SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : [પ્ર. આ. ૧૫૫-૧૫૮] ૯૧ પાંચમા પરિચ્છેદમાં નવ રસોનું નિરૂપણ છે. નાયક અને નાયિકાના ભેદો તેમજ બીજી કેટલીક બાબતો પણ અહીં આલેખાઈ છે. ઉદાહરણો–આ કૃતિમાં જે ઉદાહરણો અપાયાં છે તે કર્તાના પોતાનાં હોય એમ લાગે છે. કેટલાંક ઉદાહરણો પાઇયમાં છે. જુઓ ચોથા પરિચ્છેદના શ્લો. ૪૯, ૫૩, ૫૪, ૭૪, ૭૮, ૧૦૬, ૧૦૭ ને ૧૪૮. P ૧૫૭ કર્નલ જેકબે સૂચવ્યું છે તેમ વાગ્લટકૃત નેમિનિર્વાણમહાકાવ્યમાંથી છ પદ્યો આ કૃતિમાં ઉદ્ઘત કરાયાં છે. નેમિ-નિર્વાણ (૭-૫૦)નો આ કૃતિમાં મહાયમકના ઉદાહરણ તરીકે ઉલ્લેખ છે. ચોથા પરિચ્છેદના શ્લો. ૪૫, ૭૬, ૮૧, ૮૫ અને ૧૩૨ (સિદ્ધરાજ) જયસિંહની પ્રશંસારૂપે છે. વાભદાલંકારના ચોથા પરિચ્છેદમાં નિમ્નલિખિત પદ્ય છે : “# lહૃાદૃદ્ધિોવૈઋ: : | अकुकौकः काककाक्क ऋक्काकुकुककाक्ककुः ॥ १२ ॥" આના ટીકાકાર કહે છે કે નેમિનિર્વાણ-મહાકાવ્યમાં રાજીમતીના ત્યાગને લગતા અધિકારમાંનો સમુદ્રના વર્ણનરૂપ આ એક-વ્યંજનવાળો શ્લોક જાણવો, પરંતુ નેમિનિર્વાણ-મહાકાવ્ય જે “કાવ્યમાલા'માં છપાયું છે તેમાં તો આ જણાતો નથી. આ વામ્ભટાલંકાર ઉપર જૈનોએ તેમજ અજૈનોએ ટીકા રચી છે. તેમાંની જૈન ટીકાઓ નીચે મુજબ છે :(૧) વ્યાખ્યા- આના કર્તા સોમસુંદરસૂરિના સંતાનીય સિંહદેવગણિ છે. આ ટીકા ૧૩૩૧ શ્લોક જેવડી છે. (૨) ટીકા- ‘તપા’ ગચ્છના વિશાલરાજના શિષ્ય સામોદયગણિએ આ ટીકા ૧૧૬૪ શ્લોક જેવડી રચી છે. (૩) ટીકા- “ખરતર’ ગચ્છના જિનપ્રભસૂરિના સંતાનીય જિનતિલકસૂરિના શિષ્ય ઉપા. રાજહંસની આ રચના છે. આની એક હાથપોથી વિ. સં. ૧૪૮૬માં લખાયેલી છે. (૪) ટીકા- જિનરાજસૂરિના શિષ્ય જિનવર્ધનસૂરિએ આ રચી છે. આની એક હાથપોથી વિ. સં. 2 ૧૫૮ ૧૬૧૦માં લખાયેલી છે. (૫) વૃત્તિ- આ ર૯૫૬ શ્લોક જેવડી વૃત્તિ “ખરતર' ગચ્છના રત્નપીરના વિનય જ્ઞાનપ્રમોદગણિએ વિ. સં. ૧૬૮૧માં રચી છે. (૬) ટીકા- આ ૧૬૫૦ શ્લોક જેવડી ટીકા સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૯૨માં રચી છે. (૭) ટીકા- આના કર્તા, ક્ષેમહંસગણિ છે. (૮) ટીકા- આના કર્તા કુમુદચન્દ્ર છે. (૯) ટીકા- આના કર્તા તરીકે વર્ધમાનસૂરિનો ઉલ્લેખ કરાય છે પણ આ વાત શંકાસ્પદ છે. (૧૦) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી. [(૧૧) ટીકા- ખરતરગચ્છીય સાધુ કીર્તિએ ૧૭મી સદીમાં રચી છે. (૧૨) જ્ઞાનપ્રમોદિકા- પ્ર. લા. દ. વિદ્યા.] ૧. આ કાવ્યમાલા (૪૮)માં પ્રકાશિત છે જઓ પૃ, ૧૫૫. ૨. આ “ગ્રંથમાલા'માં ઈ. સ. ૧૮૮૯-૯૦માં છપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy