SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ નવમી સદીની પછીનો નથી એમ કહ્યું છે, પરંતુ પ્રો. વેલણકરે જિ. ૨૦ કો. (ખંડ ૧, પૃ. ૨૧૧)માં એમ P ૧૦૮ સૂચવ્યું છે કે આ પદ્ય મૂળે ધનંજયનું નહિ, પરંતુ કોઈ પ્રાચીન કૃતિનું હશે. શકસંવત્ ૭૦૫માં હરિવંશ પુરાણ રચનારા દિ. જિનસેન પહેલાએ તેમજ જયધવલાને સંવત્ ૮૯૪માં પૂર્ણ કરનારા દિ. જિનસેન બીજાએ પણ કવિઓની પ્રશંશા કરતી વેળા ધનંજયનું નામ લીધું નથી એ હકીકત પણ વિચારવી ઘટે. ધનંજય-નામમાલાની ઈ. સ. ૧૯૫૦ની ઉપર્યુક્ત આવૃત્તિમાં ૨૦૩ પદ્યો છે, જ્યારે અન્યત્ર ૨૦૫ છે. આ આવૃત્તિનું ૨૦૧મું "પદ્ય ધનંજયની કૃતિની પ્રશંસારૂપ છે એટલે એ ધનંજયનું કેમ હોઈ શકે ? તેમ છતાં પં. મહેન્દ્રકુમારે એને ધનંજયનું જ માની એમની પૂર્વ સીમા નક્કી કરી છે – દિ. અકલંક પછી એઓ થયા છે એમ કહ્યું છે. ધનંજય-નામમાલામાં અસલ બસો જ પડ્યો હોવાં જોઈએ એમ લાગે છે, જો કે એની એક આવૃત્તિમાં ૨૦૩ અને બીજામાં ૨૦૫ પદ્યો જોવાય છે. ધનંજયે એક શબ્દ ઉપરથી શબ્દાંતર બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. દા. ત. “પૃથ્વી'વાચક શબ્દો રજૂ કરી એની આગળ “ધર” શબ્દ જોડી “પર્વત'વાચક શબ્દો, “મનુષ્ય'વાચક શબ્દ આગળ ‘પતિ' જોડી “નૃપ'વાચક શબ્દો અને ‘વૃક્ષ'વાચક શબ્દ આગળ “ચરજોડી “વાનર'વાચક શબ્દો બનાવવાની વાત એમણે કહી છે. ભાષ્ય-એના કર્તા અમરકીર્તિ છે. એમણે પર્યાયવાચક શબ્દોને રજૂ કરતી આ ધનંજય-નામમાલા ઉપર આ ભાષ્ય સંસ્કૃતમાં રચ્યું છે. એ દ્વારા એમણે શબ્દદીઠ પર્યાયોની સંખ્યા દર્શાવી પ્રત્યેક શબ્દની P ૧૦૯ વ્યુત્પત્તિ સૂત્રના નિર્દેશપૂર્વક આપી એનું સ્પષ્ટીકરણ કર્યું છે. વળી એમણે અન્ય પર્યાયવાચક શબ્દો કોઈ કોઈ વાર ઉમેર્યા છે. અમરકોશની સુપ્રસિદ્ધ ટીકામાં એના ટીકાકાર ક્ષીરસ્વામીએ જે શૈલીએ કામ કર્યું છે એ શૈલીએ આ ભાષ્ય રચાયું છે. ધનંજય-નામમાલા (શ્લો. ૧૨૨)ના ભાષ્ય (પૃ. ૬૨)માં આશાધરમહાભિષેકનો ઉલ્લેખ છે. આ દિ. આશાધરે વિ. સં. ૧૩00માં અનગાર-ધર્મામૃતની સમાપ્તિ કરી હતી એટલે આ અમરકીર્તિના સમયની પૂર્વ સીમા છે. અમરકીર્તિએ ભાષાના પ્રારંભમાં કલ્યાણકીર્તિને નમસ્કાર કર્યો છે. એ કલ્યાણકીર્તિ તે વિ. સં. ૧૩૫૦માં જિનયજ્ઞફલોદયને સમાપ્ત કરનાર જ હોય તો એ અમરકીર્તિના સમયની ઉત્તર સીમા ગણાય. અમરકીર્તિએ હૈમ નામમાલાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે એટલે એમનો સમય આ કૃતિની રચના પછી લગભગ પચાસેક વર્ષ જેટલો તો મોડો હશે જ. નિઘંટ-સમય-આ નામથી બે પરિચ્છેદ પૂરતી ધનંજયની નામમાલાની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં લેવાઈ છે તો એ નામમાલા તે કઈ ? ધનપાલીય કોશ (ઉં. વિક્રમની ૧૧મી સદી)- આ કોશના કર્તા જન્મ વૈદિક ધર્માવલંબી વિમ ધનપાલ છે. આગળ જતાં એમના લઘુ બંધુ શોભન મુનિવરને હાથે પ્રતિબોધ પામી એમણે જૈન ધર્મ ૧. આ રહ્યું એ પદ્ય :___ “प्रमाणमकलङ्कस्य पूज्यपादस्य लक्षणम् । द्विसन्धानकवेः काव्यं रत्नत्रयमपश्चिमम् ।।२०१ ।।" ૨. જુઓ ડૉ. પી. એલ. વૈદ્યનું પ્રાકથન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy