SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ P ૧૫૫ વિનયચંદ્રસૂરિકૃત કવિશિક્ષા જોતાં જણાય છે. આ અનુમાન સાચું હોય તો કવિશિક્ષા નામની પાંચ કૃતિઓ ગણાય. આ પૈકી એકનો તો અહીં નિર્દેશ થાય જ છે. બાકીની ચાર પૈકી એકના કર્તા જયમંગલસૂરિ છે, બીજાના અમરચન્દ્રસૂરિ છે, ત્રીજાના વિનયચન્દ્રસૂરિ છે ચોથાના વાભટના પુત્ર દેવસેન છે. શૃંગારમંજરી (લ. વિ. સં. ૧૦૧૦)- આ ૧૨૮ પદ્યોની કૃતિ અજિતસેને ઈ.સ.ની દસમી સદીના ઉત્તરાર્ધમાં રચી છે. એ અલંકારશાસ્ત્રની સામાન્ય કૃતિ છે. આની નોંધ કૃષ્ણમાચારિઅરે HCSL (p. 752)માં લીધી છે. આની એક હાથપોથી અહીંના (સુરતના) વડા ચૌટાના ભંડારમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૬)માં છે. પહામ્ભટાલંકાર- (લ. વિ. સં. ૧૧૯૦)આના કર્તા વાગ્મટ પહેલા છે. એમનું પાઇય નામ બાહડ છે. એઓ સિદ્ધરાજના સમકાલીન અને એમના દ્વારા સન્માનિત વિદ્વાન છે. એમના પિતાનું નામ સોમ છે અને એઓ મહામંત્રી હતા. પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૪૭ર અને ૬૭૪) પ્રમાણે વાડ્મટ વિ. સં. ૧૧૭૯થી ૧૨૧૩ સુધી વિદ્યમાન હતા. એ ઉપરથી જો આ જ વાડ્મટ અત્રે પ્રસ્તુત હોય તો એમની આ કૃતિ વિ. સં. ૧૧૮૧થી ૧૨00ના ગાળામાં રચાઈ હશે. એમણે આ વાભદાલંકાર પાંચ પરિચ્છેદોમાં P ૧૫૬ રચ્યો છે. એમાં એકંદર ૨૬૦ પદ્યો છે. એમાંનાં ઘણાંખરાં પદ્યો “અનુછુ છંદમાં છે. પ્રત્યેક પરિચ્છેદનું અંતિમ પદ્ય ભિન્ન છંદમાં છે. ત્રીજા પરિચ્છેદમાં “ઓજસ્' ગુણને અંગેનું લખાણ ગદ્યમાં છે. આ બાદ કરતાં તમામ લખાણ પદ્યમાં છે. વિષય- પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું લક્ષણ, કાવ્યની રચનામાં હેતુ તરીકે પ્રતિભાનો ઉલ્લેખ, પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસની વ્યાખ્યા, કાવ્ય રચવા માટેના અનુકૂળ પ્રસંગો અને કવિઓને પાળવાના નિયમો એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. બીજા પરિચ્છેદમાં કહ્યું છે કે કાવ્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભૂતભાષા એમ ચાર ભાષામાં રચી શકાય. કાવ્યના છંદોનિબદ્ધ અને અછંદોનિબદ્ધ એ બે પ્રકારો અને પદ્ય, ગદ્ય અને મિશ્ર એમ એના ત્રણ પ્રકારો પણ પડાયા છે. વિશેષમાં અહીં પદ, વાક્ય અને અર્થના દોષોનો વિચાર કરાયો છે. ત્રીજા પરિચ્છેદમાં દસ ગુણોની વ્યાખ્યા આપી એનું વિવરણ કરાયું છે. ચોથા પરિચ્છેદમાં શબ્દાલંકારના (૧) ચિત્ર, (૨) વક્રોક્તિ, (૩) અનુપ્રાસ અને (૪) યમક એ ચાર પ્રકારોનો, અર્થાલંકારના ૩૫ પ્રકારોનો તેમજ વૈદભ અને ગૌડી એ બે રીતિનો વિચાર કરાયો છે. ૧. આ કવિશિક્ષાના પરિચય માટે જુઓ પૃ. ૧૭૧ ૨-૩. જુઓ પત્તન સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવનાનું પૃ. ૪૮. ૪. શૃંગારચન્દ્રિકા એ વિજયવર્ગીની કૃતિ' છે એમ સ્વયંભૂસ્તોત્રની હિંદી પ્રસ્તાવના (પૃ. ૮૮)માં ઉલ્લેખ છે તો શું આ કોઈ અલંકારશાસ્ત્રની કૃતિ છે ? પ. આ કૃતિ સિંહદેવગણિકૃત વ્યાખ્યા સાથે “કાવ્યમાલા” (૪૮)માં ઈ.સ. ૧૯૦૩માં પ્રસિદ્ધ થઈ છે. મૂળ કૃતિની અન્ય આવૃત્તિની ડૉ. એસ. કે. 3 કૃત History of Sanskrit Poetics (Vol. I, p. 208) માં નોંધ છે. ૬. કેટલાકને મતે ઉદયન (મંત્રી) છે. ૭. “વક્રોક્તિની વણજાર” નામનો મેં એક લેખ લખ્યો છે. એ “ફા. ગુ. સ. ત્ર” માટે એના તંત્રીએ સ્વીકાર્યો છે પણ હજી સુધી તો છપાયો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy