SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ કાવ્યાનુશાસનનો એક ગુણ (merit) એ છે કે એની વૃત્તિ અને વિવેકમાં જુદા જુદા ગ્રંથકારોની કૃતિઓમાંથી લગભગ ૧૫૦૦ ઉદાહરણો અપાયાં છે. હેમચન્દ્રસૂરિની આ કૃતિનો પ્રભાવ પાછળના અલંકારશાસ્ત્રીઓ ઉપર ભાગ્યે પડ્યો છે. વળી "રત્નાપણ (પૃ. ૪૬, ૭૫, ૨૨૪, ૨૩૩, ૨૫૯, ૨૭૯ અને ૨૯૯)માં કાવ્યાનુશાસનમાંથી અવતરણ અપાયાં છે એ વાતને બાજુ ઉપર રાખીએ તો ભાગ્યે જ કોઈ પાછળા લેખકે આમાંથી અવતરણ આપ્યાં છે. શ્રી કાણેએ કાવ્યાનુશાસનની મૌલિકતા વિષે કરેલા વિધાનના સંબંધમાં શ્રી વિષ્ણુપાદ ભટ્ટાચરજીએ “Indian Culture” (Vol XIII, pp. 218-224)માં વાંધો ઉઠાવ્યા છે. આ વાતનો શ્રી કાણેએ નિર્દેશ કરી એ વાંધાઓની નીચે પ્રમાણે નોંધ એમણે સાહિત્યદર્પણની બીજી આવૃત્તિમાં પૃ. ૨૭૭માં લીધી છે :(૧) કાવ્ય રચવાનો એક લાભ અર્થની - પૈસાની પ્રાપ્તિ છે એમ જે મમ્મટે કહ્યું છે તે વાત હેમચન્દ્રને માન્ય નથી. (૨) મુકુલ અને મમ્મટની જેમ લક્ષણાનો આધાર રૂઢિ કે પ્રયોજન છે એમ ન માનતાં કેવળ પ્રયોજન જ છે એમ હેમચન્દ્ર પ્રતિપાદન કરે છે. (૩) અર્થ-શક્તિ-મૂલ-ધ્વનિના (૧) સ્વતઃસંભવી, (૨) કવિપ્રૌઢોક્તિનિષ્પન્ન અને (૩) કવિનિબદ્ધ-વન્દ્ર પ્રૌઢોક્તિનિષ્પન્ન એમ ત્રણ પ્રકાર દર્શાવનાર ધ્વનિકારથી હેમચન્દ્ર જુદા પડે છે. જુઓ પૃ. ૪૬. P ૧૬૭ (૪) મમ્મટના મતે “પુર્વ પ્રવિવર્તે' વાળું પદ્ય શ્લેષમૂલક અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે, જયારે હેમચન્દ્રને મતે એ “શબ્દ-શક્તિ-મૂલધ્વનિ'નું છે. (૫) રસોમાં અલંકાર પરત્વેના સિદ્ધાંતોના પાલનનો ભંગ જે મહાકવિઓને હાથે થયો છે તેનો ધ્વનિકારે નિર્દેશ કર્યો નથી જ્યારે હેમચન્દ્ર તેમ કર્યું છે. આ બધા મુદા સ્વીકારી લઈએ તો પણ કાવ્યાનુશાસન એ મૌલિક કૃતિ છે એમ ભાગ્યે જ કહી શકાય. આવા મતભેદો તો અનેક બીજા ગ્રંથકારોની કૃતિઓમાં જોવાય છે. આ પ્રમાણે પ્રતિવિધાનની સમાલોચના શ્રી કાણેએ કરી છે. ડૉ. આ. બા. ધ્રુવે અ. ૨. અને વિવેક સહિતના કાવ્યાનુશાસનની “પૂર્વવચનિકા”માં કહ્યું છે કે કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ, ધ્વન્યાલોક અને લોચનમાંથી આખા પાઠના પાઠ હેમચન્દ્રસૂરિએ લઈ લીધા છે. એથી કેટલાક એને “ચોરી' કહે છે, પરંતુ વાત એ છે કે હેમચન્દ્રની ઈચ્છા એ જણાય છે કે બ્રાહ્મણો જે જે જાણતા હતા તે બધું જૈનો જાણે. એથી પુરોગામી બ્રાહ્મણોના જ્ઞાનનો ઉપયોગ કરતાં એઓ અચકાયા નથી. એમણે જે વારસો પોતાને મળ્યો હતો તેમાં પોતાની તરફથી સંગીન ઉમેરો કર્યો છે. કાવ્યમીમાંસા એ વિચારો અને એની રજૂઆતની દૃષ્ટિએ મૌલિક ભલે ગણાય, પણ એ કાવ્યપ્રકાશ કે કાવ્યાનુશાસન જેવી વ્યવસ્થિત કૃતિ નથી. મમ્મટે કાવ્યપ્રકાશમાં ભામથી માંડીને એમના સમય સુધીનાં કાવ્યશાસ્ત્રને લગતાં બધાં મંતવ્યો - ૧૬૮ રજૂ કર્યા છે ખરાં, પરંતુ નાટ્યશાસ્ત્ર સાથે સંબંદ્ધ રસની વાત જવા દઈએ તો નાટ્યશાસ્ત્રને એમણે જતું કર્યું છે જ્યારે હેમચન્દ્ર અને આગળ જતાં વિશ્વનાથે એ ઉણપ રહેવા દીધી નથી (જુઓ પૃ. ૧૨). ૧. વિદ્યાનાથે રચેલા પ્રતાપરુદ્રયશોભૂષણ ઉપરની આ ટીકા છે. એ ટીકા મલ્લિનાથના પુત્ર કુમારસ્વામીએ રચી છે. એ ટીકા સહિત મૂળ કૃતિ B S Sમાં ૬૫માં ગ્રંથાક તરીકે છપાવાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy