮૬માં છપાયેલો છે. ૩. આ સંબંધમાં જુઓ “પુરાતત્ત્વ” (પૃ. ૪, પૃ. ૧૫૫)માં છપાયેલો લેખ નામે “બે મહત્ત્વના ગ્રંથોની શોધ." ૪. ધમ્મોવએસમાલાનું પાઇયમાં વિ. સં. ૧૧૨૯માં વિવરણ કરનાર શું આ નમિસાધુ છે ? ૫. આ નામના નગરને “થરાદ' કહે છે. ૬. આ કાવ્યમાંથી એક પદ્ય અને એક પદ્યનો અંશ અવતરણરૂપે નમિસાધુએ આપ્યાં છે. ૭. જુઓ મહામહોપાધ્યાય પી. વી. કાણેનો સાહિત્યદર્પણને અંગેનો વિસ્તૃત અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. ૧૪).
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૮૪-૨૮૭]
૧૭૭
અપભ્રંશનો પરિચય આપતાં નમિસાધુએ કહ્યું છે કે કેટલાક એના (૧) ઉપનાગર, (૨) આભીર અને (૩) ગ્રામ્ય એમ ત્રણ પ્રકાર ગણાવે છે, પરંતુ એના નિરસનાર્થે રુદ્રટે અપભ્રંશ ભાષાને અનેક પ્રકારવાળી કહી છે, કેમકે દેશો ઘણા હોવાથી એના ઘણા પ્રકાર સંભવે છે અને એ પ્રકારનાં લક્ષણ તે તે દેશના લોકો પાસેથી જાણી શકાય તેમ છે.
(૨) નિબંધન–“સપાદલક્ષ' દેશથી નીકળીને માળવામાં ધારામાં રહી વિદ્યા પ્રાપ્ત કરનાર દિ. આશાધરે આ રચ્યું છે. આ આશાધરે સાગારધર્મામૃત અને અનગારધર્મામૃતની ટીકા અનુક્રમે વિ. સં. ૧૨૯૬ અને ૧૩૦)માં રચી છે.
કાવ્યપ્રકાશ (લ. વિ. સં. ૧૧૧૦) – આના કર્તા મમ્મટ છે. એમણે દસ ઉલ્લાસમાં ૧૪૩ કારિકામાં કાવ્યશાસ્ત્રને લગતી બધી બાબતો સમાવી દીધી છે. જૈન સાહિત્યમાં ત. સૂ, વેદાંતમાં શારીરક-ભાષ્ય અને વ્યાકરણમાં મહાભાષ્ય જેમ વિવિધ વ્યાખ્યા અને નિરૂપણના વિષય બન્યા છે તેમ આ કાવ્યપ્રકાશને અંગે પણ બનવા પામ્યું છે.
મમ્મટે કાવ્યપ્રકાશની કારિકાઓ ઉપર વૃત્તિ રચી છે. એમણે અન્ય ગ્રંથકારોની કૃતિઓમાંથી ? ૨૮૭ આશરે ૬૨૦ પદ્યો આપ્યાં છે. એમણે એમના પૂર્વગામી અભિનવગુપ્ત, વામન, રુદ્રટ, ભામહ, ઉદ્ભટ વગેરેની કૃતિઓનો ઉપયોગ કર્યો છે અને પ્રસંગવશાત્ એમનાથી ભિન્ન અભિપ્રાય વ્યક્ત કર્યા છે. એમણે કાલિદાસ જેવાની કૃતિમાં પણ દોષ દર્શાવ્યા છે. “કલિ.” હેમચન્દ્રસૂરિએ આ કાવ્યપ્રકાશનો લાભ લીધો છે. એની રચના ઈ. સ. ૧૦૫૦થી ૧૧૦૦ના ગાળામાં થઈ હોય એમ લાગે છે. આના ઉપર નીચે મુજબની છ જૈન ટીકાઓ રચાઈ છે :
(૧) "સંકેત–“રાજ ગચ્છના સાગરચન્દ્ર મુનીન્દ્રનાં ચરણકમળને વિષે ભ્રમર સમાન માણિજ્યચન્દ્રસૂરિએ કાવ્યપ્રકાશના ઉપર આ સંકેત નામની ટીકા રચી છે. આ રચના ક્યારે થઈ એ બાબતમાં ત્રણ મત જોવાય છેઃ કેટલાક એને વિ સં. ૧૨૧૬ની રચના ગણે છે તો કેટલાક વિ. સં. ૧૨૪૬ની તો કેટલાક વિ.સં. ૧૨૬૬ની- સંકેતમાં રચના-સમય “રસ-વત્ર-ગ્રહાધીશ” એમ શબ્દાંક દ્વારા સૂચવાયો છે. જેઓ આ માણિજ્યચન્દ્રને વસ્તુપાલના સમકાલીન ગણે છે તેમને મતે વિ. સં. ૧૨૧૬ની સાલ બંધબેસતી થતી નથી.
- મમ્મટના કાવ્યપ્રકાશ ઉપરની પ્રાચીન ટીકાઓમાંની એક તે આ સંકેત છે. એ જૈન ટીકાઓમાં સૌથી પ્રાચીન છે. એમાં ભામહ, ઉદ્ભટ, દંડી, વામન, અભિનવગુપ્ત, મુકુલ, ભોજ વગેરેના અભિપ્રાયોનો
૧. આનાં વિવિધ પ્રકાશનો જોવાય છે. તેમાં કેટલાંક મૂળ કૃતિ પૂરતાં તો કેટલાંક ટીકા સહિત મૂળ કૃતિનાં છે.
આની નોંધ B C G C M (Vol. XII p. 58) માં છે. મૂળ કૃતિનો ગંગાધરનાથ ઝાએ કરેલો અંગ્રેજી અનુવાદ
ઈ. સ. ૧૯૧૮માં છપાયો છે. ૨. કેટલાક અલટનો પણ નિર્દેશ કરે છે. ૩. નાટ્યશાસ્ત્રની વિવિધ બાબતોની વાત જુદી છે. જુઓ પૃ. ૧૬૮. ૪. વિશ્વનાથને મતે કારિકા અને વૃત્તિ એ બંનેના કર્તા મમ્મટ છે. જુઓ એમનું સાહિત્યદર્પણ (પરિ. ૬ અને ૭). ૫. આ સંકેત ટીકા “આનંદાશ્રમ ગ્રન્થાવલી”માં ગ્રન્થાંક ૮૯ તરીકે ઈ.સ. ૧૯૨૧માં અને “મહૈસુર સરકારની
ગ્રન્થમાલા''માં ગ્રન્થાંક ૬૦ તરીકે ઈ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલી છે.
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૭૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
P ૨૮૮ ઉલ્લેખ છે. કેટલેક સ્થળે માણિક્યચન્દ્ર પોતાના કાવ્યમાંથી ઉદાહરણ આપ્યાં છે. જયાં સંક્ષિપ્ત વિવરણ
જોઈએ ત્યાં તે અને જ્યાં વિસ્તૃત જોઇએ ત્યાં તે એ પ્રમાણેની પ્રમાણપુરસ્સરની વ્યવસ્થાથી આ ટીકાનું મહત્ત્વ વધે છે.
સામ્ય-કાવ્યપ્રકાશ (ઉં. ૯, શ્લો. ૮૫)માં ખગ, મુરજ અને પદ્મ એ ત્રણ બંધોનું એકેક ઉદાહરણ અપાયું છે. આ ત્રણ બંધોની રચના વિષે સંકેતમાં જે નિરૂપણ છે તે અ. ચૂ. અને વિવેક સાથે અક્ષરશઃ મળે છે તો આવું શું કારણ ?
(૨) ટીકા-વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલા ‘તપા' ગચ્છના હર્ષકુલે આ રચી છે.
(૩) સારદીપિકા- “ખરતરમ્ ગચ્છના જિનમાણિક્યસૂરિના શિષ્ય વિનયસમુદ્રગણિના શિષ્ય ગુણરત્નમણિએ પોતાના શિષ્ય રત્નવિશાલને માટે દસેક હજાર શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૬૧૦(?)માં રચી છે.
(૪) વૃત્તિ-જયાનંદસૂરિએ ૪૪OO શ્લોક જેવડી આ વૃત્તિ રચી છે. (૫) ટીકા-ભાનુચન્દ્રમણિએ આ રચી છે.
(૬) ટીકા–“ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ આ ટીકા રચી છે પણ તેનો થોડોક જ ભાગ બીજા અને ત્રીજા ઉલ્લાસ પૂરતો હજી સુધી તો મળી આવ્યો છે. જે ભાગ મળ્યો છે તેમાં યશોવિજયગણિએ વિવિધ મતો દર્શાવી પોતાનો મત પણ દર્શાવ્યો છે. [ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી સંપાદિત આ ટીકા હિન્દી અનુ. સાથે યશોભારતી પ્ર. મુંબઇથી વિ. સં. ૨૦૩રમાં પ્રસિદ્ધ થઈ છે.]
અભ્યાસ-સોમસૌભાગ્ય કાવ્ય (સ. ૧૦)માં કહ્યું છે કે “કૃષ્ણ વાગેવતા”ના બિરુદથી વિભૂષિત જયચન્દ્રસૂરિએ ઘણા શિષ્યોને કાવ્યપ્રકાશ, સંમતિપ્રકરણ વગેરે ગ્રંથો ભણાવ્યા હતા. ૨૮૯ સરસ્વતીકંઠાભરણ (લ. વિ. સં. ૧૧૫૦)– પશૃંગારપ્રકાશ રચનારા અજૈન ગ્રંથકાર ભોજે ઉર્ફે
ભોજદેવે આ રચ્યું છે. શ્રી કાણેના મતે આ મહાકાય કૃતિ ઓછેવત્તે અંશે સંગ્રહાત્મક છે. કાવ્યાદર્શ, ધ્વન્યાલોક વગેરેમાંનાં પદ્યો અહીં ગૂંથી લેવાયાં છે. કાવ્યાદર્શમાંનાં લગભગ બસો પદ્યોનો અહીં ઉપયોગ કરાયો છે. આ સરસ્વતીકંઠાભરણમાં આશરે ૧૫૦૦ ઉદાહરણો છે અને એથી સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ માટે એ ઉપયોગી છે. આ કૃતિ પાંચ પરિચ્છેદોમાં ૬૪૩ કારિકામાં રચાયેલી છે. રસ અને ગુણને પણ અહીં ‘અલંકાર કહેલા છે. એ આ કૃતિની એક વિશિષ્ટતા છે.
ઉપમા વગેરેનો શબ્દ તેમજ અર્થના અલંકારરૂપે નિર્દેશ કરનાર તરીકે ભોજ લગભગ એકલા જ છે.
૧, આ કાવ્ય તે કર્યું તેની તપાસ કરવી બાકી રહે છે. ૨. આ સંબંધમાં મેં મારા લેખ નામે “અલંકારચૂડામણિ, વિવેક અને સંકેત”માં ચર્ચા કરી છે. આ લેખ “આ.
પ્ર.” (પુ. ૫૧, અં. ૧૨)માં છપાવાયો છે. ૩. જુઓ સિદ્ધિચન્દ્રમણિકૃત ભાનુચન્દ્રમણિચરિત. આ સિદ્ધિચન્દ્રમણિએ કાવ્યપ્રકાશખંડન રચ્યું છે. ૪. આ અનેક વાર પ્રસિદ્ધ થયું છે. ૫. આના પ્રકાશ ૨૨-૨૪માં ૨૫૧ પાઇય અવતરણો છે તો એ હિસાબે સમગ્ર ગ્રંથમાં તો કેટલાંયે હશે ?
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણોનાં જૈન વિવરણો ઃ [પ્ર. આ. ૨૮૮-૨૯૧]
પદપ્રકાશ–સરસ્વતીકંઠાભરણ ઉપર પાર્શ્વચન્દ્રના પુત્ર આજડે પદપ્રકાશ નામની આ ટીકા રચી છે. આ ટીકાની પુષ્પિકા તેમજ આ ટીકામાંથી કેટલાક ઉત્કૃત ભાગો પત્તન. સૂચી (ભાગ ૧, પૃ. ૩૭૩૯)માં અપાયેલાં છે.
ચન્દ્રાલોક (લ. વિ. સં. ૧૨૭૫)– આના કર્તા જયદેવ છે.૧
કાવ્યાસ્નાય– શું એ ઉપર્યુક્ત કૃતિની ટીકા છે ?
વિદગ્ધમુખમંડન (ઉ. વિ. સં. ૧૩૧૦) – આ ધર્મદાસ નામના બૌદ્ધની કૃતિ છે. એમાં ચાર પરિચ્છેદો છે. એમાં પ્રહેલિકાઓ (emigmatology) અને ચિત્ર-કાવ્યોને સ્થાન અપાયું છે. રત્નાપણ P ૨૯૦ અને શાŚધરપદ્ધતિમાં આ કૃતિનો ઉલ્લેખ છે. ઇ. સ.ની ૧૩મી સદીની પૂર્વેની આ કૃતિ છે. એના ઉપર નીચે મુજબની જૈન ટીકાઓ છે :–
(૧) અવચૂર્ણિ – આના કર્તા ‘ખરતર’ ગચ્છના જિનપ્રભસૂરિ છે. એમણે ૭૦૦ સ્તોત્રો રચ્યાં છે.
-
(૨) ટીકા – ‘ખરતર’ ગચ્છના જિનસિંહસૂરિના શિષ્ય લબ્ધિચન્દ્રના શિષ્ય શિવચન્દ્રે આ ટીકા
વિ. સં. ૧૬૬૯માં રચી છે.
(૩) વૃત્તિ – આ વિનયસુન્દરના શિષ્ય વિનયરત્નની રચના છે. એઓ ૧૭મી સદીમાં થઈ ગયા છે. (૪) ટીકા – આ ‘ખરતર' ગચ્છના સુમતિકલશના શિષ્ય વિનયસાગરે વિ. સં. ૧૬૯૯માં રચી છે. (૫) ટીકા–આના કર્તા ભીમવિજય છે.
(૬) અવસૂરિ–આના કર્તાનું નામ જાણવામાં નથી.
(૭) ટીકા
-
૧૭૯
આના કર્તા કુ (? ક) કુદાચાર્યના સંતાનીય (?) છે.પ
(૮) બાલાવબોધ–સટ્ટિસયગપયરણ, વાગ્ભટાલંકાર ઇત્યાદિ વિવિધ કૃતિઓ ઉપર બાલાવબોધ રચનાર ઉપા– મેરુસુંદરે ૧૪૫૪ શ્લોક જેવડો આ બાલાવબોધ રચ્યો છે. એઓ જિનચન્દ્રસૂરિ (વિ. સં. ૧૪૮૭૧૫૩૦)ના શિષ્ય થાય છે. આ બાલાવબોધની શરૂઆતમાં પાંચ પદ્યો સંસ્કૃતમાં છે. એમાં મૂળ પદ્યાત્મક કૃતિનું P. ૨૯૧ કટકે કટકે સંસ્કૃતમાં વિવરણ અપાયું છે અને સાથે સાથે ગુજરાતીમાં એની સમજૂતી અપાઈ છે.
(૫) ગણિત
ગણિતસાર–આના કર્તા શ્રીધર છે. શું ત્રિશતિકાના કર્તા શ્રીધર (ઇ. સ. ૭૫૦) તે જ આ છે ?
૨. જુઓ પૃ. 106.
૧. જુઓ પૃ. 106.
૩. આ કૃતિ અનેક સ્થળેથી છપાઈ છે.
૪. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૫)માં એક અજ્ઞાતકર્તૃક ટીકાનો પ્રારંભ ‘મૃત્લાનિનેન્દ્રમપિ''થી થાય છે એવો ઉલ્લેખ છે.
૫. જુઓ શ્રી અગરચંદ નાહટાનો પૃ. 168માં નિર્દિષ્ટ લેખ.
૬. આનો નમૂનો ષષ્ટિશતક પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૨૦-૨૨ અને ૨૯)માં અપાયો છે. ૭. આ પ્રકાશિત છે ?
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૮O
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
"વૃત્તિ-ગણિતસાર ઉપર ‘ઉપકેશ' ગચ્છના સિદ્ધિસૂરિએ વૃત્તિ રચી છે.
ગણિતતિલક યાને ગણિત-પાટી (લ. વિ. સં. ૧૧00)– આના કર્તા શ્રીપતિ છે. એમણે શકસંવત્ ૯૬૧માં ધીકોટિદ-કરણ, શકસંવત્ ૯૭૮માં ધ્રુવમાનસ, ઈ. સ. ૧૦૪૦ની આસપાસમાં “સિદ્ધાન્ત-શેખર ઇત્યાદિ કૃતિઓ રચી છે એઓ લીલાવતીના કર્તા ભાસ્કરાચાર્યના પુરોગામી છે. એમણે
સર્વ દર્શનોને સંમત થાય એવું મંગલાચરણ કરી પરિભાષાઓ સમજાવી છે. એમણે પાટીગણિતને લગતી P ર૯૨ વિવિધ બાબતો ઉદાહરણપૂર્વક જાતજાતના છંદોમાં રજૂ કરી છે. જેમકે પૂર્ણાક તેમજ અપૂર્ણાકનાં સંકલિત
વગેરે આઠ પરિકર્મો, કલાસવર્ણ, ઐરાશિક વગેરે બાબતો. એ માટે એમણે ત્રિશતીનો પુષ્કળ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે.
- વૃત્તિ–આ વૃત્તિ ગણિતતિલક ઉપર વિબુધચન્દ્રસૂરિના શિષ્ય અને મંત્રરાજરહસ્ય વગેરેના કર્તા સિંહતિલકસૂરિએ વિ. સં. ૧૩૩૦ની આસપાસમાં રચી છે. એમણે લીલાવતીનો તેમજ ત્રિશતીનો કેટલેક સ્થળે ઉલ્લેખ કર્યો છે. એમણે પૃ. ૩૦માં લીલાવતીની વૃત્તિ જોવાની ભલામણ કરી છે. શું આ વૃત્તિના કર્તા એઓ જાતે છે કે અન્ય કોઈ ? પૃ. ૮૫માં એમણે ગણિતની કોઈ કૃતિમાંથી એક અવતરણ આપ્યું છે.
(૬) નિમિત્તશાસ્ત્ર લઘુજાતક (લ.વિ.સં. ૫૬૨) આના કર્તાશકસંવત્૪૨૭માં પંચસિદ્ધાંતિકારચનારાવરાહમિહિર છે. વૃત્તિ–લઘુજાતક ઉપર ખરતર' ગચ્છના ભક્તિલાભ વિ. સં. ૧૫૭૧માં વિક્રમપુરમાં આ રચી છે." જાતક(કર્મ)પદ્ધતિ (લ. વિ. સં. ૧૧૦૦)- આના કર્તા શ્રીપતિ છે.
ટીકા–જાતકપદ્ધતિ ઉપર “અંચલ' ગચ્છના હર્ષરત્નના શિષ્ય સુમતિહર્ષે વિ. સં. ૧૬૭૩માં પદ્માવતીપત્તનમાં આ ટીકા રચી છે. એમણે આ અરસામાં બૃહસ્પર્વમાલા રચી છે. વિશેષમાં એમણે તાજિકસાર, કરણતૂહલ અને હોરામકરન્દ ઉપર એકેક ટીકા રચી છે.
૧. જુઓ શ્રી. અગરચંદ નાહટાનો લેખ. “જૈનેતર ગ્રન્થોં પર જૈન ટીકાર્યો” ૨. આ કૃતિ સિંહતિલકસૂરિકૃત વૃત્તિ સહિત “ગા. પૌ. ગ્રં.”માં ગ્રંથાંક ૭૮ તરીકે ઈ.સ. ૧૯૩૭માં છપાઈ છે.
એનું સંપાદન મેં કર્યું છે. એના અંગ્રેજી ઉપોદ્દઘાતમાં મેં “ગણિતશાસ્ત્રને અંગેનો જૈનોનો ફાળો’ એ વિષય વિસ્તારથી ચર્યો છે. ૩. આ નામ સિંહતિલકસૂરિએ યોજ્યું છે. એમ કરવામાં એમણે પોતાના નામનો એક અંશ જોડ્યો હોય એમ
જણાય છે. ૪. શ્રીપતિએ “ખિત પાટી" એમ કહ્યું છે. એ ઉપરથી મેં આ નામ યોજ્યું છે; બાકી સામાન્ય રીતે
પાટીગણિત” એવું નામ હોય. ૫. આમાં જૈનોની બે સૂર્ય, બે ચન્દ્ર ઈત્યાદિને લગતી માન્યતાનું ખંડન કરાયું છે. ૬. લઘુજાતક ઉપર અતિસાગરે ભાષામાં વિ. સં. ૧૬૦૫માં વચનિકા રચી છે અને ખુશાલસુંદરે વિ. સં. ૧૮૩૯માં
ટબ્બો રચ્યો છે. ૭. ‘ઉપકેશ' ગચ્છના ખુશાલસુંદરે બાલાવબોધ રચ્યો છે.
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણોનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૯૧-૨૯૪]
૧૮૧
'તાજિકસાર (લ. વિ. સં. ૧૫૮૦)- આના કર્તા હરિભટ્ટ છે. એમને કેટલાક હરિભદ્ર પણ કહે ? ૧૯૩ છે. એમણે શકસંવત્ ૧૧૦૫નો ઉલ્લેખ કર્યો છે. દીક્ષિતે એમના મરાઠી પુસ્તક નામે પ્રાચીન ખગોળશાસ્ત્રચ્યો ઇતિહાસ (પૃ. ૪૯૦)માં સૂચવ્યું છે કે આ હરિભટ્ટ શક-સંવત્ ૧૪૪૫માં વિદ્યમાન હતા.
ટીકા- “અંચલ' ગચ્છના સુમતિ હર્ષ વિ. સં. ૧૬૭૭માં વિષ્ણુદાસના રાજ્યમાં આ ટીકા રચી છે.' કરણકુતૂહલ (વિ. સં. ૧૨૪૦)- આ ભાસ્કરની ઇ. સ. ૧૧૮૪ની રચના છે.
ગણક-કુમુદ-કૌમુદી- ‘અંચલ' ગચ્છના સુમતિહર્ષે આ નામની ટીકા વિ. સં. ૧૬૭૮માં હેમાદ્રિના રાજ્યમાં રચી છે. એમણે જાતક-પદ્ધતિ વગેરે ઉપર પણ ટીકા રચી છે.
જ્યોતિર્વિદાભરણ (લ. વિ. સં. ૧૨૯૫)- આ કૃતિ કાલિદાસે વિ. સં. ૧૨૯૫ની આસપાસમાં રચી છે.
મહાદેવીસારણી (વિ. સં. ૧૩૭૪)- આ કૃતિ મહાદેવે શકસંવત્ ૧૨૩૯માં રચી છે.
દીપિકા ઇત્યાદિ– મહાદેવીસારણી ઉપર “અંચલ' ગચ્છના ભુવનરાજના શિષ્ય ધનરાજે દીપિકા વિ. સં. ૧૬૯૨માં પદ્માવતીપત્તનમાં રચી છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૦૩) પ્રમાણે એમણે રે ૨૯૪ ટિપ્પણ રચ્યું છે. વળી તત્ત્વસુંદરે વિવૃતિ અને કોઈકે ટીકા રચી છે.
“વિવાહપટલ- આ હર્ષકીર્તિસૂરિની કૃતિ છે કે એ નામની અજૈન કૃતિ ઉપર એમની ટીકા છે ?
બાલાવબોધ– ‘ખરતર' ગચ્છના સોમસુંદરના શિષ્ય અમરે વિવાહપટલ ઉપર આ બાલાવબોધ રચ્યો છે.
ગ્રહલાઘવ- આ ગણેશની કૃતિ છે.
ટીકા અને ટિપ્પણ-પ્રહલાઘવ ઉપર ચારિત્રસાગરના પ્રશિષ્ય અને કલ્યાણસાગરના શિષ્ય યશસ્વત્સાગરે (જસવંતસાગરે) વિ. સં. ૧૭૬૦માં ટીકા રચી છે અને રાજસોમે ટિપ્પણ રચ્યું છે. આ યશસ્વત્વસાગરે નિમ્નલિખિત કૃતિઓ રચી છે :
જૈનસપ્તપદાથી (વિ. સં. ૧૭૫૭), પ્રમાણવાદાર્થ (વિ. સં. ૧૭૫૯), ભાવસપ્તતિકા (વિ. સં. ૧૭૪૦) રત્નાકરાવતારિકાની પંજિકામાંથી વાદાર્થનિરૂપણ, સ્તવનરત અને સ્યાદ્વાદમુક્તાવલી.
આ ઉપરાંત એમણે વિ. સં. ૧૭૨૧માં વિચારષત્રિશિકા ઉપર અવચૂરિ રચી છે. વિશેષમાં એમણે જન્મકુંડલી ઉપર યશોરાજિરાજ-પદ્ધતિ રચી છે અને જાતે એ વિ. સં. ૧૭૬૨માં લખી છે.
૧. આ કૃતિ “વંટેશ્વર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત થયેલી છે. ૨. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 180. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૦૪)માં આનો મહાદેવી તરીકે ઉલ્લેખ છે. ૪. ઉપર્યુક્ત પુસ્તકમાં ભોજરાજગણિનો ઉલ્લેખ છે. ૫. વિવાહપટલ નામની કોઈ અજ્ઞાતકર્તૃક જૈન કૃતિ હોવાનો જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૮)માં ઉલ્લેખ છે. ૬. આ છપાઈ છે. આનું સંપાદન મુનિ હિમાંશુવિજયે કર્યું છે. ૭. આ અમદાવાદથી ઇ. સ. ૧૯૦૯માં પ્રસિદ્ધ કરાઈ છે.
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
'ચન્દ્રાકી– આ 'મોઢ દનકરની કૃતિ છે.
વૃત્તિ-ચન્દ્રાક ઉપર ‘તપા' ગચ્છના કૃપાવિજયે આ રચી છે. એઓ કમલવિજયના શિષ્ય અને ઉપા. મેઘવિજયના ગુરુ થાય છે. P ૨૯૫ ૨ષપંચાશિકા- આના કર્તા ભટ્ટોત્પલ છે.
ટીકા- આ “ખરતર' ગચ્છના લબ્ધિવિજયના શિષ્ય મહિમોદયની રચના છે. એમણે વિ. સં. ૧૭૨૨માં અરસામાં જ્યોતિષરત્નાકર રચ્યો હતો.
ભુવનદીપક- આ હરિભટ્ટની કૃતિ છે.
બાલાવબોધ–ભુવનદીપક ઉપર “ખરતરમ્ ગચ્છના લક્ષ્મીવિજય વિ. સં. ૧૭૬૭માં રચેલો આ બાલાવબોધ છે.
ચમત્કાર-ચિન્તામણિ– આના કર્તા રાજર્ષિભટ્ટ છે.
બાલાવબોધિની- આ ઉપર્યુક્ત ગ્રંથ ઉપરની વૃત્તિ છે. એ ખરતરમ્ ગચ્છના પુણ્યહર્ષના શિષ્ય અભયકુશલે રચી છે.
બાલાવબોધ- આ અજ્ઞાતકર્તૃક રચના છે. હોરામકરન્દ- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. ટીકા-અંચલ' ગચ્છના સુમતિહર્ષ આ રચી છે. એમણે ગણક-કુમુદ-કૌમુદી વગેરેની રચના કરી છે.
કેવલજ્ઞાનહોરા- “હોરા' શબ્દના વિવિધ અર્થ કરાય છે : (૧) અઢી ઘડી યાને એક કલાક, (૨) એક રાશિ કે લગ્નનો અડધો ભાગ, (૩) જન્મકુંડળી અને (૪) જન્મકુંડળી પ્રમાણે ભવિષ્ય ભાખવાની વિદ્યા. જન્મકુંડળીનું ફળ બતાવનાર શાસ્ત્રને “હૌરાશાસ્ત્ર' કહે છે. એ શાસ્ત્ર લગ્ન ઉપરથી શુભાશુભ ફળનું જ્ઞાન કરાવે છે. પ્રસ્તુત કૃતિ આ શાસ્ત્રને લગતી હશે એમ લાગે છે. એના કર્તા ચન્દ્રસેન છે.
શકુન વસત્તરાજ-શકુન,શકુન-નિર્ણય યાને શકુનાર્ણવ- આ શકુનને લગતી કૃતિના કર્તા વસંતરાજ છે.
૧.જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૨૧)માં ચન્દ્રાર્થી-પદ્ધતિ નામની એક અજ્ઞાતકક પાઇય કૃતિ અને કર્તાના નામ
વિનાની એના ઉપરની ટીકાની નોંધ છે. ૨.જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૦૧)માં હરિભટ્ટની આ નામની પાઈય કૃતિ અને ઇલાભટ્ટે એના ઉપર રચેલી
ટીકાનો ઉલ્લેખ છે. ૩. આ નામની બે જૈન કૃતિઓ છે. જુઓ પૃ. 124 અને 126. ૪. રામચંદ્ર શકસંવત્ ૧૫૨૨માં મુહૂર્તચિન્તામણિ નામની કૃતિ રચી છે અને એના ઉપર ‘તપા' ગચ્છના
ચતુરવિજયે ટબ્બો રચ્યો છે. પ. મતિસારે ફરીદકોટમાં વિ. સં. ૧૮૨૭માં ટબ્બો રચ્યો છે. ૬. આ કૃતિ ભાનુચન્દ્રમણિકૃત ટીકા સહિત “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી વિ. સં. ૧૯૬૩માં છપાવાઈ છે.
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૯૪-૨૯૭]
૧૮૩
'વૃત્તિ-આના કર્તા ભાનુચન્દ્રગણિ છે. એનું સંશોધન એમના શિષ્ય સિદ્ધિચન્દ્રમણિએ કર્યું છે. P ૨૯૬
(૭) વૈદ્યક ‘અષ્ટાંગહૃદય (ઉં. વિ. સં. ૮૪૦)- આના કર્તા વાડ્મટ છે. એમનો સમય વહેલામાં વહેલો ઇ.સ.ની છઠ્ઠી સદી અને મોડામાં મોડો ઇ. સ. ૮૦૦ની આસપાસનો મનાય છે. આયુર્વેદની પરંપરામાં ચરક અને સુશ્રુત પછી આ વાભટનું સ્થાન છે. એ ત્રણેને “વૃદ્ધત્રયી' કહે છે. વાળ્યુટ ‘સિધુ દેશના વતની હતા એમ એમણે પોતે કહ્યું છે. એમણે જ અષ્ટાંગસંગ્રહ રચ્યાનું કેટલાક માને છે. લાભ પંચરકસંહિતા અને સુશ્રુત-સંહિતા એ બંનેનો સંગ્રહ કર્યો છે ખરો, પરંતુ પ્રસ્તુત વિષયમાં તો એ ચરકના સંપ્રદાયને થોડાક ફેરફાર સાથે અનુસર્યા છે."
ટીકા- આના રચનાર દિ. આશાધર છે. એમણે આ ટીકાનો અનગારધર્મામૃતની સ્વોપન્ન વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૧૯)માં ઉલ્લેખ કર્યો છે.
આશ્ચર્યયોગમાલા યાને યોગરત્નમાલા- આ ૧૪૦ પદ્યની આર્યામાં રચાયેલી કૃતિના પ્રણેતા નાગાર્જુન છે. એઓ ભાસ્કરના શિષ્ય થાય છે. એમણે આમાં સ્તંભન-વિદ્યા વગેરેનું તેમજ કેટલાંક વિષનું P ૨૯૭ વર્ણન કર્યું છે. આ વૈદ્યકનો ગ્રંથ ગણાય છે.
વિવૃતિ- “શ્વેતાંબર ભિક્ષુ ગુણાકરે વિ. સં. ૧૨૯૬માં આ વિવૃતિ રચી છે. એનો સુખાવબોધા તરીકે નિર્દેશ છે.
યોગશત૭– આ કૃતિ ભિન્ન ભિન્ન છંદમાં ૧૦૫ પદ્યોમાં "વરચિએ રચ્યાનું મનાય છે. એમાં
૧. આ વેંકટેશ્વર મુદ્રણાલય તરફથી પ્રકાશિત છે. ૨. આ ગ્રન્થ “નિર્ણયસાગર મુદ્રણાલય” દ્વારા એ. એમ. કુત્તેએ અરુણદત્તની ટીકા સહિત ઇ. સ. ૧૮૯૧માં
પ્રસિદ્ધ કર્યો છે. ૩. એઓ ઇ. સ.ની પહેલી સદીમાં કનિષ્ઠ રાજાના વૈદ્ય હતા એમ કેટલાક કહે છે. ૪. એઓ મોડામાં મોડા ઇ. સ.ના ચોથા સૈકામાં થયા હશે એમ કહેવાય છે. ૫. “ચરકાદિના વિચારકોને” એ નામનો મારો લેખ “ગુ. મિ. તથા ગુ. દ.ના તા. ૧૮-૩-'૪૨ના અંકમાં છપાયો છે. ૬ જુઓ ઐતિહાસિક સંશોધન (પૃ. ૪૭૬). ૭. આ તેમજ એના ઉપરની ગુણાકરસૂરિકૃતિ વૃત્તિની હાથપોથીઓના વર્ણન માટે જુઓ D c G C M (Vol.
XVII, pt. I, pp. 278-280 & 493). ૮. આની હાથપોથી માટે જુઓ પૃ. ૨૯૬, ટિ. ૭. ૯. આયુર્વેદના સારરૂપ આ મૂળ કૃતિ પદચ્છેદ, શબ્દાર્થ, ગુજરાતી ભાષાંતર (અનુવાદ), સ્પષ્ટીકરણ અને ઔષધોનાં સંસ્કૃત નામોનાં ગુજરાતી નામોની સૂચીરૂપ પરિશિષ્ટ તથા ભૂમિકા તેમજ ધવંતરિ વગેરેને લગતાં આઠ ચિત્રો સહિત
ડૉ. રસિકલાલ જેઠાલાલ પરીખે યોગશતક એ નામથી પ્રકાશિત કરી છે. એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ૧૦. આને કેટલાક વૃદ્ધયોગશત કહે છે. જુઓ D C N C M (Vol. XVI, pt. I, p. 226). ૧૧. કર્તાના નામનો ઉલ્લેખ મૂળ કૃતિમાં નથી.
For Personal & Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૮૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
વાત, પિત્ત અને કફના પ્રકોપનાં કારણ અને એનાથી ઉદ્ભવતા રોગો, કંઠ, મુખ, આંખ અને કાનના રોગોની તેમજ જાતજાતના જવર વગેરેની ચિકિત્સા, કેટલાક ઉપાયો અને ઉપચારોનું નિરૂપણ છે. આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છે :
"कृत्स्नस्य तन्त्रस्य गृहीतधाम्न-श्चिकित्सिताद् विप्रसृतस्य दूरम् ।
विदग्धवैद्यप्रतिपूजितस्य करिष्यते योगशतस्य बन्धः ॥१।।" વૃત્તિ- આ પૂર્ણસને રચી છે. કેટલાક એમને પૂર્ણચન્દ્ર કહે છે. આ વૃત્તિના પ્રારંભની તેમજ અંતની થોડીક પંક્તિ D 0 G C (Vol. XVI, pt I, p. 227)માં ઉદ્ધત કરાઈ છે. આ સૂચીપત્રના P ૨૯૮ પૃ. ૨૨૮માં પણ પ્રારંભિક ભાગ છે પણ એ બેમાં તફાવત છે. પૃ. ૨૨૭માં મંગલાચરણમાં ચન્દ્રમૌલિને
એટલે કે મહાદેવને નમસ્કાર કરાયો છે, જ્યારે પૃ. ૨૨૮માં વર્ધમાનને એટલે મહાવીરસ્વામીને નમસ્કાર કરાયો છે. આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે પૂર્ણસેન શૈવ અર્થાતુ અજૈન છે કે જૈન ?'
(૮) નીતિશાસ્ત્ર નીતિશતક (ઉં. વિ. સં. ૯OO)- આના કર્તા ભર્તુહરિ હોવાનું મનાય છે. એમના સમય તરીકે કેટલાક ઈ. સ. ૬૫૦નો નિર્દેશ કરે છે. ભર્તુહરિનો કવિ તરીકેનો ઉલ્લેખ યશસ્તિલકચંપૂમાં મળે છે. એનાથી પ્રાચીન ઉલ્લેખ કોઈ સ્થળે છે ખરો ?
ભર્તુહરિએ નીતિશતક ઉપરાંત શૃંગારશતક અને વૈરાગ્યશતક રચ્યા હોવાનું મનાય છે. આ ત્રણ P ૨૯૯ શતકોને શતક-ત્રય કહેવામાં આવે છે. નીતિશતકમાં પદ્યોની સંખ્યા ભિન્ન ભિન્ન જોવાય છે : ૧૦૩, ૧૦૪
અને ૧૧૦. બાકીનાં શતકો માટે પણ આવી પરિસ્થિતિ જોવાય છે. નીતિશતક અન્ય શતકોની પેઠે કાવ્યદૃષ્ટિએ પણ મહત્ત્વનું સ્થાન ભોગવે છે અહીં તો મેં સુભાષિતની દષ્ટિએ એની નોંધ લીધી છે.
શતકત્રય જૈનોમાં ખૂબ પ્રિય હશે એમ લાગે છે. એના અનુકરણરૂપે સોમશતક, ધનદ-ત્રિશતી, પાનન્દ-શતક અને શૃંગાર-વૈરાગ્ય-શતક રચાયાનું અનુમનાય છે.' ૧. કેટલીક વૈદ્યક કૃતિઓ જેવી કે માધવ (લ. ઇ. સ. ૮00)કૃત માધવનિદાન અને લોલિમ્બરાજકૃત વૈદ્યજીવન ઉપર ટબ્બા રચાયા છે. આ વૈદ્યજીવનના તૃતીય વિલાસનું “પુોમના'થી શરૂ થતું ૧૬મું પદ્ય મેં “અર્થની આગગાડી”
નામનો મારો જે લેખ “અખંડ આનંદ” (વર્ષ ૫, અં. ૮)માં છપાયો છે તેમાં અવતરણરૂપે આપ્યું છે. ૨. આ કૃતિ અનેક સ્થળેથી આપણા દેશમાંથી તેમજ વિદેશમાંથી પણ પ્રસિદ્ધ થઈ છે. એમાં શતકત્રયાદિ
સુભાષિત સંગ્રહના નામથી જે પ્રકાશન “સિં. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૩ તરીકે ઇ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયું છે તે નોંધપાત્ર છે. એમાં નીતિને અંગે શ્લો. ૨૦૧-૩પરને સંદિગ્ધ અને શ્લો. ૩૫૩-૮૫રને સંકીર્ણ ગણ્યા છે. એના પછી ૮૪ પદ્યનું વિટવૃત્ત અને ૧૦૩ પદ્યનું વિજ્ઞાનશતક છે. આ કૃતિનું સંપાદન પ્રો. દામોદર ધર્માનંદ કોસંબીએ કર્યું છે અને એમણે વિસ્તૃત ઉપોદ્દઘાત લખ્યો છે. ૩. આની વિ. સં. ૧૫૮૦માં પ્રતિષ્ઠાસોમગણિએ લખેલી હાથપોથી સૌથી પ્રાચીન ગણાય છે. એના એક પત્રની
પ્રતિકૃતિ ઉપર્યુક્ત પ્રકાશનમાં અપાઈ છે. ૪. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનનું અગ્રવચન (પૃ. ૮).
For Personal & Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૯૭-૧૯૯]
૧૮૫
'ટીકા (વિ. સં. ૧૫૩૫)- આ શતકત્રય ઉપર ‘ઉપકેશ' ગચ્છના સિદ્ધસૂરિના શિષ્ય ધનસારે વિ. સં. ૧૫૩૫માં જયપુરમાં ટીકા રચી છે. એ ટીકા નીતિશતક વગેરે ત્રણ શતકો ઉપરની વિવિધ સંસ્કૃત ટીકાઓમાં સૌથી પ્રાચીન છે. એ ટીકા વાતચીતની (colloquial) જૈન સંસ્કૃતમાં છે એમ પ્રો. દામોદર ધર્માનંદ કોસંબીનું કહેવું છે."
| સર્વાર્થસિદ્ધિમણિમાલા- આના રચનાર ખરતર બેગડ’ ગચ્છના જિનસમુદ્રસૂરિ છે. એ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે.
રસાધ્યાય-આ અજૈન આચાર્ય નામે કંકાલયની કૃતિ છે, એથી એને કંકાલયાધ્યાય પણ કહે છે.
ટીકા - અચલગચ્છના આ. મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૪૪૩માં પાટણમાં ભદિગ (ભડિગ)ના પુત્ર ચંપક રાવલની અભ્યર્થનાથી સંસ્કૃતમાં આ ટીકા (વાર્તિક) રચેલ છે.
લેખ - આ ગ્રંથ અને એની ટીકાને અંગે મેં નિમ્નલિખિત લેખ લખ્યો છે- “રસાધ્યાય કિંવા કંકાલયાધ્યાય અને મેરૂતુંગસૂરિકૃત સંસ્કૃત વાર્તિક (વિ. સં. ૧૪૪૩)”
પિજ ન : ૧૪પની બાકી રહેલ યાદી] પાણિનીયયાશ્રય વિનયરત્ન, કિરાતાર્જુનીયવૃત્તિ : વિનયસુંદર, કિરાતાર્જુનદીપિકા : ધર્મવિજય (અમદાવાદ), કુમારસંભવવૃત્તિ વિજયગણિ (અમદાવાદ), ઘટખર્પવૃત્તિ શાન્તિસૂરિ જેસલમેર, રઘુવંશવૃત્તિસમયસુંદર અમદાવાદ, રાક્ષસકાવ્યવૃત્તિ શાન્તિસૂરિ જેસલમેર. શિશુપાલવઘટીકા ચારિત્રવર્ધન ડેક્કન, નૈષધીયકાવ્ય ટીકા જિનરાજસૂરિ, જ્ઞાનસૂર્યોદયનાટક મેઘપ્રભ પાટણ રોહિણીમૃગાંક પ્રકરણ રામચન્દ્રસૂરિ, વનમાલા નાટિકા રામચન્દ્રસૂરિ, સુઘાકલશ રામચન્દ્રસૂરિ, વાદરત્નાકર ડિક્કન-પુના), વાદવિજય, સિદ્ધાન્તરત્નાકર ડિક્કન), કંટકોદ્ધાર (પાટણા), ન્યાયતત્ત્વ (જેસલમેર), લિંગ-લિંગીવિચાર (જેસલમેર), વિપ્રવકત્રમુદ્ધર ડક્કન), વપૂમતનાટકમ્ (પાટણ), સર્વજ્ઞપરીક્ષા (જેસલમેર) સ્યાદ્વાદકલિકા : રાજશેખર (પાટણ), હેતુબંડન પાંડિત્ય : સુમતિસાધુ. આનંદ સાગરજી.
૧. આની મુંબઈ સરકારની માલિકીની એક હાથપોથી ભાં. પ્રા. સં.મં.માં છે. એનું આદ્ય પદ્ય તેમજ અંતિમ
પંક્તિઓ D C G C M (Vol. XIII, pt. I, p. 403)માં ઉધૃત કરાયાં છે. ૨. શતકત્રયને અંગે બે ભાષા-ટીકા, હિન્દી પદ્યાનુવાદ, હિન્દી ગદ્યપદ્યાનુવાદ અને બાલાવબોધ રચાયાં છે એમ
શ્રી અગરચંદ નાહટાએ એમના પૃ. ૨૭૧માં નિર્દિષ્ટ લેખમાં કહ્યું છે. ૩. એમના પ્રશિષ્ય શાન્તિનાથચરિત્રની એક હાથપોથી વિ.સં. ૧૬૨૮માં લખી છે. ૪-૫. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનનો ઉપોદઘાત (પૃ. ૨૩). ૬. આ વૈદ્યક ગ્રંથ મેરૂતુંગસૂરિકૃત ટીકા સહિત “ચૌખંબા ગ્રંથમાલા”માં પ્રકાશિત થયેલો છે. આ ગ્રંથનું અપર
નામ રસાલય પણ છે. ૭. આ લેખ “ભિષમ્ ભારતી” (વ. ૫, અંક ૧૦)માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ : ગ્રંથકારોની સૂચી
(અ) શ્વેતાંબર અને યાપનીય
168
46
25
99 74
અજિતપ્રભસૂરિ (પૌ૦)
150,155 અજિતસેન
90 અનંતદેવસૂરિ
144 અભયકુશલ (ખ૦)
182 અભયચંદ્ર
161 અભયદેવસૂરિ (ચં૦)
18 અભયદેવસૂરિ
139 અમર (ખ)
181. અમરચંદ્ર (ત) 43,48,51,106 અમરચંદ્રસૂરિ (વાવ) 41,56,56,75, 87,90, 97,102,146,155 અમરસિંહ અમ્બપ્રસાદ અમ્બાપ્રસાદ અસગ (ગૃ?) આગમોદ્ધારક (10) જુઓ આનંદસાગરસૂરિ
50,69 આજડ (5)
179 આનંદસાગરસૂરિ (તo) 8,48,77,83 જુઓ આગમોદ્ધારક આર્યવજ 14. જુઓ વજયશ અને વજસ્વામી આસડ (ગુ)
175
14 ઇંદ્રભૂતિ
3 ઇલાભટ્ટ (ગૃ?)
182 ઉત્તમર્ષિ
150 ઉદયકીર્તિ (ખ))
166 ઉદયચંદ્ર ઉદયધર્મ (બૃ૦ ત૭) ઉદયપ્રભસૂરિ (નાઈ)
125,126 ઉદયસાગર
33 ઉદયસિંહ
102
ઉદયસૌભાગ્ય
45 ઉપરેતી ટી.સી.
108 ઉમાસ્વાતિ (વાચક)
8-8,121 ઋષિપુત્ર
124 કનકપ્રભ
41,43,44,47,54 કર્ણદેવોપાધ્યાય જુઓ વર્ધમાન કલાપ્રભસાગરસૂરિ કલ્યાણસાગર (અ.૦) કલ્યાણસૂરિ કાન્તિવિજય
174 કાન્તિસાગરજી (ખ૦)
117,118 કાપડિયા મોતીચંદ ગિ0 (ગૃ૦) કીર્તિચંદ્રા કીર્તિવિજય
161. કુમારપાલ (નૃપ) કુમુદચંદ્ર
101 કુલમન્ડનસૂરિ (10)
28-29-31 કુશલસાગર કૃપાચંદ્રસૂરિ
47 કૃપાવિજય (10)
182 કેશરવિજય
54 કૈલાસસાગરગણિ (10) ક્ષમા કલ્યાણ (ખ) 159,160,172,173 ક્ષમામાણિક્ય (ખ૦)
172,173 ક્ષેમકીર્તિસૂરિ (ચં.) ક્ષેમહંસ (ખ))
175 ક્ષેમહંસગણિ ક્ષેન્દ્ર
171 ખુશાલસુંદર (ઉ0)
180 180
161
22
42 30
91.
૧. આથી ગ્રંથના પ્રણેતા, સંશોધક, સહાયક, સંકલનકાર, લેખ લખનાર, વક્તા તેમજ પ્રસ્તાવનાકાર અભિપ્રેત છે. * આ “યાપનીય' સૂચક ચિહ્ન છે.
For Personal & Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી
૧૮૭
18
83
83
139
8. NNO
જે છે
ગમ્ભીરવિજયગણિ
46 | જયદેવ જુઓ શ્વેતપટ 78,81,85,176 ગર્ગાચાર્ય 134 જયંતવિજયજી (10)
153 ગાંધીલાલચંદ્રભગવાનદાસ(ગૃ)29,102,149, 150,213 જયમંગલસૂરિ
90,97,175 ગુણકીર્તિસૂરિ (મ0) 154 જયરાજ (10)
156 ગુણચંદ્ર (ખ૦)
જયશેખર (અં9) ગુણચંદ્રગણિ જુઓ દેવભદ્રસૂરિ 83,129
જયશેખર (અં.) ગુણચંદ્રગણિ (પૂર્ણ) 108,108,109 જયસિંહ (સવાઈ) ગુણચંદ્રદૂર
48,49,172
જયસિંહસૂરિ ગુણરત્ન
75
જયસિંહસૂરિ (કુ0) ગુણરત્ન (ખ))
170
જયાનંદ(સૂરિ) ગુણરત્નમણિ (ખ૦)
178 જયાનંદસૂરિ
41,55,56,57,178 ગુણરત્નસૂરિ
58,58
જસવંતસાગર જુઓ યશસ્વસાગર 181 ગુણવલ્લભ
126
જસવિજયગણિ (ત૭) ગુણવિજય
157 જુઓ યશોવિજયગણિ
137 ગુણાકર
115
જિનચંદ્ર પર જિનચંદ્ર (ના૦ તત્વ) 172 ગુણાકરસૂરિ 142
71
જિનચંદ્રસૂરિ ગુણાકરસૂરિ
183,183 ગોલ્ડણ
154 169
જિનતિલકસૂરિ ગોવિંદાચાર્ય
જિનદત્તસૂરિ (ખ))
18 ગૌતમ
169
જિનદત્તસૂરિ (વા) 131,132,115,129 ગૌતમ મહર્ષિ
133 જિનદાસગણિ
7 ચતુરવિજય (ત)
જિનદેવ
64,67 ચતુરવિજયજી (ત) 112,113,171
જિનપાલગણિ
133 ચંદ્રકીર્તિ
જિનપ્રબોધસૂરિ (ખ૦) જુઓ પ્રબોધમૂર્તિ 168 ચંદ્રકીર્તિસૂરિ (ના) તી) 69,171,171 જિનપ્રભસૂરિ (ખ૦) 84,123,179 ચન્દ્રગુપ્તસૂરિ 39 જિનભદ્ર (ના))
125 ચંદ્રતિલક (ખ૦)
જિનભદ્રગણિ (ક્ષમાશ્રમણ)
3,121. ચંદ્રવિજય 105. | જિનભદ્રસૂરિ (ખ))
71 ચંદ્રસાગરજી (10) 38,39 જિનલાભસૂરિ (ખ૦)
159,173 ચંદ્રસાગરગણિ (હાલ સૂરિ) (10)
જિનવર્ધનસૂરિ ચારિત્રવર્ધન (ખ૦) 154 | જિનવિજય (હાલ ગૃ૦)
31 ચારિત્રસિંહ (ખ૦) 49,172 જિનવિજયજી
32,71,120,167 જગદેવ (ગૃ૦) 128 જિનસમુદ્રસૂરિ (ખ) બેગડ)
185 જગદેવ 128,129,133,133 જિનસાગર
45 જબૂવિજય
39,108 જિનસાગર (ખ૦)
156 જયકીર્તિ
156
77
182
88
23.
41
91
82 IR જિનસાગરસૂરિ
For Personal & Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
156
91 67
18
44
181 71
125
68
જિનસૂર
115 જિનેન્દ્ર
117 જિનેશ્વરસૂરિ (ચં૦)
12,17,18 જૈન કમલપ્રકાશ
107 જૈન ભગવાનદાસ (ગૃ૦)
138 જૈન રમેશ
111 જ્ઞાનતિલક (ખ))
171 જ્ઞાનપ્રમોદગણિ (ખ૦) જ્ઞાનવિમલ (ખ૦) જ્ઞાનસાગર
161 ઝવેરી મોહનલાલ ભ૦ (ગૃ૦)
123 ઠક્કર ફેરુ (ગૃ૦) 117,118,120,127,148,148 તત્ત્વવલ્લભ
161 તત્ત્વસુંદર તપારના તિલકપ્રભસૂરિ (પૌ૦).
150,155 ત્રિભુવચંદ્ર (કા))જુવાદિસિંહસૂરિ અને સિંહસૂરિ176 ત્રિમલ્લ
106 દવિજયજી (10)
52,57 દયાનંદ
171 દયારત્ન
170 દાનવિજય (10) દીપકકર્તા જુઓ ભદ્રેશ્વરસૂરિ 19,20 દુર્લભરાજ (ગૃ૦)
128,146 દેવચંદ્ર
144,171 દેવભદ્રસૂરિ જુઓ ગુણચંદ્રગણિ 129 દેવમૂર્તિસૂરિ (દેવમૂર્તિસૂરિ (કાળ) દેવવિમલગણિ (10) દેવસાગરગણિ (અં૦) દેવાનંદસૂરિ (ચં૦) દેવેન્દ્ર (૨૦)
149,150 દેવેન્દ્રસૂરિ
58 દેવસેન
90 દેશાઈ મોહનલાલ દલીચંદ (ગૃ૦) 46,158 દૈવજ્ઞ શિરોમણિ
125|
દોશી બેચરદાસજીવ (ગૃ) 18,20,39 ધનચંદ્ર
40,40 ધનદ (ગૃ૦)
31,150,151 ધનરાજ અને ધન્યરાજ ધનપાલ (ગૃ૦) જુઓ
62,63,66,74,120,167 ધનરાજ (ગૃ૦) ધનદ અને ધન્યરાજ જુઓ 150 ધનરાજ (અO)
181 ધનવિજય ધનસાર (૧૦)
185 ધનેશ્વરસૂરિ ધન્યરાજ (ગૃ૦) ધનદ અને ધનરાજ જુઓ 150 ધર્મકુમાર
155 ધર્મઘોષ
168 ધર્મઘોષસૂરિ ધર્મચંદ્ર
154 ધર્મદાસગણિ ધર્મદેવ
171 ધર્મધુરન્ધરસૂરિ ધર્મનંદનગણિ
88 ધર્મવિજયજી () વિજયધર્મસૂરિ જુઓ 64 ધર્મશ્રેષ્ઠી (ગૃ૦) નંદલાલ (ગૃ૦)
150 નંદસુંદર
40 નન્દિઘોષવિ. નંદિય
87 નંદિષણ
85,88 નમિસાધુ (થા))
79,89,176,176 નયચંદ્રસૂરિ (કૃ૦) *નયનશેખર (અં9) નયવિમલ
174 નયસુંદર
170 નરચંદ્ર (કાઇ) (ઉપા))
126,176 નરચંદ્ર (મ) (.)
45 નરચંદ્ર (મ0) (ઉપા) નરચંદ્રસૂરિ નરચંદ્રસૂરી નરપતિ (ગૃ૦)
151
26
33
176
28 143
50
45
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી
૧૮૯
6
114 67
15.
181
179 147 134
નરેન્દ્રપ્રભસૂરિ 102,103,155 ભક્તિલાભ
29 નર્બદાચાર્ય 115 ભક્તિલાભ (ખ૦)
180 નવાબ વિદ્યા
ભદ્રબાહુ (બીજા). નાગવર્મા
ભદ્રબાહુસ્વામી નાહટા અગરચંદ (ગૃ9) 113,113,134,139, ભદ્રશ્વરસૂરિ દીપકકર્તા
19,20 168,171,173,180,179,185 ભવ્યોત્તમ મુનિ
150 નેમિચંદ્ર (ભંડારી) (50) 71,92 ભાનુચંદ્ર (0)
171 અન્યાસકાર પાલ્યકીર્તિ જુઓ
ભાનુચંદ્રગણિ (ત)
66,68,68 (શકટાંગજ અને શાકટાયન પદ્મપ્રભ (ચં૦) 18)
171,178,182,183 પદ્મપ્રભસૂરિ (ના) તU) 124 ભાવચરિત્ર
154 પદ્મસુંદર 67 | ભારદેવ
104 પાસુન્દરગણિ 106 | ભાવદસૂરિ (ખં9)
102,104 પાદલિપ્તસૂરિ 123,123 ભાવપ્રભસૂરિ (પૌ.)
172,181 પાઠ્યચંદ્રસૂરિ
106
ભાવરને પાર્શ્વચંદ્રસૂરિ
129 ભીમવિજય પાર્શ્વચંદ્રસૂરિ
172 ભોજ પાલ્યકીર્તિન્યાસકાર, શકટાંગજઅને શાકટાયનજુઓ 13,14 ભોજસાગર પુણ્યનંદન
મફુગલવિજયજી (0)
48 પુણ્યવિજયજી (ત) 20,21,72,148
મણિભદ્ર
150 પુણ્યસુંદર
53
મસ્ડન (મંત્રી) (ગૃ9) 31,104,113,172 પૂર્ણચંદ્ર પૂર્ણસેન પૂર્ણસૂત્તમસૂરિ જુઓ184,183
મતિસાગર
180 મતિસાર
182 પૂર્ણસેન પૂર્ણચંદ્ર જુઓ
184,184
મંમથસિંહ (ગૃ૦) માઘસિંહ જુઓ 155 પૃથ્વીચંદ્રસૂરિ
169 મલયગિરિસૂરિ
13,20,22,108 પ્રતાપસિંહદેવ
144 મલયેન્દુ
139 પદ્યુમ્નસૂરિ
168 મલ્લરાજ મહીપતિ
144 પ્રબોધમૂર્તિ (ખ૦) જિનપ્રબોધસૂરિ જુઓ 168
મલ્લવાદી જુઓ મહાતર્કિક 13,167 પ્રભાચંદ્રસૂરિ (ચ0)
3,51 મલવાદી
13,13 પ્રમોદકુશલગણિ
154
મલ્લેિષણ (ના૦) પ્રિયંકરવિજયજી (10)
મહાતાર્કિ મલવાદી જુઓ
13 પ્રેમલાભ (અં૦).
મહાદેવ
169 બનારસીદાસ (ગૃ) 126 મહાવીરસ્વામિ
12 બપ્પભટ્ટિસૂરિ
89,102 મહિમાપ્રભસૂરિ બાલચંદ્ર
મહિમોદય
127 બાહડ (ગૃ) વાડ્મટ જુઓ
90 મહિમોદય (ખ૦) બુદ્ધિસાગરસૂરિ (ચં૦) 17,18,64,66,83 ' મહીદાસ
106
125
46
22
39
92
182
12
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
87
32
44
174
132
52
75
17
રવિગુપ્ત
મહેન્દ્ર
143 | યશોવિજયગણિ (ત૭) જૂઓ જસવવિજયગણિ મહેન્દ્રસૂરિ (અ.)
168
59,86,97,98,136,178 મહેન્દ્રસૂરિ (પૂર્ણ૦) 72,73,73 યશોવિજયગણિ
156 મહેન્દ્રસૂરિ
139 રત્નચંદ્ર મહેશ્વર
રત્નચંદ્ર
27,77 મહેશ્વર 67 રત્ન ધીર
125 મહેશ્વર
67 રત્નમંદિરમણિ (10) માઘચંદ્રદેવ
144 રત્નવલ્લભ વિ. માઘસિંહ (મૃ૦) જુઓ મન્મથસિંહ 155 રત્નશેખર માણિજ્યસચંદ્રસૂરિ (રાવ)
177,178 રત્નશેખરસૂરિ (ના) તo) માણિક્યમલ્લ
રત્નસાગર (ખ.) માણિજ્યસૂરિ
રત્નસૂરિ માનસાગર
127
( રત્નર્ષિ મુનિચન્દ્ર વિ.
રત્નસાગર મુનિચન્દ્રસૂરિ 157 રત્નહર્ષ
171 મુનિદેવ (બૃ૦)
50 રત્નાકર
107 મુનિદેવ આચાર્ય
159
રમણીકવિજય મુનિભદ્ર
150
રવિગુપ્ત મુનિશેખર 40
161 મુનિસુંદરસૂરિ (10)
23,50 રવિપ્રભગણિ
102 મેધજી
રાજવલ્લભ
136 મેધપ્રભસૂરિ
159
રાજશેખર (હO). મેઘવિજય (ગણિ), 47,88,122,130,131,
રાજશેખર જુઓ
126 134,137,137 રાજશેખર
83 મેઘરત્ન (૧૦)
139,170 રાજશેખર
168 મેરૂતુંગ (અં૦)
22
રાજશેખર (હO) જુઓ રાજશેખર 126 મેરૂતુંગસૂરિ (નાઈ)
36 રાજ(?જય)શેખર
88 મેરૂતુંગસૂરિ (અં9)
168 રાજસી
171 મેરુસુંદર (ખ૦) 92,179
181 મેરુસુંદર
રાજસોમ
156,175 મોક્ષરતિ વિ.
161 ૬ રાજહંસ (ખ))
91 મોક્ષેશ્વર
169 રામચંદ્ર
161 મોતીચંદ્ર
116 રામચંદ્ર યક્ષવર્મા
14,15
રામચંદ્રસૂરિ (પૂર્ણ.) 44,108,109 યતીશ
171
રામવિજય (ખ)) જુઓ રૂપચંદ્ર 172 યશકીર્તિ
131
રામવિજયગણિ યશકીર્તિ
175 રૂપચંદ્ર
106 યશસ્વત્સાગર જુઓ જસવન્તસાગર
181.
રૂપચંદ્ર (ખ૦) જુઓ રામવિજય 172 યશોદેવસૂરિ
લક્ષ્મણ યશસ્વિગણિ ( 161 | લક્ષ્મીકલ્લોલગણિ
157
138
45
74
88
59
156
For Personal & Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી
૧૯૧
142 182
43
5
14
40
45
74
133
166
લક્ષ્મીધર લક્ષ્મીવિજય (ખ૦) લક્ષ્મીસાગરસૂરિ
125 લબ્ધિચંદ્રમણિ
127 લાવણ્યશર્મા
132 *લીલાશુક વજયશ આર્યવજ અને વજસ્વામી વજસ્વામી વજસેન
156 વજસ્વામી આર્યવજ અને વજયશ 14 વર્ધમાન વર્ધમાન
133 વર્ધમાન કર્ણદેવોપાધ્યાય જુઓ 168 વર્ધમાનસદૂર
9,15,19,20 વર્ધમાનસૂર
64,83 વર્ધમાનસરિ વર્ધમાનસૂરિ વર્ધમાનસૂરિ ઈ વલ્લભગણિ (ખ)) શ્રીવલ્લભ જુઓ વલ્લભ વાચક (ખ૦) વસ્તુપાલ (ગૃ૦)
98,155 વાડ્મટ જુઓ બાહડ 89,90,91,103 વાદિસિંહસૂરિ (કાવ) ત્રિભુવનચંદ્ર અને સિંહસૂરિ જુઓ
176 વામન
12,13,18 વિક્રમસિંહ
33 વિજયદેવ
134 વિજયધર્મસૂરિ (10) ધર્મવિજયજી જુઓ 64 વિજયનેમિસૂરિ (10)
48 વિજયપહ્મસૂરિ
156 વિજયરાજેન્દ્રસૂરિ
76,77 વિજયલાવણ્યસૂરિ (10) 44,47,53 વિજયવિમલ (10)
12 વિજયવિમલ [વિજયસેન
157 વિજયસેનસૂરિ
1571
67
વિજયાનંદ વિદ્યાનંદસૂરિ જુઓ
23 વિદ્યાકર વિદ્યાનંદસૂરિ જુઓ
22,23 વિજયાનંદ વિનયચંદ્ર
102 વિનયચંદ્રસૂરિ
90,102,102 વિનયભૂષણ
57 વિનયરત્ન
179 વિનયવિજય વિનયવિજયગણિ (તo) 7,31,46,47,71. વિનયસાગર (ઉપા)
158,159 વિનયસાગર (ખ૦) 68,159,159,179 વિનયસાગર (અંડ) 159,159,169,171 વિનયસાગર
159 વિનયસાગરસૂરિ વિનયસાગરસૂરિ (અં૦) વિબુધમંદિરગણિ
101 વિમલ
149 વિમલકીર્તિ વિમલચંદ્ર
149 વિમલરત્ન વિ.
39 વિમલસૂરિ
149 વિમલસૂરિ
154 વિશાલકીર્તિ (ખ)
171 વિશાલવિજય (ત)
160 વિશ્રન્તવિદ્યાધર વિશ્વશમ્મુ વીરભદ્ર
115,115 વીરસેન વાસરિભટ્ટ
166 *શકટાંગજ ( શાકટાયન ન્યાસકાર અને પાલ્યકીર્તિ જુઓ
13,15,16,20,54 શાન્તિચંદ્ર (10)
105 શાહ માવજી દામજી શિવચંદ્ર (ખ)
179 શિવલાલ પંડિત
39
55
13
76
48
59
153
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
66
14
સિદ્ધર્ષિ
167 |
129
48
શિવાર્ય શીલશેખરગણિ શીલાંકસૂરિ શુભચંદ્ર
161. *શિવાર્ય શીલાં કસૂરિ શુભચંદ્ર
161 શુભવિજયગણિ (10)
67,98 શુભશીલ
52 શુભશીલગણિ (10) શેઠ હરગોવિંદદાસ ત્રિકમચંદ શોભન શ્યામાચાર્ય શ્રીચંદ્ર શ્રીચંદ્રસૂરિ શ્રીધરદેવ
144 શ્રીપ્રભસૂરિ શ્રીવલ્લભ (ખ૦) વલ્લભગણિ જુઓ 67,72 શ્રીવલ્લભગણિ (ખ))
66 શ્વેતપટ જયદેવ જુઓ સંવેગસુંદર સક્લકીર્તિ
159 સંગ્રામસિંહ સોની (ગૃ૦) 17,148,163 સંગ્રામસિંહ સોની (ગૃ૦)
29,169 સદાનન્દગણિ (ખ૦)
171 “સમન્તભદ્ર સમન્તભદ્ર (શ્રુતકેવલી)
131,132 સમયસુન્દરગણિ (ખ૦)75,76,88,91,106,175 સર્વગુપ્ત સવદેવસૂરિ સર્વાનન્દ સલક્ષ મંત્રી (ગૃ૦) સહજકીતિ (ખ))
27,70,171 સાગરચંદ્ર
20 |
સાગરચંદ્ર
126 સાધુકીર્તિ (ખ))
69 સાધુરત્ન સાધુસુન્દરગણિ (ખ))
53,54,69 સારંગમુનિ
158 સિંહતિલકસૂરિ : 120,125,180,180 સિંહદેવગણિ
90,91 સિંહસૂરિ (કાવ) ત્રિભુવનચંદ્ર અને વાદિસિંહસૂરિ જુઓ
176 સિદ્ધનંદિ
144 સિદ્ધસેનગણિ સિદ્ધસેન દિવાકર 10,10,18,49,85 સિદ્ધિચંદ્રગણિ (તo)
32,68,74, (સંશોધક).
158,158,178,183 સિદ્ધિસૂરિ (ઉ0)
180 સુધર્મસ્વામી સુધાકલશ (હO)
64,75,112 સુમતિગણિ
67 સુમતિ હર્ષ (અં૦) 180,181,182 સુલ્હણ સુષેણ સોમચંદ્ર (10)
156 સોમચંદ્રગણિ (બૃ૦)
175 સોમચન્દ્રસૂરિ સોમપ્રભસૂરિ સોમપ્રભસૂરિ (બૂ૦)
153,154 સોમપ્રભાચાર્ય
144 સોમશીલ
[171 સોમસુંદર (ઉપાડ)
158 સોમસૂરિ
161 સોમોદયગણિ (ત) સૌભાગ્યસાગર
43,45 હંસદેવ હંસરાજ
144
79
78
158
144
146 31
16
15
133
15
91
146
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૯૩
77
45
131.
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી હંસરાજ હરિ હરિ હરિફેણ જુઓ
156 હરિભદ્ર હરિભદ્રસૂરિ જુઓ
42,45 હરિભદ્રસૂરિ
7,7,13,123) હરિવંશ (કવિ) હરિષણ હરિ જુઓ
156 હર્ષકીર્તિસૂરિ (નાત) 69,127,127, 143,153,154,171,172,172,
174,181 હર્ષકુલ હર્ષકુલ હર્ષકુલ (10)
178 હર્ષકુલગણિ હર્ષકુલગણિ હર્ષચંદ્ર હર્ષવર્ધન હર્ષવિજય હસ્તરુચિ (10)
31
156
હીરાલાલ વ. હંસરાજ (શ્07
132 હીરાલાલ હંસરાજ (ગૃ૦) 158,158 હૃદયસૌભાગ્ય હેમચંદ્ર (મલ0).
3,8,75 (?) હેમચંદ્ર (પૂર્ણ૦)
92,95,96 હેમચંદ્ર આચાર્ય (પૂર્ણ૦) હેમચંદ્રસૂરિ (પૂર્ણ)) જુઓ 51,53,54 હેમચંદ્ર
133 હેમચંદ્રસૂરિ (પૂર્ણ૦) 5,7,13,13,17, 18,35,35,36,39,40,42,44,44,51,52,54, 55.57.63.64.65.67,71,73,73,75,79,80,
82,83,85,92,93,94,96,111,152,177 હેમચંદ્રાચાર્ય જુઓ
36 હેમચંદ્ર(પૂર્ણ૦) હેમતિલક
125 હેમપ્રભ
150 હેમપ્રસૂરિ
126 હેમરત્ન
170 હેમવિજયગણિ (10)
157,158 હેમહંસગણિ
42,57,57 હેમહંસગણિ હેમહંસગણિ
126
143
143
116,153
57
હિમાંશુવિજયજી (તU) ન હીરવિજયસૂરિ (10) હીરસૂરિ
138
[138]
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૯૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
81
16
61
152
16
(આ) દિગમ્બર અકલંક જુઓ રાજવાર્તિકકાર 11,62,135 | ચંદ્રસેન
182 અકલંક 33 ચારકીર્તિ
12 અકલંકદેવ
72 ચારુકીર્તિ અજિતસેન
ચિત્રકુમારસેન
142 અજિસેન 105 જયકીર્તિ
78,78,80,81,83 અનન્તકીર્તિ 25 જવેરી ભોગીલાલ અમરતલાલ
152 અનન્તપાલ (ગૃ૦)
120 જિનેસન (પહેલા)
8,62,120 અભયચંદ્ર 13,16 જિનસેન (બીજા)
62,128 અભયનશ્વિ
8,10,11, જિનેન્દ્રબુદ્ધિ જુઓ દિગ્વસ્ત્ર, દેવ, દેવનંદિ, અમર
76,76. દેવનંદિન, પાદપૂજય અને પૂજ્યપાદ 8 અમરકીર્તિ(ત્રવિદ્ય)
62,76,76
જૈન મોહનલાલ અમરકીર્તિ
જોઇદુ યોગીન્દુ દમસાગર (મુનિ) જુઓ 81. અમિતગતિ (પહેલા)
152
દપાલ (મુનિ) અમિતગતિ (બીજા)
152 દશરથગુરુ
140 અમૃતનંદિ
105
દિગ્વસ્ત્ર જિનેન્દ્રબુદ્ધિ, પાદપૂજ્ય અને પૂજયપાદ જુઓ914 અમૃતનંદિ
દેવ 140
8 અમૃતાનંદયોગી
105 દેવનંદિ
8,12,20 અમોઘવર્ષ
દેવનંદિન
દેવેન્દ્રકીર્તિ અસગ
23,25 82
દ્વિવેદી એમ. એમ. આમન
120 ધનંજય (ગૃ૦)
61,62,72,73 આશાધર () 9,24,25,62,142,173,177,183 ઇદ્રનંદિ
ધનંજય
61 151
120 ઉગ્રાદિત્ય
ધનપાલ (ગૃ૦) 140,142
ધરસેન ઉપાધે એ. એન
26
ધર્મચંદ્ર એકસંધિ ભટ્ટારક
117 નેમિચંદ્ર
25 કલ્યાણકીર્તિ
નેમિચંદ્ર
121 કુંદકુંદાચાર્ય
24 નેમિચંદ્ર
135 કુંદકુંદાચાર્ય
નેમિચંદ્ર, જૈન
135 કુમારસેન
142 નેમિચંદ્ર શાસ્ત્રી
139 કેવળકીર્તિ
138 નેમિદાસ
151 ગુણવંદિ
10,10,11 નેમિનાથ
163 ગુણનંદિ
11
પાસુંદર ગુણભદ્ર
120,121 પાત્રકેશરીસ્વામી
140 ગુમ્મટદેવ મુનિ
પાદપૂજ્ય જિનેન્દ્રબુદ્ધિ, દિગ્વસ્ત્ર, દેવ, ચંદ્રકીર્તિ
25
દેવનંદિ, દેવનંદિનું અને પૂજ્યપાદ જુઓ 181 ચંદ્ર
પાર્જચંદ્ર
112,112
149
8
9
62
151
67
140
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૫
176
33 87,92,103,104
92,120 15,25,107
90
9,61,120,121
25
14
142
10.
151
24
2425 151
23
10
74 120
81
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી પાર્શ્વદેવ
* 112
વસુનંદિ પુષ્પદંત
વાગ્લટ પૂજયપાદજિનેન્દ્રબુદ્ધિ, દિગ્વસ્ત્રદેવ,દેવનંદિ,દેવનંદિ–અને વાદિરાજ (પંડિત) પૂજયપાદજુઓ 80,78,62,10,7,8,81,140,165 વાદિરાજસૂરિ પૂજ્યપાદ
142
વિજયવર્તી પૂજ્યપાદ
140
વીરસેન પૂજ્યપાદ
141.
વૃષભનાથ પૂર્ણસેન
142
શર્મા નંદલાલ પ્રભાચંદ્ર
શાસ્ત્રી વર્ધમાન પાર્શ્વનાથ પ્રભાચંદ્ર
શિવકોટિ પ્રભાચંદ્ર
11,11,15,15,61,151 પ્રભાચંદ્ર
શુભચંદ્ર,
25 પ્રેમી નાથુરામ8,10,12,22,82,152,162,162
શુભચંદ્રસૂરિ બંસીધર વંશીધર જુઓ
11
શુભચંદ્રસૂરિ બનારસીદાસ
153
શ્રીચંદ્ર બ્રહ્મદેવ
25
શ્રીદત્ત ભણસાળી દયાળજી ગંગાધર
152
શ્રીધરસેન ભવશર્મા
25 શ્રીધરાચાર્ય ભાવસેન (સૈવિદ્ય)
16,168 શ્રીપાલ્યકીર્તિશ ભૂતબલિ
10 શ્રુતકીર્તિ (આર્ય) મલ્લેિષણ
શ્રતમુનિ (અભિનવ) મલ્લેિષણ
151. શ્રતમુનિ મહાક્ષપક
75
શ્રુતસાગર મહાચંદ્ર
11
સકલકીર્તિ મહાવીરાચાર્ય
118,118
સકલકીર્તિ મહેન્દ્રકુમાર
11,15
સકલકીર્તિ મહેન્દ્રકુમાર
61,62
સકલભૂષણ (સહાયક) મેઘનાદ
140
સમતભદ્ર યક્ષવર્મા
14,15
સમન્તભદ્ર થલ્લાચાર્ય
120
સમંતભદ્ર યશોભદ્ર યોગીન્દુ જોઇ૬ જુઓ
સમયભૂષણ રત્નનન્દિ
સિંહનાદ
સિદ્ધસેન રત્નભૂષણ રાજકુમાર
સોમદેવ રાજવાર્તિકકાર અકલંક જુઓ
સોમદેવ(સૂરિ) રામકીર્તિ
સોમદેવ(સૂરિ) વંશીધર બંશીધર જુઓ
9 સોમસેન વર્ધમાન
168 સ્વયમ્ભ વલ્લભ
119 | સ્વયમ્ભવેશ
24.
10,11,11.
151
161 23,24,25,24
24,25 168 134
25 9,10 140 135 151 140
140 6,61,151,161
10,12
10
162
161 79,85
81
For Personal & Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
82,90
92
82,86,87
174
184,185
145 146 112
92 181
(ઇ) અજેના અગત્ય
163 | કાસવ અનુભૂતિ સ્વરૂપચાર્યા
192,192 કુમારસ્વામી અબુલફઝલ
68. કર્ણામાચરિઅર એમ. અભિનવગુપ્ત
80,94,95,177
કષ્ણુશર્મા અમરસિંહ
'60,74,173
કેદાર અરિસિંહ
કેદારભટ્ટ
કોસમ્બી દામોદાર ધર્માનંદ અરુણદત્ત
કોહલ અલટ
કૌડિન્ય અશ્વઘોષ
કૌશિક અશ્વતર
કૌકિ આડતિયા રતિલાલ દેવચંદ
ક્ષરસ્વામી આથવલે રામચંદ્ર
ક્ષેમશર્મા આનંદવર્ધન ધ્વનિકાર જુઓ
ક્ષેમેન્દ્ર 241484 Olzza (Opetran Gustav) 16
ખરે નારાયણ મોરેશ્વર આર્યભટ (પહેલો)
192 ગણેશ Szil(Itsing)
166
ગણેશ
ગાર્યુ ઉત્પલ
80 ગિરધરાનંદ ઉદ્ભટ
176,177 ગોડે પી. કે. કંસારા નારાયણ
ગોપાલ કિવ
ગૌડવશતિલક કપિલ
ઘાટગે એ. એમ. કમ્બલ. કલ્યાણમલ્લ
ચંદ્રગોમિ
ચંદ્રટ કિલ્હણ,
ચરક કશેળીકર વાસુદેવરાવ જનાર્દન
ચાલ્કય વિષ્ણુગુપ્ત જુઓ કાકલ (કાયસ્થ)
41,555
ચેટરજી ક્ષિતિશચંદ્ર કાણે પી. વી.
96,96,176,178
જનાશ્રય કાત્યાયન (બૌદ્ધ)
જયદેવ કાત્યાયન (બૌદ્ધ)
167
જયાદિત્ય કામન્દક
162
જલ્પણ કાર્તિકસ્વામી
128
જલ્ડણદેવ કાલિદાસ
53,174,177 જહાંગીર (બાદશાહ) કાલિદાસ
181. જિનેન્દ્રબુદ્ધિ (બૌદ્ધ) કાશ્યપ
82,85 | જીન્સ જેઈમ્સ (Jeans James)
ઇદ્ર
-
5
138
ચંદ્ર
140,174
80 143 126
16 20,34 144 183 162
66
37
37
80 106,179
166
154
68
8,166
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી
૧૯૭
91.
128
82
61
119
112
39
68
જેકબ (Lacob) કર્નલ
નારદ
122 ઝા ગંગાધરનાથ
177
નારદ ઝેચારિઆ (Zachariae) 73 નારાયાણ.
80 ડે. એસ. કે. 90,95,98,175 પતંજલિ ભાષ્યકાર જુઓ
5,166 તષ્ઠિનું
ભાણકાર પરીખ રસિકલાલ છો. 92,95 ત્રિપાઠી રુદેવ 178 પરીખ રસિકલાલ જેઠાલાલ
183 ત્રિપાઠી શંભુનાથ
પવોલિનિ(Parolini)
150,154 ત્રિવિક્રમ
પાણિનિ જુઓ દાક્ષીપુત્ર અને શાલાતુરીય ત્રિવિક્રમ
10,16,20,36,165,165,170,176,166 દર્ડિનું 175 પાલકાપ્ય
146 દડી 95,103,106,175,176,177 પાવુલૂરિ મલ્લન દત્ત બિભૂતિભૂષણ 120 પિંગલ જુઓ મુનિ
78,80-80,82 દાક્ષીપુત્ર જુઓ પાણિનિ અને શાલાતુરીય અને 165
85,86,88,176 દામોદર ગોવિંદાચાર્ય
132
પિટર્સન (Peterson) 23,97,148,174 દિગમ્બર
પિશલ આર.(Pischel R.) દિનકર દીક્ષિત
182 પુત્રાગચંદ્ર દુર્ગ જુઓ દુર્ગસિંહ
પુરુષોત્તમ દુર્ગદેવ
138
પુરુષોત્તમદેવ દુર્ગસિંહ જુઓ દુર્ગ
18,167,168 પુસે એફ. એલ.(Puse E L.) 154 દુર્ગાચાર્ય
પૃથુદકસ્વામી
119 101 પ્રતાપ
112 દેવલ 124 પ્રવરસેન
84 દ્રમિલ
53 ફર્ગ્યુસન જેઇમ્સ(Fergusson James) 116 દ્વિવેદી મણિલાલ નભુભાઈ
163
બર્નેલ એ. સી.(Bernel A.C.). ધનંજય
94,110,110 બાણ
14 ધનિક
110 બૃહસ્પતિ ધન્વન્તરિ
બેલ્વલકર શ્રીપાદ કૃષ્ણ
54,166 ધર્મદાસ (બૌદ્ધ)
બોપદેવ
13,59 ધર્મોત્તર 13 બ્રહ્મગુપ્ત
119,119 ધ્રુવ આનન્દશંકર બાપુભાઈ 92,92,96,97 બ્રહ્મા ધ્રુવ કે હO.
બ્લમ્ફીલ્ડ (Bloomfield) ધ્વનિકાર જુઓ આનન્દવર્ધન
96,96 વ્હીલર Buhler
72,97 નરપતિ
130 વ્હોટલિંગ (Botling) નરેન્દ્રાચાર્ય
169 ભટ્ટાચરજી વિષ્ણુપાદ નાગર મુરારિ લાલે
| ભટ્ટાચાર્ય વિધુશેખર
150 નાગવર્મ(ર્મા)
ભટ્ટોજિ દીક્ષિત
47,55 નાગવર્મ (ર્મા)
ભટ્ટોત્પલ
182 નાગાર્જુન 142,183 | ભરૂલી
138
દેવધા
179
29
165 96
For Personal & Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
મેઠ
176
37
144
74
2,5,71,82
119
110
74 123 117 112 130 182
14
61,94,95
ભરત 80,82,83,85,94,95,111,176 | મુકુલભટ્ટ ભરતમલ્લિક
110 મુનિ પિંગલ જુઓ ભરહ (વસહ)
80 ભર્તુહરિ
20,34,166 મેધાવિન્દ્ર ભર્તુહરિ
151,153,184
મોદી મધુસૂદન ભર્તુહરિ
176 મોરેશ્વર ભાગુરિ
74 યાદવ ભાનુજિ દીક્ષિત
173
માસ્ક ભામુહ
196,106,176,177 રગાચાર્ય એમ. ભાયાણી હરિવલ્લભ ચું.
36,157 રાનાથ ભારવિ
167,168 રભસ ભાષ્યકાર પતંજલિ જુઓ
50 રમા તિમિશ્ર ભાસ
રાઇસ (Rice) ભાસર્વજ્ઞ
28 રાઘવનું વી. ભાસ્કર
181 રાજમૃગાંક ભાસ્કરાચાર્ય
180 રાજર્ષિભટ્ટ ભોજ
20,93,177,178 રાજશેખર ભોજદેવ
178 રાજશેખર મખે.
74. રાટ મરાજ
142 રામચંદ્ર (બૌદ્ધ) મંગલ
95
રામચંદ્ર મંગુવિભુ
142 રામચંદ્રાશ્રય મર્ડબ્ધ જુઓ માડવ્યા
રામાશ્રમ મમ્મટ
81,93,95,96,177 રુદ્ર (દેવ) મયૂર
167,168 રુદ્રટ શતાનંદ જુઓ મયૂરપાદ
143 લલ્લા મલ્લિનાથ
163
લોલિમ્બરાજ મહાદેવ
181 વરદરાજ મહામિશ્ર
166 વરરુચિ મહેશ્વર
_68 1 વરરુચિ મહેશ્વર
122 વરરુચિ માધ
વરરુચિ માણ્ડવ્ય મડબ્ધ જુઓ
81,82 વરાહ માડવા
128 વરાહ માધવ
144 વરાહમિહિર માધવ
184 વસંતરાજ મીમાંસક યુધિષ્ઠિર
6,13 | વસંતરાજ મુકુલ
96,177 ) વસંતરાજ
182 171 171
80
138
89,176,177
128
184
119
36.
142
53
174 183 128
138
80,124,128,180
33
130
182
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી
૧૯૯
142
102
150
66
169
વસિષ્ઠ 82 | શાસ્ત્રી હરિશંકર
99 વાભટ
શાસ્ત્રી હરિપ્રસાદ વાભટ 183 શાહ ઉમાકાંત પ્રેમાનંદ
116 વાચસ્પતિ '66,74 | શિવભદ્ર
176 વાચસ્પતિ
148
| શિવશર્મા શર્વવર્મા અને સર્વવર્મનું જુઓ 167 વાત્સ્યાયને
115 શીતા (કવયિત્રી)
104 વામન
8,20,166. શુક્ર યતીન્દ્ર વામન 176,95,103,176,176. (842 3412 (Schmit R.)
152 વામન
166 શ્રીધર
119,169,180 વાસુકિ
શ્રીધર વિકટનિતમ્બા
176 શ્રીપતિ
125,180 વિદ્યાનાથ
96 શ્રીહર્ષ
86
128 farufirit (Winrernitz)
સમુદ્ર
150 વિરહાંક
169 87
સરસ્વતી
સર્વવર્મન જુઓ શર્વવર્મા અને શિવવર્મા 167,167 વિશ્વનાથ
95,96,177 (વિષ્ણુગુપ્ત ચાલ્કય) વૃદ્ધત્રયી જુઓ
સાડેકર વી. જી. 183
143 સાંડેસરા ભો. જ.
28,92,155 વેલણકર હરિ દામોદર 54,62,76,80,
સાયણાચાર્ય 81,84,86,87 સિંગ ભૂપાલ
112 વોરા પી. આર
સિકદર જે. સી.
144 વોરા પ્રદ્યુમ્ન
96 સુલ્હણ
78,80 વૈદ્ય પી. એલ.
39,61,62 સુશ્રુત
183 વ્યાડિ
65,66,74
સેયને વ્યાસ
14 સૈતવ
80,80,85 શક્ર
112 સોમેશ્વર
155 શક્રાચાર્ય
150,161,165 સ્કન્દ
166 શતાનન્દ રુદ્રટ જુઓ
સ્મિથ જી. એફ. હર્બર્ટ (Smith G.EHertbert) 148 શર્મા પૂર્ણચંદ્ર
હરિ
176 શર્મા ભીમસેન
- 19 હરિબલ
163 શર્વવર્મા શિવશર્મા અને સર્વવર્મનું જુઓ 167 | હરિભટ્ટ
181.182 શાઈફનર (Schiefner).
150 હરિભદ્ર શાકટાયન
5,13,16 હરિશ્ચંદ્ર ભટ્ટારક શાકલ્ય
હર્ટલ (Heret)
152 શામશાસ્ત્રી
167 હર્ષટ
78,78,80 શાલાતુરીય દાક્ષીપુત્ર અને પાણિનિ જુઓ 20,165 હલાયુધ ભટ્ટ
79,79 શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર 42,48 હાવેલ . બી. (Havell E. B) 116 શાસ્ત્રી જગન્નાથ 67 | હુગ્ગા
74 શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ 145 | હ્યુએનસંગ (Hien Tsang)
છે 165
99
80
176 143
181
5
For Personal & Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
33
57 |
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
(અ) શ્વેતામ્બર અને ચાપનીય અકબરસાહિશ્રુષાર દર્પણ
106 | અનુસધાન અચેષ્ટાવિદ્યા
134 | અનેકશાસ્ત્ર સારસમુચ્ચય અસ્કુરણવિચાર
134 | અનેકાંતજય પતાકા અંજના પવનંજયનાટકમ્
111. અનેકાર્થ કરવાકર કૌમુદી અજિતશાંતિ છંદોવિવરણ
88 જુઓ કૌરવાકરકૌમુદી અજિયસંતિથય
85,88 અનેકાર્થધ્વનિમંજરી -ટીકા
127 અનેકાર્થનામમાલા (વિનય૦) -વૃત્તિ
84 | | અનેકાર્થનામમાલા (મ.) જુઓ અનેકાર્થસંગ્રહ74 અજિયસંતિથય (અજિતશાંતિસ્તવ) અને એનાં અનુકરણો 84 | અનેકાર્થરત્નકોશ
74 અચ્ચલમતનિરાકરણ વાસોડન્નિકાદિ
અનેકાર્થરત્નમંજૂષા
75,76 પ્રકરણ જુઓ
અનેકાર્થસંગ્રહ-જુઓઅનેકાર્થનામમાલા અઢારહજારી તત્ત્વપ્રકાશિકા અને
(હૈમ.)
51,72,73,73 (હૈમ) બૃહવૃત્તિ જુઓ
41,42 -અવચૂરિ અણુઓગદાર
123 –ટીકા -ચણિ
અનેકાર્થસાહિત્યસંગ્રહ
153 –ટીકા
| અનયયોગવ્યવચ્છેદદ્વાáિશિકા અનર્ધરાવ
અન્યોક્તિમુક્તામહોદધિ
157 -ટિપ્પણ
અન્યોક્તિમુક્તાવલી અનિ-કારિકા
અપવર્ગનામમાલા (અજ્ઞાત) -અવચૂરિ વિવરણ જુઓ
173 અપવર્ગનામમાલા (જિનચંદ્રીય) –અવસૂરિ
અપવર્ગનામમાલા (જિનભદ્રીય) -અવચૂરિ
અપશબ્દખણ્ડન –ટીકા
અભયકુમારરચિત -વિવરણ (ક્ષમા0) અવચૂરિ
અભિધાનચિંતામણિ
5,55,64, જુઓ 172,172,172
66,67,68,71,72,73,73,148 -વિવરણ (હર્ષ૦)
172 –અવસૂરિ અનિ-સ્વરાન્ત-કારિકા
12 | –ટીકા (કુશલ૦) –અવચૂરિ (સ્વોપલ્સ)
12 |–ટીકા (ભાનુ0) * આ ચિહ્ન મારો લેખ સૂચવે છે.
* આ ચિહ્ન આ કૃતિ મૌલિક નહિ પણ વિવરણરૂપ છે એમ સૂચવે છે.
14
19
157
172 172 172,
66
For Personal & Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોને
૨૦૧
1
O)
66
16
67
57
15
–ટીકા (શ્રીવલ્લભ:
xઅલંકારશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓ 89 –ટીકા (સાધુ)
–અલંકાર સંગ્રહ જુઓ કાવ્યાલંકાર, –પ્રતીકાવલી
કાવ્યાલંકારસંગ્રહ અને કાવ્યાલંકાર-બીજક
66 સારસંકલના અલંકારસાર જુઓ 102,104 –બીજક
અલ્પપરિચિતસૈદ્ધાત્તિક શબ્દકોષ
77 –બીજક
અવ્યવૈકાક્ષરનામમાલા
75 -વિવૃત્તિ (સ્વોપજ્ઞ) તત્ત્વાભિધાયિની જુઓ
147
અશ્વાદિગુણ 18,51,54,63,64,66,67,72,72,148
અષ્ટલક્ષાર્થી અર્થરત્નાવલી જુઓ અભિધાનચિંતામણિકોશ 67,71,75,76
અષ્ટાધ્યાયતૃતીયપ(પા)દવૃત્તિ અભિધાનરત્નમાલા
આઉરપચ્ચખાણ અભિધાનરાજેન્દ્ર
76,77
-અવસૂરિ અભિધાનસંગ્રહ
54,64,67,71,73
આગમોનું દિગ્દર્શન આખ્યાન(ત)વૃત્તિ
169 અમરકોશ
60
આચાર્યશ્રીઅલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન 20 અમરટીકાસર્વસ્વ
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક અમોઘવૃત્તિ (યા) 14,14,21,35,42
ગ્રંથ
149 - ન્યાસ (યા))
15,15 આત્મ(પ્ર) બોધ
160 અયોગવ્યવચ્છેદ્રાતિંશિકા
19,19
આત્માનંદ શતાબ્દિ(બ્દી) xઅર્થની આગગાડી
184 સ્મારક ગ્રંથ
112 અર્થરત્નાવલી અષ્ટલક્ષાર્થી જુઓ
આદિદેવસ્તવ અર્ધચૂડામણિયાર
128,129 *આનંદબોધિની
13,38,41,43 અહંન્નમસ્કારસ્તોત્ર
46
આનન્દલેખ અલંકારચંદ્રિકા
106 આયજ્ઞાનતિલક
136 * અલંકારચૂડામણિ 83,92,92,93,94,96,97,178
–ટીકા
136 -ટિપ્પણ
આયતત્ત્વરાજવલ્લભ
136 -વૃત્તિ
આયપ્રશ્ન
136 xઅલંકારચૂડામણિ, વિવેક અને સંકેત 178
આયસદ્ભાવ
136 અલંકારચૂર્ણિ 106.
136 *અલંકારતિલક
103,104 આયાર
110,157 અલંકારદપ્પણ
106 આયુર્વેદમહોદધિ
144 અલંકારપ્રબોધ
56,98,102 | આરત્મસિદ્ધિ વ્યવહારચર્યા જુઓ 57,125,125 અલંકારમડન 32,104,113,172 આરાધના (વાવ)
15 અલંકારમહોદધિ 102,103,104,155 | આરામણા (વાવ)
15,157,151 -વૃત્તિ (સ્વોપલ્સ) 102,103 | આર્યાગાથા
159 ૧. “યાવ'થી “યાપનીય’ સમજવું.
-
75
109
46
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
175
27
183
18
આર્યાસંખ્યાઉદ્દિષ્ટ નષ્ટવર્તન વિચાર
*ઉપાધ્યાયનિરપેક્ષા આવશ્યક જુઓ આવસ્મય 14 ઉવએસમાલા
125 –વૃત્તિ જુઓ ચૈત્યવંદનવૃત્તિ
ઉવસગ્ગહરથોત્ત આવસ્મય આવશ્યક જુઓ 176 –ટીકા
127 -ચૂણિ
7,8 ઉસભપંચાસિયા
63 –ટીકા (હરિ૦)
7,7
उस्तरलाव यंत्र संबंधी एक महत्त्वपूर्ण जैन ग्रंथ -નિર્જજુત્તિ
134,139 ઉસ્તરલાયંત્ર
139 -નિષ્કુત્તિની ટીકા
-ટીકા –વૃત્તિ
139 આશ્ચર્યયોગમાલા
ઋતુ પ્રાશ વ્યાકરણ પ્રક્રિયા શબ્દાર્ણવ અને
સિદ્ધશબ્દાવર્ણવ જુઓ -વિવૃત્તિ (વૃત્તિ) સુખાવબોધા જુઓ 183
ઋષભદેવચરિત્ર
103 -વૃત્તિ (વિવૃત્તિ)
ઋષભશતક
157 ઇંદુદૂત
46 ઋષિપુત્રની કૃતિ
124 ઇંદ્ર-વ્યાકરણ જુઓ ઐન્દ્ર-વ્યાકરણ અને
એકાક્ષરકોશ
64,75,76 જૈનેન્દ્ર-વ્યાકરણ
એકાક્ષરનામકોષસંગ્રહ ઉક્તિરત્નાકર
53,69
એકાક્ષરનામમાલા (અજ્ઞાત) ઉણાદિ (બુદ્ધિ0)
એકાક્ષરનામમાલા (અમ૨૦) ઉણાદિ (હેમ0)
18,40
એકાક્ષરનામમાલા (વિશ્વ૦) ઉણાદિગણસૂત્ર (હેમ0) જુઓ ઉણાદિસૂત્ર
એકાક્ષરનામમાલા (સુધા૦) એકાઅને ઉણાદિસૂત્રપાઠ
36,51
ક્ષરનિટુ અને નામમાલા જુઓ -ટીકા (સ્વોપલ્સ)
36,51 . એકાક્ષરનિવટું
72,75 ઉણાદિનામમાલા
51 | એકાક્ષરનિવટુ એકાક્ષરનામમાલા ઉણાદિસૂત્ર (મલય૦)
(સુધા૦) અને નામમાલા જુઓ ઉણાદિસૂત્ર (હંમ0) જુઓ ઉણાદિગણસૂત્ર એકાદિદશપર્યન્ત શબ્દસાધનિકા અને ઉણાદિસૂત્રપાઠ
43,51,54 ઐન્દ્રવ્યાકરણ ઇંદ્ર-વ્યાકરણ અને ઉણાદિસૂત્રપાઠ ઉણાદિસૂત્ર અને
જૈનેન્દ્રવ્યાકરણ જુઓ ઉણાદિસૂત્ર જુઓ
51. | ઔક્તિક (અજ્ઞાત) ઉદયદીપિકા
137 | ઔક્તિક (કુલ૦) ઉપદેશતરંગિણી
| ઔક્તિક (જિન)) ઉપદેશપ્રાસાદ
160 ઔક્તિક(સોમ0) *ઉપદેશમાલાકર્ણિકા
125 ઔષધિનામમાલા ઉપદેશરત્નાકર
50 * કક્ષાપટ્ટ ઉપસર્ગમષ્ઠન
31,32,104 | કક્ષાપટવૃત્તિ જુઓ બૃહવ્રુત્તિવિષમપદવ્યાખ્યા 43 *ઉપસર્ગવૃત્તિ
74 | કથાકોશ શકુનરત્નાવલી જુઓ
21
44
133
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
કમ્પ
21
12
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૦૩ કથામહોદધિ
156. કલ્પસૂત્ર
114 કથારત્નાકર 157 કલ્પાન્તર્વાચ્ય
57 કન્દર્પચૂડામણિ
115 કલ્યાણમંદિરસ્તોત્ર
–ટીકા -ચૂર્ણિ
123 | કવિકલ્પદ્રુમ (હર્ષ) ટીકા
કવિકલ્પદ્રુમ (અજ્ઞાત) -ભાસ
116 –અવચૂરિ -કમલવિજયરાસ
157 કવિકલ્પદ્રુમસ્કંધ કમ્મસ્થય
કવિતામદપરિહાર
105 -ટિપ્પણ
125 -વૃત્તિ (સ્વોપજ્ઞ) શું આ જ કવિમદકરણકુતૂહલ - ટીકા જુઓ ગણક-ક
પરિહાર છે?
105 કુમુદકૌમુદી 180 કવિદપ્પણ
- 85 કરણશેખર 139 કવિદર્પણ
79,80 કરણશેષ
139 કવિમદપરિહાર શું આ જ કવિતામદકર્ણાલંકારમંજરી 106 પરિહારવૃત્તિ છે?
105 કપૂરપ્રકર સુભાષિતકોષ અને સૂક્તાવલી જુઓ | * કવિશિક્ષા (અમર૦) 56,90,97,98 -અવચૂરિ ટીકા (જિન9) જુઓ 154,156 કવિશિક્ષા (જય૦)
90,97 –ટીકા (અજ્ઞાત) 156 | કવિશિક્ષા (દેવ)
90 –ટીકા (જય૦)
156
કવિશિક્ષા (બપ્પ૦) 89,90,102,89 –ટીકા (જિનઅવચૂરિ જુઓ 156 | કવિશિક્ષા (વિનય૦) 89,90,102,102,90 -અવચૂરિ (યશો))
કસ્તૂરીપ્રકર
154,157,158 -અવચૂરિ (હર્ષ0) 157| -વૃત્તિ (સ્વીપજ્ઞ)
158 –બાલાવબોધ
156 | કસ્તુરીપ્રકરણ (સંવેગ0) -સ્તબક 156 | કસ્તૂરીપ્રકરણ (સોમ0)
158 કર્મગ્રંથ (દેવેન્દ્ર)–અવસૂરિ 57 | કાકત
147 કલાકલાપ
56,146 | કાકલની કૃતિ ટુઢિકાદીપિકા, મધ્યમકલાપવ્યાકરણ સન્ધિગર્ભિતસ્તવ 169 | વૃત્તિ અને લઘુવૃત્તિ જુઓ -અવચરિ 169 | કાકુલ્થકેલિ
102 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ એટલે? 35 | કાતંત્ર *કલ્પપલ્લવશેષ કલ્પલતાવિવેક, પલ્લવશેષ, –વૃત્તિ (અજ્ઞાત)
169 વિવેક અને શેષ જુઓ 97,99,100,101 | -વૃત્તિ (અજ્ઞાત)
169 કલ્પલતા 97,97| -વૃત્તિ (અજ્ઞાત)
169 * કલ્પલતા વિવેક કલ્પપલ્લવશેષ, પલ્લવશેષ, કાતંત્રદીપકવૃત્તિ
168 વિવેક અને શેષ જુઓ 97 | કાતંત્રભૂષણ
168
157
158
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
23
104
૨૦૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ કાતંત્રવિસ્તર 168 કાવ્યશિક્ષા
102 કાતંત્રવિસ્તાર
168,168 કાવ્યાદર્શ કાતંત્રોત્તર વિજયાનંદ, વિદ્યાનંદ અને સિદ્ધાનંદ જુઓ –ટીકા
176
–કાવ્યાનુશાસન (વાગડ) 92,103,103 કાદમ્બરી (ઉત્તરાર્ધ)
–ટીકા (સ્વીપજ્ઞ) અલંકારતિલક -ટીકા (વૃત્તિ) (ઉત્તરાર્ધ).
જુઓ
103,104,87 -વૃત્તિ (ટીકા)
કાવ્યાનુશાસન (હૈમ0) 19,83,92,94,95,97 કાદમ્બરી (પૂર્વાર્ધ)
111,111 –ટીકા
-વૃત્તિ (સ્વપજ્ઞ) જુઓ અલંકારચૂડામણિ 96 કાદમ્બરી-ઉદ્ધાર, સંક્ષિપ્તકાદમ્બરી કથાનક
*કાવ્યાસ્ના (અમર૦) જુઓ
કાવ્યાખ્યાય (અમર૦)
106,179 કાદમ્બરીમડન
કાવ્યાલંકાર (ભાવ) અલંકાર સંગ્રહ, કામપ્રદીપ
અલંકારસાર, કાવ્યાલંકારસંગ્રહ અને કાયથિઇથોત્ત
29 કાવ્યાલંકારસારસંકલન જુઓ 102,104 -અવચૂરિ 29 કાવ્યાલંકાસંગ્રહ
104 કાલકકથા
કાવ્યાલંકારસારસંકલના
104 કાલકકહી
104 કાવ્યાલંકાર (રુદ્રટ). કાલજ્ઞાન 123,124 –ટીકા (વૃત્તિ)
89,176,176 કાલાપથવિશેષ વ્યાખ્યાન
169 –વૃત્તિ (ટીકા)
176 કાવ્યકલ્પલતા (અમર૦) 56,57,98 કીર્તિકલ્લોલિની
157 -વૃત્તિ (યશો) 98 | कुछ जैन ग्रंथो में संगीतचर्चा
112 –વૃત્તિ (સ્વોપજ્ઞ) કવિશિક્ષા 98 | કુંથુનાથચરિત
18 જુઓ
87,98 કુમારપાલચરિત્ર *કાવ્યકલ્પતાપરિમલ 98,56 કુમારવાલપડિબોહ
153,154 *કાવ્યકલ્પલતામંજરી 98,56 | કુમારવિહારશતક
109 કાવ્યપ્રકાશ
100 કુમુદેન્દુશતક -ટીકા (ભાનુ0)
178 કુલક –ટીકા (યશો))
178 "કૈરવાકર કૌમુદી જુઓ અને કાર્થકેરવાકરકૌમુદી 73 –ટીકા (હર્ષ0)
178 કોકપ્રકાશસાર -વૃત્તિ
કોકશાસ્ત્રચોપાઇ કાવ્યપ્રકાશખડન
કૌમારસારસમુચ્ચય
168 કાવ્યમડન
કૌમુદીમિત્રાનંદ
108 કાવ્યમનોહર
*ક્રિયાકલ્પલતા કાવ્યલક્ષણ
106 | *ક્રિયાચંદ્રિકા
28
101 138
115 115
178
178 | 32 |
69
For Personal & Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૦૫
59
58
89
19. 19
ક્રિયારત્નસમુચ્ચય ખરતરગચ્છપટ્ટાવલી ખેત્તસમાસ -અવચૂરિ ગજપરીક્ષા હસ્તિપરીક્ષા જુઓ ગજપ્રબંધ *ગણકકુમુદકૌમુદી ગણદર્પણ - ગણપાઠ (બુદ્ધિ0) ગણપાઠ (શા) (યા૦) ગણપાઠ (હૈમ0) –સ્પષ્ટીકરણ (સ્વોપજ્ઞ) ગણરત્ન મહોદધિ –અવચૂરિ -વૃત્તિ (સ્વોપજ્ઞ) ગણહરસિદ્ધસયગ ગણિતતિલક -વૃત્તિ ગણિતસાર –વૃત્તિ ગણિતસારકૌમુદી ગણિયસારકોમુઈ ગાથાર–કોશ ગાથારત્નાકર ગાહાલખણ -વૃત્તિ જુઓ નદિતાદ્યવૃત્તિ ગુ (ગુજરાતનું પ્રધાન વ્યાકરણ ગુણરત્નાવૃત્તિ ગુણસાગરચરિત્ર ગુર્નાવલી ગૌતમીકાવ્ય -વિવરણ ગ્રહભાવ પ્રકાશ જુઓ ભુવને દીપક (પદ્મ0)
57,58 ગ્રન્થત્રયી 160 ગ્રહલાઘવ –ટિપ્પણ
181 57 ચઉસરણ 128,128 - અવચૂરિ 128,146 ચાતુર્માસક્લક
138 181,182 ચતુર્વિશતિકા
28 | ચતુર્વિશતિજિનસ્તુતિ જિનસ્તવન18 | ચતુર્વિશતિકા જુઓ
157 14 | ચતુર્વિશતિજિનસ્તોત્ર
126 39,42 | ચતુર્વિશતિજિનેન્દ્ર સંક્ષિપ્તચરિત
ચતુર્વિશતિપ્રબંધ 18,109,123,146,155,168 9,19 ચતુષ્કવૃિત્ત
169 ચંદ્રપ્રભકાવ્ય
104 ચંદ્રપ્રભવિજય
77 18,67 *ચંદ્રપ્રભા જુઓ બૃહસ્ત્રક્રિયા અને હૈમકૌમુદી
47,130,134,137,137 125,180 ચંદ્રવિજય
32,105 179 ચંદ્રાક 180 –વૃત્તિ
182 118 ચંદ્રાઊઁપદ્ધતિ
182 118 –ટીકા
181 ચંદ્રાલોકટીકા
106 88 ચંદ્રોન્સીલન
129,134,135 85 –ટીકા
134 87. ચમત્કારચિંતામણિ –ટબ્બો
182 18,38 -બાલવબોધ 39 ચપૂમડન ચરકાદિના વિચારકોને
183 23 ચિકિતો(ત્સો)ત્સવ
144 ચિંતામણિ (યા) લઘુવૃત્તિ જુઓ 26,26 -ટિપ્પણ
16 124 -ટીકા
16,26,26 ચૂડામણિ
130,134,134
88
182
172
160
For Personal & Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
59
125
127
126
78
૨૦૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ ચૈત્યવંદનવૃત્તિ આવશયકવૃત્તિ જુઓ
176.
છ બોલની વિહરમાણ જિનવીસીનું છંદકોસ
88 | વિહંગાવલોકન –ટીકા
છહજારી લઘુવૃત્તિ (હૈમ0) જુઓ 39,41 છંદ(દો)રૂપક
88. છાસીઇ. છંદ ચૂડામણિ જુઓ છંદોડનુશાસન
-ટિપ્પણ (હૈમ0)
જઇદિણચરિયા યતિદિનચર્યા જુઓ 104 80,83,85 જગન્મોહન
138 –ટીકા (મૃત્તિ) (યશો)
જન્મકુડલી
181 –ટીકા (વર્ધ0)
જન્મપત્રીપદ્ધતિ (અજ્ઞાત)
127 -વૃત્તિ (ટીકા) (યશો૦).
જન્મપત્રીપદ્ધતિ (મહિમો૦)
127 છંદ શાસ્ત્ર (જય૦) જયદેવસ્કન્દમ્ જુઓ 176 જન્મપત્રીપદ્ધતિ (લબ્ધિ0) છન્દ શાસ્ત્ર (બુદ્ધિ)
જન્મપત્રીપદ્ધતિ (હર્ષ૦)
127 છંદશાસ્ત્ર (રામ0)
જન્મસમુદ્ર
126 છંદ શાસ્ત્રી જપકીર્તિ તે કોણ ?
જન્માસ્મોધિ છંદ:શેખર (જય૦)
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ
138 છંદ શેખર (રાજ0)
જયકીર્તિનું છંદોડનુશાસન છંદ શેખર (રાજ0?)
જયદામનું (જે.અજૈન)
78,79 છંદસ્તત્ત્વ
xજયદેવકૃત જયદેવજીંદસ્
78 -ટીકા (સ્વોપજ્ઞ)
જયદેવજીંદસ્ છંદ શાસ્ત્ર જુઓ 78,79,80 છંદઃસુંદર
-ટિપ્પણ
81 –ટીકા (સ્વોપજ્ઞ)
88 –ટીકા (વિવૃત્તિ) હર્ષટ) 78,78,80 છન્દોપ્લાનિંશિકા દોડનુશાસન (વાગ0)
જયમંગલા -વૃત્તિ (સ્વોપજ્ઞ).
જર્મન અને ઇટાલિયન અનુવાદોથી છંદોડનુશાસન (હૈમ0) 78,79,80,82, અલંકૃત જૈનકૃતિઓ
154 83,85,86,87,94,94
જાતક(કર્મ) પદ્ધતિ -પર્યાય 83 –ટીકા
180,181 -વૃત્તિ(યશો)
86,56 –બાલાવબોધ
180 -વૃત્તિ (સ્વપજ્ઞ)
83,86
જિણસત્તરિ છંદોરત્નાવલી
87,98 જિનરત્નકોશ
12,15,18, છંદોડલંકાર
22,23,25,27,31,33,40,41,43,44,47, -ટિપ્પન
48,50,53,55,57,57,59,62,62,67,68, છંદોવિચિતિ રત્નમંજૂષા જુઓ
88 71,72,75,76,77,84,88,98,102,105, ૧. આમાં શ્વેતાંબર ગ્રંથો વધુ પ્રમાણમાં હોવાથી એની મેં અહીં નોંધ લીધી છે.
-વૃત્તિ
81
87
175
87
71
For Personal & Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૦૭
157 109
-વિવરણ
143
106,112,115,117,119,121,124,126, | નૈના'Tમ ગૌર સ્થાપત્ય
116 130,138,142,143,147,147,148,150,
વૈનેતર ગ્રંથોં પર જૈન વિદ્વાનોં ફ્રી ટી 168 150,154,158,161,167,169,169,170,
જૈનેતર સાહિત્ય અને જેનો
171 175,179,181,182,74,141,142,159
જૈનેન્દ્ર (પંચાધ્યાયી) વ્યાકરણ જિનસહસ્રનામસ્તોત્ર
-કારિકા જિનસ્તવન ચતુર્વિશતિકા
-કારિકાની અવચૂરિ (સ્વોપજ્ઞ) ચતુર્વિશતિજિનસ્તુતિ જુઓ
157
જૈનેન્દ્ર વ્યાકરણ વ્યાકરણ અને જિનસ્તુતિ
ઐન્દ્ર વ્યાકરણ જુઓ જિનસ્તોત્ર
જોઇસકરણ્ડગ જીવવિયાર
–ટીકા
123 160 જ્યોતિષરત્નાકર
182 જેસલમેર ભાડાગારીયગ્રંથસૂચી 97
જયોતિસાર (ફેરુ)
120,126,127 જૈનકુમારસંભવ
83 -વૃત્તિ (સ્વીપજ્ઞ)
126 જૈન ગૂર્જક કવિઓ
જ્યોતિસાર (નાર૦) નારચંદ્ર જૈન ગ્રંથાવલી 22,22,26,31,33, જ્યોતિસાર જુઓ
126 40,42,43,43,45,48,48,53,54,55,66, 67,69,71,72,74,77,77,85,86,106,106,
126
-ટિપ્પણ 113,134,136,143,147,148,156,168
જ્યોતિસાર (હર્ષ૦) જયોતિષસારજૈન ચિત્ર કલ્પદ્રુમ
56,148
સંગ્રહ અને જ્યૌતિષસારોદ્ધાર જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન 164
જુઓ
126,127,69 જૈનપુસ્તક પ્રશસ્તિસંગ્રહ
યૌતિષસારસંગ્રહ જ્યોતિસાર જૈનલક્ષણાવલી
જુઓ
127 જૈનસપ્તપદાર્થી
181 જયૌતિષસારોદ્ધાર
127 જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો 122,128,130,131.
ઠક્કર ફેરચિત ગણિતસારકૌમુદી जैन साहित्यका बृहद् इतिहास
એક અદ્વિતીય ગ્રંથ
118 જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ 20,29,30,
ઠક્કર ફેરચિત મુદ્રાશાસ્ત્રનો અદ્વિતીય 31,63,63,68,69,102,115,124,126,
જૈનગ્રંથ
116 128,131,143,155,159,160,167,176 ઠાણ
2,127 જૈન સિદ્ધાંતકૌમુદી
27,27 *ટુઢેિકા તત્ત્વપ્રકાશિકા, પ્રકાશિકા જૈનસૂક્તસંદોહ 161 અને બલાબલવૃત્તિ જુઓ
41. જૈનસ્તોત્રસ ગ્રહ
| *ટુઢિકા દીપિકા જુઓ
170 જૈનસ્તોત્રસંદોહ
ટુદ્ધિકાદીપિકા મધ્યમવૃત્તિ અને જૈનસ્તોત્રસમુચ્ચય 29,30,157 લઘુવૃત્તિ જુઓ
41 जैनचार्यों का छन्दःशास्त्र को अदान 88 *તત્ત્વપ્રકાશિકા (ગુણ૦).
49,48 નૈનવાર્યો લા ૩ નંવાર સ્ત્રÈ યોહાન 107 | *તત્ત્વપ્રકાશિકા (હૈમ0) જુઓ અઢાર હજારી,
23
77
28.
273
For Personal & Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
126
1211
-ટીકા
157
ઢિકા, પ્રકાશિકા, બાલબલવૃત્તિ
રૈલોક્યદીપક (હેમ0) જુઓ નવ્યતાજિક, 126 અને (હેમ0) બૃહદવૃત્તિ
41,49 ભુવનદીપક અને મેઘમાલા -પ્રકાશ વ્યાસ (હૈમ0),
41,44 રૈલોક્યપ્રકાશ બૃહન્યાસ (હેમ0), મહાર્ણવ
ઐવિદ્યગોષ્ઠી
23,78,105 અને શબ્દમહાર્ણવ જુઓ
41,44 *થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને *તત્ત્વાભિધાયિની
[64,66 એની યશોવ્યાખ્યા તત્ત્વાર્થસૂત્ર
8,124,177 | *દર્શનજયોતિવૃત્તિ પ્રશ્નવ્યાકરણ -ભાગ્ય
જ્યોતિવૃત્તિ જુઓ *તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર
દવ્વપરિખા દ્રવ્ય પરીક્ષા 7 જુઓ
117,118,120,127 *તત્ત્વાવગમાં
દશપર્વકથા તંત્રવિભ્રમ
દસયાલિય -વૃત્તિ
49 *દાનદીપિકા તરંગવઇ
123 દાનષત્રિશિકા "તર્કરહસ્યદીપિકા
57,168 xદિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ તર્કસંગ્રહ
(૮૪ બોલવિચાર) : રેખાદર્શન -વિવરણ
160 દિઢિવાય તાજિકસાર
દિનશુદ્ધિ –ટીકા
180,181 *દીપિકા (અજ્ઞાત) તારા(ય)ગણ
89 *દીપિકા (જયા) કતાર્કિક હરિયાળી સ્વોપજ્ઞ વિવેચન
*દીપિકા (જિન9) સહિત
*દીપિકા (દક્ષ0) 59 *દીપિકા (ધન9)
181. તિçન્વયોક્તિ
*દીપિકા (મેઘ0) જુઓ ટુઢિકા 170 તિન્તાન્વયોક્તિ
59 *દીપિકા (હર્ષ0) તિથિકુલક 138 *દુર્ગાદપ્રબોધ
54,55 તિલક
120
*દુર્ગાદપ્રબોધ તિલકમંજરી
63,85,94,120,176 દુર્ગાદપ્રબોધવૃત્તિ વૃત્તિવિવરણપંજિકા તિલકમંજરી કથાસાર
120
દુર્ગાદપ્રબોધ જુઓ તુરંગપ્રબંધ
128,146 દેવીશતક અને શ્રી હેમચંદ્રસૂરિ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર 35,66,152 દેશ્ય શબ્દોનો કોશ
160,161. દેસિસદસંગહ જુઓ રયણાવલી ત્રિષષ્ટિસાર
156 દૈવમ્ (યા)?) રૈલોક્યદીપક (અજ્ઞાત?)
138 *દોધકવૃત્તિ
31
For Personal & Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૦૯
148
52
82
*દૌર્ગસિંહીદીપિકા દૌર્ગસિંહીવૃત્તિ દ્રવ્ય પરીક્ષા (લેખ) દ્રવ્ય પરીક્ષા જુઓ દવુપરિમુખ દ્રવ્યાલંકાર -ટીકા (સ્વોપલ્સ) દ્રવ્યાવલીનિઘંટુ ચેક્ષરનામમાલા યાશ્રય દ્વાનિંશિકા (સિદ્ધ) લાનિંશિકા (સિદ્ધ0) (પ્રથમ) ધનદત્રિશતી ધનપાલીય કોશ ધનુર્વિદ્યા -વૃત્તિ ધનુર્વેદ ધમ્મોવએસમાલા -વિવરણ (જય૦) -વિવરણ (નમિ0) ધર્મકલ્પદ્રુમ ધર્મદીપિકા ધર્મવિધિ -વૃત્તિ ધર્માભ્યદય ધાતુચિંતામણિ ધાતુપાઠ (અજ્ઞાત) ધાતુપાઠ (પુણ્ય ) ધાતુપાઠ (બુદ્ધિ0) ધાતુપાઠ (મલય) ધાતુપાઠ (રત્ન)) ધાતુપાઠ (શા) (યા) ધાતુપાઠ (હર્ષ0) ધાતુપાઠ (હંમ0)
169 ધાતુરતંગિણી
69,172 168 ધાતુપરીક્ષા 117 ધાતુપારાયણ (હૈમ0)
36,52,58 117,127 -ટિપ્પણ -વૃત્તિ (સ્વોપલ્સ)
52,53 108,109 | ધાતુમંજરી 108,109 ધાતુરત્નાકર (લાવ૦)
53 143, 143, ધાતુરત્નાકર (સાધુ)
53,53,69 70 | નટચરણ અને નૃત્ત(૯)ગતિ 20,39,41 નંદિતાદ્યવૃત્તિ ગાહાલકુખણવૃત્તિ જુઓ
નંદી 85 | -ટીકા 151,184 નમસ્કાર પ્રથમ પદાર્થ 62,63 ‘નમોડસ્તુ વર્ધમાનાય’ સ્તુતિ 148 નયકર્ણિકા નરનારાયણાનંદ
98,155 નરપતિજયચર્યા સ્વરોદય જુઓ 131,138 નલવિલાસ
110,108 નવકારમંત –ટીકા
127 નવતત્ત –અવસૂરિ
58 160 નવનિધાન નવ સ્તવનો
નવતાજિક જુઓ રૈલોક્યદીપક, રૈલોક્ય
પ્રકાશ, ભુવનદીપક અને મેઘમાલા 126 102 નાગોરી તપાગચ્છની પટ્ટાવલી
124 125,126 નાટ્યદર્પણ
44,108,109,110 -વિવૃત્તિ
108,109,110,111 નાટ્યવિધિપ્રાભૃત
108 નાયવિહિપાહુડી
108 નાડીચક્ર
141 21 | નાડીનિર્ણય નાડીવિચાર જુઓ 141 14 | નાડી પરીક્ષા (અજ્ઞાત)
140 14,16 નાડીવિચાર (અજ્ઞાત)
141. 69,172 | નાડીવિચાર (અજ્ઞાત) નાડીનિર્ણય 40,47 | જુઓ
141.
183 147 |
82
76
_59
48
0.
For Personal & Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
151
156
71
109
63
68,69
72
જુઓ
૨૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ નાડીસંચારજ્ઞાન
નીતિશતક
150 નાનાર્થકોશ
નીતિશાસ્ત્ર (તિલક0)
150,155 નાનાર્થસંગ્રહ
નીતિશાસ્ત્ર (ધર્મ0) નામકોશ
નૂતન વ્યાકરણ
28 નામમાલા (અજ્ઞાત)
176 નેમિચરિત્ર નામમાલા (જિન9) અપવર્ગનામમાલા
નેમિનાથ ચરિત્ર
91,104 અને પંચવર્ગપરિહારનામમાલા જુઓ
નેમિસ્તવ નામમાલા (ધન9)
-ટિપ્પણ
126 નામમાલા (ભાનુ0)
ન્યાયકંદલી નામમાલા (મહી)
–ટીકા નામમાલા (સુધાળ) એકાક્ષરનામ
–પંજિકા
126 માલા અને એકાક્ષરનિધટું જુઓ 75,75 ન્યાયતાત્પર્યદીપિકા નામમાલા (હેમ0) એકાક્ષરનિવટું
ન્યાયબિંદુટીકા 75 -ટિપ્પણ
13 નામમાલા (હૈમ0) અભિધાન
ન્યાયરત્નાવલી
171 ચિંતામણિ જુઓ 64,66 ન્યાયસંગ્રહ
19,57 નામમાલાસંગ્રહ જુઓ નામસંગ્રહ, ભાનુચંદ્ર- ન્યાયસંગ્રહસૂત્ર નામમાલા અને વિવિક્તનામસંગ્રહ 68,68 ન્યાયચાર્યને અંગેની કેટલીક નામમાલિકા (સુધા))
75 કિંવદંતીઓ નામસંગ્રહ જુઓ નામમાલાસંગ્રહ, ભાનુચંદ્ર- ન્યાયાર્થમંજૂષા હૈમવ્યાકરણનામમાલા અને વિવિક્તનામસંગ્રહ
ન્યાયસંગ્રહ જુઓ
42,57,57 નાયાધમ્મકહા
157 -ન્યાસ (સ્વોપજ્ઞ) નારચંદ્રજ્યોતિઃસાર જુઓ જયોતિસાર 126
57,57 નિઘટ્ટ (બુદ્ધિ)
ન્યાયાવતાર નિઘટ્ટ (વર્ધ0)
ન્યાસ (વિનય૦) હૈમપ્રકાશ અને નિઘટ્ટ (હૈમ0)
72,72 હૈમપ્રક્રિયાબૃહન્યાસ જુઓ નિઘટ્રશેષ
64,64,71,72) ન્યાસ (હૈમ0) તત્ત્વપ્રકાશિકાપ્રકાશ, -ટીકા
બૃહન્યાસ, મહાર્ણવ અને શબ્દમહાર્ણવ નિદાન 141
36,41,44 નિબંધસંગ્રહ
59 ન્યાસસારસમુદ્ધાર બૃહન્યાસ દુર્ગનિર્ભયભીમ
108 પદવ્યાખ્યા, ન્યાસોદ્ધાર અને નિર્વાણકલિકા
123 લઘુન્યાસ જુઓ નીતિગ્રંથ
151. વાસસારોદ્ધાર નીતિધનદ
31,150,151 | -ટિપ્પણ
68.
64
64
72
જુઓ
For Personal & Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૧૧
44
ન્યાસોદ્ધાર ન્યાસસારસમુદ્ધાર, બૃહન્યાસદુર્ગપદવ્યાખ્યા અને લઘુન્યાસ જુઓ પઉમચરિયા
પક્ષીઓના પરિચયની પ્રવેશિકા પચ્ચખાણસર્વ પ્રત્યાખ્યાનસ્વરૂપ
149 133
જુઓ
49
પક્ઝોસવણાકપ્પ
7,26,46. -અવચૂણિ
29 પગ્નગ્રંથી બુદ્ધિસાગર જુઓ પંચજિનહારબન્ધાસ્તવ પંચવર્ગપરિહારનામમાલા (અજ્ઞાત) પંચવર્ગપરિહારનામમાલા (જિન) અપવર્ગનામમાલા અને નામમાલા જુઓ પંચવર્ગસંગ્રહનામમાલા પંચાંગતત્ત્વ
139
-વૃત્તિ
સુંદરપ્રકાશ જુઓ પદ્મકોશ (જ્યોતિષ) પદ્મકોશ (નામમાલા) પદ્માનંદમહાકાવ્ય
56,75,102,155 પહ્માનંદશતક
184 સયરણસંદોહ પરસમયસારવિચારસંગ્રહ પરિભાષાવૃત્તિ *પર્યાય (અજ્ઞાત) *પર્યાય (અજ્ઞાત) *પલ્લવ *પલ્લવશેષ જુઓ કલ્પપલ્લવશેષ, કલ્પલતાવિવેક, વિવેક અને શેષ
100 પાઇય(પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય 2,63, 64,84,87,85,117,122,123,124,125,
130,134,153 પાઇયલચ્છીનામમાલા
63,63,77 પાઇયસદમહણવ પડવચરિત્ર પારસીક-નામમાલા શબ્દવિલાસ જુઓ પારસી(ક)ભાષાનુશાસન
33 પાર્શ્વનાથચરિત
157 પાર્શ્વનાથચરિત્ર (ભાવ)
104 પાર્શ્વનાથચરિત્ર (વિનય૦)
102 પાર્થસ્તુતિ
69 પાશકકેવલી
134 પિંગલશિરોમણિ પિંગલસારોદ્ધાર પુરુષકાર
15 પુરુષ સ્ત્રીલક્ષણ
128 પૃથ્વીચંદ્રચરિત્ર
172 પોરાગમ પ્રકરણરત્નાકર
153 પ્રકાશિકા (હેમ0) લઘુવૃત્તિ જુઓ
77
126
77
પંચાંગતિથિવિવરણ પંચાંગદીપિકા પંચાગ –વૃત્તિ પડિક્કમણસુત્ત -અવચૂર્ણિ પષ્ણવણા -તઇયાયસંગ્રહણીની અવચૂર્ણિ -સંગ્રહણી પહાવાગરણ પ્રશ્નવ્યાકરણ જુઓ 134,134 પત્તનસ્થપ્રાચ્યજૈનભાંડાગારીગ્રંથસૂચી 87,102
129,132,134,141,147,155,179 પદપ્રકાશ
179 પદવ્યવસ્થા
166 –ટીકા
166 પદવ્યવસ્થાસૂત્રકારિકા સટીકા
166 પદાર્થચિંતામણિ શબ્દાર્ણવ અને
29
88
145
For Personal & Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
૨ ૧૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
29
પ્રકાશિકા (હેમ0) અઢારહજારી, ટુષ્કિા, તત્ત્વ- પ્રશ્નોત્તરસાર્ધશતક
160 પ્રકાશિકા બલાબલવૃત્તિ અને બૃહદ્રવૃત્તિ જુઓ 41. પ્રસાદદ્વાáિશિકા
109 *પ્રક્રાન્તાલંકારવૃત્તિ
106 *પ્રાકૃતદીપિકા જુઓ પ્રાકૃતપ્રબોધ અને પ્રક્રિયાવૃત્તિ 171 પ્રાકૃતવૃત્તિઢુઢિકા
45,126 *પ્રજ્ઞાપના
42 પ્રાકૃતપદાવચૂરિ પ્રજ્ઞાપના સૂત્ર
*પ્રાકૃતપ્રબોધ જુઓ પ્રાકૃતદીપિકા અને પ્રતાપકલ્પદ્રુમ
144 પ્રાકૃતવૃત્તિઢુઢિકા પ્રાકૃતરૂપસિદ્ધિ પ્રતિમાશતક
પ્રાકૃતવૃત્તિ -વૃત્તિ (સ્વોપજ્ઞ)
97 પ્રાકૃતિવૃત્તિઢુઢિકા (૨૦) પ્રાકૃતદીપિકા પ્રત્યાખ્યાનસ્વરૂપ જુઓ પચ્ચકખાણસરૂવ 49 અને પ્રાકૃતપ્રબોધ જુઓ પ્રબંધચિંતામણિ
36,109 "પ્રાકૃતવૃત્તિઢુઢિકા (હૃદય)) વ્યુત્પત્તિપ્રબંધાવલી
125 દીપિકા અને હૈમચર્તુથપાદવૃત્તિ જુઓ પ્રભાવકચરિત
3,13,17,18,38,38, *પ્રાકૃતવૃત્તિદીપિકા હૈમદીપિકા જુઓ
_51,55,71,90,109,123,123 | પ્રાકૃત વ્યાકરણ (હૈમ) પ્રમાણવાદાર્થ
181 પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ પ્રમાલક્ષ્મ
17,18 પ્રાચીન જૈન લેખસંગ્રહ –વૃત્તિ 12 પ્રાણાવાયા
142 પ્રયોગમુખવ્યાકરણ
પ્રિયંકરનૃપકથા
115 પ્રશસ્તિલેખો
102,125 પ્રીતિષત્રિશિકા પ્રશ્નપ્રકાશ 123,124 પ્રેમલાભ
20,22 પ્રશ્નવ્યાકરણ પહાવાગરણ
ફલવર્ધિપાર્શ્વનાથ મહાભ્ય
134 ફલાફલવિષયક પ્રશ્નપત્ર પ્રશ્નવ્યાકરણજયોતિવૃત્તિ દર્શન
બનાવટી સંસ્કૃત જ્યોતિવૃત્તિ જુઓ
134 બંધહેતૃદયત્રિભંગી પ્રશ્નશતક
126,176 બલાબલવૃત્તિ (અજ્ઞાત) -અવચૂર્ણિ (સ્વોપલ્સ)
126 બલાબલવૃત્તિ (હૈમ) અઢારહજારી, પ્રશ્નસુંદરી
137 ટુઢિકા, તત્ત્વપ્રકાશિકા, પ્રકાશિકા અને પ્રશ્નોત્તરરત્નમાલા (ઉત્તમર્ષિ)
150 બૃહદ્રવૃત્તિ જુઓ પ્રશ્નોત્તરરત્નમાલા (વિમલ૦)
બાલબોધ (અજ્ઞાત)
138 રત્નમાલિકા જુઓ
149,150 બાલબોધ (મેરુ0) બાલાવબોધવૃત્તિ –ટીકા (અજ્ઞાત)
150 જુઓ –ટીકા (દેવેન્દ્ર)
149,150 બાલબોધ (મેરુ) -વૃત્તિ (મુનિભદ્ર)
-આખ્યાતવૃત્તિઢુંઢિકા –વૃત્તિ (હેમપ્રભ)
150 | -કૃવૃત્તિટિપ્પન
28
27
27
જુઓ
150
For Personal & Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૧૩
43
29
182
72
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી -ચતુષ્ક(વૃત્તિ)ટિપ્પન
22 | -સારોદ્ધાર -વૃત્તિ (બૃહ)
22 | બૃહદ્હેમપ્રભા -વૃત્તિ (લઘુ)
22 | બૃહન્યાસ (હૈમ) તત્ત્વપ્રકાશિકાપ્રકાશ, બાલબોધપદ્ધતિ
ન્યાસ, મહાર્ણવ અને શબ્દમહાર્ણવ બાલભારત
13,41,42,44,44,47,94,41 બાલશિક્ષા (પ્રાચીન ગુજરાતી સંસ્કૃત
-દુર્ગ પદવ્યાખ્યા ન્યાસસારસમુદ્ધાર, વ્યાકરણ)
29,169 વાસોદ્ધાર અને લઘુન્યાસ જુઓ 41,45 બાલશિક્ષા (ભક્તિ)
*બેડા
126 બાલશિક્ષા (સંગ્રામ0) 29,31,169 બે મહત્ત્વના ગ્રંથોની શોધ
176 બાલવબોધવૃત્તિ બાલબોધ જુઓ 29,30,168 *બોધદીપિકા
85 બાલાવબોધિની
બોધદીપિકા
85 બીજકૌસ્તુભ શકુનાવલી જુઓ 133 ભક્તામર-કલ્યાણ મંદિર-નમિણબીજનિઘંટુ
સ્તોત્રત્રય
33 બુદ્ધિસાગર (નીતિ) 17,148,163 ભક્તામરસ્તોત્ર
163,33 બુદ્ધિસાગર (વ્યાકરણ) પંચગ્રંથી
–ટીકા (સિદ્ધિ0) વૃત્તિ જુઓ
158 જુઓ 17,18,22,22,35,64,83 –ટીકા (હર્ષ૦)
127 બૃહચ્છાન્તિસ્તોત્ર
–વૃત્તિ (સિદ્ધિ0)ટીકા જુઓ 32,133 -ટીકા 68 ભગવતી
138 બૃહ-ટિપ્પનિકા 43,44,169,141. –વૃત્તિ
138 બૃહસ્પર્વમાલા 180 ભગવદ્યાગ્વાદિની
12 બૃહસ્ત્રક્રિયા ચંદ્રપ્રભા અને
ભત્તપરિણા હૈમકોમુદી જુઓ
-અવચૂરિ
58 બૃહવૃત્તિ (હૈમ) અઢારહજારી,
ભદ્રબાહુસંહિતા
138 ટુદ્ધેિકા, તત્ત્વપ્રકાશિકા, પ્રકાશિકા
ભદ્રશ્વર
19 અને બલાબલવૃત્તિ જુઓ 34,38,39,41,41 ભાનુચંદ્રગણિચરિત 32,68,158,178 44,57,36
ભાનુચંદ્રનામમાલા નામમાલાસંગ્રહ, નામસંગ્રહ -અવચૂર્ણિકા સિદ્ધહેમચંદ્ર-બૃહદ્વચરિ
અને વિવિન્દ્રનામસંગ્રહ, જુઓ
68 જુઓ 43,51. ભાવનાસાર
150 -ટિપ્પણ
ભાવબોધિકા
125 -ટુષ્કિા
ભાવસપ્તતિકા
181 -દીપિકા
ભાષ્યવિવરણ
171 –પ્રક્રિયા હૈમબૃહસ્ત્રક્રિયા જુઓ
57 ભિક્ષુ આગમકોશ -વિષમાવ્યાખ્યા કક્ષાપટવૃત્તિ અને
ભુવનદીપક કક્ષાપટ્ટ જુઓ. 43 | –બાલાવબોધ
182
43 43
43
77
For Personal & Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
181
જુઓ
181
125
44
33
ભુવનદીપક (પદ્મ0) ગ્રહભાવપ્રકાશ
124,182 -અવચૂરિ
125 –ટીકા
125 –બાલાવબોધ
125 –વૃત્તિ (સિંહ૦)
125 –વૃત્તિ (હેમ0) ભુનદીપક (હેમ0) રૈલોક્યદીપક, રૈલોક્યપ્રકાશ, નવ્યતાજિક અને મેઘમાલા જુઓ 126,173 ભૂધાતુ -વિવરણ
160 -વૃત્તિ
173 ભૂધાતુવૃત્તિસંગ્રહ
173 ભૂવલય
101 ભોજપ્રબન્ધ ભોજવ્યાકરણ
159,169 મકરન્દ *મણિ (યા)) મધ્યમપ્રક્રિયા મધ્યમવૃત્તિ (કાકલ) કાકલની કૃતિ, ટુઢિકાદીપિકા અને જુઓ લઘુવૃત્તિ મધ્યમવૃત્તિ (સ્વોપજ્ઞ) મધ્યમ-હેમપ્રભા મનોરથનામમાલા મનોરમા
17,67 મનોરમાકહા મનોરમાચરિય મંત્રરાજરહસ્ય
125,180 મલયગિરિશબ્દાનુશાસન મલયવઈ
123 મલ્લિકામકરંદ
108 મલ્લિનાથચરિત્ર
102 મષીવિચાર
148 મહાદેવીસારણી
-ટિપ્પણ –ટીકા
181 -વિવૃત્તિ *મહાર્ણવ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ, ન્યાસ, બૃહન્યાસ (હૈમ) અને શબ્દમહાર્ણવ જુઓ 44 મહાવીરચરિય
18,83,129 મહાવીર સ્તવન મહાવીરસ્તુતિ માધરાજપદ્ધતિ માતૃકાકેવલી માતૃકાનિઘંટ (? અજૈન) માધવનિદાન –ટબ્બો માનસાગરીપદ્ધતિ
- 127 મિશ્રલિંગકોશ જુઓ લિંગાનુશાસન અને શિવસિ મિશ્રલિંગનિર્ણય મુગ્ધાબોધ ઔક્તિક
28,29,31 *મુગ્ધાવબોધા
157 મુનિસુવ્રતચરિત્ર
124 મુનિસુવ્રતસ્તવ મુષ્ટિવ્યાકરણ શબ્દાનુશાસન(મલય૦) જુઓ20,21 -વિષમપદવિવરણ –વૃત્તિ(સ્વીપજ્ઞ)
20,21 મુહૂર્તચિંતામણિ -ટ્રબ્બો
182 મૃગપક્ષિશાસ્ત્ર
146 મેઘદૂત -ટીકા મેઘમહોદય વર્ષપ્રબોધ તેમજ વર્ષપ્રબોધ અને અષ્ટાંગનિમિત્ત જુઓ 134,137 મેઘમહોદય-વર્ષપ્રબોધ
137 મેધમાલા(? અજ્ઞાત)
138 મેધમાલા(હીરા૦) મેધમાલા(હેમ0) રૈલોક્યદીપક, મેધરકેશરી મિશ્રીમલઅભિનંદનગ્રંથ 106
109
22
17
83
20
138
For Personal & Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૧૫
88
88
128
69
144
109
મેરૂતુંગબાલાવબોધવ્યાકરણ
22 રત્નમંજૂષા છંદોવિચિત જુઓ નૈલોક્યપ્રકાશ, નવ્યતાજિક અને
-ટીકા ભુવનદીપક જુઓ '126 રત્નમાલા
138 મેરુત્રયોદશી
રત્નમલિકા પ્રશ્નોત્તરત્નમાલા જુઓ 149 -વિવરણ 160 રત્નસાગર
144,144 *મોતીઃ શુકનિયાં અને અપશુકનિયાં
*રત્નાકરાવતારિકા યતિદિનચર્યા જઇદિણચરિયા જુઓ 104 –પંજિકા
181 યંત્રરાજ 139 રમલશાસ્ત્ર (ભોજ0)
134 યંત્રરાજરચના પ્રકાર 139 રમલશાસ્ત્ર (મેઘ૦)
134 મંત્રાસ્નાય 139 રમલશાસ્ત્ર (વિજય૦)
134 યદુવિલાસ
109 રયણાવલી(લિ) દેસિસદસંગહ યશોધરચતિ 160 જુઓ
[64,72 *યશોરાજિરાજપદ્ધતિ
–વૃત્તિ (સ્વોપલ્સ)
93,123 યાદવાલ્યુદય 108 રસચિંતામણિ
144,144 યુક્તિસંગ્રહ
રસપ્રયોદ
144 યુગપ્રધાનચોપાઈ
120 રસરત્નદીપિકા યુગાદિદેવદ્રાસિંશિકા
રસરત્નસમુચ્ચય
144 યોગચિંતામણિ વૈદ્ય,સારસંગ્રહ અને
રસસાર
77 વૈદ્યકસારોદ્ધાર જુઓ 169,141,143 | રહસ્યવૃત્તિ
40,40 યોગરત્નમાલા
રાધવાન્યુદય
109 -વૃત્તિ 142 રાજીમતીપરિત્યાગ
104 યોગરત્નસમુચ્ચય 144 રાયપ્પલેણ ઇજ્જ
108,116 યોગરત્નાકર (અજ્ઞાત) 143
108 યોગરત્નાકર (નયન )
143,143 રૂપકમંજરી
106 યોગશત
રૂપકમાલા (અજ્ઞાત)
106 -વૃત્તિ 183 રૂપકમાલા (પાર્શ્વ2)
106 7,35,75 રૂપકમાલા (પુણ્ય)
106 રઘુવિલાસ 108,109 –ટીકા
106 રત્નકોશ
રૂપમંજરીનામમાલા
106 -વ્યાખ્યા 77 રૂપરત્નમાલા
170 રત્નપરીક્ષા 127,148 રૂપસિદ્ધિ
16 -વૃત્તિ (સ્વોપજ્ઞ) 127 રેખાશાસ્ત્ર
131 ૨નપાલકથાનક
જુઓ સામુદ્રિક લહરી
131 *રત્નપ્રભા 64,66,66 | રેવંતગિરિ-કલ્પ
103
-વૃત્તિ
યોગશાસ્ત્ર
For Personal & Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૧૬
17
41
125
રોહિણીમૃગાંક
109 લઘુજાતક -ટબ્બો
180 --વચનિકા
180 -વૃત્તિ
180 લઘુતમનામકોશ
169 લઘુન્યાસ (કનક0)
41,43,44,47 જુઓ ન્યાસારસમુદ્ધાર, જાણોદ્ધાર અને બૃહસ્થાસ દુર્ગ પદવ્યાખ્યા લઘુન્યાસ (ધર્મ0)
44 (રામ0)
44,109 (મ0)
44 લઘુપ્રક્રિયા (મેઘ0) લઘુવૃત્તિ (કાકલ) જુઓ કાકલની વૃત્તિ, ટુદ્ધિકાદીપિકા અને મધ્યમવૃત્તિ લઘુવૃત્તિ (શા))
15,16 જુઓ ચિન્તામણિ. લઘુવૃત્તિ (હૈમ)
36,38-41,51 -અવચૂરિ -અવસૂરિ –અવસૂરિ -અવચૂરિ (ચતુષ્ક પૂરતી)
40 અવચૂરિ પરિષ્કાર -ટુદ્ધેિકા -દીપિકા *લઘુવ્યાખ્યાનઢુઢિંકા
40 લઘુશાન્તિસ્તોત્ર –ટીકા
127 લઘુહેમપ્રભા
48 લિંગનિર્ણય
33,70 લિંગભેદનામમાલા -વૃત્તિ લિંગાનુશાસન (કલ્યાણ) જુઓ મિશ્રલિંગકોશ અને મિશ્રલિંગ નિર્ણય
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ લિંગાનુશાસન (બુદ્ધિ0).
17 લિંગાનુશાસન (ભાવ)
16,54 (હર્ષ૦)
(હેમ) 18,36,40,41,53-55,64 -અવચૂરિ -અવચૂરિ -અવચૂરિ -ટિપ્પનિકા –ટીકા
36,41,55 - વિવરણ (સ્વપજ્ઞ) - વૃત્તિ (સ્વીપજ્ઞ)
54,55 *લીલાવતી (અજ્ઞાત, પાઈય)
134 લીલાવતી (ભાસ્કર) -વૃત્તિ
180 લીલાવતી (સિંહજી) લેખનપ્રકાર
148 લેખ પદ્ધતિ
148 લોકકલ્પ
131,132 લોકપ્રકાશ
46,71 લોકસંહાર લોદ્રપુરીયપાર્શ્વનાથ સ્તુતિ વક્રોક્તિની વણજાર વક્રોક્તિ પંચાશિકા વઘુસાર પરણ 117,118,120,127 વનમાલા
109 વર્ધમાનવિદ્યાકલ્પ વર્ષપ્રબોધ
138 જુઓ મેઘમહોદય તેમજ મેઘમહોદય-વર્ષપ્રબોધ, વર્ષપ્રબોધ અને અાંગનિમિત્ત 137 વસત્તરાજશકુન –વૃત્તિ (ટીકા)
68,182 વસુદેવહિપ્પી
145 વસ્તુકોશ વસ્તુપાલપ્રશસ્તિ
102,125 જુઓ પ્રશસ્તિ લેખો
40
40
107
125
67
67 33
For Personal & Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૧૭
77 |
176
33
160
31.
181
29
29
157 157 157
23
152
71
--148 148 148
વસ્તુવિજ્ઞાનરત્નકોશ
વિક્રમચરિત વાક્યપ્રકાશ
30,47 | વિક્રમચરિત્ર --ટીકા (અજ્ઞાત)
31. વિચારશતકબીજક –ટીકા (અજ્ઞાત)
31. વિચારષત્રિશિકા ટીકા (જિન9)
-અવચૂરિ ટીકા (રત્ન))
વિચારસંગ્રહ ટીકા (હર્ષ૦)
વિચારમૃતસંગ્રહ વાભદાલંકાર
90,91,104,120. વિજયદીપિકા -ટિપ્પની
વિજયપ્રશસ્તિકાવ્ય –ટીકા (અજ્ઞાત)
91 | –વૃત્તિ -ટીકા (કુમુદO)
91 | વિજયાનંદ કાતંત્રોત્તર, વિદ્યાનંદ અને –ટીકા (કૃષ્ણ)
સિદ્ધાનંદ જુઓ –ટીકા (મ0)
*વિજયોદય (યા) –ટીકા (ગણેશ)
વિજ્ઞપ્તિત્રિવેણી –ટીકા (જિન)
વિજ્ઞાનચંદ્રિકા - ટીકા (રાજ0)
વિજ્ઞાનાર્ણવ -ટીકા (વર્ધ0)
વિજ્ઞાનાર્ણવોપનિષદ્ –ટીકા (વાદિ0)
91 | વિદગ્ધમુખમષ્ઠન –ટીકા (સમય))
-અવચૂરિ –ટીકા (સોમ0)
-અવચૂર્ણિ બાલાવબોધ (નેમિ0)
–ટીકા (અજ્ઞાત) –બાલાવબોધ (૨૦)
92,92,179 –ટીકા (ભીમ0) -વૃત્તિ
179 –ટીકા (વિનય૦) -વ્યાખ્યા
90,91 –ટીકા શિવ૦). વાચક જશનું વંશવૃક્ષ
–બાલાવબોધ વાચક યશોવિજયની ચોવીસીઓ
–વૃત્તિ વાચનાચાર્ય શ્રીસુધાકળશ અને
વિદ્યાનંદ કાતંત્રોત્તર, વિજયાનંદ અને તેની ગુરુપરંપરા
સિદ્ધાનંદ જુઓ વાદાર્થનિરૂપણ -
વિદ્યાપ્રવાદ વાસવદત્તા
વિવાહપટલ (અજૈન) -વૃત્તિ
-ટીકા વાસોડન્નિકાદિપ્રકરણ અંચલમત
–બાલાવબોધ નિરાકરણ જુઓ
–ટીકા (અજ્ઞાત) વિંશતિવિંશિકા વીસવીસિયા જુઓ 49 | –ટીકા (હર્ષ0)
179 179 179 179
91
179 179
59
59
179 179
22,23 131
181
181
181 181
For Personal & Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
78
10
વિવિન્દ્રનામસંગ્રહ નામમાલાસંગ્રહ,
વૃત્તરત્નાકર નામસંગ્રહ અને ભાનુચંદ્રનામમાલા
-ટિપ્પન
175 જુઓ 68 -બાલાવબોધ
175 વિવિધતીર્થકલ્પ 123 –વૃત્તિ (યશ:0)
175 *વિવેક (વિબુધ0) કલ્પપલ્લવશેષ
–વૃત્તિ (સમય)
175 કલ્પલતાવિવેક, પલ્લવશેષ અને શેષ
-વૃત્તિ (સોમ0)
175 જુઓ
99,97,97 | વૃત્તરત્નાકર *વિવેક (હેમ0) 92,92,94,95 | વૃત્તિત્રયનિબન્ધ
168 96,100,178 | *વૃત્તિવિવરણપંજિકાદુર્ગાદપ્રબોધ વિવેકકલિકા 102,155 | દુર્ગાદપ્રબોધવૃત્તિ જુઓ
168 વિવેકપાદપ 102,155 વૃદ્ધચિંતામણિ
159 વિવેકવિલાસ 115,129,131,138,132 વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર
32,158 –વૃત્તિ | 68 | વૃદ્ધયોગશતક વૈદ્યવલ્લભ
143 વિશાલલોચન
વેદવાદ-દ્વાáિશિકા વિશેષણવતી વિશેસણવઇ જુઓ
વૈદ્યકલ્પ
144 વિશ્રાન્ત
12,18 વૈદ્યકાર
144 વિશ્રાન્તવિદ્યાધર
12,13,18 વૈદ્યકસારસંગ્રહ યોગચિંતામણિ જુઓ 143 -ન્યાસ 13,13,166 વૈદ્યકસારોદ્ધાર
69,143 -બૃહદવૃત્તિ
વૈદ્યજીવન લઘુવૃત્તિ 12 –ટમ્બો
184 વિસેસણવઇ વિશેષણવતી જુઓ
| વૈદ્યવલ્લભ (પૂર્ણ૦) વૃદ્ધયોગશતક જુઓ 143 વિસસાવસ્મયભાસ 3,122 વૈદ્યવલ્લભ
143 વીતરાગસ્તોત્ર
વૈદ્યામૃત વીરથય વીરસ્તવ જુઓ
વૈરાગ્યધનદ
31,150,151 -અવચૂરિ
વ્યતિરેકઢાત્રિશિકા
109 –વૃત્તિ
આરંભ સિદ્ધિ જુઓ
125 વીરથુઇ (અર્ધ-સંસ્કૃત)
સિદ્ધિ વીરથુઇ (પાઇય)
વ્યાકરણચતુષ્કાવચૂરિ
126 વીરસ્તવ (કુલ0)
વ્યાકરણના કોયડા અને એનો ઉકેલ 49 વીરસ્તવ (પાદ0) વીરચય જુઓ
*વ્યુત્પત્તિદીપિકા પ્રાકૃતવૃત્તિકા અને વીરસ્તવ (પાર્શ્વ2)
172 હૈમચુર્થપાદવૃત્તિ જુઓ –ટીકા 172 | વ્યુત્પત્તિરત્નાકર
66 વીરસ્તુતિ 63 શકુનદીપિકા
132 વીસવીસિયા વિંશતિવિંશકા જુઓ 49 | શકુનપ્રદીપ
132
12
49 |
35
144
63
For Personal & Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
69
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૧૯ શકુનરત્નાવલી કથાકોશ જુઓ 133 શબ્દસંદોહસંગ્રહ શકુનરહસ્ય 131,132 શબ્દસિદ્ધિવૃત્તિ
169 શકુનવિચાર
132 શબ્દાનુશાસન (મલય0)મુષ્ટિવ્યાકરણ જુઓ 20,22 શકુન(?નિ)શાસ્ત્ર (દુર્લભ0)
128 શબ્દાનુશાસન (શા) (યા) શકુનશાસ્ત્ર (માણિક્ય) શાકુનસારોદ્ધાર
શાકટાચન જુઓ
13,14,15 જુઓ
132
-ટીકા (યા)) શકુનશાસ્ત્ર (વસંત)
-રૂપસિદ્ધિ (યા)
16 -વૃત્તિ
શબ્દાનુશાસન (હૈમ0) સિદ્ધહેમ અને શકુનસપ્તવિંશિકા
સિદ્ધહેમચંદ્ર જુઓ
83,93 શકુનાવલી (અજ્ઞાત)
શબ્દામ્બુધિકોશ શકુનાવલી (ગૌતમ) બીજકૌસ્તુભ જુઓ
શબ્દાર્ણવ (પદ્મ0) પદાર્થચિંતામણિ અને બીજકૌસ્તુભ
સુંદરપ્રકાશ જુઓ શકુનાવલી (હૈમ0)
133
શબ્દાર્ણવ (સહજ0) ઋજુપ્રાજ્ઞવ્યાકરણશહેરપાર્શ્વનાથસ્તુતિ
173
પ્રક્રિયા અને સિદ્ધશબ્દાર્ણવ જુઓ -અવચરિ
173
–ટીકા શતકત્રય
મનોરમા (સ્વોપજ્ઞટીકા) –ટીકા
185 શાકટાયન (યા0) જુઓ શબ્દાનુશાસન –બાલાવબોધ
184 (શા)
6,10,11,14,15,38 શતાર્થ કાવ્ય
153 -ન્યાસ (યા)
15 -વૃત્તિ (સ્વોપજ્ઞ)
-પ્રક્રિયાસંગ્રહ (યા)
13,16 શતાર્થી
શાકુનસારોદ્ધાર શકુનશાસ્ત્ર જુઓ શત્રુંજયકલ્પ 123 શાન્ત સુધારસ
46 શત્રુંજયકલ્પકથા
–ટીકા
46 શબ્દકૌમુદી
શાંતિનાથચરિત્ર (અજિત૭) 150,155 શબ્દચન્દ્રિકા
શાંતિનાથચરિત્ર (અજ્ઞાત)
185 શબ્દપ્રાભૃત સપાહુડ જુઓ
7,8 શાંતિનાથચરિત્ર (મુનિ9) શબ્દભૂષણ સપાહુડ જુઓ
શારદીયનામમાલા
69 શબ્દભેદનામમાલા શબ્દભેદપ્રકાશ જુઓ 67 શારદીયાભિધાનમાલા –વૃત્તિ
167 શાલિવાહનચરિત્ર શબ્દભેદપ્રકાશ શક્મદનામમાલા જુઓ 68 શાલિહોત્ર
147 શબ્દમહાર્ણવ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ, ન્યાસ, (હેમ0) શિક્ષાશત
102 બૃહન્યાસ (હૈમ) અને મહાર્ણવ જુઓ 36,44 શિક્ષાશતક
102 શબ્દરત્નપ્રદીપ
શિલોંછ
64,67 શબ્દરત્નાકર 53,69 શિલ્પના બે જૈન ગ્રંથો
116 શબ્દવિલાસ પારસી,નામમાલા જુઓ 77 | શિવસિંધુ મિશ્રલિંગકોશ જુઓ
153
75
132
67
50
69 70
67
33
૧. આ કૃતિની સંખ્યા દર્શાવે છે.
For Personal & Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
174
90
32
147
97,97 |
46
૨૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ શુકનશાસ્ત્ર 131 | –ટીકા (વૃત્તિ) (હર્ષ૦)
69,174 શુનરુત 147 -પુરાણી વૃત્તિ
174 શુનોસ્ત શ્વસદિત જુઓ 147 –વૃત્તિ (અજ્ઞાત)
174 શૃંગારધનદ
31,150,151 -વૃત્તિ (નય૦) શંગારમંજરી
-વૃત્તિ (હંસ0)
174 શૃંગારમણ્ડન
થરૂદિત જુઓ શુનરુત અને શુનરુત શૃંગારવૈરાદ્યતરંગિણી
- 153,154 શ્વશકુનાધ્યાય શ્વાનશકુનાધ્યાય
147 -ટીકા
153 શ્વાનરુત- જુઓ શ્વાનરુતશકુનવિચાર 147 શંગારવૈરાગ્યશતક 184 શ્વાનશકુનાધ્યાય શ્વશકુનાધ્યાય
147 જશેષ કલ્પપલ્લવશેષ, કલ્પલતાવિવેક,
શ્વાનસપ્તતિકા
147 પલ્લવશેષ અને વિવેક જુઓ
શ્વેતાંબર ગુરુ વિમલસૂરિની પ્રશ્નોશેષનામમાલા (સાધુ) શેષસંગ્રહ
તરરત્નમાલા
149 નામમાલા જુઓ
69
પત્રિશસ્જલ્પસંગ્રહ શેષનામમાલા (હેમ0) શેષસંગ્રહનામ
પપંચાશિકા (ભટ્ટોત્પલ) માલા જુઓ
64,67,73 –ટીકા
182 –ટીકા(અજ્ઞાત)
પપંચાશિકા (હરિ૦)
182 –ટીકા(વલ્લભ0)
–ટીકા શેષસંગ્રહનામમાલા (સાધુ0) શેષ
ષડાવશ્યક નામમાલા (સાધુ0) જુઓ
–બાલાવબોધ શેષસંગ્રહનામમાલા (હૈમ0) શેષનામ
-વ્યાખ્યા માલા (હેમ0) જુઓ
67 પદર્શનસમુચ્ચય
57 શોભનસ્તુતિ
33,63
ષષ્ટિશતક(પ્રકરણ) સક્રિયગ- પયરણ જુઓ 71,92,179 -ટીકા (જય૦)
33 ષોડશષોડશિકા
109 –ટીકા (દેવ૦)
33 સ કેત
177,178 -ટીકા (ધન9)
63,167 –ટીકા (સિદ્ધિ0) વૃત્તિ જુઓ
સંક્ષિપ્તકાદમ્બરી કથાનક કાદમ્બરી–ટીકા (સૌભાગ્ય૦).
ઉદ્ધાર જુઓ -ટીકાઓ (અન્ય)
કસંગીત અને જૈન સાહિત્ય
"संगीत अने जैन साहित्य" के -વૃત્તિ (સિદ્ધિ0) ટીકા (સિદ્ધ0) જુઓ 33 શ્રીપાલચરિત્ર સિરિવાલકહા જુઓ 160
113
विषयमें कुछ विशेष बातें શ્રીપ્રશસ્તિસંગ્રહ
સંગીતદીપક
113 શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમ્
38,41. સંગીતનાટ્યરૂપાવલી
114 શ્રુતબોધ
*સંગીત, નૃત્ય અને નાટ્યશાસ્ત્ર –ટીકા(માણિક્ય) 174 | સંબંધી જૈન ઉલ્લેખો
114
2
69
57
143
૩૩
33
112
46
For Personal & Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨ ૨૧
131
75
સંગીતમર્ડન
32,114 | સહસાવધાની મુનિસુંદરસૂરિનું લાક્ષણિક સંગીતરત્નાવલી
114 સાહિત્ય
105 સંગીતસહપિંગલ 88,114 સાધારણજિનસ્તવ ('૧૬)
109 સંગીતોપનિષત્કારોદ્ધાર
સાધરણજિનસ્તવન
28 સંગીતોપનિષગ્રંથસારોદ્ધાર જુઓ 112 સામુદ્રિકતિલક
128,128,133 સંગીતોપનિષદ્
75,112,113
સામુદ્રિકલહરી રેખાશાસ્ત્ર જુઓ સંગીતોપનિષગ્રંથસારોદ્ધાર
સામુદ્રિકશાસ્ત્ર (અજ્ઞાત)
128 સંગીતોપનિષત્કારોદ્ધાર જુઓ
સામુદ્રિકશાસ્ત્ર (અજ્ઞાત)
128,129 સચ્ચઉપમણમહાવીરચ્છિાહ
*સારદીપિકા
171,178 સારસંગ્રહ
138 સક્રિયગપયરણ ષષ્ટિશતક જુઓ 71,92 –બાલાવબોધ
સારસ્વત -ટિપ્પનક
171 -વૃત્તિ
–ટીકા (ચંદ્ર0)વૃત્તિ જુઓ 171,171 સત્તરિયા
–ટીકા (દેવ)
171 -અવચૂરિ
–ટીકા (ભાનુ0)
171 સત્યહરિશ્ચંદ્ર
109 –ટીકા (હર્ષ0)
171 સંલ્પાહુડ શબ્દપ્રાભૃત જુઓ
-ન્યાસ
171 સદ્ભાવશતક
-પંચસંધિટીકા
171 સદુભાષિતાવલી
-પંચસંધિબાલાવબોધ
171 સન્હારગ
–પંજિકા –અવચરિ
-વૃત્તિ (ચંદ્ર0) ટીકા જુઓ
171 સપ્તસ્મરણ
-વૃત્તિ (દયા))
170 સમસ્મરણની વૃત્તિ
-વૃત્તિ (વિનય)
171 સમયખેત્તસમાસ
-વૃત્તિ (સહજ0)
171 -ચણિ (કરણ પૂરતી)
“સારસ્વતધાતુદીપિકા (? ચંદ્ર)
“સારસ્વતધાતુદીપિકા (મેઘ૦) સમરાદિત્યચરિત
139
171,172 સમસ્તરત્નપરીક્ષા
સારસ્વતધાતુપાઠ સારસ્વતમર્ડન
32,172 સમુદસત્ય
સારસ્વત વિભ્રમ હૈમવિભ્રમ જુઓ 49,172,172 સમ્મઈપયરણ
–અવચર્ણિ
48,49,172,172 સમ્મતિ(પ્રકરણ)
- સારસ્વતવૃત્તિ –ટીકા
સારસ્વત વ્યાકરણ સર્વજિનસાધારણસ્તોત્ર
29 –વૃત્તિ સર્વાર્થસિદ્ધિમણિમાલા
185 | *સારોદ્ધાર ,
7,8 157
171
69
27
24
68 66
૧. આ કતિની સંખ્યા દર્શાવે છે.
For Personal & Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
29
48
19
51.
67
13
સાવયવિહિ
સિદ્ધાન્તાલાપોદ્ધાર સિદ્ધજ્ઞાન હસ્તસંજીવન અને હસ્ત
સિજૂરપ્રકર (પ્રમોદ0)
154 સંજીવની જુઓ
130 | ” (સોમ) સૂક્તિમુક્તાવલી સિદ્ધપ્રભા (બૃહ)
અને સોમશતક 153,153,155,161 સિદ્ધપ્રભા (મધ્યમ)
48 –ટીકા સિદ્ધપ્રભા (લઘુ)
48 સિરિવાલકહા સિદ્ધયોગમાલા
144 -વિવરણ સિદ્ધરાજ-વર્ણન
સીલોવએસમાલા સિદ્ધશબ્દાર્ણવ શબ્દાર્ણવ જુઓ 27 સુકૃતકીર્તિકલ્લોલિની સિદ્ધસાર
144 *સુખાવબોધા
183 સિદ્ધસાર
સુધાકલશ
109 કસિદ્ધસેનીય ધાર્નિંશિકાઓમાંથી અવતરણો 50 સુધીશૃંગાર
57,125,125 સિદ્ધહેમ
36,58 | સુંદરપ્રકાશ પદાર્થચિંતામણિ સિદ્ધહેમચંદ્ર
15,13,19,21,22,26, અને શબ્દાર્ણવ જુઓ 32,34,35,36,42,43,44,44,47,48,49,50, *સુબોધિકા
7,46 54,57,59,93,59,94 સુબોધિની (ભાવ))
172 –ટીકા (સ્વોપજ્ઞ)
*સુબોધિની (રામ0)
172 –બૃહદવસૂરિ બ્રહવૃત્તિ-અવચૂર્ણિકા 43 સુબોધિની (સદા))
171 -વૃત્તિ-અવચૂર્ણિતા
સુભાષિત -બૃહદવૃત્તિ (સ્વીપજ્ઞ)
સુભાષિતકોશ (રામ0)
161 –વૃત્તિ (સ્વોપજ્ઞ)
21,33,73,86 સુભાષિતકોશ (હરિ) કપૂરપ્રકર અને સિદ્ધહૈમસારાંશ
સૂક્તાવલી જુઓ
156 સિદ્ધહેમશબ્દાનુશાસનમ્
સુભાષિતગ્રંથ
161. સિદ્ધાદેશ 123 સુભાષિતપદ્યરત્નાકર
160 સિદ્ધાનંદ કાતંત્રોત્તર, વિજયાનંદ
સુભાષિતરત્નકોશ
159 અને વિદ્યાનંદ જુઓ
23 સુભાષિતરત્નાવલી સુભાષિતાવલી જુઓ 159 સિદ્ધાન્તચંદ્રિકા (જ્ઞાન))
સુભાષિતવિજયમતશાસ્ત્ર સિદ્ધાન્તચંદ્રિકા (રામા )
સુભાષિત શતક
159 -ટિપ્પણ
171 સુભાષિતષત્રિંશિકા (અજ્ઞાત) –ટીકા 171 સુભાષિતષત્રિશિકા (જ્ઞાન))
161 -વૃત્તિ (જ્ઞાન)
171 સુભાષિતષત્રિશિકા (યશ૦) -વૃત્તિ (સદા) સુબોધિની જુઓ 171 સુભાષિત સંગ્રહ સૂક્તાવલી “સિદ્ધાન્તરત્ન 171 સુભાષિતસારોદ્ધારા
161 સિદ્ધાન્તરત્વિકા
172 | | સુભાષિતાર્ણવ (અજ્ઞાન)
161
171
159
171.
161
161. 161
161
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
161
157
31.
155
80 126
જ
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨ ૨૩ સુભાષિતાર્ણવ (શુભ0)
161 | સૂક્તિદ્વા×િશિકા સુભાષિતાવલી (તિલક0). 150,155 -વિવરણ (સ્વોપજ્ઞ)
158 સુભાષિતાવલી (સકલ૦)
155 સૂક્તિમુક્તાવલી (મેઘ0) સૂક્તિમુક્તાવલી જુઓ159 સુભાષિતાવલી
સૂક્તિમુક્તાવલી (સોમ0) સિંદૂરપ્રકર સુમઈનાચરિય 153 અને સોમશતક જુઓ
153,153 સુમિણસત્તરિયા સ્વપ્ન સપ્તતિકા જુઓ 133 -કવિત્ત
153 સુરસુંદરીચરિય 18 –બાલાવબેરધ
153 સૂક્તદ્વાäિશિકા
–વ્યાખ્યા
153 સૂક્તિાત્રિશિકા જુઓ 158 સૂક્તિરત્નાકર
157 સૂક્તમુક્તાવલી (અજ્ઞાત) 156,157 સૂક્તિરત્નાવલી સૂક્તમુક્તાવલી (અજ્ઞાત)
સૂક્તિસંગ્રહ સુક્તાવલી જુઓ
156 સૂક્તમુક્તાવલી (મેઘ૦)
સૂક્તિસમુચ્ચય
155 સૂક્તમુક્તાવલી જુઓ
159 સૂયગડ સૂક્તરત્નાકર (ધર્મ0)
155 -નિર્જુત્તિટીકા સૂક્તરત્નાકર (માઘ0)
સૂરપત્તિ સૂક્તરત્નાવલી (અજ્ઞાત)
157 સૂર્યહસ્રનામ સૂક્તરત્નાવલી (ક્ષમા.)
159,173 –વૃત્તિ -વિવરણ (વૃત્તિ) (સ્વોપજ્ઞ) 159,157 સે-અનિટુકારિકા સૂક્તરત્નાવલી (વિજય૦)
157 –ટીકા સૂક્તરત્નાવલી (હેમ0)
158 સોમશતક સિંદૂરપ્રકર અને સૂક્તસંગ્રહ (અજ્ઞાત)
161 સૂક્તિમુક્તાવલી જુઓ 184,153,154 સૂક્તસંગ્રહ (લક્ષ્મણ૦) સૂક્તાવલી જુઓ - 156 -ટિપ્પણ સૂક્તસંગ્રહ (લક્ષ્મી) 157 –ટીકા (અજ્ઞાત)
154 -અવચાર 157 –ટીકા (ગુણ૦)
154 સૂક્તસંદોહ 161 –ટીકા (જિન9)
154 સૂક્તસમુચ્ચય 161 –ટીકા (વિમલ0)
154 સૂક્તાવલી 161
154 સૂક્તાવલી (અજ્ઞાત) સુભાષિત સંગ્રહ 161 -વ્યાખ્યા (ધર્મ0) જુઓ 161 -વ્યાખ્યા (હર્ષ0)
154 સૂક્તાવલી (અમર૦) 56,155 સોમસૌભાદ્ય
178 સૂક્તાવલી (તત્ત્વ૦) 161. સ્તવનરત્ન
181. સૂક્તાવલી (લક્ષ્મણ૦) સૂક્તસંગ્રહ જુઓ 156 સ્તુતિત્રિદશતરંગિણી
157 સૂક્તાવલી (હરિ) કપૂરપ્રકર અને
સ્તોત્ર (૭00)
179 સુભાષિતકોશ જુઓ 156 | સ્તોત્રરત્નાકર
30,172,173
છે
69
154
-વૃત્તિ
For Personal & Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
૨ ૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
14
33
_41
57
સ્ત્રીમુક્તિ-કેવલિભુક્તિ-પ્રકરણ (યા)
હસ્તકાડ
128,129 સ્થાન
138 હસ્તસંજીવન સિદ્ધજ્ઞાન અને –વૃત્તિ
138 હસ્તસંજીવની જુઓ 122,128,129,130 સ્નાત્રપંચાશિકા
-ટિપ્પણ
131 *સ્વાદિશબ્દદીપિકા દીપિકા અને
–વૃત્તિ (સ્વોપલ્સ)
112,130 સ્વાદિશબ્દસમુચ્ચયની જુઓ
હસ્તસંજીવની જુઓ સિદ્ધજ્ઞાન અને અવચૂરિ
હસ્તસંજીવની
130 સ્વાદિશબ્દસમુચ્ચય 41,56,57,75,97 હસ્તિપરીક્ષા જુઓ ગજપરીક્ષા અને ગજ-પ્રબંધ -અવચરિ દીપિકા તેમજ સ્વાદિશબ્દ
| 128,146 દીપિકા જુઓ 56,57 હિંગુલપ્રકર
154,158,159 –ટીકા
હિંગુલપ્રકરણ
158 સાન્તરત્નાકર 57 હીરમેઘમાલા
138 સ્યાદ્વાદમંજરી 125 ઝહીરો કેવો લેશો?
132 સ્યાદ્વાદમુક્તાવલી
181. હેમચંદ્રકૃતિકુસુમાવલી 19,51,54,92 સ્વપ્નચિંતામણિ (અજ્ઞાત)
133 હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ સ્વપ્નચિંતામણિ (જગ0) સ્વપ્ન
હેમચંદ્રવચનામૃત
152 શાસ્ત્ર જુઓ 133,133 હેમચંદ્રીય અપભ્રંશનું સ્વરૂપ
36 સ્વપ્નપ્રદીપ સ્વપ્નવિચાર જુઓ
હેમશબ્દસમુચ્ચય, શ્રી સ્વપ્નલક્ષણ
133 હેમસમીક્ષા
37,65,66,67,73 સ્વપ્નવિચાર (જિન))
133 હૈમકારકસમુચ્ચય સ્વપ્નવિચાર (વર્ધ0) સ્વપ્નપ્રદીપ જુઓ 133 હૈમકોમુદી ચંદ્રપ્રભા અને બૃહસ્વપ્નશાસ્ત્ર (જગ0) 128,133,133 પ્રક્રિયા જુઓ સ્વપ્નસપ્તતિકા જુઓ સુમિણસત્તરિયા 133 હૈમચતુર્થપાદવૃત્તિ પ્રાકૃતવૃત્તિ-વૃત્તિ
133 ટુઢિકા અને વ્યુત્પત્તિદીપિકા સ્વપ્નસુભાષિત
133 હૈમટુઢિકા (ઉદય૦) હૈમઢુઢિકાસ્વપ્નાધિકાર
133 વૃત્તિ જુઓ સ્વપ્નાધ્યાય
133 *હમઢુઢિકા (સૌભાગ્ય૦) સ્વપ્નાવલિ
હૈમટુષ્કિાવૃત્તિ હૈમટુંઢિકા જુઓ સ્વપ્નાષ્ટકવિચાર
113 હૈમદશપાદવિશેષ સ્વરોદય (અજ્ઞાત)
હૈમદશપાદવિશેષાર્થ સ્વરોદય (નર૦)
હમદીપિકા પ્રાકૃતવૃત્તિદીપિકા જુઓ નરપતિજયચર્યા
132 | હૈમદોધાર્થ સ્વરોદય (યશ:)
131. હૈમધાતુપાઠ (અજ્ઞાત) હમ્મીરમહાકાવ્ય
28 | હૈમધાતુપાઠ (પુણ્ય૦)
133
113.
For Personal & Private Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૨૫
53 |
42 |
18,35,55
18 |
77
હૈમધાતુવૃત્તિ હૈમનામમાલા હૈમન્યાય હૈમન્યાય -વૃત્તિ હૈમપંચાંગ વ્યાકરણ હૈમપંચાંગ વ્યાકરણના અભ્યાસ માટેનાં સાધનો હૈમપ્રકાશ વ્યાસ અને હૈમપ્રક્રિયાબૃહન્યાસ જુઓ હૈમપ્રક્રિયા (મેઘ૦) હૈમપ્રક્રિયા (વીર) હૈમપ્રક્રિયાબૃહન્યાસ શ્વાસ અને હૈમપ્રકાશ જુઓ હૈમપ્રક્રિયાશબ્દસમુચ્ચય હૈમપ્રાકૃતબૃહવૃત્તિ-અવચરિ હૈમબૃહદ્વૃત્તિપ્રક્રિયા હૈમપ્રાકૃતબૃહદ્ઘત્તિપ્રક્રિયા (3) જુઓ હૈમલઘુન્યાયપ્રશસ્તિ-અવચરિ હૈમ(લઘુ)પ્રક્રિયા -ટિપ્પણ –ટીકા (સ્વોપજ્ઞ) હમવિભ્રમ
-વૃત્તિ
172 હૈમવ્યાકરણ
55,56,23 હૈમવ્યાકરણન્યાયસંગ્રહ વાયર્થમંજૂષા જુઓ હેમશબ્દસંચય હૈમસારસ્વતસત્ર હૈમોદાહરણવૃત્તિ હોરામકરંદ –ટીકા
182 Ardhmagadhi Dictionar Cataligue of Manuscripts in the Punjab Jain BHandars, A 33 Chandas'sekhara of Rajasekhara 83 Descriptive Catalogue of the Goverment Colletions of Manuscripts
,183,166 Geometry in the Jaina Cosmography History of the Canonical Literationr of the Jaonas A Illuateations of Letterdiarams Jaina School of Mathematics
46,95,98,103,105,120 Studies in Jaina Art 116
45,48
44 31,40,46,47
46
46 48,49,172
25 173
(આ) દિગમ્બર અપ્રજ્ઞપ્તિ
25 | અપશબ્દખણ્ડન અધ્યાત્મપદ્યવૃત્તિ
અમરકોશ અનગારધર્મામૃત
62 –ટીકા -ટીકા (વૃત્તિ) (સ્વોપm) 173,177,183 અહિત્યતિષ્ઠાલક્ષણ અનેકાર્થ-નામમાલા જુઓ નામમાલા 61,61,72 અલંકારચિંતામણિ અનેકાર્થ-નિઘટ્ટ
61,74 | –ટીકા
9
105
105
For Personal & Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
105
135 152
62
૨૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ અલંકાસંગ્રહ
કરકડુચરિત્ર *અષ્ટસહસ્ત્રી
કર્ણાટકશબ્દાનુશાસન અષ્ટાંગ આયુર્વેદ
135 કર્મદાહવિધિ (ચંદ્ર)) અષ્ટાંગહૃદય
કર્મદાહવિધિ (રત્ન)) –ટીકા
183 કર્મદાહવિધિ (શુભ0) -વૃત્તિ 142 કલ્યાણકારક (ઉગ્રાવ)
140,142 અષ્ટાધ્યાયી 142 કલ્યાણકારક (કુમાર)
142 -ન્યાસ શબ્દાવતાર જુઓ 165 કલ્યાણકારક (ચિત્ર૦)
142 આચાર્ય અમિતગતિ 152 કલ્યાણકારક (પૂજય૦)
142 આદિપુરાણ 8 કસાયપાહુડ
121 આપ્તમીમાંસા
કાતંત્રરૂપમાલા
168 આરાધના
–લઘુવૃત્તિ
168 આશાધરની અર્ચા
કાતંત્રવિસ્તર
168 -ટીકા
કાતંત્રવિસ્તાર
168 આશાધર મહાભિષેક
કાવ્યાલંકાર ઈબ્દોપદેશ
–ટીકા નિબંધન જુઓ
176 ઉણાદિપ્રત્ય
કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ
118,135 - ટીકા
કેવલજ્ઞાનહોરા
182 ઉત્તરપુરાણ
120,121 કોશ
140 ઉપાસકાચાર જુઓ શ્રાવકાચાર
152 ક્રિયાકલાપ
173 એકાક્ષરનામમાલિકા
ક્ષેત્રગણિત જુઓ એકાક્ષરી-નામમાલા
ગણધરવલયપૂજા (શુભO)ગણનાથસમર્થન જુઓ25 એકાક્ષરીકોષ (અમર) એકાક્ષરી (ધનંજય)
ગણધરવલયપૂજા (શ્રુત૦) એકાક્ષરી નાનાર્થકાંડ
ગણધરવલયપૂજા (સકલ0) એકાક્ષરી-નામમાલા જુઓ એકાક્ષરી નામ માલિકા
ગણનાથસમર્થન ગણધરવલયપૂજા જુઓ 25 અને એકાક્ષરીકોષ (અમર)
76 ગણિતશાસ્ત્ર (મહાવ)
118 એકીભાવસ્તોત્ર
* ગણિતશાસ્ત્ર (શ્રીધર)
118 – ટીકા
ગણિતસંગ્રહ
120 ઔદાર્યચિન્તામણિ
ગણિતસાર
118 – વૃત્તિ (સ્વોપલ્સ)
ગણિતસારસંગ્રહ
118,119, કત્તિકેયાણુવેખા
-અનુવાદ (તેલુગુ)
119 - ટીકા 24,25 –ટીકા (અજ્ઞાત)
119 કન્નડમાન્તીય તાડપત્રીય ગ્રંથસૂચી 26,92,118, –ટીકા (વરદ0)
135,168 | -ટીકા (વલભ) (કાનડી).
121
77
119
119
For Personal & Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
24
25
124
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૨૭ –ટીકા (વલ્લભ) (તેલુગુ) 119 -ન્યાસ (સ્વોપલ્સ)
9,11,11. ગણિતસૂત્ર
-પ્રક્રિયા (ગુણ) ચતુર્રાિશદધિકદ્વાદશશતવ્રતોદ્યાપન
-પ્રક્રિયા (ચારુ9)
11 ચંદનાકથા
-પ્રક્રિયા (વંશી)
9,11 ચંદનાચરિત
–પ્રક્રિયા (શ્રુત )
9 ચંદ્રનાથચરિત્ર
-ભાષ્ય
10,11 ચંદ્રપ્રભચરિત
-મહાવૃત્તિ ટીકા જુઓ
8,10,11 ચંદ્રોન્સીલન
–લઘુવૃત્તિ
11 ચંદ્રોમીલપ્રશ્ન
-વૃત્તિ (?મહાવૃત્તિ). ચિંતામણિ
14,15,24,25
જૈનેન્દ્રસિદ્ધાન્તકોષ
જ્ઞાનાર્ણવ યોગપ્રદીપ જુઓ –વૃત્તિ (સ્વપજ્ઞ)
જ્યોતિર્લાનવિધાન
124 ચિંતામણિ (યંત્ર)પૂજા
જ્યોતિર્નાનવિધિ છક્કમોનએસ
152 *તત્ત્વત્રયપ્રકાશિકા
24 છખંડાગમ
9,121.
તત્ત્વનિર્ણય છંદશાસ્ત્ર
78
તત્ત્વાનુશાસનાદિસંગ્રહ છંદોડનુશાસન (જયા)
78,78,80
તત્ત્વાર્થવૃત્તિ (પૂ૦) સર્વાર્થસિદ્ધિ છંદોડનુશાસન (વાગુ0)
103
જુઓ જયધવલા
62,121.
તત્ત્વાર્થવૃત્તિ (શ્રુત૦) જિનયજ્ઞકલ્પ, નિત્યમહોદ્યોત જુઓ
તત્ત્વાર્થસૂત્ર
8,24 -ટીકા
–ટીકા તત્ત્વાર્થવૃત્તિ (શ્રતી) જુઓ જિનયજ્ઞફલોદય
તિલોયપણત્તિ
14,162 જિનસહસ્ત્રનામ
તીર્થકેવલિપ્રશ્ન
135 –ટીકા 24,24 -ટિપ્પણી
135 જીવનચરિત્ર 25 ત્રિશચ્ચતુર્વિશતિપૂજા (ભવી)
25 જીવંધરચરિત 25 ત્રિશચતુર્વિશતિપૂજા (શુભ))
25 જૈન સાહિત્ય ગૌર રૂતિદાસ 8,12,13,14, ત્રિવર્ગમહેન્દ્રમાતલિ સંકલ્પ
162 20,22,23,24,82,82,120,121,149,152, સણપાહુડ 162,162
–ટીકા
24 નૈન સિદ્ધાંત માર 116,162,166 દર્પણ જૈનાભિષેક
દવ્યસંગ્રહ જેનેન્દ્ર શબ્દાર્ણવ જુઓ
11, 12 , –ટીકા જૈનેન્દ્ર વ્યાકરણ જુઓ પંચાધ્યાયી
દશભક્તિ 8,9,9,11,12,15,18,22,78,140 | દિગમ્બર જૈન –ટીકા મહાવૃત્તિ જુઓ
देवनन्दि और उनका जैनेन्द्र व्याकरण
છે તે હું
24
25
For Personal & Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
૨ ૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
જુઓ
ધવલા
25
25
72
135
ક્રિસન્ધાનકાવ્ય રાધવપાડવીય
જુઓ
61,62 પલ્યોપમવિષ્ણુપદ્યાપન (અનન્તo) ધનંજયનામમાલા
61,62,76 પલ્યોપમવિધ્યપદ્યાપન (દેવેન્દ્રી) -ભાષ્ય
61,62,62,76 પલ્યોપમવિધ્યપદ્યાપન (વૃષભ0) ધર્મપરીક્ષા
152 પલ્યોપમવિષ્ણુપદ્યાપન (શુભ0)
9,61,121. પલ્યોવ્રતોદ્યાપન જુઓ નંદીશ્વરકથા જુઓ સિદ્ધચક્રકથ
પાટીગણિત નાડી પરીક્ષા
140,140 પાડવપુરાણ
25,25,151 નામમાલા (ધનંજયો જુઓ અનેકાર્થ
પાર્શ્વનાથ કાવ્ય પાર્થાન્યુદય જુઓ નામમાલા.
72,73 -પંજિકા -ટીકા 72 પાર્શ્વનાથચરિત
8,13,61 નામમાલા (ધનંજય) ધનંજયનામ
પાર્થાલ્યુદય પાર્શ્વનાથકાવ્ય જુઓ માલા જુઓ 73 પાશકકેવલી
134 નિઘટસંગ્રહ
પુષ્પાયુર્વેદ
140 નિઘટ્ટસમય 62,73 પૂજ્યપાદચરિત (કાનડી)
9 નિત્યમહાદ્યોત જુઓ જિનયજ્ઞકલ્પ 24,24 પ્રતિષ્ઠાતિલક નિદાનમુક્તાવલી 140 પ્રમેયકમલમાર્તણ્ડ
11,15,61 નિબંધન
177 બૃહજ્જયોતિષાર્ણવ નીતિરસાયન
25,151 બૈજિક યાને વ્યવચ્છેદક રેખાગણિત 121 નીતિવાક્યામૃત
151,162,162 ભાવનાદ્વત્રિશિતિકા. સામાયિકપાઠ જુઓ 152 –ટીકા (અજ્ઞાત)
163 ભાષામંજરી –ટીકા (હરિ૦)
163 ભૂવલય નીતિસાર (ઇદ્ર0)
151 મંજરીમકરંદ નીતિસાર (પ્રભાવ)
151 મંત્રવ્યાકરણ નેતિસાર (સમય)
151 મહાપુરાણ નીતિસારસમુચ્ચય
151 મહાભિષેક નેમિચરિત
120 –ટીકા ન્યાયકુમુચંદ્ર
મુક્તાવલીકોશ વિશ્વલોચનકોશ જુઓ 21,21 મેરુતંત્ર
140 પંચવસ્તુપ્રક્રિયા
યશસ્તિલક-ચન્દ્રિકા પંચસંગ્રહ
યશસ્તિલક (ચં)6,24,61,151,162,162,184 પંચાધ્યાયી જૈનેન્દ્ર વ્યાકરણ જુઓ 8,9 યશોધરચરિત્ર
162 પદ્મનાભચરિત્ર
યુક્તિચિંતામણી
162 પદ્મનાભપુરાણ
25 | યોગપ્રદીપ જ્ઞાનાર્ણવ યોગશત જુઓ પલ્યવ્રતોદ્યાપન પલ્યોપમવિધ્યસ્થાપન
142
135
21
પંચવસ્તુ
21
24
152
25
24
-વૃત્તિ
For Personal & Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૨૯
8,165
9 117
86
90
152 168
151
24
25 162
25
25
16
યોગસાર
82 શબ્દાવતાર યોગસારપ્રામૃત
152 શાન્યષ્ટક રત્નમંજૂષા
86,87 શિલ્પશાસ્ત્ર –ટીકા
શૃંગારચન્દ્રિકા -ભાષ્ય
86,87,87 શ્રાવકાચાર જુઓ ઉપાસકાચાર રત્નમાલા
શ્રીપાલચરિત્ર રાધવપાડવીય ક્રિસન્ધાનકાવ્ય
શ્રુતસંઘપૂજા જુઓ
પખંડાગમ -ટીકા રામલ્લાન્યુદય
–ટીકા રૂપમાલા
167 ષવાદ રૂપમાલા
167 ષણવતિપ્રકરણ રૂપમાલાવૃત્તિ
168 સંશયવચનવિચ્છેદ લઘુ જૈનેન્દ્ર
11 સંશયિવદનવિદારણ વિદ્યાનંદ
167 સંગીતરત્નાકર વિશ્વતત્ત્વપ્રકાશ
સંગીતસમયસાર વિશ્વલોચનકોશ મુક્તાવલીકોશ જુઓ 140 | સંગીતસારસંગ્રહ વિષાપહારસ્તોત્ર
61. | સર્જનચિત્તવલ્લભ (નેમિ0) વૈદ્યકગ્રંથ
140,140 –ટીકા વૈદ્યસાર
9.140 સજ્જનચિત્તવલ્લભ (મલ્લિ0) વૈરાગ્યમણિમાલા
23 સભાષ્ય રત્નમંજૂષા વ્રતકથાકોશ (દેવેન્દ્ર0)
સમાધિતંત્ર વ્રતકથાકોશ (ધર્મ0)
સરસ્વતીપૂજા વ્રતકથાકોશ (મલ્લિ૦)
સર્વતોભદ્ર વ્રતકથાકોશ (શ્રુત )
-ટીકા વ્રતકથાકોશ (સકલ૦)
સર્વાર્થસિદ્ધિ તત્ત્વાર્થવૃત્તિ જુઓ શતકત્રય
સાગારધર્મામૃત –અનુવાદ (હિન્દી)
185 –ટીકા –બાલાવબોધ
185 સામાયિકપાઠ (અમિત૭) ભાવના–ભાષાટીકા
185 દ્રાવિંશતિકા જુઓ –ભાષાટીકા
સારસંગ્રહ શબ્દામ્ભોજભાસ્કર
11,11,15 સિદ્ધચક્રકથા નન્દીશ્વરકથા જુઓ શબ્દાર્ણવ જૈનેન્દ્ર જુઓ
11 | સિદ્ધચક્રવ્રતપૂજા (આશા) શબ્દાર્ણવચન્દ્રિકા
8,10,12 સિદ્ધચક્રવ્રતપૂજા (પ્રભાવ) શબ્દાર્ણવપ્રક્રિયા
12 સિદ્ધચક્રવ્રતપૂજા (શુભ0)
112 112 112 151
151 151
86
9)
D
)
25
8,22,24
177
177
185
For Personal & Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૩)
સિદ્ધભૂપદ્ધતિ –ટીકા સિદ્ધાન્તરસાયનકલ્પ સિદ્ધાન્તસારાદિસંગ્રહ સિદ્ધવિનિશ્ચય સુભાષિતરત્નસન્દોહ સૂક્તિમુક્તાવલી (શ્રુત૦) સૂક્તિમુક્તાવલી (સોમદેવ) સૂક્તિમુક્તાવલી (સોમસેન9) સૂક્તિસમુચ્ચય सोमदेव और महेन्द्रदेव
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ 121. सोमदेव सूरिका नीतिवाक्यामृत 120,121. સ્તોત્રસમુચ્ચય
140 સ્યાદ્વાદોપનિષદ્ 152 સ્વયભૂસ્કેન્દ્ર
135 સ્વયમ્ભસ્તોત્ર 152,152 સ્વરૂપપસમ્બોધન
161 -વૃત્તિ 161 હરિવંશપુરાણ
62,127 161 હીરકપરીક્ષા
148 151,162 On Mahavira's Solution of Rational
162 | Triangles & Quadrilaterals 120
1
2
165
જુઓ
(ઇ) અજેના અવિદ્યા
122 અષ્ટાધ્યાયી અષ્ટક, વૃતિસૂત્ર અને અત્રિસંહિતા
શબ્દાનુશાસન જુઓ 3,5,8,8,9,19,21,22,34, અથર્વવેદ
37,43,48,48,53,58,165,166,172,172 અનિટુકારિકા 173,173 -ધાતુવૃત્તિ
16 અબ્ધિમન્થન
104 -વાર્તિક અભિજ્ઞાનશાકુન્તલા
81,87 -વૃત્તિઓ અભિજ્ઞાવૃત્તિમાતૃકા 81 આઈન-એ-એકબરી
68 અમરકોશ નામલિંગાનુશાસન
આપિશલ
165 54,60,65,65,160,173 આયુર્વેદ
140,140,183 –ટીકા
આયુર્વેદનો ઇતિહાસ
145 અર્થકાર્ડ 138 આરણમ્યકોપનિષદ્
161 અર્જુનચરિત 176 આર્યભટીય
119 અર્થશાસ્ત્ર
162 આશ્ચર્યયોગમાલા યોગરત્નમાલા જુઓ 183 અલંકારશાસ્ત્ર
176 ઇન્દ્ર ઐન્દ્ર-તત્ર અને ઐન્દ્ર વ્યાકરણ અષ્ટક જુઓ અષ્ટાધ્યાયી, વૃત્તિસૂત્ર અને
5,6 શબ્દાનુશાસન જુઓ 165 ઉણાદિસૂત્ર
| 165 અષ્ટાંગસંગ્રહ 183 ઉપનિષદ્
101 અષ્ટાંગહૃદય 183 ઉલ્લાઘરાઘવ
155 –ટીકા 183 | ઋગ્વદ
2,5,78
62
જુઓ
For Personal & Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૩૧
183 | કાવ્યલકાર
5,6.
82
97
87
ઐતિહાસિક સંશોધન
કાવ્યલકાર (વામન)
176 આદ્ર-તત્ર ઇન્દ્ર જુઓ
*કાશિકા
18,165,166,168 ઐન્દ્ર વ્યાકરણ
-ન્યાસ કાશિકાવિવરણપંજિકા અને કથાસરિત્સાગર 6 પંજિકા જુઓ
8,166 કરણકુતૂહલ 181 -ન્યાસની ટીકા
166 કરરેખાપ્રકરણ
131. કાશિકાવિવરણપંજિકા કાશિકાન્યાસ કરરેહાપયરણ 131. | અને પંજિકા જુઓ
166 કર્ણાટક-ભાષાભૂષણ |33: | કિરાતાર્જુનીય
167,176 કર્ણાટ-કુમારસમ્ભવ
166 કલાપ કાતસ્ત્ર અને કમર જુઓ 166,169 કુમારસમ્ભવ
163,169 કલાપક 166 કોસલગમ (?)
122 કલાવિલાસ
146 કૌમાર કલાપ, કલાપક અને કાતંત્ર કવિકલ્પદ્રુમ 58 જુઓ
167 કવિતારહસ્ય
ક્ષેમકુતૂહલ
145 કાત– જુઓ કલાપ, કલાપક અને
ખગેન્દ્રપમણિદર્પણ
142 કૌમાર 18,22,23,29,34,37,37, | ખડમેરુ (પ્રસ્તાર) 43,47,467,168,169,173,167,168 ગણપાઠ
28,165 -વૃત્તિ દુર્ગ–ટીકા જુઓ 167,168 ગણિતતિલક પાટીગણિત જુઓ
180 કાતન્ન-વિભ્રમ 48,49 ગણિતપાટી
180 કાદમ્બરી
176
ગણિતસાર કામન્દકનીતિ
163 ગાર્ગીયસંહિતા
138 કામસૂત્ર 115 ગાહાસત્તસઇ
123 કાલાપક
167 ગોપથ કાવ્યપ્રકાશ 81,95,96,97,100,104,111, ગ્રહલાઘવ
181 177,178,178 ચન્દ્ર જુઓ ચાન્દ્ર (વ્યાકરણ) 18,34,167 –ટીકાઓ
177 -વૃત્તિ (સ્વોપજ્ઞ)
34 -વૃત્તિ (સ્વોપજ્ઞ) 177 ચન્દ્રા
181 કાવ્યમીમાંસા 14,61,94,95,96,104 ચન્દ્રાલોક
106,179 કાવ્યદર્શ 95,175,178 ચમત્કારચિંતામણિ
182 -વૃત્તિઓ 176 | ચરક(સંહિતા)
6,142,183 કાવ્યાલંકાર (રુદ્રટ) 95,176,176 વ્યાખ્યા
6 કાવ્યલંકાર (ભામહ) 176 | ચર્પટપંજરિકા
161 ૧. આની કેટલીક ગાથાઓના કર્તા શ્વેતામ્બર પાદલિપ્તસૂરિ છે પરંતુ મોટા ભાગના કર્તા અજૈન હોવાથી આ
કૃતિ મેં અહીં નોંધી છે.
180
5
For Personal & Private Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
163
34
60
80
68
18
ચાણક્યનીતિ
નિઘટ્ટ (ધન્વન્તરિ)
74 ચાન્દ્ર (વ્યાકરણ) જુઓ ચંદ્ર
નિઘટ્ટ (વૈદિક) છન્દ:શાસ્ત્ર
નિરુક્ત
2,5,71 છન્દઃસૂત્ર
–ટીકા
166 –ટીકા
79,79 –વૃત્તિ છન્દ્રોડબુધિ
નીતિશતક
153,184,184 છાન્દસ વ્યાકરણ જુઓ વૈદિક વ્યાકરણ 10 નીતિસાર
162 જહાંગીરનામાં
ન્યાયસાર
28 જાતક(કર્મ) પદ્ધતિ
180 પંચગંગ
161 જયોતિર્વિદાભરણ
181 પંચસિદ્ધાન્તિકા
80,180 તાજિકસાર
181
પંજિકા જુઓ કાશિકાન્યાસ અને તૈત્તિરીયસંહિતા
કાશિકા-વિવરણ પંજિકા
166 ત્રિશતિકા
119,179
પટીગણિત જુઓ દણિતતિલક અને ત્રિશતી
ગણિતપાટી
180 179 94,110 પાણિનિ
18 દશરૂપક
પાતાલવિજયમહાકાવ્ય
176 દુર્ગ-ટીકા જુઓ કાન્તત્રવૃત્તિ દેવીશતક
પ્રક્રિયાકૌમુદી દ્રવ્યાવલિ
141
પ્રતાપરુદ્રયશોભૂષણ
પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ ધ કૉન્સાઇઝ ઓકસફર્ડ ડિકશનરી
પ્રાચીન ખગોળશાસ્ત્રચ્યો ઇતિહાસ The Concise Oxford Dictionary
પ્રૌઢમનોરમા ધન્વન્તરિ-નિઘટ્ટ
71,72 બાલિકા-વંચિતક
110 ધાતુપાઠ (કાતસ્ત્રીય)
167 બૃહકથા
176 ધાતુપાઠ (પાણિનીય)
32,165
બૃહત્સંહિતા ધાતુપાઠ (બોપ૦)
13 –ટીકા
80 ધીકોટિદકરણ
બ્રહ્મયામલ
132 ધ્રુવમાનસ
બ્રહ્મસૂત્ર
165 ધ્વન્યાલોક
95,96,97,178 બ્રાહ્મફુટસિદ્ધાન્ત
119 નલપાકદર્પણ
145 ભગવદ્દગીતા
53,94,10 નાટ્યદર્પણ 110
165. નાટ્યશાસ્ત્ર
94,96,110 ભટ્ટિકાવ્ય
20,175 -ટીકા
80,94,95 -ટીકા
110 નામમાલા
176 ભટ્ટોપલીટીકા
124 નામલિંગાનુશાસન અમરકોશ
ભારતીય સંગીતનું ઐતિહાસિક 60,173 | અવલોકન
112
180
180
-ટીકા
જુઓ
For Personal & Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૩૩
104
182
110
47
176
13
110
184
ભાવપ્રકાશ 143 રામાયણ
101,161 ભાસનાટકચક્ર
રામાશ્રમી જુઓ વ્યાખ્યા સુધા
173 ભીમકાવ્ય
રાવણવદ જુઓ સેઉબન્ધ
84 ભુવનદીપક
લઘુજાતક
180 ભૂ-ધાતુ
173 લિંગાનુશાસન
165 મનુસ્મૃતિ
161 લીલાવતી
180,180 મહાદેવી
181 લોચન
96,97 મહાદેવીસારણી
181 વરાહપુરાણ
161 મહાભારત
101,161
વસંતરાજશકુન જુઓ શકુનનિર્ણય અને મહાભાષ્ય 5,166,167,177,176
શકુનાર્ણવ
176 માઘકાવ્ય જુઓ શિશુપાલવધ
182 માનવ ઉત્પત્તિ અને વિકાસ
વાક્યપદીય
34,47,166 માયાપુષ્પક
વાકયપ્રકાશ માલતીમાધવ
વારાહીસંહિતા
138 મીમાંસાસૂત્ર
100 વિક્રમોર્વશીય મુગ્ધબોધ
–ટીકા મુહૂર્તચિંતામણિ
182 વિજ્ઞાનશતક મૃચ્છકટિક 182 વિટવૃત્ત
184 મેઘદૂત
182 વિદગ્ધમુખડુન
179 મેધમાલા
138 વિધિલિખિત
110 મોહમુદ્રગર
161 વિશાલભારત
117 યોગરત્નમાલા જુઓ આશ્ચર્યયોગમાલા 183,142
વિશ્રાન્તવિદ્યાધર યોગરત્નસમુચ્ચય
144
વિશ્વકોશ યોગરત્નાકર
વિશ્વપ્રકાશ યોગવાસિષ્ઠ
વિષ્ણુપુરાણ યોગશત વૃદ્ધયોગશત અને વૃદ્ધયોગશતક જુઓ 183
વૃત્તજાતિસમુચ્ચય યોગશતક
183
–ટીકા રઘુવંશ
100 રત્નપરીક્ષા
વૃત્તરત્નાકર 78,80,82,86,174,174
72 રત્નાપણ
96,179 -ટીકા
174,80 રત્નાવલી
86,176 –વૃત્તિ
79 રસોઇનું રસાયણ
વૃત્તિસૂત્ર જુઓ અષ્ટક, અષ્ટાદ્યાયી અને રાજકોશનિઘટ્ટ
શબ્દાનુશાસન
165 રાજતરંગિણી
34 | વૃદ્ધયોગશત જુઓ યોગશત અને યોગશતક 183
143 161
145 71
For Personal & Private Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
વિદ્યામૃત
144
170
138
વૃદ્ધયોગશતક
143.
સંત વ્યારા શાસ્ત્રકા તિહાસ 6,8,10,12, વેણીસંહાર
176. 13,15,17,18,23,34,35,165,168,169 વૈદિક વ્યાકરણ છાન્દસ વ્યાકરણ 166 સંગીતપારિજાત
113 જુઓ 10 સંગીતમકરન્દ
113 નૈદ્યજીવન 184 સંજીવની
163 સંજ્ઞાસૂત્ર
170 વૈયાકરણભૂષણસાર 147 સરસ્વતીકંઠાભરણ
93,179 વૈરાગ્યશતક
184 સરસ્વતીનિઘટ્ટે
171 વ્યાખ્યાસુધા રામાશ્રમી જુઓ
173
સરસ્વતીસૂત્રપ્રક્રિયા શકુનનિર્ણય વસન્તરાજશકુન જુઓ 182
સામવેદ
176 શતકત્રય
151,184,184 સામુદ્રિકભૂષણ
130,131 -ટીકાઓ
184
સારસંગ્રહ શતકયાદિસુભાષિત સંગ્રહ
184 સાસ્વતપ્રક્રિયા
169 શબ્દભેદપ્રકાશ
64,67 સરસ્વતીસૂત્રો
172 શબ્દમણિદર્પણ
સારસ્વતવિભ્રમ ૮૬ (કાત7)49,49,172,172 શબ્દરત્નપ્રદીપ (કલ્યાણ)
67 સારસ્વતવ્યાકરણ
49,69,159,169 શબ્દાનુશાસન જુઓ અષ્ટક, અષ્ટાધ્યાયી
170,171,172 અને વૃત્તિસૂત્ર
165
સાહિત્ય અને વિવેચન શારીરકભાષ્ય
165,177
સાહિત્યદર્પણ શાબરભાષ્ય
95,96,177,177
100 શાર્ડધરપદ્ધતિ
179
સિદ્ધાન્તકૌમુદી 9,14,16,36,47,47,55 શાલિહોત્ર
147 સિદ્ધાન્તચન્દ્રિકા
171 શાશ્વત
74 સિદ્ધાન્તશેખર
180 શિવસ્વરોદય જુઓ સ્વરોદય 122
સી. કે. રાજા સ્મારકગ્રંથ શિશુપાલવધ જુઓ માઘકાવ્ય 169,176
સુકૃતસંકીર્તન શૃંગારતિલક
સુશ્રુતસંહિતા
142,183 શંગારતિલકકાલંકાર
સૂક્તિમુક્તાવલી
61,154 શંગારફિલ્ડ
સૂર્યશતક
167 શૃંગારપ્રકાશ
178
સેઉબન્ધ જુઓ રાવણવહ શૃંગારશતક
184
સ્વરોદય જુઓ શિવસ્વરોદય શૈવશાસ્ત્ર
હનુમાન્નિઘટ્ટ શૈવસામુદ્રિક 131 હયગ્રીવવધ
55 શ્રુતબોધ
174 હર્ષચરિત ષપંચાશિકા 182 હસ્તચિહ્નસૂત્ર
131 ષષ્ટિસંવત્સર 138 | હસ્તબિમ્બ
131
29
80
97
94 169
174
11
176
For Personal & Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી
૨૩૫
146
37
32
165
હસ્તાયુર્વેદ હિતોપદેશ
161 हेमचन्द्र और उनका शब्दानुशासन] šalt (Report) (i) x2 zien, 148 (alle)
174 હોરમાકરન્દ
182 Catalogus Catalogorum Catalogue of Sanskrit Manu scripts in Mysore & 117 Koorg Descriptive Catalogue Collection of Manuscripts 166,177
183,140,142 Encyclopaedia Britanica 139 Ganadarpana, a Work on Sanskrit Grammar ascribed to King Kumarapala (11431174 A.D) of Gujarat, The 28 Gem-stones & their distinctive Characters
148 Gospel in many Tongues, The History of Classical Sanskrit
Liturature
82,90 History of Hindu Mathematics
119,119 History of Indian & Eastern Architecture
116 History of Indian Liturature 149, 150 History of Sanskrit Poetics
90,98,175 Indian Architecture
116 Indian Literatures, The Literary Circle of Mahamatya Vastupala & its to Contribution to Sanskrit Literature
155 On the Aindra School of Sanskrit Grammarians Sanskrit Literature
55,165 Some Notes on the Manuscripts of medical Works by Jaina Writers
140 Technical terms & Technique of Sanskrit Grammar
37
For Personal & Private Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
39
184
અર્ક
123
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો અકબર (નૃપ)
68,32 | -મુક્તકો અક્ષયચંદ્ર 173 અભયચંદ્ર
112 અખંડ આનંદ
અભયદેવ
133 55 અભિનન્દન
135 અંગ્રેજી 16,60,61,116,121. અભિમન્યુ (નૃપ)
34 139,155 અમદાવાદ આશાપલ્લી જુઓ 22,41,46 -અનુવાદ 9,39,118,150,175
53,56,68,72,74,103,131,153 –ઉપોદુધાત 92,121,175,180 | | અમૃતધર્મ
159 -ટિપ્પણ
86,92,118 અમોઘવર્ષ જુઓ (નૃપ) નૃપતંગ -પ્રસ્તાવના 86,123,126
14,101,118,142 અજ્યપાલ (નૃપ) 56,109,109,131 અયોધ્યા અજિત 136 અરિસિંહ
132 અજિતદેવ 153 અર્જુન જુઓ ધનંજય જુઓ
61. અજિતનાથ
47 અર્ધમાગધી અદ્ધમાગધી અને આર્ષ જુઓ 2 અંચલ ગચ્છ
22,33,66,75,88 અર્ધસંસ્કૃત
4,63 143,149,168,171,180,181,182 અલાઉદ્દીન ખીલજી
148 અણહિલપુર
131. અલિયૂર અણહિલપુર પાટણ
71,97,125 અલ્પખાં અણહિલવાડ 136 અવઢ અપભ્રંશ જુઓ
36,37 અદ્ધમાગણી જુઓ અર્ધમાગધી અને આર્ષ અવેસ્તા
2,4,20,36 અવેસ્તા પહેલવી અનન્કીર્તિ દિગમ્બર જૈન ગ્રંથમાલા 153 અહિપુર નાગોર જુઓ અનૂપ સંસ્કૃત પુસ્તકાલય [1067139 આગમોદય સમિતિ
13,33,63,89 અનેકાન્ત
33,82 આગમોદ્ધારક આનન્દઅપભ્રંશ અવહઢ જુઓ 39,63,84 સાગરસૂરિ જુઓ
8,48,83,84 90,104,151,164,175,177 આગ્રા 83,83,84 આણંદજી કલ્યાણજી પેઢી
117 આથી આ નામની ભાષા અભિપ્રેત છે. આ પ્રમાણે પાઇય (પ્રાકૃત), આર્ષ, અદ્ધમાગણી (અર્ધમાગધી), જઇણ મરહઢી (જૈન મહારષ્ટ્રી), સોરસેણી (શૌરસેની) માગણી (માગધી), પેસાઇ (પશાચી), ચૂલિયા પેસાઈ (ચૂલિકા પૈશાચી), અવહઢ (અપભ્રંશ), જૈન સંસ્કૃત, લૌકિક સંસ્કૃત, અર્ધ-સંસ્કૃત, જૂની ગુજરાતી, ઉર્દૂ-હિન્દી, દ્રાવિડ, કન્નડ (કાનડી), તેલુગુ, તિબેટી, અવેસ્તા, અવેસ્તા પહેલવી ઇત્યાદિ માટે સમજી લેવું.
26
68
-છંદો
For Personal & Private Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૩૭
23
137
આત્માન્દ પ્રકાશ 49,83,94,178,59 ઉદયવલરૂભસૂરિ
163 આદર્શટીકા
ઉદ્યતસૂરિ
126,176 આદર્શટીકા
61. ઉપકેશ ગચ્છ જુઓ ઉકેશ ગચ્છ આદિનાથ 127,129
57,113,180,180,185 આનન્દમેરુ
ઉભયભાષાકવિચક્રવર્તી આનન્દવિમલ 12 | ઉમરસી રાયસી
169 આનન્દસાગરસૂરિ જુઓ આગમોદ્ધારક 83 | ઉર્દૂ-હિન્દી
139 આનન્દસૂરિ
- 33
ઉષાસ્મારકગ્રંથમાલા આનન્દાશ્રમ ગ્રંથાવલી ગ્રંથમાલા) 5,146,177 ઊકેશ (વંશ)
160 આબુ
116 ઋષભ 24148 oLzza (Opertan Gustav) 16 ઋષભદેવ
47,65,128,130 આપ્રદેવ 131
160,160,169 આયુર્વેદીય ગ્રંથમાલા
145 | [એલ.ડી.ઈસ્ટીટ્યુટ જુઓ લા.દવિદ્યામંદિર, [આર્યજયકલ્યાણ કેન્દ્ર [33] | એલ.ડી.સીરિઝ.]
20 આર્યન્ટિ
120
ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર આર્ષ અદ્ધમાગણી અને અર્ધમાગધી જુઓ 36 સંસ્થા
29,49,163 આલમશાહ ઘોરી
151 ઋષભદેવજી છગનીરામજી સંસ્થા 42,19 આલમશાહ હોશંગ ધોરી
Alcio g. (Eggling)
19 આશાપલ્લી અમદાવાદ જુઓ 126,132 એજયુકેશન સોસાયટી (Education ઇટાલિયન (Italian)
Society)
51,52 –અનુવાદ
એપોલોનિયસ પેર્ગાના ઇન્દોર 153 Apolonius Pergana
139 [ઋષભદેવગ્રંથમાળા
111]. ઈમ્પરિયલ એકેડેમિ ઓફ સાયન્સીસ
એશિયા (મધ્ય)
167 (Imprial Academy of Sciences) 55 ૐકારસૂરિજ્ઞાનમંદિગ્રંથાવલી 53,57,157
170 ૐકારસાહિત્યનિધિ ઉકેશ ગચ્છ જુઓ ઉપકેશ
57
ઓરીએન્ટલ કૉન્ફરન્સ ગચ્છ
(Oriental Conference)
28 ઉજ્જૈન 19,160 ઓસવાલ
163 ઉદયચંદ્ર 108 કંસ
110 ઉદયન (મંત્રી) 35,90 કક્કલ જુઓ કાકલ
149 ઉદયરુચિ
143 કક્કસૂરિ ઉદયરુચિ
143
કચ્છ ઉદીચ્ય 5 | કનકપ્રભ
50
31
ઈવર
46
113 169
For Personal & Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
183
26
કારકલ
26
કર્ણાટ
કાશી
કનિષક (નૃપ)
કાકલ જુઓ કક્કલ
49,55. કનોજ
162 કાનડી છંદ જુઓ કન્નડ છંદ - 81 કન્નડ 26,135 –ટીકા
163,119,151 કન્નડ છંદ જુઓ કાનડી છંદ
-ભાષાન્તર
175 કન્નડ પ્રાન્ત
-લિપિ
86 કન્નડ લિપિ 26,26,92,135,135,168 કામદેવ
75,86 કમલવિજય 157,158 કાયસ્થ
41,49,55,105 કમલવિજય
182 કમલાકર 170 કાલભાચાર્ય
104 કર્ણદેવ (નૃપ) 38,168 કાલામાલા
24,46,56,61,63,90, 82
91,92103,47,150,152,153,176 કર્ણાટક
24,56,70,86,97 કલકત્તા
કાશ્મીર
34,38,55,81 કલિકાગૌતમ 23 કાસદ્રહ
126,176 કલિકાલચક્રવર્તી
148 કિર્સ્ટ જોહ
51,52 કલિકાલસર્વજ્ઞ 5,7,13,13,17,18,19,20,23,
કીર્તિચંદ્ર
160 35,35,38,39,41,42,44,45,49,51,52,54, કીર્તિવિજય
31,46 55,57,63,64,71,73,73,75,79,80,82,83,. કીર્તિસાગર
161 85,89,92,93,94,97,108,111,152,177 કુ(ક)કુંદાચાર્ય
179 કલિંગ 55 કુતુબુદીન તઘલખ
117 કલિયુગ
160 કુન્ત એ. એમ.
183 કલ્યાણકીર્તિ
62 કુમારપાલ
20,21,35,35,56 કલ્યાણરાજ
66,85,93,109,128 કલ્યાણવિધાન
127 કુલચરણગણિ કલ્યાણસાગર 159,171 કૂરસિંહ જુઓ ક્યૂરસિંહ
169 કલ્યાણસાગર 181 કૂર્ચાલસરસ્વતી
63 કલ્યાણસાગરસૂરિ
કૃષ્ણવાÈવતા
178 કલ્યાણસાગરસૂરિ
169 કૃષ્ણ(વાસુદેવ)
75,76,115,127 કવિકટારમલ્લ
44,108 કૃષ્ણર્ષિ ગચ્છ કવિસભાશૃંગાર
- 175 | કેવલવિજયજી જુઓ મોતીલાલ લાધાજી કવીન્દ્ર
76,76 કોલ્હાપુર કવીશ્વર
63 | કૂરસિંહ જુઓ કૂરસિંહ
154
58
66
૧. આ પૃષ્ઠોકગત બિરુદ દિ, શ્રુતસાગરનું છે જ્યારે બાકીનાં પૃષ્ઠોમાંનું બિરુદ પૂર્ણતલ્લ ગચ્છના સુપ્રસિદ્ધ
હેમચંદ્રસૂરિનું છે.
For Personal & Private Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૩૯
58
184
23 47 4
155
143
151
8
ક્ષમાવિજય (ઉપા૦) જુઓ વિજયક્ષમા
-અનુવાદ 46,123,128,130,137, ભદ્રસૂરિ
153,153,156,158,159,160, ક્ષમાવિજયગણિ 126
183, 105
–અર્થ ક્ષમાશ્રમણ
66,73 ક્ષેમકાજ કૃષ્ણદાસ
174
–ઉદાહરણો ખરિડલ્લ ગચ્છ
104
-નામો ખમ્માત
64,67 -પદ્યાત્મક ટીકા
156
-પર્યાય ખરતર ગચ્છ 23,47,49,53,54,55 66,68,70,71,91,92,125,133,150,154,
-ભાષણ
114 156,159,168,170,173,175,178,179,
-ભાષાન્તર
163,184,132,152 166,180,181,182 -રૂપાન્તર ખરતર બેગડ
185 –શબ્દો
53,169 ખાનાપુર
143 -સમજૂતી ખિસ્તી 164 ગુજરાતી શાળાપત્ર
29 ખુશ્કેહમ્ 32 ગુજરાતી સંસ્કૃત કોશ
169 ખેમરાજ કૃષ્ણદાસ
127 ગુજરાતી (સામયિક) ગના
ગુજરાતી સાહિત્ય પરિષદ ગણેશ
150 ગુણકીર્તિ (દિ0) ગર્ગાચાર્ય
124 ગુણનિધાનસૂરિ ગાંધી નાથારંગ જૈન ગ્રંથમાલા
ગુણભદ્ર
121 ગાંધી લાલચંદ્ર 102 ગુપ્ત (નૃપ)
34 ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા 56,80,102,180 ગુર્જરી
150 ગાયકવાડ સરકાર
ગુર્જરધરા
26 ગિરનાર
125,126,102 ગુલાબચંદ્રજી ગુજરાત 28,35,56,65,167 ગોદાવરી
163 ગુજરાતના પાણિનિ
36 ગોપાલ
106 ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ 3,59 ગોવિંદસૂરિ
19 133,183
ગ્રંથમાલા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
ગ્રામ્ય ભાષા
104 (Gujarat Vernacular Society)
ગ્રીક (યંત્ર)
163 ગુજરાત વિદ્યાસભા
ચક્રિકાભંજન
119 ગુજરાતી 16,29,30,46,60,65,89, ચંગદેવ જુઓ ચાંગદેવ 92,131,137,138,143,145,147,157, ચંગી જુઓ ચાહિણી અને પહિણી 35 160,164,169,128 | ચક્રવર્તી શ્રીશચંદ્રા
166
154
74
97
27
91
29
35
For Personal & Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ચર્ચ જુઓ ચાચ અને ચાચિગ ચતુર્દશપૂર્વધર જુઓ શ્રુતકેવલી ચતુત્રિંશજ્જાતકજ્ઞ જુઓ બુદ્ધ
ચંદા
ચંદ્ર
ચંદ્રકીર્તિ (દિ.) ચંદ્રકીર્તિસૂરિ
ચંદ્ર(કુળ)
ચંદ્ર (ગચ્છ)
ચંદ્રગુપ્ત
ચંદ્રદેવસૂરિ
ચંદ્રમૌલિ જુઓ મહાદેવ
ચદ્રસાગરગણિ (હાલસૂરિ)
ચંદ્રસાગરજી
ચંદ્રસૂરિ
ચંદ્રસેન
ચાંગદેવ ચંગદેવ જુઓ
ચાચ ચચ્ચ જુઓ ચાચિગ
ચામુણ્ડ (ગોત્ર)
ચામુણ્ડરાજ (પ)
ચારિત્રરત્નગણિ
ચારિત્રસાગર
ચારુકીર્તિ
ચાહિણી જુઓ ચંગી અને પાહિણી
ચિતોડગઢ
35
6
65
117
117
152
69,127,143,154,174
17
44,50
162
35
184
38
56
129
120
35
35
35
35
38
57
181
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
છાણી
125
છાન્દસ ભાષા વૈદિક ભાષા જુઓ
2,10
જઇણ મરટ્ટી
જગચંદ્રસૂરિ
જગજીવન
જગદેવ
જગન્નાથપ્રસાદ
જયકીર્તિ (દિ.)
જયકીર્તિસૂરિ
જયચંદ્રસૂરિ
જયંતવિજયજી
જયંતસિંહ
જયપુર
જયમંગલસૂરિ
જયાનંદ
જયાદિત્ય
જર્મન(German)
-અનુવાદ
જલન્ધર
જાગુપ્તે મહાદેવ રામચંદ્ર
જાબાલિપુર જુઓ જાલોર
જામનગર
જાલોર જુઓ જાબાલિપુર
જાહિલ
જિતેન્દ્રસાગર
જિનચંદ્ર
ર્જિનચંદ્ર
ચીની મુસાફર
ચીની સાહિત્ય ચુનીલાલ ગ્રંથમાલા ચૂલિયા પેસાઇ
[ચૌખમ્બા વિદ્યાભવન
ચૌખમ્બા (Series) સિરીઝ
ચૌખમ્બા સંસ્કૃત (Series) સિરીઝ 97145 | જિનદેવ ચૌલુક્ય જુઓ સોલંકી
35,38,65
જિનપતિસૂરિ
33
35
82
165
6
157
36
જિનદત્ત
37]
જિનદત્તસૂરિ (વા.)
5 જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર શ્રી
20,82,133,134,138
જિનચંદ્રસૂરિ
જિનતિલકસૂરિ
For Personal & Private Use Only
153
153
128,146
34
82
82
57,178
64,160
125
137,185
175
43
166
40,150,151,165
173
130
17,71
149,132
71
128
160
22
172 172,179 91
75
56,71,97,146
159
153
22
Page #324
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૪૧
130
91
56
17
24
જિનપ્રભસૂરિ 91 | જૈનશ્રેયસ્કર મડલ
40,47 જિનપ્રિય
જૈન સંસ્કૃત
3,184 જિનભદ્રસૂરિ
151 | | જૈન સત્ય પ્રકાશ 20,78,112,113, જિનભદ્રસૂરિ (ખ૦)
175
116,118,167,59,146 જિનમાણિજ્યસૂરિ
જૈન(સાપ્તાહિક) 172,178 જૈિનસાહિત્યવર્ધકસભા
[64] જિનરાજસૂરિ
| જૈન સાહિત્ય સંશોધક
14,63,136 જિનલાભસૂરિ
16Q જૈન સિદ્ધાન્ત ભાસ્કર 9,112,117,124 જિનવર્ધનસૂરિ
156
131,134,140,162,166 જિનવલ્લભસૂરિ
જૈન સ્વયંસેવક મંડળ
153 જિનવજિયજી
જૈન હરપ્રસાદ
61. જિનસાગર
154 જૈન હિતૈષી જિનસિંહસૂરિ
54,179 જૈનનાદ પુસ્તકાલય 8,40,127,147,147 જિનસેન 61. જૈનેન્દ્ર મુદ્રણાલય
8 જિનસેન (દિ0)(પહેલા) 120,149 જોધપુર જુઓ યોધપુર
28,55 જિનહર્ષ
106 જ્ઞાનપ્રસારક મડળી જિનેશ્વરસૂરિ(ચં૦)
જ્ઞાનભૂષણ (દિ.) જિનેશ્વરસૂરિ
જ્ઞાનવિમલ
55,66,67,72 જીતસાગર 127 જ્ઞાનશેખર
143 જીમૂતાનન્દ જુઓ નાનક
જયેષ્ઠમલ્લ
27 જીવરામ
131
જયેષ્ઠરામ મુકુન્દજી જૂની ગુજરાતી
29,156 ઝઘડિયા તીર્થ જેતબાઈ
ઝંઝણ સંઘવી જેસલમેર 17,18,23,70,102,133,141 ટિબેટીય સાહિત્ય જૈન આત્માનન્દ સભા 29,57,157,159 ઠક્કર દુદક જૈન કલ્ચર રીચર્સ સોસાયટી (Jain.
ડાયમંડ જ્યુબિલિ પ્રેસ Cultural Research Society)
ડેક્કન કૉલેજ (Deccan College) જૈન ગૌરીલાલ 16
168 જૈન ગ્રંથપ્રકાશકસભા 35,41,44,53,56,156 તપ ગચ્છ જૈન જ્ઞાનભંડાર સમાજ
172 તપાગચ્છ
28,66,91,157, જૈન ધર્મ પ્રકાશ 59,86,89,155,171
157,170,177,181,182 જૈન ધર્મ પ્રસારક સભા
46,156 તાર્કિકકશિરોમણિ જૈન પુસ્તકપ્રચારક સંસ્થા 50,69 તિબેટી
150,167 જૈનયશોવિજય ગ્રંથમાલા 57,59 | -અનુવાદ
149,150
174
169
143
23
For Personal & Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
83
144
113
'તેલુગુ
-ટીકા
126
24
51
63
૨૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ -રૂપાન્તર
150 દેવકરણ મૂલચંદ્ર (મૂલજી) તિલકસૂરિ 75 દેવકુલપાટક નગર
- 156 તીર્થોદ્ધારક 48 દેવગિરિ
70 તીસટ
દેવગુપ્તસૂરિ તેજપાલ
46,156,161. દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર
119 ફંડ સંસ્થા 33,43,46,63,64,67,67,71, 119
74,75,76,115,156 ત્રિપાઠી શબ્યુનાથ _61 દેવચંદ્ર
108 ત્રિવેન્દ્રમ 146 દેવચંદ્રસૂરિ
36 ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા 112 દેવપ્રભ (વાદિ)
124 ઐવિદ્ય
61,76 દેવપ્રભસૂરિ –વિદ્યવિદ્યાધર
દેવભદ્ર ઐવિદ્યવેદી
108 દેવમૂર્તિ થરાદ
176 દેવર્ષિ થારાપદ્ર ગચ્છ 176 દેવ સંઘ
162 થારાપદ્રીય ગચ્છ
દેવસુંદરસૂરિ
28,58 દક્ષવિજયજી
દેવસૂરિ દક્ષિણવિહારી
દેવસૂરિ
150,155 દર્શનવિજય
દેવ (વાદિ) દશરથ (ગૃ૦)
દેવસેન દાનસાગર 125 દેવીદાસ છગનલાલ
132 દામનન્દિ
દેવેન્દ્ર દિગમ્બર જૈન
79,81,101 દેવેન્દ્રકીર્તિ (દિ0) દિગમ્બર જૈન ગ્રંથ ભડારમાલા
દેવેન્દ્રસૂરિ દિલવરખાન 31 | દેવન્દ્રસૂરિ
41,44 દિલ્હી
9 | દેવન્દ્રસૂરિ દુર્લભરાજ (નૃ૫) 38 | દેશવિરતિ ધર્મારાધક સમાજ
46 દુર્લભરાજ (મંત્રી) 128,133 | દેશાઇ મણીલાલ ઇ.
115 ૧. ભારતમાં જેમ મુખ્ય ૧૧ લિપિઓ છે તેમ ૧૪ ભાષા અને ૨૨૫ પેટાભાષા છે. આમાંની એક ભાષા તે
‘તેલુગ' છે. આ ‘તેલુગુ ભાષા ૩ કરોડ અને ૩૩ લાખ લોકો બોલે છે. એટલે કે ૧૦૦ ભારતીઓએ ૯ જણ આ ભાષા બોલે છે.
–ગુરુ મિત્ર તથા ગુરુ દ0 (દૈનિક)નો તા. ૧૭-૧૨-૧૬નો અંક ન્યા. તી. ન્યા. વિ. ઉપા૦ મંગલવિજયજીએ ગુજરાતીમાં તેલુગુશિક્ષણપદ્ધતિ વિ. સં. ૧૯૮૫માં રચી હતી તે શું ત્યાર બાદ પ્રસિદ્ધ કરાઇ છે?
40
26
175
151
136
126
For Personal & Private Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૪૩
123
11
16
31.
127
31
_46
દેશ્ય
51,64,65,72,73,123 તપાગચ્છ 69,87,124,143,154,172,174 દેસિય
65,123 નાગહસ્તી (આર્ય) દેહડ 31,150 નાગેન્દ્ર પાદલિપ્તસૂરિ જુઓ
123 દોશી સખારામને નેમચંદ
105
નાગોર અહિપુર જુઓ દ્રવિડ સંઘ
નાગોરી તપાગચ્છ
124 દ્વાવિડ
51,164 નાથારંગજી ગાંધી દ્વિવેદી એસ. 139 નાનક જુઓ જીમૂતાનંદ
174 ધનજય જુઓ અર્જુન
નિઝામ
163 ધનદ જુઓ ધનરાજ અને ધન્યરાજ 31. નિટ) કલાપ્પા ભરમાપ્પા ધનપાલ
નિર્ણયસાગર મુદ્રણાલય 33,54,68,92, ધનરત્ન 171.
173,176,183 ધનરાજ જુઓ ધનદ અને ધન્યરાજ
નૃપતંગ અમોઘવર્ષ જુઓ 118,142 ધન્વકા
35 નૃસિંહ ધન્યકળશ
117 નેમિ(?કુમાર) ધન્યરાજ ધનદ અને ધનરાજ જુઓ
નેમિકુમાર
103,104 ધન્વન્તરિ 183,137 નેમિચંદ્ર
157 ધર્મકીર્તિ
22 નેમિ-દર્શન-પ્રિયંકર-ગ્રન્થરત્ન, શ્રી ધર્મમૂર્તિ
નેમિદેવ
162 ધારા 62,131,177 નેમિષણ
151 ધોંકલચંદ્ર 160 [પરમપદપ્રકાશન
161] ધોળકા 125,172 નાણ
95 ધ્રુવ હરિલાલ હર્ષદ 28 ન્યાયતીર્થ
58,152 ન(નિ)ત્યભક્તિ 137 ન્યાયવિશારદ
4,48,98,136 નયવિજયગણિ
137 ન્યાયવિશારદ 4,59,86,97,98,136,141,59 નરચંદ્રસૂરિ
| પંચતૂપ સેન સંઘ અને સેનાવ્ય જુઓ 120 નરચંદ્રસૂરિ
102,113 પંજાબ નરદેવ
પટવર્ધન રઘુનાથ શાસ્ત્રી નરદેવ 163 પટવર્ધન ગ્રંથમાળા
128 નલોટકપુર
103 પણ્ડિત ગ્રંથ નવનવતિમહાવાદિવિજેતા 23 પણ્ડિત નવીન ગ્રંથમાળા
- 8 નવાબ સારાભાઈ મણિલાલ
પદ્મનન્તિ (દિ.) 110 | પદ્મનદિ (દિ.)
24 નાગદેવી 83 પદ્મપ્રભ
137,158 નાગપુરીય
પદ્મમેરુ
[67
132
56
127
નળ
For Personal & Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
112
23
20
75 106
પુણ્યહર્ષ
પદ્મમેરુ (દિ.) 67 પાર્થ જુઓ પાર્શ્વનાથ
40 પદ્માવતીપત્તન 180,181. પાર્જચંદ્ર
" 179 પરમદ (નૃપ)
પાર્શ્વનાથ જુઓ પાર્થ 3,127,160 [પરમપ્રકાશન 161] [પાર્શ્વનાથશોધપીઠ
107] પરમાગમપ્રવીણ
પાલિ
2,36,37 પરમાન્ડ
પાહિણી જુઓ ચંગી અને ચાહિણી 36 પરમાર (નૃપ)
પિતામહ પરમાઈત
28,35,66,66,128 પીયૂષવર્ષ પલ્લીવાલ 120 પુણ્ડરીક
127 પવૅક 174
182 પાઇય પ્રાકૃત જુઓ 1,3,3,17,23,25, પુન્ય(ય)સારગણિ
141 25,36,37,60,60,63,84,85,85,85,87, પુરાતત્ત્વ 16,29,32,112,167,175 104,117,121,126,128,129,133,156,
પુરુષાદાનીય 164181,181,182
પુરુષોત્તમ -અવતરણ
178,177
પુરુષોત્તમદાસ ગીગુભાઈ –અવ્યય
37
પૂજ્યપાદ –ઉદાહરણો
86,91
પૂના, -ગાથાઓ
135
પૂર્ણતલ્લ (ગચ્છ) -છંદો
84,84
પૂર્ણિમા (ગચ્છ) 150,155,172,181 -નામ
પેટ્રોપોલી (Petropoli)
150 -પદ્યો
39,92,103,147,160 પેસાઈ -રૂપાન્તર (૨)
150 પોરવાડ વેશ્ય -વિવરણ
176 પ્રજ્ઞાશ્રમણ
14 -શબ્દો
166,77 પ્રતાપ
101 109 પ્રતિમા
123 પાટણ 45,48,48,56,66,104, પ્રતિષ્ઠાનપુર
163 104,106,125,134,150,155,172 પ્રતિષ્ઠાસોમગણિ
184 પાટલિપુત્ર
123 પ્રતિસંસ્કૃત પાણિનિ
પ્રદ્યુમ્નસૂરિ પારંગ જાવજી
173 પ્રભાચંદ્ર પાદલિપ્તસૂરિ જુઓ નાગેન્દ્ર 123 પ્રવચનપ્રકાશન
92 પારસી
2,2,165 પ્રમોદસૂરિજી પારસીક જુઓ ફારસી
પ્રાકૃત પાઠય જુઓ
1,29,31,90 પારેખ પ્રભુદાસ બેચરદાસ
40 | પ્રાકૃત છંદ(દો) જુઓ પાઇ છંદો 83,87
90
163
-સુભાષિતો
13
76
33
For Personal & Private Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૪૫
117
9
|
6
ફૂલ્લ
173
બર્ન
55
28
પ્રાકૃત ભારતી અકાદમી
144]. બૅન્ગલોર પ્રાકૃત સાહિત્ય 175 બૈજી
34 પ્રાગ્વાટ
varis vel (Bohtlingk Otto) પ્રાપ્ય
66,67 ફત્તેહચંદ
બૌદ્ધ
2,8,13,18,34,60,80, ફરીદકોટ
149,164,166,173,178 ફટકાબાદ જિલ્લો
બ્રાહ્મા
130 ફારસી પારસીક જુઓ
બ્રાહ્મી
128 ફાર્બસ ગુજરાતી સભા
ભક્તિવિજય
171 ત્રમાસિક
35,36,90 ભગવદત્તજી 123 ભગવાનદાસ
138 ફ્રેન્ચ
ભટ્ટોજિ સત્યપ્રસાદ
37 -અનુવાદ
150 ભટ્ટોજિ દીક્ષિત | ભણસાળી હીરજી ગંગાધર
152 બંગાળી
ભદ્રંકરપ્રકાશન
46 -લીપી 175 ભરૂચ
123 બેડમિયાં
ભાડાગારિક
71 બનારસ
8,11,56,57,116,116 ભાડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન બનાવટી સંસ્કૃત
3 મંદિર 20,21,24,67,75,115,185 બલાત્કાર ગણ 23,24 ભાનુચંદ્રમણિ
32,171 બાલચંદ્ર 108 ભાનુમેરુ
67,171 બાલાભાઇ રાયચંદ
ભારત (દક્ષિણ)
119,144 બાહડ 31 ભારતવર્ષ
(3,10 બિકાનેર 139,27 ભારતી
99,166 બિહાર
7 ભારતીય જ્ઞાનપીઠ, કાશી 24,61,73,86 બિહારીલાલ કથનેરા 166
26,135 બુદ્ધ જુઓ ચતુસ્વિંશજ્જાતકજ્ઞ 65 ભારતીય વિદ્યા
168 બુદ્ધિપ્રકાશ 116 ભારતીય સાહિત્ય
6,9 બુદ્ધિસાગર 127 ભારમલ્લ (નૃપ)
169 બુદ્ધિસાગરસૂરિ 160 ભારવિ
18,175 બુદ્ધિસાગરસૂરિશ્વર ગ્રંથમાલા 160 ભાવનગર
53,57,125 બૃહત્નરતર (ગચ્છ) 170,141 ભાવને
173 બૃહત્તપા ગચ્છ 30,45 ભાવરત્ન
173 બૃહદ્ ગચ્છ 153 | ભાષા જુઓ હિન્દી
1,180
132
For Personal & Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
183
96
22
181
17o
83
28 | મહાર
૨૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ ભાષાટીકા 74,143,184 મરહટ્ટી
2,36 ભાસ્કર
મરાઠી, ૧૭(૨),
181 ભીખીબાઈ ચુનીલાલ પન્નાલાલ - 157 -અનુવાદ
127,143 ભીમદેવ (નૃપ)
38,127 –ભાષાન્તર ભીમસિંહ
મલધારી
3,7,45 ભીમસી માણેક 126,153,154,158 માલધારી (ગચ્છ)
74,126,154 ભુવનરાજ
મલ્લિનાથ ભૂત ભાષા
90 મલ્લિભૂષણ (દિ.) ભૈરવ 115 મહમદ ખલ્વા (ખીલજી)
163 ભૈરવદાન 26 મહાદેવ
106 ભોજ (નૃપ) ભોજદેવ જુઓ 63,112 મહાદેવ ચંદ્રમૌલિ જુઓ
184 ભોજ (નૃપ)
મહાદેવાર્ય
112 ભોજદેવ (નૃપ) ભોજ (નૃપ) જુઓ
મહામહોપાધ્યાય
95,177 ભોજદેવ (પ્રતિહાર)
મહારાજા સયાજીરાવ વિશ્વભોજપત્ર
વિદ્યાલય સામયિક
28 ભોજરાજગણિ
મહાવીર, જુઓ મહાવીરસ્વામી વર્ધમાન, મકસૂદાબાદ
વર્ધમનસ્વામી અને વીર
150 મગધ
મહાવીર જૈન વિદ્યાલય, શ્રી
92,96 મંગલસૂરિ
મહાવીર જૈન સભા
65 મંજૂશ્રી 150 મહાવીરવિદ્યાલય
46 મર્ડન (ગૃ૦) 150 મહાવીરસ્વામી
2,3,6,7,31 મડુગણિ
123 (શ્રમણભગવાન), મહાવીર, જુઓ 119 મર્ડપદુર્ગ
વર્ધમાન. વર્ધમાનસ્વામી અને વીર 136,160,184 મલિભદ્રગણિ 172 મહિમાભક્તિભડાર
170 મહિસાગર 57 મહીતિલક
176 મહિસાગર (દિ.)
16 *મહેન્દ્ર મથુરા
મહેન્દ્ર
162 મદનચંદ્ર
| મહેન્દ્ર (દિ.)
162 મદનપાલ ઠકુર
મહેન્દ્ર (નૃપ)
162 મદનસિંહ
મહેન્દ્ર(પ.) મદનસૂરિ 139 મહેન્દ્રસૂરિ
30 મદ્રાસ વિદ્યાપીઠી
મહેન્દ્ર
108 મદ્રાસ સરકાર
118 | મહેસાણા મધ્યદેશ 62 | માગધી
7,78
175
151
48
123
33 137 |
56
17
30
For Personal & Private Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૪૭
177
83 24
145
20
175
માગણી 36 મેદપાટ જુઓ મેવાડ
103 માણિકય (ક)ચંદ્ર દિગમ્બર જૈન
મેરુવિજય
133 ગ્રંથમાલા 9,25,151,152,162 મેવાડ જુઓ મેદપાટ
103 માણિક્યભટ્ટ
144 મોગલ
68 માડવઢ. 163 મોઢ (જ્ઞાતિ)
35,181 માતલિ
162 મોતીલાલ લાધાજી જુઓ કેવલવિજયજી 39 માથુર (સંઘ)
151 મોહનલાલજી જૈન ગ્રંથમાલા 123,130 માધવસેન 151 મૌર્ય
162 માનભદ્ર
44 | મહૈસુર સરકારની ગ્રંથમાલા માનશેખર
141 યશ માનસી
યશકીર્તિ (દિ.) માલવ
યશશ્ચંદ્રમણિ
108 માળવા 163,177 યશોધોષ
150 મિશ્ર ભાષા 4,92 યશોદેવ
162 મિશ્ર સાહિત્ય(Macaronic)
યશોદેવસૂરિ
124 મુકુલભટ્ટ 81 યશોભારતીપ્રકાશન
59,178 મુક્તિમલ જૈન મોહન માલા 65,66 યશોવિજયગણિ
4,135 મુંજ (નૃપ)
63,63,85 યશોવિજય જૈન ગ્રંથમાલા 39,48,53,53,64, મુનિસુંદરસૂરિ
70
66,67,70,157,172 મુનિસેન 74 યસોવિજય જૈન ત પાઠશાલા
30 મુનિશ્વરસૂરિ
168 યાકિની મુંબઈ 2,13,50,92,127,143,167,169 યાપનીય મુંબઈ સરકાર
185
માસ્ક મુરુગ્ડ (નૃપ)
યુનિવર્સિટી ગ્રંથનિર્માણબોર્ડ મુસ્લિમ
164 યુરોપીય સાહિત્ય મૂડબિદ્રી
યોધપુર જુઓ જોધપુર મૂલચંદ્ર
160 રતલામ મૂલરાજ (નૃપ)
38 રત્ન ધીર મૂલ સંઘ
23,24 રત્નપ્રભ મેઘચંદ્ર
174 રત્નવિશાલ મેઘચંદ્ર (ત્રવિદ્ય)
11. રત્નશેખરસૂરિ
57,125 મેઘવિજય
રત્નસિંહસૂરિ
57,30 મેગ્યુએન ઍન્ડ કંપની લિમિટેડ
રત્નસિંહસૂરિ
163 (Matyuen & Company Limited) 148 | રત્નહર્ષ
171
123
26
50 178
182 |
For Personal & Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
67
177
6
75
139
91
14
82
રવિચંદ્ર
લાટ
102,113 રાજ ગચ્છ
લાલબાગ જૈન સંઘ
50 રાજપાલ
128 લાલભાઈ દલપતભાઈવિદ્યામંદિર રાજમહેલ પુસ્તકાલય
67,72,75,88,102 રાજરત્ન
લાહર રાજશેખરસૂરિ
લાહોર
33.68 રાજશેખરસૂરિ
લીંબડી રાજશ્રી
લીંબડી સંપ્રદાય
26 રાજસોમ
લુંકા (ગચ્છ) જુઓ લોંકા ગચ્છ
161 રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન
લોકેશ
169 રાજસ્થાની (ભાષા)
લોકાગચ્છ જુઓ લુંકા ગચ્છ
27 રાજીમતી
લૌકિક સંસ્કૃત
2,10,34,84 રાણકપુર
116 વજયશ જુઓ વજસ્વામી રાંદેર 46 વજસેન
156 રામ
વજસ્વામી જુઓ વજયશ
14 રામકીર્તિ (દિ.)
વટ ગચ્છ
139,170 રામકીર્તિ (દિ.)
વડોદરા
114,154 રામચંદ્રસૂરિ 44 વડોદરા દેશી કેળવણી ખાતું
163 રામવિજય
160 વણિક રાયમલ્લ
વધેલ (વંશ) રાષ્ટ્રકૂટ
119 વર્ધમાન
85,159 રાહડપુર 103 વર્ધમાન
168 રિખવદેવજી મહારાજની પેઢી
52 જુઓ મહાવીર મહાવીરસ્વામી, R4 alczi (Reu Charles) 66,67 વર્ધમાનસ્વામી અને વીર
184 રુદ્રપલીય ગુચ્છ 150 વર્ધમાનગણિ
108 રુદ્રપલ્લીય ગચ્છ
150 વર્ધમાનસૂરિ લક્ષ્મીકીર્તિ
170 વર્ધમાનસ્વામી જુઓ મહાવીર, લક્ષ્મીભદ્ર
157 મહાવીસ્વામી, વર્ધમાન અને વીર 129,130 લક્ષ્મીસાગરસરિ 157 વલ્લભરાજ(9)
(38 લંડન 148 વસુદેવ
61 લબ્ધિચંદ્ર
179 વસ્તુપાલ 102,125,126,155,177 લમ્બિવિજય 182 વાચક (પાદ0)
123 લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા શ્રી 41,57 વાચક(વર્ય)
8,121 લબ્ધિસૂરીશ્વર જૈન સંસ્કૃત ગ્રંથમાલા શ્રી 40,125 | ‘વાડી પાર્શ્વનાથનો ભંડાર
46
167
115
17
20
For Personal & Private Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૪૯
137
64
123
155
‘વાદિ'
176 વિજયરત્નસૂરિ વાદિપર્વતવજ 16 વિજયરાજસૂરિ
26 વાદિભૂષણ (દિ0) 24 વિજયલાવણ્યસૂરિજી
13,41,94 વાદી 175,124,49 વિજયવર્ધન
171 વાયડ ગચ્છ 56,75,97,129,134,132 વિજયસિંહ
153 વાયડ (નગર)
વિજયસિંહસૂરિ
143 વાસુક ભટ્ટ 176 વિજયસેનસૂરિ
125,157 વાસુદેવ (કૃષ્ણ)
: 95
વિજાગાપટ્ટમ વાસુપૂજય
101 વિદ્યાકર મિશ્ર વાહિલ
128
વિદ્યાધર (વંશ) વિક્રમ (નૃપ) જુઓ વિક્રમાદિત્ય 6,6,9,12,13, વિદ્યાનિન્દ
23 24,29,34,35,49,58,61, વિદ્યાસિંહ 72,74,89,97,103,105,108, વિધિ પક્ષ જુઓ અંચલ ગચ્છ
169 127,127,131,140,140, 156, વિનયસમુદ્રગણિ
178 171,174,175,178,74,120,135
વિનયસાગર
[28] 158 વિક્રમપુર
180 વિનયસુંદર
139 વિક્રમવિજયજી
વિનયસુંદર
170,179 વિક્રમાદિત્ય (નૃપ) જુઓ વિક્રમ 17
વિનાયકદાસ (કાયસ્થ)
105 વિજયકીર્તિ દિ0)
વિનીતસાગર
33 વિજયક્ષમાભદ્રસૂરિ જુઓ ક્ષમાવિજય
વિબુધચંદ્ર ( Pen-name) કવિ (ઉપા૦)
41,47,54 જુઓ નરેન્દ્રપ્રભસૂરિ
102 વિજયચંદ્રસૂરિ
વિબુધચંદ્રસૂરિ
124,180 વિજયદર્શનસૂરિ
વિમલતિલક
53,166 વિજયદાનસૂરિ
વિશાલભારત
117 વિજયધર્મસૂરિ
વિશાલરાજ
91 વિજયધર્મસૂરિ ગ્રંથમાલા
110 વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા શ્રી 160
વિષ્ણુદાસ વિજયનેમિસૂરિ 156 claritate (Viana)
51. વિજયનેમિસૂરિગ્રંથમાલા
‘વીતરાગ’ અમિતગતિ જુઓ [વિજયનેમિસૂરિજ્ઞાનમંદિર
અમિતગતિ (પહેલા)
152 વિજયપ
135 વીર મહાવીર, જુઓ મહાવીરસ્વામી વર્ધમાન અને વિજયપ્રતાપસૂરીશ્વર
3 વર્ધમાનસ્વામી
59,85,157 વિજયપ્રભસૂરિ 137 વીરધવલ
23,115 વિજયબ્રહ્મ 123 | વીરનન્ટિ
11
152
વિષ્ણુ
181
39
27)
For Personal & Private Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
165
(46
28
172
56
56
83
વૈદિક ધાતુ
50
41.
વીરપ્રભ 155 શર્મા ભીમસેન
- 19 વીરસંવત્ 6,10,14,17,48,53, શર્મા રામસ્વરૂપ
126 56,57,58,64,69,149,168 શિલાતુર વીરસમાજ
શાકમ્મર વીરસિંહ 169 શાન્તિચંદ્ર
68 વીરસેન 101,152 શાન્તિનાથ
97,156 વીસનગર
શાન્તિષેણ
151 વીસલદેવ (નૃપ)
[શારદાબેન ચીમનભાઈ એજયુ.રીસર્ચ સેંટર57,117] વૃદ્ધવાદી 123 શાલિભદ્રસૂરિ
176 વેંકટેશ્વર મુદ્રણાલય
68,124,127, શાસ્ત્રી જગન્નાથ 128,144,171,174,182,182 શાહ હીરાલાલ સોમચંદ વેણીકૃપાણ 56,87 શીલસુંદર
176 વેલણકર હરિ દામોદર
શેખ ફત્તેહ
26 વૈદિક છંદ
78,81,81,84,86 શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી 38,39 શેઠ મનસુખભાઈ ભગુભાઇ
41,44 વૈદિક ભાષા જુઓ છાન્દસ ભાષા
શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટી
2,2,10,34,36 પ્રકાશન ( Charity) વૈદિક શબ્દો
60,71 શૈવ
184 વૈદિક હિન્દુઓ 149,152,164 શોભન
62,167 વૈદ્ય જાદવજી ત્રિકમજી 115,145 શૌડદેવ
146 વૈદ્ય વિનોદચંદ્ર મોહનલાલ
શ્રવણ બેલ્ગોલ વોરારિ (દંડનાયક) (34 શ્રીચંદ્રસૂરિ
129 વ્યાકરણકમલમાર્તણ્ડ વ્યાકરણતીર્થ 141 શ્રીધર
170 શકસંવત્ 9,12,15,33,35,53,62, શ્રીમાલ
29 64,71,73,105,121,124,125,128,130,139, શ્રીમલનગર
153 144,162,162,180,181,182 | શ્રીષેણ
151 શક જુઓ સક્ક
6,7 શ્રુતકેવલિદેશીય
16,132 શંખેશ્વર પાર્શ્વનાથ
130,147 શ્રુતકેવલી જુઓ ચતુર્દશપૂર્વધર શતાવધાની
32,26,77 ષડભાષાકવિચક્રવર્તી શત્રુંજય
116,123,125,160 સંયુક્ત પ્રાન્ત શબ્દવેધસ્
76 | સંસ્કૃત ટેકસ્ટ સોસાયટી શમ્
170 (Sanskrie Text Society) શર્મા એલ.
સંસ્કૃતાભાસ
53
શ્રીદેવી
61
For Personal & Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૨૫૧
85
123
150
63
9
સંસ્કૃત ભાષા સકલચંદ્ર સકલચંદ્ર સક્ક જુઓ શક્ર સખારામ નેમચંદ ગ્રંથમાલા સાશ્ય સંકિસ સંગમ (દેવ) સંગમસિંહ સંઘતિલક સનાતન જૈન ગ્રંથમાલા સપાદલક્ષ સમધર જુઓ સમુદ્ર સમન્તભદ્ર સમન્તભદ્ર સમયહર્ષ સમસંસ્કૃત સમુદ્ર જુઓ 'મધર સન્મવ સરસ્વતી (ગચ્છ) સરસ્વતી ગ્રન્થમાલા સરસ્વતી(બિરુદ) સર્વદેવ સર્વદેવ સહસાવધાની સહૃદયચક્રવર્તી સાગરચંદ્ર સાગરચન્દ્ર સાગરચંદ્રસૂરિ સાંગણ (સોની) સાઢાક સાધુકીર્તિ સાધુસુંદર સારંગ (પંડિત)
સાહિત્યતીર્થ
152,141 68 સિંહસૂરિ
126 105 સિંહસૂરિ
176 સિંઘી જૈન ગ્રંથમાલા 32,[833155,184 સિદ્ધચક્ર
30,41 સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, શ્રી 38 સિદ્ધપુર
30 - 32 સિદ્ધરાજ જયસિંહ
19,20,21,35, 37,38,44,55,85,90,91,97,109,
109,109 8,9,11. સિદ્ધસારસ્વત (બિરુદ) 177 સિદ્ધસૂરિ
184 31 સિદ્ધસેન દિવાકર
9,13,123 સિન્ડ્રદેશ
183 151 સિયાણા
183 166 સુખસાગરગણિ
166 સુધર્મસ્વામી
58,169 31. સુંદરી 136 સુમતિકલશ
179 23,24 સુમતિકીર્તિ
24 સુમતિનાથ
136 સુરત 3,40,50,69,71,74,77,79,90,
107,127,147,159 153 સુરપ્રભ
22 23,70,50 સુવિધિનાથ
135 12 સૂરચંદ્ર
68 177 સૂર્યાભદેવ
108,116 177 સૂર્યોદયવિજયજી
141 સેન અન્વય
74 163 સેન સંઘ જુઓ પંચ સૂપ
169 સેના 53,166 સેન્દ્ર (વંશ૦ 166 સોમ 28 | સોમચંદ
68
172
For Personal & Private Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
57
170
35
કવિત્ત
157
102
૨૫૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ સોમદેવ 35 | હર્ષકીર્તિસૂરિ
175 સોમવિજય
45 | હર્ષચંદ્ર ભૂરાભાઇ સોમવિમલ 30 | હર્ષપુરીયગચ્છ
75 સોમવિમલસૂરિ 157 | હિર્ષપુષ્યામૃતગ્રંથમાળા
73]. સોમસુંદર 181. | હર્ષરત્ન
180 સોમસુંદરસૂરિ
91,58 હસ્તિનાપુર સોમેશ્વર (નૃપ)
112 હિતરુચિ
143 સોરસણી 3,36,37 હાલ (નૃપ)
123 સોલંકી જુઓ ચૌલુક્ય
35 હિન્દી ભાષા
16,61,153,74 સોલંકીઓ
-અનુવાદ જુઓ
124,135, સોલાપુર 142,105,9
138,140,151,152,184 સૌધર્મ બૃહત્તપા ગચ્છ 76 –અર્થ
61 સૌભાગ્યસાગરસૂરિ 45
135 સૌભાગ્યહર્ષ 157 -ટિપ્પણ
139 સૌભાગ્યહર્ષ
-પ્રસ્તાવના
26,61,90,140 સૌરાષ્ટ્ર
–ભાષાન્તર
126 સ્કલિાચાર્ય
-વિવેચન
135 સ્વયમ્ભ જુઓ બ્રહમાં
-શબ્દાર્થ
74 સ્વીડન (Sweden)
હિંદુ મિલન મંદિર
101,164,132 હંસવિજય ફ્રી લાઇબ્રેરી
હિપાર્કસ (Hiparkas) (Hansavijaya Free Library) 153 | હિમાંશુવિજયજી
39 હમ્મીરાજ (નૃપ)
28 હીરવિજયસૂરિ
66,98,155,158 હયગ્રીવા 170 હીરાચંદ નેમિચંદ
166 163 હીરાલાલ વિ. હંસરાજ
132[157] હરિચંદ્ર
11. હીરાલાલ હંસરાજ 132,149,156 હરિતોષસમિતિ હરિબલ
હેમચંદ્ર હરિભદ્ર
હેમચંદ્ર(સૂરિ)
35,37,41,44 હરિભદ્ર આચાર્ય (પહેલા)
હેમચંદ્રસૂરિ (કલિ૦) 19,20,49,56,72,75,108 હરિભદ્રસૂરિ
હિમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિર
39] હરિભાઈ દેવકરણ જૈન ગ્રંથમાલા 151 હેમચંદ્રાચાર્ય સભા
32,44,45 હરિશંકર કાલિદાસ
હેમતિલકસૂરિ હર્યક્ષ
હેમનંદન
171 હર્ષકલ્લોલ 156 | હેમપાલ,
148
16
139
હરિ
78
28
87
156 [34
For Personal & Private Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામાં
હેમવિમલસૂરિ હેમવિમલસૂરિ
હેમાદ્રિ
હોસંગ ધોરી
Annals of Bhandarkar Ori
ental Research Institute
Bombay Sanskrit &
Prakrit Series
Bulletin of the Calautta
Mathematical Siciety
College of Indian Music, Dance & Dramatics DCGCM
31
58
181
31
23.25.175
3,9,96
119
114
159
Education Siciery
GSAI
Indian Culture
Indian Historical Quarterly
Indische Streifen
Jaina Antiqury
Journal of the Bombay
Branch of the Royal Asiatic
Society
Mythic Journal
P. E. N.
SIFI
ZDMG
For Personal & Private Use Only
૨૫૩
51,52
150
96
150
150
126,140
79,81,83,83,87
167
55,165
155
152
Page #337
--------------------------------------------------------------------------
________________
સંકેત-સૂચી
અં૦ અંચલ અચૂ૦=અલંકારચૂડામણિ અભિવચિ૦=અભિધાનચિત્તામણિ અOમા =અદ્ધમાગણી અષ્ટા =અષ્ટાધ્યાયી અ૦ ૨૦=અનેકાર્થરત્નમંજૂષા આદિ0 આગમોનું દિગ્દર્શન આ૦ પ્ર૦=આત્માનંદ પ્રકાશ આ સભા =આત્મનંદ સભા આ૦ સ0=આગમોદય સમિતિ ઉ0 ઉત્તર સીમા ઉ0 ઉપકેશ યાને ઉકેશ ઉપા૦=ઉપાધ્યાય ઋ૦ કે, જૈ૦ સં૦=ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા ઋતુ છ0=ઋષભદેવજી છગનીમલજી ક0 તા) ઍ૦=કન્નડપ્રાન્તીય તાડપત્રીય
ગ્રન્થસૂચી કલિ૦=કલિકાલસર્વજ્ઞ કા =કાસદ્રહ કૃ-કૃષ્ણર્ષિ ખં)=ખંડિલ્લા ગ૦૨૦મ0=ગણરત્નમહોદધિ કે પ્રચૂ૦=કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ ગસાસં =ગણિતસારસંગ્રહ ગા) પૌ૦ ગ્રં૦=ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળા ગુ0મિ0 તથા ગુ0 દO=ગુજરાતમિત્ર તથા
ગુજરાત દર્પણ ગૃ૦=ગૃહસ્થ ચં) ચંદ્ર
ચ૦ પ્રચતુર્વિશતિપ્રબન્ધ : જ0 મ0=જઇણ મહદ્વી જિ૦૨૦કો = જિનરત્નકોશ જેસલ0 સૂચી=જેસલમેરીય ભાષ્કાગારીય ગ્રન્થસૂચી જૈ૦ આ૦ સ0=જૈન આત્માનંદ સભા જૈ0 ગ્રં=જૈન ગ્રન્થાવલી જૈ૦ ગ્રં૦ પ્ર૦ સ0 જૈન ગ્રન્થ પ્રકાશક સભા જૈ૦ ૫૦ પ્ર0 સંઇ=જૈન પુસ્તક પ્રચારક સંસ્થા જૈ૦ ધ પ્ર0=જૈન ધર્મ પ્રકાશ જૈ૦ ધ0 પ્ર0 સ0 જૈન ધર્મ પ્રસારક સભા જૈ૦ સ૦ પ્ર૦=જૈન સત્ય પ્રકાશ જૈ૦ સારુ ઇ0=જૈન સાહિત્ય ઔર ઇતિહાસ જૈ૦ સા૦ સં=જૈન સાહિત્ય સંશોધક જૈ૦ સા૦ સં૦ ઇ૦=જૈન સાહિત્યનો સંક્ષિપ્ત
ઇતિહાસ જૈ૦ સિ૦ ભાઇ=જૈન સિદ્ધાન્ત ભાસ્કર તવ=તપ, તપા તસૂચ=તત્ત્વાર્થસૂત્ર ત્રિષષ્ટિ =ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર સૈ૦ સૈમાસિક દિવ=દિગંબર દિ૦ જૈ4=દિગંબર જૈન દિ૦ જૈ૦ ગ્રં૦=દિગંબર જૈન ગ્રન્થમાલા દે૦ લાવ દે૦ ૫૦ સં૦ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા ના૦ નાગેન્દ્ર ના) તવ=નાગપુરીય નાગોરી તપા પત્તન૦ સૂચી= પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાડાગારીય
ગ્રન્થસૂચી
For Personal & Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
સંકેત-સૂચી
૨૫૫
પાઠ ભાઇ સાવ=પાઇય (પ્રાકૃત) ભાષાઓ અને વિ૦=વટ (ગચ્છ) સાહિત્ય
જૈ૦=શ્વેતાંબર પૂ૦=પૂર્વ સીમા
સંવવ્યા૦ ઇ૦=સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્ર કા ઇતિહાસ પૂર્ણ=પૂર્ણતલ્લ
સ૦ ૫૦=સમ્મઇપયરણ પૌ૦=પર્ણમિક યાને પૂર્ણિમા
સ0 જૈ0 ગ્રં૦ સનાતન જૈન ગ્રંથમાલા પ્ર0 ચ=પ્રભાવક ચરિત
સિં૦ જૈ૦ ગ્રં૦ સિંઘી જૈન ગ્રંથમાલા પ્ર૦ ચિંઈ=પ્રબંધચિન્તામણિ
હ૦ કુ0= શ્રીહેમચન્દ્રકૃતિકુસુમાવલી ફારુ ગુરુ સ0=ફાર્બસ ગુજરાતી સભા ,
હ૦=હર્ષપુરીય ગચ્છ બૃO=બૃહતું
હી) હO=હીરાલાલ હંસરાજ બૃ૦ ટિ = બૃહટ્ટિપ્પનિકા
હેતુ સ0 હેમચંદ્રાચાર્ય સભા બૃ૦ ત = બૃહત્ તપા
A BOR I=Annls of the Bhandarkar Orienભ૦=ભટ્ટારક
tal Research Institute ભાં૦ પ્રા૦ સં૦ નં૦ ભાંડારકર પ્રાર્થ્ય વિદ્યા BSS=Bombay Sanskrit Series સંશોધન મંદિર
Bul. of the Cal. Math. Society=Bulletin of
the Calcutta Mathematical Society મ0=મલધારી
DCGC M=Descriptive Catalogue of the મા૦ દિ0 જૈ૦ ગ્રં =માણિક(કય) ચન્દ્ર દિગંબર
Government Collections of Manuજૈન ગ્રંથમાલા
scripts મુવક0 જૈ૦ મો૦મા =મુક્તિકમલ જૈન મોહન માલા GSA I=Giornale Della Socitra Asiatica
Italiana યા૦=યાપનીય
HCS L=History of Classical Sanskrit Litય૦ જૈ૦ ગ્રં૦ યશોવિજય જૈન ગ્રન્થમાલા
erature યજૈસે યશોવિજયજૈન સંસ્કૃત પાઠશાલા HIL=History of Hindu Letcraturer લ૦ લગભગ
IL DEILLustrations of H.H.M. History of
Hindu Mathematics રાઇ=રાજ(ગચ્છ)
Letter=Diagrams ૩૦-રુદ્રપલ્લીમ
JBBRAS=Journal of the Bombay Branch of લગ્રં =શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા
the Royal Asiatic Society લું)=લુંકા ગચ્છ
JU B=Journal of the University of Bombay વા0 વાગડ
SIF 1=Studi Italiani di Filologia
Indo=Iranica વિ.સં વિક્રમ સંવત્
Z DM G=Zeitschrift der Deutschen વિસસા=વિસેરાવસ્મયભાસ
Morgenlandischen Gesellschaft
૧. આ જૈન ગ્રન્થોની સૂચી છે. એ “જૈન સાહિત્ય સંશોધક(ખંડ ૧, અં. ૨)માં છપાઇ છે.
For Personal & Private Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ સંપાદિત-સંકલિત
પ્રકાશિત ગ્રંથો હરસૌભાગ્ય (સટીક) પ્રવચન સારોદ્ધાર વિષમપદ વ્યાખ્યા દસમાવગચરિયું ધર્મરત્નકરંડક કથારત્નાકર પ્રભાવકચરિત્ર (ગુજરાતી ભાષાંતર) ઉપમિતિ કથોદ્ધાર કર્તા : પં. શ્રી હંસરત્નગણી વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના : લે. પં. કલ્યાણવિજય ગણી શ્રમણ ભગવાન મહાવીર : ૫. કલ્યાણવિજય ગણી જીવાજીવાભિગમ આ. હરિભદ્રસૂરિટીકા (મુદ્રણાલયમાં) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લે. મોહનલાલ દેસાઈ
દસવૈકાલિકસૂત્ર : પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરિ મ. સા. ના વિવેચન સાથે કર્મગ્રંથ : રમ્યરેણુ, શાંતિનાથ ચરિત્ર-સાનુવાદ : રમ્યરેણુ,
દાનોપદેશમાલા-સવિવેચન : રરેણુ પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા.ની વાચનાઓ દરિસણ તરસિએ ભા. ૧-૨ | બિછરત જાયે પ્રાણ આપ હિ આપ બુઝાય
સો હિ ભાવ નિગ્રંથ ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરો મેરે અવગુણ ચિત્ત ન ધરો આતમજ્ઞાની શ્રમણ કહાવે
પ્રભુનો પ્યારો સ્પર્શ આત્માનુભૂતિ
અસ્તિત્વનું પરોઢ -: પ્રાપ્તિસ્થાન :આ. શ્રી ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧.
For Personal & Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________ Stબર ગ્રાફિકહ્યું ભુ માર્કેટ, પાંજરાપોળી, રીવિફ શેડ, મહાવાદ-જે શોનો 213466, રસ્પરાજીરૂ Fof Personat e Pavate Use Only www.janetararvorg