SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૬૬-૧૬૯] ધ્વન્યાલોક અને લોચનનું ક્ષેત્ર કાવ્યપ્રકાશ જેટલું યે વ્યાપક નથી તો કાવ્યાનુશાસનના અતિવિશાળ ક્ષેત્ર સાથે એની શી તૂલના કરવી ? આ પ્રમાણે ડૉ. ધ્રુવે “કલિ.” હેમચન્દ્રસૂરિ ઉપર કરાતા આક્ષેપનો રદિયો આપ્યો છે. ' વૃત્તિ-કાવ્યાનુશાસનની અ. ચૂ. નામની ટીકાને અંગે “ન્યાયાચાર્ય યશોવિજયગણિએ વૃત્તિ રચી હતી એમ જે મનાય છે તે વાત સાચી છે, કેમકે એમણે પ્રતિમાશતક (ગ્લો. ૧૧)ની સ્વોપજ્ઞ ટીકામાં નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો છે : પ્રપશ્ચિાતં વૈતન્નક્Rવૂડામનિવૃત્તીવમામ' કવિશિક્ષા (લ. વિ. સં. ૧૨00) - આ ૩૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા જયમંગલસૂરિ છે. એમની આ કૃતિની તાડપત્રીય હાથપોથી ખંભાતના શાંતિનાથના ભંડારમાં છે. એના પ્રારંભની અને અંતમાંની થોડીક પંક્તિ પ્રો પિટર્સને એમના પ્રથમ હેવાલ (પૃ. ૭૦-૮૦)માં આપી છે. આ કૃતિમાં સિદ્ધરાજ જયસિંહની સ્તુતિરૂપ દષ્ટાંત છે એટલે જયમંગલસૂરિ વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં થયા હશે એમ લાગે છે. એમની આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય એમ જણાતું નથી તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે. કલ્પલતા (ઉ. વિ. સં. ૧૨00)– આના કર્તાનું નામ જાણવામાં નથી પરંતુ એઓ શ્વેતાંબર છે એમ એના પ્રારંભિક પદ્ય ઉપરથી જાણી શકાય છે. આ કૃતિમાં ચાર પરિચ્છેદ છે. પલ્લવ- આ કલ્પલતા ઉપરની વૃત્તિનું નામ છે. વિવેક યાને શેષ- ઉપર્યુક્ત પલ્લવ ઉપરની ટીકાનાં બે નામ છે: વિવેક અને શેષ. એનું પરિમાણ ૬૫૦૦ શ્લોક જેવડું છે. એની હાથપોથી વિ. સં. ૧૨૦૫માં લખાયેલી મળે છે. એમાં શરૂઆતમાં નીચે મુજબનું અશુદ્ધ પદ્ય છે : "यत् पल्लवेन विवृत्तं दुर्बोधिं मन्दबुद्धिश्चापि । क्रियते कल्पलतायां तस्य विवेकोऽयमतिसुगमः" આ ટીકાનાં બે નામ હોવાથી આ ટીકાને કલ્પલતાવિવેક તેમજ કલ્પપલ્લવશેષ પણ કહે છે. એમાં મૂળનાં પ્રતીક અપાયાં છે. એની પ્રશસ્તિમાં કલ્પલતાને વિબુધમંદિર, પલ્લવને એ મંદિરનો કલશ અને શેષને આનો ધ્વજ કહેલ છે. કાવ્યકલ્પલતા (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા “વાયડ' ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય ૨ ૧૬૯ અને સ્વાદિશબ્દસમુચ્ચય વગેરેના પ્રણેતા અમરચન્દ્રસૂરિ તેમજ “અરિસિંહ છે આ ચાર પ્રતાનોમાં વિભક્ત છે. એમાં એકંદર ૪૫ર જેટલાં પડ્યો છે. ૧. જુઓ જેસલમેરભાંડાગારીયગ્રન્થસૂચી (પૃ.૨૨) ૨. કવિશિક્ષા નામની વૃત્તિ સહિત આ મૂળ કૃતિ કાશીથી વિ. સં. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે અને એનું મરાઠી ભાષાંતર ગાયકવાડ સરકાર તરફથી છપાયેલું છે. એ બેમાંથી એકે પુસ્તક મારા જોવામાં આવ્યું નથી. જિગન્નાથશાસ્ત્રી સંપાદિત “કાવ્યકલ્પલતાવૃત્તિ” “ચૌખંબા સં. સિરિઝમાં ૧૯૩૧માં પ્રસિદ્ધ છે.] ૩. ગચ્છનું આ નામ “અણહિલપુર પાટણના વાયવ્ય ખૂણામાં પંદર માઈલને અંતરે આવેલા વાયડને આભારી છે. ૪. એમણે સુકૃતસંકીર્તન રચ્યું છે અને વ્હીલરના મતે કવિતારહસ્ય પણ એમની કૃતિ છે. ૫. જુઓ કાવ્યકલ્પલતા (૧, ૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy