SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ ચૂડામણિનો ઉલ્લેખ કર્યો છે તે આ જ છે. આ અ. ચૂ.નો અવતરણપૂર્વક ઉલ્લેખ સિ. હે. (૧-૧-૨૬) ઉપરના બૃહન્યાસ ('પૃ. ૩૪)માં નીચે મુજબ કરાયો છે - “यदाह स्वोपज्ञालङ्कारचूडामणौ-वक्त्रादिवैशिष्ट्यादर्थस्यापि मुख्यामुख्यात्मनो व्यजकत्वम्'२ અ. ચૂ. ૨૮00 શ્લોક જેવડી છે. આ સરળ છે અને એમાં વિવાદગ્રસ્ત વિષયો હાથ ધરાયા નથી. આમાં ૭૪૦ ઉદાહરણો છે અને ૬૭ પ્રમાણો અપાયાં છે. અ. ૩ ઉપરની આ ટીકા અને ખાસ કરીને એના ઉપરનો વિવેક મનનીય છે. અ. .માં પૃ. ૧૧૫, ૧૫૯ ને ૪૧૮માંનાં અવતરણો શૃંગારતિલકમાંથી જ ઉદ્ઘત કરાયાં હોય એમ લાગે છે. જો એ મૂળે આજ કૃતિનાં હોય તો આમ અવતરણ આપનાર તરીકે “કલિ. હેમચન્દ્રસૂરિ પ્રથમ છે. અ. ચૂ. (પૃ. ૨૧૪)માં છંદોડનુશાસનનો ઉલ્લેખ છે. અ. ૫, સૂ. પને અંગેની અ. ચે. (પૃ. ૩૨૮)માં તિલકમંજરીનું દ્વિતીય પદ્ય ઉધૃત કરાયું છે. P ૧૬૩ અ. ૭ને અંગેની અ. યૂ.માં નાયક નાયિકા અને પ્રતિનાયક વિષે વિસ્તૃત નિરૂપણ છે. એથી તો એને અંગેના વિવેકમાં કશું વિશેષ કહેવાયું નથી. આ તૈયાર કરવા માટે ધનંજયના દશરૂપકનો તેમજ ભરતના નાટ્યશાસ્ત્રનો અને એના ઉપરની અભિનવગુપ્તકૃત ટીકાનો ઉપયોગ કરાયો છે. અ. ૮, સૂ. ૩ને અંગેની અ. ચૂ. ભરતના નાટ્યશાસ્ત્ર (અ. ૨૦)માંથી ઉતારા કરી સમૃદ્ધ બનાવાઈ છે. વિવેક-કાવ્યાનુશાસન તેમજ અ. ચૂ. એ બંનેને લક્ષીને અને કાવ્યશાસ્ત્રની ઝીણવટભરી વિગતો રજૂ કરવાના ઇરાદે આ વૃત્તિ “કલિ.’ હેમચન્દ્રસૂરિએ રચી છે. એમાં અનેક વિષયના મુદાઓની છણાવટ છે. એમાં ૬૨૪ ઉદાહરણો અને ૨૦૧ પ્રમાણો અપાયાં છે. આ વિવેકમાં બે સ્થળે-પૃ. ૭ અને ૪૬રમાં છંદોડનુશાસનના ઉલ્લેખપૂર્વક અવતરણ અપાયાં છે. અ. પ, સૂ. ૪ના વિવેક પૃ. (૩૧૭)માં ભગવદ્ગીતાના અ. ૧૫નું ૧૨મું પદ્ય ઉદ્ધત કરાયું છે. અ. ૨, સૂ. ૧ને લગતા વિવેક (પૃ. ૧૦૩)માં ભારતના નાટ્યશાસ્ત્ર અને એના ઉપરની અભિનવગુપ્તકૃત ટીકામાંથી પુષ્કળ મસાલો લેવાયો છે. રસનું નિરૂપણ કરતી વેળા આ ટીકામાંથી લગભગ અક્ષરશઃ લખાણ લેવાયું છે. અ. ૩, સૂ. ૩ના વિવેક (પૃ. ૧૭૯-૧૯૯)માં દેશ અને કાળનો વિચાર કરતી વેળા રાજશેખરની P ૧૬૪ કાવ્યમીમાંસાનો આશ્રય લેવાયો છે. પણ અહીં રાજશેખરના નામનો ઉલ્લેખ જણાતો નથી. આને શું કારણ હશે ? શું રાજશેખરે પણ એમના કોઈ પુરોગામી લેખકની કૃતિમાંથી આ ભાગ ઉધૃત કર્યો હશે ? ૧. આ પૃષ્ઠક શ્રીવિજયલાવણ્યસૂરિ દ્વારા સંપાદિત આવૃત્તિનો છે. ૨. આ પંક્તિ પૈકી “મુરમુરધ્યાત્મનઃ' એટલો અંશ અ. ચૂ. (પૃ. ૫૮)- નો છે જયારે બાકીનો અંશ . ૧ના ૨૧માં સૂત્રરૂપે છે. ૩. આ મહાવીર જૈન વિદ્યાલય વ. દ્વારા પ્રકાશિત છે. ૪. આમ અ. યૂ. સાથે આનો વિચાર કરતાં જુદા જુદા ગ્રંથકારોની કૃતિમાંથી લગભગ ૧૫૦૦ ઉદાહરણો અપાયા છે. આ પૈકી કેટલીક કૃતિ તો નામશેષ બની છે. આ દૃષ્ટિએ પણ આનું મહત્ત્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy