SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ R ૧૦૪ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા ભાષાની સમૃદ્ધિ-સામાન્ય રીતે એમ મનાય છે કે કોઈ પણ ભાષા, પછી તે ગમે તેટલી સમૃદ્ધ હોય તો પણ તે માનવ જાતિના પ્રત્યેક વિચારને અને એની હરકોઈ લાગણીને પરિપૂર્ણ સ્વરૂપે રજૂ કરી શકે નહિ. બાકી દરેક ભાષા પાસે ખપપૂરતો તો શબ્દ-ભંડોળ હોય જ; નહિ તો એ દ્વારા વ્યવહાર કેમ ચાલે ? જે ભાષા પાસે અર્થના જાતજાતના સૂક્ષ્મ ભેદો (shades of meaning) ને રજૂ કરવા માટે યોગ્ય શબ્દ હોય-પુષ્કળ પર્યાયો હોય અને જેનામાં સંયોગાનુસાર નવા નવા શબ્દો યોજવા માટેની અનુકૂળતા હોય તે સમૃદ્ધ ગણાય. આવી એક આગળ પડતી સમૃદ્ધ ભાષા તે “સંસ્કૃત’ છે. નિઘંટુ-ભાષાનો શબ્દ-ભંડોળ તે એનો “કોશ' કહેવાય છે. કાવ્યો કરવા માટે તેમજ અન્ય પ્રકારનું કથન કે લખાણ સમજવા માટે કોશ ઉપયોગી છે. આથી આપણે ત્યાં સૌથી પ્રથમ વૈદિક શબ્દોના અર્થોના સ્પષ્ટીકરણ માટે નિઘંટુની રચના થઈ છે. નિઘંટુનો સામાન્ય અર્થ “કોશ' છે. એને “નામસંગ્રહ' તેમજ નામમાલા” પણ કહે છે. એને માટેનો અંગ્રેજી શબ્દ લેકિસકૉન (lexicon) છે. - ત્રિવિધ કોશ-સંસ્કૃત ભાષામાં ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓની પેઠે એનાર્થક તેમજ અનેકાર્થક P ૧૦૫ એમ ઉભય પ્રકારના શબ્દો છે. વળી આ તેમજ પાઇય વગેરે ભાષામાં એકાક્ષરી શબ્દો પણ છે. આને લઈને આપણને સંસ્કૃત ભાષાને અંગે ચાર અને એક રીતે ત્રણ પ્રકારના કોશો મળે છે. (૧) એકાર્થક નામમાલા અમર-કોશ-આજકાલ અકારાદિ ક્રમે શબ્દોને રજૂ કરી તેના અર્થ આપનારા કોશો જોવાય છે. એની રચના ગદ્યમાં હોય છે. વિવિધ પ્રકારના આવા કોશને અંગ્રેજીમાં વોકેબ્યુલરિ (Vocabulary) અને મોટાને ડિકશનરિ (dictionary) કહે છે. અનેકાક્ષરી એકાર્થક સંસ્કૃત કોશોની રચના વિષયોને લક્ષીને પદ્યમાં કરાયેલી જોવાય છે. એ એક જાતના પર્યાય-કોશ” છે. આ જાતનો સુપ્રસિદ્ધ કોશ એ અમરકોશ છે. એ નામલિંગાનુશાસનના પ્રણેતાનું નામ અમરસિંહ છે. એ અમરસિંહ ‘બૌદ્ધ' ગણાય છે. કોઈ આધુનિક જૈન મુનિવરો એમ કહેતા સંભળાય છે કે અમરસિંહ તો જૈન છે અને અમરકોશનો જૈન તીર્થકરો વિષે પ્રકાશ પાડતો ‘દેવાધિદેવ’ કાંડ હોવો જોઈએ અને એ માટે પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ તપાસાવી ઘટે. આ બાબત એક યા બીજી રીતે સાચી સિદ્ધ ન થાય ત્યાં સુધી અમરસિંહને હું “અજૈન' ગણું છું. ૧. પ્રકૃતિ, પ્રત્યય, ઉપસર્ગ ઇત્યાદિનો ઉપયોગ કરી નવા શબ્દો યોજી શકાય એ બળ તો સંસ્કૃત ભાષામાં છે, પરંતુ વિદેશી શબ્દોને પચાવવાની અને અપનાવવાની જે શક્તિ પાઇય ભાષામાં છે તે આ ભાષામાં નથી, અને એ માટે એના કહેવાતા ઈજારદારોનો પવિત્રતા સંબંધીનો વધુ પડતો આગ્રહ જવાબદાર છે. ૨-૩. એકાક્ષરી એકવાર્થક કોશ, એકાક્ષરી અનેકાર્થક કોશ, અનેકાક્ષરી એકાર્થક કોશ અને અનેકાક્ષરી અનેકાર્થક કોશ આ પૈકી એકાક્ષરી એકાર્થક કોશની રચના સ્વતંત્ર સ્વરૂપે ભાગ્યે જ જોવાય છે, કેમકે પ્રાયઃ એની યોજના અનેકાક્ષરી એકાર્થક કોશમાં અંતર્ગત કરાવેલી માલૂમ પડે છે. આથી કોશના ત્રણ મુખ્ય પ્રકાર ગણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy