SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૫૩ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) અલંકાર એટલે? – “અલંકાર' એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) ઘરેણું, (૨) શણગાર, (૩) શબ્દની અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના અને (૪) તાન કે આલાપમાં વપરાતી સ્વરોની મધુર ગૂંથણી એ ચાર અર્થ ગુજરાતીમાં સુપ્રસિદ્ધ છે. “અલંકાર એ મૂળ સંસ્કૃત શબ્દ છે. એના અહીં અપાયેલા પહેલા ત્રણ અર્થ ઉપરાંત અલંકારનું શાસ્ત્ર એવો પણ એનો અર્થ સંસ્કૃત ભાષામાં કરાય છે. અહીં ગુજરાતીમાં અપાયેલા પહેલા બે અર્થો તેમજ ચોથો અર્થ પ્રસ્તુત નથી. વિશેષમાં “અલંકારથી કેવળ શબ્દાલંકાર, અર્થાલંકાર કે શબ્દાર્થાલંકાર એટલા જ વિષયનું નિરૂપણ કરનાર શાસ્ત્ર એવો સંકુચિત અર્થ કરવાનો નથી. તેમ બીજી બાજુએ નાટ્યશાસ્ત્રનો એમાં સમાવેશ કરવાનો નથી, જોકે કેટલીક વાર તેમ કરાય છે. કહેવાની મતલબ એ છે કે કાવ્યનાં પ્રયોજન, કાવ્ય-હેતુ કે કાવ્યનું લક્ષણ, રસની નિષ્પત્તિ, રસની સંખ્યા, ગુણો, દોષો, રીતિઓ, વૃત્તિઓ, ઉપમા વગેરે અલંકારો, કવિ-સમય ઇત્યાદિ બાબતોમાંથી થોડીક કે બધી બાબતોનો વિચાર કરનારી જૈન કૃતિઓ અત્ર અભિપ્રેત છે. આગમોમાં અલંકારો- જેમ સામાન્ય રીતે દેહ સુંદર હોય છતાં એને અલંકાર વડે વિભૂષિત P ૧૫૪ કરાય છે એમ ભાષા પણ સાદી હોય તેના કરતાં એ શબ્દાલંકાર કે અર્થાલંકાર વડે વિભૂષિત હોય તો સાહિત્યને અનુરૂપ ગણાય. આગમો વગેરે જૈન કૃતિઓનો સાહિત્યમાં સમાવેશ થાય છે. એટલે એમાં આપણને ઉપમા, અર્થાન્તરવાસ, શૃંખલાયમક ઇત્યાદિ અલંકારોથી વિભૂષિત લખાણ જોવાનું મળે છે એ સ્વાભાવિક છે. જૈનોનું આ વિષયને અંગેનું ઉપલબ્ધ સાહિત્ય વિચારતાં એમ જણાય છે કે વિક્રમની નવમી સદીની પૂર્વે કોઈ જૈન ગ્રંથકારે અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર)ને અંગે સ્વતંત્ર કૃતિ રચી હોય એમ જણાતું નથી એટલું જ નહિ પણ કોઈ અજૈન કૃતિના વિવરણરૂપે પણ કશી રચના કરી જણાતી નથી. બારમી સદીથી તો આમાં વિશેષ પલટો આવે છે. “થારાપદ્રીય ગચ્છના નમિસાધુ રુટકૃત કાવ્યાલંકાર ઉપર વિ.સં. ૧૧૨૫માં ટીકા રચે છે. એમને હાથે આ દ્વાર ખૂલતાં આગળ ઉપર આ માર્ગ અન્ય જૈન લેખકો વિવરણકાર તરીકે વિહરે છે. એ દરમ્યાનમાં વાલ્મટ અને “કલિ.” હેમચન્દ્રસૂરિ જેવા તો મહત્ત્વની સ્વતંત્ર કૃતિ પણ રચે છે. કવિશિક્ષા (લ. વિ. સં. ૮૫૦)- આના કર્તા બપ્પભટ્ટસૂરિ (વિ. સં. ૮૦૦-૮૯૫) છે એમ ૧. આને અંગે મેં “અલંકારશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓ” નામના મારા લેખમાં એ કૃતિઓનો અકારાદિ ક્રમે વિચાર કર્યો છે. એ લેખ “જૈ. ધ. પ્ર.”માં આઠ કટકે છપાયો છે. જુઓ એ માસિક (પુ. ૭૦, અં. ૧, ૪, ૫ અને ૧૨ તથા પુ. ૭૧, અં. ૨, ૩-૪, ૫ અને ૬). ૨. ઈ. સ. ૯૦૦થી કંઈક પહેલાના વખતમાં “કાવ્ય-શાસ્ત્ર'એ અર્થમાં “સાહિત્ય' શબ્દ વપરાતો હતો. ૩. આગમોમાં ક્યાં ક્યાં કયા કયા અલંકારો દૃષ્ટિગોચર થાય છે એની એક કાચી નોંધ મેં કરી છે. એ પાકી થાય અને છપાય તે પૂર્વે આ વિષયના વિશિષ્ટ અભ્યાસીને હાથે આ બાબત રજૂ થશે તો તેથી મને આનંદ થશે. ૪. એમણે તારાગણ નામનું કાવ્ય રચ્યું છે તે મળતું નથી. એમની ચતુર્વિશતિકાનું મેં સંપાદન કર્યું છે અને એ “આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાવાયું છે. [‘તારાયણ'ના નામે આનું સંપાદન હરિવલ્લભ ભાયાણીએ કર્યું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy