SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ આ તો શ્વેતાંબરીય ટીકાઓ છે. દિ. વાદિરાજે પણ એક ટીકા રચી છે. આ ઉપરાંત કૃષ્ણ શર્મા, ગણેશ વગેરે અજૈનોએ પણ આ વાલ્મટાલંકાર ઉપર ટીકાઓ રચી છે. વામ્ભટાલંકારની ટિપ્પની– આ ટિપ્પની બાલચંદ્ર રચી છે અને એની “કન્નડ લિપિમાં લખાયેલી એક હાથપોથી મળે છે એમ ક. તા. ગ્રં. (પૃ. ૧૩૭)માં ઉલ્લેખ છે. આ બાલચન્દ્ર દિ છે ? બાલાવબોધ-સક્રિસયગપયરણના કર્તા જૈન ગૃહસ્થ મારવાડી નેમિચન્દ્ર ભંડારીએ એક બાલાવબોધ રચ્યો છે. ખરતરગચ્છના મેસુંદરે પણ વિ. સં. ૧૫૩૫માં બાલાવબોધ રચ્યો છે. એમાં પ્રારંભમાં પાંચ - ૧૫૯ પદ્યો અને અંતના બે પદ્યો સંસ્કૃતમાં છે. આ બાલાવબોધમાં મૂળનું સંસ્કૃતમાં કટકે કટકે વિવરણ છે અને ‘સાથે સાથે ગુજરાતીમાં સમજૂતી છે. અલંકારશાસ્ત્રની સંસ્કૃતમાં રચાયેલી કૃતિઓના ગુજરાતી બાલાવબોધ બહુ થોડા મળ્યા છે. એ હિસાબે આ બે બાલાવબોધ મહત્ત્વના ગણાય. કાવ્યાનુશાસન (ઉ.વિ.સં. ૧૧૯૮)- આના પ્રણેતા “કલિ.” હેમચન્દ્રસૂરિ છે. આ નામની એક બીજી કૃતિ છે, પરંતુ એના કર્તા તો એમના પછી થયેલા જૈન ગૃહસ્થ વાડ્મટ છે. P ૧૬૦ નામ- “કાવ્યાનુશાસન' એ મૂળ “સૂત્રાત્મક કૃતિનું નામ છે કે એની અ. ચૂ. નામની ટીકા સહિત મૂળનું નામ છે ? આવો પ્રશ્ન આની હાથપોથીઓ અને વિવેક જોતાં ઉદ્ભવે છે. આના ઉત્તર તરીકે ડૉ. આનંદશંકર બા. ધ્રુવે કહ્યું છે કે હેમચન્દ્રાચાર્યે પ્રથમ સૂત્ર રચી એને કાવ્યાનુશાસન નામ આપ્યું અને પછી એના ઉપર સ્પષ્ટીકરણાર્થે વૃત્તિ રચી તેને અલંકારચૂડામણિ કહી અને આ બંને મળીને કાવ્યના અનુશાસન એટલે કે શાસ્ત્રની ગરજ સારશે એવો ઈરાદો રાખ્યો. ૧. એમણે સસિયગપયરણની જેમ વિદગ્ધમુખમંડનનો પણ બાલાવબોધ રચ્યો છે. ૨. આનો અર્થ એ નથી કે સૃષ્ણિના લખાણની જેમ આ લખાણ મિશ્રભાષામય છે. ૩. આનો નમુનો “ષષ્ટિશતક પ્રકરણની પ્રસ્તાવના (પ્ર. ૧૬-૨૦)માં ડૉ. સાંડેસરાએ આપ્યો છે. એના પ્ર. ૧૮માં બે મુદ્રણદોષ હોય એમ લાગે છે. ૪. આ કૃતિ અલંકાર-ચૂડામણિ તેમજ વિવેક સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી “કાવ્યમાલા” (૭૦)માં ઈ.સ. ૧૯૦૧માં છપાઈ છે. [“પ્રવચનપ્રકાશન” પુનાથી પુનર્મુદ્રણ થયું છે.] ત્યાર બાદ આ કૃતિ અ. ચૂ. વિવેક અને તાડપત્ર ઉપર લખાયેલા અજ્ઞાતકર્તીક ટિપ્પણ તેમજ પાઠય પદ્યની સંસ્કૃત છાયા, છ અનુક્રમણિકાઓ તથા ડૉ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવની “પૂર્વ-વચનિકા” પૂરતા લખાણ સહિત પ્રથમ ખંડ તરીકે છપાઈ છે અને શ્રી રસિકલાલ છો. પરીખના અંગ્રેજી ઉપોદુધાત અને પ્રો. રામચન્દ્ર આથવલેના અંગ્રેજી ટિપ્પણ પૂરતું લખાણ બીજા ખંડ તરીકે છપાયું છે. આ બંને “શ્રીમહાવીર જૈન વિદ્યાલય” તરફથી મુંબઈથી ઈ.સ. ૧૯૩૮માં-એક જ વર્ષમાં પ્રસિદ્ધ કરાયા છે. આનું પુનઃ પ્રકાશન વી. એમ. કુલકર્ણીના માર્ગ દર્શન મુજબ મ. જૈ. વિ. એ કર્યું છે.]. ઉપર્યુક્ત છ અનુક્રમણિકામાં પહેલી અ. ચૂ.ગત અને વિવેકગત ઉદાહરણોને લગતી છે. બીજી અનુક્રમણિકા પ્રમાણરૂપ ઉદ્ધત કરાયેલા સંદર્ભોની છે. ત્રીજી સૂત્રોને અંગેની છે. ચોથી, બે વૃત્તિમાં નિર્દેશાયેલાં ગ્રંથો અને ગ્રંથકારોની સૂચીરૂપ છે. પાંચમી સંપાદકે નિર્દેશેલા ગ્રંથોને લગતી છે. છઠ્ઠી વિશિષ્ટ શબ્દોની સૂચીરૂપ છે. ૫. સૂત્ર પૂરતી આ કૃતિ છે. કુ. (પૃ. ૨૨૫-૨૪૦)માં પ્રકાશિત થયેલી જુઓ પૃ. ૩૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy