SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ કાવ્યકલ્પલતા અને એની સ્વપજ્ઞ વૃત્તિમાં વર્ણવાયેલા વિષયોની નોંધ ડૉ. ડેએ HSP (ભા. ૨, પૃ. ૩૬૪-૩૬૬)માં નીચે મુજબ લીધી છે : પ્રથમ પ્રતાનનું નામ છન્દ:સિદ્ધિ' છે. એમાં પાંચ સ્તબક છેઃ (૧) “અનુભુ” છંદની રચના (અનુષ્ટ્રભુ શાસન); (૨) મુખ્ય વૃત્તોનો ઉલ્લેખ, એક છંદનું બીજા છંદમાં પરિવર્તન તેમજ યતિ ઇત્યાદિ (છન્દોડભ્યાસ); (૩) છંદ પૂર્ણ કરવા માટે વપરાતા શબ્દો જેમકે શ્રી, સમું, સતુ, દ્રાક, વિ, પ્ર, ઇત્યાદિ (સામાન્ય-શબ્દક); (૪) વાદ, પ્રશંસાના વિષયો, કુલ-શાસ્ત્રાદિ અને સ્વશાસ્ત્રાધ્યયન પ્રથા સંબંધી પ્રશ્નો ઇત્યાદિ (વાદ); અને (૫) રાજા, મંત્રી વગેરેનાં વર્ણન માટેની રીતિ અને કવિસમય (વર્ણ-સ્થિતિ). બીજા પ્રતાનનું નામ “શબ્દ-સિદ્ધિ' છે. એમાં શબ્દોની વ્યુત્પત્તિ, અનુપ્રાસ, સંબંધી વાક્યોના ઉલ્લેખ, સૂચિત વગેરે અર્થો ઇત્યાદિનું નિરૂપણ છે. એમાં ચાર સ્તબક છે. ત્રીજા પ્રતાનનું નામ “શ્લેષ-સિદ્ધિ છે. ભિન્ન ભિન્ન પરિચ્છેદ પ્રમાણે શબ્દોના ભિન્ન ભિન્ન અર્થ, P ૧૭૦ શ્લેષપયોગી શબ્દોની સૂચી, ચર્થી શબ્દો, બંધો ચિત્ર-કાવ્યો ઇત્યાદિ બાબતો અહીં અપાઈ છે. એમાં પાંચ સ્તબક છે. ચોથા (છેલ્લા) પ્રતાનનું નામ “અર્થ-સિદ્ધિ છે. કઈ વસ્તુને શેની સાથે સરખાવવી એ બાબત અહીં વિચારાઈ છે. એમાં સાત સ્તબક છે. કાવ્યકલ્પલતાના અંતમાં “અષ્ટચક્રાર’ બંધથી વિભૂષિત પરિધિશ્લોક છે. એની ચિત્ર સહિત નોંધ મેં ?ILD માં લીધી છે. આ કૃતિની સ્વોપજ્ઞ વૃત્તિમાં એના કર્તાએ પોતાની નિમ્નલિખિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે :કાવ્યકલ્પલતા-પરિમલ, કાવ્યકલ્પલતા-મંજરી, અલંકાર-પ્રબોધ અને છંદોરત્નાવલી. વૃત્તિઓ :કવિશિક્ષા- આ ૩૩૫૭ શ્લોક જેવડી સ્વોપજ્ઞ વૃત્તિ છે. કાવ્યકલ્પલતા-પરિમલ- આ કાવ્યકલ્પલતા ઉપરની ૧૧૨૨ શ્લોક જેવડી સ્વોપજ્ઞ વૃત્તિ છે. કાવ્યકલ્પલતા-મંજરી– આ સ્વોપજ્ઞ વૃત્તિ હજી સુધી તો મળી આવી નથી. એ કાવ્યકલ્પલતાપરિમલ કરતાં પહેલી રચાઈ હશે એમ આ બેનાં નામ ઉપરથી કલ્પના કરાય છે. કાવ્યકલ્પલતા ઉપર ઉપર્યુક્ત ત્રણ સ્વીપજ્ઞ વૃત્તિ ઉપરાંત નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે : મકરન્દ– આ વૃત્તિના રચનાર હીરવિજયસૂરિના શિષ્ય શુભ-વિજયગણિ છે. એમણે વિ. સં. ૧૬૬૫માં આ વૃત્તિ ૩૧૯૬ શ્લોક જેવડી રચી છે. P ૧૭૧ વૃત્તિ– યશોવિજયગણિએ પણ ૩૨૫૦ શ્લોક જેટલા પરિમાણવાળા એક વૃત્તિ રચી છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૯) જોતાં જણાય છે. શું આ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિ છે ? ૧. વસ્તુપાલકૃત નરનારાયણાનંદ (સ. ૧૪)માંનું ૧૬મું પદ્ય આ પ્રતાનમાં જોવાય છે. ૨. જુઓ મુંબઈ વિદ્યાપીઠનું સામયિક (Arts No. 30). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy