SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ મુક્તકો અપભ્રંશમાં છે અને એ અનેક રીતે મહત્ત્વનાં છે. આ પ્રકાશિકાનું પરિમાણ ૨૨૦૦ શ્લોક જેવડું દર્શાવાય છે. આ પ્રકાશિકાને કેટલાક બ્રહવૃત્તિનો ભાગ ગણે છે. હૈમ-લઘુ-વૃજ્યવચૂરિ-આ સિ. હે.ની લઘુવૃત્તિની અવચૂરિ હોય એમ લાગે છે એમ જ હોય તો પણ એ સ્વપજ્ઞ લઘુવૃત્તિની છે કે કેમ તે જાણવું બાકી રહે છે. ધનચન્દ્રના નામે ૬૫ પત્રની એક P ૭૦ અવચૂરિની તેમજ ૨૨૧૩ શ્લોક જેવડી અને ચતુષ્ક-વૃત્તિ ઉપરની એક અજ્ઞાતકર્તક અવયૂરિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૦)માં છે. જિ. ૨. કો. (નં. ૧, પૃ. ૩૭૬)માં જે કૃતિ દેવેન્દ્રના શિષ્ય ધનચન્દ્ર રચેલી દર્શાવાઈ છે અને જેની એક હાથપોથી વિ. સં. ૧૪૦૩માં લખાયેલી નોંધાયેલી છે તે જ આ હોય એમ લાગે છે. હેમલધુવૃત્તિઢુંઢિકા યાને હૈમલઘુવૃત્તિદીપિકા-આ મુનિશેખરની ૩૨૦૦ શ્લોક જેવડી રચના છે. એની વિ. સં. ૧૪૮૮માં લખાયેલી એક હાથપોથી મળે છે. એ તપાસાય તો આ રચના અ. ૧-૭ પૂરતી છે કે આઠ અધ્યાયને અંગેની છે તેનો નિર્ણય થઈ શકે. લઘુવૃત્યવચૂરિ–આ અવચૂરિ પહેલા ચાર અધ્યાય પૂરતી છે. એ નંદસુંદરે રચી છે અને એની વિ. સં. ૧૫૧૦માં લખાયેલી હાથપોથી મળે છે. લઘુવ્યાખ્યાનકુંઢિકા–આ ૩૨૦૦ શ્લોકની કોઈકની કૃતિ છે. એની એક હાથપોથી પુરતમાં છે. લઘુવૃજ્યવચૂરિ પરિષ્કાર-આનો પ્રારંભ “પ્રખ્ય તબૅિટું પાર્થ''થી કરાયો છે. રહસ્ય-વૃત્તિ-સિ. હે. ઉપર જે સ્વપજ્ઞ લઘુવૃત્તિ છે તેનો અભ્યાસ ન કરી શકે જનોને P ૭૧ લક્ષીને આ રહસ્ય-વૃત્તિ રચાઈ છે. એથી તો સિ. હે.માંનાં પ્રસિદ્ધ તેમજ વિરલ પ્રસંગે ઉપયોગી એવાં તમામ સૂત્રોનું અહીં સ્પષ્ટીકરણ નથી. લઘુવૃત્તિમાં અપાયેલાં કેટલાંક ઉદાહરણો પણ અહીં જપ્ત કરાયાં છે. આમ આ રહસ્ય-વૃત્તિ લઘુવૃત્તિને મુકાબલે નાની- લગભગ અઢી હજાર શ્લોક જેવડી અ• વિશેષ સુગમ બનાવાઈ છે. આ રહસ્ય-વૃત્તિમાં અધ્યાય પૂરો થાય એવાં એક બે સ્થળે “સ્વોપજ્ઞ' એવો ઉલ્લેખ જોવાય છે. એ ઉપરથી કેટલાક એના પ્રણેતા તરીકે હેમચન્દ્રસૂરિનું નામ સૂચવે છે, પરંતુ એ બાબત વિચારણીય જણાય છે. ૧. આ પરિષ્કાર “શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન સંસ્કૃત ગ્રંથમાલા”માં કટકે કટકે વિ. સં. ૨૦૦૨થી આજ દિન સ્વી પ્રસિદ્ધ થતો રહ્યો છે. ૨. આ રહસ્ય-વૃત્તિ સહિત એ પૂરતો સિ. હે.નો વિભાગ “જૈન શ્રેયસ્કર મંડળ તરફથી વિ. સં. ૨૦૦માં પ્રકાશિત થયો છે. એનું સંપાદન પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે કર્યું છે. સૂત્રોની સામે બાજુમાં વિષયસૂચક શીર્ષકો અપાયાં છે તેથી વિદ્યાર્થીનો માર્ગ સુગમ બન્યો છે. અંતમાં ગણદીઠ તેમજ પટાગણદીઠ ધાતુઓની એના પદ અનુસાર સંખ્યા અપાઈ છે. ત્યાર પછી હૈમ ધાતુપાઠ તેમજ અનુબંધ-ફલ અને વૃત-ગણ-ફૂલની કારિકાઓ અને અનિ-કારિકાઓ અપાઈ છે. અનિદ્ ધાતુઓને અંગે કોષ્ટક અપાયેલું છે. લગભગ પ્રારંભમાં “વર્ણોનો યંત્ર” અપાયો છે. આ રહસ્યવૃત્તિનું સંપાદન સુરતના “જૈનાનંદ પુસ્તકાલયની એક હાથપોથીને આધારે કરાયું છે. અહીં જે ૭૯૩ ક્રમાંકવાળી હાથપોથી છે તે જ આ હશે. ૩. વિનયવિજયકૃત હૈમલઘુપ્રક્રિયાનું પરિમાણ પણ લગભગ આટલુંજ છે, પરંતુ એ પ્રક્રિયારૂપે યોજાયેલી હોવાથી સ્વોપન્ન બૃહદ્રવૃત્તિના પ્રવેશદ્વારની ગરજ સારી શકતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy