SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૬૯-૭૩] ૪૧ કાકલની કૃતિ યાને ઢંઢિકા-દીપિકા-હેમચન્દ્રસૂરિના સમકાલીન અને સિ. હે.ના અધ્યાપન માટે નીમાયેલા મુખ્ય અધ્યાપક, કાયસ્થ, આઠ વ્યાકરણોના જ્ઞાતા કાકલે આ વ્યાકરણ ઉપર એક વૃત્તિ રચી છે. કેટલાક એને લઘુવૃત્તિ કહે છે તો કેટલાક એને મધ્યમવૃત્તિ કહે છે. વળી જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. 39૬)માં કાકલની રચેલી લઘુવૃત્તિને ઢંઢિકાદીપિકા કહી છે. અહીં કહ્યું છે કે આ ચતુષ્ક, આખ્યાત, કૃત અને તદ્ધિત પૂરતી છે અને એનું પરિમાણ છ હજાર શ્લોકનું છે. 1મધ્યમવૃત્તિ-કેટલાકનું એમ માનવું છે કે હેમચન્દ્રસુરિએ સિ. છે. પ્રથમના સાત અધ્યાય ઉપર R ૭૨ આઠ હજાર શ્લોક જેવડી. મધ્યમવૃત્તિ રચી હતી અને આજે જે મળે છે તે જ એ છે. બ્રહવૃત્તિ યાને તત્ત્વપ્રકાશિકા કિંવા અઢાર હજારી-સ્વોપજ્ઞ છહજારી લઘુવૃત્તિની અપેક્ષાએ આ વૃત્તિ ઘણી મોટી હોવાથી એને “બૃહવૃત્તિ' કહે છે. “કલિ.’ હેમચન્દ્રસૂરિએ જે ન્યાસ-બૃહન્યાસ રચ્યો છે તે આ બ્રહવૃત્તિના વિવરણરૂપ છે અને એ બૃહન્યાસનું નામ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ હોવાનું સૂચવાય છે. આને લઈને કે પછી અન્ય કોઈ કારણસર બૃહદ્રવૃત્તિને તત્ત્વપ્રકાશિકા કહે છે. એનું પરિમાણ ૧૮00 P ૭૩ શ્લોક જેવડું હોવાથી એને અઢારહજારી પણ કહે છે. આ બ્રહવૃત્તિ પ્રથમના સાત અધ્યાય પૂરતી જ છે એમ ઘણાખરાનું માનવું છે. કેટલાકને મતે આઠમા અધ્યાય ઉપર જે સ્વોપજ્ઞવૃત્તિ મળે છે તે આ બૃહદ્ઘત્તિનો ભાગ છે, કિંતુ એ સ્વોપજ્ઞ વૃત્તિ મળે છે તે આ બ્રહવૃત્તિનો ભાગ છે, કિન્તુ એ સ્વોપજ્ઞા વૃત્તિમાં કોઈ વિશિષ્ટ પ્રકારની ચર્ચા નહિ હોવાથી તેમજ એની શૈલી લઘુવૃત્તિના જેવી હોવાથી એ લઘુવૃત્તિનો ભાગ ગણાવો ઘટે તેનું શું ? ૧. આનો ચતુષ્ક-વૃત્તિ પૂરતો સિ. હે.ના ૩-૨-૧૫૬ સુધીનાં સૂત્રોને અંગેનો એક અંશ એ સૂત્રો તેમજ એને કર્ણક અવરિ સહિત “સિદ્ધહેમ-શબ્દાનુશાસનમ્ પ્રથમ વિમ:' એવા નામથી “શેઠ મોતીશાલાલબાગ-જૈન ચેરીટી-પ્રકાશન ૨'-“શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”ના ૩૩માં મણિ તરીકે વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત કરાયો છે. એનાં પૃ. ૧-૨૪૮નું સંપાદન શ્રી વિજયક્ષમાભદ્રસૂરિએ અને બાકીનાનું એમના સ્વર્ગવાસ બાદ મુનિશ્રી વિક્રમવિજયજીએ કર્યું છે. આ મધ્યમવૃત્તિ અને અવરિ ભા.-૨નું આ રાજશેખરસુરિજીએ સંપાદન કર્યું છે. બીજો ભાગનું પુનઃ પ્રકાશન આ રાજશેખરસૂરિજી અને મુનિ રત્નજ્યોતિ વિ. દ્વારા સંશોધિત થઇ રંજન વિ. લાયબ્રેરી માલવાડાથી થયું છે.] ૨. સિ. હે. (અ. ૧-૭) એને અંગેની બૃહદ્ઘત્તિ તેમજ દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભકૃત બૃહસ્થાસદુર્ગપદવ્યાખ્યા યાને વાસસારસમુદ્ધાર (કે જે “લઘુન્યાસ” તરીકે સુપ્રસિદ્ધ છે તે) સહિત “શેઠ મનસુખભાઈ ભગુભાઈ” તરફથી વિ. સં. ૧૯૬૨માં પત્રકારે પ્રસિદ્ધ કરાયેલ છે. પં. ચન્દ્રસાગરગણિ (હવે સૂરિ) દ્વારા “કારક' પર્વતની આનંદબોધિની નામની ટીકા સહિત આ બૃહદ્વૃત્તિ વિ. સં. ૨૦૦૨માં છપાઈ છે. એ સૂરિએ કેવળ બ્રહવૃત્તિ સહિત દસ પાદ સુધીનો ભાગ સંપાદિત કર્યો છે અને એ વિ. સં. ૨૦૦૭માં છપાયો છે એમાં અંતમાં અમરચન્દ્ર સૂરિકૃત સ્વાદિશબ્દસમુચ્ચય અને જયાનંદસૂરિકૃત સ્વાદિશબ્દદીપિકા અપાયેલ છે. “વ્યાકરણવિશારદ' શ્રી વિજયલાવણ્યસૂરિજી દ્વારા સિ. હે. (અ. ૧) એને અંગેની બૃહદ્ઘત્તિ, કનકપ્રભક્ત લઘુન્યાસ તેમજ હૈમબૃહદ્યાસ, લિંગાનુશાસન અને એના સ્વપજ્ઞ વિવરણ તેમજ ત્યાશ્રયકાવ્ય (સ. ૧) સહિત સંપાદિત થઈ એ અમદાવાદની “જૈનગ્રન્થ પ્રકાશક સભા” તરફથી હાલમાં (વિ. સં. ૨૦૦૭)માં બહાર પડેલ છે. એનું નામ “શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્” રખાયું છે. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૫)માં આને બદલે પ્રકાશિકા, બલાબલવૃત્તિ અને ઢુંઢિકા એવાં નામો અપાયાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy