SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૫૮-૧૬૨] ૯૩ કાવ્યાનુશાસન એ વિશેષનામ છે કે પુસ્તકનું પરિચયાત્મક નામ છે ? જેમ શબ્દાનુશાસનનું સિદ્ધહેમચન્દ્ર એવું વિશેષનામ છે એવી રીતે કાવ્યના શાસ્ત્રનું પણ કોઈ વિશેષનામ હોવું જોઈએ એમ વિદ્વાનો સૂચવે છે. વિભાગ- મૂળ કૃતિ આઠ અધ્યાયોમાં વિભક્ત છે. પ્રારંભમાં બે પદ્યો છે. એને કેટલાક એકેક સૂત્ર ગણે છે. એ હિસાબે પ્રથમ અધ્યાયમાં ૨૫ (૨૩ + 2) સૂત્ર છે. બાકીના અધ્યાયોનાં સૂત્રની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૫૯, ૧૦, ૯, ૯, ૩૧, પર અને ૧૩. આમ એકંદરે ૨૦૮ (૨૦૬ + ૨) સુત્રો છે. વિષય- પ્રથમ અધ્યાયમાં કાવ્યના પ્રયોજન, કાવ્યનો હેતુ, કાવ્યનું લક્ષણ, શબ્દ અને અર્થનું સ્વરૂપ તેમજ મુખ્ય, ગૌણ, લક્ષ્ય અને વ્યંગ્ય એમ ચાર જાતના અર્થ એમ વિવિધ બાબતો વિચારાઈ છે. બીજા અધ્યાયમાં રસનું તેમજ સ્થાયી, વ્યભિચારી અને સાત્ત્વિક ભાવોનું નિરૂપણ છે. વિશેષમાં ને ૧૬૧ રસાભાસ અને ભાવાભાસની ચર્ચા પછી છેલ્લાં ચાર સૂત્રોમાં કાવ્યના ઉત્તરમાદિ ત્રણ પ્રકારો વિચારાયા છે. ત્રીજા અધ્યાયમાં શબ્દ, વાક્ય, અર્થ અને રસના દોષો વિષે વિચાર કરાયો છે. ચોથા અધ્યાયમાં ગુણો ચર્ચાયા છે. પાંચમાં અધ્યાયમાં અનુપ્રાસ, યમક, 'ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ અને પુનરુક્તાભાસ એ છ જાતના શબ્દાલંકારનો અધિકાર છે. છઠ્ઠા અધ્યાયમાં ‘સંકર' સહિત ૨૯ અર્થાલંકારનું નિરૂપણ છે, જ્યારે મમ્મટે ૬૧ અર્થાલંકારો વિષે વિવેચન કર્યું છે અને ભોજે સરસ્વતીકંઠાભરણમાં ૨૪ શબ્દાલંકારો, ૨૪ અર્થાલંકારો અન ૨૪ શબ્દ અને અર્થ એ ઉભયને લગતા અલંકારો (ઉભયાલંકારો) વર્ણવ્યા છે. “કલિ.” હેમચન્દ્રસૂરિએ સ્વભાવોક્તિને બદલે “જાતિ' શબ્દ અને અપ્રસ્તુત-પ્રશંસાને બદલે અન્યોક્તિ' શબ્દ વાપરેલા છે. સાતમા અધ્યાયમાં નાયક અને નાયિકાના ભેદો તેમજ પ્રતિનાયકનું સ્વરૂપ એ બાબતો હાથ ધરાઈ છે. આઠમા અધ્યાયમાં પ્રેક્ષ્ય (દશ્ય) અને શ્રવ્ય એમ કાવ્યના બે પ્રકાર સૂચવી એના ઉપપ્રકારો સમજાવાયા છે. રચના-સમય-કાવ્યાનુશાસનમાં કુમારપાલ વિષે ઉલ્લેખ જણાતો નથી. એથી આ કૃતિ વિ. સં. ૧૧૯૯ પહેલાં રચાઈ હશે એમ અનુમનાય છે. અલંકાર-ચૂડામણિઆ સૂત્રાત્મક કાવ્યાનુશાસનની “કલિ. હેમચન્દ્રસૂરિએ રચેલી સ્વોપજ્ઞ P ૧૬૨ ટીકા છે. રયણાવલી (વ... ૧)ના ત્રીજા પદ્યની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ હેમચન્દ્રસૂરિએ જે અલંકાર૧. આના વિવિધ પ્રકારો છે. જેમકે સ્વર-ચિત્ર, વ્યંજન-ચિત્ર, આકાર-ચિત્ર, ગુઢ-ચિત્ર ઇત્યાદિ. ૨. આ મહાવીરવિદ્યાલય, પ્રવચનપ્રકાશન, કાવ્યમાલા વ.માં પ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy