SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૦૭-૧૧૧] સ્વીકાર્યો હતો. એમના પિતા અને પિતામહનાં નામ અનુક્રમે સર્વદેવ અને દેવર્ષિ હતાં. એ ધનપાલને સુંદરી નામે બેન હતી. એ ધનપાલ “ધારા'નગરીના રાજા “મુંજના માનીતા હતા. એમને એ રાજા ‘સરસ્વતી' કહેતા. મુંજ પછી ગાદીએ આવનાર ભોજ રાજાએ એમને સિદ્ધસારસ્વત, કવીશ્વર અને B ૧૧૦ કૂર્ચાલ-સરસ્વતીનાં બિરુદ આપ્યાં હતાં એમણે ઉપર્યુક્ત કોશ ઉપરાંત નીચે મુજબની બે સંસ્કૃત કૃતિઓ રચી છે : (૧) પતિલકમંજરી અને (૨) શોભન-સ્તુતિની ટીકા. એમણે સર્વાશે પાઇયમાં નીચે મુજબની ચીર કૃતિઓ રચી છે :- (૧) ઉસભ-પંચાસિયા, (૨) પાઇય-લચ્છી-નામમાલા, (૩) વીર-થઈ (૩૦ પઘો) અને (૪) સાવયવિહિ. આ ઉપરાંત એમણે દસ પદ્યની ૧૦વીર-થઈ અર્ધ-સંસ્કૃતમાં અને સચ્ચરિમંડણ” મહાવીર ઉચ્છાહ “અપભ્રંશ'માં રચ્યાં છે. આ કવિવર ધનપાલે કોશ રચ્યો હતો એમ અભિ. ચિ. (કાંડ ૧, ગ્લો. ૧)ની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૧)માં જે ‘વ્યુત્પત્તિર્ધનપાનતઃ' એવો ઉલ્લેખ “કલિ.’ હેમચન્દ્રસૂરિએ કર્યો છે એ ઉપરથી અનુમાનાય છે. એક ૧૧૧ ટિપ્પણીમાં ૧૮૦૦ શ્લોક જેવડી નામમાલાના કર્તા તરીકે ધનપાલનો ઉલ્લેખ છે.૧૨ એ નામમાલા પાયલચ્છી-નામમાલાથી મોટી હોઈ એનાથી તો ભિન્ન ગણાય, પણ શું એ નામમાલા સંસ્કૃતમાં છે અને તે જ આ • કોશ છે ? વિશેષમાં આ કોશ રચાયો ત્યારે ધનપાલ “જૈન” બન્યા હતા કે નહિ એ પ્રશ્ન પણ વિચારવાનો રહે ૧. એઓ મધ્યદેશમાં “સંકાસ્ય' નામના નિવેશમાં રહેતા હતા. એને સંયુક્ત પ્રાંતના ફરૂકાબાદ જિલ્લાના સંકિસ” ગામ તરીકે ઓળખાવાય છે. ૨. એમનું વિ. સં. ૧૦૩૧નું દાનપત્ર મળે છે. એ રાજાનું મૃત્યુ વિ. સં. ૧૦૫૦થી ૧૦૫૪ના ગાળામાં થયું હતું. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૯૮) ૩. જુઓ તિલકમંજરી (શ્લો. ૫૩). ૪. એમનો સમય વિ. સં. ૧૦૭૪થી ૧૧૧૬નો ગણાય છે. ૫. આ “કાવ્યમાલા” (૮૫)માં ઈ. સ. ૧૯૦૩માં છપાયેલી છે. ૬. આ સ્તુતિ આ ટીકા સહિત” “આ. સ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાઈ છે. વળી એ સ્તુતિ “આ. સા.” તરફથી અન્ય સંસ્કૃત ટીકાઓ સહિત ઈ. સ. ૧૯૩૦માં પ્રકાશિત થઈ છે. આ બંનેનું સંપાદન મેં કર્યું છે. ૭. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થઈ છે. એમાં આજ ધનપાલની વિરોધાલંકારથી વિભૂષિત ૩૦ પોની વીરકુઈ તેમજ દસ પદ્યોની અર્ધ-સંસ્કૃત વીર-સ્તુતિ છપાયેલી છે. આનું સંપાદન મારે હાથે થયું છે. ૮. આની રચના વિ. સં. ૧૦૨૯માં થયાનો એમાં ઉલ્લેખ છે. આ પ્રકાશિત છે. એના પરિચયાદિ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૫૬, ૫૮, ૨૪૨ અને ૨૪૩). ૯-૧૦. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૫. ૧૧. આ “જૈ. સા. સં.” (ખંડ ૩, અંક ૩)માં છપાયેલો છે. એના પરિચયાદિ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૨૦૩). ૧૨. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૯૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy