SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૬૨-૧૬૬] અ. ૪, સૂ. ૧ના વિવેકમાં પૃ. ૭૪, ૭૬-૭૮, ૮૦ અને ૮૨-૮૫માં ભરતના, પૃ. ૭૪ અને ૭૫માં મંગલના, પૃ. ૭૫-૭૯ અને ૮૧-૮૭માં વામનના અને પૃ. ૭૫, ૭૮, ૭૯, ૮૧, ૮૨, ૮૫ અને ૮૬માં ઠંડીના વિચારો રજૂ કરાયા છે. અ ૪, સૂ. ૪ના વિવેક (પૃ. ૩૨૧)માં આનંદવર્ધનનો નોણના પુત્ર તરીકે ઉલ્લેખ છે. આ આનંદવર્ધનકૃત દેવીશતકમાંથી શબ્દાલંકારો માટે સ્પષ્ટીકરણપૂર્વક ઉદાહરણો અપાયાં છે. આ અધ્યાયની રચનામાં કાવ્યાદર્શનો તેમજ કાવ્યાલંકારનો પણ ઉપયોગ કરાયો છે. કાવ્યાલંકાર અને દેવીશતકમાંનાં આકાર-ચિત્રને લગતાં જે ઉદાહરણો અહીં અપાયાં છે તે સચિત્ર સ્વરૂપે મુંબઈ વિદ્યાપીઠના સામયિક Arts No. 30) માં જે મારો લેખ નામે ILD છપાયો છે તેમાં અપાયાં છે. અ. ૪, સૂ. ૭ના વિવેકમાં પાઠધર્મત્વ સમજાવતી વેળા નાટ્યશાસ્ત્રની કોઈ ટીકામાંથી અવતરણ અપાયાં છે. અભિનવગુપ્તકૃત ટીકાનો ઉપયોગ કરાયો હોય એમ લાગે છે. અ. ના વિવેકમાં મૂળમાં ગણાવાયેલા ઉપરાંતના વધારાના અલંકારો વિષે વિચાર કરાય છે. અ. ને લગતા વિવેકમાં અભિનવગુપ્તની ટીકાનો લાભ લેવાયો હોય એમ લાગે છે. મૂલ્યાંકન- ડૉ. એસ. કે. ડેએ એવું કથન કર્યું છે કે મમ્મટત કાવ્યપ્રકાશ કરતાં હૈમ P ૧૬૫ કાવ્યાનુશાસન શિક્ષાગ્રંથ તરીકે ઊતરતી કોટિનો ગ્રંથ છે. આની તથ્યતા વિચારવાનું કાર્ય હું વિશેષજ્ઞોને ભળાવું છું એટલે અહીં તો હું એટલું જ કહીશ કે કાવ્યાનુશાસનમાં કાવ્યપ્રકાશમાં આપેલા અલંકારોની સંખ્યાને યોગ્ય રીતે ઘટાડાઈ છે, અલંકારાદિકનાં લક્ષણોમાં સમુચિત સુધારો કરાયો છે અને કાવ્યપ્રકાશ કરતાં સંક્ષિપ્ત અને તેમ છતાં સુગમ એવો આ ગ્રંથ રચાયો છે. મહામહોપાધ્યાય કાણેનું મંતવ્ય- મહામહોપાધ્યાય' પી. વી. કાણેએ વિશ્વનાથના સાહિત્યદર્પણ (પરિ. ૧, ૨ ને ૧૦)નું અંગ્રેજી ટિપ્પણો તેમજ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર (poetics)ના ઇતિહાસપૂર્વક સંપાદન કર્યું છે. આની ઈ.સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલી બીજી આવૃત્તિ (પૃ. ૨૭૭-૨૭૮)માં હૈમ કાવ્યાનુશાસન વિષે એમણે નીચે મુજબની મતલબના ઉદ્ગાર કાઢ્યા છે; કાવ્યાનુશાસન એ સંગ્રહાત્મક કૃતિ છે. એમાં મૌલિકતાનાં ભાગ્યે જ દર્શન થાય છે. એમાં (રાજશેખરની) કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ, ધ્વન્યાલોક અને અભિનવગુપ્તના ગ્રંથોમાંથી ખૂબ મસાલો ઉઠાવાયો છે. દા. ત. કાવ્યાનુશાસનનાં પૃ. ૨૮-૧૦ને કાવ્યમીમાંસા, (પૃ. પ૬) સાથે, પૃ. ૧૧-૧૬ને કાવ્યમીમાંસા (પૃ. ૪૨-૪૪) સાથે અને પૃ. ૧૨૨-૧૨૩ને કાવ્યમીમાંસા (પૃ. ૪૨-૪૪) સાથે સરખાવો. વળી અભિનવગુપ્ત અને ભારતનાં મંતવ્યોને આધારે પોતે અમુક અમુક બાબતો કહ્યાનો ઉલ્લેખ હેમચન્દ્રસૂરિએ ૧૬૬ જાતે કર્યો છે. જુઓ વિવેક (પૃ. *૬૬). ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “દેવીશતક અને શ્રી હેમચન્દ્રસૂરિ” આ “આત્માનંદ પ્રકાશ” (પુ. પર, એ.. ૪-૫)માં છપાયો છે. ૨. કાવ્યપ્રકાશમાં દસ ઉલ્લાસમાં ૨ ૧૨ સૂત્રોમાં જે વિષય આલેખાયો છે તે આ હૈમ કાવ્યાનુશાસનમાં છ અધ્યાયમાં ૧૪૩ સૂત્રોમાં અપાયો છે (જુઓ શ્રી. રસિકલાલ છો. પરીખનો ઉપોદઘાત પૃ. ૩૨૧). . આ નિર્ણયસાગરી આવૃત્તિ અનુસાર સમજવાનાં છે. ૪. આ મ. વિ.ના પ્રકાશનનું ૧૦૩મું પૃષ્ઠ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy