SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : [પ્ર. આ. ૧૦૪-૧૦૭] ધનંજય-નામમાલા (ઉ. વિક્રમની ૧૧મી સદી) - આના કર્તા એક દિ. ગૃહસ્થ નામે ધનંજય ૧૦૬ છે. એમણે ૪૬ પદ્યોની અનેકાર્થ-નામમાલા, રાઘવ-પાણ્ડવીય નામનું દ્વિસંધાન-કાવ્ય અને ૩૯ કે ૪૦ પદ્યનું સવિષાપહારસ્તોત્ર એમ અન્ય ત્રણ કૃતિઓ રચી છે. “અનેકાર્થ-નિઘંટુ એમની કૃતિ છે કે એમના નામરાશિ ધનંજયની છે એનો નિર્ણય કરવો બાકી રહે છે. દ્વિસંધાન-કાવ્યના અંતિમ પદ્યની ટીકામાં એના કર્તાએ-ટીકાકારે ધનંજયનાં માતા, પિતા અને ૧૦૭ ગુરુના નામ અનુક્રમે શ્રીદેવી, વસુદેવ અને દશરથ દર્શાવ્યા છે. પ્રસ્તુત ધનંજય વિક્રમની અગિયારમી સદીની પહેલાં થયા છે એમ બેધડક કહી શકાય, કેમકે પ્રેમેયકમલમાર્તડ (પૃ. ૪૦૨)માં એના કર્તા પ્રભાચંદ્ર અને વાદિરાજસૂરિએ વિ. સં. ૧૮૮૨માં રચેલા પાર્શ્વનાથચરિત ( )માં એમના દ્વિસંધાનકાવ્યનો ઉલ્લેખ કર્યો છે. જ©ણે રચેલી સૂકિતમુક્તાવલીમાં જે રાજશેખરના નામે એક 'સૂક્તિ ધનંજયકૃત દ્વિસંધાનકાવ્યની પ્રશંસારૂપે જોવાય છે. એ રાજશેખર કાવ્યમીમાંસાના કર્તાથી અભિન્ન જ હોય તો આ ધનંજય દસમી સદીની પછી થયા નથી એમ કહેવાય. દિ. જિનસેનના ગુરુ વીરસેને ધવલા નામની ટીકા વિ. સં. ૮૭૩માં પૂર્ણ કરી છે. એમાં પૃ. ૩૮૭માં “હેતાવેવ''થી શરૂ થતું પદ્ય અવતરણરૂપે અપાયું છે. આ જ પદ્ય અનેકાર્થ-નામમાલામાં ૪૦માં (અન્ય આવૃત્તિ પ્રમાણે ૩૯મા) પદ્યરૂપે પણ જોવાય છે. એ ઉપરથી ૫. મહેન્દ્રકુમારે ધનંજયનો સમય ૧. આ કૃતિ (સ્લો. ૨૦૫)ની, ધનંજયકૃત અનેકાર્થ-નામમાલા, ૫. મોહનલાલ જૈનની એના ઉપરની તેમજ પ્રસ્તુત કૃતિ ઉપરની હિંદી “આદર્શ ટીકા'' તેમજ અનેકાર્થવાચક શબ્દો અને હિંદી અર્થ સહિતની ચોથી આવૃત્તિ શ્રી હરપ્રસાદ જૈન વિ. સં. ૧૯૯૯માં પ્રકાશિત કરી છે. આમાં પહેલી નામમાલામાં કયા કયા શબ્દના પર્યાય અપાયા છે તેની અકારાદિ ક્રમે નોંધ છે. પ્રસ્તુત ધનંજય-નામમાલા ઐવિદ્ય અમરકીર્તિકૃત ભાષ્ય, ધનંજયકૃત અનેકાર્થ-નામમાલા અને એની ટીકા, ધનંજયકત અનેકાર્થ-નિઘંટ અને એકાક્ષરી કોષ તેમજ (૧-૨) બંને નામમાલાના અને (૩) પ્રથમ નામમાલાના ભાષ્યના શબ્દોની, (૪) યૌગિક શબ્દોની, (૫) અનેકાર્થ-નિઘંટુના શબ્દોની (૬) ભાષ્યગણ અવતરણોની તેમજ (૭) ભાષ્યગત ગ્રંથો અને ગ્રંથકારોનાં નામોની એમ સાતની અકારાદિ ક્રમે સૂચી (અનુક્રમણિકાઓ), ડૉ. પી. એલ. વૈદ્યના અંગ્રેજી તેમજ હિંદીમાં એકેક પાનાના પ્રાકથન અને પં. મહેન્દ્રકુમારની હિંદી પ્રસ્તાવના સહિત “ભારતીય જ્ઞાનપીઠ કાશી” તરફથી ઈ.સ. ૧૯૫૦માં પ્રકાશિત થઈ છે. એનું સંપાદન ૫. શંભુનાથ ત્રિપાઠીએ કર્યું છે. સાથે સાથે એમણે સંસ્કૃત ટિપ્પણીઓ આપી છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપર્યુક્ત ટિપ્પણ. ૩. આ કાવ્ય ટીકા સહિત “કાવ્યમાલા''માં ઈ. સ. ૧૮૯૫માં પ્રકાશિત કરાયું છે. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણ ૧૯. ૪. આ “કાવ્યમાલા”ના સપ્તમ ગુચ્છકમાં છપાયું છે. આની ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦૭માં છપાઈ છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ६. "द्विसन्धाने निपुणतां स तां चक्रे धनञ्जयः । यया जातं फलं तस्य सतां चक्रे धनं जयः ।।" અર્થાત્ ધનંજયે (અર્જુને) દ્વિ-સંધાન કાવ્યમાં (બેવડા નિશાન લગાવવામાં જે નિપુણતા પ્રાપ્ત કરી એથી એને (કવિને અને અર્જુનને) સજ્જનોમાં ધન અને કીર્તિરૂપે ફળ મળ્યાં. ૭. આના કર્તા રાજશેખરનો ઉલ્લેખ સોમદેવ (ઈ. સ. ૯૬૦)કૃત યશસ્તિલકચંપૂમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy