SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૬૬-૬૯] ૩૯ આ પદ્યો સંસ્કૃત ન્યાશ્રય-કાવ્યનું સ્મરણ કરાવે છે. એ આ કાવ્યની રચના બાદ એના નવનીત રૂપે યોજાયાં હશે કે પછી એ પદ્યરૂપ બીજકમાંથી સંસ્કૃત ન્યાશ્રય-કાવ્યરૂપ વૃક્ષ ઉદ્ભવ્યું હશે એનો નિર્ણય કરવો બાકી રહે છે. ઉપર્યુક્ત ૩૫ પદ્યો પૈકી અ. ૨, પા. ૨ ના અંતમાં અપાયેલા નિમ્નલિખિત પદ્યના અર્થ અને પાઠાંતર વિષે સિ. હે.ની પ્રસ્તાવના (પૃ. ગ, ધ અને ધા)માં ચંદ્રસાગરજીએ ચર્ચા કરી છે : "मूलार्कः श्रूयते शास्त्रे सर्वकल्याणकारणम् । अधुना मूलराजस्तु चित्रं लोकेषु गीयते ॥" સ્વયજ્ઞ લઘુવૃત્તિ-સિ. હે.ના વિશદ પરંતુ સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ માટે “કલિ.’ હેમચન્દ્રસૂરિએ આ લઘુવૃત્તિ રચી છે. લઘુવૃત્તિ” એવો પ્રયોગ અ. ૧-૭ માટેની, કેવળ અ. ૮ માટેની તેમજ અ. ૧-૮ એટલે કે સંપૂર્ણ સિ. હે. માટેની સ્વોપજ્ઞ સંક્ષિપ્ત વૃત્તિ એમ ત્રણ ભિન્ન ભિન્ન અર્થમાં કરાય છે, પણ આ ત્રણેમાંથી ગમે તે જાતની લઘુવૃત્તિમાં ગણપાઠને સ્થાન નથી. અ. ૧-૭ સુધીની લઘુવૃત્તિનું પરિમાણ છ હજાર શ્લોક જેવડું ગણાય છે અને એથી એને છહજારી' કહે છે.' પ્રકાશિકા-કેવળ આઠમા અધ્યાય પૂરતી લઘુવૃત્તિને કેટલાક આ નામથી ઓળખાવે છે. એમાં P ૬૯ વિષયને વ્યક્ત કરવા ઉપરાંત બીજી કોઈ જાતની સામગ્રી અપાઈ નથી. અપભ્રંશનાં સૂત્રોને અંગેના ૧. આ છહજારી અ. ૧-૭ સુધીનાં સૂત્રો સહિત “યશોવિજ્ય જૈન ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૦૫માં છપાઈ હતી. એ દુષ્માપ્ય બનતાં “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” તરફથી એ મૂળ સૂત્રો સહિત ઈ.સ. ૧૯૩૪માં પ્રકાશિત કરાઈ હતી. એનું સંપાદન મુનિશ્રી હિમાંશુવિજયજીએ કર્યું હતું. એમાં એમણે કેટલાંક સૂત્રોમાં સંધિ છતી કરી હતી. પં. દક્ષવિજયજીએ આ લઘુવૃત્તિનું મૂળ સહિતનું સંપાદાન કર્યું છે અને એ “વિજયનેમિસૂરિ-ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૩) તરીકે સંપાદક તૈયાર કરેલાં ૧૩ પરિશિષ્ટો સહિત વિ. સં. ૨૦૮માં છપાઈ છે. તેર પરિશિષ્ટો પૈકી બાર તો ધાતુઓ સાથે એક યા બીજી રીતે સંબદ્ધ છે. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી'' તરફથી આઠ અધ્યાયની લઘુવૃત્તિ મૂળ કૃતિ તેમજ ધાતુપાઠ સહિત વિ. સં. ૧૯૫૦માં છપાવાઈ છે. લિ. વૃ. મુનિશ્રી જંબૂવિજય મ. દ્વારા સંશોધિત સંપાદિત થઈ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણથી પ્રગટ થઈ છે. એની બીજી આવૃત્તિ પણ ટૂંકમાં પ્રગટ થશે. લ. વૃ.નો ગુજરાતી અનુવાદ પં. બેચરદાસ (પ્ર. યુનિ. ગ્રં. નિ. બોર્ડ), આ ચન્દ્રગુપ્તસૂરિ અને આ મહિમાપ્રભસૂરિના પ્રગટ થયા છે. પં. શિવલાલભાઇનું સિદ્ધહેમસારાંશ વ્યા. પણ પ્રસિદ્ધ થયેલ છે લઘુવૃત્તિ ઉપર મુનિ વિમલરત્ન વિ. કૃત ગુણરત્નાવૃત્તિ ક. સો. પેઢી પિંડવાડાથી પ્રસિદ્ધ છે.] ૨. આને સમીક્ષાત્મક સંપાદન આર પિશલે કર્યું છે. એ વિદ્વાને જર્મન અનુવાદ આપી એની મહત્તામાં વૃદ્ધિ કરી છે. આ સંપાદન ઈ. સ. ૧૮૭૭-૮૦માં છપાયું છે, એ આજે મળતું નથી. શ્રી મોતીલાલ લાધાજી (હવે મુનિશ્રી કેવલવિજયજી) તરફથી ઈ.સ. ૧૯૨૮માં આ પ્રકાશિકા અ. ૮નાં સૂત્રો સહિત પ્રકાશિત કરાઈ છે, એનું સંપાદન ડૉ. પી. એલ. વૈદ્ય કર્યું છે. એમણે પાઇય પદ્યની સંસ્કૃતમાં છાયા આપી એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. અંતમાં એમણે શબ્દોની તેમજ ધાત્વાદેશની સૂચી આપી છે. “Bombay Sanskrit and Prakrit Serise”માં ગ્રંથાંક ૬૦ના પરિશિષ્ટ તરીકે પૃથક્ સ્વરૂપે પ્રકાશિકા અ. ૮નાં સૂત્રો તેમજ ઉપર્યુક્ત બે સૂચી સહિત ઈ.સ. ૧૯૩૬માં છપાવાઈ છે. એનું નામ “હેમચન્દ્રનું પ્રાકૃત વ્યાકરણ” એવું રખાયું છે. [આ પછી પં. શ્રી વજસેન વિ. ગણિના સંપાદન પૂર્વક પ્રાકૃત વ્યા. પ્રગટ થયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy